Page #1
--------------------------------------------------------------------------
________________
29638)
DEC 369696969683
389
3689
E3@28)
SEBS)
સંક્ષિપ્ત જૈન દર્શન
(પ્રશ્નોત્તરરૂપે)
Page #2
--------------------------------------------------------------------------
________________
‘ એક વિષયને અનંતભેદે પરિપૂર્ણ કહેનાર તે જૈનદર્શન છે. પ્રજનભૂતતવ એના જેવું કયાંય નથી. એક દેહમાં બે આમા નથી, તેમ આખી રસૃષ્ટિમાં બે જૈન એટલે કે જૈનની તુલ્ય એ કે દર્શન નથી. આમ કહેવાનું કારણ શું ? તો માત્ર તેની પરિપૂર્ણતા, નીરાગિતા, સત્યતા અને જગતહિતસ્વિતા. બાકીના સવ" ધર્મમતાના વિચાર જિનપ્રણીત વચનામૃતસિંધુ આગળ એક બિંદુરૂ પ પણ નથી. અન્ય પ્રવર્તકો પ્રતિ મારે ક'ઈ વૈરબુદ્ધિ નથી કે મિથ્યા એનું ખંડન કરું. પ્રિય ભવ્ય ! જૈન જેવું એકે પૂણ દર્શન નથી, વીતરાગ જેવે એ કે દેવ નથી.”
– શ્રીમદ્ રાજચંદ્ર
For Privateersonal Use Only
W
elbar
Page #3
--------------------------------------------------------------------------
________________
સંક્ષિપ્ત જૈન દર્શન
(પ્રશ્નોત્તર રૂપે)
જૈન ધર્મનું પ્રાથમિક જ્ઞાન લેવા ઈચછનારા
જિજ્ઞાસુ જીવો માટે
સંકલનકાર તથા પ્રકાશક : દિનેશચંદ્ર જોરાવરમલ મેંદી એમ. એ., એલ. એલ. બી., રાષ્ટ્રભાષા રત્ન
એડવોકેટ, સુપ્રીમકેટ
આ પુસ્તક ધર્મનું છે, તેની અશાતના કરશે નહીં. નીચે જમીન ઉપર મૂકશે નહીં. તેને ગેરઉપયોગ કરશો નહીં.
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન : શ્રી અલ્પેશ દિનેશ મોદી મેમેરિયલ ટ્રસ્ટ, ૯૨૪, સ્ટોક એક્ષચેન્જ ટાવર, દલાલ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૨૩
ઓગસ્ટ ૧૯૭૭ : પ્રથમ આવૃત્તિ : પ્રત ૧૦૦૦. ડિસેમ્બર ૧૯૭૭: દ્વિતીય આવૃત્તિ : પ્રત ૧૦૦૦. માર્ચ ૧૯૮૨ : તૃતીય આવૃત્તિ : પ્રત ૧૦૦૦. મે ૧૯૮૮ : ચતુર્થ આવૃત્તિ : પ્રત ૨૦૦૦.
વેતાંબર દિગંબરાદિ મટી જૈન બને.”
દિનેશ મોદી
“ધર્મ આત્મામાં છે, આત્માને છે, આત્મા માટે છે, અને આત્માથી છે”
.દિનેશ મોદી
મૂલ્ય : રૂ. ૫o-co અથવા અન્ય કોઈ રકમ ટ્રસ્ટમાં દાન રૂપે.
મુદ્રક : ભગવતી મુદ્રણાલય
૧૯, અજય એસ્ટેટ દૂધેશ્વર રેડ, અમદાવાદ,
Page #5
--------------------------------------------------------------------------
________________
Page #6
--------------------------------------------------------------------------
________________
买回可可可可可可可可可可可可可
સ્વ. શ્રી જોરાવરમલભાઇ મણીલાલભાઇ મોદી
8-90-9509
可可回回回回可
23-2-9639
EEEEEEEEE
Page #7
--------------------------------------------------------------------------
________________
સ્વ. શ્રી જોરાવરમલભાઈ મણિલાલભાઈ મોદી
જીવન ઝરમર આપને જન્મ પાલણપુરમાં ધનિષ્ઠ અને આગેવાન વિશા ઓસવાળ જૈન સ્થાનકવાસી કુટુંબમાં થયો. તે વખતે પાલણપુર નવાબનું દેશી રાજ્ય હતું. આપના પિતાશ્રી મણિલાલભાઈ પાલણપુરના જાગીરના કારભારી હતા. ઘેર કારભારું એટલે દરબાર છે. રાજા ન કરી શકે તે કારભારી કરી આપે. સવારથી સાંજ સુધી પુષ્કળ માણસની અવરજવર. ધરના ચેકમાં માણસ સમાય નહીં. નોકરચાકરથી ઘર ગાજે. ઘરઆંગણે ઘેડા, ગાડી, ભેંસના હોંકારા ચાલુ જ હોય. સવારથી રાત સુધી રડું ચાલે.
મેટ્રિક પછી કલકત્તા મામાની ભાગીદારીમાં મે. ઠાકોરલાલ હીરાલાલ એન્ડ ફ.ની પેઢીમાં હીરાને વેપાર શરૂ કર્યો. આપે જોતજોતામાં ધંધે બહુ જમાવ્યો. ઈ. સ. ૧૯૩રમાં આપ યુરોપ સિધાવ્યા. ત્યાં એક વર્ષ રહી આપે ત્યાં પણ ધધે બહુ વિકસાવ્યું. પરદેશમાં આ પેઢીનું નામ થઈ ગયું. એન્ટવર્પના વેપારીઓ આપને આજે પણ બહુ આદરભાવથી યાદ કરે છે. ધંધાની સુંદર કુનેહ અને હીરાની અદ્ભુત પરખથી આપે ઘણું દ્રવ્ય ઉપાર્જન કર્યું. પાંચ વર્ષમાં આપે તે પેઢીને આખા દેશની અગ્રગણ્ય પેઢીઓની હરોળમાં લાવી મૂકી દીધી. જ્યારે પેઢીનો શો રૂમ કલકત્તામાં ડેલહાઉસી સ્કવેર જેવા અદ્યતન લત્તામાં ખુલ્લું મૂકાયો ત્યારે તે આખા કલકત્તામાં સૌથી સુંદર શો રૂમ હતો.
આપનાં લગ્ન પાલનપુરના નગરશેઠ પિતાંબરભાઈ મહેતાની પૌત્રી સરસ્વતિબહેન સાથે થયાં. આપને બે પુત્રો, દિનેશ અને સ્વ. અનિલ અને એક પુત્રી લતા. આપને બે ફઈઓ, સ્વ. મફતબહેન અને અને સ્વ. લીલાબહેન (જેમના પતિ હાઈકોર્ટને ભાજી જજ સ્વ. શ્રી રતિલાલ ભાઈચંદ મહેતા). બંને ફઈઓ આપની ઉંમરનાં હોવાથી બહેને જેવું હેત. મોટી ફઈ મફતબહેન (સ્વ. પૂ. વસુમતિબાઈ મહાસતીજી) પરણ્યા પછી છ મહિનામાં વિધવા થયાં. તેનો આઘાત અસહ્ય હતો.
જ્યારે ઘરમાં મફતબહેનને દીક્ષાની રજા આપવા કોઈ તૈયાર નહતું ત્યારે આપે તેમને દીક્ષા અપાવવા વચન આપ્યું હતું પણ છેડે વખત ભી જવા કહ્યું, પણ તે પહેલાં આપ ૨૯ વર્ષની નાની વયે દેહત્યાગી સિધાવ્યા.
Page #8
--------------------------------------------------------------------------
________________
કર્મના ચમત્કાર
“એક જીવ સુંદર પલંગે પુખશયામાં શયન કરે છે, એકને ફાટેલી ગોદડી પણ મળતી નથી. એક ભાતભાતનાં ભજનોથી તૃત રહે છે, એકને કાળી જારના પણ સાંસા પડે છે. એક અગણિત લક્ષ્મીને ઉપભોગ લે છે, એક ફૂટી બદામ માટે થઈને ઘેર ઘેર ભટકે છે. એક મધુરાં વચનથી મનુષ્યનાં મન હરે છે, એક અવાચક જેવો થઈને રહે છે. એક સુંદર વસ્ત્રાલંકારથી વિભૂષિત થઈ ફરે છે, એકને ખરા શિયાળામાં ફાટેલું ૫ડું પણ ઓઢવાને મળતું નથી. એક રોગી છે, એક પ્રબળ છે. એક બુદ્ધિશાળી છે, એક જડભરત છે. એક મનોહર નયનવાળે છે, એક અંધ છે. એક લૂલે છે, એક પાંગળા છે. એક કીતિમાન છે, એક અપયશ ભોગવે છે. એક લાખ અનુચરે પર હુકમ ચલાવે છે, એક તેટલાના જ ટુંબ સહન કરે છે. એકને જોઈને આનંદ ઊપજે છે, એકને જોતાં વમન થાય છે. એક સંપૂર્ણ ઈન્દ્રિયવાળે છે. એકને દીન-દુનિયાનું લેશ ભાન નથી, એકના દુઃખને કિનારે પણ નથી.
એક ગર્ભાધાનથી હરા, એક જ કે મૂઓ, એક મૂએલે અવતર્યો, એક સે વર્ષને વૃદ્ધ થઈને મરે છે.
કેઈનાં મુખ, ભાષા અને સ્થિતિ સરખાં નથી, મૂર્ખ રાજગાદી પર ખમા. ખમાથી વધાવાય છે, સમર્થ વિદ્વાનો ધક્કા ખાય છે !
આમ આખા જગતની વિચિત્રતા ભિન્ન ભિન્ન પ્રકારે તમે જુઓ છો; એ ઉપરથી તમને કંઈ વિચાર આવે છે ? તે શા વડે થાય છે ?
- પિતાનાં બાંધેલાં શુભાશુભ કમ વડે. કર્મ વડે આ સંસાર ભમવો પડે છે. એ ઉપરથી વિચાર કરશે તે તમને પરભવની શ્રદ્ધા દઢ થશે.”
શ્રીમદ રાજચંદ્ર
Page #9
--------------------------------------------------------------------------
________________
કર્મની વિચિત્રતા સીતા પ્રત્યેના રાગથી રામચંદ્રજીએ ઘોર યુદ્ધ કરીને સીતાને રાવણથી છોડાવીને ઘેરે લાવ્યા. સીતાજીએ પિતાના સતીત્વ માટે અશિ–પરીક્ષા આપી. એ જ સીતાને લેક અપવાદના ભયથી ને રાજ્યના લેભથી ઘેર જંગલમાં છોડી દીધાં. સીતાજી રામથી વિરક્ત થઈને, દીક્ષા લઈને ઘેર તપ કરીને, સોળમાં સ્વર્ગમાં પ્રતીન્દ્ર થયાં. તે વખતે રામચંદ્ર મુનિ થઈ સિદ્ધપદની સાધના કરતાં ધ્યાનમાં લીન હતા. સીતાજીએ રામચંદ્રજીની સાથે સ્વર્ગમાં સાથે રહીને ધર્મચર્ચા તથા તીર્થ વંદના કરવાના રાગે, રામચંદ્ર મુનિને સિદ્ધપદની સાધના તથા ધ્યાનમાંથી ચૂત કરાવવા માયાચારીથી સીતાનું રૂપ કરીને ઉપસર્ગ કરવા લાગ્યાં. પરંતુ શ્રી રામચંદ્ર મુનિ તે શ્રેણીમાં આગળ વધીને કેવળજ્ઞાન પામ્યા. રામચંદ્રમુનિને કેવળજ્ઞાન થતાં સીતાજીને જીવ કેવળી પાસે ઉપસર્ગ કર્યાની ક્ષમા માગે છે, ને લક્ષ્મણ, રાવણ તથા પોતાના બે વિષે કેવળીને પૂછે છે. લક્ષ્મણ ચોથી તથા રાવણ ત્રીજી નરકે ગયાનું જાણીને, રાવણ પાસે નરકમાં જઈને, સીતાજી પોતાની ઓળખાણ આપીને પ્રેમથી ધર્મનું સ્વરૂપ સમાવીને સમ્યજ્ઞાન પમાડે છે.
જીવનાં પરિણામોની વિચિત્રતા તે જુઓ ! જે રાવણ અને લક્ષ્મણના જીવો પૂર્વે મનુષ્ય તિર્યંચના અનેક ભવ પર્યત સીતાજીના જીવના કારણે એકબીજાને મારતા હતા તે જ લક્ષ્મણ અને રાવણ ભવિષ્યમાં નરકમાંથી નીકળીને મહા–પ્રીતિવંત સગા ભાઈઓ થશે ! ને ત્યાંથી સ્વર્ગમાં સાથે જ ઊપજશે. ત્યાંથી મનુષ્ય થઈને મુનિદાનના પ્રભાવથી ભોગભૂમિમાં સાથે જશે, ને ત્યાંથી સ્વર્ગમાં પણ સાથે ઊપજશે. ત્યાંથી મનુષ્યપણામાં બંને સગા ભાઈપણે રાજપુત્રો થશે ને દીક્ષા લઈને સાતમા સ્વર્ગે જશે. જ્યારે સીતાજીનો જીવ સળમાં સ્વર્ગમાંથી ભરતક્ષેત્રમાં ચક્રવતી થશે ત્યારે રાવણનો જીવ ઈદ્રરથ ને લક્ષ્મણને જીવ મેઘરથ નામના (સીતાજીના જીવના) ચકીપત્રો થઈને મહાધર્માત્મા થશે. ચક્રવતી પિતા (સીતાજીને જીવ) અને પુત્રોને પરસ્પર અતિ સ્નેહ વર્તાશે. સીતાજીને જીવ (ચક્રવતી') મુનિ થઈને ૩૩ સાગરની સ્થિતિએ અનુત્તર વિમાનમાં અહં ઈન્દ્ર થશે અને રાવણુ અને લક્ષ્મણને જીવો પણ અહમિો થશે. ત્યાંથી નીકળીને રાવણને જીવ તીર્થકર થશે ત્યારે સીતાજીને જીવ તેમના પ્રથમ ગણધર ને લક્ષ્મણને જીવ ઘાતકી ખંડપમાં ચક્રવતી પદ સહિત તીર્થકર થશે. અહાહા ! ત્રણે મોક્ષગામી તીર્થકર–ગણધરના દ્રવ્યો હોવા છતાં પરિણામોની કેવી વિચિત્રતા !
Page #10
--------------------------------------------------------------------------
________________
સ્વ. શ્રી અલ્કેશભાઈ દિનેશભાઈ મેમાદી
જીવનદૃશ્ય
આપ શ્રી દિનેશભાઈ તથા શ્રીમતિ સરોજબેનના એકના એક સંતાન હોવાથી અત્યંત લાડકોડમાં ઉછ્યું હતા. આપે મુંબઈની કેમ્પિયન અને ઝેવિયર્સ હાઈસ્કૂલ તથા જયહિંદ કોલેજમાં અભ્યાસ કર્યા અને બી.એ., એલ.એલ.બી.ની ડિશ્રીએ મેળવી. તદ્ઉપરાંત ગવમેન્ટ કામસ ડિપ્લામા, જેમાલજી ફેસ'માં ડિપ્લોમા, સ્ટોક એક્ષચેન્જ કાસ'માં ડિપ્લોમા અને ખીન્ન અનેક ડિપ્લોમા મેળવ્યા. અભ્યાસની સાથે સાથે અઢાર વર્ષની ઉંમરે હીરાના વેપાર માટે માસા શ્રી અરવિંદભાઈ પરીખની પેઢીમાં જોડાયા, અને ટૂંક સમયમાં પોતાનુ મેન્યુફેક્ચરીંગનું કામ શરૂ કર્યું. સાથે સાથે શેરબજારના ધંધાના અનુભવ મેળવવાનું કામ ચાલુ હતુ. શેરબજારમાં તે છ વર્ષોંની વયથી રસ હતો. કામ્પ્યુટર વિષે આપને ઊંડું અને અથાગ જ્ઞાન હતું. તે વિષે આપના અભ્યાસપૂર્ણ લેખો દૈનિક છાપામાં છપાયા હતા.
શેરબજારના મેમ્બર દલાલ તરીકે નોંધાવા માટે જરૂરી એકવીસ વર્ષીની લઘુતમ વયે પહેાંચ્યા પછી તરત જ ૧૯૮૦માં મુંબઈના શેર બજારમાં અત્યાર સુધીના સૌથી નાનામાં નાના મેમ્બર દલાલ તરીકે આપને સ્વીકારવામાં આવ્યા, અને તેથી દાદાને વારસાગત હીરાના ધધા છેડવા પડયો. આપનાં લગ્ન રાજકોટના ડૉ. હેમુભાઈ ટાલીયાની દીકરી અમીમેન સાથે થયાં હતાં.
આપની પેઢી મે. અલ્કેશ દિનેશ માદી એન્ડ કુાં. આખા દેશના શેરબજારાની સર્વોચ્ચ કક્ષાની જૂજ પેઢીઓની હરાળમાં ગણાતી હતી. આપની સલાહ લેવા, પ્રવચન સાંભળવા, લખાણ વાંચવા નિયમિત લાખા ઈનવેસ્ટરા કાગડોળે રાહ જોતા. ધરામાં અત્યંત પ્રિય હતા. દેશના મહત્ત્વના અને લોકપ્રિય કુલ અગિયારથી બાર દૈનિક છાપાં, માસિકો, પેપરા દર અઠવાડિયે નિયમિત આપના અભ્યાસપૂ લેખા મેળવવા માટે અત્યંત આગ્રહ રાખતા. સરેરાશ દર છ મહિને શેરબજારને લગતું આપનું એક પુસ્તક છપાતું કે જેની વીસ વીસ હજાર કોપીઓ વેચાઈ જતી અને તે છ્તાં તેની માંગ અવિરત ચાલુ રહેતી. આપના જેવા સૌથી યુવાન અને અને અતિ તેજસ્વી શેર દલાલ આખા દેશમાં ડાઈ નથી તેમ શેરબજારના વડાએ, કંપની લો ખેડ`ના વડાએ, આગેવાન મરચન્ટ એ`કરાએ પોતાનાં મત−ા જાહેર કર્યાં હતાં. લક્ષ્મી આપને વરી હતી. યશકીતિ" આપનાં ચરણ ચૂમતી હતી.
Page #11
--------------------------------------------------------------------------
________________
|_| |_| | | | | | | | | ||||||||||||||||||||=||||||||||||||
E=|-|=|-|=| | | | | | | | | | | |_| |_| |_|=|
સ્વ. શ્રી અલ્પેશભાઈ દિનેશભાઈ મોદી
પ-૧૧-૧૯૮૬ E|||||||||||||||||||||||||
૨૬-૧૧-૧૯૫૮
Bajaj ||=|-|=||||||||||===|||||||=|=||=|-|=||=||alle|El
Page #12
--------------------------------------------------------------------------
________________
Page #13
--------------------------------------------------------------------------
________________
અન્ય કોઈ જિંદગીભર મહેનત કરીને પણ ન મેળવી શકે તેના કરતાં અસંખ્યગણું રિદ્ધિ સિદ્ધિ આપને આવી મળી. જિંદગીના ચોકઠા કરતાં આપ ઘણું મોટા માનવી હતા; મુઠ્ઠીભર ઊંચેરા યુવાન હતા. જિંદગી આપને જીરવી ન શકી. ફક્ત સત્તાવીસ વર્ષની તરુણ વયે અચાનક નિઃસંતાન આપ આ દુનિયા છોડીને દેવલેક ચાલી ગયા.
આપને સ્વભાવ અત્યંત નિખાલસ, અને હૃદય સ્ફટિક જેમ સ્વચ્છ હતું. આપ નિકટવતી ભવ્ય જીવ હેઈ અતિ મંદ કષાયી હતા. ધર્મની તીવ્ર રુચિ અને તત્ત્વનું ઊંડું જ્ઞાન હતું. જેને અધ્યાત્મ સ્ટડી સર્કલ ફેડરેશન તરફથી હાલમાં યોજાતી જૈન અધ્યાત્મ વ્યાખ્યાન માળાની સ્થાપના અને શરૂઆત અમુક વર્ષો સુધી આપની પ્રેરણું અને સંપૂર્ણ આર્થિક સહાયથી અને આપના નામ સાથે થઈ હતી. આપ વારંવાર કહેતા હતા કે આત્માને દેહથી તદ્દન ભિન્ન ભાન, શ્રદ્ધા અને અનુભવે તે ધર્મની ટૂંકામાં ટૂંકી પરિભાષા છે. ધર્મ બાબત આપની સમજણ અને પરિપકવતા જોઈ વિદ્વાન પંડિતે પણ દંગ રહી જતા.
Page #14
--------------------------------------------------------------------------
________________
સાતતત્ત્વ અથવા નવ પદાર્થની સાચી
ત્રયા
સમ્યગ્દર્શન
દેવ,શાસ્ત્ર,ગુરુની આત્માનુભૂતિ અનેકાન્ત સ્યાદવાદ
સાચી શ્રદ્ધા
-
બહિરાત્મા અત્તરાત્મા પરમાત્મા
દેવ ચામ ગુરુ
ગુણસ્થાન માણાસ્થાન આદિ વના ભેદ
નગ્નત્વ
જીવ અજીવ આવ બંધ સંવર નિર્જા મોક્ષ પુણ્ય પાપ
પુદ્ગળ ધર્મ અધર્મ આકાશ કાળ
જ્ઞાતાવ૨ણાદિ આઠ કર્મો
શલંચન
મોક્ષ
પ્રથમાનુયોગ ચરણાનુયોગ
u
અહિંસાણુવ્રત સત્યાણુવ્રત અચોણુવ્રત બ્રહ્મષ્ટ
પાંચમહાવ્રત
અહિંસા સત્ય અચોર્ય બ્રહ્મચર્ય અપરિગ્રહ
ભૂમિશયન
નય
સ્મૃતિ પ્રત્યભિજ્ઞાન
વિ
દ્રવ્ય
ઈમાં ભાષા એષણા આદાન
વિક્ષેપણ
દંતધાવનત્યાગ
પશ સમિિ
Γ
સ્પર
'
Page #15
--------------------------------------------------------------------------
________________
માર્ગ
વજ્ઞાન
સમ્મચારિત્ર
સકળચરિત્ર
દિ અનુયોગ પ્રમાણ નય
દેશચારિત્ર પ્રત્યક્ષ પરોક્ષ
| બારવ્રતો શુદ્ધોપયોગ ૧ કરણાનુયોગ દ્રવ્યાનુગ
ધ્યાન તર્ક અનુમાન આગમ
શુપયોગ
નિશ્ચય
વ્યવહાર પર્યાયાર્થિક
વ્યાબૅિક
પાંચ અણુવ્રત
ત્રણગુણવ્રત
ચા૨ ડિગલાવત
બચણવત પરિગ્રહ
પરિમાણ અણુવ્રત
મામયિક ગોષધોપવાસ ભોગોપભોગ અતિથિ
પરમાણવ્રત સંવિભાગ
9ત
૨૮મૂળગુણ
દિવ્રત
દેશવત અનર્થહવ્રત
તમાં પાંચ ઈન્દ્રિયવિજય
છે આવશ્યક
સાત શેષગુણ
૫ના રસના ઘાણ ચક્ષુ કાન
પ્રતિષ્ઠાવન
સામાયિક વંદના સસ્તુતિ પ્રતિકમણ સ્વાધ્યાય દ્વાન
ઊભાઊભા આહાર લેવો
જ્ઞાનત્યાંગ
દિવસમાં એકવારજ આહાર લેવો
Page #16
--------------------------------------------------------------------------
________________
પ્રથમ આવૃત્તિનું સંક્ષિપ્ત નિવેદન
જીવને પરમાર્થ માર્ગની રુચિ થતાં, ઘણા પ્રશ્નો ઉદ્ભવે છે અને તે પ્રશ્નોનું યોગ્ય સમાધાન ન થતાં અમૂલ્ય ભવ એળે જાય છે. આમ અનેક પ્રશ્નોનું યોગ્ય સમાધાન મેળવતાં લાંબે સમય વ્યતીત થઈ ગયો અને ઘણું પ્રયત્નો પછી મને જોગાનુજોગ જૈન દર્શનની સર્વોત્તમતાની પ્રતીતિ થઈ. જે મને આટલા લાંબા સમય પછી પ્રાપ્ત થયું તે બીજા મુમુક્ષુ ભાઈબહેનોને ત્વરાથી અને સહેલાઈથી મળી શકે તે શુભાશયથી, છેલ્લાં અઢી-ત્રણ વર્ષોથી આ પુસ્તક તૈયાર કરવામાં કાર્યશીલ હતા.
આ પુસ્તકમાં સંસ્કૃત અથવા અર્ધમાગ્દી ભાષાને કઈ પણ ઉપયોગ કર્યો નથી, કારણ કે તેના ગુજરાતી ભાષાંતર વગર આમ જનતાને સમજવું મુશ્કેલ છે તેથી બારેબાર ગુજરાતીમાં જ ભાષાંતર આપી દીધેલ છે. તદ્ઉપરાંત અંગ્રેજી ભાષાના એક પણ શબ્દનો ઉપયોગ નથી. જેના દર્શન મમ અને ઊંડાઈ વ્યક્ત કરવાને માટે અંગ્રેજી ભાષા તદ્દન અસમર્થ છે, પાંગળી છે; ભાષામાં શબ્દો નથી. અંગ્રેજી ભાષા આવડે છે તેમ બતાવી મારી વિદ્રત્તા દર્શાવવાની મને કંઈ જરૂર નથી.
આ પુસ્તકમાં આપેલા પ્રશ્નો મુખ્યત્વે મારા છે, પણ તેના ઉત્તરે અક્ષરશઃ જ્ઞાની ભગવંતોની વાણી અને વિદ્વાન પંડિતનાં જ વચનો છે. તેમાં મારા પિતાને એક શબ્દ પણ નથી. જ્યાં જ્યાં પૂર્વાપર સંબંધ જાળવવા અમુક શબ્દો ઉમેરવા જેવા મને લાગ્યા છે ત્યાં તે મારા શબ્દો કસમાં મૂક્યા છે. આ પુસ્તક મારું લખેલું છે કે હું તેને લેખક છું તેમ કોઈ ભૂલચૂકથી પણ ન સમજે, તેથી તે હું જ છેષમાં પડું. આ પુસ્તકમાં મારું તે કાંઈ જ નથી. આ પુસ્તક તૈયાર કરવા માટે જે જે પુસ્તકોનો આધાર લીધે છે તેની યાદી આ પુસ્તકમાં અન્ય સ્થળે આપી છે.
જૈન ધર્મના દરેક મતોનું સંકલન કરવાને મેં અહીં પ્રગર્યો છે અને તેમ કરતાં અમુક મત, ગ૭, વગની લાગણીઓ જાણતાં-અજાણતાં મારાથી કદાચ દુભાવાઈ હોય તે હું ક્ષમાને યોગ્ય છું. મારો આશય તે શુભ જ છે.
આ પુરતક તૈયાર કરી પ્રકાશન કરવામાં ભારે કઈ મોહભાવ નથી કે માનની વૃત્તિ પિધવાની ઈચ્છા નથી. હું મારી વિકતા દર્શાવવા આ પુસ્તકની રચના કરી છપાવી રહ્યો નથી; હું તો પામર અને અજ્ઞાન છું; પણ ધર્મની પ્રભાવને થાય, અને જિજ્ઞાસુ જીવોને કાંઈ ફાયદો થાય તે આ પુસ્તકનું ધ્યેય સફળ થયું કહેવાય. સ્વાધીન સદન,
દિનેશ મોદી ચર્ચગેટ, મુંબઈ
અષાઢ સુદ એકાદશી ૨૭-૬-૧૯૭૭
સંવત ૨૦૩૩
Page #17
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય આવૃત્તિનું નિવેદન ફક્ત બે મહિનામાં જ પહેલી આવૃત્તિનાં તમામ પુસ્તકો ખપી ગયાં. વિનામૂલ્ય આપવાથી આ પુસ્તકે પૂરાં થઈ જશે તેમ લક્ષમાં હોવા છતાં તેની માંગ ઠેર ઠેર હજુ સુધી આટલી બધી સતત ચાલુ રહેશે તેવું તો મારી કલ્પનામાં પણ નહોતું. એ પણ સમજુ છે કે જેઓ પુસ્તક લઈ ગયા છે અને લઈ જશે તેમાંથી ફક્ત અતિ સૂમ લઘુમતિના જ છો તેનું પૂરેપૂરું વાંચન, મનન કરશે; તેમ છતાં ચેડા જીવોને પણ આ પુસ્તક છેડે ઘણે અંશે કલ્યાણકારી થાય તેવી ભાવનાથી જ બીજી આવૃત્તિ છપાવી છે.
જે આ પુસ્તક ગમ્યું હોય તે એનું કારણ એ છે કે ભગવાનની વાણું જ એવી અલૌકિક છે કે તે વાંચતાં સાંભળતાં જિજ્ઞાસુ જીવને આત્મા તરત જ અંદરથી જવાબ આપે. તેને રુચિ થાય. યોગ્યતા જણાય.
પહેલી આવૃત્તિમાં જે કાંઈ ભૂલે, ત્રુટિઓ મારા ધ્યાનમાં આવી તે સુધારી લેવા પ્રયત્ન કર્યો છે. ઉપરાંત જે પ્રશ્નો ફરી ફરીને આવ્યા હોય તે કમી કર્યા છે અને અમુક નવા પ્રશ્નો ઉમેર્યા છે.
બીજી આવૃત્તિના છાપકામના દેખરેખનું કાર્ય શ્રી પ્રભાકરભાઈ હિંમતભાઈ કામદાર (અમદાવાદ) ઘણું શ્રમ અને ભાવનાથી કર્યું છે તેથી તેમને ઋણી છું. સ્વાધીન સદન
દિનેશ મોદી, ચર્ચગેટ, મુંબઈ
કાર્તિક સુદ પૂર્ણિમા ર૫–૧૧–૧૯૭૭
સંવત ૨૦૩૪
Page #18
--------------------------------------------------------------------------
________________
તૃતીય આવૃત્તિનું સંક્ષિપ્ત નિવેદન
દ્વિતીય આવૃત્તિ પછીના સ્વાધ્યાય દરમિયાન જે કાંઈ મારા વાંચવામાં આવ્યું તે આ તૃતિય આવૃત્તિમાં સંકલન કરી લેવાયું છે. તેના ફળસ્વરૂપે જુના પ્રશ્નોના વિવિધ ઉત્તર વિસ્તાર પામ્યા છે, લગભગ ૩૬૦ જેટલા નવા પ્રશ્નો ઉમેર્યા છે અને સૌથી મહત્ત્વને વિષય “કમબદ્ધ પર્યાયને ક્રમાંક ૨૪ને નીચે પ્રથમવાર ઉમેરવામાં આવ્યો છે અને ક્રમાંક ૨૪ના અગાઉના પ્રશ્નો ક્રમાંક ના નીચે ફેરવવામાં આવ્યા છે. “કમબદ્ધ પર્યાય” જેનદર્શનને સાર, અર્ક, તત્ત્વ છે, અને મહાભાગ્યથી તે બેસે છે, સમજાય છે અને જીવને તેની શ્રદ્ધા થાય છે.
જેનદર્શનમાં ધર્મનું સ્વરૂપ શું છે તે વિષે ઘણું અજ્ઞાન વર્તે છે. ધર્મ એટલે શું ? ધર્મ કેને કહેવાય ? ધમ કરવાથી શું થાય ? ધર્મનાં સાધનો ક્યાં ? ધર્મ એક છે કે અનેક ? આ પ્રશ્નો અને બીજા આવા અનેક પ્રશ્નો જીવને ઉભવે છે પણ તેનું ચગ્ય અને સત્ય સમાધાન બધાને પ્રાપ્ત થવું આ દુષમકાળમાં દુર્લભ છે અને કદાચ પ્રાપ્ત થાય તો તેને સ્વીકાર કરો અને તેના ઉપર શ્રદ્ધા થવી તે અતિ કઠીન છે અને મહાભાગ્યથી જ બને છે.
ધર્મ એટલે શું ? આત્માને સ્વભાવ તે ધર્મ. આત્માને સ્વભાવમાં ધરે તે ધમ. સ્વભાવમાંથી પરભાવમાં ન જવા દે તે ધર્મ. આત્મ પરિણામની સહજ સ્વરૂપે પરિણતી થવી તેને શ્રી તીર્થકર ધર્મ કહે છે. જે સંસાર પરિભ્રમણથી છોડાવી ઉત્તમ સુખમાં ધરી રાખે તે ધર્મ. ધર્મ એક જ છે અને તેને માર્ગ પણ એક જ છે.
આત્માના સ્વભાવમાં કેવી રીતે રહેવાય ? આત્માને ભુલાવો ન થાય તે આત્માના સ્વભાવમાં રહેવાય. હરતાં ફરતાં, ઊઠતાં, બેસતાં, ખાતાં, પીતાં, જગતાં, સૂતાં એમ દેહની દરેક ક્રિયા કરતાં, રાત્રિ દિવસના દરેક સમયમાં દેહ અને આમાં ભિન્ન ભાસે અને દેહ તે પર અને આત્મા તે પિતાને તેમ જાણે તે આત્માના સ્વભાવમાં રહેવાનું સાધન છે, ધર્મ આરાધનાનું સાધન છે. આત્માને અહોભાવ, આત્માની લગની, આત્મા તરફનું ખેંચાણ, આત્મપ્રાપ્તિની, આત્મઅનુભવની અખંડ ઝંખના એવી તીવ્ર હોય કે આ સંસારમાં બીજુ બધું એંઠવત, તુણવત ભાસે, આત્મા અમૂલ્ય ભાસે, તેનું મહામ્ય સૌથી વધુ લાગે. વિશ્વની સર્વ વસ્તુઓમાંથી તેને રસ ઊડી જાય, બધું ફર્ક લાગે, બસ, ફક્ત આત્માની સંભાળ તેને રીઝવવામાં જ તે મસ્ત રહે
શ્રી તીર્થકર દેવ પ્રભુ વર્ધમાન સ્વામી ભગવાન મહાવીર તેમને પ્રથમ અગ્રણી ગણધર શ્રી ગૌતમસ્વામીને કહેતા હતા કે “સમય ગાયમ મા પમાય”. “હે ગૌતમ
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૩
સમયમાત્રને પ્રમાદ એગ્ય નથી.” શ્રી ગૌતમસ્વામી, જેઓ ચાર જ્ઞાનના ધણી હતા. તે જ ભવે મોક્ષે જનાર હતા, ચતુર્વિધ સંઘના અગ્રણી, હજારો સાધુ-સાધ્વીઓના અગ્રેસર, આચાર્ય ભગવંતોની શંકાનું નિરાકરણ કરનાર, ઉપાધ્યાય ભગવંતોને માર્ગદર્શન દેનાર, અગણિત ઋદ્ધિ, સિદ્ધિ, લબ્ધિના ધણી, જેના અંગૂઠે અમૃત કરે. અને જેનું સ્મરણ કરતાં મનવાંછિત ફળ મળે, તેવા ગુરુ ગૌતમને ભગવાન પ્રમાદ ન કરવાને ઉપદેશ કેમ આપતા હશે તે વિચારવા યોગ્ય છે. અહીં તે ભગવાનનું કહેવું છે કે એક સમયમાત્ર પણ ઉપયોગને આત્માની બહાર ન જવા દે; એક સમયમાત્ર પણ આત્માના અનુભવની બહાર ન જા. મુનિ જ્યારે આત્માના અનુભવમાં લીન હોય છે ત્યારે તેને ધ્યાન કહેવાય છે. આત્મામાં મગ્નતા તે જ ધ્યાન, બાકી યાન તરંગ માત્ર છે. જ્યારે મુનિ ધ્યાનમાં લીન હોય, તલ્લીન થઈને ભસ્ત હોય ત્યારે તેમને અતીન્દ્રિય આનંદનું પ્રચૂર ન હોય. તે આનંદના સમયે તેમને પિતાના આત્મા સિવાય બીજો કોઈ અનુભવ ન હોય અને તે વખતે તેમને આત્મા તેમના દેહથી તદ્ર્ન ભિન્ન ભાસે અને તે વખતે મુનિશ્રી ગજસુકુમારની જેમ માથા ઉપર અંગાર મૂકે તે પણ આત્માના અતીન્દ્રિય આનંદ અને સુખના પ્રચુર વેદનમાં તેને તેની વેદના નહિવત ભાસે. જેમ પતંગના પેચ લડાવતા બાળકને આનંદમાં આંગળી પાયાની વેદના તેને થતી નથી તેમ આત્માના આનંદના. અનુભવના વેદનમાં બીજી કઈ વેદનાની વિસાત ન હોય. ધર્મની આરાધના તે જ આત્માના અનુભવની વાત અને આત્માના અનુભવમાં અત્યંત આનંદ, સુખ, શાંતિ હોય ત્યાં કટ ન હોય. તપમાં આપણે કષ્ટ માનીએ છીએ તે તે ધર્મ ના હાય કારણ કે ધર્મમાં તે આનંદ જ હોય અને જ્યાં આત્માને આનંદ નથી ત્યાં ધર્મ નથી.
દ્વિતીય આવૃત્તિનું એક પણ પુસ્તક સિલકમાં ન હોવાથી, અને આ પુસ્તકની ઠેરઠેરથી સતત માંગને છેલ્લા ઘણું સમયથી સંતોષી શકવાનું શક્ય ન હોવાથી, તૃતીય આવૃત્તિ છપાવવાની જોગાનુજોગ જરૂર ઉપસ્થિત થઈ, અને તે શુભ કાર્યમાં હું નિમિત્ત માત્ર છું. તૃતીય આવૃત્તિ માટે કાગળ ખરીદવામાં મદદ કરવા માટે શ્રી હર્ષભાઈ ટેલિયા (મુંબઈ)ને હું ઘણે આભારી છું. વળી છાપકામની દેખરેખ રાખવાની જવાબદારી અમદાવાદના શ્રી પ્રભાકરભાઈ કામદરે સહર્ષ ઉઠાવી લેવા બદલ હું તેમને અત્યંત ઋણી છું. અને આ આવૃત્તિના પુસ્તક ઉપર ચઢાવેલ પ્લાસ્ટિકનું જેકેટ ભેટ આપવા બદલ શ્રી બકુલભાઈ મોદી (બેંગલોર)ને અત્યંત આભારી છું. સ્વાધીન સદન,
દિનેશ મોદી ચર્ચગેટ, મુંબઈ.
વસંત પંચમી ૩૦–૧–૧૯૮૨,
સંવત ૨૦૩૮
Page #20
--------------------------------------------------------------------------
________________
ચેાથી આવૃત્તિનું નિવેદન
ગત બે વર્ષોંથી પુસ્તકો સ્લિક ન હોવાથી, પુસ્તકની દિવસે દિવસે સતત વધતી જતી માંગણી ન સ ંતોષી શકવાથી મન ખિન્નતા અનુભવતું હતું. અનેક પ્રવૃત્તિઓમાં ગળાડૂબ રચ્યા પચ્યા અને આસક્ત હાવાથી, ચોથી આવૃત્તિની તૈયારીઓ માટે સમય કાઢવા તે અત્યંત અશક અને અસંભવિત ભાસતું હતું. તેનેા ખેદ પણ વર્તાતા હતા, પણ અતિ ત્વરાથી વધતા જતા દ્રવ્યના ઢગલા, અને યરા કીતિના ઉપાર્જનના મોહપાશમાંથી છૂટવું... મારી શક્તિ બહાર હેાય તેમ લાગતું હતું.
આજથી લગભગ દોઢ વર્ષ પહેલાં ભાઈખીજને દિવસે મારા એકને એક પુત્ર અને સંતાન, ૨૭ વષઁની વયે, સંપૂર્ણ યૌવનમાં, અચાનક, નિઃસંતાન આ દુનિયા છેડી દેવલાક ચાલી ગયા.
દેવાધિદેવનું દીધેલ દેવરત્ન, મુઠ્ઠી ફાડીને ચાલી ગયું; સ`સ્વ લૂંટાઈ ગયું, રહી ગયાં ફક્ત આંસુ. તાત્કાલિક તો જિં`દુગી અથ`વિહીન, દિશાશૂન્ય
અને ધ્યેય વગરની લાગવા માંડી. જો વર્ષાના ધના અભ્યાસ ન હોત તો જીવવુ અશક્ય હતું. આધાતથી મને હાર્ટ એટેક આવી ગયા.
ધંધાકીય પ્રવૃત્તિઓથી નિવૃત્તિ લીધી, અને ચોથી આવૃત્તિનું કાય શરૂ કર્યું. પણ તે કા` વિલ ંબમાં પડયું કારણ કે બાયપાસ સર્જરી માટે મારે અમેરિકા જવું પડયું અને તા. ૧૧-૧-૧૯૮૮ના રાજ મારાં પરમ પૂજ્ય માતુશ્રી સરસ્વતીમેન ઉર્ફે શશીએનનું અવસાન થયું. ચોથી આવૃત્તિમાં સૌથી વધારે નવા પ્રશ્નોના સમાવેરા કર્યાં છે. તદ્ઉપરાંત નવાં ત્રણ પરિશિષ્ટો, (૧) ભેદ સંગ્રહ (૨) અર્થસંગ્રહ અર્થાત્ શબ્દકોષ, અને (૩) વિષયસૂચિ ઉમેર્યાં છે; જે વાચકગણુને અત્યંત ઉપયોગી થશે તેમ માનુ છેં.
નવાં પરિશિષ્ટો તૈયાર કરવામાં થાણા-મુંબઈના શ્રી દિનેશભાઈ વકીલને અથાગ પરિશ્રમ છે. તે નિઃસ્વાથ" કાય બદલ તેમને જેટલા ઉપકાર માનુ તેટલા આઠે છે. છાપકામના કાર્ય માટે અમદાવાદના શ્રી પ્રભાકરભાઈ કામદાર અને શ્રી ભીખાભાઈ પટેલના આભારી છું.
સ્વાધીન સદન,
ચ`ગેટ, મુબઈ ૩૧-૩-૧૯૮૮
દિનેશ માદી
ચૈત્ર સુદ તેરસ (મહાવીર જ્ય’તિ)
સંવત ૨૦૪૪.
Page #21
--------------------------------------------------------------------------
________________
આ પુસ્તકના સકલન માટે આધારભૂત પુસ્તકાની યાદી
૧. ઉત્તરાધ્યયન સૂત્ર
૨. ભગવતી ઉપક્રમ
૩, સમણુ સુત
૪. શ્રી જૈન પ્રશ્નોત્તરમાળા ભાગ, ૧–૩
૫. શ્રી જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરમાળા, ભાગ ૧-૨
૬. શ્રી લઘુ જૈન સિદ્ધાંત પ્રવેશિકા
૭. શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા
૮. સહજસુખ સાધન
૯. આત્માનુશાસન
૧૦. અષ્ટ પાહુડ ૧૧. આચારાંગ સૂત્ર ૧૨. દશ વૈકાલિક સૂત્ર
૧૩. સૂત્રકૃતાંગ સૂત્ર (સૂયગડાંગ સૂત્ર)
૧૪. શ્રી સમયસાર
૧૫. આઠ ષ્ટિની સજઝયા
૧૬. શ્રીમદ્ રાજચંદ્ર, ભાગ ૧-૨ ૧૭. ઉપદેશામૃત
૧૮. ખેાધાકૃત ભાગ, ૧-૨-૩
૧૯. શ્રી મોક્ષમાગ પ્રકાશક
૨૦. શ્રી જૈન તત્ત્વ પ્રકાશ
૨૧. સમયસાર નાટક
૨૨. નિત્ય નિયમાદિ પાઠ
૨૩. છ ઢાળા
૨૪. આત્મધમ' અને વીતરાગ વિજ્ઞાનનાં માસિકા
૨૫. સમાધિ તંત્ર'
૨૬. તત્ત્વાર્થ સૂત્ર
૨૭. સમાધિ સાપાન ૨૮. શાંતિપથ દર્શન
૨૯. બૃહદ્રવ્ય સંગ્રહ ૩૦. ક્રમમદ્ પર્યાય
Page #22
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમણિકા ક્રમાંક
વિષય ૧ લેકનું સ્વરૂપ ૨ અન્ય ધર્મ, જૈન ધર્મ અને તેના મત, ગ૭, ભેદ ૩ જ્ઞાન, જાતિસ્મરણ, લબ્ધિ, પુનઃ જન્મ ૪ શલાકા પુરુષ, ઈશ્વર, અરિહંત કેવળી ૫ ચાર ગતિ ૬ છ કાય ૭ છ દ્રવ્ય ૮ નવ તત્ત્વ ૯ પૂર્વકમ ૧૦ કર્મબંધ અને કર્મફળ ૧૧ મિથ્યાત્વ ૧૨ જેનધમ ૧૩ તપ, ત્યાગ, વૈરાગ્ય ૧૪ શ્રાવક ધમ ૧૫ સાધુ ધર્મ ૧૬ સતપુરુષ, ગુરુ, સતસંગ ૧૭ સભ્યદર્શન ૧૮ જીવ–આત્મા ૧૯ ધ્યાન અને જીવનાં બંધન ૨૦ આત્મધ્યાન ૨૧ સમ્યફજ્ઞાન ૨૨ નય, પ્રમાણ, નિક્ષેપ, લેયા ૨૩ ગુણસ્થાન ૨૪ કમ બદ્ધ પર્યાય ૨૫ મૃત્યુ
પ્રશ્ન ક્રમાંક • ૧- ૨૬
. ર૭– ૭૩ • ૭૪- ૧૬૪
૧૬૫- ૨૪૫. ૨૪૬- ૨૯૨ ૨૯૩- ૩૪૮
૫૧૯ ૫૨૦- ૬૦૨ ... ૬૦૩- ૬૮૩ ••• ૬૮૪-૮૧૬ ... ૮૧૭– ૮૫૪
• ૮૫૫– ૧૦૧૩ ...૧૦૧૪– ૧૦ ૩૫ ...૧૦૩૬- ૧૧૪૬ ...૧૧૪૭– ૧૨૪૦ ...૧ર૪૧- ૧૨૬૫ ...૧૨૬૬- ૧૩૩૨ •••૧૩૩૩– ૧૪૯૩ ...૧૪૯૪– ૧૫૧૬
..૧૫૧૭- ૧૫૬ ૩ ...૧૫૬૪- ૧૬૨૪ ...૧૬૨૫- ૧૬૭૫ ...૧૬૭૬- ૧૭૦૯ ...૧૭૧૦- ૧૭૭૧
૧૭૭ર- ૧૭૯૧
Page #23
--------------------------------------------------------------------------
________________
લેકનું સ્વરૂપ
૧ પ્ર. લેકની મૂળ સ્થિતિ-સ્વરૂપ કેવું છે ? ઉ સર્વજ્ઞ ભગવાને કહ્યું છે કે અનંતાનંત સર્વ તરફનું આકાશ પિતે પિતાને આધારે રહેલું છે, તે આ કાકાશની બરાબર મધ્યમાં આ લેક રહ્યો છે, અને તે ત્રણે કાળે-આદિ, મધ્ય અને અંતમાં એ રૂપે રહેવાને છે. અર્થાત આલોકાકાશમાં એલું આકાશદ્રવ્ય છે. તેની વચ્ચે પુરુષાકારે લેક આવેલો છે. તે છ દ્રવ્યથી યુક્ત છે. લેકિને મધ્યભાગ અસંખ્યાતા દ્વીપ સમુદ્રોથી યુક્ત એક રાજુ પ્રમાણ છે. તે મધ્યક કહેવાય છે. તેમાં મનુષ્ય તિર્યંચ અને વ્યંતરોના આવાસ છે. વચમાં મેરુ પર્વત છે. ત્યાંથી અઢી. દ્વીપ સુધી જ મનુષ્યને નિવાસ છે. આ મધ્યલોકની ઉપર નીચે સાત રાજુ પ્રમાણુ વિસ્તાર છે. તેમાં ઉર્વલકની પહોળાઈ એક રાજુથી વધીને વચમાં પાંચ રાજુ પ્રમાણ થાય છે અને પછી ઘટીને છેવટે એક રાજુ પ્રમાણ રહે છે. ત્યાં સિદ્ધ શિલા આવેલી છે. તેની ઉપર મુક્ત છ સાદિ અનંતકાળ સુધી સ્થિરતા કરે છે. અધલકની પહોળાઈ એક રાજુથી વધીને છેવટે સાત રાજુ પ્રમાણ થાય છે. ઉર્વ લેકમાં વૈમાનિક દેવનાં વિમાનની રચના છે, મધ્યલેકમાં જ્યોતિષ્ક દેવનાં વિમાનની રચના છે, અને અલકમાં નરની ભૂમિઓની રચના આવેલી છે. આવું લેકનું વિરાટ સ્વરૂપ જે સર્વજ્ઞ ભગવાને જેયું ને વર્ણવ્યું તે સંક્ષેપથી પુરુષાકારે હેવાનું શાસ્ત્રમાં કહ્યું છે. એક રાજુ અસંખ્યાતા દ્વીપ સમુદ્ર પ્રમાણ છે.
Page #24
--------------------------------------------------------------------------
________________
૨ પ્ર. અઢી દ્વીપનું વિસ્તારથી વર્ણન સમજાવો. ઉ. જ્યાં મનુષ્ય રહે છે તે મનુષ્ય ક્ષેત્ર. તેને ત્રીછોક કહેવાય છે.
ત્રી છાલક અઢી દ્વીપ અને બે સમુદ્રને બોલે છે. અઢી દ્વીપનાં નામ અનુક્રમે : “જંબુદ્દીપ” (જેમાં આપણે રહીએ છીએ) તેના ફરતા અને ૧૪૪ ગણે માટે “ઘાતકી ખંડ” અને તેને ફરતો અને જંબુદ્વીપ કરતાં ૧૧૮૪ ગણો મોટે “અ પુષ્કરદ્વીપ”. બે સમુદ્રનાં નામ : જંબુદીપને ફરતા અને તેનાથી ૨૪ ગણે મોટે. “લવણ સમુદ્ર, જંબુદ્વીપ અને ઘાતકી ખંડના વચ્ચે આવેલ છે. અને ઘાતકી ખંડ અને અર્ધ પુષ્કરદ્વીપના વચ્ચે
આવેલે સમુદ્ર “કાલેદધિ” જંબુદીપ કરતાં ૬૭૨ ગણે મટે છે. ૩ પ્ર. મનુષ્યની ઉત્પત્તિ અઢી દ્વીપમાં કહી છે. તે તે અઢી દ્વીપ ક્યા
પ્રકારે છે ? ઉ. તના બે મુખ્ય ભેદ છે. અકર્મભૂમિ અને કર્મભૂમિ. ૪ પ્ર. અકર્મભૂમિના મનુષ્ય કેવા હોય ? ઉ. મનુષ્યની ઉત્પત્તિનાં અઢી દ્વીપની અંદર, ત્રીસ ક્ષેત્ર તે અકર્મભૂમિ | (જુગલીઆ) મનુષ્યનાં છે. અને છપ્પન ક્ષેત્ર અંતરદ્વીપનાં મનુષ્યનાં
છે. એ ક્યાશી ક્ષેત્રના મનુષ્યો ધર્મકર્મમાં બિલકુલ સમજતાં નથી. એ મનુષ્યો તે પોતાના પૂર્વે કરેલાં પુણ્યનાં ફળ,
દેવતાઓની પેઠે સુખ ભોગવે છે. ૫ પ્ર. અઢી દ્વીપમાં આવેલા કર્મભૂમિ મનુષ્યનાં પંદર ક્ષેત્રનાં અને
અકર્મભૂમિના ત્રીસ ક્ષેત્રનાં નામ આપો. ઉ. ૧/૨ દ્વીપ જંબુદ્વીપ, તેમાં ૧ ભરત, ૧ ઇરવત અને ૧, મહા
વિદેહ ક્ષેત્ર એમ કુલ ૩. ૧ દ્વીપ ઘાતકી ખંડ દીપ, તેમાં ૨ ભરત, ૨ ઈરવત, અને ૨ મહાવિદેહ ક્ષેત્ર, એમ કુલ ૬. ૧ દ્વીપ પુષ્કરાર્ધ દ્વીપ, તેમાં ૨ ભરત, ૨ ઇરવત અને ૨ મહાવિદેહ ક્ષેત્ર એમ કુલ ૬. કુલ...(ર દ્વીપ)
કુલ....૧૫ ક્ષેત્ર
એક આત્માને જાણે તેણે સર્વ જાણ્યું.
Page #25
--------------------------------------------------------------------------
________________
રા દ્વીપ ફક્ત ૪૫ લાખ જોજનમાં છે. કર્મભૂમિ એટલે અસિ, મસિ (વ્યાપાર) અને કૃષિ જ્યાં થતી હોય તે. અકર્મભૂમિના ત્રીસ ભેદે છે. પાંચ હેમવય, પાંચ અરણ્યવય, પાંચ હરિવાસ, પાંચ રમ્યવાસ, પાંચ દેવમુરૂ અને
પાંચ ઉત્તરકુરૂ. ૬ પ્ર. જબુદીપમાં જેમ નદી, ક્ષેત્ર, પર્વત આદિ છે તેમ ઘાતકીખંડ
અને પુકરાળંદ્વીપમાં પણ છે ? ઉ. નદી, ક્ષેત્ર, પર્વત આદિ જે કાંઈ જંબુદ્વીપમાં છે, તે ઘાતકીખંડમાં
બમણું છે. મેરુ, વર્ષ અને વર્ષધરોની સંખ્યા ઘાતકીખંડમાં છે, તે જ પુષ્કરાદ્ધદ્વીપમાં છે. એટલે કે એમાં પણ બે મેરુ, ચૌદ વર્ષ તથા બાર વર્ષધર છે. આ રીતે સરવાળે કરતાં અઢી દ્વીપમાં કુલ પાંચ મેરુ, ત્રીશ વર્ષધર અને પાંત્રીસ ક્ષેત્રો થાય,
અંતરીપ ફક્ત લવણ સમુદ્રમાં હેવાથી છા૫ન છે. પુષ્કરદ્વીપમાં એક “માનુષોત્તર” નામને પર્વત છે. જંબુદ્વીપ, ઘાતકીખંડ અને અર્ધ પુષ્કરદ્વીપ એ અઢી દ્વીપ તથા લવણ અને કાલેદધિ એ બે સમુદ્ર એટલે જ ભાગ “મનુષ્યલોક' કહેવાય છે. ઉક્ત ભાગનું મનુષ્યલોક અને ઉક્ત પર્વતનું નામ માનુષોત્તર એટલા માટે પડયું છે કે, એની બહાર કોઈ મનુષ્ય જન્મ લેતા નથી અને કોઈ મરતો નથી. ફક્ત વિદ્યાસંપન્ન મુનિ અથવા વૈશ્યિલબ્ધિધારી કોઈ મનુષ્ય અઢી દ્વીપની બહાર જઈ શકે છે, પરંતુ એનાં પણ જન્મ, મરણ
માનુષેત્તરની અંદર જ થાય છે. ૧૭ પ્ર. આપણે અત્યારે કયા દ્વીપના ક્યા ક્ષેત્રે રહીએ છીએ ?
ઉ. (જંબુદીપના ભરત ક્ષેત્રમાં આપણે રહીએ છીએ.) ૮ પ્ર. સિદ્ધસ્થાન અથવા સિદ્ધશિલા ક્યાં હોય છે, તેનું વર્ણન આપે ? ઉ. સર્વાર્થસિદ્ધ નામના વિમાનથી બાર યોજન ઉપર છત્રને આકારે
ઈસીપભારા (ઈષતપ્રાગભાર) નામની એક મુક્તિ શિલાપૃથ્વી છે.
હે જીવ! કયા ઈછત હોવે ? હૈ ઇરછા દુઃખ ભૂલ ? . જબ ઈચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ.
Page #26
--------------------------------------------------------------------------
________________
તે સિદ્ધશિલા ૪૫ લાખ જનની લાંબી અને પહોળી છે. તેને આખો ઘેરાવો તેનાથી ત્રણ ગણું કરતાં વધારે જાણ. તે સિદ્ધશિલા મધ્ય ભાગે આઠ જનની જાડી અને પછી થોડું થોડું ઘટતાં એકદમ છેડે માખીની પાંખ કરતાં પણ પાતળી છે. તે સિદ્ધશિલા નિર્મળ અને સુંદર છે. સિદ્ધશિલાથી એક જના ઊંચે લેકને છેડે આવી રહે છે તે જનને છેલ્લે જે એક કેશ છે તેને છઠ્ઠો ભાગ એટલે ૩૩૩ ધનુષ્ય અને ૩૨ આંગળની
ઊંચાઈમાં સિદ્ધપ્રભુ રહ્યા છે. ૯ પ્ર. નરકે સાત પ્રકારના કેમ કહેવાય છે? તેનાં નામો આપે. ઉ. રત્નપ્રભા આદિ સાત પૃથ્વીમાં રહેવાથી નરકે સાત પ્રકારનાં
કહેવાય છે : (તે પૃથ્વીનાં નામ આ પ્રમાણે છે:) ૧ રત્નપ્રભા ૨ શકરા પ્રભા, ૩ વાળુ પ્રભા, ૪ પંકપ્રભા, ૫ ધૂમપ્રભા, ૬ તમઃ પ્રભા અને ૭ તમઃ તમસુપ્રભા.
એ પ્રમાણે ત્યાં રહેનારા નરકના જીવો સાત પ્રકારના કહેવાય છે. આ સાત ભૂમિકાઓ એકબીજાથી નીચે છે; પરંતુ એકબીજાને અડીને રહેતી નથી. અર્થાત્ એકબીજાની વચમાં બહુ જ મોટું અંતર છે. આ અંતરમાં ધનેદધિ, ઘનવાત, તનુવાત અને આકાશ. ક્રમથી નીચે નીચે છે. અર્થાત્ પહેલી નરકભૂમિની નીચે ઘનોદધિ છે, ઘને દધિની નીચે ઘનવાત છે, ધનવાતની નીચે તનુવાત અને તનુવાતની નીચે આકાશ છે. આકાશની પછી બીજી નરકભૂમિ છે. આ ભૂમિ અને ત્રીજી ભૂમિની વચમાં પણ ઘનોદધિ આદિને એ
જ ક્રમ છે. ૧૦ પ્ર. દેવ કેટલા પ્રકારના કહ્યા છે ? ઉ. દેવ ચાર પ્રકારના કહ્યા છે ૧ ભવનવાસી (ભવનપતિ), ૨ વ્યંતર.
૩ તિષ, ૪ વૈમાનિક,
જે સંસારને વિષે સાક્ષી કર્તા તરીકે મનાય છે, તે સંસારમાં તે સાક્ષીએ સાક્ષીરૂપ રહેવું, અને કર્તા તરીકે ભાસ્યમાન થવું તે બેધારી તરવાર ઉપર ચાલવા બરાબર છે,
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૧ પ્ર. ભવનવાસી દેવોના કેટલા ભેદ છે ઉ. ભવનવાસી દે દશ પ્રકારના છે :
અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકમાર, વિદ્યુતકુમાર, અગ્નિકુમાર,
દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિસિકુમાર, વાયુકુમાર અને સ્વનિતકુમાર ૧૨ પ્ર. તેઓ કુમાર કેમ કહેવાય છે? તેઓ ભવનપતિ કેમ કહેવાય છે ? ઉ. તેઓ કુમારની માફક દેખાવમાં મનેહર, સુકુમાર તથા મૃદુ-મધુર
ગતિવાળા અને ક્રિડાશીલ હોય છે. તેઓ મોટે ભાગે આવાસમાં અને ક્યારેક ભવનમાં રહે છે. આવાસ મંડપ જેવા હોય છે
અને ભવન નગર જેવાં હોય છે. ૧૩ પ્ર. વ્યંતરના કેટલા પ્રકાર છે ? ઉ. વ્યંતરના આઠ ભેદ છે, ૧ પિશાચ, ૨ ભૂત, ૩ યક્ષ, ૪ રાક્ષસ,
૫ કિ-નર, ૬ કિં પુરુષ, ૭ મહારગ અને ૮ ગાંધર્વ, તેઓ પણ ભવને અને આવાસમાં રહે છે. તેઓ પોતાની ઇચ્છાથી તથા બીજાની પ્રેરણાથી ભિન્ન ભિન્ન જગ્યાએ જાય છે, એમાંથી
કેટલાક મનુષ્યની સેવા પણ કરે છે. ૧૪ પ્ર. જ્યોતિર્ષિ દેવતાઓના કેટલા પ્રકાર છે? ઉ. જ્યોતિર્ષિ દેવતાઓ પાંચ પ્રકારના છે. ૧. ચંદ્ર, ૨. સુર્ય,
૩. નક્ષત્ર, ૪. ગ્રહ અને ૫. તારાએ. આમાંના જીવ જે મનુષ્ય ક્ષેત્રમાં છે તે બધા ગતિ કરનારા અને મનુષ્ય ક્ષેત્રની બહાર
રહેનારા સ્થિર હોય છે. ૧૫ પ્ર. વૈમાનિક દેવો કેટલા પ્રકારના છે? ઉ. વૈમાનિક દે બે પ્રકારના કહ્યા છે, ૧ કલ્પવાસી (
કપન્ન) અને ૨ અકલ્પવાસી (કપાતીત). જે કપમાં રહે છે તે કોપન્ન અને જે કલ્પની બહાર રહે છે તે કપાતીત કહેવાય છે. આ બધા વૈમાનિક એકબીજાની ઉપર ઉપર રહેલા હોય છે.
જેને પુણ્યની મીઠાશ હશે તેને આત્માની મીઠાશ નહિ આવે.
Page #28
--------------------------------------------------------------------------
________________
૧૬ પ્ર. કલ્પવાસી અને કપાતીત દેવામાં શું ભેદ છે? ઉ. કલ્પવાસી દેવામાં સ્વામી-સેવક ભાવ છે; પણ કપાતીતમાં નથી.
મનુષ્યલકમાં પણ કોઈ નિમિત્તથી જવાનું થાય, હું કલ્પવાસી જ જાય છે. કપાતીત દેવ સ્થાન છેડી ક્યાંય જતા નથી. ત્યાં
તે બધા ઈંદ્ર જેવા હેવાથી “અહેમિંદ્ર' કહેવાય છે. ૧૭ પ્ર. કલ્પવાસ દેના પ્રકાર કેટલા છે ? ( ઉ. કટપવાસીના બાર પ્રકાર છે, ૧ સૌધર્મ, ૨ ઈશાન, ૩ સનતકુમાર,
૪ મહેન્દ્ર, ૫ બ્રહ્મલોક, ૬ લાંતક, છ મહાશુક્ર, ૮ સહસ્ત્રાર, ૯ આનત, ૧૦ પ્રાણત, ૧૧ આરણ અને ૧૨ અય્યતા. દિગંબર સંપ્રદાય સેળ કોને માને છે. એમાં બ્રહ્મોત્તર, કાપિષ્ટ, શુક્ર અને શતાર નામના ચાર અધિક કલ્પ છે; જે ક્રમપૂર્વક છઠ્ઠા, આઠમા,
નવમા અને અગિયારમા નંબર ઉપર આવે છે. - ૧૮ પ્ર. કલ્પાતીત દે કેટલા પ્રકારના છે ?
ઉ. કલ્પાતીતના બે પ્રકાર કહ્યા છે. રૈવેયક અને અનુત્તર. ૧૯ પ્ર. રૈવેયકના ભેદ કહે ? ઉ. રૈવેયકની ત્રણ વિકે છે. હેડેની, મધ્યમ અને ઉપરની, અને તે
દરેકની પાછી નીચેની, મધ્યમ અને ઉપરની એમ ત્રણ વિકે. મળીને કુલ નવ પ્રકારના રૈવેયક કહ્યા છે. પુરુષાકૃતિ લેકના ગ્રીવાસ્થાનીય ભાગમાં લેવાથી રૈવેયક કહેવાય છે. રૈવેયકનાં અનુક્રમે નવ વિમાન કલ્પતી ઉપર ઉપર છે, એમની ઉપર પાંચ
અનુત્તર વિમાન છે. ૨. પ્ર. અનુત્તર વિમાનમાં રહેનારા વૈમાનિક દેવને પ્રકાર કેટલા છે? ઉ. અનુત્તરના પાંચ પ્રકાર છે. ૧ વિજય, ૨ વૈજયંત, ૩ જયંત, ૪
અપરાજિત, ૫ સર્વાર્થસિદ્ધ. તે સૌથી ઉત્તર–પ્રધાન હોવાથી અનુત્તર કહેવાય છે.
નીતિ કપડાં સમાન છે, ધર્મ દાગીના સમાન છે. કપડાં વિના દાગીના શુભતા નથી, તેમ નીતિ વિના ધમ શભા પામતો નથી.
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૧ પ્ર. કુલ મળીને ઈન્દ્રો કેટલા છે ? ઉ. ભવનવાસી દેવના ૪૦ ઈન્દ્ર, વ્યંતર દેવના ૩૨ ઈન્દ્ર, કલ્પવાસી દેના ૨૪ ઈન્દ્ર, જ્યોતિષી દેવોના ચંદ્ર અને સૂર્ય એ ૨ ઈન્દ્ર, મનુષ્યને ૧ ઇન્દ્ર ચક્રવર્તી અને તિર્યંચને ૧ ઈન્દ્ર સિંહ–એ
રીત બધા મળીને ૧૦૦ ઇન્દ્રો છે. ૨૨ પ્ર. શું વિમાન તથા સિદ્ધ શિલા આદિ આકાશમાં નિરાધાર રહેલાં છે ? ઉ. હા; તેને તે પ્રમાણે લેક સ્વભાવજગદ્ધર્મ છે. ભગવાન અરિહંતના
જન્માભિષેક આદિ પ્રસંગો ઉપર દેવોના આસનનું કંપિત થવું એ પણ કાનુભાવનું જ કાર્ય છે. (બીજી રીતે કહીએ તે) વાતવલય જેને સમસ્ત લેકને ઘેરીને રાખે છે, તેના આધારથી
લેક આકાશમાં સ્થિત છે. ૨૩ પ્ર. નરક્તી ભૂમિ સંજીવની કેમ કહેવાય છે ? ઉ, કારણ કે ત્યાં અત્યંત દુઃખ પામીને પણ (કપાતાં, છેદાતા, ખુદાતાં,
દાતા, હણાતાં, બાળતાં છતાં) પણ નારજીવો અકાળે મરતા
નથી. તેમજ આયુષ્ય ઘણું લાંબું હોય છે. ૨૪ પ્ર. તે ધર્મ કરણ કરવાના દેશ અને કાળ કયા છે ? ઉ. અઢી દ્વીપમાં કર્મભૂમિ મનુષ્યનાં પંદર ક્ષેત્ર માત્ર ધર્મ કરણી
કરવાનાં રહ્યાં. એ પંદર ક્ષેત્રમાં પાંચ મહાવિદેહ ક્ષેત્ર છે, ત્યાં તાં સદાકાળ જૈન ધર્મ પ્રવર્તે છે, અને બાકીનાં પાંચ ભરત ક્ષેત્ર અને પાંચ ઈરવત ક્ષેત્રમાં દશ ક્રોડાકોડી સાગરને સપિણું કાળમાંથી એક કોડાક્રોડ સાગરથી સહેજ વધારે વખત ધર્મકર્મ કરવાનું રહે છે. પાંચ ભરત ને પાંચ ઈરવત એ દશ ક્ષેત્રમાંના એકેક ક્ષેત્રમાં બત્રીસ હજાર દેશ છે. બત્રીસ હજાર દેશમાંથી પણ ધર્મકર્મ કરવાના તે માત્ર સાડાપચીસ આર્ય દેશ જ છે.
જીવવાના ભાવે તો અનંત વખત છે, પણ મરવાના ભાવે કેઈ વખત જ નથી. મવાના ભાવે છે તો કરી તેને જન્મ લેવો જ ન પડે.
Page #30
--------------------------------------------------------------------------
________________
૨૫ પ્ર. વાતવલય, ધનેદધિ, ઘનવાતવલય, તનુવાતવલય કેને કહે છે ? ઉ. વાતવલય એટલે એક પ્રકારને પવનપુંજ કે જે સમસ્ત લેકને
ઘેરીને રહ્યો છે, તથા જેના આધારથી લેક આકાશમાં સ્થિત છે. સર્વ લેક પહેલાં ઘોદધિ વાતવલયથી વીંટાયેલ છે. આ વાતવલયમાં પાણી મિશ્રિત હવા છે. આ વાતવલયને બીજા ઘનવાતવલયે ઘેરી રાખ્યો છે. એમાં સઘન વાયુ છે, અને તેને ત્રીજા તનુવાતવલયે ઘેરી રાખે છે, કે જે હલકા વાયુને
પુંજ છે. ૨૬ પ્ર. જૈન દર્શનમાં સંખ્યાત, અસંખ્યાત અને અનંત શબ્દને જે
નિર્દેશ આવે છે તેને અર્થ શું ? ઉ. એકમ, દશક, સે એમ ઉત્તરોત્તર અઠ્ઠાવીસ રકમ સુધી સંખ્યાત
માન્ય છે. અસંખ્યાત એટલે કે જેની સંખ્યા ન ગણાય તે અસંખ્યાત એમ બતાવ્યું નથી કે અસંખ્યાત માટે પણ ચેકસ પ્રમાણ છે. અને તે બનેથી આગળની સંખ્યા કે જેને મનુષ્ય બુદ્ધિથી કશે નિર્ણય ન થઈ શકે તેને અનંત કહ્યો છે.
શુદ્ધાભ સ્થિતિનાં પરમાર્થિક શ્રત અને ઇન્દ્રિયજય બે મુખ્ય અવલંબન છે.
Page #31
--------------------------------------------------------------------------
________________
અન્ય ધર્મ, જૈન ધર્મ અને તેના
મત, છ, ભેદ,
૨૭ પ્ર. મુખ્ય છ દર્શન ક્યાં છે ? અને તેમાં ભેદ શું છે ? ઉ. બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, જૈન અને મિમાંસા એ પાંચ આસ્તિક દર્શને એટલે બંધમેક્ષાદિ ભાવને સ્વીકારનારાં દર્શને છે. સાંખ્ય જે જ વેગને અભિપ્રાય છે, સહેજ ભેદ છે. મિમાંસા દર્શનને બે ભેદ છેઃ પૂર્વ મિમાંસા અને ઉત્તર મિમાંસા. પૂર્વ મિમાંસાનું
જેમિની” અને ઉત્તર મિમાંસાનું “વેદાંત” એમ નામ પણ પ્રસિદ્ધ છે.
બૌદ્ધ અને જૈન સિવાયનાં બાકીનાં દર્શને વેદને મુખ્ય રાખી પ્રવર્તે છે, માટે વેદાશ્રિત દર્શન છે. બૌદ્ધ અને જૈન વેદાશ્રિત નથી, સ્વતંત્ર દર્શન છે.
આત્માદિ પદાર્થને નહીં સ્વીકારવાનું એવું ચાર્વાક નામે છ8 દર્શન છે. જૈનદર્શનના સહજ પ્રકારનાંતરથી બે ભેદ છે, દિગંબર
ને વેતાંબર. ૨૮ પ્ર. આ છ દર્શનની વિચારશ્રેણીમાં મુખ્ય શું ભેદ છે ? ઉ. બૌદ્ધ, સાંખ્ય, જૈન અને પૂર્વ મિમાંસાને અભિપ્રાય સૃષ્ટિકર્તા
એ કઈ ઈશ્વર નથી. નૈયાયિકને અભિપ્રાયે તટસ્થપણે ઈશ્વરક્ત છે. વેદાંતને અભિપ્રાયે આત્માને વિષે જગત વિવર્તરૂપ એટલે કપિતપણે ભાસે છે અને તે રીતે ઈશ્વર કરિપતપણે કર્તા
Page #32
--------------------------------------------------------------------------
________________
સ્વીકાર્યો છે. એમને અભિપ્રાયે નિયંતાપણે ઇશ્વર પુરુષ વિશેષ છે. ઉપનિષદમાં ઈશ્વર જગતને કર્તા છે. જૈનને મતે જગતને વિસ્તાર કર્મજન્ય છે, પદ્ગલજન્ય છે. જૈન, બૌદ્ધ, મિમાંસાએ કહ્યું છે કે માત્ર કર્મોને લઈને સંચાલન છે. કોઈ જગતકર્તા નથી. જૈને વિશુદ્ધ “આત્મા” તે જ ઇશ્વર એમ બતાવ્યું. વેદાંતવાળા બ્રમમાં સમાઈજવારૂપ મુક્તિ માને છે, તેથી ત્યાં પિતાને પોતાને અનુભવ રહેતા નથી. પૂર્વ મિમાંસક દેવલોક માને છે, ફરી જન્મ, અવતાર થાય એ મેક્ષ માને છે.
બૌદ્ધને અભિપ્રાય ત્રિકાળ અને વસ્તુસ્વરૂપ આત્મા નથી, ક્ષણિક છે. બુદ્ધે કહ્યું આત્મા નિત્ય નથી પણ ક્ષણિક છે. બીજાં ભારતીય દર્શનેએ આત્માને નિત્ય જ માને. ભગવાન મહાવીરે તેને નિત્ય અનિત્ય (નિત્યાનિત્ય) કર્યો. જે આત્મા ક્ષણિક માને તે મોટો વિરોધાભાસ ઊભું થાય છે કે કર્મ કર્યું એક આત્માએ અને તેનું ફળ ભેગવે બીજે આત્મા તેમ જ આત્માને મનુષ્ય તિર્યંચ આદિ પર્યાય અનિત્ય છે.
ન્યાયિકને અભિપ્રાયે સર્વવ્યાપક એવા અસંખ્ય જીવ છે. ઈશ્વર, પણ સર્વવ્યાપક છે. આત્માદિને મનના સાંનિધ્યથી જ્ઞાન ઉપજે છે. સાંખ્યને અભિપ્રાયે સર્વવ્યાપક એવા અસંખ્ય આત્મા છે; તે નિત્ય, અપરિણમી અને ચિત્માત્ર સ્વરૂપ છે.
જૈનને અભિપ્રાયે અનંત દ્રવ્ય આત્મા છે, પ્રત્યેક જુદા છે. જ્ઞાનદર્શનાદિ ચેતના સ્વરૂપ, નિત્ય અને પરિણામી, પ્રત્યેક આત્મા. અસંખ્યાતપ્રદેશી, સ્વશરીરવગાહવતી માન્ય છે.
પૂર્વ મિમાંસાને અભિપ્રાયે જીવ અસંખ્ય છે, ચેતન છે, ઉત્તર મિમાંસાને અભિપ્રાયે એક જ આત્મા સર્વવ્યાપક અને સચ્ચિદાનંદમય વિકાળાબાધ્ય છે.
ઉપનિષદ માને છે કે આત્મા એક જ છે અને સર્વ તેને વિસ્તાર છે. સાંખ્ય દર્શનમાં આત્મા અનેક છે. જૈન અને સાંખ્ય અનેક
પંચપરમેષ્ઠીને પ્રેમ કરતાં આ શરીર ઉપર પણ જો પ્રેમ વધી જાય છે તે અનંતાનુબંધી લભ છે.
Page #33
--------------------------------------------------------------------------
________________
આત્મા માને છે. સાંખ્યોએ આત્માને ચેતન તે મા પણ જૈને એ તમાં જ્ઞાનગુણ માન્યો. ત્યાં બંનેમાં ભેદ પડ્યો. સાંખ્યોએ જ્ઞાનગુણ પ્રકૃતિમાં મા. જ્યારે જૈનોએ જ્ઞાનગુણુ આત્માને મા. જૈન દર્શનમાં પ્રકૃતિની જગ્યાએ પુદ્ગલ છે. પ્રકૃતિ જડ તત્ત્વ છે. સાંખ્યની માન્યતા કે જ્ઞાન એ આત્માને સ્વાભાવિક ગુણ નથી. આ વાતને તૈયાયક, વૈશેષિકેએ સ્વીકારી. સાંખ્યોએ કહ્યું આત્મા કુટસ્થ છે અને પ્રકૃતિ પરિણમી છે તેથી મેક્ષ અને બંધ પ્રકૃતિના છે. જૈનેએ કહ્યું, માત્ર પ્રકૃતિ પરિણામી નહીં પણ આત્મા પણું પરિણામી છે. જડ અને ચેતન બંને પરિણામી છે. મેક્ષ અને બંધ પુરુષને (આત્મા) છે.
અન્ય ભારતીય દર્શનની માન્યતા છે કે આત્મા અમૂર્ત હોવાથી વ્યાપક છે. કોઈ એવું સ્થાન નથી જ્યાં આત્મા ન હોય. જૈન કહે છે કે આત્મા જે વ્યાપક હોય તે સંવેદના (વેદના) શરીર બહાર કેમ થતી નથી ? એના અનુભવની મર્યાદા શરીર સીમિત છે. વેદના અમુક જગ્યાએ જ તેથી સંવેદન અમુક ક્ષેત્રમાં જ થાય. આત્મા જ્ઞાનથી વ્યાપક છે તેથી તે જાણે છે. જેન કહે છે કે આત્મા. મૂર્ત—અમૂર્ત છે. આત્મા સંકેચ વિકાસનું ભાજન છે. મૂર્તિને ક્ષેત્રમર્યાદા છે, તેમ આત્મામાં પણ ક્ષેત્રમર્યાદા છે. તેમજ આત્મા અસંખ્ય પ્રદેશ છે. જ્યારે સમુધાત કરે છે ત્યારે એ પણ લેકવ્યાપી બની જાય છે, આ દષ્ટિએ આત્મા વ્યાપક પણ છે. જૈન દર્શન સિવાય કેઈપણ મતિ આત્માને અસંખ્યપ્રદેશ નથી મા.
સાંખ્ય, પતંજલિ, વેદાંત કહે છે કે બુદ્ધિ જડ છે. જિન કહે છે કે બુદ્ધિ ચેતન છે.
વેદાંત, સાંખ્ય બધાય કેવળ જ્ઞાન માને છે પણ દરેક જુદે અર્થ માને છે. ભ્રાન્તિ ગઈ ત્યાં કેવળ આત્મા રહ્યો એમ વેદાન્ત માને છે. સાંખ્ય એમ માને છે કે જ્ઞાન એ જ ઉપાધિ છે અને બધાય ગુણ છૂટી નિર્ગુણ થઈ જાય તે મેક્ષ થાય છે. રોજ રોટલા ખાવા છતાં અરુચિ થતી નથી, તેમ | જ્ઞાનને ફરી ફરી કહેતાં, સાંભળતાં અરુચિ ન થવી જોઈએ.
Page #34
--------------------------------------------------------------------------
________________
૧૨
“છે ગુણી ગુણમય, નાશ ગુણુતા, ત્યાં જ નાશ ગુણી તણા, તા અન્યમતી નિર્વાણ કહે શૂન્ય, કલ્પિત એ ગણેા. વેદાંત સામાન્યને(કુટસ્થ આત્મા)ને માને છે, પણ વિશેષ (પર્યાય)ને નથી માનતા. તેથી તે મિથ્યાદષ્ટિ છે. બૌદ્ધ તે વિશેષને માને છે અને સામાન્યને નથી માનતા તેથી તે પણ મિથ્યાદષ્ટિ છે. પ્રત્યેક વસ્તુ ત્રિકાળ સામાન્ય અને વિશેષરૂપ જ છે. દ્રવ્ય અને પર્યાય બન્ને વસ્તુનુ સ્વરૂપ છે. જૈન દર્શન બન્નેને માને છે. તે અનેકાંત છે. તેથી તે સમ્યગ્દષ્ટિ છે.
બૌદ્ધ, ક્ષણિકવાદી, પર્યાયરૂપે “સ” છે. વેદાંત-સનાતન— દ્રવ્યરૂપે “સ' છે. ચાર્વાક નિરીશ્વરવાદી જ્યાં સુધી આત્માની પ્રતીતિ થઈ નથી ત્યાં સુધી તેને ઓળખવારૂપે “સત્” છે. સર્વદર્શીનની શિક્ષા કરતાં જિનની કહેલી બંધ મેાક્ષના સ્વરૂપની શિક્ષા જેટલી અવિંકળ પ્રતિભાસે છે, તેટલી ખીન દર્શનની પ્રતિભાસતી નથી. અને જે અવિકળ શિક્ષા તે જ પ્રમાણસિદ્ધ છે.
૨૯ પ્ર. આર્યધર્મ તે શું ? બધાની ઉત્પત્તિ વેદમાંથી જ છે શું ? ઉ. જૈન જૈનને, બૌદ્ધ બૌદ્ધને, વેદાંતી વેદાંતને આ ધર્મ કહે એમ સાધારણ છે. તથાપિ જ્ઞાની પુરુષા તા જેથી આત્માને નિજસ્વરૂપની પ્રાપ્તિ થાય એવે જે આ (ઉત્તમ) માર્ગ તેને આ ધર્મ કહે છે અને એમ યાગ્ય છે..
બધાની ઉત્પત્તિ વૈમાંથી થવી સ ંભવતી નથી. વેદમાં જેટલુ જ્ઞાન કહ્યું છે તેથી સહસ્રગણા આશયવાળું જ્ઞાન શ્રીતી કરાર્દિ મહાત્માઓએ કહ્યુ છે. અપ વસ્તુમાંથી સોંપૂર્ણ વસ્તુ થઈ શકે નહીં; એમ હાવાથી વેદમાંથી સની ઉત્પત્તિ કહેવી ઘટતી નથી. બાકી વૈદ જેવા અભિપ્રાય અને જૈન જેવા અભિપ્રાય અનાદિથી ચાલ્યેા આવે છે. સર્વ ભાવ અનાદિ છે.
દુળ દેહુ તે માસ ઉપવાસી, જે છે માયા રંગ રે; તા પણ ગભ અનંતા લેરો, બેાલે બીજું અંગ રે.
Page #35
--------------------------------------------------------------------------
________________
૩૦ પ્ર. પશુ આદિના યજ્ઞથી જરાયે પુણ્ય છે ખરું ? ઉ. પશુને વધથી, હેમથી કે જરાયે તેને દુઃખ આપવાથી પાપ જ
છે; તે પછી યજ્ઞમાં કરે, કે ગમે તે ઈશ્વરના ધામમાં બેસીને કરે. ૩૧ પ્ર. ખ્રિસ્તી ધર્મ વિષે વિચાર દર્શાવે ? ઉ. ભરતખંડમાં મહાત્માઓએ જે ધર્મ શું છે, વિચાર્યું
છે તે ધર્મ બીજા કોઈ દેશથી વિચારાયે નથી, એમ તે એક અલ્પ અભ્યાસે સમજી શકાય તેવું છે. તેમાં (ખ્રિસ્તી ધર્મમાં) જીવનું સદા પરવશપણું કહ્યું છે અને મેક્ષમાં પણ તે દશા તેવી જ રાખી છે. જીવન અનાદિ સ્વરૂપનું વિવેચન જેમાં યથાયોગ્ય નથી, કર્મસંબંધી વ્યવસ્થા અને તેની નિવૃત્તિ પણ
યથાયોગ્ય કહી નથી, (ત ધર્મ ઉત્તમ ધર્મ થવા યોગ્ય નથી). ૩ર પ્ર. તેઓ એમ કહે છે કે બાઈબલ ઈશ્વરપ્રેરિત છે, ઈસુ તે ઈશ્વરને
અવતાર, તેને દીકરો છે, ને હતા. ઉ. એ વાત તો શ્રદ્ધાથી માન્યાથી માની શકાય, પણ પ્રમાણથી
સિદ્ધ નથી. જે જન્મ-મરણથી મુક્ત થયા તે ઈશ્વર અવતાર, લે તે બનવા યોગ્ય નથી, કેમકે રાગદ્વેષાદિ પરિણામ જ જન્મને હેતુ છે, તે જેને નથી એવો ઈશ્વર અવતાર ધારણ કરે એ વાત વિચારતાં યથાર્થ લાગતી નથી. ઈશ્વરને દીકરો છે, ને હતા, તે વાત પણ કઈ રૂપક તરીકે વિચારીએ તે વખતે બંધ બેસે નહીં તે પ્રત્યક્ષ પ્રમાણથી બાધા પામતી છે. મુક્ત એવા
ઈશ્વરને દીકરો હોય એમ શી રીતે કહેવાય ? ૩૩ પ્ર. “ઈસુ ખ્રિસ્તના ચમત્કાર” વિષે શું કહે છે ? ઉ. કેવળ કાયામાંથી જીવ ચાલ્યા ગયે હેય, તે જ જીવ તે જ
કાયામાં દાખલ કર્યો હોય, અથવા કોઈ બીજા જીવને તેમાં દાખલ કર્યો હોય, તે તે બની શકે એવું સંભવતું નથી; અને એમ થાય તે પછી કર્માદિની વ્યવસ્થા પણ નિષ્ફળ થાય. બાકી.
ગાદિની સિદ્ધિથી કેટલાક ચમત્કાર ઉત્પન્ન થાય છે, અને તેવા કેટલાક ઈસુને હોય તે તેમાં તદન ખોટું છે, કે અસંભવિત
જ્ઞાન : જે વડે વસ્તુનું સ્વરૂપ જાણીએ તે જ્ઞાન.
Page #36
--------------------------------------------------------------------------
________________
૧૪
છે, એમ કહેવાય નહીં; તેવી સિદ્ધિઓ આત્માના અશ્વર્ય આગળ
અલ્પ છે, આત્માનું એશ્વર્ય તેથી અનંતગુણ મહત સંભવે છે. ૩૪ પ્ર. બુદ્ધ પણ મોક્ષ નથી પામ્યા એ શા ઉપરથી કહેવાય ? ઉ. તેનાં શાસ્ત્ર સિદ્ધાંતને આશ્રયે. જે પ્રમાણે તેમના શાસ્ત્રસિદ્ધાંત
છે, તે જ પ્રમાણે તેમને અભિપ્રાય હોય તે તે લક્ષણ સંપૂર્ણ જ્ઞાનનું નથી. તેમના અભિપ્રાય પૂર્વાપર વિરુદ્ધ પણ દેખાય છે. સંપૂર્ણ જ્ઞાન જ ન હોય તો સંપૂર્ણ રાગદ્વેષ નાશ પામવા - સંભવિત નથી. જ્યાં તેમ હોય ત્યાં સંસારને સંભવ છે. એટલે
કેવળ મેક્ષ તેને હોય એમ કહેવું બની શકે એવું નથી. :૩૫ પ્ર. દુનિયાની છેવટ શી સ્થિતિ થશે? દુનિયાને પ્રલય છે ? ઉ. કેવળ મેક્ષરૂપે સર્વ જીવની સ્થિતિ થાય કે કેવળ આ દુનિયાને
નાશ થાય, તેવું બનવું પ્રમાણરૂપ લાગતું નથી. આવાને આવા પ્રવાહમાં તેની સ્થિતિ સંભવે છે. કેવળ આ સૃષ્ટિ નાશ થાય કે પ્રલયરૂપ થાય એ ન બનવા જોગ્ય છે. સૃષ્ટિ એટલે એક આ જ પૃથવી એ અર્થ નથી. પ્રલય એટલે સર્વ પદાર્થોનું ઈશ્વરાદિને વિષે લીનપણું તે કઈને અભિપ્રાયમાં તે વાતને સ્વીકાર છે, પણ સંભવિત લાગતું નથી, કેમ કે સર્વ પદાર્થ સર્વ જીવ એવાં સમપરિણામ શી રીતે પામે કે એ યોગ બને ?
(અર્થાત ન જ બની શકે.) ૩૬ પ્ર. માંસાહારી કેમ કે લેકના ત્યાં અથવા તેમની સાથે બેસીને અન્ની
હારાદિનું ગ્રહણ કરવું યોગ્ય છે? જ્ઞાતિભેદનું કાંઈ વિશેષપણું છે ? ઉ. માંસાહારી લેકેના અન્નાહારાદિનું ગ્રહણ નહીં કરવું તે ઉત્તમ
છે. દયાની લાગણી વિશેષ રહેવા દેવી હોય તો જ્યાં હિંસાનાં સ્થાનકે છે, તથા તેવા પદાર્થો લેવાય દેખાય છે, ત્યાં રહેવાને તથા જવા આવવાને પ્રસંગ ન થવા દેવા જોઈએ. નહીં તો જેવી જોઈએ તેવી ઘણું કરીને દયાની લાગણી ન રહે, તેમજ અભજ્ય પર વૃત્તિ ન જવા દેવા અર્થે, અને તે માર્ગની ઉન્નતિના નહીં અનુમોદનને અર્થે, અભક્ષ્યાદિ ગ્રહણ કરનારને આહારાદિ અર્થે
આત્માને સ્વભાવમાં ધારે તે ધર્મ,
Page #37
--------------------------------------------------------------------------
________________
૧૫
પરિચય ન રાખવા જોઇએ. જ્ઞાન દષ્ટિએ જોતાં જ્ઞાત્યાદિભેદનુ વિશેષપણું જણાતું નથી, પણુ ભક્ષ્યાભઢ્યભેદના તા ત્યાં પણ વિચાર કવ્યુ છે, અને તે અર્થે મુખ્ય કરીને આ વૃત્તિ રાખવી ઉત્તમ છે. કેટલાંક કાર્ડ એવાં હાય છે કે તેમાં પ્રત્યક્ષદાબ હાતા નથી, અથવા તેથી દોષ થતા હાતા નથી, પણ તેને અંગે ખીજા દોષને આશ્રય હોય છે, તે પણ વિચારવાનને લક્ષ રાખવા ઉચિત છે. માંસાહારીનાં કાઈ તેવાં નિમ ત્રણામાં અન્નાહારાદિને બદલે નહી. રાંધેલા એવા ફળાહાર આદિ લેતાં તે લેાકેાના ઉપકાર સાચવવાના સંભવ રહેતા હાય, તે તેમ અનુસરા તા સારું છે.
૩૭ પ્ર. કૃષ્ણાવતાર ને રામાવતાર એ ખરી વાત છે? એ સાક્ષાત ઈશ્વર હતા કે તેના અંશ હતા? તેમ માનીએ તા મેાક્ષ પમાય ?
ઉ. બંને મહાત્માપુરુષ હતા. ઈશ્વરના અંશ કાઈ જીવ છે એમ નથી. ઈશ્વરના અંશ જીવને માનવાથી બંધ મેાક્ષ બધા વ્યર્થ થાય ક્રમ કે ઈશ્વર જ અજ્ઞાનાદિના કર્તા થાય; અજ્ઞાનાદિના જે ક થાય તને પછી સહેજે અનૈશ્ચર્ય પણું પ્રાપ્ત થાય ને ઈશ્વર પણ ખાઈ ઐસે તેમ જીવને ઇશ્વરના અંશ પુરુષાર્થ કરવા યોગ્ય શી રીતે લાગે ? મ કે શકે નહીં.
માન્યા પછી તે તા કંઈ કર્તાહર્તા કરી
૩૮ પ્ર. ઉ.
વેદાંત અને જૈન દર્શનમાં મુખ્ય શું ભેદ છે ? વેદાંત છે તે શુદ્ધ નયાભાસી છે, શુદ્દે નય આભાસ મતવાળા “નિશ્ચય નય” સિવાય ખીન્ન નયને એટલે વ્યવહાર નયને ગ્રહણુ કરતા નથી, જિન અનેકાંતિક છે, અર્થાત તે સ્યાદવાર્દિ છે.
૩૯ પ્ર. મુમુક્ષુએ મત, ગુચ્છ કે નયના આગ્રહ કરવા જોઇએ ? ઉ. ના, છેડી મત ન તણા, આગ્રહ તેમ વિકલ્પ; કો માર્ગ આ સાધશે, જન્મ તેહના અપ.”
માર્ગ જેને પ્રાપ્ત નથી થયે એવા મનુષ્યા “ન”ના આગ્રહ કરે છે અને તેથી વિષમ ફળની પ્રાપ્તિ હેાય છે. જેણે નાનીના
જે ઢેખાય છે તે જોતેાનથી અને જે જુએ છે તે દેખાતા નથી.
Page #38
--------------------------------------------------------------------------
________________
માર્ગની ઈચ્છા કરી હોય એવા પ્રાણીઓ નયાદિકમાં ઉદાસીન રહેવાને અભ્યાસ કરવો. કેઈ નયમાં આગ્રહ કર નહિ અને કઈ પ્રાણીને એ વાટે દુભવવું નહિ, અને એ આગ્રહ જેને મળ્યો
છે, તે કઈ વાટે પણ પ્રાણીને દુભવવાની ઈચ્છા કરતા નથી. ૪૦ પ્ર. કદાગ્રહ કરીને કહ્યું છે ? ઉ. ઇન્દ્રિયને નિગ્રહનું ન હોવાપણું; કુળધર્મને આગ્રહ, માનશ્લાઘાની
કામના, અમધ્યસ્થપણું એ કદાગ્રહ છે. તે કદાગ્રહ જ્યાં સુધી
છવ ન મૂકે ત્યાં સુધી કલ્યાણ થાય નહિ. ૪૧ પ્ર. કુળ, જાતિ વિષેને આગ્રહ તે અજ્ઞાન છે ? ઉ. હા, જીવ જે જે કુળમાં ઊપજે છે, તેને તેને આગ્રહ કરે છે, જોર
કરે છે. વૈષ્ણવને ત્યાં જન્મ લીધે હોત તે તેને આગ્રહ થઈ જાત; જે તપામાં હોય તે તપાને આગ્રહ થઈ જાય. જીવનું સ્વરૂપ હૂંઢિયા નથી, તપ નથી, કુળ નથી, જાતિ નથી, વર્ણ નથી, તેને આવી આવી માઠી કલ્પના કરી આગ્રહથી વર્તાવવો એ કેવું જ્ઞાન છે ?
જાતિ, વેષને ભેદ નહિ, કહો માર્ગ જે હોય;
સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કર્યો.” ૪ર. પ્ર. “આર્ય આચાર” અને “આર્ય વિચાર” કોને કહેવાય ? ઉ. “આર્ય આચાર” એટલે મુખ્ય કરીને દયા, સત્ય, ક્ષમાદિ ગુણોનું
આચરવું તે, અને “આર્ય વિચાર” એટલે આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, વર્તમાનકાળ સુધીમાં તે સ્વરૂપનું અજ્ઞાન, તથા તે અજ્ઞાન અને અભાનાં કારણે, તે કારણોની નિવૃત્તિ, અને તેમ થઈ અવ્યાબાધ આનંદસ્વરૂપ એવા નિજપદને વિષે સ્વાભાવિક
સ્થિતિ થવી તે. ૪૩ પ્ર. જૈન દર્શનના સિદ્ધાંત કેવા છે ? ઉ. જે જે જિનેશ્વરનાં કહેલાં સૌદ્ધાંતિક વચને તે અખંડ છે.
તેઓના કેટલાક સિદ્ધાંત એવા સૂક્ષ્મ છે કે, જે એક વિચારતાં
આખી જિંદગી વહી જાય તેવું છે. જે છૂટવા માટે જ જીવે છે તે બંધતામાં આવતો નથી,
Page #39
--------------------------------------------------------------------------
________________
૪૪ છે. મોક્ષમાર્ગ એક જ છે કે વધારે છે ? ઉ. મોક્ષમાર્ગ એક જ છે અને તે નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની
એકતા જ છે. “એક હોય ત્રણ કાળમાં પરમારને પંથ;” મોક્ષના માર્ગ બે નથી, જે જે પુરુષે મોક્ષરૂપ પરમ શાંતિને ભૂતકાળે પામ્યા તે એક જ માર્ગથી પામ્યા છે. વર્તમાન કાળે
પણ તેથી જ પામે છે, ભવિષ્યકાળે પણ તેથી જ પામશે. ૪૫ પ્ર. જિમમાર્ગ સિવાય બીજો કોઈ માર્ગમાં મેક્ષ માર્ગ હોય છે ?
ઉ. ના. ૪૬ પ્ર. જૈન માર્ગમાં હાલ કેટલા ગચ્છ પ્રવર્તે છે ? ઉ. જેના માર્ગમાં હાલમાં ઘણું ગચ્છ પ્રવર્તે છે, જેવા કે તપગચ્છ,
અંચલગચ્છ, લુંકાગચ્છ, ખરતરગચ્છ ઇત્યાદિ આ દરેક પિતાથી અન્ય પક્ષવાળાને મિથ્યાત્વી માને છે. તેવી રીતે બીજા વિભાગ છ કોટિ, આઠ કટિ, ઇત્યાદિ દરેક પિતાથી અન્ય કટિવાળાને મિથ્યાત્વી માને છે. વ્યાજબી રીતે નવોટિ જોઈએ. તેમાંથી જેટલી ઓછી તેટલું ઓછું; અને તે કરતાં પણ આગળ જવામાં આવે તે સમજાય કે છેવટે નવકેટિયે છેડ્યા વિના રસ્તો નથી.
ફેરફાર જે છે તે વ્યવહારમાર્ગમાં છે. મોક્ષમાર્ગ તે ફેરફારવાળે
નથી, એક જ છે. વિચારવાન પુરુષે વ્યવહારના ભેદથી મંઝાવું નહીં. ૪૭ પ્ર. “ગણ”, “ગચ્છ”, “સંધ” કેને કહે છે ? ઉ. રત્નત્રય જ “ગણ” કહેવાય છે. મેક્ષમાર્ગ ઉપર ગમન કરવાને
“ગ” કહે છે. “સંધ” એટલે ગુણને સમૂહ. ૪૮ પ્ર. અત્યારે જૈન દર્શનમાં આટલા બધા મત પ્રવર્તે છે તેનાં મુખ્ય
કારણે ક્યાં છે ? ઉ. ૧. પોતાની શિથિલતાને લીધે કેટલાક પુરુષોએ નિગ્રંથદશાની
પ્રાધાન્યતા ઘટાડી હોય.
જેમણે પ્રમોદને જય કર્યો તેમણે પરમ પદને જય કર્યો.
૨
Page #40
--------------------------------------------------------------------------
________________
૧૮
૨. પરસ્પર એ આયાર્યાને વાદવિવાદ.
૩. મેાહનીય કર્મીને ઉદય અને તે રૂપે પ્રવર્તન થઈ જવું. ૪. ગ્રહાયા પછી તે વાતને માર્ગ મળતા હોય તા પણ તે દુલ ભખેાધિતાને લીધે ન ગ્રહવેા.
૫. મતિની ન્યુનતા.
૬. જેના પર રાગ તેના છંદમાં પ્રવર્તન કરનારા ધણા મનુષ્યા. ૭. દુઃસમ કાળ, અને
૮. શાસ્ત્રજ્ઞાનનું ઘટી જવું.
૪૯ પ્ર. અત્યારે ધર્માંસ બધી જૈન સમાજની દશા કેવી વતે છે ? ઉ. કેળવણી પામેલાને ધર્મતત્ત્વ પર મૂળથી શ્રદ્ધા જણાતી નથી અને તેમને ધર્મની દુર્લભતા થઈ પડી છે. કેળવણી વગરના લેકા એમ માને છે કે બાપદાદા જે ધર્મ ને સ્વીકારતા આવ્યા છે તે જ વીતરાગના આધેલા ધર્મ છે, બાકી જૈન નામે પ્રવર્તે છે તે `મત સઘળા અસત્ છે. કાં તેા દીક્ષા, કાં તા ભિક્ષા માગ્યા જેવી સ્થિતિથી મૂંઝાઈને પ્રાપ્ત થયેલી દીક્ષા, કાં તા સ્મશાન વૈરાગ્યમાં લેવાઈ ગયેલી દીક્ષા હાય છે. શિક્ષાની સાપેક્ષ સ્ફુરણાથી પ્રાપ્ત થયેલી દીક્ષાવાળા પુરુષ તમે વિરલ જ દેખશે (જુએ પ્રશ્ન ૧૧૮૩). સ`શોધક પુરુષ ભટ્ટ એછા છે. જ્યાં પૂછવા
એ ત્યાં સર્વ પાતપેાતાની ગાય છે. પછી તે સાચી કે જુઠી તેના કાઈ ભાવ પૂછ્યુ નથી. બાકી તા (જૈન) દર્શનની દશા જોઈ કરૂણા ઉપજે તેવું છે. મતભેદ રાખી કાઈ મેાક્ષ પામ્યા નથી. વિચારીને જેણે મતભેદ ટાળ્યો, તે અતવૃત્તિ પામી ક્રમે કરી શાશ્વત મેાક્ષને પામ્યા છે, પામે છે અને પામશે.
૫૦ પ્ર. શ્વેતામ્બરમાં મુખ્ય વિવાદ શું છે ?
ઉ. એકનું કહેવું પ્રતિમાની સિદ્ધિ મ ટે છે. બીજા તેને કેવળ ઉત્થાપે છે. એક જણાએ બીજાને રૂ. ૧૦૩ આપ્યા હશે. તેના છેકરાએ
સર્વ પ્રકારના આરંભ તથા પરિગ્રહના સંબધનું મૂળ છેદવાને સમ એવુ બ્રહ્મચર્ય પરમ સાધન છે.
Page #41
--------------------------------------------------------------------------
________________
પેલા બીજાના છેકરાને કહ્યું કે મારા બાપે તારા બાપને રૂ. ૧૦,૦૦૦ આપ્યા હતા તે લાવ. સામાએ કહ્યું કે હું ચેપડામાં
ઈશ. ચોપડામાં જોયું તે રૂ. ૧૦૦ નીકળતા હતા. તેણે વિચાર કર્યો કે જે રૂ. ૧૦૦ કબૂલવા જઈશ તે વધારે ચોંટશે એટલે બે મીંડાં જ ઉડાવીને કહ્યું કે મારા બાપે લીધા જ નથી. આણે બે મીંડા કાઢી નાખ્યાં અને પેલાએ બે મીંડાં ચઢાવ્યાં હતાં. એમ મૂતિ હોય પણ સાદી હોય, આંગી ન હોય. તો ય
તાંબરેએ ચડાવી દીધી ત્યારે સ્થાનકવાસીઓએ મૂર્તિ જ ઉડાવી દીધી. કેાઈ સુશોભિત અલંકારાદિ અને ચક્ષ સહિત પ્રતિમા પૂજે છે. વળી, બીજા (દિગબર) ચક્ષુવાળી પ્રતિમા પૂજવી દ્રવ્યમિથ્યાત્વ કહે છે. ભગવાનને ભૂલી પ્રતિમા પૂજવાની નથી. અજ્ઞાનને વધવાને અનેક માર્ગ છે. તેમાં પ્રતિમા પણ તેનું નિમિત્ત બને છે. ભગવાનને પૂજવાના છે કે પ્રતિમાને પૂજવા જવાનું છે ? ભગવાનને
ગમે તે નિમિતે યાદ કરે તે કલ્યાણ છે. (જુએ પ્રશ્ન ૯૭૭) ૫૧ અ. શ્રીમદ રાજચંદ્રની શ્રદ્ધા કયા ગચ્છમાં હતી ? ઉ. તેઓ કહેતા હતા કે “હું કઈ ગ૭માં નથી; પણ આત્મામાં
છું; એ ભૂલશે નહિ. પ્રથમ પ્રતિમા નહિ માનતે અને હવે માનું છું, તેમાં કોઈ પક્ષપાતી કારણ નથી; પણ મને તેની સિદ્ધિ જણાઈ તેથી માન્ય રાખું છું. મારી પ્રતિમામાં શ્રદ્ધા છે, માટે તમે સઘળા કરે એ માટે મારું કહેવું નથી, પણ વીર ભગવાનની આજ્ઞાનું આરાધન તેથી થતું જણાય છે તેમ કરવું. કૃતકથી, જો તમે કહેતા હો તો આખા જૈન દર્શનનું પણ ખંડન કરી દર્શાવું, પણ તેમાં કલ્યાણ નથી. સત્ય વસ્તુ
જ્યાં પ્રમાણુથી, અનુભવથી સિદ્ધ થઈ ત્યાં જિજ્ઞાસુ પુરુષે પોતાની ગમે તેવી હઠ પણ મૂકી દે છે.”
આ સઘળા સંસારની, રમણી નાયકરૂપ એ ત્યાગી, ત્યાગવું બધું, કેવળ શાક સ્વરૂપ,
Page #42
--------------------------------------------------------------------------
________________
પર પ્ર. પ્રતિમાની માન્યતા કલ્યાણકારી છે તે વાત શ્રીમદ રાજચંદ્ર ક્યા.
પ્રમાણથી સિદ્ધ કરી બતાવી ? ઉ. ૧ આગમપ્રમાણુ, ૨ ઈતિહાસપ્રમાણ, ૩ પરંપરા પ્રમાણ, ૪ અનુભવ
પ્રમાણ, ૫ પ્રમાણ પ્રમાણ ૫૩ પ્ર. આગમ એટલે શું ? - ઉ. જેને પ્રતિપાદક મૂળ પુરુષ આત હોય, તેનાં વચને જેમાં રહ્યાં
' છે તે આગમ છે. વીતરાગદેવના બોધેલા અર્થની યોજના ગણધરોએ ' કરી, ટૂંકામાં મુખ્ય વચને લીધાં તે આગમ. સિદ્ધાંત, શાસ્ત્ર,
સૂત્ર એ બીજા તેનાં નામ છે. ૫૪ પ્ર. અત્યારે કેટલાં સૂત્રો છે. - ઉ. એક પક્ષ (મૂર્તિપૂજક) એમ કહે છે કે અત્યારે પિસ્તાલીસ કે
તેથી વધારે સૂત્રો છે. એક પક્ષ (સ્થાનકવાસી) કહે છે કે બત્રીસ જ સૂત્ર છે; અને તે બત્રીસ જ ભગવાનનાં બધેલાં છે; બાકી.
મિશ્ર થઈ ગયાં છે. ૫૫ પ્ર. બીજા પક્ષ (સ્થાનકવાસી)ની ઉત્પત્તિને કેટલાં વર્ષો થયાં અને તે
માને છે તે બત્રીસ સૂત્રો ક્યાં ? ઉ. તે પક્ષની ઉત્પત્તિને આજે લગભગ પાંચ વર્ષ થયાં. તેઓ
જે બત્રીસ સૂત્ર માને છે તે નીચે પ્રમાણે : || ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૪ મૂળ, ૪ છેદ, ૧ આવશ્યક. પર પ્ર. તીર્થકરદેવે બેધેલાં પુસ્તકની યોજના ગણધરદેવે કરી તે પુસ્તકે,
કેટલાં અને તેનાં નામ જણાવો ? ઉ. તીર્થકરદેવે બોધેલાં પુસ્તકની યોજના દ્વાદશાંગી રૂપે ગણધરદેવે ન કરી, તે બાર અંગનાં નામ : આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, ભગવતી, જ્ઞાતાધર્મકથાગ, ઉપાસકદશાંગ, અંતકૃતદશાંગ, અનુત્તરૌપપાર્તિક, પ્રશ્નવ્યાકરણ, વિપાક અને દૃષ્ટિવાદ.
સ્વચ્છેદે કહપના તે ભ્રાંતિ છે.
|
Page #43
--------------------------------------------------------------------------
________________
૫૭ ક. સૂત્ર અને સિદ્ધાંત એ બે એક છે ? તેમાં શું ભેદ છે? - ઉ. સૂત્ર અને સિદ્ધાંત એ બે જુદાં છે. સાચવવા સારુ સિદ્ધાંત સૂત્ર
રૂપી પેટીમાં રાખવામાં આવ્યા છે. દેશ કાળને અનુસરી સૂત્ર રચવામાં એટલે ગૂંથવામાં આવે છે; અને તેમાં સિદ્ધાંતની ગૂંથણું કરવામાં આવે છે. તે સિદ્ધાંતિ ગમે તેવા કાળમાં ગમે તે ક્ષેત્રમાં ફરતા નથી, સિદ્ધાંત એ ગણિતની માફક પ્રત્યક્ષ છે. તેથી તેમાં કઈ જાતની ભૂલ કે અધૂરાપણું સમાતું નથી. સિદ્ધાંત છે એ પ્રત્યક્ષ છે, જ્ઞાનીના અનુભવગમ્ય બાબત છે, તેમાં અનુમાનપણું કામ આવતું નથી. અનુમાન એ તર્કને વિષય છે અને તર્ક આગળ જતાં કેટલીક વાર ખાટે પણ પડે, પરંતુ પ્રત્યક્ષ જે અનુભવગમ્ય છે તેમાં કાંઈ પણ ખોટાપણું સમાતું નથી. જ્યાં સુધી અનુભવગમ્ય ન થાય ત્યાં સુધી સુપ્રતીતિ રાખવા જરૂર છે, અને સુપ્રતીતિથી ક્રમે ક્રમે કરી અનુભવગમ્ય થાય છે. સિદ્ધાંતના દાખલા: (૧) “રાગદ્વેષથી બંધ છે.” (૨) “બંધને ક્ષય થવાથી મુક્તિ થાય છે. આ સિદ્ધાંતની ખાતરી કરવી હોય તે રાગદેષ છે , જે સમયે સર્વથા પ્રકારે રાગદ્વેષ ક્ષય થાય, તેને
બીજે સમયે “કેવળજ્ઞાન” છે. ૫૮ ક. હાલનાં શાસ્ત્રો તો મહાવીર સ્વામી પછી ઘણું વખતે લખાયાં
એટલે તેમાં તીર્થકરેનાં જ વચને છે તેવી શંકા થવી યોગ્ય છે? ઉ, તે વચને અસત્ છે, એમ ન કહેવું, કારણ કે જેને તમે અસત
કહો છો તે શાસ્ત્રથી જ પ્રથમ તો તમે જીવ, અજીવ એવું કહેતાં શીખ્યા છે; અર્થાત તે જ શાસ્ત્રોને આધારે જ તમે જે કાંઈ જાણે છે તે જાણ્યું છે. વળી શાસ્ત્રના લખનારાઓ પણ વિચારવાન હતા; તેથી તે સિદ્ધાંત વિષે જાણતા હતા. મહાવીર સ્વામી પછી ઘણે વરસે લખાણ છે માટે અસત્ કહેવાં તે દોષ ગણાય. હાલ સિદ્ધાંતને જે બાંધે જોવામાં આવે છે તે જ અક્ષરોમાં અનુક્રમે તીર્થકરે કહ્યું હોય એમ કાંઈ નથી. પણ જેમ કેઈ વખતે કોઈએ વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા સંબંધી
મન જ બંધ અને મોક્ષનું કારણ છે.
Page #44
--------------------------------------------------------------------------
________________
પૂછ્યું તે તે સંબંધી વાત કહી. આવા આવા પ્રકારની વાત થતી હોય તે તેમની પાસે જે ગણુધરે હોય તે ધ્યાનમાં રાખી લે, અને અનુક્રમે તેને બાંધે બાંધે. બાકી તીર્થકર જેટલું કહે તેટલું કાંઈ તેઓના ધ્યાનમાં ન રહે, અભિપ્રાય ધ્યાનમાં રહે. વળી ગણધરે. પણ બુદ્ધિમાન હતા એટલે તે તીર્થંકરે કહેલાં વાક્યો કાંઈ તેમાં
આવ્યાં નથી એમ પણ નથી. ૫૯ પ્ર. સત્યાર્થ શાસ્ત્ર કોને કહેવાય ? ઉ. શાસ્ત્ર તે છે કે જે (૧) સર્વજ્ઞ વીતરાગનું બેધેલું હોય, (૨) કોઈ
વાદી-પ્રતિવાદી જેનું ઉલ્લંઘન કરી શકે નહિ એવું હોય, (૩) પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણથી જેમાં વિરોધ ન આવે, (૪) વસ્તુનું
સ્વરૂપ જેવું હોય તે ઉપદેશ હોય, (૫) સર્વ જીવને હિતકારી, હોય, તથા (૬) કુમાર્ગને નિષેધ કરનાર હોય. આ છે વિશેષણે
યુક્ત હોય તે સાચાં શાસ્ત્ર છે. ૬. પ્ર. યોગ્ય કાળે શાસ્ત્ર વાંચવું એટલે શું? ઉ. શાસ્ત્રોને માટે અમુક કાળે શાસ્ત્ર વાંચવું એ નિયમ છે. આગમ
શાસ્ત્રોના બે ભેદ છેઃ કાલિક અને ઉત્કાલિક, અમુક સમયે જે શાસ્ત્ર વાંચવાનું છે તે બીજે કાળે વાંચે તે પાપ લાગે. તેમજ
ચોત્રીસ અસજઝાય હોય ત્યારે સૂત્ર વંચાય કે ભણાય નહીં. ૬૧ પ્ર. ચોત્રીસ અસઝાય ગણું ? ઉ. આકાશની બાર અસક્ઝાય -
૧. તારા આકાશેથી ખરે તે, ૨. ચારે દિશા રાતી થાય છે, ૩. અકાળે ગાજે તે, ૪. અકાળે વીજળી થાય તો, પ, અકાળે. કાટકે થાય તે, ૬. બીજના ચંદ્રની, ૭. જક્ષના ચિહ્ન (આકાશમાં વ્યંતર આદિનાં નગરે દેખાય), ૮. કરા પડે તે, ૯. ધૂયર. (ધુમ્મસ) વરસે તે, ૧૦. રજુ (ધૂળ) વરસે તો, ૧૧. ચંદ્રગ્રહણ થાય તો, ૧૨. સૂર્યગ્રહણ થાય તે.
દારિક શરીરની આડ અસક્ઝાય -
જેણે મન જીત્યુ તેણે સર્વસંસાર છો.
Page #45
--------------------------------------------------------------------------
________________
૧. તત્કાળનાં તાજાં હાડકાં પડ્યાં હોય તે, ૨. માંસ પડયું હોય તે, ૩. લોહી પડવું હોય તો, ૪. વિષ્ટા, ઊલટી પડી હોય તે, ૫. મડદું બળતું હોય તો, ૬. મોટે રાજા મરે તો, ૭. સંગ્રામ થાય તે, ૮. પંચેનિદ્રયનું કલેવર પડયું હોય તે.
વખત (કાળ)ની ચૌદ અસઝાય - ૧. ચૈત્ર સુદ ૧૫, ૨. ચત્ર વદ ૧, ૩. અષાડ સુદ ૧૫, ૪. અષાડ વદ ૧, ૫. ભાદરવા સુદ ૧૫, ૬. ભાદરવા વદ ૧, ૭. કાતિક શુદ ૧૫, ૮કાતિક વદ ૧, ૯. પ્રભાત, ૧૦. મધ્યાહ્ન, ૧૧. સંધ્યા, ૧૨. મધ્યરાત્રિ, ૧૩. હુતાશણી પ્રગટે તે વખતની, ૧૪ હેળીના બીજા દિવસે ધૂળેટીની.
અમુક કામ માટે અમુક કાળ ભગવાને કહ્યા છે તે જેને આત્મકલ્યાણ કરવાની ભાવના છે તેને માટે આ બધા નિયમે કરી આપ્યા છે. અમુક વખત શ્વાસોચ્છુવાસ એવા હોય છે કે તે વખતે મન બરાબર સ્થિર ન હોય. તેથી તે અકાળ છે એમ કહ્યું છે. કેઈનું મરણ થાય તે વખતે સ્વાધ્યાય ન કર એમ કહ્યું છે. તેનું કારણ એનું મન તે વખતે બરાબર સ્થિર રહેતું નથી. અમુક દૂર સુધી હાડકું પડયું હોય ત્યાં સ્વાધ્યાય ન કરવો એમ કહ્યું છે. તેનું કારણ તેવા નિમિત્તે હિંસાનાં પરિણામ વગેરે થાય, મન વિક્ષેપી થાય તે છે. આત્માને અહિત થાય, વિક્ષેપ થાય, એવા સ્થળમાં,
એવાં નિમિત્તોમાં સ્વાધ્યાય ન કર એમ કહ્યું છે. ૬૨ પ્ર. ઉત્તરાયન સૂત્રમાં વચન છે કે છેલ્લા તીર્થકરના શિષ્ય વાંકા
ને જડ થશે, તે વચન કઈ અપેક્ષાએ કહ્યું છે ? ઉ. જૈન સમુદાયમાં પરસ્પર બહુ મતભેદ પડી ગયા છે. પરસ્પર
નિંદાગ્રંથેથી જંજાળ માંડી બેઠા છે, પણ તત્વને કઈક જ જાણે છે, જાણ્યા કરતાં ઝાઝી શંકા કરનારા અર્ધદગ્ધ પણ છે, જાણો અહં પદ કરનારા પણ છે. ભગવાનના કથનરૂપ મણિના ઘરમાં કેટલાંક પામર પ્રાણીઓ દેષરૂપી કાણું શોધવાનું મંથન
મન જ સર્વ સંસારની મોહિનીરૂપ છે.
Page #46
--------------------------------------------------------------------------
________________
૨૪
કરી અધેાગતિજન્ય કર્મ બાંધે છે. લીલેતરીને મલે તેની સુકવણી કરી લેવાનુ કાણે વા વિચારથી શોધી કાઢયું હશે ? ૬૩ પ્ર. શ્રી હેમચંદ્રાચાર્ય અને શ્રી આન ધનજી કેટલા વર્ષ પૂર્વે થયા હતા ?
. શ્રી હેમચંદ્રાચાર્ય ને થયાં (લગભગ) પેાણા નવસે। વરસ થયાં. શ્રી આન ધનજીને થયાં (લગભગ) પાણા ત્રણસે વરસ થયાં. શ્રી હેમચંદ્રાચાર્યે લેકાનુગ્રહમાં આત્મા અર્પણ કર્યાં. શ્રી આનંદધનજીએ આહિત સાધનપ્રવૃત્તિને મુખ્ય કરી.
૬૪ પ્ર. શ્રી હેમચંદ્રાચાર્યની પરમાર્થ પ્રવૃત્તિ અને તે સમયની દેશકાળ સ્થિતિ કેવી હતી ?
ઉ. શ્રી હેમચંદ્રાચાર્ય એ ધંધુકાના માઢ વાણિયા હતા. તેમણે આઠ વર્ષની ઉ ંમરે દીક્ષા લીધી. તેઓના ગુરુદેવચંદ્રસૂરિ હતા. શ્રી હેમચદ્રાચાર્ય મહાપ્રભાવક બળવાન ક્ષયે પશમંવાળા પુરુષ હતા. તેઓ ધારત તેા જુદા પંથ પ્રવર્તાવી શકે એવા સામર્થ્યવાન હતા. તેમણે ત્રીસ હજાર ધરને શ્રાવકર્યો. ત્રીસ હજાર ઘર એટલે સવાથી દેઢ લાખ માણુસની સંખ્યા થઈ. એક લાખના સમૂહથી સહજાન છએ પેાતાના સંપ્રદાય પ્રવર્તાવ્યો, તે દોઢ લાખ અનુયાયીએને એક જુદે સપ્રદાય શ્રી હેમચંદ્રાચાર્ય ધારત તેા પ્રવર્તાવી શકત.
પશુ શ્રી હેમચ ંદ્રાચાર્યને લાગ્યું કે સંપૂર્ણ વિતરાગ સત તીર્થંકર જ ધર્મ પ્રવર્તક હાઈ શકે, અમે તા તીર્થંકરાની આજ્ઞાએ ચાલી તેમના પરમા માનાં પ્રકાશ કેંરવા પ્રયત્ન કરનારા. વીતરાગમાર્ગ પ્રતિ વિમુખતા અને અન્ય માર્ગ તરફથી વિષમતા, ઇર્ષ્યા આદિ શરૂ થઈ ચૂકયાં હતાં. આવી વિષમતામાં વીતરાગમાર્ગ ભણી લોકાને વાળવા, લેાકેાપકારની તથા તે માના રક્ષણની તેમને જરૂર જણાઈ. અમારું ગમે તેમ થાએ, આ માર્ગનું રક્ષણ
આત્માના ઉપયોગ મનન કરે તે મન છે; વણા છે તેથી મન જુદાં કહેવાય.
Page #47
--------------------------------------------------------------------------
________________
સ્પ
થવુ જોઇએ એ પ્રકારે તેમણે સ્વાર્પણ કર્યું. પણ આમ તેવા જ કરી શકે, તેવા ભાગ્યવાન, માહાત્મ્યવાન, ક્ષયેાપશમવાન જ કરી શકે. તે મહાત્માએ કુમારપાલ રાન્ન પાસે પેાતાના કુટુંબને માટે એક ક્ષેત્ર પણ માંગ્યું નહતું, તેમ પેતે પણ રાજઅના કાળિયા લીધા નહાતા એમ શ્રી કુમારપાલે તે મહાત્માના અગ્નિદાહ વખતે કહ્યું હતું..
પ પ્ર. શ્રી હેમચંદ્રાચાય પછી આન ધનજી થયા ત્યાં સુધી દેશકાળ સ્થિતિ કેવી હતી ?
૩. શ્રી હેમચંદ્રાચાર્યે શું કર્યું. શ્રી આન ધનજી તેમના પછી સે વરસે થયા. એ સેા વરસના અંતરાળમાં ખીજા તેવા હેમચંદ્રાચાય ની જરૂર હતી. વિષમતા વ્યાપતી જતી હતી. કાળ ઉગ્ર સ્વરૂપ લેતે હતા. શ્રી વલ્લભાચાર્યે શૃંગારયુક્ત ધર્મ પ્રરૂપ્યા, શૃંગારયુક્ત ધ ભણી લેાકેા વળ્યા, આર્ષાયા. વીતરાગધ વિમુખતા વધતી ચાલી.
ત્યાં પ્રતિમાપ્રતિપક્ષ-સંપ્રદાય જૈનમાં જ ઊભા થયા. ધ્યાનનું કા, સ્વરૂપનું કારણ એવી જીનપ્રતિમા પ્રતિ લાખા દૃષ્ટિવિમુખ થયા. વીતરાગશાસ્ત્ર કલિંપત અથી વિરાધાયાં, કેટલાંક તા સમૂળગાં ખંડાયાં, આમ સે। વરસના અંતરાળમાં અન્ય ઘણા આાર્યો થયા, પણ તે શ્રી હેમચંદ્રાચાર્ય જેવા પ્રભાવશાળી નહીં. વિષમતા સામે ટકી ન શકાયું, વિષમતા વધતી ચાલી ત્યાંથી આન ધનજી (લગભગ) પેાણા ત્રણસેા વરસ પૂર્વે થયા. ૬૬ પ્ર. શ્રી આનધનની આત્મા પ્રવૃત્તિ કેવા પ્રકારે થઈ ?
૩. શ્રી આન ધનજીએ સ્વ-પર હિતશ્રુદ્ધિથી લાÈાપાર પ્રવૃત્તિ શરૂ કરી. આ મુખ્ય પ્રવૃત્તિમાં આત્મહિત ગૌણુ કર્યું, પણ વીતરાગ ધવિમુખતા, વિષમતા એટલી બધી વ્યાપી ગઈ હતી કે લેાકા ધર્મને કે આન ંદધનજીને પિછાણી ન શકયાં, એળખી કદર ન કરી શકત્યાં પરિણામે તે લેાકસંગ ત્યજી દઇ વનમાં ચાલી નીકળ્યા. વનમાં વિચરતાં છતાં અપ્રગટપણે રહી ચેાવીશી, પદ આદિ વડે
મોક્ષ દુર્લભ નથી, દાતા દુર્લભ છે.
Page #48
--------------------------------------------------------------------------
________________
લેકપકાર તો કરી જ ગયા. નિષ્કારણ કે પકાર એ મહાપુરુષને ધર્મ છે.
અત્યારે તે શ્રી આનંદઘનજીના વખત કરતાં પણ વધારે વિષમતા, વીતરાગમાર્ગ વિમુખતા વ્યાપેલી છે.
શ્રી આનંદઘનજીને સિદ્ધાંતબેધ તીવ્ર હતા. તેઓ વેતાંબર સંપ્રદાયમાં હતા. “ભાષ્ય, ચૂર્ણિ, નિર્યુક્તિ,વૃત્તિ પરંપરા અનુભવ રે” ઇત્યાદિ પંચાંગીનું નામ તેમના શ્રી નેમિનાથજીના સ્તવનમાં ન આવ્યું હેત તો ખબર ન પડત કે તેઓ શ્વેતાંબર સંપ્રદાયના હતા કે દિગંબર સંપ્રદાયના. તેઓ તપગચ્છમાં થયા છે. શ્રી.
આનંદઘનજીનું બીજું નામ “લાભનંદજી” હતું. ૬ ૭ પ્ર. શ્રી શેખરસૂરિ આચાર્ય કેણ હતા ? તેમણે શું કર્યું ? ઉ. આશરે બે હજાર વર્ષ ઉપર જૈન યતિ શેખરસૂરિ આચાર્યો વૈશ્યને
ક્ષત્રિય સાથે ભેળવ્યા. ૬૮ ક. “ઓસવાળ” જ્ઞાતિ એ અસલ કોણ હતા ?
ઉ. “ઓસવાળ” તે “એરપાક” જાતના રજપૂત છે. ૬૯ પ્ર. જૈન દર્શનના સર્વમાન્ય દિગમ્બર આચાર્યોના મુખ્ય નામ આપો. ઉ. શ્રી કુન્દકુન્દ, કાર્તિકેય, સમન્ત –ભદ્ર, ઉમાસ્વામી, પૂજ્યપાદ,
નેમિચન્દ્ર, વીરસેન, અમૃતચંદ્ર, જયસેન, લેગિન્દ્રદેવ, રવિષેણ,
ગુણભદ્ર વિગેરે. ૭૦ પ્ર. વેતાંબરમાં ગ૭ને ભેદ કેમ પડ્યો અને તેમાં કલ્યાણ અને
પરમાર્થ કયા ગરછમાં છે ? ઉ. જ્ઞાનીના વિરહ પછી ધણે કાળ જાય એટલે અંધકાર થઈ જવાથી
અજ્ઞાનની પ્રવૃત્તિ થાય; અને જ્ઞાની પુરુષોનાં વચને ન સમજાય; તેથી લેકને અવળું ભાસે. ન સમજાય તેથી લેકે ગચ્છના ભેદ. પાડે છે. ગચ્છના ભેદ જ્ઞાનીઓએ પાડ્યા નથી. અજ્ઞાનીઓ જ્ઞાનીની સામાં થાય છે. ત્યાં પ્રતિમા પ્રતિપક્ષ-સંપ્રદાય જેનમાં જ ઊભે.
તપેશ્વરી તે રાજેશ્વરી અને રાજેશ્વરી તે નકેશ્વરી
|
Page #49
--------------------------------------------------------------------------
________________
૨૭
થયેા. ધ્યાનનું કાર્ય, સ્વરૂપનું કારણુ એવી જિનપ્રતિમા પ્રતિ લાખા દૃષ્ટિવિમુખ થયા. જૈનમાર્ગમાં ઘણા ફાંટા પડી ગયા છે. લાંકાશાને થયાં (સ ંવત ૧૫૩૧) સુમારે (પાંચસા) વર્ષ થયાં છે. પણ તે હુંઢિયા સંપ્રદાયમાં પાંચ ગ્રંથ પણ રચાયા નથી. તે વેદાંતમાં દશ હજાર જેટલા ગ્રંથ થયા છે. (પાંચસા) વર્ષોમાં બુદ્ધિ હાય ત છાની ના રહે.
કુંઢિયાએ મુમતિ અને તપાએ મૂર્તિ આદિના દાગ્રહ ગ્રહી રાખ્યા છે, પણ તેવા દાગ્રહમાં કાંઈ જ હિત નથી. શૂરાતન કરીને આગ્રહ, કદાગ્રહથી દૂર રહેવું, પણ વિરોધ કરવેા નહીં.
ુઢિયા અને તપા તિથિએના વાંધા કાઢી જુદા પડી—“હું જુદા છુ” એમ સિદ્ધ કરવા તકરાર કરે છે તે મેાક્ષ જવાના રસ્તા નથી. ઝાડને ભાન વગર કર્મ ભાગવવાં પડે છે તા મનુષ્યને શુભાશુભ ક્રિયાનું ફળ કેમ નહી ભાગવવું પડે ? લીલેાતરીના રક્ષણાર્થે આડમાદિ તિથિ કહી છે. કાંઈ તિથિને અર્થે આઠમાદિ કહી નથી. સ ંવત્સરીના દિવસ સ ંબધી એક પક્ષ ચેાથની તિથિના આગ્રહ કરે છે, અને બીજો પક્ષ પાંચમની તિથિના આગ્રહ કરે છે. તિથિિિર્થના ભેદ મૂકી દેવા. ભાંગજાળમાં પડવું નહીં. જ્ઞાની પુરુષાએ તિથિઓની મર્યાદા આત્માર્થે કરી છે, જો ચાક્કસ દિવસ નિશ્રિત ન કર્યાં હોત, તા આવશ્યક વિધિઓના નિયમ રહેત નહીં. આત્માથે તિથિની મર્યાદાના લાભ લેવા.
ઢિયા અને તપા કલ્પના કરી જે મેક્ષ જવાના માર્ગ કહે છે તે પ્રમાણે તે ત્રણે કાળમાં મેાક્ષ નથી. કુળાચાર પ્રમાણે જે સાચું માન્યું તે જ કષાય છે.
સાચા મા એક જ છે; માટે આગ્રહ રાખવે નહિ. બન્ને સમજ્યા વગર વાડા ખાંધી કર્મ ઉપાર્જન કરી રખડે છે. વહેારાના નાડાની માફક મતાગ્રહ પકડી બેઠા છે.
મૂર્તિ માને નહીં ને મુમતિ બાંધે તે હુ ંઢિયા; મૂર્તિ માને ને
ધર્મ ન વાડી નીપજે, ધ હાર્ટ ન વેચાય, ધર્મ વિવેકે નીપજે, જે સમઝે તે થાય.
Page #50
--------------------------------------------------------------------------
________________
૨૮
સુમતિ ન બાંધે તે તપા; એમ તે કાંઈ ધમ હોય ? એ તા લેહું પોતે તરે નહિ, અને બીનને તારે નહીં તેમ.
તપા ુંઢિયાના સાધુને, અને હુંઢિયા તપાના સાધુને અન્નપાણી ન આપવા માટે પેાતાના શિષ્યને ઉપદેશ આપે છે. કુળગુરુએ એક ખીજાને મળવા દેતા નથી; એક ખીજાને મળવા દે તે તે કષાય આછા થાય, નિંદા ઘટે.
“આપણા ધર્મ” એવી પના છે. આપણા ધર્મ શું ? મહાસાગર કાઇને નથી; તેમ ધર્મ કાઇના બાપને નથી.
જીવનું સ્વરૂપ હુંઢિયા નથી, કુળ નથી, નથી, તેને આવી માઠી કલ્પના કરી આગ્રહથી અજ્ઞાન છે ?
એમાં (માગધી ગાથાઓમાં) કત્યાં એવી વાત છે કે આને હુ ંઢિયા * આને તપેા માનવા ? એવી વ્યાખ્યા તેમાં હોતી જ નથી.
જાતિ નથી, વર્ણ વર્તાવવા એ વુ
હાલ જૈનમાં ઘણા વખત થયા અવાવરુ કૂવાની માફક આવરણ આવી ગયું છે, કાઈ જ્ઞાની પુરુષ છે નહિ. કૈટલેાક વખત થયાં જ્ઞાની થયા નથી; નહીં તો તેમાં આટલા બધા કઠ્ઠાગ્રહ થઈ જાત નહીં.
જીવે જે કાંઈ કરવાનુ છે તે આત્માના ઉપકાર અર્થે કરવાનું છે, તે વાત તે ભૂલી ગયા છે. હાલમાં જૈનમાં ચોરાસીથી સા ગચ્છ થઈ ગયા છે. તે બધામાં દાગ્રહો થઇ ગયા છે; છતાં તેઓ બધા કહે છે કે જૈન ધર્મમાં અમે જ છીએ. જૈન ધર્મ અમાશ છે.”
યિા વૈરાગ્યાદિમાં જો આત્માનું જ્ઞાન હોય તો શાભે, નહીં તો ન શાભે. જૈનમાં હાલમાં આત્માને ભુલાવા થઈ ગયા છે. ૭૧ મેં. ગચ્છ અને સંધનાં કાર્યો કરવામાં કલ્યાણુ છે કે નહિ ? ઉ. લેાકસમુદાય કાઈ ભલેા થવાના નથી, અથવા સ્તુતિ નિંદાના પ્રયત્નાર્થે આ દેહની પ્રવૃત્તિ તે વિચારવાનને ય નથી. બાથ
સ્વભાવમાં પ્રવૃત્તિ ને વિભાવથી વ્યાવૃત્તિ તે જ નિવૃત્તિ.
Page #51
--------------------------------------------------------------------------
________________
૨૯
ક્રિયાના અંતર્મુખ વૃત્તિ વગરના વિધિનિષેધમાં કોઈ પણ વાસ્તવ્ય કલ્યાણ રહ્યું નથી. (સંધ) ગચ્છાદિ ભેદને નિર્વાહવામાં, નાના પ્રકારના વિકલ્પો સિદ્ધ કરવામાં આત્માને આવરણ કરવા બરાબર છે. અનેકાંતિક માર્ગ પણ સમ્યક એકાંત એવા નિજપદની પ્રાપ્તિ
કરાવવા સિવાય બીજા અન્ય હેતુએ ઉપકારી નથી. ૭૨ પ્ર. ૭, આઠ, નવ કાટિ એટલે શું ? ઉ. ૩ (મન-વચન-કાયા) ૪ ૩ (કરવું-કરાવવું –અનુમોદવું)=૯. આમ
કોઇપણ ક્રિયા મન, વચન, કાયાથી કરવી, કરાવવી, અને અનુમોદવી તે નવ કેટિ, આમાંથી જેટલું ઓછું તેમ ઓછી
કેટિએ કહેવાય ૭૩ પ્ર. સામાયિક કેટલી કોટિએ થાય ? ઉ. સામાયિક, છ, આઠ કોટિને વિવાદ મૂકી દીધા પછી નવ વિના
નથી થતું; અને છેવટે નવ કાટિ વૃત્તિએ મૂક્યા વિના મોક્ષ નથી. અગિયાર પ્રકૃતિ (સમકિતની સાત પ્રકૃતિ અને ચાર કષાયની એમ અગિયાર) ખપાવ્યા વિના સામાયિક આવે નહીં. સામાયિક થાય. તેની દશા તો અભુત થાય. ત્યાંથી છ, સાત અને આઠમાં ગુણસ્થાનકે જાય; ને ત્યાંથી બે ઘડીમાં મેક્ષ થઈ શકે છે. સામાયિક સંયમ. (જુઓ પ્રશ્ન-૧૦૭૨).
જેની લૌકિક નીતિનાં ઠેકાણા નથી, તેને લકત્તર આત્મસ્વભાવ સમજમાં આવી જાય, એવું કદી પણ બને નહીં.
Page #52
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન, જાતિસ્મરણ, લબ્ધિ, પુનઃ જન્મ
૭૪ પ્ર. જ્ઞાનના પ્રકાર કહો ? ઉ. આઠ; મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય, કેવળ અને કુમતિ, કુશ્રુતિ,
કુઅવધિ. જો કે જ્ઞાન એક જ છે પણ જ્ઞાનાવરણ કર્મના ક્ષપશમ કે ક્ષય અનુસાર જ્ઞાનના મુખ્ય પાંચ ભેદ થઈ ગયા છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપર્યયજ્ઞાન તથા કેવળજ્ઞાન. મતિ, શ્રત, અવધિ એત્રણ જ્ઞાન જ્યારે મિથ્યાદષ્ટિને હોય છે ત્યારે કુમતિ, કુશ્રુત,
અવધિ અથવા વિભંગ કહેવાય છે. આવી રીતે ત્રણ કુત્તાન સાથે
જ્ઞાનના આઠ ભેદ થાય છે. * ૫ પ્ર. મતિજ્ઞાન એટલે શું ? ઉ. પાંચ ઈન્દ્રિય તથા છ મન એ છ વડે કરીને જે જાણવું થાય
તેને મતિજ્ઞાન કહીએ. એટલે મતિજ્ઞાનાવરણને પશમ થાય છે તેટલી જ વિશેષ મતિજ્ઞાનની શક્તિ પ્રગટ થાય છે. એટલા માટે સર્વ પ્રાણીઓનું મતિજ્ઞાન એકસરખું હોતું નથી. મતિજ્ઞાન કેવળ
જ્ઞાનનો અંશ છે. ૭૬ પ્ર. શ્રુતજ્ઞાન એટલે શું ? ઉ. જિન ભગવંતને વચને રૂપી શાસ્ત્ર ભણવાથી કે સાંભળવાથી જે
જ્ઞાન થાય તે શ્રુતજ્ઞાન કહેવાય. મતિજ્ઞાન ઉપર વિશેષ વિચાર તે શ્રુતજ્ઞાન છે. મતિજ્ઞાનથી જાણેલા પદાર્થ દ્વારા બીજા પદાર્થને કે વિષયને જાણે તે શ્રુતજ્ઞાન છે. જેમ કાનથી આત્મા શબ્દ સાંભળ્યું એ મતિજ્ઞાન છે. આત્મા શબ્દથી આત્માના ગુણુપર્યાય આદિને બંધ થવે તે કૃતજ્ઞાન છે. એટલા માટે શાસ્ત્રજ્ઞાનને શ્રુતજ્ઞાન કહે છે. આ શ્રુતજ્ઞાન મન દ્વારા જ થાય છે. શ્રુતજ્ઞાનના બે ભેદ છે.
Page #53
--------------------------------------------------------------------------
________________
અક્ષરાત્મક શ્રુતજ્ઞાન : જે અક્ષરે દ્વારે અર્થ વિચારવાથી થાય, જેમ કે શાસ્ત્ર દ્વારા જ્ઞાન. અક્ષરાત્મક શ્રુતજ્ઞાન: જે ઈન્દ્રિયોથી મતિજ્ઞાન દ્વારા પદાર્થોને જાણીને ફરી તે જ્ઞાન દ્વારા તે પદાર્થમાં હિતરૂપ કે અહિતરૂપ બુદ્ધિ થવી તે. કીડીને દૂરથી સુગધ આવવી તે મતિજ્ઞાન છે. પછી તે સુગંધિત પદાર્થની નજીક આવવાની બુદ્ધિ થવી તે શ્રુતજ્ઞાન છે. મતિ શ્રુતજ્ઞાન સર્વ પ્રાણીઓને સામાન્ય રીતે હોય છે, બે જ્ઞાનથી ઓછાં હોતાં નથી, પરંતુ એ જ્ઞાન પણ
ક્રમથી કામ કરે છે. ૭૭ પ્ર. અવધિજ્ઞાન એટલે શું ? ઉ. મર્યાદાને વિષે રહેલ જે રૂપી દ્રવ્ય તેને ઈન્દ્રિની અપેક્ષા વિના
જે જાણવું તે અવધિજ્ઞાન. અવધિ નામ મર્યાદાનું છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદામાં રહેલાં પુદ્ગલેનું અથવા પુદગલ સહિત અશુદ્ધ જીવોનું વર્ણન જાણવું તે આ જ્ઞાનનું કામ છે. આ જ્ઞાન થવામાં મન અને ઇન્દ્રિયની જરૂર નથી. આત્મા પોતે જ જાણે છે. અવધિજ્ઞાનના બે ભેદ ભવપ્રત્યય અને ગુણપ્રત્યય. દેવ તથા નારકીઓને જે જન્મથી જ હોય છે તે ભવપ્રત્યય. પશુઓને તથા
માનવોને સમ્યકત્વ કે તપના પ્રભાવથી થાય છે તે ગુણપ્રત્યય. ૭૮ પ્ર. મન:પર્યયજ્ઞાન એટલે શું ? ઉ. અઢી કીપની અંદર રહેલ પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના
મને ગત ભાવને જાણનારું જ્ઞાન તે મન:પર્યયજ્ઞાન. બીજાઓના મનમાં પુગલ કે અશુદ્ધ છવ સંબંધી શું શું વિચારો ચાલી રહ્યા છે, અથવા કયા ક્યા વિચાર થઈ ચૂક્યા છે, અથવા કયા ક્યા વિચાર થશે, એ સર્વને જે કઈ આત્મા દ્વારા જાણી શકે તે મન –
પર્યયજ્ઞાન છે. . ૭૮ પ્ર. કેવળજ્ઞાન એટલે શું ? ઉ. કોલકની અંદર રહેલાં રૂપી-અરૂપી સર્વ દ્રવ્યોને તથા તેના
અતીત, અનાગત અને વર્તમાન કાળના સર્વ પર્યાને એક સાથે એક સમયે જાણે તેને કેવળજ્ઞ ન કહીએ, જે ત્રણ લેકના ત્રણ કાલ
જગતમાં માન ન હેત તો અહીં જ મોક્ષ હેત.
Page #54
--------------------------------------------------------------------------
________________
વર્તી સર્વ પદાર્થોને (સર્વ દ્રવ્ય-ગુણ- પર્યાયે સહિત) ભિન્ન ભિન્ન પ્રત્યેક સમયમાં યથાસ્થિત પરિપૂર્ણરૂપે સ્પષ્ટ અને એક સાથે એક કાળમાં દેખે અને જાણે તેને કેવળજ્ઞાન કહે છે-કેવળજ્ઞાનમાં કાંઈ પણ જણ્યા વિના રહેતું નથી. સર્વ જ્ઞાનાવરણ કર્મને ક્ષય થવાથી અનંત જ્ઞાનને પ્રકાશ છે તે કેવળજ્ઞાન છે. શુકલ ધ્યાનના પ્રભાવથી સર્વ જ્ઞાનાવરણ કર્મને જ્યારે ક્ષય થઈ જાય છે ત્યારે આ જ્ઞાન તેરમાં ગુણસ્થાનકે સગી કેવળી જિનને પ્રગટ થાય છે, એક વખત પ્રકાશ થયા પછી ફરી મલિન થતું નથી. પાંચ જ્ઞાનેમાં મતિ, શ્રુત પરાક્ષ છે; કારણ કે ઈન્દ્રિય અને મનથી થાય છે પરંતુ ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ છે કારણ કે આત્માથી થાય છે.
ભૂત ભવિષ્યને જાણે તે કેવળજ્ઞાનની વ્યાખ્યા નથી, એ તે જેવી પણ જાણી શકે. કાલકને જાણે તે કેવળજ્ઞાન નિશ્ચયથી નથી, પણ સ્વરૂપમાં નિરંતર રહેવાય એ કેવળજ્ઞાન નિશ્ચયથી છે. લેકાલકને જાણે તે કેવળજ્ઞાન વ્યવહારથી કહેવાય છે. કેવળજ્ઞાન એટલે નિરાવરણ જ્ઞાન. કેવળજ્ઞાન થયા પછી ઉપયોગ ચંચળ ન રહે. આત્મામાં સ્થિર રહે. કેવળજ્ઞાન કે આત્મસમાધિ લોકોને સરખું લાગે તેથી ભેદ પાડવા કાલોકને જાણનાર કહ્યું. કેવળ
જ્ઞાન એટલે આત્મા અત્યંત શુદ્ધ અસ્થાને ભજે તે. ૮૦ પ્ર. કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે કયું જ્ઞાન હોવું જરૂરી ? અને કયા
જ્ઞાનની પ્રધાનતા છે ? ઉ. એ ચાર જ્ઞાનેમાં શ્રુતજ્ઞાન જ એવું જ્ઞાન છે કે જેનાથી શાસ્ત્રજ્ઞાન.
થાય છે અને આત્માનું ભેદ વિજ્ઞાન થાય છે કે આ આત્મા રાગાદિ ભાવકર્મ, જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ અને શરીરાદિ કર્મથી ભિન્ન છે, સિદ્ધસમ શુદ્ધ છે. જેને આત્માનુભાવ થાય છે તે જ ભાવશ્રુતજ્ઞાન પામી જાય છે. અવિધ મન:પર્યવજ્ઞાનને વિષય કંઈ શુદ્ધાત્મા નથી, એ તે રૂપી પદાર્થો ને જ જાણે છે જ્યારે શ્રુતજ્ઞાન
અરૂપી પદાર્થોને પણ જાણી શકે છે એટલા માટે શ્રુતજ્ઞાન પ્રધાન છે. ૮૧ પ્ર. કેવળજ્ઞાન ક્યારે ઉત્પન્ન થાય ?
નાના નાના, મન
+
A
-
અમન
જ
*
રાગ વિના સંસાર નથી અને સંસાર વિના રાગ નથી.
.
.
.
.
.
1 ન
r
e
# # #
#
# #
#
#
# # કમ
Page #55
--------------------------------------------------------------------------
________________
૩૩
ઉ. સર્વ પર દ્રવ્યમાં એક સમય પણ ઉપયોગ સંગ ન પામે એવી
દશાને જીવ ભજે ત્યારે કેવળજ્ઞાન ઉત્પન થાય.
શ્રુતકેવળી એટલે શું ? કેવળી અને શ્રુતકેવળીમાં શું તફાવત છે ? ૩. શ્રુતજ્ઞાન પૂરું જાણે તે શ્રુતકેવળી, ચૌદલબ્ધિપૂર્વનીધ જેને પ્રગટી
હોય કે જેથી તેનાથી શાસ્ત્રમાં આવેલી કઈ પણ વસ્તુ અજાણી ન રહે તે શ્રુતકેવળી છે. ગેમકૃસારમાં આવે છે કે તીર્થકર અથવા શ્રુતકેવળીના પાકમળમાં ક્ષાયિક સમકિત થાય છે. શ્રુત એટલે સૂત્ર; અને સૂત્ર એટલે સર્વ સ્વયં જાણીને ઉપદેશેલું પૌદગલિક શબ્દબ્રહ્મ; એટલે સર્વજ્ઞનાં વચને કેવળ, (એટલે એકલે, નિર્ભેળ, શુદ્ધ, અખંડ), આત્માને જાણનાર–અનુભવનાર શ્રુતજ્ઞાની પણ “શ્રુતકેવળી” કહેવાય છે. કેવળી અને શ્રુતકેવળીમાં તફાવત એટલે છે કે કેવળી જેમાં ચૈતન્યના સમસ્ત વિશેષે એકી સાથે પરિણમે છે એવા કેવળજ્ઞાન વડે કેવળ આત્માને અનુભવે છે અને શ્રુતકેવળી જેમાં ચૈતન્યના કેટલાક વિશેષે ક્રમે પરિણમે છે એવા શ્રુતજ્ઞાન વડે કેવળ આત્માને અનુભવે છે; અર્થાત કેવળી સૂર્યસમાન કેવળજ્ઞાન વડે આત્માને દેખે–અનુભવે છે અને શ્રુતકેવળી દીવા સમાન શ્રુતજ્ઞાન વડે આત્માને દેખે-અનુભવે છે. આ રીતે કેવળીમાં ને શ્રત કેવળીમાં સ્વરૂપસ્થિરતાની તરતમ્યતારૂપ ભેદ જ મુખ્ય છે. ક્રમબદ્ધ (પદાર્થ)
જાણવારૂપ ભેદ અત્યંત ગૌણ છે. ૮૩ પ્ર. અવધિ કે મન:પર્યયજ્ઞાન ન હોય તે પણ શું કેવળજ્ઞાન થઈ
શકે છે ? ઉ. હા; કોઈ ગીને અવધિજ્ઞાન કે મન:પર્યયજ્ઞાન ને પણ હોય
તે પણ શ્રુતજ્ઞાનના બળથી કેવળજ્ઞાન થઈ શકે છે. માટે આપણે એટલું કરવા યંગ્ય છે કે આપણે શાસ્ત્રજ્ઞાનને વિશેષ અભ્યાસ કરતા રહેવું કે જેથી આત્માનુભવ પ્રાપ્ત થાય. એ જ સહજ સુખનું સાધન છે, અથવા એ જ કેવળજ્ઞાનને પ્રકાશ કરનાર છે. કોઈ
અનંતવા૨ દેહને અથે આત્મા ગા છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે છેલ્લે દેહ હશે,
Page #56
--------------------------------------------------------------------------
________________
૩૪
કોઈ જીવ ચોથા ગુણસ્થાને હોય પણ અવધિજ્ઞાન હોય અને જ્યારે કોઈ જીવ બારમાં ગુણસ્થાને હોય તે પણ અવધિજ્ઞાન ન હેય. મોક્ષમાર્ગ કેમે કરી અવધિજ્ઞાનથી સધાય નહીં. તે તે સમ્યક્ મતિ-શ્રુત જ્ઞાન દ્વારા સ્વય આત્માને પકડવાથી સધાય છે અને સ્વય આત્માને પકડવાની એવી જ્ઞાનશક્તિ તે ગુણસ્થાન ચઢતાં નિયમથી વૃદ્ધિ પામે છે. ચોથા ગુણસ્થાનવાળા અવધિજ્ઞાનીની અપેક્ષાએ અવધિજ્ઞાન વગરના બારમા ગુણસ્થાનવાળા જીવની જ્ઞાનમાં સ્વય આત્માને ગ્રહણ કરવાની શક્તિ વિશેષ વધી ગઈ હોય છે. સ્વય આત્મા તરફ ઢળવાવાળું જ્ઞાન જ મોક્ષમાર્ગમાં પ્રજરૂપ છે. ગુણસ્થાન પ્રમાણે જ્ઞાનશક્તિ વધતી જાય છે, પણ એક ગુણસ્થાનમાં ઘણું જ હોય તે બધાનું જ્ઞાન એક જેવું હોતું નથી અને તેમની ક્રિયા પણ એક સમાન હોતી નથી. એક ગુણસ્થાનવતી અનેક જીવોમાં જ્ઞાનાદિમાં તારતમ્યતા હોય છે, પણ તેની વિરુદ્ધ જાતિ હોતી નથી. એક ગુણસ્થાનમાં વર્તતા બધા જ્ઞાનીઓને ઔદયિકભાવ તથા જ્ઞાનને ક્ષયોશિમિક ભાવ ભિન્ન ભિન્ન પ્રકારના હોય છે, પણ તે ઉદયભાવના આધારે
જ્ઞાન નથી. જ્ઞાન તે સ્વય અનુસાર (આત્માનુભવને આધારે) છે. ૮૪ પ્ર. કેવળજ્ઞાનથી પદાર્થ કેવા પ્રકારે દેખાય છે ? ઉ. દીવો દ્રવ્યપ્રકાશક છે, અને જ્ઞાન દ્રવ્ય, ભાવ બનેને પ્રકાશક છે.
