________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨
હારીતસંહિતા.
આય કહે છે. મનુષ્યને સઘળા વ્યાધિઓ પિતતાના કર્મવડે જ ઉપજે છે. એ સર્વે વ્યાધિઓ નરકરૂપ છે. અર્થાત પાપાદિ કર્મ કરનાર જે નરકયાતના ભોગવે છે તેવું જ કષ્ટ રેગી પણ ભોગવે છે. એ વ્યાધિમાંના કેટલાક સાધ્ય, કેટલાક કષ્ટસાધ્ય અને કેટલાક અસાધ્ય છે.
સાધ્ય વ્યાધિનું કારણ, अज्ञातं यत्कृतं पापं 'पश्चात् कृच्छ्रे समाचरेत् । प्रायश्चित्तबलेनापि साध्यरूपो भवेद्गदः ॥
જે પાપ અજાણે કર્યું હોય અને પછી જાણવામાં આવે ત્યારે કુઝ ચાંદ્રાયણાદિ પ્રાયશ્ચિત્ત કરે, તે તે પ્રાયશ્ચિત્તના બળથી સાધ્યરૂપ રેગ થાય છે. અર્થાત પાપકર્મના પરિણામરૂપ રોગ ઉપજે તે ખરો પણ તે સાધ્ય હોવાથી ઉપચાર કરતાં મટી શકે છે.
કષ્ટસાધ્ય રોગનું કારણ क्रियते ज्ञातरूपेण यत्पश्चात् कृच्छ्रमाचरेत् ।
प्रायश्चित्तेन प्रान्ते तु कष्टसाध्यो भवेद्गदः॥ કઈ પાપરૂપ કર્મ જાણી જોઈને કર્યું હોય અને પછી તે પાપ કર્મથી પસ્તાને કુચાંદ્રાયણ વગેરે પ્રાયશ્ચિત્ત કરે છે તે પ્રાયશ્ચિત્તના બળથી કષ્ટસાધ્ય રોગ થાય છે. અર્થાત પ્રાયશ્ચિત્ત કર્યું માટે રોગ મટે તે ખરે પણ પાપકર્મ જાણી જોઈને કરેલું હોવાથી તે રેગ મટાડવાને ઘણે શ્રમ કરવો પડે.
અસાધ્ય રોગનું કારણ ज्ञातरूपेण यत्पापं कृच्छं नैव करोति चेत् ।
तेनासाध्यो भवेद्रोगः पापादप्रतिकर्मणः॥ કઈ પાપરૂપ કર્મ જાણી જોઈને કર્યું છતાં પ્રાયશ્ચિત્ત કરવામાં આવે નહિ તે તે પાપને લીધે પ્રાયશ્ચિત્તરૂપ ઉપચાર ન કરનારને અને સાધ્ય રોગ થાય છે.
૧
ઈ
.
For Private and Personal Use Only