________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય આમા.
નસાતરનું ચૂર્ણ અને સાકર ખાઈને ઉપર ઉકાળેલું પાણી પીએ તે તેને વિરેચન થઈને તેનું પિત્ત નીકળી જાય છે અને તેથી પિત્તપાંડરોગ મટે છે.
કપાંડુઉપર વમન
वचोष्णतोयेन च सैन्धवेन । फोद्भवे वा वमने प्रयोज्या ॥
કુથી થયેલા પાંડુરોગવાળાએ વજ્ર તથા સિંધવનું ચૂર્ણ ગરમ પાણીમાં નાખીને પીવું તેથી વમન થઇને મુક્ નીકળી જશે. વાતપાંડુઉપર પાચન
दशमूलसनागरकं क्वथितं पिब पाण्डुगदे मरुदुद्भव के । पिप्पलिकाप्रतिवापविमिश्रं पाचनकं हितमेव नृणां स्यात् ॥
દશમૂળ ( પાછળ ઘણીવાર કહેવામાં આવ્યાં છે) અને સુંઠના ક્વાથ કરીને તેમાં પીપરનું ચૂર્ણ નાખીને તે પીવું. વાયુથી ઉપજેલા પાંડુરોગમાં એ પાચન ઔષધ છે. એ ઔષધ વાયુથી થયેલા પાંડુરોગવાળાઓને હિતકારી છે.
3
For Private and Personal Use Only
૪૦૭
ત્રિફળાદિ ક્વાથ. त्रिफलकटुकशुक्ता निंबभूनिंबमेघ त्रिवृदमृतलताभिश्चेतकी नागरा च । कथितमपि विधेयं सारघेण प्रयुक्तं हरति च मनुजानां पाण्डुरोगं प्रदिष्टम् ॥
ત્રિફળા ( હરડાં, ખેડાં, આમળાં), કુટકી, ધાળા દીવેળાનાં મૂળ, લીંબડાની અંતરછાલ, કરિયાતું, નસેતર, ગળા, હરડે, ખું, એ સર્વ ઔષધોના ાથ કરીને તેમાં મધ નાંખીને પીવું. એ વાથ મનુષ્ય ને પાંડુરોગ હરે છે એમ મુનિઓએ કહેલું છે.
ધાતુમાક્ષિકાદિ ચૂર્ણ,
धातुमाक्षिककटुत्रयं तथा लोहचूर्णमपि हेम माक्षिकम् । चूर्णमेव मधुना घृतेन च भक्ष्यगोमथितपानकं पुनः ॥ पाण्डुरोगमथ वा हलीमकं कामलां जयति दारुणां पुनः ।
॥