દીવાના પ્રગટવાથી તેના પ્રકાશની સીમામાં જે કોઈ પદાર્થ હોય છે તે સહેજ દેખાઈ રહે છે; તેમ જ્ઞાનના વિદ્યમાનપણથી પદાર્થનું સહેજે દેખાવું થાય છે, જેમાં યથાય અને સંપૂર્ણ પદાર્થનું સહેજે દેખાઈ રહેવું થાય છે, તેને કેવળજ્ઞાન કહ્યું છે; જે કે પરમાર્થથી એમ કહ્યું છે કે કેવળજ્ઞાન પણ અનુભવમાં
તે માત્ર આત્માનુભવકર્તા છે, વ્યવહારથી લોકાલોક પ્રકાશક છે. ૮૫ પ્ર. કેવળજ્ઞાન દર્શનને વિષે ગયા કાળ અને આવતા કાળના પદાર્થ વર્તમાન
કાળમાં વર્તમાનપણે દેખાય છે, તેમ જ દેખાય કે બીજી રીતે ? શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, એમ કહ્યો નથી. મર્મ તે સતપુરુષના અંતરાત્મામાં રહ્યો છે.
Page #57
--------------------------------------------------------------------------
________________
૩૫
ઉ. વર્તમાનમાં વર્તમાન પદાર્થ જેમ દેખાય છે, તેમ ગયા કાળના
પદાર્થ ગયા કાળમાં જે સ્વરૂપે હતા તે સ્વરૂપે વર્તમાનકાળમાં દેખાય છે અને આવતા કાળમાં તે પદાર્થ જે સ્વરૂપ પામશે તે
સ્વરૂપપણે વર્તમાનકાળમાં દેખાય છે. ૮૬ . “સમય”, “પરમાણુ” અને “પ્રદેશને અર્થ શું ? અને તેનું
જ્ઞાન કોને હોય ? ઉ. કાળને સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ “સમય” છે, રૂપી પદાર્થને
સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ “પરમાણું છે, અને અરૂપી પદાર્થને અથવા આકાશને સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ “પ્રદેશ” છે. પુદ્ગલ પરમાણુ સામાન્ય ગતિથી આકાશના એક પ્રદેશથી બીજા પ્રદેશ જાય તેટલા કાળને સમય કહે છે. તેમ છતાં જે કે એક એક પુગલ પરમાણુનું એક સામર્થ્ય છે કે એક સમયમાં ચૌદ રાજુ ગમન કરે. સામાન્યપણે સંસારી જીને ઉપયોગ અસંખ્યાત સમયવતી છે, તે ઉપયોગમાં સાક્ષાત્પણે એક સમયનું જ્ઞાન સંભવે નહિ; તે ઉપયોગનું એક સમયવતીપણું કષાયાદિના અભાવે થાય છે અને જ્યાં અત્યંત કષાયને અભાવ હોય ત્યાં “કેવળજ્ઞાન” હોય છે. એક સમય, એક પરમાણુ અને એક પ્રદેશને જેને અનુભવ
થાય તેને “કેવળજ્ઞાન” પ્રગટે. ૮૭ પ્ર. છદ્મસ્થ કઈ કઈ વસ્તુઓ જાણ–દેખી શકે નહીં ? ઉ. છદ્મસ્થ (જુઓ પ્રશ્ન ૧૫૯૩) જીવ દશ વસ્તુઓ જાણી-દેખી
શકે નહીં. તે દશ વસ્તુઓ નીચે મુજબ છે. (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશ (૪) શરીરરહિત છવ(૫) પરમાણુ, (૬) શબ્દ, (૭) ગંધ, (૮) વાયુ, (૯) આ જીન થશે કે નહિં, (૧૦) આ સિદ્ધ થશે કે નહિ. (આ ઉપરાંત એક
સમય. કાળને એક વિભાગ.). ૮૮ પ્ર. દિગમ્બર કહે છે કે કેવળજ્ઞાન સતારૂપે નહિ, પરંતુ શક્તિરૂપે
રહ્યું છે. તે ભેદ કયા પ્રકારે કહ્યો છે ?
ગમ પડયા વિના આગમ અનર્થકારક થઈ પડે છે.
Page #58
--------------------------------------------------------------------------
________________
૩૬
ઉ. દિગમ્બર સંપ્રદાય એમ કહે છે કે આત્મામાં “ કેવળજ્ઞાન” શક્તિરૂપે રહ્યું છે. શ્વેતામ્બર સંપ્રદાય કેવળજ્ઞાન સત્તારૂપે રહ્યાનું કહે છે. “શક્તિ” શબ્દનો અથ સત્તાથી' વધારે ગૌણ થાય છે. શક્તિરૂપે છે એટલે આવરણથી શકાયુ નથી, જેમ જેમ શક્તિ વધતી જાય એટલે તેના ઉપર જેમ જેમ પ્રયાગ થતા જાય, તેમ તેમ જ્ઞાન વિશુદ્ધ થતું જઈ કેવળજ્ઞાન પ્રગટ થાય. સત્તામાં એટલે આવરણમાં રહ્યું છે. એમ કહેવાય. સત્તામાં ક પ્રકૃતિ હોય તે ઉદયમાં આવે એ શક્તિરૂપે ન કડેવાય. સત્તામાં કેવળજ્ઞાન હોય અને આવરણમાં ન હોય એમ ન બને. “ભગવતી આરાધના” જોશે.”
૮૯ પ્ર. - કેવળજ્ઞાનની શક્તિ” અને “ કેવળજ્ઞાન પ્રગટ થવાનેા ધર્મ”
:
એ એમાં શું અંતર છે ?
ઉ. જે જીવમાં કેવળજ્ઞાન પ્રગટ થવાનું છે તે જીવમાં કેવળજ્ઞાન પ્રગટ થવાને ધર્મ સદૈવ છે. ઉપર્યુક્ત “શક્તિ” અને “ધર્મ” બન્ને ભિન્ન ભિન્ન ચીજો છે, કેવળજ્ઞાનની શક્તિ તા અભવ્ય જીવમાં પણ હેાય છે,. પણ કેવળજ્ઞાન પ્રગટ થવાને ધર્મ તેનામાં નથી. અભવ્ય જીવમાં કેવળજ્ઞાનના શક્તિરૂપ સ્વભાવ છે, પરંતુ તેનામાં કેવળજ્ઞાન પર્યાય કદી પણ પ્રગટ થવાવાળી નથી, એવા પણ તેને એક સ્વભાવ છે.
૯૦ પ્ર. જ્ઞાન અને સંયમ એટલે શું ?
ઉ. જ્ઞાન એટલે સમજવુ -સમજણુ અને સંયમ એટલે પાપથી અટક્યું, ત્યાગ અને વૈરાગ્ય.
૯૧ . સયમ કેટલા ?
ઉ. સાત : સામાયિક, છેદેપસ્થાપન, પરિહારવિધિ, સૂક્ષ્મસાંપરાય, યથાખ્યાત, દેશસંયમ, અસયમ. (જુએ પ્રશ્ન-૧૦૦૯)
૯૨ . જ્ઞાન એટલે સમજણ કહ્યું પરંતુ તે બાબૃત સ્પષ્ટતાથી સમજાવે, . જીવ અને અવની એાળખાણ એ જ્ઞાન કહેવાય. જડ અને ચૈતન્ય ભિન્ન છે તને જ્ઞાન કહેવું. દેહથી આત્મા ભિન્ન છે તેમ
સત વિના અંતની વાતમાં અંત પમાતા નથી.
Page #59
--------------------------------------------------------------------------
________________
યથાતથ્ય જાણવું. આ જીવ શું વસ્તુ છે, શા માટે ભવભ્રમણ કરે છે, એ સંબંધમાં એાળખાણ કે જ્ઞાન, શાસ્ત્ર વાંચન કે શ્રવણથી થઈ શકે છે. જીવ માત્રમાં સામાન્ય સમજણ-બુદ્ધિ છે એટલે સંસાર વ્યવહાર અંગે કમાવું, ખાવું એ બાબતમાં જીવને ઓછાવત્તા પ્રમાણમાં સમજણ હોય છે. કેટલાક વધારે ભણેલા હોય તે વધારે વ્યવહારકુશળ હોય છે. કોઈ વળી શાસ્ત્રનું જ્ઞાન
ધરાવી તેમાં માથું મારતા હોય છે. ૯૩ પ્ર. તે શું એ જ્ઞાન નહીં ? - ઉ, એ જ્ઞાન વ્યવહારુ જ્ઞાન અથવા કજ્ઞાન. લેકના કહેવા પ્રમાણે ચાલતું
જ્ઞાન પણ તેમાં રહેલી જીવની અવિદ્યા એટલે તે જ્ઞાન અજ્ઞાન છે. પુસ્તક વાંચી ભણી લેવાં, સંસ્કૃત ભણવું, પુસ્તક લખવા કે મુખપાઠ કરવાં તેને જ્ઞાની પુરુષો જ્ઞાન કહેતા નથી.
જે વડે વસ્તુનું સ્વરૂપ જાણુએ તે જ્ઞાન. ૯૪ પ્ર. ત્યારે સાચું જ્ઞાન કોને કહેવું ? ઉ. શ્રી વીતરાગ પ્રભુ કહી ગયા તે પ્રમાણે સમજાય તો તે સાચું જ્ઞાન
છે. જીવ ખોટી માન્યતાથી હિતને અહિત અને અહિતને હિત સમજે છે. ઈન્દ્રના વિષય-કષાયમાં તેઓ આનંદ માને છે. આ બાબતમાં જીવને સાચી સમજણ આવે તો તે સમ્યફ જ્ઞાન કહેવાય.
છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ,
એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ.” ૯૫ પ્ર. જ્ઞાનનું ફળ શું હોય ? ઉ. જ્ઞાનનું ફળ વિરતિ છે. બીજેથી મનવચનકાયાની પ્રવૃત્તિ રોકાઈ
એક આત્મહિતમાં વતે અને આખરે શાંત થાય તેનું નામ વિરતિ છે. માટે પ્રથમ આત્મજ્ઞાન કરવું અને પછી તે સ્વરૂપમાં ક્રમે લીન થવું તેનું નામ વિરતિ છે. જ્ઞાન એને કહીએ કે
જેની સાથે અતીન્દ્રિય આનંદને આસ્વાદ આવે. ૯૬ પ્ર. જ્ઞાન ક્યારે પ્રત્યક્ષ ભાસે ?
ધમ દેખાડવા માટે નથી – પરંતુ દેખવા માટે છે.
|
Page #60
--------------------------------------------------------------------------
________________
૩૮
ઉ. જ્ઞાન તેનુ નામ કે જે હર્ષ, શાક વખતે હાજર થાય અર્થાત્ હ શાક થાય નહિં.
૯૭ પ્ર. જ્ઞાન થવાથી સંસાર પ્રત્યે કેવી સ્થિતિ થાય ?
ઉ. જ્ઞાન તા તે કે જેનાથી બાહ્ય વૃત્તિએ રાકાય છે. સંસાર પરથી ખરેખરી પ્રીતિ ઘટે છે. સાચાને સાયુ' જાણે છે. જેનાથી આત્મામાં ગુણ પ્રગટે તે જ્ઞાન.
જ્ઞાન એ દારા પરાવેલ સેાય જેવું છે, એમ ઉત્તરાધ્યયનસૂત્રમાં કહેલુ છે. દારા પરેવેલ સેાય ખાવાતી નથી તેમ જ્ઞાન હાવાથી સંસારમાં ભૂલું પડાતું નથી.
૯૮ પ્ર. જ્ઞાન અને વૈરાગ્યના અરસપરસ સંબંધ કહેા.
ઉ. જ્ઞાન, વૈરાગ્ય સાથે અને વૈરાગ્ય જ્ઞાન સાથે હાય છે, એકલાં ન હાય. વૈરાગ્ય શૃંગાર સાથે ન હોય અને શૃંગાર સાથે વૈરાગ્ય ન હાય.
૯૯ પ્ર. જ્ઞાન તે મેાક્ષના ઉપાય છે તે કઈ રીતે ?
ઉ. વિચાર વગર જ્ઞાન નહિ, જ્ઞાન વિના સુપ્રતીતિ એટલે સમ્યકત્વ નહી. સમ્યકત્વ વિના ચારિત્ર ન આવે અને ચારિત્ર ન આવે ત્યાં સુધી કેવળજ્ઞાન ન પામે અને જ્યાં સુધી કેવળજ્ઞાન ન પામે ત્યાં સુધી મેક્ષ નથી. એમ જોવામાં આવે છે.
૧૦૦ પ્ર. ત્યારે આવી સમજણ જીવે. મ મેળવતા નહિ હોય ?
. જીવના ઉપર ઘણા કાળથી અજ્ઞાનના ખેાજો પડચો છે. જીવ ખરેખર પુરુષાર્થ કરતા નથી અને તેથી તે સાચાને સાચું અને જૂટાને જૂહુ સમજતા નથી.
૧૦૧ પ્ર. જીવ પેાતાની ભૂલ ચારે જોઇ શકે છે ?
ઉ. વીતરાગ કે જ્ઞાની પુરુષના ઉપદેશથી કે પછી પેાતાના આંતરજ્ઞાનથી સમજે તા જીવ પેાતાની ભૂલ સમજે.
પૂછ્યું હોય તો પૈસા ખૂટે નહિ, ને પૂછ્યું ખૂટે તે પૈસા રહે નહિ.
Page #61
--------------------------------------------------------------------------
________________
૩૯
૧૦૨ પ્ર. ત્યારે શુ ભૂલને ભૂલ સમજવી તે જ્ઞાન છે?
ઉ. હા, એ જ વસ્તુને વસ્તુરૂપે સમજવી એટલે કે ન્યાયને ન્યાય, અન્યાયને અન્યાય, હિતને હિત, સત્યને સત્ય સમજે તે જ સમ્યકજ્ઞાન છે. (જુએ પ્રશ્ન ૧૧૨ અને ૧૧૫)
૧૦૩ પ્ર. ત્યારે કહેા પહેલું જ્ઞાન કે સંયમ ?
ઉ. પ્રથમ જ્ઞાન છે અને પછી સંયમ (ચારિત્ર) હોય છે. જ્ઞાન વિના જીવ ચારિત્ર કેવી રીતે એળખે ?
આસક્તિના ત્યાગ પહેલાં અને વ્રતાદિના લીધા પહેલાં તત્ત્વજ્ઞાનના અભ્યાસ કરવા; કારણ કે તત્ત્વજ્ઞાનના અભ્યાસ વગર વિષયાસક્તિ ઘટતી નથી અને વ્રતાદિ સ ંભવે નહીં તેમ તત્ત્વાસારમાં કહ્યું છે. પ્રત્યાખ્યાન ચારિત્ર છે અને ચારિત્ર આત્મભાન વગર સંભવે નહીં.
૧૦૪ . ત્યારે એ ક્રમવાર કે પદ્ધતિસર છે ?
ઉ. હા, પહેલા ઉપદેશ સાંભળવા કે જેથી અંતરાગૃતિ થાય. પછી જ્ઞાન, પછી વિશેષ જ્ઞાન, એટલે ઘણી સારી સમજણુ; ત્યાર પછી ત્યાગ—પ્રત્યાખ્યાન અને પછી અનાશ્રવ-તપ અને પછી મેાક્ષ થાય છે.
૧૦૫ પ્ર. આમ છે તા પછી આવી કડાકૂટ કેમ ચાલે છે ?
ઉ. જૈન આગમ(શાસ્ત્ર)માં જ્ઞાન, અભ્યાસ અને સંયમ વિષે ઘણી સ્પષ્ટતા ને ખુલાસાએ જણાવ્યા છે, પરંતુ જીવેાને કેટલાકને સમજણ પુરુષાર્થ (ક્ષયાપશમ)માં ભેદ અથવા કેટલાકાને સ્વચ્છંદતા કે વક્રતા હેાય છે તેથી મનુષ્ય ગૂંચવણ ઊભી કરે છે. પુણ્યવાન કે ભદ્રિક જીવા તો સમજી જાય છે અને તે માર્ગે ચાલે છે.
૧૦૬ પ્ર. જ્ઞાન વિના ધારા કે કાઇ ચારિત્ર પાળે કે થાડે પણ ત્યાગ કરે તો શું સુકૃત નથી ?
જ્ઞાનકલા જીનકે ઘટ જાગી, તે જગમાંહી સહજ વરાગી જ્ઞાની મગન વિષય સુખમાંહિ, યહુ વિપરિત સંભવે નાહી”
Page #62
--------------------------------------------------------------------------
________________
૪૦
ઉ. સંયમ પાળવો કે થોડો પણ ત્યાગ કરવો એ સારું છે, પણ
સમજણ, જ્ઞાન વિના એ ત્યાગ બરાબર છે કે નહિ તેની શું સમજણ પડે ? ધારો કે કોઈ મનુષ્યને એક ગામથી બીજે ગામ જવું છે પણ ચાલવા વખતે અંધકાર કે રાત્રિ હોય તો એ કેવી રીતે ધાર્યા ગામે પહોંચી શકે છે ચાલવામાં પ્રકાશ, ઉદ્યોતની જરૂર
છે તેમ જ પ્રથમ જ્ઞાનની સંયમ પાળવામાં આવશ્યકતા છે. ૧૦૭ ક. ત્યારે ક્રિયા વંધ્યા નિષ્ફળ છે કે શું ?
ઉ. ખરેખર કરણ નિષ્ફળ તો નથી પણ સમજણ વગરની ક્રિયા
પુણ્યને બંધ આપે છે અને સમજણ પછી કરેલી કરણ નિર્જરામાં
પરિણમી મોક્ષ માર્ગનું ઈષ્ટફળ આપે છે. ૧૦૮ પ્ર. અજ્ઞાનનું લક્ષણ કોને કહે છે ? ઉ. વેદના વેદતાં જીવને કંઈ પણ વિષમ ભાવ થવો તે અજ્ઞાનનું લક્ષણ
છે; પણ વેદના છે તે અજ્ઞાનનું લક્ષણ નથી. પૂર્વોપાર્જિત અજ્ઞાનનું ફળ છે. વર્તમાનમાં તે માત્ર પ્રારબ્ધ છે; એટલે જીવ ને કાયા
જુદાં છે એ જે જ્ઞાનગ તે જ્ઞાની પુરુષને અબાધ જ રહે છે. ૧૦૯ પ્ર. અજ્ઞાનવાદી કોને કહેવાય ? ઉ. “ક્રિયા કરવી નહિ, ક્રિયાથી દેવગતિ પ્રાપ્ત થાય; બીજું કાંઈ
પ્રાપ્ત થતું નથી. જેથી ચાર ગતિ રઝળવાનું મટે તે ખરું” એમ કહી સદાચરણ પુણ્યના હેતુ જાણ કરતા નથી અને પાપના કારણે સેવતાં અટકતા નથી. આ પ્રકારના છાએ કાંઈ કરવું જ નહિ, અને મોટી મોટી વાત કરવી એટલું જ છે. આ જીવને
અજ્ઞાનવાદી” તરીકે મૂકી શકાય. ૧૧૦ પ્ર. વિભેગજ્ઞાન એટલે શું ?
ઉ. મિથ્યાત્વ સહિત અતીન્દ્રિયજ્ઞાન હોય તે વિર્ભાગજ્ઞાન. ૧૧૧ પ્ર. સામાના મનની વાત જાણી લે તેવી શક્તિ હોય તો ? ઉ. એ કાંઈ આશ્ચર્યની વાત નથી; એવું જાણપણું (વિર્ભાગજ્ઞાન)
અજ્ઞાનીને પણ હોય છે; મોક્ષ માર્ગમાં તેની કિંમત નથી.
એક ભવના છેડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહી વધારવા પ્રયત્ન પુરા કરે છે.
Page #63
--------------------------------------------------------------------------
________________
૧૧૨ પ્ર. નિર્ગથ પરિભાષામાં જ્ઞાનને અર્થ શું અને અજ્ઞાનને અર્થ શું છે? ઉ. “અજ્ઞાન” શબ્દને સાધારણ ભાષામાં “જ્ઞાનરહિત” અર્થ થાય
છે. જેમ જડ જ્ઞાનથી રહિત છે તેમ પણ નિગ્રંથ પરિભાષામાં તે મિથ્યાત્વ સહિત જ્ઞાનનું નામ અજ્ઞાન છે. જે જ્ઞાન સમતિ સહિત છે તેને “જ્ઞાન” કહ્યું છે, અને જે જ્ઞાન મિથ્યાત્વ સહિત છે તેને “અજ્ઞાન” કહ્યું છે, પણ વસ્તુતા એ બને જ્ઞાન છે અને તે જીવનું રૂપ છે માટે અરૂપી છે, ને જ્ઞાન વિપરીત પણે જાણવાનું કાર્ય કરે છે, ત્યાં સુધી તેને અજ્ઞાન કહેવું. મિથ્યાત્વજ્ઞાન તે “અજ્ઞાન” અને સમ્યકજ્ઞાન તે “જ્ઞાન”.
માત્ર જાણવું તે જ જ્ઞાન નથી. સમ્યકત્વ સહિત જાણવું તે જ જ્ઞાન છે. અગિયાર અંગ મેઢે હોય પરંતુ સમ્યકદર્શન ન હોય તે તે અજ્ઞાન છે.
જ્ઞાનાવરણીયકર્મ” અને “અજ્ઞાન” એક નથી. “જ્ઞાનાવરણીયકર્મ” જ્ઞાનને આવરણરૂપ છે, અને “અજ્ઞાન” જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમરૂપ એટલે આવરણ ટળવારૂપ છે. તેમાંથી મિથ્યાત્વ જતાં બાકી જ્ઞાન રહે છે.
જે જ્ઞાન કરીને પરભાવ પ્રત્યેને મેહ ઉપશમ અથવા ક્ષય ન થયો, તે જ્ઞાન “અજ્ઞાન” કહેવા ચોગ્ય છે, અર્થાત જ્ઞાનનું લક્ષણ પરભાવ પ્રત્યે ઉદાસીન થવું તે છે.
મોક્ષના કામમાં જે જ્ઞાન ન આવે તે અજ્ઞાન. ૧૧૧૩ પ્ર. વિદ્યા, કવિતા, આદિમાં નિષ્ણાત થવાને આશય રાખવો યોગ્ય છે?
ઉ. કવિતા કવિતાથે આરાધવા યોગ્ય નથી, સંસારાર્થે આરાધવા યોગ્ય
નથી; ભગવદ્દભજનાર્થે, આત્મકલ્યાણાર્થે જે તેનું પ્રયોજન થાય તે જીવને તે ગુણની ક્ષયોપશમતાનું ફળ છે. જે વિદ્યાથી ઉપશમ ગુણ પ્રગટશે નહિ, વિવેક આવ્યો નહીં; કે સમાધિ થઈ નહીં તે વિદ્યાને વિષે રૂડા જીવે આગ્રહ કરવા એગ્ય નથી.
જગતને રૂડું દેખાડવા અનંત વાર પ્રયત્ન કર્યો; એક ભવ જે આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે તે અનંત ભવનું સાટું વળી રહેશે.
Page #64
--------------------------------------------------------------------------
________________
૪૨
૧૧૪ પ્ર. કાવ્ય, સાહિત્ય કે સંગીત વગેરે
જીવનમાં શું સ્થાન છે ? કાવ્ય, સાહિત્ય કે સંગીત આદિ કળા જો આત્માથે ન હોય તા કલ્પિત છે. કલ્પિત એટલે નિરર્થક, સાર્થક નહીં તે. જીવની કલ્પના માત્ર ભકિતપ્રયજનરૂપ આત્માર્થ ન હોય તે બધુ કલ્પિત જ.
૧૧૫ પ્ર. વિદ્વત્તા અને જ્ઞાનમાં શું ભેદ છે ?
ઉ. વિદ્વત્તા અને જ્ઞાન એ એક સમજવાનું નથી, એક નથી. વિદ્વત્તા હોય છતાં જ્ઞાન ન હેાય. સાચી વિદ્વતા તે કે જે આત્માથે હાય, જેથી આત્મા સરે, આત્મત્વ સમજાય, પમાય. આત્મા હોય ત્યાં જ્ઞાન હોય, વિદ્વત્તા હોય વા ન પણ હોય. જ્ઞાન તેનુ નામ કે જે હર્ષ, શાક વખતે હાજર થાય; અર્થાત્ હ, શાક થાય નહિ.
૧૧૬ પ્ર. પુરુષને સ્ત્રી કરતાં જ્ઞાનશ। વધુ હાય તેમ શાસ્ત્રમાં કહ્યું છે ? . જ્ઞાન સ્ત્રીપણામાં; પુરુષપણામાં સરખું જ છે. જ્ઞાન આત્માનું છે, લિંગ ઉપર આધારિત નથી.
૧૧૭ પ્ર. ખીજભૂતજ્ઞાન અને વૃક્ષભૂતજ્ઞાનમાં શું ભેદ છે ?
ઉ. પ્રતીતિએ બન્ને સરખાં છે; તેમાં ભેદ નથી. વૃક્ષભૂતજ્ઞાન, કેવળ નિરાવરણ થાય ત્યારે તે જ ભવે મેાક્ષ થાય; અને ખીજભૂતનાન થાય ત્યારે છેવટે પંદર ભવે મેક્ષ થાય.
૧૧૮ પ્ર. આત્મા આખા શરીરમાં સરખી રીતે વ્યાપક છતાં અમુક ભાગથી જ જ્ઞાન થાય આનું કારણ શું હશે ?
ઉ. જીવને જ્ઞાન, દર્શન ક્ષાયિકભાવે પ્રગત્યાં હોય તે। સવ પ્રદેશે તથા પ્રકારનું તેને નિરાવરણપણું હાવાથી એક સમયે સર્વ પ્રકારે સર્વ ભાવનું નાયકપણું હેાય; પણ જ્યાં ક્ષયે પશમભાવે જ્ઞાનદર્શન વર્તે છે, ત્યા ભિન્ન ભિન્ન પ્રકારે અમુક મર્યાદામાં નાયકપણું હાય. તથાપિ ક્ષયે પશમ દશામાં ગુનુ` સમવિષમપણુ હોવાથી
હું કોણ છું ? કયાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું ? કાના સમંધે વળગણા છે ? રાખું કે એ પરહરુ ?
Page #65
--------------------------------------------------------------------------
________________
૪૩
સર્વાગે તે પંચેન્દ્રિય સંબંધી જ્ઞાન, દર્શન થતાં નથી, કેમ કે શક્તિનું તેવું તારતમ્ય (સવ) નથી, કે પાંચે વિષય સર્વાગે
ગ્રહણ કરે. યદ્યપિ અવધિ આદિ જ્ઞાનમાં તેમ થાય છે. ૧૧૯ પ્ર. વર્તમાનકાળમાં આ ક્ષેત્રથી નિર્વાણપ્રાપ્તિ ન હોય એ સિવાય
બીજા ક્યા ભાવની પણ જિનાગમમાં અને આચાર્યરચિત શાસ્ત્રને વિષે વિચ્છેદતા કહી છે? ઉ. કેવળજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, અવધિજ્ઞાન, પૂર્વજ્ઞાન, યથાખ્યાત ચારિત્ર
આહારકલબ્ધિ, જનકલ્પ, સૂક્ષ્મ સાંપરા ચારિત્ર, પરિહારવિશુદ્ધિ ચારિત્ર, લાયક સમકિત. (ક્ષપક શ્રેણિ, ઉપશમશ્રેણિ) અને પુલાકલબ્ધિ એ ભાવે મુખ્ય કરીને વિચ્છેદ કહ્યા છે. અથવા “પ્રવચન સારોદ્ધાર”માં કહ્યું છે કે જંબુસ્વામીને નિર્વાણ પછી નીચે પ્રમાણે દશ વસ્તુઓ વિચછેદ ગઈ ?
(૧) કેવળજ્ઞાન (૨) મન:પર્યવજ્ઞાન (૩) પરમાવધિજ્ઞાન (૪) આહારકશરીર (૫) ત્રણ સંયમ -પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સાંપરાય અને યથાખ્યાત (૬) ક્ષેપક શ્રેણી (૭) ઉપશમ શ્રેણી (૮) જુલાકલબ્ધિ (૯) જિનકલ્પ (૧૦) મોક્ષગમન. "
પુલાલબ્ધિ એટલે ચક્રવર્તીના લશ્કરને પણ નાશ કરી શકે.
તેવી લબ્ધિ . ૧૨૦ પ્ર. પક્ષ જ્ઞાનના પાંચ ભેદ કહો. ઉ. ૧. સ્મૃતિઃ પૂર્વે જાણેલી વસ્તુને યાદ કરીને જાણવી તે.
૨. પ્રત્યભિજ્ઞાન : દષ્ટાંત વડે વસ્તુને નિશ્ચય કરીએ તે. ૩. તર્કઃ હેતુના વિચારયુક્ત જે જ્ઞાન તેને તર્ક કહે છે. ૪. અનુમાનઃ હેતુથી સાધ્ય વસ્તુનું જે જ્ઞાન તે.
૫. આગમ : આગમથી જે જ્ઞાન થાય તે. ૧૨૧ પ્ર. શાસ્ત્રમાં જ્ઞાન પ્રગટ કર્યું છે તે કેટલા પ્રકારે છે ? ઉ. શાસ્ત્રમાં જે જ્ઞાન પ્રગટ કર્યું છે તે જ્ઞાન બે પ્રકારમાં વિચારવા યોગ્ય
છે. એક પ્રકાર ઉપદેશ”ને અને બીજો પ્રકાર “સિદ્ધાંત"ને છે.
આ સંસારને શું કરે? અને તવાર થયેલી માને આજે સીરૂપે ભોગવીએ છીએ,
Page #66
--------------------------------------------------------------------------
________________
૪૪ ૧૨૨ પ્ર. ઉપદેશજ્ઞાન કોને કહે છે?
ઉ. “પરિગ્રહ, આરંભ અને સંગ એ સૌ અનર્થના હેતુ છે, એ આદિ
શિક્ષા છે તે ઉપદેશજ્ઞાન છે. વિપર્યાસબુદ્ધિનું બળ ઘટવા, યથાવત વસ્તુસ્વરૂપ જાણવાને વિષે પ્રવેશ થવા, જીવને વૈરાગ્ય અને ઉપશમ સાધન કહ્યાં છે, અને એવાં જે જે સાધને સંસારભય દૃઢ કરાવે
છે તે તે સાધને સંબંધી જે ઉપદેશ કહ્યો છે તે “ઉપદેશધ છે. ૧૨૩ પ્ર. સિદ્ધાંતજ્ઞાન કયા પ્રકારે કહેલ છે? ઉ. આત્માનું હોવાપણું, નિત્યપણું, એકપણું અથવા અનેકપણું,
બંધાદિભાવ, મોક્ષ, આત્માની સર્વ પ્રકારની અવસ્થા, પદાર્થ અને તેની અવસ્થા એ આદિને દષ્ટાંતાદિથી કરી જે પ્રકારે સિદ્ધ કર્યા
હોય છે, તે સિદ્ધાંતજ્ઞાન છે. ૧૨૪ પ્ર. ઉપદેશજ્ઞાન અને સિદ્ધાંતજ્ઞાન એમ બે પ્રકારે કહેવાની શું
જરૂર હતી ? ઉ. સિદ્ધાંતજ્ઞાનનું કારણ ઉપદેશજ્ઞાન છે. સદ્ગથી સલ્ફાસ્ત્રથી પ્રથમ
જીવમાં એ જ્ઞાન દૃઢ થવું ઘટે છે, કે જે ઉપદેશજ્ઞાનનાં ફળ વૈરાગ્ય અને ઉપશમ છે. વૈરાગ્ય અને ઉપશમ વધવાથી જીવને વિષે સહેજે ક્ષપશમનું નિર્મળપણું થાય છે; અને સહેજ સહેજમાં સિદ્ધાંત જ્ઞાન થવાનું કારણ થાય છે. જ્યાં વૈરાગ્ય અને ઉપશમ બળવાન છે, ત્યાં વિવેક બળવાનપણે હોય છે. વૈરાગ્ય ઉપશમ બળવાન ન હોય ત્યાં વિવેક બળવાન હોય નહીં. આગમમાં “સિદ્ધાંતબોધ” કરતાં વિશેષપણે, વિરાગ્ય અને ઉપશમને કથન કર્યા છે. કેમ કે તેની સિદ્ધિ થયા પછી વિચારની નિર્મળતા સહેજે થશે, અને વિચારની નિર્મળતા સિદ્ધાંતરૂપ કથનને સહેજે કે ઓછા પરિશ્રમે અંગીકાર કરી શકે છે. ઉપદેશજ્ઞાન પહેલું પરિણમે, ત્યાર પછી સિદ્ધાંતજ્ઞાન પરિણમે છે. એ ન થાય ત્યાં સુધી માત્ર સમજણનું
અભિમાન છે. ૧૨૫ પ્ર. વૈરાગ્ય અને ઉપશમને સ્પષ્ટ અર્થ કરી બતાવે.
હે જીવ, આ કલેશરૂપ સંસાર થકી નિવૃત્ત થા, નિવૃત્ત થા.
Page #67
--------------------------------------------------------------------------
________________
૪૫
ઉ. ગૃહ કુટુંબ (પરિગ્રહાદિ) ભાવને વિષે અનાસક્ત બુદ્ધિ થવી તે.
“વૈરાગ્ય” છે અને તેની પ્રાપ્તિ-અપ્રાતિ નિમિત્તે ઉત્પન્ન થતા એ જે કાયાકલેશ તેનું મંદ થવું તે “ઉપશમ” છે. એટલે તે
બે ગુણ વિપર્યાસબુદ્ધિને પર્યાયાંતર કરી બુદ્ધિ કરે છે. ૧૨૬ પ્ર. અનુભૂતિ અને જ્ઞાનમાં શું અંતર છે ? ઉ. જ્ઞાનમાં તો સંપૂર્ણ આત્મા જાણવામાં આવે છે, અને અનુભૂતિમાં
તે ફક્ત પર્યાયનું જ વેદના થાય છે, દ્રવ્યનું વદન થતું નથી. ૧૨ ૭ પ્ર. કેને ઉપદેશ અને કયું જ્ઞાન મેક્ષને ઉપાય અથવા મેક્ષનાં
સાધનના કારણભૂત થાય છે ? ઉ. આ અપેક્ષાએ ઉપદેશ અને જ્ઞાનના ચાર પ્રકાર છે :
(૧) પરમાર્થ–પરમાર્થ સ્વરૂપ, (૩) વ્યવહાર-પરમાર્થ સ્વરૂપ,
(૨) પરમાર્થ-વ્યવહારસ્વરૂપ, (૪) વ્યવહાર-વ્યવહારસ્વરૂપ. ૧૨૮ પ્ર. પરમાર્થ–પરમાર્થ સ્વરૂપ પરિણુમ ક્યારે સંભવે ? ઉ. જે જ્ઞાની પુરુષે સ્પષ્ટ એ આત્મા કેઈ અપૂર્વ લક્ષણે, ગુણે
અને વેદનપણે અનુભવ્યો છે, અને તે જ પરિણામ જેના આત્માનું થયું છે, તે જ્ઞાની પુરુષે જે તે સુધારસ સંબંધી જ્ઞાન આપ્યું હોય. તે તેનું પરિણામ પરમાર્થ–પરમાર્થ સ્વરૂપ છે, એ નિકટ મોક્ષને ઉપાય છે. જેણે વેદનપણે આત્મા જામ્યો છે તે જ્ઞાની પુરુષની આજ્ઞાએ તે તે કલ્યાણરૂપ થાય છે અને આત્મા પ્રગટવાને અત્યંત
સુગમ ઉપાય થાય છે. ૧૨૯ પ્ર. વ્યવહાર–પરમાર્થસ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિને પ્રકાર કહો. ઉ. જે પુરુષ તે સુધારસને જ આત્મા જાણે છે, તેનાથી તે જ્ઞાનની
પ્રાપ્તિ થઈ હોય તો તે વ્યવહાર–પરમાર્થ સ્વરૂપ છે, તે ઘણું કાળે કોઈ પ્રકારે પણ મોક્ષમાં સાધનનાં કારણભૂત થવાને
ઉપાય છે. ૧૩૦ પ્ર. પરમાર્થવ્યવહાર સ્વરૂપ જ્ઞાનને પ્રકાર કોને કહે ? ઉ. તે જ્ઞાન કદાપિ પરમાર્થ–પરમાર્થ સ્વરૂપ એવા જ્ઞાનીએ ન આપ્યું
હોય, પણ તે જ્ઞાની પુરુષે સન્માર્ગ સન્મુખ આકર્ષે એવો જે જીવને ઉપદેશ કર્યો હોય તે જીવને રુચ્યું હોય તેનું જ્ઞાન તે
નિરૂપાયતા આગળ સહનશીલતાં સુખદાયક છે,
Page #68
--------------------------------------------------------------------------
________________
પરમાર્થ–વ્યવહારસ્વરૂપ છે. એ અનંત પરંપરસંબંધે મોક્ષને
ઉપાય છે. ૧૩૧ પ્ર. વ્યવહાર-વ્યવહાર સ્વરૂપ ઉપદેશ ક્યા પ્રકારે છે ? ઉ. શાસ્ત્રાદિ જાણનાર સામાન્ય પ્રકારે માર્ગાનુસારી જેવી ઉપદેશવાત
કરે, તે શ્રદ્ધાય, તે વ્યવહાર-વ્યવહાર સ્વરૂપ છે. તેનું ફળ આત્મ
પ્રત્યયી નથી સંભવતું. ૧૩૨ પ્ર. સ્વાધ્યાયના કેટલા પ્રકારો જિનેન્દ્રોએ કહ્યા છે ? ઉ. શાસ્ત્રોને સ્વાધ્યાય કરે તે વ્યવહાર સમ્યજ્ઞાન છે. સ્વાધ્યાયના
પાંચ પ્રકાર છે : (૧) વાંચનાઃ ગ્રંથ ભણુ અથવા ભણાવે તે. (૨) પૃચ્છનાઃ સંશય દૂર કરવા અથવા બીજાઓને સમજાવવા પૂછવું. (૩) આમ્નાય : શુદ્ધ શબ્દ અને અર્થને ગોખીને મેઢે કરવું. (૪) ધર્મદેશના : ધર્મકથા આદિને ઉપદેશ કરવો. (૫) અનુપ્રેક્ષાઃ ભલે પ્રકારે જાણેલા પદાર્થને વારંવાર મનથી
' અભ્યાસ કરવા, ૧૩૩ પ્ર. અભ્યાસ અને અધ્યાસ એક જ છે ? ઉ. અભ્યાસ અને અધ્યાસ એક નથી. અભ્યાસ એટલે અધ્યયન;
વારંવાર એનું એ કરવું તે. અધ્યાસ એટલે વિપરીતતા. અધ્યાસ એટલે આરોપ કરવો. અધિ + આસ એટલે પિતાની જગ્યા નહીં ત્યાં બેસવું. અધ્યાસ એટલે ભ્રાંતિ. દેહ છે તેને આત્મા માને એ
અધ્યાસ છે. ૧૩૪ પ્ર. પુરુષાર્થના કેટલા પ્રકાર છે? ઉ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એવા ચાર પુરુષાર્થ પ્રાપ્ત કરવાને
સપુરુષોને ઉપદેશ છે. એ ચાર પુરુષાર્થ નીચેના બે પ્રકારથી સમજાવવામાં આવ્યા છે: (૧) વસ્તુના સ્વભાવને ધર્મ કહેવામાં આવ્યું છે. (૨) જડ ચૈતન્ય સંબંધીને વિચારને અર્થ કહ્યો છે.
સંસારનાં સુખો અનંતવાર આત્માએ ભેગવ્યાં છતાં તેમાંથી હજુ પણ મોહિની ટળી નહી અને તેને અમૃત જે ગમે એ અવિવેક છે.
Page #69
--------------------------------------------------------------------------
________________
૪૭
(૩) ચિત્તનિરોધ તે કામ. (૪) સર્વ બંધનથી મુક્ત થવું તે મેક્ષ. એ પ્રકારે સર્વસંગ પરિત્યાગીની અપેક્ષાથી કરી શકે છે. સામાન્ય રીતે નીચે પ્રમાણે ધર્મ : સંસારમાં અધોગતિમાં પડતે અટકાવી ધરી રાખનાર તે ધર્મ. અર્થ : વૈભવ, લક્ષ્મી, ઉપજીવનમાં સાંસારિક સાધન. કામ : નિયમિત રીતે સ્ત્રી પરિચય. મોક્ષ : સર્વ બંધનથી મુક્તિ તે મોક્ષ. ધર્મને પહેલો મૂકવાને હેતુ એટલો જ કે “અર્થ” અને “કામ” એવાં હોવાં જોઈએ કે ધર્મ” જેનું મૂળ હોવું જોઈએ. એટલા
જ માટે અર્થ અને કામ પછી મૂકવામાં આવ્યાં છે. ૧૩૫ પ્ર. પ્રારબ્ધમાં હોય તેમ થાય છે તે પછી પુરુષાર્થની શી જરૂર ? ઉ. પ્રારબ્ધ અને પુરુષાર્થ એ બે શબ્દ સમજવા જેવા છે. પુરુષાર્થ
કર્યા વિના પ્રારબ્ધની ખબર ન પડી શકે. પ્રારબ્ધમાં હશે તેમ થશે, એમ કહી બેસી રહે કામ ન આવે. નિષ્કામ પુરુષાર્થ કર.
પ્રારબ્ધને સમપરિણામે વેદવું, ભેગવી લેવું એ માટે પુરુષાર્થ છે. ૧૩૬ પ્ર. પ્રારબ્ધ અને પુરુષાર્થને સંબંધ સવિસ્તર સમજાવો. ઉ. મનુષ્યભવ મળ્યો છે તે પ્રારબ્ધ છે. જીવે પુરુષાર્થ કરેલે, પુણ્યાદિ
બાધેલાં તે અત્યારે પ્રારબ્ધના નામથી ઓળખાય છે. તે તે ભવમાં તેનું નામ પુરુષાર્થ હતું. માત્ર કાળભેદ છે. પહેલાના પુરુષાર્થના
ફળને અહીં પ્રારબ્ધ કહે છે. ૧૩૭ પ્ર. મોક્ષને ઉપાય કાળલબ્ધિ આવતાં ભવિતવ્યાનુસાર બને છે કે
મહાદિકને ઉપશમાદિક થતાં બને છે કે, પિતાના પુરુષાર્થથી
ઉદ્યમ કરતાં બને છે ? તે કહો. ઉ. મોક્ષને ઉપાય બને છે ત્યાં તે પૂર્વોક્ત ત્રણ કારણ મળે છે.
કાળલબ્ધિ (ભવિતવ્ય) તે કઈ વસ્તુ નથી, કર્મને ઉપશમાદિક તે તે પુદગલની શક્તિ છે, તેને કર્તાહર્તા આત્મા નથી. ફક્ત પુરુષાર્થથી ઉદ્યમ કરે છે તે આત્માનું કાર્ય છે. માટે જે પુરુષાર્થ
અલિપ્ત ભાવમાં રહેવું એ વિવેકીનું કર્તવ્ય છે.
Page #70
--------------------------------------------------------------------------
________________
૪૮
વડે મેક્ષને ઉપાય કરે છે તેને સર્વ કારણે મળે છે અને અવસ્થા
મોક્ષની પ્રાપ્તિ થાય છે. ૧૩૮ પ્ર. વ્યલિંગ મુનિ મોક્ષને અર્થે ગૃહસ્થપણું છોડી તપશ્ચરણાદિ કરે
છે, ત્યાં તેણે પુરુષાર્થ તે કર્યો છતાં કાર્ય સિદ્ધ ન થયું, માટે
પુરુષાર્થ કરવાથી તે કાંઇ સિદ્ધિ નથી ? ઉ. અન્યથા પુરુષાર્થ કરી ફળ ઈચ્છે પણ તેથી કેવી રીતે ફળસિદ્ધિ
થાય ? તપશ્ચરણાદિ વ્યવહાર સાધનમાં અનુરાગી થઈ પ્રવર્તવાનું ફળ શાસ્ત્રમાં તો શુભબંધ કહ્યું છે અને આ તેનાથી મેક્ષ ઈચ્છે
છે તે કેવી રીતે થાય ? એ તે ભ્રમ છે. ૧૩૯ ક. આ દુષમ કાળ કહ્યો છે તો પછી આ કાળમાં પરમાર્થ સાધી
શકાય ? ઉ. વર્તમાનકાળ દુષમ કહ્યો છે છતાં તેને વિષે અનંતભવ છેઠી માત્ર
એક ભવ બાકી રાખે એવું એકાવતારીપણું પ્રાપ્ત થાય એવું પણ છે. આ દૂષમપણું તે જીવને પુરુષાર્થરહિત કરવા અથે લખ્યું
નથી, પણ પુરુષાર્થ જાગૃતિ અર્થે લખ્યું છે. ૧૪૦ પ્ર. મંત્રાદિથી કર્મથી છૂટી ન શકાય ?
ઉ. મંત્રાદિથી, સિદ્ધિથી અને બીજાં તેવાં અમુક કારણોથી અમુક
ચમત્કાર થઈ શકવા અસંભવિત નથી, તથાપિ ભેગવવા યોગ્ય એવાં “નિકાચિંતકર્મ” તે તેમાંના કેઈ પ્રકારે મટી શકે નહીં; અમુક “શિથિલ કર્મ”ની કવચિત્ નિવૃત્તિ થાય છે. અથવા કઈ પાસે પૂર્વલાભને કોઈ એ બંધ છે, કે જે માત્ર તેની ઘડી કૃપાથી ફળીભૂત થઈ આવે; એ પણ એક સિદ્ધિ જેવું છે, તેમ અમુક મંત્રાદિના પ્રયત્નમાં હોય અને અમુક પૂર્વ તરાય ગુટવાને પ્રસંગ સમીપવતી હોય, તો પણ કાર્ય સિદ્ધિ મંત્રાદિથી થઈ ગણાય; પણ એ વાતમાં કંઈ સહેજ પણ ચિત્ત જવાનું કારણ નથી,
નિષ્ફળ વાર્તા છે. ૧૪૧ ક. આત્મજ્ઞાન અથવા મેક્ષમાર્ગ કાઈના આશીર્વાદથી પ્રાપ્ત થઈ
શકે ખરો ?
જહાં રાગ અને વળી શ્રેષ, તહાં સર્વદા માનો કલેશ, ઉદાસીનતાને જ્યાં વાસ, સકળ દુખને છે ત્યાં નાશ,
Page #71
--------------------------------------------------------------------------
________________
ઉ. દુર્ધર પુરુષાર્થથી પામવા ગ્ય મોક્ષમાર્ગ ત અનાયાસે પ્રાપ્ત થતો
નથી. આત્મજ્ઞાન અથવા મોક્ષમાર્ગ કેઈના શાપથી અપ્રાપ્ત થતો નથી કે કોઈના આશીર્વાદથી પ્રાપ્ત થતો નથી. પુરુષાર્થ પ્રમાણે
થાય છે, માટે પુરુષાર્થની જરૂર છે. ૧૪૨ પ્ર. તપઋદ્ધિ કેટલા પ્રકારની છે ? ઉ. ૧. ઉગ્ર તપઋદ્ધિ એક ઉપવાસ, બે-ત્રણ-ચાર-પાંચ વગેરે ઉપવાસ
નિમિત્તો કાઈ યેગને આરંભ થયે, મરણુપર્યત તે ઉપવાસથી ઓછા દિવસે પારણું ન કરે, કઈ કારણથી અધિક ઉપવાસ થઈ જાય તે મરણપયત તેનાથી ઓછા ઉપવાસ કરી પારણું ન કરે— આવું સામર્થ્ય પ્રગટ હોવું તે ઉગ્ર તપઋદ્ધિ છે.
૨. દીપ્તિ-તપઋદ્ધિ મહાન ઉપવાસ આદિ કરતાં મન-વચનકાયાનું બળ વધતું જ રહે. મુખ દુર્ગધરહિત રહે, કમળ આદિકની સુગંધ જે સુગંધી શ્વાસ નીકળે અને શરીરની મહાન દીપ્તિ પ્રગટ થાય તે દીપ્તિ-તપઋદ્ધિ છે.
૩. નિહાર તપઋદ્ધિ : ગરમ કડાઈમાં પડતાં પાણીનાં ટીપાં જેમ સુકાઈ જાય તેમ આહાર પચી જાય, સુકાઈ જાય અને મળરૂપે ન પરિણમે, તેથી નિહાર ન થાય. આવું હોય તે નિહાર તપઋદ્ધિ છે.
૪. મહાન તપઋદ્ધિ : સિંહ ક્રિડિતાદિ મહાન તપ કરવામાં તત્પર હોવું તે મહાન તપઋદ્ધિ છે.
પ. ઘોર તપઋદ્ધિઃ વાત, પિત્ત, ગ્લેષ્મ વગેરેથી ઉપજેલ જ્વર, ઉધરસ, શ્વાસ, શળ, કઢ, પ્રમેહાદિક અનેક પ્રકારના રોગવાળું શરીર હોવા છતાં પણ અનશન કાયા કલેશાદિ છૂટે નહિ અને ભયાનક સ્મશાન, પર્વતનું શિખર, ગુફા, ખંડિયેર, ઉજ્જડ ગામ વગેરેમાં દુષ્ટ રાક્ષસ, પિશાચાદિ પ્રવર્તે અને માઠા વિકાર ધારણ કરે તથા શિયાળને કઠોર રુદન, સિંહ, વાઘ વગેરે દુષ્ટ જીવન
એક સમય પણ કેવળ અસંગપણાથી રહેવું એ ત્રિલોકને વશ કરવા કરતાં પણ વિકટ કાર્ય છે.
Page #72
--------------------------------------------------------------------------
________________
૫૦
ભયાનક શબ્દ જ્યાં નિર ંતર પ્રવર્તે એવા ભયંકર સ્થાનમાં પણ નિર થઈ વસે તે ધાર તપઋદ્ધિ છે.
૬. ધાર–પરાક્રમ તપઋદ્ધિ : ઉપર કહ્યું તેવુ રાગ સહિત શરીર હોવા છતાં અતિ ભયંકર સ્થાનમાં વસીને યાગ (સ્વરૂપની એકાગ્રતા) વધારવાની તત્પરતા હોવી તે ધાર-પરાક્રમ તપઋદ્ધિ છે.
૭. ધેાર–બ્રહ્મચર્ય તપઋદ્ધિ : ઘણા કાળના બ્રહ્મચર્યના ધારક મુનિને અતિશય ચારિત્રના જોરથી ખાટાં સ્વપ્નાંએના નાશ થવા ધાર-બ્રહ્મચર્ય તપઋદ્ધિ છે.
ગણધર દેવ સાત ઋષિના ધારક હોય છે.
નોંધ : સમ્યગ્દર્શન-જ્ઞાનપૂર્વક ચારિત્રધારી જીવેાના કેવા ઉગ્ર પુરુષાર્થ હોય છે તે અહીં બતાવ્યું છે. શરીર સારું હોય અને બહારની સગવડતા હોય તેા ધર્મ થઈ શકે' એ માન્યતા ખોટી છે એમ સિદ્ધ થાય છે.
૧૪૩ પ્ર.
આ સિવાય બીજી ઋદ્ધિઓ પ્રગટે છે ?
ઉ. આત્માવિશુદ્ધિના પ્રભાવથી મુનીશ્વરાને જગતજીવાને આશ્ચર્ય ઉપજાવે તેવી અનેક પ્રકારની ઋદ્ધિએ સહજ જ ઉત્પન્ન થાય છે. મુનીશ્વરેને પેાતાને પ્રાપ્ત ઋદ્ધિએથી કંઇ પ્રયાજન હેાતુ નથી, અત્ય ંત નિસ્પૃહ હોય છે. મુનીશ્વરાની ઋદ્ધિએ અનેક પ્રકારે ધર્મ પ્રભાવનાનું કારણ થાય છે. તને દેખી કેટલાયે જીવા અન્યમતનુ શ્રદ્ધાન છેડી જૈન દર્શનને અંગીકાર કરે છે. તેમાંની કેટલીક નીચે આપવામાં આવી છે. ૧. અક્ષીણુ મહાન ક્ષેત્રઋદ્ધઃ લાભાંતરાયના પ્રકૃષ્ટ ક્ષયે પશમથી
અતિ સંયમવાન મુનિને જે પાત્રમાંથી ભાજન આપે તે પાત્રમાંથી ચક્રવતી નુ સમસ્ત સૈન્ય ભાજન કરે તે પણ તે દિવસે તે પાત્રમાંથી ભાજનસામગ્રી ઘટે નહિ.
૨. અક્ષીણુ મહાલય ક્ષેત્રઋદ્ધિ: મુનીશ્વર જે સ્થાનમાં ખેસે ત્યાં દેવ, મનુષ્ય, તિર્યં ́ય આદિ ઘણા જીવા આવીને બેસે તે પણ તે ક્ષેત્ર સાંકડું ન પડે, તેમજ પરસ્પર બાધા ન થાય.
જે પ્રાણીઓ જ્યેતિષના પ્રશ્નના ઉત્તર પામવાથી આનંદ માને છે, તે માહાધીન છે, અને પરમા ના
તે
પાત્ર થવા દુર્લભ છે.
f
Page #73
--------------------------------------------------------------------------
________________
૫૧
૩. સ`ભિન્ન શ્વેતૃત્વ ઋદ્ધિ : ચક્રવર્તી ની છાવણી જે ખાર ચેાજન લાંબી અને નવ ચેાજન પહેાળી પડી હેાય તેમાંથી હાથી, ઘેાડા, ઊંટ, મનુષ્યાદિના જુદા જુદા પ્રકારના અક્ષર-અનાક્ષરાત્મક શબ્દેજે એક જ વખતે એક જ સાથે અનેક પ્રકારના ઊપજે તે સને એક જ વખતે સાંભળવાનું સામર્થ્ય પ્રગટ થવું.
૪. દૂરસ્પન સમતા ઋદ્ધિઃ સ્પર્શેન્દ્રિયના ઉત્કૃષ્ટ વિષય નવયાજન પ્રમાણ છે. તેનાથી પણ ઘણા યાજના દૂર રહેલી વસ્તુને જાણવાનું સામર્થ્ય,
૫. દૂર-સ્વાદન સમર્થતા ઋદ્ધિઃ રસના ઇન્દ્રિયના ઉત્કૃષ્ટ વિષય નવ યેાજના પ્રમાણુ છે. તપ વિશેષના કારણે નવ ચેાજનથી પણ આગળ ધણા યાજના દૂરના રસને જાણવાનું સામર્થ્ય પ્રગટ થવું. ૬. દૂર–પ્રાણ સમ`તા ઋદ્ધિ: ધ્રાણુ ઇન્દ્રિયના ઉત્કૃષ્ટ વિષય નવ ચેાજન પ્રમાણ છે. તેનાથી પણ દૂરની વસ્તુની ગંધ ગ્રહણુ કરવાની શક્તિ
૭. દૂરદર્શન સમતા ઋદ્ધિ ઃ નેત્ર ઇન્દ્રિયના ઉત્કૃષ્ટ વિષય ૪૭૨૬૩ ચેાજના પ્રમાણુ છે. તેનાથી પણ ઘણા ચેાજના દૂર રહેલી વસ્તુને દેખવાનું સામર્થ્ય,
:
૮. દૂર-શ્રવણ સમતા ઋદ્ધિ : કટુ ઈન્દ્રયના ઉત્કૃષ્ટ વિષય ભાર ચેાજન પ્રમાણ છે. તેનાથી પણ ઘણા ચેાજના દૂર શ્રવણ કરવાનું સામર્થ્ય,
૯. અણુમાત્ર શરીર કરવાનું સામર્થ્ય તે આણિમા ઋદ્ધિ છે. ૧૦. મેરુથી પણુ મહાન શરીર કરવાનું સામર્થ્ય તે મહિમાઋદ્ધિ છે. ૧૧. પવનથી પણ હલકુ` શરીર કરવાનું સામર્થ્ય તે લધિમાઋદ્ધિ છે. ૧૨. વજ્રથી પણઅતિ ભારે શરીર કરવાનું સામર્થ્ય તે ગરિમાઋદ્ધિ છે: ૧૩. પૃથ્વી ઉપર રહીને આંગળીના અગ્રભાગ વડે મેરુપર્વતના શિખરને તથા સૂર્ય ચંદ્રના વિમાનને સ્પર્શ કરવાનું સામર્થ્ય તે પ્રાપ્તિઋદ્ધિ છે.
જ્ઞાન વૈરાગ્ય સાથે અને વૈરાગ્ય જ્ઞાન સાથે હાય છે, એકલાં ન હોય.
Page #74
--------------------------------------------------------------------------
________________
૧૪. જળમાં ભૂમિની માફક તથા ભૂમિ ઉપર જળની માફક ગમન
કરવાનું–જમીનને ઉન્મજ્જન (ઉપર લાવવી) તેમજ નિમજ્જન
(બુડાડવી), કરવાનું સામર્થ્ય તે પ્રાકામ્યઋદ્ધિ છે. ૧૫. રીલેક્સનું પ્રભુપણું પ્રગટ કરવાનું સામર્થ્ય તે ઈશિત્વઋદ્ધિ છે.
૧૬. દેવ, દાનવ, મનુષ્ય વગેરે સર્વ જીવોને વશ કરવાનું સામર્થ્ય તે - વશિત્વઋદ્ધિ છે. ૧૭. પર્વતાદિકની વચ્ચે આકાશની માફક ગમન-આગમન કરવાની
શક્તિ-જેમ આકાશમાં ગમન-આગમન કરે છે તેમ પર્વતમાં
ગમન-આગમન કરવાનું સામર્થ્ય તે અપ્રતિઘાત ઋદ્ધિ છે. ૧૮. અદશ્ય હોવાનું સામર્થ્ય તે અંતર્ધાન ઋદ્ધિ છે. ૧૯. યુગપત અનેક આકારરૂપ શરીર કરવાનું સામર્થ્ય તે કામરૂપિત્વ
આમ અનેક પ્રકારની વિક્રિયા ઋદ્ધિ છે. આમ અઢાર પ્રકારની બુદ્ધિ-દ્ધિ અને આકાશગામિની ક્રિયા-ઋદ્ધિ, બે પ્રકારની ચારણઋદ્ધિ, આઠ પ્રકારની વિક્રિયાઋદ્ધિ, ત્રણ પ્રકારની બાળઋદ્ધિ, સાત પ્રકારની તપઋદ્ધિ, છ પ્રકારની રસઋદ્ધિ, છ પ્રકારની ઔષધઋદ્ધિ, બે પ્રકારની ક્ષેત્રઋદ્ધિ, ઈત્યાદિ અનેક ઋદ્ધિ શક્તિઓ પ્રગટ થાય છે. | (અહીં અદ્ધિ શબ્દને ઉપયોગ સિદ્ધ અથવા લબ્ધિના અર્થમાં કરવામાં આવ્યો છે.) વાત્સલ્યગુણના ધારકને પણ આમાંની
ઘણી શકિતઓ પ્રગટે છે. ૧૪૪ પ્ર. ઋદ્ધિ, સિદ્ધિ અને લબ્ધિમાં શું ફેર છે ? ઉ. ઋદ્ધિ = વૈભવ, ઐશ્વર્ય, સંપતિ, સામર્થ્ય.
સિદ્ધિ અણિમા વગેરે યોગની શકિતઓ. લબ્ધિયોગ વગેરેથી પ્રાપ્ત થતી વિશિષ્ટ શકિતઓ. આમાં ઋદ્ધિ શબ્દ અને એના અર્થ સાથે કોઈ ગૂઢ કે અદ્ભુત રહસ્ય સંકળાયેલું નથીપણ સિદ્ધિઓ અને લબ્ધિઓની શક્તિઓ
શાંત સ્વભાવ એ જ સજ્જનતાનું ખરું મૂળ છે.
Page #75
--------------------------------------------------------------------------
________________
૫૩
યોગસાધના દ્વારા પ્રાપ્ત થતી વિશિષ્ટ, ગૂઢ અને ચમત્કારી શકિતઓ હવાથી એ અંગે જનસમુદાયમાં ભારે કુતૂહલ અને રહસ્ય પ્રવર્તે છે. સિધ્ધિ અને લબ્ધિ એ બને ગસાધનાના બળે પ્રાપ્ત થતી હોવાથી એ બે વચ્ચેની ભેદરેખા આંકવાનું કામ મુશ્કેલ છે; એને એ બનેથી ચમત્કારો સજતા હોવાથી એ
બનેમાં અભુતતાનું તત્ત્વ સમાન છે. ૧૪૫ પ્ર. સિદ્ધિઓ કેટલા પ્રકારની છે ? ઉ. ગસાધનાના બળે થતી સિદ્ધિઓને મહાસિદ્ધિ તરીકે ઓળખ
વામાં આવે છે. અને (સાધારણ રીતે) તે પ્રશ્ન ૧૪૩ને ક્રમાંક ૯ થી ૧૬ માં ગણવેલ શક્તિઓ, આઠ પ્રકારની સિદ્ધિઓ તરીકે
ઓળખાય છે. ૧૪૬ પ્ર. લબ્ધિઓ કેટલા પ્રકારની હોય છે ?
ઉ. લબ્ધિઓ અઠ્ઠાવીશ પ્રકારની ગણાવવામાં આવી છે, તે આ
પમાણે છે : ૧. આમેસહિ - શરીરના સ્પર્શમાત્રથી રોગ મટી જાય છે. ૨. વિપોસહિ :- મળ, મૂત્ર થકી સર્વ રોગ જાય તે. ૩. પેલેસહિ – શ્લેષમ થકી સર્વ રોગ જાય તે. ૪. જલસહિ :- શરીરના મેલથી સર્વ રોગ જાય તે. ૫. સ સહિ :- કેશ, નખ, રોમ, વગેરે સર્વ અંગથી સર્વ રોગ
જાય તે. ૬. સંભિશ્રોત – કોઈ પણ એક ઈન્દ્રિયથી સાંભળી શકવાની શક્તિ. ૭. અવવિજ્ઞાન -રૂપી પદાર્થોને ઇન્દ્રિયની સહાય વગર જાણવાની શક્તિ ૮. મનઃ પર્યવજ્ઞાન - ગર્ભજ પંચેન્દ્રિયના મને ગત ભાવ જાણુ
વાની શક્તિ. ૮. વિપુલમતિ : અઢીદ્વીપમાં વિશેષપણે મનેભાવ જાણવાની શક્તિ. ૧૦. ચારણલબ્ધિ : આકાશગામિની શક્તિ. ૧૧. આશિવિષ : જેવો શાપ આપે તેવું થાય. ૧૨. કેવળજ્ઞાન : ત્રણે કાળ અને ત્રણે લેકના સર્વે ભાવેને જાણવાની
શક્તિ .
| ઉત્તમ શાસ્ત્રમાં નિરંતર એકાગ્ર રહેવું તે પણ સસંગ છે. |
Page #76
--------------------------------------------------------------------------
________________
૫૪
૧૩. ગણધર પદ : ગણધરનું પદ મળે તે ૧૪. પૂર્વધર : પૂર્વધર બને. (ચૌદપૂર્વ ભણે) ૧૫. અરિહંત પદ : અરિહંત થાય તે. ૧૬. ચક્રવતી પદ : ચક્રવતી પણું પામે ત. ૧૭. બળદેવ પદ ઃ બળદેવરૂપે જન્મે. ૧૮. વાસુદેવ પદ : વાસુદેવરૂપે જન્મે. ૧૯. અમૃતસવઃ ઘી, સાકર, ખીરના જેવી મધુર વાણીની શક્તિ. ૨૦. કોષ્ટબુદ્ધિ : ભણેલું ભૂલે નહીં તે કુષ્ટિકબુદ્ધિ. ૨૧. પદાનુસારિણી : એક પદ ભણતાં ઘણું આવડી જાય એવી શકિત. ૨૨. બીજબુદ્ધિ : એક પદ ભણીને ઘણે અર્થ જાણે એવી શક્તિ. ૨૩. તે જેતેશ્યા : બાળી નાખે, દાહ ઉપજાવે એવી શક્તિ. ૨૪. આહારક : સંદેહ ઊપજે ત્યારે એના નિવારણ માટે ભગવાન પાસે
પહોંચી શકાય એવું શરીર રચવાની શક્તિ. ૨૫. શીતલેશ્યા : શીતલ કરે તલેશ્યાને ઠારે) એવી શક્તિ. ૨૬. વૈક્રિય : નાનાંમોટાં રૂપ ધારણ કરવાની શક્તિ ૨૭. અક્ષીણ મહાનસી : પોતાના (અ૫) આહારે લાખ માણસને જમાડે
એવી શક્તિ. (અષ્ટાપદની યાત્રા વખત ગૌતમસ્વામીએ થોડીક ખીરથી ૧૫૦૩ તાપસેને પારણું કરાવ્યું હતું, તે આ લબ્ધિના
પ્રતાપે). ૨૮. પુલાક : સંધ વગેરેના ભલા માટે ચક્રવર્તીના સૈન્યને ચૂરચૂર
કરવાની શક્તિ. ૧૪૭ પ્ર. આજે પચીસ-પચીસ વર્ષ પછી પણ શ્રી ગૌતમસ્વામીની
નામના ચોમેર લબ્ધિઓના ભંડાર તરીકે વિસ્તરી રહી છે, તો
તેમને કેવી કેવી લબ્ધિઓ પ્રગટી હતી ? ઉ. તેઓના હાથને સ્પર્શ થતો અને જીવનાં દુઃખ-દર્દ-દીનતા દૂર
થઈ જતાં. એમના મળ દુર્ગધ મારતા મળે ન હતા, પણ રોગને દૂર કરનારા સુવાસિત ઔષધે હતા. એક ઇન્દ્રિયથી બીજી ઇન્દ્રિયનું કામ લઈ શકતા. આકાશગમન કરી શક્તા. સામાના મનને
આત્મામાંથી માહ ગયો તે જ સમાધિ છે.
Page #77
--------------------------------------------------------------------------
________________
૫૫
જાણવું અને દૂર દૂરની ઘટનાએ કે વસ્તુઓને જાણી લેવી એ એમને માટે રમત વાત હતી. સૂર્યનાં કિરણાને આધારે ત દૂ મ પહાડ ઉપર જઈ શકતા. ઈશારા માત્રથી તેએ ઝેરને દૂર કરી શકતા. અંતરના વેધક તેજને તએ બહાર વહાવી શક્તા. એમના અંગૂઠામાં એવું અમૃત વસતુ` કે જે વસ્તુને એના સ્પ થતો એ અખૂટ બની જતી. આવી તા કઈક કઈક સિદ્ધિએ અને લબ્ધિઓના સ્વામી બન્યા હતા. ગુરુ ગૌતમ આટલી લબ્ધિએના ભડાર હોવા છતાં વાહવાહની કામના કે મોટાપણાનું ગુમાન એમને લેાભાવી શકયાં ન હતાં અને જળકમળની જેમ, અલિપ્ત અને સ્વસ્થ રહેવાની એમની શક્તિ હતી.
૧૪૮ પ્ર. જ્ઞાનીને વિષે જો કાઈ પણ પ્રકારે ધનાદિની વાંછા રાખવામાં આવે તા તે સફળ થાય ?
. ના, ધનાદિની પ્રાપ્તિ શુભાદિ કર્મને જ આધીન છે. નાની પ્રત્યે ધનાદિને વાંછા રાખવાથી જીવને દશનાવરણીય કના પ્રતિબંધ વિશેષ ઉત્પન્ન થાય છે. ધણુ કરીને જ્ઞાની તેવા પ્રતિબંધ કાઈને પાતા થકી ઉત્પન્ન ન થાય એમ વર્તે છે.
૧૪૯ પ્ર. મહાત્મા કબીર, નરસિ ંહ મહેતા ઇત્યાદિ મહાત્માએના જીવનમાં પરમાત્માએ પરચા બતાવ્યા છે તેનુ વર્ણન છે તે કઈ રીતે હશે ? ઉ. તેમેની દુ:ખી સ્થિતિ છતાં આજીવિકા અર્થે, વ્યવહારાથે પરમેશ્વર પ્રત્યે દીનપણું કર્યું નથી, તેમ કર્યા સિવાય ને ક ઈશ્વરેચ્છાથી વ્યવહાર ચાલ્યા ગયા છે. પરમાત્માએ એમના “પરચા” પૂરા કર્યા છે તે એ ભક્તોની ઇચ્છાથી ઉપરવટ થઈને. ૧૫૦ પ્ર. ઘણા મેાટા પુરુષોના સિદ્ધિયોગ સબંધી શાસ્ત્રમાં તથા લોકકથામાં વાત આવે છે તે માટે સંશય રાખવા યેાગ્ય છે? ઉ. અષ્ટ મહાસિદ્ધિ આદિ જે જે સિદ્ધિએ કહી છે, % '' આદિ મંત્રયોગ કહ્યા છે, તે સર્વ સાચાં છે. આમૈય પાસે એ સ અપ છે. જ્યાં આસ્થિરતા છે, ત્યાં સર્વ પ્રકારના સિષ્ક્રિય ગ વસે છે, જેને આત્મપ્રતીતિ ઉત્પન્ન થાય તેને સહેજે એ વાતનુ
સજ્જનતા માક્ષા સરળ અને ઉત્તમ રાજમાગ છે.
Page #78
--------------------------------------------------------------------------
________________
નિશંકપણું થાય, કેમ કે આત્મામાં જે સમર્થપણું છે, તે સમર્થ
પણુ પાસે એ સિદ્ધિલબ્ધિનું કાંઈ પણ વિશેષપણું નથી. ૧૫૧ અ. પૂર્વે જ્ઞાની પુરુષો થઈ ગયા છે, તે જ્ઞાનીમાં ઘણું જ્ઞાની પુરુષો
સિદ્ધિજોગવાળા થઈ ગયા છે, એવું જે લોકકથન છે તે સાચું છે
કે ખોટું ? ઉ. કેટલાક માર્ગાનુસારી પુરુષો અને અજ્ઞાન યોગી પુરુષોને વિષે પણ
સિદ્ધિ જોગ હોય છે સમ્યફદષ્ટિપુરુષ કે જેને એથે ગુણઠાણે સંભવ છે, તેવા જ્ઞાની પુરુષને વિષે કવચિત સિદ્ધિ હોય છે, અને કવચિત સિદ્ધિ હોતી નથી, જેને વિષે હોય છે, તેને સ્કૂરણ વિષે પ્રાયઃ ઈચ્છા થતી નથી; અને જે તેવી ઈચ્છા થઈ તે સમ્યકત્વથી પડવાપણું તેને ઘટે છે. જે સમ્યકજ્ઞાની પુરુષોથી સિદ્ધિગના ચમત્કારે લેકેએ જાણ્યા છે, તે તે જ્ઞાની પુરુષોના કરેલા સંભવતા
નથી; સ્વભાવે કરી તે સિદ્ધિગ પરિણામ પામ્યા હોય છે. ૧પર પ્ર. બીજાં ગુણસ્થાનમાં સિદ્ધિ જોગ સંભવે છે ? ઉ. પ્રાયે પાંચમે, છઠ્ઠ ગુણઠાણે પણ ઉત્તરોત્તર સિદ્ધિ જોગને વિશેષ
સંભવ થતો જાય છે અને ત્યાં પણ જે પ્રમાદાદિ જેગે સિદ્ધિમાં જીવ પ્રવર્તે તે પ્રથમ ગુણઠાણને વિષે સ્થિતિ થવી સંભવે છે.
સાતમે, આઠમે, નવમે, દશમે, ગુણઠાણે ઘણું કરીને પ્રમાદને અવકાશ ઓછો છે. અગિયારમે ગુણઠાણે સિદ્ધિજોગને લાભ સંભવત જાણે પ્રથમ ગુણઠાણે સ્થિતિ હોવી સંભવે છે. બાકી જેટલાં સમ્યક્ત્વનાં સ્થાનક છે અને જ્યાં સુધી સમ્યફપરિણામી આત્મા છે ત્યાં સુધી, તે એકે જગને વિષે જીવને પ્રવૃત્તિ ત્રિકાળે સંભવતી નથી.
કવચિત કોઈ પ્રસંગે જ્ઞાની પુરુષે પણ સિદ્ધિોગ પરિણમી કર્યો હોય છે, તથાપિ તે કારણ અત્યંત બળવાન હોય છે, અને તે
પણ સંપૂર્ણ જ્ઞાનદશાનું કાર્ય નથી. ૧૫૩ પ્ર. લબ્ધિ, સિદ્ધિ હાય છે? શું તે મહાત્માઓને પ્રાપ્ત હોય છે ?
ઉ. લબ્ધિ, સિદ્ધિ સાચી છે, અને તે અપેક્ષા વગરના મહાત્માને
જ્યાં સુધી દેહાત્મબુદ્ધિ ટળે નહીં ત્યાં સુધી સમ્યક થાય નહી.
Page #79
--------------------------------------------------------------------------
________________
૧૭
પ્રાપ્ત થાય છે. એવી શક્તિવાળા મહાત્મા જાહેરમાં આવતા નથી; તેમ બતાવતા પશુ નથી. જે કહે છે તેની પાસે તેવું હતું નથી. જોગી, વૈરાગી એવા મિથ્યાલીને પ્રાપ્ત થતી નથી. તેમાં પણ અનંત પ્રકાર હાર્ટને સહેજ અપવાદ છે.
૧૫૪ પ્ર. લબ્ધિ, સિદ્ધિના જ્ઞાનીને કેમ તિરસ્કાર હોય છે ?
ઉ. લબ્ધિક્ષેાભકારી અને ચારિત્રને શિથિલ કરનારી છે. લબ્ધિ આદિ માર્ગેથી પડવાનાં કારણેા છે. તેથી કરી જ્ઞાનીને તેના તિરસ્કાર હાય છે.
૧૫૫ પ્ર. સિદ્ધિવાળા પુરુષા રાગાદિ મટાડી શકે છે?
ઉ. હા, એવી સિદ્ધિવાળા પુરુષ। અશાતાની શાતા કરી શકે છે. તેમ છતાં એની અપેક્ષા કરતા નથી. તે વેવામાં જ નિર્જરા સમજે છે. ગમે તટલી વિપત્તિએ પડે, તથાપિ નાની દ્વારા સાંસારિક ફળની ઈચ્છા કરવી મેગ્ય નથી.
૧૫૬ પ્ર. સિદ્ધિ આપણને કેમ પ્રાપ્ત નથી ?
ઉ. તે પ્રાપ્ત થતી નથી. તેનુ કારણ આત્મા નિરાવરણ નથી કરી શકતા એ છે. ચૈતન્યમાં ચમત્કાર જોઇએ, તેના શુદ્ધ રસ પ્રગટવા જોઇએ. આત્માની યાગ્યતા વગર એ શક્તિ આવતી નથી.. આત્માએ પાતાના અધિકાર વધારવાથી તે આવે છે.
૧૫૭ પ્ર. દેવતા મદદ કરે ?
ઉ. પરમ સત્ રખાતું હોય તા તેવા વિશિષ્ટ પ્રસ ંગે સમ્યક્દષ્ટિ દેવતા સારસંભાળ કરે; પ્રગટ પણ આવે. બહુ જૂજ પ્રસંગમાં યાગી કે તેવી વિશિષ્ટ શક્તિવાળા તેવા પ્રસંગે સહાય કરે,
-૧પ૮ પ્ર. જાતિસ્મરણુજ્ઞાન શું છે ?
ઉ. જાતિસ્મરણજ્ઞાન એ જાતિજ્ઞાનના “ધારણા” નામના ભેદમાં સમાય છે. તે પાછલા ભવ જાણી શકે છે. તે જ્યાં સુધી પાા ભવમાં અસનીપણું ન આવ્યું હેાય ત્યાં સુધી આગળ ચાલી શકે છે.
વિષયાર'ભ નિવૃત્તિ, રાજદ્વેષના અભાવ જ્યાં થાય; સહિત સમ્યક્દન, શુદ્ધચરણ ત્યાં સમાધિ સુખદાય.
Page #80
--------------------------------------------------------------------------
________________
૫૮
૧૫૯ પ્ર. જાતિસ્મરણુજ્ઞાન આ કાળમાં હોય ?
ઉ. આ કાળમાં પણ કાઈ કાઈ મહાત્માએ ગતભવને જાતિસ્મરણુજ્ઞાન. વડે જાણી શકે છે, જે જાણવુ કલ્પિત નહિ પણ સમ્યક્ હાય છે.. ૧૬૦ પ્ર. જાતિસ્મરણુજ્ઞાન તા પછી બધાને કેમ થતું નથી ?
. જેમ બાલ્યાવસ્થાને વિષે જે કાંઇ જોયુ હોય અથવા અનુભવ્યું હાય તેનુ સ્મરણુ વૃદ્ધાવસ્થામાં કેટલાંકને થાય ને કેટલાકને ન થાય, તેમ પૂર્વભવનું ભાન કેટલાકને રહે ને કેટલાકને ન રહે. પૂર્વ દેહ છેડતાં મૃત્યુ આદિ વેદનાના કારણને લઈને, બાહ્ય પદાર્થાને વિષે છવ વળગી રહી મરણ કરે છે અને નવા દેહ પામી તેમાં જ આસક્ત રહે છે; તથાપિ જેમ ગર્ભવાસ તથા બાલપણું સ્મૃતિમાં રહે નહિ તેથી કરીને તે નહોતાં એમ નથી. તેમ ઉપરનાં કારણાને લઈને પૂર્વ પર્યાય સ્મૃતિમાં રહે નહિ તેથી કરીને તે નહોતા એમ કહેવાય નહિ. જ્ઞાનીઓને જાતિસ્મરણુજ્ઞાન વૈરાગ્યવૃદ્ધિનું કારણ થઈ જાય છે. બધા તીર્થંકર ભગવાનાને વૈરાગ્ય થતાં જાતિસ્મરણુજ્ઞાન હોવું તે સહજ નિયમ છે. ૧૬૧ પ્ર. જાતિસ્મરણનાનવાન પાછળને ભવ કેવી રીતે દેખે છે?
ઉ. નાનપણે કાઈ ગામ, વસ્તુ આદિ જોયાં હોય અને માટપણે કાઈ પ્રસંગે તે ગામાદિનું આત્મામાં સ્મરણ થાય છે, તે પ્રમાણે. જાતિસ્મરણનાનવાનને પૂર્વભવનું ભાન થાય છે. કાઈને આ સ્મૃતિ થેાડા વખત માટે રહે તા કાઇને લાંખા વખત રહે છે. શ્રીમદ્ રાજચંદ્રે પૂના કાઈ ભવમાં દિગંબર દીક્ષા પાળી હતી. એમ કહેવાય છે. તે ભવમાં પણ એમનું નામ રાજચંદ્ર હતું.
આ ભવમાં પહેલાં તા તેમનું નામ ખીજું આપ્યું હતું. (લક્ષ્મીચંદ કે અભેચંદ), પણ પેાતે જ ત્રણ ચાર વર્ષના થયા ત્યારથી પેાતાનું નામ રાયચંદ રખાવ્યુ, અને લેખ વગેરેમાં ‘રાજચંદ્ર' લખતા તેથી “શ્રીમદ્ રાજચંદ્ર” નામ કાયમ થયું.
કાઠિયાવાડના એક યાગી વૈજનાથે કહેલું કે શ્રીમદ્ રાજચંદ્ર
સર્વ જીવ પ્રત્યે, સ` ભાવ પ્રત્યે અખંડ એકસ વીતરગઢશા રાખવી એ જ સર્વ જ્ઞાનનું ફળ છે.
Page #81
--------------------------------------------------------------------------
________________
પૂર્વભવમાં નેપાળમાં રાજકુમાર હતા. તે વિષે શ્રીમદ્ રાજચંદ્ર કહ્યું હતું કે “એમણે મિથ્યા કહ્યું નથી.” વૈજનાથને આત્મસાક્ષાત્કાર નહોતો પણ તેઓ શ્વાસોચ્છવાસ રોતા તેથી એમનું મન નિર્મળ હતું, તેથી પોતાના અને બીજાના ભવ
જાણી શકતા. ૧૬૨ પ્ર. જાતિસ્મરણજ્ઞાન થયું છે અથવા તેને અનુભવ યથાશ્ય થયો છે,
એ શા ઉપરથી સમજાય ? ઉ. અમુક દેશમાં અમુક ગામ, અમુક ઘેર પૂર્વે દેહ ધારણ .
હોય અને તેનાં ચિહ્નો બીજા જીવને જણાવવાથી તે દેશાદિનું અથવા તેના નિશાનાદિનું કંઈપણ વિદ્યમાનપણું હોય તે બીજા જીવને પણ પ્રતીતિને હેતુ સંભવે છે; અથવા જાતિસ્મૃતિજ્ઞાનવાન કરતાં જેનું વિશેષ જ્ઞાન છે તે જાણે; અથવા જેને જાતિસ્મૃતિજ્ઞાન છે, તે પુરુષના (અથવા સ્ત્રીના) સંબંધમાં કોઈ જીવ પૂર્વ ભવે આવ્યો છે, વિશેષ કરીને આવે છે તેને સંબંધ જણાવતા કઈ
પણ સ્મૃતિ થાય છે તેવા જીવને પણ પ્રતીતિ આવે. ૧૬૩ પ્ર. પુનર્જન્મ જાણી શકાય છે ? ઉ. જે પુરુષે ગધ્યાનાદિકના અભ્યાસબળ વડે સ્થિત હોય તેમાંના
ઘણું પુરુષે ભવાંતર જાણી શકે છે અને એમ બનવું એ કાંઈ કલ્પિત પ્રકાર નથી. જે પુરુષને આત્માનું નિશ્ચયાત્મક જ્ઞાન છે, તેને ભવાંતરનું જ્ઞાન ઘટે છે, હોય છે. કવચિત જ્ઞાનના તારતમ્ય લયોપશમ ભેદે તેમ નથી પણ હતું; તથાપિ જેને આત્માનું પૂર્ણ શુદ્ધપણું વર્તે છે, તે પુરુષ તે નિશ્ચય તે જ્ઞાનને જાણે છે, ભવાંતરને જાણે છે, આત્મા નિત્ય , અનુભવરૂપ છે, વસ્તુ છે.
ભગવતી સૂત્રમાં ભવાંતરનું વર્ણન કર્યું છે. ૧૬૪ પ્ર. આગળ ઉપર કર્યો જન્મ થશે તેની આ ભવમાં ખબર પડે ? અથવા
અગાઉ શું હતા તેની ?
ઊપજે ન આત્મા કેઈથી તેથી ન આમાં કાર્ય છે, ઉપજાવતું નથી કેઈને તેથી ન કારણ પણ કરે.
Page #82
--------------------------------------------------------------------------
________________
૬૦
[, ઉ. તેમ બની શકે. નિર્મળજ્ઞાન જેનું થયું હોય તેને તેવું બનવું
સંભવ છે. વાદળાં વગેરેનાં ચિહ્નો પરથી વરસાદનું અનુમાન થાય છે, તેમ આ જીવની આ ભવની ચેષ્ટા પરથી તેનાં પૂર્વ કારણ કેવાં હોવાં જોઈએ તે પણ સમજી શકાય; ડે અંશે વખતે સમજાય. તેમ જ તે ચેષ્ટા ભવિષ્યમાં કેવું પરિણામ પામશે તે પણ તેના સ્વરૂપ ઉપરથી જાણી શકાય; અને તેને વિષે વિચારતાં કે ભવ થે સંભવે છે, તેમજ કે ભવ હતા, તે પણ વિચારમાં સારી રીતે આવી શકવા યોગ્ય છે.
રાગદ્વેષ તે પાપ છે જ, પરંતુ તવ વિષે મિથ્યા અભિપ્રાય મહાપાપ છે.
Page #83
--------------------------------------------------------------------------
________________
શલાકા પુરુષ, ઈશ્વર, અરિહંત કેવળી.
૧૬૫ પ્ર. ઈશ્વર શું છે ? વેદાંતને માન્ય માયિંક ઈશ્વરનું અસ્તિત્વ છે ? ઉ. ના, કેઈ વિશેષ સત્તાવાળે પદાર્થ ઈશ્વર છે એમ નથી. જીવનું
સહજ સ્વરૂપ એટલે કર્મ રહિતપણે જે સ્વરૂપ છે તે ઈશ્વરપણું છે, તે ઈશ્વર કહેવા યોગ્ય છે. ઈશ્વર તે આત્માનું પર્યાયિક નામ છે.
દરેક જીવ પરમાત્માસ્વરૂપ છે, ૧૬ ૬ પ્ર. શું ઈશ્વરે જગત (વિશ્વ) બનાવ્યું એ ખરું છે ? ઉ. ના, અસ્તિત્વ ગુણના કારણે વિશ્વ એટલે અનંત જીવ, પુદ્ગલ
વગેરે એ દ્રવ્ય સ્વયંસિદ્ધ અનાદિ અનંત છે, તેથી તેને કોઈએ બનાવ્યું નથી. “જગતકર્તા ઇશ્વર નથી' એમ ભગવાને (તીર્થ કરે)
કેવળજ્ઞાનમાં જઈને કહ્યું છે. ૧૬૭ પ્ર, કઇ જગતની રક્ષા કરે છે ?
ઉ. ના, દરેક વસ્તુ પિતાની અનંત શક્તિથી સ્વયં રક્ષિત છે. દરેક
દ્રવ્યમાં અસ્તિત્વ ગુણ હોવાથી પોતાની રક્ષા (હયાતી) માટે
બીજા કોઈની જરૂર પડતી નથી. ૧૬૮ પ્ર. કઈ જગતને સંહાર (નાશ કરે છે ?
ઉ. ના, અસ્તિત્વ ગુણના કારણે કોઈ દ્રવ્યને કદી નાશ થતો નથી. પિત જ સદાય પોતાના નવા નવા પર્યાયે (અવસ્થાઓ) ઉત્પન્ન કરે છે અને પૂર્વ અવસ્થાઓને નાશ કરે છે, અર્થાત નિરંતર
બદલે છે. અને દ્રવ્યપણે નિત્ય ટકી રહે છે. ૧૬૯ છે. જગતના કર્તા કોઈને માનવા જતાં કયા કયા પ્રશ્નો ઉપસ્થિત
થાય ? ઉ. જગત રચવાની પરમેશ્વરને આવશ્યક્તા શી હતી ? રચ્યું તે સુખદુઃખ,
Page #84
--------------------------------------------------------------------------
________________
૬૨
મૂકવાનું કારણ શું હતું ? રચીને મોત શા માટે મૂક્યું ? એ લીલા બતાવવી કેને હતી? રચ્યું તે ક્યાં કર્મથી રચ્યું ? તે પહેલાં રચવાની ઈચ્છા કાં નહોતી ? ઈશ્વર કેણ? જગતના પદાર્થ કોણ અને ઈચ્છા કોણ? રચ્યું તો જગતમાં એક જ ધર્મનું પ્રવર્તન રાખવું હતું; આમ ભ્રમણમાં નાખવાની આવશ્યકતા શી હતી ? કદાપિ એ બધું માને કે એ બિચારાની ભૂલ થઈ હશે! ક્ષમા કરીએ, પણ એવું દોઢડહાપણ ક્યાંથી સૂઝયું કે એને જ મૂળથી ઉખેડનાર એવા મહાવીર જેવા પુરુષોને જન્મ આપ્ય? એના કહેલા દર્શનને જગતમાં વિદ્યમાનતા આપી પિતાના પગ પર હાથે કરીને
કુહાડો મારવાની એને શી આવશ્યક્તા હતી ? ૧૭૦ પ્ર. કૃષ્ણ અને રામ ઇશ્વરના અવતાર હતા ? ઉ. ના. કેઈ જીવ ઈશ્વરને અંશ કે અવતાર નથી. સર્વ શુદ્ધ
આત્માઓ ઈશ્વર સમાન જ છે. ૧૭૧ પ્ર. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર કોણ છે ? ઉ. પુરાણોમાં જે પ્રકારે તેમનું સ્વરૂપ કહ્યું છે તે પ્રકારે એમ માનવામાં
આવતું નથી કેમ કે તેમાં કેટલાંક ઉપદેશાથે રૂપક કહ્યાં હોય એમ
પણ લાગે છે. ૧૭૨ પ્ર. વેદાંત અને હિંદુ ધર્મમાં પુરુષ અને પ્રકૃતિ વિષે બહુ મહિમા છે
અને ઘણી ચર્ચા આવે છે, તે તે પુરુષ અને પ્રકૃતિ કોણ છે? તે
શું જગતના કર્તા છે ? ઉ. જે ચિતન્યને એક જાતિરૂપથી દેખીએ અને અનંત આત્માઓને
એક ચિતન્ય નામથી બોલાવીએ અથવા ઓળખાએ તે બધા આત્માઓ એક છે તેમ કહી શકાય અને તે જ ઈશ્વર, બ્રહ્મા અથવા પુરુષ છે. અને કર્મ અથવા કર્મફલરૂપ વિસ્તાર પ્રકૃતિ છે. આમ પુરુષ અને પ્રકૃતિ મળીને વિશ્વના શ્રેષ્ટા છે તેમ એક અપેક્ષાથી
કહી શકાય. ૧૭૩ પ્ર. જૈનમનમાં શલાકાપુરુષ કોને કહે છે?
એક તરફથી ચૌદ રાજલોકનું સુખ હોય અને બીજી તરફ સિદ્ધના એક પ્રદેશનું સુખ હોય તે પણ સિદ્ધના એક પ્રદેશનું સુખ અનંતું થઈ જાય,
Page #85
--------------------------------------------------------------------------
________________
૬૩
ઉ. દરેક અવર્પિણીમાં અને દરેક ઉત્સર્પિણીમાં અમુક વિશિષ્ટ શક્તિ અને પ્રભાવવાળા ૬૩ શલાકાપુરુષે થાય છે.
૧૭૪ પ્ર. ૬૩ શલાકાપુરુષ ગણાવે.
ઉ, ચાવીસ તીર્થંકર, ખાર ચક્રવતી રાજા, નવ વાસુદેવ અથવા અર્ધચક્રી, નવ બળદેવ (વાસુદેવના મેાટાભાઇ), નવ પ્રતિવાસુદેવ એમ કુલ ૬૩ શલાકાપુરુષ.
૧૭૫ પ્ર. શલાકા એટલે ?
ઉ. શલાકા એટલે શ્લાધ્ય - પ્રખ્યાત.
૧૭૬ પ્ર. પ્રત્યેક ચેાવીશીમાં શલાકાપુરુષે કેટલા થાય ?
ઉ. ત્રેસઠ,
૧૭૭ પ્ર. ૧૨ ચક્રવતી એનાં નામ આપે, અને તેઓના વૈભવ કહેા. ૩. (૧) ભરત, (૨) સાગર, (૩) મધવ, (૪) સનતકુમાર, (૫) શાંતિનાથ, (૬) કુંથુરાજા, (૭) અરનાથ, (૮) સુભ્રમ, (૯) મહાપધ, (૧૦) હરિષેણુ, (૧૧) જય, (૧૨) બ્રહ્મદત્ત. આ પૈકી શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ, તીર્થકર અને કામદેવ પણ હતા.
ચક્રવતી એટલે છ ખ`ડના અધિપતિ, ભરત ખંડના ભાર ચક્રવર્તી પૈકી ઉપરના દસ ત્યાગી થઈ મેાક્ષે ગયા હતા અને આઠમા સુભ્રમ અને બારમા બ્રહ્મદત્ત એ બન્ને ભાગે ભેગવી નરકતિ પામ્યા હતા.
ચક્રવર્તી છ ખંડના ધણી, ૯૬ કરોડના પાયદળના સ્વામી, ૮૪ લાખ હાથીએાના માલિક, ૯૬૦૦૦ રાણીએ અને ૧૪ રત્ના તથા નવ નિધાનના ભાક્તા હેાવા ઉપરાંત પેાતાનું રૂપ વિધ્રુવી (વૈક્રિયક શરીર રચવાની ઋદ્ધિ) કરવાની શક્તિવાળા હોય છે. દેવ નિમિ ત રત્નમણિના પાંચ માટા મહેલ હોય છે. (જુએ પ્રશ્ન. ૧૩૨૮)
૧૭૮ પ્ર. ચક્રવર્તીનાં ચૌદ કયાં ક્યાં રત્ના છે?
ઉ. (૧) ચક્ર રત્ન, (૨) છત્ર રત્ન, (૩) દંડ રત્ન, (૪) ધર્મ રત્ન, (૫) કાકણ્ય રત્ન, (૬) મણિ રત્ન, (૭) ખડ્ગ રત્ન, (૮) હસ્તિ
ગ્રહે અરૂપી રૂપીને, એ અચરજની વાત. જીત્ર બંધન જાણે નહીં, કેવા જિન સિદ્ધાંત !’
Page #86
--------------------------------------------------------------------------
________________
૪
રત્ન, (૯) અશ્વ રત્ન, (૧૦) પુરાહિત રત્ન, (૧૧) સેનાપતિ રત્ન, (૧૨) ગાથાપતિ રત્ન, (૧૩) વાધિક રત્ન, (૧૪) શ્રી રત્ન. ૧૦૯ પ્ર. ચક્રવર્તી નાં નવ નિધાન કાને કહે છે ?
ઉ. સમાન્ય નવ વિધાનનાં નામ :
૧. મહા પદ્મ, ૨. પદ્મ, ૩. શંખ, ૪, મકર, પ. કચ્છપ, ૬. મુકુંદ, ૭. કું, ૮. નીલ, અને ૯. ચર્ચીસ (ચર્ચા). જૈનમાન્ય નવનિધાન અને એના અર્થ આ પ્રમાણે છે : ૧. નસર્પ -ગામ-નગર આદિના વ્યવહાર જેનાથી થાય તે. ૨. પાંડુક——નાણાં અને મેય દ્રવ્યાના વ્યવહાર જેનાથી થાય તે. ૩. પિંગલક——પુરુષ, સ્ત્રી, અશ્વ, હસ્તી વગેરેના આભરણ વિધિના વ્યવહાર જેનાથી થાય ત.
૪. સરન-ચક્રવતી નાં ૧૪ અન્ય ઐન્દ્રિયાદિ રત્નની ઉત્પત્તિ જેનાથી થાય તે.
૫. મહાપદ્મ—શ્વેત અને રંગીન વસ્ત્રોની ઉત્પત્તિ જેનાથી થાય તે. ૬. કાળ—વમાન આદિ ત્રણ કાળનું અને બધી કળાઓનુ જ્ઞાન જેનાથી થાય તે.
૭. મહાકાળ—લેહ આદિ સમગ્ર ધાતુએ તથા સ્ફાટિક, મણિ વગેરેની ઉત્પત્તિ જેનાથી થાય તે.
૮. માણવાયુદ્ધનીતિ અને ક્રૂડ નીતિ તથા ચેોધ, આયુધ વગેરેની ઉત્પત્તિ જેનાથી થાય તે.
૯. શંખ—સંગીત, નૃત્ય અને વાદ્યોની ઉત્પત્તિ જેનાથી થાય તે. ૧૮૦ પ્ર. પ્રત્યેકબુદ્દ” કે “સહસ ંબુદ્દ” કાને કહે છે ?
ઉ. કલિંગદેશને કરકંડુ રાજા, પાંચાલનો દ્વિમુખરાજા, વિદેહના નમી રાજા, અને ગાંધારદેશના નતિરાજા : એ ચાર રાજાએ પ્રત્યેકબુદ્ધ” કે “સહસંબુદ્ધ” કહેવાય છે. પ્રત્યેકબુદ્ધ એટલે ગુરુ વગેરેના ઉપદેશ વિના કે તપશ્ચર્યાદિ પૂર્વસાધના વિના જેમને પેાતાના જીવનના કેાઈ તીવ્ર પ્રસંગે અયાનક જ્ઞાન થઈ જાય તે સ્વયં બુદ્ધ.’
સંસારમાં રહેવું અને મેાક્ષ થવા કહેવું એ બનવુ. અમુલભ છે.
Page #87
--------------------------------------------------------------------------
________________
પ
૧૮૧ પ્ર. ચક્રવર્તી મરીને કઈ ગતિમાં જાય ? ઉ. જે ચક્રવર્તી સંયમ ગ્રહણ કરે તે મેશે અથવા દેવલેકે જાય
નહિતર નરકે જાય. આયુષ્યને બંધ પડ્યા પહેલાં દીક્ષિત થાય તે મોક્ષે જાય અને આયુષ્યને બંધ પડયા પછી દીક્ષિત થાય તે સ્વર્ગ જાય. અને જો એ પ્રમાણે દીક્ષિત ન થાય તે, નરકમાં જાય. છ ખંડ એના એ છે, પણ તેઓ છ ખંડના કારણે નરકે ગયા નથી, પણ મમત્વના કારણે ગયા છે. ચક્રવતીંઓ પંચેન્દ્રિય પ્રાણીઓને વધ કેટલે બધે કરે ? એમને પરિગ્રહ કેટલે મોટે ? એમના છ ખંડના રાજ્યમાં મહાઆરંભનાં કાર્યો કેટલાં બધાં ? આ બધું હોવા છતાં તેઓ જ્ઞાનને પ્રમાણુ બનાવીને ત્યાગી બને તે નરકે ન જ જાય. મહાપરિગ્રહ હોવા છતાં અંદરમાં મૂછભાવવાળે રસ, આસકિત, ધણીપણું નહિ હોવાથી નરકે જતા
બચી શક્યા છે. ૧૮૨ પ્ર. વાસુદેવ મરીને કઈ ગતિમાં જાય ? ઉ. નરકે જાય. તેને તીર્થકરને વેગ થવા છતાં નરકે જાય, અને ત્યાં
પસ્તાય અને તેથી જતિસ્મરણ જ્ઞાન થાય. ૧૮૩ પ્ર. બળદેવ મરીને ક્યાં જાય ? ઉ. વાસુદેવના મરણથી વૈરાગ્ય પામી બળદેવ અવશ્ય દીક્ષા લઈ મોક્ષે
અથવા દેવલેકે જાય છે. ૧૮૪ પ્ર. પ્રતિવાસુદેવ કેને હાથે હણાય ?
ઉ. વાસુદેવ અને પ્રતિવાસુદેવ વચ્ચે અવશ્ય યુદ્ધ થાય, અને પ્રતિ
- વાસુદેવને હણી વાસુદેવ તેણે જીતેલા ત્રણે ખંડ જીતી લે. ૧૮૫ પ્ર. પ્રતિવાસુદેવ મરીને કઈ ગતિમાં જાય છે ? ઉ. વાસુદેવ અને પ્રતિવાસુદેવ સમ્યફત્યાગી બની શકે જ નહિ. મરીને
તેઓ નરકે જ જાય, કારણ કે નિયાણાનું એવું બંધન લઈને આવ્યા હોય છે. પૂર્વે સમક્તિ હતું, પણ જ્ઞાન, દર્શન, ચારિત્રનું ફળ માંગી લીધું. પ્રાપ્ત થયેલ વસ્તુને સંસાર લક્ષે ખોઈ નાખે
આ ભૂમિકા ઉપાધિની શેભાનું સંગ્રહસ્થાન છે.
Page #88
--------------------------------------------------------------------------
________________
અને સંસાર ભેગવવા માટે એવું બળ માગે કે તેથી પૂર્વ પુણ્યના યોગે તેવી સામગ્રી મળી જાય. પણ તે સામગ્રી અને તેને ભેગવવાનું બળ, અર્થાત વિય, એ સામગ્રીમાં એવું એકાકાર થઈ જાય કે મરીને જીવને નરકે જ લઈ જાય. પરિગ્રહની મૂઈ એ પાપનું
મૂળ છે. ૧૮૬ પ્ર. અરિહંત ભગવાનનું વર્ણન શાસ્ત્રમાં કેવી રીતે કરવામાં આવે છે ઉ. અરિહંત ભગવાન ૧૨ ગુણ, ૩૪ અતિશય, ૮ પ્રતિકાર્ય અને
૩૫ વાણીના ગુણે કરીને સહિત અને ૧૮ દેષરહિત હોય છે. અરિહંત પુરુષની દારિક કાયા વ્યાધિ, વૃદ્ધાવસ્થા અને દુઃખ વિનાની હોય; આહાર અને નિહાર તેમને હોતા નથી; મળમૂત્રથી રહિત હોય છે. કલેષ્મ, ઘૂંક, પ્રસ્વેદ વગેરેની દુર્ગધને દોષ તેમને હેતે નથી. એક હજાર અને આઠ ઉત્તમ લક્ષણથી સંપન્ન હોય છે. અરિહંત ભગવાનને સમગ્ર દેહ અતિશય સુગંધી અને નિર્મળ હોય છે. કેવળજ્ઞાન થયા બાદ ભગવાન જમીનથી ઉપર (પાંચ
હજાર ધનુષ ઉપર) વિચરણ કરે છે, જમીન ઉપર નહીં. ૧૮૭ પ્ર. અરિહંત ભગવાનના અમુક અમુક મુખ્ય અતિશયો કેવા હોય છે
તે કહો ? ઉ. દશ અતિશય જન્મથી પ્રકટ હોય છે, જેવા કે, મળમૂત્રને અભાવ,
પરસેવાને અભાવ, રુધિર વેત હોય, અદ્દભૂત અનુપમ મહારૂપ, સુગંધી શરીર, અનંત બળ, પ્રિય, મધુર વચન વગેરે. ઈન્દ્ર અંગૂઠામાં અમૃત સ્થાપ્યું તેથી અંગૂઠા ધાવીને ઊછેરે છે. માતાના
સ્તનનું દૂધ ધાવતા નથી. (તીર્થકરની માતાને ગર્ભાવસ્થાથી જન્મકાળ સુધી કોઈ પીડા થતી નથી. છ મહિના પહેલાંથી સફાઈ થાય છે પછી ભગવાન પેટમાં પધારે છે. તીર્થકરને આત્મા જન્મે ત્યારે ઈંદ્ર અને ઈંદ્રાણી હજાર નેત્રે કરીને તેમને નિહાળે તે પણ ધરાય નહીં અને ભક્તિથી તાંડવ નૃત્ય કરે. ઈંદ્ર ક્ષાયિક સમકિતી છે, વળી ઈંદ્ર અને ઈંદ્રાણી બનને એકાવતારી છે તે પણ તીર્થકર ભગવાન પ્રતિ એ ભક્તિભાવ ઉછળે છે. સમકિતને પણ એ વ્યવહાર હોય છે.
આત્મા ને સબ્રુસ એક જ સમજવા.
Page #89
--------------------------------------------------------------------------
________________
૬૭
દશ અતિશય કેવળજ્ઞાન ઉપજતાં હોય છે, જેવાં કે સા, સા યેાજન સુધીમાં દુકાળ ન પડે તે સુભિક્ષતા, કાઈ પ્રાણીની ધાત થતી નથી, ભાજનના અભાવ, સર્વ વિદ્યાઓના સ્વામી, શરીરના પડછાયાના અભાવ, નેત્રથી પાંપણેાના હલનચલનને અભાવ, જમીનના સ્પર્શ કરે નહિ અને આકાશગમન કરે, નખ, કેશ વધવાનો અભાવ, ભગવાનના ચાર દિશામાં ચાર મુખ દેખાય, ઇત્યાદિ. દેવાએ ઉપાવેલા ચૌદ અતિશયા, જેવા કે, સને આનંદ, સર્વ ઋતુઓનાં ફૂલ ફલિત થાય, કંટક રહિત ૬ણુ સમાન ભૂમિ, પગલાં નીચે કમળની રચના, ધ ચક્ર આગળ ચાલે, આઠ મંગળદ્રવ્યો આગળ ચાલે. (આઠ મંગળદ્રવ્યો : છત્ર, ધ્વજા, દર્પણું, કલશ, ચામર, ભૃંગાર, તાલ, સુપ્રતીચ્છક)
૧૮૮ પ્ર. આઠ પ્રતિહાય નાં નામ આપે ?
ઉ. અશોકવૃક્ષ, પુષ્પવૃષ્ટિ, વ્યિ ધ્વનિ, ચામર, સિંહાસન ભામંડળ, દુંદુભિવાજિંત્ર અને છત્ર
૧૮૯ પ્ર. તીર્થંકરના પ્રભામડળમાં જોનારને પેાતાના સાત ભવેા દેખાય છે તેમ કહે છે તે શું સાચું છે?
ઉ. હા; તીર્થંકર ભગવાનના પ્રભામ`ડળમાં ભવ્ય જીવને પાત-પેાતાના સાત-સાત ભવ દેખાય છે. તે સાત ભવામાં ત્રણ ભૂતકાળના, ત્રણ ભવિષ્યકાળના અને એક વમાન ભવ દેખાય છે. “ભામંડળકી વ્રુતિ જગમગાત, વિ દેખત નિજ-ભવ સાત- સાત.”
૧૯૦ `પ્ર. ત્રિલેાકપૂજ્ય તીર્થંકરની જન્મદાત્રી માતાનુ ઈન્દ્ર પણ આવીને બહુમાન કરે છે પણ તેના મેાક્ષ કયારે થાય ?
ઉ. તી કર ભગવાનને જન્મ દેનારી માતા પણ અલ્પકાળમાં (ત્રીજા ભવે) મેાક્ષ પ્રાપ્ત કરે છે.
૧૯૧ પ્ર. આ લેાકમાં આ કાળે કાઈ પ્રદેશમાં તીર્થંકર વિચરે છે? ઉ. વર્તમાનકાળમાં મહાવિદેહક્ષેત્રમાં વીશ તી કરા વિચરે છે.
જિનલ થી રહિત થઈ, મને ચક્રવતિ પણું પણ સ્વીકા નથી, પણ જિનધમ માં રહીને અનેક પ્રતિકૂળતાવાળુ રિદ્ર જીવન પણ કમૂલ છે.
Page #90
--------------------------------------------------------------------------
________________
૧
૧૯ર પ્ર. મહાવિદેહમાં ઉત્કૃષ્ટ અને જઘન્ય પદે કેટલા તીર્થકર હોય ?
ઉ. જ્યારે ભારત અને ઈરવત ક્ષેત્રમાં તીર્થકર ન હોય અને પંચ ' મહાવિદેહમાં ઉત્કૃષ્ટ હોય તો ૧૬૦ હોય, અને જઘન્યપદે હોય
તે ૨૦ તીર્થકર હોય જેમ અત્યારે છે. અર્થાત ઓછામાં ઓછા ૨૦ તીર્થકરેથી તો ઓછા અને વધારેમાં વધારે ૧૬૦ તીર્થકરથી, વધારે ભવિષ્યમાં કદી પણ થશે નહિ. એમ અનંતા તીર્થકર. ભૂતકાળમાં થઈ ગયા. ૨૦ વર્તમાનકાળમાં છે અને અનંતા તીર્થકર ભવિષ્યકાળમાં થશે. મહાવિદેહક્ષેત્ર તીર્થકર વગર ન હોય. મહા
વિદેહક્ષેત્રમાં ચોથા આરા જેવી રચના સદૈવ હોય છે. ૧૯૩ પ્ર. જ્યાં સીમંધર ભગવાન વિરાજે છે, તે ક્ષેત્રનું નામ વિદેહ ક્ષેત્ર કેમ
પડયું ? ઉ. અધિક સંખ્યામાં મુનિ ત્યાંથી વિગતદેહ એટલે દેહરહિત થઈ
મોક્ષ પ્રાપ્ત કરે છે, એટલે તેને વિદેહ ક્ષેત્ર કહે છે. ૧૯૪ પ્ર. મહાવિદેહમાં વિદ્યમાન તીર્થકરે કયારે થયા અને તેમનું આયુષ્ય.
ઉ. ભરતક્ષેત્રના સત્તરમા તીર્થકર શ્રી કુંથુનાથજીના નિર્વાણ થયા
બાદ એક જ સમયમાં થયા અને વીસમા તીર્થકર શ્રી મુનિસુવ્રતજીના નિર્વાણ બાદ વીશે તીર્થકરોએ એકી સાથે દીક્ષા અંગીકાર કરી અને વીશેય એક મહિના સુધી છદ્મસ્થ રહીને કેવળજ્ઞાની થયા અને વીશેય ભવિષ્યકાળની વીશીના સાતમા તીર્થકર શ્રી ઉદયનાથજીને મોક્ષ ગયા બાદ એકી સાથે મોક્ષે જશે. અમુક મત પ્રમાણે તેઓ આવતી ચોવીશીના તેરમા તીર્થકરના વખતમાં મોક્ષ પધારશે. એ વિશેય વિહરમાન તીર્થકરનું દેહમાન ૫૦૦ ધનુષ્યનું અને આયુષ્ય ૮૪ લાખ પૂર્વનું છે. જેમાં ૮૩ લાખ પૂર્વ ગૃહવાસમાં રહ્યા અને લાખ પૂર્વ
સંયમ પાળી મોક્ષ પધારશે. ૧૯૫ પ્ર. તીર્થકરનું ઓછામાં ઓછું આયુષ્ય અને દેહમાન કેટલું હોય
અને વધારેમાં વધારે કેટલું હોય ?
અધમાઅધમ અધિક પતિત, સકળ જગતમાં હુયે, એ નિશ્ચય આવ્યા વિના, સાધન કશે શું?
Page #91
--------------------------------------------------------------------------
________________
ઉ. સર્વ તીર્થંકરાનુ જઘન્ય આયુષ્ય ૭૨ વર્ષનું, એથી આછું હાય જ નહિ. અને ઉત્કૃષ્ટુ આયુષ્ય ૮૪ લાખ પૂર્વનુ એથી વધારે પશુ ન જ થાય. સર્વે તીર્થંકરાનું દેહમાન જધન્ય છ હાથનું હાય છે, એથી એન્ડ્રુ ન જ હોય. ઉત્કૃષ્ટુ ૫૦૦ ધનુષ્યનું, એથી વધારે પણ ન થાય; અને એમ તેા તીથ કરી પોતપોતાની આંગળીના પ્રમાણથી ૧૦૮ આંગળ ઊ ંચા હોય છે.
૧૯૬ પ્ર. તીર્થંકરના શરીરને રંગ વે! હાય ?
ઉ.ભરતક્ષેત્રની અત્યારની ચાવીસીમાં, બે ભગવાનના શરીરના ગૌર વ, ખે ને! શ્યામ કર્યું, બે ના લીલા રંગ, બે ના રક્ત વ અને બાકીના સેાળ તીર્થંકરના સ્વર્ણ વ.
૧૯૭ પ્ર. તીર્થ “કરનું શરીર સર્વ રીતે પૂર્ણ, અધિકારી, સુસ્થિત, લાવણ્યમય ક્રમ હાય છે ? સામાન્ય માણુસનું શરીર આવું કેમ હોતું નથી ? ઉ. તી કર દેવને આત્મા પૂર્વભવમાં જ્યારે પવિત્ર શામાં આગળ વધી રહ્યો હોય ત્યારે એમના શુભભાવે એવા ઉત્કૃષ્ટ કાર્ટિના હાય છે કે જેથી અલૌકિક પુણ્યના બંધ તથા તીર્થંકર આદિ પુણ્ય પ્રકૃતિના ખંધ પડે છે, જેથી વર્તમાન ભવમાં તેમને લાવણ્યાદિ વિશેષતાવાળું શરીર પ્રાપ્ત થાય છે. તીર્થંકર ભગવાનના શરીરના રજકણુ-પરમાણુ–સ્ફટિક જેવા ઉજ્જવળ હોય છે. એમના શરીરના પ્રકાશ હજારા સૂર્યથી પણ અધિક હોય છે. શરીરના બધા અંશ અર્થાત્ અવયવ અતિ મનોહર હાય છે. શરીરનુ આવું સુંદરરૂપ પૂર્વ પુણ્યના કારણે હેાય છે. તને પરમ ઔદારિક શરીર કહે છે.
૧૯૮ પ્ર. તીર્થંકરને દીક્ષા અંગીકાર કરતાંની સાથે તપ અને સંયમના પ્રભાવથી -કેટલી રિદ્ધિએ સિદ્ધ થાય ?
ઉ. આઠ રિદ્ધિએ ઃ (૧) બુદ્ધિ રિદ્ધિ (જ્ઞાન રિદ્ધિ), (૨) ચારણક્રિયા રિદ્ધિ (જ્યાં ચાહે ત્યાં ગમન કરવાની શક્તિ), (૩) વિક્રિયા ઋદ્ધિ (શરીરનાં નાના પ્રકારના રૂપ બનાવી લેવાં તે), (૪) તપ ઋદ્ધિ
સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય, સત્ સાધન સમજ્યા નહી, ત્યાં બંધન શું જાય?
Page #92
--------------------------------------------------------------------------
________________
જેથી કઠિન તપ કરી શકાય તે), (૫) ખુલઋદ્ધિ (જેના વડે મન વચન કાયાનું બળ મનમાન્યું કરી શકાય), (૬) ઔષધિ ઋદ્ધિ (જેના પરસેવા અથવા શરીરની હવા સ્પર્શવાથી લેાકાના રાગ દૂર થઈ જાય તે), (૭) રસઋદ્ધિ (જેના બળથી લૂખું સૂકુ ભોજન પણ રસમય અને પૌષ્ટિક થઈ જાય), (૮) અક્ષીણુ મહાન. ઋદ્ધિ (જેના પ્રભાવથી ભોજનસામગ્રી અથવા સ્થાન વધી જાય). ૧૯૯ પ્ર. જિતેન્દ્ર ભગવાન જ્યારે તેરમા સયેગી કેવળી ગુણસ્થાને આવે ત્યારે તેમને અનંત ચતુષ્યની પ્રાપ્તિ થાય છે તે અનંત ચતુષ્ટય કયા ?
ઉ. (૧) અનંત દર્શન (૪) અનંત વી.
૦૭
(૨) અન ંત જ્ઞાન (૩) અનંત સુખ અને
૨૦૦ પ્ર. ભાગમાં વી શબ્દ વપરાય છે તે જ અર્થાંમાં શું આત્માની શક્તિ અથવા ગુણ તરીકે વીર્ય શબ્દ વપરાય છે ?
ઉ. ના; ભાગમાં વપરાય છે તે કામવી; મન, વચન, કાયાથી થતી પ્રત્યેક ક્રિયામાં વપરાય છે તે જોગવીય, અને સહજાનંદમાં–આત્મ ઉપયામાં વપરાય છે તે આત્મવીર્ય,
૨૦૧ પ્ર. કેવળી ભગવંત અથવા તીર્થંકર ભગવાનમાં શું તફાવત છે ? ૩. ખીજાના માર્ગ દશ નથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરે તે વળી ભગવંત કહેવાય છે અને કોઈની પણુ સહાય લીધા વગર સ્વશક્તિથી કેળજ્ઞાન પ્રાપ્ત કરે તે તીર્થંકર ભગવાન કહેવાય છે.
કેવળી અને તીર્થકર શક્તિમાં સમાન છે, પરંતુ તીથ કરે પૂર્વે તીર્થંકર નામકમ ઉપાજ્યું છે, તેથી વિશેષમાં ખાર ગુણુ અને અનેક અતિશય પ્રાપ્ત કરે છે.
૨૦૨ પ્ર. તીર્થંકર ભગવાન અને સિદ્ધ ભગવાન એક જ છે? તે બન્નેમાં
શું ભેદ છે?
ઉ. દરેક તીથ કરને આત્મા સિદ્ધ આત્મા છે પણ દરેક સિદ્ધ તે તીર્થંકર નથી. કેવળ તીર્થ (ધર્મ)ની સ્થાપના, પ્રવર્તીના, પ્રરૂપના
જીવન' મૂઢપણ ફરી ફરી ક્ષણે ક્ષણે, પ્રસગૅ-પ્રસગે વિચારવામાં જો સચેતપણુ' ન રાખવામાં આવ્યુ તે આવા જોગ બન્યા તે પણ વૃથા છે.
Page #93
--------------------------------------------------------------------------
________________
કરે છે તેને તીર્થકર કહેવાય. દરેક આત્મા જેને કેવળજ્ઞાન ઉપજે છે તે નિર્વાણ પામી સિદ્ધ થઈ બિરાજે છે. તીર્થકર નિર્વાણ પામીને
સિદ્ધ થાય છે. (જુઓ પ્રશ્ન ૯૮૬) ૨૦૩ પ્ર. તીર્થંકર પર્યટન કરીને શા માટે ઉપદેશ આપે છે? એ તે
નિરાગી છે ? ઉ. તીર્થકર નામકર્મ જે પૂર્વે બાંધ્યું છે તે વેવા માટે તેઓને
અવશ્ય તેમ કરવું પડે છે.
ત્રીજે ભવે એવી ભાવના કરે કે આ જીવો કર્મથી બળી રહ્યા છે
તેઓને હું તારું. એવી ભાવના કરવાથી જિનનામકર્મ બંધાય છે. ૨૦૪ પ્ર. કેવી ભાવના ભાવે તે તીર્થકર ગોત્ર અથવા તીર્થંકર પદ બાંધે? ઉ. પુણ્ય પ્રકૃતિમાં સર્વોત્તમ પ્રકૃતિ તીર્થંકર પ્રકૃતિ છે. સેળ કારણ
ભાવનાઓનું ફળ તીર્થંકરપણું છે. સોળ કારણભાવના જેને પ્રગટ થાય તે નિયમથી તીર્થંકર થઈને સંસાર સમુદ્ર અવશ્ય તરી જાય. એવો નિયમ છે. જે સેળ કારણ ભાવના ભાવે તે કુગતિમાં ન જાય.
સોળ કારણ ભાવનાઓ પ્રાપ્ત થાય પછી ત્રીજે ભવે નિર્વાણ થાય જ. ૨૦૫ પ્ર. સોળ કારણ ભાવનાઓ સમજાવો. ઉ. ૧. દર્શન વિશુદ્ધ ભાવના :- ત્રણ મૂઢતા, આઠ મદ, છ અનાયતન
અને શંકા, આકંક્ષા આદિ આઠ દેશો એ સમ્યફદર્શનને મલિન કરનારા કુલ પચીસ દે છે, તેને દૂરથી જ ત્યાગ કરે.
(જુઓ પ્રશ્ન-૧૨૯૩, ૧૨૯૫, ૧૨૯૭, ૧૩૦૦). ૨. વિનય ભાવના :- (જુઓ પ્રશ્ન-૧૨૯૬). ૩. નિર્દોષ (અતિચારરહિત) શીલ પાળવું. શીલ એટલે આત્માને
સ્વભાવ. તેને નાશ કરનારાં હિંસા આદિ પાંચ પાપ છે. તેમાં કામ સેવન સર્વ પાપને પુષ્ટ કરે છે. કામ અનંગ છે. એટલે એને અંગ નથી. એટલે મનમાં જન્મે છે. કામથી બોટ દપ એટલે
ગર્વ ઉપજે છે તેથી તેને કંદર્પ કહેવાય છે. ૪. જ્ઞાને પગ :- સંકલ્પ-વિકલ્પ સંસારમાં ડુબાડનારા છે તેથી
દરેક ક્ષણે જ્ઞાને પગમાં રહેવું.
જીવ સમયે સમયે મરે છે.
Page #94
--------------------------------------------------------------------------
________________
Gર.
૫. સંગ ભાવના :- સંસાર, શરીર અને ભેગ પ્રત્યે વૈરાગ્યરૂપ
સંવેગરૂપ ભાવના ચિંતવવી. ૬. દાન :- આત્માને ઘાત કરનારા લોભાદિ ચાર કષાયોને અભાવ
કરી આહાર, ઔષધ, જ્ઞાન અને અભયદાન એમ ચાર પ્રકારનાં
દાન આપવામાં પ્રવૃત્તિ કરવી. ૭. તપ :-અંતરંગ અને બહિરંગ પરિગ્રહ તજીને સમસ્ત ઈચ્છાઓને
અભાવ કરી તપ કરવું. ૮. સમાધિ - રાગાદિ દે દૂર કરી વીતરાગરૂપ સમાધિ કરવી.
૯. વૈયાવૃત્ય :- દશ પ્રકારે વૈયાવૃત્ય કરવી. ૧૦. અહંત ભક્તિ કરવી. ૧૧. આચાર્ય ભક્તિ કરવી. ૧૨. ઉપાધ્યાય પરમેષ્ઠી પ્રત્યે બહુભક્તિ ધારણ કરવી તે બહુશ્રુત ભક્તિ છે. ૧૩. આગમનું શ્રવણ, પઠન, પ્રવર્તનમાં ચિંતવનરૂપ ભક્તિ વડે પ્રવર્તવું
તે પ્રવચન ભક્તિ છે. ૧૪, છ આવશ્યક. (જુએ પ્રશ્ન-૧૦૭૫) ૧૫. પ્રભાવના - જિનમાર્ગની પ્રભાવનામાં નિત્ય પ્રવર્તન કરવું. ૧૬. વાત્સલ્ય ભાવના - આ વાત્સલ્ય અંગ સમસ્ત અંગમાં પ્રધાન છે.
દુર્ધર મોહ તથા માનને નાશ કરનાર છે. વાત્સલ્ય ગુણધારકને દેવ નમસ્કાર કરે છે. તેને અનેક ઋદ્ધિ, સિદ્ધિ, લબ્ધિઓ પ્રગટે છે. યશ પામ, ધન કમાવું, ધર્મ પામવો વગેરે આ ભવનાં
કાર્ય પણ વાત્સલ્ય વડે જ બને છે. ૨૦૬ પ્ર. તીર્થકર આવી ગર્ભમાં ઉપજે અથવા જન્મે ત્યારે અથવા ત્યાર
પછી દેવતાઓ જાણે કે આ તીર્થકર છે? અને જાણે તો શી રીતે ? ઉ. સમ્યકજ્ઞાન જેને પ્રાપ્ત થયું છે એવા દેવતાઓ “અવધિજ્ઞાનથી”
તીર્થકરને જાણે, બધા ન જાણે. જે પ્રકૃતિઓ જવાથી “જન્મથી” તીર્થકર અવધિજ્ઞાન સંયુક્ત હોય છે, તે પ્રકૃતિએ તેમાં નહિ દેખાવાથી તે સમ્યજ્ઞાની દેવતાઓ તીર્થકરને ઓળખી શકે છે.
સકળસંસારી ઇન્દ્રિયરામી, મુનિ ગણ આતમરામી રે, મુખ્યપણે જે આતમરામી, તે કહિયે નિષ્કામી રે.
Page #95
--------------------------------------------------------------------------
________________
૭૩
૨૦૭ પ્ર. તીર્થંકર જ્યારે જન્મે ત્યારે તેમને મતિ, શ્રુત અને અવધિજ્ઞાન હોય જ અને ક્ષાયિક સમક્તિ પણ હોય એમ નિયમ છે ?
ઉ. ના; એવા નિયમ નથી. તીર્થંકર ક્ષાયિક સમક્તિ અને ત્રણ જ્ઞાન સહિત જ જન્મે એમ કાંઇ નક્કી નથૉ. જન્મ સમયે ક્ષયેાપશમ સમક્તિ પણ હેય. (ક્ષાયિક તે ભવે પણ થાય. ) મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ સમયે સમક્તિ ન હોય પણ એ જ ભલે તી કર ગેાત્ર બાંધી ક્ષાયિક સમક્તિ મેળવી મેક્ષે જાય.
૨૦૮ પ્ર. તીથંકર નિયમથી ક્ષત્રિય હોય અને તે સમયના દરેક ક્ષત્રિય કુટુંબમાં માંસાહાર હતેા. તે! શું તીર્થંકર પણ દીક્ષા ગ્રહણુ કરતાં પહેલાં માંસાહારી હતા ?
ઉ. (ના; ક્ષત્રિય કુટુંબમાં જન્મ થયા હૈાવા છતાં, તીર્થંકરને તે • ભવમાં કદી પણ માંસાહાર સંભવે નહીં, તીર્થંકરના માતા-પિતા નિકટના મેાક્ષભવિ હાર્ટ, ( મે ત્રણ ભવમાં મેક્ષે જનારા હેાઈ) તેમને પણ માંસાહાર હોય નહિ.)
૨૦૯ પ્ર. પ્રત્યેક ઠેકાણે તીર્થંકર ભિક્ષાર્થે જતાં સુવર્ણ દૃષ્ટિ ઇત્યાદિ થાય તેમ શાસ્ત્રમાં કહ્યું છે તે શું યથાર્થ સંભવે છે ? તે તીર્થંકરને વિષે ઘટે છે :
ઉ. તે કથન સાપેક્ષ છે. ( ઉપમાયુક્ત છે. ) તથાપિ એમ જ માનવું ચેાગ્ય છે કે આત્મસ્વરૂપે પૂર્ણ એવા પુરુષના પ્રભાવજોગ તે બનવું અત્યંત સંભવિત છે. સત્ર એમ બન્યું છે એમ કહેવાના અ નથી, એમ બનવું સંભવિત છે, એમ ઘટે છે, એમ કહેવાના હેતુ છે. સ્વાભાવિક કાઈ પુણ્યપ્રકારવશાત સુવવૃષ્ટિ ઇત્યાદિ થાય એમ કહેવું અસ ંભવિત નથી; અને તીથંકરપદને તે ખાધારૂપ નથી. ૨૧૦ પ્ર. ચાર ધાતિયાં કર્મના નાશ થઈ જવાથી કેવળી ભગવાનને અઢારમાંથી એક પણ દોષ રહેતા નથી. અઢાર દોષ કયા કહ્યા છે? ૩. (૧) ભૂખ, (૨) તરસ, (૩) રાગ, (૪) દ્વેષ, (૫) જન્મ, (૬)
વૃદ્ધાવસ્થા, (૭) મરણ, (૮) રેગ, (૯) શાક, (૧૦) ભય, (૧૧) આશ્રય†, (૧૨) નિંદ્રા, (૧૩) ખેદ, થાક, (૧૪) પરસેવેા, (૧૫)
ખિના નયન પાવે નહિ, મિના નયનકી માત.
Page #96
--------------------------------------------------------------------------
________________
૭૪
મદ, ગર્વ, (૧૬) મેહ, (૧૭) રતિ-અરતિ, (કુચિ-અરુચિ)
(૧૮) ચિંતા. ૨૧૧ પ્ર. વીતરાગી ભગવંતો, સયોગી કેવળી, અરિહંત ભગવાન વગેરેને
નિર્વાણ ન પામે ત્યાં સુધી હરતાં ફરતાં કર્મને બંધ પડે કે નહિ ?
અને પડે તે તે કર્મોના ફળ ક્યારે ભોગવે ? ઉ. વીતરાગી ભગવંત વગેરેને નામકર્મોદયથી મન, વચન, કાયાના ત્રણ
યોગથી શુભ પ્રવૃત્તિ થાય છે. તેથી શાતવેદનીયને બંધ પડે છે. કેવળ થયા પછી જ્યાં સુધી કેવળીને દેહ હાય છે ત્યાં સુધી દેહની હાજતેને લઈને કર્મ કરતા રહે છે; પરંતુ તેઓ અકષાયી હોવાથી પ્રકૃતિ અને પ્રદેશ એ બે બંધ થાય છે પણ સ્થિતિ અને અનુભાગ એ બે બંધ થતા નથી. આથી વીતરાગને પ્રથમ સમયે લાગેલાં સાતા, વેદનીય કર્મ પુદગલે બીજે સમયે વેઠી ત્રીજે સમયે નિર્જરે છે. અર્થાત દૂર કરે છે. આ ક્રિયાને ઈર્યાપથિકી ક્રિયા કહે છે. (જુઓ.
પ્રશ્ન ૧૧૯૯-૧૨ ૦૦). ૨૧૨ પ્ર. કેવળજ્ઞાની સ્વઉપયોગમાં જ વર્તે છે તેમ શાસ્ત્રમાં કહ્યું છે તો તે.
ઉપદેશ દે ? ઉ. તીર્થકર કોઈને ઉપદેશ દે તેથી કરી કાંઈ “પરઉપયોગ” કહેવાય
નહિ. “પરઉપગ” તેને કહેવાય કે જેને ઉપદેશ દેતાં રતિ, અરતિ, હર્ષ, અહંકાર થતાં હોય, જ્ઞાની પુરુષને તે તાદામ્યસંબંધ હોતો. નથી જેથી ઉપદેશ દેતાં રતિ, અરતિ, ન થાય. રતિ, અરતિ થાય. તે “પરઉપયોગ” કહેવાય. જો એમ હોય તો કેવલી કાલોક જાણે છે, દેખે છે તે પણ ૫રઉપગ” કહેવાય; પણ તેમ નથી, કારણ તેને વિષે રતિપણું, અરતિપણું નથી. સિદ્ધાંતના બાંધા વિષે એમ સમજવું કે આપણી બુદ્ધિ ન પહોંચે તેથી તે વચને અસત છે
એમ ને કહેવું. ૨૧૩ પ્ર. સિદ્ધ જીવ કેટલા છે ? અને સંસારી જીવ કેટલા છે ?
ઉ. સિદ્ધ ભગવંત અનંતા છે અને સંસારી પણ અનંતા છે.
જો યથાથ મૂળદષ્ટિથી જોઈએ તે જિનની પૂજા તે આત્મસ્વરૂપનું જ પૂજન છે.
Page #97
--------------------------------------------------------------------------
________________
૭૫
૨૧૪ પ્ર. ત્યારે શું સિદ્ધ અને સંસારી જીવાનું પરિમાણ સરખું જ છે ? . નહિ, સિદ્ધના કરતાં સંસારી જીવેા અન તાગુણા અધિક છે. ૨૧૫ પ્ર. સિદ્ધ અને સંસારી જીવેનું પરિમાણ વધે ઘટે ?
ઉ. હા, સંસારી જીવેા જેમ જેમ કમ ખંધનથી છૂટતા જાય છે તેમ તેમ તેએ સિદ્ધ થતા જાય છે. એટલે સંસારી જીવ ધટે છે અને સિદ્ધ્ વધે છે પણ સંસારના કદાપિ ઉચ્છેદ થવાનેા નહિ. (જુએ પ્રશ્ન ૩૫, ૨૪૯ અને ૨૫૦)
૨૧૬ પ્ર. ત્યારે શું સંસાર અને જીવ! આ પ્રમાણે જ રહેવાના ? ઉ. આ સોંસાર-વિશ્વના કયારેય પણ ઉચ્છેદ નહિ જ થવાના. ૨૧૭ પ્ર. સિદ્ધના આઠ ગુણુ ક્યા ?
ઉ. આઠ ગુણ આ પ્રમાણે છે.
જ્ઞાન, દર્શન, સુખ અને વી. આ ચાર અનુજીવી ગુણ, અમૂર્તિ ક અથવા સૂક્ષ્મત્વ, અગુરુલઘુત્વ, આવ્યાબાધત્વ, અને અવગાહના. આ ચાર પ્રતિજીવી ગુણુ, આ આઠે ગુણુ વ્યવહારથી કહ્યા છે. નિશ્ચયથી તા દરેક સિદ્ધ ભગવાને અનંત ગુણુ સમજવા. વિશેષ ભેદનયે નિતિત્વ (ગતિરહિતપણું), નિરિન્દ્રિયત્વ (ઈન્દ્રિયરહિતપણુ), નિષ્કાયત્વ (શરીરરહિતપણુ), નિયેૉંગત્વ (યાગરહિતપણું), નિર્વે દત્વ (વૈદરહિતપણુ), નિષ્ણાયત્વ (મ્પાયરહિતપણું), નિર્દેમત્વ (નામ રહિતપણું),નિર્વાંત્વ(ગોત્રરહિતપણું),નિરાયુષત્વ(આયુષ્યરહિતપણું),
ઇત્યાદિ વિશેષ ગુણા તેમજ અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વાદિ સામાન્ય ગુણા અનંત જાણવા.
૨૧૮ પ્ર. સિદ્ધ ભગવતામાં ઊંચ, નીચ વગેરે હાય છે ?
ઉ. ના, એમાં કાઇ ઊંંચ, નીચપણું નથી. તેમ જ જ્યાં એક બિરાજે છે ત્યાં અન્ય અનેક સિદ્ધ અવગાહ પામી શકે છે.
૨૧૯ પ્ર. સિદ્ધ ભગવંત કાં બિરાજમાન છે?
ઉ. તે લેાકના અગ્રભાગમાં લેાકશિખર ઉપર સિદ્ધક્ષેત્રમાં સ્થિર થાય. છે. સ કર્માંથી રહિત થવાથી સિદ્ધના આત્મા સ્વભાવથી ઉપર જાય છે.
જેની ઉત્પત્તિ કોઈ પણ અન્ય દ્રવ્યથી થતી નથી, તેવા આત્માના નાશ પણ
કાંથી
હાય ?
Page #98
--------------------------------------------------------------------------
________________
૨૨૦ પ્ર. સિદ્ધ ભગવાનને અને અલેકને કેટલું અંતર ?
ઉ. તડકા અને છાયા વચ્ચે જેટલું અંતર હોય છે તેટલું અર્થાત્ જરા
પણ અંતર નથી. ૨૨૧ છે. સિદ્ધ ભગવાન લોકના અગ્રભાગપર્યત પહોંચી કેમ સ્થિર થાય છે
અને લેક ઉપરથી અલમાં પ્રવેશ કેમ નહિ કરતા હોય ? ઉ. વ્યવહાર નયના થનથી અલકમાં ધમસ્તિકાય અને અધર્માસ્તિકાય
દ્રવ્યને અભાવ હોવાથી ત્યાં જીવ તથા પુદ્ગલની ગતિ, સ્થિતિ હોઈ શકે નહિ. તેથી સર્વ સિદ્ધો લેકના છેલ્લા રમત પર્યત પહોંચી ત્યાં જ સ્થિર થયા છે. નિશ્ચય નયથી સિદ્ધ પરમાત્માને જીવ પણ લેકનું જ દ્રવ્ય છે, તેથી લોકાગ્રપર્યત જ એક સમયમાં જવાની ખાસ યોગ્યતા ધરાવે છે. ધર્માસ્તિકાયના અભાવને તેનું કારણ કહેવું તે નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે વ્યવહાર નયનું
કથન છે. ૨૨૨ પ્ર. સિદ્ધ ભગવાનને શરીર હોય કે નહિ ?
ઉ. સિદ્ધ ભગવાન અશરીરી છે. ૨૨૩ પ્ર. સિદ્ધ ભગવાનને શરીર ન હોય તે આત્માને કેાઈ આકાર હોય છે ? ઉ. નિશ્ચય નથી જીવને આકાર લેકપ્રમાણુ અસંખ્યાત પ્રદેશ છે.
જીવ અમૂર્તિક પદાર્થ છે. તેના ટુકડા થઈ શકતા નથી કે કેઈની સાથે જોડાઈને મેટ થઈ શક્તા નથી. તેમાં સંકોચ વિસ્તારરૂપ થવાની શક્તિ છે. જ્યારે નામ-કર્મ નાશ થઈ જાય છે ત્યારે આત્મા અંતિમ શરીર જેવો હોય છે તે જ રહી જાય છે. તેને સંકેચ વિસ્તાર બંધ થઈ જાય છે.
સિદ્ધને આત્મા જે મનુષ્યદેહે સિદ્ધ પામ્યા હોય તે દેહના આકારે હોય છે અને તે દેહને ત્રીજા ભાગ ઊણે તે પ્રદેશઘન છે. એટલે સિદ્ધની અવગાહના પૂર્વે શરીરથી ૩ ભાગ પ્રમાણ છે તેમ તાબર મત છે પણ દિગંબર મત પ્રમાણે સિદ્ધ પર્યાયની અવગાહના પૂર્વના અંતિમ શરીરથી થોડા જ ઓછા (ન્યૂન) પ્રમાણે હોય છે. (૩ ભાગ જેટલી બધી ઓછી નહીં)
સતસંગ એ જ મોક્ષનું પરમ સાધન છે,
Page #99
--------------------------------------------------------------------------
________________
૭૭
૨૨૪ પ્ર. સવા પાંચસે ધનુષ્યની મેાટી અવગાહનાવાળા (આકારવાળા) સિદ્ધ ભગવાનને વધુ આનંદ અને નાની અવગાહનાવાળા સિદ્ધોને એ આનંદ એમ હશે ખરું ?
ઉ. ના; કારણ કે સિદ્ધોના આનંદ તે સુખણુના સ્વભાવઅથ પર્યાય છે, તેથી બધા સિદ્ધ ભગવાનાને સદાય એકસરખુ જ અનંત સુખ (આનંદ) હાય છે. સુખને વ્યંજનપર્યાય (ક્ષેત્ર-આકાર) સાથે કઈ
સબંધ નથી.
૨૨૫ પ્ર. સિદ્ધાત્માને ત્યાં કેટલું સુખ હશે ?
ઉ. એક તરફથી ચૌદ રાજલેાકનું સુખ હાય અને ખીજી તરફ સિદ્ધના એક પ્રદેશનું સુખ હાય તા પણ સિદ્ધના એક પ્રદેશનુ' સુખ અન ંતુ થઈ ય.
૨૨૬ પ્રસિદ્ધ ભગવાનને ત્યાં ખાવું, પીવું, પહેરવું, ઓઢવું, ગાનતાન, માન, સન્માન આદિ એ નથી તેા પછી સુખ શાનું?
ઉ. ખાનપાન આદિથી આપણે સુખ માનીએ છીએ, પરંતુ વાસ્તવિક રીતે તે વસ્તુ સુખરૂપ નથી. કારણ કે જે વસ્તુમાં સુખ આપવાને ગુણ હોય તે હ ંમેશાં સુખદાયક જ હોવી જોઇએ. “એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં.' પરાધીનતાને જે અભાવ છે તે વાસ્તવમાં સુખ છે. આત્મા સ્વભાવથી સુખી અને જ્ઞાનમય છે. સ ંપત્તિ આદિના સ ંયાગથી જે સુખ થાય છે તે પરાધીન છે. પરંતુ સિદ્ધોને, મુક્તાત્માએને જે સ્વાધીન સુખ છે તે અવિનાશી છે, શાશ્વત છે. સ કમ બંધનાથી મુક્ત થયેલા, અનંત ચતુષ્યને પામેલા તેએ અવશ્ય સર્વોત્તમ અનંત અતીન્દ્રિય સુખમાં બિરાજતા ત્રિકાળ જ્યવ ́ત વર્તે છે.
૨૨૭ પ્ર. ત્યારે ખરું સુખ કાને કહેવાય ?
ઉ. જેના અંત દુઃખમાં ન હોય-જે હંમેશાં સુખરૂપ રહે તે જ ખરું સુખ છે.
હે જીવ, આ કલેશરૂપ સસાર થકી વિરામ પામ, વિરામ પામ. પ્રમાદ છેાડી જાગૃત થા, જાગૃત થા, નહિ તેા રત્નચિંતામણી જેવા આ મનુષ્યદેહ નિષ્ફળ જશે,
Page #100
--------------------------------------------------------------------------
________________
૭૮
૨૨૮ પ્ર. મેક્ષમાં અનંત સુખ તેમને શામાંથી મળે છે ? ' તેમની પાસે સુખનાં શાં સાધને છે ? ઉ. સુખને આધાર બાહ્ય સાધન ઉપર નથી, પણ આપણી પોતાની
માન્યતા ઉપર છે. સાચું સુખ સ્વાધીન છે, સહજ છે અને પોતાને જ સ્વભાવ છે. જેમ શેરડીને સ્વભાવ ગળ્યો છે, લીમડાને સ્વભાવ કડવે છે તેમ પિતાને કે નિજ આત્માને સ્વભાવ સુખ છે. તે આત્માને અવિનાશી ગુણ છે. આત્માને સ્વભાવને એક સમય માત્રને પણ
અનુભવ સહજ સુખનું જ્ઞાન કરાવે છે. ૨૨૮ પ્ર. સિદ્ધ ભગવાનના સુખનું કંઈક વર્ણન આપો ? ઉ. આત્માની સહજાનંદ અનુભવ દશા એ વચનથી કહેવાની વાત
નથી, વચન અગોચર છે, તે સુખ (આનંદ)નું વર્ણન શ્રી કેવળી ભગવાન પણ કરી શક્યા નથી. જેમ કેઈએ જન્મથી જ ઘી ખાધું નથી તેને ઘીને સ્વાદ કેવો છે તે શબ્દથી સમજાવી શકાય નહિ, પણ જ્યારે તે પોતે જ ઘી ચાખે ત્યારે જ તેને માલુમ
પડી શકે છે. ૨૩૦ પ્ર. સિદ્ધ ભગવાન જે ક્ષેત્રમાં વિરાજી રહ્યા છે તે ક્ષેત્રને શું કહેવાય છે?
ઉ. સિદ્ધક્ષેત્ર. ૨૩૧ પ્ર. સિદ્ધક્ષેત્ર કેવડું છે? ઉ. ૪૫ લાખ યોજન લાંબું પહોળું (ગોળાકાર) અને એક ગાઉન
છઠ્ઠા ભાગ (૩૩૩ ધનુષ્ય અને ૩૨ અંગુલ) જેટલું જાડ૫ણે છે. (બૃહદ્ દ્રવ્યસંગ્રહમાં મેક્ષશિલા આઠ જન જાડી કહી છે. તેની ઉપર ધનાદધિ, ઘનવાત, અને તનુવાત નામના ત્રણ વાયુ છે. ત્યાં તનુવાત વલયની મધ્યમાં અને લેકના અંતે કેવળજ્ઞાનાદિ અનંત
ગુણ સહિત સિદ્ધ છે. (જુઓ પ્રશ્નક્રમાંક ૮). ૨૩ર પ્ર. એટલા જ ક્ષેત્રમાં સિદ્ધ હોવાનું શું કારણ? ઉ. મનુષ્યક્ષેત્ર યાને અઢી દીપ ૪૫ લાખ જોજનના છે. મનુષ્ય ગતિમાંથી
જ સિદ્ધ થાય છે; અઢી દ્વીપમાં કોઈપણ જગ્યા એવી નથી કે
કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા નિગ્રંથને પંથ ભવ અન્તને ઉપાય છે.
Page #101
--------------------------------------------------------------------------
________________
いの
જ્યાંથી અનંતા સિદ્ધ થયા ન હોય. જે ઠેકાણે મેાક્ષગામી જીવ શરીરથી મુક્ત થાય છે તેની ખરાબર સીધી લીટીમાં એક સમય માત્રમાં તે જીવ સીધાં ઊંચે ચડી સિદ્ધ ક્ષેત્રમાં પહોંચી ત્યાં સ્થિર થાય છે.
૨૩૩ પ્ર. એટલા નાના ક્ષેત્રમાં અનંત સિદ્ધ કેમ સમાય ? ઉ. જ્યાં એક સિદ્ધુ હેાય ત્યાં અનંત સિદ્ધ રહી શકે છે. આત્મા અરૂપી દ્રવ્ય હોવાથી એક જ સ્થળે અનંત સિદ્ધ રહી શકે છે. જુદા જુદા પ્રત્યેક દીવાનેા પ્રકાશ એક થઈ ગયા છતાં જેમ જુદા જુદા છે, એ ન્યાયે પ્રત્યેક સિદ્ધ આત્મા જુદા જુદા છે.
૨૩૪ પ્ર. આત્મા સિદ્ધ સ્થિતિને પહેોંચ્યા પછી પેાતાના અલગ સ્વરૂપને સ્થિત રહે છે કે ખીજ સિદ્ધ આત્માએ સાથે ભળી સ્વરૂપના ત્યાગ કરે છે?
ઉ. સાનાનું મૂળ સ્વરૂપ જોઈએ તે અનંત પરમાણુ સમુદાય છે. કરાડી પ્રકાર તે અનંત પરમાણુરૂપ સેાનાના ધાટીને એકરસપણે કરા, તા પણ સૌ સૌ પરમાણુ પેાતાના જ સ્વરૂપમાં રહે છે, પેાતાનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ત્યજતાં નથી. કાઈ પણ જીવે કાઈ પણ બીજા જીવની સાથે કેવળ એકત્વપણે ભળી જવાપણું કર્યું છે એમ છે જ નહીં. સૌ નિજભાવમાં સ્થિતિ કરીને જ વર્તી શકે. જીવની જાતિ એક હાય તેથી કંઇ એક જીવ છે તે પોતાપણું ત્યાગી બીજા જીવાના સમુદાયમાં ભળી સ્વરૂપના ત્યાગ કરી દે એમ બને નહીં. જો મુક્ત થયા પછી એકરાર થઈ જતુ હાય, તેા સ્વાનુભવ આન ંદ અનુભવે નહિ. (જુએ પ્રશ્ન ક્રમાંક ૧૩૬૭) ૨૩૫ પ્ર. સિદ્ધ આત્મા ફરીથી અવતાર-જન્મ ધારણ કરે?
. જેમ ખીજને બાળી નાખવામાં આવે તેા તે ઉગે જ નહિ, તેમ જેણે સંસારનાં કારણેાના સર્વથા નાશ કર્યાં તે ફરી અવતાર-જન્મ ધાર કરે નહિ અથવા જેમ માખણમાંથી ઘી થયા પછી ફરીને ઘીનું માખણ થાય નહિ તેમ આત્માની સ ંપૂર્ણ પવિત્રતારૂપ અશરીર
સુખ પ્રાપ્ત કરતાં સુખ ઢળે છે, લેશ અ લક્ષે લહા, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે, કાં અ। રાચી રહેા ?
Page #102
--------------------------------------------------------------------------
________________
મેક્ષદશા (પરમાત્માપદ) પ્રગટ કર્યા પછી તેમાં કદી અશુદ્ધતા
આવતી નથી–સંસારમાં ફરી આવવું પડતું નથી. ૨૩૬ પ્ર. સિદ્ધશિલા અને સિદ્ધક્ષેત્ર એક જ છે ?
ઉ. નહિ. સિદ્ધશિલા, સિદ્ધક્ષેત્રની બરાબર નીચે આવેલી છે, પરંતુ તે
બને વચ્ચે એક જનમાં એક ગાઉને છઠ્ઠો ભાગ ઓછું એટલું
અંતર છે. ૨૩૭ પ્ર. ૩૩૩ ધનુષ્ય અને ૩૨ અંગુલનું સિદ્ધ ક્ષેત્રનું જાડ૫ણ હોવાનું
- શું કારણ?
ઉ. સિદ્ધ ભગવાનની ઉત્કૃષ્ટ અવગાહના એટલી છે. ૨૩૮ છે. તેઓને શરીર નથી તો અવગાહના શાની ?
ઉ. શરીર નથી, પરંતુ આત્મપ્રદેશને ઘન ભાગ બંધાય છે અને વધારેમાં
વધારે પાંચસે ધનુષ્યની અવગાહનાવાળા મનુષ્યો મોક્ષ મેળવી શકે
છે તેથી તેના બે તૃતીયાંશ ભાગ જેટલી ઉત્કૃષ્ટ અવગાહના છે. ૨૩૯ પ્ર. જઘન્ય કેટલી અવગાહનાવાળા (દેહ પ્રમાણુવાળા) સિદ્ધ થાય ?
ઉ. બે હાથની. ૨૪૦ પ્ર. સિદ્ધ ભગવાનની જઘન્ય અવગાહને કેટલી હોય ?
ઉ. ૧ હાથ અને આઠ અંગુલની. ૨૪૧ પ્ર. કેવાં અને કેટલી વયવાળાં મનુષ્ય મેક્ષ મેળવી શકે ? ઉ. જધન્ય નવ વર્ષ અને ઉત્કૃષ્ટ ક્રેડ પૂર્વના આયુષ્યવાળાં અને વજ
ઋષભનારા સંઘયણનાં ધારક કર્મભૂમિનાં મનુષ્યમાંથી જેઓને કેવળજ્ઞાન ઉપજે છે તે જ મોક્ષમાં જાય છે. સમક્તિને ખરેખરું વિચારે તે અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન થાય. અંતર્મુહૂર્ત એટલે
આઠ સમયથી વધારે અને બે ઘડીથી અંદર. ૨૪૨ પ્ર. આપણું ભરત ક્ષેત્રમાં છેલ્લા અરિહંત કોણ થયા છે
ઉ. મહાવીર ભગવાન ૨૪૩ પ્ર. તેઓ હાલ ક્યાં છે ?
ઉ. સિદ્ધક્ષેત્રમાં. ૨૪૪ ટે. સ્વપ્ન કેટલા પ્રકારનાં છે ?
એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં.
Page #103
--------------------------------------------------------------------------
________________
ઉ. સ્વપ્ન ૭૨ પ્રકારનાં છે, એમાં ૪૨ સામાન્ય સ્વપ્ન છે. જે સામાન્ય
ફળ દેવાવાળાં છે, અને ૩૦ મહાસ્વપ્ન છે, જે મહાફળ દેવાવાળાં છે. વીર્થંકરદેવની માતાને ૩૦ મહાસ્વપ્નમાંથી ૧૪ મહાસ્વપ્ન દેખાય છે. વાસુદેવની માતાને ૭ મહાસ્વપ્ન, બળદેવની માતાને ૪ મહાસ્વપ્ન અને માંડલિક રાજ અથવા ભાવિતાત્મા અણગારની
માતાને એક મહાસ્વપ્ન દેખાય છે. ૨૪૫ પ્ર. સ્વપ્નનાં ફળ કેટલા પ્રકારે નીપજે છે ? ઉ. પાંચ પ્રકારેઃ (૧) યથાતથ્ય સ્વ-જેવું સ્વપ્ન જુએ તેવું ફળ મળે.
એ સ્વપ્ન સત્ય અને શુભ ફળનું દેનાર છે. (૨) પ્રતાન (પ્રયાણું) સ્વપ્ન-વિસ્તારવાળું સ્વપ્ન એ યથાતથ્ય (સત્ય) પણ હોય છે અને મિથ્યા પણ હોય છે. (૩) ચિંતા સ્વપ્ન-જાગૃત અવસ્થામાં જે પદાર્થોને વિચાર કર્યો છે એ સ્વપ્નમાં જુએ. (૪) તદ્ વિપરીત સ્વપ્ન-સ્વપ્નમાં જે પદાર્થો જોયા છે, જાગૃત અવસ્થામાં એનાથી વિપરીત પદાર્થોની પ્રાપ્તિ થાય. આ સ્વપ્ન વિપરીત ફળનું દેનાર છે. (૫) અવ્યક્ત સ્વપ્ન–સ્વપ્નમાં અસ્પષ્ટ અર્થનું દેખાવું-આળજંજાળ દેખાવી.
સમતિ થયું હેય તો દેહાત્મબુદ્ધિ મટે.
Page #104
--------------------------------------------------------------------------
________________
ચાર ગતિ
૨૪૬ પ્ર. ચાર ગતિ કઈ ? - ઉ. નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ. ૨૪૭ પ્ર. દુનિયામાં એક જાતના મનુષ્ય છે તે તેઓ ક્યાંથી આવે છે ને
ક્યાં જાય છે? ઉ. ચાર ગતિ (નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ)માંથી આવે છે અને
તેમાં જાય છે. ૨૪૮ પ્ર. ચોરાસીના ફેરા કહે છે તે શું ? ઉ. ચાર ગતિની ચોરાસી લાખ પ્રકારની યોનિઓ શાસ્ત્રકારોએ વર્ણવી
છે. નિત્ય નિગોદ, ઈતરનિગોદ, પૃથ્વીકાય, જળકાય, અગ્નિકાય, વાયુકાય દરેકની સાત લાખ, વનસ્પતિકાય દશ લાખ, બે ઈન્દ્રિય, ત્રણ ઈન્દ્રિય, ચાર ઈન્દ્રિય દરેકની બે લાખ, દેવ, નારકી, તિર્યંચ પંચેન્દ્રિય દરેકની ચાર લાખ અને મનુષ્યની ચૌદ લાખ
૭ + ૭ + ૭ + ૭ + ૭ + ૭ = ૪૨
૧૦ = ૧૦ ૨ + ૨ + ૨ = ૬ ૪+૪+ ૪ = ૧૨
૧૪ = ૧૪
કુલ ૮૪ એમ એકેન્દ્રિયની પર લાખ, બે ઈન્દ્રિય, તે ઈન્દ્રિય અને ચાર ઇન્દ્રિયની છ લાખ અને પંચેન્દ્રિયની ૨૬ લાખ યોનિ થાય. (એમ આ કુલ
ચાર્યાશી લાખ યોનિમાં અનંતાજીએ અનંતવાર જન્મમરણક્ય છે.) ૨૪૯ પ્ર. ચાર ગતિ કે સંસાર ક્યારથી શરૂ થયે હશે અને ક્યારે બંધ થશે? ઉ, આ સંસાર અનાદિ છે અને ચાર ગતિ પણ અનાદિ છે અને
નાશ પામશે તેમ પણ નથી. (જુઓ પ્રશ્ન-૩૫-૨૧૬) સેયની અણીના અગ્રભાગ જેટલી સાધારણ વનસ્પતિકાયમાં અસંખ્યાત
Page #105
--------------------------------------------------------------------------
________________
૮૩
શરીરા છે, એકેક શરીરમાં અનત જીવા છે. ચૌદ રાજલેાકમાં કાજળના કે પાની પેઠે સમ એકેન્દ્રિય જીવા ભર્યા છે. ૨૫૦ પ્ર. ચાર ગતિના જીવાની સખ્યા શું કદી વધઘટ થાય જ નહિ ? છે. કરણાનુયાગમાં ચાર ગતિના જીવેાની નિશ્ચિત સંખ્યા લખેલી છે અને
તે કદી વધતી આછી પણ થતી નથી. જીવનિત્ય નિગેાદમાંથી બે હજાર સાગર માટે નીકળે છે—તેમાં પણ ખે ઇન્દ્રિયના આટલા, ત્રણ ઇન્દ્રિયના આટલા, ચાર ઇન્દ્રિયના આટલા ભવ ધારણ કરે છે, મનુષ્યના ૪૮ ભવ મળે છે, આમ ચાર ગતિએના જ્વાની સખ્યા નિશ્ચિત છે અને પ્રત્યેક જીવના ભવ પણ નિશ્ચિત છે તથા તેમના ક્રમ પણ નિશ્ચિત છે, નહિ તેા આખી વ્યવસ્થા કેવી રીતે બને ? કયાંક તા અધિક ભીડ એકઠી થઈ જાય અને કયાંક સ્થાન ખાલી પડ્યા રહે, પણ એમ થતું નથી.
૨૫૧ પ્ર. મનુષ્યા અને પશુએ જ શુ નરકમાં જાય ? ખીન્ન ન જાય ? ઉ. નરકના વેા છૂટી તરત નરકમાં જતા નથી અને દેવા પણ તુરત ત્યાંથી નરકમાં જતા નથી, કારણ તેવાં કમેર્મી તે બે ગતિવાળા વેાને કરવાના પ્રસંગે નથી.
સાતમી નરકમાંથી નીકળેલા જીવ (ગમે ત્યારે) ફરી એક વાર તે જ અથવા બીજી કાઈ નરકમાં જાય છે એવા નિયમ છે. નરકમાંથી નીકળેલા જીવા બળદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવ અને ચકવી નામના શલાકા પુરુષા થતા નથી. ચોથી નરકમાંથી નીકળેલ જીવ તીર્થં કર, પાંચમીમાંથી નીકળેલ જીવ ચરમશરીરી, છઠ્ઠીમાંથી નીકળેલ જીવ ભાવલિંગી મુનિ અને સાતમીમાંથી નીકળેલ જીવ શ્રાવક થતા નથી. નરકમાંથી આવેલા જીવ કર્મ ભૂમિમાં સની, પર્યાપ્ત તથા ગજ મનુષ્ય કે તિર્યંચ થાય છે, સાતમી નરકમાંથી આવેલે જીવ તિર્યંચ જ થાય છે.
કાઈ જીવ અગ્નિકાય અને વાયુકાયમાંથી નીકળીને સીધા મનુષ્ય
ન થાય.
સમ્યગદર્શન થયા પછી એ જ ગતિ ખંધાય છે; મનુષ્ય અને
રે! આત્મ તારે ! આત્મ તારે ! શીઘ્ર એને આળખા, સર્વાત્મમાં સમષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખા.
Page #106
--------------------------------------------------------------------------
________________
દેવ; નરક અને તિર્યંચ ન બંધાય (પણ સમક્તિ થયા પહેલાં નરકગતિ બંધાઈ હોય તે નરકે જાય.) મન:પર્યવજ્ઞાન પામેલા
છતાં કેટલાય એવો નિગાદમાં પડ્યા છે. (જુએ પ્રશ્ન ૧૨૦૨). ૨પર પ્ર. મહાવિદેહ ક્ષેત્રમાં તે સંદેવ ચોથે આરો પ્રવર્તે છે અને સદાકાળ
શ્રી તીર્થંકર પરમાત્માની પ્રત્યક્ષ હાજરી હોય તે ત્યાંથી તે કેઈ નરકે ન જાયને? ઉ. મહાવિદેહ ક્ષેત્રમાં પણ મિથ્યાદષ્ટિ પડ્યા છે. સાતમી નરકે જવાવાળા
અહીં ભરત ક્ષેત્રમાં નથી પણ મહાવિદેહ ક્ષેત્રમાં છે. ક્ષેત્ર શું કરે ? ભગવાન શું કરે ? જે જીવ પોતે પુરુષાર્થ ન કરે તો ત્રણ લકના નાથ ભગવાન પણ શું કરી શકે ? (તેને નરકે જતાં
રેકી ન શકે.) ૨૫૩ પ્ર. એકેન્દ્રિયમાંથી કઈ ગતિમાં જઈ શકે?
ઉ. કોઈ જીવ એકેન્દ્રિયમાંથી સીધે સંજ્ઞી પંચેન્દ્રિય થાય છે. વચ્ચે
વિકલેન્દ્રિયપણું અથવા અસંજ્ઞીપણું હોય જ એ કેઈ નિયમ નથી. કોઈ જીવ એકેન્દ્રિયમાંથી નીકળી મેક્ષ, સ્વર્ગ અથવા નરકમાં જતો નથી પણ તિર્યંચ અથવા મનુષ્ય ગતિમાં જ જાય છે. કેઈ જીવ અગ્નિકાય અને વાયુકામાંથી નીકળીને સીધે મનુષ્ય
ન થાય ? ૨૫૪ પ્ર. સંસી જીવોના ભેદ બતા ?
ઉ. બે મસહિત સંજ્ઞી, મનરહિત અસંસી. ૨૫૫ પ્ર. નરકને છ દેવલોક ન જાય અને દેવકના છ નરકમાં કેમ
ન જાય ? ઉ. નરકમાંથી નીકળી જીવ મનુષ્ય અથવા તિર્યંચમાં જાય પણ દેવમાં
જતા નથી, અને નરકમાં પણ તુરત જતા નથી. એમ જ દેવો
ત્યાંથી આવી સીધા મનુષ્યમાં જાય છે પણ નરકમાં જતા નથી. ૨૫૬ પ્ર. જીવ દેવલોકમાંથી નીકળી ફરી દેવામાં ઉત્પન્ન થાય ? તેમ
મનુષ્ય અને નારકીને જીવ ફરીથી તે જ ગતિમાં લગભગ બીજા ભવે ઉત્પન્ન થાય ?
બ્રહ્મચર્ય : એક વિષયને જીતતાં, જીભે સૌ સંસાર; નૃપતિ જીતતાં જતિયે દળ, પુર ને અધિકાર
Page #107
--------------------------------------------------------------------------
________________
ઉ. નરક અને સ્વર્ગ (દેવલોક)ને એક ભવ જ થાય છે. નરકને જીવ
મરીને નરકમાં ન ઉપજે. તેમ દેવતા મરીને દેવતાપણે ન ઊપજે, વળી નરકને જીવ મરીને દેવતાપણે ન ઉપજે, અને દેવતા મરીને નારકીપણે ન ઉપજે. કારણ કે વિશેષ શુભ અને વિશેષ અશુભ કર્મો કરવાનું સ્થળ ખાસ કરીને મૃત્યુલેમાં (તિછલકમાં) છે. મનુષ્ય ગતિમાં પણ જે જુગલીઆ મનુષ્ય તરીકે ઉપજે (તે તે ગતિમાં) એક જ ભવ થાય છે, અને કર્મભૂમિ મનુષ્યમાં ભદ્રિક પરિણામી તરીકે ઉપજે તે લગોલગ સાત ભવ કર્મભૂમિ મનુષ્યના
થાય છે. મિથ્યા દૃષ્ટિ દેવ મરીને એકેન્દ્રિય થાય છે, સમ્યગ્દષ્ટિ નહિ. ૨૫૭ પ્ર. ભવસ્થિતિ” અને “કાયસ્થિતિ” એટલે શું ? ઉ. કઈ પણ જન્મ પ્રાપ્ત કરી એમાં જઘન્ય અથવા ઉત્કૃષ્ટ જેટલા
સમય સુધી જીવી શકાય છે, તે “ભવસ્થિતિ; અને વચમાં કોઈ બીજી જાતિમાં જન્મગ્રહણ ન કરતાં કોઈ એક જ જાતિમાં વારંવાર પેદા થવું, તે “કાયસ્થિતિ છે. મનુષ્ય અને તિર્યંચની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ ત્રણ પલ્યોપમ અને જઘન્ય અંતર્મુહૂર્ત પ્રમાણુ જ છે. તેમની કાયસ્થિતિ પણ ભવસ્થિતિની માફક અંતમુહૂર્ત પ્રમાણ જ છે. ઉત્કૃષ્ટ કાયસ્થિતિ મનુષ્યની સાત અથવા આઠ ભવગ્રહણ પરિમાણ છે; અર્થાત કાઈ પણ મનુષ્ય પોતાની મનુષ્યજાતિમાં લાગલગાટ સાત અથવા આઠ જન્મ સુધી રહીને પછી અવશ્ય એ જાતિને છોડી દે છે.
નિગોદાદિ નિમાં એક ઈન્દ્રિયરૂપે, એક શ્વાસોચ્છવાસમાં (એક શ્વાસ લઈને મૂકીએ તેટલા સમયમાં), જીવ ઉત્કૃષ્ટ અઢાર વાર જન્મ-મરણ કરે.
નિગોદ અને એકેન્દ્રિય, પૃથવી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિકાયના જીવોની કાસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ અસંખ્યાત પુદ્ગલ પરાવર્તન કાળની છે. એક પુદ્ગલ પરાવર્તનના અનંતમા ભાગમાં અસંખ્ય ચૌવીસી વિતી જાય.
પુણ્યથી વૈભવ થાય, વૈભવથી અભિમાન થાય, અભિમાનથી બુદ્ધિભ્રમ થાય અને બુદ્ધિભ્રમથી પાપ થાય.
Page #108
--------------------------------------------------------------------------
________________
૮૬
ત્રસ ગતિમાં જીવની બે હજાર સાગરોપમથી વધારે સ્થિતિ ન હોય. તે સમય પૂરો થતાં સુધીમાં જીવને મોક્ષ થાય તે થાય નહિતર છવ પાછો એકેન્દ્રિય અથવા નિગોદમાં ચાલી જાય.
શુભ અને અશુભ ભાવ તે ક્રમશઃ બદલાયા જ કરે છે.. કારણ કે બન્નેમાંથી કેઈને પણ કાળ અંતર્મુહૂર્તથી વધારે નથી. અનંત પ્રયત્ન કરવા છતાં જીવ અંતર્મુહૂર્તથી અધિક શુભભાવમાં ટકી શકતો નથી, જે શુદ્ધમાં ન જાય તે પછી અશુદ્ધમાં આવવું અનિવાર્ય છે. આ પરિવર્તન નિગોદમાં પણ થયા કરે છે, ત્યાં પણ શુભભાવ થાય છે, નહિ તે ત્યાંથી જીવ નીકળે જ કેવી. રીતે ? નિગોદમાં પણ નિકટભાવિ જીવ હોય છે. મરુદેવી માતા, (ભગવાન ઋષભદેવની માતા) કેળના વૃક્ષમાંથી આવી, મનુષ્યભવ પામી, કેવળજ્ઞાન પામી મોક્ષે જતાં રહ્યાં. ભરતના બત્રીસ હજાર.
પુત્રો નિગોદમાંથી એકદમ મનુષ્યપર્યાય પામી મોક્ષે ગયા. ૨૫૮ પ્ર. નિગોદને અર્થ શું થાય છે?
ઉ. નિ = નિરન્તર, ગ = ભૂમિ અર્થાત અનન્ત ભવ, દ = દેનારું
(આપનારું) સ્થાન છે તે નિમાં રહેવું પડે તે. ૨૫૯ પ્ર. સંસારમાં રખડતા છને પાંચ પરાવર્તનરૂપ ભ્રમણ થયાં છે
એટલે શું ? અને બધા જીવોને પાંચે પરાવર્તનરૂપ જમણુ થયું
જ હોય ? ઉ. સંસારમાં રખડતા જીવોને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ એમ.
પાંચ પરાવર્તનરૂપ ભ્રમણ પ્રાપ્ત થયાં છે, એમ ઠેર ઠેર શાસ્ત્રો. અને પ્રવચનમાં આવે છે. એને અર્થ એમ કે આ સંસારમાં, આત્મા સિવાય અનંત રજકણો (પગલો) છે, તે પ્રત્યેક પુગલને જીવને સંસાર ભ્રમણના પ્રવાહમાં સંયોગ થઈ ચૂકે તેને દ્રવ્ય સંસાર પરાવર્તન કહે છે. આત્માએ ૧૪ બ્રહ્માંડમાં દરેક ક્ષેત્રમાં (પ્રદેશમાં) જન્મ લે તથા મરવું તે ક્ષેત્ર પરાવર્તન છે. વીસ કેડા કેડી. સાગરના કાળચક્રના પ્રત્યેક સમયમાં જન્મ લેવો તથા મરવું તે કાળપરાવર્તન છે. નરક-મનુષ્ય-ઠેર-સ્વર્ગ એવા દરેક ભવ કરવા
આ જગતને તમાશે જોઈએ તેટલે દેખો પણ જુઓ સાક્ષી થઈને નહિ સ્વામી થઈને,
Page #109
--------------------------------------------------------------------------
________________
તે ભવપરાવર્તન છે. શુભ-અશુભ ભાવ, દયા-દાન, વ્રત પરિણામ તે શુભ, જુઠ, ચેરી, હિંસા તે અશુભ વગેરે અને મિથ્યાદષ્ટિને
જેટલે શુભાશુભ પરિણામ (ભાવ) છે તે અનંતવાર કરી અને આ મારું એમ માનીને રખડવું તે ભાવપરાવર્તન છે. આમ સાધારણ રીતે કહેવાય છે પણ એવા કેટલાએ જીવ છે કે જેઓને બધા પુદ્ગલેને સંયોગ પ્રાપ્ત થયેલ નથી, બધા ક્ષેત્રમાં જન્મ લીધે નથી, જેને કાળપરાવર્તન કર્યું નથી, બધા ભવ પ્રાપ્ત થયા નથી અને બધા શુભાશુભ ભાવો પણ કર્યા નથી. વ્યવહાર રાશિમાં આવેલા કેટલાએ છાએ આ પાંચ પરાવર્તનમાં ભ્રમણ કર્યું હોવાથી સામાન્ય અપેક્ષાએ ઉપદેશમાં સમસ્ત જીએ
ભ્રમણ કર્યું છે એમ કહેવાય છે. ' ૨૬. પ્ર. “વ્યવહારરાશિ” જીવ અને “અવ્યવહારરાશિ” જીવ કેને કહે છે? ઉ. સૂક્ષ્મ નિગદમાંથી નીકળી એક વખત ત્રયપણું પામ્યા છે તે
“વ્યવહારરાશિ”. પાછા તે સૂક્ષ્મ નિગોદમાં જાય તે પણ તે “વ્યવહારરાશિ”. અનાદિકાળથી સૂક્ષ્મ નિગેદમાંથી ત્રસપણું પામ્યા નથી તે “અવ્યવહારરાશિ”. વ્યવહાર રાશિમાંથી જેટલા જીવો સિદ્ધગતિમાં જાય છે, તેટલા છો, અનાદિ નિગોદ નામની વનસ્પતિની રાશિમાંથી નીકળી વ્યવહારરાશિમાં આવી જાય છે.
(જુઓ પ્રશ્ન ૩ર૦) ૨૬૧ પ્ર. દેવલોકમાં ઉત્પન્ન થયા પછી કેટલા ભવે મોક્ષ થાય છે ? * ઉ. અનુત્તર વિમાનને પહેલાં ચાર વિમાનમાં જે દે રહે છે તે
ચિરમ છે. અર્થાત તે અધિકમાં અધિક બે વાર મનુષ્યજન્મ ધારણ કરી મોક્ષ પામે છે. પરંતુ સર્વાર્થસિદ્ધ વિમાનવાસી દેવો ફક્ત એક જ વાર મનુષ્યજન્મ લે છે; તે એ વિમાનથી યુત થયા પછી મનુષ્યત્ય ધારણ કરી એ જન્મમાં જ મેક્ષ પ્રાપ્ત કરે છે. અનુત્તર વિમાનવાસી સિવાય બીજા કોઈ પણ પ્રકારના દેવા માટે કાંઈ નિયમ નથી; કેમ કે કઈક તે એક જ વાર મનુષ્યજન્મ લઈ મોક્ષ પામે છે, કેઈ બે વાર, કેઈ ત્રણ વાર, કઈ ચાર વાર અને કાઈ એથી અધિક વાર જન્મ ધારણ કરે છે.
ક્ષમા એ જ મોક્ષને ભવ્ય દરવાજે છે.
Page #110
--------------------------------------------------------------------------
________________
૨૬૨ પ્ર. આત્માની રુચિવાળે જીવ મરીને ક્યાં જાય ? ઉ. આત્માની રુચિવાળે જીવ મરીને દેવમાં જ જાય. આ તરવની રૂચિ
છે, વાંચન-શ્રવણ છે, ભક્તિ પૂજા આદિ છે એ બધા તે દેવ જ
થાય. કેઈ સાધારણ હોય તે તે મનુષ્ય થાય. ૨૬૩ પ્ર. કેવા પ્રકારના દેવ થાય ? ઉ. એ તે તેની યોગ્યતા અનુસાર, ભવનત્રિક કે વૈમાનિકમાં જાય અને
આત્માનુભવી તો વૈમાનિકમાં જ જાય. ૨૬૪ પ્ર. કઈ જીવ ધમાં હેય પણ તેનામાં ઠેષભાવ હોય તે મરીને તેની
કઈ ગતિ થાય ? ઉ. ધર્મી માણસ હોય પણ તેનામાં જે શ્રેષભાવ હોય તે મરીને
વાણુવ્યંતર દેવ થાય છે, માટે ઠેષને ત્યાગ કર. ૨૬૫ પ્ર. આ બધે વિષય શા આધારે છે અને સાચે કેમ મનાય ? ઉ. આ બધી બાબત જૈન સૂત્રો કહે છે, અને એ બધી બાબત
સર્વાએ નજરે જોઈ છે. જે જ્ઞાન વડે કેવળી જુએ તે જ્ઞાન આપણને થાય તો આપણે પણ જોઈ શકીએ. ત્યાં સુધી આપણી અયોગ્યતાને કારણે સમજાતું નથી પણ વિતરાગનાં કહેલાં વચને
પૂર્ણ સત્ય છે એ નિશ્ચય રાખો. ૨૬૬ પ્ર. જે છ દીક્ષા અંગીકાર કરે છે, તે સંસાર બ્રમણથી છૂટી જશે ?
ઉ. જેનાં રાગ, દ્વેષ અને અજ્ઞાન ક્ષીણ પામી ગયાથી સંસારત્યાગરૂપ
દીક્ષા અંગીકાર કરી છે તેના જન્મ અલ્પ છે. તે સિવાય બીજા પ્રકારે દીક્ષાનું ધારણ કરવું તે સફળપણાને પ્રાપ્ત થતું નથી; અને જીવ તેવી બીજા પ્રકારની દીક્ષારૂપ બ્રાંતિએ પ્રસ્ત થઈ અપૂર્વ એવા કલ્યાણને ચૂકે છે. દીક્ષિતમાં પણ ભદ્રિતાને લીધે કાં તો દીક્ષા, કાં તે ભિક્ષા માગ્યા જેવી સ્થિતિથી મૂંઝાઈને પ્રાપ્ત થયેલી દીક્ષા, કાં તે સ્મશાન વૈરાગ્યમાં લેવાઈ ગયેલી દીક્ષા હોય છે. શિક્ષાની સાપેક્ષ સ્કૂરણુથી પ્રાપ્ત થયેલી દીક્ષાવાળો પુરુષ
વિરલ જ દેખશે. ૨૬૭ પ્ર. નરક એટલે માત્ર ભય બતાવવા પૂરતી જ વાત છે ને?
ઉ, ના, નરક એટલે માત્ર ભય બતાવવા પૂરતી વાત નથી, પણ તે
સપુરુષના અંત કરણે આચાર્યો કિંવા કહ્યો તે ધર્મો :
Page #111
--------------------------------------------------------------------------
________________
૯
પાપના ફળનુ સ્થાન છે. એક માણસ હારા માણસને મારી નાંખે તા તેની સજા શુ' ? એકને મારે તેને પણ ફાંસી ને હજારાને મારે તેને પણ ફાંસી ? પાપના પ્રમાણમાં તેના ફ્ળમાં તીવ્ર દુઃખા જ્યાં પ્રાપ્ત થાય તે નરનુ સ્થાન છે.
૨૬૮ પ્ર. નરકામાં કેટલા પ્રકારની વેદના હેાય છે ?
ઉ. નાની ત્રણ પ્રકારની વેદના મનાય છે; ક્ષેત્રસ્વભાવજન્ય, પરસ્પરજન્ય અને પરમાધામિકજનિત. પહેલા બે પ્રકારની વેદના સાતે ભૂમિએમાં સાધારણ છે, પરંતુ ત્રીજા પ્રકારની વેદના ફક્ત પહેલી ત્રણ ભૂમિએમાં હોય છે; કેમ કે એ ભૂમિએમાં પરમાધામિક છે. પરમાધામિક એક પ્રકારના અસુર દેવેા છે, જે ઘણા જ ક્રૂર સ્વભાવવાળા અને પાપરત હોય છે. એમની બ, અંબરીષ આદિ પંદર જાતિઓ છે. તે સ્વભાવથી એટલા નિર્દય અને કુતૂહલી હાય છે કે એમને ખીજાઓને સતાવવામાં જ આનંદ મળે છે; આથી તેએ દ્વારકાને અનેક પ્રકારના પ્રહારાથી દુઃખી કર્યા જ કરે છે.
સાતે ભૂમિએના નારકાની વેદના ઉત્તરાત્તર અધિક તીવ્ર હોય છે. પહેલી ત્રણ ભૂમિએમાં ઉષ્ણુ વેદના, ચોથીમાં ઉષ્ણુશીત, પાંચમીમાં શીતેાષ્ણુ, ઠ્ઠીમાં શીત અને સાતમીમાં શીતતર વેદના હાય છે.
ભૂખ અને તરસનુ દુઃખ એનાથી પણ વધારે ભયંકર હોય છે. અગ્નિની માફક બધું ખાતાં પણ શાંતિ થતી નથી, ઉલટુ ભૂખની વાળા તેજ થતી જાય છે. અસંખ્ય ચેાજનાના જેતે વિસ્તાર છે અને જેના પાણીના સ્વાદ મધુર છે એવા સ્વયંભૂરમણુ સમુદ્રનું સંપૂર્ણ પાણી પી લેતા પણુ તરસ છીપે નહિં એવી તીવ્ર તૃષા નારકીના જીવની હોય છે. આ દુ:ખ ઉપરાંત વધારે મેટુ દુઃખ તા એમને પરસ્પરમાં વેર અને મારપીટથી થાય છે. જેમ ખિલાડી અને ઉદર તથા સાપ અને નાળિયે જન્મશત્રુ છે,
જીવ એમ કહે છે કે મારી તૃષ્ણા, અહંકાર, લાભ આદિ ઢાષા જતા નથી; અર્થાત જીવ પાતાના દોષ કાઢતા નથી; અને ઢાષના વાંક કાઢે છે.
Page #112
--------------------------------------------------------------------------
________________
તેમજ નારકછ પણ જન્મશત્ર છે. આથી તેઓ પરસ્પરજનિત દુખવાળા કહેવાય છે. નારકીના છ નિરંતર ધમણની પેઠે. શ્વાસેઙ્ગવાસ લે છે.
શ્રી રત્નકરંડ શ્રાવકાચારમાં નારકીનાં દુઃખોનું વર્ણન કરતાં કહ્યું છે કે નરકના જીવના ક્ષણમાત્રના દુઃખનું કરડે છથી ને કરડે ભવથી વર્ણન થઈ શકે નહીં. નારકને જીવોને એટલું દુઃખ છે કે એ રાડ પાડે અને તે રાડ જે સિંહ ને હાથી સાંભળે તો તેનાં કાળાં ફાટી જાય. નરકની ભૂમિની ગંધ એવી છે કે તે ગંધને. એક કણિયે પણ જે અહીં લાવવામાં આવે તે કેટલાયે જનના મનુષ્ય તે ગંધથી મરી જાય. નરકનાં દુઃખોને જે સ્વપ્નમાં એક ક્ષણ પણ જોઈ લે તે હાર્ટ ફેઇલ થઈ જાય, એવું નરકના એક ક્ષણનું દુઃખ છે. - નરકમાં જીવ ઘણાં તીવ્ર દુઃખો ઘણા સમય,–ઓછામાં ઓછી દશ. હજાર વર્ષ અને વધારેમાં વધારે તેત્રીસ સાગરોપમ કાળ સુધી ભેગવે છે. નરકમાં સ્ત્રી-પુરુષ હોતા નથી, બધા નપુંસક જ હોય છે.
જીવતે જીવતા જમશેદપુરની ભઠ્ઠીમાં નાંખે ને જે પીડા થાય તેના કરતાં અનંતગણી પીડા પહેલા નરકમાં છે. પારે જેમ ઢોળાય ત્યારે નાના નાના કણરૂપ થઈ જાય ને પાછા ભેગો થઈ જાય એમ જીવની સ્થિતિ ત્યાં થાય. નરકની ઉણતાને એક કરું, અહીં આવે તો હજારે જોજનના માણસો ગરમીથી મરી જાય એવી એવી અનંત દુઃખોની પરાકાષ્ટાનું શું કહેવું ? એક લાખ જોજનની ઊંચાઈવાળા સુમેરુ પર્વતની બરાબર લેઢાને પીંડ પણ ઓગળી જાય છે; તથા છઠ્ઠી અને સાતમી નેરભૂમિમાં ઠંડી પણ
એવી પડે છે કે તેટલે મોટે લેઢાને ગળે પણ ગળી જાય છે. ૨૬૯ ક. ઠંડીમાં લેઢાને ગળે કેવી રીતે ઓગળી જાય ? “
ક્રિયા એ કર્મ, ઉપગ એ ધર્મ, પરિણામ એ બંધ, ભ્રમ એ મિથ્યાત્વ, બ્રહ્મ તે આતમા, અને શંકા એ જ શક્ય છે, શેકને સંભારે નહીં, આ ઉત્તમ વસ્તુઓ જ્ઞાનીઓએ મને આપી,
Page #113
--------------------------------------------------------------------------
________________
ઉ. જેવી રીતે લેકમાં કહેવાય છે કે ઠંડીથી હાથ ઠુંઠવાઈ ગયા,
હીમથી ઝાડ અથવા અનાજ બળી ગયું વગેરે, એટલે કે લોઢાની અંદર એકદમ ઉગ્ર ઠંડીના કારણે ચીકણાઈ ઓછી થવાથી તેને સ્કંધ વિખરાઈ જાય છે. (લેઢાના એક અણુ અને બીજા અણુ વચ્ચેની સ્નિગ્ધતા અથવા ચુંબક્તા, ઠંડીના કારણે નષ્ટ પામે છે.
તેથી તેને અણુઓ વીખરાઈ જાય છે.) ૨૭૦ પ્ર. જીવને આટલું બધું દુઃખ પડે તો તે વીતરાગને માર્ગ કેમ
સ્વીકારતા નથી ? ઉ. છએ ચારે ગતિના ભીષણ દુઃખને સહન કરતાં કરતાં એટલાં
બધાં આંસુ પાડયાં છે કે તે આંસુઓને કેાઈ દેવ એકત્ર કરે તે અનંત સમુદ્ર ભરાઈ જાય, તેના દુઃખ જોઈને દુશ્મનની પણ આંખમાંથી આંસુ આવી જાય. જીવ મોહનીય કર્મ, રસ-રંગથી એટલે બધે રંગાઈ ગયું છે કે તેને વીતરાગને માર્ગ રચતો જ નથી. હવે આવા ભવ ભવના દુઃખથી છૂટવા માટે તું તારા,
એકત્વ સ્વભાવની ભાવના ભાવ. ર૭૧ પ્ર. નરકનું દુઃખ વધારે કે નિગોદનું ?
ઉ. (અનિષ્ટ) સંયોગથી જુએ તે નરકનું દુઃખ વધારે લાગે છે, પણ વિપરીત દષ્ટિ અનેવિપરીત પરિણમનની અપેક્ષાએ જુએ તનિગોદમાં બહુ દુઃખ છે. ત્યાં જ્ઞાનની પર્યાય અક્ષરને અનંતમે ભાગે રહી ગઈ છે, વસ્તુ ભલે વસ્તુપણે છે પણ પર્યાયમાં અ૯પજ્ઞાનનું ઘણું દુખ. છે. કેમ કે નિગોદને એની પર્યાયમાં અલ્પજ્ઞપણું છે તે અનંત દુઃખ છે. દુ:ખની વ્યાખ્યા એવી નથી કે માથે બહાર પડે છે કે અગ્નિ બળે છે માટે વધુ દાખી છે, એ તે નિમિત્તના સંગની વ્યાખ્યા છે. દુઃખની વ્યાખ્યા તો આનંદ સ્વરૂપ ભગવાન અંદર પર્યાયમાં જેટલે ઊધે પડે તેટલું દુઃખ છે; આ દુઃખની
વ્યાખ્યા છે. ર૭૨ પ્ર. નરકમાં જીવ ધર્મસન્મુખ થઈ શકે ખરે ?
જૂવા, આમિષ, મદિરા, દારી, આહટક, ચેરી, પરનારી; એહિ સસ્તવ્યસન દુ:ખદાઈ, દુરિતમૂળ દુર્ગતિ કે જાઈ
- -
-
Page #114
--------------------------------------------------------------------------
________________
ઉ. નરકમાં ધર્મસમુખ થવાના ત્રણ નિમિત્ત હોય છે. ૧. પહેલી ત્રણ નરકમાં કઈ દેવ જઈને પૂર્વના પ્રેમી ભાઈબંધને
ધર્મ સંભળાવે અને એમ દેવ દ્વારા ધર્મશ્રવણ પામતો આત્મ
સમુખ થાય છે. ૨. કેઈ નારકી જીવને જાતિસ્મરણ થાય અને પૂર્વે સાંભળેલ - ગુરુને ઉપદેશ યાદ આવતાં આત્મસન્મુખ થાય છે. ૩. કઈ જીવ નરકની અસહ્ય પીડાથી નરકને, પાપના ફળનું સ્થાન
જાણીને, પોતાના સ્વરૂપના ચિંતવનમાં ચઢીને અંદરમાં ઉતરી જાય છે. આ રીતે પહેલી ત્રણ નરકમાં ધર્મસમુખ થવામાં ધર્મશ્રવણ, જાતિસ્મરણ અને વેદના નિમિત્ત થાય છે. જેથીથી સાતમી નરકમાં દેવનું ગમન હોતું નથી, તેથી ત્યાં જાતિસ્મરણ અને વેદના નિમિત્ત હોઈ શકે. આમ નિમિત્ત પામતાં પરથી ખસીને અંતરમાં વળી જાય અને સફદર્શન પામે. સાતમી નરકમાં જવાવાળા જીવ મિથ્યાદષ્ટિ હોય છે અને ત્યાં ગયા પછી કઈ કઈને સમતિ થઈ જાય છે. ત્યાં તેને પાણીનું ટીપું, અનને દાણે અથવા સૂવા માટે જગ્યા મળતી નથી. જન્મતાંની સાથે તેને શરીરમાં મહારોગ હોય છે. આવા પ્રતિકૂળ સંજોગોમાં પણ આત્મા પોતાની શાંતિ અને સમક્તિ
પ્રગટ કરી શકે છે. ૨૭૩ પ્ર. મનુષ્યના મુખ્ય બે ભેદ કહ્યા છે તે ક્યા ?
ઉ. મનુષ્યના મુખ્ય બે ભેદ, ગર્ભજ અને સમૂરિષ્ઠમ. તેમાં ગર્ભમાં
૧૫ કર્મભૂમિ, ૩૦ અકર્મભૂમિ અને પ૬ અંતરદ્વીપવાસી મળી ૧૦૧ ભેદ છે. ૧૦૧ જાતના મનુષ્યના અપર્યાપ્તા અને પર્યાપ્તા
એવા બબ્બે ભેદ ગણતાં ૨૦૨ પ્રકાર ગર્ભજ મનુષ્ય થયા. ૨૭૪ પ્ર. પર્યાપ્તા અને અપર્યાપ્ત જીવ કોને કહે છે ? - ઉ. જ્યારે જીવ કેઈ નિમાં પહોંચે છે ત્યારે ત્યાં જે પુદ્ગલેને ગ્રહ
છે તેમાં આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોચ્છશ્વાસ, ભાષા, મન બનવાની
પુયે પામે પગ જીવ, પાપે નરક નિવાસ બે તજી જાણે આત્માને, તે પામે શિવલાસ,
Page #115
--------------------------------------------------------------------------
________________
શક્તિ અંતર્મુહૂર્તમાં (૪૮ મિનિટની અંદર) થઈ જાય છે તેને પર્યાપ્ત કહે છે;
આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મન એ છે પર્યાપ્ત છે, તેમાંથી પહેલી ત્રણ પર્યાતિ બધા જીવ બાંધે છે. બાકીની પર્યાતિમાંથી જે ગતિમાં શરીર બનાવવા માટે જેટલી બાંધવાની હોય તેટલી પૂરેપૂરી બંધાઈ રહે ત્યાં સુધી અપર્યાપ્ત કહેવાય અને જેટલી બાંધવાની છે એટલી બધી લે ત્યારે. પર્યાપ્ત કહેવાય.
પણ જ્યાં સુધી શરીર બનવાની શક્તિ પૂર્ણ નથી થઈ શક્તી. ત્યાં સુધી તેને નિવૃત્યપર્યાપ્ત કહે છે અને જે છ માંથી કઈ પર્યાપ્તિ પૂર્ણ કરી શકતા નથી અને તરત જ મરી જાય છે,
તેને લબ્ધપર્યાપ્ત કહે છે. ૨૭૫ પ્ર. સમરિષ્ઠમ મનુષ્ય કોને કહે છે ? ઉ. ૧૦૧ પ્રકારના ગર્ભજ મનુષ્યમાંથી નીકળતા મળમૂત્ર, લીંટ, બળખા,
ઉલટી, પિત્ત, પરૂ, લેહી, વિર્ય, મુએલા મનુષ્યના કલેવર વગેરે ચૌદ પ્રકારની વસ્તુઓમાં જે જીવ ઉપજે છે તેને સમર્ણિમ મનુષ્ય કહે છે, તે અપર્યાપ્તા જ મરે છે. સમૂર્ણિમ મનુષ્યના
૧૦૧ ભેદ થાય છે. ૨૭૬ પ્ર. મેક્ષમાર્ગમાં જરૂરી એવી અનુકૂળતાએ કેટલા પ્રકારે છે, કે જે
“સુગ” ફક્ત મનુષ્યભવમાં આપણને મળ્યો છે ? ઉ. (૧) મનુષ્યભવ, (૨) આર્યક્ષેત્ર, (૩) ઉત્તમ કુળ (૪) દીર્ધ
આયુષ્ય, (૫) પૂર્ણ ઈન્દ્રિ, (૬) નીરોગી શરીર, (૭) સગુરુ સંગ, (૮) શાસ્ત્રશ્રવણ; વીતરાગવાણીનું શ્રવણ, (૯) શુદ્ધ શ્રદ્ધા,
(૧૦) શુદ્ધ ફરસના, અશુભનો ત્યાગ કરી શુભ વસ્તુ આદરે. ૨૭૭ ક. નરક,તિર્યંચ, દેવતા અને મનુષ્યમાં કઈ ઈચછી સૌથી વધુ તીવ્ર હોય છે? ઉ. નરકમાં ભયસંજ્ઞા અધિક, તિર્યંચમાં આહારસંજ્ઞા અધિક, દેવતામાં
પરિગ્રહસંજ્ઞા અધિક અને મનુષ્યમાં મિથુનસંજ્ઞા અધિક હોય છે.
ધર્મનું મૂળ વૈરાગ્ય છે. “ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન,
Page #116
--------------------------------------------------------------------------
________________
૨૭૮ પ્ર. જીવે ચાર ગતિમાંથી સૌથી વધારે કઈ ગતિમાં ભવ કર્યા છે ? ઉ. આત્માના અજ્ઞાનથી ચાર ગતિમાં ભમતા જીવે સૌથી વધુ ભવા
તે તિર્યંચ ગતિમાં કર્યા છે, તે ઉપરાંત સ્વર્ગ-નરક-મનુષ્યને પણ અનંત અવતાર ક્ય છે; તેમાંય મનુષ્ય કરતાં નરકના અવતાર અસંખ્ય ગણા કર્યા છે, ને નરક કરતાંય સ્વર્ગના અવતાર અસંખ્ય ગણું કર્યા છે. સરેરાશ અસંખ્ય અવતાર સ્વર્ગના કે નરકના કરે
ત્યારે મનુષ્યને એક અવતાર મળે. ૨૭૯ પ્ર. આ લેક ત્રિવિધ તાપથી બળે છે એમ ઘણીવાર કહેવામાં
આવે છે તે તે ત્રિવિધ તાપ કોને કહે છે ? આધિ-મનમાં ચિંતા ફકર થાય તે, અંદરમાં પુણ્ય-પાપનાં અનેક પ્રકારના ઉત્પન્ન થતા વિકલ્પોને આધિ કહે છે. વ્યાધિ-શરીર સંબંધી રોગ, શરીરમાં રોગ થવાથી તે તરફ લક્ષા થનારા ભાવને વ્યાધિ કહે છે. ઉપાધિ-બહારથી વ્યાપાર વગેરેની પ્રવૃત્તિ. સ્ત્રી, પુત્ર, મકાન, લક્ષ્મી વિગેરે બાહ્ય પદાર્થના લક્ષે થવાવાળા ભાવને ઉપાધિ કહે છે. એ ત્રિવિધ તાપ છે. અથવા જન્મ, જરા, મરણ એ પણ ત્રિવિધ
તાપ કહેવાય છે. ૨૮૦ પ્ર. સંસારમાં જ્યારે હજાર પ્રકારની પ્રતિકૂળતા એકી સાથે આવી
પડે, ક્યાંય માર્ગ ન સૂઝે, ત્યારે શું ઉપાય છે ? ઉ. ત્યારે એક જ ઉપાય છે વૈર્યપૂર્વક જ્ઞાનભાવના, આત્મભાવના,
આત્મવિચારમાં મન પરોવવું. જ્ઞાનભાવના, આત્મભાવના, આત્મ વિચાર ક્ષણમાત્રમાં બધા પ્રકારની ઉદાસીનતાને નષ્ટ કરી હિતને માર્ગ સુઝાડે છે, શાંતિ આપે છે, કોઈ અલૌકિક વૈર્ય અને અચિંત્ય શક્તિ આપે છે, મેટામાં મેટા સંકટમાંથી બચવાને માર્ગ ફક્ત એક આ જ છે. (આ વાત અનુભવસિદ્ધ છે. જે તેને છેડે વખત પ્રયત્ન, અખતર અને અનુભવ કરશે તેને સહજમાં સમજાયા વગર રહેશે નહિ. આ વાત અત્યંત સત્ય છે,
દીર્ઘ દર બે ખેંચતા, ભમે દંડ બહુવાર, રાગઢષ અજ્ઞાનથી, જીવ ભમે સંસાર,
Page #117
--------------------------------------------------------------------------
________________
૯૫
જરૂરથી શ્રહા રાખવા જેવી છે.) મનની સ્થિરતાના એકમાત્ર ઉપાય જ છે, આત્માની રમણતા
આત્માનું જ્ઞાન, શ્રદ્ધા અને ધ્યાન જ છે.
જેનું નિવારણ ન થઈ શકે, તથા પૂર્વભવમાં સચિત એવા કર્મ રૂપી કારણથી જો કાઇ, પેાતાની સ્ત્રી, પુત્ર, મિત્ર આદિનુ મૃત્યુ થાય ત્યારે વિનાપ્રયાજન અત્યંત શાક કરે, તે મૂખ મનુષ્યને તે પ્રમાણેના વ્યર્થ શોક કરવાથી કાંઈ પણ મળતુ નથી, અને તે મૂઢ મનુષ્યનાં ધર્મ, અર્થ, કામ આદિના પણ નાશ થાય છે તેથી વિદ્વાનાએ તે પ્રકારના શેક કદાપિ નહીં કરવા જોઇએ. ૨૮૧ પ્ર. શારીરિક, માનસિક અનંત પ્રકારનાં દુઃખાએ આકુલવ્યાકુલ વેને તે દુ:ખાથી છૂટવાની બહુ પ્રકારે ઈચ્છા છતાં તેમાંથી તે મુક્ત થઈ શક્તા નથી તેનું શું કારણ ?
ઉ. ધર્માંથી દુ:ખ મટે” એમ ઘણાખરા વિચારવાનાની માન્યતા થઈ. પણ ધનુ' સ્વરૂપ સમજવામાં એકખીજામાં ધણેા તફાવત પડયો. ઘણા તેા પેાતાના મૂળ વિષય ચૂકી ગયા, અને ઘણા તેા તે વિષયમાં મતિ થાકવાથી અનેક પ્રકારે નાસ્તિકાદિ પરિણામેાને પામ્યા.
સર્વ જીવને હિતકારી, સર્વ દુઃખના ક્ષયને એક આત્ય ંતિક ઉપાય, પરમ સદુપાયરૂપ વીતરાગદર્શન છે. તેની પ્રતીતિથી, તેના અનુકરણથી, તેની આજ્ઞાના પરમ અવલંબન વડે જીવ ભવસાગર તરી જાય છે. સમવાયાંગ સૂત્ર”માં કહ્યું છે કે ઃ
આત્મા શું ? કર્મ શું ? તેના કર્તા કાણુ ? તેનું ઉપાદાન કાણુ ? નિર્મિત્ત ક્રાણુ ? તેની સ્થિતિ કેટલી ? કર્તા શા વડે ? શું પરિણામમાં તે બાંધી શકે ? એ આદિ ભાવાનું સ્વરૂપ જેવું નિત્ર થ સિદ્ધાંતમાં સ્પષ્ટ, સૂક્ષ્મ અને સંકલનપૂર્વક છે તેવુ કાઇ પણ દનમાં નથી. ૨૮૨ પ્ર. આવું મેલું મનુષ્યપણુ પામીને શું કરવું ?
ઉ. ખીજાં હજાર કામ પડતાં મૂકીને આત્માને એળખવા. ૨૮૩ પ્ર. આત્મહિત માટે સમય નથી મળતા એમ કહે તા ?
“આર ભેલાં અધૂરાં તુરત આચિંતુ તેડું
રહેશે; કઇક જગતમાં કામ, આવે, તજીને જવું તમામ.”
Page #118
--------------------------------------------------------------------------
________________
ઉ. તે તેને આત્માને રસ નથી, આત્મા વહાલે નથી. તેને આત્માના
હિતની દરકાર નથી. He who givesHIM second place gives HIM none. જે જીવ ખાવા, પીવા, કમાવા આદિ અનેક કાર્યોમાં પુરુષાર્થ કરે છે અને ધર્મની વાતમાં ભાવિ, હેનહાર, નસીબ બતાવી સ્વભાવ સન્મુખ થવાને પુરુષાર્થ કરતો
નથી, તે તે સ્વચ્છંદી છે. ૨૮૪ પ્ર. જન્માંતર માટે અથવા મોક્ષ માટે જ્યારે જીવ ગતિ કરે છે ત્યારે,
અર્થાત અંતરાલગતિના સમયે, સ્થૂલ શરીર ન હોવાથી જીવ કેવી રીતે પ્રયત્ન કરે છે ? ઉ. અંતરાલગતિ બે પ્રકારની છે : ઋજુ અને વક્ર. ઋજુગતિથી
સ્થાનાંતરે જતા જીવને નવો પ્રયત્ન કરે પડતું નથી, કેમ કે જ્યારે તે પૂર્વશરીર છેડે છે ત્યારે તેને પૂર્વશરીરજન્ય વેગ મળે છે; તેનાથી તે બીજા પ્રયત્ન સિવાય જ ધનુષ્યથી છૂટેલા બાણની માફક સીધે જ નવા સ્થાન ઉપર પહોંચી જાય છે. બીજી ગતિ વક્ર-વાંકી હોય છે. આ ગતિથી જનાર જીવન નો પ્રયત્ન કરે પડે છે, કેમકે પૂર્વશરીરજન્ય પ્રયત્ન જીવને જ્યાંથી વળવું પડે છે ત્યાં સુધી જ કામ કરે છે; વળવાનું સ્થાન આવતાં જ પૂર્વદેહજનિત પ્રયત્ન મંદ પડે છે. માટે ત્યાંથી સૂક્ષ્મશરીર કે જે જીવની સાથે એ સમયે પણ હોય છે, તેનાથી પ્રયત્ન થાય છે. એ સૂક્ષ્મ શરીરજન્ય પ્રયત્ન જ “કામેણુગ” કહેવાય છે. એ
આશયથી સૂત્રમાં કહ્યું છે કે વિગ્રહગતિમાં કામણગ જ છે. ૨૮૫ પ્ર. ગતિશીલ પદાર્થ ગતિ કરે છે તે ક્યા નિયમથી ? ઉ. ગતિશીલ પદાર્થ બે જ પ્રકારના છે : જીવ અને પુદ્ગલ, એ બંનેમાં
ગતિક્રિયાની શક્તિ છે. જીવ સ્વભાવથી ઊર્ધ્વ ગતિ કરે છે અને પદૂગલ અધોગતિ કરે છે. અશુદ્ધ આત્મા કર્મમળના દબાણથી નીચી, તિથ્વી વિગેરે, ગમે તે દિશામાં ગતિ કરે છે. નિમિત્ત મળતાં ગતિ કરવા લાગે છે. તેઓ બાહ્ય ઉપાધિથી ભલે વાંકી ગતિ કરે,
જેમ દષ્ટિ પ્રાણુની તિમિર હર, તે કાર્ય છે નહીં દીપથી, ત્યમ જીવ સ્વયં સુખ પરિણમે, વિષયે કરે છે શું તહીં?
Page #119
--------------------------------------------------------------------------
________________
પરંતુ એની સ્વાભાવિક ગતિ તો સીધી જ છે. સીધી ગતિને અર્થ એ છે કે પહેલાં જે આકાશક્ષેત્રમાં આવે અથવા પરમાણુ સ્થિત હોય ત્યાંથી ગતિ કરતાં કરતાં તે એ જ આકાશક્ષેત્રની સરળ રેખામાં ઊંચે, નીચે અથવા તીરછ ચાલ્યો જાય છે. આ સ્વાભાવિક ગતિને લઈને સૂત્રમાં કહ્યું છે કે ગતિ અનુશ્રેણી હેય છે. કોઈ પ્રતિઘાતકારક કારણ હોય ત્યારે જીવ અથવા પુદ્ગલ,
શ્રેણી–સરળ રેખા–ને છેડીને વક્ર રેખાએ પણ ગમન કરે છે. ૨૮૬ પ્ર. ગતિક્રિયાના કેટલા પ્રકાર છે અને કયા ક્યા ? જીવ કઈ કઈ ગતિ
ક્રિયાને અધિકારી છે ? ઉં. પૂર્વશરીર છોડી બીજે સ્થાને જતા જીવો બે પ્રકારના છે: (૧)
સ્કૂલ અને સૂક્ષ્મ શરીરને સદાને માટે છોડી સ્થાનાંતર કરનારા જીવો, તેઓ “મુમાન-મોક્ષે જતા કહેવાય છે; અને (૨) જેઓ પૂર્વ સ્થૂલ શરીરને છોડી નવા સ્કૂલ શરીરને પ્રાપ્ત થાય છે તે છે. તેઓ અંતરાલગતિના સમયે સૂક્ષ્મ શરીરથી અવશ્ય વીંટાયેલા હોય છે. એવા છ સંસારી કહેવાય છે. મુશ્યમાન જીવ મોક્ષના નિયત સ્થાન ઉપર ઋજુગતિથી જ જાય છે, વક્ર ગતિથી નહિ, કેમકે તે પૂર્વ સ્થાનની સરળરેખાવાળા મોક્ષપ્રસ્થાનમાં ઉત્પન્ન થાય છે, જરા પણ આઘા પાછી નહિ, પરંતુ સંસારી જીવની ઉત્પત્તિ
સ્થાન માટે કોઈ નિયમ નથી. પુનર્જનમના નવીન સ્થાનને આધાર પૂર્વે કરેલાં કર્મ ઉપર છે. એથી સંસારી જીવ ઋજુ અને વક્ર બને ગતિના અધિકારી છે. સારાંશ એ છે કે, મુક્તિસ્થાનમાં જતા આત્માની જ માત્ર એક સરળ ગતિ હોય છેઅને પૂવર્જન્મને માટે સ્થાનાંતર કરતા જીવોની સરળ તથા વક્ર બને ગતિઓ હોય છે. જુગતિનું બીજું નામ ઈષગતિ પણ છે. વક્રગતિનાં પાણિમુક્તા', લાંગલિકા” અને “ગૌમૂત્રિકા” એવાં ત્રણ નામ છે. જેમાં એક વાર સરળરેખાને ભંગ થાય તે “પાણિમુક્તા', જેમાં બે વાર થાય તે
વ્યવહારનય અજ્ઞાનીને સમજાવવા માટે છે, પરંતુ શુદ્ધ નિશ્ચયનય કર્મોનો ક્ષય કરવા માટે છે.
Page #120
--------------------------------------------------------------------------
________________
૯૮
લાંગલિકા અને જેમાં ત્રણ વાર થાય તે મૂત્રિકા'. જીવની કેઇપણ
એવી વક્રગતિ નથી હોતી કે જેમાં ત્રણથી અધિક વાંક લેવા પડે. ૨૮૭ પ્ર. અંતરાલગતિનું જઘન્ય અથવા ઉત્કૃષ્ટ કાલમાન કેટલું છે તે
કાલમાન કયા નિયમ ઉપર અવલંબિત છે ? ઉ. અંતરાલગતિનું કલમાન જઘન્ય એક સમયનું અને ઉત્કૃષ્ટ ચાર
સમયનું છે. જ્યારે જુગતિ હોય ત્યારે એક જ સમય અને જ્યારે વક્રગતિ હોય ત્યારે બે, ત્રણ અથવા ચાર સમય સમજવા. સમયની સંખ્યાની વૃદ્ધિને આધાર વાંકની સંખ્યાની વૃદ્ધિ ઉપર અવલંબિત છે. જે વક્રગતિમાં એક વાંક હોય એનું કાલમાન બે સમયનું; જેમાં બે હોય તેનું કાલમાન ત્રણ સમયનું અને જેમાં ત્રણ હોય તેનું કાલમાન ચાર સમયનું સમજવું. | ઋજુગતિથી જન્માંતર કરતા જીવને પૂર્વ શરીર ત્યાગતી વેળાએ જ નવીન આયુષ્ય, અને ગતિર્મને ઉદય થઈ જાય છે અને વક્રગતિવાળા જીવને પ્રથમ વક્રસ્થાને નવીન આયુ; ગતિ અને આનુપૂર્વી નામકર્મને યથાસંભવ ઉદય થઈ જાય છે, કારણ કે,
પ્રથમ વર્કસ્થાન સુધી જ પૂર્વભવીય આયુ વગેરેને ઉદય રહે છે. ૨૮૮ પ્ર. મૃત્યુ થતાં જીવ દેહ ત્યાગી કેવી રીતે ગમન કરે ? ઉ. પદાર્થમાત્રનું ગમન સમણીએ થાય છે. વિષમણીએ થતું નથી.
કારણ કે આકાશના પ્રદેશની સમશ્રેણી છે; આત્માને ઉર્ધ્વ સ્વભાવ છે તે પ્રમાણે પ્રથમ ઊંચે જાય અને વખતે સિદ્ધશિલાએ ભટકાય; પણ કર્મરૂપી બે હોવાથી નીચે આવે. જેમ ડૂબેલો
માણસ ઉછાળાથી એક વખત આવે છે તેમ. ૨૮૯ પ્ર. જીવ એક દેહમાંથી બીજા દેહમાં શાથી કરીને જાય છે ? - ઉ. પૂર્વે બાંધેલું આયુષ્ય ક્ષીણ થવાથી જીવ ગતિનામકર્મને લીધે
આયુષ્ય અને લેસ્થાના વશથી બીજ દેહમાં જાય છે. ૨૯૦ પ્ર. મેક્ષે જતા સિદ્ધ કેવળી અથવા અરિહંતના છ કર્મમળ વિગેરેથી
સંપૂર્ણપણે મુક્ત હોઈ કેવી રીતે સિદ્ધક્ષેત્ર સુધી ગતિ કરે ? ઉ. “પૂર્વ પ્રગ” એટલે પૂર્વબદ્ધ કર્મ છૂટી ગયા પછી તેનાથી મળતા
પાપતવક પાપ તો, જાનત જગ સબ કેય, પુણ્યતત્વ ભી પાપ હૈ, કહત અનુભવી બુધ કેય,
Page #121
--------------------------------------------------------------------------
________________
વેગથી. પૂર્વ પ્રયોગનાં ચાર દષ્ટાંતે શાસ્ત્રમાં અપાયાં છે. ૧.કુંભાર, ચક્ર ૨. બંધ છેદ ૩. સ્વાભાવિક ગતિ પરિણામ અને ૪. અસંગતા. | કુંભારને ચાકડે જેમ એક વખત જોરથી ફેરવ્યા પછી પૂર્વે મળેલા વેગને પરિણામે ફર્યા કરે છે. ૨. કેશમાં રહેલું એરંડબીજ સુકાય ત્યારે કેશ ફાટવાથી તે વૃક્ષમાંથી નીકળી ઊંચે જાય છે. ૩. અગ્નિની જવાળા જેમ સ્વાભાવિક રીતે ઊંચે જાય છે. ૪. માટીથી લેપાયેલી તુંબડી પાણીમાં ડૂબી જાય છે પણ પલળ્યા પછી માટી પલળીને નીકળી જાય છે, ત્યારે તુંબડી ઉપર આવીને તરવા લાગે છે, તેમ આત્માની ઉર્ધ્વગતિ થાય છે. તેમજ આત્મા સિદ્ધ ક્ષેત્રમાં સ્થિર થયા પછી તેને નીચે આવવાને સ્વભાવ જ નથી,
તેથી નીચે નહીં આવતાં સિદ્ધ ક્ષેત્રમાં સ્થિર રહે છે. ૨૯૧ પ્ર, જીવને નીકળવાના કેટલા દ્વાર છે? ઉ. સ્થાનાંગ સૂત્રના પાંચમા સ્થાનમાં પાંચ દ્વાર કહ્યાં છે. ૧. પગથી ૨. અંધાથી ૩. હૃદયથી ૪. મસ્તકથી પ. સર્વ અંગેથી. પગથી જીવ નીકળે તે નરકગામી હોય છે. જઘાથી (સાથળમાંથી) નીકળે તે તિયચ. હૃદયથી નીકળે તે મનુષ્ય, મસ્તકથી નીકળે તો દેવ
અને સર્વ અંગોથી નીકળે તે સિદ્ધગામી હોય છે. ૨૯ર પ્ર. ચ્યવન અને ઉદ્વર્તન એટલે શું ? ઉ. નારકીમાંથી તથા ભવનપતિ, વાણવ્યંતર દેવોમાંથી નીકળી મનુષ્ય અને તિર્યંચ ગતિમાં જાય તેને ઉવટન (ઉવર્તન) કહે છે.
તિષી અને વૈમાનિક દેવોમાંથી નીકળી મનુષ્ય અને તિર્યંચ ગતિમાં જાય તેને ચ્યવન કહે છે.
જે કઈ વ્યવહારનય અને નિશ્ચયનય બંનેને યથાર્થ જાણીને મધ્યસ્થ થઈ જાય છે, તે જ શિષ્ય જિન વાણીના ઉપદેશનું ફળ પામે છે,
Page #122
--------------------------------------------------------------------------
________________
૬
છ કાય
૨૯૩ પ્ર. પ્રાણીએ કેટલા પ્રકારનાં છે ?
ઉ. પ્રાણીએ એ પ્રકારનાં છે. એક ત્રસ એટલે પોતે ભયાદિનું કારણ દેખી નાસી જતાં, હાલતાં ચાલતાં એ આદિ શક્તિવાળાં. બીજા સ્થાવરઃ જે સ્થળે દેહ ધારણ કર્યો છે, તે જ સ્થળે સ્થિતિમાન, અથવા ભયાદિ કારણ નાસી જવા વગેરેની સમજણુશક્તિ જેમાં નથી તે.
ત્રસ અને સ્થાવરમાં, ચાલી શકે અને ન ચાલી શકે એ અપેક્ષાથી અંતર ખતાવવું ડીક નથી, કારણ કે એમ માનવાથી ગમન વિનાના અયેાગી કેવળીમાં સ્થાવરનું લક્ષણ અને ગમન સહિત પવન વગેરે એકેન્દ્રિય જીવેામાં ત્રસનુ લક્ષણ મળવાથી અતિવ્યાપ્તિ દોષ આવે
છે. ખરેખર આ એમાં જે અંતર છે તે એ કે ત્રસાને ત્રસ નામ કર્મીના ઉદય હેાય છે અને સ્થાવરાને સ્થાવર નામકર્મના ઉદય હાય છે.
૨૯૪ પ્ર. પાંચ ઈન્દ્રિયાનાં નામ આપે.
ઉ. સ્પન, રસના, ધ્રાણુ, ચક્ષુ, શ્રેત્ર.
૨૯૫ પ્ર. કેટલી ઇન્દ્રિયવાળા સ્થાવર જીવા કહેવાય ?
ઉ. એકેન્દ્રિય પ્રાણીએ સ્થાવર કહેવાય. એકેન્દ્રિય પ્રાણીના પાંચ ભેદ છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ, તે જીવાને માહનુ પ્રબળપણું છે અને સ્પર્શ ઈન્દ્રિયના વિષયનું તેને જ્ઞાન છે, એ પાંચે પ્રકારના જીવનસમૂહ મનપરિણામથી રહિત છે. ૨૯૬ પ્ર. કેટલી ઈન્દ્રિયવાળા ત્રસ જીવે કહેવાય ?
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૧
ઉ, બે ઈન્દ્રિયવાળા પ્રાણીથી માંડીને પાંચ ઈન્દ્રિયવાળાં પ્રાણી સુધીનાં
ત્રસ કહેવાય. અ૫ યોગવાળા અગ્નિ અને વાયુકાય, તે ત્રસ (પણ
કહેવાય) છે. થ૯૭ પ્ર. એકેન્દ્રિય જીને કઈ સંજ્ઞા ય છે ? ઉ. કેન્દ્રિય જીવને અનુકૂળ સ્પર્શદિની પ્રિયતા અવ્યક્તપણે છે, તે
“મૈથુનસંજ્ઞા” છે. એકેન્દ્રિય જીવને દેહ અને દેહન નિર્વાહાદિ સાધનમાં અવ્યક્ત મૂળરૂપ “પરિગ્રહ-સંજ્ઞા” છે. વનસ્પતિ એકેન્દ્રિય
જીવમાં આ સંજ્ઞા કંઈક વિશેષ વ્યક્ત છે. ૨૯૮ પ્ર. કયા જી એકેન્દ્રિય જીવ કહેવાય ? ઉ. ઈંડામાં જેમ પક્ષીને ગર્ભ વધે છે, જેમ મનુષ્યગર્ભમાં મૂછગત
અવસ્થા છતાં છેવત્વ છે, તેમ “એકેન્દ્રિય જીવો” જાણવા. ૨૯૯ પ્ર. કયા જીવને બે ઈન્દ્રિય જીવો કહેવા ? ઉ. શબુક, શંખ, છીપ, કૃમિ એ આદિ જે છ રસ અને સ્પર્શને
જાણે છે, તે બે ઈન્દ્રિય” જી જાણવા. ૩૦૦ પ્ર. કયા જીવોને ત્રણ ઈન્દ્રિય જીવ જાણવા ? ઉ. જૂ, માંકડ, કીડી, વીંછી આદિ અનેક પ્રકારના બીજા પણ કીડાઓ
રસ, સ્પર્શ અને ગંધને જાણે છે, તે “ત્રણ ઈન્દ્રિય જીવો” જાણવા. ૩૦૧ અ. ચાર ઈન્દ્રિય જીવ કોને કહેવા ? ઉ. ડાંસ, મચ્છર, માખી, ભમરી, ભમરા, પતંગ આદિ રૂપ, રસ, ગંધ
અને સ્પર્શને જાણે છે તે “ચાર ઈન્દ્રિય જીવો” જાણવા. ૩૦૨ પ્ર. પંચ ઇન્દ્રિય જીવ કોને જાણવા ? ઉ. દેવ, મનુષ્ય, નારક, તિર્યંચ, જળચર, સ્થલચર અને ખેચર તે વર્ણ,
રસ, સ્પર્શ, ગંધ અને શબ્દને જાણે છે, તે બળવાન, “પાંચ
ઈન્દ્રિયવાળા છો” છે. ૩૦૩ પ્ર. દેવ, મનુષ્ય અને નારકીના ટલા પ્રકાર છે ? ઉ. દેવતાને ચાર નિકાય છે. મનુષ્ય કર્મ અને અકર્મ ભૂમિનાં એમ
બે પ્રકારનાં છે. તિર્યચના ઘણું પ્રકાર છે; તથા નારકી તેની પૃથ્વીની જેટલી જાતિ છે તેટલી જાતિના છે.
શાન તો રાનમાં જ છે, અન્ય કોઈ સ્થળે નથી, અર્થાત જ્ઞાની દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય છે.
Page #124
--------------------------------------------------------------------------
________________
૩૦૪ પ્ર. દેવો શરીરથી વિષયસુખ ભોગવવાવાળા હોય છે ? ઉ. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને પહેલા તથા બીજા સ્વર્ગના
વૈમાનિક આટલા દે મનુષ્યની માફક કામસુખને અનુભવ કરીને પ્રસન્નતા મેળવે છે. પહેલા સૌધર્મ સ્વર્ગના ઈંદ્રનું આયુષ્ય બે સાગરેપમનું હોય છે, પણ ઈંટણીનું આયુષ્ય તે ઓછું હોય છે, તેથી તે નવી નવી જન્મે છે. ઈંદ્રના બે સાગરના આયુષ્યમાં તે કરોડ–લાખ ઈંદ્રાણીઓ થઈ જાય છે. બીજા દેવકથી ઉપરના દેવલોકમાં દેવીઓ ઉત્પન થતી નથી. પહેલા દેવલોકની“અપરિગ્રહિતા” દેવીઓમાંથી એક પલ્યોપમના આયુષ્યવાળી દેવીઓ જ પહેલા દેવલોકના ઉપભોગમાં આવે છે. એક પલ્યોપમથી વધારે અને ૧૦ પલ્યોપમના આયુષ્યવાળી દેવીએ ત્રીજા દેવલોકના દેવોને ભોગયોગ્ય હોય છે. ૧થી વધુ અને ૨૦ પલ્યોપમના આયુષ્યવાળી દેવીઓ પાંચમા દેવલોકના દેવને ભગયોગ્ય હોય છે. આમ વધતા આયુષ્યવાળી દેવીઓ ઉપરને સાતમા, નવમા અને અગિયારમાં દેવલોકના દેવોને ભેગ એગ્ય હોય છે. તેવી રીતે બીજા દેવલોકની વધતા આયુષ્યવાળી “અપરિકહિતા” દેવીઓ અનુક્રમે બીજા, ચેથા, છઠ્ઠા, આઠમા, દશમા અને બારમા દેવલેકે વસતા દેને ઉપભોગમાં આવે છે. ત્રીજા સ્વર્ગથી માંડીને ઉપરના વૈમાનિક દેવો. મનુષ્યની સમાન સર્વાગીના શરીરસ્પર્શ દ્વારા કામસુખ જોગવતા નથી. કિન્તુ બીજીબીજી રીતે તેઓ વૈષયિક સુખને અનુભવ કરે છે. જેમ કે, ત્રીજા અને ચોથા સ્વર્ગના દેવ તે દેવીઓના માત્ર સ્પર્શથી કામતૃષ્ણાની શાંતિ કરી લે છે અને સુખને અનુભવ કરે છે, પાંચમા અને છઠ્ઠા સ્વર્ગના દેવો દેવીઓના આંગોપાંગ અને સુસજ્જિત રૂપને જોઈને જ વિષયજન્ય સુખસંતોષ મેળવી લે છે; સાતમા અને આઠમા સ્વર્ગના દેવેની કામવાસના દેવીઓના માત્ર વિવિધ વિષયજનક શબ્દ સાંભળવાથી શાંત થઈ જાય છે. અહીં સુધી પહેલા બીજા દેવકની “અપરિગ્રહિતા” દેવીઓને દેવતા તેડાવે છે. નવમા, દશમ, અગિયારમા અને બારમા દેવલોકના
૨જકણ તારા રખડશે જેમ રખડતી રેત, પછી નર તન પામીશ કેમ ચિત ચત નર ચેત
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૦૩
દેવસ્થાન રહી ભાગની ઇચ્છા કરે છે તે વખતે પહેલા, બીન દેવલાકમાં રહેલી તેમને ભાગયેાગ્ય દેવીનું મન તેમના તરફ આકર્ષાય છે. દેવ અવધિજ્ઞાનથી તેના વિકારી મનનું અવલે કન કરીને જ તૃપ્ત થઈ જાય છે. ટૂંકમાં, નવમાથી ખારમા સુધીના ચાર સ્વર્ગાના દેવાની વૈયિક તૃપ્તિ ફક્ત દેવીઓના ચિંતન માત્રથી જ થઈ જાય છે. સારાંશ એ છે કે બીજા સ્વર્ગ સુધી જ દેવીએની ઉત્પત્તિ છે, એની ઉપર નથી. દેવીએ (પહેલા અથવા ખીજા સ્વર્ગ માંથી) આઠમા સ્વર્ગ સુધી જઈ શકે છે, આગળ નહિ. નવમાથી બારમા સ્વર્ગના દેવેની કામસુખ તૃપ્તિ ફક્ત દેવીઓના ચિંતન માત્રથી જ થઇ જાય છે. બારમા સ્વર્ગથી ઉપરના દેવા શાંત અને કામલાલસારહિત હાય છે; એથી એમને દેવીઓના સ્પર્શ, રૂપ, શબ્દ અથવા ચિંતન દ્વારા કામસુખ ભોગવવાની અપેક્ષા રહેતી નથી; અને તેમ છતાંય તે અન્ય દેવાથી અધિક સંતુષ્ટ અને અધિક સુખી હોય છે.
૩૦૫ પ્ર. દેવાના શરીરનું પ્રમાણ કેટલું હોય છે ?
ઉ. એ અનુક્રમે પહેલા-ખીજા સ્વર્ગમાં સાત હાથનું; ત્રીજા—ચેાથા સ્વર્ગમાં છ હાથનું; પાંચમા-છઠ્ઠા સ્વર્ગ માં પાંચ હાથનું; સાતમા આઠમા સ્વર્ગમાં ચાર હાથનું; નવમાથી બારમા સ્વર્ગ સુધીમાં ત્રણ હાથનુ; નવ ત્રૈવેયકમાં અે હાથનુ અને અનુત્તર વિમાનમાં એક હાથનુ હોય છે.
૩૦૬ પ્ર. દેવનું શરીર કેવું હોય છે ?
ઉ.દેવનું શરીર મનુષ્યના જેવા આકારવાળું સાત કુધાતુ (પ, લાહી, વીર્ય, મળ, ચરબી, માંસ અને હાડકાં વગેરે) થી રહિત સુંદર શરીર હોય છે. તેએ અણિમા, મહિમા, લધિમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રાણામ્ય, શિત્વ અને શિત્વ-એ આઠ સિદ્ધિ (ઐશ્વર્ય) વાળા હોય છે.
૩૦૭ પ્ર. દેવાનું આયુષ્ય કેટલું હેાય છે ?
સુખની સહેલી તે માત્ર એક ઉદાસીનતા (સમસ ભાવ) જ છે.
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૦૪
ઉ. ભવનપતિ દેવનું જઘન્ય આયુષ્ય ૧૦,૦૦૦ વર્ષનું અને ઉત્કૃષ્ટ
બે પલ્યોપમમાં થોડુંક ઓછું છે. વૈમાનિક દેવનું ઉપર ચઢતા દેવકના દેવાનું અનુક્રમે જઘન્ય ૧ પલ્યોપમથી માંડી ૨૧ સાગરોપમ સુધી અને ઉત્કૃષ્ટ ૨ સાગરોપમથી માંડી ૨૨ સાગરેપમનું આયુષ્ય હોય છે. દેવીઓનું આયુષ્ય દેવે કરતાં અધિક હોય છે. પણ ઈંદ્રાણીનું આયુષ્ય ઈંદ્ર કરતાં ઘણું અપ હોય છે. નવા યિકમાં ઉપર ચઢતાં અનુક્રમે જઘન્ય ૨૨ સાગરોપમથી ૩૦ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૩ સાગરોપમથી ૩૧ સાગરોપમનું આયુષ્ય હોય છે. અનુત્તર વિમાનના પહેલા ચાર વિમાનના દેવોનું જઘન્ય ૩૧ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમનું આયુષ્ય છે અને છેલ્લા સર્વાર્થસિદ્ધિ વિમાનના દેવનું જઘન્યત્કૃષ્ટ ૩૩ સાગરોપમનું આયુષ્ય છે. પાંચે અનુત્તર વિમાનના દેવો નિયમથી સમ્યદૃષ્ટિ હોય છે, ચાર અનુત્તર વિમાનના દેવે સંખ્યાત ભવ કરીને અને સર્વાર્થ સિદ્ધિના દેવો એક જ ભવ કરી મોક્ષ પામે છે. અહીંના દેવ બીજા બધા દેવો કરતાં અધિક સુખી છે. નવ દૈવેયક અને પાંચ અનુત્તર વિમાનમાં સઘળા દેવ સમાન સિદ્ધિવાળા છે, નાના
મોટા કેઈ નથી તેથી તેઓ “અમેન્દ્ર” કહેવાય છે. ૩૦૮ પ્ર. દેવને ઉચ્છવાસ હોય છે ? ઉ. હા; જેમ જેમ દેવોની સ્થિતિ વધતી જાય છે, તેમ તેમ ઉચ્છવાસનું
કાલમાન પણ વધતું જાય છે. પહેલે દેવલેકે જઘન્ય પ્રત્યેક મુહૂર્ત અને ઉત્કૃષ્ટ બે પક્ષે (પખવાડિયે) અને એક પલ્યોપમના આયુષ્યવાળા દેવોને ઉછુવાસ એક દિવસમાં એક જ હોય છે, સાગરોપમના આયુષ્યવાળા દેવામાં જેટલા સાગરોપમનું આયુષ્ય હોય તેને એક એક ઉછુવાસ તેટકેટલા પખવાડિયે થાય છે એમ ઉપર દેવલોકમાં સમય વધતો જતાં. બારમા દેવલ કે જઘન્ય એકવીસ પક્ષે અને ઉત્કૃષ્ટ બાવીસ પક્ષે અને સર્વાર્થ સિદ્ધ દેવલોકમાં જઘન્ય અને
વીતરાગ માગ તે છે કે જેમાં આદિ, મધ્ય અને અંતમાં એક આત્માને જ લક્ષ છે અને લેકઅલકને ઈશ્વર એ શુદ્ધ આત્મા જ ગાયો છે.
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૫
ઉત્કૃષ્ટ તેત્રીસ પક્ષે; એમ તેત્રીસ પખવાડિયે શ્વાસ ઊંચે લે અને
તેત્રીસ પખવાડિયે શ્વાસ નીચે મૂકે. ૩૦૯ પ્ર. દેવ આહાર લે છે ? ઉ. દશ હજાર વર્ષના આયુષ્યવાળા દેવે એક એક દિવસ વચમાં
છેડીને આહાર લે છે. પલ્યોપમનું આયુષ્યવાળા દેવો દિનપૃથફત્વની (બેથી નવ દિવસો પછી આહાર લે છે. સાગરોપમના આયુષ્યવાળા દેવ જેનું આયુષ્ય જેટલા સાગરોપમનું હેય તેટલા હજાર વર્ષ
પછી આહાર લે છે. ૩૧. પ્ર. દેવ કઈ ભાષામાં બેલે ? ઉ. દેવે અર્ધમાગ્ધી ભાષામાં બેલે અને ત્યાં બેલાતી ભાષાઓમાં પણ
તે જ ભાષા વિશિષ્ટરૂપ છે. (આ ક્શનને કઈ મજબૂત આધાર નથી.) ૩૧૧ પ્ર. દેને વેદના થાય છે ? ઉ. સામાન્ય રીતે દેવને સાત-સુખ વેદને જ હોય છે, ક્યારેક
અસાતા-દુઃખ વેદના થઈ જાય તો તે અંતર્મુહૂર્તથી વધારે સમય સુધી રહેતી નથી. સાતા વેદના પણ લાગલગાટ છ મહિના સુધી
એકસરખી રહીને પછી બદલાઈ જાય છે. ૩૧૨ પ્ર. કેવી ગ્યતાથી ક્યાં છે કયા દેવલોકમાં ઉત્પન્ન થાય ? ઉ. અન્ય-જૈનેતરલિંગિક મિથ્યાત્વી બારમા સ્વર્ગ સુધી જ ઉત્પન્ન
થઈ શકે છે સ્વ—જેનલિંગિક મિથ્યાત્વી રૈવેયક સુધી જઈ શકે છે, અને સમ્યગ્દષ્ટિ પહેલા સ્વર્ગથી સર્વાર્થસિદ્ધ પર્યત પણ જઈ શકે છે. પરંતુ ચતુર્દશપૂર્વધારી સંયત પાંચમા સ્વર્ગથી નીચે ઉત્પન્ન
જ થતા નથી. ૩૧૩ પ્ર. દેવકમાંથી જે જીવ મનુષ્યમાં આવે તેને લેભ વધારે હોય
એમ કહ્યું છે તે સાચું છે ? ઉ, દેવલોકમાંથી જે મનુષ્યમાં આવે તેને લેભ વધારે હોય એ
આદિ કહ્યું છે તે સામાન્યપણે છે, એકાંત નથી. ૩૧૪ પ્ર. છ કાયનાં નામ આપો.
કેના છોરુ-છોકરા, કાના મા-બાપ, અંતે જાવું એકલું, સાથ પુષ્ય ને પાપ.
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૦૬ ઉ. પૃથ્વીકાય એટલે પૃથ્વીને જીવો, અપકાય એટલે પાણીના જીવો,
તેઉકાય એટલે અગ્નિના જીવો, વાયુકાય એટલે હવાના છે અને વનસ્પતિકાય એટલે વનસ્પતિના જીવો. (વનસ્પતિકાયના બે ભેદ છે.) આખા ઝાડમાં એક જીવ હોય અથવા એક પાનમાં એક જીવ હોય તે પ્રત્યેક વનસ્પતિકાય અને એક પાન વગેરેમાં
અનંત જીવો સાથે હોય તે સાધારણ વનસ્પતિકાય છે. ૩૧૫ પ્ર. કેટલા પ્રકારના અચિત્ત વાયુકાય કહેલ છે ? ઉ. (૧) જોરજોરથી ધમધમ ચાલવાથી (૨) લુહારની ધમણથી (૩)
ઉચ્છવાસ આદિથી (૪) પડાં ઝાપટવાથી કે (૫) કોઈ વસ્તુને પીલવા, દબાવવાથી તથા પંખાથી. આ પાંચ પ્રકારના અચિત્ત
વાયુથી સચિત્ત વાયુકાયની હિંસા થાય છે. ૩૧૬ પ્ર. વાયુકાય કાઈ બીજા પદાર્થના સ્પર્શ થવાથી મરે છે કે સ્પર્શ
થયા વિના મારે છે ? ઉ. સ્પર્શ થયા વિના મરતા નથી. પૃથ્વીકાય આદિ પાંચ સ્થાવર
જીવોની સાથે જ્યારે વિજાતીય જીના તથા વિજાતીય સ્પર્શવાળા
પદાર્થોને સંઘર્ષ થાય છે, ત્યારે એના શરીરને વિનાશ થાય છે. ૩૧૭ પ્ર. પૃથ્વી, અપ, તેજસ, વાયુ, વનસ્પતિકાય એ પાંચ કાયમાં સર્વથી
સૂક્ષ્મ કાણુ છે. ઉ. વનસ્પતિકાય સર્વથી સૂક્ષ્મ છે. ચાર કાયમાં વાયુકાય સૂક્ષ્મ છે.
ત્રણ કાર્યમાં તેજસકાય સૂક્ષ્મ છે. બે કાયમાં અપકાય સૂક્ષ્મ છે. ૩૧૮ પ્ર. ભગવાને ચૌદ રાજલકમાં કાજળના કુંપાની પેરે સૂક્ષ્મ એકેન્દ્રિય
જીવ ભર્યા છે એમ કહ્યું છે, કે જીવ બાળ્યા બળે નહિ, છેદયા છેદાય નહીં, માર્યા મરે નહીં એવા કહ્યા છે. તે જીવને દારિક શરીર નહીં હોય તેથી તેને અગ્નિ આદિથી-વ્યાઘાત થતા નહીં હોય? જે ઔદારિક શરીર હોય તો તે શરીર, અગ્નિ આદિથી વ્યાધાત કેમ ન પામે ?
સ્થાનકવાસી સાધુવર, બહુ વ્યવહાર પ્રવીણ નિશ્ચયપથ જ્ઞાતા નહીં, બાહિર તપમાં લીન “વ્યવહારે બહુ રાચતા, ક્રિયાકાંડમાં લીન; આતમ લક્ષ લહ્યા વિના, કહે સાધુ સંગ હીન.”
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૦૭
ઉ. એક દેહત્યાગી બીજે દેહ ધારણ કરતી વખતે કોઈ જીવ જ્યારે
વાટે વહેતા હોય છે ત્યારે અપ્રાપ્તિપણે તેને તેજસ અને કાર્પણ એ બે શરીર હોય છે; બાકી સર્વે સર્મ સ્થિતિમાં સર્વ જીવને ત્રણ શરીરને સંભવ શ્રી જિને કહ્યો છે :
કાર્મણ, તેજસ અને ઔદારિક કે વૈક્રિય એ બેમાંનું કોઈ એક ભગવાને જે સૂક્ષ્મ એકેન્દ્રિય કહ્યા છે તે અગ્નિ આદિકથી વ્યાઘાત નથી પામતા. તે પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય હોવાથી તેને ત્રણ શરીર છે; પણ તેને જે ત્રીજું ઔદારિક શરીર છે તે એટલા સૂક્ષ્મ અવગાહનનું છે કે તેને શસ્ત્રાદિકથી સ્પર્શ ન થઈ શકે. અગ્નિ, શસ્ત્રાદિને વિષે જે અવકાશ છે, તે અવકાશમાંથી તે એકેન્દ્રિય જીવોનું સુગમપણે ગમનાગમન થઈ શકે તેમ હોવાથી તે જીવોને નાશ થઈ શકે કે તેને વ્યાધાત થાય તેવો અગ્નિ, શસ્ત્રાદિકને સંબંધ તેને થતા નથી. તેથી ઔદારિક શરીર અવિનાશી કહ્યું છે એમ નથી. સ્વભાવે કરી તે વિપરિણામ પામી અથવા ઉપાર્જિત કરેલાં એવાં એ છાનાં પૂર્વક પરિણામ પામી ઔદારિક શરીરને નાશ કરે છે. કંઈ તે શરીર બીજાથી જ નાશ પમાડયું હોય તે,
જ નાશ પામે એવો પણ નિયમ નથી. ૩૧૯ પ્ર. એરણ ઉપર હથોડા મારવાથી વાયુકાય ઉત્પન્ન થાય છે ? ઉ. હા, થાય છે. એરણ અને હથોડાના અભિઘાતથી વાયુકાય ઉત્પન્ન
થાય છે તે અચિત્ત હોય છે. પરંતુ એનાથી સચિત્ત વાયુકાયની
હિંસા થાય છે. ૩૨. પ્ર. નિગોદમાં તેમજ કંદમૂળમાં અનંતા જીવ રહ્યા છે, તે કથન સત્ય હશે?, ઉ. સાધારણ નામકર્મના ઉદયથી એક શરીરના આશ્રયે અનંતાનંત
જી સમાનરૂપે જેમાં રહે છે, મરે છે અને પેદા થાય છે, તે. અવસ્થાવાળા જીવને નિગેદ કહેવાય છે. એક રાઈ જેવડા ટુકડામાં નિગદના અસંખ્ય શરીર હોય છે અને એક નિગેદ શરીરમાં જેટલા સિદ્ધ જી થયા તેથી અનંતગુણ જીવ છે. પોતપોતાના. કાર્મણદેહ સહિત અવગાહના સર્વ જીવોની એક દેહમાં છે. નિગોદ એટલે એક ઈન્દ્રિયરૂપે જન્મી એક શ્વાસ લઈને મૂકીએ તેટલા
આભાની આળખાણ થાય તો કર્મ નાશ પામે.
Page #130
--------------------------------------------------------------------------
________________
વખતમાં સત્તર અઢાર વાર જન્મ મરણ કરવાની અવસ્થા. એક નિગેાદિયા જીવ એક જ શરીરમાં અનેક જન્મ મરણ કરે છે, જે શરીરમાં મરે છે, તે જ શરીરમાં ફરી જન્મ ધારણ કરે છે, આમ એક જ શરીરમાં નિરંતર અનેક વાર જન્મ-મરણ કરતા રહે છે. ભવ ભલે અનેક બદલી જાય પણુ શરીર એક જ રહે છે. એક આંગળીના ટેરવાના અસંખ્ય ભાગમાં અનતનિગેાદિયા જીવ, તે બધાની દ્રવ્ય ઈન્દ્રિય એક, પણ ભાવ ઇન્દ્રિય જુદી જુદી, બધાનાં પરિણામ ભિન્ન ભિન્ન છે. તત્ત્વની વિરાધના કરવાથી તેની ચેતનાશક્તિ એટલી બધી હીન થઈ ગઈ છે કે સામાન્ય વાને તેા આ જીવ છે” એમ સમજમાં નથી આવતું. એક અંતર્મુહુર્ત અંદર એટલે અડતાલીશ મિનિટ અંદર ૬૬૩૩૬ ભવ નિગેાદના જીવ કરે છે—એમ સહ્ને જોયુ છે, નિગેાદમાં અનંતા જીવ રહ્યા છે, એ વાતમાં તેમજ કંદમૂળમાં સાયની અણી ઉપર રહે તેટલા નાના ભાગમાં અનંતા જીવ રહ્યા છે, તે વાતમાં આશકા કરવાપણું છે નહિ. જ્ઞાનીએ જેવું સ્વરૂપ દીઠું છે તેવુ જ હ્યુ છે. જે નિગેાદના છા હજુ અનંતકાળથી બે ઈન્દ્રિય થયા નથી તે નિત્યનિગેાદી છે અને જે જીવા એક વાર નિગેાદમાંથી નીકળી ફરી નિગેાદમાં ગયા હોય તે ઈતરનિગેાદી છે. (વ્યવહારરાશિ અને અવ્યવહારરાશિ જીવા તરીકે પણ એળખાય છે.) (જુએ પ્રશ્ન ૨૬૦)
૧૦૮
જીવમાં સકાચ-વિસ્તારની શક્તિરૂપ ગુણ રહે છે તે કારણથી તે નાના મેઢા શરીરમાં દેહપ્રમાણુ સ્થિતિ કરી રહે છે. જેમ જેમ કર્મ પુદ્ગલ વધારે ગ્રહણ કરે છે, તેમ તેમ તે વધારે નિબિડ થઈ નાના દેહને વિષે રહે છે. પરમાણુનું પણ અચિંત્ય સામર્થ્ય છે, અને તેને લઇને થોડા આકાશને વિષે અનંતા પરમાણુ સમાઈ રહી શકે છે.
૩૨૧ પ્ર. ઇંડું શું છે ?
ઉ. તે ત્રસ-પ ંચેન્દ્રિય જીવ છે; તેના ખારાક તે માંસાહાર જ છે.
સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઇ પડે છે.
Page #131
--------------------------------------------------------------------------
________________
૧0૯
(જે પિોસ્ટ્રીફાર્મ એટલે મરઘાઉછેરના વાડામાં ફક્ત મરઘીઓ જ હોય અને એક પણ મરશે ન હોય તો તે વાડામાં ઉત્પન્ન થતાં ઇંડાંને શાકાહારી ઇંડાં કહેવામાં આવે તો તે સાચું નથી. પ્રત્યેક ઈંડામાં જીવ હોય છે અને વળી ઇંડાંને ફેડતાં તરત જ તેમાં
બીજા અસંખ્ય જીવ ઉત્પન્ન થઈ જાય છે.) ૩૨૨ પ્ર. જિનેશ્વર ભગવાને કેટલી વસ્તુઓ અભક્ષ્ય કહી છે?
ઉ. જિનેશ્વર ભગવાને બાવીશ પ્રકારના અભક્ષ્ય કહ્યાં છે. (૧) કરા,
(૨) દ્વિદળ (કાચા દૂધ-દહીં છાશ સાથે કઠોળ અને કઠોળવાળી કઈ ચીજ ખાવી તે) દહીંવડ–કાચા દહીંમાં પાણી ભેળવી તેનું ઘોળવું કરી તેમાં વડાં નાંખે છે. તે અમુક કાળ પછી ખદબદી. જાય છે. (૩) રાત્રિભેજન (૪) બહુ બીજવાળું ફળ જેવાં કે દાડમ, જામફળ, અંજીર, તેમાં જેટલાં બીજ તેટલા જીવ જાણવા (૫) રીંગણ (૬) અથાણું (૭) પીપળાના ટેટા (૮) વડના ટેટા, (૯) ઉમરડાં (૧૦) કોઠ અથવા કઠું બર ફળ (૧૧) પીપરના ટેટા. (૧૨) અજાણ્યું ફળ (૧૩) કંદમૂળ અથવા અનંતકાય (૧૪) માટી (૧૫) વિષાદિ પદાર્થ (૧૬) માંસ (૧૬) મધ (૧૮) માખણ (૧૯) મદિરા (ર૦) તુચ્છફળ જેમાં ખાવું થોડું અને નાંખી દેવું ઘણુંશેરડી, સીતાફળ, બોર, જાંબુ વગેરે (૨૧) બરફ, (૨૨) રસ ચલિત જે વસ્તુ બગડીને તેને રસ પલટી ગયો હોય, દુર્ગધવાળી બની
ગઈ હોય, જેનાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ બગડી ગયાં હોય. ૩૨૩ પ્ર. શરીર કેટલો છે ? ઉ. શરીર પાંચ છે–દારિક, વિક્રિયક, આહારક, તેજસ અને કાર્માણ
ઉપરના પાંચ પ્રકારોમાં જે શરીર પછી પછી આવે છે, તે પૂર્વ
કરતાં સૂક્ષ્મ છે. ૩૨૪ પ્ર. દારિક શરીર કોને કહે છે ?
ઉ. મનુષ્ય અને તિર્યંચના (પશુના) સ્થૂળ શરીરને ઔદારિક શરીર કહે છે. ૩૨૫ પ્ર. વક્રિયક શરીર કેને કહે છે ?
ઉ. જે નાના–મોટાં પૃથક-અપૃથક આદિ અનેક ક્રિયાઓ કરે એવા
.
મને માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે. માર્ગને પામેલો માર્ગ પમાડશે.
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૧૦ દેવ અને નારકીઓનાં શરીરને વેક્રિયક શરીર કહે છે. ૩૨૬ પ્ર. આહારક શરીર કોને કહે છે ? ઉ. પરમ ઋદ્ધિધારી છઠ્ઠા ગુણસ્થાનવતી મુનિને તત્ત્વોમાં કોઈ શંકા થતાં અથવા અરિહંત કેવળી કે શ્રુત કેવળીના દર્શન કરવા માટે,
ગબળથી પિતાના મૂળ શરીર (તૈજસ અને કોમર્ણરૂપ)ને છોડ્યા વિના પુરુષાકારનું, એક હાથનું શુદ્ધ સ્ફટિક જેવું સફેદ બહુ સુંદર પૂતળું મસ્તક દ્વારથી (મસ્તકના મધ્યમાંથી) નીકળે છે અને એક અંતર્મુહૂર્ત સુધી બનેલું રહે છે, પછી બીજું બની શકે છે, તેને આહારક શરીર કહે છે, કાર્ય પૂરું થતાં આ શરીર ફરીથી પોતાના
સ્થાનમાં પ્રવેશ કરે છે અને વિલય થઈ જાય છે. આ શરીર સૂક્ષ્મ છે. ૩૨ ૭ પ્ર. જીવ આહારક શરીર કેટલીવાર પ્રાપ્ત કરી શકે છે ? ઉ. આહારક શરીર એક ભવમાં બે વાર તથા સંપૂર્ણ સંસારચક્રમાં
ચાર વાર પ્રાપ્ત કરી શકે છે. ૩૨૮ પ્ર. તેજસ શરીર કોને કહે છે ? ઉ. વીજળી સમાન શક્તિને ધારણ કરવાવાળી તેજસવર્ગણરૂપી સૂક્ષ્મ
સ્કંધોથી તેજસ શરીર ઉત્પન્ન હોય છે. તિજસ શરીર પ્રવાહરૂપે અનાદિકાળથી સંસારી જીવોની સાથે ચાલ્યું આવે છે. સ્ટેજસ શરીર સ્થૂળ દેહ પ્રમાણ છે. તેજસ શરીર ગરમી કરે છે તથા આહાર પચાવવાનું કામ કરે છે. શરીરના અમુક અંગ ઘસવાથી ગરમ જણાય છે, તે તેજસના કારણથી જણાય છે. માથા ઉપર ઘતાદિ મૂકી તે શરીરની પરીક્ષા કરવાની રૂઢિ છે. કાંતિ, દીપ્તિ,
રતાશ, તાવ આવે એ બધી તૈજસ પરમાણુઓની ક્રિયાઓ છે. ૩૨૯ પ્ર. કાર્માણ શરીર કેને કહે છે ? ઉ. આઠ કર્મોના સમૂહને કાર્માણ શરીર કહે છે. જે તેજસ શરીર
કરતાં સૂક્ષ્મ છે, તે પણ તેજસની માફક રહે છે. સ્કૂલ શરીરની અંદર પીડા થાય છે, અથવા ધાદિ થાય છે, તે જ કાર્માણ શરીર છે. વેદનાને અનુભવ છવ કરે છે, પરંતુ વેદના થવી તે કાર્માણ શરીરને લઈને થાય છે. કાર્માણ શરીર એ જીવનું અવલંબન છે.
વિવેક એ ધર્મનું મૂળ તત્ત્વ છે,
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૧
૩૩૦ પ્ર. એક જીવને એક સાથે કેટલાં શરીરના સયાગ હાઈ શકે છે ? ઉ. એક જીવને એક સાથે ઓછામાં ઓછા બે અને વધારેમાં વધારે ચાર શરીર હાય છે. ખુલાસા આ રીતે છે. વિગ્રહ ગતિમાં (એક દેહ ત્યાગી બીજો દેહ ધારણ કરતી વખતે જીવ જ્યારે વાટે વહેતા હોય ત્યારે) તૈજસ અને કાર્માણુ; મનુષ્ય અને તિ"ચને ઔદારિક, તેજસ અને કાર્માણુ; દેવ તથા નારકીઓને વૈયિક, તેજસ અને કાર્માણ તથા આહારક ઋદ્ધિધારી મુનિઓને ઔદારિક, આહારક, તૈજસ અને કાર્પણુ શરીર હાય છે. તેજસ અને કાણુ એ ને શરીર કારે પણ અલગ હોતાં નથી.
૩૩૧ પ્ર. તેજસ અને કાર્માણુ શરીર સંસારી જીવની સાથે હોવાથી ત શરીર ગમે ત્યાંથી પસાર થઇ શકે ?
ઉ. તેજસ અને કાર્માણુ એ બન્ને શરીરા આખા લેાકમાં કાંય પણ પ્રતિષ્ઠાત પામતાં નથી; અર્થાત્ વજ્ર જેવી કઠિન વસ્તુ પણ એમને પ્રવેશ કરતાં રીકી શકતી નથી; કેમ કે તે અત્યંત સૂક્ષ્મ છે. ૩૩૨ પ્ર. તા પછી સૂક્ષ્મ હોવાથી વૈક્રિય અને આહારક પણ અપ્રતિઘાતી છે એમ કહેવુ જોઇએ ?
ઉ. અવશ્ય. તે પણ પ્રતિઘાત વિના પ્રવેશ કરી શકે છે; પર ંતુ અહીં યાં અપ્રતિઘાતના અર્થ લેાકાંતપર્યંત અવ્યાહત-અસ્ખલિતગતિ છે. વૈક્રિય અને આહારક અવ્યાહત ગતિવાળાં છે; પરંતુ તેજસ અને કામણુની માફક આખા લેકમાં અવ્યાહત ગતિવાળાં નથી, કિન્તુ લેાકના ખાસ ભાગ-ત્રસનાડીમાં અભ્યાહત ગતિવાળાં છે. તેજસ અને કાણુના સંબંધ આત્માની સાથે પ્રવાહરૂપે જેવા અનાદિ છે, તેવા પહેલાં ત્રણ શરીરને નથી; કેમકે એ ત્રણે શરીરા અમુક સમય પછી કાયમ રહી શકતાં નથી.
૩૩૩ પ્ર. કાર્મા, તેજસ વગેરે શરીર, જે પરમાણુનાં બનેલાં હોય તે પ્રત્યેક શરીર માટેનાં પરમાણુ જુદાં જુદાં હોય કે એક જ ? ઉ.ફાર્માણુ, તેજસ, અહારક, વૈક્રિય અને ઔદારિક એ પાંચ શરીરનાં
પરમાણુ એકનાં એક એટલે સરખાં છે; પરંતુ તે આત્માના પ્રયાગ પ્રમાણે પરિણમે છે.
સત્પુરુષ એ જ કે નિર્શાદન જેને આત્માના ઉપયોગ છે.
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૧૨
૩૩૪ પ્ર. જીવવા માટે ચાર પ્રાણુ જરૂરી કહ્યા છે તે ક્યા છે ? ઉ. બલ, ઈન્દ્રિય, આયુષ્ય અને ઉચ્છવાસ. કાય, વચન અને મન
એ ત્રણ બળપ્રાણું છે. સ્પર્શન, રસના, ઘાણ, ચક્ષુ અને શ્રિત
એ પાંચ ઈન્દ્રિયપ્રાણ છે. ૩૩૫ પ્ર. વજઋષભનારાચસંઘયણ એટલે શું ? ઉ. સંઘયણ એટલે શરીરને બાંધે, તે બાંધાઓ પાંચ પ્રકારના હોય
છે. તે પૈકી વજઋષભનારા સંઘયણ સર્વ શ્રેષ્ઠ છે, તે શરીર એટલું તો મજબૂત હોય છે કે મહાપીડાને પણ તે સહજ રીતે સહી શકે છે. તીર્થકરને નિયમથી વજગષભનારાચસંઘયણ હોય છે. (તને અર્થ એમ નથી કે બીજાને ન હોય) તદુલમચ્છને પણ
હોય છે, પરંતુ તેને કેવળજ્ઞાન થતું નથી. ૩૩૬ પ્ર, બાળપણા કરતાં યુવાવસ્થામાં ઈન્દ્રિયવિકાર વિશેષ કરી ઉત્પન્ન
થાય છે, તેમાં કારણ હોવાં જોઈએ ? ઉ. ક્રમે જેમ વય વધે છે, તેમ તેમ ઈન્દ્રિયબળ વધે છે, તેમ તે
બળને વિકારનાં હેતુ એવાં નિમિત્તો મળે છે, અને પૂર્વભવના તેવા વિકારના સંસ્કાર રહ્યા છે, તેથી તે નિમિત્તાદિ વેગ પામી વિશેષ પરિણામ પામે છે. જેમ બીજ છે, તે તથારૂપ કારણે પામી ક્રમે વૃક્ષાકારે પરિણમે છે, તેમ પૂર્વના બીજભૂત સંસ્કારો
ક્રમે કરી વિશેષાકારે પરિણમે છે. ૩૩૭ પ્ર. શરીરના અમુક ભાગમાં પીડા હોય ત્યારે જીવ ત્યાં વળગી રહે
છે, તેથી જે ભાગમાં પીડા છે તે ભાગની પીડા દવા સારું
તમામ પ્રદેશ તે તરફ ખેંચાતા હશે ? ઉ. તે વેદના વેદવામાં કેટલાક પ્રસંગે વિશેષ ઉપગ રોકાય છે અને
બીજા પ્રદેશનું તે ભણી કેટલાક પ્રસંગમાં સહજ આકર્ષણ પણ થાય છે. આમ થવાને હેતુ પણ અવ્યાબાધ નામને જીવસ્વભાવ તથા પ્રકારે પરિણામી નહિ હોવાથી, તેમ વિયંતરાયના ક્ષપશમનું
સમવિષમ પણું હોય છે. ૩૩૮ પ્ર. સંજ્ઞાની-વ્યાખ્યા શું છે ?
મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી,
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૧૩
* ઉ. સંજ્ઞા એટલે કંઈ પણ આગળ પાછળની ચિંતવનશક્તિ વિશેષ
અથવા સ્મૃતિ. સંજ્ઞા એ જ્ઞાનને ભાગ છે. શિક્ષા અને ઉપદેશ
ગ્રહણ કરવાની શક્તિ રહિત પ્રાણી અસંજ્ઞી કહેવાય છે.. ૩૩૯ પ્ર. શરીરમાં મળદ્વાર કેટલો છે ? ઉ. કુલ નવ છે. બે કાન, બે આંખ, બે નસકેરાં, એક મોટું અને
બે મળ-મૂત્રનાં દ્વારા ૩૪૦ પ્ર. પાંચ ઈન્દ્રિય શી રીતે વશ થાય ? ઉ. વસ્તુઓ ઉપર તુચ્છ ભાવ લાવવાથી. પાંચ ઈન્દ્રિયોમાં જિહવા
ઈન્દ્રિય વશ કરવાથી બાકીની ચાર ઈન્દ્રિય સહેજે વશ થાય છે. વૃત્તિઓને ઉપશમ કરવા કરતાં ક્ષય કરવી; એટલે ફરીથી ઉદ્ભવે નહીં. દરેક પદાર્થમાં તુચ્છપણું વિચારી વૃત્તિ બહાર જતી અટકાવવી અને ક્ષય કરવી. વૃત્તિને ગમે તેમ કરી રોકવી, જ્ઞાનવિચારથી રોકવી; લક્લાજથી રોકવી, ઉપયોગથી રોકવી, ગમે તેમ કરીને પણ વૃત્તિને રોકવી. મુમુક્ષુઓએ કઈ પદાર્થ
વિના ચાલે નહીં એવું રાખવું નહીં. ૩૪૧ પ્ર. છ કામી છે કે ભગી છે ? ઉ. જો કામી પણ છે અને ભોગી પણ છે. તેન્દ્રિય અને ચક્ષની
અપેક્ષાએ આ છે કામી કહેવાય છે, અને ઘાણ, જિદૂવા અને સ્પર્શનેન્દ્રિયની અપેક્ષાએ જીવો ભેગી કહેવાય છે. જે જીવને
ચહ્યું અને તેન્દ્રિય નથી તે કામી નથી પણ જોગી છે. ૩૪ર પ્ર. ચારે ગતિમાં લિંગ-વેદના ભેદ કેટલા છે ? ઉ. લિંગનું બીજું નામ વેદ છે. લિંગ ચિહ્નને કહે છે. પુંલ્લિંગ,
સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ એ ત્રણ લિંગ છે. એ ત્રણ વેદે દ્રવ્ય અને ભાવ રૂપે બન્ને પ્રકારના છે. દ્રવ્યવેદને અર્થ ઉપરનું (બહારનું) ચિહ્ન છે, અને ભાવવંદને અર્થ અમુક અભિલાષા–ઈચ્છા–છે. દ્રવ્યવેદ એ પુદ્ગલિક આકૃતિરૂપ છે, જે નામ કર્મના ઉદયનું ફળ
સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ મોક્ષ કહે છે.
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૧૪
છે; ભાવવેદ એક પ્રકારને મોવિકાર છે. જે મેહનીય કર્મના ઉદયનું
નારક અને સંમઈિમ જીવોને નપુંસક વેદ હોય છે. દેવોને નપુંસક વેદ હોતા નથી; અર્થાત બાકીના બે વેદ તેમનામાં હોય છે. બાકીના બધાઓને એટલે કે ગર્ભજ મનુષ્યો તથા તિર્યને ત્રણ
વેદ હોઇ શકે છે. ૩૪૩ . આહારના કેટલા પ્રકાર ? ઉ. બે, આહાર અને અનાહાર, જે સ્થૂલ શરીરને બનવા યોગ્ય પગલને
ગ્રહણ કરવું તે આહાર. ન ગ્રહણ કરવું તે અનાહાર. ૩૪૪ પ્ર. એજ આહાર કોને કહે છે ?
ઉ. દારિક શરીરની ઉત્પત્તિ પહેલાં પ્રાણી તૈજસ, કાર્માણ અને મિશ્ર શરીર દ્વારા જે આહાર કરે છે; તે એજ આહાર કહેવાય છે. કેઈ આચાર્ય કહે છે કે ઔદારિક શરીરથી પર્યાપ્ત થયેલ જીવ પણ ઈન્દ્રિય પ્રાણ, ભાષા અને મનથી અપર્યાપ્ત હોય ત્યાં સુધી શરીરથી આહાર લે તે પણ એજ આહાર છે. કેટલાક આચાર્યોને એ મત છે કે નાક, આંખ અને કાનથી પુદગલે
લેવાય અને ધાતુરૂપે પરિણત થાય તે જ આહાર છે. ૩૫ પ્ર. રોમ આહાર કેને કહે છે ? ઉ. ઈન્દ્રિય, પ્રાણ, ભાષા અને મનની પર્યાપ્તિ થયા પછી પ્રાણી
પશેન્દ્રિય વડે જે આહાર લે છે, તે રેમ આહાર કહેવાય છે.
પ્રર્યાપ્ત જીવો સ્પર્શેન્દ્રિય વડે ગ્રહણ કરે તે રેમ આહાર છે. ૩૪૬ પ્ર. કવલ આહાર કોને કહેવાય છે ? ઉ. જીભ વડે જે આહાર ગળા નીચે ઉતારવામાં આવે તે કવલ–આહાર
છે. બે ઈન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોને કવલ આહાર હોય છે. તેમની શરીરસ્થિતિ કવલાહાર વિના હેય નહિ, વળી કવલાહાર જીભને આશ્રયી છે. એકેન્દ્રિય છે, દેવતા અને નારકી ને કવલ આહાર નથી હોત-દેવતાઓ મનમાં સંકલ્પ કરે
તીથ કરાદિ જ્ઞાનીઓએ અસંગપણું જ સર્વોત્કૃષ્ટ
કહ્યું છે,
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૧૫
ત્યારે શુભ પગલે તેમના આહાર રૂપે પરિણત થઈ જાય છે અને
નારકીને અશુભ પુદ્ગલે પરિણત થાય છે. ૩૪૭ પ્ર, કઈ અવસ્થામાં આહાર ન હોય ? ઉ. (૧) ઉત્પત્તિ કાળમાં વિગ્રહ ગતિએ રહેલા છે આહાર કરતા નથી,
તે આ રીતે. આહારને અર્થ એ છે કે સ્થૂલ શરીરને યોગ્ય પગલે. ગ્રહણ કરવાં. એ આહાર સંસારી જીવમાં અંતરાલગતિના સમયે હોય છે પણ ખરે, અને નથી પણ હોતે. ઋજુગતિથી અથવા બે સમયની એક વિગ્રહવાળી ગતિથી જનાર હોય છે, તે અનાહારક નથી હોતા; કારણ કે એને જુગતિને સમય ત્યાગ કરેલ પૂર્વભવને શરીર દ્વારા ગ્રહણ કરેલા આહારને સમય છે, અથવા તે નવીન જન્મસ્થાનમાં ગ્રહણ કરેલ આહારને સમય છે. એ જ સ્થિતિ એક વિગ્રહવાળી ગતિની છે કેમ કે એના બે સમમાંથી પહેલો સમય પૂર્વ શરીર દ્વારા ગ્રહણ કરેલા આહારને છે અને બીજે સમય નવા ઉત્પત્તિસ્થાનમાં પહોંચવાનું છે, જેમાં નવીન શરીર ધારણ કરવા માટે આહાર કરવામાં આવે છે. પરંતુ ત્રણ સમયની બે વિગ્રહવાળી અને ચાર સમયની ત્રણ વિગ્રહવાળી ગતિમાં અનાહારક સ્થિતિ મળી આવે છે; તે એટલા માટે કે એ બંને ગતિઓના ક્રમપૂર્વક ત્રણ અને ચાર સમયમાંથી પહેલ સમય ત્યક્ત શરીર દ્વારા કરેલા આહારને અને અંતિમ સમય ઉત્પતિસ્થાનમાં લીધેલા આહારને છે. પરંતુ એ પ્રથમ તથા અંતિમ બે સમયને છોડીને વચેલે કાળ આહારશન્ય હોય છે; એથી જ દિવિગ્રહગતિમાં એક સમય અને ત્રિવિગ્રહગતિમાં બે સમય સુધી
જીવ અનાહારક માનવામાં આવે છે. (૨) કેવળી સમુદ્દઘાત થાય છે (જુઓ પ્રશ્ન–૧૪૧૬) ત્યારે ત્રીજા, ચોથા, પાંચમા સમયમાં કેવળી ભગવંતે આહાર કરતા નથી. (૩) શૈલેશી અવસ્થામાં અગી કેવળી આહાર કરતા નથી. (૪) સિદ્ધ થયેલા ભગવંતે સદાને માટે અનાહારક થઈ જાય છે. આ ચાર અવસ્થા સિવાય જીવો બધે કાળ આહાર લેનારા જાણવા.
સર્વ ભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે.
Page #138
--------------------------------------------------------------------------
________________
૩૪૮ પ્ર. દરેક આરામાં ભેજન સમય અને સંખ્યા એક હોય કે ભિન્ન હોય ? ઉ. પહેલા આરામાં માણસોને ત્રણ ત્રણ દિવસેને આંતરે, બીજે
આરે બબ્બે દિવસને આંતરે, ત્રીજે આરે એક એક દિવસને આંતરે અને ચોથા આરામાં એક દિવસમાં એક વખત ભેજનની ઈચ્છા થતી હતી. ચોથા આરામાં એક ઘરમાં ૨૮ પુરુષ અને ૩૨ સ્ત્રી હોય તે તે ઘર ગણતરીમાં લેવાતું અને સાઠ મનુષ્યોની રસોઈ તૈયાર કરતાં સહેજે બે પહોર દિવસ વહ્યો જતે અને માણસ એક જ વખત ભોજન લેતા. સાધુઓ ત્રીજે પહોરે ભિક્ષા લેવા જતા.
આ જીવ ભેગેના નિમિત્તે તે બહુ અહ૫ પાપ કરે ! છે પરંતુ તંદુલ મજ્યની જેમ પ્રયોજન વિના જ પોતાના દુર્વિચાથી ઘર પાપ કરે છે.
Page #139
--------------------------------------------------------------------------
________________
છ દ્રવ્ય
૩૪૯ પ્ર. વિશ્વ કોને કહે છે ?
ઉ છ દ્રવ્યોના સમૂહને વિશ્વ કહે છે. ૩૫૦ પ્ર. તે છ દ્રવ્ય ક્યા ?
ઉ. જીવ, પુદ્ગલ, ધર્મ અધમ, આકાશ અને કાળ. સદાય આ છે દ્રવ્ય જ વિશ્વ છે. તેમાંથી કદી ઓછાં–વધતાં થતાં નથી. છ દ્રવ્ય
કેાઈ ઈશ્વરે બનાવ્યાં નથી. સ્વભાવથી જ છે. ૩૫૧ પ્ર. દ્રવ્ય કેને કહે છે ?
ઉ. ગુણેના સમૂહને દ્રવ્ય કહે છે. ૩પર પ્ર. ગુણ કેને કહે છે ? ઉ. જે દ્રવ્યના સર્વ ભાગમાં અને તેની સર્વ અવસ્થામાં રહે તેને
ગુણ કહે છે. સાકર એ દ્રવ્ય અને ગળપણ એ ગુણ, જીવ એ
દ્રવ્ય અને જ્ઞાન એ ગુણ, ૩૫૩ પ્ર. ગુણોને ભેદ કેટલા છે ?
ઉ. બે ભેદ છે (૧) સામાન્ય (૨) વિશેષ. ૩૫૪ પ્ર. સામાન્ય ગુણ કેને કહે છે ?
ઉ. જે સર્વ દ્રવ્યમાં વ્યાપે તેને સામાન્ય ગુણ કહે છે. ૩૫૫ પ્ર. વિશેષ ગુણ કોને કહે છે ? ઉ. જે સર્વ દ્રવ્યમાં ન વ્યાપે, પિતે પિતાના કવ્યમાં રહે તેને વિશેષ
ગુણ કહે છે. ૩૫૬ પ્ર. સામાન્ય ગુણ કેટલા છે ?
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૧૮
ઉ. અનેક છે, પરંતુ તેમાં મુખ્ય છ છે. (૧) અસ્તિત્વ, (૨) વસ્તૃત્વ, (૩) દ્રવ્યત્વ, (૪) પ્રમેયત્વ, (૫)
અગુરુલઘુત્વ, (૬) પ્રદેશત્વ. ૩૫૭ પ્ર. અસ્તિત્વ ગુણ કેને કહે ? ઉ. જે શક્તિને કારણે દ્રવ્યને કદી પણ નાશ ન થાય, કેઈથી
ઉત્પન્ન પણ ન થાય તેને અસ્તિત્વ ગુણ કહે છે. ૩૫૮ પ્ર. જીવના અસ્તિત્વ ગુણને જાણવાથી શું લાભ થાય ? ઉ. હું સ્વતંત્ર અનાદિ અનંત મારાથી ટકી રહેનારે છું. કોઈ પરથી
અને કેઈ સંગથી મારી ઉત્પત્તિ થઈ નથી તથા મારે કદી નાશ થતો નથી એમ અસ્તિત્વ ગુણને જાણવાથી લાભ થાય છે
અને તેથી મરણને ભય ટળી જાય છે. ૩૫૯ પ્ર. વસ્તુત્વ ગુણ કોને કહે છે? ઉ. જે શક્તિને કારણથી દ્રવ્યમાં અર્થ ક્રિયા કરવાપણું હોય તેને
વસ્તુત્વ ગુણ કહે છે. જેમ કે ઘડાની અર્થ ક્રિયા જળ-ધારણ,
આત્માની અર્થક્રિયા જાણવું વગેરે. ૩૬૦ પ્ર. દ્રવ્યત્વ ગુણ કોને કહે છે ? - ઉ. જે શક્તિના કારણથી દ્રવ્યની અવસ્થાઓ નિરંતર બદલાયા કરે છે
તેને દ્રવ્યત્વગુણ કહે છે. ૩૬૧ પ્ર. દ્રવ્યત્વે ગુણ ઉપરથી શું સમજવું જોઈએ ? ૩. બધા દ્રવ્યોની અવસ્થાઓનું પરિવર્તન બદલવું) નિરંતર તેના પિતાથી પિતામાંથી જ થયા કરે છે, પણ બીજુ કાઈ તેની અવસ્થા
બદલતું નથી, જીવમાં અજ્ઞાનદશા છે તે સદાય એકસરખી રહેતી નથી. ૩૬૨ પ્ર. દ્રવ્યત્વ ગુણ અને વસ્તુત્વ ગુણના ભાવમાં શું ફેર ? ઉ, દરેક દ્રવ્યમાં નિરંતર સમયે નવી નવી અવસ્થા થયા કરે છે
એમ દ્રવ્યત્વ ગુણ બતાવે છે; અને દરેક દ્રવ્યમાં પ્રજનભૂત ક્રિયા પિતાથી થઈ રહી છે, કોઈ દ્રવ્ય પિતાનું કામ કર્યા વિના
રહેતું નથી, એમ વસ્તુત્વ ગુણ બતાવે છે. ૩૬૩ પ્ર. પ્રમેયત્વ ગુણ કેને કહે છે?
!
સત એ કાંઈ દૂર નથી, પણ દૂર લાગે છે અને એ જ જીવને મેહ છે.
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૧૯
ઉ. જે શક્તિના કારણથી દ્રવ્ય કોઈ ને કોઈ જ્ઞાનને વિષય હેય તેને
પ્રમેયત્વ ગુણ કહે છે. ૩૬૪ છે. જગતમાં કેટલા દ્રવ્યો પ્રમેયત્વ ગુણવાળાં છે ? ઉ. બધાય દ્રવ્યો પ્રમેયત્વ ગુણવાળાં છે, કારણ કે તે ગુણ બધાં દ્રવ્યોને
સામાન્ય ગુણ છે. ૩૬૫ પ્ર. આત્મા તે અરૂપી છે અને અમારું જ્ઞાન ઘણું અ૮૫ છે, તે
આત્માનું જ્ઞાન કેમ થઈ શકે ? ઉ. એમ હોવા છતાં પણ આત્માનું જ્ઞાન બરોબર થઈ શકે છે; કેમ
કે તેનામાં (આત્મામાં) પણ પ્રમેયત્વ ગુણ રહેલો છે, તેમ જ સમ્યગુ મતિ અને શ્રુતજ્ઞાનને વિષય થઈ શકે છે માટે યથાર્થ સમજણને
પુરુષાર્થ કરવામાં આવે તે આત્માનું જ્ઞાન અવશ્ય થઈ શકે. ૩૬૬ પ્ર. જાણવાની અને જણાવાની એમ બંને શક્તિ એકી સાથે
કેનામાં છે ? ઉ. જાણવાની જ્ઞાનશક્તિ અને જણાવાની પ્રમેયત્વશક્તિ બંને એકી
સાથે જીવ દ્રવ્યમાં જ છે. ૩૬૭ પ્ર. અગુરુલઘુત્વ ગુણ કોને કહે છે. ઉ. જે શક્તિના કારણથી દ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે અર્થાત (૧) એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપે ન થાય, (૨) એક ગુણ બીજા ગુણરૂપે ન થાય અને (૩) એક દ્રવ્યના અનેક અથવા અનંત ગુણવિખરાઈને
જુદા જુદા ન થઈ જાય, તે શક્તિને અગુરુલઘુત્વ ગુણ કહે છે. ૩૬૮ પ્ર. અગુરુલઘુત્વ ગુણ ઉપરથી વિશેષ શું સમજવું ? ઉ. (૧) કોઈ પણ દ્રવ્ય બીજા દ્રવ્યને આધીન નથી.
(૨) એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકે નહિ. (૩) દ્રવ્યને એક ગુણ તે જ દ્રવ્યને બીજા ગુણનું કાંઈ કરી
શકે નહિ. એ પ્રકારે હું જ્ઞાન સ્વભાવી આત્મા સર્વે કવ્યથી ભિન્ન અને
સ્વતંત્ર છું તે ભેદજ્ઞાનરૂપી અપૂર્વ ધર્મ પ્રગટ થાય છે. ૩૬૯ પ્ર. પ્રદેશત્વ ગુણ કોને કહે છે?
નિ:સંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે, અને તેથી નિસંગતા પ્રાપ્ત હોય છે,
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૨૦
ઉ, જે શક્તિના કારણે દ્રવ્યને કેઈ ને કોઈ આકાર અવશ્ય હેય, તેને
પ્રદેશત્વ ગુણ કહે છે. ૩૭. પ્ર. જીવ સંસાર દશામાં એકેન્દ્રિયપણુને પામે, ત્યારે તેના ગુણે ઘટી
જાય અને પંચેન્દ્રિયણાને પામે ત્યારે તેના ગુણે વધી જાય-એમ
બને ? ઉ. ના; કારણ કે ? (૧) દ્રવ્યમાં અગુરુલઘુત્વ નામને ગુણ છે, તેથી તેના કોઈ ગુણેની
સંખ્યા કદી પણ વધતી કે ઘટતી નથી. (૨) દ્રવ્ય તથા ગુણે તે સદાય બધી હાલતમાં પૂર્ણ શક્તિવાળાં
જ રહે છે. (૩) પિતાના કારણે ગુણના વર્તમાન પર્યાયમાં જ ફેરફાર
(પરિણમન) થાય છે. ૩૭૧ પ્ર. જે દ્રવ્ય છે તેને કદી નાશ નથી અને તે બીજામાં ભળતાં નથી.
તેમાં કયા ગુણે કારણભૂત છે?
ઉ. અસ્તિત્વ ગુણ અને અગુરુલઘુત્વ ગુણ ૩૭૨ પ્ર. જે સ્વભાવ છે તે ગુપ્ત રહે નહિ, તે કઈમાં ભળે નહિ, નાશ પામે
નહિ, બદલ્યા વિના રહે નહિ,-તેમાં ક્યા ગુણ કારણભૂત છે. ઉ. તેમાં અનુક્રમે પ્રમેયત્વ, અગુરુલઘુત્વ, અસ્તિત્વ અને દ્રવ્યત્વ ગુણ
કારણભૂત છે. ૩૭૩ પ્ર. છ એ સામાન્ય ગુણનું પ્રયોજન ટૂંકામાં શું છે ? ઉ. (૧) કેઇ દ્રવ્યની કદી ઉત્પત્તિ કે નાશ નથી, માટે કઈને કઈ
કર્તા નથી-એમ અસ્તિત્વ ગુણ સૂચવે છે. (૨) કોઈ દ્રવ્ય એક સમય પણ પોતાના કામ (કાર્ય) વિના નકામું
હોતું નથી–એમ વસ્તુત્વ ગુણ બતાવે છે. (૩) દરેક દ્રવ્ય નિરંતર પ્રવાહક્રમે પ્રવર્તતી પિતાની નવી નવી
અવસ્થાઓને સદાય પિતે જ બદલે છે–એમ દ્રવ્યત્વ ગુણ બતાવે છે.
સમતા, ૨મતા, ઉધતા, શાયકતા, સુખભાસ;. વેદકતા, ચેતન્યતા, એ સબ જીવ વિલાસ,
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૨૧
(૪) દરેક દ્રવ્યમાં જણાવા યોગ્ય પણું હોવાથી જ્ઞાનથી કેઈ અજાણ્યું
(ગુપ્ત) રહી શકે નહિ-એમ પ્રમેયત્વ ગુણ બતાવે છે. (૫) એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહિ–એમ અગુરુલઘુત્વ
ગુણ બતાવે છે. (૬) કોઈ વસ્તુ પિતાના સ્વક્ષેત્રરૂપ આકાર વિના હેય નહિ-એમ
પ્રદેશત્વ ગુણ બતાવે છે. ૩૭૪ પ્ર. બ્રાહ્મી તેલના વપરાશથી કે બદામ વગેરે ખાવાથી બુદ્ધિ વધે એ
માન્યતા બરાબર છે ? ઉ. ના, કેમ કે એક દ્રવ્યની શક્તિ બીજા દ્રવ્યનું કોઈ કામ કરી શકે
નહિ, તેથી બ્રાહ્મી તેલની માલિશ વગેરેથી બુદ્ધિ વધે એ માન્યતા
બેટી છે–એમ અગુરુલઘુત્વ ગુણ બતાવે છે. ૩૭૫ પ્ર. દૂધમાં છાશ પડવાથી દહીં થાય એવું માનવું તે બરાબર છે?
ઉ. ના, છાશ પડવાથી દહીં થાય તે પાણીમાં પણ છાશ પડવાથી
દહીં થવું જોઈએ, પણ દ્રવ્યત્વ ગુણના કારણે દૂધરૂપ પર્યાયવાળા પરમાણુઓ સ્વયં પલટીને દહીંરૂપ થાય છે. તેમાં છાશ તે નિમિત્ત માત્ર છે. અગુરુલઘુત્વ ગુણના કારણે છાશ અને દુધના પરમાણુ
એકબીજામાં પ્રવેશી શકે નહીં. ૩૭૬ પ્ર. ચિતન્ય અને જડ એાળખાય કઈ રીતે ? ઉ, ચૈતન્ય અને જડ એ બે ઓળખવાને માટે તે બનને વચ્ચે જે ભિન્ન ધર્મ છે તે પ્રથમ ઓળખાવા જોઈએ; અને તે ભિન્ન ધર્મમાં પણ મુખ્ય ભિન્ન ધર્મ જે ઓળખવાને છે તે આ છે કે, ચૈતન્યમાં “ઉપયોગ”, એટલે કોઈ પણ વસ્તુને જે વડે બંધ
થાય તે વસ્તુ, રહ્યો છે અને જડમાં તે નથી. ૩૭૭ પ્ર. શરીરમાં ચેતન છે કે નહિ તે તો આપણે શરીરના હલનચલન
ઉપરથી જાણીએ છીએ તે બરાબર છે ? ઉ. ને; શરીરમાં ચેતન છે કે નહિ તેનું જ્ઞાન આ વાત દેખીને કરાયા
છે કે કઈ પ્રાણી સ્પર્શનું જ્ઞાન રાખે છે કે નહિ, રસને રસના વડે, ગંધને નાક વડે, વર્ણને આંખ વડે, શબ્દને કર્ણ વડે જાણે
બનનાર છે તે ફરનાર નથી, અને ફરનાર છે તે બનનાર નથી.
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૨૨
છે કે નહિ અથવા મનથી વિચાર કરે છે કે નહિ. મડદામાં આ. ઉપગમાંથી કઈ પણ ઉપગ હોતો નથી. કારણ કે ત્યાં ઉપયોગ.
ધરનારે આત્મા રહ્યો નથી. (જુઓ પ્રશ્ન ૧૩૩૭) ૩૭૮ પ્ર. આ જગતમાં શાશ્વત અને અશાશ્વત શું છે? ઉ. મૂળ દ્રવ્ય શાશ્વત
મૂળ દ્રવ્ય : જીવ, અજીવ. પર્યાય : અશાશ્વત.
અનાદિ નિત્યપર્યાયઃ મેરુ, આદિ. ૩૭૯ છે. જીવ દ્રવ્ય કેને કહે છે? ઉ. જેમાં ચેતના અર્થાત જ્ઞાન-દર્શનરૂપ શક્તિ છે તેને જીવ દ્રવ્ય.
કહે છે (જીવ આત્મા). ૩૮૦ પ્ર. પુગલ દ્રવ્ય કેને કહે છે ? ઉ. જેમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ એ ગુણે હેય તેને પુદ્ગલ.
દ્રવ્ય કહે છે. શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રૂક્ષ (લુખ), કમળ (નરમ અથવા સુંવાળે), કઠોર (અથવા કર્કશ, અથવા કઠણુ), હલકે, ભારે–એ આઠ સ્પર્શ; તીખો, કડવો, કષાય, (ર), ખાટે અને મધુર–એ પાંચ રસ; સુગંધ અને દુર્ગધ–એ બે ગંધકત,
પીત, નીલ, લાલ અને કૃષ્ણ–એ પાંચ રંગ (વર્ણ). ૩૮૧ પ્ર. પુદ્ગલના કેટલા ભેદ છે ?
ઉ. બે ભેદ છે-પરમાણુ અને સ્કંધ. ૩૮૨ પ્ર. પરમાણુ કેને કહે છે ? ઉ, જેને બીજો ભાગ થઈ શકતો નથી એવા સૌથી નાના પુદ્ગલને.
પરમાણુ કહે છે. ૩૮૩ પ્ર. સકંધ કેને કહે છે? ઉ. બે કે બેથી અધિક પરમાણુઓના બંધને સ્કંધ કહે છે. આખી વસ્તુ
તે સ્કંધ, તેથી ઓછે તે ધદેશ, અર્ધથી ઓછો તે સ્કંધપ્રદેશ, અને અવિભાગી તે પરમાણુ. પરમાણુ સ્કંધ થવાથી મૂત બને છે. પરમાણુ એકલે હોય ત્યારે ઈન્દ્રિયગોચર થતો નથી. એક પ્રદેશમાં એક પરમાણુ રહે, તે જ જગ્યાએ બીજા અનંત પરમાણુ સ્કંધપણે
- પિતે પોતાને વેરી, તે આ કેવી ખરી વાત છે !
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૩
રહી શકે છતાં તે પરમાણુને ખાધ ન આવે. કાળ અને ક્ષેત્રના માપનું કારણ પણ પરમાણુ છે.
૩૮૪ પ્ર. પુદ્ગલ દ્રષ્યની પર્યાયના કેટલા ભેદ છે ?
ઉ. શબ્દ, બંધ, સૂક્ષ્મ, સ્કુલ, સંસ્થાન, ભેદ, તમ, છાયા, ઉદ્યોત અને આતપ; આમ બધા પુદ્ગલ દ્રવ્યાની પર્યાયના દેશ ભેદ છે. પુદ્ગલની પર્યાયનુ અસ્તિત્વ સ્વતંત્ર છે, આત્મા માત્ર તેને જાણનારા છે. એવું યથા શ્રદ્ધાન અને જ્ઞાન કરવું તે ધર્મ છે.
૩૮૫ પ્ર. શબ્દ પર્યાયના કેટલા ભેદ છે ?
ઉ. તેના બે ભેદ છે: ૧. ભાષાત્મક ૨. અભાષાત્મક. આમાં વળી. ભાષાત્મકના બે ભેદ છે: અક્ષરાત્મક અને અનઅક્ષરાત્મક ૩૮૬ પ્ર. અક્ષરાત્મક એટલે શુ?
ઉ. સંસ્કૃત, ગુજરાતી આદિ ભાષાએ અનેક પ્રકારની છે. કાઈ પણ ભાષા હોય પર ંતુ તે જીવથી ખેાલાતી નથી. તે ભાષાપુદ્ગલેને વ્યંજનપર્યાય છે. ભાષા પુદ્ગલ દ્રવ્યના કારણથી ઉત્પન્ન થઈ છે, પણ જીવના કારણથી નથી. પુદ્દગલ દ્રવ્ય જગતનું તત્ત્વ છે તેમાં ભાષાવામાંથી શબ્દ થવાને યોગ્ય પરમાણુ શબ્દરૂપ પરિણમે છે. જીવની ઇચ્છાથી ભાષા થતી નથી.
૩૮૭ . તા પછી લાકડીમાંથી અવાજ કેમ નીકળતા નથી ?
ઉ. ભાષાના કાળ (સમય) નથી, એટલે પરમાણુ તે રૂપે પરિણમતા નથી. ૩૮૮ પ્ર. અન અક્ષરાત્મક ભાષા એટલે શું?
ઉ. એ ઇન્દ્રિય; ત્રણ ઇન્દ્રિય, ચાર ઈન્દ્રિય, અસ'ની પ ંચેન્દ્રિય, તિય ચેાની
ભાષાને અનઅક્ષરાત્મક ભાષા કહે છે. મચ્છર અથવા માખીના અણુબણાટ તે પુદ્ગલના અવાજ છે, મચ્છરના જીવ છે તેથી તે અવાજ નીકળે છે કે ખેાલે છે તેમ નથી. ભગવાનની ધ્વનિ. અનઅક્ષરાત્મક છે. તે પણ પુદ્ગલની અવસ્થા છે. તીર્થંકરના આત્મા તેના કર્તા-હર્તા નથી.
૩૮૯ પ્ર. હવે અભાષાત્મક શબ્દના ભેદ પહેા.
ઉ. તેના પ્રયાગિક તથા વૈસગ્નિક એમ બે ભેદ છે. તેમાં પ્રયેાગિકના તત, વિતત, ધન, સુષિર એમ ચાર ભેદ છે.
લાકત્યાગ વિના વૈરાગ્ય યથાયોગ્ય પામવા દુર્લભ છે,
Page #146
--------------------------------------------------------------------------
________________
તત : વીણા વગેરેને જે અવાજ ઉત્પન્ન થાય છે તે. વિતત : ઢેલ વગેરેમાં જે શબ્દ ઉત્પન્ન થાય છે તે. ધનઃ મંજીર તથા તાલથી જે શબ્દ ઉત્પન્ન થાય છે તે.
સુષિર : બંસી, સીટી આદિ નિમિત્તથી જે અભાષાત્મક શબ્દ નીકળે છે તે.
ઉપર પ્રમાણે ચાર પ્રકારના શબ્દોમાં જીવનું નિમિત્ત છે તેથી તેને પ્રાયોગિક કહે છે. પણ જીવને પ્રયોગથી શબ્દ પુગલ નીકળતા નથી. શબ્દપુદ્ગલ સ્વતંત્ર સ્વકાળે સ્વયં પરિણમે છે.
વૈસસિકઃ સ્વાભાવિક ઉત્પન્ન થવાવાળા શબ્દ તેને વૈસસ્ટિક કહે છે. મેઘગર્જના, તેને કર્તા ઈશ્વર નથી પણ તે પુદ્ગલ દ્રવ્યની
અવસ્થા છે. ૩૯૦ પ્ર. બંધ પુગલ પર્યાયના ભેદ કેટલા ? ઉ. કર્મ અને કર્મ (શરીર). કર્મ અને કર્મ બંધ પુદ્ગલની વિભાવ
વ્યંજન પર્યાય છે. આત્મા તો ફક્ત તેને જોવા અને જાણવાવાળો છે. કર્તા-હર્તા નથી. આત્મા ધ્યાન રાખે તે શરીર નિરોગી રહે, એવું તે થતું નથી. શરીરને તે જેવું રહેવાનું હોય તેમ જ રહે છે. ધમી જીવ એમ સમજે છે કે વિકાર, વિકારનું ફળ, કર્મ, પૈસા તે સંગ છે અને હું તે તેને જાણવાવાળો છું, કરવાવાળે નથી. તીર્થકર, ચક્રવર્તીની દષ્ટિ વર્તમાન પુણ્યભાવ ઉપર નથી. અગાઉ પુણ્ય કર્યા અને તેથી સંયોગ મળ્યા એમ જાણતા છતાં તેના સ્વામી
થતા નથી. ૩૯૧ પ્ર. સૂક્ષ્મત્વ પુદગલ પર્યાય શું છે તે સમજાવે ? ઉ. જેમ બિલ્વફળ વગેરેની અપેક્ષાએ બોર વગેરેનું સૂક્ષ્મપણું છે. બિલ્વફળ
અથવા બારમાં રહેલા છ બિલ્વફળ અથવા બેરનું શરીર બનાવ્યું નથી, તે તે પિતાની યેગ્યતાને કારણે સૂક્ષ્મ કે સ્થળ છે. જીવ અને પુદ્ગલ અને સ્વતંત્ર છે અને બંને વચ્ચે અત્યતાભાવ છે.
જીવ જડનું કાંઈ કરતા નથી. ૩૯૨ પ્ર. નારિયેળનું ઝાડ વાવનારે નારિયેળ બનાવ્યું તેની ના કહી શકાશે ?
સર્વ જીવો માં સ્વાત્મતુલ્ય બુદ્ધિ તે અનુકંપા,
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૨૫
ઉ. નારિયેળ વાવનારે બનાવ્યું નથી. જે પદાર્થ સકંધરૂપ ઉત્પન્ન - થવાના હોય તે પોતાના સ્વકાળે ઉત્પન થાય છે. જીવના કારણથી
ઉત્પન્ન થતા નથી. ૩૯૩ પ્ર. કઈ પુદ્ગલ જાયફળરૂપ થાય છે ત્યારે અંદર છવ આવે તે પહેલાં
તે જીવે એવું કર્મ કર્યું હશે કે જેથી તે જીવ જાયફળરૂપે ઉત્પન્ન
થયે ને ? ૩. નહીં, જીવ તથા કર્મના કારણે તે અવસ્થા ઉત્પન્ન નથી થઈ.
અજ્ઞાની છ અભિમાન કરે છે કે હું એની અવસ્થા સ્થિતિને કર્તા છું, અથવા મારા પૂર્વોપાર્જીત કર્મથી આ સ્થિતિને પામે છું. કર્મ તે નેકરૂપ બિલ્વફળ, આંબળા, બાર વગેરે શરીરની રચનામાં ફક્ત નિમિત્ત માત્ર છે. વાસ્તવમાં આહારવણના પરમાણુ સ્વયંપિતાની યોગ્યતાથી બિલ્વ, આંબળા, બોરના શરીરરૂપ પરિણમે છે. આ તે તેઓની વિભાવ વ્યંજન પર્યાય છે જેના કર્તા પુદગલ પરમાણુ પોતે જ છે, જીવ અથવા કર્મ નથી. બેરની સૂક્ષ્મતા પુદ્ગલના કારણે છે. તેમાં કોઈની અપેક્ષા નથી, તેને જીવ નથી.
બનાવતો. જીવ તે ફક્ત જાણવાવાળ-દેખવાવાળે છે. ૩૯૪ પ્ર, સંસ્થાનના છ પ્રકાર કહે ? ઉ. ૧. સમચતુરસ્ત્ર - જેના ઉદયથી શરીરને આકાર ઉપર, નીચે તથા
વચ્ચેથી સમાન હોય. ૨. ન્યગ્રોધ પરિમંડળ :- જેના ઉદયથી શરીરને આકાર વડ જેવો
નાભિથી ઉપર મોટો અને નાભિની નીચે પાતળે હોય. ૩. સ્વાતિ (સાતિક):- જેના ઉદયથી સ્વાતિ-નક્ષત્ર અથવા સાપના
જે શરીરને આકાર હોય, એટલે ઉપરથી પાતળે અને
નાભિની નીચેથી મોટે. ૪. કુમ્ભક :- જે કર્મના ઉદયથી કુબડું શરીર થાય. ૫. વામન :- જેના ઉદયથી નાનું શરીર થાય. ૬. હુંડક :- જેના ઉદયથી શરીરના અંગે ભયાનક અને ખરાબ
આકારનાં હોય. ઉપરાંત ગોળ, ત્રિકોણ, ચતુષ્કોણ આદિ વ્યક્ત
વ્યવહાર શુદ્ધ હોય તે ધર્મ સૂઝે.
Page #148
--------------------------------------------------------------------------
________________
અવ્યક્તરૂપ અનેક પ્રકારનાં સંસ્થાન છે તે પણ પુદ્ગલનાં છે. છતાં પણ આત્મા તો ઉપરનાં સંસ્થાનથી ભિન્ન છે. પુદ્ગલની
સૃષ્ટિ પુદ્ગલથી થાય છે. ૩૯૫ પ્ર. જીવ વિના આવા આકાર કેવી રીતે થાય ? ઉ. જીવ નિમિત્તમાત્ર છે તેથી વ્યવહારથી જીવને સંસ્થાનવાળે કહેવાય
છે. પરંતુ જીવ છે તેથી આવા પૃથક પૃથક આકાર થાય છે તેમ નથી. તે તે પુદ્ગલની સમય સમયની ગ્યતાનુસાર થાય છે. જીવ
તે સંસ્થાનથી ભિન્ન છે. ૩૯૬ પ્ર. હવે ભેદ પુદ્ગલ પર્યાય સમજાવો ? ઉ. ઘઉંને આટે તથા ઘી, સાકર આદિ અનેકરૂપ, અનેક પ્રકારના
ભેદ (ટુકડા) જાણવા. આ ઘઉંને આટે થે, આટો મોટે થે, ઝીણે થ, તે લેટ દળવાની ચકકીના કારણે નથી, પીસવાવાળાના
કારણે નથી, તે તે પુગલની વિભાવ અવસ્થા છે. ૩૯૭ પ્ર. લેટની ચક્કી ચાલે છે તેનું કાંઈ નહીં ? ઉ, લેટની ચક્કી કાણુ ફેરવે છે? ફેરવવાવાળાના હિસાબે ચક્કી ફરતી
નથી અને ચકકી કરવાથી લેટ થતું નથી. જીવ અભિમાન કરે છે. ઘઉંમાંથી લોટ રૂ૫ ભેદ (ટુકડા) થવું તે પુદ્ગલની પોતાની અવસ્થા છે. વળી પાછું લેટમાં કેટલીયે વાર આખા દાણું રહી જાય છે, નાના મોટા ટુકડા પણ થાય છે, જે ચક્કીના કારણે હોય તે બધા ટુકડા એક સરખા થવા જોઈએ, પણ એમ તે થતું નથી. સાકરના ટુકડા થવા, લાકડાના ફાચાં થવાં, પથ્થરના ટુકડા થવા, ગોળના
ટુકડા થવા, તે ભેદ પર્યાયને સ્વભાવ છે. ૩૯૮ પ્ર. તમ (અંધકાર) પુગલ પર્યાય કેને કહે છે ? ઉ. દષ્ટિને રોકવાવાળે અંધકાર તેને તમ કહે છે તે મુદ્દગલની પર્યાય
છે. અંધકાર પુદ્ગલની સ્કંધરૂપ વ્યંજને પર્યાય છે. તે આંખથી દેખાય છે તેથી સ્થૂળ છે અને હાથથી પકડાતી નથી તેથી સૂક્ષ્મ છે. તેથી સ્થૂળ-સૂક્ષ્મ કહે છે.
સમ્યકત્વ પામવું દુલભ છે અને તે આવ્યું તો ચારિત્ર પામવું અતિ દુર્લભ છે,
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૨૭
૩૯૯ પ્ર. દિપક બુઝાઈ જવાથી અંધકાર થાય તેમાં પુદ્ગલની પર્યાય
ક્યાં આવી ? ઉ, દિપકના બુઝાવાથી કે વાદળાંથી અંધકાર થાય તેમ માનનાર અજ્ઞાની
છે. તે ભ્રમ છે. અંધાકાર યુગલની પર્યાય છે, તે બીજાના કારણથી
થતી નથી. ૪૦૦ પ્ર. છાયા ગુગલની પર્યાય છે તે કેવી રીતે ? ઉ. વૃક્ષના નિમિત્તથી થવાવાળી છાયા તે પુગલની અવસ્થા છે. છાયા વૃક્ષના કારણે નથી, છાયા અને વૃક્ષ ભિન્ન ભિન્ન સ્કંધ છે. વૃક્ષ સ્થળ-સ્થૂળ છે અને છાયા સ્થૂળ-સૂક્ષ્મ છે, આમ બને કંધની
જાતિ ભિન્ન છે. ૪૦૧ પ્ર. કંધના સ્થળ અને સૂક્ષ્મ કેટલા ભેદ છે ? ઉ. સ્કંધના છ ભેદ છે. તે જીવના કારણે નથી પણ પુદ્ગલના કારણે છે. ૧. જે અંધ છૂટા પડી ગયા પછી મળતા નથી તે સ્થળ-સ્થૂળ
કહેવાય છે. જેમ, લાકડી, પૃથ્વી વિગેરે.. ૨. જે સ્કંધ છૂટા પડી ફરી મળી જાય છે તે સ્થૂલ છે. જેમ તેલ,
ઘી વિગેરે. ૩. જે સકંધ આંખથી દેખાય પણ બીજી ઈન્દ્રિયથી ન પકડાય તે
સ્થૂલ સૂક્ષ્મ છે. જેમ છાયા આદિ. ૪. જે સ્કંધ આંખથી ન દેખાય પણ કોઈ પણ બીજી ઈન્દ્રિયથી
ગ્રહણ કરી શકાય તે સૂક્ષ્મ સ્થળ છે. જેમ શબ્દ આદિ. ૫. કઈ પણ ઈન્દ્રિયથી ગ્રહણ ન થઈ શકે તે સૂક્ષ્મ છે. જેમ કે
કાર્માણ ધ. ૬. કામણથી પણ સૂક્ષ્મ અંધ-બે પરમાણુથી અનંત પરમાણુ
સુધીના સ્કંધ તે સૂક્ષ્મ–સૂક્ષ્મ છે. ૪૦૨ પ્ર. આંગળીને તડકામાં રાખીએ તેથી તેની છાયા કાળા રૂપમાં દેખાય છે ને? ઉ. ના, એમ નથી. આંગળી સ્થળ–સ્થળ છે, અને છાયા સ્થૂળ-સૂક્ષ્મ
છે, બનેની જાતિ ભિન્ન છે. અજ્ઞાની સંગને માને છે. જ્ઞાની
જબ જા નિજ રૂપકે, તબ જાજે સબ લેક, નહિ જા નિજ રૂપકે, સબ જાન્યો સે ફેક.)
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૨૮
સ્વભાવને માને છે. પ્રત્યેક પર્યાય સ્વતંત્ર છે, તે પોતે પોતાની મેળે. થઈ રહી છે. તેવી જ રીતે દર્પણમાં પડતું શરીરનું પ્રતિબિંબ, શરીર અને પ્રતિબિંબ ભિન્ન ભિન્ન છે. શરીરના લીધે પ્રતિબિંબ
નથી. ૪૦૩ પ્ર. ઉદ્યોત કેને કહે છે ? ઉ. ચંદ્રમાના પ્રકાશ તથા આગિયા વિગેરે તિય જીવોના શરીરના
પ્રકાશને ઉદ્યોત કહે છે. તે ઉદ્યોત પુદ્ગલ દ્રવ્યની વિભાવ વ્યંજન પર્યાય છે. બિલાડી કે સિંહની આંખમાંથી પ્રકાશ દેખાય છે તે જીવના
કારણે નથી, પણ તે ઉદ્યોત પુદ્ગલ દ્રવ્યની વિભાવ વ્યંજને પર્યાય છે.. ૪૦૪ પ્ર. આપ કોને કહે છે ? ઉ. સૂર્યના પ્રકાશને તથા સૂર્યકાંત મણિના પ્રકાશને આતપ કહે છે.
તેમાં એકેન્દ્રિય જીવ છે એટલે પ્રકાશ છે એમ નથી. આતપ પુદ્ગલની
વિભાવ વ્યંજન પર્યાય છે. ૪૦૫ પ્ર. ઉપર મુજબ પુદગલ કંધના દશ ભેદ શા કારણે થાય છે ?
ઉ. ગુગલમાં સ્નિગ્ધ તથા રુક્ષના કારણે બંધ થાય છે. શબ્દ બોલાય 'છે તે આત્માથી નથી બલાતે તેમ હોઠથી પણ નથી બેલા. હોઠ. આહારવર્ગણાથી બન્યા છે. શબ્દ ભાષાવર્ગણના રુક્ષ અને સ્નિગ્ધ ગુણના કારણે બન્યા છે. શરીરનું જાડું પાતાળું થવું તે પુદ્ગલની. અવસ્થા છે. શરીરમાં શ્વાસ ચાલ, પગ અકડી જો તે બધું પુદ્ગલની પર્યાય છે. તેમાં જીવને કોઈ અધિકાર નથી. દૂધમાંથી દહીં થવું, તલમાંથી તેલ નીકળવું, મોસંબીમાંથી રસ નીકળવો, વીજળી થવી, ધનુષ્યમાંથી બાણની ગતિરૂપ અવસ્થા થવી, એ બધી પુદ્ગલની અવસ્થા છે. બરફને ચૂર થવો અને પાછો મળી જ તે બીજા કેઈ કારણે નહિ પણ રૂક્ષ-સ્નિગ્ધ ગુણના કારણે થાય છે. જેમ આત્મા ત્રિકાળી વસ્તુ છે, જેના જ્ઞાનાદિ ગુણ ત્રિકાળી અને તેની જ્ઞાનાદિ પર્યાય પ્રત્યેક સમય બદલાતી રહે છે, તેમ પુદ્ગલ દ્રવ્યને સ્પર્શાદિ ગુણ ત્રિકાળી છે અને તેની પર્યાય પ્રતિ સમય પલટતી રહે છે કે જેના દશ ભેદ ઉપર પ્રમાણે બતાવ્યા છે.
સહજાન્મ
સ્વરૂપ પરમગુરુ,
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૨૯
૪૦૬ પ્ર. કંધ પુદગલને કેટલા પ્રકાર છે ? ઉ. સ્કંધ પુદ્ગલના છ પ્રકાર અને દષ્ટાંત આ પ્રમાણે :- અતિસ્થૂળ
(પૃવી), સ્થૂળ (જળ, સ્થૂળ-સૂક્ષ્મ (છાયા-પ્રકાશાદિ નેન્દ્રિય વિષય), સૂક્ષ્મ-સ્થળ (રસ-ગંધ-સ્પર્શ-શબ્દ વગેરે શેષ ઈન્દ્રિય વિષય), સૂક્ષ્મ (
કાણુ સ્કંધ), અને અતિ–સૂક્ષ્મ (પરમાણુ. ૪૦૭ ક. છ દ્રવ્યોમાં કેટલાં સક્રિય અને કેટલાં નિષ્ક્રિય છે ? ઉ. જીવ અને પુદ્ગલકાય-આ બે દ્રવ્યો સક્રિય છે. બાકીનાં બધાં
(ચાર દ્રવ્ય) નિષ્ક્રિય છે. ૪૦૮ પ્ર. જીવ કયા સાધનથી સક્રિય બને છે ?
ઉ. જીવ સક્રિય બને છે તેમાં કર્મ, કર્મરૂપ પુગલ બાહ્ય સાધન છે. ૪૦૯ પ્ર. પુદ્ગલ ક્યા સાધનથી સક્રિય બને છે ?
ઉ. પુદ્ગલ સક્રિય બને છે તેમાં કાળવ્ય બાહ્ય સાધન છે. ૪૧૦ પ્ર. પ્રત્યેક દ્રવ્યમાં ક્યા ક્યા વિશેષ ગુણ છે ? ઉ. જીવ દ્રવ્યમાં ચિતન્ય (દર્શન, જ્ઞાન), શ્રદ્ધા (સમ્યક્ત્વ), ચારિત્ર,
સુખ, વીર્ય, ક્રિયાવતી શકિત, વૈભાવિક શક્તિ વગેરે. પુદ્ગલ દ્રવ્યમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, ક્રિયાવતી શક્તિ વગેરે, ધર્મ દ્રવ્યમાં ગતિ હેતુત્વ વગેરે, એટલે જીવ તથા પુલને ગતિ કરવામાં જે સહાયકારી થાય તે ધર્મ દ્રવ્ય. અધર્મ દ્રવ્યમાં સ્થિતિ હેતુત્વ વગેરે, એટલે જીવ અને પુદ્ગલને સ્થિર રહેવામાં જે સહાયકારી થાય તે અધર્મ દ્રવ્ય. આકાશ દ્રવ્યમાં અવગાહન હેતુત્વ વગેરે, એટલે જીવાદિક પાંચે દ્રવ્યને જે રહેવાની જગ્યા આપે છે તે આકાશ. કાળ દ્રવ્યમાં પરિણમન હેતુત્વ વગેરે. કેઈ અન્ય દ્રવ્ય (જીવ કે પુલ) એકબીજાને ગમન કે સ્થિર કરાવી શક્તા નથી પણ તે બન્ને દ્રવ્ય પિતાપિતાની ક્રિયાવતી
ઝેર રાખવું એ ભયંકર નથી પણ ઝેરને ઉપયોગ કરવા એ ભયંકર છે–તેમ સંસાર ભયંકર નથી પણ મન સંસારમાં રાખવું તે ભયંકર છે.
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૩૦
શક્તિની તે સમયની યોગ્યતા પ્રમાણે પિતાથી ગમન કરે છે કે
સ્થિર થાય છે. ૪૧૧ પ્ર. દર્પણમાં પડતું પ્રતિબિંબ તે માત્ર ખાલી દેખાય છે કે કોઈ તત્ત્વનું
બનેલું છે ? ઉ. દર્પણમાં પડતું પ્રતિબિંબ ખાલી દેખાવ નથી. તે અમુક તવનું
બનેલું છે. ૪૧૨ પ્ર. તડકાના પ્રકાશમાં જે રજ જેવું દેખાય છે તે શું અણુ છે ? ઉ. તડકાના પ્રકાશમાં સૂક્ષ્મ રજ જેવું જે દેખાય છે, તે અણુ નથી,
પણ અનેક પરમાણુઓને બનેલે સ્કંધ છે. પરમાણુ ચક્ષુએ જેમાં ન જાય. ચક્ષુ ઈન્દ્રિયલબ્ધિના પ્રબળ ક્ષયોપશમવાળા જીવ, દૂરંદેશી
લબ્ધિસંપન્ન યોગી અથવા કેવળીથી તે દેખી શકાય છે. ૪૧૩ પ્ર. ધર્મદ્રવ્ય કોને કહે છે ? ઉ. સ્વયં ગતિ કરતાં જીવ અને પુદ્ગલને ગતિ કરવામાં નિમિત્ત
હોય તેને ધર્મદ્રવ્ય કહે છે, જેમ ગતિ કરતી માછલીને ગતિ
કરવામાં પાણું. ૪૧૪ પ્ર. અધર્મ દ્રવ્ય કોને કહે છે ? ઉ. સ્વયં ગતિપૂર્વક સ્થિતિરૂપ પરિણમતા જીવ અને પુદ્ગલને સ્થિર
થવામાં જે નિમિત્ત હોય તેને અધર્મ દ્રવ્ય કહે છે. જેમ
મુસાફરને સ્થિર થવા માટે ઝાડને છાંયે. ૪૧૫ પ્ર. આકાશ દ્રવ્ય કોને કહે છે ? ઉ. જે જીવાદિ પાંચે દ્રવ્યોને રહેવા માટે જગ્યા આપે તેને આકાશ
દ્રવ્ય કહે છે. આકાશ દ્રવ્ય સર્વ વ્યાપક છે, સર્વત્ર છે. ૪૧૬ પ્ર. આકાશના કેટલા ભેદ છે ? ઉ, આકાશ એક જ અખંડ દ્રવ્ય છે. કાકાશ તથા અલકાકાશ
તેના ભેદ છે. ૪૧૭ પ્ર. લેકાકાશ કોને કહે છે ? ઉ. જ્યાં સુધી જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને કાળ એ સમસ્ત
દ્રવ્યો છે ત્યાં સુધીના આકાશને લોકાકાશ કહે છે.
જે સદાય મૃત્યુનું ચિંતવન કરે છે તે ધર્મની પ્રાપ્તિ કરે છે.
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૩૧
૪૧૮ પ્ર. અલકાકાશ કોને કહે છે ?
ઉ. લોકાકાશની બહારના અનંત આકાશને અકાકાશ કહે છે. ૪૧૯ પ્ર. લેક એટલે શું ?
ઉ. સમસ્ત વિશ્વ. ૪૨ ૦ પ્ર. અલેક કેવડે છે ?
ઉ. અનતે. ૪ર૧ પ્ર. અને તો એટલે ?
ઉ. જેને અંત એટલે કે નહિ તે. ૪૨૨ પ્ર. લેક મોટે કે અલેક ?
ઉ. અક. પ્ર. અલકમાં શું છે ?
ઉ. એકલું આકાશ છે, બીજું કાંઈ જ નથી. કર૪ પ્ર. લેક અને અલેક બંને મળીને શું કહેવાય ? - ઉ. કાલક, ૪૨૫ ક. છ દ્રવ્યમાં લેકમાં કેટલા ? અલકમાં કેટલાં ? ઉ. લેકમાં છ એ દ્રવ્ય છે અને એક આકાશદ્રવ્ય લેક-અલક બધે
વ્યાપી રહેલ છે. આકાશ એક અખંડ દ્રવ્ય છે, તેથી લેકમાં કાળને લઈને જે પરિણતિ થાય છે તેને લઈને અલોકમાં
કાળદ્રવ્ય નથી છતાં ત્યાં પણ પરિણતિ થયા કરે છે. ૪ર૬ પ્ર. કાળદ્રવ્ય કોને કહે છે ? ઉ. પોતપોતાની અવસ્થારૂપે સ્વયં પરિણમતા છવાદિ દ્રવ્યના પરિ
સુમનમાં જે નિમિત્ત હોય તેને કાળદ્રવ્ય કહે છે–જેમ કે કુંભારના
ચાકને ફરવા માટે લેઢાને ખીલો. ૪ર૭ પ્ર. પુદ્ગલ પરમાણુને ગતિમાં સહકારી કારણ ધર્મદ્રવ્ય છે તેમાં કાળ
દ્રવ્યનું શું પ્રયોજન છે ? ઉ. ગતિમાં સહકારી કારણ ધર્મદ્રવ્ય વિદ્યમાન હોવા છતાં બીજાં
પણ ઘણાં સહકારી કારણે હોય છે. ધર્મદ્રવ્ય વિદ્યમાન હવા
જ્ઞાની પુરુષે કહેવું બાકી નથી રાખ્યું; પણ જીવે કરવું બાકી રાખ્યું છે.
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૩૨
છતાં પણ, છને ગતિમાં કર્મ–કર્મરૂપ પુદ્ગલ સહકારી કારણ થાય છે, અને અણુ તથા સ્કંધ-એ પુદ્ગલેને ગમનમાં
(ધર્મ દ્રવ્ય ઉપરાંત) કાળ દ્રવ્ય સહકારી કારણ થાય છે. ૪૨૮ પ્ર. જીવ પગલાદિ દ્રવ્યના પરિણમનમાં સહકારી કારણ કાળદ્રવ્ય છે
પણ કાળદ્રવ્યના પરિણમનમાં સહકારી કારણ કોણ છે ? ઉ. જેમ આકાશદવ્ય બધા દ્રવ્યોને અવગાહન આપવામાં નિમિત્ત
થાય છે અને પોતાની અવગાહનાને આધાર સ્વયં પોતે જ છે, તેમ કાળદ્રવ્ય બાકીના બીજા બધા દ્રવ્યના પરિણમનમાં નિમિત્ત
થવા ઉપરાંત પોતાના પરિણમનમાં પિતે સ્વયં નિમિત્ત છે. ૪૨૯ પ્ર. શું ઉપરના ધર્મઅધર્મ, આકાશ અને પુદ્ગલ એ ચારે અજીવતો
બીજાં દર્શને પણ માન્ય છે ? ઉ. નહિ, આકાશ અને પુદ્ગલ એ બને તો તો વૈશેષિક, ન્યાય,
સાંખ્ય આદિ દર્શનેને પણ માન્ય છે; પરંતુ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ બને ત જૈનદર્શન સિવાય બીજું કોઈ પણ દર્શન માનતું નથી. પગલાસ્તિકાય એ સંજ્ઞા પણ ફક્ત જૈનશાસ્ત્રમાં જ પ્રસિદ્ધ છે. બીજાં દર્શનેમાં એ તત્વને સ્થાને પ્રકૃતિ, પરમાણુ
આદિ શબ્દોને ઉપયોગ થાય છે. ૪૩૦ પ્ર. પર્યાય એટલે શું ? ઉ. જુદાં જુદાં નિમિત્તને લઈને દ્રવ્યની જુદી જુદી અવસ્થા થતી રહે
છે તેને પર્યાય કહે છે. જેમકે : જીવ એ દ્રવ્ય અને મનુષ્ય, તિર્યંચ વગેરે પર્યાય. જીવના શુદ્ધ સ્વભાવની રાગ દ્વેષમાં પરિણતી
તે વિભાવ પર્યાય. માટી એ દ્રવ્ય અને ઘડો તેની પર્યાય. ૪૩૧ પ્ર. છ દ્રવ્યમાં જીવ કેટલા અને અજીવ કેટલા ?
ઉ. છવ સિવાયનાં પાંચે દ્રવ્યો અજીવ છે. ૪૩ર પ્ર. પુદ્ગલ અજીવ દ્રવ્ય હોવા છતાં તે સ્વયં ગતિમાન દ્રવ્ય કહેવાય છે? ઉ. હા. પુદ્ગલમાં ક્રિયાવતી શક્તિને ગુણ છે તેથી પોતાની ગ્યતા
નુસાર ગતિ-ક્ષેત્રા-તરરૂપ પર્યાય થાય છે.
આભ પરિણામની વસ્થતાને શ્રી તીર્થકર સમાધિ
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૨૩
૪૩૩ પ્ર. છ દ્રવ્યમાં રૂપી કેટલા ? અરૂપી કેટલાં ?
ઉ. પુદ્ગલ સિવાયનાં પચે દ્રવ્ય અરૂપી છે. ૪૩૪ પ્ર. છ દ્રવ્યમાં અસ્તિકાય કેટલાં ?
ઉ. એક કાળ દ્રવ્ય સિવાયનાં પાંચે અસ્તિકાય કહેવાય છે.(જુઓ પ્ર. ૪૭૦) ૪૩૫ પ્ર. અસ્તિકાય એટલે શું ?
ઉ. પ્રદેશોના સમૂહને અસ્તિકાય કહે છે. (જુઓ પ્રશ્ન-પ૬૭થી પ૬૯) ૪૩૬ પ્ર. ધર્મદ્રવ્ય અને ધર્મ (સંવર, નિર્જરાની કરણ) એ બને એક
કે જુદાં ? ઉ. તદ્દન જુદાં ધર્મ દ્રવ્ય જડ છે, અજીવ છે. સંવર, નિર્જરારૂપ ધર્મ
એ તે જીવને પુરુષાર્થ છે માટે બને જુદાં છે. ૪૩૭ પ્ર, પ્રદેશ એટલે શું ? ઉ. ધર્માસ્તિકાય વગેરે પાંચે અસ્તિકાયના નાનામાં નાના હિસ્સાને
પ્રદેશ કહે છે. (કાળ દ્રવ્યને પ્રદેશ હોતા નથી.) ૪૩૮ પ્ર. દુષમકાળ એટલે શું ? ઉ. દુષમ શબ્દનો અર્થ દુઃખે કરીને પ્રાપ્ત થવા ગ્ય એ થાય
છે અથવા આ કાળમાં પરમાર્થમાર્ગનું વિશેષ કરીને દૂર્લભપાણું છે. આ ક્ષેત્રે વર્તમાનકાળમાં પૂર્વે જેણે પરમાર્થ માર્ગ આરાધે છે, તે દેહ ધારણ ન કરે, અને તે સત્ય છે, કેમ કે જે તેવા જીવોને સમૂહ દેહધારીપણે આ ક્ષેત્રે વર્તતો હોત તે તેમને તથા તેમના સમાગમમાં આવનારા એવા ઘણું જીવન પરમાર્થ માર્ગની પ્રાપ્તિ સુખે કરીને થઈ શકતી હત; અને તેથી આ કાળને “દુષમ” કહેવાનું કારણ રહેત નહીં. મુમુક્ષપણું, સરળપણું, નિવૃત્તિ, સત્સંગ આદિ સાધને પરમ દુર્લભ જાણું આ દુષમકાળને હુંડા
અવસર્પિણી કાળ કહ્યો છે. ૪૩૮ પ્ર. પરમાર્થનું ક્ષીણુપણું છે માટે વર્તમાનકાળને દુષમકાળ કહ્યો છે
કે દુષમકાળ છે માટે પરમાર્થનું ક્ષીણપણું છે ? ઉ. પરમાર્થ માર્ગને એગ્ય પુણ્યવાળા બહુ ઓછા જીવ હોવાથી આ
કાળને દુષમ કહ્યો છે. જેનાં કર્મને લઈને કાળને પણ લંક
શ્રદ્ધા તે સાધન અને અનુભવ તે સાધ્ય,
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૩૪
લાગ્યું છે. કાળ કાઈના હાથ ઝાલવા નથી આવતા કે તને પરમા માં નહી' પ્રવર્તાવા . એ વના જ વાંક છે, કાળા દોષ નથી. સારાં નિમિત્તો ન મળે તેવા કાળના પ્રભાવ જીવનાં કર્મને લઈને બને.
૪૪૦ પ્ર. એક અહેારાત્રી એટલે શુ ?
ઉ. એક દિવસ અને એક રાત, આજ સવારથી કાલ સવાર સુધી. ૪૪૧ પ્ર. એક અહારાત્રીની ઘડી કેટલી ? ઉ. સાઠે.
૪૪ર પ્ર. એક અહોરાત્રીના મુદ્દ` કેટલાં
ઉ. ત્રીસ.
૪૪૩ પ્ર. એક મુદ્દતની ઘડી કેટલી ? ઉ. ગે.
૪૪૪ પ્ર. એક મુદ્દતની આલિયા કેટલી ?
ઉ. એક ક્રાડ સડસઠ લાખ, સત્યેાતેર હજાર, બસેા સેાળ. ૪૪૫ . એક આવલિકાના અસ ંખ્યાત ભાગને શુ કહે છે ? ઉ. સમય (કાળને નાનામાં નાના ભાગ).
૪૪૬ ×. આંખ મીચીને ઉઘાડીએ તેટલી વારમાં કેટલા “સમય” વહી જાય ? ઉ. અસ ંખ્યાતા.
૪૪૭ ૫. પૂર્વ કાને કહેવાય ?
ચારાશી લાખ વરસે એક પૂર્વાંગ અને ચેારાશી લાખ પૂર્વાંગે એક પૂર્વ થાય. (એક પૂર્વનાં સીત્તેર લાખ છપ્પન હજાર કરાડ વ થાય).
૪૪૮ પ્ર. પત્યેાપમ કાને કહેવાય
ઉ. અસંખ્યાત પૂર્વના એક પછ્યાપમ થાય.
૪૪૯ પ્ર. સાગરાપમ કેમ થાય ?
૩. દશ કાડાક્રેાડી પત્યેાપમના એક સાગરાપમ થાય. (ક્રેડને ક્રેડ ગુણા કરીએ ત્યારે કાડાક્રાડ થાય.) જેવી રીતે સાગરમાં જળનાં બિંદુએ અપાર હોય છે, તેવી રીતે સાગરાપમમાં વર્ષ પણ અપાર હોય છે.
હૃદયથી નાનપણે રહેવામાં આત્માને લાભ છે, નિર્માનતામાં જ આત્મગુણ પ્રગટે છે.
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૩૫
૪૫૦ પ્ર. કાળચક્ર એટલે શું ? ઉ. દશ કેડીક્રેડી સાગરોપમને એક અવસર્પિણી કાળ અને દશ
ડાડી સાગરોપમને એક ઉત્સર્પિણી કાળ, તે બંને મળીને
વીશ કેડાડી સાગરોપમનું એક “કાળચક્ર” કહેવાય. ૪૫૧ અ. અવસર્પિણી તથા ઉત્સપિણી એટલે શું ? ઉ. અવસર્પિણી એટલે આરાની ઘટતી દશા.
અવસર્પિણી કાળમાં દિવસે દિવસે શુભ ભાવોની હાનિ થાય અને
ઉત્સર્પિણી કાળમાં દિવસે દિવસે શુભ ભાવની વૃદ્ધિ થાય. ૪૫ર પ્ર. એક અવસર્પિણી તથા એક ઉત્સર્પિણીના કેટકેટલા આરા થાય ?
ઉ. છ–છે. ૪પ૩ પ્ર. એ છ આર સરખા હોય છે કે નાના મોટા ?
ઉ. નાના મોટા હોય છે. (જુઓ પ્રશ્ન-૪૫૬). ૪૫૪ પ્ર. કેટલા સમયમાં એક કાળ ચક્ર થાય છે ? ઉ. એક એજનને લાંબે, પહોળે અને ઊંડે કૂ હોય તેમાં (મુગલિયાના) અત્યંત બારીક વાળના અસંખ્ય ખંડ કરીએ, તે અસંખ્ય ખંડવાળા વાળ ને તળાથી તે ઉપર સુધી ખૂબ (સજ્જડ) ઠાંસીને તે કુ ભર્યો હોય, કે જેના પરથી ચક્રવર્તીનું લશ્કર ચાલ્યું જાય, પણ એક વાળ નમે નહિ, નદીને પ્રવાહ ધોધમાર ચાલ્યો જાય, પણ અંદર પાણી ઉતરી શકે નહીં. કદાચ અગ્નિ પણ તે ઉપર લાગે પણ અંદર જઈ શકે નહીં. તેવા કૂવામાંથી સો સો વર્ષે એકેક ખંડ કાઢતાં જ્યારે તે કૂવો ખાલી થાય તેટલામાં જેટલે વખત જાય તેને શાસ્ત્રકાર એક પલ્ય કહે છે. તેવા દશ ડાકોડ પત્યે એક સાગર થાય છે. વીસ ક્રેડાડ
સાગર સમાય તેટલા વખતે એક કાલચક્ર થાય છે. ૪૫૫ પ્ર. એક કાળચક્રના કેટલા આરા થાય ? ઉ. બાર. પ્રથમ અવસર્પિણીના છ આરાનાં નામ :
(૧) સુખમાં સુખમા, (૨) સુખમા, (૩) સુખમાં દુઃખમાં, (૪)
દુખમાં સુખમાં, (૫) દુઃખમા (૬) દુખમા દુઃખમાં, પ્રભાતના સમયે જેના રાજ્યાભિષેકની શોભા દેખાય છે તે જ દિવસે તે જ રાજાની ચિતાને ધૂમાડો દેખવામાં આવે છે. આવી સંસારની વિચિત્રતા છે,
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૩૬
હવે ઉત્સર્પિણીને છ આરાનાં નામ : (૧) દુખમાં દુખમા, (૨) દુઃખમાં, (૩) દુખમાં સુખમા, (૪)
સુખમાં દુઃખમા, (૫) સુખમાં, (૬) સુખમાં સુખમાં. ૪૫૬ પ્ર. એ બાર આરાના કાળનું પરિમાણ કહે. ઉ. અવસર્પિણીના છ આરા, તેમાં પહેલે આરે ચાર કેડીકેડી
સાગરોપમને, બીજો ત્રણ ક્રેડક્રોડી સાગરોપમને, ત્રીજે બે
ડાક્રોડી સાગરોપમને, ચોથે એક ક્રોડાકોડી સાગરોપમમાં બેતાલીશ હજાર વર્ષ ઊણે, પાંચમે આરે એકવીશ હજાર વર્ષને અને છઠ્ઠો આરે પણ એક્વીશ હજાર વર્ષને. કુલ દશ કેડાડી સાગરોપમના છ આરા થયા. હવે ઉત્સર્પિણના છ આરામાં પહેલે આર એક્વીસ હજાર વર્ષને, બીજે પણ એકવીસ હજાર વર્ષને, ત્રીજો એક ક્રેડાડી સાગરોપમમાં બેતાલીસ હજાર વર્ષ ઊણે, એથે આરે બે ક્રોડાક્રોડી સાગરોપમને, પાંચમો આરે ત્રણ ડાડી સાગરોપમને અને છઠ્ઠો આરે ચાર કેડાડી
સાગરોપમને છે.. ૪૫૭ પ્ર. હિંદુ ધર્મમાં ચાર યુગ કહ્યા છે અને તે દરેક ચાર યુગે પૂરાં
થતાં પૃથ્વીને સંહાર થાય અને પ્રલય થાય અને નવું સર્જન થાય તેમ કહ્યું છે તે તે ચાર યુગનાં નામ કહે અને તે ચારે
યુગને કુલ સમય કેટલે ? ઉ. ચાર યુગનાં નામ : સત મુગ, દ્વાપર, ત્રેતા અને કળિયુગ. તેને
કુલ સભ્ય ૪૩ લાખ ૨૦ હજાર વર્ષ થાય. લૌકિક અપેક્ષાએ અને વ્યવહારમાં જૈનદર્શનમાં છ આરાને , એક યુગ તરીકે વર્ણવવામાં આવે છે. જૈનદર્શનની પરંપરાએ જગત અનાદિ અનંત છે તેને કદી સંહાર કે પ્રલય થતા નથી તેમ તેનું નવું સર્જન પણ હોય નહીં.
અનંત કાળે જે પ્રાપ્ત થયું નથી તે પ્રાપ્તપણાને વિષે અમુક કાળ વ્યતીત થાય તે હાનિ નથી, માત્ર અનંત કાળે જે પ્રાપ્ત થયું નથી તેને વિષે ભ્રાંતિ થાય, ભૂલ થાય તે હાન છે,
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૩૭
૪૫૮ પ્ર. પુદ્ગલ પરાવર્ત એટલે શું ? ઉ. પુદ્ગલ=ઝીણામાં ઝીણાં રજકણથી માંડીને સ્કૂલમાં સ્કૂલ જે પુદ્ગલ
તે સર્વમાં અગર તે સર્વથી જીવે પરાવર્ત = સમગ્ર પ્રકારે ફરવું કર્યું, સર્વમાં ભ્રમણ કર્યું, તે સર્વને લઈ લઈને મૂક્યા છે; મૂકી મૂકીને ફરી ફરીને લીધા છે. તે પણ સર્મપણે અને બાદરપણે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, એમ (એક પુદ્ગલ પરાવર્તનમાં) લીધા છે અને મૂક્યા છે. (એક પુદ્ગલ પરાવર્તનમાં) અનંત કાળચક્ર
વહી જાય છે. અનંતા કાળચક્રે એક પુગલ પરાવર્તન થાય. ૪૫૯ પ્ર. આપણું જીવે સંસારમાં ભટક્તાં કેટલાં પુદ્ગલ પરાવર્તન કીધાં ?
ઉ. અનંતાં. ૪૬૦ પ્ર. અવસર્પિણી એટલે ઉતરતા કાળના પાંચમા આરામાં, અત્યારે
ચાલતા આરામાં કેવું વર્તન આ ભરતક્ષેત્રમાં હશે તે બાબત
સપુરુષોએ શું કહ્યું છે ? ઉ. નિગ્રંથ પ્રવચન પરથી મનુષ્યોની શ્રદ્ધા ક્ષીણ થતી જશે. ધર્મનાં
મૂળ તત્તમાં મતમતાંતર વધશે. પાખંડી અને પ્રપંચી માતાનું મંડન થશે, જનસમૂહની રુચિ અધમ ભણી વધશે. સત્ય, દયા હળવે હળવે પરાભવ પામશે. મેહાદિક દષની વૃદ્ધિ થતી જશે. દંભી અને પાપિષ્ટ ગુરુઓ પૂજ્ય થશે. દુષ્ટ વૃત્તિના મનુષ્ય પિતાના ફંદમાં ફાવી જશે. મીઠા પણ ધૂર્ત વકતા પવિત્ર મનાશે. શુદ્ધ બ્રહ્મચર્યાદિક શીલયુક્ત પુરુ મલિન કહેવાશે. આત્મિક જ્ઞાનના ભેદે હણતા જશે. હેતુ વગરની ક્રિયા વધતી જશે. અજ્ઞાન ક્રિયા બહુધા સેવાશે. વ્યાકુળ વિષયનાં સાધન વધતાં જશે. એકાંતિક
પક્ષે સત્તાધિશ થશે. શૃંગારથી ધર્મ મનાશે. ૪૬૧ પ્ર. રાજ અને પ્રજાનું કેવું વર્તન હશે ?
ઉ. ખરા ક્ષત્રિઓ વિના ભૂમિ શેકાગ્રસ્ત થશે, નિર્માલ્ય રાજવંશીઓ
આત્મા કર્મકૃત (રાગાદિ અને શરીરાદિ) ભાથી અસંયુકત હોવા છતાં પણ અજ્ઞાનીઓને સંયુક્ત જે પ્રતિભાસે છે; તે પ્રતિભાસ ખરેખર સંસારનું બીજ છે.
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૩૮
વેશ્યાના વિલાસમાં મોહ પામશે. ધર્મ, કર્મ અને ખરી રાજનીતિ ભૂલી જશે, અન્યાયને જન્મ આપશે, જેમ લૂંટાશે તેમ પ્રજાને લૂંટશે, પતે પાપિષ્ટ આચરણે સેવી પ્રજા આગળ તે પળાવતા જશે, રાજબીજને નામે શન્યતા આવી જશે. નીચ મંત્રીઓની મહત્ત વધતી જશે. એઓ દીન પ્રજાને ચૂસીને ભંડાર ભરવાને રાજાને ઉપદેશ આપશે. શીયળભંગ કરવાને ધર્મ રાજાને અંગીકાર. કરાવશે, શર્યાદિક સદ્ગણોને નાશ કરાવશે, મૃગયાદિક પાપમાં અંધ બનાવશે, રાજ્યાધિકારીઓ પિતાના અધિકારથી હજારગણું અહં પદના રાખશે. વિ લાલચુ અને લેભી થઈ જશે. સવિદ્યાને દાટી દેશે; સંસારી સાધનને ધર્મ કરાવશે. વૈશ્ય માયાવી, કેવળ સ્વાર્થી અને કઠોર હૃદયના થતા જશે. સમગ્ર મનુષ્યવર્ગની સદ્વૃત્તિઓ ઘટતી જશે. અકૃત અને ભયંકર કૃત્ય કરતાં તેઓની વૃત્તિ અટકશે નહિ. વિવેક, વિનય, સરળતા ઇત્યાદિ સદ્ગણે ઘટતા જશે. અનુકંપાને નામે હીનતા થશે, માતા કરતાં પત્નીમાં પ્રેમ વધશે, પિતા કરતાં પુત્રમાં પ્રેમ વધશે; પતિવ્રત નિયમપૂર્વક પાળનારી સુંદરીઓ ઘટી જશે, સ્નાનથી પવિત્રતા ગણાશે, ધનથી ઉત્તમ કુળ ગણાશે, ગુરુથી શિષ્યો આગળ ચાલશે, ભૂમિને રસ ઘટી જશે. સંક્ષેપમાં કહેવાને ભાવાર્થ કે ઉત્તમ વસ્તુની ક્ષીણતા છે અને કનિષ્ઠ વસ્તુને ઉદય છે. પંચમકાળનું સ્વરૂપ આમાંનું પ્રત્યક્ષ સૂચવન પણ કેટલું બધું કરે છે ?
મનુષ્ય સદ્ધર્મવમાં પરિપૂર્ણ શ્રદ્ધાવાન નહિ થઈ શકે; સંપૂર્ણ તત્ત્વજ્ઞાન નહિ પામી શકે, જંબુસ્વામીના નિર્વાણ પછી દશ નિર્વાણ.
વસ્તુ આ ભરતક્ષેત્રથી વ્યવરચ્છેદ ગઈ. ૪૬૨ પ્ર. કાળ દ્રવ્યને વિશેષ પ્રકારે સમજાવો ? ઉ. કાળ, મૂળ દ્રવ્ય નથી. ઔપચારિક દ્રવ્ય છે અને તે જીવ તથા
અજીવમાંથી ઉત્પન્ન થયેલ છે; અથવા જીવાજીવની પ્રર્યાય અવસ્થા તે કાળ છે. દરેક દ્રવ્યના અનંતા ધર્મ છે; તેમાં ઊર્ધ્વપ્રચય અને તિર્યકપ્રચય એવા બે ધર્મ છે; અને કાળ વિષે તિર્યપ્રચય ધર્મ
જિંદગી ટૂંકી છે, અને જો જાળ લાંબી છે, માટે જ જાળ ટૂંકી કર તો સુખરૂપે જિદગી લાંબી લાગશે.
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૩૯
નથી, એક ઉર્વપ્રચય ધર્મ છે. ઉર્વપ્રચયથી પદાર્થમાં જે ધર્મનું ઉદ્ભવવું થાય છે તે ધર્મનું તિર્યક્રમચયથી પાછું તેમાં સમાવું થાય છે. કાળના સમયને તિર્યપ્રચય નથી, તેથી જે સમય ગમે તે પાછો આવતો નથી. દિગબર અભિપ્રાય મુજબ “કાળદ્રવ્ય”ના લેકમાં અસંખ્યાતા આણુ છે. તે “અણુ”માં “રૂક્ષ” અથવા સ્નિગ્ધ” ગુણ નથી; તેથી તે દરેક અણુ એકબીજામાં મળતા નથી, અને દરેક પૃથક પૃથક રહે છે. પરમાણુપુદ્ગલમાં તે ગુણ હવાથી મૂળ સત્તા કાયમ રહ્યા છતાં તેને (પરમાણુપુગલન) સ્કંધ થાય છે.
પદાર્થમાં ઉત્પાદ અને વ્યય એવાં બે પદ વર્તે છે. તેથી પૂર્વપર્યાયને વ્યય અને ઉત્તર પર્યાયને ઉત્પાદ થયા કરે છે. આ પરિવર્તનથી કાળ જણાય છે, અથવા તે પર્યાયને પરિવર્તન
થવામાં કાળ સહાયકારી છે. ૪૬૩ પ્ર. કાળથી બધું બદલાય છે-પરિવર્તન થયા કરે છે, માટે બધું કાળને
આધીન છે ? ઉ. ના ? કેમકે જગતના છએ દ્રવ્ય નિરંતર પિતાની દ્રવ્યત્વ શક્તિથી
જ પરિવર્તન કરે છે. તેમાં કાળ દ્રવ્ય તે નિમિત્ત માત્ર છે. વસ્તુની શક્તિ કેઈની અપેક્ષા રાખતી નથી; માટે કાળને આધીન
કહેવું તે વ્યવહાર કથન છે. ૪૬૪ પ્ર. આ ઉપરથી સિદ્ધાંત શું સમજવો ? ઉ. દરેક દ્રવ્ય ત્રિકાળ જુદે જુદું સ્વતંત્ર છે અને દરેક દ્રવ્યમાં પિત.
પિતાના કારણે પર્યાય અપેક્ષાએ નવી અવસ્થાનું ઉપજવું, પૂર્વ પર્યાયને નાશ થ અને દ્રવ્ય અપેક્ષાએ નિત્ય ટકી રહેવું એવી
સ્થિતિ ત્રિકાળ થઈ રહી છે. ૪૬૫ પ્ર. કાળ શું ખાય છે? ઉ. તેને ત્રણ પ્રકારે ઉત્તર છે. સામાન્ય ઉપદેશમાં “તે પ્રાણી માત્રનું
આયુષ્ય ખાય છે.” વ્યવહારનયથી કાળ જૂનું” ખાય છે.
પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે, અને માથે મરણ રહ્યા છે; એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર, |
Page #162
--------------------------------------------------------------------------
________________
1 to
નિશ્ચયનયથી કાળ માત્ર પદાર્થને રૂપાંતર આપે છે, પર્યાયાંતર કરે છે. નિશ્ચયનયથી કઈ પણ પદાર્થ કઈ પણ કાળમાં નાશ પામે જ નહિ અને જે પદાર્થ કેવળ નાશ પામતા હોય, તે આજ
કંઈપણ હોત નહિ, માટે કાળ ખાતે નથી પણ રૂપાંતર કરે છે. ૪૬૬ પ્ર. આ લોક કયા મૂળભૂત પદાર્થોથી બનેલું છે ? ઉ. પાંચ અસ્તિકાયના એકમેકાત્મકપણુથી આ “ક”ની ઉત્પત્તિ છે,
અર્થાત “લેક” એ પાંચ અસ્તિકાયય છે તેથી ઉપરાંત માત્ર
આકાશરૂપ અલક છે. ૪૬૭ પ્ર. પાંચ અસ્તિકાય કોને કહે છે ? ઉ. જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશ એ પદાર્થો પિતાના
અસ્તિત્વમાં નિયમથી રહ્યા છે; પોતાની સત્તાથી અભિન્ન છે અને અનેક પ્રદેશાત્મક છે. અનેક ગુણ અને પર્યાચસહિત જેને અસ્તિત્વ
સ્વભાવ છે તે “અસ્તિકાય.” તેનાથી લોક્ય ઉત્પન્ન થાય છે. ૪૬૮ પ્ર. અસ્તિકાયને વિશેષ સમજાવે ? ઉ. અસ્તિકાય એટલે પ્રદેશસમૂહાત્મક વસ્તુ. એક પરમાણુ પ્રમાણે
અમૂર્ત વસ્તુના ભાગને “પ્રદેશ” એવી સંજ્ઞા છે. અનેક પ્રદેશાત્મક
જે વસ્તુ હોય તે “અસ્તિકાય” કહેવાય. ૪૬૯ પ્ર. પંચાસ્તિકાયનું સ્વરૂપ સંક્ષેપમાં કહે. ઉ, (૧) પ્રત્યેકે પ્રત્યેક જીવ અસંખ્યાત પ્રદેશ પ્રમાણ છે તે છો અનંત છે. (૨) એક પરમાણુ એવા અનંત પરમાણુએ છે. પુદ્ગલ પરમાણુ
જે કે એક પ્રદેશાત્મક છે, પણ બે પરમાણુથી માંડીને અસંખ્યાત અનંત પરમાણુઓ એકત્ર થઈ શકે છે, અને અનેક પ્રદેશાત્મકપણું તે પામી શકે છે, જેથી તે પણ અસ્તિકાયા કહેવા યોગ્ય છે. તે પરમાણુ, સંખ્યાત પરમાણુ, અસંખ્યાત
પરમાણુ તથા અનંત પરમાણુ મળેલા એવા અનંતા કંધ છે. (૩) “ધર્મદ્રવ્ય” એક છે તે અસંખ્યાત પ્રદેશ પ્રમાણુ લોકવ્યાપક છે. (૪) અધર્મદ્રવ્ય” એક છે. તે પણ અસંખ્યાત પ્રદેશ પ્રમાણ
લોકવ્યાપક છે.
વખત અમૂલ્ય છે, એ વાત વિચારી આજના દિવસની ૨,૧૬,ooo વિપળનો ઉપયોગ કરજે.
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૧
(૫) “આકાશદ્રવ્ય” એક છે. તે અનંત પ્રદેશ પ્રમાણ છે, લેકા
લોકવ્યાપક છે. લોકપ્રમાણ આકાશ અસંખ્યાત પ્રદેશાત્મક છે. છવદ્રવ્ય, ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્ય અસંખ્ય પ્રદેશ છે. આકાશદ્રવ્ય અનંત પ્રદેશ અને પુદ્ગલ કંધ બે પ્રદેશથી
માંડી અનંત પ્રદેશ છે. ૪૭૦ પ્ર. જિનાગમમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આદિ છ દ્રવ્ય કહ્યાં છે.
તેમાં કાળને દ્રવ્ય કહ્યું છે, અને અસ્તિકાય પાંચ કહ્યાં છે. કાળને
અસ્તિકાય કહ્યો નથી, તેને શે હેતુ હેવો જોઈએ ? ઉ. “કાળદ્રવ્ય” એ પાંચ અસ્તિકાયને વર્તનારૂપ પર્યાય છે, એટલે
ઉપચારિક દ્રવ્ય છે, સ્વાભાવિક દ્રય નથી. વસ્તુતા એ તે પર્યાય જ છે; અને પળ-વિપળથી માંડી વર્ષાદિપર્યત જે કાળ સૂર્યની ગતિ પરથી સમજાય છે, તે “વ્યવહારિક કાળ” એમ થતાંબરાચાર્યો કહે છે. દિગબરાચાર્યો પણ એમ કહે છે, પણ વિશેષમાં એટલું કહે છે કે કાળના અસંખ્ય અણુઓ છે અને કાકાશન એકેક પ્રદેશ પ્રદેશ કાલાણું રહે છે, પણ તેનું એકબીજા અણુની સાથે સંધાન નથી, અને તેથી કાળને અસ્તિકાય ગણ્યું નથી. તે કાળાણુઓ દ્રવ્ય કહેવા યોગ્ય છે, પણ અસ્તિકાય કહેવા યોગ્ય નથી કેમ કે એકબીજાને અણુઓ મળીને ક્રિયાની પ્રવૃત્તિ કરતા નથી, જેથી બહુપ્રદેશાત્મક નહીં હોવાથી કાળદ્રવ્ય અસ્તિકાય કહેવા યોગ્ય નથી. કાળદ્રવ્ય લોકાકાશના પ્રત્યેક પ્રદેશે રત્નરાશિની જેમ છૂટક અણુરૂપે રહેલા છે. અઢી કીપની બહાર રાત્રિ, દિન વગેરે કંઈ નથી. નરક અને સ્વર્ગમાં પણ રાત્રિ દિવસ છે નહિ, માટે અઢી દ્વીપની બહાર સર્વ સ્થળે કાળનું પરિમાણ નથી. અઢી દ્વીપમાં સૂર્ય, ચંદ્ર વગેરે બાહ્ય નિમિત્તથી કાળ માપી શકાય છે. અઢી દ્વીપની બહાર જ્યોતિષ બધા સ્થિર છે. વૈમાનિક દેવમાં નિરંતર પ્રકાશ છે અને નરકમાં નિરંતર અંધારું છે. પરંતુ
ભલે તારી આજીવિકા જેટલું તું પ્રાપ્ત કરે છે, પરંતુ નિરૂપાધમય હોય તે ઉપાધિમય પેલું ૨ાજસુખ ઈચ્છી તારે આજનો દિવસ અપવિત્ર કરીશ નહિ,
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૪૨
અવધિજ્ઞાનથી અને આયુષ્યકર્મને પરમાણુ પરથી કાળનું જ્ઞાન ત્યાં
પણ થાય છે. :૪૭૧ પ્ર. સ્કંધના બહુપ્રદેશીપણુને કારણે પુદ્ગલને કાય કહેવાય છે તે
કાળાણુની પર્યાયના સમૂહથી ઘડી, દિવસ આદિ થાય છે, તો ઉપચારથી
કાળાણને પણ કાય કહીએ તે શું દોષ છે ? ઉ. પરમાણુઓમાં સ્નિગ્ધ, રક્ષત્વ ગુણ હોવાથી બંધ થાય છે અને સ્કંધ
બને છે. કાળાણુમાં સિનગ્ધ રક્ષત્વ ગુણ નથી લેતા તેથી તેમાં બંધને અભાવ છે, તે હંમેશાં એક-એક અને અલગ જ રહે છે. માટે પુગલમાં તે કાયાપણાને ઉપચાર આવે છે અને કાળામાં
નથી આવતો. ૪૭૨ પ્ર. અણુ તે યુગલને કહેવામાં આવે છે, તે કાળને કાળાણુ કેમ
કહેવામાં આવે છે ? ઉ. “અણુ શબ્દથી વ્યવહારનયથી પગનું કથન કરવામાં આવે છે,
પણ નિશ્ચયથી તે વર્ણાદિ ગુણોના પૂરણ–ગલનના સંબંધથી તેમને પુગલ કહેવામાં આવે છે. વાસ્તવમાં તે અણુ શબ્દને ઉપયોગ સૂક્ષ્મતાને દર્શાવવા માટે કરવામાં આવે છે. પ્રકૃષ્ટપણે જે અણુ છે તે પરમાણુ છે. પરમાણુ શબ્દ અતિ સૂક્ષમતાને સૂચક છે, અને તે સૂક્ષ્મતા વાચક શબ્દનો ઉપગ જ્યારે પુગલની સાથે થાય, જેમ કે પગલાણુ અથવા પુદ્ગલ પરમાણું ત્યારે તે એમ દર્શાવે છે કે તે પુલ અણુ હવે વિભાગ રહિત છે તેમજ જ્યારે અણુ શબ્દ કાળની સાથે વપરાય જેમ કે કાળાણુ ત્યારે તે એમ દર્શાવે છે કે તે
અવિભાગી કાળદ્રવ્યને અણુ છે. ૪૭૩ પ્ર. ધર્મારિતકાય અધર્માસ્તિકાય વિગેરેમાં રૂલ ગુણ છે ? ઉ. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, (ક) આકાશાસ્તિકાય અને
જીવાસ્તિકાય તેના પણ અસંખ્યાત પ્રદેશ છે અને તેના પ્રદેશમાં રુક્ષ અથવા સિનગ્ધ ગુણ નથી, છતાં તે કાળની માફક દરેક અણુ જુદા જુદા રહેવાને બદલે એક સમૂહ થઈ રહે છે, તેનું કારણ એ
વિઘત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ; પુરંદરી ચાપ અનગરંગ, શું રચિયે ત્યાં ક્ષણને પ્રસંગ ?
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪૩
છે કે કાળ છે તે પ્રદેશાત્મક નથી. પણ અણુ હેઈને પૃથક પૃથક
છે, અને ધર્માસ્તિકાય આદિ ચાર દિવ્ય પ્રદેશાત્મક છે. ૪૭૪ પ્ર. ધર્મ અને અધર્મ દ્રવ્યને શું સ્વભાવ છે અને તેથી શું સ્થિતિ થાય ? ઉ. આકાશ અનંત પ્રદેશપ્રમાણ છે તેમાં અસંખ્યાત પ્રદેશ પ્રમાણમાં
ધર્મ-અધર્મ દ્રવ્ય વ્યાપક છે. ધર્મ–અધર્મ દ્રવ્યને એવો સ્વભાવ છે કે, જીવ અને પુદ્ગલ તેની સહાયતાના નિમિત્તથી ગતિ અને સ્થિતિ કરી શકે છે; જેથી ધર્મ, અધર્મને વ્યાપકપણ પર્યત જ જીવ અને પુદ્ગલની ગતિ, સ્થિતિ છે અને તેથી લોકમર્યાદા ઉત્પન્ન થાય છે. જીવ, પુદ્ગલ અને ધર્મ, અધર્મ દ્રવ્ય પ્રમાણે
આકાશ એ પાંચ જ્યાં વ્યાપક છે તે લેક' કહેવાય છે. ૪૭૫ પ્ર. દ્રવ્યને સ્વભાવ, લક્ષણ, સ્વરૂપ ઈત્યાદિ કેવા પ્રકારે છે ? ઉ. (૭) એ દ્રવ્યો એકબીજામાં પ્રવેશ કરે છે, એકમેકને અવકાશ
આપે છે, એકમેક મળી જાય છે, અને જુદાં પડે છે; પણ પિતપિતાના સ્વભાવને ત્યાગ કરતાં નથી. દ્રવ્યનું લક્ષણ સત છે, જે ઉત્પાદવ્યયધ્રુવ સહિત છે; પણ ગુણ પર્યાયના આશ્રયરૂપ છે. દ્રવ્યની ઉત્પત્તિ અને વિનાશ થતો નથી; તેને “અસ્તિ” સ્વભાવ જ
છે. ઉત્પાદ, વ્યય અને ધૃવત્વ પર્યાયને લઈને છે. પર્યાયની રહિત દ્રવ્ય ન હોય, દ્રવ્ય વિના પર્યાય ન હય, બને અનન્યભાવથી છે.
દ્રવ્ય વિના ગુણ ન હોય, અને ગુણ વિના દ્રવ્ય ન હોય; બનેને-દ્રવ્ય અને ગુણને અભિન્ન ભાવ તેથી છે. આકાશ, કાળ, જીવ, ધર્મ, અધર્મ એ દ્રવ્યો મૂર્તતા રહિત છે, અને પુદ્ગલ દ્રવ્ય મૂર્તિ છે. તેમાં જીવ દ્રવ્ય ચેતન છે. જીવને જે ઈન્દ્રિયગ્રાહ્ય વિષય છે તે પુદ્ગલદ્રવ્ય મૂર્તિ છે; બાકીનાં અત છે. મન પિતાના વિચારના નિશ્ચિતપણાથી બનેને જાણે છે.
જીવ પુદ્ગલ દ્રવ્યનાં નિમિત્તથી ક્યિાવાન હોય છે. જીવ અને પુદ્ગલ એકબીજાને ક્રિયામાં સહાયક છે. બીજાં ક (તે પ્રકારે) સહાયક નથી. કાળના કારણથી પુદ્ગલ સ્કંધપણે પરિણમે છે.
ધર્મની અનાદરતા, ઉન્માદ, આળસ, કષાય એ સઘળાં પ્રમાદનાં લક્ષણે છે.
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૪૪
૪૭૬ પ્ર. જીવનાં લક્ષણ ભેદ આદિ કહે. ઉ. બળ, ઈન્દ્રિય, આયુષ્ય અને ઉચ્છવાસ એ ચાર પ્રાણ વડે જે
ભૂતકાળે જીવતા હતા, વર્તમાનકાળે જીવે છે, અને ભવિષ્યકાળ જીવશે તે “જીવ.”
બળના ત્રણ ભેદ-મનબળ, વચનબળ અને કાયબળ–એમ બળ ત્રણ, ઇન્દ્રિય પાંચ અને આયુષ્ય અને ઉછુવાસ-એમ ગણતાં દશ પ્રાણ પણ થાય છે. તેમાંથી એકેન્દ્રિય ને ચાર, બે ઇન્દ્રિયને છે એમ વધતાં વધતાં સંજ્ઞિપંચેન્દ્રિયને દશ પ્રાણુ થાય છે. સિદ્ધ ભગવાન પ્રાણને લઈને જીવતા નથી. તે તો અશરીરી છે.
જીવને ગુણ ચૈતન્ય ઉપયોગ છે. દેવ, મનુષ્ય, નારક, તિર્યંચાદિ તેના અનેક પર્યાય છે. મનુષ્યપર્યાય નાશ પામેલે એવો જીવ તે દેવ અથવા બીજે સ્થળે ઉત્પન્ન થાય છે. બંને સ્થળે છવભાવ ધ્રુવ છે. તે નાશ પામીને કંઈ બીજો થતો નથી.
જે જીવ જ હતા; તે જ જીવ નાશ પામ્યો. વસ્તુ તે તે જીવ ઉત્પન્ન થયે નથી, અને નાશ પણ થયો નથી. ઉત્પન્ન અને નાશ દેવત્વ, મનુષ્યત્વને થાય છે. એમ સતને વિનાશ, અને અસત જીવની ઉત્પત્તિ થતી નથી. જીવને દેવત્વ, મનુષ્યત્વાદિ
પર્યાય ગતિમાન કર્મથી હોય છે. ૪૭૭ પ્ર. વેદકભાવની જીવરાશિના કેટલા ભેદ છે ? ચેતના કેટલા પ્રકારે છે ? ઉ. કોઈ એક જીવ કર્મનું ફળ વેદે છે, કોઈ એક જ કર્મબંધકર્તુત્વ
વેદે છે; અને કોઈ એક જીવ માત્ર શુદ્ધ જ્ઞાનસ્વભાવ વેદે છે. ચેતના ત્રણ પ્રકારે છે. જ્ઞાન ચેતના, કર્મચેતન અને કર્મફળ ચેતના.
સ્થાવરકાયના પિતપોતાના કરેલાં કાર્યોનું ફળ વેદે છે, તેથી તેમને મુખ્ય કર્મફળ ચેતના છે. ત્રસ જી કર્મબંધ ચેતના વેદે છે, અને પ્રાણથી રહિત એવા અતિન્દ્રિય જીવો શુદ્ધ જ્ઞાનચેતના વેદે છે.
તૃષ્ણા આકાશના જેવી અનંત છે નિરંતર ને નવયૌવન રહે છે.
Page #167
--------------------------------------------------------------------------
________________
૪૭૮ પ્ર. આત્માને જ્ઞાનગુણને સંબંધ ક્યા પ્રકારે છે ? ઉ. આત્માને જ્ઞાનગુણુને સંબંધ છે, અને તેથી આત્મા જ્ઞાની છે
એમ નથી; પરમાર્થથી બનેનું અભિનપણું જ છે.
દ્રવ્ય વિના ગુણ ન હોય, અને ગુણ વિના દ્રવ્ય ન હોય; બનેને દ્રવ્ય અને ગુણને અભિન્ન ભાવ તેથી છે.
જે દ્રવ્ય જુદું હોય અને ગુણ પણ જુદા હોય તો એક દ્રવ્યના અનંત દ્રવ્ય થઈ જાય; અથવા દ્રવ્યને અભાવ થાય.
દ્રવ્ય અને ગુણ અનન્યપણે છે; બન્નેમાં પ્રવેશભેદ નથી. દ્રવ્યના નાશથી ગુણ નાશ થાય, અને ગુણના નાશથી દ્રવ્યને નાશ થાય એવું એકપણું છે.
આત્મા અને જ્ઞાનને સર્વથા ભેદ હોય તો બને અચેતન થાય. માટે દ્રવ્ય અને ગુણને સંબંધ વીતરાગોએ અપૃથકસિદ્ધ
તેમ જ દર્શન અને જ્ઞાન પણ છવથી અનન્યભૂત છે. વ્યવહારથી
તેને આત્માથી ભેદ કહેવાય છે. ૪૭૯ પ્ર. પુદ્ગલ દ્રવ્યનાં લક્ષણ ભેદ ક્યા પ્રકારે છે ? ઉ. કંધ, સ્કંધદેશ, સકંધપ્રદેશ અને પરમાણું એમ પુદ્ગલ અસ્તિકાય ચાર પ્રકારે જાણુ.
સકળ સમસ્ત તે “સકંધ', તેનું અર્ધ તે દેશ', તેનું વળી અર્ધ તે પ્રદેશ અને અવિભાગી તે “પરમાણું.”
તે પરમાણુ નિત્ય છે, પિતાના રૂપાદિ ગુણેને અવકાશ, આધાર આપે છે, પોતે એક પ્રદેશી હોવાથી એક પ્રદેશથી ઉપરાંત અવકાશને પ્રાપ્ત થતી નથી, બીજા દ્રવ્યને અવકાશ (આકાશની પડે) આપતા નથી, કંધના ભેદનું કારણ છે, કંધના ખંડનું કારણ છે, સ્કંધને કર્તા છે, કાળના પરિમાણ (માપ) સંખ્યા(ગણુના)ને હેતુ છે.
સત્ય અસત્યને તેને સ્વરૂપે કરીને સમજવાં તેનું નામ વિવેક.
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૪
એક રસ, એક વર્ણ, એક ગંધ અને અે સ્પર્શ, શબ્દની ઉત્પત્તિનું કારણ, અને એક પ્રદેશાત્મકપણે અપશબ્દ, સ્કંધપરિમિત છતાં વ્યતિરિક્ત દ્રવ્ય તે પરમાણુ જાણુવા.
ઇન્દ્રિયાએ કરી ઉપભાગ્ય, તેમ જ કાયા મન અને કમ આદિ જે જે અનંત એવા મૂર્ત પદાર્થા છે તે સર્વ પુદ્ગલ દ્રવ્ય જાણવુ . ૨૮૦ પ્ર. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનાં લક્ષણુ, સ્વરૂપ ભેદ ક્યા
પ્રકારે છે ?
. ધર્માસ્તિકાય અરસ, અવર્ણ, અગંધ, અશબ્દ અને અસ્પશ છે; સફ્ળલાકપ્રમાણ છે, અખંડિત, વિસ્તાણુ અને અસંખ્યાત પ્રદેશાત્મક દ્રવ્ય છે. અનંત અગુરુલઘુગુણપણે તે નિરંતર પરિણુમિત છે, ગતિક્રિયાયુક્ત જીવાદિને કારણભૂત છે; પાતે અકાય છે, અર્થાત્ કાઈથી ઉત્પન્ન થયેલું તે દ્રવ્ય નથી.
જેમ મત્સ્યની ગતિને જળ ઉપકાર કરે છે, તેમ જીવ અને પુદ્ગલદ્રવ્યની ગતિને ઉપકાર કરે છે તે ધર્માસ્તિકાય” જાણવા.
જેમ ધર્માસ્તિકાય દ્રવ્ય છે તેમ અધર્માસ્તિકાય પણ છે એમ જાણેા. સ્થિતિક્રિયાયુક્ત જીવ પુદ્ગલને તે પૃથ્વીની પેઠે કારણભૂત છે.
ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને લીધે લાઅલેના વિભાગ થાય છે. એ ધર્મ અને અધર્મ દ્રવ્ય પાતપેાતાના પ્રદેશથી કરીને જુદાં જુદાં છે. પે.તે હલનચલન ક્રિયાથી હિત છે; અને લેાકપ્રમાણુ છે.
ધર્માસ્તિકાય જીવ, પુદ્ગલને ચલાવે છે એમ નથી; જીવ પુદ્ગલ ગતિ કરે છે તેને સહાયક છે. (તેમ અધર્માસ્તિકાય સ્થિર સ્થિતિ કરવામાં સહાયક છે.)
૪૮૧ પ્ર. આકાશનું સ્વરૂપ કેવા પ્રકારે છે ?
મોટા પુરુષાએ આયુષ્યની નથી કહ્યુ', પણ ક્ષણે ક્ષણે
જાય છે, તે તે ક્ષણ જો વિભાવમાં ગઈ તા તે મચ્છુ
જ છે.
છેલ્લી ઘડીને જ મચ્છુ આયુષ્યની ઢારી ઘટતી
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૪૭
ઉ. સર્વ જીવાને તથા બાકીના પુદ્ગલાદિને સંપૂર્ણ અવકાશ આપે છે તેને ‘લેાકાકાશ’ કહીએ છીએ.
જીવ, પુદ્દગલસમૂહ, ધર્મ અને અધર્મ એ દ્રવ્યા લાકથી અનન્ય છે; અર્થાત્ લેાકમાં છે; લેાથી બહાર નથી. આકાશ લેશથી પણુ બહાર છે, અને તે અનંત છે; જેને ‘અલેાક' કહીએ છીએ, ૪૮૨ પ્ર. કાળના ભેદ, ઉત્પત્તિ ક્યા પ્રકારે છે ?
૩. સદ્ભાવ સ્વભાવવાળાં જીવ અને પુદ્ગલના પરાવર્તનપણાથી એળખાતા એવા નિશ્ચયકાળ કહ્યો છે.
કાળ પરિણામથી ઉત્પન્ન થાય છે. પરિણામ કાળથી ઉત્પન્ન થાય છે. બન્નેના એમ સ્વભાવ છે. ‘નિશ્ચયકાળથી ક્ષણભંગુરકાળ' હાય છે.
કાળ એવા શબ્દ સદ્ભાવના ખેાધક છે, તેમાં એક નિત્ય છે, બીજો ઉત્પન્ન વ્યયવાળા છે, અને દીર્ધાંતર સ્થાયી છે.
કાળ, આકાશ, ધ, અધર્મ અને પુદ્ગલ તથા જીવ એ બધાંને દ્રવ્ય એવી સંજ્ઞા છે. કાળને અસ્તિકાય એવી સત્તા નથી.
સમય, નિમેષ, કાષ્ઠા, કલા, નાલી, મુદ્દત, દિવસ, રાત્રિ, માસ, ઋતુ અને સ ંવત્સરાદિ તે વ્યવહારકાળ છે. અસંખ્યાત સમય થાય ત્યારે ૧ નિમેષ એટલે આંખ મીચીને ઉધાડીએ એટલા કાળ થાય. ૧૫ નિમેષ=૧ કાષ્ઠા, ૨૦ કાઠા=૧ કળા, ૨૦ળા=૧ નાળી અથવા ઘડી, ૨ ધડી=૧ મુદ્દત, ૩૦ મુદ્દત =૧ દિવસ રાત્રિ. વ્યવહારકાળ પુદ્ગલના પરિણમનને આધારે છે, નિશ્ચયકાળ સ્વાધીન છે. કાળના કાઈ પણ પરિમાણુ (માપ) વિના બહુ કાળ, થોડા કાળ એમ કહી શકાય નહીં. તેની મર્યાદા, પુદ્દગલ દ્રવ્યુ વિના થતી નથી, તેથી કાળને પુદ્ગલ દ્રવ્યથી ઉત્પન્ન થવાપણું કહીએ છીએ.
૪૮૩ પ્ર. શાસ્રના અનુસાર જેટલા કાળમાં એક પરમાણુ આકાશના એક પ્રદેશથી ખીજા પ્રદેશમાં ગમન કરે છે એટલા કાળને એક સમય કહે છે; આ કાળને માપવાની ફૂટપટ્ટી છે. પરંતુ શાસ્ત્રમાં એમ પણું કહ્યું છે કે એક પરમાણુ એક સમયમાં ચૌદ રાજુ ગમન કરે છે, તે આ મ બની શકે ?
ચંચળ ચિત્ત એ જ સર્વ વિષય દુ:ખનું મૂળયુ છે.
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૪૮
ઉ. જ્યારે એક પરમાણુ એક પ્રદેશથી ખીન્ન પ્રદેશમાં જાય છે ત્યારે એક સમય લાગે છે—તે કથન મંદ ગતિની અપેક્ષાએ કહ્યુ છે અને એક સમયમાં ચૌદ રાજુ ગમન કરે છે—તે તીવ્ર ગતિની અપેક્ષાએ છે. દાખલા તરીકે, દેવદત્ત ધીમી ચાલથી એક દિવસમાં એક યેાજનના હિસાબથી સે। દિવસમાં સે। યેાજન જાય છે, પણ વિદ્યાના પ્રભાવથી તે જ ચાલવી ચાલે તા સેા યેાજન એક દિવસમાં જાય છે, હવાઈ જહાજથી જે અંતર દાઢ ક્લાકમાં કપાય તે જ અંતર કાપવા માટે રેલગાડીમાં નીસ ક્લાક લાગે છે. એવી રીતે પરમાણુ પણ તે જ ચાલથી એક સમયમાં ચૌદ રાજુ ગમન કરે છે અને મંદ ગતિથી એક સમયમાં એક પ્રદેશથી ખીજા પ્રદેશ સુધી ગમન કરે છે. ૪૮૪ પ્ર. અમુક પદાર્થના જવા આવવાદિના પ્રસંગમાં ધર્માસ્તિકાયાદિના અમુક પ્રદેશ ક્રિયા થાય છે, અને જો એ પ્રમાણે થાય તા વિભાગપણું થાય, જેથી તે પણ કાળના સમયની પેઠે અસ્તિકાય ન કહી શકાય, એનું સમાધાન કહો.
. જેમ ધર્માસ્તિકાયાદિના સર્વ પ્રદેશ એક સમયે વમાન છે, અર્થાત્ વિદ્યમાન છે, તેમ કાળના સર્વ સમય કંઇ એક સમયે વર્તમાન હોતા નથી.
અમુક પ્રદેશે ધર્માસ્તિકાયાદિને વિષે ક્રિયા થાય અને અમુક પ્રદેશે ન થાય તેથી કંઇ તેના અસ્તિકાયપણાના ભંગ થતા નથી, માત્ર એક પ્રદેશાત્મક તે દ્રવ્ય હોય, અને સમૂહાત્મક થવાની તેમાં યેાગ્યતા ન હોય તા તેના અસ્તિકાયપણાના ભંગ થાય.
વળી એક પરમાણુમાં પણ અનંત પર્યાયાત્મકપણુ' છે અને કાળના એક સમયમાં કંઈ અનંત પર્યાયાત્મકપણું નથી, કેમ કે તે પોતે જ વમાન એકપર્યાયરૂપ છે, એકપર્યાયરૂપ હોવાથી તે દ્રવ્યરૂપ કરતું નથી, તા પછી અસ્તિકાયરૂપ ગણવાના વિકલ્પ પણ
સંભવતા નથી.
૪૮૫ પ્ર. સિદ્ધ ભગવાનનું ઊર્ધ્વગમન અને લેાકાંતે સિદ્ધ શિલાએ સ્થિતિનુ
કારણ આકાશ છે ?
ઝાઝાના મેળાપ અને થાડા સાથે અતિસમાગમ એ અને સમાન દુ:ખદાયક છે.
s
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૪૯
ઉ. જો ગમન અને સ્થિતિનું કારણ આકાશ હોત તેા ધર્મ અને અધર્મદ્રવ્યના અભાવને લીધે ભગવાનનું અલેાકમાં પણ ગમન હોત.
જે માટે સિદ્ધ ભગવાનનું સ્થાન ઊર્ધ્વ લેાકાંતે સર્વજ્ઞ વીતરાગદેવે કહ્યું છે; તેથી ગમન અને સ્થાનનુ` કારણ આકાશ નથી એમ જાણા. જો ગમનના હેતુ આકાશ હોત અથવા સ્થાનના હેતુ આકાશ હાત, તા અલાની હાનિ થાય અને લાકના અંતની વૃદ્ધિ પણ થાય. તેથી ધર્મ અને અધર્મ દ્રવ્ય ગમન તથા સ્થિતિમાં કારણ છે, પણ આકાશ નથી. (જુએ પ્રશ્ન ક્રમાંક ૨૨૧).
૪૮૬ પ્ર. કર્મ કે શરીર આદિ પૌદ્ગલિક પદાર્થોની મદદ વિના અમૂત (સિદ્ધ) જીવ ગતિ કેવી રીતે કરે ? અને કરે તેા ઊર્ધ્વગતિ જ કેમ, અધાતિ કે તીરછી ગતિ કેમ નહિ ?
ઉ. જીવદ્રવ્ય એ સ્વભાવથી જ પુદ્ગલદ્રવ્યની પેઠે ગતિશીલ છે. બંનેમાં તફાવત એટલે જ કે પુદ્દગલ સ્વભાવથી અધાગતિશીલ અને જીવ સ્વભાવથી ઊર્ધ્વ ગતિશીલ છે. જીવ ગતિ ન કરે અથવા નીચીયા તીરછી દિશામાં ગતિ કરે છે તા તે અન્ય પ્રતિબધ± દ્રવ્યના સંગને લીધે યા બધનને લીધે એ સમજવુ, એવું દ્રવ્ય તે કર્યું. જ્યારે કર્મીના સંગ છૂટથો અને તેનું બંધન તૂટયું ત્યારે કાઇ પ્રતિબં ધક તા નથી જ રહેતું. એટલે મુક્ત જીવને પેાતાના સ્વભાવ પ્રમાણે ઊર્ધ્વગતિ કરવાના પ્રસંગ આવે જ છે. આ પ્રસ ંગે પૂર્વ પ્રયાગ નિમિત્ત બને છે એટલે એ નિમિત્તથી મુક્ત જીવ ઊર્ધ્વગતિ કરે છે. પૂર્વ પ્રયાગ એટલે પૂર્વીબદ્ધ ક્રમ છૂટી ગયા પછી પણ તેથી આવેલા વેગ આવેશ.
૪૮૭ પ્ર. ચેતન, ચૈતન્ય અને ચેતના કાને કહે છે ?
ઉ. (૧) જીવ દ્રવ્યને ચેતન કહે છે ?
(૨) ચૈતન્ય તે ચેતના દ્રવ્યના ગુણુ છે. તેમાં દર્શીન અને જ્ઞાન બતે સમાય છે.
(૩) ચૈતન્ય ગુણના પર્યાયને ચૈતના કહેવામાં આવે છે.
એક ભાગ ભાગવે છે છતાં કર્મોની વૃદ્ધિ નથી કરતા, અને એક ભાગ નથી ભાગવતા છતાં કમ વૃદ્ધિ કરે છે; આશ્ચર્ય કારક પણ સમજવા ચાગ્ય કથન છે.
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૫0
૪૮૮ પ્ર. ચેતના કાને કહે છે ? ( ઉ. જેમાં પદાર્થોને પ્રતિભાસ થાય તેને ચેતના કહે છે. ૪૮૯ પ્ર. શ્રદ્ધા (સમ્યક્ત્વ) ગુણ કોને કહે છે ? ઉ. જે ગુણની નિર્મળ દશા પ્રગટ થવાથી પોતાના શુદ્ધ આત્માને
પ્રતિભાસ (યથાર્થ પ્રતીતિ) થાય તેને શ્રદ્ધા (સમ્યત્વ) કહે છે. ૪૯૦ પ્ર. સુખ ગુણ કેને કહે છે ? ઉ, સુખ અથવા આનંદ નામનો આત્મામાં અનાદિ અનંત એક ગુણ
છે. તેના કારણરૂપ શક્તિ તે સુખ ગુણ છે. ૪૯૧ પ્ર. ક્રિયાવતી શક્તિ કેને કહે છે ?
ઉ. એક ક્ષેત્રથી ક્ષેત્રાન્તર થવું અથવા ગતિપૂર્વક સ્થિરપણે રહું. ૪૯૨ પ્ર. વીર્યગુણ કોને કહે છે ?
ઉ. આત્માની શક્તિ-સામર્થ્ય (બળ)ને વીર્યગુણ કહે છે. ૪૯૭ પ્ર. પલ ખૂટયું અને મોટર અટકી તેમાં મોટર અટકવાનું કારણ શું? . ઉ. માટરની તે કાળની ક્રિયાવતી શક્તિની સ્થિતારરૂપ પરિણામના
કારણે મોટર અટકી. તેમાં પેટ્રોલ ખૂટવું તે તે નિમિત્ત માત્ર છે. ૪૯૪ પ્ર. પર્યાયના કેટલા ભેદ છે ?
ઉ. બે ભેદ-વ્યંજનપર્યાય અને અર્થપર્યાય. ૪૯૫ પ્ર. વ્યંજનપર્યાય કોને કહે છે ?
ઉ. દ્રવ્યના પ્રદેશત્વ ગુણના વિશેષ કાર્યને વ્યંજનપર્યાય કહે છે. ૪૯૬ પ્ર. વ્યંજનપર્યાયના કેટલા ભેદ છે.
ઉ. બે ભેદ, સ્વભાવ વ્યંજનપર્યાય અને વિભાવે વ્યંજનપર્યાય. ૪૯૭ પ્ર. સ્વભાવ વ્યંજનપર્યાય કોને કહે છે ? ઉ. ૫ર નિમિત્તના સંબંધરહિત દ્રવ્યને જે આકાર હોય તેને સ્વભાવ
વ્યંજનપર્યાય કહે છે; જેમ કે સિદ્ધ ભગવાનને આકાર. ૪૯૮ પ્ર. વિભાવવ્યંજનપર્યાય કોને કહે છે ? ઉ. પર નિમિત્તના સંબંધવાળા દ્રવ્યને જે આકાર હોય તેને વિભાવ
વ્યંજનપર્યાય કહે છે, જેમ કે જીવના નર, નારકાદિપર્યા. ૪૯૯ પ્ર. અર્થ પર્યાય કેને કહે છે ?
અનંત સૌખ્ય નામ દુ:ખ ત્યાં રહી ન મિત્રતા ! | અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં, વિચિત્રતા !!
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૫૧
ઉ. પ્રદેશત્વ ગુણ સિવાયના બાકીના સંપૂર્ણ ગુણોને વિશેષ કાર્યને
અર્થ પર્યાય કહે છે. ૫૦૦ પ્ર. અર્થ પર્યાયને કેટલા ભેદ છે ?
ઉ. બે ભેદ, સ્વભાવ અર્થપર્યાય અને વિભાવઅર્થપર્યાય. ૫૦૧ પ્ર. સ્વભાવ અર્થપર્યાય કોને કહે છે ? ઉ. પરનિમિત્ત સંબંધરહિત જે અર્થપર્યાય થાય છે તેને સ્વભાવ
અર્થ પર્યાય કહે છે, જેમ કે જીવને કેવળજ્ઞાન પર્યાય. ૫૨ પ્ર. વિભાવઅર્થપર્યાય કોને કહે છે ? ઉ. પરનિમિત્તના સંબંધવાળો જે અર્થપર્યાય થાય તેને વિભાવ
અર્થપર્યાય કહે છે, જેમ કે જીવને રાગ દ્વેષ વગેરે. ૫૦૩ પ્ર. દુઃખ તે જીવ દ્રવ્યને કયા ગુણને પર્યાય છે ?
ઉ. દુઃખ તે જીવ દ્રવ્યના સુખગુણને આકુળતારૂપ વિભાવ અર્થપર્યાય છે. ૫૦૪ પ્ર. મેક્ષ તે જીવ દ્રવ્યના કયા ગુણને પર્યાય છે ? ઉ, મોક્ષ તે જીવ દ્રવ્યના બધા ગુણને સ્વભાવ અર્થપર્યાય અને
પ્રદેશત્વગુણને સ્વભાવવ્યંજનપર્યાય છે. ૫૦૫ પ્ર. સાયંકાળના વાદળામાં શું બદલાતું દેખાય છે ?
ઉ. તેમાં વર્ણ બદલાય છે, તે પુદ્ગલ દ્રવ્યના વર્ણ ગુણને વિભાવ- અર્થપર્યાય છે, અને તેમાં જે આકાર બદલાય છે તે તેના પ્રદેશત્વ
ગુણને વિભાવવ્યંજનપર્યાય છે. ૫૦૬ પ્ર. અહંત ભગવાનને વિભાવવ્યંજનપર્યાય હોય ?
ઉ. હા, કારણ કે તેમને પણ પ્રદેશત્વગુણનું અશુદ્ધ પરિણમન છે; અને
- તે ૧૪મા ગુણસ્થાનના અંત સુધી હોય છે. ૫૦૭ પ્ર. અનાદિઅનંત, સાદિઅનંત, અનાદિસત અને સાદિસાંત-એને
દાખલા આપી સમજાવે ? ઉ. (૧) અનાદિઅનંત-જેના આદિ તથા અંત ન હોય તેને અનાદિ
અનંત કહે છે, દ્રવ્ય અને ગુણ અનાદિઅનંત છે. અભવ્ય
છોને સંસારી પર્યાય અનાદિઅનંત છે. (૨) સાદિઅનંત-ક્ષાયિકભા તથા મોક્ષપર્યાય નવા પ્રગટ થાય છે
મહાન પુરુષનાં આચરણ જોવા કરતાં તેનું અંતાકરણ જેવું એ વધારે પરીક્ષા છે.
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૫૨
તે અપેક્ષાએ તેઓ સાદિ (આદિ સહિત) અને તે પર્યા બદલવા છતાં એવા ને એવા અનંતકાળ સુધી થયા જ કરે
છે તેથી તેમને અનંત કહેલ છે. (૩) અનાદિસાંત-સંસાર પર્યાય અનાદિને છે, પણ જે ભવ્ય જીવને
સંસારદશારૂપ અશુદ્ધ પર્યાયને અંત આવે છે, તેથી તેને
અનાદિસાંત કહેલ છે. (૪) સાદિસાંત-સમ્યફદષ્ટિને મોક્ષમાર્ગ સંબંધી ક્ષયોપશમ તથા
ઉપશમભાવ નવા નવા થાય છે તેથી તેઓ સાદિ અને તેમને
અંત આવે છે, માટે સાંત છે. ૫૦૮ પ્ર. અભાવ કોને કહે છે ?
ઉ. એક પદાર્થનું બીજા પદાર્થમાં નહિ હેવાપણું તેને અભાવ કહે છે. ૫૦૯ પ્ર. અભાવના કેટલા ભેદ છે ? ઉ. ચાર ભેદ છે-(૧) પ્રાગભાવ, (૨) પ્રર્વસાભાવ, (૩) અ ન્યાભાવ
અને (૪) અત્યંતભાવ. ૫૧૦ પ્ર. પ્રાગભાવ કોને કહે છે ?
ઉ. વર્તમાન પર્યાયને પૂર્વ પર્યાયમાં અભાવ-તેને પ્રાગભાવ કહે છે. ૫૧૧ પ્ર. પ્રવંસાભાવ કેને છે ? ઉ. એક દ્રવ્યના વર્તમાન પર્યાયને તે જ દ્રવ્યના આગામી (ભવિષ્યના)
પર્યાયમાં અભાવ-તેને પ્રર્વસાભાવ છે. ૫૧ર પ્ર. દહીંને વર્તમાન પર્યાય તરીકે લઈ તેને પ્રાગભાગ અને પ્રર્વસા
ભાવ સમજા. ઉ. દહીંને પૂર્વ પર્યાય દૂધ હતો. તેમાં દહીંને અભાવ હતું, તેથી તે તેને પ્રાગભાવ છે અને છાશ તે દહીંને ભવિષ્યપર્યાય છે.
તેમાં દહીંને અભાવ છે. તેથી તેને પ્રાāસાભાવ છે. ૫૧૩ પ્ર. અન્યાભાવ કોને કહે છે ? ઉ. એક પુદ્ગલ દ્રવ્યના વર્તમાન પર્યાયને બીજા પુદ્ગલ દ્રવ્યના
વર્તમાન પર્યાયમાં જે અભાવ તેને અન્યાભાવ કહે છે. પ૧૪ પ્ર. અત્યંતભાવ કેને કહે છે ?
વર્તનમાં બાળક થાઓ, સત્યમાં યુવાન થાઓ, જ્ઞાનમાં વૃદ્ધ થાઓ,
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫૩
ઉ. એક દ્રવ્યને બીજા દ્રવ્યમાં (ત્રિકાળ) અભાવ હોય તેને અત્યંત
ભાવ કહે છે. ૫૧૫ પ્ર. કુંભાર અને ઘડા વચ્ચે તથા પુસ્તક અને જીવ વચ્ચે કર્યો અભાવ છે ?
ઉ. (૧) કુંભાર (જીવ) અને ઘડા વચ્ચે અત્યંતભાવ;
(૨) પુસ્તક અને જીવ વચ્ચે અત્યંતભાવ, કારણ કે દરેકમાં બને
જુદી જુદી જાતનાં દ્રવ્ય છે. ૫૧૬ પ્ર. આ ચાર પ્રકારના અભાવ સમજવાથી ધર્મ સંબંધી છે લાભ ? • ઉ. (૧) પ્રાગભાવથી એમ સમજવું કે અનાદિકાળથી આ જીવે ધર્મ
કદી કર્યો નથી, છતાં વર્તમાનમાં નવા પુરુષાર્થથી ધર્મ કરી
શકે, કારણ કે વર્તમાન પર્યાયને પૂર્વપર્યાયમાં અભાવ વર્તે છે. (૨) પ્રāસાભાવથી એમ સમજવું કે વર્તમાન અવસ્થામાં ધર્મ
કર્યો નથી, તે પણ જીવ નવીન પુરુષાર્થથી અધર્મ દશાને
તુરત જ વ્યય કરી ધર્મ પ્રગટ કરી શકે છે. (૩) અન્યાભાવથી એમ સમજવું કે એક પુદ્ગલ દ્રવ્યને
વર્તમાન પર્યાય બીજા પુદ્ગલના વર્તમાન પર્યાયને, મદદ,
અસર, પ્રભાવ, સહાય, પ્રેરણાદિ કંઈ કરી શકે નહિ. (૪) અત્યંતભાવથી એમ સમજવું કે પ્રત્યેક દ્રવ્યમાં બીજા
દ્રવ્યને ત્રિકાળ અભાવ છે, તેથી એક દ્રવ્ય અન્ય દ્રવ્યના
પર્યાયને કંઈ કરી શકે નહિ. ૫૧૭ પ્ર. એક જીવ બીજા જીવને ઘાત કરી શકે અથવા મૃત્યુથી બચાવી શકે? ઉ. ના; કારણ કે જીવ અને શરીરને વિગ પોતપોતાની યોગ્યતાથી
થાય છે, તેમાં આયુકર્મ પૂરું થયું તે નિમિત્ત છે. આ જગતમાં કઈ
પરને બીજાને) રક્ષા કરવાવાળે કે વિનાશ કરવાવાળે છે જ નહિ. ૫૧૮ પ્ર. વ્યવહાર સમ્યકત્વ છે કયા ગુણોને પર્યાય છે ?
ઉ, શ્રદ્ધાને રાગ (વિક૯૫) હોવાથી તે ચારિત્રગુણને અશુદ્ધ પર્યાય છે. • ૫૧૯ પ્ર. જેનું મધ્ય નહીં, અર્ધ નહીં, અછેદ્ય, અભેદ્ય એ આદિ પરમાણુની
વ્યાખ્યા શ્રી જિને કહી છે, ત્યારે તેને અનંત પર્યાય શી રીતે ઘટે ?
જ્યાં “હું” માને છે ત્યાં “તું” નથી; જયાં “તું” માને છે ત્યાં “તું” નથી,
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૫૪
ઉ. પ્રત્યેક પદાર્થને અનંત પર્યાય (અવસ્થા) છે. અનંત પર્યાય વિનાના કોઈ પદાર્થ હેાઈ શકે નહીં' એવા શ્રી જિનના અભિમત છે. ક્ષણે ક્ષણે જેમ આત્માને વિષે સંકલ્પવિકલ્પ-પરિણિત થઇ અવસ્થાંતર થયા કરે છે, તેમ પરમાણુને વિષે વ, ગંધ, રસ, રૂપ, અવસ્થાતરપણુ ભજે છે, તેવુ અવસ્થાંતરપણું ભજવાથી તે પરમાણુના અનંત ભાગ થયા કહેવા યાગ્ય નથી. આકાશ પણ અનંત પર્યાયી છે અને સિદ્ધ પણ અનંતપર્યાયી છે એવા જિનના અભિપ્રાય છે. ચક્ષુને વિષે મેષેન્મેષ અવસ્થા છે તે પર્યાય છે. દીપકની ચલન. સ્થિતિ તે પર્યાય છે. આત્માની સંપવિકલ્પ દશા કે જ્ઞાનપરિણતિ તે પર્યાય છે; તેમ વ ગંધ પલટનપણું પામે તે પરમાણુના પર્યાય છે.
***
ભાગના વખતમાં ચાગ સાંભરે એ હળુકમી નું લક્ષણ છે.
Page #177
--------------------------------------------------------------------------
________________
નવ તાવ
પર પ્ર. તાવ કેટલાં હશે અને તે ક્યાં ? ઉ. તત્ત્વ નવ છે, (૧) જીવ, (૨) અજીવ, (૩) પુણ્ય, (૪) પાપ, (૫)
આશ્રવ, (૬) સંવર, (૭) નિર્જરા, (૮) બંધ અને (૯) મોક્ષ. પર૧ પ્ર. દ્રવ્ય’, ‘પદાર્થ” અને “તત્વને ભેદ સમજાવો. ઉ. ગુણપર્યાય નિરંતર હોય તેનું નામ દ્રવ્ય છે. વસ્તુપણે જેને નિશ્ચય
થાય છે તેનું નામ પદાર્થ છે. સ્વભાવરૂપે હોવાથી તત્ત્વ એવું નામ
પડયું છે. પર પ્ર. આ તત્ત્વને ઓળખાવાં તે શું જ્ઞાન કહેવાય? અને જગતમાં ચાલતા
અભ્યાસ કરવો તે શું જ્ઞાન નહીં ? ઉ. જગતને જે અભ્યાસ તે અજ્ઞાન અથવા જ્ઞાન છે. તેનાથી સંસાર.
ભ્રમણ છૂટવાને ઉપાય નથી. જીવે તે છેવટે આત્માને જાણ્યા સિવાય છૂટકો નથી અને આત્માને જાણવા આત્માનું જ્ઞાન કરી.
લેવું જોઈએ. પર૩ પ્ર. નવ તત્ત્વના ટૂંકા અર્થ અને લક્ષણે શું છે ? ઉ. જીવ ઃ જીવ અર્થાત આત્મા. તે સદા જ્ઞાના સ્વરૂપ, પરથી ભિને.
અને ત્રિકાળ સ્થાયી (ટકનારો) છે. અજીવ : જેમાં ચેતના-જાણપણું નથી, તેવાં દ્રવ્ય પાંચ છે. તેમાં
ધર્મ, અધર્મ, આકાશ અને કાળ-એ ચાર અરૂપી દ્રવ્ય છે..
અને પુદ્ગલરૂપી-સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ સહિત છે. આવ ઃ વિકારી શુભાશુભ ભાવરૂપ જે અરૂપી અવસ્થા જીવમાં થાય.
છે તે ભાવાસવ છે અને તે સમયે નવીન કર્મયોગ્ય રજકણનું સ્વયં (સ્વતઃ) આવવું (આત્મા સાથે એક ક્ષેત્રે આવવું)
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૫૬
તે દ્રવ્યાસવ છે. (તેમાં જીવના અશુદ્ધ પર્યાય નિમિત્ત માત્ર છે.) પુણ્ય : પુણ્ય આસ્રવ એ બંધના પેટા ભેદ છે. દાન, ધ્યા, ભક્તિ, પૂજા, વ્રત વગેરેના શુભ ભાવ જીવને થાય તે અરૂપી અશુદ્ધ ભાવ છે. તે ભાવ પુણ્ય છે તે સમયે શાતાવેદનીય શુભ નામ આદિ ક યાગ્ય પરમાણુઓના સમૂહ સ્વયં (સ્વત : ) એક ક્ષેત્રાવગાહ સંબંધે જીવની સાથે ખંધાય છે તે દ્રવ્યપુણ્ય છે. (તેમાં જીવના રાગભાવ (અરુદ્ધ ભાવ) નિમિત્તમાત્ર છે.) પાપ : પાપ આસવ એ બંધના પેટા ભેદ છે. મિથ્યાત્વ, હિંસા, અસત્ય, ચેરી, અત્રત વગેરેના અશુભ ભાવ પાપ છે. તે સમયે જ્ઞાનાવરણીય, મેાહનીય, અશાતા વેદનીય, આદિ કયાગ પુદ્ગલા સ્વયં ( સ્વતઃ ) જીવની સાથે બંધાય છે તે દ્રવ્યપાપ છે. બંધ : આત્માનું અજ્ઞાન, રાગદ્વેષ, પુણ્ય-પાપરૂપ વિકારમાં રાકાઈ જવું, (અટકી જવું) તે ભાવખધ છે અને તે સમયે ક ચેાગ્ય પુદ્ગલેાનુ સ્વયં ( સ્વત: ) જીવની સાથે એક ક્ષેત્રાવગાહરૂપે બંધાવું. તે દ્રવ્યમ ધ છે.
સવર : પુણ્ય-પાપરૂપ અશુદ્ધ ભાવને (આસવને) આત્માના શુદ્ધ ભાવ દ્વારા રોકવા તે ભાવસવર છે અને તદાનુસાર કર્મોનુ આવવું સ્વયં ( સ્વતઃ ) અટકવુ તે દ્રવ્યસંવર છે નિર્જરા ઃ અખંડાનંદ શુદ્ધ આત્મસ્વભાવના બળે આંશિક શુદ્ધિતી વૃદ્ધિ અને અશુદ્ધ (શુભાશુભ ઇચ્છારૂપ) અવસ્થાની આંશિક હાનિ કરવી તે ભાવનિરા છે; અને તેનું નિમિત્ત પામીને જડ કર્માંનુ અંશે ખરી જવુ તે દ્રવ્ય નિરા છે.
મેાક્ષ - અશુદ્ધ અવસ્થાના સર્વેથા-સ ંપૂર્ણ નાશ થઈ આત્માના પૂ શુદ્ધ પર્યાયનું પ્રગટ થવું તે ભાવમેક્ષ છે અને તે સમયે પેાતાની યેાગ્યતાથી દ્રવ્ય કર્મોના આત્મપ્રદેશથી અત્યંત અભાવ થવા તે દ્રવ્યમેાક્ષ છે.
પર૪ પ્ર. આ નવતત્ત્વની હકીકત વ્યવહારમાં લેકે કેમ જાણતા નહિ હોય ? અને જાણતા હોય તેા વનમાં કેમ મૂક્તા નહિ હોય ?
જીવતાં મરાય તા ફરી ન મરવુ પડે એવું મચ્છુ ઇચ્છવા યાગ્ય છે.
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૫૭
ઉ. લેકેને આત્મજ્ઞાન ઉપર બહુ પ્રેમ આવતો નથી. કેટલાક જાણે.
છે તે નથી જાણતાની પેઠે વર્તે છે. કારણ આ છોને સંસારને ત્રાસ ત્રાસરૂપે લાગતું નથી અને તેઓ ત્રાસ નહિ પણ આનંદ,
માને છે. પર ૫ પ્ર. જીવને સમ્યકત્વ-શુદ્ધ કયારે થયું કહેવાય ? ઉ. આ નવ તત્વ જેમ છે તેમ વસ્તુરૂપ જાણે, હદયમાં ઉતારે ને.
તેમાં વિશ્વાસ રાખે તે સમ્યફ શ્રદ્ધા થાય, અને પ્રભાવિક આત્મજ્ઞાનનો ઉદય થાય.
“કષાયની ઉપશાંતતા, માત્ર મેક્ષ અભિલાષ; ભવે ખેદ અંતર દયા, તે કહીએ જિજ્ઞાસ. તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુ બધ; તે પામે સમક્તિને, વર્તે અંતર શોધ. મત દર્શન આગ્રહ તજી, વર્તે સદ્ગરુલક્ષ; લહે શુદ્ધ સમક્તિ છે, જેમાં ભેદ ન પક્ષ. વર્ત નિજસ્વભાવને, અનુભવ લક્ષ પ્રતીત;
વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત.” પર૬ પ્ર. તના નવ ભેદ કહ્યા પણ અમુક જ્ઞાનીઓએ તેના સાત ભેદ.
કહ્યા છે તેનું શું કારણ? ઉ. પુણ્ય અને પાપ બને આસ્રવ અને બંધના પેટા ભેદ છે. જે
તેને પિટા ભેદ ગણીએ તે સાત તો થાય અને તેને મુખ્યપણે.
લઈએ તે નવ ત ગણાય. પર૭ પ્ર. કેવળી ભગવાને આ નવ તત્ત્વમાં શું કહ્યું છે ? ઉ. નવ તત્વમાં કાલકનું સંપૂર્ણ સ્વરૂપ - આવી જાય છે. કેવળી
ભગવાને એ કોણીઓથી સકળ જગત મંડળ દર્શાવી દીધું છે. પ૨૮ પ્ર. તમાં ક્યાં દ્રવ્યો પણ છે.
ઉ. જીવ અને અજીવ તત્ત્વ છે અને દ્રવ્ય પણ છે. ' પર૯ પ્ર. તમાંથી મુખ્ય ક્યાં છે અને બીજાં તો સાથે શું સંબંધ છે ?
સ્વાદનો ત્યાગ એ આહારને ખરો ત્યાગ જ્ઞાનીઓ કહે છે.
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૫૮
ઉ. જીવ અને અજીવ મુખ્ય ત છે. બીજાં પાંચ તત્તે તેમના
(જીવ અને અજીવના) સંયોગી અને વિયેગી પર્યાયે (વિશેષ અવસ્થાઓ) છે. આસ્રવ અને બંધ તે સંયોગી પર્યાય છે, તથા સંવર, નિર્જરા અને મેક્ષ તે જીવ અજીવની વિગી પર્યાય છે. પાંચ તત્ત્વોના પરિણમનમાં જીવના ભાવરૂપ નિમિત્તને સદ્દભાવ
કે અભાવ હોય છે. ૫૩પ્ર. નવ તત્ત્વોમાંથી કેટલાં તો જાણવારૂપ (ય) છે, કેટલાં ગ્રાહ્યરૂપ
(ઉપાદેય) છે અને કેટલાં ત્યાગવારૂપ (હેય) છે ? ઉ. સઘળાં ન ત જાણુવારૂપ તે છે જ, અક્ષય અનંત સુખ તે
ઉપાદેય છે, તેનું કારણ મેક્ષ છે, મેક્ષનું કારણ સંવર અને નિર્જરા છે; માટે સંવર-નિર્જરા તથા મોક્ષ એ ત્રણે તો ગ્રાહ્યરૂ૫ (ઉપાદેય) છે. સંસારનું કારણ આસવ અને બંધ છે અને પુણ્ય–પાપ બંને બંધ છે. તેથી પુણ્ય –પાપ, આસવ અને બંધ એ ચારે તો
ત્યાગવીરૂપ (હેય) છે. -પ૩૧ પ્ર. જીવતત્ત્વ વિષે સંસારી જીવો શું ભૂલ કરે છે ? ઉ. જીવ તે ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ છે, તેને જીવ જાણતો નથી અને જે
શરીર છે તે હું જ છું, શરીરનું કાર્ય હું કરી શકું છું-એવું માને છે. શરીર સ્વસ્થ હોય તે મને લાભ થાય. બાહ્ય અનુકૂળ સંગોથી હું સુખી અને બાહ્ય પ્રતિકૂળ સંગોથી હું દુખી, હું નિર્ધન, હું ધનવાન, હું બળવાન, હું નિર્બળ, હું કુરૂપ, હું સુંદર છું—એવું માને છે. આવી રીતે અજ્ઞાની જીવ પરને સ્વસ્વરૂપ માનતાં પિતાના સ્વતરવને (જીવતત્ત્વને) ઈન્કાર કરે છે. તેથી તે
જીવતત્ત્વ સંબંધી ભૂલ કરે છે. . ૫૩૨ પ્ર. અજીવતત્વ સંબંધી શું ભૂલ થાય છે ? ઉ. જીવ એવું માને છે કે શરીર ઉત્પન્ન થવાથી મારો જન્મ થયે,
શરીરને નાશ થવાથી હું મરી જઈશ, ઇત્યાદિ અજીવ અવસ્થાને અજ્ઞાની જીવ પિતાની અવસ્થા માને છે. આમાં અજીવને સ્વતત્ત્વ (જીવ તત્વ) સ્વીકારતાં તે અજીવ તત્ત્વને અસ્વીકાર કરે છે.
આ કાળમાં આટલું વધ્યું : ઝાઝા મત, ઝાઝા તાવ. | જ્ઞાનીઓ, ઝાઝી માયા અને ઝાઝો પરિગ્રહ વિશેષ.
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૫૦
૫૩૩ પ્ર. પુણ્ય-પાપ, બંધ તત્ત્વ સંબંધી ભૂલ શું છે ? ઉ. જેવી સેનાની બેડી તેવી જ લોઢાની બેડી-બનને બંધનકારક છે.
તેવી રીતે પુણ્ય અને પાપ બને છવને બંધનકર્તા છે, પરંતુ મિશ્યા દષ્ટિ જીવ એવું નહિ માનતાં પુણ્યને સારું હિતકારી માને
છે. તત્ત્વદષ્ટિએ પુણ્ય અને પાપ બંને બંધનાં કારણે છે. ૫૩૪ પ્ર. શુભ-અશુભ પરિણામમાં ભેદ માને તેને મિથ્યાદષ્ટિ કહ્યો છે તે
અમે આત્માની વાત વાંચીએ કે સાંભળીએ કે દુકાને બેસીને વેપાર
કરીએ એ બધું એક જ છે ને? ઉ. શુભઅશુભ પરિણામમાં વ્યવહારથી ભેદ છે. વેપારમાં તીવ્ર કષાય
છે, સાંભળવામાં મંદ કષાય છે એથી વ્યવહારે ભેદ છે. પરંતુ એ શુભ-અશુભ બનેનું લક્ષ પર તરફ છે તેથી બંધનું કારણું છે. તેથી પરમાર્થે ભેદ નથી તેમ બતાવી શુભમાંથી હિતબુદ્ધિ છોડાવીને
સ્વદ્રવ્યનું (આત્માનું) લક્ષ કરાવે છે. ૫૩૫ પ્ર. આસ્ત્રવ સંબંધી શું ભૂલ થાય છે ? ઉ. હિંસાદિરૂપ પાપાસાવ છે તેને તે હેય જાણે છે તથા અહિંસારૂપ
પુણ્યાસ્ત્રવ છે, તેને ઉપાદેય માને છે; હવે બંને કર્મબંધનાં કારણ છે.
હિંસામાં મારવાની બુદ્ધિ થાય પણ તેનું આયુ પૂર્ણ થયા વિના તે મરે નહિ અને પિતાની ઠેષ પરિણતિથી પિતે જ પાપ બાંધે છે; તથા અહિંસામાં રક્ષા કરવાની બુદ્ધિ થાય પણ તેના આયુઅવશેષ વિના તે જીવે નહિ, માત્ર પિતાના રાગભાવથી પુણ્ય બાંધે છે એ પ્રમાણે બંને હેય છે.
વળી રાગદ્વેષ-મેહરૂપ જે આઢવભાવ છે તેને નાશ કર્યા વગર
આસ્રવ મટતા નથી. ૫૩૬ પ્ર, પુણ્ય કેટલા પ્રકારે બંધાય છે ? ઉ. પુણ્ય નવ પ્રકારે બંધાય છે (૧) અન્નપુનેઃ અન્નદાન આપવાથી,
(૨) પાણપુને પાણીનું દાન આપવાથી, (૩) લયણપુનેઃ પાત્રવાસણનું દાન દેવાથી, (૪) સયણપુને શય્યા-મકાન દેવાથી,
જે એકને જાણે છે તે સર્વને જાણે છે અને જે સર્વને જાણે છે તે એકને જાણે છે.
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૬૦
(૫) વત્થપુનેઃ વસ્ત્ર દેવાથી, (૬) મનપુનેઃ મનથી સર્વનું ભલું ચિંતવવાથી, (૭) વચનપુનેઃ વચનથી સૌને ગુણાનુવાદ કરવાથી તથા ઉપકારી સુખદાતા વચન ઉચ્ચારવાથી, (૮) કાયપુને શરીરથી બીજાની વૈયાવચ્ચ કરવાથી અને ગુણી મનુષ્યને શાતા ઉપજાવવાથી, (૯) નમસ્કારપુને : એગ્ય ઠેકાણે નમસ્કાર કરવાથી તથા સર્વેની સાથે વિનય રાખવા.
એ નવ પ્રકારે બાંધેલાં પુણ્યનાં ફળ ૪૨ પ્રકારે ભોગવે છે. ૫૩૭ પ્ર. પુણ્ય કરે પણ આત્મજ્ઞાન ન કરે તો શું મળે? ઉ. એનાથી સ્વર્ગ મળે પણ જન્મમરણને અંત ન આવે. અજ્ઞાની.
પુણ્યને મોક્ષનું કારણ માને છે. પ૩૮ ક. કેટલા પ્રકારે પાપ બંધાય છે ?
ઉ. અઢારે પ્રકારથી પા૫ બંધાય છે.
(૧) પ્રણાતિપાત જીવની હિંસા, (૨) મૃષાવાદઃ જૂઠું બેલવું, (૩) અદત્તાદાન ચેરી, (૪) મૈથુનઃ સ્ત્રી આદિ સંગ, (૫) પરિગ્રહઃ ધન વગેરેને સંગ્રહ અને મમત્વ, (૬) ધ-ગુસ્સો, (૭) માનઅહંકાર, (૮) માયા-કપટ, (૯) લેભ-તૃષ્ણ, (૧૦) રાગ-પ્રેમઆસક્તિ, (૧૧) -ઈર્ષા, અદેખાઈ, (૧૨) કલેશ–કલહ (૧૩) અભ્યાખ્યાન-બેટું આળ, (૧૪) પેશન્ય-ચાડી ચુગલી (૧૫) પરપરિવાદ-નિંદા, (૧૬) રતિઅરતિહર્ષ, શેક, (૧૭) માયા મેસેકપટ સહિત જૂઠું (૧૮) મિચ્છા દંસણ સલ-અસત્ય મત સંપ્રદાયની શ્રદ્ધા હોવી.
એ ૧૮ પાપસ્થાનકના અશુભ બંધના અશુભ ફળ ૮૨ પ્રકારે
ભગવે છે. ૫૩૯ પ્ર. પાપ શાનાથી થાય છે ? ઉ. કોધ, માન, માયા, લેભ એ ખરેખરાં પાપ છે. તેનાથી બહુ કર્મ
ઉપાર્જન થાય. હજાર વર્ષ તપ કર્યું હોય, પણ એક બે ઘડી ક્રોધ કરે તે બધું નિષ્ફળ જાય.
દેહમાં વિચાર કરનાર બેઠે છે તે દેહથી ભિન્ન છે? તે સુખી છે કે દુઃખી એ સંભારી લે,
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૬૧
૫૪. પ્ર. પાપયુક્ત મન, વચન, કાયા ન હોવા છતાં, હિંસા ન કરવા છતાં,
મનરહિત હોવા છતાં તથા સ્વપ્ન જેટલી પણ ચેતના ન હોવા છતાં
પણ પ્રાણીઓ પાપકર્મ કરે ? ઉ. હા, તે પાપકર્મ કરે છે. પૃથ્વીકાયથી લઈ ત્રસકાયપર્યત છ પ્રકારના
જીવોની હિંસાથી ઉત્પન્ન થતાં પાપને રોક્યું નથી. ઇચ્છાપૂર્વક પ્રત્યાખ્યાન દ્વારા પાપકર્મને ત્યાગ કર્યો નથી, પ્રાણુતિપાતથી માંડી પરિગ્રહ પર્યત અને ક્રોધથી માંડી મિથ્યાદર્શન શલ્ય પર્યત પાપોનું સેવન કરે છે, તે કોઈપણ અવસ્થામાં હોય તો પણ તેને પાપકર્મને
બંધ છે. ૫૪૧ પ્ર. સર્વ જીવો સમાન હોવા છતાં કેટલાંક માણસ ભૂખે મરે છે અને
કેટલાંકને ખાવા, પીવા, મોજ-મઝા, સુખ છે, તેનું કારણ શું ? ઉ. જે જીવોએ પૂર્વે શુભ કર્મો ઉપાર્જન કર્યા છે, તેનાં સારાં ફળો
ભગવે છે અને રાંકના છ અશુભ કર્મોનાં માઠાં પરિણામ ભેગવે છે.
“એક રાંક ને એક નૃપ, એ આદિ જે ભેદ,
કારણ વિના ન કાર્ય તે, એ જ શુભાશુભ વઘ.” ૫૪ર પ્ર. શુભ કર્મ એટલે શું ?
ઉ. પુણ્ય. ૫૪૩ પ્ર. અશુભ કર્મ એટલે શું ?
ઉ. પાપ, પ૪૪ પ્ર. શુભ કર્મ અથવા પુણ્ય શાથી ઉપાર્જન થાય ? ઉ. બીજા ને શાતા ઉપજાવવાથી, પરોપકાર, દયા, સત્ય, શીલ,
ક્ષમા, તપ, નિયમ, વ્રત, પચ્ચખાણ, વિનય આદિ સદ્દગુણોના
સેવનથી. ૫૪૫ પ્ર. જીવ પાપ શાથી બાંધે છે? ઉં. બીજા જીવોને કલેશ ઉપજાવવાથી અને દુઃખ દેવાથી, અઢારે
પાપસ્થાનકોમાં રાચવાથી.
ઉદાસીનતા એ અધ્યાત્મની જનની
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૬૨
૫૪૬ પ્ર. પુણ્યનાં ફળ કેવાં છે ? ઉ. મીઠાં, જીવને પ્રિયકારી, પણ મુમુક્ષુ જીવને તે પણ છેવટે ત્યાગવારૂપ
છે. પુણ્ય તે શુભ બંધ છે અને પાપથી અશુભ બંધ પડે છે. પુણ્યભાવ તે શુભ રાગ છે, પણ શુદ્ધ ભાવ નથી. મુમુક્ષુને તે શુદ્ધ પરિણતીમાં રમણતા હોય, રાગ અથવા ઠેષ, પુણ્ય અથવા પાપના બંધથી મુક્ત થવાને પુરુષાર્થ હોય. પુષ્ય એટલે શુભ કર્મ બંધ અને તે જીવને ભગવ્યા વિના છૂટકે નથી અને સર્વ કર્મ બંધ
રહિત દશા તે જ મોક્ષ. ૫૪૭ પ્ર. આજે આપણે પુણ્ય કે પાપ કરીએ તે ક્યારે ઉદયમાં આવે ? ઉ. આજે કીધેલાં કર્મ આજે જ ઉદય આવવાં હોય તો આવે (જેમકે
ચોરી કરતાં જ પકડાઈ જાય અને દંડાય) અથવા સંખ્યાત કાળે,
અસંખ્યાત કાળે કે અનંત કાળે પણ ઉદય આવે. ૫૪૮ ક. પાપ કરનાર જીવોને પુણ્યને ઉદય હોય ?
. હા, કેટલાક પાપી જીવ ચેર, કસાઈ વગેરે પાપ કર્મ કરે છે છતાં
ધન, ધાન્ય, પુત્ર, આદિ સાધનથી સુખી દેખાય છે તે તેના પૂર્વને
પુણ્યના ઉદયથી ૧૪૯ પ્ર. પુણ્ય કરનારા જીવોને પાપને ઉદય હોય ? ઉ. હા, કેટલાક પુણ્ય કરનારાં પ્રાણીઓ સારાં કાર્યો કરતાં હોવા છતાં
દુઃખી દેખાય છે તે તેના પૂર્વના પાપના ઉદયથી. ૫૫. પ્ર. નીતિને પૈસે હોય તે રહે અને અનીતિને હેય તે જોતા રહે,
શું તે સાચું છે ? ઉ. ના, સાચું નથી. કેટલાક જીવ માને છે કે આપણી પાસે નીતિથી
રોલ પસે છે માટે તે જશે નહિ. કષાયમંદતા તો જીવની પર્યાય છે તેને લીધે જડ રહેતું હશે ? ને અનીતિના ભાવને લીધે લક્ષમી રહે નહિ એમ પણ નથી. અનીતિવાળે હતે માટે કિંકર થઈ ગયો એમ પણ નથી, ને નીતિવાળે તે માટે પૈસા આવ્યા એમ પણ નથી.
ધમ જીવ જાણે છે કે પૂર્વનાં પુણ્યને લીધે પૈસા આવે જાય
જગતને, જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ,
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૬
છે. તેમાં તેને વિસ્મય થતું નથી. જ્ઞાની જીવ ગરીબ થઈ જાય તે તેને શંકા પડતી નથી કે મારામાં અનીતિ હશે તેથી મને નિર્ધનતા મળી હશે ? ને કેઈ અનીતિવાળે કમાઈ જાય તે તેના કુટુંબમાં કાઈ નીતિવાળો હશે એટલે તેનાં પુણ્યને લીધે બીજાને પૈસા આવી જાય એમ પણ બનતું નથી. ધમ સમજે છે કે જડ પરમાણુ તેના કાળે આવે છે. વ્યવહારે તે તે જીવનું કર્મ નિમિત્ત છે. (આને અર્થ એમ પણ ન લે કે અનીતિથી પૈસે
રળવામાં વાંધો નહીં.). ૫૫૧ પ્ર. પુણ્ય પાપને જીવતવમાં સમાવેશ થાય કે અજીવતવમાં ? ઉ. અજીવતવમાં, કારણ કે સારા કે માઠા વિચાર, વાણી અને વર્તનથી
જીવ શુભાશુભ કર્મનાં પુદ્ગલ ગ્રહણ કરે છે, તેમાં શુભ કર્મ પુદ્ગલ
તે પુણ્ય અને અશુભ કર્મ પુદ્ગલ તે પાપ. પપર પ્ર. પુણ્ય પાપનાં પુદ્ગલ રૂપી છે કે અરૂપી ? ઉ. તે રૂપી છે, પણ અતિ સૂક્ષ્મ હોવાથી કેવળી ભગવાન જ તે જોઈ
શકે છે. આપણી નજરે આવે નહિ. પપ૩ પ્ર. પુણ્યના ઉદયથી જીવ કઈ ગતિ પામે છે ?
ઉ. દેવગતિ કે મનુષ્યની ગતિ. પપ૪ પ્ર. પાપના ઉદયથી છવ કઈ ગતિને પામે ?
ઉ. નરકગતિ તથા તિર્યંચગતિ. ૫૫૫ પ્ર. પુણ્ય પાપના બંધથી મુક્ત થવાય ? ઉ. હા, “વી કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ;
તેહ શુભાશુભ છેદતાં ઉપજે મોક્ષ સ્વભાવ. દેહાદિક સંગને, આત્યંતિક વિગ;
સિદ્ધ મેક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખભેગ.” પપદ પ્ર. સિદ્ધગતિ અથવા મોક્ષ સાધવામાં પુણ્યની જરૂર છે ? ઉ. એક અપેક્ષાએ જરૂર છે. પુણ્યના ઉદય વગર આર્યક્ષેત્ર, મનુષ્યભવ,
ઉત્તમ કુળ વગેરે જોગવાઈઓ મળતી નથી અને એવી જોગવાઈઓ
દીનબંધુની દૃષ્ટિ જ એવી છે કે ટવાના કામીને બાંધ નહીં; બંધાવાના કામીને છેડે નહીં,
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૬૪ વગર મોક્ષ સાધી શકાય નહિ. વ્રત અને તપશ્ચર્યા કરનારને ભલે . નિર્વાણ પ્રાપ્ત ન થાય છતાં પણ તેને સાંસારિક સુખની પ્રાપિત
થાય અને મેક્ષ સાધનામાં તે સહકારિતારણ બને. ૫૫૭ પ્ર પુણ્ય કર્મ કોને કહેવાય ?
ઉ. સાતવેદનીય, શુભ આયુ, શુભ નામ અને ઉચ્ચ ગોત્ર પુણ્ય કર્મ છે. ૫૫૮ ક. પાપકર્મો કેને કહેવાય ? ઉ. અસતાવેદનીય, અશુભ આયુ, અશુભ નામ, નીચ ગાત્ર તથા જ્ઞાના
વરણાદિ ચાર ઘાતીય કર્મ (જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય
અને અંતરાય) પાપકર્મ છે. પ૫૮ પ્ર. આસ્રવ અને બંધનાં કારણે આપો ? ઉ. સંસાર સમુદ્રમાં રહેલા જીવને સત્તાવન અથવા વિશેષ પ્રકારે એક
સાડત્રીસ દ્વારથી આસ્રવ થાય છે. કોઈ ઠેકાણે પ્રમાદ ગણ્યો નથી એટલે સત્તાવન અને જ્યાં પ્રમાદ ગણ્યો છે ત્યાં એક સો સાડત્રીસ. (જુઓ પ્રશ્ન ૬૮૪). પાંચ પ્રકારના મિથ્યાત્વ, (જુઓ પ્રશ્ન ૮૨૮), બાર પ્રકારે અવિરિત ભાવ, (જુઓ પ્રશ્ન-૬૯૧), એંશી પ્રકારે પ્રમાદ, (જુઓ પ્રશ્ન-૭૦૦), પચીસ પ્રકારે ક્યાય (જુએ પ્રશ્ન-૬૯૮), અને પંદર પ્રકારે યુગ, (જુઓ પ્રશ્ન-૬૮૭). આમ પ+૧૨+૫+૧૫=૫૭ અથવા પ+૧૨+૮૦+૨૫+૧૫=૧૩૭. આ સઘળાં આશ્રવઠાર એટલે
પાપને પ્રવેશ કરવાના પ્રનાળ છે. ૫૬૦ પ્ર. આસ્રવ એટલે શું ? ઉ, કામણ શરીરમાં જે કર્મ બંધાય છે તેને બંધાવવાવાળા આસવ
અને બંધતત્ત્વ છે. -પ૬૧ પ્ર. ચૌદ ગુણસ્થાનની અપેક્ષાએ આસ્રવ બંધનાં કારણો સમજાવો :ઉ. પહેલા ગુણસ્થાનકે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, વેગ પાંચે
કારણ છે. બીજે ગુણસ્થાનકે મિથ્યાત્વ નથી બાકી બીજાં બધાં છે. ત્રીજે અનંતાનુબંધી ચાર કષાય નથી. ચાથે મિથ્યાત્વ, મિશ્રભાવ અને અનંતાનુબંધી કષાય નથી,
બાકીના ક્યાય, અવિરત, પ્રમાદ અને યોગ છે.
ફરી ફરી મળતું નથી, આ ઉત્તમ અવતાર;. કાળી ચૌદશને રવિ આવે કેઈક વાર,
Page #187
--------------------------------------------------------------------------
________________
પાંચમે અવિરતિ ભાવ કંઈક ઘટયો છે અને અપ્રત્યાખ્યાનાવરણ,
કષાય છૂટી ગયા છે. છઠું અવિરતિ ભાવ બિલકુલ છૂટી ગયો છે અને પ્રત્યાખ્યાનાવરણ
કષાય પણ રહ્યા નથી. સાતમે પ્રમાદ ભાવ રહ્યો નથી, માત્ર કષાય અને યોગ છે. આઠમે કષાય અને વેગ છે પણ અતિ મંદ છે. નવમે હાસ્ય, રતિ, અરતિ, શાક, ભય, જુગુપ્સા નેક્ષાય નથી,
સંજવલન ચાર કષાય અને ત્રણ વેદ અતિ મંદ છે. દશમે કેવળ સૂક્ષ્મ મોહ કષાય અને એગ છે.
અગિયારમે, બારમે અને તેરમે ગુણસ્થાને કેવળ યોગ છે.
ચૌદમામાં યોગ પણ રહેતો નથી. પર પ્ર. બંધતત્વ કોને કહેવાય ?
ઉ. આત્માના પ્રદેશ સાથે કર્મ પુદ્ગલનું બંધાવું તેનું નામ બંધતત્વ. પ૬૩ પ્ર. સ્ત્ર અને બંધ થવામાં મિથ્યાત્વ, અવિરતિ આદિ કારણે - સમાન છે તે આસવ અને બંધમાં શું ભેદ છે ? ઉ. જીવના મિથ્યાત્વ–મોહ-રાગ-દ્વેષરૂપ પરિણામ તે ભાવ આસ્રવ છે
અને તે મલિન ભાવમાં સ્નિગ્ધતા એ ભાવ બંધ છે. પ્રથમ ક્ષણમાં કર્મનું જે આગમન છે તે આસવ છે અને આગમન પછી
બીજી વગેરે ક્ષણોમાં જીવના પ્રદેશમાં તે સ્કર્ધનું રહેવું તે બંધ છે. ૫૬૪ પ્ર. સંવર એટલે શું ? ઉ, આવતા કર્મને અટકાવવાં તેનું નામ સંવર. આસવના નિરોધને
સંવર કહે છે, અર્થાત્ નો વિકાર અટક તથા અનાગત (નવીન)
કર્મોને આત્માની સાથે સંબંધ ન થવાને સંવર કહે છે. પદપ પ્ર. સંવરનાં સાધને બતાવો.
ઉ. આત્મસ્વરૂપમાં રમણતા કરવી. આત્માને સર્વ રાગાદિ પરભાવથી ભિન્ન અનુભવ કરે. અજ્ઞાન અને રાગ-દ્વેષ રહિત વ્રત, સમિતિ, ગુપ્તિ, દશ ધર્મ, બાર ભાવના, બાવીસ પરિષહજય, ચારિત્ર, તપ વગેરે સંવરનાં સાધન છે.
વચને વલભતા વધે, વચને વધે વેર; જળથી જીવે જગત આ, કદી કરે પણ કેર,
Page #188
--------------------------------------------------------------------------
________________
પ૬૬ પ્ર. જીવ કર્મમુક્ત કેવી રીતે થઈ શકે ? ઉ. નવાં કર્મને આવતાં અટકાવવાથી અને જૂનાં કર્મને ખપાવવાથી
જીવ કર્મમુક્ત થઈ શકે છે. પ૬૭ પ્ર. કર્મ ક્યાંથી આવે છે ? કેમ તે આવતાં અટકી શકે છે ? અને
કેવી રીતે તે ખપાવી શકાય છે ? ઉ. આસવરૂપી દ્વારથી કર્મ આવે છે, અને સંવરરૂપી કમાડથી તે
આવતાં અટકે છે, તેમજ નિર્જરાથી અગાઉનાં કર્મ ખપે છે. પ૬૮ . નિર્જરા એટલે શું ? ઉ. જ્ઞાની સમ્યગદષ્ટિ એટલે જેટલો આત્મમનનને કે આત્માનુભવને
અભ્યાસ કરે છે તેટલે તેટલો તે રત્નત્રય ભાવથી અધિક કર્મોની નિર્જરા કરે છે. તે પુણ્યના ઉદયમાં અને પાપના ઉદયમાં સમભાવ રાખે છે. આસક્ત થતા નથી. વેદના વિપાનું નામ નિજ રા છે. જ્ઞાની ભેદ વિજ્ઞાનથી આત્માને સવે રાગાદિ પરભાવોથી ભિન્ન અનુભવ કરે છે. તેથી તેને કર્મ ખરે છે. આત્મજ્ઞાન સહિત તપ તે નિર્જરાનું કારણ છે, અહંકારરહિત, કદાઝહરહિત, લેકસંજ્ઞારહિત, આત્મામાં પ્રવર્તવું તે નિર્જર. સર્વ કર્મબંધને સર્વથા ક્ષય તે મોક્ષ અને તેને અંશથી ક્ષય તે નિર્જરા. આ રીતે બનેનું લક્ષણ જોતાં સ્પષ્ટ થાય છે કે, નિર્જરા એ મોક્ષનું
પૂર્વગામી અંગ છે. (જુએ પ્રશ્ન ૧૦૨૪, ૧૦૨૫, ૧૦૨૬).. પ૬૯ પ્ર. નિર્જરાના મુખ્ય કેટલા ભેદ છે ? ઉ. નિર્જરાના બે ભેદ છે. એક સકામ એટલે સહેતુ (મેક્ષના હેતુભૂત
નિર્જર અને અકામ એટલે વિપાક નિર્જરા. નિર્જરાના બીજા પણ બે ભેદ છે. સંવિપાક નિર્જરા એટલે પૂર્વનાં બાંધેલાં કર્મો ઉદયમાં આવી ખરી જવાં અને અવિપાક નિર્જરા એટલે સ્વભાવ સન્મુખ થઈ કર્મો ફળ આપે તે પહેલાં જ ખેરવી દેવાં. (અવિપાક નિર્જરામાં પણ કર્મોને ખરી જવાનો સમય તે પાકી ગયો હતો. તે કર્મ ખરવાનાં હતાં અને તેમ છતાં તે સમય પહેલાં ખરી
હેય સસ ચીજ તે, યોગ્ય સ્થળે વપરાય; કેમ કટારી કનકની, પેટ વિષે ઘૉચાય?
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૬૭
ગયાં એમ વાત નથી, પરંતુ આત્માના અનુભવ તરફ ઢળવાના વિશેષ પુરુષાર્થ બતાવવા માટે જ અવિપાક નિર્જરા કહી છે.)
બીજી રીતે તેના બે પ્રકાર કહેવાય છેઃ ૧. અબુદ્ધિપૂર્વક અને ૨, કુશલમૂલક. નરકગતિમાં કર્મફળના વિપાથી ઉત્પન્ન થતી જે અબુદ્ધિપૂર્વક નિર્જરા થાય છે તે અકુશલઅનુબંધા છે અને પરિપહને જીતવાથી જે નિર્જ થાય છે તે કુશલમૂલા નિર્જરા
છે. તે શુભ અનુબંધા અને નિરાનુબંધા હોય છે. પ૭૦ પ્ર. સકામ એટલે શું ? ઉ. સકામ નિર્જર ક્ષાપશમિક ભાવે થાય છે ! જે કર્મના અબંધનું
કારણ છે. જેટલે અંશે સકામ નિર્જર (ક્ષાપશમિક ભાવે) થાય, તેટલે અંશે આત્મા પ્રગટ થાય છે. સ્વભાવના ઉદ્મ પુરુષાર્થપૂર્વક કર્મોનું ખરી જવું. અહીં સ્વભાવને પુરુષાર્થ બતાવવા માટે
સકામ કહ્યું છે. ૫૭૧ પ્ર. અકામ નિર્જરા કોને કહે છે ? ઉ. અકામ નિર્જરા ઔદયિક ભાવે થાય છે. આ નિર્જરા જીવે
અનંતીવાર કરી છે અને તે કર્મબંધનું કારણ છે. અહીં પણ કર્મનું નિર્જરવું હોય છે. પરંતુ આત્મા પ્રગટ થતું નથી. અનંતીવાર ચારિત્ર પ્રાપ્ત કરવાથી જે નિર્જરા થઈ છે, તે ઔદયિક ભાવે, (જે ભાવ અબંધક નથી) થઈ છે. ક્ષપશમિક ભાવે થઈ નથી. કષાયની મન્દતાપૂર્વક નિર્જરા થઈ. તેમાં સ્વભાવને
પુરુષાર્થ નથી, તેથી અકામ નિર્જરા કહી છે. પ૭ર પ્ર. નિર્જરાના બીજા ભેદ કેટલા છે ? ઉ. બે ભેદ છે. સ્વકાલ પ્રાપ્ત અને તપથી. સ્વકાલ નિર્જરા ચારે
ગતિમાં થાય છે, તપથી ફક્ત વ્રતધારીને જ હોય છે. ૫૭૩ પ્ર. શું કરવાથી કર્મ નિજરે ? ઉ. બાર પ્રકારના નિદાન રહિત તપથી કર્મની નિર્જરા, વૈરાગ્ય
ભાવને ભાવિત, અહંભાવ રહિત જ્ઞાનીને થાય છે. જેમ જેમ ઉપશમની વૃદ્ધિ થાય તેમ તેમ તપ કરવાથી કર્મની ઘણી નિજ રા
કબીરા, જબ હમ પેદા હુઆ, જગ હસે હમ રાય, !' કરણી ઐસી કર ચલે, હમ હસે જગ રેય.
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૬૮
થાય. તે નિર્જરોને ક્રમ કહે છે. મિથ્યાદર્શનમાં વર્તતે પણ ચેડા વખતમાં ઉપશમ સમ્યફદર્શન પામવાને છે એવા સંયતિ છવ કરતાં
અસંયત સમ્યફદષ્ટિને અસંખ્યાત ગુણ નિર્જ થાય. પ૭૪ પ્ર. જ્ઞાનીને ભોગ નિર્જરાને હેતુ છે. અજ્ઞાનીના ભેગથી બંધન થાય
છે. આ આશ્ચર્યની વાત હૈયામાં ઉતરતી નથી. ઉ. જ્ઞાની તથા અજ્ઞાની એ બંને એકસરખી ક્રિયા કરતા દેખાય છે,
પણ પરિણામ ભેદના કારણે ભિન્ન ભિન્ન ફળ આપે છે. જ્ઞાની જે ક્રિયા કરે છે, તેમાં તેની ઉદાસીનવૃત્તિ હોય છે. મમત્વભાવ
નથી હોતા, તેથી તેની ક્રિયાને નિર્જરાને હેતુ કહ્યો છે. ૫૭૫ છે. સમ્યદૃષ્ટિને ભોગના કાળે ભાવ-નિર્જરા થાય ? ઉ. સમ્યક્દષ્ટિને રાગમાં મિઠાશ નહીં હોવાથી, જડ-કર્મ ખરી જાય
છે, અને પર્યાયમાં અલપ સુખ-દુઃખનું વદન પણ થાય છે પણ તને તેમાં સુખ બુદ્ધિ નહિ હોવાથી, તે ભાવ પણ ખરી જાય છે.
થેડુિં બંધન પડે છે તેને અહીં ગણવામાં આવ્યું નથી. પ૭૬ ક. જન્મ, જરા, મરણ અને રોગાદિક દુખે આપણે શાથી પામીએ
છીએ ? ઉ. કરેલાં કર્મના ઉદયથી. પ૭૭ પ્ર. એ સર્વ દુઃખોથી મુક્ત શી રીતે થવાય ? ઉ. આત્માની પરિપૂર્ણ શુદ્ધ દશા પ્રગટ થવાથી મુક્ત થવાય. કર્મ બંધનથી સર્વથા છૂટી જવાથી મુક્ત થવાય છે.
જેમ શુભાશુભ કર્મ પદ, જાણ્યાં સફળ પ્રમાણ,
તેમ નિવૃત્તિ સફળતા, માટે મોક્ષ સુજાણ.” ૫૭૮ પ્ર. કર્મના બંધનથી સર્વથા પ્રકારે મુક્ત થવું અથવા સર્વ દુની
આત્યંતિક મુક્તિ થવી એનું નામ શું ? ઉ. મુક્તિ અથવા મોક્ષ પ૭૯ પ્ર. મેક્ષનું સ્વરૂપ સંક્ષેપમાં કહે.
ઉ. સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ મેક્ષ કહે છે. ૫૮૦ પ્ર. મેક્ષ સ્વરૂપમાં આત્માની કેવી સ્થિતિ હોય છે ?
ભેગથી મુંઝાય તે મુમુક્ષુ છે.
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૬૯
ઉ. જેમાં અતીન્દ્રિય, ઈન્દ્રિયેથી અતિક્રાંત, વિષથી અતીત,ઉપમારહિત
અને સ્વભાવિક, વિચછેદરહિત પરમાર્થિક સુખ હોય તેને મેક્ષ કહ્યો જાય છે. જેમાં આ આત્મા નિર્મળ, શરીર રહિત, ક્ષોભ રહિત, શાંત સ્વરૂપ, નિષ્પન્ન (સિદ્ધરૂ૫), અત્યંત અવિનાશી, સુખરૂપ કૃતકૃત્ય તથા સમીચીન સમ્યફજ્ઞાન સ્વરૂપ થઈ જાય છે તે પદને મોક્ષ કહીએ છીએ. સિદ્ધાંતથી મોક્ષ તે જીવ દ્રવ્યના બધા ગુણને સ્વભાવ અર્થપર્યાયા
અને પ્રદેશત્વગુણને સ્વભાવ વ્યંજન પર્યાય છે. ૫૮૧ પ્ર. મોક્ષને ઉપાય અથવા ક્રમ બતાવો. ઉ. નિર્વાણ-મોક્ષની પ્રાપ્તિ કર્મને ક્ષય કરવાથી થાય છે, અને કર્મ
ક્ષય શુદ્ધાત્માને ધ્યાનથી થાય છે. મોક્ષને અન્ય કોઈ ઉપાય નથી. મોક્ષ દુર્લભ નથી, દાતા દુર્લભ છે. જીવ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે શાંતપણામાં વિચરે તે અંતર્મુહૂર્તમાં મુક્ત થાય છે. મોક્ષ માર્ગ એ અગમ્ય તેમજ સરળ છે.
મતભેદની કડાકૂટ જવા દઈ, આત્મા અને પુગલ વચ્ચે વહેંચણી કરી શાંત પણે આત્મા અનુભવવામાં આવે તે મોક્ષમાર્ગ સરળ છે અને દૂર નથી.
પહેલાં તે આત્માને જાણે કે આ જાણનારે અનુભવમાં આવે છે (આવી શકે એ છે) તે હું છું. (ત જ્ઞાન). ત્યારબાદ તેની પ્રતીતિરૂપ શ્રદ્ધાન થાય (અનુભવમાં આવે; તે દર્શન.) વિના જાણ્યું નહિતર શ્રદ્ધાન કેનું ? પછી સમસ્ત અન્યભાવથી ભેદ કરીને પિતામાં સ્થિર થાય. (તે ચારિત્ર).
દર્શન અર્થાત શુદ્ધ સ્વભાવનું અવલોકન (સમ્યક્ શ્રદ્ધા), જ્ઞાન અર્થાત શુદ્ધ સ્વભાવનું પ્રત્યક્ષ જાણપણું અને ચારિત્ર અર્થાત શુદ્ધ સ્વભાવમાં સ્થિરતા. તેમનાથી જ સાધ્યની સિદ્ધિ થાય છે. આ જ મોક્ષમાર્ગ છે, તે સિવાય બીજો કોઈ મોક્ષમાર્ગ નથી. જે પુરુષ, પહેલાં સમસ્ત પરવ્યને (ધર, પૈસા, સ્ત્રીપુત્રાદિ શરીર અને રાગાદિ ભાવ તે સર્વ પર દ્રવ્યને) ત્યાગ કરી નિજ દ્રવ્યમાં
મૌનપણું એટલે સંકલ્પ-વિકલ્પ ન કરવા તે
Page #192
--------------------------------------------------------------------------
________________
૧eo
(આત્મસ્વરૂપમાં) લીન થાય છે, તે પુરુષ સર્વ રાગાદિક અપરાધોથી. રહિત થઈ આગામી બંધને નાશ કરે છે. આ મેક્ષ થવાને
અનુક્રમ છે. ૫૮૨ પ્ર. વ્યવહારનયથી મોક્ષને ઉપાય જુદો છે? નિશ્ચયનયથી મેક્ષને ઉપાય
જુદે છે ? તાંબર મત અને દિગંબર મત વિષે મેક્ષના ઉપાયમાં
ભેદ છે ? ઉ. મતભેદ રાખી કોઈ મેક્ષ પામ્યા નથી. વિચારીને જેણે મતભેદને ટાળ્યું, તે અંતવૃત્તિને પામી ક્રમે શાશ્વત માને પામ્યા છે, પામે છે અને પામશે. મેક્ષના માર્ગ બે નથી; જે જે પુરુષે મેક્ષરૂપ. પરમ શાંતિને ભૂતકાળે પામ્યા, તે તે સઘળા પુરુષે એક જ માર્ગથી પામ્યા છે. વર્તમાનકાળે પણ તેથી પામે છે, ભવિષ્યકાળ પણ તેથી જ પામશે.
બાહ્ય ક્રિયામાં રાચતા, અંતરભેદ ન કાંઈ, જ્ઞાનમાર્ગ નિષેધતા, તેહ ક્રિયાજડ આઈ.”
અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માંય, લેપે સદ્વ્વહારને, સાધન રહિત થાય.” “નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ, એકાંતે વ્યવહાર નહિ, બને સાથે રહેલ.”
એક હેય ત્રણ કાળમાં, પરમાર્થને પંથ, પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સંમત.” લિંગ અને ભેદે જે વ્રતના રે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ,
પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે, તે તે ત્રણે કાળ અભેદ.” ૫૮૩ પ્ર. પરમાર્થ એટલે શું ? ઉ. અહીં પરમાર્થને અર્થ ઉપકાર, દાન આદિ ભાવના સંબંધે કહેલ
નથી; પણ પરમ અર્થ એટલે આત્માને અર્થે કહેલ છે. ૫૮૪ પ્ર. મોક્ષ પામવા માટે એટલે કે કર્મના બંધનથી મુક્ત થવા માટે
આપણે કેવા ઉપાય લેવા જોઈએ?
એકાસણું ત્યારે ગણાય કે હંમેશાં કે જે આહાર લેતા હતો તે કરતાં ઓછું લે ત્યારે.
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૭૧
ઉ. નીચેના ચાર ઉપાય વડે મોક્ષ પામી શકાય. (૧) સમ્યગજ્ઞાન : જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર,
નિર્જર, બંધ અને મોક્ષ એ નવે તવનું સ્વરૂપ જેવું છે
તેવું સમજવું. (૨) સમ્યગ્ગદર્શનઃ વિતરાગ વચનમાં શ્રદ્ધા રાખવી. (૩) સમ્યગુચારિત્ર: મોક્ષમાર્ગમાં ઉપયેગપૂર્વક ચાલવું, આસવ.
દ્વારથી આવતાં કર્મને સંવરરૂપી કમાડથી રોકવાં, મન, વચન,
કાયાના યોગને ગોપવી, પ્રાણાતિપાતાદિ અઢારે પાપથી નિવર્તવું.
(૪) તપઃ પૂર્વ કર્મને ૧૨ પ્રકારના તપ વડે ખપાવવાં. ૫૮૫ પ્ર. દીગંબરના આચાર્યો એમ સ્વીકાર્યું છે કેઃ “જીવને મોક્ષ થત
નથી, પરંતુ, મોક્ષ સમજાય છે.” તે કઈ અપેક્ષાએ કહ્યું છે તે
સમજાવે ? ઉ. તે એવી રીતે કે જીવ શુદ્ધ સ્વરૂપી છે, તેને બંધ થતા નથી તો પછી
મેક્ષ થવાપણું ક્યાં રહે છે ? પરંતુ તેણે માનેલું છે કે “હું બંધાણે છું.” તે માનવાપણું વિચાર વિડીએ કરી સમજાય છે કે મને બંધન નથી માત્ર માન્યું હતું. તે માનવાપણું શુદ્ધ સ્વરૂપ સમજાયાથી રહેતું નથી. અર્થાત મોક્ષ સમજાય છે. આ વાત “શુદ્ધનય”ની અથવા “નિશ્ચયનય”ની છે. પર્યાયાથી નયવાળાઓ એ નયને વળગી
આચરણ કરે તે તેને રખડી મરવાનું છે. ૫૮૬, પ્ર. ચાર ગતિ માંહેલી કઈ ગતિમાંથી મોક્ષ મેળવી શકાય ?
ઉ. મનુષ્યગતિમાંથી. પ૮૭ પ્ર. મોક્ષગામી જીવ અર્થાત્ ચરમશરીરી મનુષ્ય જ્યારે સર્વ કર્મથી મુક્ત
થાય ત્યારે ક્યાં જાય ? - ઉ. જેમ કેાઈ તુંબડાને માટી, રેતી આદિ પદાર્થોના આઠ લેપ લગાવ્યા. ન હોય તે તેના વજનથી તે તુંબડું પાણીમાં હંમેશાં ડૂબેલું રહે છે.
પણ જે તે લેપ તેના ઉપરથી દૂર થઈ જાય તે તરત તે પાણીની ઉપલી સપાટી ઉપર સ્વાભાવિક રીતે આવી જાય છે. તે જ પ્રકારે આઠ કર્મના લેપથી સંસાર સમુદ્રમાં ડૂબેલે જીવ જ્યારે કર્મથી
- ભેદ જ્ઞાન એ જ સમાધિ.
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૭૨ | મુક્ત થાય છે ત્યારે સ્વાભાવિક રીતે તે લેકના મસ્તકે પહોંચે છે
અને અલેકની નીચે સ્થિર થાય છે. ૫૮૮ પ્ર. મેક્ષ પામેલા આત્માઓ ક્યાં બિરાજે છે ? ઉ. સિદ્ધ આત્માઓ લોકાગ્રે સ્થિર થાય છે, જ્યાં ઉર્વલકને અંત
આવે છે અને ઉર્વઅલક શરૂ થાય છે. (જુઓ પ્ર. ૨૨૦, ૨૨૧,
૨૩૦થી ૨૩૭). ૫૮૯ પ્ર. મોક્ષમાર્ગમાં તપની કે જ્ઞાનની જરૂર છે? ઉ. તપ વિનાનું જ્ઞાન અને જ્ઞાન વિનાનું તપ, તે બને અકાય છે.
તેથી, જેનામાં જ્ઞાન અને તપ સંયુક્ત હોય તેને જ નિર્વાણ પ્રાપ્ત થાય છે. જ્ઞાન અને વૈરાગ્ય એક સાથે ઉત્પન્ન થવાથી મોક્ષમાર્ગ
સધાય છે. ૫૯૦ પ્ર. સર્વ પ્રકારે સમસ્ત પુણ્ય કરે તેને મોક્ષની પ્રાપ્તિ થાય ? ઉ. જે પુરુષ આત્માને ઈષ્ટ ન કરે, એટલે કે આત્માના સ્વરૂપને જાણી
અંગીકાર ન કરે અને સર્વ પ્રકારે સમસ્ત પુણ્ય કરે તેને સિદ્ધિ
એટલે મોક્ષની પ્રાપ્તિ થતી નથી. તે સંસારમાં સ્થિત રહે છે. ૫૯૧ પ્ર. બધા જ શું મોક્ષપદને પામી શકે છે ? ઉ. “દેહાદિક સંગને, આત્યંતિક વિયેગ, સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખ ભોગ.” “સર્વજીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય;
શ્રુઆજ્ઞા જિનદશા, નિમિત્ત કારણમાંય.” સંસારી જીના ભવ્ય અને અભિવ્ય એવા બે ભેદ છે, તેમાં અભવ્ય જીવોની તે કદિ પણ મુક્તિ થાય જ નહિ અને ભવ્ય જીવોમાંથી
જે કર્મ ક્ષય કરે તે જ મોક્ષ પામે. ૫૯૨ પ્ર. અમુક સમયમાં કેટલા જીવો મોક્ષે જતા હશે ? ઉ. છ માસ આઠ સમયમાં ૬૦૮ જીવ અનાદિકાળથી
મોક્ષ જાય છે ને કાયમ એટલા મોક્ષ જશે. જેટલા જીવો સિદ્ધ ગતિમાં જાય છે, એટલા જીવ અનાદિ નિગોદમાંથી નીકળી વ્યવહારરાશિમાં આવી જાય છે. ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસમા અધ્યયનમાં
જે કંઈ પ્રિય કરવા જેવું છે, તે જીવે જાણ્યું નથી; અને બાકીનું કંઈ પ્રિય કરવા જેવું નથી.
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૭૩
કહ્યુ' છે કે એક સમયમાં દસ નપુ ંસક (કૃત નપુ ંસક), વીસ સ્ત્રીએ, અને એકસા આઠ પુરુષે વધુમાં વધુ સિદ્ધ થઈ શકે છે. બંને વચ્ચેની સિદ્ધિનુ અંતર જયન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસનુ હાય છે. જો કે દિગંબર મત પ્રમાણે નપુ ંસક અને સ્ત્રીઓના મેાક્ષ ન હોય અને તે અપેક્ષાએ વધારેમાં વધારે એક સમયે ૧૦૮ જીવ. મુક્ત થાય.
૫૯૩ ×. એક સે સાઠ જીવા ઉત્કૃષ્ટ રીતે એક સમયમાં સિદ્ધ થાય તે ભરત ક્ષેત્રમાંથી જ ને ?
ઉ. ના; અઢી દ્વીપના પદર ક્ષેત્રા મળીને પાંચ ભરત, પાંચ ઈરવત, પાંચ મહાવિદેહ આર્દિ દ્વીપમાં બધા ક્ષેત્રના મળીને એકસે આઠ જીવા વધારેમાં વધારે એક સમયમાં સિદ્ધ થાય એવું જ બને છે.
પીસતાળીસ લાખ ચેોજનના અઢી દ્વિપમાં એક રજકણ જેટલી જગ્યા પણ એવી નથી કે જ્યાંથી અનંત જીવા મેાક્ષે ગયા ન હાય. અહીંયા બે હજાર કાસના એક ચેાજન ગણવા. જેણે ધર્માં કરવા હોય ને સુખી થવું હોય તે મેાક્ષાથી એ પહેલામાં પહેલાં શું કરવું ?
ઉ. કરાડા ઉપાય કરીને પણ પહેલાં સ્વ-પરનુ ભેધ્નાન કરવું. ભેદજ્ઞાન વડે અંતરમાં આત્માને કથી જુદે જાણવા. પરથી ભિન્ન પોતાના આત્માનું જ્ઞાન તે જ સાચુ ભેદજ્ઞાન છે. મારા આત્મા તેા જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાનસ્વરૂપથી જુદા જે કાર્ય શુભાશુભ રાગ કે ધનકુટુંબ. વગેરે સયાગ તે હું નથી.
૫૫ ×. અત્યાર સુધી કેટલા જીવા માક્ષે ગયા છે ? જો બધા જીવા માક્ષે જાય તા સ ંસાર ઉચ્છેદ ન થઈ જાય ?
૫૪ પ્ર.
ઉ. એક સમયમાં જધન્ય એક અને વધારેમાં વધારે એક સમયે ૧૦૮ જીવ મુક્ત થાય. એથી વિશેષ ન થાય. અને પ્રત્યેક સમયે એકસા આઠે જીવ મુક્ત થયા જ કરે છે એમ ગણીએ તા તે પરિણામે ત્રણે કાળમાં જેટલા જીવ મેાક્ષ પ્રાપ્ત થાય, તેટલા જીવની અનંત સંખ્યા થઈ અને તે સ ંખ્યા કરતાં સંસારી જીવાની સ ંખ્યા
ચેાગ્યતા માટે બ્રહ્મચર્ય' એ માટું સાધન છે, અસત્સંગ એ મેાટુ વિઘ્ન છે.
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૯૪
અન તગુણી વધુ છે. આખા લેાક વાથી ઠાંસી ઠાંસીને કાજળના કુપ્પાની પેઠે ભરેલા છે, અને તેથી મેક્ષમા ંના પ્રવાહ વહ્યા કરતા છતાં સંસારમાર્ગ ઉચ્છેદ થઇ જવા સભવતા નથી. જ્યારે જુએ ત્યારે નિગેાદના એક શરીરમાં રહેલ વાના અનતમા ભાગે જ મેક્ષે જાય. જો જીવ મેક્ષમાં જતાં સંસારમાં જીવની શૂન્યતા થતી હોય તા ભૂતકાળમાં ધણા વા મેક્ષે ગયા છે તાપણ અત્યારે જગતમાં જીવાની શૂન્યતા દેખાતી નથી. જેમ ધનન લેાભી મનુષ્ય ધનની રુચિના લીધે એમ વિચાર કરતા નથી કે બધા જ પૈસાવાળા થઈ જાય તેા કામ કરવાવાળા—તાકર કાણુ રહેશે ? તે જ પ્રમાણે મેાક્ષના અભિલાષી એવી શંકા કરતા નથી. જેમ ભવિષ્યકાળ ભૂતકાળમાં પરિવર્તિત થયા કરે છે અને તેથી ભવિષ્યકાળની સમય—–રાશિ (ભંડાળ)માં ન્યૂનતા તા આવે છે, પરંતુ ભવિષ્યકાળ ખલાસ (ઉચ્છેદ) થઈ જાય, એમ કદી થતું નથી; તે જ પ્રમાણે જીવ મેક્ષમાં જાય છે તેથી સ સારી જીવેાના સંખ્યામાં કમી થાય છે, પરંતુ સર્વથા ખાલી થઈ જાય તેમ કદી થાય નહી.
૫૯૬ પ્ર. આ કાળમાં શુ` મેાક્ષ નથી ?
ઉ. મુખ્યપણે શ્રી ભગવતીજી આદિ સર્વે શાસ્ત્રોના પ્રસગથી મેાક્ષ સંભવતા નથી પણ શ્રી ચંદ્રપનતિના કાઈ પ્રસંગથી સંભવે છે.
જ ખુદ્દીપ પ્રજ્ઞપ્તિ” નામના જૈનસૂત્રમાં એમ કહ્યું છે કે આ કાળમાં મેક્ષ નથી. આ ઉપરથી એમ ન સમજવું કે મિથ્યાત્વનુ ટળવુ અને મિથ્યાત્વ ટળવારૂપ મેાક્ષ નથી, મિથ્યાત્વ ટળવારૂપ મેાક્ષ છે; પણ સર્વથા એટલે આત્યંતિક દેહ રહિત મેક્ષ નથી. શાસ્ત્રમાં આ કાળમાં મેાક્ષના સાવ નિષેધ નથી. જેમ આગગાડીને રસ્તા છે તેની મારફતે વહેલા જવાય, તે પગ રસ્તે મેડા જવાય, તેમ આ કાળમાં મેાક્ષના રસ્તા પણ રસ્તા જેવા હોય તે તેથી ન પહેાંચાય એમ કાંઈ નથી. વહેલા ચાલે તા વહેલા જવાય, કાંઈ રસ્તા બંધ નથી. આ રીતે મેક્ષમા છે તેના નાશ નથી.
માર્ગ સરળ છે, પ્રાપ્તિ દુર્લભ છે.
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૭૫
આ કાળને વિષે મેક્ષ નથી એમ માની જીવ મેાક્ષહેતુભૂત ક્રિયા કરી શકતા નથી અને તેવી માન્યતાને લઈને જીવનું પ્રવર્તન બીજી જ રીતે થાય છે.
પાંજરામાં પૂરેલા સિંહ પાંજરાથી પ્રત્યક્ષ જુદા છે, તે પણ બહાર નીળવાને સામર્થ્ય રહિત છે. તેમ જ એછા આયુષ્યના કારણથી અથવા સંધયણાદિ (શરીરની દઢતા, બાંધે) અન્ય સાધનાના અભાવે અને ખરાબ નિમિત્તોને લીધે આત્મરૂપી સિંહ કર્મરૂપી પાંજરામાંથી બહાર આવી શકતા નથી એમ માનવામાં આવે તા તે માનવું સકારણ છે.
૫૭ પ્ર. સીધી ગણતાં મેક્ષ છે, ઊલટી દુર્ગતિ દેત, ત્રણ અક્ષરને ઓળખા બે લઘુ છે ગુરુ એક.” આ દોહરાના શબ્દાર્થ સમજાવા ?
ઉ. બે લઘુને એક ગુરુ અક્ષર છે. એવા શબ્દ “સમતા” છે. જો એ શબ્દને સીધા ગ્રહણ કરે તા સમતા ધારણ કરતાં મેાક્ષ દશા મળે છે પણ સમતા શબ્દને ઉંધા કરી ગ્રહણ કરે તા તામસ” શબ્દ થાય છે તે તામસપણું ગ્રહણ કરવાથી દુર્ગતિમાં જવું પડે છે. પ૯૮ પ્ર. જીવનમુક્તિ સુધીની શ્રેણી સમજાવે.
ઉ. સત્સંગથી નિ શકતા,
નિઃશંકતાથી નિર્ભયતા, નિર્ભયતાથી નિઃસ ંગતા, નિ:સ ંગતાથી નિર્માંહતા,
નિહિતાથી નિશ્ચલતત્ત્વ અને
નિશ્ચલતત્ત્વથી જીવન મુક્તિ પ્રાપ્ત હોય છે. પ૯૯ પ્ર. કિંગ ખર મત પ્રમાણે સ્ત્રીના મેક્ષ સંભવે ખરા ?
ઉ. સ્ત્રીઓને ચિત્ત શુદ્ધિ હાતી નથી. તેએ સ્વભાવે મૃદુભાવવાળી છે અને શિથિલ પરિણામવાળી હાય છે. તેથી તેમને ધ્યાન હતુ નથી અને ધ્યાન વિના કેવળજ્ઞાન કે મેાક્ષ સંભવે નહીં.
૬૦૦ પ્ર. દિગ ંબર મત પ્રમાણે સ્ત્રીને અન્ય કઈ કઈ સ્થિતિ ન સંભવે ? ઉ. સ્ત્રીને મેક્ષ નહોય. સ્ત્રીને મુનિપણું ન હેાય. પાંચમા ગુણુ–
કળિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુ વિચાર વિના ન રહેવુ' એમ મહાત્માઓની શિક્ષા છે.
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૭૬
સ્થાનથી આગળ જઈ શકે નહીં. કર્મભૂમિની સ્ત્રીને વજ્રનારાયસંધયણુ ન હોય. ત્રેશઠ શલાકા પુરુષામાં તેને સ્થાન ન હોય. અવધિજ્ઞાન, મન:પર્યાય જ્ઞાન, કેવળજ્ઞાન, અરિહંત પદ, દ્દાાંગના અભ્યાસ, આહારક શરીર વિગેરે ન હોય. સેાળમા સ્વર્ગથી ઉપર. જવાને લાયક પુણ્યભાવ ન હોય. તેમજ સાતમી નરકે પણ ન જાય. શ્રીમદ્ રાજચંદ્ર મેાક્ષે ગયા છે ?
૬ ૦૧ પ્ર.
ઉ. સમ્યગ્દર્શન થયા પછી વધુમાં વધુ પંદર ભવે મેાક્ષ થાય છે, પણ અત્યારના કાળે જેને સમ્યગ્દર્શન થાય એને તેા બે ત્રણ ભવે મેાક્ષ થઈ જાય. શ્રીમદ્દના તા એક ભવ પછી મેાક્ષ થવાના છે.
૬૦૨ . આત્માનું અતિન્દ્રિય સુખ કેવું છે ?
ઉ. અહા, તેના એક અ'શ પણ ચાખે ત્યાં સંસાર ખલાસ થઈ જાય; એ ચૈતન્યસુખ ચાખતાં જ અને તકાળના સસારના થાક એક ક્ષણમાં ઉતરી જાય. (જુએ પ્રશ્નક્રમાંક–૨૨૫ થી ૨૯૦).
+20
સમકિત પ્રાપ્ત થવું તે બોધિ છે અને તે સમકિતને નિવિન્ને અન્ય ભવમાં સાથે લઈ જવુ' તે સમાધિ છે,
Page #199
--------------------------------------------------------------------------
________________
પૂર્વ કર્મ
૬૦૩ પ્ર. કર્મપ્રકૃતિ એટલે શું ?
ઉ. કર્મપ્રકૃતિ એટલે કર્મ સ્વભાવ. ૬૦૪ પ્ર. જડ કર્મ એ વસ્તુતઃ છે, કે માયિક છે ?
ઉ. જડ કર્મ એ વસ્તુત છે, માયિક નથી. ૬૦૫ પ્ર. દ્રવ્યકર્મ અને ભાવકને સંબંધ શું છે?
ઉ. પરમાણુરૂપ અનંત પુદ્ગલ દ્રવ્યોથી નિપજાવેલું કાર્ય છે તેનું નામ દ્રવ્યકર્મ છે. તથા મેહના નિમિત્તથી મિથ્યાત્વ-ક્રોધાદિરૂપ જીવના પરિણામ થાય છે તે અશુદ્ધ ભાવથી નિપજાવેલું કાર્ય છે, તેથી તેનું નામ ભાવકર્મ છે. દ્રવ્યકર્મના નિમિત્તથી ભાવકર્મ થાય છે, તથા
ભાવકર્મના નિમિત્તથી દ્રવ્યકર્મને બંધ થાય છે. ૬૦૬ પ્ર. કર્મ એટલે શું ? ઉ. ઔદારિક વગેરે શરીર તથા છ પર્યાપ્તિઓને એગ્ય પુગલ પરમાણુઓ
(પુદગલ કંધરૂ૫) કર્મ કહેવાય છે. (જુઓ પ્રશ્ન-૩૨૪) ૬૦૭ પ્ર. ભાવકર્મ, વ્યકર્મ અને કર્મને પરસ્પર સંબંધ બતાવો. ઉ. શુભ-અશુભભાવ તે ભાવકર્મ છે. આ શુભ-અશુભભાવના વિકલ્પથી
ઉત્પન થતાં ભાવકર્મોથી પુણ્ય અને પાપ બંધાય છે તેને દ્રવ્યકર્મો કહ્યાં અને આ દ્રવ્યકર્મોનાં ઉદયમાં આવતાં તેના ફળરૂપ સુખદુઃખ (અનુકૂળ-પ્રતિકૂળ બાહ્ય સંગો)ને કર્મ છે.
૧૨
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૭૮
૬૦૮ પ્ર. દ્રવ્યકર્મ–ભાવકર્મની પરંપરા કેમ તૂટે અને મોક્ષમાર્ગ કેવી રીતે
સધાય ? ઉ. કર્મને બંધ સદાકાળ સમાન રહ્યા ન કરે, તેથી તેને ઉદય પણ
મંદ-તીવ્ર થાય છે. વળી જ્યારે કર્મને ઉદય તીવ્ર હોય ત્યારે પુરુષાર્થ થઈ શક નથી. ઉપરના ગુણસ્થાનેથી પડી જાય છે, પરંતુ જ્યાં મંદ ઉદય હોય તે પુરુષાર્થ કરે તો કર્મને નાશ
થાય છે. ૬૦૯ પ્ર. પૂર્વ કર્મ કેટલા પ્રકારનાં છે ? ઉ. પૂર્વ કર્મ બે પ્રકારનાં છે, અથવા જીવથી જે જે કર્મ કરાય છે
તે બે પ્રકારથી કરાય છે. એક પ્રકારનાં કર્મ એવાં છે, કે જે પ્રકારે કાળાદિ તેની સ્થિતિ છે, તે જ પ્રકારે તે ભેગવી શકાય. બીજો પ્રકાર એ છે, કે જ્ઞાનથી, વિચારથી કેટલાંક કર્મ નિવૃત્ત થાય. જ્ઞાન થવા છતાં પણ જે પ્રકારનાં કર્મ અવશ્ય જોગવવા યોગ્ય છે તે પ્રથમ પ્રકારનાં કર્મ કહ્યાં છે; અને જે જ્ઞાનથી ટળી
શકે છે તે બીજા પ્રકારનાં કર્મ કહ્યાં છે. ૬૧૦ પ્ર. પૂર્વ કર્મનું નિબંધન શી રીતે જણાય ? ઉ. ન ગમતું એવું ક્ષણવાર કરવાને કઈ ઈચ્છતું નથી, તથાપિ તે
કરવું પડે છે એ એમ સૂચવે છે કે, પૂર્વકર્મનું નિબંધન અવશ્ય છે. ૬૧૧ પ્ર. શું કેવળજ્ઞાનીને પણ કર્મ ભોગવવાં જ પડે? ઉ. જ્ઞાનાદિ પુરુષાર્થ ધર્મે નિવૃત્ત થાય એવા કર્મની નિવૃત્તિ જ્ઞાની
પુરુષ કરે છે, પણ ભેગવવા ગ્ય કર્મને જ્ઞાની પુરુષ સિદ્ધિ આદિ પ્રયત્ન કરી નિવૃત્તિ કરવાની ઇચ્છા કરે નહીં. દેહનું રહેવું એ કેવળજ્ઞાનીની ઈચ્છાથી નથી, પણ પ્રારબ્ધથી છે, એટલું સંપૂર્ણ જ્ઞાનબળ છતાં પણ તે દેહસ્થિતિ વેદ્યા સિવાય કેવળજ્ઞાનીથી પણ છૂટી શકાય નહીં, જોકે તેવા પ્રકારથી છૂટવા વિષે કઈ જ્ઞાની પુરુષ
ઈચ્છા કરે નહીં. ૬૧૨ પ્ર. આઠ કર્મોના સ્વભાવ, દાખલા આપી સમજાવો.
કર્મથી ભ્રાંતિથી અથવા માયાથી છૂટવું તે મોક્ષ છે. એ મોક્ષની પદવ્યાખ્યા છે,
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૭૯
ઉ. આ કર્મીના સ્વભાવ પડદો, દ્વારપાળ, તલવાર, મદ્ય, હડ(લાકડુ), ચિતારા, કુંભાર અને ભડારી જેવા છે.
નાવરણીય
જ્ઞાનાવરણીય કર્મ પડદાની જેમ નાનને રાકે છે. કર્મો દ્વારપાળની જેમ રાજાનાં દર્શન કરવામાં રુકાવટ કરે છે. વેદનીય કર્મ તલવારની ધાર ઉપર લાગેલ મધ ચાટવા જતાં ભ કપાવાની જેમ અસહ્ય દુઃખ ઉત્પન્ન કરે છે. મેાહનીય કર્મ દારૂ પીવાથી મનુષ્યને જેમ ખેહેાશ કરે છે. આયુકના યથી હડ (ખાડા)માં નાંખેલી વ્યક્તિ જેમ મુકરર સમય સુધી શરીરમાં ગાંધાઈ રહે છે. નામકર્માંના ઉદ્યથી ચિતારાના વિવિધ પ્રકારના ચિત્રાની જેમ વિવિધ પ્રકારના દેહાની રચના થાય છે. ગેાત્રકમ ના ઉદ્દયથી કુંભારનાં નાનાં મોટાં વાસણા જેમ જીવ ઉચ્ચ કે નીય ફૂલ પ્રાપ્ત કરે છે. અંતરાય કના ઉદયથી જેમ ભંડારી (ખજાનચી) દાન દેતાં અને ભિક્ષુકને લેતાં રશકે તેમ દાન લાભાદિમાં બાધા ઊભી થાય છે. ૬૧૩ પ્ર. કર્મના મુખ્ય આઠ ભેદ ખતાવ્યા છે પણ તેના ખીજા કેટલા ભેદ છે ? ઉ. આઠ કર્મીના ૧૪૮ ભેદ છે.
૬૧૪ પ્ર. કના ૧૪૮ ભેદ અથવા પ્રકાર સક્ષિપ્તમાં કહે, . જ્ઞાનાવરણના પાંચ ભેદ; દનાવરણના નવ ભેદ; વેદનીયના બે ભેદ; મેાહનીયના ૨૮ ભેદ; આયુના ચાર ભેદ; નામકર્મના ૯૩ ભેદ, ગાત્ર કમના બે પ્રકાર અને અંતરાયના પાંચ પ્રકાર, જેવાં પરિણામ હાય છે તેવી પ્રકૃતિ બંધાય છે. સાતાવેદનીયની એક પ્રકૃતિ, તિય ચ, મનુષ્ય, દેવ એમ આયુની ત્રણ પ્રકૃતિ, સુભગ, સુસ્વર, યશકીતિ, તીથ કર આદિ નામ કર્મીની ૩૭ પ્રકૃતિ, ઉચ્ચગેાત્રની એક પ્રકૃતિ, એમ ૪ર પુણ્ય પ્રકૃતિ હેાય છે અને બાકીની બધી પાપપ્રકૃતિ હોય છે. (જુએ પ્રશ્ન ૬૪૫)
૩૧૫ પ્ર. કર્માંના ૧૪૮ પ્રકાર ગણાવ્યા તેમાંથી કેટલા પ્રકારે જીવને બંધ
થાય છે ?
જગતમાં રૂડ' દેખાડવા માટે સુમુક્ષુ કંઇ આચરે નહી', પણ રૂડુ` હોય તે જ આચરે.
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૮૦
ઉ. એમાંથી બધને યાગ્ય ૧૨૦ ગણાય છે.
૬૧૬ પ્ર. શું દરેક જીવને ૧૨૦ પ્રકારે બંધ પડે ?
ઉ. ના; જેમ જેમ જીવ ગુણસ્થાનાામાં વધતા જાય તેમ આછા કર્માના બંધ કરે છે. મદ ષાયમાં ધાગ્ય કર્મામાં સ્થિતિ થડી પડે છે અને પુણ્યને અધિક ધ થાય છે તથા તેમાં અનુભાગ અધિક પડે છે.
૬૧૭ પ્ર. દરેક ગુણસ્થાનમાં કેટલા પ્રકારે બુધ પડે તે કહા ? ઉ. (૧) મિથ્યાત્વ ગુણસ્થાનમાં ૧૨૦માંથી ૧૧૭ના બંધ થશે. (૨) સાસાદનમાં ૧૦૧ને બંધ થાય છે. નીચેની ૧૬ના બધ થતા નથી.
(૩) મિશ્રમાં :- ૧૦૧માંથી નીચેની ૨૭ સિવાય ૭૪ના બંધ થાય છે. (૪) અવિરત સમ્યક્ત્વમાં ૭૪માં મનુષ્યાયુ, દેવાયુ, તીથંકર મળીને ૭૭ના બંધ થાય છે. ૪૩ પ્રકૃતિને બંધ થતા નથી. (૫) 'દેશ વિરતમાં ૭૭માં ૧૦ ઓછી ૬૭ના બંધ થાય છે. (૬) પ્રમત્તવિરતમાં ૬૭માં ૪ એછી ૬૩ના બંધ થાય છે. (૭) અપ્રત્તમવિરતમાં ૬૩માં ૬ ટીને અને બે ઉમેરીને પના બુધ થાય છે.
(૮) અપૂર્વકરણમાં ૫૯માંથી દેવાયુ ઘટાડીને પાખંધ થાય છે. (૯) અનિવૃત્તિકરણમાં ૫૮માંથી ૩૬ ટીને ૨૨ના બંધ થાય છે. (૧૦) સૂક્ષ્મ સોંપરાયમાં ૨૨માંથી ૫ જતાં ૧૭ના બંધ થાય છે. (૧૧) ઉપશાંત મેાહમાં ૧૭માંથી ૧૬ જતાં એક સાતાવેદનીયના મધ થાય છે.
(૧૨) ક્ષીણ માહ
(૧૩) સયાગી કંવળી
}
માં પણ સાતાવેદનીયતા બંધ થાય છે.
૬૧૮ પ્ર. આના અર્થ શું એમ થાય કે જે વસ્તુ કરવાથી કે આચરવાથી અજ્ઞાની સંસારી જીવને બંધ પડે તે જ વસ્તુ કરવા કે આચરવાથી સમ્યક્ત્વી જીવ અથવા ઉપલા ગુણસ્થાનકના જીવને બંધ ન પડે ?
શાસ્ત્રાદિકના જ્ઞાનથી નિવેડા નથી પણ અનુભવજ્ઞાનથી નિવેડા છે.
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૮૧
( ઉ. હા; એક અપેક્ષાએ તે ખરું છે. તેથી જ જ્ઞાની, સંત પુરુષના
બાહ્યાચાર ઉપર દૃષ્ટિ રાખી વિક૯પ ન કરવા; તેનું અંતર અને મન ખોલીને જોવું. તેઓ મેટર, વિમાન વગેરેમાં ઉદયાધિન ફરે છે, ઉપવાસ વ્રત આદિ રાખતા નથી તેમ કાઈ સાચા જ્ઞાની પુરુષની ટીકા કરે તે તે જ્ઞાનીને મોટર, વિમાનમાં ફરવાથી તે બંધ ન પડે પણ આમ ટીકા કરનારની શું અધોગતિ થાય તે તે કેવળી જાણે. પ્રમાદ અને ક્યાયમાં જોડાવાથી જ્યાં પ્રાણઘાત કરવામાં આવે છે ત્યાં જ હિંસાને દોષ લાગે છે. જ્યાં તેવું કારણ નથી ત્યાં પ્રાણઘાત હેવા છતાં પણ હિંસાને દોષ લાગતો નથી. જેમ પ્રમાદરહિત મુનિ ગમન કરે છે; વૈદ્ય-દાક્તર રેગીને કરુણુંબુદ્ધિથી ઉપચાર કરે છે, ત્યાં સામે નિમિત્તમાં પ્રાણઘાત થતાં હિંસાને દેષ નથી. જ્ઞાની ઉપયોગમાં રાગાદિ ભાવના ર્તા નહિ હોવાથી કર્મરૂપી રજથી બંધાતા નથી. રાત્રિ દિવસ પરિગ્રહની વચમાં રહે છે પરંતુ રાગદ્વેષ અને મોહ વગર રહે છે તેથી તેમને
નવીન કમેને બંધ થતું નથી અને પૂર્વકર્મની નિર્જરા થાય છે. ૬૧૯ ક. આપણુ આત્મામાં અને અરિહંત ભગવાનના આત્મામાં શું તફાવત છે
ઉ. અરિહંતને ચાર ઘનઘાતી કર્મોને નાશ થયો હોય છે. જ્ઞાનાવરણીય - તથા દર્શનાવરણીય, અંતરાય અને મોહનીય એ ચારે ઘનઘાતી
કર્મ કહેવાય છે. ૬૨૦ પ્ર. એ ચાર ઘનઘાતી કર્મ કેમ કહેવાય છે ? ઉ. તે આત્માના ગુણોને ત્રણ પ્રકારે નાશ કરે છે. તેઓ આત્માના
ગુણેને આવરે છે, અથવા રોધે છે; અથવા વિકી કરે છે. આત્માનાં જ્ઞાન તથા દર્શનને આવરે તે જ્ઞાનાવરણીય તથા દર્શનાવરણીય કર્મ કહેવાય છે. અંતરાય કર્મ ગુણને આવરતું નથી પણ તે આત્મભેગના વીર્યબળને રોકે છે. મેહનીય આત્માના ગુણને મૂચ્છિત
કરે છે, વિકળ કરે છે. આત્માને મૂંઝવનાર તે મેહનીય. ક૨૧ પ્ર. આ કર્મોને ઘનઘાતી કેમ કહે છે ?
ઉ. જેમ સૂર્ય વાદળ (ધન)થી ઢંકાયેલ હોવા છતાં તેમાંથી થોડે
સહજાનંદી શુદ્ધસ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ, |
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૮૨
પ્રકાશ નીકળે અને તેના અસ્તિત્વને ખ્યાલ આવે તેમ આ કર્મો આત્માને ઢાંકી દે છતાં આત્મામાંથી ડાં પ્રકારનાં કિરણો મળી રહે. આત્માના આઠ રૂશ્યક પ્રદેશો તે ગમે તે સ્થિતિમાં અણુ
અવરાયેલા જ હોય છે. તેથી આ કર્મોને ઘનઘાતી કહેલ છે. ૬૨૨ પ્ર. ઘાતિકર્મને એકવાર નાશ થયા પછી બંધાય નહિ ? ઉ, ઘાતિકર્મ બે પ્રકારના છે -દ્રવ્યઘાતિ કર્મ અને ભાવઘાતિ કમ.
તેમાં શુકલ ધ્યાન વડે શુદ્ધ અવસ્થા પ્રગટ થતાં, ભાવઘાતિ કર્મ રૂ૫ અશુદ્ધ પર્યાય ઉત્પન્ન થતા નથી, તે ભાવઘાતિ કર્મને નાશ છે અને તેજ સમયે દ્રવ્યઘાતિ કર્મને સ્વયં અભાવ થાય છે તે દ્રવ્યઘાતિ કર્મને નાશ છે. (પછી કદી પણ અશુદ્ધ પર્યાય થતી નથી.
અને કર્મ બંધાતાં નથી.) ૬૨૩ પ્ર. આપણા આત્મામાં અને સિદ્ધ ભગવંતના આત્મામાં તફાવત
શું છે? ઉ. આપણે આત્મા આઠ કર્મથી આવરાયેલ છે, બંદીખાને પડેલ છે
અને સિદ્ધ ભગવંત કર્મના બંધનથી મુક્ત થયેલા છે. ૬૨૪ પ્ર. સિદ્ધ ભગવંતને અનંત જ્ઞાન છે તે ત્રણ લેકેને જાણે છે અને
આપણને નથી તેનું શું કારણ? ઉ. સિદ્ધ ભગવંતે જ્ઞાનાવરણીય કર્મ ખપાવ્યું છે અને આપણે તે
ખપાવ્યું નથી. આંખમાં જેમ જેવાને ગુણ છે તેમ સર્વ આત્મામાં અનંત જ્ઞાનગુણ રહેલું છે, પરંતુ જેમ આંખે પાટા બાંધેલો હેય. તે કંઈ દેખાતું નથી તેમ આત્માને જ્ઞાનવરણીય કર્મના ઉદયથી, જ્ઞાન પ્રગટ થતું નથી. (જેટલે અંશે જ્ઞાનાવરણીય કર્મને ક્ષયપશમાં
થાય તેટલે અંશે જ્ઞાન થાય છે). ક૨૫ પ્ર. સિદ્ધ ભગવંતને અનંત દર્શન-દેખવાને ગુણ છે તેથી ત્રણ લોકને
જુએ છે અને આપણને તે ગુણ નથી તેનું શું કારણ છે ? ઉ. આપણને દર્શનાવરણીય કર્મ નડે છે અને સિદ્ધ ભગવાને તેને ક્ષય.
કર્યો છે.
આશ્ચર્યકારક તો એ છે કે, કળિકાળે થાડા વખતમાં પરમાર્થને ઘેરી લઈ અનર્થને પરમાર્થ બનાવ્યું છે.
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૮૩
૬૨૬ શ્ર સિદ્ધ ભગવંતને અનતું સુખ છે અને આપણને નથી તેનું શુ
કારણ?
ઉ. આપણને વેદનીય ક` કે જે મધ તથા અફીણું ખરડથા ખડગ સમાન છે તે નડે છે અને સિદ્ધ ભગવ ંતે તે વૈદ્યનીય કમાં ખપાવ્યું છે. ૬૨૭ પ્ર. આપણામાં ક્રેાધ, માન, માયા, લેાભ વગેરે કષાયા છે અને સિદ્ ભગવંતને નથી તેનુ શું કારણ ?
ઉ. આપણે મેાહનીય ક` કે જે મદિરાપાન સમાન બેભાન બનાવનારું છે તેને વશ છીએ અને સિદ્ધ ભગવતે મેાહનીય કમ સથા ખપાવ્યું છે.
૬૨૮ પ્ર. સિદ્ધ ભગવાનને જન્મ, જરા, મરણુ નથી તેનુ શું કારણ? ઉ. સિદ્ધ ભગવાને આયુકતા ક્ષય કર્યો છે.
૬૨૯ પ્ર. આપણે નારકી, તિય થ, મનુષ્ય અને દેવતા એ ચાર ગતિમાં ભટકીએ છીએ અને સિદ્ધ ભગવાન સિદ્ધ શિલાએ સ્થિર છે તેનું શું કારણ ?
ઉ. આપણે નામમાં ખપાવ્યું નથી અને સિદ્ધ ભગવાને નામક ના ક્ષય કરેલે છે.
૬૩૦ પ્ર. આપણે ઊંચનીચ ગાત્રે જન્મ લઈએ છીએ અને સિદ્ધ ભગવંત આત્માના અગુરુલઘુ ગુણને પામ્યા છે તેનું શું કારણ ?
ઉ. આપણે ગાત્ર કર્મને વશ છીએ અને સિદ્ધ ભગવંત તે કખ ધમાંથી મુક્ત થયા છે.
૬૩૧ પ્ર. આપણને ઇચ્છિત કાર્ય અથવા અ સાધવામાં વારંવાર વિઘ્ન નડે છે તેનુ શું કારણ?
ઉ. આપણને અંતરાય કર્મોના બંધ છે તેથી ઈચ્છિત કાર્યમાં ધણી વાર નિષ્ફળતા મળે છે.
૬૩૨ પ્ર. જ્ઞાનાવરણીય કમ એટલે શુ?
ઉ. આત્માને જે નાયક સ્વભાવ છે તેને રાકનારું અને આવરણ લાવનાર કર્મ .
આત્મામાં રમણ કરી રહ્યા છે, એવા નિશ્ યુનિ પણ નિષ્કારણ ભગવાનની ભક્તિમાં પ્રવર્તે છે, કારણ કે ભગવાનના ગુણા એવા જ છે.
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૮૪
૬૩૩ પ્ર. દર્શનાવરણીય કર્મ એટલે શું ?
ઉ. દર્શન એટલે આત્માના દેખવાના ગુણને રોકનારું કર્મ ૬૩૪ પ્ર. દર્શન કેટલાં ?
- ઉ. ચાર; ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવળદર્શન. ૬૩૫ પ્ર. એ ચારે દર્શનની વ્યાખ્યા કહો.
ઉ. ચક્ષુ વડે દેખવું તે ચક્ષુદર્શન, ચક્ષુ વગર બીજી ઈન્દ્રિયથી દેખવું - તે અચક્ષુદર્શન, મર્યાદામાં રહેલાં રૂપી દ્રવ્યને ઈન્દ્રિયેની અપેક્ષા
વિના દેખવા તે અવધિદર્શન, તથા સર્વ પદાર્થને સમય સમય
પ્રત્યક્ષ દેખવા તે કેવળદર્શન. ૬૩૬ પ્ર. વેદનીય કર્મના કેટલા ભેદ છે?
ઉ. બે, સાતવેદનીય અને અસતાવેદનીય. ૬૩૭ ક. સાતાદનીય અને અસતાવેદનીય એટલે શું ? ઉ, સુખને અનુભવ કરાવે તે સાતાદનીય અને દુઃખને અનુભવ
કરાવે તે અસાતા વેદનીય. સુધા, તૃષા એ મેહનીય નહીં પણ
વેદનીય કર્મ છે. ૬૩૮ પ્ર. મેહનીય કર્મના મુખ્ય ભેદ કેટલા ?
ઉ. બે, દશન મેહનીય અને ચારિત્ર મેહનીય. ૬૩૯ પ્ર. દર્શન મેહનીય કર્મ કેને કહેવાય?
ઉ. દર્શન તે સમ્યગુદર્શન (સમકિત) થવા દેવામાં આવે આવનારું કર્મ.
દર્શન મેહ એટલે રૂપ, રસ, ગંધ આદિ પુદગલના ધર્મ છે અને જાણવું, દેખવું, સ્થિર થવું એ જીવન ધર્મ છે, તેમાં ભેદ નહીં રાખતાં તદાકાર થવું તે. દેહમાં વ્યાધિ પીડા થાય ત્યારે મુંઝવણ
આવે છે, ગભરાટ થાય છે, તે દર્શનમેહને લીધે થાય છે. ૬૪. પ્ર. એક મનુષ્યપ્રાણ દિવસને વખતે આત્માના ગુણવડીએ અમુક હદ
સુધી દેખી શકે છે, અને રાત્રિના વખતે અંધારામાં કશું દેખતે નથી. રાત્રે આત્માના ગુણ ઉપર આવરણ આવી જતું હશે ? કે દેખવું એ આત્માને ગુણું નહીં પણ સૂરજ વડીએ દેખાય છે ?
ભગવત્ મુક્તિ આપવામાં કૃપણ નથી, પણ ભક્તિ આપવામાં કૃપણ છે. એ ભગવતને લેભ શા માટે હશે?
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૮૫
. જ્ઞાનાવરણીય તથા દર્શાનાવરણી કર્માંના અમુક ક્ષયાપશમ થવાથી ઈન્દ્રિયલબ્ધિ ઉત્પન્ન થાય છે. સામાન્યપણે મનુષ્યપ્રાણીને પાંચ ઇન્દ્રિયની લબ્ધિના ક્ષયાપશમ હોય છે. તે ક્ષયેાપશમની શક્તિ અમુદ્ધ ન્યાતિ થાય ત્યાં સુધી જાણી દેખી શકે છે. શક્તિની અમુક હદ આવી જાય તે વ્યાહતિ કહેવાય છે. અંધકારથી કે અમુક છેટે વસ્તુ હાવાથી તે પદાર્થ જોવામાં આવી શકે નહીં. કેમ કે ચક્ષુ ઈન્દ્રિયની ક્ષયાપશમલબ્ધિને તે હદે અટકવું થાય છે. અર્થાત્ ક્ષયાપશમની સામાન્યપણે એટલી શક્તિ છે. અંધારામાં ન દેખવુ' તે મંદ દર્શોનાવરણીય કર્મોના કારણે કહેવાયું.
સ્પર્શથી શ્રવણ પ ́ત પાંચે ઇન્દ્રિયની લબ્ધિ મનુષ્યયેાનિમાં આવે ત્યારે હોય છે. પાંચ ઇન્દ્રિયની શક્તિ અધા મનુષ્યને છે, પણ કાઈને એછી અને કાર્યને વધારે હોય છે. પછી જન્મથી આંધળા હોય તેાય એને લબ્ધિ છે, તેથી પંચેન્દ્રિય કહેવાય છે. કાને ન સાંભળે તાય એને લબ્ધિ તા છે. સાધન બગડી ગયું છે એનું કારણ પણ કર્મ છે. જ્ઞાનાવરણીય કર્મ એવું બાંધ્યું હોય તા પછી એને એવી લબ્ધિ જ ન થાય અને ઇન્દ્રિય નામક એવા પ્રકારનુ હોય કે સાધન ખેાડવાળાં થાય કે બગડી જાય, જ્ઞાનાવરણીય જ્ઞાન ગુણ ઉપર આવરણ કરે છે અને નામકર્મ ઈન્દ્રિય ઉપર આવરણ કરે છે. ૬૪૧ પ્ર. ચારિત્ર મેાહનીય કર્મ એટલે શું?
૩. ચારિત્રમાં રહેતાં અટકાવનારૂં કર્યું. જીવને ચારિત્ર પાળવામાં મૂંઝવે તે ચારિત્ર મેાહનીય છે.
૬૪૨ પ્ર. ચારિત્ર એટલે શું ?
ઉ. પેાતાના શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિરતા પ્રાપ્ત કરવી, રાગ દ્વેષ મેાહનાં વિદ્ધાથી રહિત થઈ જવું તે નિશ્ચય સભ્યશ્ચારિત્ર છે જ્યાં સુધી આત્માના અનુભવ ન થાય ત્યાં સુધી નિશ્ચય સભ્યશ્ચારિત્રના ઉય થતા નથી.
૬૪૩ પ્ર. સયમ, નિયમ, વ્રતાદિ તે ચારિત્ર ન કહેવાય ?
ઉ. તે વ્યવહાર ચારિત્ર છે. પેાતાના આત્મામાં રમણ કરવુ` તે નિશ્ચય ચારિત્ર છે. નિશ્ચય ચારિત્ર વિના સાચું વ્યવહાર ચારિત્ર હોઈ શકે
“કર્તા મટે તા છૂટે કર્મ, એ છે મહાભજનના મ”
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૮૬
નહિ. એકાંતે વ્યવહારચારિત્રથી પુણ્ય થાય તે ભલે અને તેથી
બંધ થાય છે, ધર્મ નથી. ૬૪૪ પ્ર. આયુકર્મના મુખ્ય કેટલા ભેદ છે? ઉ. ચાર, નારકીનું આયુષ્ય, તિર્યંચનું આયુષ્ય, મનુષ્યનું આયુષ્ય.
અને દેવતાનું આયુષ્ય. ૬૪૫ પ્ર. નામ કર્મના કેટલા ભેદ છે? ઉ. બે, શુભ નામ અને અશુભ નામ. નામ કર્મની ૯૩ પ્રકૃતિઓમાંથી
યશ કીર્તિ, સુભગ, તીર્થકરપણું વગેરે ૩૭ પુણ્યપ્રકૃતિઓ
જાણવી બાકીની પાપપ્રકૃતિ છે. (જુઓ પ્રશ્ન. ૬૧૪) ૬૪૬ પ્ર. નામ કર્મ કોને કહેવાય ? ઉ. જેના ઉદયથી જીવ અરૂપી હોવા છતાં જુદી જુદી ગતિઓ વિષે
જુદાં જુદાં રૂપ ધારણ કરે તે નામ કર્મ. ૬૪૭ પ્ર. શુભનામ કર્મના ઉદયથા શું થાય ? ઉ. તેના ઉદયથી જીવ ગતિ, જાતિ, શરીર, અંગોપાંગ, રૂ૫, લાવણ્ય,
તથા યશકીતિ વગેરે સારાં પામે. ૬૪૮ પ્ર, ગોત્રકર્મના મુખ્ય કેટલા ભેદ ?
ઉ. બે, ઊંચગોત્ર અને નીચ ગોત્ર. ૬૪૯ પ્ર. ગોત્ર એટલે શું ?
ઉ. કુળ અથવા વંશ. ૬૫. પ્ર. ઊંચગેત્ર કેને કહેવાય ?
ઉ. જાતિ, કુળ, બળ, રૂપ તથા ઐશ્વર્ય વગેરે ઊંચા પ્રકારનાં વખાણવા
યોગ્ય જ્યાં હોય તે ઊંચ ગોત્ર. ૬૫૧ પ્ર. અંતરાય કર્મના કેટલા ભેદ છે? ઉ. પાંચ, દાનાંતરાય, લક્ષાંતરાય, ભેગાંતરાય, ઉપભેગાંતરાય અને
વીર્યા તરાય. ઉપર પ્ર. દાનાંતરાય કર્મ કેને કહેવાય.
અપૂર્વ પિતાથી પોતાને પ્રાપ્ત થવું દુર્લભ છે; જેનાથી પ્રાપ્ત થાય છે, તેનું સ્વરૂપ ઓળખવુ દુર્લભ છે, અને જીવને ભુલવણી પણ એ જ છે.
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૮૭
ઉ, જેના ઉદયથી છવ, છતી સામગ્રીઓ તથા છતા પાત્રને સંગે
દાન આપી શકે નહિ તે દાનાંતરાય. ૬૫૩ પ્ર. લાભાંતરાય કર્મ કેને કહેવાય ? ઉ. જેના ઉદયથી જીવને છતી જોગવાઈએ લાભની પ્રાપ્તિ થાય નહિ.
તેને લાભનંતરાય કર્મ કહીએ. ૬૫૪ પ્ર. ભેગાંતરાય કર્મ કોને કહેવાય? ઉ. ભેગની છતી સામગ્રીએ પણ જીવ જેના ઉદયથી ભેગ (વસ્ત્ર,
આભરણ, સ્ત્રી, ધર વગેરે) ભોગવી શકે નહિ તેને ભેગાંતરાય કમ
જાણવું. ૬પપ પ્ર. ઉપભેગાંતરાય કર્મ કેને કહેવાય ? - ઉ. જીવ જેના ઉદયથી છતી સામગ્રીએ ઉપભેગ (આહાર, તંબેળ, ફળ,
વગેરે) ભોગવી શકે નહિ તે ઉપભેગાંતરાય કર્મ જાણવું. ૬૫૬ પ્ર. વીતરાય કર્મ કોને કહેવાય? ઉ. છતી શક્તિએ અશક્તની પેઠે કાંઈ કરી શકે નહિ તે વીતરાય
કર્મ જાણવું. ૬૫૭ પ્ર. દર્શન મેહનીય કર્મના ભેદ કેટલા ? ઉ. દર્શન મોહિનીય એટલે જે કર્મના આવરણને લીધે જીવને આત્માની
પ્રતીતિ થતી નથી. પોતે કોણ છે એને ખ્યાલ પિતાને થતું નથી. તેના ભેદ ત્રણ છેઃ (૧) મિથ્યાત્વ મોહનીય, (૨) સમ્યફ મિથ્યાત્વ
મોહનીય, (૩) સમ્યક્ત્વ મેહનીય. ૬૫૮ છે. એ ત્રણે મેહનીયનું સ્વરૂપ તથા અંતર શું ? ઉ. મિથ્યાત્વ મેહનીય એટલે ગાઢ દુબુદ્ધિયુક્ત મેહવાળી પ્રકૃતિ,
સત્ય-ન્યાય વસ્તુ સ્વરૂપ જે જે રૂપે છે તેને તે જીવને થાડે પણ યથાતથ્ય ખ્યાલ આવતો નથી ઉલટ તેના વિષે અવળે ખ્યાલ આવે છે. જેમાં ગુણ છે તેને અવગુણવાળું કહે, સફેદ છે તેને કાળું કહે, દુર્ગધ હોય ત્યાં સુગંધ કહે, જેમ કમળાના રોગવાળો બીજાને પીળા દેખે તેમ. હિંસા-યજ્ઞાદિમાં ધર્મ બુદ્ધિ, અચેતન શરીરમાં જીવને પિતાપણું મનાય છે. જડને ચેતન મનાવે; સ્ત્રી શરીરને પવિત્ર
એકથી અનંત છે; અનંત છે તે એક છે.
Page #210
--------------------------------------------------------------------------
________________
સુખકર મનાવે, ધન, વૈભવ, કુળ આદિ પિતાનાં (ચૈતન્યરૂપ જીવન) મનાવે,
સમ્યફ મિથ્યાત્વ (મિશ્ર) મેહનીયનું સ્વરૂપ એ છે કે વીતરાગ માર્ગની રુચિવાળો થાય. હીરા, માણેક, મોતી હોય તેને પરીક્ષક તેની પરીક્ષા કરે, પરંતુ સમ્યક્ત્વ મેહનીય સાથે છે એટલે વીતરાગ માર્ગમાં રુચિ હોય છતાં તેમાં મુંઝાય છે, એટલે સિદ્ધાંતમાં જે બાબત કહી છે તેને મેહનીયને લીધે બરાબર સમજે નહીં. પરીક્ષક હીરાની પરીક્ષા કરે પણ જેટલી કિંમતને જેવું સ્વરૂપ તે પ્રમાણે કરે નહીં, મૂંઝાઈ જાય. મિશ્ર મોહનીય મંદ વિપરીતતા છે તેથી ખોટા ખોટારૂપે માને તેની સાથે સાચાને પણ ખોટારૂપ માને તેવી મિશ્રતા રહે, અથવા સતદેવ-ગુરુ-ધર્મને સાચા માને અને કુદેવગુરુ-ધર્મને પણ સાચા માને.
સમ્યક્ત્વ મેહનીય પ્રકૃતિવાળી વ્યક્તિ સંપૂર્ણ મિથ્યાત્વથી રહિત થતી નથી. સમ્યકત્વ મેહનીયની પ્રકૃતિ, મિથ્યાત્વ મોહનીય અને સમ્યફ મિથ્યાત્વ મોહનીયની મધ્યમાં છે. એટલે મિથ્યાત્વમાં નહીં તેમ સમ્યકૃત્વમાં પણ નહિ. સમ્યકત્વ મેહનીયમાં નહીં જેવી જ વિપરીતતા છે. જેમ કે ૨૪ તીર્થંકર સર્વ શુદ્ધરૂપે સરખા પ્રભાવવાળા હોવા છતાં કઈ એક વધારે હિતકારી છે એમ માની તે પ્રત્યે વિશેષ ભક્તિભાવ કે વિદન વિનાશક વિગેરે વિશેષ પ્રભાવ માની તેમાં બુદ્ધિનું અટકાવી રહેવું વિગેરે મલિનતા ઉત્પન્ન
મિથ્યાત્વ અને મિશ્ર મેહનીય સમ્યફદર્શનને ઘાત કરનારી
છે. સમતિ મોહનીય માત્ર મલિન કરનાર છે. ૬૫૯ પ્ર. મિથ્યાત્વ મેહનીય એ ત્રણે પ્રકૃતિ ક્યાં ક્યાં હોય? ઉ. મિથ્યાત્વ મેહનીય પહેલા જીવ સ્થાનકે હાય, મિશ્ર મોહનીય ત્રીજા
જીવ સ્થાનકે હેાય, સમ્યકત્વ મોહનીય ચેય જીવ સ્થાનકે હાય,
ઉપરાંત પાંચમ, છઠ્ઠા ને સાતમા, જીવ સ્થાનકે હેય. ૬૦ ક. એ ચારે જીવ સ્થાનકે એ પ્રકૃતિમાં તફાવત હોય છે?
જેમ નિસ્પૃહતા બળવાન તેમ ધ્યાન વિશેષ બળવાનપણે થઈ શકે છે,
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૮૯
ઉ. સરખી હોય છે અને તફાવત પણ હોય છે. ૬૬૧ પ્ર. એમ કેવી રીતે હોય ? ઉ, જીવ વીતરાગનાં વચને સઈહે છે પણ કેટલાક સામાન્યપણે સર્દક
અને કેટલાકે વિશેષ વિચારતાં વિચરે છે, તે જેમ ક્ષય પશમ પુરુષાર્થ-વિચાર વધારે તેમ સમ્યક્ત્વ મોહનીય પ્રકૃતિમાં સમ્યક્ત્વ સારું હોય અને મોહનીય તત્વ ઓછું હોય, જેમ જેમ સમ્યક્ત્વની નિર્મળતા થાય તેમ તેમ વીતરાગ સ્વરૂપ વિચાર, ઉપદેશ વગેરે
વગેરે ઉપર બહુ ભાવ આવે છે. ૬૬૨ પ્ર. ચારિત્ર મોહનીયની કઈ કઈ પ્રકૃતિઓ છે ? ઉ. તેની પ્રકૃતિએ ૨૫ છે, પણ તેમાં મુખ્યત્વે બે ભેદ છે. (૧) કષાય મેહનીય, (૨) નેકષાય મેહનીય. પહેલાની ૧૬ પ્રકૃતિ
અને બીજીની ૯ પ્રકૃતિ છે. પહેલાને કષાય ગુણ છે, બીજાને
કષાય ગુણ નથી પણ કષાય તે પ્રકૃતિથી થાય છે. ૬૬૩ પ્ર. કષાય કોને કહે છે? ઉ, કષ સંસાર; આય લાભ. જેનાથી સંસારલાભ થાય તે કષાય.
વળી કષાય એટલે જે આત્માને દુઃખ આપે, ગુણના વિકાસને રોકે તથા પરતંત્ર કરે તે. મિથ્યાત્વ અને ક્રોધ-માન-માયા-ભરૂ૫. આત્માની વિભાવ પરિણતિને કષાય કહે છે તેના ૨૫ ભેદ છે.
(જુઓ પ્રશ્ન ૬૯૮) ૬૬૪ પ્ર. ત્યારે તે કેવી રીતે અને કેમ છે? ઉ, કષાય-ક્રોધ, માન, માયા, લેભ આ ચાર પ્રકૃતિઓ જીવને સંસારમાં
ખેંચી રાખે છે. સાંકળથી બંધાયેલ મનુષ્ય જેમ છૂટી શકે નહીં તેમ જીવ એ ચાર કષાયથી બંધાઈ રહે છે. એ ચાર કષાય ચાર પ્રકારે છે (૧) ઘણો ગાઢ, (૨) ગાઢ, (૩) મંદ, (૪) મંદતર. પહેલા પ્રકારના ચાર કષાય અનંત ભવને બંધ કરાવે છે, બીજા ચાર કષાય વ્રત–પ્રત્યાખ્યાન આવવા દે નહીં, ત્રીજ ચાર કષાય પ્રત્યાખ્યાન થવા દે, પણ ચેડા થવા દે. ચેથા ચાર કષાય વ્રત પ્રત્યાખ્યાન પૂર્ણરૂપે થવા દે. નવ નેકષાય એટલે નહી જેવા કષાય.
હોય તેહને નાશ નહિ, નહીં તેહ નહિ હોય; એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોય,
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૯૦
૬૫ પ્ર. ચારિત્રમેહ શબ્દથી રાગ દ્વેષનું સૂચન થાય છે તે કેવી રીતે ? ઉ. કષાયમાં ઝેધ, માન એ બે ઠેષના અંશ છે અને માયા, લાભ
એ બે રાગના અંશ છે. નેક્ષામાં સ્ત્રી વેદ, પુરુષવેદ અને નપુંસક વેદ એ-ત્રણ વેદ તથા હાસ્ય અને રતિ એ બે, (એમ પાંચ નેકષાયો) રાગના અંશ છે. અરતિ અને શેક-એ બે તથા ભય
અને જુગુપ્સાએ બે (એમ ચાર નેકષયે) દૈષના અંશ છે. ૬૬૬ પ્ર. જીવ ચોથા જીવ સ્થાનકે તો પછી કેમ નથી આવતું ? ઉ, અંનતભવ કરાવનાર પહેલી ચેકડી કષાય હોવાથી જીવ વીતરાગ
માર્ગને ઓળખી શકે નહીં. ૬૬૭ ક. એ એને ગુણ છે ? ઉ. એ કષાય એટલો જોરદાર છે કે જીવને સંસારમાં રાખવા ઘણી
મદદ કરે છે. એ કષાયથી સંસાર ઘણે જ પ્રિય લાગે છે. તે જીવને ગાઢ મેહ હોય છે. જીવ પરલોકગામી . જીવ છવભાવે
અવિનશ્વર છે. આ કષાયથી સમજાતું નથી. ૬૬૮ પ્ર. એ વાત તે મિથ્યાત્વ સ્વભાવની છે. કષાયને કેમ લાગે વળગે ? ઉ. કષાય ચેકડીનું જોર વધારે હોવાથી મિથ્યાત્વાદિ મોહ જોરદાર
થાય છે. અનંતાનુબંધી કષાય શિથિલ થાય તો જ મિથ્યાત્વ
મેહનીય પ્રકૃતિ ઢીલી પડે. ૬૬૯ છે. કેટલી પ્રકૃતિને ક્ષયોપશમ થાય તો જીવ ચોથા જીવ સ્થાનકે આવે ? ઉ. અનંતાનુબંધી ચાર અને મિથ્યાત્વ મેહનીય ત્રણ, એ સાત સાથે
રહે છે તેને ભેદ થાય એવું આવડે તે જીવ ચોથા જીવ સ્થાનકે આવે. ક૭૦ પ્ર. પહેલાં કેધાદિ કષાયથી નિવૃત્ત થયા હોય અને પછી જ ભેદજ્ઞાન
થાય અને ચોથા ગુણસ્થાને પહોંચે તે ક્રમ બરાબર છે ને ? ઉ. આ વાત બિલકુલ અસંભવ-મિશ્યા છે. જે સમયે સમ્યજ્ઞાન
પ્રગટ થાય છે તે સમયે કેધાદિની નિવૃત્તિ થાય છે. બંનેને સમકાળ છે. પ્રથમ-પશ્ચાત (આગળ પાછળ) છે જ નહીં. અવિનાભાવી રૂપથી એક સાથે છે. ઉપયોગ પરમાં એકાકાર છે, તેમાંથી ખસીને
જે સમયને બરબાદ કરે છે તેને સમય બરબાદ કરી નાખે છે.
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૯૧
પિતાને સ્વભાવમાં ઉપયોગની રૂચિ અને એકાગ્રતા થતાં જ કેધાદિ આશ્રવ નિવૃત્ત થાય છે અર્થાત સમ્યકજ્ઞાન પ્રગટ થતાં જ અજ્ઞાનથી
જે કર્મબંધ થતું હતું તે અટકી જાય છે. ૬૭૧ પ્ર. એ સાતને ક્ષયોપશમ, ઉપશમ કે ક્ષય ? ઉ. ચેથાથી સાતમા જીવ સ્થાનક સુધી માત્ર એક જ ક્ષયોપશમ
પદ્ધતિ છે; નહિ કે ત્રણ કારણ જીવ ત્યાં સુધી ક્ષયોપશમના લીધે અનેક વખત આવે છે. એટલા સ્થાનકમાં પુનઃ પુનઃ જીવ આવ-જા
કરે છે ને તે પણ અનેક વખત થાય છે. ૬૭૨ પ્ર. તે પછી ક્ષાયક અને ઉપશમમાર્ગ ત્યાં નથી તે કયાં છે ? ઉ. એ બે માર્ગ તદ્દન આઠમાથી શરૂ થાય છે ને તે માર્ગમાં જીવ બહુ
વખત આવતો નથી. ક૭૩ પ્ર. કષાયને ચાર પ્રકારે કહ્યા છે તે તે કેવા ચડ-ઉત્તર રૂપે કહ્યા છે? ઉ. પહેલા કષાય ચાર છે. તેને અનંતાનુબંધી કહે છે. તે ઘણે ગાઢ
છે. એ ફોધ છવ કરે તે એ ક્રોધ કઈ રીતે શમતે નથી. જેમ કઈ પહાડ ફાટે ને તે જેમ ભેગે થતું નથી તેમ આ ધ રહે છે. બીજે કેધ ગાઢ એટલે અપ્રત્યાખ્યાનીય (પ્રત્યાખ્યાન આવવા દે નહીં) છે. તે તળાવમાં ફાટ પડથા સમાન છે. એ ફટ બાર માસે પડે છે. ત્રીજે ક્રોધ તેનાં કરતા મંદ એટલે પ્રત્યાખ્યાનવરણીય (પ્રત્યાખ્યાન પૂર્ણ થવા ને આપે) છે. આ ક્રોધ રેતીમાં લીટી કરવા બરાબર છે, એ લીટી પવન થતાં ભૂંસાય છે. બીજા કરતાં એ ક્રોધ એ છે વખત (ચાર માસ લગભગ) રહે છે. ક્રોધ તે કરતાં પણ મંદ સંજવલન કહેવાય છે. ઘાસના ભડકાની માફક જેમ એકદમ ભડકે થાય છે ને ઓલવાઈ જાય છે તેની માફક થડા વખતમાં શાંત થઈ જાય છે અથવા પાણીમાં લીટી સમાન
હોય છે. એની સ્થિતિ પંદર દિવસની હોય છે. ક૭૪ પ્ર. માન, માયા ને લેભ પણ એ પ્રકારે ચડતા ઉતરતા છે કે કેમ? ઉ. હા, એ જ પ્રમાણે જેમ ચાર જાતના કોંધ કહ્યા તેમ જ માન,
માયા અને લેભ એ જાતિ પ્રમાણે સ્વભાવમાં હોય છે. પહેલું
ઉપજે મેહવિકલપથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહીં વાર,
Page #214
--------------------------------------------------------------------------
________________
માન પથ્થરના સ્તંભ સમાન છે. પથ્થર ભાંગે પણ નમે નહીં. બીજુ માન અસ્થિ-હાડકાના સ્તંભ સમાન છે. ત્રીજું માન કાષ્ટના સ્તંભ તુલ્ય છે અને ચોથું માન નેત્ર–નેતરના સ્તંભ સમાન છે.
પહેલી માયા, વાંસના મૂળ જેમ ઊંડા તેમ ઊંડી હોય છે. બીજી માયા ઘેટાના શિંગડા જેવી ઊંડી, ત્રીજી માયા બળદના મૂતર જેવી અને ચોથી માયા વાંસની છેઈ જેવી હોય છે.
પહેલે લેભ-કૃમિ રાગ જે જાય નહીં, બીજે લેભવરસાદના કાદવ જે, ત્રીજો લેભ ગાડાનાં ઉજણ જે, ચે.
લેભ-હળદરને રંગ જે. ૬૭૫ પ્ર. અનંતાનુબંધી કષાય (ચેકડી) મરતાં સુધી રહે છે તે જીવ
સમ્યક્ત્વ કેમ પામે ? ઉ. એ ચાર કષાયને વિજય કર ઘણું જ કઠિન છે. એ ચોકડી
ભેદાય એટલે જેમ કોઈ કિટલે દઢ ને કઠિન હોય છે પણ છિન્નભિન્ન થતાં નગરમાં કોઈ પણ પેસી શકે છે, તેમ જીવને મહાભાગ્યે પુરુષાર્થની પ્રાપ્તિ થાય તે એ કષાય ચોકડી ઢીલી થઈ જાય છે,
તે વખતે મિથ્યાત્વ મોહનીય વગેરે ત્રણે ઢીલી પડે છે. નહિ તે નહિ. ૬૭૬ પ્ર. ઢીલી એટલે શું અને ઉપશમ–લાયક એટલે શું એ જરા સ્પષ્ટ
રીતે સમજાવો ? ઉ. પ્રકૃતિ ઢીલી, છિન્ન-ભિન્ન અથવા ભેદ વગેરે ક્ષયપશમ શબ્દના
પર્યા છે. પ્રકૃતિને ઉપશમ એટલે અદશ્ય હાય પણું ગુપ્ત હોય, દેખાય નહીં. ક્ષેપક કે ક્ષાયકને અર્થ તે પ્રકૃતિને સર્વથા નાશ, એટલે જે જીવ ચેથા છવસ્થાનકે પહેચે છે તે જીવ એ સાત પ્રકૃતિને ક્ષયોપશમ એટલે શિથિલ કરે છે પણ અદશ્ય (ઉપશમ) કે નાશ કરતા નથી. જો તેમ કરે તે એ પ્રકૃતિ જીવને તે સ્થાનકે ફરી ઉદય આવે નહીં; પરંતુ આ જગ્યાએ એ પ્રકૃતિ આવે છે
ને જાય છે પણ સમ્યક્ત્વ પામી શકે છે, ૬૭૭ પ્ર. ઘણા જીવો શું સમ્યકત્વથી ખસી ગયા નથી ?
અને જે ગયું તે
જે મારું હોય તે જાય નહી મારુ હેય નહી.
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૯૩
ઉ. અલબત્ત ઘણા છે સમ્યક્ત્વથી ખસ્યા છે. ૬૭૮ પ્ર. તે એ ખસવાનું કારણ શું ? ઉ. એ અનંતાનુબંધીચેકડી અને અજ્ઞાનની પ્રબળતાથી જીવ સમ્યકૃત્વ
(વિતરાગ માર્ગની રુચિ)થી ખસી જાય છે કારણ કે જેને જગતની મહત્તા, સૌંદર્ય, દંભ વગેરે જોઈ અનેક વિકલ્પો અને આકાંક્ષાઓ થાય છે ને વિતરાગ દર્શનની સત્યતા તેને ભાસતી નથી.
ચારિત્ર મેહનીયને આવેશ આવતાં જ ચારિત્રથી ખસી ગયા છે. કેટલાકને ક્રોધ, લોભ, વગેરેમાં ઝનૂન આવે છે. કેટલાકને વિષય -મોહને અંગાર ઉદ્ભવે છે, જેને જીવ થડે પણ દબાવી શકતો નથી, અર્થાત જીવો મોહની પ્રબળતા વધતાં ચારિત્રથી ખસે છેને
એ ચરિત્ર વિચાર વીતરાગ દર્શનને વગોવે છે. ૬૭૯ પ્ર. વર્તમાનકાળે ચોથું, પાંચમું અને છ છવસ્થાનક હશે કે ? ઉ. આ કાળે આ ક્ષેત્રમાં છવો છઠ્ઠા સુધી છે. કદાચ વખતે સાતમું
હોય તે હેય. આગમ કહે છે કે, દર્શન શ્રાવક, વ્રતધારી શ્રાવક
ને સર્વ વ્રતધારી સાધુઓ પાંચમા આરામાં છે. ૬૮૦ પ્ર. તત્વચર્ચા-સ્વાધ્યાયમાં રહેનાર સ્વાર્થસિદ્ધિના દેવો કરતાં પાંચમા.
ગુણસ્થાનવાળા પશુને શાંતિ વિશેષ હોય છે તેમ કહેવાય છે તે.
શું બરાબર છે ? ઉ. પાંચમા ગુણસ્થાનવાળા પશુને બે કષાય (અનંતાનુબંધી અને
અપ્રત્યાખ્યાનીય)ને અભાવ હોવાથી ચોથા ગુણસ્થાનવાળા દેવ કરતાં શાંતિ (આનંદ, ઉલ્લાસ) વિશેષ હોય છે. ચેથાવાળા દેવ શુભમાં હોય છતાં શાંતિ ઓછી છે અને પાંચમાવાળા પશુ કે. મનુષ્ય અશુભમાં હોય છતાં તેને શાંતિ વિશેષ છે. (સર્વાર્થસિદ્ધિના
દેવે ચેથા ગુણસ્થાને જ હોય છે.) ૬૮૧ પ્ર. આ વર્તમાન કાળે આમ શિથિલતા અને મંદતા છે તે ગયા કાળે
પણ તેમ હતું શું ? ઉ. ગયા કાળે પ્રમાદ, મેહ વગેરે હતા પરંતુ જીવો સુપાત્ર હોવાથી
બીજાની ભૂલ માફ કરવી સહેલી છે, પરંતુ આપણું || ભૂલ કાઢનારાઓને માફ કરવા મુશ્કેલ છે, ૧૩
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૦૪
પિતાની શિથિલતા જાણું પોતાને બીજા સારા કરતાં જુદા પાડતા,
જ્યારે હાલના કાળે તેમ બનતું નથી. અર્થાત પોતે સ્વછંદી અને શિથિલ હોવા છતાં બીજાની ઉપર પિતાની અધિકતા બતાવે છે,
એ છે આ કાળની મહત્તા. ૬૮૨ પ્ર. જીવ જોરદાર છે કે કર્મ જોરદાર છે ?
ઉ, જીવ જોરદાર છે પણ કર્મ તેવા નથી. ફ૮૩ પ્ર. લેકે કહે છે કે ફળ તે ઈશ્વર આધિન છે અને પુરુષાર્થ જીવ
આધિન છે. તે શું તે બરાબર છે ? છે. તે બેટી માન્યતા છે. ઈશ્વર જેવી કેાઈ ત્રાહિત શક્તિ નથી, તેમ ઇશ્વર ફળદાતા નથી..
ર્તા ઈશ્વર કેઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ; અથવા પ્રેરક તે ગયે, ઈશ્વર દેષ પ્રભાવ.” “ફળ દાતા ઈશ્વરતણી, એમાં નથી જરૂર; કર્મ સ્વભાવે પરિણમે, થાય ભેગથી દૂર.”
જીભ જુઓ નરમાશથી, રહી છે વચ્ચે દાંત; કેાધ કરે કારમી, માર ખાય ધરી ખાંત,
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૦
કબંધ અને કર્મ ફળ
૬૮૪ પ્રકર્મબંધનાં કારણેા ક્યાં ?
૩. મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યાગ એ પાંચ કર્મીબંધનાં કારણેા છે. (જુઓ પ્રશ્ન પપ) કાઈ ઠેકાણે પ્રમાદ સિવાય ચાર કારણ દર્શાવ્યાં હેાય છે. ત્યાં મિથ્યાત્વ, અવિરિત અને ફ્લાયમાં પ્રમાદને અંતભૂત કર્યો હોય છે. મિથ્યાત્વ એટલે યથાર્થ ન સમજાય તે. મિથ્યાત્વથી વિરતિપણું ન થાય, વિરતિને અભાવે કષાય થાય, કષાયથી ચેાગનુ ચલાયમાનપણું થાય છે. યાગનુ ચલાયમાનપણું તે આશ્રવ, અને તેથી ઉલટું તે સંવર આત્મપરિણામની કંઈપણુ ચપળ પરિણતિ થવી તેને તીય કર કમ્” કહે છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યાગને દૂર કરવાના ક્રમ એવા છે કે પહેલાં મિથ્યાત્વ દૂર થાય છે, તેના પછી ક્રમશઃ અવિરતિ, પ્રમાદ, કષાય તથા યાગ દૂર થાય છે. મિથ્યાત્વથી માંડી યાગ સુધીના પાંચે હેતુએમાં જ્યારે પૂર્વ પૂર્વના બહેતુ હોય ત્યારે તેના પછીના બધા તા હેાય છે જ; જેમ કે, મિથ્યાત્વ હોય ત્યારે અવિરતિ આદિ ચાર, અને અવિરતિ હોય ત્યારે પ્રમાદ આદિ ત્રણ હોય. પણ જ્યારે પછીના હોય ત્યારે આગલે! હેતુ હોય અને ન પણ હોય, જેમકે, અવિરતિ હોય ત્યાં પહેલે ગુણસ્થાને મિથ્યાત્વ હાય, પરતુ ખીજે, ત્રીજે, ચેાથે ગુણસ્થાને અવિરતિ હોવા છતાં મિથ્યાત્વ નથી હોતું; એ રીતે ખીન્ન વિષે પણ ઘટાવી લેવું. 'સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મેાક્ષમામાં આ પાંચે બધનાં કારણેાના અભાવ અવશ્ય આવી જાય છે. જેવી રીતે સમ્યક્દર્શન-જ્ઞાનમાં તા મિથ્યાત્વના અભાવ છે અને સમ્યક્ચારિત્રમાં અવિરતિ, પ્રમાદ, ફ્લાય તથા યાગના અભાવ છે. આ પ્રમાણે બંધનાં પાંચે કારણાના અભાવરૂપ મેાક્ષમાર્ગ છે.
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૬
૬૮૫ પ્ર. યોગ એટલે શું ? ઉ. વેગ એટલે આત્મા અને ક્રિયાનું જોડાણ. આત્માનું મન સાથે
જોડાણ તે મનેયોગ એટલે વિચાર. આત્માનું વચન સાથે જોડાણ તે વચનયોગ એટલે વાણી અને આત્માનું કાયા સાથે જોડાણ તે કાયા વેગ એટલે વર્તન. એગ એટલે માનસિક, વાચિક અને કાયિક પ્રવૃત્તિ. મન, વચન, કાયાના નિમિત્તથી આત્માના પ્રદેશ સકંપ થાય અને કર્મોનું ખેંચાણ થાય, તેને યોગ કહે છે. પંદર.
પ્રકારના એવા યોગ છે. એક સમયમાં એક યોગ હોય છે. ૬૮૬ પ્ર. યેગના મુખ્ય ભેદ કહે.
ઉ. મન, વચન, કાયા. ૬૮૭ પ્ર. યોગના પંદર પ્રકાર કહે. ઉ. ચાર મનેયોગ : ૧. સત્ય મનગ, ૨. અસત્ય મનગ, ૩. મિશ્ર
મનગ, ૪. વ્યવહાર મનોગ. ચાર વચનયોગ : ૧. સત્ય વચનયોગ, ૩. અસત્ય વચનોગ, ૩. મિશ્ર વચનોગ, ૪. વ્યવહાર વચનગ. સાત કાયા વેગ : 1. દારિક કાયા યોગ, ૨, ઔદારિક મિશ્રા કાયા ગ, ૩. વક્રિયિક કાયા ગ, ૪. વક્રિયિક મિશ્ર કાયા યોગ, ૫. આહારક કાયા ગ, . આહારક મિશ્ર કાયા યોગ, ૭. કાશ્મણ
કાયા ગ (૪+૪+૭=૧૫). ૬૮૮ છે. આજકાલ બધા “ગ” કરવાની વાતો કરે છે અને તે માટે તેના
વર્ગમાં જોડાય છે તે મને મુખ્ય અર્થ શું છે ? ઉ. મોક્ષ સાથે જોડાણ તે યુગ. આત્માની વૃત્તિ આત્મામાં શુદ્ધ.
આત્મસ્વભાવમાં જોડાય તે યોગ. તે જોડનાર આત્માથીઓ તે યોગીઓ. જે વીતરાગને પુણ્ય અને પાપ બંને ફળ આપ્યા વગર
અવિપાક નિર્જરારૂપે ખરી જાય છે તે યેગી કહેવાય છે. ૬૮૯ પ્ર. વેદ કયા અને કેટલા ?
ઉ. ત્રણ, સ્ત્રીવેદ, પુવેદ, નપુંસકવેદ જેનાથી ક્રમથી પુરુષગ, સ્ત્રીભેગ, | કે ઉભયભેગની ઈચ્છા થાય છે.
સમકિતદષ્ટિ જીવડે, કરે કુટુંબ પ્રતિપાળ; અંતરથી ત્યારે રહે, જિમ વાવ ખિલાવત બાળ
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૯૭
૬૯૦ પ્ર. વિરતિ” તથા “અવિરતિના અર્થ શું? તે કેટલા પ્રકારે છે ? ઉ. “વિરતિ” એટલે “મુકાવુ”, અથવા રતિથી વિરુદ્ધ, એટલે રતિ નહિ તે. અવિરતિમાં ત્રણ શબ્દના સબંધ છે. અ+વિ+રતિ=અ= નહીં+વિ=વિરુદ્ધ+રતિ પ્રીતિ, એટલે પ્રીતિ વિરુદ્ધ નહિ તે “અવિરતિ” છે. તે અવિરતિષ્ણુ ભાર પ્રકારનુ છે.
મિથ્યાત્વની હાજરી હોય ત્યાં સુધી અવિરતિપણું નિમૂ ળ થતું નથી, એટલે જતું નથી, પરંતુ જો મિથ્યાત્વપણુ ખસે તે અવિરતિપણાને જવું જ જોઇએ એ નિઃસ ંદેહ છે.
બાહ્ય જો વિરતિપણું આદરવામાં ન આવ્યું હોય તા પણ જો અભ્યંતર છે તા સહેજે બહાર આવે છે.
૬૯૧ પ્ર. અવિરતિભાવના બાર ભેદ બતાવેા.
ઉ. પાંચ ઈન્દ્રિય અને મનને વશ ન રાખવુ, તથા પૃથ્વી આદેિ છ કાય જીવાની રક્ષાના ભાવ ન કરવા, એમ બાર પ્રકારના અવિરતિ ભાવ છે. અથવા હિંસા, અસત્ય, ચારી, કુશીલ અને પરિગ્રહ એ પાંચ પાપ અવિરતિ ભાવ છે.
૬૯૨ પ્ર. પાંચ સ્થાવરકાય અને છઠ્ઠી ત્રસકાય મળી જીવરાશિની વિરતિ થઇ, પર ંતુ જીવરાશિ અથવા જડ વસ્તુ પ્રત્યે જે પ્રીતિ છે તેનુ નિવૃત્તિપણું ઉપરના બાર પ્રકારની અવિરતિમાં આવતુ નથી તે
કેમ ?
ઉ. પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મનથી જે વિરતિ કરવી છે તેનું જે વિરતિપણું છે તેમાં અજીવરાશિની વિરતિ આવી જાય છે.
અને તે પદાર્થ ની
પદાર્થ જ્યાં સુધી
તા તે જીવને તે
૨૯૩ પ્ર. કાઈ જીવ કંઈ પદાર્થ યેાજી મરણ પામે, ચેજના એવા પ્રકારની હાય કે તે યાજેલા રહે, ત્યાં સુધી તેનાથી પાપક્રિયા થયા કરે, પાપક્રિયાના બંધ ચાલુ રહે અને કેટલા ભવ સુધી રહે ? ઉ. તે જીવને અવિરતપણાની પાપક્રિયા ચાલી આવે છે; જો કે ખીજો પર્યાય ધારણ કર્યાથી અગાઉના પર્યાય સમયે જે જે પદાર્થની યેાજના કરેલી છે તેની તેને ખબર નથી તે! પણ, તથા હાલના
કષ્ટ કરો સજમ ધરા, ગાળા નિજ દૈહુ; જ્ઞાનદશા વિષ્ણુ જીવને, નહિ દુ:ખને
છેતુ.
Page #220
--------------------------------------------------------------------------
________________
૧૯૮
પર્યાયને સમયે તે જીવ તે યેાજેલા પદાર્થની ક્રિયા કરતા નથી તા. પણ, જ્યાં સુધી તેના મેાહભાવ વિરતિપણાને નથી પામ્યા ત્યાં સુધી, અવ્યક્તપણે તેની ક્રિયા ચાલી આવે છે. હાલના પર્યાયના સમયે તેના અજાણપણાના લાભ તેને મળી શકતા નથી. તે ચેલા પદાર્થથી અન્યક્તપણે થતી (લાગતી) ક્રિયાથી મુક્ત થવું હોય તા મેહભાવને મૂકવેા, મેહ મૂકવાથી એટલે વિરતિપણું કરવાથી પાપયિા બંધ થાય છે. ત વિરતિપણુ તે જ પર્યાયને વિષે આદરવામાં આવે, એટલે યેાજેલા પદાર્થના જ ભવને વિષે આદરવામાં આવે તે તે પાપક્રિયા જ્યારથી વિરતિપણુ આદરે ત્યારથી આવતી બંધ થાય છે. અહીં જે પાપક્રિયા લાગે છે તે ચારિત્રમે હનીયના કારણથી આવે છે. ઇચ્છા વગર જે કાર્ય થાય તે ક બન્ધનું કારણ નથી. અભિપ્રાયથી (ઈચ્છાથી) કર્તા થઇને કાર્ય કરે અને જ્ઞાતા રહે તે તા બની શકે નહીં. સાક્ષી (જ્ઞાતા) રહે અને શાંતિનુ વેદન ન હોય તેમ બને નહીં અને શાંતિનુ વેદન હાય અને સાક્ષી (જ્ઞાતા)ભાવ ન હેાય તેમ પણ બને નહી.
૬૯૪ પ્ર.
અનંતાનુ ધી” કષાય કાને કહે છે ? તે શાથી સભવે છે ? ૩. જે કષાય પરિણામથી અનંત સંસારના સંબંધ થાય તે ક્યાય પરિણામને “અન તાનુબંધી” સંજ્ઞા કહી છે. જે કાયમાં તન્મયપણે અપ્રશસ્ત (માઠા) ભાવે તીવ્રોપણે આત્માની પ્રવૃત્તિ છે, ત્યાં
અને તાનુખ ધી”ના સંભવ છે. બહારથી જે બહુ ક્રેધ દેખાય, તે અન તાનુબ ધી, એમ નથી. મેાક્ષમાર્ગનાં કારણેા પ્રત્યે ક્રોધાદિક કરવા તે અનંતાનુબ ંધી કષાય છે. વીતરાગ પ્રત્યે ક્રોધાદિ તે અન તાનુબંધી છે. સદેવ, સદ્ગુરુ અને સદ્ધર્મના દ્રોહ, અવજ્ઞા તથા વિમુખભાવ, તેમજ અસદ્ધ ના આગ્રહ આદિ પ્રવૃત્તિથી પ્રવતતાં “અનંતાનુબંધી” કષાય સંભવે છે. તેમજ “હું સમજું છું,” “મને બાધ નથી.” એવા ને એવા બેંકમમાં રહે, અને મિથ્યા જ્ઞાનથી જ્ઞાનશા માની ભાગાદિકમાં પ્રવર્તીના કરે ત્યાં પણ “અન તાનુબંધી” સંભવે છે. જ્ઞાયક સ્વભાવ (આત્મા) ન રુચે, ન
ટ્રુએ નહિ કછુ ઔર જબ, તબ દેખે નિજ રૂપ
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૯
ગેડે, ચૈતન્ય સ્વભાવને અણગમો તે અનંતાનુબંધી ક્રોધ છે. પર પદાર્થ પ્રત્યે અહં બુદ્ધિ તે અનંતાનુબંધી માને છે. વસ્તુને સ્વભાવ જેમ છે તેમ નહીં માનતાં બીજી રીતે ખતવે તે અનંતા નુબંધી માયા છે. સ્વભાવની ભાવના ચૂકીને વિકારભાવની ઈચ્છા, કરવી તે અનંતાનુબંધી લેભ છે શુભાશુભ પરિણામમાં જ સંતોષ
માનવે તેનું નામ અનંતાનુબંધી લેભ છે. ૬૯૫ પ્ર. કષાયાદિ ભાવ જ્ઞાન થયે નિર્મૂળ થાય કે તે માળાં પડે જ્ઞાન
ઉત્પન્ન થાય ? ઘણે સ્થળે વિચારવાન પુરુષોએ એમ કહ્યું છે કે જ્ઞાન થયે કામ, ક્રોધ, તૃષ્ણાદિ ભાવ નિમેળ થાય તે સત્ય છે, તથાપિ તે વચનેને એ પરમાર્થ નથી કે જ્ઞાન થયા પ્રથમ તે મોળાં ન પડે કે ઓછાં ન થાય. મૂળ સહિત છે તે જ્ઞાન કરીને થાય. પણ કષાયાદિનું મોળાપણું કે ઓછીપણું ન થાય ત્યાં સુધી જ્ઞાન ઘણું કરીને ઉત્પન જ ન થાય. જ્ઞાન પ્રાપ્ત થવામાં વિચાર મુખ્ય સાધન છે; અને તે વિચારને વૈરાગ્ય (ભેગ પ્રત્યે અનાસક્તિ) તથા ઉપશમ (ષાયા નુિં ઘણું જ મંદપણું, તે પ્રત્યે વિશેષ ખેદ) બે મુખ્ય આધાર છે. પુરુષના વચનના યથાર્થ ગ્રહણ વિના વિચાર ઘણું કરીને ઉદ્દભવ થતો નથી અને પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ તેમની અનન્ય આશ્રયભક્તિ', પરિણામ પામ્યથી થાય છે. ભલે બહારથી ક્રોધી ન દેખાય અને મંદકષાય હાય પણ જ્યાં સુધી વસ્તુસ્વરૂપનું ભાન નથી ત્યાં સુધી સમતાને અંશ પણ નથી. પ્રત્યેક તત્ત્વ સ્વતંત્ર છે, કઈ કાઇને આધીન નથી. મારો સ્વભાવ તે માત્ર જાણવાનું છે, આ પ્રકારે વસ્તુ–સ્વાતંત્ર્યને જાણ પિતાના જ્ઞાનસ્વભાવને આદર કરે તે જ સાચે સમતાભાવ છે. (અને તેનાથી
કષાયાદિ નિર્મળ થાય છે.) ૬૯૬ પ્ર. કષાયને એકદમ ત્યાગ કરવા ધારે તે જીવ ત્યાગ કરી શકે કે તેને
ક્રમે કરી ત્યાગ કરવો જોઈએ ? ઉ. જે જીવને મેહનીય કર્મરૂપી કષાયને ત્યાગ કરવો હોય, તે તેને એકદમ ત્યાગ કરવા ધારશે ત્યારે કરી શકાશે તેવો વિશ્વાસ ઉપર પાની બાઢે નાવમેં, ઘરમેં બાદે દામ; દોનો હાથ ઉલેચીયે. યહી શયાને કામ
Page #222
--------------------------------------------------------------------------
________________
૨૦૦
રહી તેનેા ક્રમે ત્યાગ કરવાના અભ્યાસ નથી કરતા, તે એકદમ ત્યાગ કરવાના પ્રસંગ આવ્યે મેાહનીય ઙના બળ આગળ ટકી શકતા નથી. જ્યાં સુધી મેાહવૃત્તિ લડવા સામી નથી આવી ત્યાં સુધી માહવશ આત્મા પોતાનું ખળવાનપણું ધારે છે, પરંતુ તેવી કસાટીને પ્રસંગ આવ્યે આત્માને પેાતાનુ કાયરપણું સમજાય છે. માટે દરેક જીવે પ્રમાદરહિત, યોગ, કાળ, નિવૃત્તિના માર્ગ ના વિચાર નિરંતર કરવા જોઇએ.
૬૯૭ પ્ર. ક્રોધ, માન, માયા, લાભ એ ચાર કષાયાના ક્ષય અનુક્રમે થાય છે ? ઉ. પહેલે ક્યાય જવાથી અનુક્રમે ખીન્દ્ર પાયા જાય છે, અને અમુક અમુક જીવેાની અપેક્ષાએ માન, માયા, લાભ અને ક્રોધ એમ ક્રમ રાખેલ છે, તે દેશ, કાળ, ક્ષેત્ર જોઇને. પ્રથમ જીવને ખીજથી ઊંચા માનવા માન થાય છે, તે અર્થે છળકપટ કરે છે, અને તથી પૈસા મેળવે છે, અને તેમ કરવામાં વિઘ્ન કરનાર ઉપર ક્રોધ કરે છે. એવી રીતે ક્યાયની પ્રકૃતિએ અનુક્રમે બંધાય છે, જેમાં લેાભની એટલી બળવત્તર મીઠાશ છે કે તેમાં જીવ માન પણુ ભૂલી જાય છે, ને તેની દરકાર નથી કરતે; માટે માનરૂપી ક્યાય એછે કરવાથી અનુક્રમે ખીજા એની મેળે ઓછા થઇ જાય છે. અનંતાનુબંધી માન કલ્યાણુ થવામાં આડા સ્તભ રૂપ કહેલ છે. ક્રોધ તથા માન તે દ્વેષના ભેદ છે. માયા તથા લેાભ તે રાગના ભેદ છે. આ બધાને સામાન્ય શબ્દથી મેહ કહેવામાં પણ આવે છે.
૬૯૮ પ્ર. ક્લાયના ૨૫ ભેદે કહેા.
ઉ. ચાર અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લાભ; ચાર અપ્રત્યાખ્યાનાવરણ કાય–કેટલાક કાળે રહે તેવા ક્રોધાદિ, જેના ઉધ્યથી એકદેશ શ્રાવનું ચારિત્ર ગ્રહણ કરી શકાતું નથી તે.
ચાર પ્રત્યાખ્યાનાવરણુ કષાય-જે ક્રોધાદિના ઉદયથી મુનિના સંયમ ગ્રહણ કરી શકાતા નથી.
આત્મા ને પુદ્ગલે જુદાં, માત્ર આ સાર તત્ત્વના અન્ય જે કાંઈ શાસ્રોકત, આના વિસ્તાર તે ગણા
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૦૧
ચાર સંજવલન ક્રોધાદિ તથા નવ નાકષાય-ના=હિ જેવા અલ્પ ક્યાય, હાસ્ય, રતિ, અરિત, શાક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુ ંવેદ, નપુંસકવેદ–એના ઉધ્યથી પૂર્ણ ચારિત્ર (યથાખ્યાત) થતું નથી. કષાય થવાનાં કારણેા નાકષાય છે.
૬૯૯ પ્ર. કષાયથી કેટલુ` મ` ઉપાર્જન થાય ?
ઉ. ક્રોધ, માન, માયા, લાભ એ ખરેખરાં પાપ છે. તેનાથી બહુ ક ઉપાર્જન થાય. હાર વર્ષ તપ કર્યું હોય; પણ એક બે ઘડી ક્રોધ કરે તા બધુય તપ નિષ્ફળ જાય. ક્રોધાદિક કરી જે કર્મી ઉપાર્જન કર્યાં હોય તે ભાગવ્યે છૂટકા.
વ્યવહારાદિ પ્રસંગે ક્રોધાદિ વણૂક અનત જેવા ચલાવે છે, ચક્રવર્તી રાજા આદિ ક્રોધાદિ ભાવે સંગ્રામ ચલાવે છે, અને લાખા મનુષ્યોના બ્રાત કરે છે તા પણ તેએમાંના કાઈ કાઈને તે જ કાળમાં મેાક્ષ થયા છે. તે જો અનંત સંસારના હેતુ હોઈને અનંતાનુબંધી ફ્લાય થતા હોય તા તે ચક્રવર્ત્યાદિને અનંત સ ંસારની વૃદ્ધિ થવી જોઇએ, અને તે હિસાખે અનંત સંસાર વ્યતીત થયા પહેલાં મેક્ષ થવા શી રીતે ઘટે ? તે હિસાબેઉપર બતાવેલ ક્રોધાદિ અનંતાનુબ ંધી સભવતા નથી.
મેાક્ષથી વિપરીત એવા જે અન ંત સંસાર તેની વૃદ્ધિ જેનાથી થાય છે તેને અનંતાનુબંધી કહેવામાં આવે છે. વીતરાગના માગે અને તેમની આજ્ઞાએ ચાલનારાનુ કલ્યાણ થાય છે. આવા જે ધણા જીવાને કલ્યાણુકારી માર્ગ તે પ્રત્યે ક્રોધાદિભાવ (જે મહાવિપરીતના કરનારા છે,) તે જ અનંતાનુબંધી કષાય છે.
જો કે ક્રોધાદિભાવ લૌકિક પણ અફળ નથી; પર ંતુ વીતરાગે પ્રરૂપેલ વીતરાગજ્ઞાન અથવા મેાક્ષધર્મ અથવા તા સત્યમ તેનું ખંડન અથવા તે પ્રત્યે ક્રોધાદિભાવ તીવ્રમાદિ જેવે ભાવે હોય તેવે ભાવે અનતાનુબંધી કષાયથી બંધ થઇ અન ત એવા સંસારની વૃદ્ધિ થાય છે.
૧૭૦૦ પ્ર. પ્રમાદના ૮૦ ભેદ વર્ણવે.
જે જ્ઞાતા છે તે કર્તા નથી અને જે કર્તા છે તે જ્ઞાતા નથી.
Page #224
--------------------------------------------------------------------------
________________
૨૦૨
ઉ. પ્રમાદ એટલે આત્મવિસ્મરણ અથવા સ્વરૂપમાં અસાવધાનપૂર્વક
પ્રવૃત્તિ અથવા ધાર્મિક કાર્યોમાં અનુત્સાહ. આત્માનુભવમાં ધર્મ,
ધ્યાનમાં આળસ કરવી તે પ્રમાદ છે, એના ૮૦ ભેદ છે. ચાર વિકથાચાર કષાયપાંચ ઈન્દ્રિય૪૧ સ્નેહ૪૧ નિદ્રા=૮૦. દરેક પ્રમાદભાવમાં એક વિસ્થા, એક ક્લાય, એક ઇન્દ્રિય, એક સ્નેહ, અને એક નિદ્રાને ઉદય સંબંધ થાય છે. જેમ પુષ્પ સુંઘવાની ઈચ્છા થવી તે પ્રમાદભાવ છે. તેમાં એક વિકથા (ભજનકથા),
ભક્ષાય, ઘ્રાણ ઇન્દ્રિય, સ્નેહ અને નિંદ્રા એ પાંચ ભાવ સંયુક્ત છે. ૭૦૧ પ્ર. ચાર વિસ્થા સમજાવે.
ઉ. સ્ત્રીકથા, ભેજનસ્થા, દેશસ્થા અને રાજસ્થા તે ચાર વિકથા છે. ૭૦૨ પ્ર. સુસ્થાઓ કઈ કહેવાય ? ઉ. સુકથાઓ ચાર છે. (૧) આક્ષેપિણું : જે જ્ઞાન કે ચારિત્રનું સ્વરૂપ બતાવીને દઢતા
કરાવનાર છે. (૨) વિક્ષેપિણી : તે અનેકાંત મતનું પોષણ અને એકાંત મતનું
ખંડન કરનાર છે. (૩) સંગિની કથા : તે જ્ઞાન ચારિત્ર તપ વીર્યમાં પ્રેમ,
વધારનારી અને ધર્માનુરાગ કરાવનારી કથા છે. (૪) નિદિની : તે સંસાર, શરીર અને ભેગથી વૈરાગ્ય.
વધારનારી છે. ૭૦૩ પ્ર. “ક્ષમ નેતન ના વનવે” આ પવિત્ર વાક્યને અર્થ શું થાય છે ? ઉ. એ પવિત્ર વાક્યને બે અર્થ થાય છે. ભગવાન મહાવીર કહે છે
કે હે ગૌતમ ! સમય એટલે અવસર પામીને પ્રમાદ ન કરવો. અને બીજો અર્થ એ કે મેષાનમેષમાં ચાલ્યા જતા અસંખ્યાતમાં ભાગને જે સમય કહેવાય છે તેટલો વખત પણ પ્રમાદ ન કરો. અહીં પ્રમાદને અર્થ એમ છે કે આત્મામાંથી ઉપગ બહાર ન જવા દે, (આત્મામાં રમણતા કરતાં બહાર ન નીકળવું.) કારણકે દેહ ક્ષણભંગુર છે, કાળશિકારી માથે ધનુષ્યબાણ ચઢાવીને ઊભે છે. લીધો કે લેશે એમ જ જંજાળ થઈ રહી છે, ત્યાં પ્રમાદથી ધર્મ
ઘડી પલક કી ખબર નહીં ઔર બાત કરે કલકી,
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૦૩ કર્તય કરવું રહી જશે. (વળી ઉપયોગ જો આત્માની બહાર ગયો
તો સંવર નિર્જરા અટકી જતાં કર્મને બંધ પડશે) ૭૦૪ પ્ર. બંધના કેટલા પ્રકાર છે અને તે ક્યા કયા ? ઉ. બંધના ચાર ભેદ છે. (૧) પ્રકૃતિબંધ, (૨) પ્રદેશબંધ, (૩)
સ્થિતિબંધ, (૪) અનુભાગબંધ. (૧) પ્રકૃતિબંધ :- કર્મને સ્વભાવ અથવા પરિણામ, (૨) સ્થિતિબંધ :- કાળની મર્યાદા, (૩) અનુભાગબંધ - રસ, (તીવ્ર, મંદ વગેરે) પ્રદેશબંધ :- કર્મ પુદગલના દલ, અથવા કર્મ પરમાણું
ઓની સંખ્યા. ૭૦૫ પ્ર. શાનાથી પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ થાય ?
ઉ. યોગેથી પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ થાય. ૭૦૬ પ્ર. પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ એટલે શું ? ઉ. કઈ કઈ પ્રકૃતિયોગ્ય કર્મ બંધાય છે અથવા કેટલા બંધાય છે તે
પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ કર્મોની સ્થિતિ ઉપર આધાર રાખે છે. તે કર્મોના બંધ ઉપરથી કર્મોની સંખ્યા નક્કી થાય છે. પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ એ ત્રણ બંધના સરવાળાનું નામ પ્રકૃતિ આપવામાં આવ્યું છે. પ્રદેશબંધનું પ્રબળપણું હોતું નથી, તે.
ખેરવવા ચાહે તે ખરી શકે તેમ છે. ૭૦૭ પ્ર. શાનાથી સ્થિતિબંધ અને અનુભાગબંધ થાય છે ? ઉ. કષાયથી સ્થિતિ અને અનુભાગબંધ થાય છે. મોહને લઈને
સ્થિતિ તથા અનુભાગ અર્થાત્ રસને બંધ પડે છે, તે જીવ ફેરવવા ધારે તો ફરી જ શકે એમ બનવું અશકય છે. આવું મોહને લઈને તેનું પ્રબળપણું છે. ત્રણ પ્રકારના યોગ સમાન હોય છતાં પણ જે કષાય ન હોય, તે ઉપરાજિત કર્મમાં સ્થિતિ અથવા રસને બંધ.
થતા નથી. ૭૦૮ પ્ર. સ્થિતિબંધ એટલે શું ? ઉ. કેટલા વખત સુધી કર્મ છવની સાથે રહે છે તે મર્યાદાને સ્થિતિ
બંધ કહે છે. જે કષાય મંદ હોય છે તે સાત કર્મોની સ્થિતિ ઓછી પડે છે.
મારું એ જ સાચું એમ નહીં; પણ સાચું એ મારુ, |
Page #226
--------------------------------------------------------------------------
________________
૨૦૪
૭૦૯ પ્ર. અનુભાગબંધ એટલે શું ? ઉ. કર્મોનું ફળ તીવ્ર કે મંદ બંધાવું તેને અનુભાગબંધ કહેવાય છે
જ્યારે કષાય અધિક હોય છે ત્યારે પાપકર્મોમાં અનુભાગ વધારે
અને પુણ્યકર્મોમાં અનુભાગ ઓછો પડે છે. ૭૧૦ પ્ર. બંધના એ ચાર પ્રકારનાં સ્વરૂપ દષ્ટાંતપૂર્વક સમજાવો. ઉ. આપણે લાડુનું દષ્ટાંત લઈએ. જેમ કોઈ વૈદ્ય ભાતભાતની ઔષધિ
નાખી જુદી જુદી અનેક જાતના લાડુ બનાવે તેમાંથી કઇ કાઈ લાડુને ગુણ અથવા સ્વભાવ એ હોય છે કે તે ખાવાથી વાયુના રોગ મટે, કઈ લાડુ ખાવાથી પિત્ત મટે, અને કઈ લાડુથી કફ મટે, કેઈ લાડુ શરીરને પુષ્ટ કરે, એવી જ રીતે ? (૧) પ્રકૃતિબંધ : એટલે કેટલાંક કમેને સ્વભાવ આત્માના
જ્ઞાન ગુણને રોકવાને હય, કેઈને દર્શન ગુણ રોકવાને સ્વભાવ હોય, કઈ કર્મ શાતા. કે આશાવેદનીય આપવાના સ્વભાવવાળું હોય તેને પ્રકૃતિ કહે છે. મૂળ પ્રકૃતિ આઠ છે. (જ્ઞાનાવરણીય આદિ) ને ઉત્તર પ્રકૃતિ
૧૪૮ છે. (૨) સ્થિતિબંધ : જેમ ઉપર કહેલા લાડુમાં જે જે ગુણ હોય
તે તે ગુણે અમુક મુદત સુધી રહે છે. કોઈ લાડુમાં તે ગુણ ૧૫ દિવસ તો કાઇમાં માસ તે કઈ લાડુમાં એક વર્ષ સુધી તે ગુણ રહે છે, તેવી રીતે બે સમયથી ૭૦ ક્રોડાકોડી સાગરોપમની સ્થિતિનાં કર્મ જીવ બાંધે છે
અને તેને સ્થિતિબંધ કહેવાય છે. (૩) અનુભાગબંધઃ હવે જેમ ઉપરોક્ત લાડુઓમાં કઈ લાડુ મીઠે
હોય, કોઈ કડ હેય અને કઈ તી હોય તેવી રીતે કઈ કઈ કર્મ ઉદય આવતાં તેનાં
કાળ, સ્વભાવ, ઉદ્યમ, નસીબ ઔર ભાવિ બળવાન; પાંચ કારણ જબ મિલે, તબ કાર્ય સિદ્ધિ નિદાન,
Page #227
--------------------------------------------------------------------------
________________
(૪) પ્રદેશબંધ
૨૦૫
ફળ જીવને મીઠા લાગે છે, કાર્બનાં ફળ કડવાં લાગે છે, કાઈના ઘેાડા વસમાં તા કાઈનાં વધારે વસમાં લાગે છે, એવા જે ભેદ જણાય છે તેને રસ અથવા અનુભાગ કહેવાય છે.
:
હવે જેમ કાઈ મેાદકમાં દ્રવ્યનું પ્રમાણુ ઘેાડુ હોય અને કાઇમાં વિશેષ હોય તેવી જ રીતે કાઈ બંધમાં કવા યાગ્ય પુદ્ગલાના અનતપ્રદેશી ←ધાનું પરિણામ થાડુ હોય અને કાઈમાં વધારે હોય તે પ્રકારને પ્રદેશખ ધ કહે છે.
૭૧૧ પ્ર. આયુષ્યના અને વેદનીય કતા બંધ ક્યા પ્રકારે છે? ઉ. આયુષ્ય કર્મના બંધ પ્રકૃતિ વિના થતા નથી; પણ વેદનીયનેા
થાય છે.
૭૧૨ પ્ર. કર્મ એક જ ભવમાં વૈદાય કે અન્ય ભવમાં પણ? ઉ. આયુષ્ય પ્રકૃતિ એક જ ભવમાં વેદાય છે. ખીજી પ્રકૃતિએ તે ભવમાં વેદાય અને અન્ય ભવમાં પણ વેદાય.
૦૧૩ પ્ર. કર્મ ઉદય કેટલા પ્રકારે છે ?
ઉ ઉદ્દય બે પ્રકારે છે. એક પ્રદેશાધ્ય; અને ખીજો વિપાકાય, વિપાકાય બાહ્ય (દેખીતી) રીતે વૈદાય છે; અને પ્રદેશાય અંદરથી વૈદાય છે.
૭૧૪ પ્ર. કર્મનો સ્થિતિબંધ કેટલા કાળનેા પડે ?
. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણ કર્મીની સ્થિતિ, જધન્ય અંતમુની અને ઉત્કૃષ્ટી ત્રીશ ક્રોડાક્રોડી સાગરેાપમની છે. તે ત્રણે કર્મના આબાધાકાળ ત્રણ હજાર વર્ષના છે.
સાતાવેદનીય કર્મની સ્થિતિ જધન્ય ૨ સમયની અને ઉત્કૃષ્ટી ૧૫ ક્રોડાક્રોડ સાગરની છે. આબાધાકાળ કરે તા જધન્ય અંતર્મુ દૂ અને ઉત્કૃષ્ટો દોઢ હજાર વર્ષના છે. આસાતાવેદનીય કમ ની સ્થિતિ જધન્ય ૧૨ મુદ્દતની અને ઉત્કૃષ્ટી ત્રીશ ક્રોડાક્રોડી સાગરની છે.
વૃત્તિના વ્યભિચાર એ જ કબંધનું કારણ છે,
Page #228
--------------------------------------------------------------------------
________________
૨૦૬
-
એને આબાધાકાળ જઘન્ય અંતર્મુહૂર્તને, ઉત્કૃષ્ટ ત્રણ હજાર વર્ષને છે. મેહનીય કર્મની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ ૭૦ ક્રોડાક્રોડ સાગરોપમની છે. તેને આબાધાકાળ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સાત હજાર વર્ષને છે. નામ અને નેત્ર કર્મની સ્થિતિ જધન્ય આઠ મુહૂર્તની, ઉત્કૃષ્ટી ૨૦ ક્રોડાક્રોડ સાગરોપમની છે તેને
આબાધાકાળ બે હજાર વર્ષને છે. ૭૧૫ પ્ર. આબાધાકાળ કોને કહે છે ? ઉ. કર્મ બાંધ્યા પછીથી તે ઉદયમાં આવે (એટલે તેનાં ફળ ભેગવવાં
પડે) ત્યાં લગીને કાળ તે “આબાધાકાળ” કહેવાય એટલે કર્મ
બાંધવું અને તે ભેગવવું એ બેની વચ્ચેને કાળ. ૨૭૧૬ પ્ર. કર્મ વરતુતા એ શું છે ?
ઉ. કર્મ એ જડ વસ્તુ છે પણ બે ભેદ છે. ભાવકર્મ અને દ્રવ્યકર્મ. વિભાવ પરિણામ “ભાવકર્મ” છે.
પુદ્ગલ સંબંધ “વ્યકર્મ” છે. ૭૧૭ પ્ર. જીવ કાંઈ પણ પ્રવૃત્તિ કરે તે કર્મ છે ? ઉ. ના, રાગાદિ સહિત છવ કાંઈ પણ પ્રવૃત્તિ કરે તો તેનું નામ કર્મ
છે; શુભ અથવા અશુભ અધ્યવસાયવાળું પરિણમન તે કર્મ નથી પણ નિર્જરા છે. ઈન્દ્રિયની રાગદ્વેષરહિત પ્રવૃત્તિ પણ કર્મ બંધનું કારણ થઈ શકતી નથી. બાહ્ય બંધકારણ સમાન હોવા છતાં પણ પરિણામની તીવ્રતા અને મંદતાના કારણે કર્મબંધભિન્ન ભિન્ન થાય છે. જેમ કે એક દશ્યને જોતી બે વ્યક્તિઓમાંથી મંદ આસક્તિપૂર્વક જેનાર કરતાં તીવ્ર આસક્તિપૂર્વક જોનાર વ્યક્તિ કર્મને તીવ્ર જ બાંધે છે. ઈરાદાપૂર્વક પ્રવૃત્તિ કરવી એ “જ્ઞાતભાવ છે, અને ઇરાદા સિવાય કૃત્ય થઈ જાય એ “અજ્ઞાતભાવે છે. જ્ઞાત અને અજ્ઞાતભાવમાં બાહ્ય વ્યાપાર સમાન હોવા છતાં પણ કર્મ
બંધમાં ફરક પડે છે. ૭૧૮ પ્ર. જો શરીરથી દૂર ઘણે છે. એવા કોઈ કઈ પદાર્થ પ્રત્યે જીવ
રાગદ્વેષ કરે તો તે ત્યાંના પુદ્ગલગ્રહી બંધ બાંધે છે કે શી રીતે? ઉ. તે રાગષષ પરિણતિ તે આત્માની વિભાવરૂપ પરિણતિ છે, અને
પ્રમાદ એ જ ભય
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૦૭
તે પરિણતિ કરનાર આત્મા છે અને તે શરીરને વિષે રહી કરે છે: માટે ત્યાં આગળ એટલે શરીરને વિષે રહેલો છે જે આત્મા, તે જે ક્ષેત્રે છે તે ક્ષેત્રે રહેલાં એવાં જે પુદગલ પરમાણું, તેને ગ્રહીને
બંધ બાંધે છે, બહાર ગ્રહવા જતે નથી. ૧૭૧૯ પ્ર. જીવ શું બધાં જ કર્મબંધો માટે માત્ર શરીરમાંથી પુદગલ ગ્રહણ કરીને
કર્મ બાંધે છે ? ઉ. હા; જીવ કર્મબંધ જે કરે છે, તે દેહસ્થિત રહેલ જે આકાશ તેને
વિષે રહેલાં જે સૂક્ષ્મ પુદ્ગલ તેમાંથી ગ્રહીને કર્મબંધ કરે છે.
બહારથી લઈ કર્મ બાંધતા નથી. ૭૨૦ પ્ર. અંતરાલ ગતિમાં કર્મ પુદગલનું ગ્રહણ કરાય છે કે નહિ ?
ઉ. કરાય છે. ૭૨ ૧ પ્ર. કેવી રીતે ? ઉ. અંતરાલ ગતિમાં પણ સંસારી અને કાશ્મણ શરીર અવશ્ય હોય
છે, એથી એ શરીરજન્ય આત્મ પ્રદેશનું કંપન, જેને કામણગ કહે છે, તે પણ અવશ્ય હોય છે જ. જ્યારે યોગ હોય છે, ત્યારે કર્મ પુદ્ગલનું ગ્રહણ પણ અનિવાર્ય હોય છે, કેમ કે ગ જ કર્મ
વર્ગણાના આકર્ષણનું કારણ છે. ૬૭૨૨ પ્ર. જે જીવ કર્મ પુદ્ગલથી ભારે થયે હોય તે જીવ શરીર પણ મોટું
ગ્રહણ કરે ? ઉ. ના. જેમ જેમ જીવ કર્મ પુદ્ગલ વધારે ગ્રહણ કરે છે, તેમ તેમ તે
વધારે નિબિડ થઈ નાના દેહને વિષે રહે છે. ૭૨૩ પ્ર. કર્મોને પ્રદેશબંધ એટલે શું ? ઉ. પ્રદેશબંધને અર્થ પરિભાષાએ :
પરમાણુ સામાન્યપણે એક પ્રદેશાવગાહી છે. તેવું એક પરમાણુનું પ્રહણ તે એક પ્રદેશ કહેવાય. જીવ અનંત પરમાણુ કર્મબંધે ગ્રહણ કરે છે. તે પરમાણુ વિસ્તર્યા હોય તો અનંતપ્રદેશી થઈ શકે, તેથી
અનંતપ્રદેશને બંધ કહેવાય. ૭૨૪ પ્ર. બધાં કમેને ક્ષય થઈ શકે ?
મુનિવ્રતધાર અનંતવાર રીવક ઉપજાય; પૈ નિજ આતમ જ્ઞાન વિના સુખ લેશ ન પાયો.
Page #230
--------------------------------------------------------------------------
________________
૨૦૮
. ધનધાતી ચારકમેŕ-જ્ઞાનાવરણીય, દનાવરણીય, મેાહનીય અને અંતરાય—તે એક પ્રકારે ક્ષય કરવા સહેલાં છે, તે તે જ ભવમાં અમુક અંશે ખપાવી શકાય છે. મેાહનીય ક જે મહા જોરાવર છે તેમ ભાળું પણ છે તે તરત ખપાવી શકાય છે. જેમ તેના વેગ આવવામાં જબ્બર છે તેમ તે જલદીથી ખસી પણ શકે છે.. મેાહનીય કર્મના તીવ્રબંધ હોય છે, તા પણ તેના પ્રદેશાધ ન હાવાથી તરત ખપાવી શકાય છે. વેદનીય, નામ, ગેાત્ર અને આયુ તે એક પ્રકારે ખપાવવા આકરાં છે, જેના પ્રદેશબાંધ હાય છે તે કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી પણ છેડા સુધી ભાગવવા પડે છે. ૭૨૫ પ્ર. કેવી રીતે વર્તવાથી કર્મ ના બધ થતા અટકે?
ઉ. આત્માની એળખ થાય તા કમ નાશ પામે.
૭૨ ૬ . ઉ. ૭૨૭ પ્ર.
શુભ બંધને કાઈ અશુભ કર્મોને જોગ બને તે શું ફળ આપે ? શુભ બંધ જે મૂળ માળા હાય તેના કરતાં વધુ માળા થાય છે. શુદ્ધ બંધને કાર્ય શુભ કર્મના જોગ આવી મળે તા શું થાય ? ઉ. મૂળ શુભબંધ વધારે દૃઢ થાય અથવા નિકાચિત થાય છે. ૭૮ પ્ર. અશુભ બંધને શુભ કર્મના જોગ અને તા શુ થાય ? ઉ. મૂળ અશુભ બંધ માળા થાય છે.
૭૨૯ પ્ર. અશુભ બંધને અશુભ કર્મનું મળવું થાય તા શું પરિણામ થાય ? ઉ. અશુભ બંધ વધારે મજબૂત થાય અથવા નિકાચિત થાય છે. ૭૩૦ પ્ર. અન ંતાનુબંધી કર્મ પ્રકૃતિની સ્થિતિ કેટલા સમયની હાય ? ઉ. ૪૦ ક્રોડાક્રોડીની.
૭૩૧ પ્ર. મેાહનીય (દન મેહનીય) કર્મની સ્થિતિ કેટલા સમયની હાય છે ? ઉ. ૭૦ ક્રોડાક્રોડીની.
૭૩૨ ત્ર. ક્રોડાક્રોડ એટલે શુ ?
ઉ. ક્રોડને ક્રોડ ગુણા કહીએ ત્યારે ક્રોડાક્રોડ થાય. ૭૩૩ પ્ર. કર્મોનાં ફળ કેવી રીતે મળે છે તે સમજાવેા. ઉ. કના બંધ થઇ ચૂકે છે
ત્યાર પછી જેટલે સમય તેને પાકતાં
જપ, તપ, સયમ દાહિલા, ઔષધ કડવી જાન, સુખ કારણુ પીછે ઘના, નિશ્ચય પ
નિર્વાન.
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૦૯
લાગે છે, એ સમયને આખાધાકાલ કહે છે. જો એક ક્રોડાકેાડી સાગરની સ્થિતિ પડે તેા એકસા વર્ષે પાકવામાં લાગે છે. એ હિસામે આછી સ્થિતિમાં એ સમય લાગે છે. કાઇક કર્મોની આબાધા એક પલકમાત્ર સમય જ હોય છે. બધાયા પછી એક આવલી પછી ઉદ્યમાં આવે છે.
૭૩૪ પ્ર. કર્મના સ્કંધની વહેંચણી કેવી રીતે થાય છે?
ઉ. વિપાક કાળ પૂરા થાય ત્યારે જે કર્મની જેટલી સ્થિતિ હોય તે સ્થિતિનાં જેટલા સમય થાય તેટલા સમયામાં તે કર્મના અમુક અમુક સ્કંધ વહેંચાઈ જાય છે તે વહેંચણીમાં પહેલા પહેલા સમયેામાં અધિક પરમાણુઓના સ્કંધા અને પાછળ પાછળના કધામાં ઘેાડા થાડા કમ પરમાણુએ આવે છે. છેલ્લા સમયમાં સર્વથી ઘેાડા પરમાણુ આવે છે.
૭૩૫ પ્ર. કર્મીના સ્કંધની ઉપર પ્રમાણે વહેંચણી થયા પછી કમેર્યા કેવીરીતે ઉદયમાં આવે?
ઉ. આ વહેંચણીને અનુસાર જે સમયે જેટલા કર્યું પરમાણુ ઉયમાં આવે છે તેટલા કર્મ અવશ્ય ખરી જાય છે, છૂટી જાય છે.
૭૩૬ પ્ર. માઁ પરમાણુ ફળ આપીને ખરી જાય કે ફળ દીધા વિના પણુ
ખરી જાય ?
ઉ. તે બાહ્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અનુકૂળ હાય તા ફળ પ્રગટ કરીને ખરી જાય છે નહિ તે ફળ દીધા વગર ખરી જાય છે. ૭૩૭ પ્ર. કર્મ પરમાણુની વહેંચણીના ઉપરના સિદ્ધાંત દાખલા આપી સમાવે. . જેમ કાઈએ ક્રાધ ફ્લાયરૂપી કર્મો ૪૮ મિનિટની સ્થિતિનું બાંધ્યુ
અને એક મિનિટ પાકવામાં લાગી તથા ૪૦૦૦ કમ છે તા તે કમ ૪૭ મિનિટમાં વહેંચાઈ જાય છે. જેમ ૫૦૦, ૪૦૦, ૩૦૦, ૨૦૦, ૧૦૦ ઇત્યાદિ રૂપથી એ ક્રેાધ કષાયના સ્કંધ એવા હિસાબથી ખરી જશે. પહેલી મિનિટમાં ૫૦૦ પછી ૪૦૦ ઈત્યાદિ. જો એટલી વાર કાઈ એકાંતમાં બેસીને સામાયિક કરી રહ્યો હોય તા
૧૪
ચેતન યહુ ભવસાગર, ધરમ જહાજ, તિહી ચડ બૈઠા, છાંડી લાકકી લાજ,
Page #232
--------------------------------------------------------------------------
________________
૨૧૦
ક્રોધનું નિમિત્ત ન હોવાથી ક્રોધના ફળને પ્રગટ કર્યા વગર એકમ ખરી જાય છે.
૭૩૮ પ્ર. એક વાર કર્મ ના બંધ પડી ગયા છતાં શુ તેમાં ફેરફાર થઈ શકે છે ? ઉ. એક વખત કર્મના બંધ પડી ગયા છતાં તેમાં ત્રણ અવસ્થાએ પછીથી થઈ શકે છે.
૭૩૯ પ્ર. તે ત્રણ અવસ્થાએ કહે.
ઉ. સંક્રમણ, ઉત્કર્ષણ અને અપણુ.
૭૪૦ પ્ર. સંક્રમણ એટલે શું ?
ઉ. સોંક્રમણ એટલે પાપ કર્મોને પુણ્યમાં અને પુણ્યને પાપમાં ખાલી વું તે. જો કાઈ પાપકર્મ કરી ચૂકયા હાય, અને તે એનુ પ્રતિક્રમણ (પશ્ચાતાપ) ઘણા શુદ્ધભાવથી કરે તેા પાપક ને બદલી નાંખી પુણ્યરૂપ કરી શકે છે.
૭૪૧ પ્ર. ઉત્ક`ણ એટલે શુ ?
૩. કૅમેર્માની સ્થિતિ અથવા અનુભાગને વધારી દેવા તે. ૭૪ર પ્ર. અપણુ એટલે શું?
ઉ. કમે[ની સ્થિતિ અને અનુભાગ ઘટાડી દેવા તે. ૭૪૩ પ્ર. ઉદીરણા એટલે શુ ? નિર્જરા એટલે શું ?
ઉ. સમયથી પહેલાં કર્મીને ઉદ્દયમાં લાવવા તેને ‘ઉદ્દીરણા' કહે છે, અને સમયથી પહેલાં તેમને ખેરવી નાખવાં તેને નિર્જરા' કહે છે.
૭૪૪ પ્રે. ઉત્કૃણુ અને બંધ એક જ પરિણામથી થાય કે જુદા જુદા પરિણામથી થાય ?
ઉ. જેવા જેવા વિપ ત—તે સમયે આવે છે, તેવી-તેવી પ્રવૃત્તિ જ તે તે સમયે થાય છે, તેના ફળરૂપે તેવા તેવા જ નવીન બંધ અને ઉત્કષ ણ આદિ થાય છે. ઉત્કષ ણુ આદિના પરિણામ કાઈ ખીન્ન હાય અને મધના કાઈ ખીજા એમ નથી. એક સમયના જે એક પરિણામ કે પ્રવૃત્તિથી બંધ થાય છે, તેનાથી જ તે જ સમયે યથાયેાગ્ય ઉત્કષ ણુ, અપ ણ આદિ પણ થાય છે.
સંસાર અને મેાક્ષ વચ્ચે એક સાંકળ છે, તે કુ. તેને નાટક કહીએ તો ચાલે.
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૧૧
૭૪૫ પ્ર. ઉત્કર્ષણ, અપકર્ષણ અને સંક્રમણ કયાં કર્મોના થઈ શકે ? ઉ. એ સત્તામાં રહેલી કર્મ પ્રકૃતિનાં થઈ શકે છે; ઉદયમાં આવેલી
પ્રકૃતિનાં થઈ શકે નહીં. જે ઉદયમાં આવ્યા પહેલાં રસમાં મેળાશ કરી નાખવામાં આવે તે આત્મપ્રદેશથી કર્મ ખરી જઈ નિર્જરા
થાય અથવા મંદ રસે ઉદય આવે. ૭૪૬ પ્ર. ભાવ અને વિચારથી પહેલાંનાં કર્મોમાં પરિવર્તન થઈ શકે છે ? ઉ. હા, જેમ ઔષધિ ખાવાથી ભેજનના વિકાર મટી જાય છે, તેમ
પરિણામો દ્વારા પહેલાંનાં પાપ કે પુણ્યકર્મમાં પરિવર્તન થઈ જાય છે. ૭૪૭ ક. આયુર્મમાં ઉત્કર્ષણ, અપકર્ષણ અને સંક્રમણ થઈ શકે છે ? ઉ. ના, જીવ જે ભવની આયુષ્યપ્રકૃતિ ભેગવે છે તે આખા ભવની
એક બંધ પ્રકૃતિ છે. તે બંધ પ્રકૃતિને ઉદય આવૃષ્યની શરૂઆત થઈ ત્યારથી ગણાય. તેમાં વધઘટ ન થાય. સંક્રમણ, અપકર્ષણ, ઉત્કર્ષાદિકરણને નિયમ આયુકર્મવર્ગણ સત્તામાં હોય ત્યાં સુધી
લાગુ થઈ શકે, પણ ઉદયની શરૂઆત થયા પછી લાગુ થઈ શકે નહીં ૭૪૮ પ્ર. ભવિષ્યના આયુકર્મને બંધ કેવી રીતે થાય છે? ઉ. આપણે મનુષ્યોને માટે આ નિયમ છે કે વર્તમાન ભેગવતા આયુની
જેટલી સ્થિતિ હોય તેના બે તૃતિયાંશ ભાગ વીત્યા પછી પહેલીવાર અંતર્મુહૂર્ત માટે નો આયુષ્ય બંધ કરવા યોગ્ય કાળ આવે છે. મધ્યમ લેશ્યાનાં પરિણામોથી આયુ બંધાય છે. સમકિતીને અશુભભાવ આવે છે પણ તે કાળે ભવિષ્યના આયુષ્યને બંધ ન પડે, પણ
જ્યારે શુભભાવ આવે છે ત્યારે જ ભવિષ્યના આયુષ્યને બંધ પડે
છે. એ સમ્યફદર્શનને મહિમા છે. ' ૭૪૯ પ્ર. પહેલીવાર આયુષ્યબંધ ન થાય તે ફરી ક્યારે બંધાય છે? ઉ. ફરી બે તૃતિયાંશ ભાગ વીત્યા પછી બીજી વાર, ફરી બે તૃતિયાંશ
વીત્યા પછી ત્રીજી વાર એવી રીતે બે તૃતિયાંશ કાળ પછી આઠ વાર એવો અવસર આવે છે. જે એટલામાં ન બંધાય તે મરતાં પહેલાં તે ઘણું કરીને આયુષ્ય કર્મ બંધાય છે. મોક્ષે જનાર તે ન જ બાંધે.
દિવસની ભૂલ માટે રાત્રે હસજે, પરંતુ તેવું હસવું ફરીથી ન થાય તે લક્ષિત રાખજે.
Page #234
--------------------------------------------------------------------------
________________
૭૫૦ પ્ર. આયુષ્ય એક વાર બંધાયા પછી તેની સ્થિતિ ફરી ક્યારે બદલાઈ.
ઉ, એક વખત આયુષ્ય બંધાયા પછી બીજી વાર ફરી બંધ કાળ
આવે ત્યારે પહેલાં બાંધેલી આયુની સ્થિતિ ઓછી કે અધિક થઈ શકે છે. જેમ કેઈ મનુષ્યનું ૮૧ વર્ષનું આયુષ્ય હોય તે તેને ભવિષ્યને આયુબંધને કાળ, ૫૪ વર્ષ પછી, ૭૨ વર્ષ પછી, ૭૮ વર્ષ પછી, ૮૦ વર્ષ પછી, ૮૦ વર્ષ અને આઠ માસ પછી, ૮૦ વર્ષ ૧૦ માસ ૨૦ દિન પછી, ૮૦ વર્ષ ૧૧ માસ ૧૬ દિન ૧૬ કલાક પછી અને છેવટે ૮૦ વર્ષ ૧૧ માસ ૨૫ દિન ૧૪
કલાક પછી, આમ આઠ વાર આવે છે. ૭૫૧ પ્ર. એક ભવમાં આગામી કેટલા ભવનું આયુષ્ય બંધાય છે ઉ. એક જ ભવમાં આગામિક કાળના બે ભવનું આયુષ્ય બાંધે નહિ,
એક જ ભવનું આયુષ્ય બંધાય. (જુઓ પ્રશ્ન-૧૮૯, ૧૭૪૯ અને
૧૭૫૦). ૭૫ર પ્ર. આયુના કેટલા પ્રકાર છે? ઉ. આયુષ્યના બે પ્રકાર છે. સેપક્રમ અને નિરૂપક્રમ, આમાંથી જે
બાંધ્યું હોય તે પ્રકારનું ભોગવાય છે. ૭૫૩ પ્ર. સેપક્રમ આયુષ્ય એટલે શું ?
ઉ. સેપક્રમ એટલે શિથિલ, એકદમ ભોગવી લેવાય તે. ૭૫૪ . નિરૂપક્રમ એટલે શું ? - ઉ. નિકાચિત. દેવ, નારક, જુગલિયાં, ૬૩ શલાકા પુરુષને, ચરમશરીરીને
તે હોય છે.
૭૫૫ પ્ર. ચરમશરીરી એટલે શું ?
ઉ. સંપૂર્ણ વીતરાગદશા જેને વર્તે છે તે ચરમશરીરી ગણાય. છેવટનું - શરીર કે જેના પછી હવે શરીર ધારણ ન કરવું પડે, તે છેવટનું
શરીર તે ચરમશરીર. ૭૫૬ પ્ર. વ્યવહાર અપેક્ષાએ સાત કારણે આયુષ્ય તૂટી જાય તે સાત
કારણો કયાં? ઉ. સેપક્રમ આયુષ્ય ૭ કારણથી તૂટી શકે છે.
ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવું તે પરમાર્થ દષ્ટિવાન ( પુરુષને ગૌણતાથી સ્વરૂપનું ચિંતવન છે.
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૧૩
' (૧) પાણીથી, (૨) અગ્નિથી, (૩) વિષથી, (૪) શસ્ત્રથી, (૫)
અતિહર્ષ, (૬) શેક, (૭) ભયથી, વધુ ચાલવું, વધુ ખાવું, મિથુન સેવવું, આદિ વ્યયથી). નિરૂપક્રમ આયુષ્ય બાંધેલ પૂરું આયુષ્ય ભોગવે, વચ્ચે તૂટે નહીં.
જીવ સોપક્રમ હોય યા નિરૂપમ હોય પરંતુ તે આયુકર્મના દલિકે જેટલા બાંધ્યા છે તે સર્વ પૂરા ભોગવ્યા વિના મૃત્યુ પામે નહિ. સાપક્રમ બાંધેલ આયુ વચેતૂટવાનું નિમિત્ત પરભવથી સાથે નિર્માણ કરીને આવે છે અને તેના ઉદયે શેષ દલિકે શીધ્ર ભોગવી પૂર્ણ કરે છે. નિરુપક્રમને દલિકે શીધ્ર ભોગવી લેવા પડે તેવું નિમિત્ત
હોતું નથી. (જુઓ પ્રશ્ન-૧૭૪૯, ૧૭૫૦) ૭૫૭ પ્ર. આયુષ્ય તૂટી જાય તે બીજા કર્મોનું શું થાય ? ઉ. બીજા વેદનીય આદિ કર્મ બીજા ભવમાં પણ ભોગવવાં પડે છે, જે
કર્મોની સ્થિતિ આયુષ્યથી લાંબી હોય તે બીજા ભવમાં ભગવાય છે. “તે તે ભોગ્ય વિશેષનાં, સ્થાનક દ્રવ્ય સ્વભાવ, ગહન વાત છે
શિષ્ય આ, કહી સંક્ષેપે સાવ.” ૭૫૮ પ્ર. જીવ પળે પળે કે ક્ષણે ક્ષણે શું કર્મ બંધ કરે છે ? ઉ. હા, એ કઈ પણ વખતે જાતે નહીં હોય કે જીવ કર્મને બંધ
કરતે ન હોય. ૭૫૯ ક. આમ બને તે પછી જીવે ઊંચે વીતરાગ માર્ગની સન્મુખ ક્યારે
આવે ? ઉ. છેવટે એક સાગરોપમની સ્થિતિ રહે ત્યાં સુધી જીવને વીતરાગ
માર્ગ ગમતો નથી પણ જે તેટલી સ્થિતિની અંદર કેટલોક ભાગ
ઓછો થાય તે જીવ વીતરાગ માર્ગની સન્મુખ થાય છે. ૭૬૦ પ્ર. એવું ક્યારે બને ? ઉ. કર્મની અંદર કાળ પરિવર્તન થયે કઈ સગવશાત્ મહાન સંઘર્ષણ
થાય તો બને. ૭૬૧ પ્ર. મોહનીય કર્મની સાથે એવા બીજા કયા કર્મ છે કે જેથી એ જીવને
રખડાવે છે ને જોરદાર પ્રવૃત્તિ કરાવે છે?
આત્મ ઉપગ એ કર્મ મૂકવાને ઉપાય છે.
Page #236
--------------------------------------------------------------------------
________________
૨૧૪
ઉ. મેાહનીય કર્મીને મદદગાર કર્યાં જ્ઞાનાવરણીય, દનાવરણીય અને અંતરાય છે. જે એ મેાહરૂપ કિલ્લાને ઢીલા થવા દેતા નથી. પ્રથમ મેહ જ ક્ષીણ થાય છે અને ત્યાર પછી તમ્ ત બાદ બાકીનાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણ કર્માં ક્ષય પામે છે. મેાહ એ સૌથી વધારે બળવાન હોવાને લીધે તેના નાશ પછી. જ અન્ય કર્મોના નાશ શકય બને છે.
૭૬૨ પ્ર. દર્શનમેાહનીય કર્મ શાથી બંધાય ?
ઉ. ધ્રુવળીના અવ વાદ” એટલે કેવળીના અસત્ય દેષાને પ્રગટ કરવા તે. “શ્રુતના અવણું વાદ” એટલે શાસ્ત્રના ખાટા દેખે દ્વેષબુદ્ધિથી વવવા તે. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાના મિથ્યા દાષા પ્રગટ કરવા તે “સધ અવર્ણવાદ.” “ધના અવર્ણવાદ” એટલે અહિંસા વગેરે મહાન ધર્મના ખાટા દોષા બતાવવા તે. દૈવાના (તીથંકરના) અવર્ણવાદ” એટલે તેમની નિંદા કરવી તે. ૭૬૩ ૫. ચારિત્રમેાહનીય કર્મ કેવી રીતે બંધાય છે ?
ઉ. પોતે કષાય કરવા અને ખીજામાં પણુ કષાય પ્રગટાવવા. સત્યધર્મ ના ઉપહાસ કરવા, ગરીબ કે દીન માણસની મશ્કરી કરવી. વિવિધ ક્રીડાઓમાં પરાયણ રહેવું. વ્રનિયમ આદિમાં અણુગમે રાખવા. ખીજાને મેચેની ઉપજાવવી. પેાત શાકાતુર રહેવું. પેાતે ડરવું અને ખીજાને ડરાવવા. હિતકર ક્રિયા અને હિતકર આચારની ધૃણા કરવી અને ઠગવાની ટેવ.
૭૬૪ પ્ર. જ્ઞાનાવરણીય ક શું કરવાથી બધાય ?
ઉ. જ્ઞાનને ધારણ કરનાર જે જ્ઞાની છે તેમનુ વાંકુ ખાલે, તેમને વિઘ્નરૂપ બને, તેમની અશાતના કરે, તેમની સાથે દ્વેષ રાખે તા જીવ જ્ઞાન પામી શકતા નથી. જેમ જેમ ધ્યાનવિશુદ્ધિ થાય તેમ તેમ જ્ઞાનાવરણીયના ક્ષય થશે.
૭૬૫ પ્ર. જીવ જ્ઞાનની સન્મુખ યારે થાય ?
ઉ. એ જ્ઞાનાવરણીય કર્મની સ્થિતિ જે ઉત્કૃષ્ટી ત્રીશ ક્રોડાકોડી સાગા
જે આનત્ય છે, જે અસાર છે અને જે અશણુરૂપ છે તે આ જીવને પ્રીતિનું કારણ કેમ થાય છે તે વાત રાત્રિદિવસ વિચારવા યાગ્ય છે.
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૧૫
પમની છે, તેમાંથી ઘટીને છેક એક સાગરોપમની સ્થિતિની અંદર
આવી જાય ત્યારે જ્ઞાન વીતરાગ માર્ગની સન્મુખ થાય છે. ૭૬૬ પ્ર. જ્ઞાનાવરણીય કર્મ કેટલા પ્રકારનું છે ?
ઉ. એ કર્મ પાંચ પ્રકારનું છે. ૭૬૭ પ્ર. કયે પ્રકાર ઘટે તે જ્ઞાન થાય ? ઉ. પાંચ આવરણમાં છેલ્લું આવરણ ઘટે તે, ક્ષયે પશમ થાય, તે
સંપૂર્ણ જ્ઞાન થાય. ચારને ક્ષયોપશમ થાય તો છેલ્લા ક્ષય થાય. ૭૬૮ પ્ર. દર્શનાવરણીય કર્મ કેવી રીતે બંધાય છે ? ઉ. (૧) જે જીવોમાં વીતરાગ વાણીની શ્રદ્ધા છે, રૂચિ છે, પ્રેમ છે,
તેવા સાથે વરીપણું કરે, (ર) તેમની પાસેથી સમ્યક્ત્વ પામે હોય તે ના પાડે, (૩) તેમના ઉપર દેવ કષાય ભાવ રાખે, (૪) કઈ જીવને સમ્યક્ત્વ ગુણ પ્રાપ્ત કરતાં વિદન કરે, (૫) તેમની અશાતના કરે, (૬) અને તેમની સાથે વિવાદ કલેશ કરે, (૭)
જ્ઞાનીને વિષે જો કોઈ પણ પ્રકારે ધનાધિની વાંછા રાખવામાં આવે. ૭૬૯ પ્ર. શાતા વેદનીય કર્મ કેવી રીતે બાંધે છે ? ઉ. છો, પ્રાણુ ભૂત અને ગરીબ છે તેના ઉપર અનુકંપા કરે, તે
જીવોને દુઃખ ન આપે, શક, ઝરણા વિગેરે ન કરાવે તો જીવ
સ્વાભાવિક શાતા કર્મને બાંધે છે. અર્થાત દયા-રહેમ કરવાથી ને
દુઃખ-ત્રાસ વિગેરે ન આપવાથી જીવ શાતા પ્રાપ્ત કરે છે. ૭૭૦ પ્ર. જીવો અશાતવેદનીય કર્મ શાથી બાંધે છે ? ઉ. ઉપરના પ્રશ્નમાં કહ્યું તેથી વિરુદ્ધ વર્તવાથી જીવ અશાતાદનીય
કર્મ બાંધે છે. ૭૭૧ પ્ર. જીવો એવી શું પ્રવૃત્તિ કરે છે કે તેથી તેઓ નરકગતિમાં જાય છે?
ઉ. જીવો, ૧. ઘણી હિંસા કરે, ૨. બહુ જ પરિગ્રહ વધારેતૃષ્ણા
રાખે, ૩. ત્રસ જીવોને માંસાહાર કરે અને ૪. પંચેન્દ્રિય જીવોને
નાશ કરે તો જીવ નરકમાં જાય છે. ૭૭૨ ક. ત્યારે તિયચ ગતિમાં શું કરવાથી જાય ?
દેહ વિનાશી હુ અવિનાશી, આનંદમય છે મારું સ્વરૂપ.
Page #238
--------------------------------------------------------------------------
________________
૨૧૬
ઉ. છો, ૧. માયાકપટ કરે, ૨. જઠું બેલે, ૩. ખોટા તેલ ને માપ
રાખે, આથી છેવો તિર્યંચ ગતિમાં જાય છે. ૭૭૩ પ્ર. મનુષ્ય ગતિમાં શું કરવાથી જાય છે ? ઉ. ૧. જેઓ પ્રકૃતિના ભદ્રિક હોય, ૨. વિનયી અને નમ્ર હોય, ૩.
જેનામાં અનુકંપા અને દયા હોય, ૪. જેઓ અભિમાની અને
ગર્વિષષ્ઠ ન હોય, તેઓ મનુષ્ય ગતિનું આયુષ્ય બાંધે છે. ૭૭૪ પ્ર. દેવ ગતિમાં કયા છે જાય ? ઉ. જેઓ સંયમ પાળે છે પણ તેમને રાગ-મેહ છે, ૨. જેઓ ગૃહસ્થ
પણ શ્રાવક વ્રત પાળે છે, ૩. જેઓ અજ્ઞાન પણ બાલતપશ્ચર્યા અગાધ કરણી કરે છે અને સહે છે, ૪. તેઓ નિર્જરને જાણતા નથી પણ પરવશપણે ભૂખ, તૃષા, શીત, તાપ વિગેરે સહન કરે
છે. એટલે તેઓ સ્વર્ગમાં જાય છે. ૭૭૫ પ્ર. શુભ નામ કર્મ શું કરવાથી બંધાય અને અશુભ નામ કર્મ કેવી
રીતે વર્તવાથી બંધાય છે ? ઉ. છે જે શરીરને પ્રવર્તાવવામાં જુતા (અવક્રતા) રાખે, વાણીમાં
સરળ ભાવ રાખે, મનમાં પણ તેવી નમ્રતા રાખે અને કેાઈ સાથે વિવાદ-ઝઘડો ન કરે તે શુભ નામ કર્મ બાંધે છે અને શરીર, વાણી અને મનથી કુટિલતા સેવે, વક્રતા વિચારે તે દરેકની સાથે
ખોટા ઝઘડા-કલેશ કરે તે અશુભ નામ કર્મ બાંધે છે. ૭૭૬ ક. છ ઊંચ નેત્ર કેમ બાંધી શકે ? અને નીચ ગેત્ર કેમ બાંધે છે ? ઉ. જે છ જાતિ. કૂળ, બળ, રૂ૫ અને એશ્વર્ય વિષે અહંકાર કરે છે
એટલે જેઓ એવું માને છે કે, મારા જેવું રૂપ, કુળ કેઈનું ક્યાં છે? આ ગર્વે કરવાથી અવશ્ય નીચ ગોત્ર કર્મ બંધાય છે અને જેઓ એ પ્રમાણે ઉત્તમ મળવા છતાં વાણીમાં કે મનમાં જરા પણ ગર્વ લાવતા નથી અને નિસ્પૃહતા રાખે છે તેઓ ઊંચ ગોત્ર
બાંધે છે. ૭૭૭ પ્ર. અંતરાય કર્મ કેમ કરવાથી બંધાય છે ?
ઉ. જીવને પિતાને આત્મદાન-અભયદાન વગેરે જોઈએ છે તેમજ જીવને
આત્મ પરિણામ છે તે જ નિશ્ચયથી કમ છે.
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૧૭
લાભ, બેગ, ઉપભોગ જોઈએ છે, પરંતુ તે બાબતને પોતા તરફથી બીજા છ પ્રતિ વિરોધ થયો છે એટલે પોતે બીજા જીવને
આપવા દીધું નથી. તેથી જીવ અંતરાય કર્મ બાંધે છે. ૭૭૮ પ્ર. જીવને સ્વભાવ જ્ઞાન, દર્શન, ચારિત્રને છે અને નિશ્ચયનયથી
આત્મા કેવળ પિતાના શુદ્ધ ભાવને જ કર્તા છે તો પછી કર્મ
કેમ થાય છે ? ઉ. આત્મા જ્યારે વિભાવમાં વર્ત અને વિકાર કરે અને પોતાના શુદ્ધ
સ્વભાવની વિમુખ થઈ જાય ત્યારે તે અશુદ્ધ નિશ્ચયનયથી તેના વિભાને કર્તા કહેવાય છે. આત્માએ કર્મ બાંધ્યા નથી, કર્મ સ્વયં આવીને બંધાયાં છે. આત્માના અશુદ્ધ ભાવ કેવળ નિમિત્ત છે, તે પણ વ્યવહારનયથી આત્મા પગલકર્મોને કર્તા અથવા બાંધવાવાળે છે. એવી રીતે જ કુંભારને ઘડે બનાવનાર, સેનીને કડાને બનાવનાર, સ્ત્રીને રસોઈ બનાવનારી, દરજીને કપડાં સીવનાર કહેવાય છે. નિશ્ચયનયથી ઘડાને બનાવનારી માટી છે. કડાને બનાવનાર સોનું છે, રસોઈ બનાવનાર અન્નપાનાદિ સામગ્રી છે, કપડાં સીવનાર દેરો છે. કુંભરાદિ નિમિત્ત માત્ર છે.
“ચેતન જે નિજભાનમાં, કર્તા આપ સ્વભાવ; વર્ત નહિ નિજભાનમાં, કર્તા કર્મ–પ્રભાવ.” “છૂટે દેહાધ્યાસ તે, નહિ કર્તા તું કર્મ;
નહિ ભોક્તા તું તેહને, એ જ ધર્મને મર્મ.” ૭૭૯ પ્ર. પરદ્રવ્ય જીવને રાગદ્વેષ થાય છે ને ? ઉ. સ્વ પર જાણવું તે ઉપાધિ કે વિકારનું કારણ નથી. અજ્ઞાની કહે
છે કે પરદ્રવ્ય જાણવાથી રાગાદિ થાય છે એટલે પરદ્રવ્ય જાણવું નહીં, તે સ્વપર પ્રકાશક જ્ઞાનની સ્વચ્છતાને નથી જાણતા. જ્ઞાની તે જેને જાણે છે તેને જ્ઞાતાભાવથી જ જાણે છે અને તે જ વિતરાગી જ્ઞાન છે. (જ્ઞાની પદ્રવ્ય સાથે તન્મય થતા નથી
અથવા તેમને પરદ્રવ્ય સાથે એકત્વભાવ થતો નથી). ૭૮૦ પ્ર. શું ઈશ્વર પ્રેરણાથી કર્મો દરેક જીવને બંધાય છે ?
ઉદયને અબંધ પરિણામે ભેગવાય તે જ ઉત્તમ છે.
Page #240
--------------------------------------------------------------------------
________________
ઉ. ઈશ્વર જેવી કોઈ અલગ શક્તિ કે વ્યક્તિ નથી. દરેક શુદ્ધાત્મા
ઇશ્વર જ છે. શુદ્ધાત્મા પોતાના સ્વભાવમાં જ (જ્ઞાન, દર્શન વિગેરે). પરિણમન કરતો હોય છે. તેથી તે પોતે કર્મ બાંધે નહિ કે બીજાને.
બંધાવે નહિ. ૭૮૧ પ્ર. જીવને કર્મ ક્યારથી હશે અથવા કર્મ જીવને ક્યારે વળગ્યા ઉ, જીવ પ્રથમ કર્મરહિત હતા અને પછી કર્મ વળગ્યા છે, એમ
તો છે જ નહિ, ખાણમાંથી નીકળેલું તેનું જેમ માટીમાંથી જોડાયેલું છે, તેમ આત્મા છવ કર્મથી યુક્ત એટલે જોડાયેલ જ છે. શું કોઈ એમ કહી શકશે કે, સોનું પહેલું અને કર્મરૂપ માટી પછી વળગી છે ? અથવા માટી પહેલી હતી અને સાનું પછી તેને વળગ્યું છે ? સુવર્ણ અને માટી જેમ એકમેક છે તેમ જીવ અને
કર્મ એકમેક છે. ૭૮૨ પ્ર. જીવ અને કર્મ એકમેક હોય તે શું તે છવ કર્મથી મુક્ત થઈ
શકે ખરો કે નહિ ? ઉ. જીવ પોતે ધારે તે કર્મથી મુક્ત થઈ શકે છે. કષાયાદિ ક્ષીણ
થઈ શકે છે તેમજ જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય ભકત્યાદિ સાધનના બળે કર્મબંધ શિથિલ થઈ ક્ષીણ થાય છે માટે જ્ઞાન, દર્શન સંયમાદિ મોક્ષપદના ઉપાય છે.
“વી કાળ અનંત છે, કર્મ શુભાશુભ ભાવ, તેહ શુભાશુભ છેદતાં ઉપજે મોક્ષ સ્વભાવ”
જે જે કારણું બંધનાં, તેહ બંધને પંથ; તે કારણ છેદક દશા, એક્ષપંથ વસંત.
કાટિ વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતાં સમાય,
તેમ વિભાવ અનાદિ, જ્ઞાન થતાં દૂર થાય.” ૭૮૩ પ્ર. સમયે સમયે જીવને અનંતકર્મને વ્યવસાયી કહ્યો છે અને અનાદિ
કાળથી અનંતકર્મને બંધ કરતો આવ્યો છે, તો તેવાં અનંતકર્મ
નાગર સુખ પામર નવ જાણે, વલભ સુખ ન કુમારી; અનુભવ પણ તેમ ધ્યાન તણું સુખ, કોણ જાણે નર નારી રે.
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૧૯
નિવૃત્ત કરવાનું સાધન ગમે તેવું બળવાન હોય તો પણ અનંતકાળને પ્રજને પણ તે પાર પડે નહીં ? ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એક જીવને મોહનીય કર્મનું બંધન થાય તે સિતેર ક્રેડાડી સાગરેપમનું થાય, એમ જિને કહ્યું છે. પણ એવાં મેહનીય-કર્મ એક વખતે ઘણું બાંધે એમ ન બને. અનુક્રમે હજુ તે કર્મથી નિવૃત્ત થયા પ્રથમ બીજું તે જ સ્થિતિનું ન બાંધે, પણ બીજું ત્રીજું, ચોથું, પાંચમું, છે એમ સૌ એક મેહનીય કર્મના સંબંધમાં તે જ સ્થિતિનું બાંધ્યા કરે એમ બને નહીં, કારણ કે જીવન એટલે અવકાશ નથી. તેમ એક ભવમાં આગામિક કાળના
બે ભવનું આયુષ્ય બાંધે નહીં, એવી સ્થિતિ છે. ૭૮૪ પ્ર. જીવ પોતે ચેતનવંત છે અને કર્મ તે જડ છે, તો પછી જીવને
કર્મ કેવી રીતે વળગ્યાં ? ઉ. મન, વચન, કાયાના હલનચલનથી એક કષાયના ઉદયથી આત્માના
પ્રદેશ સકર્મી થાય છે તે વખતે આત્માની યેગશક્તિ ચારે તરફથી કર્મવર્ગણાઓ ખેંચી લે છે અને તેથી આત્મપ્રદેશ સાથે બંધ પડે છે અને ક્રોધાદિક કષા વડે તેમાં રસ પડે છે. યોગ તીવ્ર હોય તો કર્મવર્ગણાઓ અધિક આવે અને મંદ હોય તો ઓછી આવે.
ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ;
જીવવીર્યની ફુરણા, ગ્રહણ કરે જડધૂપ.” ૭૮૫ પ્ર. બધા કર્મમાં જબરજસ્ત કર્મ કર્યું હશે ? ઉ. મોહનીય કર્મ જબરજસ્ત છે. જીવ તેથી જ રખડે છે અને સાચા. માર્ગમાં આવતું નથી. તેમજ સંસારની મીઠાશ છૂટતી નથી.
ક” અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ, તેમાં મુખ્ય મેહનીય, હણાય તે કહું પાઠ, કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચરિત્ર નામ, હણે બેધ વીતરાગતા, અચૂક ઉપાય આમ.”
આસવમાં સવાર થાય એવી કોઈક રમત જ્ઞાની પુરુષ પાસે છે,
Page #242
--------------------------------------------------------------------------
________________
૧૦
૩૮.૬ . સંસારના છઠ્ઠા જન્મ, જરા, મૃત્યુ અને રાગાદિક દુ:ખો શાથી પામે છે?
ઉ. કરેલાં કર્મના ઉદયથી.
“એક રાંક ને એક નૃપ, એ આદિ જે ભેદ,
કારણ વિના ન કાર્ય તે, એજ શુભાશુભ વેદ્ય.”
૭૮૭ પ્ર. કર્મ રૂપે રહેલા પરમાણુ કાર્યને દશ્ય હેાય ?
ઉ.ક રૂપે રહેલા પરમાણુ કેવળજ્ઞાનીને દૃશ્ય છે તે સિવાયને ચાક્કસ નિયમ હોય નહીં. પરમાવધિવાળાને દશ્ય થવા સંભવે છે અને મન:પર્યં યજ્ઞાનીને અમુક દેશે દશ્ય થવા સંભવે છે.
૭૮૮ પ્ર. પરમાણુ એકબીજા ઉપર કેમ અસર કરે છે અથવા કેવા કર્મ બંધ થાય છે તે જાણી શકાય ?
. પરમાણુ પરમાણુને શરીરમાં લડતાં કાઇએ જોયાં નથી; પણ તેનુ પરિણામ વિશેષ જાણવામાં આવે છે. તાવની દવા તાવ અટકાવે છે એ જાણી શકીએ છીએ, પણ અંદર શું ક્રિયા થઈ તે જાણી શકતા નથી, એ દૃષ્ટાંત કર્મ બંધ થતા જોવામાં આવતા નથી, પણ વિપાક જોવામાં આવે છે.
૭૮૯ પ્ર. આત્માના પ્રદેશ કેટલા છે? અને શરીરમાં કયાં છે ?
ઉ. આત્મા અસંખ્યાત પ્રદેશ આખા શરીરમાં વ્યાપી રહ્યો છે. ૭૯૦ પ્ર. કર્મ પુદ્ગલેાના બંધ આત્માના કેટલા પ્રદેશને અને ક્યાં ક્યાં
થાય છે?
. જેમ દૂધમાં પાણી નાખીએ તે બધા દૂધમાં ભળી જાય છે, અને જેમ લેાઢાના ગાળાને અગ્નિમાં તપાવીએ તેા તેમાં અગ્નિ (ગરમી) સર્વ જગાએ ફેલાઈ જાય છે તેમ ક`પુદ્ગલા પણુ આત્માના સર્વ પ્રદેશા સાથે બંધાઈ જાય છે.
૭૯૧ પ્ર. કાઈક જીનને અધિક કર્મ બંધ થાય છે, કાઈને અપકર્મ બંધ, માત્ર નિર્જરા થાય છે. તેનુ કારણુ
અને કાઈને કર્મ બંધ ન થતાં શુ છે ?
ઉ. બંધ અને નિરાની યુનાધિકતા પરિણામ ઉપર છે, અભવ્ય
નહિ કે તુ' ઉપદેશકે, પ્રથમ લેહિ ઉપદેશ, સબસે ન્યારા અગમ હૈ, વેા જ્ઞાની કા દેશ.
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૨૧
જીવનાં પરિણામ સંકલેશરૂપ રહેતાં હોવાથી બંધ અધિક અને નિર્જરા ઓછી થાય છે. સમીપમુક્તિગામીનાં પરિણામ નિર્મળ હોવાથી બંધ છે અને નિર્જરા અધિક થાય છે. દુરભવ્યને મધ્યમ જાતિનાં પરિણામ હોવાથી બંધ અને નિર્જરા સરખાં હોય છે, તથા જીવન્મુક્ત અવસ્થામાં બંધને અભાવ થઈ માત્ર નિર્જરા જ થાય છે. આ બંધ અને નિર્જરાને ક્રમ જુદા જુદા જીવોની અપેક્ષાએ છે. સંસારમાં સામાન્યપણે કોઈપણ જીવ બંધ અને નિર્જરા વગરના હોતા નથી. સંસારમાં એવો કોઈ જીવ નથી કે જેને માત્ર બંધ જ થાય અને નિર્જરા બિલકુલ પણ ન થાય. ચૌદમે ગુણસ્થાને ફક્ત નિર્જરા જ હોય અને જરા પણ બંધન ન થાય. નિગોદના જીવના સંકલેશ પરિણામના સમયે પણ તેનાં અમુક કર્મોની સ્થિતિ પૂર્ણ થતાં તેના મેળે સ્વયં ખરી જતાં હોય છે, પણ તે પ્રકારની નિર્જરાના બળથી તે ઉપર નથી આવતો પણ તેના મંદ કષાયથી ઉત્પન્ન થયેલ વિશુદ્ધ રૂ૫ ચારિત્રથી થતી નિર્જરાના બળથી ઉપર આવે છે, તેનાથી ઊલટું મિથ્યા દષ્ટિને શુભભાવના સમયે નિર્જરા કહી છે, પરંતુ ત્યારે તે જ સમયે પણ ઘણું જ કમેને નવીન બંધ પણ થયા જ કરતા હોય છે. મિશ્યાદષ્ટિને નિર્જરા અલ્પ અને બંધ અધિક છે; તેથી આ૫ નિર્જરાની ઉપેક્ષા કરીને, ગૌણ કરીને, “તેને ફક્ત બંધ જ થાય છે એમ કહ્યું. જે નિર્જરા મોક્ષ માર્ગમાં કામ ન આવે તેનું શું પ્રયોજન ? કંઈ નહીં. નિગોદને ઓછામાં ઓછો ક્ષયોપશમવાળે અને તીવ્રથી તીવ્ર કષાયવાળે જે જીવ છે, તેને પણ ક્ષણે ક્ષણે અમુક કર્મોની સ્થિતિ પૂર્ણ થઈ (તેની મેળે
સ્વયં) નિર્જરા થતી જ રહેતી હોય છે, પણ તેની કઈ ગણના નથી, મૂલ્ય નથી, કારણ કે તે નિર્જરા પરિણામની વિશુદ્ધિના બળથી નથી થઈ, અર્થાત તે નિર્જરા તેને નિગોદમાંથી ઉપર લાવવામાં કારણ નથી બનતી. શુભ પરિણામના બળથી અજ્ઞાનીને જે નિર્જરા થાય છે, તે જો કે તેને વ્યવહારથી ઊંચે આવવામાં અર્થાત
હવે તે પરથી ખસ, સ્વમાં વસ-આટલું બસ,
Page #244
--------------------------------------------------------------------------
________________
૨૨
મનુષ્ય આદિ પર્યાય પ્રાપ્ત કરવામાં કારણભૂત થાય છે, તે પણ તે નિર્જરા મેક્ષમાર્ગરૂપ નથી. કષાયની મંદતા અનુસાર ચારિત્રની વિશુદ્ધતા હોય છે અને તે વિશુદ્ધતાથી જીવ નિગોદથી ઉપર ઉપર ચઢે છે પણ તે વિશુદ્ધિ જ્યારે ગ્રંથભેદ કરશે, ત્યારે જ મેક્ષ
માર્ગની તરફ જશે. ૧૭૯ર પ્ર. જે બે છોને ૧૪૮ કર્મ પ્રકાર (જુઓ પ્રશ્ન-૬૧૪), સંબંધી
સર્વ ભેદ-પ્રભેદની પ્રકૃતિ-પ્રદેશ–સ્થિતિ-અનુભાગ બંધ-બધા એક સમાન હોય તે તે બને છે ઉત્તરવત બીજી જ ક્ષણમાં
સમાન ભાવ કરશે કે ભિન્ન ભિન્ન પ્રકારથી ? ઉ. ભિન્ન ભિન્ન પ્રકારથી. ૧ ૭૯૩ પ્ર. બને જીવોની શક્તિ તે પૂરી છે અને આવરણ પણ બિલકુલ
એક સમાન છે, તો પછી ભાવ ભિન્ન ભિન્ન પ્રકારથી કેવી રીતે
કરી શકે છે ? ઉ. જીવ “અકારણ પરિણામિક દ્રવ્ય છે”, અર્થાત જીવ જેનું કઈ
કારણ નથી એવા ભાવથી સ્વતંત્ર રીતે પરિણમન કરવાવાળું દ્રવ્ય છે, એટલા માટે તેને પિતાના ભાવ સ્વાધીનતાથી કરવામાં વસ્તુતઃ કેણ રોકી શકે છે કેઈ નહીં. તે સ્વતંત્રતાથી પિતાનું
બધું જ કરી શકે છે. ૧૭૯૪ પ્ર. જુદા જુદા જીવોને બંધ અને નિર્જરા ભિન્ન ભિન્ન પ્રકારે હોય
પણ એક જ જીવને ભિન્ન પ્રકારે હોઈ શકે ? ઉ. એક જીવની અપેક્ષાએ વિચાર કરીએ તે મિથ્યાત્વ ગુણસ્થાનમાં
બંધ અધિક નિર્જરા ઓછી થાય છે, અવિરત સમ્યફદષ્ટિ આદિ ગુણસ્થાનેમાં બંધ છે અને નિર્જરા અધિક, મિશ્ર ગુણસ્થાનમાં બંધ અને નિર્જરા બંને સમાનરૂપમાં હોય, તથા ક્ષીણ કષાયાદિ ગુણસ્થાનમાં બંધને–સ્થિતિ અને અનુભાગ બંધને–અભાવ થઈ કેવળ નિર્જરા જ થાય છે. ત્યાં જે બંધ થાય છે તે માત્ર એક સાતવેદનીય હોય છે, તે પણ કેવળ પ્રકૃતિ અને પ્રદેશરૂપે.
ધન-કન-કંચન જસુખ સમ્બહિ સુલભ કર જાન દુર્લભ ભ સંસાર મેં એક યથારથ જ્ઞાન,
Page #245
--------------------------------------------------------------------------
________________
२२३
ક વણા શાથી બને છે, અને તેના કેટલા ભેદ છે ? ઉ. ખોંધયુક્ત જીવા કસહિત છે, અને કમ` નક્કી પુદ્ગલની રચનારૂપે છે. પરમાણુ અતિ સૂક્ષ્મ છે, ચોક્કસ પ્રકારના સરખા પરિણામે પરિણમેલા પરમાણુએના સમૂહથી વર્ગ થાય છે. વર્ગના સમૂહથી વણા થાય છે. વ ણુાના ૨૨ પ્રકાર મુખ્યપણે કહ્યા છે તેમાંની આહારવા, તેજસવા, ભાષાવા, મનાવા અને કા ટુવણા એ પાંચ જ વણા જીવને ગ્રાહ્ય છે અને તે ઉત્તરાત્તર વિશેષ વિશેષ સૂક્ષ્મ છે. બાકીની વ ણુાજીવને અમાદ્ય છે, તેમ જ સૂક્ષ્મ છે. આહારવણાથી ઔદારિક, વૈક્રિયિક અને આહારક શરીર બને છે. તેજસવાથી તેજસ શરીર બને, ભાષાવણાથી અવાજ બને, મનેવ ાથી મનની રચના બને અને કા ણવ ણાથી કાણુ શરીર ખને છે. (જુએ પ્રશ્ન ૩૨૩થી૩૨૯) મદતીવ્ર રસવાળાં કર્માદાના વિશિષ્ટ ન્યાસ (-જમાવ)રૂપ (અર્થાત્ વણાના સમૂહરૂપ) સ્પ`કા છે.
૭૯૬ પ્ર. કર્મચેતના અને કર્રફળ ચેતના એટલે શું તે સમાવેશ ? ઉ. રાગમાં બંધાયેલ ચેતના (આત્મદ્રવ્ય) જે રાગમાં એકત્વપણું માને
તા તે કચેતના કહેવાય છે. હવે જો ચેતના (આત્મદ્રવ્ય) હર્ષ, શાક, આદિમાં જોડાઈને એમાં એકત્વપણું માને તા તે કફળચેતના કહેવાય છે.
-૭૯૫ પ્ર.
૭૯૭ .
નસીબ, પ્રારબ્ધ, ઈશ્વરેચ્છા વગેરેના અર્થ શું?
ઉ. આ બધા શબ્દો સરખા ભાવના છે. ઇશ્વરેચ્છા એટલે સહજપણે જે કાંઈ થાય તે થાય છે, જે ન થાય તે ન થાય છે, તે વ્યરહિત છે; કતવ્યભાવ તેને વિષે વિલય પ્રાપ્ત છે. નસીબ, પ્રારબ્ધ એટલે પેાતાના કર્મીના ઉદય.
'૭૯૮ પ્ર. નિકાચિત કમેર્મો એટલે શું ?
ઉ. પૂર્ણાંક એ પ્રકારનાં છે, અથવા જીવથી જે જે કર્મ કરાય છે તે બે પ્રકારથી કરાય છે. એક પ્રકારનાં કર્મ એવાં છે કે જે પ્રકારે કાળાદિ તેની સ્થિતિ છે, તે જ પ્રકારે ભાગવી શકાય. બીજે
અધ સમય જીવ ચેતીએ, ઉય સમય શા ઉચાટ,
Page #246
--------------------------------------------------------------------------
________________
૨૨૪
પ્રકાર એ છે કે જ્ઞાનથી, વિચારથી કેટલાંય કર્મ નિવૃત્ત થાય. જ્ઞાન થવા છતાં પણ જે પ્રકારનાં કર્મ અવશ્ય ભેગવવાં યોગ્ય છે તે પ્રથમ પ્રકારનાં કર્મ કહ્યાં છે અને જે જ્ઞાનથી ટળી શકે છે તે બીજા પ્રકારના કર્મ કહ્યાં છે; નિકાચિત કર્મમાં સ્થિતિબંધ હોય તે બરોબર બંધ થાય છે. સ્થિતિકાળ ન હોય તે વિચારે, પશ્ચાતાપ, જ્ઞાનવિચારે નાશ થાય. સ્થિતિકાળ હોય તો ભગવ્ય
છૂટકે. ૭૯૯ પ્ર. મંત્ર, સિદ્ધિ, જાપ વગેરેથી ચમત્કાર સંભવે છે ? ઉ. મંત્રાદિથી, સિદ્ધિથી અમુક ચમત્કાર થવા અસંભવ નથી. પણ
નિકાચિત કર્મ કોઈ પ્રકારે મટી શકે નહીં, અમુક “શિથિલકર્મની’ કવચિત્ નિવૃત્તિ થાય છે, પણ તે કંઈ ઉપાર્જિત કરનારે વિદ્યા વિના નિવૃત્ત થાય છે એમ નહીં. આકારફેરથી તેનું વેદવું થાય છે. કોઈ એક એવું શિથિલ કર્મ છે કે જેમાં અમુક વખત ચિત્તની સ્થિરતા રહે તો તે નિવૃત્ત થાય તેવું કર્મ તે મંત્રાદિમાં સ્થિરતાના યોગે નિવૃત્ત થાય એ સંભવિત છે; અથવા કોઈ પાસે પૂર્વ લાભને કઈ એ બંધ છે કે જે માત્ર તેની કૃપાથી ફળીભૂત થઈ આવે, એ પણ એક સિદ્ધિ જેવું છે, તેમ અમુક મંત્રાદિના પ્રયત્નમાં હોય, અમુક પુર્વોતરાય ગુટવાને પ્રસંગ સમીપવત
હોય, તો પણ કાર્યસિદ્ધિ મંત્રાદિથી થઈ ગણાય. ૮૦૦ પ્ર. જે વેદનીય કર્મ અવશ્ય ભેગવવાં જ પડે તેમ હોય તે ઔષધ
લેવાથી વેદની દૂર થાય નહિ તે પછી ઔષધ લેવાને શું અર્થ છે ? ઉ. જે વેદનીય પર ઔષધ અસર કરે છે, તે ઔષધ વેદનીયને બંધ
વસ્તુતાએ નિવૃત્ત કરી શકે છે, એમ કહ્યું નથી, કેમ કે તે ઔષધ કર્મરૂપ વેદનીયને નાશ કરે તે અશુભ કર્મ નિષ્ફળ થાય અથવા
ઔષધ શુભ કર્મરૂપ કહેવાય પણ ત્યાં એમ સમજવું યોગ્ય છે કે તે અશુભ કર્મ વેદનીય એવા પ્રકારની છે કે તેને પરિણામાંતર પામવામાં ઔષધાદિ નિમિત્ત કારણરૂપ થઈ શકે. નિશ્ચય મુખ્ય દૃષ્ટિએ તે ઓસડ વગેરે કહેવા માત્ર છે. બાકી તે જે થવાનું
છે દેહાદિથી ભિન આમા રે, ઉપયોગી સદા અવિનાશ.
Page #247
--------------------------------------------------------------------------
________________
૫
હોય તે જ થાય છે. વેદનીય કર્મ એ નિરારૂપે છે, પણ દવા ધંત્યાદિ તેમાંથી ભાગ પડાવી જાય.
૮૦૧ પ્ર.
આખા મનુષ્ય દેહમાં કેટલા રાગ શાસ્ત્રમાં કહ્યા છે ? . આ મનુષ્યના શરીર વિષે એક એક ગુલમાં (રામમાં) છન્નુછન્નુરાગ હોય છે. તા બાકીના સમસ્ત શરીર વિષે કેટલા રાગ કહેવા એ સમજો. (આખા શરીરમાં પાંચ કરોડ અડસઠ લાખ નવ્વાણું હજાર પાંચસેા ચેારાથી રાગ રહેલા છે.)
૮૦૨ પ્ર. દેહના ઉપચાર આદિ કરી દેહની મમતા કરવી ચેાગ્ય છે ?
ઉ. દેહના કાઈ ઉપચાર કરવા પડે તે। તે ઉપચાર દેહના મમત્વાર્થ
કરવાની ઇચ્છાએ નહીં, પણ તે દેહે કરી જ્ઞાની પુરુષના માર્ગનું આરાધન થઈ શકે, આત્મક્લ્યાણનું સાધન થઈ શકે છે, તે લાભને અર્થે અને તેવી જ બુદ્ધિએ દેહની વ્યાધિના ઉપચારે પ્રવત વામાં ખાધ નથી. જે કંઈ તે મમતા છે તે અપરિણામિક મમતા છે, એટલે પરિણામે સમતા સ્વરૂપ છે.
૮૦૩ પ્ર. ઔષધ જો ફક્ત નિમિત્તરૂપ જ હોય તા જીવે તેનુ ગ્રહણ કરવું
નહિ ?
૧૫
ઉ. ઔષધાદિ વ્યવહારની પ્રવૃત્તિ એકાંતે નિષેધી ન શકાય. ગૃહસ્થ વ્યવહારમાં પણ પેાતાના દેહે વૈગાદિ થયે જેટલી મુખ્ય આત્મદૃષ્ટિ રહે તેટલી રાખવી અને આર્ત્ત ધ્યાનનું યથાદષ્ટિએ જોતાં અવશ્ય પરિણામ આવવા યોગ્ય દેખાય અથવા આત્ત ધ્યાન ઉપજતુ દેખાય તા ઔષધાદિ વ્યવહાર ગ્રહણ કરતાં નિરવદ્ય (નિષ્પાપ) ઔષધાદિની વૃત્તિ રાખવી. ત્યાગવ્યવહારમાં પણ એકાંતે ઉપચારાદિના નિષેધ જ્ઞાનીએ કર્યા નથી. મહત્. પુરુષે કેટલાક કારણવિષેશને ચાગ વ્યવહારદષ્ટિથી ગ્રહણ કરવા યોગ્ય ઔષાધાદિ આત્મમર્યાદામાં રહી ગ્રહણ કરતા, પરંતુ મુખ્યપણે તે પરમ ઉપશમને જ સર્વોત્કૃષ્ટ ઔષધરૂપે ઉપાસતા.
જિન ઈ” ‘‘જિનને” જે
આરાધે, તે સહી જિનવર હાવે રે.
ભૃંગી ઇલિકાને ચટકાવે તે, ભૃંગી જંગ જોવે રે.
Page #248
--------------------------------------------------------------------------
________________
૨૨૬ ૮૦૪ . કેટલાક રોગાદિ પર ઔષધાદિ અસર કરે છે અને કેટલાક ઉપર
નહીં તેનું શું કારણ છે? ઉ. કેટલાક રોગાદિ પર ઔષધાદિ સંપ્રાપ્ત થયે અસર કરે છે, કેમકે
તે રોગાદિના હેતુને કર્મબંધ કંઈ પણ તેવા પ્રકારનું હોય છે. ઔષધાદિ નિમિત્તથી તે પુદગલ વિસ્તારમાં પ્રસરી જઈને અથવા ખસી જઈને વેદનીયના ઉદયનું નિમિત્તપણું છોડી દે છે. તેવી રીતે નિવૃત્ત થવા યોગ્ય તે રોગાદિ સંબંધી કર્મબંધ ન હોય તે તેના પર ઔષધાદિની અસર થતી નથી, અથવા ઔષધાદિ પ્રાપ્ત થતાં
નથી, કે સમ્યફ ઔષધાદિ પ્રાપ્ત થતાં નથી. ૮૦૫ પ્ર. અમુક ઔષધાદિ તે પાપક્રિયાથી થયાં હોય છે તે તેવાં ઔષધાદિની
અસર કેવી રીતે થાય ? ઉ. તે ઔષધાદિ કંઈ પણ પાપક્રિયાથી થયાં હોય, તો પણ તેથી
પોતાના ઔષધાદિપણને ગુણ દેખાડ્યા વિના ન રહે, અને તેમાં થયેલી પાપક્રિયા પણ પિતાને ગુણ દેખાડયા વિના ન રહે, અને તેમાં કર્મબંધ થઈ યથા અવસર તે પાપક્રિયાનું ફળ ઉદયમાં આવે તે પાપક્રિયાવાળા ઔષધાદિ કરવામાં, કરાવવામાં તથા અનમેદન કરવામાં ગ્રહણ કરનાર જીવની જેવી જેવી દેહાદિ પ્રત્યે મૂછ છે, મનનું આકુળવ્યાકુળપાણું છે, આર્તધ્યાન છે, તથા તે ઓષધાદિની પાપક્રિયા છે, તે સર્વ પિતપોતાના સ્વભાવે પરિણમીને યથાવસરે
ફળ આપે છે. ૮૦૬ પ્ર. ધર્મી જીવ ત્રસ હિંસાવાળી દવા લે ?
ઉ. ના, (એવી વિદ્યા પણ તે ભણે નહિ.) ભયંકર રોગ થયો હોય,
માંસની એક કટકી કે ઈંડું ખાવાથી તે મટી જાય તેમ હોય-તય ધમી જીવ (અરે જિજ્ઞાસુ જીવ પણુ) પ્રાણ જાય તે પણ ખાય
નહિ. મધ પણ સર્વથા અભક્ષ્ય છે. ૮૦૭ ક. શું ધર્મ કરવાથી શરીરના રોગ ન મટે ? ઉ. શરીરના રોગ મટાડવા ધર્મનું કાર્ય નથી, પૂર્વનું પુણ્ય હોય તે
શરીર નીરોગી રહે છે. સનતકુમાર ચક્રવતીને દીક્ષા લીધા પછી
મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજા કામ કરેત, તેમ શ્રતધર્મ રે મન દૃઢ ઘરે, જ્ઞાનક્ષેપકવંત.
Page #249
--------------------------------------------------------------------------
________________
મહાન ધર્માત્મા થયા પછી પણ અનેક વર્ષો સુધી શરીરમાં રોગ રહ્યા અને શરીર ઉપર ધર્મની કોઈ અસર ન થઈ. ધર્મથી શરીર નીરોગી રહે એવું નથી. ધર્મની સાથે પુણ્ય અને શરીરાદિને સંબંધ જ નથી. મોક્ષમાર્ગમાં તે પુણ્યને પણ નિષેધ છે.
શુભ ભાવ કરતાં કરતાં ધર્મ થશે, એ માન્યતા જ ભૂલભરેલી છે. ૮૦૮ ક. ઋતુના ફેરફારથી શરદી થાય છે તેનું શું કારણ છે ? ઉ. (પગલવિપાકી કર્મને લીધે થાય છે) “પુગલવિપાકી” એટલે
જે કઈ બહારના પગલને સમાગમથી પુગલવિપાકપણે ઉદય આવે અને કેઈ બાહ્ય પુગલના સમાગમથી નિવૃત્ત પણ થાય; - જેમ ઋતુના ફેરફારના કારણથી શરદીની ઉત્પત્તિ થાય છે અને
તુફેરથી તે નાશ થાય છે; અથવા કોઈ ગરમ ઓસડ વગેરેથી
નિવૃત્ત થાય છે. ૮૦૯ પ્ર. વેદનીય કર્મના ઉદયમાં ભિન્ન ભિન્ન પ્રકારે કેમ વેદના થાય છે ? ઉ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવે બાહ્ય અને અત્યંતર પરિણમતાં
પરમાણુ જે ક્ષેત્રે વેદનારૂપે ઉદયમાં આવે ત્યાં એકઠાં થઈ ત્યાં તે રૂપે, પરિણમે, અને ત્યાં જેવા પ્રકારને બંધ હોય તે ઉદયમાં આવે. પરમાણુઓ માથામાં એકઠા થાય તે ત્યાં માથાના દુઃખાવાને
આકારે પરિણમે છે, આંખમાં આંખની વેદનાના આકારે પરિણમે છે. ૮૧. પ્ર. કેટલાક જીવે કર્મ પ્રમાણે વેદનાને અનુભવે છે. જ્યારે કેટલાક
છો તેથી જુદી રીતે વેદના અનુભવે છે. એ કેવી રીતે ? ઉ. જે જીવના જે કર્મોન સ્થિતિઘાત, રસઘાત, આદિ થાય છે, તે
જે પ્રકારે કર્મ બધેલ છે તેથી ભિન્ન પ્રકારે વેદને વેદે છે, અને જે જીવોના સ્થિતિઘાત, રસધાત આદિ થતા નથી તે જીવ જે
પ્રકારે કર્મ બાંધે છે તે પ્રકારે વેદના વેદે છે. ૮૧૧ પ્ર. છેવો થોડું જીવવાના કારણભૂત કર્મ કેવી રીતે બાંધે છે ?
“ધાર તલવારની સેહલી,
દોહલી ચૌદમા જિનતણી ચરણસેવા; ધાર પર નાચતા દેખ બાજીગરા,
સેવના ધાર પર, રહે ન દેવા.
Page #250
--------------------------------------------------------------------------
________________
૨૨૮ - ઉ. ત્રણ સ્થાને વડે જ થેડું જીવવાનું કારણભૂત કર્મ બાંધે છે.
હિંસા વડે, અસત્ય વાણી વડે તથા શ્રમણ-બ્રાહ્મણને સજીવ તથા
સદેષ (અકલ્પ, ન ખપે તેવું) અનપાનાદિ આપવા વડે. ૮૧૨ પ્ર. આગમાં, ધરતીકંપમાં, આગગાડી, જહાજના અકસ્માતમાં વગેરે
પ્રસંગે એકી સાથે ઘણુ માણસે એક જ સમયમાં મૃત્યુ પામે છે
તે કેવા કર્મના લીધે તેમ થતું હશે ? ઉ. એક કામ ઘણુ જણે મળીને કરે, જેમકે નાટક જુએ, ફાંસીની
શિક્ષા જુએ, રમત ખેલ જુએ, વેશ્યાના નાચ જો, મેળા, જાત્રા, મહત્સવ વગેરે પ્રસંગોમાં સામુદાણિયા ક્રિયા લાગે છે. આવા પ્રસંગમાં સર્વ મનુષ્યોને એકસરખા પરિણામ (વિચાર) થાય છે, તેથી એક સાથે કર્મના બંધ પડે છે અને તેનાં ફળ પણ આગમાં, અકસ્માતમાં, પ્લેગ મરકીને પ્રસંગે એક સાથે મરણ પામી,
ભગવે છે. ૮૧૩ પ્ર. ખૂન કરીને પણ અદાલતમાં છૂટી જાય છે તો તેનું શું નિકાચિત.
" કર્મ ઉત્પન્ન કર્યું નહિ હોય ? '' ' ઉ. મુખ્ય કરીને બંધ પરિણામાનુસાર થાય છે. કેટલાક બચાવના
કારણથી અને સાક્ષી આદિના અભાવથી રાજનીતિના ધોરણમાં–તે. કર્મ કરનાર મનુષ્ય છૂટી જાય તેથી કાંઈ તેને બંધ નિકાચિત. નહિ હોય એમ સમજવા યોગ્ય નથી, તેના વિપાકને ઉદય થવાને વખત દૂર હોય તેથી પણ એમ બને. વળી કેટલાક અપરાધમાં રાજનીતિના ધોરણે (નિર્દોષને પણ) શિક્ષા થાય છે, તે શિક્ષા કેઈ આગળ ઉત્પન્ન કરેલા અશુભ કર્મના ઉદયરૂપ પણ હોય છે; અને વર્તમાન (શુભ અશુભ) કર્મ બંધ સત્તામાં પડ્યા રહે છે, જે
યથાવસરે વિપાક આપે છે. ( ૮૧૪ પ્ર. ધર્મના વક્તા થતાં લાભ કે દેષ શું ? '
ઉ. વક્તા થઈ એક પણ જીવને યથાર્થ માર્ગ પમાડવાથી તીર્થકર
ગોત્ર બંધાય છે અને તેથી ઊલટું કરવાથી મહામહનીય કર્મ
જે જીવ છે તે મરતે નથી અને જે મરે છે તે સદા ! જીવિત રહેતો નથી, અર્થાત્ આત્મા અવિનાશી છે અને શરીર વિનાશી છે.
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૯
બંધાય છે. યથાર્થ સ્વરૂપ સમજ્યા વિના અથવા પેાતે જ ખાલે છે તે પરમાથે યથાર્થ છે કે કેમ તે જાણ્યા વિના, સમજ્યા વિના જે વક્તા થાય તે અનંત સંસારને વધારે છે. માટે જ્યાં સુધી આ સમજવાની શક્તિ થાય નહિ ત્યાં સુધી મૌન રહેવું સારું છે. નહિ તા અનાચાર દોષ લાગે છે. આ વિષય પરત્વે “ઉત્તરા ધ્યેયનસૂત્ર”માં અનાયાર નામે અધિકાર છે.
૮૧૫ પ્ર. ઘેલછા” આદિ કર્મ પ્રકૃતિના પર્યાય છે ?
ઉ. ઘેલછા” એ ચારિત્રમેહનીયના વિશેષ પર્યાય છે. કવચિત્ હાસ્ય, કવચિત્ શાક, કવચિત્ રતિ, કવચિત્ અતિ, કચિત્ ભય અને કવચિત્ જુગુપ્સારૂપે તે જણાય છે. ક'ઈ અંશે તેના જ્ઞાનાવરણીયમાં પણ સમાસ થાય છે. સ્વપ્નમાં વિશેષપણે જ્ઞાનાવરણીયના પર્યાય જણાય છે.
૮૧૬ પ્ર. શૈલેશી અવસ્થા કેને કહે છે ?
ઉ. શીલ + ઇશ. શીલ એટલે સમાધિ, ઈશ એટલે મેાટી, છેવટની સમાધિ, બીજો અથ શિલા=પત્થર, ઈશ-મેાટા. મેરુપર્યંત જેવી અડગ સમાધિ. શૈલેશી અવસ્થા એટલે અડેલ અવસ્થા-મનયાગ, વચનયાગ, ફાયાચાગ અને શ્વાસેાવાસ રૂંધી તે આત્મા સાવ નિષ્કપ મને છે. જૈનદર્શનમાં આવી સ્થિતિ નિષ્કર્મ યાગીશ્વરની થાય છે અને આવી ઉચ્ચ દશા પામ્યા પછી તરત જ તે આત્મસિદ્ધ, યુદ્ધ અને મુક્ત થાય છે. શૈલેશીકરણ ૧૪મા ગુણસ્થાને થાય છે. વળી ભગવાનને દેહ છેડતી વખતે એ સમાધિ હોય છે. માત્ર અ ઈ ઉ ઋ ? એ પાંચ હસ્વ સ્વર ખાલીએ એટલા જ વખત એ રહે છે
***
યાન વડે અભ્યંતરે, રૃખે જે અશરીર; શર્મજનક જન્મે ટળે, પીએ તંજનની ક્ષીર,
Page #252
--------------------------------------------------------------------------
________________
૧૧
મિથ્યાત્વ
૮૧૭ પ્ર. મિથ્યાત્વ એટલે શું ?
ઉ. જીવને ખાટી-અસત્ય સમજણુ. પેાતાનું નહીં તેને પોતાનું માને તે મિથ્યાત્વ છે. ક્લ્યાણને અકલ્યાણ અને અકલ્યાણુને કલ્યાણ સમજે તે મિથ્યાત્વ. સાચી શ્રદ્ધા ન થાય અને વાદિ તરવાની મિથ્યા શ્રદ્ધા મિથ્યાત્વ છે.
૮૧૮ પ્ર. ઘણા વિદ્વાન લેાકેા જગતના જીવાને બહુ સરસ રીતે સમજાવી શકે. છે તે! શું તેમને મિથ્યાત્વજ્ઞાન કહેવાય ?
ઉ. લેાકેા પોતાને ગમે તેટલા હોંશિયાર અને અભ્યાસી માને અને શાસ્ત્રો વાંચી વાક્ચાતુર્ય વડે ખીજા ઉપર હેાંશિયારીની છાપ પાડે પણ સત્ય જ્ઞાન જ્યાં ન હોય અથવા વીતરાગ દર્શન કહે છે તેમ જીવ, ક, જગત, પરભવ, મેાક્ષ વગેરેનું સ્વરૂપ યથાતથ્ય ન સમજે, શ્રદ્ધે, સ્વીકારે અને આચરે તા તે અજ્ઞાન મિથ્યાત્વમાં છે. તેમના
સંસાર ભ્રમણ ક્ષય થાય નહીં.
૮૧૯ ગ્રં. ધારા કે તે મિથ્યાત્વ છે તા તેથી જીવને નુકસાન શું ?
ઉ. એ મિથ્યાત્વ જ જીવને સંસાર વધારવામાં પ્રબળ જબરજસ્ત કારણ છે. કારણ એ અજ્ઞાન–અવિદ્યા અવળા મિથ્યાત્વથી જીવને સાચાનું ખાટુ કહે, ખાટાને સાચું કહે, ધમઁને અધર્મ કહે, અધ ને ધ કહે, બંધને મેાક્ષ કહે, કને માને નહિ, પરભવના ઈન્કાર કરે, વૈરાગ્યની અવગણુના કરે, સદ્ગુણી સજ્જનને દુર્ગુણી કહે એમ
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૩૧
આ જગતનાં જીવો અવળી બુદ્ધિથી પિતાનું અને પરનું અહિત કરી રહ્યા છે. લાખ છની હિંસાના પાપથી પણ મિથ્યાદર્શનનું
પાપ અનંતગણું છે. ૮૨. પ્ર. આવા મિથ્યાત્વ જ્ઞાનવાળા છે કેણુ કાણુ છે અથવા કયાં
ક્યાં છે ? ઉ, આવા જ ચારે ગતિમાં અને વીસે દંડકમાં છે. આ મિથ્યાત્વ
જ્ઞાનવાળા જીવો પૃથ્વી, પાણી વગેરે પાંચ એકેન્દ્રિય, ત્રણ વિકલેન્દ્રિય,
સમૂચિઈમ, તિર્યંચ, મનુષ્યમાં છે. ૮૨૧ પ્ર. ત્યારે એ મિથ્યા જ્ઞાન શાથી મટે ? ઉ. સમ્યકત્વ જ્ઞાનની પ્રાપિત થાય તે એ મિથ્યાત્વ છૂટે. મિથ્યાત્વને.
અભાવ ફક્ત આત્માની સાચી શ્રદ્ધાથી જ થાય છે. ૮૨૨ પ્ર. ક્યા જીવ સ્થાનકે એ સમ્યફજ્ઞાન થાય છે ?
ઉ. ચતુર્થ છવ સ્થાનકે એ સમ્યફજ્ઞાન થાય છે. ૮૨૩ પ્ર. મિથ્યાદર્શનના કેટલા પ્રકાર છે?
ઉ. તેના બે પ્રકાર છેઃ (૧) અગૃહીત મિથ્યાત્વ અને (૨)ગૃહીત મિથ્યાત્વ૮૨૪ પ્ર. અગૃહીત મિથ્યાત્વ કોને કહે છે ? ઉ. વ દ્રવ્યનું કાંઇ કરી શકે કે શુભ વિક૯પથી આત્માને લાભ થાય.
એવી અનાદિથી ચાલી આવતી માન્યતા તે મિથ્યાત્વ છે અને તે
કેઈના શીખવવાથી થયું નથી માટે અગૃહીત છે. ૮૨૫ પ્ર. ગૃહીત મિથ્યાત્વ એટલે શું ? ઉ. જન્મ થયા પછી પરોપદેશના નિમિતથી જીવ જે અતરવશ્રદ્ધા
ગ્રહણ કરે છે તે ગૃહીત મિથ્યાત્વ કહેવાય છે. જેને ગૃહીત મિથ્યાત્વ
હોય તેને તે અગૃહીત મિથ્યાત્વ હોય જ. ૮૨૬ પ્ર. ગૃહીત મિથ્યાત્વ જાય તે અગૃહીત મિથ્યાત્વ પણ જતું રહે ને ?
ઉ. ગૃહીત મિથ્યાત્વ ટળી જવાથી અહીંત મિથ્યાત્વ પણ ટળી ગયું
હશે એમ નથી. ગૃહીત ટળી જવાથી અગૃહીત મિથ્યાત્વ ટકી પણ રહી શકે અને ટળી પણ જાય. પરંતુ ગૃહીત મિથ્યાત્વના અસ્તિત્વ અથવા હાજરીમાં અગ્રહીત મિથ્યાત્વ તો ટળી ન જ શકે તથા
રાખ્યું કંઈ રહેતું નથી, અને મૂકયું કંઈ જતું નથી,
-
-
-
-
-
Page #254
--------------------------------------------------------------------------
________________
૨૩૨
જેનું અગૃહીત મિથ્યાત્વ ગયું છે, તેનું ગૃહીત મિથ્યાત્વ હોય
જ નહીં. ૮૨૭ પ્ર. ગૃહીત મિથ્યાત્વને કેટલા ભેદ છે ? ઉ. તેના પાંચ ભેદ છે. (૧) એકાંત મિથ્યાત્વ, (૨) વિપરીત મિથ્યાત્વ,
(૩) સંશય મિથ્યાત્વ, (૪) અજ્ઞાન મિથ્યાત્વ, (૫) વિનય મિથ્યાત્વ. ૮૨૮ અ. મિથ્યાત્વના પાંચ પ્રકાર વિગતે સમજાવે. ઉ. (૧) એકાંત મિથ્યાત્વ : આત્મા અને પગલાદિ દ્રવ્યમાં અનેક
સ્વભાવ છે, તેમાંથી એક જ સ્વભાવ છે એમ આગ્રહ કરો તે એકાંત મિથ્યાત્વ છે. જેમ કવ્ય મૂળ સ્વભાવની દૃષ્ટિએ નિત્ય છે અને પર્યાય (અવસ્થા) બદલવાની અપેક્ષાએ અનિત્ય છે. તેમ નિત્ય અનિત્યરૂ૫ વસ્તુ છે, તેવી ન માનતાં એમ હઠ
કરવી કે વસ્તુ નિત્ય જ છે. (૨) વિનય મિથ્યાત્વ: પરીક્ષા કર્યા વગર તત્વ અને સુતત્વ બંનેને
એક સરખાં માની આદર કરે. જેમ વીતરાગ સર્વજ્ઞ દેવ અને અલ્પજ્ઞ રાગી દેવ બંનેને સરખા સમજી બંનેની ભક્તિ
કરવી. (૩) અજ્ઞાન મિથ્યાત્વ : તને જાણ્યા વગર દેખાદેખી કોઈ
પણુ તત્ત્વને માની લેવું તે અજ્ઞાન મિથ્યાત્વ. જેમ જલસ્નાનથી ધર્મ થાય છે એમ માની લેવું. પદ્માવતી દેવી,
ક્ષેત્રપળ, વગેરેની માન્યતા કરવી. (૪) સંશય મિથ્યાત્વ: સુતત્વ અને કુતત્વને નિર્ણય ન કરવી
અને સંશયમાં રહેવું. (૫) વિપરીત મિથ્યાત્વ : જે ધર્મ ન હોઈ શકે તેને ધર્મ માની ' લેવો. જેમ પશુયામાં ધર્મ માનવો. શરીરને આત્મા માનો.
પુણ્યથી અર્થાત્ શુભરાગથી ધર્મ માન. ૮૨૯ પ્ર. મિથ્યાત્વને ગુણુ સ્વભાવ કેવો છે ? - ઉ. મિથ્યાત્વનું લક્ષણ એ છે કે, તેને અવિદ્યામાં દુબુદ્ધિમાં કષાયમાં
| તીર્થકર ગૌતમ જેવા જ્ઞાની પુરુષને પણ સંબોધતા ' હતા કે સમય માત્ર પણ પ્રમાદ યોગ્ય નથી,
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૩૩
અને વિષયમાં અનન્ય આનદ મળે છે. આ દૈહિક સુખ–આ ભવ આંખે દેખાય તેટલી વસ્તુ સિવાય બીજી વસ્તુ સમજાતી નથી. પુણ્ય–પાપની કલ્પના, સ્વર્ગ નરકની વિચારણા, લેાકને મેાક્ષ વગેરે બાબતની હકીકત મુખથી કે શાસ્ત્રીય રીતે ચાલે છે તે બધુ લેાકાએ કે ખ્રુદ્ધિમાન લોકોએ ઉપજાવી કાઢયું છે. દુઃખ-સુખ, સૌભાગ્ય-દુર્ભાગ્ય, પ્રિય-અપ્રિય વગેરે જે દેખાય છે તે માનુષ્મિક, બુદ્ધિ કે પ્રયત્નને લઈને છે, પરંતુ તે પૂષ્કૃત કર્મનુ કાર્ય (ફળ) છે એમ નથી. આવા વિચારાની શ્રેણીમાં રહેવુ' તે જ મિથ્યાત્વ છે. ૮૩૦ પ્ર. વિપસ બુદ્ધિ કાને કહે છે ?
ઉ. ગૃહકુટુંબ પરિગ્રહાદિ ભાવને વિષે જે અહંતા
મમતા છે અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ પ્રસંગમાં જે રાગદ્વેષ કષાય છે, તે જ વિપર્યાસદ્ધિ છે.
૮૩૧ પ્ર. સાત વ્યસન કયાં છે.
ઉ. (૧) જુગટુ, (૨) માંસ, (૩) મદિરા, (૪) વેશ્યાગમન, (પ) શિકાર, (૬) ચેરી, (૭) પરસ્ત્રીગમન.
એ સપ્ત વ્યસનના ત્યાગ કરવા.
૮૩૨ પ્ર. સાત અભક્ષ્ય પદાર્થ કાને કહ્યા છે?
ઉ. મધ, માખણ, વડના ટેટા, પીપળના ટેટા, પીપરના ટેટાં (પાપડી), ઉમરડાં, અજીર્ એ સાતે અભક્ષ્યના ત્યાગ કરવા. જીહવા ઇન્દ્રિયમાં આશક્ત થાય તા પછી એને જીભ ન મળે, એ કન્દ્રિય થાય. એ સાત અભક્ષ્યમાં વધારેમાં વધારે પાપવાળું મધ છે. મધ એ માખીની વિષ્ટરૂપે છે તેમાં નિરંતર વિષ્ટાની પેઠે જીવા ઉત્પન્ન થયા કરે છે એક ટીપું મધ ચાખે તેને સાત ગામ બળતાં જેટલાં માણસા, બાળક, પશુ, જંતુઓ મરી જાય તેથી વધારે પાપ લાગે છે. જો હું કાઈ કાઈ જગ્યાએ બાવીસ અભક્ષ્ય કહ્યાં છે. (જુએ પ્રશ્ન-૩૨૨) ૮૩૩ પ્ર. ખત્રીશ અનંતકાય વસ્તુએનાં નામ આપે ?
ઉ. ૧. સૂરણ ૨. લસણુ ૩. લીલીહળદર ૪. બટાટા પ. લીલે। સુરા ૬. સતાવરી ૭. કીરલી કંદ ૮. કુંવર ૯. થાર ૧૦. ગળા ૧૧.
જેની પાસેથી ધમ માગવે, તે પામ્યાની પૂર્ણ ચાકસી કરવી એ વાકયને સ્થિર ચિત્તથી વિચારવું,
Page #256
--------------------------------------------------------------------------
________________
સકરીયા ૧૨. વાંસ-કારેલા ૧૩. ગાજર ૧૪, લુણી ૧૫. લેઢી ૧૬. ગિરિકર્ણિકા (ગરમર) ૧૭. કુમળાં પાંદડા ૧૮. ખરસૈયો ૧૯. Bગની ભાજી ૨૦. લીલી મોથ ૨૧. લુણીના ઝાડની છાલ ૨૨. ખીલોડા ૨૩. અમૃતવેલી ૨૪. મૂળાના કંદ ૨૫. બિલાડીના ટોપ ૨૬. નવા અંકુર ૨૭ વર્ચ્યુલાની ભાજી ૨૮. સુવરવેલ ૨૯, પાલકની ભાજી
૩૦. કુણી આંબલી ૩૧. રતાળુ ૩૨. પીંડાળુ. ૮૩૪ પ્ર. બાહ્ય સામગ્રી અનુસાર સુખ-દુઃખ છે એ માન્યતા ખરી છે ? ઉ. ના, પરદ્રવ્યરૂપ બાહ્ય સામગ્રી અનુસાર સુખ-દુઃખ નથી પણ
કષાયથી ઈચ્છા ઉત્પન્ન થાય તથા ઈચછાનુસાર બાહ્ય સામગ્રી. મળે અને કંઈક કષાય ઉપશમવાથી આકુળતા ઘટે ત્યારે સુખ. માને છે, અને તેનાથી વિરુદ્ધ થતાં દુઃખ માને છે. પરદ્રવ્યના નિમિત્તથી સુખદુઃખ માનવું એ ભ્રમ જ છે. ભ્રાંતિ પરના લક્ષ થાય છે, પરના કારણે નહીં, જે પર વસ્તુને જ ન માને, તેની ભ્રાંતિ જવાને કઈ પ્રસંગ જ બને નહીં. અને જે પર વસ્તુના કારણે ભ્રાંતિ માને છે તેની પણ ભ્રાંતિ ટળી શકતી નથી. જગતમાં હું સ્વ છું અને પર પણ છે. તેમાં સ્વ અને પરની એકતા બુદ્ધિને કારણે જ ભ્રાંતિ છે, અને ભ્રાંતિ મટાડવા માટે સ્વ અને.
પરની એકતા બુદ્ધિ મટાડવી જોઈએ. ૮૩૫ પ્ર. જૈનમતમાં પણ દેવ, દેવીઓ, યક્ષ, આદિની પૂજા કાર્યકારી છે ?: ઉ. ના, આવી પૂજા અજ્ઞાનતા છે, વિપરીત પ્રવૃત્તિરૂપ માન્યતા છે,
અને તેથી કાર્યકારી નથી. ૮૩૬ પ્ર. કાર્યકારી ભલે ન હો ! પણ તેને માનવાથી કાંઈ બગાડ તે.
થતા નથી ? ઉ. જે બગાડ ન થતા હોય, તે શા માટે નિષેધ કરે છે પરંતુ તેમને
માનવાથી એક તે મિથ્યાત્વાદિક દઢ થવાથી મોક્ષમાર્ગ દુર્લભ થઈ જાય છે, અને એ માટે બગાડ છે. બીજુ, એનાથી પાપબંધ. થાય છે. એ પ્રમાણે તીવ્ર મિથ્યાત્વાદિભાવ થતાં, મોક્ષમાર્ગ અતિ દુર્લભ થઈ જાય છે. તેથી એ મિથ્યાત્વને સાત વ્યસનાદિથી પણ મહાન પાપ જાણી પહેલાં છોડાવ્યું છે.
આતમભાવના ભાવતાં, જીવ લહે કેવળ જ્ઞાન રે,
Page #257
--------------------------------------------------------------------------
________________
૩૫
૮૩૭ ક. ફરાળિયે ઉપવાસ, રેઝાં ઈત્યાદિથી ધર્મ થાય છે? ઉ. વ્રતાદિ કરીને હિંસાદિક વા વિષયાદિ વધારે છે; પણ વ્રતાદિક તે.
એ હિંસા-વિષયાદિ ઘટાડવા માટે કરવામાં આવે છે. જ્યાં અને તે ત્યાગ કરે પણ કંદમૂળાદિકનું ભક્ષણ કરે, તે ત્યાં હિંસા વિશેષ થઈ, તથા સ્વાદાદિ વિષયની વિશેષતા થઈ. વળી કેઈ, દિવસમાં તે ભોજન કરે નહિ, પણ રાત્રિમાં ભેજન કરે છે, હવે ત્યાં દિવસ ભેજનથી રાત્રિ ભેજનમાં વિશેષ હિંસા પ્રત્યક્ષ દેખાય છે, તેથી પ્રમાદ વિશેષ થાય છે. વળી કોઈ વ્રતાદિક કરીને નાના પ્રકારના શૃંગાર બનાવે છે, કુતૂહલ કરે છે તથા જુગાર આદિરૂપ પ્રવર્તે છે, ઇત્યાદિ પાપક્રિયા કરે છે. એ પ્રમાણે વ્રતાદિકમાં ધર્મ માને છે, તે
કુધર્મ છે. ૮૩૮ પ્ર. શંકર, બ્રહ્મા, વિષાણુ, સૂર્ય, અગ્નિ, ભવાની, પેગમ્બર, ઈસુ ખ્રિસ્ત
ઇત્યાદિની ભકિતથી છવ મેક્ષ પામે ? ઉ. ના; તેઓની ભક્તિથી તેઓ મેક્ષ પામે નહીં. જેઓને તેઓ પરમેશ્વર
કહે છે તેઓ કાંઈ મોક્ષ પામ્યા નથી; તો પછી ઉપાસકને એ મેક્ષ ક્યાંથી આપે ? શંકર વગેરે કર્મક્ષય કરી શક્યા નથી અને.
દુષણ સહિત છે, અને એથી તે પૂજવા એગ્ય નથી. ૮૩૯ પ્ર. જીવને દુઃખની નિવૃત્તિ શાથી થાય ?
ઉ. દુઃખની નિવૃત્તિ રાગદ્વેષ અને અજ્ઞાનાદિ દેષની નિવૃત્તિ થયા.
વિના થવી સંભવિત નથી. તે રાગાદિની નિવૃત્તિ એક આત્મજ્ઞાન સિવાય બીજા કેઈ પ્રકારે ભૂતકાળમાં થઈ નથી, વર્તમાનકાળમાં થતી નથી, ભવિષ્યકાળમાં થઈ શકે તેમ નથી, તેને સર્વશ્રેષ્ઠ,
ઉપાય સદ્ગુરુવચનનું શ્રવણવું કે સલ્ફાસ્ત્રનું વિચારવું એ છે. ૮૪૦ પ્ર. વિભાવ એટલે શું ? વિભાવ થવાથી શું થાય છે ? ઉ. ભાવકર્મનું બીજું નામ વિભાવ કહેવાય છે. ભાવકર્મના હેતુથી,
જીવ પુદગલ રહે છે. તેથી તૈજસાદિ શરીર અને દારિકાદિ. શરીરને વેગ થાય છે. ભાવકર્મથી વિમુખ થાય તે નિજભાવ
મૌનપણાને અર્થ એવો કરે કે અંતરને વિષે વિકપ, ઉતાપ અમુક અમુક વેપાર કરવા વિષેના કર્યા ન કરવા,
Page #258
--------------------------------------------------------------------------
________________
૨૩૬
પરિણામી થાય. સમ્યફદર્શન વિના વાસ્તવિકપણે જીવ ભાવકર્મથી વિમુખ ન થઈ શકે. સમ્યફદર્શન થવાને મુખ્ય હેતુ જિનવચનથી
તત્વાર્થ પ્રતીતિ થવી તે છે. -૮૪૧ પ્ર. “વિભાવ” એટલે “વિરુદ્ધભાવ” ને ?
ઉ. “વિભાવ” એટલે “વિરુદ્ધભાવ” નહીં, પરંતુ “વિશેષભાવ.” આત્મા
આત્મારૂપે પરિણમે તે “ભાવ” છે, અથવા “સ્વભાવ” છે. જ્યારે આત્મા તથા જડને સંગ થવાથી આત્મા સ્વભાવ કરતાં આગળ જઈ “વિશેષભાવે” પરિણમે તે “વિભાવ” છે. આ જ રીતે જડને
માટે પણ સમજવું. ૮૪ર પ્ર. નિર્વિકલ્પ દશા એટલે શુન્ય દશાને? સ્વદ્રવ્ય અને પરદ્રવ્યને
વિશેષપણે જાણવાં તે વિકલ્પ છે ને ? ઉ. સ્વદ્રવ્ય કે પરદ્રવ્યને વિશેષપણે જાણવાં તેનું નામ વિકલ્પ નથી.
રાગદ્વેષ સહિત કોઈ પણ રૂમને જાણવામાં ઉપયોગ પ્રેરવો, વારંવાર ઉપયોગને અસ્થિર કરવો તેને વિક૯પ કહે છે. વીતરાગપણે જે જાણે તો યથાર્થ જાણે છે. અન્ય સેય પદાર્થોને જાણવા ઉપયોગ પલટાવ્યા ન કરે ત્યાં નિર્વિકલ્પ દશા જાણવી. જેટલે કાળ એક પદાર્થમાં વીતરાગપણે જાણવામાં જાય તેટલે કાળ નિર્વિકલ્પ દશા કહી છે. વિચાર માત્ર (પર્યાય) રોકાય તે જડપણું પ્રાપ્ત થાય. પણ રાગદ્વેષ વશ ઉપયોગ પલટાવે તે વિકલ્પ છે. વીતરાગપણે ઉપયોગ
એક પદાર્થમાં રોકાય તે નિર્વિકટપતા છે. ૮૪૩ પ્ર. દંડ, શલ્ય, ગર્વ અને સંજ્ઞા એટલે શું અને તે કેટલા પ્રકારના છે? ઉ. દડા ત્રણ છે. મનદંડ, વચનદંડ, કાયાદંડ. મન, વાણી અને કાયાની અસત્ પ્રવૃત્તિ તે દંડ (તેનાથી આત્મા દંડાતા હોવાથી).
શલ્ય પણ ત્રણ છે. માયાશલ્ય, નિદાનશલ્ય અને મિથ્યાદર્શનશલ્ય. એટલે દંભ, ભોગની લાલસા અને સત્ય ઉપર શ્રદ્ધાને અભાવ, અથવા અસત્યને આગ્રહ. સરલતારહિત થઈ કપટ કરવું તે માયાશલ્ય છે. પુણ્યના ફળની વાંછા, ઈચ્છા રાખવી તે નિદાનશલ્ય
પ્રમાદને તીર્થંકરદેવ કર્મ કહે છે, અને અપ્રમાદને તેથી બીજું એટલે અકર્મરૂપ એવું આત્મસ્વરૂપ કહે છે.
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૩૭
છે. પુણ્યથી સુખ (મેક્ષ) માનવું તે મિથ્યાત્વશલ્ય છે. (શલ્ય. કાંટાની પેઠે જ્યાં સુધી શરીર-મનમાં ભેંકાયેલાં હોય ત્યાં સુધી. શરીર-મનને અસ્વસ્થ કરી દઈ, આત્માને કોઈ કાર્યમાં એકાગ્ર ન થવાં દેતાં હોવાથી) આ ત્રણ શલ્યોથી મહાવ્રતાને ઘાત થાય છે.
ગર્વ ત્રણ પ્રકારે છે ઋદ્ધિગર્વ, રસગર્વ અને શાતા ગર્વ. જે આ સઘળું તજે તે સંસારમાં નિત્ય પરિભ્રમણ કરતા નથી. ઋદ્ધિગર્વ હોય તો એમ થાય કે અમારા જેવા મોટા કાઈ નથી. રસગર્વ હોય તે એમ થાય કે અમે તો એવું ન ખાઈએ, સારું સારું જ ખાઈએ. શાતા ગર્વ હોય તો એમ કહે કે મને નખમાંય રેગ નથી.
સંજ્ઞા ચાર પ્રકારે છે. આહાર સંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને
પરિગ્રહસંજ્ઞા. (સંજ્ઞા એટલે ઈચ્છ.) (જુઓ પ્રશ્ન-૭૭) ૮૪૪ પ્ર. મેહમાંથી તૃષ્ણ ઉદભવે છે કે તૃષણમાંથી મેહ ઉત્પન્ન થાય છે? ઉ. જેમ ઇંડામાંથી પક્ષી અને પક્ષીમાંથી ઇંડુ એમ પરસ્પર કાર્યકારણ
ભાવ છે તે જ પ્રમાણે મેહમાંથી તૃષ્ણ અને તૃષ્ણામાંથી મોહ એમ
પર પર જન્યજનક ભાવ સતપુરુષોએ કહ્યો છે, ૮૪૫ પ્ર. મોહ, તૃષ્ણ, લેભ, દુ:ખ ઈત્યાદિને નાશ ક્યાં અનુક્રમે થાય ?
ઉ. દુ:ખ તેનું હણાયું હોય છે કે જેને મેહ નથી. તેમ માહ પણ તેને
હણ હોય છે કે જેના હૃદયમાંથી તૃoણને દાવાનળ બુઝાયે છે અને તૃષ્ણ પણ તેની હણાઈ છે કે જેને પ્રભુને પજવતાં નથી.
અને જેને લેભ હણાયો છે તેને કશું (આસક્તિ) હેતું નથી. ૮૪૬ ક. તેર ક્રિયાના સ્થાન કહેવાય છે તેને નામ આપે. ઉ. (૧) અર્થદંડ (પ્રોજન હોવાથી પાપાચરણ કરવું તે) (૨) અનર્થ દંડ (વિના પ્રયજન હિંસા કરવી.) (૩) હિંસાદંડ (૪) અકસ્માત દંડ (એક અપરાધીના બદલે અન્યને શિક્ષા કરવી) (૫) દષ્ટિ
આત્મામાં વિશેષ આકુળતા ન થાય તેમ રાખશે, જે થવા યોગ્ય હશે તે થઈ રહેશે અને આકુળતા કરતાં પણ જે થવા યોગ્ય હશે તે થશે, તેની સાથે આત્મા પણ અપરાધી થશે.
Page #260
--------------------------------------------------------------------------
________________
૨૩૪
વિપર્યાસ દંડ (બ્રમથી વાત કરે) (૬) મિથ્યા ભાષણ દંડ (૭) ચેરી (૮) મનમાં અનિષ્ટ ચિંતન (આત ધ્યાન, રૌદ્ર સ્થાન) (૯) માન પ્રત્યયિક (પિતાને ઉત્કૃષ્ટ માને, બીજાને હીન) (૧૦) મિત્રને કોહ (સામાન્ય કારણથી કઠોર દંડ આપે) (૧૧) માયા (૧૨) લેભ (૧૩) ઇર્યાપથિકી ક્રિયા. આ તેર ક્રિયા સ્થાન પ્રમાણે સર્વે જી
સુખદુઃખને અનુભવ કરે છે. .૮૪૭ પ્ર. શાસ્ત્રમાં દ્રવ્ય મનનું સ્વરૂપ અથવા આકાર ક્યા પ્રકારે કહ્યો છે ?
ઉ. દ્રવ્ય મન આઠ પાંખડીનું દિગંબર સંપ્રદાયમાં કહ્યું છે. શ્વેતાંબર
સંપ્રદાયમાં તે વાત વિશેષ ચર્ચિત નથી. “ગશાસ્ત્રમાં તેના
ઘણું પ્રસંગો છે. ૮૪૮ પ્ર. શું મન આત્મા છે કે અન્ય છે?
ઉ. મન આત્મા નથી, અન્ય છે. અને મન હેતું નથી. ૮૪૯ પ્ર. મન રૂપી છે કે અરૂપી છે ?
ઉ. મન રૂપી છે, અરૂપી નથી. ૮૫૦ પ્ર. શું મન સચિત છે કે અચિત છે ?
ઉ. મન સચિત નથી, અચિત છે. ૮૫૧ અ. શું મને જીવ છે કે અજીવ છે ? ઉ. મન જીવ નથી અજીવ છે. મન બે પ્રકારે છે. એક દ્રવ્યમન, બીજ
ભાવમન. દ્રવ્યમન એ પુગલની રચના છે. જેમ ઈન્દ્રિયની રચના છે તેમ દ્રવ્ય મનની પણ છે. એમાં જે ઉપગ છે તે ભાવમન છે. ખરી રીતે તે ભાવમન એ આત્મા જ છે. આત્મા દ્રવ્યમનમાં જોડાય ત્યારે સંક૯પ વિકલ્પ વિચારો થાય છે. ભાવમન દ્રવ્ય
મનમાં પ્રવર્તે ત્યારે સંક૯પ વિકલ્પનું કામ કરે છે. ૮પર પ્ર. લેકમાં કેટલા પ્રકારના ભય છે ? ઉ. (સાત પ્રકારે ભય છે.) તેનાં નામ (૧) અલેકભય-દસ પ્રકારના પરિગ્રહની ચિંતા; આજીવિકા આદિ
નાશ થવાને ભય.
સંસારની ચાર ઉપમા ચમકારી છે : સમુદ્ર, અગ્નિ, અંધકાર અને શકટચક, તેને વિસ્તાર અગાધ છે !
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૩૮
(૨) પરલેકભય-દૂર્ગતીમાં જન્મ લેવાને ભય. (૩) મરણભય-દુઃખ પડવાને, પ્રાણ છૂટી જવાને ભય. (૪) વેદનાભયરોગાદિ કષ્ટ આવવાને ભય. (૫) અનરક્ષાભય-મારે કઈ રક્ષક નથી તે ભય. (૬) અનગુપ્તભય-ચોર, દુશ્મનથી બચવાનો ભય.
(૭) અકસ્માતભય-અચાનક વિપત્તિ આવવાને ભય. ૮૫૩ પ્ર. શાસ્ત્રમાં નિન્દવ કોને કહે છે ? ઉ. જિનપ્રણીત શાસ્ત્રોથી વિપરીત પ્રરૂપણ કરનાર સાત નિહે
પ્રાચીન કાળમાં થઈ ગયા છે. નિન્ય બે પ્રકારના છે-(૧) પ્રવચન નિહવ અને (૨) નિંદક નિન્હવ. શાસ્ત્રમાં પ્રવચન નિન્દવના કરતાં નિંદક નિહવને ખરાબ કહ્યા છે. પ્રવચન નિન્હવે માત્ર પ્રવચનની ઉત્થાપના કરે છે પણ નિંદક નિહવ તે પ્રવચનની અને પ્રવચનને પ્રરૂપક કેવળ જ્ઞાની, ધર્માચાર્ય, ચતુર્વિધ સંઘ એ સર્વની માયા કપટ સહિત નિંદા કરે છે, અને કહે છે કે, હું જે કહું છું તે જ સત્ય છે, શાસ્ત્ર તે થોથાં છે. શાસ્ત્ર વચન મિસ્યા છે. અમે શોધક બુદ્ધિથી કરેલે નિર્ણય તે જ સાચો છે. જે પ્રવચન નિહવ હોય છે તે તે નવગ્રેવક સુધી જાય છે પણ નિંદક નિન્દવ તે કિવિ
પીમાં ઉત્પન્ન થાય છે. ૮૫૪ પ્ર. આત્મા કોણે અનુભવ્યો કહેવાય ?
તરવાર મ્યાનમાંથી કાઢવાથી જેમ જુદી માલૂમ પડે છે, તેમ દેહથી આત્મા સ્પષ્ટ જ બતાવે છે તેણે આત્મા અનુભવ્ય કહેવાય. આત્મા જાણ્યો હોય તે પછી એક પર્યાયથી માંડી આખા સ્વરૂપ સુધીની બ્રાંતિ થાય નહિ. તે હર્ષાશકાદિ પ્રસંગમાં તદ્દન એકરાર થાય નહિ. અજ્ઞાન ઊભું થાય કે જાણવામાં આવ્યું તરત જ દાબી દે; બહુ જ જાગૃતિ હેય. જેમ કેરો કાગળ વાંચતા હોય તેમ તેમને હર્ષાશક થાય નહિ. રાજ્ય મળે આનંદ થાય તો તે અજ્ઞાન. જ્ઞાનીની દશા બહુ જ અદભૂત છે. અંતરમાં પોતાના આત્માનુભવરૂપે, જેમ દૂધને પાણી જુદાં થાય તેમ, દેહ અને આત્મા જુદા લાગે ત્યારે પરમાત્માપણું પ્રાપ્ત થાય. આત્મા જેને
સ્વપ્નમાં પણ જુદે જ ભાસે. વીતરાગને કહેલ પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એ નિશ્ચય રાખ.
Page #262
--------------------------------------------------------------------------
________________
૧૨
જૈન ધર્મ
૮૫૫ પ્ર. ધર્મ એટલે શું ? ઉ. આત્માને સ્વભાવ તે ધર્મ. આત્માને સ્વભાવમાં ધારે તે ધર્મ.
સ્વભાવમાંથી પરભાવમાં ન જવા દે તે ધર્મ. પરભાવ વડે કરીને આત્માને દુર્ગતિએ જવું પડે તે ન જવા દેતાં સ્વભાવમાં ધરી રાખે તે ધર્મ, સમ્યફ શ્રદ્ધાન, જ્ઞાન અને સ્વરૂપાચરણ તે ધર્મ. આત્મ પરિણામની સહજ સ્વરૂપે પરિણતિ થવી તેને શ્રી તીર્થકર ધર્મ કહે છે. સમ્યફજ્ઞાન, સમ્યફદર્શન, સમ્યક્યારિત્ર એ રત્નત્રયીને શ્રી તીર્થંકરદેવ ધર્મ કહે છે. દ્રવ્યનું શ્રદ્ધાન, જ્ઞાન અને સ્વરૂપાચરણ તે ધર્મ. જે સંસાર પરિભ્રમણથી છોડાવી ઉત્તમ સુખમાં ધરી રાખે
તે ધર્મ. નિજ આત્માની અહિંસાને ધર્મ કહે છે. ૮૫૬ પ્ર. ધર્મનું સ્વરૂપ શું છે ? ઉ. જેવું તેનું સ્વરૂપ છે તેવું સમ્યક્દષ્ટિને પર્યાયમાં પ્રગટ થાય છે,
તેને ધર્મ કહે છે. જો કે ધર્મ ચારિત્ર છે પણ તેનું મૂળ સમ્યફદર્શન છે, તેથી તેને ધર્મ કહેવાય છે. જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે છે તે પ્રકાર ધર્મના છે, શ્રીમત્ વીતરાગ ભગવતિએ નિશ્ચિતાર્થ કરે એ અચિંત્ય ચિંતામણું સ્વરૂપ, પરમ હિતકારી, પરમ અદ્ભુત, સર્વ દુઃખને નિસંશય આત્યંતિક ક્ષય કરનાર પરમ અમૃત સ્વરૂપ એ સર્વોત્કૃષ્ટ શાશ્વત ધર્મ જયવંત વર્તે, ત્રિકાળ જયવંત વર્તે. પ્રાણીમાત્રને રક્ષક, બાંધવ અને હિતકારી એ કોઈ ઉપાય હોય તે તે વીતરાગને ધર્મ જ છે.
ધર્મની વ્યાખ્યા ચાર પ્રકારે છે : ૧. વસ્તુ સ્વભાવરૂપ ધર્મ ૨. ઉત્તમ ક્ષમાદિ દશવિધ (દશ લક્ષણ) ધર્મ (જુઓ પ્રશ્ન-૧૧૯૦)
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૪૧
૩. સમ્યક્ ન-જ્ઞાન-ચારિત્રરૂપ ધર્મ, અને ૪. જીવ રક્ષારૂપ (અહિ ંસા) ધર્માં. તે બધાયમાં સમ્યક્ નની પ્રધાનતા છે. સમ્યક્દર્શન વગર તે ચારમાંથી એકેય પ્રકાર હાતા નથી. જ્યાં ચારમાંથી એક પ્રકાર હાય ત્યાં બાકીના ત્રણ પણ તેમાં જ ગર્ભિત હેાય છે. એટલે નિશ્ચયથી સાધતાં તે ચારમાં એક જ પ્રકાર છે. વ્યવહારનય ભેથી તથા અન્યના સયાગથી કથન કરે છે, તેથી તેના અનેક ભેદ છે. જેમકે જીવના નિર્વિકાર સ્વભાવરૂપ જે શુદ્ધ ચેતના પરિણામ તે નિશ્ચય ધ છે, અને તેની સાથે વર્તતા મંદકષાયરૂપ શુભ પરિણામ કે દેહાદિની બાહ્ય ક્રિયા તેમાં પણ ધના આરેાપ કરવા તે વ્યવહાર છે, ખરેખર તા તે ધર્મ નથી. પૃથક્કરણ કરીને જે નિશ્ચય ધર્મ છે તે જ સત્ય ધર્મ છે એમ જાણવું; અને એ સિવાય બીજાને ધર્મ કહેવા તે ઉપચારમાત્ર છે, સત્ય નથી. નિશ્ચયથી સાધવામાં આવે તા ધર્મના એક જ પ્રકાર છે; અને તે ધર્મ, શુદ્ધાત્માના અનુભવરૂપ સમ્યક્ નપૂર્વક ૪ હાય છે. સમ્યક્દર્શન ન્ય ક્રિયાએ એકડા વિનાનાં મીંડા છે.
૮૫૭ પ્ર. ધર્મ કયારે પરિણમે ?
ઉ. જ્યાં સુધી મૃષા અને પરસ્ત્રીને ત્યાગ કરવામાં આવે નહીં ત્યાં સુધી સર્વ ક્રિયા નિષ્ફળ છે, ત્યાં સુધી આત્મામાં છળકપટ હોવાથી ધર્માં પરિણમતા નથી.
૮૫૮ પ્ર. ધર્માંના મર્મ શું ?
ઉ. શાસ્ત્રમાં માગ કહ્યો છે, માઁ કહ્યો નથી. મ તા સત્પુરુષના અંતરાત્મામાં રહ્યો છે. ધર્મના રસ્તા સરળ, સ્વચ્છ અને સહેજ છે; પણ તે વિરલ આત્માએ પામ્યા છે, પામે છે, પામશે. છૂટે દેહાધ્યાસ તા, નહિ કર્તા તુ કમ',
નહિ ભોક્તા તુ દેહતા, એ જ ધર્મના મ’
૮પ૯ પ્ર. પાપરહિત માગ કયા કે જ્યાં ધર્મ થાય ?
સજ્ઞના ધર્મ સુશ` જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી; અનાથ એકાંત સનાથ ચારો, એના વિના કોઇન બાંહ્ય સ્હાશે.
૧૬
Page #264
--------------------------------------------------------------------------
________________
૨૪૨
ઉ. જ્યાં હિંસા, સ્વછંદ અને દેષ ન હોય ત્યાં ધર્મ છે. ૮૬૦ પ્ર. પાપ ટળે તે ધર્મ થાય એ વાત બરાબર છે ? ઉ. હા, બરાબર છે. પરંતુ વાસ્તવમાં પાપ ક્યારે છૂટે ? બધા
પાપમાં સર્વોત્કૃષ્ટ પાપ તે મિથ્યાત્વ છે. પહેલાં તે પાપ છૂટે, ત્યારે ધર્મ થાય. આત્મા ચૈતન્યઘન છે, તેને છેડીને પરસંગથી લાભ
માનવો તે મિથ્યાત્વ છે. ૮૬૧ પ્ર. સંસારમાં રહીને શું ધર્મ ન થાય ? ઉ. સંસારમાં અલિપ્તભાવે રહે છે તેઓ બને તેટલો વિચાર-વિવેક
રાખે તે ધર્મને અંશ રાખી શકે. બાકી સંસારની જેટલી પ્રવૃત્તિ
કરે તે તે સાવદ્ય જ છે. ૮૬૨ પ્ર. ધર્મ અને અધર્મને આધાર કેન ઉપર છે ? ઉ. એક તરફ સંગ અને બીજી તરફ સ્વભાવ; બને એક જ સમયે
છે. ત્યાં દષ્ટિ કેના ઉપર પડી છે, તેના ઉપર ધર્મ–અધર્મને આધાર છે. સંયોગ ઉપર દષ્ટિ છે તે અધર્મ થાય છે અને
સ્વભાવ ઉપર દૃષ્ટિ છે તે ધર્મ થાય છે. ૮૬૩ પ્ર. જેને ધર્મ કરે છે તેને સર્વ પ્રથમ શું કરવું જોઈએ ? ઉ. જેણે ધર્મ કરે છે તેણે સૌ પ્રથમ તે કુદેવ-કુશાસ્ત્ર-કુગુરુની
શ્રદ્ધા છોડવી જોઈએ. રાગદ્વેષવાળા દેવ, પરિગ્રહધારી આત્મજ્ઞાનરહિત ફજ્ઞાની ગુરુ તથા ખોટી શાસ્ત્રોની મહિમા અને ભક્તિ છોડવી જોઈએ તથા હિંસા, જૂઠ, ચોરી, શિકાર, પરસ્ત્રીસેવન, વેશ્યાગમન જુગાર આ સાત પ્રકારનાં વ્યસનને પણ ત્યાગ કરે જોઈએ. અન્યાયી કાર્યો પ્રત્યે ગ્લાનિ હોવી જોઈએ. આ રીતે કુદેવાદિની શ્રદ્ધા વગેરેને ત્યાગ કરી વીતરાગ પરમદેવ, નિગ્રંથગુરુ તથા અનેકાંત વસ્તુને બતાવનારા શાસ્ત્રોની શ્રદ્ધા કરવી જોઈએ, ભક્તિ કરવી જોઈએ, મનન કરવું જોઈએ. સતદેવ-શાસ્ત્રગુરુની સાચી શ્રદ્ધા કરે અને આત્માની ઓળખાણ કરે ત્યારે અનંતાનુબંધી કર્મ તથા મિથ્યાત્વને નાશ થાય અને સમ્યફદર્શન-જ્ઞાન
પ્રયજન તો એક આત્માનું જ રાખવું. આત્માને રસ લાગે ત્યાં વિભાવને રસ નીતરી જાય છે,
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૪૩
ચારિત્રના લાભ થાય. (જુએ પ્રશ્નક્રમાંક-૧૬૧૧). ૮૬૪ પ્ર. શ્રાવકે શું ધંધા છેાડી દેવા જોઈએ ?
. ષ્ટિ આંતરમુખ રાખવી જોઈએ, રાગ આવે, લાભ આવે પણુ વજન તેની ઉપર જવું ન જોઈએ. વજન અંદરનું (આત્મદ્રબ્ય તરફનુ) જોઇએ.
૮૬૫ પ્ર. દૃષ્ટિ આ (આત્મદ્રવ્ય) તરફ રાખીને ધંધા કર્યા કરવા ને ? ઉ. ધંધા કરે શું ? કરવું એમ નહિ, રાગ અને લાભના ભાવ આવે એને જાણવુ.
૮૬૬ પ્ર. માનવુ કંઈક અને કરવું કાંઈક ?
ઉ. થવાનુ હાય એમ જ થાય એમ માનવુ
૮૬૭ પ્ર. આનંદ, કામદેવ, વગેરે શ્રાવકા ધર્મો કરતા હતા કે નહીં ? ઉ. તેઓ શ્રી મહાવીર સ્વામીના સમાગમમાં નહાતા આવ્યા ત્યાં સુધી ધર્મ સ્વરૂપમાં આવ્યા નહોતા પરંતુ તેઓ તેમના ખાધ સન્મુખ થયા ત્યારે કેટલેક અંશે ધર્માંમાં આવ્યા.
૮૬૮ પ્ર. ધર્મના સવ અંશે ક્રાણુ કયારે આવ્યા કહેવાય ?
ઉ. સર્વન વીતરાગ પુરુષ તે સંપૂર્ણ અંશમાં છે અને જેએ તેમના ઉપદેશથી હિંસા, સવ થા અસત્ય, ચારી, અબ્રહ્મય, પરિગ્રહ વગેરેના ત્યાગ કરી નિમ્ મત્વ નિહ ભાવે વિચરે છે અથવા જેએ એવી ઉતરતી ચડતી દશામાં વિચરે છે તે પૂર્ણ ધર્માંના અંશમાં આવ્યા કહેવાય.
૮૬૯ ૨. ધર્મના પ્રકાર-ભેદ કેટલા ?
ઉ. વ્યવહાર નયથી તેના બે પ્રકાર-ભેદ છે; એક શ્રાવક ધર્મ અને ખીજો સાધુ ધર્યું. તેમાં પણ ખે ભેદ છે, શ્રુત ધર્મ અને ચારિત્ર ધ. ૮૭૦ પ્ર. શ્રાવકમાં કેટલા ભેદ છે ?
ઉ. શ્રાવકમાં પણ બે ભેદ છે. એક શ્રુત ધર્મ શ્રાવક અને ખીસ્તે ચારિત્ર ધર્મ શ્રાવક.
૮૭૧ પ્ર. શ્રુતધી શ્રાવક ક્યા ?
રહિમન વે નર્ મર ગયે, જો નર્ માંગન જાય, ઉનસ પહેલે વે મરે, જિન સુખ નિકસત નાય.
Page #266
--------------------------------------------------------------------------
________________
ઉ. વીતરાગ દર્શનના વિચાર સાંભળેધારે યાદ રાખે, તે પ્રત્યે ઘણી
જ પ્રીતિ રાખે છતાં એક નાનું પણું વ્રત અંગીકાર કરે નહીં. ૮૭૨ પ્ર. એ શ્રાવક ત્યારે કેવા કહેવાય ? ઉ. એ દર્શન શ્રાવક કહેવાય. એટલે કે શ્રીકૃષ્ણની માફક નવ તત્વ,
છ કાયના બેલ વગેરે સાંભળી, ભણી, યાદ રાખે પણ તેઓ, ત્યાગ,
તરફ થોડો પણ પગ ઉપાડે નહીં. ૮૭૩ પ્ર. બીજા શ્રાવક કેવા કહેવાય ? ઉ. બીજા શ્રાવક વ્રત-શ્રાવક, વત શ્રાવક એટલે પુણ્ય, પાપ, જીવ,
અજીવ, આશ્રવ, સંવર, નિર્જરા વિગેરે પદાર્થોને પ્રભુએ જે કહ્યાં. છે તેમ સમજી, ધારી, નિશ્ચય કરી નાનામાં નાનું વ્રત નવકારશી પચ્ચખાણથી વધતાં-વધતાં સ્થલ અહિંસા, સત્ય વિગેરે ને ગુણવત.
-રિક્ષાવ્રતને લાયક થાય. ૮૭૪ પ્ર. આ ધર્મ સમ્યફત્વની પ્રાપ્તિવાળા છ જ કરી શકે કે બીજા
પણ કરે ? ઉ. સમ્યફદર્શન હોવું એ શ્રાવકનું પ્રથમ પગથિયું છે અને વ્રત
હેવાં એ બીજું પગથિયું છે. (એને અર્થ એમ પણ નથી કે
સમ્યફદર્શન ન થાય ત્યાં સુધી વ્રત ન કરવાં.). ૮૭૫ પ્ર. ઉપાશ્રયમાં આવનાર બધા શ્રાવકે જ કહેવાય ને? ઉ. એ બધા કૂળ-શ્રાવક છે. શ્રત શ્રાવક કે વ્રત શ્રાવક છે કે નથી તે
તો તેમના આચાર-વિચાર ઉપરથી જાણી શકાય, બાકી સંપૂર્ણ
અંશે તે વીતરાગ પ્રભુ જાણે. ૮૭૬ પ્ર. અણગારી ધર્મ કયો? ઉ. અગારી એટલે સાધુ ધર્મ. જેઓ સંસારના બંધનથી છૂટીને સાધુ,
થાય છે તે. ૮૭૭ પ્ર. આજના સાધુમાં ઝાંખપ કેમ દેખાય છે?
ઉ. સાધુઓમાં શ્રાવકે વિષે પક્ષપાત, રાગ-દ્વેષ, આહાર વસ્ત્રની લોલુપતા
વિગેરે કારણોથી મુનિ સ્વરૂપ ઝાંખું દેખાય છે. ૮૭૮ પ્ર. શ્રાવકને શ્રુતજ્ઞાન જોઈએ ત્યારે સાધુઓને કેટલે અભ્યાસ હોવો
જોઈએ ?
મુમુક્ષ જીવને અટલે વિચારવાન જીવને આ સંસારને વિષે અજ્ઞાન સિવાય બીજો કઈ ભય હોય નહીં,
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૪૫
ઉ. સાધુને ઓછામાં ઓછું પાંય સમિતિ અને ત્રણ ગુપ્તિ એ આઠ,
પ્રવચન માતાની સમજણ તે હોવી જ જોઈએ. ૨૮૭૮ પ્ર. પાંચ મહાવ્રત લીધા એટલે તેમાં હિંસા, અસત્યને ત્યાગ તે આવી
ગ પછી આઠ પ્રવચન માતાની સમજણની શી જરૂર ? ઉ. આઠ પ્રવચન માતાની પૂરી સમજણ હોય તે જ સાધુ વ્રતનું
- પાલન સારી રીતે થઈ શકે, નહિ તો ન જ થાય. ૮૮૦ પ્ર. ત્યારે શ્રાવકોએ શું વિચારવું જોઈએ ? ઉ. કેટલાક શ્રાવકેનું કહેવું છે કે અમારે ક્યાં સાધુ પેઠે બંધી છે,
પર તુ ખરા શ્રાવકેએ તો જરૂર તે પ્રમાણે વ્યવહાર રાખવો જોઈએ.
કેમાં ખોટું દેખાય તેવાં આચરણે છોડી દેવાં જોઈએ અને
ધંધામાં નીતિ અને પ્રમાણિકતા ખાસ કરીને જોઈએ. ૮૮૧ પ્ર. શ્રાવક કહેવરાવવા છતાં બીજા દેવ-દેવીની ઉપાસના કરે તે શું
યોગ્ય છે ? ઉ. હીરા જેવી વીતરાગ ધર્મની જે તેમને સમજણ પડી હોય તો
આવો અમૂલ્ય ધર્મ મૂકી મિયાત્વ માન્યતામાં બીજ દેવ-દેવીઓની
ઉપાસના કરે નહિ, પરંતુ સત્ય વસ્તુ સમજાય ત્યારે તેમનું બને. ૮૮૨ પ્ર. વીતરાગ દર્શનમાં અનેક ફાંટા પડી ગયા છે ને સાધુમાં પણ સાધુ
થાય છે ને નીકળી જાય છે તેનું કેમ ? ઉ. સમજણ કે લક્ષ વગર જે સાધુ થાય તે ચાલ્યા જાય છે એ
બરાબર છે, પરંતુ સમજણવાળા બરાબર લક્ષ્ય છતાં નીકળી જાય
છે તેનું કારણ દર્શન મેહને વધુ ઉદય થાય ત્યારે તેમ બને છે. ૮૮૩ પ્ર. દર્શન મેહને ઉદય થાય એટલે શું ? ઉ. પાણીમાં શેવાળ હોય છે તે જ્યારે ખસી જાય છે ત્યારે પાણી નિર્મળ
દેખાય છે, પાછી શેવાળ ઉપર આવતાં પાણી નિર્મળ દેખાતું બંધ થાય છે તેમ જીવને શેવાળની માફક સમ્યકત્વ મોહને ઉદય ખસે
અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ કરવી, અને આત્મપરિણામ સ્વસ્થ રાખવાં એવી વિષમવૃત્તિ શ્રી તીર્થકર જેવા જ્ઞાનીથી બનવી કઠણુ કહી છે, તો પછી બીજા જીવને વિશે તે વાત સંભવિત કરવી કઠણ હોય એમાં આશ્ચર્ય નથી.
Page #268
--------------------------------------------------------------------------
________________
૨૪૬
-
છે અને
છે, ત્યારે વીતરાગ વાણી સત્ય લાગે છે, પણ પાછો મોહ ફરી વળે
છે ત્યારે વીતરાગ વાણી સારી લાગતી નથી. ૮૮૪ પ્ર. ચારિત્ર મોહને ઉદય એટલે શું ? ઉ. ચારિત્ર એટલે સદાચાર–ત્યાગ, શાન્તિ, નિવિષયતા. આ ગુણો
જીવને ચારિત્ર મોહને ક્ષયોપશમ થતાં છૂરે છે, એટલે ચારિત્ર આવે છે, પાછો એ મહને આવિર્ભાવ થાય એટલે એ ચારિત્ર મૂકવા ઉપાય શોધે, પરંતુ તદન મૂકી દે તે લેકેમાં હાંસી થાય જેથી જેમ. વાંદરે પડે પણ પડતાં પડતાં છેક છેલ્લી ડાળી પકડી પાડે છે તેમ કેટલાક ચારિત્ર લીધેલા આશ્રમ, મઠ, ઉપાશ્રય વગેરે શોધી કાઢે
છે અને તે પ્રમાણે માર્ગ ચલાવે છે. ૮૮૫ પ્ર. લાપશમ એટલે શું ? - ઉ. ક્ષપશમ એટલે જીવને ઉદ્યમ-પ્રયત્ન, ચડ-ઉતર, જવું-આવવું,
આમ ક્ષણે ક્ષણે થયા કરે છે. ૮૮૬ ક. આ ક્ષયોપશમ–ઉદ્યમ જીવને ક્યાં સુધી રહેશે ?
ઉ. પહેલેથી સાતમા છવ ગુણસ્થાનક સુધી છે. ૮૮૭ . સાતમાં ગુણસ્થાનક પછી ઉદ્યમ–ક્ષપશમ નથી કે શું ?
ના; પછી આ ઉદ્યમ નથી, આઠમાથી તે બારમા સુધી ચડઉતર, સેળભેળ નથી. માત્ર ઉપશમ દશા કે ક્ષાયક દશા હોય છે, એટલે મોહકર્મની પ્રકૃતિ કેટલાક જીવો તે સ્થાનકમાં કાં તે એકદમ અગ્નિને રાખથી જેમ દબાવે છે ને કેટલાક તદ્દન ક્ષય કરે છે; જેઓ ક્ષય કરે છે તેઓ મેલગામી હોય છે, અને ઉપશમ કરે છે તેઓ પાછા પડે છે, તેમાં કેટલાક છેક નીચે અને કેટલાક વચમાં પણ
આવી જાય છે. ૮૮૮ અ. જિનદેવના સર્વ ઉપદેશનું તાત્પર્ય શું છે ? ઉ. મોક્ષને હિતરૂપી જાણ, એક મેક્ષને ઉપાય કર એ જ સર્વ
ઉપદેશનું તાત્પર્ય છે. ૮૮૯ પ્ર. જે જીવ તત્વ નિર્ણય કરવાને પુરુષાર્થ ન કરે અને વ્યવહાર
- ધર્મ કાર્યોમાં પ્રવર્તે છે તેનું શું ફળ આવે ?
જેટલી સંસારને વિષે સારપરિણતિ મનાય તેટલી આત્મજ્ઞાનની ન્યુનતા શ્રી તીર્થકરે કહી છે.
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૪૭
ઉ. તે જીવને મળેલા અવસર ચાયેા જાય અને સંસાર પરિભ્રમણ જ રહે.
૮૯૦ પ્ર. જૈન ધર્મ શું છે ?
ઉ. જૈન ધર્મ તે રાગદ્વેષ–અજ્ઞાનને જીતનાર આત્મસ્વભાવ છે. અજ્ઞાન અને અ ંશે રાગ-દ્વેષના અભાવ થતાં જૈનપણાની શરૂઆત થાય છે અને જેટલે જેટલે અંશે રાગદ્વેષના અભાવ થાય તેટલે તેટલે અંશે જૈનપણું વધતુ જાય છે, અને કેવળ જ્ઞાન થતાં પૂર્ણ જૈનપણુ પ્રગટે છે. પરિણતિમાં રાગથી ભિન્ન થઈ જિનસ્વરૂપ આત્માના અનુભવ કરે તે જૈન જૈન ધર્મ તે કાઇ સંપ્રદાય નથી, તે તા વસ્તુસ્વભાવ, આત્મ ધમ છે.
૮૯૧ પ્ર. ઘટ ઘટ અતર જિન ખસે, ઘટ ઘટ અંતર જૈન,
મત મદિરા કે પાન સે, મતવાલા સમઝે ન કાંઇ. ઉપરના પદમાં જિન અને જૈનના અર્થ શું ?
ઉ. જિનપણું અને જૈનપણું અર્થાત્ પૂર્ણ પણું અથવા પૂર્ણતા અને સાધકપણું (પર્યાયમાં અપૂર્ણતા) બન્ને અંદર ઘટમાં એટલે આત્મામાં વસે છે. પણ જેને સ્વચ્છન્દ મતિ અથવા સ્વયંના મતરૂપ દારૂ પીધા છે તે જિન અને જિનસ્વરૂપ આત્માને સમજતા નથી. અંદર ધટમાં જ જે જિનસ્વરૂપ આત્મા છે તે સ્વભાવથી જ્ઞાન, આનંદના સામર્થ્યથી ભરેલા છે, તેના આશ્રય લેતાં પર્યાયમાં જૈન ધર્મ, વીતરાગ દશા પ્રગટ થાય છે.
૮૯૨ પ્રે. અનેકાન્ત કાને કહે છે ?
ઉ. પ્રત્યેક વસ્તુમાં વસ્તુપણાની સિદ્ધિ કરનારી આસ્તિનાસ્તિ આદિ પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનુ એકી સાથે પ્રકાશિત થવુ તેને અનેકાન્ત કહે છે.
૮૯૩ પ્ર. અનેકાત અથવા સ્યાદવાદની શુ જરૂર પડે છે ?
૩. પદાર્થીમાં અનંત ધર્મ (લક્ષણુ) છે અને તે બધા ધર્મ એક સાથે એક જ સમયે હોય છે. કાઇ આગળ-પાછળ હાતા નથી; પર ંતુ વચનથી તેા એક વખત એક જ ધર્મ કહી શકાય છે. બધા એક
આત્મપિરણામની સહજ સ્વરૂપે પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર ધ” કહે છે.
Page #270
--------------------------------------------------------------------------
________________
૨૪૮
સાથે કહી શકાતા નથી, એટલા માટે અપેક્ષાવાચી શબ્દ “સ્યાત” યા થંચિત” લગાડવામાં ન આવે, તેા વિવલ્લિત પદાર્થના એક વિવક્ષિત ધર્મ જ સમજવામાં આવશે, અને અન્ય સમસ્ત ધર્માંના લેાપ થઈ જશે.
૮૯૪ પ્ર. જીવ અને શરીરમાં અનેકાન્ત શી રીતે લાગુ પડે છે ?
ઉ. પરદ્રવ્ય સદા પરદ્રવ્ય રહે છે, અને સ્વદ્રવ્ય સદા સ્વદ્રવ્ય જ રહે
છે. સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય—મ તેને કાંઈ પણ સંબંધ નથી; જેમ સહ્ય પર્વત અને વિધ્ય પર્વતને પરસ્પર કાંઈ સંબંધ નથી, તેમ આત્મા અને શરીરાદિક પરદ્રવ્ય અને સર્વથા ભિન્ન છે. તેમને પરસ્પર કાઈ પણ પ્રકારના સબંધ નથી.
૮૯૫ પ્ર. મહાવીર પહેલાં જૈન દર્શન હતું ?
ઉ. હા.
૮૯૬ પ્ર. તે કાણે ઉત્પન્ન કર્યું હતુ` ? ઉ. તે પહેલાંના તી કરાએ.
૮૯૭ પ્ર. તેમાના અને મહાવીરના ઉપદેશમાં કઈ ભિન્નતા ખરી કે ? ઉ. તત્ત્વરૂપે એક જ. પાત્રને લઇને ઉપદેશ હોવાથી અને કં ઈક કાળભેદ હાવાથી સામાન્ય મનુષ્યને ભિન્નતા લાગે ખરી, પરંતુ ન્યાયથી જોતાં એ ભિન્નતા નથી.
૮૯૮ પ્ર. એએના મુખ્ય ઉપદેશ શા છે ?
૩. આત્માને તારા; આત્માની અનંત શક્તિઓને પ્રકાશ કરે; અને કર્મ રૂપ અનંત દુઃખથી મુક્ત કરા.
૮૯૯ પ્ર. આવું જૈન દર્શન જ્યારે સર્વાંત્તમ છે ત્યારે સર્વ આત્માએ એના ખાધને માં માનતા નથી ?
ઉ. કર્મની બાહુલ્યતાથી, મિથ્યાત્વનાં જામેલાં દળિયાંથી અને સત્સમાગમના અભાવથી.
૯૦૦ પ્ર. જૈન મુનિએના મુખ્ય આચાર શા છે ?
ઉ. પંચ મહાવ્રત, દવિધિ યતિધર્મ, સપ્તદવિધ સંયમ, દવિધિ વૈયાનૃત્ય, નવિધિ બ્રહ્મચર્ય, દ્વાદશ પ્રકારના તપ, ક્રોધાદિક ચાર
આત્મપરિણામની કાંઈ પણ ચપળ પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર કષ્ટ કહે છે,
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૪૯
પ્રકારના કષાયના નિગ્રહ, વિશેષમાં જ્ઞાન, દર્શીન અને ચારિત્રનુ આરાધન ઇત્યાદિક અનેક ભેદ છે.
૯૦૧ પ્ર. જૈન મુનિએનાં જેવાં જ સન્યાસીએનાં પંચયામ છે; બૌદ્ધધર્મનાં પાંચ મહાશીલ છે. એટલે એ આચારમાં તે જૈન મુનિએ અને સન્યાસીએ તેમ જ બૌદ્ધમુનિએ સરખા ખરા કે ? . નહિ.
૯૦૨ પ્ર. કેમ નહી ?
ૐ. એએનાં પાંચ યામ અને પંચ મહાશીલ અપૂર્ણ છે. મહાવ્રતના પ્રતિભેદ જૈનમાં અતિ સૂક્ષ્મ છે. પેલા બેના સ્થૂળ છે.
૯૩ પ્ર. સૂક્ષ્મતાને માટે દૃષ્ટાંત આપે। જોઇએ ?
ઉ. દૃષ્ટાંત દેખાતુ જ છે. પંચયામીએ કંદમૂળાદિક અભક્ષ્ય ખાય છે, સુખશય્યામાં પઢે છે; વિવિધ જાતનાં વાહન અને પુષ્પાના ઉપભાગ લે છે; કેવળ શીતળ જળથી વ્યવહાર કરે છે. રાત્રિએ ભેજન લે છે. એમાં થતા અસંખ્યાતા જંતુના વિનાશ, બ્રહ્મચર્યના ભંગ એની સૂક્ષ્મતા તેઓના જાણુવામાં નથી. તેમજ માંસાદિક અભક્ષ્ય અને સુખશિલિયાં સાધનાથી બૌદ્ધમુનિએ યુક્ત છે. જૈનમુનિ તા કેવળ એથી વિરક્ત જ છે.
૯૦૪ પ્ર. વેદ અને જૈનદર્શનને પ્રતિપક્ષતા ખરી કે ?
ઉ. જૈનને ક'ઈ અસમ જસભાવે પ્રતિપક્ષતા નથી; પરંતુ સત્યથી અસત્ય પ્રતિપક્ષી ગણાય છે, તેમ જૈનદર્શનથી વેદના સંબંધ છે.
૯૫ પ્ર. એ એમાં સત્યરૂપ તમે કાને કહેો છે ?
૩. પવિત્ર જૈનદર્શનને.
૯૦૬ પ્ર. વેદ દર્શીની વૈદને કહે છે તેનું કેમ ?
ઉ. એ તા મતભેદ અને જૈનના તિરસ્કાર માટે છે. પર ંતુ ન્યાયપૂર્વક બંનેનાં મૂળતત્ત્વા આપ જોઈ જજો.
૯૦૭ પ્ર, જૈનદર્શન શુ' નક્કી સૌથી કો′ ધર્મો છે ?
આત્માના અંતર્વ્યાપાર (શુભાશુભ પરિણામ ધારા) પ્રમાણે બધ માક્ષની વ્યવસ્થા છે. શારીરિક ચેષ્ટા પ્રમાણે તે નથી.
Page #272
--------------------------------------------------------------------------
________________
- ૨૫૦
ઉ. (હા, તે સત્ય છે.) એમાં જે વિશુદ્ધ જ્ઞાન બતાવ્યું છે તે ક્યાંય
નથી, અને સર્વ માતાએ જે જ્ઞાન બતાવ્યું છે તે મહાવીરના તત્ત્વજ્ઞાનના એક ભાગમાં આવી જાય છે. એનું કથન સ્યાદવાદ છે, એક પક્ષી નથી. જૈન જેવું એકકે પૂર્ણ અને પવિત્ર દર્શન નથી; વીતરાગ જેવો એકકે દેવ નથી, તરી ને અનંત દુઃખથી પાર પામવું હોય તે તે સર્વજ્ઞ દર્શનરૂપ કલ્પવૃક્ષને સે.
જૈનના એકકેકા પવિત્ર સિદ્ધાંત પર વિચાર કરતાં આયુષ્ય પૂર્ણ થાય તે પણ પાર પામીએ નહિ તેમ રહ્યું છે. બાકીના સઘળા. ધર્મમતે વિચાર જિનપ્રણીત વચનામૃતસિંધુ આગળ એક બિંદુરૂપ પણ નથી.
જગતમાં અન્ય અનેક મત છે, જે જુઠી કલ્પિત યુક્તિ. બનાવી વિષયકષાય આસક્ત પાપી જી દ્વારા પ્રગટ કરવામાં આવ્યા છે અને તેમના શ્રદ્ધાની આદિથી જીવેનું બુરું અહિત થાય છે. પણ એક જિનમત જ સત્યાર્થીને પ્રરૂપક છે, સર્વજ્ઞ વીતરાગદેવ દ્વારા ભાષિત છે, અને તેની શ્રદ્ધાની આદિકથી. છનું ભલું થાય છે.
સત્યમાર્ગ એક જ હોય છે. ત્રણલક અને ત્રણ કાળમાં પણ સત્યમાર્ગ બે ન હોય. વીતરાગદેવના ઉપરાંત અન્ય દેવને સાચો માનવાવાળો વીતરાગને ભક્ત નથી. સર્વ દેવ અને કુદેવાદિ એકસરખા હોતા નથી, એવી શ્રદ્ધા થવાથી સર્વાની વ્યવહારશ્રદ્ધા કહેવાય છે. કેટલાક માણસે જૈનધર્મ અને અન્યધર્મોને સમન્વય કરવા ઇચ્છે છે, પરંતુ જૈનધર્મ અને અન્ય ધર્મોને સમન્વય કદી પણ થઈ શક્તો નથી. અમૃત અને વિષને
સમન્વય કેવી રીતે થઈ શકે ? ૯૦૮ પ્ર. જૈન દર્શનને વેદાંતીએ નાસ્તિક કહે છે તેનું શું કારણ ? ઉ, તેઓની દલીલ એમ છે કે જૈનદર્શન આ જગતના કર્તા પરમેશ્વરને
માનતું નથી, અને જે પરમેશ્વરને નથી માનતા તે તો નાસ્તિક જ
અત્યંત જ્ઞાન હેય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે. અત્યંત ત્યાગ પ્રગટયા વિના અત્યંત જ્ઞાન ન હોય એમ શ્રી તીર્થકરે સ્વીકાર્યું છે.
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૫૧
છે. જેને જગત અનાદિ છે એમ બેધડક કહી કતને ઉડાડ્યો હશે. તે પુરુષે શું કંઈ સર્વજ્ઞતાના ગુપ્ત ભેદ વિને કર્યું હશે ? જિનેશ્વરેને એવું કોઈ પણ કારણ નહોતું કે જે નિમિત્તે તેઓ મૃષા કે પક્ષપાતી બધે; તેમ તેઓ અજ્ઞાની ન હતા, કે એથી મૃષા બોધાઈ જવાય. જે જગકર્તા હોત તો એમ કહેવાથી એના લાભને કંઈ હાનિ પહોંચતી હતી ? જગર્તા નથી, જગત અનાદિ અનંત છે એમ કહેવામાં એમને કંઈ મહત્તા મળી જતી હતી ? એક રજકણથી કરીને આખા જગતના વિચારો જેણે સર્વ ભેદે. કહ્યા છે, તેવા પુરુષોનાં પવિત્ર દર્શનને નાસ્તિક કહેનારા કઈ ગતિને પામશે એ વિચારતાં દયા આવે છે. આત્માનું જેવું
સ્વરૂપ છે તેવું જ માનવાવાળે આસ્તિક કહેવાય છે અને
વિપરીત માનવાવાળે નાસ્તિક કહેવાય છે. ૯૦૯ પ્ર. અન્ય દર્શનીએ કહેલું કથન આપણાથી માન્ય રાખી શકાય ખરૂં ?
ઉ. અન્યનું વચન એમ ને એમ સ્વીકારી લેવું જોખમી છે. કિન્ત વિચારવિમર્શ કરતાં અન્ય કથિત વચન અર્થથી જિનાજ્ઞા સાથે જે સંગત જણાય તેને સ્વીકારવામાં કંઈ અનુચિત થતું નથી. અર્થથી, જેને જિનાજ્ઞા સાથે બાધ ન હોય એ વચન પ્રત્યે અરુચિ રાખવાં એ મેહને જ ચાળે છે. (મારું એ જ સાચું એમ નહીં પણ સાચું એ મારું). જૈન ધર્મને અન્ય ધર્મની સાથે સમન્વય. કરો તે રેશમ અને કતાનના સમન્વય કરવા જેવું વ્યર્થ છે. અમૃત અને વિશ્વના મિશ્રણ કરવા બરાબર છે. (જૈન ધર્મ
રેશમ અને અમૃત તૂલ્ય છે.) (જુઓ પ્રશ્ન-૯૦૭) ૯૧૦ પ્ર. જિનાજ્ઞા એટલે શું તે ટૂંકમાં કહો ? ઉ. ટૂંકમાં જિનાજ્ઞા આટલી જ છે કે જેનાથી વ્યક્તિ પોતે રાગદ્વેષમાંથી,
છૂટકારો મેળવી શકતી હોય એ તેણે કરવું–આચરવું. ૯૧૧ પ્ર. ધર્મના મુખ્ય અંગ ક્યા પ્રકારે કહ્યાં છે ?
ઉ. “ઉત્તરાધ્યયનમાં ધર્મનાં મુખ્ય ચાર અંગ કહ્યાં છે ?
આત્મપરિણામથી જેટલા અન્ય પદાર્થનો તાદામ્ય અધ્યાસ નિવતા તેને શ્રી જિન ત્યાગ કહે છે.
Page #274
--------------------------------------------------------------------------
________________
•પર
(૧) મનુષ્યપણું (૨) સત્પુરુષના વચનનું શ્રવણુ (૩) તેની પ્રતીતિ (૪) ધર્માંમાં પ્રવવું. આ ચાર વસ્તુ દુલ ભ છે. ૯૧૨ પ્ર. ધર્મ તત્ત્વના સર્વજ્ઞ ભગવાને કેટલા ભેદ કહ્યા છે ? ૩. (૧) વ્યવહાર ધર્માં, (૨) નિશ્ચય ધર્મો.
વ્યવહાર ધર્મીમાં ક્યા મુખ્ય છે, ચાર મહાવ્રતા તે પણ ધ્યાની રક્ષા વાસ્તે છે, ધ્યાના આઠ ભેદ છે.
બીજો નિશ્ચય ધર્મ :-પેાતાના સ્વરૂપની ભ્રમણુા ટાળવી, આત્માને આત્માભાવે આળખવા, આ સંસાર તે મારા નથી, હું એથી ભિન્ન પરમ અસંગ સિદ્ધૃસદશ શુદ્ધ આત્મા છું એવી આત્મવભાવ વના તે નિશ્ચય ધર્મ છે.
૯૧૩ પ્ર. ધમાં જે સાધના બતાવ્યાં છે. તે કઈ અપેક્ષાએ અને વૃત્તિ
આરાધવા કહ્યાં છે ?
ઉ. જે જે વખતે તપશ્ચર્યા કરવી તે તે વખતે સ્વચ્છ થી ન કરવી, લેકને લીધે ન કરવી. મુખ્યમાં મુખ્ય વિઘ્ન સ્વચ્છંદ છે, ખાદ્ય ત્યાગથી જીવ બહુ જ ભૂલી જાય છે. વેશ, વસ્ત્રાદિમાં ભ્રાંતિ ભૂલી જવી. આત્માની વિભાવદશા, સ્વભાવદશા એળખવી. જીવ એમ સમજે છે કે હું જે ક્રિયા કરું છું એથી મેક્ષ છે. ક્રિયા કરવી એ સારી વાત છે, પણ લેાસનાએ કરે તેા તેને તેનું ફળ હોય નહી, તીથ કરે ઉપવાસ કરવાની આજ્ઞા કરી છે તે માત્ર ઇન્દ્રને વશ કરવા માટે, એક્લા ઉપવાસ કરવાથી ક્રિયા વશ થતી નથી, પણ ઉપયાગ હાય તા, વિચાર સહિત થાય તે। વશ થાય છે. જેમ લક્ષ વગરનું બાણુ નકામુ જાય છે, તેમ ઉપયાગ વિનાના ઉપવાસ આત્માર્થ થતા નથી. ઉપવાસ કંઈ ભાજન નહીં કરવાનુ નામ નથી, પણ ભેાજનના પ્રત્યે મમત્વ પરિણામને છેડવાનુ નામ છે. “સ્વાદના ત્યાગ તેને ભાજનના ત્યાગ ક્યો છે.' આહાર પાણીના આત્મા ગ્રહણુ-ત્યાગ તા કરી શકતે! જ નથી, આહારપાણીના તા પેાતાની યાગ્યતાથી સંચાગ-વિયેાગ થાય છે. સ્વચ્છ થી,
જી
જેમ નિર્માળતા રે રત્ન સ્ફટિક તણી, તેમ જ સ્વભાવ રે; તે જિનવીરે રે ધમ પ્રકાશિયા પ્રખળ કષાય અભાવ રે.
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૫૩
અહ કારથી, લેાકલાજથી, કુળધ'ના રક્ષણ અર્થે તપશ્ચર્યા કરવી: નહીં, આત્માર્થે કરવી. માલક્રિયા કરવાથી અનાદિ દોષ ઘટે નહિ. બાલક્રિયામાં જીવ કલ્યાણ માની અભિમાન કરે છે. બાહ્યવ્રત વધારે લેવાથી મિથ્યાત્વ ગાળીશુ એમ જીવ ધારે પણ તેમ બને નહીં, આત્માનું બળ વધે ત્યારે મિથ્યાત્વ ઘટે, જે ક્રિયા કરવાથી અનેક ફળ થાય તે ક્રિયા મેાક્ષાર્થે નહીં. અનેક ક્રિયાનું ફળ એક મેાક્ષ થવા તે હાવુ જોઇએ.
૯૧૪ પ્ર. જડ પદા ને લેવા મૂકવામાં ઉન્માથી વર્તે તે। તેને અસંયમ કેમ
કહ્યો છે ?
ઉ. જડ પદા ને લેવા મૂકવા ઉન્માથી વર્તે તેા તેને અસંયમ ક્યો, તેનુ કારણ એ છે કે ઉતાવળથી લેવા મૂકવામાં આત્માના ઉપયોગ ચૂકી જઈ તાદાત્મયપણું થાય. આ હેતુથી ઉપયોગ ચૂકી જવા તેને અસંયમ કહો.
૯૧૫ પ્ર. જૈન ધર્મના સાર કહો.
ઉ. વસ્તુતા એ સહેજ સુખ આત્મામાં જ છે. આત્મામાં રમણ કરવાથી . તે પ્રાપ્ત થાય છે. પ્રાચીન કાળમાં અથવા વમાનમાં જે જે મહાત્માએ થયા છે. તેમણે એ જ ગુપ્ત અધ્યાત્મ વિદ્યાના અનુભવ કર્યો છે, અને એના જ ઉપદેશ કર્યો છે. એને જ અવક્તવ્ય કહો, કે સમ્યક્દર્શીન કહા, કે સમ્યજ્ઞાન કહો, પરમ યેાગ હા, ધર્મધ્યાન કહેા, શુકલધ્યાન કહેા, કે સહજ સુખ સાધન કહા, સર્વના એક જ અર્થ છે. નિશ્ચય ચારિત્ર જ ધ છે. જે સમભાવ છે તેને જ ધમ કહ્યો છે.
૯૧૬ ×. સર્વ જીવને વમાનકાળમાં પરમા મા દુ:ખે કરીને જ પ્રાપ્ત થાય તેનાં શુ કારણ છે ?
ઉ. (૧) પૂનું ધણું કરીને આરાધકપણું નહીં તે.
(૨) અનારાધક મામૈં આરાધકમા` માની લઈ જીવે પ્રવૃત્તિ કરી. હાય છે.
શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, તે કોઈ અન્ય લઇ ના શકાય; એ ભાગવે એક સ્વ-આત્મ પોતે, એકત્વ એથી નય સુજ્ઞ ગાતે.
Page #276
--------------------------------------------------------------------------
________________
૧૫૪
(૩) કાંક સત્તમાગમ અથવા સદ્ગુરુના યાગ અને, અને તે પણ કવચિત્ અને.
(૪) અસત્સ ંગ આદિ કારણેાથી જીવને સદ્ગુરુ આદિકનું એળખાણ થવુ પણ દુષ્કર વર્તે છે.
(૫) કવચિત્ સત્સમાગમના યાગ બને તા પણુ બળ, વીર્યાદિનુ એવુ... શિથિલપણું કે જીવ તથારૂપ માર્ગ ગ્રહણ ન કરી શકે અથવા તે સમજી શકે.
૯૧૭ પ્ર. પરમા મા માં જીવે અત્યાર સુધી જે જે સાધન કર્યાં. તે બંધન થયાં.” તેમ શાસ્ત્રમાં ઉલ્લેખ આવે છે તેના અર્થ શું?
ઉ. ઘણું કરીને વમાનમાં કાં તા (૧) શુષ્ક ક્રિયા પ્રધાનપણામાં જીવે મેાક્ષમાગ કલ્પ્યા છે, અથવા (૨) ખાલક્રિયા અને શુદ્ધ વ્યવહારક્રિયાને ઉત્થાપવામાં મેાક્ષમાપ્યા છે, અથવા (૩) સ્વમતિ૫નાએ અધ્યાત્મ ગ્રંથા વાંચી ક્થન માત્ર અધ્યાત્મ પામી મેાક્ષમાગ કલ્પ્યા છે. એમ કલ્પવાથી જીવને સત્તમાગમાદિ હેતુમાં તે તે માન્યતાના આગ્રહ આડે આવી પરમાથ પામવામાં સ્થભભૂત થાય છે.
૯૧૮ પ્ર. જે જીવા શુષ્ક ક્રિયાપ્રધાનપણામાં મેક્ષમાર્ગ ક૨ે છે, તે વેા પરમામાં ત્યાં અટકે છે?
ઉ. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એમ મેક્ષમાર્ગે ચાર પ્રકારે ક્યો છતાં પ્રથમનાં બે પદ તેા તેમણે વિસાર્યા જેવું હાય છે, અને ચારિત્ર શબ્દના અર્થ વેષ તથા માત્ર બાહ્ય વિરતિમાં સમજ્યા જેવું હાય છે. તપ શબ્દના અર્થ માત્ર ઉપવાસાદિ વ ન કરવું; તે પણ બાહ્ય સંજ્ઞાથી તેમાં સમજ્યા જેવું હોય છે; વળી કવચિત્ જ્ઞાન, દર્શીન પદ કહેવાં પડે તા ત્યાં લૌકિક કથન જેવા ભાવાના યનને જ્ઞાન અને તેની પ્રતીતિ અથવા તે કહેનારની પ્રતીતિને વિષે દર્શીન શબ્દના અર્થ સમજવા જેવું રહે છે. તે જીવાને તથારૂપ ઉપદેશનુ પાષણ પણ રહ્યા કરે છે.
૯૧૯ પ્ર. જે જીવા ખાદ્યયિા ( એટલે દાનાદિ) ઉત્થાપવામાં મેાક્ષમાગ સમજે છે, તેમની કાં ભૂલ છે?
તીર્થં કરે જ્ઞાનનું ફળ વિરતિ કહ્યુ છે,
Page #277
--------------------------------------------------------------------------
________________
પ
૩. કાય પણ ભાદર અને બાહ્ય ક્રિયાના નિષેધ કરવામાં આવ્યુ નથી, જે જીવેા બાઘક્રિયા (એટલે દાનાદિ) અને શુદ્ધ વ્યવહાર ક્રિયાને ઉત્થાપવામાં મેક્ષમા સમજે છે, તે જીવા શાસ્ત્રોના કાઈ એક વચનને અણુસમજણુભાવે ગ્રહણ કરીને સમજે છે. દાનાદિ ક્રિયા ને કાઈ અહંકારાદિથી, નિદાનઃદ્ધિથી કે જ્યાં તેવી ક્રિયા ન સંભવે એવા ઠ્ઠા ગુણસ્થાનાદિસ્થાને કરે તે! તે સંસારહેતુ છે, એમ શાસ્ત્રોના મૂળ આશય છે, પણ સમૂળગી દાનાદિ ક્રિયા ઉત્થાપવાના શાસ્ત્રોના હેતુ નથી, તે માત્ર પેાતાની મતિકલ્પનાથી નિષેધે છે.
૯૨૦ પ્ર. માર્ગમાં વ્યવહાર કેટલા પ્રકારે છે ?
ઉ. એક પરમા હેતુ વ્યવહાર અને ખીજે વ્યવહારરૂપ વ્યવહાર. ૯૨૧ પ્ર. આ બે પ્રકારના વ્યવહારમાં શાસ્ત્રકારે કયા પ્રકારના વ્યવહારને નિષેધ્યેા છે ?
ઉ. જે વ્યવહાર પરમા હેતુમૂળ વ્યવહાર નથી, અને માત્ર વ્યવહારહેતુ વ્યવહાર છે, તેના દુરાગ્રહને શાસ્ત્રકારે નિષેધ્યેા છે.
૯૨૨ પ્ર. વ્યવહારહેતુ વ્યવહાર કાને કહેવાય ?
ઉ. જે વ્યવહારનું ફળ ચાર ગતિ થાય તે વ્યવહાર વ્યવહારહેતુ કહી શકાય, અથવા જે વ્યવહારથી આત્માની વિભાવા જવા યાગ્ય ન થાય તે વ્યવહારને વ્યવહારહેતુ વ્યવહાર કહેવાય. એને શાસ્ત્રકારે નિષેધ કર્યા છે, તે પણ એકાંતે નહીં, કેવળ દુરાગ્રહથી અથવા તેમાં જ મેાક્ષમાર્ગ માનનારને એ નિષેધથી સાચા વ્યવહાર ઉપર લાવવા કર્યાં છે.
૯૨૩ પ્ર. પરમાર્થ મૂળ હેતુ વ્યવહાર કાને કહેવાય ?
ઉ. શમ, સ ંવેગ, નિવેદ, અનુક ંપા, આસ્થા અથવા સદ્ગુરુ, સશાસ્ત્ર અને મન વચનાદિ સમિતિ તથા ગુપ્તિ તે પરમાર્થ મૂળહેતુ વ્યવહારના નિષેધ કર્યાં નથી; અને તેને જો નિષેધ કરવા યેાગ્ય હોય તેા શાસ્ત્રો ઉપદેશીને બાકી શું સમજવા જેવું રહેતુ હતુ, કે શું સાધના કરાવવાનું જણાવવું બાકી રહેતુ હતુ કે શાસ્ત્રો ઉપદેશ્યાં ? અર્થાત્ તેવા વ્યવહારથી પરમાથ પમાય છે, અને અવશ્ય સહજસ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ (1 “માક્ષ” કહે છે.
Page #278
--------------------------------------------------------------------------
________________
૨૫૬
જીવે તેવો વ્યવહાર ગ્રહણ કર કે જેથી પરમાર્થ પમાશે એમ.
શાસ્ત્રનો આશય છે. ૯૨૪ પ્ર. શુષ્કઅધ્યાત્મી કેને કહેવાય અને તે જીવ કેવી રીતે બૂડે છે અને
બીજાને અવળે પંથે દોરે છે ? ઉ. અધ્યાત્મગ્રંથ પિતાની કલ્પનાએ જેમ તેમ વાંચી લઈ, નિર્ધારી
લઈ, તેવો અંતભેદ થયા વિના અથવા દશા ર્યા વિના, વિભાવ ગયા વિના પિતાની વિષે જ્ઞાન કપે છે, અને ક્રિયા તથા શુદ્ધ વ્યવહારરહિત થઈ વર્તે છે. ઠામ ઠામ જીવને આવા યોગ બાઝે તેવું રહ્યું છે, અથવા તો જ્ઞાનરહિત ગુરુ કે પરિગ્રહાદિ ઈરછક ગુરુઓ, માત્ર પોતાનાં માન-પૂજાદિની કામનાએ ફરતા એવા, છોને અનેક પ્રકારે અવળે રસ્તે ચડાવી દે છે; અને ઘણું કરીને,
કવચિત્ જ એવું નહિ હોય. ૯૨૫ પ્ર. અનાદિ એવા લેકને વિષે અનંત કાળ પૂર્વે વ્યતીત થવા છતાં,
અનંતકેદી જીવોને, અનંતવાર મનુષ્યપણું મળ્યા છતાં, અત્યંત.
થોડા જીવને આત્મકલ્યાણ પ્રાપ્ત થયું છે. તેનું શું કારણ ? ઉ. કલ્યાણની પ્રાપ્તિ જીવને ત્રણે કાળને વિષે અત્યંત દુર્લભ છે. જીવને
ખરી મુમુક્ષતા આવી નથી. પુરુષના દર્શન પ્રત્યે જીવને રુચિ થઈ નથી અને તેનું સૌથી મોટું કારણ અસત્સંગની વાસનાએ જન્મ પામ્યું એવું નિજેચ્છાપણું અને અસત્કર્શનને વિષે
સન્દર્શનરૂપ ભ્રાંતિ તે છે. ૯૨૬ પ્ર. મિશ્યાદર્શન, નિજેચ્છાપણું (સ્વછંદ) અને અસદર્શન કેવા અભિ
પ્રાયથી નીપજે છે ? ઉ, “આત્મા નામને કઈ પદાર્થ નથી,” એવો એક અભિપ્રાય ધરાવે
છે; “આત્મા દેહ સ્થિતિરૂપ છે, દેહની સ્થિતિ પછી નથી.” “આત્મા નામને પદાર્થ સંગિક છે,” એવો અભિપ્રાય કોઈ બીજા દર્શનને સમુદાય સ્વીકારે છે, “આત્મા અણુ છે,” આત્મા શન્ય છે,” “આત્મા પ્રકાશરૂપ છે,” “આત્મા જડ છે”, “આત્મા
કૃત્રિમ છે.” વગેરે અભિપ્રાય ભ્રાંતિનું કારણ છે. સર્વ જિનાગમમાં કહેલાં વચને એક માત્ર અસંગપણામાં જ સમાય છે; કેમકે તે થવાને અર્થે જ તે સર્વ વચન કહ્યાં છે,
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૫૭
૯૨૭. પ્ર. વ્રત, નિયમ, તપ કરવાં કે નહિ ?
ઉ. વ્રત, નિયમ, કરવાનાં છે, તેની સાથે કજિયા, કંકાસ, છેાકરાં, હૈયાં અને ધરમાં મારાપણું કરવું નહિ. ઊંચી દશાએ જવા માટે વ્રત, નિયમ કરવાં. તપ વગેરે કરવાં તે કાંઈ મહાભારત વાત નથી; માટે તપ કરનારે અહંકાર કરવો નહિ. તપ એ નાનામાં નામા ભાગ છે. ભૂખે મરવું તે ઉપવાસ કરવા તેનું નામ તપ નથી. માંહીથી શુદ્ધ અંતઃકરણ થાય ત્યારે તપ કહેવાય.
ઉપવાસ કરા તેની વાત બહાર ન કરા; ખીજાની નિંદા ન કરા; ક્રોધ ન કરા; જો આવા દાષા ઘટે તા મેટા લાભ થાય. તપાદિ આત્માને અર્થે કરવાનાં છે; લેાકેાને દેખાડવા અર્થે કરવાનાં નથી. કષાય ઘટે તેને તપ કહ્યો છે.
સ્ત્રી, ઘર, છેકરાં, છૈયાં ભૂલી જવાય ત્યારે સામાયિક કર્યું. કહેવાય.
જે ક્રિયા કરવી તે નિભપણે નિરહ કારપણે કરવી; ક્રિયાના ફળની આકાંક્ષા રાખવી નહિ, શુભ ક્રિયાના કાંઈ નિષેધ છે જ નહિ, પણ જ્યાં જ્યાં શુભ ક્રિયાથી મેક્ષ માન્યા છે ત્યાં ત્યાં નિષેધ છે.
જે મૂળ ગાંઠ છેવા શાસ્ત્રમાં કહ્યુ છે તે સહુ ભૂલી ગયા છે; તે બહારથી તપશ્ચર્યા કરે છે. દુઃખ સહન કરતાં છતાં મુક્તિ થતી નથી, તેા દુઃખ વેઠવાનુ કારણ જ વૈરાગ્ય તે ભૂલી ગયા. દુઃખ અજ્ઞાનનુ છે.
અંદરથી છૂટે ત્યારે બહારથી છૂટે; અંદરથી છૂટચા વગર બહારથી છૂટે નહિ. એકલુ બહારથી છેડે તેમાં કામ થાય નહિ. આત્મસાધના વગર કલ્યાણ થતું નથી.
૯૨૮ પ્ર. ગરીખાતે અનાજ, કપડાં દાન કરીએ, ગરીખાની સેવા કરીએ ત
બધાથી ધમ થાય ને ?
સ ભાવથી અસગપણુ થવુ તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે, એમ વિચારી શ્રી તીથ કરે સત્સંગને તેના આધાર કહ્યો છે.
૧૭
Page #280
--------------------------------------------------------------------------
________________
૫૮
ઉ. ગરીબોને અનાજ, કપડાં આદિ આપવામાં કષાયની મંદતા હોય તે
પુણ્ય બંધાય પણ ધર્મ ન થાય અને અનાજ, ૫ડાં વગેરે પરવસ્તુ છે, તે મારી છે, ને હું તે વસ્તુ બીજાને આપી શકું છું એ માન્યતા મિથ્યાત્વ છે. દાન દેવાને ભાવ તે શુભ છે. તેનાથી આત્માને લાભ માનો કે ધર્મ માનવો તે મિથ્યાત્વ છે. આત્માનું શું
સ્વરૂપ છે ને આત્મા શું કરી શકે છે એની મર્યાદા જગતે જાણી નથી. એથી અજ્ઞાનના દાવાનળમાં જગત સળગે છે.
સમ્યક્દષ્ટિની બુદ્ધિ આત્મામાં છે, મિશ્યાદષ્ટિની સુખબુદ્ધિ પુણ્યમાં છે. અજ્ઞાની પુણ્યને ઉપાદેય માને છે, તેથી તેને આત્મા હેય થઈ જાય છે. પણ આત્માને ઉપાદેય માને છે તેને શુભ ભાવ હેય થઈ
જાય છે. આવી વાત છે ! દુનિયા સાથે મેળ ખાય તેવું નથી. ૯૨૯ ક. “પઢમમ નાણું તઓ દયા”ને અર્થ સમજાવો ? ઉ. “પઢમમ નાણું તઓ યા”-એને અર્થ છે તે પ્રથમ જ્ઞાન અને પછી
દયા. અહીં દયાને અર્થ છે પોતાના આત્માની દયા, અને આત્માની દયા જ્ઞાનના પ્રતાપે આવે. જેને પોતાની દયા આવે તેને જ પરની દયા આવે. આવી દયા સમ્યફજ્ઞાનના પ્રતાપે આવે છે. સમ્યફજ્ઞાન વિના આત્માની દયા ન પાળી શકો, તે તું
કાઈની દયા પણ પાળી શક્યા નથી. ૯૩૦ પ્ર. પરદ્રવ્ય (બીજા જીવ)નું કાર્ય (અથવા ભલું) આપણે ભલે ન કરી
શકતા હોઈએ, પરંતુ અનાશક્તિભાવથી બીજાને સુખી કરીએ તે
તેમાં શું વાંધો ? ઉ. પર (બીજા)ને હું સુખી કરી શકું અથવા અનુકૂળતા પ્રદાન કરવાને
શક્તિમાન છું તે દૃષ્ટિ (ભાવ) જ મિથ્યાત્વરૂપ ભ્રમ છે. પર (બીજા)ને સુખી કરી શકે અથવા બીજાને લાભ કરાવી આપે-તે
કર્તા બુદ્ધિનું અભિમાન છે, અનાશક્તિ નથી. ૯૩૧ પ્ર. અનાસક્તિભાવથી કર્મ કરવામાં તો કોઈ દોષ નથી ને ? ઉ. એક શાયતા (જ્ઞાનભાવ, આત્મા ને જ્ઞાનમાં લેવા) સિવાય
અન્ય કર્મ કરવાને અભિપ્રાય જ આસક્તિપણું અને મિથ્યાત્વ
સર્વ જ્ઞાનનું ફળ પણ આત્મસ્થિરતા થવી એ જ છે, એમ વીતરાગ પુરુએ કહ્યું છે, તે અત્યંત સત્ય છે,
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૫૦
ભાવ છે. કર્મ કરવું અને અનાસક્તભાવથી કરવું-એ માન્યતા જ વિપરીત છે. કર્મના ક્તત્વના અભિપ્રાય (ભાવ)ના સાથે
અનાસક્તિને ભાવ સંભવે જ નહીં. ૩૨ પ્ર. જે એક મનુષ્ય બીજાની સેવા આદિ પરમાર્થનું કામ કરે તે
જિંદગીમાં કાંઈ કામ કર્યું એમ કહેવાય; માત્ર પોતાનું જ કરતો રહે અને બીજાનું કાંઈ પણ ન કરે તે પછી તેને જીવતરને
શું અર્થ ? પોતાનું પેટ તો કૂતરે પણ ભરી લે છે. જિ. બીજાનું કાંઈ કરવું તે પરમાર્થ છે તે વાત જ ખોટી છે.
લેકમાં મહાન ભ્રમ ઘર કરી ગયે છે કે બીજાનું કામ કરવું તે પરમાર્થ છે. પરમાર્થની આવી વ્યાખ્યા નથી જ. પરમાર્થ અર્થાત્ પરમ પદાર્થ (પરમ + અર્થ); પરમ પદાર્થ અથવા ઉત્કૃષ્ટ પદાર્થ જ પરમાર્થ છે અને તે પિતાને આત્મા જ છે; તેથી તે જ સાચે પરમાર્થ છે. હું બીજાની સેવા કરી શકું છું એવી માન્યતા તે પરમાર્થ નથી, કારણ કે આત્મા બીજાનું કાર્ય કરી
શક્તિ જ નથી. ૯૩૩ પ્ર. તે પછી આ ધર્મ જૈન ધર્મ)થી તો સમાજને કઈ લાભ
થવાને નથી. ઉ. વસ્તુનું સત્ય સ્વરૂ૫ તા આ પ્રકારે છે. સમાજના જીવને સત્યથી
લાભ થશે અથવા અસત્યથી ? જે સત્યથી એકને લાભ થશે, તેનાથી અનતને પણ લાભ થશે. સંસારના છ સત્ય સ્વરૂપની અણસમજથી જ દુઃખી છે, જે તે સમજી લે તે, દુઃખ ટળે અને જ્ઞાન પ્રગટે. જે પણ હાનિ આ જીવને થઈ છે અને થાય
છે, તે પિતાને અસત્યભાવ (મિશ્યા સમજણ)થી જ છે. ૯૩૪ પ્ર. વત, ભક્તિ, દાન આદિ કરવાથી કાંઈ નુકશાન તે નથી ? ઉ. સમ્યક્દર્શન વિના વ્રત-ભક્તિ કરે કે લાખો રૂપિયાના દાન કરે કે
ધર્મશાળા બંધાવે પણ તે બધું પુણ્ય છે; પરંતુ સમ્યફદર્શન વિનાના એકલા પ્રયથી વિભવ મળશે. અબજો રૂપિયા દિવસના પેદા કરતે હોય તે પણ શું ? સમ્યફદર્શન વિના તેનાથી તેને મદ ચઢશે.
પરખે માણિક મેતી, પરખે હમ કપૂર, પર એક ન પર આત્મા, તહાં ભય દિગ્ગઢ,
1. ' '
Page #282
--------------------------------------------------------------------------
________________
૨૬o
કેમકે સ્વભાવનું અધિકપણું પામ્યું નથી, તેથી પસાદિમાં અધિકપણું" ભાસવાથી મદ ચઢશે. મદથી મતિભ્રમ થશે ને મતિ ભ્રમથી પાપ કરશે. માટે આચાર્યદેવ કહે છે કે સમ્યક્દર્શન વિના અમને પુણ્ય ન હજે, કેમકે સમ્યક્દર્શન વિના અનંત વાર નવમી ગ્રેવેયક જઈ
આવ્યા ને પાછો નરક નિગોદમાં રખો. ૯૩૫ પ્ર. શ્રી વાદિરાજ મુનિરાજને કુષ્ઠ રોગ સ્તુતિ કરતાં જ મટી ગયા,
માનતુંગાચાર્ય દેવનાં કારાગારનાં તાળાં ભક્તામર સ્તોત્ર બોલતાં તૂટી. ગયાં, સીતાજીના નિર્દોષ શીલથી અગ્નિ પણ જળરૂપ થઈ ગયે,
આવાં કથને શાસ્ત્રમાં આવે છે, તે આનાથી અમારે શું સમજવું? ઉ. પૂર્વનાં પુણયના યોગથી વાદિરાજ મુનિરાજને કોઢ મટી ગયો,
માનતુંગાચાર્યનાં બંધને તૂટી ગયાં અને સીતાજીને અગ્નિકુંડ. પણ જલસરેવર બની ગયા, ત્યારે તે પુણ્યદયને આરોપ વર્તમાન પ્રભુભક્તિ અને બ્રહ્મચર્ય આદિ ઉપર કરવામાં આવે એવી
પ્રથમાનુયોગની કથનપદ્ધતિ છે, તે યથાવત સમજવી જોઈએ. ૯૩૬ ક. ત્યારે અમારે પૂજા, ભક્તિ આદિ કરવાં જોઈએ કે નહીં ?
ઉ. કરવાં કે ન કરવાની વાત નથી. ફરવા લાયક કાર્ય તે રાગથી ભિન્નત કરીને એક માત્ર આત્માની અનુભૂતિ કરવી તે જ છે. આત્મા જ્ઞાનસ્વરૂપ પૂર્ણાનંદ પ્રભુ છે, તેની સન્મુખ ઢળતાં ધમ જીવને જયાં સુધી પૂર્ણ સ્થિરતા ન થાય ત્યાં સુધી પૂજા, ભક્તિ, વ્રતાદિને શુભરાગ આવે છે, થાય છે, ભૂમિકાનુસાર શુભરાગ આવ્યા વિના રહેતા નથી, પરંતુ ધમજીવ તેને ધર્મ અથવા ધર્મનું કારણ માનતા નથી; તે શુભરાગ ફક્ત પુણ્યબંધનું કારણ છે, તેમ માને
છે. (અને પુણ્યને તે ઉપાદેય નહી પણ હેય સમજે છે.) ૯૩૭ પ્ર. શુભરાગને પરંપરાએ મોક્ષમાર્ગનું સાધન કહ્યું છે ને ? ઉ. હા, કહ્યું છે, પણ પરંપરાને અર્થ શું ? સમતી ધર્માત્માને
વર્તમાનમાં મોક્ષમાર્ગ છે તથા સાથે સાથે તેમની ભૂમિકાનુસાર યથાસંભવ રાગ પણ છે. તેઓ નિકટના ભવિષ્યમાં આત્મસમુખ થવાને ઉગપુરુષાર્થ કરી તે રાગને ટાળી મેક્ષ પ્રાપ્ત કરશે, અને
ગયેલી એક પળ પણ પાછી મળતી નથી, અને અમૂલ્ય છે, તે પછી આખી આયુષ્યસ્થિતિ !
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૬૧
તેથી શુભરાગને ઉપચારથી પરંપરા કારણ કહ્યું છે, પણ વાસ્તવમાં
તે ખરેખર કારણ નથી. ૯૩૮ પ્ર. પુણ્યથી પ્રાપ્ત થતા વિભવ કે વિભૂતિથી મદ અથવા અભિમાન
કેમ થઈ આવે છે ? ઉ. પુણ્યથી ઘરમાં ધન હોય છે એસ્ટલે કે પુરુષાર્થથી ધન મળતું નથી
પણ પૂર્વેના પુણ્યથી ધન મળે છે. ધન કે વિભૂતિ અભિમાન કરાવતા નથી પણ પિોતે અભિમાન કરે છે. પૂર્વે પુણ્યભાવમાં અભિમાન સેવ્યું હતું તેથી વર્તમાનમાં વિભૂતિને સંગ મળતાં અભિમાન કરશે. અભિમાનથી મતશ્વિમ થઈ જશે. મદ ચઢી જાય કે ગરીબ માણસને આવડત નથી ને અમને આવડત છે એટલે અમે કમાયા. અમારા બાહુબળે પૈસા કમાયા છીએ. પિતાજી પાસે કાંઈ ન હતું પણ અમે અમારી આવડતથી આ બધું કમાણું, ઇત્યાદિ અનેક પ્રકારના અભિમાને થશે ને તેનાથી મતિ ભ્રષ્ટ થઈ જશે.
કઈ ધર્માત્માં ગરીબ હોય તે તેની નિંદા કરશે; નિર્ધન હતા એટલે મુનિ થઈને ચાલી નીકળ્યા. આદિ મતિભ્રમ થવાથી નિંદા કરશે, અને એ રીતે વિકરહિત થઈને પાપ બાંધશે. માટે મુનિરાજ કહે છે કે અમને એવા પુણ્ય ન હજો.
અભિમાનથી પુણ્ય બળી જાય છે, પાપ બાંધે છે ને દુર્ગતિમાં
ચાલ્યા જાય છે. ૯૩૯ પ્ર. પણ આત્માની દષ્ટિ થયા પછી વ્રત-તપ કરવાના હેય ને ? ઉ. આત્માની દૃષ્ટિ થયા પછી જેમ જેમ સ્વરૂપમાં સ્થિરતા થાય
તેમ તેને યોગ્ય વ્રત તપ આદિના વિકલ્પો સહજ આવે છે તે આસ્રવ છે. સ્વરૂપમાં સ્થિરતા થાય તે જ નિશ્ચય-વ્રત છે, તેની સાથે વિકલ્પ હોય તે વ્યવહારદ્રત કહેવાય. સમ્યગદર્શન થયા પછી સ્થિરતા વધતી જાય તેમ ત્રેતાદિના વિકલ્પ સહજ આવે છે, હઠ કરવી પડતી નથી. સમ્યફદર્શન સહિત પુણ્ય બાંધેલું, ત્યારે
જેમ કંચનને કાટ લાગતું નથી, અગ્નિને ઊધઈ લાગતી નથી, તેમ જ્ઞાયક સ્વભાવમાં આવરણ, ઊણપ કે અશુદ્ધિ આવતી નથી.
Page #284
--------------------------------------------------------------------------
________________
પુણ્યમાં અભિમાન કર્યું ન હતું તેથી તેના ફળમાં તેમને અભિમાન થતું નથી. તેથી ધર્મનું પુણ્ય પરંપરા મેક્ષનું કારણ કહ્યું છે કેમ કે ધમી પુણ્યને છોડીને પુણ્યને અભાવ કરીને મોક્ષ કરશે. પણ
પુણ્યથી મોક્ષ થતું જ નથી. ૯૪૦ પ્ર. ક્રિયાકાંડ, બાહ્ય ક્રિયા, ઉપવાસાદિથી આત્માને કાંઈ લાભ છે ? ઉ. વ્રતનિયમથી પુણ્ય બંધાય તે અધાતિયાં કર્મની પ્રકૃતિરૂપ છે. તેવું
તો જીવે ઘણીવાર કર્યું છે પણ ઘાતિયાં કર્મને ય કરવા તીર્થકર જેવાએ લક્ષ રાખ્યો છે, તે જીવ ચૂકી ગણત્રી થઈ શકે તેવી ક્રિયામાં રાચી, સાચી સમજણ કરવાનું ચૂકે છે. આત્મસ્વભાવથી વિપરીત ક્રિયાકાંડ, બાહ્ય કર્મ કરવાથી શું લાભ? અનેક પ્રકારે ઉપવાસાદિ બાહ્ય તપથી પણ શું લાભ? આતાપન યોગરૂપ કાયકલેશથી પણ શું લાભ? તેનાથી મોક્ષમાર્ગનું કશું કાર્ય સહેજ સરખું પણ થતું નથી. મેક્ષપ્રાપ્તિને ભાવ પણ આસવ ભાવ
છે, અને તે કર્મ બંધનું કારણ છે. ૯૪૧ પ્ર. વિષય વિરક્તિથી ભૂતકાળનાં કર્મોને ક્ષય કરી શકાય છે ? ઉ. જ્યાં સુધી જીવ વિષયભોગને વશ હોય છે ત્યાં સુધી તે જ્ઞાનની
પ્રાપ્તિ કરી શક્તા નથી, અને જ્ઞાનને પ્રાપ્ત કર્યા વિના એલી વિષયવિરક્તિથી ભૂતકાળનાં કર્મોને ક્ષય કરી શકાતું નથી.
સારાંશ એ છે કે જ્ઞાન પ્રાપ્ત કરીને વિષયભોગ તજ એ શ્રેષ્ઠ છે. ૯૪ર પ્ર. વ્રત અને તપશ્ચર્યાથી નિર્વાણ ન થાય તે શું તે ન કરવાં ? ઉ. વ્રત અને તપશ્ચર્યા કરનારને ભલે નિર્વાણ પ્રાપ્ત ન થાય છતાં પણ
તેને સાંસારિક સુખની પ્રાપ્તિ થાય અને મોક્ષ સાધનામાં તે
સહકારિકારણ બને. ' ૯૪૩ પ્ર. પૈસા વાપરવાની ભાવના હોય તે કેવાં શુભ કાર્યમાં વાપરવા ? ઉ. ધર્મપ્રાપ્તિ તથા ધર્મ આરાધનામાં પિતાને અને પરને મદદ મળે
તેવાં કામમાં વાપરવા ઘટે. વાપરવા પહેલાં તે સંબંધી વિચાર કરતાં પણ ધર્મધ્યાન થાય છે. જગતના જીવોને જ્ઞાનીની આજ્ઞાની પ્રાપ્તિ કેમ થાય? તેને વિચાર કરી, જેને જેને ધન આદિની ખામીને
જ્ઞાનીનાં વચનોની પરીક્ષા સર્વ જીવને સુલભ હેત | તો નિર્વાણ પણ સુલભ જ હેત,
Page #285
--------------------------------------------------------------------------
________________
લઈને સત્સંગ આદિ સાધનમાં વિદન નડતાં હોય તેને તેવી અનુકૂળતા કરી આપવામાં ધન વપરાય તો સારા માર્ગે વપરાયું ગણાય, કાંઈ વાપરવું હોય તે તે લેભ એ છે કરવા, સન્માર્ગ પ્રત્યેનો પ્રેમ વધારવા, અને આત્માની દયા-વિચારણું અર્થે કરવાનું છે. પુણ્ય બંધાશે એવી ભાવના રાખવી યોગ્ય નથી. જીવને રખડાવનાર એક લે છે. તેને હણવા અર્થે દાન, ત્યાગ, વૈરાગ્ય, કર્તવ્ય છે. બધું ય હું ભેગવું એવી સંજ્ઞારૂપ અનાદિની ટેવ ટાળવા અર્થે દાન આદિશુભ પ્રવૃત્તિ કરવી, પણ તેના ફળની ઈચ્છા રાખવી નહીં. લેભમાંથી એક કાંકરી પણ ખરે તે પણ આત્મા હલકે થાય.
શાસ્ત્રો દાન, વ્રત અને તપ આદિની વાતમાં નકાર ભણતા નથી. દાનની વાતમાં તૃષ્ણાને છોડવાનું કહ્યું છે. શ્રદ્ધાપૂર્વક જેટલા પ્રમાણમાં તૃણ છૂટે તેટલા પ્રમાણમાં ધર્મ છે. કષાય ઘટાડીને તૃષ્ણાને ટાળી દાનાદિ કરવાં. જ્ઞાનની (આધ્યાત્મિક જ્ઞાનની) વૃદ્ધિ કરે તેવા સ્થાનમાં જે દાન આપે છે તેનું ફળ અનંતગણું છે. જે લક્ષ્મી જ્ઞાન (આધ્યાત્મિક જ્ઞાન) દાનમાં વપરાય તે
અનંતગણું ફળે છે. ૯૪૪ પ્ર. શુભરાગ પણ કુશીલ છે તે જ્ઞાની શુભરાગને કેમ કરે છે ? ઉ. જ્ઞાની શુભરાગને કરતા નથી પણ નિર્મળ ભૂમિકામાં શુભરાગ
આવ્યા વિના રહેતો નથી. પણ તેને હેય જાણી વીતરાગ થવા માટે છેડવા જેવો છે તેમ માને છે. છઠ્ઠા ગુણસ્થાને ભાવલિંગી મુનિ જેમને પ્રચુર આનંદનું વદન છે, તેમને શુભ પરિણામ આવે છે તે શુભરાગને પણ જગપંથ કહ્યો છે કેમ કે તે બંધનું કારણ છે, અને તેમાં ધર્મ માને છે તે તો મિથ્યાદષ્ટિ છે. ભૂમિકા વધતાં શુભભાવ તે વધતું જાય છે પણ તેમાં જ્ઞાનીને આત્મબુદ્ધિ હોતી નથી. જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય છે તે રાગભાગ સાથે જ્ઞાનીને
એક્તા નથી. ૯૪૫ ક. ઠેર ઠેર શાસ્ત્રમાં પુણ્યભાવને ધર્મનું સાધન પણ કહ્યું છે ને ?
હુન્નર કરે હજાર, ભાગ્ય બિન મિલે ન કોડી.
Page #286
--------------------------------------------------------------------------
________________
૨૬૪
ઉ. હા, કહ્યું છે, પરંતુ તે તે નિમિત્તના સહચરનું જ્ઞાન કરાવવા
માટે વ્યવહારનયથી કહ્યું છે. આચાર્ય જયસેનની ટીકામાં તથા પરમાત્મા પ્રકાશમાં વ્યવહાર રત્નત્રયથી નિશ્ચય થાય છે એમ આવે છે, પરંતુ તે બધું વ્યવહારનું કથન છે. જેને નિશ્ચય રત્નત્રય
સ્વરૂપ ધર્મ પ્રગટ થયો છે, તેને બાહ્ય વ્યવહાર (વ્યવહાર રત્નત્રય) કેવો હોય છે તે જ્ઞાન કરાવવા માટે શાસ્ત્રમાં આવું (ઉપચાર) કથન આવે છે, છતાં પણ પુણ્યભાવ રત્નત્રયનું યથાર્થ સાધન નથી. વાસ્તવમાં તો જેને નિશ્ચયધર્મ પ્રગટ થતા નથી,
તેને વ્યવહારધર્મ પણ સાચે હેત નથી. ૯૪૬ પ્ર. શુભરાગથી ધર્મ થ િનથી તેમ શાસ્ત્રમાં કથન આવે છે અને
તેથી લોકોને દેવ-શાસ્ત્ર-ગુરુની ભક્તિને ઉત્સાહ આવતો નથી ? ઉ. શુભરાગથી ધર્મ થતા નથી તે વાત ખરી, પણ એવું ક્યાં કહ્યું
છે કે શુભરાગને છોડી અશુભરાગ કરો, તો પછી સ્ત્રી, પુત્ર, લક્ષ્મી આદિ અશુભરાગમાં કેમ રત (રચ્યાપચ્યો રહે છે ? એનાથી ખાત્રી થાય છે કે લેકીને નિમિત્તની પરીક્ષા કરતાં આવડતું નથી. જેને નિમિત્તની પરીક્ષા કરવાનું ભાન નથી તેઓ ઉપાદાનના સ્વરૂપને કેવી રીતે ઓળખી શકે ? ભગવાન અરિહંતદેવ, સતશાસ્ત્ર અને ભાવલિંગી મુનિ આપણું સતસ્વરૂપને
સમજવામાં નિમિત્ત છે. ૯૪૭ પ્ર. પ્રથમ અશુભરાગ જાય અને શુભરાગમાં આવે ત્યારબાદ શુદ્ધભાવ
થાય એવો ક્રમ છે ને ? ઉ. ના આ ક્રમ જ નથી. વિકારી શુભભાવ કરતાં કરતાં અવિકારી
શુદ્ધભાવની પ્રાપ્તિ થાય, એવું ત્રણે તેમાં અને ત્રણ કાળમાં કદી બની શકે નહીં. પહેલા સમ્યફદર્શન પ્રગટ થાય છે, પછી એકદમ શુભરાગ જઈ શકતું નથી, એટલે પહેલાં અશુભરાગ ટળી શુભરાગ આવે છે, આ સાધકના ક્રમની વાત છે. (નહિ કે માર્ગના કમની વાત.) આ જે કાર્ય–કારણપણને સંબંધ હોય તે શુભ ઉપયોગનું કારણ અશુભ ઉપગ ગણાય, કારણ કે અશુભ ઉપયોગ
આત્મા ઉત્કૃષ્ટ અજાયબઘર છે. તેમાં અનંત ગુણરૂપ અલૌકિક અજાયબીઓ ભરી છે,
Page #287
--------------------------------------------------------------------------
________________
છૂટી જઈને શુભ ઉપયોગ થાય છે. વ્યલિંગી સાધુને શુભ ઉપયોગ તે ઉત્કૃષ્ટ હોય છે, પણ શુદ્ધ ઉપગ તે હોતો નથી, તેથી પરમાર્થથી તેમનું કારણ-કાર્યપણું હોતું નથી. જેવી રીતે રોગીને બહુ રોગ હતો, પછી અલ્પ રોગ રહ્યો, તે તે અ૫ રોગ નિરોગી થવાનું કારણ તે નથી, એટલું ખરું કે અલ્પ રોગ રહે ત્યારે ઉપાય કરે તે તરત જ નિરેગી થઈ જાય, પણ જે કઈ અલ્પ રોગને ભલે અને સારો સમજી તેને રાખવાનો પ્રયત્ન કરે તે નિરોગી કેવી રીતે થાય ? અશુભમાંથી શુભમાં આવ્યા પણ શુભ તે શુદ્ધમાં જવાનું કારણ નથી. એટલું ખરું કે શુભ ઉપયોગ થતાં શુદ્ધ ઉપગ માટે પ્રયત્ન કરે તે તે થઈ જાય, પરંતુ કોઈ જે શુભ ઉપગને જ ભલે અને સારો સમજી તેને જ ઉપાય કર્યા કરે તે શુદ્ધ ઉપયોગ કેવી રીતે થાય ? તે મિથ્યા દષ્ટિને શુભ ઉપયોગ તે શુદ્ધ ઉપયોગનું કારણ નથી. સમ્યફદષ્ટિને શુભપગ થતાં થોડા સમયમાં શુદ્ધાપર પ્રાપ્ત થાય, આવી મુખ્યતા (અપેક્ષાથી ક્યાંક ક્યાંક શુભોપયોગને શુદ્ધો પગનું
કારણ પણ કહ્યું છે, એમ જાણવું. ૯૪૮ પ્ર. સમ્યફદ્દષ્ટિને શુભ ભાવ તે પરંપરાએ ધર્મનું કારણ છે એમ શાસ્ત્રમાં
કેટલીક જગ્યાએ કહેવામાં આવે છે તેને શું અર્થ છે ? ઉ. સમ્યદૃષ્ટિ જીવો પોતાના સ્વરૂપમાં જ્યારે સ્થિર રહી શક્તા નથી
ત્યારે રાગદ્વેષ તેડવાને પુરુષાર્થ કરે છે, પણ પુરુષાર્થ નબળે હોવાથી અશુભ ભાવ ટળે છે અને શુભ ભાવ રહી જાય છે. તેઓ તે શુભ ભાવને ધર્મ કે ધર્મનું કારણ માનતા નથી, પણ તેને આસ્રવ જાણીને ટાળવા માગે છે. તેથી જ્યારે તે શુભ ભાવ ટળી જાય ત્યારે જે શુભ ભાવ ટળે તેને શુદ્ધ ભાવ (ધર્મ)નું પરંપરા કારણ કહેવામાં આવે છે. સાક્ષાતપણે તે ભાવ શુભાસ્ત્રવ હોવાથી બંધનું કારણ છે, અને જે બંધનું કારણ હોય તે સંવરનું કારણ થઈ શકે નહિ.
હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સી પુત્રાદિ કઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આવનાશી એ હું આમાં છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષના ક્ષય થાય,
Page #288
--------------------------------------------------------------------------
________________
૨૬૬
૯૪૯ પ્ર. તેા માર્ગની યથાવિધિને ક્રમ કયા છે ?
ઉ. અચિત્ત્વ સામર્થ્ય વાળા આત્માની રુચિ થયા વિના ઉપયેગ પલટીને
સ્વમાં આવી શકતા નથી. પાપભાવાની જેને રુચિ હાય તેની તા. અહીં વાત જ નથી પણ પુણ્યની રુચિવાળા પણ બાહ્ય ત્યાગ કરે,. તપ, શીલ, સંયમ પાળે તેા પણ જ્યાં સુધી પરની રુચિ અંતરમાં પડી છે ત્યાં સુધી ઉપયોગ પર ઉપરથી પલટી સ્વ સ્વભાવ તરફ. આવી શકતા નથી. પર તરફની રુચિ છેડવાથી જ ઉપયોગ સ્વમાં આવી શકે છે. માની યથાર્થ વિધિના ક્રમ આ છે. અજ્ઞાનીએ. વસ્તુસ્વરૂપનું સાચું જ્ઞાન કરીને આત્માનું ભાન કરવુ જોઈએ. શુભ રાગથી ક્રિયાકાંડ કરવાં તે સાચા ઉપાય નથી.
૯૫૦ પ્ર. આત્મામાં પરિણમન માટે પ્રથમ શું કરવુ જોઈએ ? . પ્રથમ સત્સમાગમથી સત્ય વસ્તુસ્વરૂપનું
શ્રવણ કરવુ જોઇએ. જ્યાં સત્યનું શ્રવણુ પણ નથી, ત્યાં સત્યનું ગ્રહણુ તા કયાંથી જ સંભવે ? જ્યાં ગ્રહણ નથી, ત્યાં ધારણા નથી; જ્યાં ધારણા નથી, ત્યાં રુચિ નથી; અને જ્યાં રુચિ નથી, ત્યાં પરિણમન પણ હેતું નથી. જેને આત્માની રુચિ હાય છે, તેને પ્રથમ શ્રવણુ, ગ્રહણ અને ધારણા હેાય જ છે. તે પછી અંતરમાં પરિણમન કરવાની વાત આવે છે.
૯૫૧ પ્ર. અજ્ઞાનીમાં વ્રત, તપ તે મેલમાર્ગ છે?
ઉ. ના; તે બાલત્રત ને બાલતપ મેક્ષમાગ માં નથી. પહેલાં સમ્યક્દર્શન. થયા પછી જ પરિણામની શક્તિ અનુસાર ચારિત્ર લેવું, ત. સમ્યક્ત્વ આચરણ ચારિત્ર છે. અજ્ઞાનપૂર્વકના (સમ્યક્ ન થયા વગરના) ચારિત્રને સાચું ચારિત્ર કહેવાતું નથી; તેથી ચારિત્રની આરાધના સમ્યાન પછી કહેવામાં આવી છે. સમ્યક્ત્વાચરણ ચારિત્ર વિના સંયમચરણુ ચારિત્ર નિર્વાણુનુ કારણ નથી. ૯પર પ્ર. સમ્યગ્દર્શન વગર વ્રત–ચારિત્ર માને તે ? ઉ. તા તેને જૈનધર્મ ના મેાક્ષમાના ક્રમની ખબર નથી.
આનંદ કહે પાન દા, માણસે માણસે ફેર, એક લાખે તેા ન મળે, એક ત્રાંબિયાના તેર
Page #289
--------------------------------------------------------------------------
________________
૯૫૩ પ્ર. શરીરને કષ્ટ આપવાથી તપ થાય છે ? જેટલું વધારે કષ્ટ તેટલું
વધારે તપ હેાય ? ઉ. તપમાં કષ્ટ નથી, આનંદ છે. કષ્ટ લાગે તેમાં તે આત્તર્ધાન છે.
ધર્મધ્યાનમાં તે આનંદ હોય, શાંતિ હોય. આવી શાંતિના વેદન વડે જ્ઞાનીને ક્ષણમાં અનંતા કર્મો નષ્ટ થઈ જાય છે.
અજ્ઞાનીને કષ્ટ સહેવા છતાં મેક્ષના કારણરૂપ નિર્જ થતી નથી, ને જ્ઞાનીને કષ્ટ વગર સહજપણે કર્મો છૂટી જાય છે.
ધર્મ થાય તેમાં તે આત્માના સુખનું વદન થાય. જ્યાં સુખ. નહીં ત્યાં ધર્મ નહીં અને આત્માના જ્ઞાન વગર સુખ નહીં, - શુદ્ધ આત્માનું સ્થાન એ ઉત્કૃષ્ટ પણ સરળ તપ છે, તેમાં શું
કષ્ટ છે તે હે ભાઈ ! તું વિચાર કર. ૯૫૪ પ્ર. બાહ્ય ક્રિયા કરવાથી અનાદિ દેવ ઘટે? મિથ્યાત્વ ટળે ? ઉ. બાહ્ય ક્રિયા કરવાથી અનાદિ દેષ ઘટે નહિ. બાહ્ય ક્રિયામાં છવ
કલ્યાણ માની અભિમાન કરે છે. બાહ્યવત વધારે લેવાથી મિથ્યાત્વ. ગાળીશું એમ છવ ધારે પણ તેમ બને જ નહીં. બાહ્યક્રિયાના અંતર્મુખવૃત્તિ વગરના વિધિનિષેધમાં કંઈપણ વાસ્તવ્ય કલ્યાણ રહ્યું નથી. ગચ્છાદિભેદ નિર્વાહવામાં, નાના પ્રકારના વિકલ્પ સિદ્ધ
કરવામાં આત્માને આવરણ કરવા બરાબર છે. ૯૫૫ પ્ર. દેહની ક્રિયાથી આત્માને લાભ થાય ? - ઉ. દેહની ક્રિયા હું કરી શકું અને દેહની ક્રિયાથી આત્માને લાભ થાય
એમ માનનારને દેહાત્મબુદ્ધિ કદી મટે નહિ. જ્યાં સુધી દેહાત્મબુદ્ધિ ટળે નહિ ત્યાં સુધી સમ્યકત્વ થાય નહિ. દેહાત્મબુદ્ધિ થઈ છે તે મટાડવા, મારાપણું મુકાવવા સાધને કરવાના છે. તે ન મટે. તે સાધુપણું, શ્રાવકપણું, શાશ્રવણ કે ઉપદેશ તે વગડામાં પિક મુક્યા જેવું છે. જ્ઞાન અને અનુભવ હોય તો મોક્ષ થાય. વ્યવહારને નિષેધ નહિ, એકલા વ્યવહારને વળગી રહેવું નહિ.
જેને મૃત્યુની સાથે મિત્રતા હોય, અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હેય, અથવા હું નહીં જ મારું એમ જેને નિશ્ચય હેય, તે ભલે સુખે સુએ,
Page #290
--------------------------------------------------------------------------
________________
૨૬૮
૯૫૬ પ્ર. શાસ્ત્રમાં આવે છે કે જ્ઞાન ત્રિયાયામ્ મેક્ષઃ’· તા પછી તેના અર્થ શું?
જ્ઞાન અને ક્રિયા બન્ને મેાક્ષમાગ છે.” તેમાં જ્ઞાન અને ક્રિયાના અર્થ શું તે સમજવું જોઇએ. શાસ્ત્રોનુ અગિયાર અંગનુ ધારણા જ્ઞાન તે જ્ઞાન નથી અને આત્માના જ્ઞાન અને આત્માના અનુભવ વગરની યા-દાન, વ્રત-તપ અથવા ભક્તિની ક્રિયા તે ક્રિયા નથી. હાદિ અને રાગાદિથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ નિજ આત્માના આધ તે “જ્ઞાન” અને આત્માના અવલંબનથી જે સ્વરૂપની રમણતા થાય તેનું નામ ક્રિયા છે. આ યા-દાન, વ્રત-તપ, આદિ શુભ રાગ તથા બહારની ચર્ચા ત કાંઈ ક્રિયા નથી. જૈનાના બધા સૌંપ્રદાયેામાં તા એમ જ ચાલે છે કે, છ કાયના જીવાતે જાવું તે જ્ઞાન અને તેમની યા પાળી તે ક્રિયા, પણ તે “જ્ઞાન અને ક્રિયા” નથી. આત્માની સ્વ અનુભવ તેને જ્ઞાન કહેવાય. અને તે અનુભવમાં સ્થિરતા તેનું નામ ક્રિયા છે. ધારણા જ્ઞાન અને અનુભૂતિ તદ્ન ભિન્ન વસ્તુ છે. આમ, અગિયાર અંગનુ જ્ઞાન તા અનંત વાર કર્યું પરંતુ તથી કાંઈ પણ પરમા સર્યો નહી.
ન
૯૫૭ . જો પુણ્ય ભાવ હેય છે તા પૂજા-પાઠ, દયા-દાન વગેરે પુણ્ય કા શું ન કરવાં? તેનાથી ધ થાય તા શા માટે કરવાં? . પૂજા-પાઠ, ધ્યા-દાનથી શુભ મધ પડે પણ ધર્મ ન માનવા. પણ ધી જીવને દેવ—પૂજા, ધ્યા, દાન, વ્રત વગેરે શુભ રાગભાવ આવે જ છે, અને આવ્યા વિના રહે નહિ. જ્યારે જ્યારે તે શુદ્દોપયોગમાં ન હોય ત્યારે શુભેાપયેાગમાં રહેવાના જ છે. જે ધન પ્રાપ્ત થાય છે તે પૂર્વ પુણ્યનુ ફળ છે. વર્તમાન કમાવાના અશુભ ભાવરૂપ પુરુષાર્થનું ફળ નથી, અને જ્યારે તે પુણ્યના બંધ પડયો હતા ત્યારે તેની શાંતિ સળગી હતી, એટલે તા ધન શાંતિના ઘાતક છે.
૯૫૮ પ્ર. ધર્મનું અનુષ્ઠાન કેટલા પ્રકારે કહ્યુ છે?
રુચિ અનુયાચી વી.
Page #291
--------------------------------------------------------------------------
________________
ઉ. અનુષ્ઠાન પાંચ પ્રકારનાં છે. ૧. વિષ અનુષ્ઠાનઃ રાજ, ધન, સ્ત્રી, પુત્ર આદિ અહિક ફળની.
ઈચ્છાથી ધર્મ કરાય તે. ૨, ગરલ અનુષ્ઠાન : પરકમાં દેવનાં સુખ, ઈન્દ્રાદિની પદવી,
વિદ્યાધર, ચક્રવર્તી, વાસુદેવ આદિનાં પદ મળે તેવી ઈચ્છાથી,
તપ કરવાં તે. ૩. અનુષ્ઠાનઃ ધર્મની કઈ પણ ક્રિયા કરવામાં આવે તે માત્ર
વચનથી બોલી જવાય પણ ચિત્ત બીજે ફરતું રહે તે. ૪. ત હેતુ અનુષ્ઠાનઃ ઉપગપૂર્વક શાંતિથી જે અનુષ્ઠાન
કરવામાં આવે તે. પ, અમૃત અનુષ્ઠાનઃ આ અનુષ્ઠાન સર્વ પ્રકારે શ્રેષ્ઠ છે. તે.
સમ્યક્દષ્ટિ ભાગ્યવંત જીવોને જ હોય છે. આ અનુષ્ઠાનમાં, મન, વચન, કાયાની એકાગ્રતાપૂર્વક ઉપયેગની સાવધાનીથી
જે ધર્મક્રિયા કરવામાં આવે છે તે. ૯૫૯ પ્ર. ભક્તિમાર્ગ અને જ્ઞાનમાર્ગમાં મુખ્ય શું ભેદ છે? ( ઉ. ભક્તિમાર્ગ એટલે ભક્ત અને ભગવાન જુદા, હું પોતે જ પરમાત્મા
છું એવું જેને ભાન થયું તે જ્ઞાનમાર્ગ. ૯ક. પ્ર. ભક્તિથી ધર્મ થાય ? ભક્તિમાર્ગ અને જ્ઞાનમાર્ગ બનેથી મેક્ષા
પ્રાપ્ત થાય ? ઉ. પુરુષની આજ્ઞાએ સ્તુતિ, નિત્યનિયમ; સ્વાધ્યાય વગેરે કરવું
તે ભક્તિ છે, અને તે કરતાં જે આત્મહિતના વિચાર આવે, કષાયની મંદતા થાય, આત્માનાં પરિણામ સ્થિર થાય તે ધર્મ છે. શરૂઆતમાં ભક્તિ એ મુખ્ય છે, તેનું પરિણામ ધર્મ છે.
ભક્તિ આદિ સાધન કહ્યાં, તેમાં વિનય, દાન, તપ વગેરે અનેક સાધને આત્માને કર્મક્ષય કરવા જ્ઞાન પમાડવા ખપનાં છે. શરૂઆતમાં સમકિત થવામાં ને ભિન્ન ભિન્ન સાધન વિશેષ હિતકારી થાય છે, પરંતુ આગળ વધતાં કર્મક્ષયને માર્ગ બધા છ માટે વધારે સરખો થતો જાય છે.
આત્મા સર્વોત્કૃષ્ટ છે, આશ્ચર્યકારી છે, જગતમાં તેનાથી ઊંચી વસ્તુ નથી..
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૭૦
૯૬૧ પ્ર. ભક્તિમાર્ગનું નિરૂપણ કરવામાં જ્ઞાનીને આશય શું છે? ઉ. અનાદિથી અત્યંત અજ્ઞાન દશાએ આ છ પ્રવૃત્તિ કરી છે, તે
પ્રવૃત્તિ એકદમ અસત્ય, અસાર સમજાઇ, તેને નિવૃત્તિ સૂઝે, એમ બનવું બહુ કઠણ છે. આત્માથે વિચારમાર્ગ અને ભક્તિમાર્ગ આરાધવા યોગ્ય છે; પણ વિચારમાર્ગને ગ્ય જેનું સામર્થ્ય નથી તેને તે માર્ગ ઉપદેશો ન ઘટે; માટે જ્ઞાની પુરુષને આશ્રય કરવારૂપ ભક્તિમાર્ગ જિને નિરૂપણ કર્યો છે, કે જે માર્ગ
આરાધવાથી સુલભપણે જ્ઞાનદશા ઉત્પન્ન થાય છે. . ૯૬૨ પ્ર. મોક્ષમાર્ગ કેટલા પ્રકારે કહ્યો છે ?
ઉ. (૧) જ્ઞાનમાર્ગ (૨) ક્રિયામાર્ગ (૩) ભક્તિમાર્ગ. (નિશ્ચયથી તે
ફક્ત જ્ઞાનમાર્ગ જ મોક્ષમાર્ગ છે.) ૯૬૩ પ્ર. ભક્તિમાર્ગ સુગમ કેમ કહ્યું છે ?
ઉ. જ્ઞાનમાર્ગ દુરારાધ્ય છે; પરમાવગાઢદશા (કેવળીદશા) પામ્યા પહેલાં • તે માર્ગે પડવાનાં ઘણું સ્થાનક છે. સંદેહ, વિક૯૫, સ્વછંતા,
અતિપરિણમીપણું એ આદિ કારણે વારંવાર જીવને તે માર્ગ પડવાના હેતુઓ થાય છે. ક્રિયા માર્ગે અસદ્દઅભિમાન, વ્યવહારઆગ્રહ, સિદ્ધિમેહ, પૂજાસત્કારાદિ ગ, અને દેહિકક્રિયામાં આત્મનિષ્ઠાદિ દોષને સંભવ રહ્યો છે.
કેઈક મહાત્માને બાદ કરતાં ઘણું વિચારવાની છએ ભક્તિમાર્ગને તે જ કારણેથી આશ્રય કર્યો છે, જે સર્વ અશરણને
નિશ્ચળ શરણરૂપ છે, અને સુગમ છે. ૯૬૪ પ્ર. ભેદભક્તિ અને અભેદભક્તિ અથવા વ્યવહારભક્તિ અને નિશ્ચય
ભક્તિનું સ્વરૂપ શું છે ? અને તેનું ફળ શું છે ? ઉ. પરમાત્માના સ્વરૂપને વિચાર કરે તે ભેદભક્તિ છે; તે પ્રથમ
હોય છે. આવી ભેદભક્તિને જાણ્યા પછી, આ જ પરમાત્મા હું છું, આત્મામાં પરમાત્મા થવાની શક્તિ છે, તે પ્રમાણે પોતાના આત્માને ઓળખીને તેમાં સ્થિર થવું, તે પરમાર્થભક્તિ છે અથવા
ભક્તિના અનેક ભેદ છે,
શ્રવણ કિર્તન, ચિંતવન, વંદન, સેવન, દયાન, લઘુતા, સમતા, એકતા, નવધા ભક્તિ પ્રમાણ
Page #293
--------------------------------------------------------------------------
________________
અભેદ ભક્તિ અથવા નિશ્ચયભક્તિ છે. અભેદ આત્માની તરફ વધવા
માટેના લક્ષપૂર્વક ભેદભક્તિ થાય છે, તે વ્યવહાર કહેવાય છે. ૯૬૫ પ્ર. અભેદભક્તિ કેટલા પ્રકારની હોય છે ? શું બધા પ્રકારની ભક્તિ
સ્ત્રીઓને હોઈ શકે છે ? ઉ. અભેદભક્તિ બે પ્રકારની હોય છે : (૧) શુકલધ્યાન (૨) ધર્મધ્યાન
જો કે કથનથી તે બને જુદા પ્રકાર લાગે છે પણ તે બનેનું અવલંબન એક આત્મા જ છે, તેથી બનેની જાતિ એક જ છે, ફક્ત નિર્મળતાની અધિક્તા અને હીનતાનું જ અંતર છે. આત્મ
સ્વભાવને ભાનથી ધર્મધ્યાન સ્ત્રીઓને પણ થઈ શકે છે, પરંતુ તેઓને શુકલધ્યાન થઈ શક્યું નથી, કારણ કે શુકલધ્યાનની
નિર્મળતા સ્વાભાવિકરૂપથી સ્ત્રી પર્યાયમાં સંભવિત નથી. ૯૬૬ પ્ર, જ્ઞાની પુરુષોએ ક્યાં અર્થે ભક્તિનું નિરૂપણ કર્યું છે ?
ઉ. જે સહુએ સદ્દગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદ્દગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છેદ મટે, અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને
જ ભક્તિનું નિરૂપણ કર્યું છે. ૯૬૭ પ્ર. ભક્તિના નવ પ્રકાર કહ્યા છે તે વર્ણ. ઉ. પંડિત બનારસીદાસજીએ સમયસાર નાટકના મોક્ષકારમાં જ્ઞાની
કેવી નવધાભક્તિ કરતા હોય છે તેનું સુંદર વર્ણન કર્યું છે. ૧. શ્રવણ: ઉપાદેયરૂપ પાતાને શુદ્ધસ્વરૂપ (આત્માના) ગુણાનું - પ્રેમપૂર્વક શ્રવણ કરવું તે એક પ્રકારની ભક્તિ છે. જેના
તરફ જેને ભક્તિ હેય, તેને તેના ગુણગાન સાંભળવાં જ
પ્રમોદ આવે છે. ૨. કીર્તનઃ ચેતન્યના ગુણોને-તેની શક્તિઓનું વ્યાખ્યાન
કરવું, મહિમા કરવો એ જ તેની ભક્તિ છે. ૩. ચિતન : જેના પ્રતિ ભક્તિ છે તેના ગુણોને વારંવાર
વિચાર કરે તે સ્વરૂપની ભક્તિને એક પ્રકાર છે.
"
એ સર્વને જાણે છે તે આત્મા છે.
”
Page #294
--------------------------------------------------------------------------
________________
૪. સેવન: અંદરમાં નિજગુણાનું ફરી ફરી અધ્યયન કરવું. ૫. વન્દનઃ મહાપુરુષોના ચરણમાં જેમ ભક્તિથી વન્દન કરે છે.
તેમ જ ચૈતન્યસ્વરૂપમાં પરમ ભક્તિપૂર્વક વન્દના, નમના તેમાં લીન થઈ પરિણમન કરવું, તે જ સમ્યફદષ્ટિની આત્મભક્તિ છે. ધ્યાન ઃ જેના પ્રતિ પરમભક્તિ હોય છે, તેનું વારંવાર ધ્યાન થયા કરે છે. કેઈ કહે કે અમને નિજસ્વરૂપ પ્રતિ પ્રીતિ અને ભક્તિ તો ઘણું છે, પરંતુ તેના વિચારમાં અથવા ધ્યાનમાં મન બિલકુલ લાગતું નથી તો તેની વાત. જુઠી છે. જેને ખરેખર પ્રીતિ હશે, તેના વિચાર અથવા ચિન્તનમાં મન ન લાગે એવું બની શકે જ નહીં. તેના પરિણામેનું માપ નીકળે છે કે તેને સ્વરૂપના પ્રેમથી અન્ય પદાર્થો પ્રતિ પ્રેમ વિશેષ છે. જેને ખાવા-પીવા, બોલવાચાલવામાં મન ન લાગતું હોય તો લોક અનુમાન કરી લે છે કે તેનું મન ક્યાંય અન્યત્ર લાગી ગયું છે, તે પ્રમાણે ચૈતન્યમાં જેનું મન લાગી જાય, સાચે પ્રેમ જાગે, તેનું મન જગતના સઘળા પદાર્થોથી ઉદાસ થઈ જાય છે અને વારંવાર નિજસ્વરૂપની તરફ જ ઉપયોગ ઝૂકેલો રહે છે. તે પ્રમાણે સ્વરૂપની ધ્યાનરૂપ ભક્તિ સમ્યક્દષ્ટિને હોય છે, તથા સ્વરૂપને સાધવાવાળે જીવે પંચપરમેષ્ઠી આદિના ગુણોને પણ
ભક્તિપૂર્વક ધ્યાવે છે. ૭. લઘુતા : પંચપરમેષ્ઠી આદિ મહાપુરુષોની સમક્ષ ધમજીવને
પોતાની અત્યન્ત લઘુતા ભાસે છે. ૮. સમતા : સમસ્ત જીવોને શુદ્ધભાવની અપેક્ષાએ સમાન
દેખવા, એનું નામ સમતા. પરિણામને ચેતન્યમાં એકાગ્ર કરવાથી સમભાવ પ્રગટ થાય છે. જે પ્રમાણે મહાપુરુષોની સમીપ ક્રોધાદિ વિષમભાવ થતા નથી, તે પ્રમાણે ચૈતન્યના
મૂલ્યું ફાલ્યું જીવન તારું, આખર માટીમાં મળનારું, મૂકી દે, મૂકી દે, મારું તારુ, વેળા વીતી જાય છે,
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૭૩
સાધક જીવને ક્રોધાદિ ઉપશાંત થઈ અપૂર્વ સમતા પ્રગટ
થાય છે. ૯. એકતા : એક માત્ર આત્માને જ પોતાને માનો, શરીરાદિને પર અથવા પારકા જાણવા, રાગાદિ ભાવોને પણ
સ્વરૂપથી ભિન્ન જાણવા અને અંતર્મુખ થઈ સ્વરૂપની સાથે એકત્વ કરવું, એવી એકતા અભેદભક્તિ છે, એ જ મુક્તિનું
કારણ છે અને તે સમ્યફષ્ટિને જ હોય છે. ૯૬૮ પ્ર. અભણને ભક્તિથી જ મોક્ષ મળે ખરે કે ? ઉ. ભક્તિ જ્ઞાનને હેતુ છે. જ્ઞાન મોક્ષને હેતુ છે. અક્ષરજ્ઞાન ન હોય
તેને અભણ હોય, તે તેને ભક્તિ પ્રાપ્ત થવી અસંભવિત છે, એવું કંઈ છે નહિ. જીવ માત્ર જ્ઞાન સ્વભાવી છે. ભક્તિના બળે જ્ઞાન નિર્મળ થાય છે. નિર્મળ જ્ઞાન મોક્ષને હેતુ થાય છે. સંપૂર્ણ જ્ઞાનની આવૃત્તિ થયા વિના સર્વથા મેક્ષ હોય એમ લાગતું નથી. ભાષાજ્ઞાન મોક્ષને હેતુ છે, તથા તે જેને ન હોય તેને આત્મજ્ઞાન ન થાય, એવો કોઈ નિયમ સંભવતો નથી. (જુઓ
પ્રશ્ન-૧૩૧૩). ૯૬૯ પ્ર. પરમાત્મસ્વરૂપ સર્વે ઠેકાણે સરખું છે, સિદ્ધ અને સંસારી જીવ
સરખા છે, ત્યારે સિદ્ધની સ્તુતિ કરતાં કંઈ બાધ છે કે કેમ ? જેમ દીવાને વિષે અગ્નિ પ્રગટ છે અને ચકમકને વિષે અગ્નિ સત્તાપણે છે. દીવાને વિષે અને ચકમકને વિષે જે અગ્નિ છે તે અગ્નિપણે સમ છે, વ્યક્તિપણે (પ્રગટતા) અને શક્તિ (સત્તામાં) પણે ભેદ છે, પણ વસ્તુની જાતિ પણે ભેદ નથી. ભેદમાત્ર પ્રગટ અપ્રગટપણાને છે. સિદ્ધ ભગવંતનું જેવું આત્મસ્વરૂપ છે એવું વિચારીને અને આ આત્માને વિષે તેનું વર્તમાનમાં અપ્રગટપણું છે તેને અભાવ કરવા તે સિદ્ધ સ્વરૂપને વિચાર, ધ્યાન તથા
સ્તુતિ ધટે છે. એ પ્રકારે જાણી સિદ્ધની સ્તુતિ કરતાં કાંઈ બાધ જણાતો નથી.
દ્રવ્યકર્મનું બીજું નામ પ્રકૃતિ છે.
Page #296
--------------------------------------------------------------------------
________________
૨૭૪
૯૭૦ પ્ર. અરિહંતના નામ લેવાથી, પૂજથી, માનતા માનવાથી અનિષ્ટને
નાશ અને ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ થાય ? ઉ. છવો રેગાદિ મટાડવા વા ધનાદિની પ્રાપ્તિ અર્થે અરિહંતાદિનું
નામ લે છે, પૂજા કરે છે, પણ ઈષ્ટ-અનિષ્ટના કારણે તે પૂર્વ કર્મને ઉદય છે. અરિહંત તેને કર્તા નથી. કદાચિત ભક્તિરૂપ શુપયોગ પરિણામેથી પૂર્વપાપનું સંક્રમણુદિ થઈ જાય પણ સાંસારિક પ્રયોજન સહિત ભક્તિ કરે તો તેને પાપને જ અભિપ્રાય રહ્યો અને પૂર્વ પાપનું સંક્રમણદિ ન જ થાય. “પંચપદ
વ્યવહારથી, નિશ્ચય આતમ માંહી.” ૯૭૧ . કેટલાક જીવ ભક્તિથી મુક્તિ માને છે તે યોગ્ય છે ? ૩. જેમ અન્ય મતિ ભક્તિથી મુક્તિ માને છે તેવું આનું પણ શ્રદ્ધાન
થયું; પરંતુ ભક્તિ તો રાગરૂપ છે અને રાગથી બંધ છે માટે તે મોક્ષનું કારણ નથી. અશુભરાગ છેડવા અર્થે જ્ઞાની ભક્તિમાં પ્રવર્તે છે, અને મોક્ષમાર્ગમાં બાહ્ય નિમિત્ત માત્ર જાણે છે. પરંતુ તે ત્યાં જ અટકતા નથી. વીતરાગી પ્રતિમાની સામે સમ્યક્રષ્ટિ એકાવતારી ઈન્દ્ર-ઈન્દ્રાણું પણ ભક્તિથી નાચી ઊઠે છે. નંદીશ્વર દ્વીપમાં શાશ્વત જિનબિમ્બ બિરાજમાન છે. ત્યાં કાર્તિક, ફાગણ અને અષાઢ મહિનાના અંતિમ અઠવાડિયામાં દેવગણ ભક્તિ કરવા
જાય છે. ૮૨ પ્ર. જીનેશ્વરની ભક્તિથી શું લાભ થાય છે ? ઉ. સર્વજ્ઞ, સર્વદર્શી જિનેશ્વર ભગવાનની ભક્તિથી આત્મશકિત પ્રકાશ
પામે છે. ભક્તિ એ સર્વોત્કૃષ્ટ માર્ગ છે. ભક્તિથી અહંકાર મટે, સ્વછંદ ટળે અને સીધા માર્ગે ચાલ્યું જવાય; અન્ય વિકલ્પો
મટે, આ એ ભક્તિમાર્ગ શ્રેષ્ઠ છે. ૯૭૩ પ્ર. ભક્તિ મૌનપણે કરવી કે મોટેથી બેલીને કરવી ? ઉ. આપણું ચિત્ત જે વિક્ષેપવાળું હોય તે મોટેથી બેલવું, જેથી ચિત્ત
બહાર ન જાય. જે આપણું ચિત્ત વિક્ષેપ રહિત હોય તે ભક્તિ
ચોથે ગુણસ્થાનકેથી તેરમા ગુણસ્થાનક સુધી આત્મપ્રતીતિ સમાન છે; જ્ઞાનને તારતમ્યભેદ છે.
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૭૫
મૌનપણે કરવી, અથવા હોઠ ફરકાવ્યા વિના કાયોત્સર્ગરૂપે કરે તે
માટેથી બોલે તેના કરતાં દશ ગણે લાભ થાય. ૯૭૪ પ્ર. ભક્તિમાર્ગ ક્યારે સિદ્ધ થાય ? ઉ. ઘણુ ઘણુ પ્રકારથી મનન કરતાં જ્ઞાનીને એ દઢ નિશ્ચય થાય છે
કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે, અને તે પુરુષના ચરણ સમીપે રહીને થાય તો ક્ષણવારમાં મેક્ષ કરી દે તે પદાર્થ છે. જ્ઞાની પુરુષના ચરણ વિષે મન સ્થાપ્યા વિના એ ભક્તિમાર્ગ સિદ્ધ થત નથી. જ્ઞાની પુરુષના ચરણમાં મનનું સ્થાપન થવું પ્રથમ કઠણ પડે છે, પણ વચનની અપૂર્વતાથી, તે વચનને વિચાર કરવાથી તથા જ્ઞાની પ્રત્યે અપૂર્વ દૃષ્ટિએ જેવાથી, મનનું સ્થાપિત થવું સુલભ
થાય છે. ૯૭૫ પ્ર. જિનેશ્વર સિદ્ધની ભક્તિથી આપણને તેઓ મેક્ષ આપે છે એમ
માનવું ખરું છે? ઉ. સિદ્ધને સ્તુતિ, નિંદાનું આપણને કોઈ ફળ આપવાનું પ્રયોજન
નથી. તેઓ નિરાગી અને નિર્વિકાર છે. જેમ તરવાર હાથમાં લેવાથી, શૌર્ય અને ભાંગથી ન ઉત્પન્ન થાય છે, તેમ એ ગુણ ચિંતવનથી આત્મા સ્વરૂપાનંદની શ્રેણીએ ચઢતા જાય છે. દર્પણ હાથમાં લેતાં જેમ મુખાકૃતિનું ભાન થાય છે તેમ સિદ્ધ કે જિનેશ્વરસ્વરૂપનાં ચિંતવનરૂપ દર્પણથી આત્મસ્વરૂપનું ભાન થાય છે. આત્માના જ્ઞાનલક્ષણની તો એટલી મહિમા છે કે સર્વજ્ઞથી પણ અવર્ણનીય છે, તેને જાણીને (અનુભવીને) જે તેમાં સ્થિર થાય છે, તે પિતાની ભક્તિ કરે છે, તે પરમાર્થ ભક્તિ કરે છે. જે પોતાના જ્ઞાનસ્વભાવી આત્માને જાણી તેમાં લીન છે, તે જ
આત્માની સાચી સ્તુતિ છે. ૯૭૬ પ્ર. “મુખસ્ય પ્રતિમા પૂજા” એને અર્થ છે? ઉ. તેને ટ્રકે અર્થ એ કે પ્રભુના અનંત જ્ઞાન, દર્શન, સુખ અને
વીર્યને વિચાર કર્યા વિના માત્ર પ્રતિમાને ચંદન આદિથી પૂજે છે તેને મૂર્ખ કહ્યો છે.
જેસા પાની મેં પતાસા તેસા તન કા તમાસા
Page #298
--------------------------------------------------------------------------
________________
૨૭૬
૯૭૭ પ્ર. જિનેન્દ્ર ભગવાનની પ્રતિમાની પૂજા, ભક્તિ આદિ શું મિથ્યાત્વ
છે? શાસ્ત્રમાં શું તેને નિષેધ છે ? ઉ. દિગંબરમત અને શ્વેતાંબરના મૂર્તિપૂજક મત પ્રમાણે તેને નિષેધ
નથી તેમજ પ્રતિમાની પૂજા કોઈ મિથ્યાત્વ નથી. ફક્ત તાંબરના લોકાગચ્છ અથવા ઢુંઢિયામતમાં તેને નિષેધ છે. અજ્ઞાની જીવા તે ભગવાનને સ્થાપના નિક્ષેપમાં જ આત્મા માની લે છે. સ્થાપન નિક્ષેપ એટલે પ્રતિમા. ભાવનિક્ષેપ એટલે સ્વ આત્મા. સ્થાપનાનિક્ષેપમાં જ ભાવ ભગવાન માની લે તે તો ભ્રમ છે જ, તેમાં આત્મા માનો એ મોટી ભૂલ છે. અજ્ઞાની ત્યાં આત્માને જેવા જાય છે પણ આત્મા મળતો નથી. દેવાલયમાં સાક્ષાત દેવ નથી, પક્ષ વ્યવહાર દેવ છે. ભગવાનની પ્રતિમા છે જ નહિ એમ માને તે પણ મૂઢ છે અને તેનાથી આત્માની પ્રાપ્તિ થાય, એમ માનનાર પણ મૂઢ છે, જ્યારે અંતરમાં ટકી ન શકે ત્યારે ભગવાનની પૂજા-ભક્તિના શુભભાવરૂપ વ્યવહાર હોય જ. જેમ સિંહની મૂતિને જોઈને મને ખાઈ જશે એમ માને તે મૂઢ છે, તેમ ભગવાનની મૂર્તિ મને સંસાર સમુદ્રથી તારી દેશે એમ માને તે મૂઢ છે. ભગવાનની પ્રતિમા ભગવાન કેવા હતા તેનું સ્વરૂપ દેખાડવામાં નિમિત્ત છે. ભગવાનનું તે સ્મરણ કરાવે છે માટે મતિને મૂર્તિ માનવી, પરમાત્મા ન માનવા તે યથાર્થ જ્ઞાન છે. દીપ, સુખડ, ચેખા, આભરણ, સ્નાન, ફૂલ, આભૂષણ, ક્રિયાકાંડ વગેરેને ભલે નિષેધ કરે પણ પ્રતિમા જ્યાં સુધી આત્મધ્યાન, અને સત્ પુરુષના શુદ્ધ સ્વરૂપની ચેષ્ટાને વિષે વૃત્તિ રાખવામાં નિમિત્તરૂપ હોય ત્યાં તેને નિષેધ ન હોય. જે કાંઈ નિમિત્ત આત્માને ઉચ્ચ દશાએ ધરે અને વર્ધમાન કરે, અંતરમાં નિર્દોષ આનંદ અને ઉલ્લાસ ઉત્પન્ન કરે તે નિમિત્તની અવગણના કેમ, થાય ? ન જ થાય. પ્રતિમા તે ભગવાન નથી. પ્રતિમા પાસે અપેક્ષા રાખી પૂજા કરવી તે મિથ્યાત્વ છે. પણ પ્રતિમાના દર્શન આત્માના
ભેદ જ્ઞાન સાબુ ભયો, સમરસ નિરમલ નીર, ધોબી અંતર આતમા, ધોવે નિજ ગુણુ ચીર,
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૭૭
કલ્યાણના અર્થે છે કે જેનાથી જિનેન્દ્રના શુદ્ધાત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, આત્માના અપૂર્વ ગુણ દષ્ટિગોચર થઈ અન્ય સ્વછંદ મટે, અને જીવના અંતિમ ધ્યેયરૂપ શુદ્ધ સ્વરૂપનું ધ્યાન થતાં આત્મબંધ થાય. પ્રતિમા ઉપર દષ્ટિ સ્થિર રાખવાથી એકાગ્રતા સધાય છે. ભગવાન મહાવીર દેવ જેવા કેત્તર પુરુષે ચિત્તની સ્થિરતા માટે એક માટીના ઢેફા ઉપર અગિયાર દિવસ સુધી દષ્ટિ સ્થિર રાખી હતી. આત્માર્થી મુમુક્ષુ જીવે મૂર્તિપૂજાના વિવાદમાં ઉતરવું જોઈએ નહીં. પંડિત બનારસીદાસજી એ કહ્યું છે:
“જિનપ્રતિમા જિન-સારખી, ન બનારસી તાહિક કહત બનારસી અલપ ભવથિતિ જાકી, સોઈ જિનપ્રતિમા પ્રવને જિન સારખી.” જેની ભવસ્થિતિ અલ્પ થઈ ગઈ છે, મુકિત નજીક આવી ગઈ છે, તે જ જિનપ્રતિમાને જિનેન્દ્ર સરખી સ્વીકારે છે. એક અપેક્ષાથી બને સમાન જ છે. સાક્ષાત જિનેન્દ્રદેવને વાણીને યોગ હોય છે અને જિનપ્રતિમાને વાણીને યોગ હોતો નથી, બનેમાં ફક્ત આટલું જ અંતર છે. બાકી ભક્તને વીતરાગભાવનાં
દર્શન વગેરેનું પ્રયોજન બનેમાં સમાનરૂપે સિદ્ધ થાય છે. ૯૭૮ પ્ર. ભગવાનની મૂર્તિ તો જડ છે, તે પછી તેની પૂજાનો ઉપદેશ
કેમ કરવામાં આવે છે ? ઉ. પહેલાં જડ અને ચેતનની સમજણ થવી જોઈએ. સ્ત્રી-પુત્રાદિ
પણ જડ જ છે ને, તેમ છતાં તેમના ઉપર રાગ કેમ કરે છે ? પિતાનું શરીર પણ જડ છે તે પણ તેના ઉપર રાગ કરી પાપ બાંધે છે અને જ્યારે દેવ (અરિહંત)ની વાત આવે છે, ત્યાં એમ કહે છે કે મૂર્તિ તે જડ છે, ત્યારે કહેવું પડે છે કે તેને દેવગુરુની સમજણ, કે ઓળખાણ નથી. ભગવાનના ભક્તને પ્રથમ ભૂમિકામાં દેવ-શાસ્ત્ર-ગુરુના પ્રત્યે શુભરાગ આવ્યા વિના રહેતા નથી, જેને સાચા દેવ–શાસ્ત્ર-ગુરુ માટે તન-મન-ધન અર્પણ
વિદ્યા વિવેકનો શણગાર છે અને વિનય તે બનેનો શણગાર છે,
Page #300
--------------------------------------------------------------------------
________________
૧૭૮
કરવાના ભાવ આવે છે, તે અરિહન્તાદિને ભક્ત છે. પ્રશસ્ત શુભ રાગ થતાં ગૃહીત મિથ્યાત્વ છૂટે છે અને અન્તસ્ત્વભાવના બળથી, શુભરાગથી પેાતાને ભિન્ન જાણી શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા કરવાથી નિશ્ચય સમ્યક્ત્વ થાય છે.
-૯૭૯ પ્ર. સ્થાવર પ્રતિમા અને જંગમ્ પ્રતિમા કાને કહે છે?
. કેવળજ્ઞાન થયા પછી શ્રી જિનેન્દ્ર ભગવાન આ લાંકમાં આ ખંડમાં જ્યાં સુધી વિહાર કરતા હોય છે અથવા વિરાજતા હોય છે, ત્યાં સુધી તેમની તે પ્રતિમા અર્થાત્ શરીર સહિત પ્રતિબિંબ નિશ્ચય સ્થાવર પ્રતિમા'' છે, કારણ કે તેએ પેાતાના સ્વરૂપમાં અચળ છે અને ધાતુ પત્થર આદિની પ્રતિમા બનાવી તેમાં શ્રી જિનેન્દ્ર ભગવાનની સ્થાપના કરવી તે વ્યવહાર છે. જ્યારે જિતેન્દ્ર ભગવાન નિર્વાણ પામીને લેાકના શિખર ઉપર જઈને સ્થિત થઈ જાય છે, ત્યારે ગમનમાં એક સમય લાગે છે, તે કાળમાં શરીર રહિત ગમન કરે છે, તેથી તે ગમન કરવાવાળા અશરીરીજીવને જગમ્ પ્રતિમા કહે છે. (જુએ પ્રશ્નમાંક-૧૧૯૬)
૯૮૦ પ્ર. પ્રભુપૂન ઈત્યાદિમાં ફૂલના ઉપયોગ કરે તેા તેમાં કાંઇ નિયમ
રાખવા ધટે છે?
ઉ, પ્રભુપૂજામાં પુષ્પ ચડાવવામાં આવે છે, તેમાં જે ગૃહસ્થને લીલાતરીના નિયમ નથી તે પેાતાના હેતુએ તના વપરાશ કમ કરી ફૂલ પ્રભુને ચડાવે, ત્યાગી મુનિને તા પુષ્પ ચડાવવાના કે તેના ઉપદેશને સર્વથા નિષેધ છે, આમ પૂર્વાચાર્યાંનુ પ્રવચન છે.
૯૮૧ પ્ર. શ્રી અરહંત ભગવાન મેાક્ષદાતા છે ?
. જેએ અરહ તાને સ્વર્ગ–મેાક્ષદાતા, પતિત-પાવન માને છે, તેએ અન્યમતીએ જેમતૃત્વબુદ્ધિથી અરહંતને ઇશ્વર માને છે, તે તે તેએની ભૂલ છે. એક જીવ ખીજાનું કાંઈ કરી શકે નહિ. ફળ તા પેાતાનાં પરિણામેાનુ લાગે છે. તેને અરહંત તા નિમિત્તમાત્ર છે, તેથી ઉપચારથી એમ કહેવાય છે, પણ પેાતાના પરિણામ શુદ્ધ થયા
પુષ્પપાંખડી જ્યાં દુભાય, જિનવરની ત્યાં નહીં આજ્ઞાય; સર્વ જીવતુ ઇચ્છશ સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૭૯
વિના અરહંત પણ સ્વર્ગ–મોક્ષાદિના દાતા નથી. આત્મજ્ઞાન અથવા મોક્ષમાર્ગ કેઈન શાપથી અપ્રાપ્ય થતું નથી, કે કોઈના આશીર્વાદથી પ્રાપ્ત થતું નથી. પુરુષાર્થ પ્રમાણે થાય છે, માટે
પુરુષાર્થની જરૂર છે. ૯૮૨ પ્ર. નવકાર મંત્રને અર્થ સમજાવે. ઉ. (નમે અરિહંતાણું = અરિહંત ભગવંતને વાંદુ છું.
નમો સિદ્ધાણું = સિદ્ધ ભગવંતને વાંદું છું. નમો આયરિયાણું = આચાર્ય ભગવંતને વાંદું છું. નમો ઉવજઝાયાણું = ઉપાધ્યાય ભગવં તને વાંદુ છું. નમો લોએ સવ્વસાહૂણું = સાધુજી-મુનિ ભગવંતને વાંદું છું.) નકારમંત્રનમસ્કારમંત્ર-અનાદિમંત્ર છે. દ્રવ્યસંગ્રહમાં કહ્યું છે કે નકારમંત્રના ૩૫ અક્ષર કહેવાય છે. છેલ્લા પદમાં લાએ સવ્વ” છે તે અંતઃદીપક છે. એટલે કે દરેક પદમાં ફરી ફરી મૂકવાને બદલે છેલ્લા પદમાં જ મૂક્યું છે પણ દરેક પદમાં તે છે તેમ સમજી લેવું. અધ્યાર છે તેમ સમજવું. તે પ્રમાણે ત્રિકાળવત” પાંચે પદમાં જોડવું. તેમ કરીએ તો નમસ્કારમંત્ર નીચે પ્રમાણે થાય.
નમો લોએ સવ ત્રિકાળવર્તી અરિહંતાણું નમો લોએ સવ્વ ત્રિકાળવર્તી સિદ્ધાણું નમો લોએ સવ્વ ત્રિકાળવર્તી આયરિયાણું નમો લોએ સવ્વ ત્રિકાળવત ઉવજઝાયાણું
નમો લોએ સવ્વ ત્રિકાળવર્તી સાહૂણું વીરસેન આચાર્યદેવે ધવલની ટીકામાં ઉપર મુજબ કહ્યું છે. (લોએ સવ્વ” અને “ત્રિકાળવ” દરેક પદમાં આપણે બેલતા નથી. સુગમતા ખાતર પદ ટૂંકાવી દીધાં છે.) તીર્થકર ભગવાન
દીક્ષા લેતાં સમયે “નમો સિદ્ધાણું” બોલે છે. ૯૮૩ પ્ર. અરિહંત ભગવાન તે ફક્ત મધ્યમાં જ હોય છે, ત્રણે લોકમાં
ઘર સળગ્યાં બીજા થશે. વન સળગ્યાં ઓલાય, પણ મન સળગ્યાંને ઠારતાં સાગર સૂકાઈ જાય.
Page #302
--------------------------------------------------------------------------
________________
૨૮૦
તે હોતા નથી, તેથી નકાર મંત્રમાંથી “એ” શબ્દ કાઢી
નાખવો જોઈએ ? ઉ. અનાદિ નિધન મંત્રમાંથી શબ્દ કાઢી નાખવાની વાત તે ભયંકર
અપરાધ છે. કેવળી મુદ્દતની અપેક્ષાથી અરિહંતની સ્થિતિ સંપૂર્ણ લેકમાં હોય છે. આ બતાવવા માટે નમો લોએ સવ્વ
અરિહંતાણું યોગ્ય છે. ૯૮૪ પ્ર. “નમો લોએ સવ્વ સાહૂણું”માં “સવ'ના અર્થમાં તે જૈન અને
જૈનેતરના બધા સાધુઓ આવી જાય ને ? ઉ. જેને અંદરમાં આત્મજ્ઞાન સહિત ત્રણ કષાયને અભાવ પરિણમત
હોય, સંપૂર્ણ પરિગ્રહરહિત હોય, નિવિકાર દશા હોય તે જ ફકત “સાહૂણું” પદમાં આવે છે. જે પરિગ્રહસહિત છે તે વીતરાગના માર્ગમાં સાધુ કહેવાતું નથી. જેને અંતરંગ શુદ્ધ ભાવલિંગ હોય તેને જ સાચે દ્રવ્યલિંગ હોય છે. ભાવરહિત ફકત એકલા દ્રવ્યલિંગ (વેષ) હેય તેને સાચે સાધુ કહેવામાં
આવતો નથી. ૯૮૫ પ્ર. નવકાર મંત્રનાં તે નવ પદ ગણાય છે. આ તે ફકત પાંચ પદ
થયાં, એમ કેમ ? ઉ. (એક રીતે અર્થ કરતાં નવ પદ એટલે નવકાર કહેવાય, અને
તેમાંથી ઉપરનાં પાંચ પદ જૈન ધર્મના સર્વ મત, ફિરકાઓ વગેરેમાં સર્વત્ર માન્ય છે. બાકીનાં ચાર પદ નીચે પ્રમાણે છે:
એસો પંચ નમુકકારે, સવપાવ પણાસણે. મંગલાણં ચ સવેસિં,
પઢમં હવઈ મંગલમ. તેને અર્થ નીચે મુજબ છે – ઉપર કહેલા પાચે જ્ઞાની ભગવંતને નમસ્કાર, સર્વ પાપને નાશ કરનાર છે. સર્વ મંગલોમાં ઉત્કૃષ્ટ મંગલ છે, અને પ્રથમ મંગલ છે.
મંત્ર તત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય, વીતરાગ વાણું વિના, અવર ન કઈ ઉપાય,
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૮૧
આ છેલ્લાં ચાર પદ્મ તા ઉપરનાં પાંચ પદોના જ મહિમા ખતાવનાર છે. આમ પહેલાં પાંચ પદો જ મુખ્ય છે અને તેથી છેલ્લાં ચાર પદો ઘણીવાર, ધણી જગ્યાએ ખેાલવામાં ન પણ આવે.) ૯૮૬ પ્ર. અરિહંત ભગવંત કાને કહેવાય ? અરિહંત, કેવળી અને સિદ્ધ
ભગવતમાં શું તફાવત છે ?
ઉ. અરિહંત, કેવળા અને સિદ્ધ ભગવત એક જ નથી. સિદ્દ થયા છે તે કેવળા તા થયા જ હોય, પણ સિદ્ધ તે અરિહ ંત થયા હાય કે ન પણ થયા હેાય. સદેહે વિચરનાર તીથૅ કરને અરિહંત કહેવાય છે. તે નિર્વાણુ પામીને સિદ્ધ ભગવંત થાય છે. અરિહંત તે વળી હાય છે પણ દરેક વળી નવકાર મંત્રમાં જણાવેલ અરિહંત હૈ।તા નથી. નવકાર મંત્રમાં તીર્થંકરને જ અરિહંત તરીકે ખતાવવાના ઉદ્દેશ્ય છે. બાકી નિશ્ચયથી કેવળીએ પણ ચાર ઘાતિયાં કૅમેરૂપ “અરિ” એટલે દુશ્માનાના હત” એટલે નાશ કર્યા છે. એટલે તેએ પણ એક અપેક્ષાએ અરિહ ંત કહેવાય; નવકાર મંત્રમાં જે અરિહંત દેશના દે તેના એટલે કે તીર્થંકરના જ ઉલ્લેખ ગણ્યા છે. દેવળી અથવા અરિહ ંતે યાર ધાતિયાં કર્મો ખપાવ્યાં છે અને સદેહે વિચરે છે પણ સિદ્ધ ભગવતાએ આઠે કમેíના નાશ કરી, જન્મ, જરા, મરણુતા નાશ કરી સિદ્ધ ક્ષેત્રે સ્થિત છે.
૮૯૮૭ પ્ર. શું જડ કર્યાં જીવના વરી છે ? અરિહંતને સાધક દશામાં જડ ફર્મા પ્રત્યે દ્વેષ ભાવ હોય છે ?
૩. કાઈ કાઈ જગ્યાએ અરિહંતના એવા અર્થ કરવામાં આવે છે કે કર્મ રૂપી અરિ (દુશ્મન)ને હનન (નાશ) કરવાવાળા અરિહંત છે. પશુ અરિના અર્થ જડ કર્મ નથી, કારણ જડ ક` વૈરી કયાં છે ? ન તા જડ ક`માં વૈરભાવ છે કે ન તા અરિહ ંત પદ પ્રાપ્ત કરનાર સાધકમાં જડ કમેના પ્રતિ વૈરભાવ છે. જડ કર્માને વૈરી કહેવા તતા નિમિત્ત ઉપર આરાપ કરીને કરેલું કથન છે. જડ ધાતિયાં કર્મ વૈરી નથી. હા, ભાવ ધાતિયાં ક
જ્ઞાનનું ફળ વિરતિ છે.
Page #304
--------------------------------------------------------------------------
________________
૧૮૧
(વિકારી પરિણામ) જ આત્માના દુશ્મન છે, અને તેથી ભાવ શ્રાતિ ને હનન (નાશ) કરવાવાળાને અરિહંત કહેવામાં આવ્યા છે. નિશ્ચયથી રાગ-દ્વેષ-મેાહ જીવના સ્વભાવગુણુની પર્યાયના વૈરી છે, જડ ક` વૈરી નથી. દ્રવ્ય કર્મ અને આત્મા ભલે એક પ્રદેશમાં રહે, પણ એકબીજાના કર્તા નથી, એકબીજાની પર્યાયમાં જતા પણ નથી. સૌ પેાત પેાતાનામાં પરિણમી રહ્યા છે. ૯૮૭ ૪ પ્ર. નમેાકાર મત્ર કાણે બનાવ્યા હશે ?
ઉ. (નમેાકાર મંત્રના ભાવ તા અનાદિને છે. તે ભાવના કાઈ કર્તા. નથી. પણ તે ભાવને ભાષામાં લિપિબદ્ધ બે હજાર વર્ષ પહેલાં આચાય ભૂતબલિ પુષ્પદ તે કર્યાં.)
૯૮૮ પ્ર. અરિહત ચાર જ મે[ ખપાવ્યાં છે અને સિદ્ધ ભગવતે તા આઠ ક ખપાવીને મેક્ષે ગયા છે તા પણ નવકાર મત્રમાં અરિહ ંતનુ નામ સિદ્દ ભગવંત પહેલાં કેમ આવે છે ?
ઉ. (અરહિંત ભગવંત કરુણાભાવથી વેાના કલ્યાણ અર્થે વ્યિ ધ્વનિ વાટે ઉપદેશ આપે છે અને તે સાંભળીને જીવા ધર્મ પામે છે અને. ગણુધરા આગમ ગુંથે છે અને મુનિએ પેાતાની શ ંકાનુ નિવારણ કરે છે. “મુખ એમકાર ધ્વનિ સુનિ અર્થ ગણધર વિચારે, રચી આગમ ઉપદેશભવિક જીવ સંશય નિવારે.'' આમ. અરિહંત ભગવંતના ઉપકાર અમાપ અને અસિમ છે તેથી નવકાર મંત્રમાં તેમનુ નામ પહેલું છે. તે ગુરુ છે, તે દેવ છે, અને ગુરુ અને દેવનું સ્થાન અગ્રણી હાય, સર્વથી ઊ'ચુ હાય છે. ગુરુ ગોવિંદ દોનો ખડે, કીસકે લાગું પાય ? બલિહારી ગુરુદેવકી, જીને ગાવિંદ દીયા બતાય.' આવી જ રીતે સસ્કૃતમાં ર્ક્યું છે;
“ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદૃા મહેશ્વર,
ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ”.
૯૮૯ પ્ર. વર્તમાનકાળમાં આ ક્ષેત્રે મહાવીર આદિ ચાવીસ તીર્થંકરા
જો યથા મૂળદૃષ્ટિથી જોઈએ તેા જિનની પૂજા તે આત્મસ્વરૂપનું જ પૂજન છે.
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૮૩
(અરિડ તા) તા વિદ્યમાન નથી. તેઓ મેક્ષે ગયા અને સિદ્ધ ક્ષેત્રે સ્થિર થયા છે. તે પછી નવકાર મંત્રમાં જે અરિહ ંત (તીથ કર) કહ્યા છે તે જો વિદ્યમાન ન હોય તા નવકાર મંત્રનુ પહેલું પદ
ખાટુ ઠરે પણ એમ તા અને નહિં તેા તેના ખુલાસા કરા ? ઉ. (ભરત ક્ષેત્રની વમાન ચોવીસીના તીકરા મેાક્ષ પામી સિદ્ધ થઈ ગયા તે બરાબર છે પણ કર્મ ભૂમિ મનુષ્યનાં કુલ પંદર ક્ષેત્ર છે અને તેમાંથી આપણું ભરત ક્ષેત્ર એક છે તે સિવાય બીજાં ચૌદ મનુષ્યનાં ક્ષેત્રા છે. (જુએ પ્રશ્ન-૫). તે ક્ષેત્રેામાંથી પાંચ મહાવિદેહ ક્ષેત્રામાં સદાકાળ એછામાં ઓછા વીસ અરિહંત (તીર્થંકર) સદેહે વિદ્યમાન છે, વિરાજમાન છે અને વિચરતા હોય છે. અત્યારે, તેમાંના એક સીમંધર ભગવાન છે. નવકાર મંત્રના પહેલા પત્રમાં આપણે પચ મહાવિદેહ ક્ષેત્રાના અરિહ ંત (તી કર) ભગવંતાને વંદણુા કરીએ
છીએ. સામયિકમાં પણ આપણે તેમની જ આજ્ઞા માંગીએ છીએ.) ૯૯૦ પ્ર. નવકારવાળી (માળા)માં એકસા આઠ પારા કેમ હેાય છે ?
ઉ. અર્હંત ભગવંતના બાર ગુણુ, સિદ્ધ ભગવંતના આઠ ગુણુ,
આચાર્ય ના છત્રીસ, ઉપાધ્યાયના પંચવીસ ગુણ અને સાધુના સત્તાવીશ ગુણુ મળીને એકસા આઠ ગુણ થયા. અંગૂઠા વિના બાકીની ચાર આંગળીનાં ખાર ટેરવાં થાય છે, અને એથી એ ગુણાનુ ચિંતન કરવાની યોજના હાવાથી બારને નવે ગુણતાં ૧૦૮ થાય છે. એટલે નવકાર એમ કહેવામાં સાથે એવું સૂચવન રહ્યુ જણાય છે કે, હે, ભવ્ય ! તારી એ આંગળીનાં ટેરવાથી નવકાર મંત્ર નવ વાર ગણુ, “કાર' એટલે કરનાર” એમ પણ થાય છે. બારને નવે ગુણતાં જેટલા થાય એટલા ગુણના ભરેલે મંત્ર એમ નવકાર મત્ર તરીકે એના અર્થ થઇ શકે છે.
૯૯૧ પ્ર. ભગવાનને દિવ્ય ધ્વનિ શુ છે ?
ઉ. દિબ્યધ્વનિ પુદ્ગલ દ્રવ્યને પર્યાય છે. તેરમા ગુણસ્થાનવી શ્રી અહં તદેવની જે ઉપદેશાત્મક ભાષાવા નીકળે છે તેને દિવ્ય
જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ; કોઇ કોઇ પલટે નહી', છેડી આપ સ્વભાવ,
Page #306
--------------------------------------------------------------------------
________________
૨૮૪
ધ્વનિ કહે છે, તે અખંડ એટલે કે નિરક્ષર (અનક્ષર) સ્વરૂપ અખડરૂપ સર્વ પ્રદેશમાંથી અમૃત સમાન ઝરતી સુંદર આનંદ સ્યન્દી હેાય છે. કંઠે તાળવુ, હાઠ, જીભ આદિનાં હલનચલન રહિત, પેાતાની ઇચ્છા વિના અનેક પ્રાણીએના પુણ્ય પ્રભાવથી ઉપજેલી, આ અના સર્વ દેશનાં પ્રાણીએ સમજે તેવી અતિશય યુક્ત મેાક્ષમાર્ગના પ્રકાશ કરતી શ્રી તી કરદેવની વાણી (ધ્વનિ) તે દ્વિવ્ય ધ્વનિ છે. દિવ્ય ધ્વનિ ઇચ્છા વગર ૨૪ કલાકમાં ત્રણ ત્રણ વખત છૂટે, ૬૦ ઘડીમાં ૨૪ ઘડી વાણી છૂટે. પૂનમના ચંદ્ર ૧૬ કળાએ ઊગે તેને ઇચ્છા નથી કે હું દરિયાના પાણીમાં ભરતી લાવું પણ સહેજે ચંદ્ર ઊગે અને દરિયામાં ભરતી આવે જ છે. તેમ શ્રી તીથ કરને ઇચ્છા નથી પણ પુણ્યવંત પ્રાણી આવે ત્યાં તેમની વાણી નીકળે.
૯૯૨ પ્ર. જો દિવ્ય ધ્વનિ અનક્ષર હોય તા ગણધરો તે દિવ્ય ધ્વનિને અર્થ અથવા તીથ "કરની દેશના, આગમમાં કેવી રીતે ગુંથી લે ?
ના ના કા
ઉ. તીર્થંકર દેવના મૂર્ધન્ય સ્વરમાં કાઈ પણ ઇચ્છા વગર, ફક્ત ૐ દિવ્ય ધ્વનિ જ નીકળે તે ભગવાનના દિવ્ય ધ્વનિ, દેવ, મનુષ્ય, તિય ચ–સર્વે આવા પાતપેાતાની ભાષામાં પેાતાના જ્ઞાનની યેાગ્યતાનુસાર સમજે છે તે નિરક્ષર ધ્વનિને એમકાર ધ્વનિ પણુ કહે છે. શ્રાતાઓના કણ પ્રદેશ સુધી તે ધ્વનિ ન પહોંચે ત્યાં સુધી તે અનક્ષર જ છે, અને જ્યારે તે Àાતાઓના કર્ણ વિષે પ્રાપ્ત થાય છે ત્યારે તે અક્ષરરૂપ થાય છે. ધ્વનિ ઊઠે, તેને (સાંભળી) સતાના ટોળાના અગ્રણી, ચાર જ્ઞાનના ધણી, ચૌદ પૂર્વની લબ્ધિ યુક્ત એવા ગણધરો શાસ્ર રચે. ગણધર ભગવાને ફક્ત એક મુદ્દત માં ચૌદ પૂર્વ અને બારઅંગની રચના કરે, તેને સાંભળી લાયક જીવા સશય-મિથ્યાત્વ નિવારે-નાશ કરે, ભગવાનને જાણવામાં જે આવ્યું છે તેના અનંતમા ભાગે
ઉદાસીનતાના જ્યાં વાસ, સકલ દુઃખને છે ત્યાં નાશ.
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૦૧
વાણીમાં આવે છે, અને વાણીમાં જે આવ્યું તે સમજનારને અનંતમા ભાગે જણાય. ભગવાનની વાણીમાં અક્રમ એટલે એકી સાથે બાર અંગેના ઉપદેશ આવે છે.
સર્વા સિદ્ધિમાં દેવા છે તે બધા અવધિ-જ્ઞાનથી તીથંકરના સમવસરણને ત્યાં રહ્યા રહ્યા દેખે છે, ઉપદેશ સાંભળે છે, પ્રશ્ન પૂછે છે અને કેવળી ભગવાન તેમને ઉત્તર આપે છે. દરેક તી કરના એમકાર ધ્વનિમાં પ્રથમ વાકચ્ ‘ઉપન્નેવા’, ‘વિધનેવા', ધ્રુવેવા’= ઉત્પાદ’, વ્યય', ધ્રૌવ્ય' એમ હાય છે, ઉપજવું, નાશ થવું અને અચળતા એમ એ ત્રણ શબ્દોના અર્થ છે. પર ંતુ શ્રીમાન ગણધરોએ તા એમ દર્શિત કર્યું છે કે એ વચના ગુરુમુખથી શ્રવણ કરતાં આગળના ભાવિક શિષ્યાને દ્વાદશાંગીનુ આશય ભારિત જ્ઞાન થતું હતું. વ્યાધિક ભાવાયિક નયે આખી સૃષ્ટિનુ જ્ઞાન એ ત્રણુ શબ્દામાં રહ્યું છે. ‘જગત' એમ કહેતાં જેમ મનુષ્ય, એક ધર, એક વાસ, એક ગામ, એક શહેર, એક દેશ, એક ખંડ, એક પૃથ્વી એ સધળું મૂકી દઇ અસ ંખ્યાત દ્વીપ સમુદ્રમુક્તાદિકથી ભરપુર વસ્તુ એકદમ કેમ સમજી શકાય છે ? એનું કારણ માત્ર એટલું જ કે એ શબ્દની બહાળતાને લીધે છે, જેથી જગત' એમ કહેતાં એવડા મેાટા મર્મ સમજી શકાય છે, તેમજ ઋજુ અને સરળ સત્પાત્ર શિષ્યે નિત્ર થ ગુરુથી એ ત્રણ શબ્દોની ગમ્યતા લઈ દ્વાદશાંગી જ્ઞાન પામતા હતા.
૯૯૩ પ્ર. વીરશાસનની જયંતિ ચારે ઉજવાય અને કેમ ?
ઉ. સનાતન જૈનધર્મ માં શ્રાવણ વદ એકમથી નૂતન વર્ષના આરંભ થાય છે. છઠ્ઠો આરો પણ તે જ દિવસથી શરૂ થશે, તે દિવસે ભગવાન મહાવીરની દિવ્ય ધ્વનિ છૂટવાના પ્રથમ દિવસ છે. ભગવાનને વૈશાખ સુદ દશમે કેવળજ્ઞાન પ્રગટ થયું હતુ, તે વખતે ઇંદ્રોએ આવી સમવશરણની રચના કરી હતી. તેને ધર્મ સભા કહે છે, પરંતુ કેવળજ્ઞાન થયા છતાં પણ ૬ દિવસ સુધી ભગવાનની
આ જીવ અને આ દેહુ એવા ભેદ જો ભાસ્યા નહીં, પચખાણ કીધાં ત્યાં સુધી, માક્ષા તે ભાખ્યાં નહી"
Page #308
--------------------------------------------------------------------------
________________
દિવ્ય વનિ ન છૂટી. તેનું કારણ તે સમયે સભામાં ભગવાનની વાણી ઝીલી, ગ્રહણ કરી શકે એવો મહાન પાત્ર યોગ્ય છવા કેઈ ઉપસ્થિત નહોતા. ઇંદ્ર અવધિજ્ઞાનથી જાણ્યું કે આ પાત્ર જીવ દ્રભૂતિ છે, એટલે બ્રાહ્મણના વેશમાં તેમની પાસે જઈને અમુક પ્રશ્નો કર્યા અને તેને જવાબ ન આવડતાં તેઓ વીર ભગવાનના પાસે જવા નીકળ્યા. ત્યાં માનસ્થંભને દેખતાં જ તેમનું માન ગળી ગયું, અને જેવા સમવસરણમાં પ્રવેશ કર્યો કે તરત જ ભગવાનની વાણી છૂટી, ગૌતમ સ્વામીને આત્મભાન, નિગ્રંથ મુનિદશા, મન પર્યયજ્ઞાનાદિ બધું પ્રગટ થયું અને ગણધર પદવી મળી. તે છે શ્રાવણ વદ એકમને મંગળ દિવસ. તે જ રાત્રિના આગળ પાછળના બે પહરમાં એક એક અંતમુહૂતમાં જ ૧૨ અંગ અને ૧૪ પૂર્વની રચના કરી; તે રચનાને મહાન દિવસ અને ભગવાનની દિવ્ય વનિ છૂટવાને પહેલો દિવસ શ્રાવણ વદ એકમ. ઉત્કૃષ્ટ ધર્મ સમજવાવાળે પાત્ર જીવ હોય ત્યારે તેને નિમિત્તભૂત વાણી મળ્યા વગર રહેતી નથી. ઝાડ ઊગવાનું હોય
અને વરસાદ ન પડે એવું બનતું નથી. ૯૯૪ પ્ર. એમ શબ્દનું સ્વરૂપ શું છે? ઉ. અરિહંત ભગવંત, સિદ્ધ ભગવંત, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુએને એકેકે પ્રથમ અક્ષર લેતાં, “અસિઆઉસા” એવું મહત્વ ભૂત વાક્ય નીકળે છે. જેનું ક8 એવું યોગબિન્દુનું સ્વરૂપ થાય છે. અઢી અક્ષરોને આ શબ્દ બધા મંત્રને રાજા છે. “અ”ને અર્થ અધે લોક, “ઉ”ને અર્થ ઉર્વલક અને “મ”ને અર્થ મધ્ય લેક આમ તેના ગર્ભમાં ત્રણ લેક આવી જાય છે. કારને અર્થ છે નાદ, કંઠ, તાળ, જીભ, હોઠ આદિમાં કેઇ પણ પ્રકારની ક્રિયા અથવા કંપન ઉત્પન્ન કર્યા વગર ઉત્પન્ન થવાવાળી સામાન્ય વનિ.
વળી “અને અર્થ છે અનુસ્મૃતિ, કેમ કે, “ક” “ખ” આદિ વગેરે શબ્દોમાં “અ” અનુક્તરૂપથી અનુસ્મૃત (અધ્યાર) રહે છે.
જહાં રાત તહાં કામ નહિ, કામ નહિ તહાં રામ; તુલસી ને ના રહે, રવિ રજની એક ઠામ,
Page #309
--------------------------------------------------------------------------
________________
“ઉ”ને અર્થ ઉત્પાદ, અને “મ”ને અર્થ વિરામ એટલે નાશ અથવા વ્યય. આમ ઉત્પાદ વ્યય તથા આ બનેમાં અનુસ્યુત (અધ્યાર) ધ્રૌવ્ય, ત્રણે એકી સાથે માં રહેલાં છે. ભૂત, વર્તમાન, ભવિષ્ય એ ત્રણે કાળ, ઉર્ધ્વ, અધે મધ્ય એ ત્રણે લેક, જાગૃત, સ્વપ્ન, સુષુપ્ત એ ત્રણે અવસ્થાઓ, સકળ શ્રુતજ્ઞાન, ઉત્પાદ, વ્યય, ૌવ્ય એ ત્રણે સ્વભાવ, આ બધા બીજરૂપે તેમાં સમાયેલા છે.
એ કોઈ પણ વિષય નથી કે જે તેના ગર્ભમાં સમાયેલો ન હોય. નિશ્ચયથી છ કારને અર્થ પિતાને શુદ્ધ આત્મા છે અને વ્યવ
હારથી ભગવાનની દિવ્યધ્વનિ છે. ૯૯૫ પ્ર. કયા અક્ષરો મળીને ૩% શબ્દ થાય છે ? ઉ. અરિહંત, અશરીરી (સિદ્ધ), આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ (સાધુ)
એ પાંચેય પરમ ગુરુના પ્રત્યેકના પહેલા અક્ષર લેતાં અ+અ+આ +ઉમ=એમ શબ્દ થાય છે. એના ધ્યાનથી, ક્રમે કરી, સિદ્ધપદ પર્વતની પરમાત્માદશાને પ્રગટાવી જીવ કૃતાર્થ થાય છે. પાંચે પરમેષ્ઠિનું ટૂંકું રૂપ તે % છે. વેદાંતવાળા પણ કહે છે. વેદાંતમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર મળી ૩ થયો છે એમ કહે છે. બ્રહ્મા એટલે “અજ' તેને “અ”, વિષ્ણુને “ઉ” અને મહેશ્વરને “મ” મળી » શબ્દ થયો છે, એમ કહે છે. સ્થાનકવાસીમાં તો ની માન્યતા જ નથી. તાંબરના આગમમાં એક સ્થાન પર તે એમ આવે છે કે ૩૪ બ્રાહ્મણ સંપ્રદાયમાં હોય છે. (દિગંબર
શાસ્ત્રમાં ઉપર મુજબ મહત્ત્વ છે.) ૯૯૬ પ્ર. “૩૪ શાંતિ, શાંતિ,” શબ્દ વારંવાર વાપરીએ છીએ પણ શાંતિને
અર્થ શું છે? ઉ. સર્વ જ્ઞાની પુરુષોએ “શાંતિ” એટલે બધા વિભાવપરિમાણુથી થાકવું
નિવૃત્ત થવું તે, અને શાંતિને સર્વ ધર્મને આધાર કહ્યો છે. ૯૯૭ પ્ર. ગ્રંથ વાંચવાનું શરૂ કરતાં પહેલાં મંગળાચરણનું ઉચ્ચારણું કેમ
હોય છે ?
જે પરને થઈશ કર્તા, તે ખાઈશ અનેક ખતા, મેળવવા તારી મત્તા, બની જા માત્ર જ્ઞાતા,
Page #310
--------------------------------------------------------------------------
________________
૨૮૮
ઉ. તેનું મુખ્ય કારણ એ છે કે બાહ્યવૃત્તિમાંથી આત્મવૃત્તિ કરવી છે.
પ્રથમ મંગળાચરણ કરવાથી શાંતપણું પ્રવેશ કરે છે તે ગ્રંથ ફરીથી. વાંચતાં અથવા ગમે તે ભાગથી તે વાંચવાનું શરૂ કરતાં પ્રથમ
મંગળાચરણ કરવું તે શાસ્ત્ર પદ્ધતિ છે. ૯૯૮ પ્ર. મંગલનો અર્થ કહો ? ઉ. “મ” એટલે પાપ, તેને “ગલ” એટલે ગાળે તથા “મંગ”
એટલે સુખ તેને “લ” એટલે લાતિ-દદાતિ અર્થાત તેને મંગલ.
કહે છે. પૂર્વ સંચિત કર્મોના વિનાશને મંગળ કહે છે. ૯૯૯ પ્ર. જે નવકાર મહામંત્રથી પૂર્વ સંચિત કર્મોને વિનાશ થઈ શકે.
છે તે જિન કથિત અધ્યાત્મ (શાસ્ત્ર) સૂત્રોનું અધ્યયન વ્યર્થ થશે, કારણ કે તેનાથી થતે કર્મક્ષય તે જિન નમસ્કાર મંત્રથી.
જ થઈ શકે છે. ઉ. તે કઈ દોષ નથી, કારણ કે સૂત્ર અધ્યયનથી તે સામાન્ય
કર્મોની નિર્જરા થાય છે, અને મંગલથી સૂત્ર અધ્યયનમાં વિના ઉત્પન્ન કરનાર કર્મોને વિનાશ થાય છે, એ પ્રમાણે બનેને.
વિષય ભિન્ન છે. ૧૦૦૦ પ્ર. સૂત્ર (શાસ્ત્ર) અધ્યયનથી વિદન ઉત્પન્ન કરનાર કર્મોને વિનાશ
થઈ જાય છે તો પછી આ મંગલ નમસ્કારમંત્રથી મંગળ કરવાની.
કાંઈ જરૂર રહેતી નથી ? ઉ. એમ નથી, કારણ કે સૂત્ર (શાસ્ત્ર)ને અર્થ જ્ઞાન અને અભ્યાસ,
જ્યાં સુધી તેમાં વિદન ઉત્પન્ન કરનારાં કર્મોને નાશ ન થાય
ત્યાં સુધી સંભવ નથી. ૧૦૦૧ પ્ર. જે જિનેન્દ્ર નમસ્કાર (નવકારમંત્ર) ફક્ત સૂત્ર (શાસ્ત્ર) અધ્યયનમાં
વિન કરવાવાળાં કર્મોને જ વિનાશ કરે છે તો પછી તેને મરણ સમયે તેને ઉચ્ચાર, જાપ ન કરવો જોઈએ કારણ કે ત્યાં તે
સમયે તેનું કેઈ ફળ નથી. ઉ. આ કાઈ દેષ નથી, કારણ કે નમસ્કારમંત્ર ફક્ત સૂત્ર (શાસ્ત્ર)
રહ્યા ન ણ ૨જીયા, સુર નર મુનિ સમેત, તું તે તરણ તુલ્ય છે, ચેત ચેત નર ચેત.
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૮૯ અધ્યયન વખતે આવતાં જ કમેને જ વિનાશ કરે તે કઈ
નિયમ નથી. ૧૦૦૨ પ્ર. તે પછી આ નવકારમંત્ર એક જ છે અને એક જ થઈને અનેક
કાર્યોને કરવાવાળો કેવી રીતે હોય ? . ઉ, આ પંચ પરમેષ્ઠિને નમસ્કારમંત્ર સર્વ પાપોને નાશ કરનાર
છે અને સર્વ મંગળામાં પ્રથમ મંગળ છે, અને તે મંત્ર એક જ બધા કર્મો ક્ષય કરવામાં સમર્થ છે એમ નથી, કારણ કે એમ હોય તો જ્ઞાન અને ચારિત્રના અભ્યાસની નિષ્ફળતાને પ્રસંગ આવે. એથી બધાં કાર્યોના આરંભમાં જિનેન્દ્ર નમસ્કાર કરવા જોઈએ, કારણ કે તેમ કર્યા વગર પ્રારંભ કરેલા કાર્યની સિદ્ધિ બનતી નથી. વળી શાસ્ત્ર આદિમાં મંગળ એટલા માટે કરવામાં આવે છે કે શિષ્ય શીઘ્ર જ શાસ્ત્રમાં નિપૂણ થાય. મધ્યમાં મંગલ કરવાથી નિર્વિદન કાર્ય સમાપ્તિ અને અન્તમાં કરવાથી વિદ્યા
અને વિદ્યાનું ફળ પ્રાપ્ત થાય. ૧૦૦૩ પ્ર. મંગળાચરણ કરીને શરૂ કરેલાં કાર્યોમાં વિદન પડેલાં જોવામાં
આવે છે અને તે કર્યા વગર શરૂ કરેલાં કાર્યો વિદનના વગર પૂર્ણ થતાં જોવામાં આવે છે તેથી જિનેન્દ્ર નમસ્કાર વિદનવિનાશક ન
કહી શકાય ? ઉ. આ કોઈ દેષ નથી, કારણ કે જેમ કોઈ રોગની દવા કરી હોય
તે પણ તે મટતા નથી અને જેની કોઇ દવા ન કરી હોય તેને વિનાશ થતા ઠેર ઠેર દેખવામાં આવે છે તેમ છતાં પણ કાળી મરી આદિ દવાઓમાં ઔષધિ ગુણો તે કાયમ છે જ, તે ગયે નથી. જેમ દવાને ઔષધિગુણ કઈ રોગી ઉપર અસર ન કરે તે તે ગુણ નષ્ટ થયેલે માનતા નથી પણ એમ સમજીએ છીએ કે અસાધ્ય વ્યાધિઓને છોડી ફક્ત સાધ્ય વ્યાધિ ઉપર તેની અસર મનાય છે, તે પ્રમાણે જિનેન્દ્ર નમસ્કાર પણ વિદન વિનાશક જ માનવા ગ્ય છે કારણ કે તેની અસર પણ અસાધ્ય વિને
સાર્થક કર હંસ તારે, દેવ દુર્લભ જન્મારે, સાચા મોતીને કરચાર, તજી ગોબરને ગારો,
Page #312
--------------------------------------------------------------------------
________________
૨૯૦
(નિકાચિત કર્મો)ને છેડી સાધ્ય વિદને (કર્મો)ને વિનાશ કરવામાં દેખાય છે. વળી નવકારના જ્ઞાન અને ધ્યાનની સહાયતાથી તે સમય દરમિયાન અસાધ્ય વિદન ઉત્પાદક કર્મોને પણ અભાવ જ હોય છે. પૂરા જ્ઞાન અને ધ્યાનથી કરેલા નમસ્કાર સંપૂર્ણ અર્થાત ઉત્કૃષ્ટ, અને મંદ શ્રદ્ધાનથી કરેલા નમસ્કાર જઘન્ય કહેવાય છે. બાકી અસંખ્યાત ભેદે (માણસો તેટલા ભેદ) પ્રમાણે ભિન્ન ભિન્ન નમસ્કાર મધ્યમ છે. (ઉપરોક્ત પ્રશ્નોત્તર અંશે
વ્યવહાર અપેક્ષાએ કથન છે.). ૧૦૦૪ પ્ર. આ નવકારમંત્રથી કોને નમસ્કાર કરવામાં આવે છે ?
ઉ. આ મંત્રથી પાંચ ગુરુઓ અને તેમની સ્થાપનાઓને પણ નમસ્કાર
કરવામાં આવે છે. સલજિન અને દેશજિન એમ જિન બે પ્રકારે છે. જેમને ઘાતિયાં કર્મોને ક્ષય કર્યો છે તે સકલજિન કહેવાય છે. તેઓ અરિહંત અને સિદ્ધ છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ તીવ્ર કષાય, ઇન્દ્રિ અને માહ જીતીને લેવાથી તે દેશજિન
કહેવાય છે. ૧૦૦૫ પ્ર. સલજિનને નમસ્કાર પાપને નાશ કરનાર ભલે હોય,
કારણ કે તેમનામાં બધા જ ગુણે હોય છે. પણ દેશજિનેને કરેલા નમસ્કાર પાપનો નાશ કરનાર નથી હોઈ શક્તા કારણ કે તેઓ
સર્વગુણ સંપન્ન નથી ? ઉ. ના, કારણ કે સકલજિનેની માફક દેશજિનેમાં પણ રત્નત્રય હેય
છે અને રત્નત્રય સિવાય સકલજિનમાં સદેવ થવાને યોગ્ય અન્ય કેાઈ ગુણ નથી. તેથી સક્લજિનેના નમસ્કારની જેમ દેશજિનેને નમસ્કાર પણ બધાં કર્મોને ક્ષય કરનાર છે, એમ નક્કી
કરવું જોઈએ. ૧૦૦૬ પ્ર. સક્લજિને અને દેશજિનમાં સ્થિત રત્નત્રયની સમાનતા હોવી
શક્ય નથી, કારણ કે સંપૂર્ણ અને અસંપૂર્ણની સમાનતા એ પરસ્પર વિરોધી વાત છે?
આત્મ ભ્રાન્તિ સમ રેગ નહિ, સદ્દગુરૂ વૈદ્ય સુજાણ ગુરૂ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૯૧
. ના, કારણ કે જ્ઞાન,-દર્શન અને ચારિત્રના સમધી સમાનતા તેમનામાં છે. અને અસમાનાનું કાર્ય અસમાન જ હોય તેવા નિયમ નથી, જેમ સંપૂર્ણ અગ્નિ દ્વારા બાળવાનું કાર્ય તેની એક ચિનગારીમાં પણ જોવામાં આવે છે, વળી અમૃતના સેંકડા ધડાથી કરેલ નિર્વિષષ્કરણ આફ્રિકા એક ઢાંકણીભર અમૃતથી પણ થાય છે. તે સિવાય, દેશજિનાના રત્નત્રય અને સમ્ય જિનેના રત્નત્રયમાં કાઈ અંતર નથી. અને આવિર્ભાવ (પ્રગટ) થયેલ (ગુણા, શક્તિએ) અને અનાર્વિભાવ (અપ્રગટ થયેલ ગુણુશક્તિ)થી પાડેલ ભેદ સમાનતાને ખંડિત કરતા નથી કારણુ કે અવિર્ભૂત સૂર્યમંડળ અને અનાવિભૂત (વાદળાથી છૂપાયેલ) સૂર્ય મડળ સમાન જ છે.
૧૦૦૭ પ્ર. સ્વસ્તિકના શું અર્થ છે અને તેના ચિહ્નનું શું મહત્ત્વ છે ? સ્વસ્તિક શબ્દ ત્રણ ધાતુએના બનેલે છે. સુ”=શુભ; “અસ્તિ” સ્થિતિ અને ” (પ્રાપ્તિ). શુભ સ્થિતિની પ્રાપ્તિના સ"કેતરૂપે બધા આ ધર્મમાં શુભ અને શુકનિયાળ ચિહ્ન ગણવામાં આવે છે, અને તે પ્રમાણે વપરાય છે. જૈન ધર્મમાં સ્વસ્તિકને અજશુભ ચિહ્નોમાંનુ એક શુભ ચિહ્ન ગણવામાં આવ્યું છે. અમુક જૈના સ્વસ્તિકને સિંધના સ"કેત ગણે છે. સાતમા તીર્થંકર સુપાર્શ્વનાથનુ તા લાંછન જ સ્વસ્તિક છે.
૧૦૦૭૩૪ પ્ર. માનસ્તંભ એટલે શુ?
૩. તીર્થંકરોની સભામાં માનસ્તંભ હોય છે. ભગવાનના
સમવશરણમાં ચાર બાજુએ ચાર માનસ્ત ંભ હેાય છે. તેને દેખીને માન. ગળી જાય છે. ભવનપતિ, વ્યંતર તથા વૈમાનિક દેવલાકમાં તીર્થંકરોની શાશ્વત પ્રતિમા હોય છે, ત્યાં માનસ્તંભ હેાય છે. પહેલા દેવલાકના માનસ્ત ંભ ૩૬ જોજનના ઊંચા છે, એવા અનેક માનસ્તંભ છે. તે માનસ્તંભમાં નીચે છ અને ઉપર છ જોજન મૂકીને ૨૪ જોજનની અંદર ભરતક્ષેત્રના તીય કરો
પાંચ પહેાર ધંધા માંહીને, ત્રણ પહેાર સુવાય, એક પહાર પણ પ્રભુના જગ્યા, મુક્તિ કયાંથી પમાય !
Page #314
--------------------------------------------------------------------------
________________
ર૯૨
માટેના દાગીને તથા કપડાં રહે છે. સાધારણ માણસને તો જેવા • પણ ન મળે તેવા માનસ્તંભમાં રત્નનાં મોટાં શીકાં હોય છે.
તેમાં પટારા હોય છે ને ભરતક્ષેત્રના તીર્થકરો જન્મે ત્યારથી દીક્ષા લે ત્યાં સુધી તેમને માટે વસ્ત્ર, દાગીના તે સ્વર્ગમાંથી ઈન્દ્રો લાવે છે. એરાવત ક્ષેત્રના તીર્થકરો માટે દાગીના, વસ્ત્ર બીજા દેવલોકના માનસ્તંભમાં રહે છે, ને ત્યાંથી દેવ લાવે છે.. મહાવિદેહના તીર્થ કરો માટે દાગીના વગેરે સનતકુમાર ને માહેન્દ્ર દેવલોકના દેવો લાવે છે. વળી માનસ્તંભ માનીઓનાં માન ગાળવામાં નિમિત્ત છે. તેને જોઈને જીવો વિચારે કે આ વૈભવ જેને છે તે આત્મા કેવો ? વર્તમાન ભારતમાં પણ ઘણી જગ્યાએ માનસ્તંભ છે. માનસ્તંભ તે કિર્તીસ્થંભ નથી પણ ધર્મસ્તંભ
છે, તેને દેખતાં જ મિથ્યાદષ્ટિનાં માન ગળી જાય છે. (જુ. પ્ર.૯૯૩) ૧૦૦૮ પ્ર. દુઃખી જીવને દુ:ખથી છૂટકારો કરવા કેઈ તેને ગોળીથી ઠાર
કરે તો ?
ઉ. તે તે હિંસા જ છે; ને અહિંસા ધર્મના સ્વરૂપની તેને ખબર નથી.. ૧૦૦૯ પ્ર. સિંહ–સર્પ–વીંછી વગેરે પ્રાણીઓને મારવા તે શું છે?
ઉ. તે પણ હિંસા જ છે. ૧૦૧૦ પ્ર. બીજા જીવોનું મરણ કે જીવન આ જીવ કરી શકે છે ?
ઉ. ના, તેનું જીવન-મરણ તેના આયુને આધીન છે. ૧૦૧૧ પ્ર. બધા જીવોથી મિત્રીભાવ રાખવો તે શુભરાગ છે ને? - ઉ. બધા આત્માઓ સિદ્ધ સમાન છે, કોઈ પ્રત્યે રાગષ નહિ, એ
મૈત્રીભાવ તે જ્ઞાતા દષ્ટારૂપ ભાવ છે, શુભરાગ નથી. ૧૦૧૨ પ્ર. પરવસ્તુના કારણે જીવથી હિંસા થાય છે ?
ઉ. ના; જીવના પિતાને કષાયભાવથી જ હિંસા થાય છે. ૧૦૧૩ પ્ર. હિંસામાં કાણું હણાય છે ?
ઉ. જીવના પોતાના ચૈિતન્યપ્રાણ હણાય છે.
મૂકી દે આ દેહની વેઠ, પહોચવું હોય જો તારે ઠેઠ, તુ સેવક અને તું જ છે, સમજીને હવે સ્વમાં પેઠ,
|
|
Page #315
--------------------------------------------------------------------------
________________
૧૩
તપ, ત્યાગ, વૈરાગ્ય
૧૦૧૪ પ્ર. તપના મુખ્ય કેટલા પ્રકાર ?
ઉ. બે, બાહ્ય અને અત્યંતર અથવા અંતરંગ. ૧૦૧૫ પ્ર. બાહ્યતપ કેટલા પ્રકાર છે?
ઉ. છ પ્રકારનો. (૧) અનશનઃ આહારને ત્યાગ કરે તે. ખાદ્ય, સ્વાદ્ય, લેહ્ય
(ચાટવાના), પેય (પીવાના) ચાર પ્રકારના આહારને ત્યાગ (૨) ઉણાદરી : ભૂખ કરતાં ઓછું ખાવું તે, પેટના બે ભાગ
અનાદિથી અને એક ભાગ પાણીથી ભરી એક ભાગ ખાલી
રાખો. (૩) વૃત્તિસંક્ષેપ અથવા વૃત્તિપરિસંખ્યાન: ભિક્ષા લેવા જતી
વખતે કઈ પ્રતિજ્ઞા લેવી અને તે પૂર્ણ થાય તે જ તે
દિવસે આહાર લે. ' (૪) રસપરિત્યાગઃ ગળપણ, મીઠું, દૂધ, દહીં, ઘી, તેલ એ છે
રસમાંથી એક અથવા અનેકને ત્યાગ. વિવિક્ત શય્યાસન અથવા પ્રતિસંલીનતા : એકાંતમાં શયન અને આસન (સૂવા બેસવાનું રાખવું અને
ઈન્દ્રિયોને કાબૂમાં રાખવી તે. (૬) કાયાકલેશ : દેહને જ્ઞાન સહિત કરણું કરવામાં કષ્ટ આપવું
તે અને શરીરનું સુખિયાપણું મટાડવા કઠણ કઠણ સ્થાને
ઉપર જઈ તપ કરવું. ૧૦૧૬ પ્ર. અત્યંતર અથવા અંતરંગ તપ કેટલા પ્રકાર છે?
3. છે;
Page #316
--------------------------------------------------------------------------
________________
૨૯૪
પ્રાયશ્રિત ઃ કરેલા પાપને પશ્ચાતાપ કરવો અને તે દેષને દંડ લઈ
શુદ્ધ થવું. (પ્રાયશ્ચિતના ભેદો માટે જુએ પ્રશ્ન ૧૧૧૧). વિનય : ધર્મ અને ધર્માત્માઓનું સન્માન. જ્ઞાન, દર્શન,
ચારિત્ર અને ઉપચાર એ ચાર પ્રકાર વિનયના છે. વૈયાવૃત્ત : મુનિવરોના દશ ભેદે કરીને, (જુએ પ્રશ્ન ૧૨૦૯),
વૈયાવૃત્ય પણ દશ પ્રકારની છે. કાયાની પ્રવૃત્તિથી, અથવા અન્ય દ્રવ્ય વડે દુઃખ વેદના આદિ દૂર કરવાની પ્રવૃત્તિથી વૈયાવૃત્ય થાય છે. દશ પ્રકારના મુનિએમાંથી. કેઈન રોગ થાય, પરિષહેને લીધે ખેદ પામે, શ્રદ્ધા બગડી જાય ત્યારે ઉપચાર કરે તે વૈયાવૃત્ય છે. વૈયાવૃત્યથી સંયમનું સ્થાપન, દુંગાને અભાવ, પ્રવચનમાં વાત્સલ્યપણું અને સનાથપણું ઇત્યાદિ અનેક ગુણ પ્રગટે છે.
પોતાના ચેતન્ય સ્વરૂપ આત્માને રાગદેષાદિ દેષોથી પાવા ન દેવો, પિતાના આત્માને ભગવાનને પરમાગમમાં લગાવી દે, દશ લક્ષણરૂપ ધર્મમાં લીન. કર, કામ, ક્રોધ, લોભાદિક કપાયને તથા ઇન્દ્રિયના વિષયને આધીન થવા ન દે તે આત્માની વિયાનૃત્ય છે.
જે પોતાની શક્તિ પ્રમાણે છકાય જીવની રક્ષા કરવામાં સાવધાન છે તેને સમસ્ત પ્રાણીઓની વૈયા
નૃત્ય પ્રાપ્ત થાય છે. સ્વાધ્યાય : શાસ્ત્રોનું પઠન, પાઠન અને મનન. (તેના ભેદે માટે
જુઓ પ્રશ્ન ૧૩૨) ધ્યાન : ધર્મધ્યાન તથા શુકલધ્યાનમાં આત્માને જેડ તે. કાયેત્સર્ગઃ અથવા વ્યુત્સર્ગ–શરીરાદિ ઉપરથી મમતાને ત્યાગ કરી
નિશ્ચળપણે ધ્યાનમાં રહેવું તે અત્યંતરે પાધિવ્યુત્સર્ગ
વિભાવ પરિણામ “ભાવકર્મ” છે. પુદ્ગલ સંબંધ દ્રવ્યકર્મ છે.
Page #317
--------------------------------------------------------------------------
________________
૨૯૫
ધન, ધાન્ય, મકાન આદિ બાહ્ય વસ્તુઓમાંથી મમતા ઉઠાવવી તે બાહ્યોપાધિભુત્સર્ગ.
વળી અંતરંગ તપામાં પણ પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ત્યાગ અને ધ્યાનરૂપ ક્રિયામાં બાહ્ય પ્રવર્તન છે તે તો બાહ્ય તપ જેવું જ જાણવું તેથી પ્રાયશ્ચિત આદિ બાહ્ય સાધન પણ અંતરંગ તપ નથી. પરંતુ એવું બાહ્ય પ્રવર્તન થતાં જે અંતરંગ પરિણામોની શુદ્ધતા થાય તેનું નામ અંતરંશ તપ જાણવું અને ત્યાં જ નિર્ભર છે, બંધ થતા નથી.
એટલું જ સમજી લેવું કે-નિશ્ચયધર્મ તે વીતરાગભાવ છે તથા અન્ય અનેક પ્રકારના ભેદે નિમિત્તની અપેક્ષાએ ઉપચારથી કહ્યા છે તેને વ્યવહારમાત્ર ધર્મસંજ્ઞા જાણવી. આ રહસ્યને અજ્ઞાની જાણ નથી તેથી
તેને નિજેરાનું–તપનું પણ સાચું શ્રદ્ધાન નથી. ૧૦૧૭ પ્ર. તપ બાર પ્રકારે કહ્યું છે પણ તેમાં સૌથી ઉત્તમ તપ કેને
કહેલ છે ? ( ઉ, બાહ્ય અને અત્યંતર એમ બાર પ્રકારના તપમાં સ્વાધ્યાય જેવું
કઈ તપ નથી, હતું નહિ અને હશે પણ નહિ. ૧૦૧૮ પ્ર. આવશ્યક કેને કહ્યાં છે ?
ઉ. અવશ્ય કરવા ગ્ય હોય તેને આવશ્યક કહેવાય છે. સામાયિક,
ગ્રેવીસ જિનનું સ્તવન, વંદના, પ્રતિકમણ, કાયેત્સર્ગ અને પ્રત્યાખ્યાન આ છ આવશ્યક છે. તૃણુ અને સોનું, શત્રુ અને મિત્રમાં સમભાવ રાખવો એને સામાયિક કહે છે. આત્માનું ધ્યાન ધરે તેનું એ (પરમાર્થિક પ્રતિક્રમણ) કહેવાય. ધ્યાન જ સમસ્ત અતિચારોનું પ્રતિક્રમણ છે. શરીરની મમતાને છોડી દેવી તેનું નામ કોત્સર્ગ આવશ્યક છે.
જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંઈક લક્ષ થવાને તેને; કહ્યાં શાસ્ત્ર સુખદાઈ
Page #318
--------------------------------------------------------------------------
________________
૨૯૬
આત્માનું ધ્યાન ધરે છે એનું એ પ્રત્યાખ્યાન નામનું આવશ્યક છે. આ છે આવશ્યક પરમાગમમાં છ છ પ્રકારે કહ્યા છે. નામ, સ્થાપના, કવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. એ છ ભેદે દરેક આવશ્યક
જાણવા યોગ્ય છે. ૧૦૧૯ પ્ર. યમ, નિયમ અને સંયમમાં શું ફેર છે ?
ઉ. યમ : આખા જીવન માટે જે વ્રત લેવામાં આવે તે, જેમકે પાંચ
અણુવ્રત કે મહાવ્રત. નિયમ : જે થોડા વખત માટે ખાસ નિયમ કરીએ તે-જેમકે મૌન, ઉપવાસ વગેરે-વ્રત કરતાં નિયમ વધુ પૂર્ણ રીતે પાળવાના હાય છે. સંયમ : પાંચ ઈદ્રિય ને છઠ્ઠા મનના નિગ્રહરૂપ એમ છ પ્રકારે અને છકાય જીવની રક્ષા મળી ૧૨ પ્રકારે પાળે-આત્માને રૂડી રીતે કાબૂમાં રાખવો એનું નામ સંયમ છે. (સંયમ એટલે દીક્ષા).. પાંચ વ્રત ધારણ કરવાં, પાંચ સમિતિ પાળવી, ચાર કષાયોને રોકવા, ત્રણ કે તેમને દંડ, વચન દંડ, કાય દંડ)ને ત્યાગ કરે અને પાંચ ઈન્દ્રિયોને ય કરવો; તેને વીતરાગ ભગવાને સંયમ કહ્યો છે. મન, વચન, કાયાની અશુભ પ્રવૃત્તિને દંડ કહેવાય છે. નરક, તિર્યંચ અને દેવગતિમાં તે સંયમ હોય નહીં; કઈ
તિર્યંચને દેશવત પિતાના પર્યાય પ્રમાણે કદાચિત હોય છે. ૧૦૨૦ પ્ર. ત્યાગ અને વૈરાગ્યમાં શું ફેર ?
ઉ. ત્યાગ એટલે કાઈ બાહ્ય વસ્તુ અથવા અંતરને વિભાવભાવને
છોડવા તે. અને વૈરાગ્ય એટલે વિરાગ રાગ નહીં તે. એટલે આસક્તિ રહિત થવું. સંસાર, શરીર અને ભેગ એ ત્રણેથી ઉદાસીનતા, તે વૈરાગ્ય. વસ્તુ છેડે પણ આસકિત રહે એમ બને. જે આસકિત એટલે રાગને દૂર કરે તે જ તે વસ્તુને ત્યાગ ટકે. તેથી આસકિત છે ત્યાં સુધી ખરે ત્યાગ નથી. આત્મપરિણામથી
ખાણ મૂત્ર મળની, રેગ જરાનું નિવાસનું ધામ, કાયા એવી ગણીને, માન ત્યજીને કર સાર્થક આમ,
Page #319
--------------------------------------------------------------------------
________________
૯૭
જેટલો અન્ય પદાર્થને તાદામ્ય અધ્યાસ નિર્ત તેને શ્રી જિન
ત્યાગ કહે છે. ૧૦૨૧ પ્ર. ત્યાગના કેટલા પ્રકાર છે ? ત્યાગ અને વૈરાગ્યને પૂર્વાપર સંબંધ છે ?
ઉ. ત્યાગના બે પ્રકાર છે. એક બાહ્ય અને બીજો અત્યંતર. તેમને
બાહ્ય ત્યાગ તે અત્યંતર ત્યાગને સહાયકારી છે. ત્યાગ સાથે વૈરાગ્ય
જોડાય છે, કારણ કે વૈરાગ્ય થયે જ ત્યાગ થાય છે. ૧૦૨૨ પ્ર. ઉદાસીનતા અને વિતરાગતા એક જ છે કે ફેર છે ?
ઉ. વીતરાગતા હોય ત્યાં રાગ ન હોય, રાગનાં કારણ દૂર કર્યા હોય.
ઉદાસીનતામાં રાગ આદિનાં કારણ હોવા છતાં સત્પરુષના બધે કે પિતાની પ્રગટ થયેલી દશાએ રાગદ્વેષમાં તણાઈ ન જવાય તેવી દશા સમજવા યોગ્ય છે. (કઈ જ્ઞાનીઓએ ઉદાસીનતાને અર્થ વીતરાગતા
પણું વર્ણવેલ છે.) ૧૦૨૩ પ્ર. જ્ઞાન પહેલાં પ્રાપ્ત કરવું કે વિષય ભેગ પહેલા ત્યાગવા ?
જ્યાં સુધી જીવ વિષય ભેગને વશ હોય છે ત્યાં સુધી તે જ્ઞાનની પ્રાપ્તિ કરી શકતું નથી, અને જ્ઞાનને પ્રાપ્ત કર્યા વિના એકલી વિષય વિરક્તિથી ભૂતકાળનાં કર્મોને ક્ષય કરી શકાતો નથી. જ્ઞાન પ્રાપ્ત કરીને વિષય ભેગ તજ એ શ્રેષ્ઠ છે. તેમ જ ચારિત્ર વિનાનું જ્ઞાન નકામું છે. શાસ્ત્રને જ્ઞાતા હોય પણ જે વિષયમાં આસકત હોય તો તેનું શાસ્ત્રજ્ઞાન વૃથા છે. શીલ એ જ વિશુદ્ધ તપ છે. જ્ઞાન અને વૈરાગ્ય એકબીજાને પ્રોત્સાહન આપનારાં છે. જ્ઞાન વગરને વૈરાગ્ય તે ખરેખર વૈરાગ્ય નથી, પણ રુંધાયેલે કષાય છે. પરંતુ જ્ઞાન નહિ હોવાથી છવ કષાયને ઓળખી શકતા નથી. જ્ઞાન
સહિતનું જીવન નિયમથી વૈરાગ્યમય જ હોય છે. ૧૦૨૪ પ્ર. અનશનાદિ તપથી નિર્જરા થાય ?
ઉ. કેવળ બાહ્યતપથી તે નિર્જરા થાય નહિ. બાહ્યત: તે શુદ્ધોપયોગ
વધારવા અર્થે કરવામાં આવે છે. શુદ્ધોપગ નિર્જરાનું કારણ છે
જેના હૃદયને વિષે અણુમાત્ર પરદ્રવ્ય પ્રત્યે રાગ વર્તે છે, તે સર્વ આગમને જાણનાર હોય તો પણ “સ્વમય? નથી જાણતો એમ જાણવું.
Page #320
--------------------------------------------------------------------------
________________
૨૯૮
તેથી ઉપચારથી તપને પણ નિર્જરાનું કારણ કહ્યું છે. જે બાહ્ય દુઃખ સહન કરવું એ જ નિર્ધારાનું કારણ હોય તે પશુ વગેરે
પણ ભૂખ-તૃષાદિ સહન કરે છે. ૧૦૨૫ પ્ર. એ તો પરાધીનપણે સહન કરે છે, પણ સ્વાધીનપણે ધર્મબુદ્ધિથી
ઉપવાસ આદિ તપ કરે તેને તે નિર્જરા થાય છે ને ? ઉ. ઉપવાસના પ્રમાણમાં જે નિર્જર થાય તે નિર્જરનું મુખ્ય કારણ.
ઉપવાસાદિક જ ઠરે, પણ એમ તો બને નહિ, કારણ કે–પરિણામ દુષ્ટ થતાં ઉપવાસ આદિ કરતાં પણ નિર્જરા થવી કેમ સંભવે ? અહીં જે એમ કહેશે કે અશુભ-શુભ-શુદ્ધરૂપ ઉપયોગ પરિણમે તે અનુસાર બંધ નિર્જરા છે, તે ઉપવાસ આદિ તપ નિર્જરાનું મુખ્ય કારણ ક્યાં રહ્યું છે ત્યાં તે અશુભ-શુભ પરિણામ બંધના કારણુ ઠર્યા, તથા શુદ્ધ પરિણામ નિર્જરાનું કારણ કર્યું. (જુઓ,
પ્રશ્ન-૧૧૧૩). ૧૨૬ પ્ર. તત્ત્વાર્થસૂત્રમાં “તપસા નિર્જરા ચ” એમ શા માટે કહ્યું છે ?
ઉ. શાસ્ત્રમાં “ઈચ્છા નિરાધતપ:” એમ કહ્યું છે. ઈચ્છાને રોકવી.
તેનું નામ તપ છે. શુભ અશુભ ઈચ્છા, ભાવો મટતાં ઉપયોગ શુદ્ધ થાય છે ત્યાં નિર્જરા થાય છે તેથી તપ વડે નિજર કહી છે. જ્યાં કષાય, વિષય અને આહારને ત્યાગ કરવામાં આવે છે તેને ઉપવાસ જાણો, બાકીનાને શ્રી ગુરુ લાંઘણ કહે છે. તપ તે જગતમાં ઘણું કરે છે, પણ સમ્યફદષ્ટિને જ સકામ નિર્જરા થાય. છે. તપથી નિર્જરા થાય એમ કહ્યું તે સમ્યકજ્ઞાન સહિત તપથી. સમ્યફપૂર્વકના તપ દ્વારા કર્મની નિર્જરા થાય છે તેને શુદ્ધ ઉપગ પણ કહેવાય છે. શુદ્ધ ઉપયોગમાં જીવની રમણતા થતાં, ઈચ્છાને નિરોધ થાય છે તે સંવર છે. જે સમયે ઈચ્છાને નિષેધ થાય છે તે જ સમયે સંવર' પ્રગટે છે. સંવર પ્રધાન કારણ છે. અને નિર્જરા ગૌણુ કારણ છે. સંવર વિના નિર્જરા થાય નહીં.
જે સર્વ સંગ માત્રથી મુક્ત થઈ અનન્યમયપણે આત્મસ્વભાવમાં સ્થિત છે, નિર્મલ જ્ઞાતા-દષ્ટા છે તે ‘‘સ્વ–ચારિત્ર આચરનાર જીવ છે,
Page #321
--------------------------------------------------------------------------
________________
૨૯૯
ઈચ્છા નિરાધ થતાં જ ઉપયોગની શુદ્ધિ થાય છે, તે જ સાચુ તપ છે.
૧૦૨૭ પ્ર. જ્ઞાન રહિત વૈરાગ્યને રુંધાયેલા કષાય કેમ કહ્યો ?
ઉ. આત્માના જ્ઞાન, ભાન રહિત કષાયની મ ંદતાના વૈરાગ્યરૂપ પરિણામમાં ખાયેલા કષાય ટળ્યા નથી. જ્યારે આ દખાયેલેા કષાય પ્રસ્ફુટિત થશે, ત્યારે (તે જીવ) નરક નિગેાદમાં ચાલી જશે. ભલેને બહારથી રાજપાટ, સ્ત્રી, પુત્રાદિ છેડત્યાં હેાય; પણ આત્મભાન વગર કપાય ટળતા નથી, ફક્ત દબાઇ જાય છે, અને કાળક્રમે ફરી પ્રસ્ફુટિત થઈ તીવ્ર કષાયના રૂપમાં ફરી પાછા પ્રગટ થાય છે.
૧૦૨૮ પ્ર. વ્રત, તપ, ભક્તિ, દાન વિગેરેથી આત્મકલ્યાણ થાય કે નહિ ? ઉ. લાખ, કરાડ વર્ષ વ્રત, તપ, ભક્તિ કરે ને અબુજો રૂપિયાના દાન કરે એથી એને કાંઈ આત્મકલ્યાણ થઈ જાય ને આત્માનું જ્ઞાન થાય એ વીતરાગના પથની રીત નથી. ભગવાન પરમાત્મા ત્રણ લેાકના નાથ ઇન્દ્રોની સમક્ષ આમ કહેતા હતા. આ હાહા ? આવી વાતા ? એક તા એક્લા પાપના પોટલા ખાંધી બાંધી ગૃહસ્થાશ્રમના ધંધા આડે નવરા ન થાય, વીસ વર્ષ, પચીસ વર્ષ, ત્રીસ વર્ષ, ચાલીસ વર્ષ અત્યારે તા સિત્તેર, સિત્તેર એંસી વર્ષ થાય ત્યાં સુધી ધંધા મૂકતા નથી. પ્રભુ ! તારા આત્માને માટે એક ક્ષણ તા આપને ખાપુ !. અહી' કહે છે કે એક વાર રાગને ઠેબ્રુ' માયુંને અંદર વીતરાગ પર્યાયથી આત્મા જણાય ત્યાં થાય કે આહાહા ! આવા આત્મા ! (અને ત્યાર પછી ધર્મની, આત્મકલ્યાણની શરૂઆત થાય.)
૧૦૨૯ પ્ર. શાસ્ત્રમાં એમ કહ્યું છે કે–તપ આદિ ક્લેશ કરે છે તે કરશે, પરંતુ જ્ઞાન વિના સિદ્ધિ નથી. તેનુ શું કારણ ?
ઉ. જે જીવા તત્ત્વજ્ઞાનથી પરાઙમૂખ છે, તથા તપથી જ મેાક્ષ માને છે, તેમને એવા ઉપદેશ આપ્યા છે –“તત્ત્વજ્ઞાન વિના કેવળ તપથી જ મેાક્ષ ન થાય”. પણ તત્ત્વજ્ઞાન થતાં રાગાદિક મટાડવા માટે તપ કરવાના તા ત્યાં નિષેધ નથી, જો નિષેધ હોય તા
જડ ચેતન સાગ આ, ખાણ અાફ્રિ અનંત; કાઈ ન કર્યાં તેહના, ભાષે જન ભગવંત
Page #322
--------------------------------------------------------------------------
________________
૩૦૦
ગણુધરાદિક શા માટે તપ કરે? માટે પોતાની શક્તિ અનુસાર તપ કરવું યોગ્ય છે. તપ વિનાનું જ્ઞાન અને જ્ઞાન વિનાનું તપ તે બંને અકાર્ય છે. તેથી, જેનામાં જ્ઞાન અને તપ સંયુક્ત હોય તેને જ
નિર્વાણ પ્રાપ્ત થાય. (જુઓ પ્રશ્ન-૯૩૯). ૧૦૩૦ પ્ર. ચારિત્રનું લક્ષણ (સ્વરૂ૫) શું છે ?
ઉ. સ્વરૂપમાં ચરવું (રમવું) તે ચારિત્ર છે, અથવા પોતાના સ્વભાવમાં
પ્રવર્તવું, શુદ્ધ ચૈતન્યનું પ્રકાશવું એવો તેનો અર્થ છે. ૧૦૩૧ અ. નિશ્ચયનયથી સમ્મચારિત્ર કેને છે ?
ઉ. જ્ઞાન તથા શ્રદ્ધા સહિત પોતાના શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિરતા પ્રાપ્ત
કરવી, રાગદ્વેષ, મોહના વિકલ્પોથી રહિત થઈ જવું તે નિશ્ચય સમ્યફચારિક છે. ચારિત્ર વિના શ્રદ્ધા અને જ્ઞાન ઈચ્છિત ફળને આપી શક્તાં નથી. આત્મામાં રમણતા એ મુક્તિનો માર્ગ અને જૈન સિદ્ધાંતને સાર છે. આ સ્વાનુભવને જ ધર્મધ્યાન તથા શુકલધ્યાન
કહે છે. તેને શુદ્ધ વેગ કહે છે. તેને કારણસમયસાર કહે છે. ૧૦૩૨ પ્ર. નિશ્ચય સમ્યફચારિત્રને સહજ ઉપાય બતાવે ?
ઉ. નિશ્ચય સમ્યફચારિત્ર અથવા આત્માનુભવની પ્રાપ્તિને એક સહજ
ઉપાય એ છે કે વિશ્વને અથવા સ્વરૂપને વ્યવહારનયથી જોવાનું બંધ કરી નિશ્ચયનયથી દેખવામાં આવે, તે નિશ્ચયનયથી દષ્ટિમાં જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ છ એ દ્રવ્ય પૃથક પૃથક પિતા પોતાના મૂળ સ્વભાવમાં જ દેખાશે. પુદ્ગલનાં રૂપ શુદ્ધ પરમાણુરૂપે દેખાઈ આવશે; મકાન, વસ્તુ, વાસણ, આદિ અવસ્થાઓ બિલકુલ દેખાશે નહિ. સર્વે જીવો શુદ્ધ પરમાત્મા સમાન દેખાશે, આ દૃષ્ટિથી જોવાથી રાગ દ્વેષની ઉત્પત્તિનાં સર્વ કારણે દૂર થશે. મોટા નાના, ઊંચા નીચા, મિત્ર શત્ર, સ્ત્રી પુરુષ, માનવ પશુ એ સર્વ કલ્પનાઓ દૂર થઈ જશે. પરમ સમતાભાવ જાગૃત થશે. સમદષ્ટિ જ્ઞાતા આત્મા કેવળ પિતાના આત્માની તરફ ઉપયુક્ત થઇ, નિર્વિક૯પતા આવી, સ્વરૂપમાં સ્થિરતા
જે જડ છે ત્રણ કાળમાં, ચેતન ચેતન હોય; બંધ મોક્ષ તો નહિ ઘટે, નિવૃત્તિ પ્રવૃત્તિ જોય,
Page #323
--------------------------------------------------------------------------
________________
૩૦૧
થઈ, સ્વાનુભવમાં સ્થિત થઇ જાય છે. આજ નિશ્ચય સમ્યક્ચારિત્ર છે.૧૦૩૩ પ્ર. નિશ્ચય સારિત્ર ઉત્પન્ન થવાથી શું થાય ?
ઉ. જ્યાં સુધી આત્માનુભવ ન થાય ત્યાં સુધી નિશ્ચય સમ્યક્ચારિત્રના ઉદય થતા નથી. વસ્તુતાએ સ્વાત્માનુભવ થવાથી મનનુ મરણ જ થઈ જાય છે, અથવા લાપ થઈ જાય છે, અથવા તેના અસ્ત થઈ જાય છે, સર્વ વિકાર મટી જાય છે. જેમ અગ્નિની જ્વાળા એક સાથે લાકડાને ખાળી રહી છે, ભેાજનને પકાવી રહી છે,. અંધકારના નાશ કરી રહી છે; એવી રીતે સ્વાત્માનુભવરૂપ સમ્યક્ચારિત્રથી એક સાથે જ કર્મ બળે છે, આત્મબળ વધતાં જતાં આત્માનને સ્વાદ આવે છે, તથા આત્મજ્ઞાનની નિર્મળતા થાય છે, અજ્ઞાનના અંધકાર મટતા જાય છે.
૧૦૩૪ પ્ર. સમ્યક્ચારિત્રમાં સમ્યજ્ઞાન અને સમ્યક્ નને સમાવેશ થાય છે તે કેવી રીતે ?
ઉ. સભ્યશ્ચારિત્રને જે ક ંઈ અંશ છે તે એક અપૂર્વ આત્મિક ભાવના ઝળકાવ છે, તેમાં સમ્યક્દન અને સમ્યજ્ઞાન પણ સમાવેશ પામે છે.
છે દેહાદિથી ભિન્ન આત્મા હૈ, ઉપયાગી સદા અવિનાશ, એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી હૈ, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. જે જ્ઞાનેં કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત; કહ્યું. ભગવતે ન તેહને રે, જેનું ખીજું નામ સમકીત, જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યા સર્વેથી ભિન્ન અસંગ, તેવા સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર અણુલિ ંગ'' ૧૦૩૫ પ્ર. નિયાણું એટલે શુ ?
ઉ. મને આ તપશ્ચર્યાથી ઋદ્ધિ મળેા વૈભવ મળેા કે અમુક ઇચ્છિત થાએ” એવી ઇચ્છાને નિયાણું, નિદાનદાષ કહે છે, તેવું નિયાણું ન બાંધવું ઘટે-ભગવાન પાસે જઇને માંગવું એ તીવ્ર લેાભ છે. તેથી પાપ બંધાય છે. એ અલૌકિક મિથ્યાત્વ છે. પરા કરતાં વખતે લક્ષ્મી અધાપે!, બહેરાપણું અને મૂંગાપણું આપી દે છે.
છૂટે દેહાધ્યાસ તા નહિ કર્તા તુ ક નહિ ભાક્તા તુ' તેહતા, એ જ ધમ ના મ
Page #324
--------------------------------------------------------------------------
________________
૧૪
શ્રાવક ધર્મ
ઉ.
૧૦૩૬ પ્ર. શ્રાવક શબ્દ શા ઉપરથી નીકળ્યો?
શ્રાવક એ “શું” ધાતુ ઉપરથી બનેલો શબ્દ છે. “શું” એટલે સાંભળવું. જે શાસ્ત્રનું શ્રવણ કરે તે શ્રાવક કહેવાય. વળી શ = શ્રદ્ધાવંતવ=વિવેકવંત +=ક્રિયાવંત અર્થાત શ્રદ્ધાયુક્ત વિવેકપૂર્વક
ક્રિયા કરે તે શ્રાવક, ૧૦૩૭ પ્ર. શ્રાવપણું કોને કહેવાય ?
ઉ. પાંચમા કૃણસ્થાને શ્રાવકને અનંતાનુબંધી તેમજ અપ્રત્યાખ્યાની
ક્રોધ, માન, માયા, લેભ થતાં જ નથી. સર્વાર્થસિદ્ધિના દેવ કરતાં પાંચમા ગુણસ્થાનવત શ્રાવકનાં (ભલે તે તિર્યંચ ગતિમાં હોય તે પણ તેના) પરિણામ વધુ ઉજ્જવળ છે, શાંતિ વધુ છે અને વધુ સુખી છે. આવી દશા અંતરઆત્માના અનુભવ વગર હાઈ શકે નહિ. જેને સંતોષ આવ્યો હોય; કષાય પાતળા પડ્યા હોય; માંહીથી ગુણ આવ્યા હોય; સાચો સંગ મળ્યું હોય તેને શ્રાવક
કહેવાય. ૧૦૩૮ પ્ર. આવા તિર્યંચ શ્રાવકે મુખ્યત્વે ક્યાં છે ? ઉ. અઢી દ્વીપની બહાર જે અસંખ્ય દ્વીપ સમુદ્રો છે તેમાં તે ભેગ
ભૂમિની રચના છે, એટલે ત્યાં ઉપજેલા છમાં વ્રત કે શ્રાવકપણું હોતું નથી. પણ છેલ્લા સ્વયંભૂરમણ સમુદ્રમાં કર્મભૂમિ જેવી રચના છે. સ્વયંભૂરમણ સમુદ્રમાં તિર્યંચનાં ઉત્કૃષ્ટ શરીર ચાર હજાર જોજનનાં હોય છે અને સ્વયંભૂરમણ સમુદ્રના તળિયે રેતી નથી હોતી પણ મણિરત્ન હોય છે. તેમાં રહેલા તિર્થને પંચમ
Page #325
--------------------------------------------------------------------------
________________
૩૦૩
ગુણસ્થાનનું શ્રાવકપણું હાઈ શકે છે. મનુષ્યોનું ગમન અઢી દ્વીપ બહાર હેતુ નથી, પણ તિર્યંચા તા અઢી દ્વીપ બહાર અસંખ્યાતા સમ્યક્દષ્ટિ-શ્રાવક છે, તેમાં મગરમચ્છ, વાંદરા, હાથી, વાઘ, સિ આદિ અસંખ્ય જીવ સમ્યક્દષ્ટિ છે. અસંખ્યાતા મિથ્યાદષ્ટિ વચ્ચે એક સમ્યક્દષ્ટિ, છતાં એવા સમ્યક્દષ્ટિ વ્રતીશ્રાવક અસખ્યાતા છે. પાંચમગુણસ્થાનવતી તિર્યંચને પણ શ્રાવક કહેવાય છે. મનુષ્ય કરતાં તિચમાં ઝાઝા શ્રાવક્રા છે.
૧૦૩૯ પ્ર. વાધ, સિંહ તા માંસાહારી હોય છે, જોતે સમ્યક્દષ્ટિ અથવા વ્રતી હાય તા તેમના આહાર નિર્દોષ કેવી રીતે હોઈ શકે?
ઉ. જુએ, તિય ચ પણુ સમક્રિતિ અને વ્રતી થઈ ગયા પછી કાયમ ફળ-ફૂલનું જ સેવન કરે છે. તેએ પછી માંસને આહાર કરતા નથી, નિર્દોષ આહાર જ લે છે.
૧૦૪૦ ૫. “પ” એટલે શું? વ્રત અને અણુવ્રત કાને કહે છે? ઉ. “પ” એટલે આચાર.
ઇચ્છાઓને રોકી પાપથી વિરમવું તેને વ્રત કહેવામાં આવે છે. પાંચ અણુવ્રતા, સાધુએનાં પાંચ મહાવ્રતના મુકાબલે નાનાં હોવાથી અણુવ્રત કહેવાય છે. અણુ એટલે પાતળું. કનૈ પાતળાં પાડનાર હાવાથી પણ આ ત્રતા અત્રત કહેવાય છે.
૧૦૪૧ પ્ર. અનગાર (સાધુ)નું ચારિત્ર મહાવ્રત છે તેમ સાગાર (શ્રાવક)નુ વ્રત શું છે?
ઉ. સાગારનું એક દેશ ચારિત્ર અણુવ્રતપાલન છે.
૧૦૪૨ પ્ર. મહાવ્રત અને અણુવ્રતમાં અંતર શું છે?
ઉ. મહાવ્રત અને અણુવ્રતમાં અંતર આ પ્રમાણે જાણવું યાગ્ય છે કે જો સા શ મહાવ્રતના કરીએ તે તેમાંથી એક રહેવા દઈ ૯૯ અંશ સુધી અણુવ્રત છે, સા શ મહાત્રત છે.
૧૦૪૩ પ્ર. શ્રાવકનાં વ્રતા કેટલાં છે ?
ઉ. પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત, આમ ખાર વ્રત અને તેરમું સલ્લેખના; અને એક એક વ્રતના પાંચ પાંચ અતિચાર.
સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ
Page #326
--------------------------------------------------------------------------
________________
३०४
૧૦૪૪ પ્ર. હવે પહેલાં પાંચ અણુવ્રત કહો. ઉ. (૧) જેમાં સંકલ્પી હિંસાને ત્યાગ હોય, આરંભી હિંસાને ત્યાગ
ન હોય તે અહિંસા અણુવ્રત છે. સંકલ્પી હિંસાથી બચે છે. (૨) જે અસત્યથી રાજ્ય તરફથી શિક્ષા થાય જે બીજાઓને ઠગવા
માટે વિશ્વાસઘાત માટે લાવવામાં આવે એવાં વચન ન કહેવાં
અને પ્રિય હિતકારી યોગ્ય વચન કહેવાં, તે સત્ય અણુવ્રત. (૩) પડી ગયેલી કે ભૂલથી રહી ગયેલી કેઈની વસ્તુને નહિ લેવી
તે અચૌર્ય અણુવ્રત છે. વિશ્વાસઘાત કરીને, ધમકી દઈને, વધ કરીને કોઈની સંપત્તિને શ્રાવક હરતા નથી. ન્યાયપૂર્વક
અ૫ ધનમાં પણ સં તેષ રાખે છે. (૪) પોતાની વિવાહિત સ્ત્રીમાં સંતોષ રાખે અને પરસ્ત્રીઓને માતા,
બહેન, અને પુત્રી જે સમજે છે તે બ્રહ્મચર્ય અણુવ્રત પાળે
છે. પોતાની સ્ત્રી સાથે પણ સંયમ રાખી વતે છે. (૫) દશ પ્રકારના પરિગ્રહનું પિતાની આવશ્યકતા, યોગ્યતા અને
ઈચ્છા પ્રમાણે જન્મપર્યત પ્રમાણ કરી લેવું, તેથી અધિકની લાલસાને ત્યાગ કરે તે પરિગ્રહપ્રમાણ અણુવ્રત છે. જેટલી સંપત્તિનું પ્રમાણ કર્યું હોય તેટલું પ્રમાણ પૂરું થાય ત્યારે
શ્રાવક વ્યાપારાદિ બંધ કરી દે છે. ૧૦૪૫ પ્ર. ત્રણ ગુણ વત કેને કહે છે ? ઉ. (૧) દિગ્વિતિઃ જન્મપર્યત જે લૌકિક પ્રયોજન માટે દશ દિશાઓમાં
જવાને કે વ્યાપારાદિ કરવાનો નિયમ કરવો તે દિગ્વિતિ છે.
તેથી નિયમ કરેલા ક્ષેત્રની બહાર આરંભી હિંસા પણ ન કરે. (૨) દેશવિરતિ : જન્મપર્યત માટે જે પ્રમાણ કર્યું હોય તેથી
થોડી હદમાં ઘટાડીને એક દિવસ, બે દિવસ, કે એક અઠવાડિયા
માટે જવાને વ્યવહાર કરવાને નિયમ કરે તે દેશવિરતિ છે. (૩) અનર્થદંડ વિરમણ પાપજનક નિષ્પોજન કાર્ય અનર્થદંડ તે કહેવાય છે. નિયમિત ક્ષેત્રમાં પણ પ્રજનભૂત કાર્ય સિવાય
દેહથી ભિન્ન સ્વપરપ્રકાશન પરમ જ્યોતિ સ્વરૂપ એ આ આમા, તેમાં નિમગ્ન થાઓ.
Page #327
--------------------------------------------------------------------------
________________
હo૫
વ્યર્થ આરંભ કરવાને ત્યાગ તે અનર્થદંડવિરતિ છે. તેને પાંચ ભેદ છે. ટૂંકમાં અનર્થદંડ વ્રત એમ બેલાય છે પણ
પૂરું નામ “અનર્થદંડ-પરિત્યાગ છે. ૧૦૪૬ પ્ર. અનર્થદંડ વિરમણના પાંચ ભેદ ક્યા છે?
(૧) પાપપદેશ: બીજાને પાપ કરવાને ઉપદેશ આપ. (૨) હિંસાદાન ઃ હિંસાકારી વસ્તુઓ બીજા માગે તેને આપવી. (૩) પ્રમાદચર્યા પ્રમાદ કે આળસથી નકામી વસ્તુઓને નાશ કરવો.
જેમકે નકામાં ઝાડનાં પાન તોડવા. ' (૪) દુ:શ્રુતિઃ રાગદ્વેષ વધારનારી, વિષયભેગોમાં ફસાવનારી ખોટી
કથાઓ વાંચવી કે સાંભળવી. (૫) અપધ્યાન : બીજાનું અહિત કરવાના વિચાર કરીને હિંસક
પરિણામ રાખવા. અનર્થદંડવત બીજાં પણ ઘણું છે. પાંચ બતાવ્યા તે સ્થૂળતાની અપેક્ષાએ છે, અથવા દિગ્દર્શન માત્ર છે. આ પાપને ત્યાગ કરવાથી
અણુવ્રતનું મૂલ્ય વિશેષ વધી જાય છે. ૧૦૪૭ પ્ર. શ્રાવકના ચાર શિક્ષાત્રત ક્યાં છે ?
ઉ. જે વ્રતિના અભ્યાસથી સાધુપદમાં ચારિત્ર પાળવાની શિક્ષા મળે તેને
શિક્ષાવ્રત કહે છે. શિક્ષાવ્રતના ચાર પ્રકાર છે. (૧) સામાયિક : એકાંતમાં બેસીને રાગદ્વેષ છોડીને સમતાભાવ રાખી
આત્મધ્યાનને અભ્યાસ કરવો. (જુઓ પ્રશ્ન ૧૦૭૧ અને ૧૦૭૨) (૨) Dષધપવાસ : એક માસમાં બે આઠમ અને બે ચૌદશ પ્રેષધ
દિન છે. તે દિવસે ઉપવાસ કે એકાસણું કરીને ધર્મધ્યાનમાં
સમય વ્યતીત કરવો તે પ્રોષધોપવાસ છે. (૩) ભોગપભેગ પરિમાણઃ જે એક જ વાર ભોગવવામાં આવે
તે ભાગ છે. જે વારંવાર ભેગવવામાં આવે તે ઉપભેગ છે. એવાં પાંચે ઈન્દ્રિયના ભેગવવા ગ્ય પદાર્થોની સંખ્યા દરરોજ સંયમની વૃદ્ધિ માટે નક્કી કરી લેવી.
જો હેય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં, તે સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં,
Page #328
--------------------------------------------------------------------------
________________
૩૦૬
(૪) અતિથિસંવિભાગ: સાધુઓને તથા અન્ય ધર્માત્મા પાત્રને
ભક્તિપૂર્વક અને દુખિત ભૂખ્યાને કરૂણાપૂર્વક દાન દઈ
આહાર કરાવો. ૧૦૪૮ પ્ર. ઉપવાસ અને પૌષધ-ઉપવાસમાં શું ભેદ છે ?
ઉ. પૌષધમાં તે આરંભ અને વિષય-કષાયાદિને ત્યાગ કરવા છતાં
એકવાર ભેજન કરવામાં આવે છે, ઉપવાસમાં તે અન્ન-જળખાદ્ય અને સ્વાદ એ ચારે આહારને સર્વથા ત્યાગ હોય છે, અને પૌષધ-ઉપવાસમાં આરંભ વિષય–કષાય અને ચારેય આહારને ત્યાગ તથા તેના ધારણું (ઉત્તર પારણા) અને પારણના દિવસે એટલે તે
આગળ પાછળના દિવસે પણ એકાસણું કરવામાં આવે છે. ૧૦૪૯ પ્ર. અણુવ્રતના પરિગ્રહ પરિમાણ અને શિક્ષાવ્રતના ગોપભોગે
પરિમાણમાં શું ભેદ છે? ઉ. પરિગ્રહ પરિમાણ વ્રતમાં પરિગ્રહનું જેટલું પ્રમાણ (મર્યાદા)
કરવામાં આવે છે તેનાથી પણ ઓછું પ્રમાણ ભેગો પગ પરિમાણ
વતમાં કરવામાં આવે છે. ૧૦૫૦ પ્ર. શ્રાવકનાં બાર વત ઉપરાંત સલ્લેખના વ્રત કેવું છે?
ઉ. તેરમું વ્રત સલેખનાની શ્રાવકે ભાવના ભાવવી જોઈએ. મરણ
સમયે આત્મ સમાધિ અને શાંત ભાવસહિત પ્રાણુ છૂટે એવી ભાવના કરવી તે સલ્લેખના કે સમાધિમરણ વ્રત છે. મુનિઓ પણ દેહ છૂટવાને સમય નજીક હોય ત્યારે આ વ્રત અંગિકાર કરે છે. તે સમયે તેઓ બેતાળીસ આચાર્યોની પાસે જઈ આજ્ઞા માંગે છે. જો કે તે ચેથા કાળની વાત છે, આજકાલ બેતાળીસ આચાર્યો છે જ ક્યાં ? બેતાળીસ આચાર્યોને પૂછવામાં વાસ્તવમાં પિતાનાં પરિણામેની દઢતા-સૂચિત થાય છે, અર્થાત્ સહલેખના વ્રત અંગિકાર કરવાના ભાવ ત્યાં સુધી ટકી રહે છે, “નિઃશંકપણે
કરાળ કાળ! આ અવસર્પિણ કાળમાં વીસ તીર્થંકર થયા તેમાં છેલ્લા તીર્થકર શ્રમણ ભગવાન શ્રી મહાવીર દીક્ષિત થયા પણ એકલા! સિદ્ધિ પામ્યા પણ એકલા ! પ્રથમ ઉપદેશ તેમને પણ અફળ ગયે.
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૦૭
હું સમાધિ ધારણ કરીશ” એમ ભાવ દઢતાથી બની રહે છે. દહ તે બધા જીવોને છૂટે છે પણ ચિતન્યમાં લીનતાપૂર્વક દેહ છૂટો તેજ સફળ છે. હું તે ચિતન્યઘન આત્મા છું એમ જેને ભાન થયું અને તેમાં સ્થિર થયે, તેને જ સમાધિ મરણ થાય છે. જેને જીવનભર આજ અભ્યાસ કર્યો હોય, તૈયારી કરી હોય,
તેને જ અંત સમયે સમાધિ મરણ થઈ શકે. (જુઓ પ્રશ્ન-૧૭૮૬) ૧૦૫૧ પ્ર. શ્રાવકનાં તેર વતાના એક એકના પાંચ પાંચ અતિચાર દૂર કરવા
કહ્યા છે તે અહિંસા અણુવ્રતના પાંચ અતિચાર ક્યા છે ? ઉ. (૧) બંધ કષાય પૂર્વક કોઈને બાંધો કે બંધનમાં નાખો,
(૨) વધ– કષાયથી કોઈને માર, ઘાયલ કરો, (૩) છેદ-કષાયથી કરી કેાઇનાં અંગ, ઉપાંગ છેદી સ્વાર્થ સાધ, (૪) અતિભારારોપણ હદ ઉપરાંત ભાર ભર, (૫) અનપાન નિરોધ–પિતાને આધિન મનુષ્ય કે પશુઓનાં ખાન
પાને રોકી દેવાં. ૧૦૫ર પ્ર. સત્ય અણુવ્રતનાં પાંચ અતિચાર કહે.
ઉ. (૧) મિથ્યાઉપદેશ: બીજાને મિથ્યા કહેવાને ઉપદેશ દઈ દે. (૨) રહેઅભ્યાખ્યાન : સ્ત્રી પુરુષની એકાંત ગુપ્ત વાતને પ્રગટ
કરી દેવી. (૩) કુટલેખક્રિયા : કપટથી અસત્ય લેખ લખવા. (૪) ન્યાસાપહારઃ બીજાની થાપણને જૂઠું બેલી એળવવી, પાછું
કાંઈ આપવું નહિ. (૫) સાકારમંત્રભેદ કેઈના ગુપ્ત અભિપ્રાયને અંગેના હલનચલનથી
જાણી લઈ પ્રગટ કરી દેવો. આ બધામાં ક્યાયભાવ હેતુરૂપ છે. ૧૫૩ પ્ર. અચૌર્ય અણુવ્રતના પાંચ અતિચાર કેવા છે? - ઉ. (૧) સ્તનપ્રેગ: બીજાને ચોરી કરવાનો માર્ગ બતાવી દેવો.
(૨) તદાહતાદાન ચોરીને આણેલે માલ જાણીને કે શંકા છતાં
લે. (૩) વિરુદ્ધ રાજ્યાતિક્રમ: રાજ્યની મનાઈ હોવા છતાં મર્યાદાને
ઓળંગીને અન્યાયપૂર્વક લેવું દેવું.
ક્ષાપશમિક અસંખ્ય, ક્ષાયિક એક અનન્ય.
Page #330
--------------------------------------------------------------------------
________________
૩૦૮
(૪) હીનાધિકમાન્માન: એાછા તોલમાપથી આપવું, અને વધારે | તોલમાપથી લેવું. (૫) પ્રતિરૂપક વ્યવહાર : ખાટા સિક્કા ચલાવવા અથવા ખરી
વસ્તુમાં ખોટી ભેળવી ખરી કહી વેચવું. ૧૦૫૪ પ્ર. બ્રહ્મચર્ય અણુવ્રતના અતિચાર કહે. ઉ. (૧) પરવિવાહરણઃ પિતાના પુત્ર પૌત્રાદિ સિવાય બીજાના સંબંધ
જોડવા. (૨) પરિસહિતા ઇત્વરિકાગમનઃ વિવાહિત વ્યભિચારિણી સ્ત્રી પાસે
જવું-આવવું. (૩) અપરિગ્રહિત ઈરિકાગમનઃ વિવાહિત નહિ એવી વેશ્યાદિકની
પાસે જવું–આવવું.. (૪) અનંગક્રીડા : કામસેવનનાં અંગ સિવાય અન્ય અંગોથી કામ
સેવન કરવું. . (૫) કામતીવાભિનિવેશ : કામસેવનની તીવ્ર લાલસા સ્વસ્ત્રીમાં
પણ રાખવી. ૧૦૫૫ પ્ર. કેટલા પ્રકારના મિથુને કહ્યા છે ?
ઉ. દશ પ્રકારના મૈથુન છે અને તે બધા તજવા ગ્ય છે. (૧) શરીરને
શણગારવું, (૨) પુષ્ટ રસનું સેવન કરવું. (૩) ગાયન, નૃત્ય કે વાત્ર દેખવું, સાંભળવું, (૪) સ્ત્રીઓની સંગતિ, (૫) સ્ત્રીઓના વિષયના સંકલ્પ કરવા, (૬) સ્ત્રીઓને અંગોપાંગ દેખવાં, (૭) દેખેલા, સાંભળેલા પ્રસંગના સંસ્કાર મનમાં વારંવાર તાજા રાખવા, (૮) પૂર્વના ભાગનું મરણું કરવું, (૯) કામગ મેળવવાની
ભવિષ્ય સંબંધી ચિંતા કરવી, (૧૦) વીર્યનું ખલિત થવું. ૧૦૫૬ પ્ર. બ્રહ્મચર્યવ્રતને ઉત્તમ ઘત તરીકે કેમ ગણાવ્યું છે ?
ઉ. પાંચ ઈન્દ્રિમાંથી પશ ઈન્દ્રિયને અભ્યાસ જીવને ઘણે છે કારણ
કે દરેક ભવમાં તે ઈન્દ્રિય હોય છે. તેને ક્યાથી સંસારવૃત્તિ મળી પડી જાય છે. સર્વ પ્રકારના આરંભ તથા પરિગ્રહના સંબંધનું
શરીર પ્રકૃતિના અનુકૂળ પ્રતિકૂળપણને આધીન ઉપયોગ અકર્તવ્ય છે.
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૦૯
મૂળ છેદવાને સમર્થ એવું બ્રહ્મચર્ય પરમ સાધન છે. “એક વિષયને જીતતાં, છત્યે સૌ સંસાર; નૃપતિ જીતતાં છતિયે, દળ, પૂર ને અધિકાર.” પરમાર્થ હેતુ માટે નદી ઉતરવાને ટાઢા પાણીની મુનિને આજ્ઞા આપી, પણ અબ્રહ્મચર્યની આજ્ઞા આપી નથી; ને તેને માટે કહ્યું છે કે અ૫ આહાર કરજે, ઉપવાસ કરજે, એકાંતર કરજે,
છેવટે ઝેર ખાઈને મરજે, પણ બ્રહ્મચર્ય ભાંગીશ નહિ. ૧૦૫૭ ક. બ્રહ્મચર્યની નવ વાડ કોને કહે છે ?
ઉ. બ્રહ્મચર્યરૂપી સુંદર ઝાડની રક્ષા કરનારી જે નવ વિધિઓ તેને
વાડનું રૂપ આપ્યું છે. નીચેની નવ વસ્તુઓને નિષેધ કર્યો છે : (૧) વસ્તી, (૨) કથા, (૩) આસન, (૪) ઈન્દ્રિય નિરીક્ષણ, (૫) કુડ્યાંતર, (૬) પૂર્વક્રીડા, (૭) પ્રણત, (૮) અતિમાત્રાહાર,
(૯) વિભૂષણ, ૦૫૮ પ્ર. શાસ્ત્રોમાં બ્રહ્મચર્યની નવ વાડ કહી છે, પરંતુ આપણું ભાવ શુદ્ધ
છે અને પારદ્રવ્ય કાંઈ હાનિ કરતું નથી, તે સ્ત્રીને પરિચય
કરવામાં અને વાડ તેડવી પડે તે તોડવામાં શું વાંધે છે ? ઉ. પરદ્રવ્ય નુકસાન નથી કરતું એ વાત તે બરાબર છે; પરંતુ તે
જાણવાનું પ્રયોજન, પરદ્રવ્યથી પરોગમુખ થઈ સ્વભાવમાં જવાનું છે નહીં કે પરદ્રવ્યનું સ્વછન્દપણે અનુસરણ કરવાનું. તત્વજ્ઞાની તે વીતરાગનું જ પિષણ કરે છે, જ્યારે સ્વચછન્દી જીવ તવજ્ઞાનની આડમાં પોતાના રાગને જ પિષે છે. સાચા બ્રહ્મચારીને
તે સ્ત્રીને પરિચયને ભાવ આવતા જ નથી. ૧૦૫૯ પ્ર. શાસ્ત્રોમાં બ્રહ્મચર્યદશાનું કથન પુરુષની મુખ્યતાથી કેમ કરવામાં
આવે છે ? ઉ. પૂર્ણ વીતરાગી બ્રહ્મચર્યદશા પુરુષની જ થઈ શકે છે. તેથી પુરુષની
મુખ્યતાથી કથન છે. સ્ત્રીની પંચમગુણ સ્થાન સુધી જ દશા હોય છે, વિશેષ ઊંચી હોતી નથી, તેનું સ્થાન પંચ પરમેષ્ઠી
ધર્મમાં લૌકિક મોટાઈ, માન, મહત્ત્વની ઇચ્છા એ ધર્મના દ્રોહ રૂપ છે.
.
Page #332
--------------------------------------------------------------------------
________________
૩૧૦
પદમાં આવતું નથી, તેથી શાસ્ત્રોમાં સ્ત્રીને લક્ષમાં લઈ મુખ્યપણે કથન થતું નથી. હા, ગૌણપણે તેની ભૂમિકાનુસાર સમજી
લેવું જોઈએ.. ૧૦૬૦ પ્ર. નિશ્ચયનયથી બ્રહ્મચર્ય કોને કહે છે ?
ઉ. જાવજીવ શરીરથી બ્રહ્મચર્ય પાળ્યું, પણ એ તે શુભરાગ છે. આત્મા
પોતે જ બ્રહ્મસ્વરૂપ છે, ને તેની નિર્મળ પર્યાય દ્વારા તે બ્રહ્મસ્વરૂપ આત્માને જાણે ત્યારે તેનું નામ બ્રહ્મચર્ય કહેવાય છે. બ્રહ્મ એટલે
આત્મા અને ચર્ય એટલે ચરવું. બ્રહ્મચર્ય એટલે આત્મામાં ચરવું.) ૧૦૬૧ પ્ર. પરિગ્રહપ્રમાણ વ્રતના પાંચ અતિચાર ક્યા છે ?
ઉ. દશ પ્રકારના પરિગ્રહની પાંચ જોડી થાય છે. ક્ષેત્ર-મકાન, ચાંદી
સેનું, ધનધાન્ય, દાસ-દાસી, કપડાં-વાસણ એમાંથી કોઈ એક જોડીમાં એકને ઘટાડી બીજાની મર્યાદા વધારી લેવી તેવા પાંચ
દોષ છે. : ૧૦૬ર પ્ર. દિગ્વિરતિના પાંચ અતિચાર કહો. ઉ. (૧) ઊર્વ વ્યતિક્રમઃ ઊંચે જેટલું દૂર જવાનું પ્રમાણ કર્યું હોય
તેને કેાઈ કષાયને વશ થઈ ઓળંગી આગળ ચાલ્યા જવું. (૨) અધ વ્યતિક્રમ : નીચેના પ્રમાણને ઓળંગી આગળ આગળ
ચાલ્યા જવું. ? (૩) તિર્યફ વ્યતિક્રમ બાકીની આઠ દિશાઓના પ્રમાણને ઓળંગી
આગળ ચાલ્યા જવું. (૪) ક્ષેત્રવૃદ્ધિ : ક્ષેત્રની મર્યાદા એક તરફ ઘટાડી બીજી તરફ
વધારી દેવી.
(૫) ઋત્યનરાધાન : મર્યાદાને ભૂલી જવી. ૧૦૬૩ પ્ર. દેશવિરતિના પાંચ અતિચાર સમજાવે.
ઉ. (૧) આનયન : મર્યાદાની બહારથી વસ્તુ મંગાવવી.
(૨) પ્રેષ્ઠ પ્રયોગ : મર્યાદાથી બહાર કાંઈ મકલવું. (૩) શબ્દાનુપાત ઃ મર્યાદાથી બહાર વાત કરી લેવી.
સત્ સ્વરૂપી આત્મા, ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્ત, સમજે કેઈ વિરલા થઈ જાય તે ભવમુક્ત
Page #333
--------------------------------------------------------------------------
________________
(૩૧૧
(૪) રૂપાનુપાત : મર્યાદાથી બહાર રૂપ બતાવીને પ્રયોજન બતાવી.
(૫) પુદ્ગલક્ષેપ : મર્યાદાથી બહાર પત્ર કે કાંકરે આદિ નાંખી,
પ્રયજન બતાવી દેવું. ૧૦૬૪ પ્ર. દિવ્રત તથા દેશવતની મર્યાદા કેટલા સમય પૂરતી હોય છે ?
ઉ. દિગ્દતની મર્યાદા તે જિંદગી સુધીને માટે છે પણ દેશવ્રતની મર્યાદા
ઘડી, કલાક વગેરે મુકરર કરેલ વખત સુધીની છે. ૧૦૬૫ પ્ર. અનર્થદંડવિરતિના પાંચ અતિચાર બતાવે.
ઉ. (૧) કંદર્પ : બીભત્સ મશ્કરીનાં વચન અસભ્યતાપૂર્ણ બેલવાં. (૨) કૌસ્કુચ્ય : બીભત્સ વિકારી વચનેની સાથે સાથે કાયાની કુચેષ્ટા
પણ કરવી. (૩) મૌખર્ય : બહુ બકવાદ કર. (૪) અસમીક્ય અધિકરણઃ વિચાર વગર કામ કરવું. (૫) ઉપભેગ પરિભેગાનર્થક્યઃ ભેગ અને ઉપભેગના પદાર્થોને
વૃથા સંગ્રહ કરવો. ૧૦૬૬ પ્ર. સામાયિકના પાંચ અતિચાર ક્યા છે?
(૧) મનદુપ્રણિધાનઃ સામાયિકની ક્રિયાથી બહાર મનને દેડાવવું,
ચંચળ કરવું. (૨) વચન દુપ્રણિધાનઃ સામાયિકના પાઠાદિ સિવાય બીજી કોઈ
વાત કરવી. (૩) કાય દુપ્રણિધાનઃ શરીરને સ્થિર ન રાખતાં આળસમય
પ્રમાદી રાખવું. (૪) અનાદર : સામાયિક કરવામાં આદરભાવ ન રાખ. (૫) સ્મત્યનુપસ્થાનઃ સામાયિક કરવું ભૂલી જવું અથવા સામા
યિકના પાઠાદિ ભૂલી જવા. ૧૬૭ પ્ર. pષધોપવાસના પાંચ અતિચાર છે તે કહે.
ઉ. (૧) (૨) (૩) અપ્રત્યક્ષત અપ્રમાર્જિત ઉત્સર્ગ, આદાન,
શાસ એટલે શાસ્તાપુરૂષનાં વચને
Page #334
--------------------------------------------------------------------------
________________
૩૧૨
સંસ્તરે પક્રમણ દેખ્યા વિના, વાળીને સાફ કર્યા વિના મળમૂત્રદિ કરવાં. તેવી જ રીતે બેદરકારીથી વસ્તુ ઉઠાવવી અથવા ચટાઈ આદિ પાથરવી. (૪) અનાદર : ઉપવાસમાં આદરભાવ ન રાખવો.
(૫) ઋત્યનુપસ્થાનઃ ઉપવાસને દિવસે ધર્મ ક્રિયાને ભૂલી જવી. ૧૦૬૮ પ્ર. ભોગપભોગપરિમાણ વ્રતના પાંચ અતિચાર બતાવે.
ઉ. જે કોઈ શ્રાવક કઈ દિવસે અચિત્તને બિલકુલ ત્યાગ કરે અથવા
અમુક ત્યાગ કરે તેની અપેક્ષાએ આ પાંચ અતિચાર છે. (૧) સચિત્ત: ત્યાગેલી સચિત્ત વસ્તુને ભૂલથી ખાઈ લેવી. (૨) સચિત્ત સંબંધઃ ત્યાગેલી સચિત્ત વસ્તુની સાથે મળેલી વસ્તુને
ખાઈ લેવી. (૩) સચિત્ત સંમિશ્રઃ ત્યાગેલી સચિત્ત ચીજને અચિત્તમાં મેળવીને
ખાવી. (૪) અભિષવઃ કામોદ્દીપક પૌષ્ટિક રસ ખા. (૫) કાચે રહેલ, દાઝી ગયેલ અને અપચે થાય એ દુઃ૫ક
આહારઃ થડે પકાવેલ અથવા વધારે પકાવેલ અથવા ન
પચવા લાયક આહાર કરે. ૧૦૬૯ પ્ર. અતિથિસંવિભાગ વ્રતના પાંચ અતિચાર કહે.
ઉ. સાધુને આહાર દેતાં આ અતિચાર થાય છે:
(૧) સચિત્ત નિક્ષેપઃ સચિત્ત ઉપર રાખીને કાંઈ દાન દેવું. (૨) સચિત્ત અપિધાન : સચિત્તથી ઢાંકેલી વસ્તુ દાનમાં આપવી. (૩) પરવ્યપદેશ: પિતે દાન ન દેતાં બીજાને દાન દેવાની આજ્ઞા
કરવી. (૪) માત્સર્ય: બીજા દાતાર સાથે ઈર્ષાભાવ રાખીને દાન દેવું.
(૫) કાલાતિક્રમ: દાનને કાળ વીતાવી અકાળે દાન દેવું. ૧૦૭૦ પ્ર. સામાયિકમાં ટાળવાને બત્રીસ દોષ કહો.
ઉ. દશ મનના દોષ : ૧. અવિવેક ૨. યશની ઇચ્છા ૩. લાભની ઈચ્છા
મેટા કહે તેમ કરવું, કરે તેમ ન કરવું.
Page #335
--------------------------------------------------------------------------
________________
૩૧૩
૪. ગર્વ પ. ભય ૬. નિયાણું (નિદાન-ફળ વાંચ્છા) ૭. ફળને સંશય ૮. રોષ અથવા કષાય ૯. અવિનય ૧૦. ભક્તિ ચૂકવી (અબહુમાન દેષ.)
દશ વચનના દોષ : ૧. કુવચન બોલે, ૨. ધ્રાસ્ક પડે તેવી ભાષા બોલે, ૩. સ્વછંદ દેષ. રાગ ઉત્પન્ન કરનારાં સંસારી ગાયને બેલે, ૪. અર્થનો અનર્થ થાય તેવું ટૂંકું વચન બેલે, ૫. કલેશ થાય તેવું વચન બેલે, ૬. વિકથા-નિંદા કરે, ૭. હાસ્યમશ્કરી કરે, ૮. અશુદ્ધ બેલે, ૯. નિરપેક્ષા દેષ–ઉપયોગ રહિત બેલે, ૧૦. ગડબડ ગોટા વળે તેવું બેલે (પષ્ટ ઉચ્ચાર વિનાનું).
બાર કાયાના દોષ : ૧. ડગમગાતા આસને બેસવાથી, ૨. પગ ઉપર પગ ચડાવીને બેસવાથી, ૩. ચલદષ્ટિ દોષ–કાયોત્સર્ગમાં આંખે ચંચળ રાખે, ૪. પાપ ક્રિયા કે તેની સંજ્ઞા કરે, ૫. હાથ પગ સંકોચે, લાંબા કરે એ આદિ ૬. ભીંત આદિને અઢેલીને બેસવાથી ૭. આળસ મરડવાથી ૮. ટચાકા ફેડવાથી, ૯. શરીરને મેલ ઉતારવાથી, ૧૦. વિમાસણ દેષ-ગળાને હાથને ટેકે રાખી બેસે (લમણે હાથ દઈ બેસે), શેક ઉપજે તેવી આકૃતિએ બેસે ઈત્યાદિ. ૧૧. સામાયિકમાં ઊંઘ, ૧૨. ટાઢની બીકથી વસ્ત્રથી શરીર સંકોચે
અને સારી પેઠે ઓઢે. ૧૦૭૧ પ્ર. સામાયિકમાં કેવા ભાવ હોવા જોઈએ ?
ઉ. જે વડે કરીને મેક્ષના માર્ગને લાભદાયક ભાવ ઉપજે તે સામાયિક.
આર્ત અને રૌદ્ર એ બે પ્રકારનાં ધ્યાન ત્યાગ કરીને, મનના દશ, વચનના દશ અને કાયાના બાર એમ કુલ બત્રીસ દેષ રોકીને વિવેકી શ્રાવક સામાયિક કરે છે. સામાયિકમાં શાસ્ત્ર પરિચય
વધાર.. ૧૦૭ર પ્ર. સામાયિક કેમ થાય? ખરું સામાયિક કેને હોય ?
ઉ. બે ઘડી પોતાના પરિણામને ચિતન્યમાં સ્થિર રાખવાનો પ્રયોગ
કરી નિર્વિકપ થઈને સ્વભાવમાં ઉપયોગ જડવો એ સામાયિક
શ્રાવકપણુ કે સાધુપણું કુળ, સંપ્રદાયમાં નહીં, આભા માં જોઈએ,
Page #336
--------------------------------------------------------------------------
________________
૩૧૪
છે. શ્રાવક ધ્યાન ધરીને સામાયિકમાં બેઠા હોય ત્યારે ઉપદ્રવ થાય. તે પણ ડગે નહિ; સામાયિકના કાળે શ્રાવકને પણ મુનિ સમાન કહ્યો છે. વ્રત-શ્રાવક તિર્યંચે પણ સામાયિક કરે છે. કંઈક અમુક શબ્દ બલવા એનું જ નામ સામાયિક નથી. સમતાભાવરૂપ (જ્ઞાનચેતનારૂપ) આત્મપરિણતિ થઈ ગઈ તે જ સામાયિક છે. રાજા, રાવણને હાથી ત્રિકમંડન સમ્યફદર્શન સહિત વ્રતધારી શ્રાવક થયે હતો. મહાવીરના આત્માને સિંહના ભવમાં સમ્યફદર્શન થયું અને વ્રતધારી શ્રાવક થઈને તેણે સમાધિમરણ કર્યું. સમ્યક્દર્શન પછી તિર્યંચને પણ સામાયિક હેય, દરિયામાં માછલાંને પણ, સામાયિક હોય. જે અંતરંગમાં સમતાને અભાવ હોય અને ફક્ત બાહ્યથી પ્રતિજ્ઞા લઈ ઘર, દુકાન, કામધંધે છોડી ઉપાશ્રય. અથવા મંદિરમાં મૌન બેસી માળા ફેરવતા રહેવું તે સામાયિક નથી, દંભ છે, ફક્ત લેકેને દેખાડવા જેવું છે, અજ્ઞાન–જન્ય. રૂઢિ છે. જેને ગૃહીત મિથ્યાત્વ છે તેને સામાયિક થઈ જ શક્ત નથી. બધા કહે છે કે સામાયિક કરો; પરંતુ જેને કુદેવ-કુશાસ્ત્રકુગુરૂ આદિની શ્રદ્ધાને જ ત્યાગ નથી, તેને સામાયિક થતી નથી. સાચા દેવ-શાસ્ત્ર-ગુરૂની શ્રદ્ધા થઈ ગયા પછી પણ આત્માના. ભાન વગર સામાયિક થતી નથી. પણ જો અંતરંગમાં પૂર્ણ સમતા હોય અને દુકાન ઉપર બેસી ગ્રાહકે સાથે વ્યવહાર કરતા.
રહે છે તે પણ સામાયિક છે. (જુઓ પ્રશ્ન-૭૩) ૧૦૭૩ પ્ર. દિગંબર જૈન શાસ્ત્રોમાં શ્રાવક માટે ક્યા વ્રતને ઉપદેશ છે ?
દિગંબર જૈન શાસ્ત્રોમાં શ્રાવકની અગિયાર પ્રતિમાઓ અથવા શ્રેણીઓ બતાવી છે. એ અગિયાર શ્રેણીઓ પાંચમા દેશવિરતિ, ગુણસ્થાનમાં છે. ચોથા અવિરત સમ્યફદર્શન ગુણસ્થાનમાં જે કે ચારિત્રને નિયમ હેતે નથી તો પણ તે સમ્યક્ત્વી અન્યાયથી, બચીને ન્યાયરૂપ પ્રવૃત્તિ કરે છે, અને પાક્ષિક શ્રાવકના યોગ્ય સ્કૂલરૂ૫ નિયમ પાળે છે, અને ગૃહસ્થનાં છ કર્મ સાધે છે.
ઘટ ઘટ અંતર જિન બસે, ઘર ઘરે અંતર જન, મત મદિકે પાનસે, મતવાર સમજો ને કંઈ
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૧૫
૧૦૭૪ પ્ર. દિગંબર જૈન શાસ્ત્રોમાં ચોથા ગુણસ્થાને પાક્ષિક શ્રાવકના નિયમે કહ્યા છે તે ક્યા છે ?
ઉ. તે શ્રાવક ૧. માંસ ખાતા નથી, ૨. મદિરા પીતા નથી, ૩, મધ ખાતા નથી, ૪. વડના ટેટા ખાતા નથી, ૫. પીપળના ટેટા ખાતા નથી, ૬. ઉમરડાં ખાતા નથી, ૭. અંજીર ખાતા નથી,. ૮. જુગાર રમતા નથી, ૯. ચોરી કરતા નથી, ૧૦. શિકાર કરતા નથી, ૧૧. વેશ્યાગમન કરતા નથી, ૧૨. પરસ્ત્રીનું સેવન કરતા નથી, ૧૩. પાણી ખેવડે કપડે ગાળીને શુદ્ધ પીવે છે, ૧૪. રાત્રિ ભાજન ત્યાગ કરવાના યથાશકિત ઉદ્યોગ રાખે છે. (જુએ પ્રશ્ન ૮૩૧ અને ૮૩૨).
4
૧૦૭૫ પ્ર. દિગમ્બર જૈન શાસ્ત્રોમાં ગૃહસ્થનાં કયાં છ કમ કથાં છે?
૩. (૧) દેવપૂજા : શ્રી જિનેન્દ્રની ભકિત કરે છે. (૨) ગુરુભકિત : ગુરુની સેવા કરે છે.
(૩) સ્વાધ્યાય : શાસ્ત્ર નિત્ય ભણે છે.
(૪) તપ : રાજ સામાયિક પ્રતિક્રમણ કરે છે. ઇન્દ્રિયાને વિષયામાં દોડતી રાકે છે.
(૫) સંયમ : નિયમાદિ લઇને ઇન્દ્રિયદમન કરે છે. છ કાય જીવની
યા પાળે છે.
(૬) દાન : લક્ષ્મીને હાર, ઔષધિ, વિદ્યા અને અભયદાનમાં અથવા પાપકારમાં વાપરે છે. દાન કરીને પછી ભાજન.
કરે છે.
૧૦૭૬ પ્ર. હવે અગિયાર પ્રતિમા અથવા શ્રેણીનું સ્વરૂપ કહે. ૩. (૧) દર્શીન પ્રતિમા : અહીં અહિંસા, સત્ય, આચૌર્ય, સ્વસ્રીસ ંતાષ અને પરિગ્રહપ્રમાણુ એ પાંચ અણુવ્રતાના અભ્યાસ કરે છે. સ્થૂલપણે પાળે છે, અતિચાર ટાળી શકતા નથી.
આત્મા કેવી અપૂર્વ વસ્તુ છે ! જ્યાં સુધી શરીરમાં હાય, ભલેને હજારો વર્ષ, ત્યાં સુધી શરીર સહતું નથી, પારાની જેમ આત્મા, ચેતન ચાલ્યું જાય અને શરીર શખ થઈ પડે અને સડવા માંડે !
Page #338
--------------------------------------------------------------------------
________________
૩૧૬
(૨) વ્રત પ્રતિમા : આ શ્રેણીમાં પહેલાંના સર્વ નિયમે પાળવા ઉપરાંત પાંચ અણુવ્રતાના પચ્ચીસ અતિયારે! ટાળે છે તથા શીલાને પણ પાળે છે. તેના અતિયાર પૂરા ટળતા નથી, ટાળવાના અભ્યાસ કરે છે.
(૩) સામાયિક પ્રતિમા : આ શ્રેણીમાં પહેલાંના નિયમ પાળતા એવા શ્રાવક નિયમપૂર્વક પ્રાત:કાળ, મધ્યાહ્નકાળ અને સાંયકાળે સામાયિક કરે છે. સામાયિકના પાંચે અતિયાર ટાળે છે.
(૪) પ્રેાષધેાપવાસ પ્રતિમા : આ શ્રેણીમાં પહેલી ત્રણે કોણીના નિયમે। પાળતા રહીને નિયમપૂર્વક માસમાં ચાર દિવસ પ્રેાષધપૂર્વક ઉપવાસ કરે છે.
(૫) સચિત્તત્યાગ પ્રતિમા : આ શ્રેણીમાં પહેલાંના નિયમા પાળતા રહીને સચિત્ત પદા ખાતા નથી. કાચુ પાણી, કાચું શાક, આદિ ન ખાય, પ્રાશુક અથવા ગરમ પાણી પીવે. પાણીના રંગ લવીંગ આદિ નાખવાથી બદલાઈ જાય છે, ત્યારે તે પાણી પ્રાથુક થઈ જાય છે.
(૬) રાત્રિભોજન ત્યાગ પ્રતિમા : આ શ્રેણીમાં આગળના નિયમેને પાળતા રહી નિયમપૂર્વક ચારે પ્રકારોના આહાર પાતે રાત્રે કરતા નથી, ખીજાને કરાવતા નથી.
(૭) બ્રહ્મચર્ય પ્રતિમા : સ્વસ્રીના પણ ત્યાગ કરી બ્રહ્મચારી થઈ જાય છે. પહેલાંના સ નિયમેને પાળે છે.
(૮) આરંભત્યાગ પ્રતિમા ઃ પહેલાંના નિયમે પાળતા રહીને આ કોણીમાં સર્વ લૌકિક આરંભ વ્યાપાર ખેતી આદિ ત્યાગી દે છે. વાહનના ઉપયાગ કરતા નથી, નિમંત્રણ મળે ત્યાં ભેાજન ફરી લે છે, પરમ સતાષી થઈ જાય છે.
(૯) પરિગ્રહત્યાગ પ્રતિમા ઃ પહેલાંના નિયમ પાળતા રહીને આ શ્રેણીમાં ધન, ધાન્ય, રૂપિયા, પૈસા, મકાનાદિ પરિગ્રહને વહેંચી આપે છે અથવા દાન કરી દે છે. ધરથી મહાર ઉપવન,
આત્માને શ્રેયકારી જે, દેહુને અપકારી તે કિંતુ ઢહેાપકારી જે, આત્માને અપકારી તે.
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૧૭
આશ્રમ કે ઉપાશ્રયમાં રહે છે. નિમ ત્રણ મળે ત્યાં ભાજન કરે છે.
(૧૦) અનુમતિત્યાગ પ્રતિમા : આ પ્રતિમાવાળા શ્રાવક ફક્ત લૌકિક કાર્યોમાં તા નહિ પણ હવે અહીં સાંસારિક કાર્યોની સ ંમતિ દેવી પણ ત્યાગી દે છે. ભાજનને વખતે નિયંત્રણ હોય ત્યાં જાય છે. પહેલાંના સ નિયમ પાળે છે.
(૧૧) ઉષ્ટિત્યાગ પ્રતિમા : આ શ્રેણીમાં પહેલાંના નિયમ પાળતાં રહી, નિમ ંત્રણ સ્વીકારી ભાજન કરતા નથી પણ ભિક્ષાવૃત્તિથી જઇને એવું ભાજન લે છે. ષ્ટિ પ્રતિમાના બે ભેદ છે. (અ) ક્ષુલ્લક : એ શ્રાવક એક લંગોટ અથવા એક એવી ચાદર રાખે છે કે જેથી આખુ અંગ ન ઢોંકાય. જેથી તેને શરદી, ડાંસ-મચ્છર આદિની ખાધા સહન કરવાને અભ્યાસ થાય. તે ભિક્ષાર્થે જાય ત્યારે આદરથી ભાજન આપે ત્યાં જઈને એક જ ધરમાં એસીને થાળીમાં જમી લે છે. એ મુનિપદની યિાના અભ્યાસ કરે છે, સ્નાન ફરતા નથી, એક જ વખત ભાજન-પાન કરે છે.
(બ) અલક : જે ચાદર પણ છેડી દે છે, માત્ર એક લંગોટી જ રાખે છે. એ સાધુની માફક ભિક્ષાર્થે જાય છે. એક જ ધરમાં ખેસીને હાથમાં કાળિયા આપે તેનું ભાજન કરે છે. શના લેાચ પણુ નિયમથી કરે છે.
આવી રીતે એ અગિયાર કોણીએ દ્વારા ઉન્નતિ કરતાં કરતાં શ્રાવક વ્યવહાર ચારિત્રના આશ્રયથી નિરાકુળતાને પામીને અધિક અધિક નિશ્ચય સમ્યક્ચારિત્રરૂપ સ્વાનુભવના અભ્યાસ કરે છે. ૧૦૭૭ પ્ર. નાની પુરુષોએ રાત્રિભોજનના શા કારણથી નિષેધ કર્યા છે ? ઉ. રાત્રે ખાવાથી હિંસાનું કારણ દેખાય છે. રાત્રિભાજન કરવાથી આળસ, પ્રમાદ થાય, જાગૃતિ થાય નહીં; વિચાર આવે નહીં; એ આંદિ ષના ઘણા પ્રકાર રાત્રિભાજનથી થાય છે, મૈથુન ઉપરાંત
વેદુ છું નિજ આત્મા, બાકી સઘળું રોક, છૂટી જાય આ દેહુ તા, નહીં કાંઈ હુ કે શાક.
Page #340
--------------------------------------------------------------------------
________________
૩૧૮
પણ બીજા ઘણા દેશ થાય છે. રાત્રિભેજન ત્યાગની જે પ્રતિમા ધારણ કરે છે તે રાત્રે રાંધેલું હોય, પીસેલું હોય, વલોવેલું હોય
તે પણ ન ખાય. તેઓ રાત્રે આરંભરૂપે કરેલું લેતા નથી. ૧૦૭૮ પ્ર. શ્રાવકની ભાષામાં કયા ગુણ હોવા જોઈએ ?
ઉ. શ્રાવકે ભાષાના આઠ ગુણ ધારણ કરવા જોઈએ.
૧. અવસરે થોડું બોલે, ૨. ઈષ્ટ મિષ્ટ અને મને બેલે, ૩. સમયોચિત બેલે, ૪. ચતુરાઈ સહિત બેલે, ૫. અભિમાનરહિત બેલે, ૬. મર્મભેદક ન બોલે, ૭. શાસ્ત્રની સાક્ષીયુક્ત બેલે, ૮.
સાતાકારી બેલે. ૧૦૭૮ પ્ર. નામધારી શ્રાવક (જૈન કૂળમાં જન્મેલા)ના પણ કેવાં લક્ષણ હોય ?
ઉ. સાત અભક્ષ્ય અને વ્યસનનો ત્યાગ હોય. (જુઓ પ્રશ્ન ૮૩૧
૮૩૨) કંદમૂળને પણ ત્યાગ હોય. જે દારૂ, માંસ અથવા મધનું સેવન કરતા હોય તે તે નામમાત્રને પણ જૈન નથી, જીનવાણી સાંભળવાને પાત્ર પણ નથી. જેમાં અગણિત ત્રસ જીવ હોય છે એવાં પાંચ ઉદ્બર ફળે જે ખાય છે; અથાણાં ખાય છે; રાત્રિભેજન કરે છે તે નામ માત્ર પણ જૈન નથી. આ ચીજોનું સેવન તે નામધારી જૈનને પણ ન હોવું જોઈએ. પ્રત્યેક જૈન માત્રને સપ્ત વ્યસનને ત્યાગ અને આઠ મૂળગુણાનું પાલન સર્વ પ્રથમ હોવું જોઈએ. લીલેરી ઉપર વિના કારણે પગ દઈને ચાલવું તે ન હોય. જિનવાણું સાંભળતી વખતે શાસ્ત્રને વિનય ને બહુમાન રાખવા જોઈએ, શાસ્ત્રને નીચે મૂકાય નહિ (શાસ્ત્રને પગ લગાડાય નહીં, પાનાં ફેરવતાં થૂક લગાડાય નહ), શાસ્ત્રની ઉપર કોણને ટેકે (અથવા બીજી કોઈ રીતે ટેકા) દેવાય નહિ, પગ ઉપર પગ ચઢાવીને શાસ્ત્ર શ્રવણ કરવા બેસાય નહિ, રૂમાલ કે પાને આદિથી હવા ખવાય નહિ (તે પછી પંખાની હવા કે એરકંડીશનની ઠંડક તે કેમ ખવાય, ન જ ખવાય), ઝેલા ખવાય નહિ, પ્રમાદથી બેસાય નહિ વિગેરે વિગેરે. કેટલાય
Kાની કે અજ્ઞાની જન સુખ દુ:ખ રહિત ન કોય જ્ઞાની વેદે હૈયથી અજ્ઞાની વેદે રાય”
Page #341
--------------------------------------------------------------------------
________________
૩૧૯
વિનય-બહુમાન-ભક્તિ હોય ત્યારે તે જિનવાણી શ્રવણની
પાત્રતા થાય છે. ૧૦૮૦ પ્ર. શ્રાવકના એકવીશ ગુણે કહ્યા છે તે કહો.
“લજ્જાવંત, દયાવંત, પ્રશાંત, પ્રતીતવંત, પરદેષકે ઢલૈયા, પરઉપકારી હૈ, સૌમ્યદષ્ટિ, ગુણગ્રાહી, ગરિષ્ટ, સબકે ઈષ્ટ, શિષ્ટપક્ષી, મિષ્ટવાદી, દીરધવિચારી છે, વિશેષત, રસ, કૃતજ્ઞ, તત્ત્વજ્ઞ, ધર્મ, ન દીન, ન અભિમાની, મધ્ય વ્યવહારી છે, સહજ વિનીત, પાપક્રિયા અતીત, અસે, શ્રાવક પુનિત, ઈકબીસ ગુણધારી હૈ.”
૧. લજાવંત -કઈ પણ પાપકાર્ય, અન્યાય, અનીતિ વગેરેમાં તેને શરમ આવે કે અરે ! હું આત્માને જિજ્ઞાસુ, તે મને આવાં કાર્ય શેભે નહિ.
૨. દયાવંત - મારા નિમિત્તે કઈ જીવને દુઃખ ન હે, કેઈને દુઃખ દેવાને ભાવ મને ન હો. મારો આત્મા દુઃખથી છૂટે, ને જગતના જીવો પણ દુઃખથી છૂટે.
૩. પ્રશાંત – કષાય વગરના શાંત પરિણામ હોય, ક્રોધ કે હરખ વગર શાંત–ગંભીર પરિણામવાળે હેય.
૪. પ્રતીતવંત :- દેવ-ગુરુ-ધર્મ ઉપર તેમજ સાધમ ઉપર તેને પ્રતીત હોય છે. પિતાનું અપમાનાદિ થાય, પ્રતિકૂળતા આવે કે બીજાના માનાદિ વધી જાય તેથી ધર્મમાં સંદેહ કરતા નથી, પ્રતીતિ રાખે છે.
૫. પરદેષને ઢાંકનાર :- અરેરે, દેષમાં તે જગતના જીવ ડુબેલા જ છે, ત્યાં પારકા દેષ શું જોવા ? મારે તે મારા દેષ મટાડવાના છે. દોષ દેખીને નિંદા કરવી ઉચિત નથી..
પાપ કીધાં અધેર છૂપાવ્યાં બહુ પુણ્ય કીધાનો દેખાવ કર્યો બહુ
Page #342
--------------------------------------------------------------------------
________________
૩૨૦
૬. પરઉપકારી –ધર્મ બુદ્ધિ વડે તેમજ તન-મન ધનાદિ વડે પણુ પર જીવોને ઉપકાર કરે છે.
૭. સૌમ્ય દષ્ટિવંત :-જેમ માતા બાળકને મીઠી નજરે જુએ છે તેમ ધર્માત્મા બધા ને મીઠી નજરે જુએ છે. એની દષ્ટિમાં સૌમ્યતા હોય છે, જેને સંગ બીજા છોને શાંતિ પમાડે છે.
૮. ગુણગ્રાહી –ગુણોને ગ્રાહક હોય છે. પિતાનું કેઈ અપ-- માનાદિ કરે તેથી તેના ગુણને પણ અનાદર ન કરી નાંખે.
૯ ગરિષ્ટ (સહનશીલ) :- પ્રતિકૂળતામાં ગભરાઇ ન જાય, આધ્યાનથી ખેદ ખિન્ન ન થાય; પણ સહનશીલપણે વૈરાગ્ય વધારે.
૧૦. સૌને પ્રિય બધા પ્રત્યે મધુર વ્યવહાર રાખે. ક્યાંય. પણ કલેશ વધે એવો વ્યવહાર ન કરે.
૧૧. શિષ્ટ પક્ષી :-સત્ય અને સદાચારને પક્ષ કરનાર હોય. લૌકિક પ્રોજન ખાતર, માનથી કે ભયથી પણ સત્યધર્મને કે ન્યાય નીતિને છોડે નહિ.
૧૨. મિષ્ટભાષી :- જેમાં સ્વપરનું હિત હેય એવી મધુરવાણી બેલે. પિતાને કષાય થાય ને સામાનું દિલ દુભાય એવી કડવી કોઠાર. ભાષા ન લે. સત્યવાત કઠોરતાથી ન કહે, “દે દિન કે મહેમાન બેલી બગાડે કૌન સો ?”
૧૩. દીર્ઘવિચારી :- દેશ-કાળને વિચાર કરીને, પિતાના પરિણામને તથા શક્તિને વિચાર કરીને, અને સ્વપરના હિતને વિચાર કરીને, યોગ્ય પ્રવૃત્તિ કરે. જગતની દેખાદેખીથી વગર વિચાર્યું જ્યાં ત્યાં ન ઝંપલાવે.
૧૪. વિશેષજ્ઞ :- ધર્મમાં કે ગૃહવ્યવહારમાં ક્યારે કેવી પરિસ્થિતિ થશે, કેવી જરૂર પડશે–તેને જાણકાર હોય, ને તેને ગ્ય ઉપાય કરે.
૧૫. રસજ્ઞ – રસ એટલે તાત્પર્ય શાસ્ત્રાભ્યાસ વગેરેમાં તેના શાંત રસરૂપ સાચા રહસ્યને જાણતા હોય; તેણે ધર્મને મર્મ જાણીને શાંત રસને તે ચાખે છે, તેથી તે પરમાર્થને રસજ્ઞ છે.
દેખી આંગળી આપ એક અડવી, વૈરાગ્ય વેગે ગયા; છાંડી રાજસમાજને ભરતજી, કેવલ્યાની થયા,
Page #343
--------------------------------------------------------------------------
________________
૨૧
૩૧૧
૧૬. કૃતજ્ઞ :- અહા, દેવ-ગુરુ-ધર્મીના પરમ ઉપકારની તા શી વાત, એનેા તા બદલેા વળે તેમ નથી. તેમજ સાધની અને અન્ય સજ્જનાના ઉપકારને પણ ભૂલે નહિ. પેાતે કરેલા ઉપકારને યાદ ન કરે, તેમજ બદલાની આશા ન રાખે.
૧૭. તત્ત્વનું ઃ- તત્ત્વના જાણુકાર હાય. વિપરીત જીવામાં કયાં તત્ત્વની વિપરીતતા છે તે પણ જાણીને દૂર કરવા પ્રયત્ન કરે.
૧૮. ધનુ :- ધર્માંના જાણુનાર હોય; કર્યો નિશ્ચય ધર્મોની પ્રધાનતા છે, કાં વ્યવહાર ધર્માંની પ્રધાનતાથી વવુ' યાગ્ય છે ! એમ ધર્માંના બધા પડખાં જાણીને શાસનને શાભે તેવું વર્તન કરે.
૧૯. દીનતારહિત ઃ- તેમજ અભિમાનરહિત એવા મધ્યસ્થ વ્યવહારી :-રાગાદિ પ્રસંગ હોય, દરિદ્રતાદિ હાય તેથી ગભરાઇને એવા દીન ન થાય કે જેથી ધર્મની અવહેલના થાય! અરે, હું પાંચપરમેષ્ઠિના ભક્ત, મારે દુનિયામાં દીનતા કેવી ? તેમ જ દેવ ગુરુ ધર્મના પ્રસંગમાં, સાધના પ્રસંગમાં અભિમાનરહિત નમ્રપણે પ્રેમથી વર્તે. જે આત્મહિત થતુ હોય તા તે કરવા તૈયાર છે; ત્યાં અભિમાન નથી રાખતા; અને આત્મહિત થતું ન હોય તા એવા પ્રસંગે તે દાન થતા નથી.
૨૦. સહજ વિનયવંત – દેવ-ગુરુના પ્રસંગ, સાધી ના પ્રસંગ, વડીલેાના પ્રસંગ, તેમાં યેાગ્ય વિનયથી વર્તે. સમ્યક્ત્વાદિ ગુણીજનાને દેખીને પ્રસન્નતાથી વિનય–બહુમાન–પ્રશંસા કરે. કાઈ પ્રત્યે ઇર્ષાભાવ ન આવે,
૨૧. પાપક્રિયાથી રહિત ઃ- કુંદેવ-દુધના સેવનરૂપ મિથ્યાત્યાદિ પાપને તેમ જ માંસાદિ અભક્ષ્ય ભક્ષણના તીવ્ર હિંસાદિ પાપાને તા સ થા છેડા જ છે, તે ઉપરાંત આરંભ-પરિગ્રહ સંબધી જે પાપક્રિયાઓ તેનાથી પશુ જેટલા બને તેટલા છૂટવાના અભિલાષી છે.
જ્ઞાન તેનું નામ કે જે હું, શાક વખતે હાજર થાય; અર્થાત્ હ, શાક થાય નહિં,
Page #344
--------------------------------------------------------------------------
________________
૩૨૨
૧૦૮૧ પ્ર. મુનિ આહાર સાત ગુણધારી શ્રાવકના હાથે જ સ્વીકારે તેમ કહ્યું
છે તે તે ક્યા સાત ગુણ કહ્યા છે ? ઉ. શ્રદ્ધા, શક્તિ, અલુબ્ધતા, ભક્તિ, જ્ઞાન, દયા અને ક્ષમા-આ દાતાના
સાત ગુણ સહિત શુદ્ધ યોગ્ય આચારવાળા ભક્તને હસ્તાગ્રથી એટલે કે હાથની આંગળીઓથી ભક્તિપૂર્વક આપવામાં આવે
આહાર મુનિ ગ્રહણ કરે છે ૧૦૮૨ પ્ર. શાસ્ત્રમાં સત્ય કોને કહે છે ?
ઉ. વસ્તુનું યથાર્થ સ્વરૂપ જેવું છે તેવું જાણવું, અનુભવવું, તેવું જ
કહેવું. તે સત્ય બે પ્રકારે છેઃ પરમાર્થ સત્ય અને વ્યવહાર સત્ય. જેવું હોય તેવું કહેવું તે વ્યવહાર સત્ય અને આત્માને લક્ષ રાખીને બેલે તે પરમાર્થ સત્ય. ક્ષાયિક સમકિત હોય તે જ
પરમાર્થ સત્ય બેલાય. ૧૦૮૩ પ્ર. વ્યવહાર સત્ય કોને જાણવું ?
ઉ. જેવા પ્રકારે વસ્તુનું સ્વરૂપ જોવાથી, અનુભવવાથી, શ્રવણથી અથવા
વાંચવાથી, આપણને અનુભવવામાં આવ્યું હોય તેવા જ પ્રકારે યથાતથ્યપણે વસ્તુનું સ્વરૂપ કહેવું અને તે પ્રસંગે વચન બોલવું તેનું નામ વ્યવહાર સત્ય. ચાર પ્રકારનાં અસત્ય શાસ્ત્રમાં કહ્યાં છે. વસ્તુ છે છતાં તેની ના કહેવી, જે નથી તે છે એમ કહેવું, વિપરીત જ કહેવું અને નિંદાનાં વચને કહેવાં, હાસ્ય. તે જૂઠ છે. શાસ્ત્રમાં
હોય તેથી વિરોધી વાક્ય બોલવું તે જૂઠું છે. ૧૦૮૪ પ્ર. પરમાર્થ સત્ય કેને સમજવું ?
ઉ. “પરમાર્થ સત્ય”, એટલે આત્મા સિવાય બીજો કોઈ પદાર્થ આત્માને
થઈ શકતો નથી, એમ નિશ્ચય જાણી, ભાષા બોલવામાં વ્યવહારથી દેહ, સ્ત્રી, મિત્ર, ધન, ધાન્ય, ગૃહ આદિ વસ્તુઓના પ્રસંગમાં બેલતાં પહેલાં એક આત્મા સિવાય બીજું કાંઈ મારું નથી, એ
ઉપગ રહેવો જોઈએ. ૧૦૮૫ પ્ર. શાસ્ત્રમાં જૂઠું બોલવાનાં કયાં મુખ્ય કારણ કહ્યાં છે ?
જહાં રામ તહાં કામ નહી, કામ તહાં નહી રમ દેઉ સાથ મિલન નહીં; દિન-રજની એક સાથ.
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૨૩
૩. જૂઠું બેલવાનાં મુખ્ય ૧૪ કારણે છે.
(૧) કેધ, (૨) માન, (૩) કપટ, (૪) લેભ, (૫) રાગ. (૬) દેવ
(૭) હાંસી, (૮) ભય, (૯) લજજા, (૧૦) ક્રિડા, (૧૧) હર્ષોત્સાહ, - (૧૨) શોક, (૧૩) દાક્ષિણ્યતા, (૧૪) બહુ બોલવાથી. ૧૦૮૬ પ્ર. શું અસત્ય બોલ્યા વિના માયા ન જ થઈ શકે ?
ઉ. અસત્ય બોલ્યા વિના માયા થઈ શકતી નથી. ૧૦૮૭ પ્ર. વિશ્વાસઘાત કરવો, તેને પણ અસત્યમાં સમાવેશ થાય છે ?
. વિશ્વાસઘાત કરવો તેને પણ અસત્યમાં સમાવેશ થાય છે. બેટા
દસ્તાવેજો કરવો તે પણ અસત્ય જાણવું. ૧૦૮૮ ક. “અનુકંપાને અર્થ શું છે ?
ઉ. તૃષાતુરને, સુધાતુરને, રોગીને અથવા બીજા દુ:ખી મનના જીવને
તેનું દુઃખ મટાડવાના ઉપાયની ક્રિયા કરવામાં આવે તેનું નામ
“અનુકંપા. ૧૦૮૯ પ્ર. દયાના આઠ ભેદ ક્યા છે ? ઉ. (૧) દ્રવ્યદયા : કોઈ પણ કામ કરવું તેમાં યત્નાપૂર્વક જીવરક્ષા
કરીને કરવું તે દ્રવ્યદયા. (૨) ભાવદયા ઃ બીજા જીવને દુર્ગતિ જતો દેખીને અનુકંપાબુદ્ધિથી
ઉપદેશ આપ તે ભાવદયા. (૩) સ્વદયા : આત્મા આ અનાદિકાળથી મિથ્યાત્વથી પ્રહાય
છે, તત્ત્વ પામતા નથી, એમ ચિંતવી ધર્મમાં પ્રવેશ કરે તે સ્વદયા.
. . :(૪) પરદય : ૭ કાય જીવની રક્ષા કરવી તે પરદયા. (૫) સ્વરૂપદયાઃ સૂક્ષ્મ વિવેકથી સ્વરૂપ વિચારણા કરવી તે સ્વરૂપદયા. - (૬) અનુબંધદયા : ગુરુ કે શિક્ષક શિષ્યને કડવા કથનથી ઉપદેશ - આપે તે દેખાવામાં અયોગ્ય લાગે છે, પરંતુ પરિણામે કરૂણાનું
કારણ છે, એનું નામ અનુબંધદયા.
ગોધન, ગજધન, બાજિધન, ઔર રતનધન ખાન; જબ આવે તેવધન, સબધન પૂરિ સમાન,
Page #346
--------------------------------------------------------------------------
________________
३२४
(૭) વ્યવહારદયા : ઉપગપૂર્વક અને વિધિપૂર્વક જે દયા પાળવી
તેનું નામ વ્યવહારદધા. (૮) નિશ્ચયદયા : શુદ્ધ સાધ્ય ઉપયોગમાં એકતા ભાવ અને અભેદ
ઉપયોગ તે નિશ્ચયદયા. ૧૦૯૦ પ્ર. દાનના પ્રકાર કેટલા છે ?
ઉ. આહાર, ઔષધ, શાસ્ત્ર અને અભયના રૂપમાં દાન ચાર પ્રકારે
કહેવામાં આવ્યું છે. અભયદાન બધાં દાનમાં શિરોમણ સમાન છે. (વ્યવહારથી એમ કહેવાય છે કે, જ્ઞાનદાનના પ્રભાવથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ઔષધદાન દેનારને વાત્સલ્ય ગુણ, સ્થિતિકરણ ગુણ, નિવિચિકિત્સા ગુણ ઈત્યાદિ અનેક ગુણ પ્રગટે છે. (જુઓ પ્રશ્ન-૧૨૯૩). ઔષધ દાનના પ્રભાવથી જીવ રેગ રહિત દેવને ક્રિયિક દેહ પામે છે. આહાર દાન દેનાર મિથ્યાદષ્ટિ પણ ભેગ ભૂમિમાં દશ પ્રકારનાં કલ્પવૃક્ષના ચિરકાળ ભેગ ભેગવે છે. ત્રણ દિવસે આંબળા જેટલે આહાર કરે છે તે પણ ભૂખ તરસ લાગતી નથી. મીઠાં વચન બેલવો તે પણ મોટું દાન છે. આદર સત્કાર, વિનય. કરે, જગ આપવી, કુશળતા પૂછવી એ પણ દાન છે. (જો કે
આ બધાં વ્યવહારથી કથન છે.) ૧૦૯૧ પ્ર. શ્વેતાંબર અને દિગંબર શાસ્ત્ર પ્રમાણે ચારિત્રમાં શું ભેદ છે ?
ઉ. બલિંગ અને ભેદે જે વ્રતના રે, દ્રવ્ય દેશકાળાદિ ભેદ;
પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે, તે તે ત્રણે કાળે અભેદ.” બંનેમાં ચારિત્ર એક જ કહ્યું છે.
જેટલા જેટલા કષાય ઓછા થાય છે, વીતરાગ ભાવ વધે છે. તેટલું નિશ્ચય સમ્યફારિત્ર પ્રગટ થતું જાય છે. પછી પ્રત્યાખ્યાન કષાયને છતી સાધુપદમાં પરિગ્રહ ત્યાગીને નિગ્રંથ થઈ સ્વાનુભવને અભ્યાસ કરતાં કરતાં ગુણસ્થાનના ક્રમથી અરહંત થઈ પછી ગુણસ્થાનની બહાર સિદ્ધ પરમાત્મા થઈ જાય છે.
એક અજ્ઞાની કટિ અભિપ્રાય છે, અને કોટિ | શાનીઓનો એક અભિપ્રાય છે,
Page #347
--------------------------------------------------------------------------
________________
રૂપ
૧૯ર પ્રચારિત્ર પાળવાથી શું લાભ થાય ?
ઉ. નિશ્ચિય ચારિત્રના પ્રભાવથી આત્મામાં સ્થિરતા વધતી જાય છે, ત્યારે અધિક અધિક સહેજ સુખ અનુભવમાં આવતું જાય છે, જ્યારે મન, વચન, કાયાના સયેાગને છેડીને આત્મા આત્મસ્થ થઈ જાય છે, ત્યારે જ સહજ સુખના સ્વાદ પામે છે. વસ્તુતાએ સહજ સુખ આત્મામાં જ છે, આત્મામાં જ રમણ કરવાથી (નિશ્ચય ચારિત્રમાં રહેવાથી) તે પ્રાપ્ત થાય છે.
આત્મરમણતાનું મહાત્મ્ય અવણૅનીય છે. વીતરાગી મહાત્માને કાઇ એવા અપૂર્વ પરમાનંદ પ્રગટે છે કે જેની આગળ ત્રણ લેાકનું અચિંત્ય ઐશ્વર્ય પણ તૃણુ સમાન ભાસે છે.
૧૦૯૩ પ્ર. શાસ્ત્રમાં બાર ભાવનાએ કહી છે તે કહેા.
૩. (૧) અનિત્ય : ધન, ધાન્ય, સ્ત્રી, પુત્ર, રારીરાદિ સ ક્ષણુભ ગુરુ, નાશવંત છે. (ર) અશરણુ : મરણથી કે તીવ્ર કર્મઉદયથી કાઈ બચાવનાર નથી. (૩) સંસાર : ચારગતિરૂપ સંસાર દુઃખના ભંડાર છે. (૪) એકત્વ : આ જીવ એકલે છે, પેાતાની કરણીના પેાતે જ સ્વામી છે. (૫) અન્યત્વ ઃ આ જીવથી શરીરાદિ સવ પર છે. અન્ય છે. (૬) અશુચિ : આ શરીર અવિત્ર છે. (૭) આસવઃ તે તે ભાવાથી કર્મ આવે છે. (૮) સવર : તે તે ભાવાથી કર્મ રોકાય છે. (૯) નિર્જરા : (જ્ઞાન અને) તપથી કર્મ ખરી જાય છે. (૧૦) લેાક : આ જગત અનાદિ અનંત અકૃત્રિમ છે, છ દ્રવ્યોના સમૂહ છે, દ્રવ્ય અપેક્ષાએ નિત્ય અને પર્યાય અપેક્ષાએ અનિત્ય છે. (૧૧) ખેાધિદુલ ભઃ રત્નત્રયની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. (૧૨) ધર્મઃ આત્માના સ્વભાવ ધ છે, એ જ પરમ હિતકારી છે. કાતિક્રયાનુપ્રેક્ષાની ચારસા નવયાસી ગાથાઓમાં સૌથી વધારે સ્થાન રાકવાવાળી લેાકભાવના અને ધર્મભાવના છે. અનિત્યભાવનાથી નિર્જરા ભાવના સુધીની નવ ભાવનાએમાં કુલ ૧૧૪ ગાથાઓ છે જ્યારે કે એકલી લેાકભાવનામાં ૧૬૯ ગાથાએ સમાઈ ગઈ છે.
કંઈક કેટલા ચાલ્યા ગયા ખખ્ખર પણ પડતી નથી, કંઇક કેટલા ચાલ્યા જશે નજર પણ પડતી નથી,
Page #348
--------------------------------------------------------------------------
________________
૩૨૬
લેકભાવનાના સંદર્ભમાં “ક” શબ્દનો અર્થ “આત્મા” પણ કરવામાં આવે છે. જેમાં સંપૂર્ણ લક આલોકિત (પ્રતિબિંબિત થતા હોય એ આત્મા જ ચેતન્ય લેક છે. લેક શબ્દની આ
પ્રકારની વ્યાખ્યા પણ કરવામાં આવે છે. ૧૦૯૪ પ્ર. અનિત્યભાવના અને અશરણભાવનામાં મૂળભૂત અંતર શું છે?
ઉ. અશરણુ અહસ્તક્ષેપ (હસ્તક્ષેપના નિષેધ)નું સૂચન છે. કોઇ પણ દ્રવ્યના પરિણમનમાં બીજા અન્ય દ્રવ્યને જરા પણ હસ્તક્ષેપ ચાલતું નથી. કોઈ વ્યક્તિ ગમે તેટલી શક્તિશાળી હોય પણ તે અન્ય દ્રવ્યના પરિણમનમાં હસ્તક્ષેપ કરી શકતી નથી. અનિત્યભાવનાનું કેન્દ્રબિંદુ છે “મરના સબકે એક દિન, અપની અપની બાર” અને અશરણભાવના કહે છે કે “મરતે ન બચાવે કેઈ”,
આ જ આ બંનેમાં મૂળભૂત અંતર છે. ૧૦૯૫ પ્ર. એકત્વભાવના અને અન્યત્વભાવનામાં વિશેષ ભેદ વિસ્તારથી
સમજા. 'એકત્વ અને અન્યત્વભાવનામાં અસ્તિ-નાસ્તિનું અંતર છે. જે વાતનું એકત્વભાવનામાં અતિ તરફ ચિંતન કરવામાં આવે છે, તે જ વાતનું અન્યત્વભાવનામાં નાસ્તિ તરફનું ચિંતન હોય છે. એકત્વ અનુપ્રેક્ષામાં “હું એક છું' ઇત્યાદિ પ્રકારથી વિવિધરૂપ વ્યાખ્યાન છે અને અન્યત્વ અનુપ્રેક્ષામાં “દેહાદિ પદાર્થ મારાથી ભિન્ન છે, મારા નથી” એ પ્રમાણે નિષેધરૂપથી વ્યાખ્યાન છે. એકત્વ (એકલાપણું) આત્માની મજબુરી નથી, સહજ સ્વરૂપ છે. એકત્વ વસ્તુની અખંડતાને સૂચક છે; કણકણની સ્વતંત્ર સત્તાને સૂચક છે. આત્માનું એકલાપણું અભિશાપ નથી, વરદાન છે. પરથી એકત્ર અને મમત્વ તેડવા માટે અન્યત્વનું સતત ચિંતન આવશ્યક છે. પરથી એકત્વ અને મમત્વ તેડવા માટે એક માત્ર ઉપાય પ્રત્યેક વસ્તુની સ્વતંત્ર સત્તાને સમ્યફ (યથાર્થ) ધ જ છે. પ્રત્યેક વસ્તુ સ્વતંત્રરૂપથી પિત પિતાની સત્તામાં
તારા ઐશ્વર્યનું તું એટલું ગુમાન ન કર, સિંકદર શાહ જેવાની અહી કબર પણ જડતી નથી.
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૨૭
વિલાસ કરી રહી છે; ક્રાઇના ક્રાઈમાં કાંઈ હસ્તક્ષેપ નથી; કારણ કે વસ્તુઓ સ ંપૂણ ભિન્ન ભિન્ન છે. જ્યારે જીવ આ પ્રકારનું ચિન્તવન કરે છે, ત્યારે તેને પર પદાર્થો ઉપર મમત્વ ઉત્પન થતુ નથી.
૧૦૯૬ શ્ર સંસારભાવના અને લેાકભાવના વચ્ચેના વિશેષ ભેદ હેા. ઉ. સામાન્ય જનસમુદાયના વ્યવહારમાં સ`સાર” શબ્દના પ્રયાગ લેાક, જગત, દુનિયાના અર્થમાં પણ થાય છે. પણુ સ ંસારભાવનાના સ ંદર્ભમાં સંસારના અર્થ લેાક, દુનિયા, જગત ક્રાઈ પણ પ્રકારે સંભવતા નથી. લેક અને સંસાર ભિન્ન ભિન્ન ભાવનાએ છે. બન્નેમાં બિંદુ અને સિ ંધુનું અંતર છે. સંસાર બિંદુ છે તેા લેક સિધુ છે, સંસાર જીવની વિકારી પર્યાય માત્ર છે અને લેાક છ દ્રવ્યાના સમૂહને કહે છે. લેાક માત્ર ય છે, પણ સંસાર તા હેય પણ છે. લેાકભાવનામાં અધેા લાક, મધ્ય લેાક અને ઊર્ધ્વ લેાકની રચનાનું સ્વરૂપ બતાવવામાં આવે છે અને સંસારભાવનામાં ત્રણ લાનું નહીં, પણુ ચાર ગતિનુ અને તેના દુ:ખાનુ વર્ણન કરવામાં આવ્યું છે. સંસારભાવનાની સીમા સયાગાની નિરČકતા અને દુઃખરૂપતાના ચિંતન પંત મર્યાદિત છે. અનિત્યભાવનામાં સંયોગાની ક્ષણુભ ંગુરતા, અશરણુ ભાવનામાં સયાગેાની અશરણુતા અને સંસારભાવનામાં તે જ સચેગેાની નિરકતા બતાવી છે.
૧૦૯૭ પ્ર. ખેાધિ” અને “ધર્મ” શબ્દનો અર્થ રત્નત્રયરૂપ ધર્મ જ થાય છે, તા પછી ખેાધિદુલ ભ” અને “ધ” એમ એ ભાવનાએ જુદી જુદી કેમ મૂકી હશે ? બન્નેના વિષયમાં મૂળભૂત અંતર શું છે?
ઉ. એ સાચું છે કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયને જ ખેાધિ કહે છે, તથા વાસ્તવિક ધર્મ પણ આ રત્નત્રય છે. આ પ્રમાણે ધિ અને ધર્મ એક અવાચી જ છે. પણ ખેદુલ ભ
માણસ હાના મુશ્કિલ હું, સાધુ કહાં સે હોય, સાધુ હુઆ તે સિદ્ધ હુઆ, કહેણી રહી ન કોય.
Page #350
--------------------------------------------------------------------------
________________
૩૨૮
ભાવનામાં બેધિની દુર્લભતા અથત રત્નત્રયની દુર્લભતાનું ચિંતન કરવામાં આવે છે અને ધર્મભાવનામાં ધર્મ અર્થાત
રત્નત્રયનું સ્વરૂપ એટલે કે મહિમાનું ચિંતન કરવામાં આવે છે. ૧૦૯૮ પ્ર. જે એમ છે તો પછી બનેનાં નામ એક અર્થવાચી કેમ
રાખવામાં આવ્યાં હશે ? ઉ. બન્નેનાં નામ એક અર્થવાચી ક્યાં છે? એક અર્થવાચી તે
બેધિ અને ધર્મ શબ્દ છે, પણ ભાવનાઓમાં નામ બધિભાવના અને ધર્મભાવના નથી, બધિદુર્લભભાવના અને ધર્મભાવના છે. બોધિદુર્લભ શબ્દનો અર્થ ધર્મ નહીં, ધર્મની દુર્લભતા છે. આપણે આ ભાવનાઓને ધર્મદુર્લભભાવના અને ધર્મભાવના પણ
કહી શકીએ છીએ. ૧૦૯૯ પ્ર. આસવભાવના અને નવતત્વમાં કહેલ આસ્રવતત્વ એક જ છે ને?
ઉ. ના, આસ્ટવભાવના અને આસ્ત્રવતત્ત્વ એક જ નથી. તત્વાર્થ.
સૂત્રમાં બાર ભાવનાઓનું વર્ણન સંવરતત્વના પ્રકરણમાં આવે છે. આસવભાવના તે સંવરતત્ત્વ છે. અનુપ્રેક્ષાઓને સંવરના કારણમાં ગણવામાં આવે છે. આ ત્રવના નિરોધને સંવર કહે છે. બાર ભાવનાઓ આસ્રવના નિરોધમાં કારણભૂત હોવાથી તેને
સંવરતવ નીચે તત્વાર્થસૂત્રમાં વર્ણવેલ છે. ૧૧૦૦ પ્ર. સંવરભાવના અને સંવરતત્ત્વ બનેને એક જ કેમ માની લેવાય ?
ઉ. ના, ન માની લેવાય, કારણ કે સંવરભાવના સંવર (તત્વ)ના
અનેક કારણોમાંથી માત્ર એક કારણ છે. સંવર (તત્ત્વ)નાં કારણોમાં ત્રણ ગુપ્તિ, પાંચ સમિતિ, દશ ધર્મ, બાર ભાવનાઓ, બાવીસ પરિષહ જય, પાંચ પ્રકારનાં ચારિત્ર બધા આવી જાય છે. સમ્યફ
દર્શન–જ્ઞાન પણ સંવરનાં કારણ અથવા સંવરરૂપ જ છે. * ૧૧૦૧ પ્ર. આ બાર ભાવનાઓનું ચિંતવન શા માટે કરવા કહ્યું છે ? તેનું
યથાર્થ ચિંતવન કોને હોય?
પિસા ઓછા વત્તા મળે તે પ્રારબ્ધ છે, પરંતુ નીતિથી કમાવા તે પુરૂષાર્થ છે.
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૨૯
ઉ. બાર ભાવનાઓના ચિંતનને એક માત્ર ઉદ્દેશ્ય દષ્ટિને સંયોગ
ઉપરથી ખસેડી સ્વભાવની તરફ લઈ જવાનું છે, કારણકે સંગાધિન દષ્ટિ જ સંસારના દુઃખનું મૂળ છે. જ્યાં સુધી જીવની દૃષ્ટિ સંગે ઉપર રહેશે, ત્યાં સુધી મોહ, રાગદ્વેષરૂપ સંગીભાવ ઉત્પન્ન થતા રહેશે. પરદને સંગ છે પણ સાથ નથી. પરદ્રવ્યો સંયોગી છે, પણ સાથી નથી. સંયોગને તદન નિષેધ કરી ઈન્કાર કરે પણ ભૂલ છે અને તેને સાથે માનો તે પણ ભૂલ છે. જો કે સંગ ક્ષણભંગુર છે, અશરણ છે, અસાર છે, પણ છે અવશ્ય, પણ સાથ તો છે જ નહીં. અનિત્યભાવનામાં સંગોની અનિત્યતા, અશરણભાવનામાં સંગોની અશરણુતા, સંસાર ભાવનામાં સંગેની અસારતા સમજાવી છે તે એકત્વભાવનામાં સ્વીકૃતિની સાથે સાથે સાથને નિષેધ-ઈન્કાર કર્યો છે. સાથના નિષેધનું નામ જ એકત્વની સ્વીકૃતિ છે. આ બાર ભાવનાઓ તે ચારિત્ર ગુણના આંશિક શુદ્ધ પર્યાય છે, તેથી તે સમ્યક્દષ્ટિ જીવને જ હોઈ શકે છે. તે ભાવનાઓ ભાવવાથી વીતરાગતાની વૃદ્ધિ થાય છે, તે ભાવનાઓનું ચિંતવન મુખ્યપણે વીતરાગ દિગમ્બર જૈન મુનિરાજને જ હોય છે, અને ગૌણપણે સમ્યક્દષ્ટિને હોય છે. અંતરંગ પરિણામેની શુદ્ધતાસહિત, આ ભાવનાઓનું ચિંતવન કરવાથી સમતાભાવ પ્રગટ થાય છે. બાર ભાવનાઓના ચિંતનની એક આવશ્યક શરત છે કે તેના ચિંતનથી આનંદની જાગૃતિ થવી જોઈએ. જે એમ ન થાય તો સમજવું
જોઈએ કે ક્યાંય કાંઈ ગરબડ જરૂર છે. ૧૧૦૨ પ્ર. પ્રતિક્રમણના કેટલા પ્રકાર છે?
ઉ. પ્રતિક્રમણના સાત પ્રકાર છે. (૧) દેવસિક પ્રતિક્રમણ : આખા દિવસની પ્રવૃત્તિને સંધ્યાકાળે
ચિંતવીને પાપ પરિણામોને નિંદવા.
સર્ષ કરડે ને ભય ન થાય ત્યારે સમજવું કે, આત્મજ્ઞાન પ્રગટયું છે, દેહની મૂર્છા હોય તેને કલ્યાણ કેમ ભાસે?
Page #352
--------------------------------------------------------------------------
________________
૩૩૦
(૨) રાત્રિક પ્રતિક્રમણુ : રાત્રિ સંબંધી પાપ દૂર કરવા સવારે પ્રતિક્રમણ કરવું.
(૩) એર્પાપથિક પ્રતિક્રમણ : માર્ગે ચાલતાં દોષ લાગ્યા હોય તેની શુદ્ધિ માટે જે પ્રતિક્રમણુ તે.
(૪) પાક્ષિક પ્રતિક્રમણ : પખવાડિયાનેા દોષ દૂર કરવા માટે કરવું તે.
(૫) ચાતુર્માસિક પ્રતિક્રમણ : ચાર મહિનાના દોષ દૂર કરવા માટે તે.
કરવું
(૬) સાંવત્સરિક પ્રતિક્રમણ : વર્ષ દરમિયાન થયેલા દોષ દૂર કરવા માટે કરવું તે.
(૫) ઉત્તમા પ્રતિક્રમણ : ભવાભવના કાળમાં થયેલા દષા દૂર. ફરવા માટે છેલ્લા સંથારાની શરૂઆતમાં થાય છે તે.
૧૧૦૩ પ્ર. પ્રતિક્રમણ કરવાથી શે લાભ થાય છે?
ઉ. પ્રતિકમણુનું આવશ્યક” એવું પણ નામ છે. આવશ્યક એટલે અવશ્ય કરીને કરવા યોગ્ય એ સત્ય છે. તે વડે આત્માની મલિનતા ખસે છે, માટે અવશ્ય કરવા યેાગ્ય છે.
શુદ્ધ ભાવ વડે પશ્ચાતાપ કરવાથી લેશ પાપ થતાં પરલેાકભય. અને અનુક ંપા છૂટે છે; આત્મા કામળ થાય છે. ત્યાગવા યાગ્ય વસ્તુના વિવેક આવતા જાય છે. ભગવાન સાક્ષીએ અજ્ઞાન ઈ. જે જે દોષ વિસ્મરણ થયા હોય તેને પશ્ચાતાપ પણ થઈ શકે. છે. આમ એ નિર્જરાનું ઉત્તમ સાધન છે,
જેમ બને તેમ પ્રતિક્રમણ ધીરજથી સમજાય એવી ભાષામાં શાંતિથી, મનની એકાગ્રતાથી અને યત્નાપૂર્વક કરવું.
પંચમકાળમાં પ્રતિક્રમણને જ પરમાગમમાં ધર્મ કહ્યો છે. પ્રતિક્રમણ આત્માની ભારે સાવધાની (જાગૃતિ) રખાવનાર છે. ૧૧૦૪ પ્ર. પ્રત્યાખ્યાન એટલે શું ?
સર્વ મંગલ માંગલ્ય, સર્વ કલ્યાણ કારક, પ્રધાન સ ધર્માણાં, જૈન જયતુ શાસન.
Page #353
--------------------------------------------------------------------------
________________
331
ઉ. પચ્ચખાણુ” નામના શબ્દ વારંવાર તમારા સાંભળવામાં આવ્યા છે, એના મૂળ શબ્દ પ્રત્યાખ્યાન' છે, અને તે અમુક વસ્તુ, ભણી ચિત્ત ન કરવું એવા જે નિયમ કરવા તેને ખલે વપરાય છે. ઇચ્છાનાં દ્વાર ખુલ્લાં હોય તા તેમાં કમ પ્રવેશ કરે છે. જો પ્રત્યાખ્યાન હોય તેા પછી એ ભણી દષ્ટિ કરવાની ઇચ્છા થતી નથી. શુભ-અશુભ, પુણ્ય-પાપ, અને સુખ-દુઃખ એમ છ વસ્તુએના ત્યાગરૂપ પ્રત્યાખ્યાન હોય છે. શુભ-અશુભભાવ, તેનાથી ખંધાતા પુણ્ય-પાપ કર્મ અને તેના ફળરૂપ સુખ-દુઃખના બાહ્ય સ ંયોગા, પ્રત્યાખ્યાનમાં આને અભાવ હોય છે.
૧૧૦૫ પ્ર. પ્રતિક્રમણુ, પ્રત્યાખ્યાન અને આલેાચના, નવ તત્ત્વમાંથી કયા તત્ત્વમાં ગણાય ?
ઉ. આ ત્રણે, પૂર્વનું પ્રતિક્રમણ, ભવિષ્યનું પ્રત્યાખ્યાન અને વમાનની. આલાચના, ચારિત્રના ભેદ છે, તેથી માક્ષના ઉપાય હોવાથી સંવર–નિર્જરા તત્ત્વમાં આવે છે, તથા જે શુભ-અશુભ ભાવરૂપ વ્યવહાર પ્રતિક્રમણ આદિ છે, તે આસ્રવરૂપ હાવાથી આસ્રવ તત્ત્વમાં આવે છે. નિશ્ચય આલેાચના સવરના પ્રકાર છે. (જુએ પ્ર. ૧૧૧૦)
૧૧૦૬ પ્ર. પ્રત્યાખ્યાન લેવાથી મુખ્ય લાભ શું થાય છે ?
ઉ. પ્રત્યાખ્યાનથી મેાટા લાભ એ છે કે અમુક વસ્તુઓમાં જ આપણું લક્ષ રહે છે, બાકી બધી વસ્તુએને! ત્યાગ થઇ જાય છે. એ વડે મન બહુ બહાળતા ન પામી નિયમરૂપી સડકમાં ચાલ્યું જાય છે. મન એ નિયમરૂપી લગામમાં આવવાથી પછી ગમે તે શુભ રાહમાં લઇ જવાય છે.
૧૧૦૭ પ્ર. નિશ્ચય નય આદિ મતમાં પ્રત્યાખ્યાનની ઉપેક્ષા કરવામાં આવે તે. શુ ચાગ્ય છે ?
ઉ. મનુષ્ય જ્ઞાન માર્ગમાં પ્રયત્ન કરે તે અપેક્ષાએ પ્રત્યાખ્યાનાને દુઃપ્રત્યાખ્યાન કહ્યાં છે. યથાયેાગ્ય (સમ્યક્) જ્ઞાનની પ્રાપ્તિ જો ન
કાયાની સામાયિક કરવા કરતાં આત્માની સામાયિક એક વાર કરો.
Page #354
--------------------------------------------------------------------------
________________
૩૩ર
થઇ હોય તો જે પ્રત્યાખ્યાન કર્યા હોય તે દેવાદિક ગતિ આપી, સંસારના જ અંગભૂત થાય છે. ધર્મ કે મોક્ષમાર્ગ પ્રાપ્તિ થતી નથી; એ માટે તેને દુઃપ્રત્યાખ્યાન કહ્યાં; પણ એ સ્થળે પ્રત્યાખ્યાન જ્ઞાન વિના ન જ કરવાં એમ કહેવાનો હેતુ તીર્થકર દેવને છે જ નહીં. પ્રત્યાખ્યાનાદિક ક્રિયાથી જ મનુષ્યત્વ મળે છે, ઊંચ ગોત્ર અને આર્યદેશમાં જન્મ મળે છે, તે પછી જ્ઞાનની પ્રાપ્તિ થાય
છે; માટે એવી ક્રિયા પણ જ્ઞાનની સાધનભૂત સમજવી જોઈએ. ૧૧૦૮ પ્ર. પ્રતિજ્ઞા કર્યા પછી ન જાણે કે ઉદય આવશે, અને તેથી પાછળથી
પ્રતિજ્ઞા ભંગ થાય તે મહાપાપ લાગે, માટે પ્રારબ્ધાનુસાર જે
કાર્ય બને તે બને, પણ પ્રતિજ્ઞા વિકલ્પ ન કરે તે ગ્ય છે ? ઉ. ના, તે બરાબર નથી. પ્રતિજ્ઞા ગ્રહણ કરતાં તો એવા પરિણામ
હોય કે—મરણાંત થતાં પણ પ્રતિજ્ઞા નહિ છોડું, તો એવી પ્રતિજ્ઞા કરવી યોગ્ય જ છે. પ્રતિજ્ઞા કર્યા વિના અવિરતસંબંધી બંધ મટે નહિ, જેમ-પોતાને જેટલું પચતું જાણે તેટલું ભજન કરે, પણ કદાચિત કોઈને ભેજનથી અજીર્ણ થયું હોય અને તે ભયથી પોતે ભેજન છોડે તે મરણ જ થાય, માટે જે બની શકે તે જ
પ્રતિજ્ઞા લેવી યોગ્ય છે. ૧૧૦૯ પ્ર. નિર્વસ પરિણામ એટલે શું ?
ઉ. જે જે પદાર્થોને જીવે ત્યાગ કર્યો છે કે તેની મર્યાદા કરી છે, વૃત્તિને
રોકવા જ્ઞાનીની સાક્ષીએ વ્રત લીધું છતાં વૃત્તિ વ્રતની મર્યાદા ઓળંગી, અવ્રત અવસ્થા મનથી સેવ્યા કરે છે, પાપની વાંછા
કર્યા કરે છે, તે નિર્વસ એટલે આત્મઘાતિ, હિંસક પરિણામ ગણાય. -૧૧૧૦ પ્ર. “અતિક્રમ”, “વ્યતિક્રમ”, “અતિચાર”, “અનાચારને અર્થ શું
છે ? તેનું પ્રાયશ્ચિત કેવી રીતે થાય ? પ્રતિકરણ, પ્રત્યાખ્યાન અને આલોચનામાં શું ફેર છે ?
“જ્ઞાન” એટલે આત્માને યથાતથ્ય જાણ તે. “
દન” એટલે આત્માની યથાતથ્ય પ્રતીતિ તે. “ચારિત્ર” એટલે આભા (આત્મામાં) સ્થિર થાય તે.
Page #355
--------------------------------------------------------------------------
________________
૩૩૩
ઉ. જેમ કાઇને અમુક વસ્તુનાં પ્રત્યાખ્યાન હોય છતાં તે વસ્તુ ગ્રહણુ કરવાના પ્રયત્ન કરે તે અતિક્રમ, તે વસ્તુની પાસે જાય તે વ્યતિક્રમ. તેને ગ્રહણ કરી લે તે અતિચાર, અને તે વસ્તુ ભાગવે તે અનાચાર. જાણીબૂઝી અને અભિપ્રાયપૂર્વક કરેલા અપરાધ તે અનાચાર કહેવાય છે અને પ્રમાદવશ ફક્ત કાઈ સૌંસ્કારના ક્ષણિક ઉદ્યવશ થઇને કરેલા અપરાધ તે અતિચાર છે. નિશ્ચયનયની દૃષ્ટિએ શુદ્ધાત્માની આરાધના સિવાય બીજું બધું અનાચાર છે. મુનિને અશુભભાવથી બચવા શુભભાવ આવે અને તે શુભભાવ પણ છે. તા અનાયાર. સ્વભાવમાં સ્થિર ન રહી શકવાની દુળતા પણુ અનાચાર છે.
અતિક્રમનું પાપ પશ્ચાતાપ કરવાથી, વ્યતિક્રમનું પાપ આલેવાથી, અતિચારનું પાપ પ્રાયશ્ચિતથી અને અનાચરનું પાપ મૂળ ત્રતાચ્ચાર કરવાથી પ્રાયશ્ચિત થાય છે.
પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલેચના વચ્ચેના તફાવત આ પ્રમાણે છે ઃ
અતીત (ભૂતકાળનાં) કર્મ પ્રત્યે મમત્વ છેડે, અને પૂર્વ લાગેલા દાષથી આત્માને નિવર્તાવે તે પ્રતિક્રમણ છે. અનાગત્ (ભવિષ્યમાં) કર્મ ન કરવાની પ્રતિજ્ઞા કરે અથવા દ્વેષ લગાડવાના ત્યાગ કરે (અર્થાત્ જે ભાવેાથી અગામી કમ બંધાય તે ભાવાનુ સમત્વ ડે) તે પ્રત્યાખ્યાન. ઉધ્યમાં આવેલા વમાન કનુ મમત્વ છેડે અથવા વર્તમાન વિપાકને પોતાથી (આત્માથી) અત્યંત ભેદપૂર્વક અનુભવતા થો, વર્તમાન દોષથી આત્માને જુદા કરવા તે આલેાચના છે.
૧૧૧૧ પ્ર. પ્રાયશ્ચિત કેટલા પ્રકારે છે ?
ઉ. પ્રાયશ્રિત દશ પ્રકારનું છે.
(૧) આલેાચના : ગુરુ સમક્ષ નિખાલસભાવે પોતાની ભૂલ પ્રકટ કરવી.
આત્માથી ને સાંસારિક સુખ તે ધાન્ય સાથે ઘાસની જેમ સહજ પ્રાપ્ય છે.
Page #356
--------------------------------------------------------------------------
________________
૩૩૪
(૨) પ્રતિક્રમણ : થયેલ ભૂલને અનુતાપ કરી તેથી નિવૃત્ત થવું
અને નવી ભૂલ ન કરવા માટે સાવધાન થવું. (૩) ઉભય : ઉક્ત આલોચના અને પ્રતિક્રમણ સાથે કરવાં. (૪) વિવેક ઃ ખાનપાન આદિ વસ્તુ જે અકલ્પનીય આવી જાય
અને પછી માલૂમ પડે તો તેને ત્યાગ કરે. (૫) વ્યુત્સર્ગ : એકાગ્રતાપૂર્વક શરીર અને વચનના વ્યાપાર
છોડી દેવા. (૬) તપ : અનશન આદિ બાહ્ય તપ કરવું. (૭) છેદ : દોષ પ્રમાણે દિવસ, પક્ષ, માસ કે વર્ષની પ્રવજ્યા ઘટાડવી. (૮) પરિહાર દેષપાત્ર વ્યક્તિને તેના દેષના પ્રમાણમાં પક્ષ, માસ
આદિ પર્યત કઈ જાતને સંસર્ગ રાખ્યા વિના જ દૂરથી
પરિહરવી. (૯) ઉપસ્થાપન : અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય આદિ મહાવ્રતનું
આપણુ કરવું.
(૧૦) શ્રદ્ધા. ૧૧૧૧૨ પ્ર. નિયમસારમાં પ્રાયશ્ચિતની વ્યાખ્યા જુદી આપી છે ને ?
ઉ. હા, અધ્યાત્મદષ્ટિથી–પ્રાયશ્ચિતઃપ્રાયઃ ચિર–પ્રકૃષ્ટ ચિત = ઉત્કૃષ્ટ
બેધ જ્ઞાન. ૧૧૧૩ પ્ર. જૈન દર્શનમાં ઉપવાસનું મહત્વ શું છે ?
ઉ. તીર્થકરે ઉપવાસ કરવાની આજ્ઞા કરી છે તે માત્ર ઇન્દ્રિયને વશ
કરવા માટે. એલા ઉપવાસ કરવાથી ઇન્દ્રિયે વશ થતી નથી, પણ ઉપયોગ હોય તો, વિચારસહિત થાય તે વશ થાય છે. જેમ લક્ષ વગરનું બાણ નકામું જાય છે તેમ ઉપગ વિનાને ઉપવાસ આત્માથે થતો નથી.
“દુર્બળ દેહને માસ ઉપવાસી, જે છે માયારંગ રે;
તે પણ ગર્ભ અનંતા લેશે, બેલે બીજું અંગ છે.” તિથિને અર્થે ઉપવાસ કરવાના નથી, પણ આત્માને અર્થે
દેખે પરાયા દેજને, એવા લાખ લોક છે, દષ્ટિ કરે નિજ દેષ પર, એવા વિરલા કેક છે.
Page #357
--------------------------------------------------------------------------
________________
૩૩૫
ઉપવાસ કરવાના છે. ઉપવાસ કરી તેની વાત બહાર ન કરે, બીજાની નિંદા ન કરે, ક્રોધ ન કરે; જે આ દેષ ઘટે તે મોટો લાભ થાય, તપાદિ આત્માને અર્થે કરવાના છે, લેકીને દેખાડવા અથે કરવાના નથી. કષાય ઘટે તેને “તપ” કહ્યો છે.
(જુઓ પ્રશ્ન-૧૦૨૪ થી ૧૦૨૬). ૧૧૧૪ પ્ર. અમુક માસમાં તિથિ ઘટે છે કેમ ?
ઉ. અષાઢ, ભાદર, કારતક, પિષ, ફાગણ અને વૈશાખ એ બધાના કૃષ્ણ પક્ષમાં એકેક તિથિ ઘટે છે. ઉપરના છએ માસ ૨૯ દિવસના હોય છે. તે સિવાયના બધા માસ ૩૦ દિવસના હોય છે. એ
હિસાબે ચંદ્રવર્ષ ૩૫૪ દિવસનું ગણાય. ૧૧૧૫ પ્ર. ટૂંકમાં “વિચાર” કહીએ છીએ તેનું પૂરું નામ શું છે ?
ઉ. “વિયાર” ટૂંકમાં કહેવાય છે, ખરેખર ચૌવિધ-આહારને ત્યાગ
તે પ્રત્યાખ્યાન છે. જુઓ પ્રશ્ન-૧૦૧૫ (૧). ૧૧૧૬ પ્ર. પર્યુષણ એટલે શું ?
ઉ. પરિવસનમ = પર્યુષણ. સમસ્ત પ્રકારે (આત્મામાં) નિવાસ કરે
તે છે પર્યુષણ. આત્માને પિતામાં સ્થિર કરી નિવાસ કરે તે પયુર્ષણ પર્વ એટલે પર વસ્તુનું અથવા પરભાવનું વમન કરવાને અવસર. પર્વને અર્થ છે પુણ્ય અથવા ધમકાળ, મંગળકાળ, પવિત્ર અવસર. કાર્યરૂપ પર્યુષણ; ઉપાદાનરૂપમાં આત્મા. અનાદિનિધન જૈનધર્મમાં પર્વ બે પ્રકારનાં છેઃ (૧) નિત્ય, (૨) નૈમિત્તિક.
સ્વભાવિક અનાદિથી ઉજવવામાં આવતાં પર્વ તે નિત્ય”, અને કેાઈ મહાપુરુષના પ્રસંગ વિશેષના નિમિત્તથી મનાવવામાં આવતાં પર્વ તે “નૈમિત્તિક છે. નિત્ય પર્વના બે ભેદ છે : અષ્ટાદ્વિકા અને દશ લક્ષણ ધર્મ. નિમિત્તિક પર અનેક હોય છે, જેવાં કે. તીર્થકરનાં કલ્યાણકે, અક્ષયતૃતિયા, દિવાળી વિગેરે. નિત્ય પર્વમાં જે અષ્ટાલિંકા પર્વ છે તે તો દર્શનપ્રધાન અને ભક્તિપ્રધાન છે અને જે દશ લક્ષણધર્મ પર્વ છે તે ચારિત્રપ્રધાન અને
પરિગ્રહનું લક્ષણ મૂચ્છ જ છે.
Page #358
--------------------------------------------------------------------------
________________
૩૩૬
આરાધનાપ્રધાન છે. પૂજા, ભક્તિપ્રધાન અજ઼ાહ્નિકા પર્વની જેમ આરાધના પત્ર પણ વર્લ્ડમાં ત્રણવાર આવે છેઃ-માહ, ચૈત્ર અને ભાદરવા માસની સુદ પાંચમથી ચૌદશ સુધી. આ ત્રણ આરાધના પ માં ભાદરવા મહિનાનું આરાધનપ` પર્યુષણ” અથવા “દશ લક્ષણી પ ” નામથી વિશેષ પ્રચલિત છે. (શ્વેતાંબર અને દિગંબરમાં તિથિના ફેર હોય છે અને શ્વેતાંબરમાં આઠ દિવસનાં પર્યુષણ હોય છે અને તે પૂરાં થાય ત્યારપછી ખીજે જ દિવસે દિગંબરનાં દશ દિવસનાં દશલક્ષણી પર્વ શરૂ થાય છે. અવસર્પિણી કાળના છઠ્ઠા આરાના અંત પછી ઉત્સર્પિણીકાળના છઠ્ઠો આરે। શ્રાવણ વદ એકમથી શરૂ થાય છે અને તે વખતે પાણી, દૂધ, ઘી, અમૃત વગેરેની સાત સાત દિવસની વૃષ્ટિ થાય અને વચ્ચે વચ્ચે સાત સાત દિવસના ઉધાડ નીકળે તેમ એગણુપચાસ દિવસ પછી ભાદરવા સુદ પાંચમના દિવસે જીવા વેદીએ અને મિલેામાંથી બહાર આવીને જમીનને ફળફૂલથી સમૃદ્ધ અને રસીલી જોઈ માંસાહાર આદિ અનાય પ્રવૃત્તિએના ત્યાગ કરે અને આ તા, સરલતા, ક્ષમાભાવ આદિનું ગ્રહણ કરે અને ત્યારપછીના દિવસે અનાદિથી મંગલમય પર્યુંષણ આરાધના પર્વ તરીકે ઉજવાતા આવે છે.
૧૧૧૭ પ્ર. પર્યુષણ આરાધના કેવી હોવી જોઇએ ?
ઉ. એકાંત યાગ્ય સ્થળમાં પ્રભાતેઃ
(૧) દેવર્ગુરુની ઉત્કૃષ્ટ ભક્તિત્તિએ અંતરાત્માના ધ્યાનપૂર્વક ખે ઘડીથી ચાર ઘડી સુધી ઉપશાંત વ્રત, (૨) શ્રુત “પદ્મનદી” આદિ અધ્યયન, શ્રવણ.
મધ્યાહ્ન ઃ (૧) ચાર ઘડી ઉપશાંત વ્રત (૨) શ્રુત ‘કર્મ ગ્ર ંથ’તું અધ્યયન, શ્રવણુ, “સુદષ્ટિતરંગિણી” આદિનું થાપુ
અધ્યયન.
અમ જેવું નથી કોઈ જગતમાં, ફોકટ શાને ફુલાવા, શેરને માથે સવાશેર છે, તે કેમ ભૂલી જા.
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૩૭
સાયંકાળેઃ (૧) ક્ષમાપનાને પાઠ (૨) બે ઘડી ઉપશાંત વ્રત
(૩) કર્મવિષયની જ્ઞાનચર્ચા. રાત્રિ ભેજન સર્વ પ્રકારને સર્વથા ત્યાગ. બને તો ભાદ્રપદ પૂર્ણિમા સુધી એકવખત આહારગ્રહણ પંચમીને દિવસે ઘી, દૂધ, તેલ, દહીંને પણ ત્યાગ. ઉપશાંત વ્રતમાં વિશેષ કાળ નિર્ગમન, બને તે ઉપવાસ ગ્રહણ કરવો. લીલેરી સર્વથા
ત્યાગ. બ્રહ્મચર્ય આઠે દિવસ પાળવું, બને તો ભાદ્રપદ પૂનમ સુધી. ૧૧૧૮ પ્ર. પર્યુષણની આરાધના માટે ક્યાં ક્યાં સાધને કહ્યાં છે ? ઉ. (૧) પહેલું સાધન સર્વત્ર અ–મારિ પ્રવર્તન. (સંપૂર્ણ અહિંસા).
પર્વની આરાધના કરવા ઈચ્છનારે પોતે જ આરંભ સમારંભની
ક્રિયા પણ તજવી જોઈએ. (૨) બીજુ સાધન સાધર્મિક વાત્સલ્ય : ફક્ત દુનિયાદારીની જ
વાત કરે તે સાધમ નહીં પણ જેઓ આત્મસ્વરૂપને વિકસાવનારા (વીર પ્રભુના) ધર્મનું ચિંતન કરવામાં સહાય કરે તે જ ધર્મી. એક પલ્લામાં બધા ધર્મ મૂકે અને બીજા પલ્લામાં સાધમ ભક્તિ મૂકે, તે સાધર્મ ભક્તિનું પલ્લું નીચે જાય; કારણ કે પહેલા પલ્લામાં તે ધર્મ જ છે અને આ
પલ્લામાં તે ધર્મ અને ધર્મી બેય ! (૩) ત્રીજું પરસ્પર ક્ષમાપના : સંવત્સરીના દિવસે પાપની
આલોચના હૃદયથી થાય; આલેચના કરતી વખતે આંખમાંથી પાછું આવે; એક એક પાપોને તીવ્ર પશ્ચાતાપ થાય. રોજને અભ્યાસી સાચું પ્રતિક્રમણ કરી શકે. ત્રણસેં સાઠમે દિવસે ત્રણ કલાક હોહા કરી જાય, એટલે માત્રથી પાપ ખલાસ
ન થાય. (૪) ચોથું સાધન અઠ્ઠમ તપ : દરેક પંદર દિવસે એક ઉપવાસનું
તપ, ચાર મહિને છઠ્ઠનું તપ અને વાર્ષિક પર્વમાં અઠ્ઠમનું તપ કહ્યું છે. સમ્યકત્વ વગરના તપની આ શાસનમાં તપ
હિન્દુ કહે રામ હમારા, મુસલમાન કહે ખુદા, કહત કબીર સુનો ભાઈ સાધે, અબ પકડ લે એક મુદ્દા
Page #360
--------------------------------------------------------------------------
________________
૩૭૮
તરીકેની ગણના નથી, કારણ કે સમ્યફત્વના તપમાં પૌગલિક
લાલસાને અભાવ હોય છે. (૫) પાંચમું ચેત્યની પરિપાટી : શ્રી જિનેશ્વરની ભક્તિ.
આ પાંચે કરવા યોગ્ય છે. ૧૧૧૯ ક. શ્રોતાઓના પ્રકાર કેટલા છે?
ઉ. શ્રી સુદષ્ટિતરંગિણી અનુસાર, પાષાણુ, ફૂટયા ઘડા, મેંઢા, ઘોડા,
ચાળણી, મસકસર્પ, પાડા સમાન આઠ મહા અશુભ; બિલાડી, બગલા, ડાંસ અને જળ સમાન ચાર અધમ, માટી અને પોપટ સમાન બે મધ્યમ; ગાય, બકરી, હંસ સમાન ત્રણ ઉત્તમ; નેત્ર, દર્પણ, ત્રાજવાની દાંડી અને કસોટી સમાન ચાર મહી ઉત્તમ એમ શ્રોતાઓના કુલ એકવીસ ભેદ બતાવ્યા છે. જેને લૌકિક ન્યાય-નીતિનું પણ ઠેકાણું નથી એવા જીવો શાસ્ત્રનું પ્રવચન કરે
અને તેને જે સાંભળવા જાય તે સાંભળવાવાળા પણ પાત્ર નથી. ૧૧૨૦ પ્ર. કોને મેક્ષાભિલાષી શ્રોતા જાણવા ?
ઉ. મોક્ષાભિલાષી શ્રોતાનું અંતઃકરણ સુશ્રુષા, શ્રવણ, ગ્રહણ, ધારણું,
મનને, ઉહ (પ્રશ્ન), અહિ (ઉત્તર) અને તત્વનિર્ણય સહિત હોય છે. વક્તાપણું તે તેરમે ગુણસ્થાનમાં પણ હોય છે, પરંતુ શ્રોતાપણું છઠ્ઠા ગુણસ્થાન સુધી જ હોય છે. નિમિત્તરૂપમાં એક જ વક્તા હોવા છતાં શ્રોતાઓના ઉપાદાન અનુસાર ઉપદેશ પરિણમન કરે છે–એવી સ્વતંત્રતા છે. પિતાના ઉપાદાનની તૈયારી વગર
ભગવાન પણ સમજાવી શકતા નથી. ૧૧૨૧ ક. “મુમુક્ષુતા” કોને કહે છે ? તે ક્યારે ઉત્પન્ન થાય છે ?
ઉ. ઘણું કરીને મનુષ્યાત્મા કઈ ને કઈ ધર્મમતમાં હોય છે, અને
તેથી તે ધર્મમત પ્રમાણે પ્રવર્તાવાનું તે કરે છે, એમ માને છે; પણ એનું નામ “મુમુક્ષુતા”નથી. “મુમુક્ષતા” તે છે કે સર્વ પ્રકારની મહાસક્તિથી મુંઝાઇ એક મેક્ષને વિષે જ યત્ન કરો અને તીવ્ર “મુમુક્ષુતા” એ છે કે અનન્ય પ્રેમે મેક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું. “મુમુક્ષુતા” ઉત્પન્ન થવાનું લક્ષણ પિતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે, અને તેને લીધે સ્વછંદને નાશ હોય છે.
જીવને માંહીથી અજીર્ણ મટે ત્યારે જ અમૃત ભાવે,
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૩૯
વિવેક વૈરાગ્યાદિ સદ્ગુણ પ્રાપ્ત થયા પછી જીવ યાગ્ય મુમુક્ષુ કહેવાય.
“યા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હાય મુમુક્ષુ ઘટ વિષે એહ સદાય સુાગ્ય.” માહના કામમાં મુંઝાય, મીઠાશ ન લાગે તે મુમુક્ષુતા છે. ૧૧૨૨ પ્ર. મુમુક્ષુ એટલે સમ્યક્દષ્ટિ ?
ઉ. મુમુક્ષુમાત્ર સમ્યક્દૃષ્ટિ જીવ સમજવા નહીં. ૧૧૨૩ પ્ર. મુમુક્ષુતા કેમ વર્ધમાન અને નિસ્ળ થાય ?
ઉ. આરંભ અને પરિગ્રહના જેમ જેમ મેાહ મટે છે, જેમ જેમ તેને વિષેથી પોતાપણાનુ અભિમાનમદ પરિણામ પામે છે, તેમ તેમ મુમુક્ષુતા વમાન થયા કરે છે. આરંભ પરિગ્રહને વારવારના પ્રસંગે વિચારી વિચારી પોતાનાં થતાં અટકાવવાં; ત્યારે મુમુક્ષુતા નિમ ળ થાય છે.
૧૧૨૪ પ્ર. મુમુક્ષુએને ધ્યાનમાં રાખવા ચેાગ્ય ઉપદેશ કહા ?
ઉ. આત્મા સંબધી અભ્યાસ વધારવાના વિચાર કરવા. સંસારમાં ઉદાસીનતા. પરના અપ ગુણમાં પણુ પ્રીતિ. પોતાના અલ્પ દોષને વિષે પણ અત્યંત કલેશ. દોષના વિલયમાં અત્યંત વીનું સ્ફુરવુ. જેમ બને તેમ નિવૃત્તિકાળ, નિવૃત્તિક્ષેત્ર, નિવૃત્તિદ્રવ્ય અને નિવૃત્તિભાવને ભજો. સમયમાત્ર પણ પ્રમાદ યાગ્ય નથી.
૧૧૨૫ પ્ર. નિવૃત્તિવાળાં ક્ષેત્રે, જેને નિવૃત્તિ થઈ નથી તેને કેવા આકારે
પરિણમે છે ?
ઉ. જેને નિવૃત્તિ થઈ નથી તેને પ્રથમ તા એમ થાય છે કે આ ક્ષેત્ર સારું છે, અહીં રહેવા જેવુ છે,” પણ પછી એમ કરતાં વિશેષ પ્રેરણા થવાથી ક્ષેત્રાકાત્તિ થઈ જાય છે.
૧૧૨૬ પ્ર.જ્ઞાનીની વૃત્તિ ક્ષેત્રાકાર ન થાય? ન થાય તે શુ કારણથી ? ઉ. જ્ઞાનીની વૃત્તિ ક્ષેત્રાકાર ન થાય, કારણ કે,
ક્ષેત્ર નિવૃત્તિવાળું છે, અને પેાતે પણ નિવ્રુત્તિભાવ પામેલા છે. એટલે બન્ને યાગ અનુકૂળ છે.
કોઇનુ દીધું દેવાતું નથી, કોઈનુ લીધુ લેવાતું નથી. જીવ ફોગટ કલ્પના કરી રઝળે છે,
Page #362
--------------------------------------------------------------------------
________________
૩૪૦
૧૧૨૭ પ્ર. ગૃહસ્થ વ્યવહારમાં વર્તાતા મુમુક્ષુજીવે પ્રથમ શાના નિશ્ચય કરવે જોઇએ ?
. જે મુમુક્ષુજીવ ગૃહસ્થ વ્યવહારમાં વતા હાય, તણે તા અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવુ જોઇએ. નહી તા ઉપદેશાદિનું નિષ્ફળપણુ થાય છે. વ્યાદિ ઉત્પન્ન કરવા આદિમાં સાંગેાપાંગ ન્યાયસ ંપન્ન રહેવું તેનું નામ નીતિ છે. એ નીતિ મૂકતાં પ્રાણ જાય એવી દશા આવ્યે ત્યાગ વૈરાગ્ય ખર્ચ સ્વરૂપમાં પ્રગટે છે, અને તે જ જીવને સત્પુરુષના વચનનું તથા આજ્ઞાધર્મનું અદ્ભુત સામર્થ્ય, મહાત્મ્ય અને રહસ્ય સમજાય છે. જે છત્ર કલ્યાણની આકાંક્ષા રાખે છે, અને પ્રત્યક્ષ સત્પુરુષને નિશ્ચય છે, તેને પ્રથમ ભૂમિકામાં એ નીતિ મુખ્ય આધાર છે. કઠણ વાત છે માટે ન. ખને, એ કલ્પના મુમુક્ષુને અહિતકારી છે અને છેડી દેવા યાગ્ય છે. ૧૧૨૮ પ્ર. નીતિ તથા સદાચાર એટલે શુ ? તે માટે કવે વ્યવહાર હોવા જોઇએ ?
. જે આચરણ આત્માની પ્રાપ્તિમાં સહકારી કારણ થાય તેને સદાચાર કહેવાય. તેનું બીજું નામ સામાન્ય નીતિ પણ છે.. નીતિનું પાલન કરવા ઇચ્છતા મુમુક્ષુને વ્યવહાર સહેજે નીચે પ્રમાણે હવા જોઇએ.
(૧) કાઇ પણ મનુષ્ય સાથે વિશ્વાસઘાત કરવા નહીં. (૨) કાઇના ઉપર ખાટું આળ મૂક્યું નહીં.
(૩) લેણદેણુમાં ખેાટી દાનત રાખી એછું અધિક આપવુ નહીં કે ભેળસેળ કરીને આપવું નહીં.
(૪) છળકપટથી બુદ્ધિપૂર્વક કાર્યની સાથે છેતરપિંડી કરવી નહીં.. (૫) સાત વ્યસનના સર્વથા ત્યાગ કરવા (જુએ પ્રશ્ન-૮૩૧) (૬) સરકારના કાયદા પ્રમાણે કરવેરા આદિ ભરવામાં નિયમિત અને પ્રામાણિક થવું.
૧૧૨૯ પ્ર. ક્યાં કારણેાથી જીવને શિક્ષા પ્રાપ્ત થતી નથી ? ઉ. આ પાંચ કારણેાને લઈને શિક્ષા પ્રાપ્ત થતી નથી.
મેાક્ષના કામમાં જે જ્ઞાન ન આવે તે અજ્ઞાન.
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૪૧ .
(૧) અભિમાન, (૨) કેધ, (૩) પ્રમાદ, (૪) રોગ અને
(૫) આળસ, ૧૧૩૦ પ્ર. ક્યા ગુણ અથવા સ્થિતિથી માણસને શિક્ષણશીલ કહેવામાં આવે છે?
ઉ. આઠ સ્થિતિઓ અથવા કારણોને લઈને માણસને શિક્ષણશીલ
કહેવામાં આવે છેઃ (૧) હાંસી-મજાક ન ઉડાવવી, (૨) હંમેશાં ઈન્દ્રિય અને મનનું દમન કરવું, (૩) કોઈની ગુપ્ત વાત પ્રકાશમાં ન આણવી, (૪) અશીલ (સર્વ પ્રકારે આચારવિહીન) ન બનવું, (૫) વિશીલ (દષોથી કલંકિત) ન બનવું, (૬) અતિશય રસલુપતા
ન હોવી, (૭) અધી રહેવું, (૮) સત્યમાં રત રહેવું. ૧૧૩૧ પ્ર. કઈ પણ કર્મ કરતાં વ્યવહારે કે ઉપયોગ રહે જોઇએ ?
ઉ. બે પાંચ હજાર રૂપિયાનું નુકસાન થઈ જાય તે તેને ભય રહે છે.
તે ભય હું જીવ છું અને કર્મ કરીશ તે મારે જ ભેગવવું પડશે તેવો ભય ઉપયોગ ઉપર રહેવું જોઈએ. અન્યને ઉપર ઠેષ કરીશ તે તેનું કાંઈ બગડવાનું નથી, તેમ કરી તું તારે જ પરભવ બગાડી રહ્યો છે. તું એકલે જ આવ્યું છે, તારે જવાનું પણ એકલા જ છે. સર્વે સ્વજન પ્રાણીઓ અને વસ્તુઓમાં મમત્વભાવને ત્યાગ
કરી એકત્વ ભાવનામાં રક્ત બને. ૧૧૩૨ પ્ર. ઈન્દ્રિયો જીતવા પ્રથમ શું ઉપાય કરવો ?
ઉ. મનને વશ કરવું એ સર્વોત્તમ છે. એના વડે સઘળી ઈન્દ્રિયે વશ
કરી શકાય છે. મન જીતવુ બહુ દુર્ઘટ છે, એક સમયમાં અસંખ્યાતા યેાજન ચાલનારા અશ્વ તે મન છે. મન જ બંધ અને મોક્ષનું કારણું છે. મન જ સર્વ સંસારની મોહિનીરૂપ છે. મન વડે ઈન્દ્રિયની
લુપતા છે. ભજન, વાજિંત્ર, સુગંધી, સ્ત્રીનું નિરીક્ષણ, સુંદર
વિલોપન એ સઘળું મને જ માગે છે. ૧૧૩૩ પ્ર. મને નિપ્રહતામાં વિદનરૂપ ક્યા દે છે.
ઉ. અષ્ટાદશ પાપસ્થાનક ત્યાં સુધી ક્ષય થવાના નથી કે જ્યાં સુધી
નીચેનાં અષ્ટાદશ વિદનથી મનને સંબંધ છે. નીચેનાં અષ્ટાદશ દોષ જવાથી મનોનિગ્રહતા અને ધારેલી સિદ્ધિ થઈ શકે છે.
સ્વભાવમાંથી પરભાવમાં ન જવા દે તે ધર્મ.
Page #364
--------------------------------------------------------------------------
________________
૩૪૨
(૧) આળસ, (૨) અનિયમિત ઉધ, (૩) વિશેષ આહાર, (૪) ઉન્માદ પ્રકૃતિ, (૫) માયા પ્રપંચ, (૬) અનિયમિત કામ, (૭) અકરણીય વિલાસ, (૮) માન, (૮) મર્યાદા ઉપરાંત કામ, (૧૦) આપવડાઈ, (૧૧) છ વસ્તુથી આનંદ, (૧૨) રસગારવ લુબ્ધતા, (૧૩) અતિભેગ, (૧૪) પારકું અનિષ્ટ ઈચ્છવું, (૧૫) કારણ વિનાનું રળવું, (૧૬) ઝાઝાને સ્નેહ, (૧૭) અયોગ્ય સ્થળે જવું,
(૧૮) એકકે ઉત્તમ નિયમ સાપ્ય ન કર. ૧૧૩૪ પ્ર. મોનિગ્રહનાં સાધને ક્યાં છે ?
ઉ. અલ્પ આહાર, અલ્પ વિહાર, અ૫ નિંદ્રા, નિયમિત વાચા, નિયમિત કાયા, અને અનુકુળ સ્થાન એ મનને વશ કરવાનાં ઉત્તમ સાધને છે. મનની સ્થિરતા થવાને મુખ્ય ઉપાય હમણું તે
પ્રભુભકિત સમજે. આગળ પણ તે અને તેવું જ છે. ૧૧૩૫ પ્ર. રાગ કોને કહે છે ? ઉ. માયા, લેભ, એ બે કપાય તથા હાસ્ય, રતિ અને ત્રણ પ્રકારના
વેદ એ બધાનું નામ રગ છે. ૧૧૩૬ ક. ઠેષ કાનું નામ છે ?
ઉ. કેધ, માન એ બે કષાય અને અરતિ, શક, ભય, જુગુપ્સા એ
બધાનું નામ ઠેષ છે. ૧૧૩૭ પ્ર. મેહ કોને કહે છે ?
ઉ. સામાન્યપણે રાગ-દ્વેષ અને મેહ એ બધાનું નામ મેહ છે.
- મેહકમના ઉદયથી આત્મા પિત જ સુખ-દુઃખ માને છે. ૧૧૩૮ પ્ર. રાગ-દ્વેષ હોય ત્યાં મોહ હોય કે નહિ ? તે બેમાં શું ભેદ છે ?
ઉ. જ્યાં મોહ હોય ત્યાં રાગ-દેષ હોય જ પણ રાગદ્વેષ હોય ત્યાં મોહ
હોય જ તેવું ચક્કસ નથી. મોહ હોય અથવા ન પણ હોય. રાગ-દ્વેષ એ ચારિત્ર ગુણની વિકારી પર્યાય છે. મેહ તે શ્રદ્ધા ગુણની વિકારી પર્યાય છે.
સર્વને બાદ કરતાં કરતાં જે અબાધ્ય અનુભવ રહે છે તે આત્મા છે,
Page #365
--------------------------------------------------------------------------
________________
.
૩૪૭
૧૧૩૮ પ્ર. રાગ-દ્વેષનાં પરિણામ જીવને કર્મને ઉદયથી થાય છે કે તે જીવને
પિતાને વિકાર છે ? ઉ. પર નિમિત્ત જીવને રાગાદિ કરાવતા નથી, અશુદ્ધ ઉપાદાનથી જીવ પિતે જ રાગાદિની પર્યાય કરે છે. નિશ્ચયથી વિકાર જીવને જ છે. તેમ નિશ્ચયને લક્ષમાં રાખીને તે વખતે નિમિત્તને સહચર દેખીને પ્રમાણથી બેનું જ્ઞાન કરાવે છે. પરની અપેક્ષા રાખ્યા વિના જ પોતાના ઊંધા પુરુષાર્થથી પિતાની પર્યાયમાં (રાગાદિ)
થયાં કરે છે. ૧૧૪૦ છે. જે રાગ-દ્વેષ નથી, તે અન્ય મત બૂરા અને જૈન મત ભલે,
એમ કેવી રીતે કહે છે ? જે સામ્યભાવ હોય તો સર્વને સમાન
જાણો, મતપક્ષ શા માટે કરે છે ? ઉ. બૂરાને બૂરે કહીએ તથા ભલાને ભલે કહીએ, એમાં રાગ-દ્વેષ
શો કર્યો ? બૂરા-ભલાને સમાન જાણવા, એ તે અજ્ઞાનભાવ છે, પણ કાંઈ સામ્યભાવ નથી. માટે જેમાં વીતરાગભાવનું જ પ્રોજન છે, એવો જનમત જ ઈષ્ટ છે, પણ જેમાં સરાગભાવનું પ્રયોજન પ્રગટ કર્યું છે એવા અન્ય મતે અનિષ્ટ છે, તેને સમાન કેમ
મનાય ? ૧૧૪ પ્ર. શાસ્ત્રમાં સમભાવને અર્થ શું છે?
ઉ. મોહ-ક્ષોભ અથવા રાગ-દ્વેષ મેહ રહિત જે આમાનાં પરિણામ
છે તે જ સમભાવ છે, તે જ ચારિત્ર છે. જેનાથી આશાઓ શીવ્ર નાશ પામે છે. અવિદ્યા-અજ્ઞાન ક્ષણમાં ક્ષય થઈ જાય છે અને
ચિત્તરૂપી સર્પ મરણ પામે છે, તે સમભાવના છે. ૧૧૪૨ પ્ર. જાત્રાએ જવાને હેતુ શું છે ?
ઉ. જે જે સ્થાનમાં મહાપુરુષો વિચર્યા છે તે સ્થાને માં જવું તે જાત્રા
જાત્રા એટલે જીવવું પણ થાય છે. જાત્રાએ જવાનો હેતુ એક તે એ છે કે ગ્રહવાસની ઉપાધિથી નિવૃત્તિ લેવાય; સે બસ રૂપિયા ઉપરથી મૂછ ઓછી કરાય; પરદેશમાં દેશાટન કરતાં, કોઈ પુરુષ
એજી રાજા, ચારણ, વાણિયે ને ચોથી નાની નાર, એટલાને ભક્તિ ઉપજે નહિ, અને ઉપજે તે બેડો પાર.
Page #366
--------------------------------------------------------------------------
________________
४४
શોધતાં જડે તે કલ્યાણ થાય. દાનધર્મમાં પ્રવૃત્તિ થાય; શરીરનું શાતાશાળિયાપણું ટળે અને વાત્સલ્ય તથા પ્રભાવનારૂપ ગુણ વૃદ્ધિ પામે આ કારણથી જાત્રા કરવાનું બતાવ્યું છે. સ્વાલખી ઉપયોગરૂપ સ્વરૂપને સાધીને જે ક્ષેત્રથી સિદ્ધ થયા તે જ ક્ષેત્રે સમણીએ ઉર્વ સિદ્ધપણે બિરાજે છે. તેના સ્મરણના કારણરૂપ
આ તીર્થો નિમિત્ત છે. ૧૧૪૩ પ્ર. હાલના વખતમાં મનુષ્યનું આયુષ્ય કેવી રીતે વ્યતીત થાય છે ?
ઉ. હાલના વખતમાં મનુષ્યનું કેટલુંક આયુષ્ય બાળપણમાં જાય,
કેટલુંક સ્ત્રી પાસે જાય, કેટલુંક નિંદ્રામાં જાય, કેટલુંક ધંધામાં
જાય, અને સહેજ રહે તે કુગુરુ લૂંટી લે. ૧૧૪૪ પ્ર. હું ધર્મ પામ્યો નથી, હું ધર્મ કેમ પામીશ? એવો ખેદ ઉત્પન્ન
થયા કરે તે શું વિચારવું ? ઉ. એ આદિ ખેદ નહીં કરતાં વીતરાગ પુરુષોને ધર્મ જે દેહાદિ સબંધથી હર્ષવિષાદવૃત્તિ દૂર કરી આત્મા અસંગ–શુદ્ધ-ચૈતન્ય
સ્વરૂપ છે, એવી વૃત્તિને નિશ્ચય અને આશ્રય ગ્રહણ કરી તે જ વૃત્તિનું બળ રાખવું, અને મંદ વૃત્તિ થાય ત્યાં વીતરાગ પુરુષોની દશાનું સ્મરણ કરવું, તે અદ્ભુત ચારિત્ર પર દષ્ટિ પ્રેરીને વૃત્તિને અપ્રમત્ત કરવી, એ સુગમ અને સર્વોત્કૃષ્ટ ઉપકારક
તથા કલ્યાણ સ્વરૂપ છે. ૧૧૪૫ પ્ર. સંલેખનાગ્રત લેનાર અનશન આદિ દ્વારા શરીરને અંત આણે
છે, એ તે આત્મહત્યા થઈ, તો પછી એને વ્રત તરીકે કેવી રીતે યોગ્ય ગણાય ? ઉ. દેખીતું દુઃખ હોય કે દેખીતે પ્રાણુનાશ હોય તેટલા માત્રથી તે
હિંસાની કોટિમાં નથી આવતાં. યથાર્થ હિંસાનું સ્વરૂપ રાગ, દ્વેષ અને મેહની વૃત્તિથી ઘડાય છે. સંલેખના વ્રતમાં પ્રાણને નાશ છે ખરે, પણ તે રાગ, દ્વેષ કે મેહથી ન થતો હોવાથી હિંસા કોટિમાં આવતા નથી.
-
રાજા રાણું ચકધર હથિયનકે અસવાર, મરના સબકે એક દિન, અપની અપની વાર.”
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૪૫
૧૧૪૬ પ્ર. કમળપૂજા, ભૈરવજપ, જળસમાધિ, સતિ વિગેરે અનેક જૈનેતર પ`થામાં પ્રાણુનાશ કરવાની અને તે ધર્મ માનવાની પ્રથા હતી અને ચાલુ છે, તેમાં અને સલેખનાની પ્રથામાં શો ફેર ?
ઉ. પ્રાણુનાશની સ્થૂલ દષ્ટિ એ બઘું સરખું જ છે; ફેર હોય તે તે તેની પાછળની ભાવનામાં જ હોઈ શકે. જૈન ઉપાસનાનું ધ્યેય તેના તત્ત્વજ્ઞાન પ્રમાણે પરાપણું કે પરપ્રસન્નતા નથી, પણુ આત્મશાધન માત્ર છે.
c MM
જે જીવ દાગ્રહ, મતમતાન્તરાદિ છોડી ન શકે તેને છૂટવાની આશા છેડી દેવી.
Page #368
--------------------------------------------------------------------------
________________
૧૫ સાધુ ઘમ
૧૧૪૭ ક. હવે વ્યવહાર સમ્યક્યારિત્ર કેને કહે તે સમજાવે.
ઉ. જે મૂળ ચારિત્ર તે ન હોય પરંતુ ચારિત્રના પ્રકાશવામાં સહાયક હોય તેને જ વ્યવહાર ચારિત્ર કહે છે. જ્યાં નિશ્ચય સમ્યફચારિત્રરૂપ
સ્વાત્માનુભવ ઉપર લક્ષ છે, એની જ ખેજ છે, અને તેથી તેનાં નિમિત્ત સાધનને સંગ્રહ કરવામાં આવે તેને વ્યવહાર સમ્યફડ્યારિત્ર કહેવાય છે. પણ જે વ્યવહાર ચારિત્ર પાળે પરંતુ તે વડે નિશ્ચય સમચારિત્રને લાભ કે પ્રાપ્તિ ન પામી શકે તે તે વ્યવહાર,
ચારિત્ર યથાર્થ કહેવાય નહિ. ૧૧૪૮ પ્ર. વ્યવહાર સચ્ચારિત્ર કેટલા પ્રકારે હોય છે ?
પ્ર. વ્યવહાર સમ્યફચારિત્ર બે પ્રકારનું છે. એક અણગાર અથવા
સાધુચરિત્ર, બીજુ સાગાર અથવા શ્રાવક ચારિત્ર. ૧૧૪૯ પ્ર. અનગાર કે સાધુ ચારિત્ર કોને કહે છે ?
પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન, એમ તેર. પ્રકારનું વ્યવહાર ચારિત્ર સાધુને ધર્મ કહેવાય છે. તેમાં પાંચ મહાવત મુખ્ય છે. શ્રાવકની નિમ્નભૂમિકામાં જે વાત વ્રતરૂપ હતી તે જ વાત સાધુની ઉન્નત ભૂમિકામાં ચારિત્રરૂપ થઈ જાય છે. શ્રાવક જે વાતને પ્રતિજ્ઞાબદ્ધ થઈ નિશ્ચિત સમય માટે પ્રાપ્ત કરવા
પ્રયત્ન કરે છે તે સાધુને વિના પ્રયત્ન સહજ સિદ્ધ છે. ૧૧૫૦ પ્ર. સાધુનાં પાંચ મહાવ્રત કહે..
ઉ. અહિંસા, સત્ય, અચૌર્ય બ્રહ્મચર્ય, પરિગ્રહત્યાગ, એ પાંચ મહાવ્રત
છે. જો કે તે પાંય છે તો પણ એક અહિંસા મહાવ્રતમાં બાકીનાં.
Page #369
--------------------------------------------------------------------------
________________
૩૪૭.
ચાર સમાવેશ પામે છે. અસત્ય બલવાથી, ચેરી કરવાથી, કુશીલ
ભાવથી, પરિગ્રહની તૃષ્ણથી આત્માના ગુણને ઘાત થાય છે. ૧૧૫૧ પ્ર. અહિંસાના કેટલા પ્રકાર છે ?
ઉ. અહિંસાના બે પ્રકાર છે. ભાવહિંસા અને દ્રવ્ય હિંસા. જે રાગદ્વેષથી.
ક્રોધ, માન, માયા, લોભાદિથી અથવા પ્રમાદભાવથી આત્માના શુદ્ધ શાંત ભાવને ઘાત થાય છે તે ભાવને ભાવહિંસા કહે છે.. પછી જ્યારે ક્રોધવશ કેઈને મારે પીટે છે અથવા હાનિ પહોંચાડે.
છે ત્યારે દ્રવ્ય હિંસા થાય છે. ભાવહિંસા દ્રવ્યહિંસાનું કારણ છે. ૧૧પર પ્ર. સંકલ્પી અને આરંભી હિંસા કોને કહે છે ? ઉ, જે પ્રાણાધાત હિંસાને સંક૯૫પૂર્વક કરવામાં આવે છે તે સંકલ્પી,
હિંસા છે, જેમ પશુને ધર્મના નામે કાપવાં, શિકાર કરે, માંસાહાર માટે પશુઓ કાપવાં આદિ. આરંભી હિંસા તે છે કે જે ગૃહસ્થીને આવશ્યક સંસારી કાર્યોમાં કરવી પડે છે. ત્યાં હિંસા કરવાનો સંકલ્પ હોતો નથી આરંભી. હિંસાના ત્રણે ભેદ છે.
નિશ્ચયનયથી કોઈ જીવ બીન જીવને હણી શકતા નથી, મારી નાખતું નથી; કારણ કે આયુષ્ય કર્મ ફેરવી શકાતું નથી. નિશ્ચયનયથી હિંસા તેને કહે છે કે જે પ્રમાદને આધીન થઈ અન્ય પ્રાણીના પ્રાણને વધ કરે, નાશ કરે. બીજા જીવનાં પરિણામ કલેશિત દુઃખી થાય છે તે તેની હિંસા છે અને આપણે ઉપર ચૂકી પ્રમાદને વશ થયા, તે આપણું આત્માને ઘાત છે. “ઉપયોગ, ધર્મ.” એમ જ્ઞાનીએ કહ્યું છે. તે શુદ્ધ ઉપગ જ્ઞાનીએ જેવો જાણે છે તે મારે આત્મા છે. તેને લક્ષ ચૂકાય છે ત્યાં આપણું આત્માની હિંસા થાય છે. બીજા જીવના પ્રાણ ન દુભાય તે પણ આપણા આત્માને ઘાત થાય છે તે પાપ છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં આવે છે કે રાગની ઉત્પત્તિ તે હિંસા તથા રાગની. અનુત્પત્તિ તે અહિંસા છે.
કામ કેાધ મદ લોભની જ્યાં સુધી મનમાં ખાણ, ત્યાં સુધી પંડિત, મુરખે, બન્ને એક સમાન,
Page #370
--------------------------------------------------------------------------
________________
૩૪૮
૧૧૫૩ પ્ર. આરંભી હિંસાના ત્રણ ભેદ કહેા.
ઉ. (૧) ઉદ્યમી : જે આવિકા-સાધનના હેતુ અસિકમ (શસ્રક), મસિકમ (લખવુ તે), કૃષિકમ (ખેતી), વાણિજ્યકર્મ, શિલ્પકર્મ અને વિદ્યાકમ્ (કળા, સંગીત) એ છ પ્રકારનાં કામેા કરતાં હિંસા થાય છે, તે ઉદ્યમી હિંસા.
(ર) ગૃહારભી : જે ઘરમાં આહાર, પાન તૈયાર કરવામાં તથા મકાન, બાગ, કૂવા ખાદાવવા આર્દિમાં થાય છે તે.
(૩) વિરાધી : દુષ્ટા દ્વારા અથવા શત્રુ દ્વારા આક્રમણ કરવામાં આવે ત્યારે પેાતાની, પેાતાના કુટુંબની, માલની, દેશની રક્ષા માટે થાય છે.
૧૧૫૪ પ્ર. સમરંભ, સમારંભ અને આરંભ એમ ત્રણ પ્રકારના પ્રારંભ કહ્યા
છે તે સમજાવેા.
ઉ. સમર`ભ એટલે હિ'સાની પ્રવૃત્તિ કરવાની ઇચ્છા કરવી, સમારંભ એટલે એવી સામગ્રી એકઠી કરવી અને આરંભ એટલે હિંસાની પ્રવૃત્તિ કરવી તે.
૧૧૫૫ પ્ર. ત્ય મહાવ્રત કેટલા પ્રકારે હાય છે?
. સત્ય મહાવ્રતમાં ચાર પ્રકારનું અસત્ય ખેલતા નથી : (૧) જે વસ્તુ હાય તેને નથી એમ કહેવું, (૨) જે વસ્તુ ન હોય તેને છે એમ કહેવુ', (૩) વસ્તુ હોય તેના કરતાં ખીજી કહેવી, (૪) ગૃહિત, અપ્રિય અને હિંસક વચન ખેાલવાં, કઠેર નિ'નીયગાળાના શબ્દો કહેવા.
૧૧૫૬ પ્ર. ગહિત-નિદાના વચનના કેટલા ભેદ છે ?
ઉ. ગહિ ત વચનના ત્રણ ભેદ છે ઃ ૧. ગર્હિત, ૨. સાવદ્ય અને કે. અપ્રિય ૧૧૫૭ પ્ર. ગતિ વચનના કેટલા પ્રકાર છે ?
ઉ. ગહિત વચનના પાંચ પ્રકાર છે : ૧. પૈશુન્ય, ૨. હાસ્ય, ૩. કર્કશ, ૪. અસમંજસ, અને પ. પ્રલપિત, ઈત્યાદિ. સૂત્રવિરુદ્ધ વચન હેિ ત
વચન ગણાય.
જ્યાં લગે આતમદ્રવ્યનું લક્ષણ નિવે જાણ્યું; તિહાં લગે ગુણઠાણું ભલું કિમ આવ્યે તાણ્યુ.
Page #371
--------------------------------------------------------------------------
________________
૩૪૯
૧૧૫૮ પ્ર. પશુન્ય વચન કોને કહેવાય ? - ઉ. પરમાં હોય કે ન હોય તેવા દેશે તેની પૂંઠ પાછળ કહેવા, તથા.
કાઈના ધનને, આજીવિકાને કે પ્રાણને નાશ થાય, તથા જગતમાં
કેઈની નિંદા ફેલાય એવાં વચને પશુન્ય નામે ગહિંત વચન છે. ૧૧૫૯ પ્ર. હાસ્ય નામે ગહિત અસત્ય વચન કોને કહે ?
ઉ. મશ્કરી કરવા વિકારી વચન બોલવાં તથા સાંભળનારને પાપમાં
પ્રેરનાર તે. ૧૧૬૦ પ્ર. કર્કશ વચન કોને કહે છે ?
ઉ. કાઈને એમ કહેવું કે તું મંદ છે, મૂખ છે, અજ્ઞાની છે તે. ૧૧૬૧ પ્ર. અસમંજસ વચન કોને કહેવાય ?
ઉ. દેશ, કાળને યોગ્ય નહીં તેવાં પિતાને અને પરને મહાસંતાપ.
ઉપજાવનારાં વચન. ૧૧૬૨ પ્ર. પ્રલપિત વચન એટલે શું ?
ઉ. પ્રજન વગર ઉદ્ધતપણે બકવાસ કરવો તે. ૧૧૬૩ પ્ર. સાવદ્ય વચન કેને કહે છે?
ઉ. જે વચનથી પ્રાણીઓને ઘાત થાય, દેશમાં ઉપદ્રવ થાય, દેશ લૂંટાઈ.
જાય, કલહ, કંકાસ, લડાઈ મંડાય, વેર બંધાય, મહહિંસામાં પ્રવૃત્તિ થાય તે સાવદ્ય કહેવાય છે. કેઈને ચોર, વ્યભિચારી.
વગેરે સાવદ્ય વચન કહેવાં એ દુર્ગતિનું કારણ છે. ૧૧૬૪ પ્ર. અપ્રિય વચનના કેટલા પ્રકાર છે ?
ઉ. અપ્રિય વચનના દશ ભેદ છે ઃ ૧. કર્કશ, ૨. કટક, ૩. પરુષ,
૪. નિષ્ફર, ૫. પરાપણી, ૬. મધ્યક્ષ, ૭. અભિમાની, ૮. અનયંકર,
૯. છેદ કર, અને ૧૦. ભૂતવધકર. ૧૧૬૫ પ્ર. ઉપરના દશ પ્રકારનાં અપ્રિય વચને સમજાવે. ઉ, ૧, “તું મૂર્ખ છે, આખલે છે, ઢોર છે, હે મૂર્ખ ! તું શું સમજે”
ઈત્યાદિ કર્કશ ભાષા છે.
જ્યાં લગી આતમા તત્વ ચીને નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી.
Page #372
--------------------------------------------------------------------------
________________
૩પ૦
૨. “તું કજાત, હલકી વર્ણન છે. અધમ છે, મહાપાપી છે,
અપશુકનિયાળ છે” ઇત્યાદિ કટુક વચને છે. ૩. “તું ભ્રષ્ટાચારી છે, મહાદુષ્ટ છે” ઇત્યાદિ મમછેદક પરુષ
ભાષા છે. ૪. “તારું નાક કાપીશું, તને ડામ દઈશું, તારું માથું કાપીશું,
તને ખાઈ જઈશું” ઇત્યાદિ નિષ્ફર ભાષા છે. ૫. “હે નિલજજ, વર્ણસંકર ! તારી જાત,કુળ, આચારનું ઠેકાણું
નથી. જોયું તારું તપ, તું કુશીલ છે, લંપટ છે, તારું નામ
લેતાં લાજી મરાય છે, ઈત્યાદિ પર પણ ભાષા છે. ૬. જે વચન સાંભળતાં જ સાંધા ગગડી જાય તે મધ્યકૃષ ભાષા છે. ૭. પિતાને મેઢે પિતાના ગુણ ગાવા, પરના દોષ પ્રગટ કરવા,
મદ દર્શાવવા વચન બોલવાં તે અભિમાની ભાષા છે. ૮. શીલ ખંડન કરાવનારી અને બંધાવનારી અનયંકર ભાષા છે. ૯. વીર્ય, શીલગુણ આદિને નિર્મળ કરનારી, જૂઠા દેષ પ્રગટ
કરનારી, જૂઠાં આળ ચઢાવનારી છેદંકર ભાષા છે. ૧૦. જે વચન સાંભળી અસહ્ય ઘા લાગી જાય અથવા પ્રાણ છૂટી
જાય તે ભૂતવધકર ભાષા છે. ૧૧૬૬ પ્ર. શીલ અથવા બ્રહ્મચર્ય કેટલા પ્રકારે હોય છે ?
ઉ. અચેતન સ્ત્રી ત્રણ (કઠેર સ્પર્શ, કોમળ સ્પર્શ, ચિત્રપટ) પ્રકારની,
તે સાથે ત્રણ કરણ (કરણ, કરાવણ અને અનુમોદન)થી, બે (મન, વચન) યોગ દ્વારા, પાંચ ઈન્દ્રિય (કર્ણ, ચક્ષુ, નાસિકા,જીભ, સ્પર્શ)થી, ચાર સંજ્ઞા (આહાર, ભય, મિથુન, પરિગ્રહ,) સહિત દ્રવ્યથી અને ભાવથી સેવન–૩૪૩૮૨૫૪૪૨ = ૭૨૦ ભેદ.
ચેતન સ્ત્રી (દેવી, મનુષ્ય, તિર્યંચ) ત્રણ પ્રકારની, તે સાથે ત્રણ કરણ (કરણ, કરાવણ અને અનુમોદન)થી, ત્રણ (મન, વચન, કાયારૂપ) ચિગ દ્વારા, પાંચ (કર્ણ, ચક્ષુ, નાસિકા, જીભ, સ્પર્શરૂ૫) ઈન્દ્રિયથી, ચાર (આહાર, ભય, મિથુન, પરિગ્રહ) સંજ્ઞા સહિત, દ્રવ્યથી અને
A
ઔષધ વિષે કશું યત્ન પણ હું ધમને તે નવ ગણું, બની માહમાં મસ્તાન હું પાયા વિનાનાં ઘર ચણું,
A
Page #373
--------------------------------------------------------------------------
________________
૩પ૧
ભાવથી, સાળ કષાય (અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનવરણીય, પ્રત્યા
ખ્યામવરણીય, અને સંજવલન એ ચાર પ્રકારે ક્રોધ, માન, માયા, લભ) એ દરેક પ્રકારથી સેવન એમ ૩૮૩૪૩૪૫૮૪૪૨૮૧૬ = ૧૭,૨૮૦. પ્રથમના ૭૨૦ અને બીજા ૧૭,૨૮૦ ભેદે મળી કુલ ૧૮,૦૦૦, ભેદ મિથુનકર્મના દેષરૂપ ભેદ છે. તેને અભાવ તે શીલ;
એને નિર્મળ સ્વભાવશીલ કહે છે. ૧૧૬૭. પ્ર. પરિગ્રહ કેટલા પ્રકારના છે ?
૩. પરિ” એટલે સમસ્ત પ્રકારથી, અને “ગ્રહ” એટલે પકડવું.
પરિગ્રહ એટલે સમસ્ત પ્રકારથી પકડવું. પરિગ્રહ બે પ્રકારના છે : અત્યંતર અને બાહ્ય.
પિતાના શુદ્ધ ચિતન્ય સિવાય અન્ય પદાર્થનું ગ્રહણ કરવાની ઈચ્છા અથવા ભાવનાનું નામ પરિગ્રહ છે. ફક્ત પદાર્થનું નામ પરિગ્રહ નથી પણ તેને ગ્રહણ કરવાની ઈચ્છાનું નામ પરિગ્રહ છે. જે એમ ન હોત તો અત્યંત અસંતોષી જીવન વિતાવવાવાળા નિર્ધન
પણુ અપરિગ્રહી ગણાત. ૧૧૬૮ પ્ર. અત્યંતર પરિગ્રહ કેટલા પ્રકારને છે ?
ઉ અત્યંતર પરિગ્રહ ચૌદ પ્રકાર છે. (૧) મિથ્યાત્વ, (૨) વેદ-સ્ત્રી
વેદ, પુરુષવેદ, નપુંસકવેદ, (૩) રાગ, (૪) દેષ, (૫) હાસ્ય, (૬) રતિ, (૭) અરતિ, (૮) શોક, (૯) ભય, (૧૦) જુગુપ્સા (ગ્લાનિ),
(૧૧) ક્રોધ, (૧૨) માન, (૧૨) માયા, (૧૪) લેભ. ૧૧૬૯ પ્ર. બાહ્ય પરિગ્રહ કેટલા પ્રકારનો છે ?
ઉ. બાહ્ય પરિગ્રહ દશ પ્રકાર છે: (૧) ક્ષેત્ર (ખેતર), (૨) વાસ્તુ
(મકાન), (૨) ધન-ધાન્ય, (૪) કુણ્ય (વસ્ત્રાદિ), (૫) ભાંડ (વાસણુદિ), (૬) દાસ-દાસી, (૭) હિરણ્ય (પશુ), (૮) વાહન,
(૯) શય્યા (બિછાનું), (૧૦) આસન. ૧૧૭૦ પ્ર. સમિતિ કોને કહે છે ?
સમ્યક્દશન ત્રણ મૂઢતા થી રહિત, નિશંકાદિ આઠ અંગ સહિત, આઠ મદ અને છ અનાયતનથી રહિત છે,
Page #374
--------------------------------------------------------------------------
________________
ઉપર
ઉ. પાંચ મહાવ્રતાની રક્ષા માટે પાંચ સમિતિ પાળે છે. પ્રમાદરહિત.
યત્નાચાર સહિત સમ્યફ પ્રવૃત્તિ, વર્તનને સમિતિ કહે છે. ૧૧૭૧ ઇ. સમિતિના પાંચ પ્રકાર કહા. ઉ. (૧) ઈર્ષા સમિતિ જંતુરહિત પ્રાશુક, પહેલાં બીજા છો જે ભૂમિ
ઉપર ચાલ્યા હોય તેવી ભૂમિ ઉપર દિવસના પ્રકાશમાં ચાર
હાથ આગળ નજર રાખીને ચાલવું. (૨) ભાષા સમિતિઃ શુદ્ધ મિષ્ટ (મધુર) હિતકારી ભાષા બેલવી. (૩) એષણ સમિતિ : જીવનયાત્રામાં આવશ્યક હોય તેવાં નિર્દોષ
સાધનેને મેળવવા માટે સાવધાનતાપૂર્વક પ્રવર્તવું. સાધુને માટે ન બનાવ્યું હોય તેવું શુદ્ધ ભજન ભિક્ષાવૃત્તિથી લેવું. બત્રીસ અંતરને અને ચૌદ મળ ટાળી, છેતાળીસ દેશે રહિત શુદ્ધ આહાર લે. આહાર લેતાં સમયે જે આહારમાં નાના વાળને ટૂકડે પણ નીકળી આવે તે મુનિ આહારને ત્યાગ કરી દે છે. આદાનનિક્ષેપણ સમિતિઃ કઈ વસ્તુને દેખીને રાખવી.
ઉઠાવવી. (૫) પ્રતિષ્ઠાપન અથવા ઉત્સર્ગ સમિતિ : અનુપયોગી વસ્તુઓ,
તથા મળમૂત્ર નિર્જતું જમીન ઉપર જઈને કરવાં. ૧૧૭૨ પ્ર. ગુપ્તિ કોને કહે છે ?
ઉ. મન, વચન, કાયા તરફ ઉપગની પ્રવૃત્તિને સારી રીતે આત્મ
ભાનપૂર્વક રોકવી અર્થાત્ આત્મામાં જ લીનતા થવી તે ગુપ્તિ છે. ૧૧૭૩ પ્ર. ત્રણ ગુપ્તિના પ્રકાર કહે.
ઉ. (૧) મને ગતિ : મનને વશ રાખી ધર્મધ્યાનમાં જોડવું.
(૨) વચનગુપ્તિ ઃ મૌન રહેવું અથવા શાસ્ત્રોક્ત વચન કહેવું (૩) કાયગૃતિ : એક આસને બેસવું, અથવા ધ્યાન સ્વાધ્યાયમાં
કાયાને જોડવી. ૧૧૭૪ પ્ર. ગુતિ અને સમિતિમાં અંતર શું ?
જે સંસારપરિભ્રમણથી છોડાવી ઉત્તમ સુખમાં ધરી રાખે તે ધર્મ,
Page #375
--------------------------------------------------------------------------
________________
૩૫૩
ઉ. ગુપ્તિમાં અસલ્કિયાને નિષેધ મુખ્ય છે; અને સમિતિમાં સક્રિયાનું પ્રવર્તન મુખ્ય છે.
મન, વચન, કાયાના વેગને રોકવા તે ગતિ છે. પ્રમાદ તજી
યત્નપૂર્વક પ્રવર્તવું તે સમિતિ છે. ૧૧૭૫ પ્ર. પાંચ મહાવ્રતની દઢતા માટે સાધુ કઈ ભાવનાઓ ઉપર ધ્યાન.
રાખે છે ?
ઉ. પાંચ મહાવ્રતની દઢતા માટે એક એક વ્રતની પાંચ પાંચ ભાવનાઓ છે. ૧૧૭૬ પ્ર. અહિંસાવ્રતની પાંચ ભાવનાઓ કહે. ઉ. (૧) વચનગુપ્તિ, (૨) મને ગુતિ, (૩) ઈર્ષા સમિતિ, (૪) આદાન.
નિક્ષેપણ સમિતિ, (૫) અવલોકિત પાનભંજન દેખી-તપાસીને
ભૂજન કરવું. ૧૧૭૭ ક. સત્યવતની કઈ પાંચ ભાવનાઓ છે?
ઉ. (૧) ધને ત્યાગ, (૨) લેભને ત્યાગ, (૩) ભયને ત્યાગ, (૪)
હાસ્યને ત્યાગ, કેમ કે આ ચારને વશ થઈ અસત્ય બેલી જવાય.
છે, (૫) અનુવાચિભાષણશાસ્ત્રોક્ત વચન કહેવું. ૧૧૭૮ પ્ર. અચૌર્યવ્રતની પાંચ ભાવનાઓ વર્ણ.
ઉ. (૧) શૂન્યાગાર ઃ શન્ય એકાન્ત જગાએ રહેવું.
(૨) વિમોચિતાવાસઃ છેડી દીધેલા-ઉજજડ થયેલા સ્થાનમાં રહેવું. (૩) પરોપરાધાકરણ પોતે જ્યાં હોય ત્યાં બીજ આવે તે મનાઈ
ન કરવી, અથવા જ્યાં કોઈ મનાઈ કરે ત્યાં ન રહેવું. (૪) ભેટ્યૂશુદ્ધિ : ભિક્ષા શુદ્ધ, અંતરાય કે દોષ ટાળીને લેવી. (૫) સાધમ અવિસંવાદઃ સાધમ ધર્માત્માઓ સાથે વિસંવાદ
અથવા તકરાર ન કરવી. ૧૧૭૯ પ્ર. બ્રહ્મચર્યની પાંચ ભાવનાઓનું સ્વરૂપ કહો. ઉ. (૧) સ્ત્રી રાગકથા શ્રવણ ત્યાગ : સ્ત્રીઓને રાગ વધારનાર કથાઓને
ત્યાગ, (૨) તમનેહરાંગનિરીક્ષણ ત્યાગ: સ્ત્રીઓનાં મનહર અંગોને દેખવાને ત્યાગ, (૩) પૂર્વરતાનુસ્મરણ: પહેલાં
માક્ષમાં આત્માના અનુભવને જે નાશ થતો હોય તે તે મેક્ષ શા કામને ?
Page #376
--------------------------------------------------------------------------
________________
૩૫૪
ભગવેલા ભોગોના સ્મરણને ત્યાગ, (૪) વૃષ્યષ્ટરસ ત્યાગઃ કામોદ્દીપક પુષ્ટ રસને ત્યાગ, (૫) સ્વશરીર સંસ્કાર ત્યાગ :
પિતાના શરીરના સંગારને ત્યાગ. ૧૧૮૦ પ્ર. પરિગ્રહત્યાગવતની પાંચ ભાવનાનું સ્વરૂપ કહે.
ઉ. મને અને અમને પાંચે ઈન્દ્રિયોના પદાર્થોને પામીને રાગદ્વેષ ન કરતાં સંતોષ રાખવો.
સૂક્ષ્મસંગ એટલે ચાર કષાય, નવ નેકષાય અને એક મિથ્યાત્વ એ ચૌદ પ્રકારે અત્યંતર પરિગ્રહ છે, અને ધનધાન્યાદિ બાહ્ય પરિગ્રહ દશ પ્રકારે છે. બાહ્ય સંગ ત્યાગી અવ્યંતર સંગ ટાળવા
મુખ્ય પુરુષાર્થ કરવાને છે. ૧૧૮૧ અ. જિનદીક્ષા અથવા મુનિદીક્ષા કેને કહે છે ? ઉ. દીક્ષા એને કહી છે કે જ્યાં ગૃહ અને પરિગ્રહને તથા મહિને
ત્યાગ હોય, જ્યાં બાવીસ પરિષહેને ખમવાના હોય, કષાયોને વિજય કરવાનું હોય, શત્રુમિત્રમાં સમભાવ છે. સ્તુતિ-નિંદા, લાભઅલાભમાં સમભાવ છે, તૃણ કે કંચનમાં સમભાવ છે, નિથ છે. માનરહિત છે, ભયરહિત છે, આશારહિત છે, રાગદ્વેષરહિત છે, મમત્વરહિત છે, અહંકારરહિત છે અને પશુ, સ્ત્રી, નપુંસક, વ્યભિચારી સ્ત્રી-પુરુષની સંગતિ કરે નહિ. વિકથા કહે કે સાંભળે નહિ, સ્વાધ્યાય તથા આત્મધ્યાનમાં લીન રહે તેને જિનદીક્ષા
૧૧૮૨ પ્ર. શાસ્ત્રમાં કેટલી જાતના મનુષ્યોને દીક્ષા આપવાની મના કરેલી છે?
ઉ. શાસ્ત્રમાં ૩૯ જાતના મનુષ્યોને સંયમ (દીક્ષા) આપવાની મના કરેલી છે. એ ૩૯ મનુષ્યો આ પ્રમાણે છે :
(૧) આઠ વર્ષથી નાની ઉંમર હોય, (૨) સિત્તેર વર્ષથી મોટી ઉંમર હોય, (૩) સ્ત્રીને દેખી કામાતુર થઈ જાય, (૪) પુરુષ વેદને ઉદય વધારે હોય, (૫) બહુ જ જાડું શરીર હોય (પૂરું બેલી ન શકે અથવા કદાગ્રહી હોય), (૬) મેટા રેગ હોય, (૭)
શાન્તપણું પ્રાપ્ત કરવાથી જ્ઞાન વધે છે.
Page #377
--------------------------------------------------------------------------
________________
૩પપ
રાજ્યને ગુનેગાર, (૮) ગડે હેય, (૯) ચેરને, (૧૦) આંધળાને, (૧૧) ગેલાને (દાસીપુત્રને), (૧૨) મહાક્રોધી, (૧૩) મૂર્ખ, (૧૪) હીનાંગી (નક, કાણા, લંગડે વગેરે), (૧૫) બહુ જ કરજવાન, (૧૬). મતલબી, (૧૭) આગળ પાછળ કોઈ જાતને ડર હોય, (૧૮) સ્વજનની આજ્ઞા ન હોય ? આમ ૧૮ બોલ સ્ત્રીના ગણવા એટલે ૩૬ અને એ ઉપરાંત સ્ત્રીને ૨ બેલ વધારે ગણવા (૩૭) ગર્ભવતી સ્ત્રી, (૩૮) બચ્ચું ધાવણું હોય તેને, અને (૩૯).
જન્મથી નપુંસક હોય તેને ૧૧૮૩ પ્ર. અત્યારે ધણું જીવો કેવા પ્રકારે દીક્ષા લે છે ?
ઉ. કેટલાક જીવ મેહગર્ભિત વૈરાગ્યથી અને કેટલાક દુઃખગર્ભિત
વૈરાગ્યથી દીક્ષા લે છે. “દીક્ષા લેવાથી સારા સારા નગરે, ગામે ફરવાનું થશે. દીક્ષા લીધા પછી સારા સારા પદાર્થો ખાવાને મળશે.” આવી ભાવનાથી દીક્ષા લેવાને જે વૈરાગ્ય થાય તે “મોહગર્ભિત વૈરાગ્ય.” જે સાંસારિક દુઃખથી સંસારત્યાગ કરે છે તે દુઃખગર્ભિત વૈરાગ્ય સમજવો. દુઃખ પ્રત્યે દ્વેષભાવ હોય તેને દુઃખગર્ભિત વૈરાગ્ય છે. (જુઓ પ્રશ્ન-૪૯)
દીક્ષા લે તે તારું કલ્યાણ થશે એવાં વાક્ય તીર્થકર દેવ કહેતા ન હતા. તેને હેતુ એક એ પણ હતું કે એમ કહેવું એ પણ તેને અભિપ્રાય ઉત્પન થયા પહેલાં તેને દીક્ષા આપવી છે; તે કલ્યાણ નથી. જેમાં તીર્થકર દેવ આવા વિચારથી વર્યા છે, તેમાં આપણે છ છ માસ દીક્ષા લેવાને ઉપદેશ જારી રાખી
તેને શિષ્ય કરીએ છીએ, તે માત્ર શિષ્યાથે છે, આત્માર્થે નથી. ૧૧૮૪ પ્ર. વૈરાગ્ય કેને કહેવામાં આવે છે ?
ઉ. કંચન, કામિની, પુત્ર, કુટુંબાદિ છોડી દે તેથી વૈરાગ્ય ઉત્પન્ન
થયે છે એમ નથી. પરંતુ અતીન્દ્રિય જ્ઞાન આનંદસ્વરૂપ પિતાના આત્માનું વદન થતાં રાગ તથા પુણ્યપાપને (ઈષ્ટ અનિષ્ટને) સ અંદરથી છૂટી જાય, તેને વૈરાગ્ય કહેવામાં આવે છે.
માલા તે કર ફરે, જીભ ફરે મુખ માંહી; મનવા દશ દિશ કરે, ચાહી સુમરન નાહી.
Page #378
--------------------------------------------------------------------------
________________
૩૫૬
૧૧૮૫ પ્ર. વ્યવહારનયથી અને નિશ્ચયનયથી ચારિત્ર કોને કહે છે તે સંક્ષિપ્તમાં
સમજાવે. ઉ. પાપોથી નિવૃત્તિ અને શુભ કર્મ (પુણ્ય)માં પ્રવૃત્તિ તે વ્યવહારનયથી
ચારિત્ર છે. નિશ્ચયનયથી પિતાના શુદ્ધચૈતન્યસ્વરૂપમાં નિશળતાપૂર્વક સ્થિતિ પ્રાપ્ત કરવી તે જ કર્મોને નાશ કરનાર નિશ્ચય ચારિત્ર છે. (જુઓ પ્રશ્ન–૧૦૩૧)
ચારિત્રમાં જ્ઞાન અને ધ્યાન એ બે વસ્તુ મુખ્ય છે. ધ્યાનમાં એકાગ્ર રહેવું પડે. ધ્યાન ન રહે તે વખતે સ્વાધ્યાય કરો. નિરંતર જ્ઞાન ધ્યાનમાં વર્તે તે અભક્ષ્મ જ્ઞાનોપયોગ છે. અભણ જ્ઞાનપયોગ એટલે નિરંતર જ્ઞાને પગ. જ્ઞાન એટલે આત્માને. સ્વભાવ જાણનારને ભૂલે નહીં તે જ્ઞાન.
છે દેહાદિથી ભિન આત્મા રે, ઉપગી સદા અવિનાશ;
એમ જાણે સદ્દગુરુઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ.” ૧૧૮૬ પ્ર. વ્યવહાર ચારિત્રથી નિશ્ચય ચારિત્ર પ્રગટે છે તેમ કહેવું બરાબર.
છે ? વ્યવહાર સાધન અને નિશ્ચય સાધ્ય છે ને ? વળી કોઈ જગ્યાએ
શાસ્ત્રમાં કહ્યું છે કે સાથ અને સાધન ભિન્ન છે તેનું કેમ ? ઉ. વ્યવહાર તે અનંતવાર કર્યો. નવમી શૈવેયક ગયો ત્યારે તેને
વ્યવહાર જુઓ તે નગ્ન મુનિ થઈ હજાર રાણીઓને ત્યાગ. કર્યો, અબજો રૂપિયાની પેદાશને ત્યાગ, અને અંદરની મંદતા એવી. કે શુકલ લેસ્યા, પણ એ બધું જન્મમરણનાં બીજ છે. એવા વ્યવહાર, તે અનંતવાર કર્યા (પણ નિશ્ચય ચારિત્ર પ્રગટયું નહિ. તેથી વ્યવહાર ચારિત્રથી નિશ્ચય ચારિત્ર પ્રગટે નહિ અને મોક્ષ થાય નહિ.) વીતરાગસ્વભાવ વડે (જેને આત્મા) જણાય છે અને જે રાગ આવે છે, તેને વ્યવહારને આરેપ આપે છે. (સમકિતને જે શુભરાગ આવે
તે વ્યવહાર અને તેને સાધનને આ૫ આપ્યું છે.) ૧૧૮૭ પ્ર. ચારિત્રના પાંચ પ્રકાર કયા છે ? ..
જે જાણતો અહતને ગુણ, દ્રવ્ય ને પયયપણે, તે જીવ જાણે આત્મને, તસુ માહ પામે લય ખરે.
Page #379
--------------------------------------------------------------------------
________________
૩પ૭.
ઉ. (૧) સામાયિક-સમભાવ રાખો, (૧) છેદે પસ્થાપના-સામાયિકમાંથી
પડી જાય ત્યારે ફરી સામાયિકમાં સ્થિર થવું, (૩) પરિહારવિશુદ્ધિ એવું આચરણ કે જેમાં વિશેષ હિંસાને ત્યાગ હોય, (૪) સૂક્ષ્મ. સાંપરા-દશમા ગુણસ્થાનવર્તીનું ચારિત્ર, કે જેમાં માત્ર સૂક્ષ્મ લોભને ઉદય છે. (૫) યથાખ્યાત-પૂર્ણ વીતરાગચારિત્ર.
સમતારૂપ પરિણામ તે સામાયિક છે. સમસ્ત શુભાશુભ સંકલ્પ-વિકલ્પોના ત્યાગરૂપ સમાધિ જેનું લક્ષણ છે તે સામાયિક છે. રાગદેષના પરિહારરૂપ સામાયિક છે. આ અને રૌદ્ર સ્થાનના પરિત્યાગરૂપ સામાયિક છે. સમસ્ત સુખદુઃખાદિમાં મધ્યસ્થ ભાવરૂપ સામાયિક છે.
જ્યારે એક સાથે સમસ્ત વિકલ્પના ત્યાગરૂપ પરમ સામાયિકમાં સ્થિત થવાને આ જીવ અશક્ત હોય છે, ત્યારે “સમસ્ત હિંસા, અસત્ય, ચેરી, અબ્રહ્મ અને પરિગ્રહથી વિરતિ તે વ્રત છે–એ પ્રમાણે આ પાંચ પ્રકારના વિકલ્પ ભેદ વડે–વ્રતરૂપ છેદ વડે, રાગાદિ વિકલ્પરૂપ સાવોથી પિતાને પાછો વાળીને નિજશુદ્ધાત્મામાં પોતાને સ્થાપે છે તે છેદો પસ્થાપન છે. મુનિને પાપના પરિણામથી બચવા માટે શુભભાવ આવ્યા વિના રહેતા નથી પણ તે શુભરાગ ચારિત્ર નથી, તે વિકલ્પ છે. વિક૯પાદિનું ઊઠવું તે દોષ છે અને તે દેશનું લાગવું છેદ છે અને નિર્વિકાર આત્માના બળથી તેને નષ્ટ કરવા અથવા આત્મામાં સ્થિરતા કરવી તે છેદો પસ્થાપના ચારિત્ર છે.
સ્વરૂપ સ્થિરતા પ્રગટી છે પણ હજુ વીતરાગ દશા કે વીતરાગ. સંયમ પ્રગટો નથી, હજુ સહેજ વિક૯પ વર્તે છે. આવા સહેજ વિકલ્પવાળા સંયમને “સરાગ સંયમ” કહેવાય છે. સરાગ સંયમમાં જે રાગને ભાગ છે તેને મુનિને આદર નથી, ચેથા-પાંચમા ગુણસ્થાનક પછી સીધા સાતમા ગુણસ્થાનકે જીવ આવે છે અને પછી ગુણસ્થાનકે જવ અવે છે. મિથ્યાત્વ, રાંગ આદિ વિકપમાળના પ્રત્યાખ્યાનથી–
જીવવા માટે ખાવું, નહિ કે ખાવા માટે જીવવું,
Page #380
--------------------------------------------------------------------------
________________
૩૫૮
“પરિહારથી” વિશેષપણે પોતાના આત્માની જે બુદ્ધિ અર્થાત નિર્મળતા છે, તે પરિવાર વિશુદ્ધ ચારિત્ર છે.
સૂક્ષ્મ લોભ નામના સાપરાયનેકષાયને જ્યાં પૂર્ણપણે ઉપશમ કે ક્ષય થાય છે તે સૂક્ષ્મ સાપરાય ચારિત્ર છે.
યથા” અર્થાત્ જેવું સહજ શુદ્ધ સ્વભાવપણાને લીધે, નિષ્કષાય (કષાય વિનાનું) આત્માનું સ્વરૂપ છે તેવું જ જે “આખ્યાત” અર્થાત કહેવામાં આવ્યું છે તે યથાખ્યાત ચારિત્ર છે.
પ્રમત્ત, અપ્રમત્ત, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ નામનાં (છ, સાત, આઠ અને નવ) આ ચાર ગુણસ્થાનમાં સામાયિક ચારિત્ર અને છેદેપસ્થાપન ચારિત્ર હોય છે. પરિવાર વિશુદ્ધિ પ્રમત્ત, અપ્રમત્ત એ બે ગુણસ્થાનમાં હોય છે. સૂક્ષ્મસાપરાય ચારિત્ર એક સુમસાંપરાય (દશમ) ગુણસ્થાનમાં જ હોય છે. યથાખ્યાત ચારિત્ર ઉપશાંત કષાય, ક્ષીણુ કષાય, સગી જિન અને અયોગી જિન નામના (અગિયારમા, બારમા, તેરમા અને ચૌદમા)
ગુણસ્થાનમાં હોય છે. ૧૧૮૮ ક. ત્યારે સાધુનું કર્તવ્ય અને ધર્મ ટૂંકમાં કહે.
ઉ. સાધુઓનું કર્તવ્ય છે કે પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ,
પાંચ ઇન્દ્રિય સ્પર્શના, રસના, ઘાણ, ચહ્યું અને કર્ણ ઈન્દ્રિયોના વિષયને નિરેધ, તથા છ આવશ્યક–સામાયિક, સ્તુતિ, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ, પ્રત્યાખ્યાન અને સાતશેષગુણ ઇત્યાદિ અઠ્ઠાવીસ મૂળ ગુણનું પાલન, તથા દશ લક્ષણધર્મ, બાર અનુપ્રેક્ષાઓની ભાવનાઓ, બાવીશ પરિષહજ્ય, પાંચ પ્રકારનાં ચારિત્ર અને બાર પ્રકારના તપથી મનવચન-કાયાને એવાં સ્વાધીન કરે કે જેથી નિશ્ચયચારિત્રને લાભ પામી શકે. સ્વરૂપમાં રમણતા એ જ સમ્યફચારિત્ર છે. મુનિઓને છેતાળીસ દોષરહિત, (બત્રીસ અંતરાય અને ચૌદ મળદોષરહિત) શુદ્ધ આહાર (દિવસમાં એક વાર) લે.
પર્યાયનું સ્વરૂપ સમજાવવા અથે શ્રી તીર્થંકરદેવે ત્રિપદ (ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય) સમજાવ્યાં છે,
Page #381
--------------------------------------------------------------------------
________________
૩૫૯
૧૧૮૯ પ્ર. મુનિના અઠ્ઠાવીસ મૂળ ગુણોનું વર્ણન કરે.
ઉ. પાંચ મહાવત : (જુઓ પ્રશ્ન–૧૧૫૦)
પાંચ સમિતિ : (જુઓ પ્રશ્ન-૧૧૭૧) પાંચ ઈન્દ્રિય વિજય : સ્પર્શન, રસના, ઘાણ, ચક્ષુ અને કર્ણ
એમ પાંચ ઈન્દ્રિયના વિષયોને નિરોધ. છ આવશ્યક : સામયિક, સ્તુતિ, વંદન, પ્રતિક્રમણ,
કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન. સાત શેષગુણ : નગ્નત્વ, કેશલૂચન, ભૂમિશયન, દંતવન
ત્યાગ, સ્નાન ત્યાગ, દિવસમાં એક વાર
આહાર લે અને ઊભા ઊભા આહાર લેવો. ઘણા શાસ્ત્રોમાં ત્રણ ગુતિને અઠ્ઠાવીસ મૂળ ગુણેમાં લીધા નથી. ૧૧૦૦ પ્ર. લક્ષણરૂપ ધર્મને દશ પ્રકાર કોને કહે છે ?
ઉ. કષાયને પૂર્ણ પણે નિગ્રહ કરીને દશ ધર્મોને પૂર્ણપણે પાળે. કષ્ટ
આવી પડે તે પણ તેની વિરાધને ન કરે. (૧) ઉત્તમ ક્ષમા (૨) ઉત્તમ માર્દવ, માનને અભાવ, (૩) ઉત્તમ આજંવ, માયાચારને અભાવ, (૪) ઉત્તમ સત્ય, (૫) ઉત્તમ શૌચ-સતિષ ભાવ) લોભને અભાવ, શરીર સુદ્ધાંમાં આસક્તિ ન રાખવી, (૬) ઉત્તમ સંયમમન અને ઈન્દ્રિો ઉપર વિજય તથા છકાય જીવો ઉપર દયા, (૭) ઉત્તમ તપ-ઈચછાને નિરોધ કરી તપ કરવું, (૮) ઉત્તમ ત્યાગજ્ઞાનદાન અને અભયદાન દેવું, (૯) ઉત્તમ અકિંચન્ય-સર્વથી મમતા છોડીને એકાકી સ્વરૂપને જ પિતાનું માનવું, (૧૦) ઉત્તમ બ્રહ્મચર્ય. ક્ષમા, માર્દવ, આર્જવ અને શૌચ તે ચાર કષાયોના વિરોધી છે; સંયમ, સત્ય, ત્યાગ, બ્રહ્મચર્ય અને અકિંચન્ય અનુક્રમે હિંસા આદિ પાંચ પાપોના વિરોધી છે; અને તપ છે તે નિર્જરા માટે કરવાની
કઠોર સાધના છે. ૧૧૯૧ પ્ર. કેધાદિને ત્યાગ અને ઉત્તમ ક્ષમાદિ ક્યારે થાય ?
દ્વવ્યકમના નિમિત્તથી ભાવકમ તથા ભાવકમના નિમિત્તથી દ્રવ્યકમને બંધ થાય છે,
Page #382
--------------------------------------------------------------------------
________________
૩૬o
૧૧૮૨
ઉ. બંધાદિના ભયથી વા સ્વર્ગ–મોક્ષની ઈચ્છાથી અજ્ઞાની જીવ ક્રોધા
દિક કરતો નથી, પણ ત્યાં ધ, માન આદિ કરવાને અભિપ્રાય તે ગયે નથી. જેમ કેઈ રાજા આદિના ભયથી વા મટાઈ–આબરૂપ્રતિષ્ઠાના લેભથી પરસ્ત્રી સેવતા નથી તે તેને ત્યાગી કહી શકાય નહીં; તે જ પ્રમાણે આ પણ ઠેધાદિને ત્યાગ નથી. તો કેવી રીતે ત્યાગી હોય કે જે પદાર્થ ઈષ્ટ અનિષ્ટ ભાસતાં ક્રોધાદિ થાય છે, પણ જ્યારે તત્ત્વજ્ઞાનના અભ્યાસથી કેઈ ઇષ્ટ-અનિષ્ટ ન ભાસે ત્યારે સ્વયં ક્રોધાદિક ઊપજતા નથી, અને ત્યારે જ સાચા ક્ષમાદિ થાય છે.
કેટલા પરિષહે કહ્યા છે ? ઉ. માર્ગથી મૃત ન થવા અને કર્મ ખપાવવા માટે જે સહન કરવા
યોગ્ય છે તે પરિષહ. પરિષહ ૨૨ છે. નીચે લખેલા બાવીસ પરિષહો આવી પડે તે શાંતિપૂર્વક સહન કરવાં: (૧) સુધા, (૨) તૃષા, (૩) ઠંડી, (૪) ગરમી, (૫) દંશમશક-ડાંસ, મચ્છર, આદિ જીવોથી થતી બાધા, (૬) નમ્રતા, (૭) અરતિ, (૮) ત્રી, (૯) ચર્ચા ચાલવાને, (૧૦) નિષદ્યા-બેસવાને, (૧૧) શા, (૧૨) આક્રેશ–ગાળ, (૧૩) વધ, (૧૨) યાચના-જરૂર પડયે માગવાના અવસરે પણ ન માંગવું જોઈએ, (૧૫) અલાભ-ભજનને અંતરાય થાય તે પણ સંતોષ (૧૬) રોગ, (૧૭) તૃણસ્પર્શ, (૧૮) મળ, (૧૯) સત્કારપુરસ્કાર, આદર-નિરાદર, (૨૦) પ્રજ્ઞા-શાનને મદન કરે, (૨૧) અજ્ઞાત-અજ્ઞાન હોવા છતાં ખેદ ન કર, (૨૨) અદર્શન–શ્રદ્ધા બગાડવી નહિ. તે બાવીસે પરિષહને ચાર કર્મ પ્રકૃતિમાં સમાવેશ થાય છે. જ્ઞાનાવરણીય, વેદનીય, મોહનીય અને અંતરાય કર્મના ઉદયથી જ થાય છે. જ્ઞાનાવરણરૂપ નિમિત્તથી પ્રજ્ઞા અને અજ્ઞાન પરિષહ થાય છે. દર્શનમોહ અને અંતરાય કમથી અનુક્રમે અદર્શન અને અલાભ પરિષહ થાય છે. ચારિત્રમેહથી નગ્નત્વ, અરતિ, સ્ત્રી, નિષદ્યા, આક્રોશ, યાચના અને સત્કારપુરસ્કાર પરિષહ થાય છે. બાકીના બધા વેદનીયથી થાય છે.
તીર્થ = તરવાનો માગી.
Page #383
--------------------------------------------------------------------------
________________
૩૬૧
એક સાથે, એક આત્મામાં, એથી માંડી ૧૯ સુધી પરિષહા વિકલ્પે સંભવે છે. પરિષÈામાં એક સમયે પરસ્પર વિરાધી કેટલાક પરિષહા છે, જેમકે-શીત, ઉષ્ણુ; ચર્યા, શય્યા અને નિષદ્યા; તેથી પહેલા બે અને પાઠ્યા ત્રણેના એક સાથે સંભવ જ નથી. શીત હોય ત્યારે ઉષ્ણુ અને ઉષ્ણ હોય ત્યારે શીત ન સંભવે; એ જ પ્રમાણે ચર્યાં, શય્યા અને નિષદ્યામાંથી એક વખતે એક જ સભવે, આત્માની વિશુદ્ધિ જેમ જેમ વધતી જાય તેમ તેમ પરિષદ્ધની સંખ્યા ઘટતી જાય છે. દશમાથી ૧૨મા ગુરુસ્થાને ૧૪ પ્રકારના પરિષહ સભવે છે, અને ૧૩મા તથા ૧૪મા ગુરુસ્થાને માત્ર ૧૧ પ્રકારના પરિષહ સંભવે છે.
૧૧૯૩ પ્ર. સાચા પરિષહજય કાને કહે છે ?
ઉ. ભાવલ ગી મુનિને દરેક સમયે ત્રણ કષાયને (અન તાનુબંધી વગેરેના) અભાવ હોવાથી સ્વરૂપમાં સ્વાધીનતાના કારણે જેટલા અંશે રાગદ્વેષની ઉત્પત્તિ થતી નથી, તેટલા અ ંશેતેમને નિરતર પરિષહજય હાય છે. વળી ક્ષુધાદિક લાગતાં તેના નાશના ઉપાય ન કરવા તેને અજ્ઞાની જીવ પરિષહ સહનતા કહે છે. હવે ઉપાય ન કર્યા અને અંતર ંગમાં સુધાદિ અનિષ્ટ સામગ્રી મળતાં દુ:ખી થયા તથા રતિ આદિનુ કારણુ મળતાં સુખી થયા, પણ એ તા દુઃખસુખરૂપ પરિણામ છે, અને એ જ આત્ત-રૌદ્રધ્યાન છે, એવા ભાવેાથી સવર્ વી રીતે થાય ? (ન જ થાય).
૧૧૯૪ પ્ર. ત્યારે કેવી રીતે પરિષદ્ધજય થાય ?
દા
ઉ. તત્ત્વજ્ઞાનના અભ્યાસથી કાઇ ઇષ્ટ-અનિષ્ટ ન ભાસે, દુઃખનાં કારણે। મળતાં દુ:ખી ન થાય તથા સુખનાં કારણેા મળતાં સુખી ન થાય પણ જ્ઞેયરૂપથી તેના જાણવાવાળા જ રહે; એ જ સાચેા પરિષહજય છે.
૧૧૯૫ પ્ર. ત્યારે ઉપસ એટલે શું અને તે કેટલા પ્રકારના છે ? ઉ. ઉપસર્ગ પરિષહથી જુદા પ્રકારના છે. અન્ય કાઈ મુનિને ઇરાદાપૂર્વક અપાયેલું દુઃખ તે ઉપસર્ગ છે.
માક્ષમાગ એ અગમ્ય તેમ જ સરળ છે,
જીવ તરફથી દેવસ ંબધી,
Page #384
--------------------------------------------------------------------------
________________
૩૬ર
મનુષ્યસંબંધી, તિર્યંચસંબંધી અને આત્મસંવેદનીય એમ ચાર, પ્રકારના ઉપસર્ગ ઠાણાંગ સૂત્રમાં કહ્યા છે.
દેવસંબંધી : દેવ ચાર કારણથી ઉપસર્ગ કરવા પ્રેરાય છે? ૧. હાસ્ય કે કુતૂહલથી, ૨. પ્રદૂષથી, ૩. પરીક્ષા કરવા માટે, અને ૪. વિમાત્રા-આગળના ત્રણે કારણ સાથે હોય તેથી.
મનુષ્ય સંબંધીઃ મનુષ્ય પણ ઉપરનાં કારણેથી તેમજ કુશીલના બોધથી ઉપસર્ગ કરે છે.
તિર્યય સંબંધીઃ તિર્યંચ પણ ચાર કારણથી ઉપસર્ગ કરે છે : ૧. ભયથી, ૨. પૂર્વભાવના વૈરથી, ૩. આહાર માટે, અને ૪. પિતાના રહેવાના સ્થળના રક્ષણ અર્થે. આત્મસંવેદનીય પિતાના કારણથી ઉત્પન્ન થતા ઉપસર્ગ પણ ચાર કારણથી છે :૧. ઘટ્ટન ઉપસર્ગ : આંગળી આદિ ઉપાંગના ઘસવાથી થતા કે આંખમાં ધૂળ પડવી, આંખ ચોળવી, ઇત્યાદિથી થતિ ઉપસર્ગ ૨. પ્રપત્તન ઉપસર્ગ: યા વિના ચાલવાથી પડી જતાં લાગી જાય વગેરે : ૩. સ્તંભન ઉપસર્ગઃ હાથ, પગ વગેરે અવયવો
બની જતાં જે દુઃખ થાય તે. ૪. શ્લેષણ ઉપસર્ગઃ આંગળી વગેરે અવયવો ચોંટી જવાથી કે વાત, કફ, પિત્ત અને સનિપાતથી થતા ઉપસર્ગ.
આ બધા ઉપસર્ગ સહન કરતી વખતે મુનિને ઉપસર્ગકર્તા પ્રત્યે દ્વેષ નહીં પણ કરુણા આવે કે ઉપસર્ગ કર્તાને કેટલાં કર્મોને
બંધ થાય છે ! ૧૧૯૬ ક. “આયતન', “ત્ય”, “જંગમ્ પ્રતિમા”, “સ્થાવર પ્રતિમા” અને
“જિન બિમ્બ” વગેરે શબ્દોનો દિગબર શાસ્ત્રમાં કયા અર્થમાં
ઉપયોગ કર્યો છે ? ઉ. જિન માર્ગમાં સંયમ સહિત મુનિને આયતન કહેલ છે. મન, વચન.
અને કાયારૂપ દ્રવ્ય તથા પાંચ ઈન્દ્રિયે, જે મુનિને આધીન– વશીભૂત-હાય, મદ, રાગ, દ્વેષ, મેહ, ક્રોધ, લેભ અને માયા
ભક્તિ તે રાગરૂપ છે અને રાગથી બંધ છે, તેથી મોક્ષનું કારણ નથી,
Page #385
--------------------------------------------------------------------------
________________
૩૬૩
આદિના જે મહામુનિએ નિગ્રહ કરેલ છે અને જે પંચમહાવ્રતધારી છે, એવા મહા મુનિ ઋષિશ્વરને આયતન' હેલ છે.
જે મુનિ જ્ઞાનમય આત્માને જાણતા હોય અને પેતે પાંચ મહાવતા પાળી શુદ્ધ, નિર્મળ હોય તેવા જ્ઞાનમય સયમી મુનિને ચૈત્યગૃહ” જાણું.
આત્માથી ભિન્ન દેહ ધરનાર મુનિને જ ગમ્ પ્રતિમા” કહી છે, અને વીતરાગ સ્વરૂપ એટલે રાગદ્વેષ રહિત સિદ્ધની સ્થાવર પ્રતિમા” કહી છે. (જુએ પ્રશ્ન-૯૬૯)
જૈન સૂત્રેાનું જેને જ્ઞાન હોય, પાતે સયમ વડે શુદ્ધ હાય, અને . સારી રીતે વીતરાગ હાય એવા આચાય, જિન બિમ્બ” કહેવાય છે. ૧૧૯૭ પ્ર. અગાર”, “અનાગર” અને “અણુગાર'' કાને કહે છે ?
ઉ. અગાર એટલે ધર. ધરમાં અર્થાત્ ગૃહસ્થાવાસમાં રહીને ધર્મારાધના કરાય છે તે સાગારીધમ કહેવાય છે. સાધુ ઘરના ત્યાગી હોવાથી અણુગાર કહેવાય છે. અનાગાર (એટલે) જેને વ્રતને વિષે અપવાદ નહીં તે. સાધુનાં વ્રત અખંતિ હોવાથી તેમાં કોઈ પ્રકારનો આગાર ન હેાવાથી તે નાગાર ખ્યપ્ય છે. જ્યારે કાઈ
શ્રાધ્ નીગમ છે મેક કરણ તા કાઈ અલૌકિક વસ્તુ છે. ચડે છે ?
ન ત
યોગ
શકે છે. ઋષિનાં વ્રતામાં
એક દુર્લભ થી
૧
એક કરણ ત્રણ ત્રણ કરણ ત્રણ. નામ અંગીકાર કરી.
આગ્રહ નથા, અમુ આટલાં આ કારણથી તે સાગરીધમ
ત્રતા ગ્રહણ કરવાં જ જોઈએ. કહેવાય છે.
૧૧૯૮ પ્ર. સ્થવિર૯૫ અને જિનકલ્પના અર્થ શું થાય છે? ૩. સ્થવિર=સ્થિર, ામેલ.
વિરપ=જે સાધુ વૃદ્ધ થયેલ છે તેઓને શાસ્ત્રમર્યાદાએ વર્તાવાના, ચાલવાને જ્ઞાનીએએ મુકરર કરેલે, બાંધેલા, નક્કી કરેલે! મા, નિયમ. તીથંકર ભગવાન જ્યારે આ લામાં વિહાર કરે છે ત્યારે દેહ સહિતના તમની પ્રતિમાને જૈન સૂત્રમાં સ્થવિર પ્રતિમા કહેલ છે.
સાચું નિરૂપણ તે નિશ્ચય, ઉપચાર નિરૂપણ તે વ્યવહાર.
Page #386
--------------------------------------------------------------------------
________________
જિનક૯૫=એકાકી વિચરનારા સાધુઓને માટે કપેલો અર્થાત બાંધેલો
મુકરર કરેલે જિનમાર્ગ વા નિયમ. ૧૧૧૯૯ પ્ર. ઈર્યાપથિકી ક્રિયા અને સાંપરાયિકી ક્રિયાને અર્થ શું થાય છે
અને તેમાં શું ભેદ છે ? . ઈપથિકી ક્રિયા એટલે જેમાં કપાયિક વૃત્તિ ન ભળી હોય એવી તે માત્ર કાયાની હલનચલન વગેરે ક્રિયાઓ. સાંપરાવિકી ક્રિયા એટલે
જે પ્રવૃત્તિ કેધાદિ કષાયપ્રેરિત હોય તે ક્રિયા. ૧૨૦૦ પ્ર. સંયમી અણગારના પગ નીચે અજાણતાં કોઈ જીવ આવી જાય
અને (કચડાઈને) મરણ પામે તો તે અણગારને ઈર્યાપથિકી ક્રિયા
લાગે કે સાંપરાયિકી ક્રિયા લાગે ? ઉ. તેને ઈર્યાપથિકી ક્રિયા લાગે, પણ સાંપરાયિકી ન લાગે. કારણ કે
જેનાં ધ, માન, માયા, લેભ નષ્ટ થયાં હોય, તેને ઈર્યાપથિકી ક્રિયા લાગે. સૂત્રવિરુદ્ધ વર્તનારને તેમજ ક્રોધાદિયુક્ત સાધુને જ સાંપરાયિકી ક્રિયા લાગે. (જે સમકિતિ છવ હોય તે જ કષાયથી મુક્ત હોય છે. અને તે જ સમકિતિ સાધુ મિશ્યાદષ્ટિ સાધુ અથવા છતાં જે જ આચાર કરતા હોવા છતાં દષથી બંધાતા નથી. સ ચેટી જવાથી કેક, કફ, પિત્ત અને તેને તે ન
૧૧૨૦૧ પ્ર. ઉપાશ્રદ્ધ, રહાને સામાજિક વ્રત કરનાર અધિકને ઈર્યાપથિકી કે
સાંપરાયિકી ક્રેયાને દોષ લાગે ? ઉ. એને સાંપરાયિકી ક્રિયાને દેષ લાગે, કેમ કે એને આત્મા હજી
કષાયનાં સાધને યુક્ત છે. ૧૨ ૦૨ પ્ર. સાધુ કોને કહે ?
ઉ. સમ્યફજ્ઞાન અને સમ્યગ્દર્શનથી સંપન્ન તથા સંયમ તપશ્ચર્યામાં
રક્ત આવા ગુણોથી સંયુક્ત સંયતિને જ સાધુ કહે (માને). સાચે વિવેક, સાચી સમજ, ઈન્દ્રિયો તથા મનને સંયમ અને સાચી તપશ્ચર્યા આ ચાર ગુણોનું સમયપણું, અધિકપણું એ જ સાધુતા.
મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય ને યોગથી એક પછી એક અનુકમે બંધ પડે છે.
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૬૫ ધન્ય છે ભાવલિંગી સાધુની દશાને કે જેને “નમો લોએ સવ્વ. સાહણ” બોલતાં સમયે ગણધરદેવના પણ નમસ્કાર પહોંચે છે. જો કે નમસ્કારને વિકલ્પ ઉત્પન્ન થયે તેના ગણધરદેવ સ્વામી નથી. ગણધર મહારાજ બહારથી વંદન ન કરે, તે બાહ્ય વ્યવહાર છે; અંદર ભાવમાં પંચપદને નમસ્કાર કરતી વખતે સાધુને નમસ્કાર આવી જ જાય છે. કોઈ સાધુ બે ઘડી પહેલાં નવા ભાવલિંગી. સાધુ થયા હોય, ત્રણ કષાયને નાશ કરીને આત્મરમણતા પ્રગટ કરી હોય, તે સાધુને ગણધરદેવ, જેને કે લાખો વર્ષ પહેલાં મુનિ. દશા પ્રગટ કરી છે, તે પણ ભાવથી નમસ્કાર કરે છે. ગણધરના નમસ્કાર જેને પહોચે, તે સાધુની ગણના (પંચ) પરમેષ્ઠીમાં હોય છે. મિથ્યાદષ્ટિ દ્રવ્યલિંગી (સાધુ) ને ગણધરના નમસ્કાર નથી. પહોંચતા, તેથી તે (પંચ) પરમેષ્ઠીમાં નથી ગણાતા. “સાધુ, બનવું સરળ છે, પણ સાધુ થવું મુશ્કેલ છે.” કપડાં ઉતારી, ક્રિયાકાંડ અને વ્રત લઈ લીધાં એટલે બહારથી સાધુ બની ગયા, પણ ખરેખર સાધુ “થવું", સાધુ ભાવથી પરિણમવું મુશ્કેલ છે.. આ કાળમાં જ્યાં સમ્યદર્શન જ દુર્લભ થઈ ગયું છે ત્યાં સાધુ--
પણું તે કોઈ અલૌકિક વસ્તુ છે. ૧૨૦૩ પ્ર. ઋષિ કોને કહે છે ?
ઉ. ઋષિ =બહુ ઋદ્ધિ ધારી હોય તે. ઋષિના ચાર ભેદઃ
(૧) રાજ, (૨) બ્રહ્મ, (૩) દેવ, (૪) પરમ. રાજર્ષિ=ઋદ્ધિવાળા, બ્રહ્મર્ષોિ=અક્ષીણ મતની ઋદ્ધિવાળા. દેવર્ષિ આકાશગામી મુનિદેવ.
પરમર્ષિ=કેવળજ્ઞાની. ૧૨૦૪ પ્ર. મુનિ કોને કહેવાય ?
ઉ. જેને અવધિ, મન ૫ર્યજ્ઞાન હોય તથા કેવળજ્ઞાન હોય તે ઘણું
કરીને પ્રજન વિના બોલે જ નહીં, તેનું નામ “મુનિપણું.” મુનિદશા અર્થાત કેવળજ્ઞાનની તળેટી.
નગ્ન એ “આત્મમગ્ન,
Page #388
--------------------------------------------------------------------------
________________
૩૬૬
“આત્મજ્ઞાન ત્યાં મુનિમણું” તે સાચા ગુરુ હોય;
બાકી કુળગુરુકલ્પના, આત્માર્થી નહિ જોય.
જૈન દર્શન સિવાય તે બીજામાં મુનિ છે જ નહીં. ૧૨૦૫ ,, મુનિને ક્ષાત અને દાત કેમ કહે છે ?
ઉ. ક્ષાન એટલે સહિષ્ણુ અને દાન્ત એટલે દમિતેન્દ્રિય (ઈન્દ્રિયને
દમન કરનાર). ૧૨૦૬ પ્ર. યતિ કોને કહે છે ?
ઉ, સંસારને પાર પામે તે યતિ (જાતિ). ૧૨ ૦૭ પ્ર. યોગી કોને કહે છે ?
ઉ. ચમત્કાર બતાવીને યોગને સિદ્ધ કરે એ યોગીનું લક્ષણ નથી,
સર્વોત્તમ યોગી તે એ છે કે સર્વ પ્રકારની સ્પૃહાથી રહિતપણે સત્યમાં કેવળ અનન્ય નિષ્ઠાએ જે સર્વ પ્રકારે “સત્ જ આચરે છે, જગત જેને વિસ્મૃત થયું છે. ચૈતન્ય સાથે યોગ કરે અથવા
ચૈતન્ય સાથેના યોગની સાધના કરે, તે ગી. ૧૨૦૮ પ્ર. ભલે પ્રકારે ચારિત્ર પાળનારા સાધુઓનાં નામ કહે.
ઉ. (૧) આત્માને તપથી પરિશ્રમ કરાવનારા શ્રમણ
(૨) ઈન્દ્રિય અને કષાયને રોકનારા સંયત (૩) રિદ્ધિઓ પ્રાપ્ત કરનારા ત્રષિ (૪) સ્વપર પદાર્થના જ્ઞાતા મુનિ (૫) રત્નત્રયને સાધનારા સાધુ (૬) રાગદ્વેષ રહિત વીતરાગ (૭) સર્વ કલ્યાણ પ્રાપ્ત ભંદત (૮) ઈન્દ્રિય-
વિજ્યા દાંત ૧૨૦૯ પ્ર. મુનિવરોના કેટલા પ્રકારે ભેદ કહ્યા છે ?
ઉ. મુનિવરના દશ ભેદ કહ્યા છે. - ૧. આચાર્ય : સમ્યફ઼જ્ઞાન આદિ ગુણેના ધારક આચાર્ય કહેવાય
છે. જેમની પાસેથી મોક્ષ અને સ્વર્ગ પ્રાપ્ત કરાવનાર વ્રતધારી આચરણ કરીએ તે આચાર્ય.
નિરાકુળતા એ સુખ છે. સંકલ્પ એ દુ:ખ છે,
Page #389
--------------------------------------------------------------------------
________________
૩૬૭
૨. ઉપાધ્યાય : જેમની પાસે આગમને અભ્યાસ કરીએ તે વ્રત,
શીલ અને શ્રુતના આધાર’ એવા ઉપાધ્યાય છે. ૩. તપસ્વી : અનશનાદિ મહાતપ કરનાર, ૪. સૈફ્ટઃ જે કૃત શીખવવામાં અને નિરંતર વ્રતની ભાવનામાં
તત્પર હોય. ૨. ગ્લાનઃ રોગ આદિથી જેમનું શરીર ક્ષીણ, દુઃખી હેય. ૬. ગણ: સહાધ્યાયીને સમુદાય અથવા વૃદ્ધ મુનિઓની પરં
પરાના જે હોય તે. ૭. કુલ : પોતાને દીક્ષા આપનાર આચાર્યના શિષ્ય; (એક જ - આચાર્યને પરિવાર). ૮. સંધ: ચાર પ્રકારના મુનિવરોને સમૂહ તે સંધ છે. (ઋષિ,
યતિ, મુનિ અને અણગાર) ૯. સાધુઃ લાંબા કાળના દીક્ષિત થયેલા તે સાધુ ૧૦. મનોજ્ઞ પંડિતપણાથી, વક્તાપણાથી, ઊંચા કુળથી લેકમાં
માન્ય હોય તથા ગુરુકુળનું ગૌરવ વધારનાર હોય. ૧૨૧૦ પ્ર. ઘણાં શાસ્ત્રોને અભ્યાસ કર્યો હોય તેને જ્ઞાની કહેવાય ?
ઉ. ઘણાં શાસ્ત્રોને અભ્યાસ કરવાથી જ્ઞાની કહેવાતા નથી પણ જેનામાં
નીચેનાં ૧૦ લક્ષણ શોભતાં હોય તે જ્ઞાની કહેવાય છે? (૧) ધરહિત, (૨) વૈરાગ્યવંત, (૩) જિતેન્દ્રિય, (૪) ક્ષમાવંત, (૫) દયાવંત, (૬) સર્વને પ્રિયકારી, (૭) નિર્લોભી, (૮) નિર્ભય, (૯) શોકરહિત, (૧૦) દાતા.
આત્માનુભવી સમ્યફદષ્ટિ ધર્માત્મા છવને જ જ્ઞાની કહેવાય. ૧૨૧૧ પ્ર. જ્ઞાનીઓ અહિંસાદિ વ્રતે ક્યાં સુધી પાળે છે ?
ઉ. જ્ઞાની જીવ પહેલાં અવતાને છોડીને અહિંસાદિ વ્રતમાં પોતાને સ્થિર કરે છે. હિંસાદિ પાપોથી પાપને બંધ થાય છે. જીવદયા આદિ વ્રતિથી પુણ્ય બંધ થાય છે. મેક્ષ તે પુણ્ય અને પાપના નાશથી થાય છે. એટલા માટે મેક્ષાથજન જેવી રીતે હિંસાદિ
રાગાદિનું પ્રગટ ન થવું તે અહિંસા છે.
Page #390
--------------------------------------------------------------------------
________________
(૩૬૮ પાંચ અગ્રતાને છોડી દે છે તેવી રીતે પછી આત્માનું શ્રેષ્ઠ નિર્વિ ક૯પ. પદ પામીને અહિંસાદિ પાંચ વ્રતેને પાળવાને પણ વિકલ્પ છોડી,
દે છે, અર્થાત વ્રતને પાળવાનું મમત્વ પણ તમને છૂટી જાય છે. ૧૨૧૨ પ્ર. ગોશાળાએ શ્રી મહાવીર સ્વામીની સમીપે આવીને બે સાધુઓને
(તેમના જ શિષ્યોને બાળી નાંખ્યા ત્યારે ભગવાને તેમની રક્ષા
કેમ ન કરી ? ઉ. જેને “હું ગુરુ છું, આ મારા શિષ્ય છે” એવી ભાવના નથી,
તેને તે કોઈ પ્રતિકાર કરવો પડતો નથી. તીર્થકર એમ મારાપણું કરે જ નહિ. “હું શરીર રક્ષણને દાતાર નથી, ફક્ત ભાવ ઉપદેશને દાતાર છું. જે હું રક્ષા કરું તો મારે ગે શાળાની રક્ષા કરવી જોઈએ, અથવા આખા જગતની રક્ષા કરવી ઘટે”, એમ વિચાર્યું. તે વખતે ભગવાને જે જરા અશ્વયપણું કરીને
સાધુની રક્ષા કરી હોત તે તીર્થંકરપણું ફરી કરવું પડત. ૧૨૧૩ પ્ર. વેતામ્બર મત પ્રમાણે પણ મુનિની ઉત્તમ દશા તે અચેલક
(નિ:વસ્ત્ર) દશા જ કહી છે તે સત્ય છે ? હા, આચારાંગ સૂત્ર આઠમાં અધ્યયન; પાંચમા, છઠ્ઠા અને સાતમા ઉદેશમાં અને નવમા અધ્યયન પહેલા ઉદ્દેશમાં કહ્યું છે કે મુનિએ વસ્ત્ર ઓછાં કરવાં એટલે કે એક વસ્ત્ર રાખવું, અને અંતે તે પણ છેડી અચેલ (વસ્ત્રરહિત) થઈ નિશ્ચિંત બનવું (૪૨૫). એમ કર્યાથી તેને તપ પ્રાપ્ત થાય છે (૪૨૯). જે લજજા જીતી શકાતી હેય તે અચેલ (વસ્ત્રરહિત) જ રહેવું. તેમાં રહેતાં તૃણસ્પર્શ, ટાઢ, તાપ, દંશમશક, તથા બીજા પણ અનેક અનુકૂળ-પ્રતિકૂળ પરિષહ આવે તે સહન કરવા (૪૩૪). ભગવાને લગભગ તેર. મહિના લગી તે (ઈન્દ્ર દીધેલું) વસ્ત્ર સ્કંધ પર ધર્યું હતું. પછી તે વસ્ત્ર છાંડીને ભગવાન વસ્ત્રરહિત અનગાર થયા. (૪૬૫). આધુનિક શોધક વિદ્વાને વસ્ત્રપાત્ર ધારણ કરવાની વેતાંબરીય મતની પરંપરામાં ભગવાન પાર્શ્વનાથની સવત્ર પરંપરાનું મૂળ
મુનિ દયાતાં નિજ આત્મને, જે સુખ લહે અનંત, લહે ન તે સુખ ઈન્દ્ર પણ, કટિદેવી-વિલંસત.
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૯
જુએ છે, અને સર્વથા નગ્નપણું રાખવાની દિગંબરીય મતની પરંપરામાં ભગવાન મહાવીરની અવસ્ત્ર પરંપરાનું મૂળ જુએ છે (પણું આ મત યથાર્થ ભાસતો નથી). શરીરાદિ બળ ઘટવાથી સર્વ મનુષ્યોથી માત્ર દિગમ્બરવૃત્તિએ વર્તીને ચારિત્રને નિવાહ ન થઈ શકે, તેથી જ્ઞાનીએ ઉપદેશેલી મર્યાદાપૂર્વક વેતાંબરપણેથી વર્તમાન
કાળ જેવા કાળમાં ચારિત્રને નિર્વાહ કરવાને અર્થે પ્રવૃત્તિ છે. ૧૨૧૪ પ્ર. દિગંબર મતમાં મુનિનું નગ્નપણું કેમ સ્વીકાર્યું છે ?
તીર્થકર પણ જ્યાં સુધી ગૃહસ્થી હોય અને વસ્ત્રના ધરનાર હોય ત્યાં લગી મોક્ષને પ્રાપ્ત કરતા નથી. મુનિ દીક્ષા લઈ દિગબરરૂપ ધારણ કરે એટલે નમ્રપણું સ્વીકારે ત્યારે જ મોક્ષ પામે છે. સાધુને વાળની અણી જેટલે પણ પરિગ્રહ હોય નહિ. વસ્ત્ર રાખી મુનિ પણું માને તો તે નિગોદમાં જશે–એમ શ્રી કુંદકુંદાચાર્યું શ્રી અષ્ટપાહુડ શાસ્ત્રના સૂત્રપાહુડ અધિકારમાં ૧૮મી ગાથામાં કહ્યું છે. તેમજ જે પિતાનું મુનિ નામ ધરાવીને વસ્ત્ર રાખે અથવા લક્ષ્મીને ઉપયોગ કરે, કરાવે અથવા તેની અનુમોદના કરે છે તે નિગોદમાં જાય છે. મુનિ એક સ્થાને ઊભા રહી એક જ વખત
બીજાએ આપેલ પ્રાશુક આહાર પિતાના હસ્તરૂપ પાત્રમાં લે. જિનેશ્વરનાં વચનમાં તે જે પરિગ્રહરહિત છે તે જ નિરાગાર એટલે નિર્દોષ મુનિ છે. મુનિ પાસે શાસ્ત્રનાં પુસ્તકે રાખે છે અને પોતાનું શરીર પણ પરિગ્રહ રૂપ છે, પણ મુનિને પોતાના શરીર અને પુસ્તકે ઉપર કોઈ મમત્વ ભાવ નથી. તેથી તે હોવા છતાં તે નહીં હોવા બરાબર છે. (વળી શાસ્ત્રનાં પુસ્તકે મોક્ષ માર્ગમાં
આગળ વધવા માટે સહકારી છે.) ૧૨૧૫ પ્ર. મુનિદશામાં વસ્ત્ર હોય તે શું વાંધો છે ? વસ્ત્ર તો પરવસ્તુ છે
તે આત્માને શું બાધા (વાંધ) કરે છે ? ઉ. વસ્ત્ર તો પરવસ્તુ છે અને તે આત્માને કાંઇ બાધા કરતું નથી,
તે વાત તો ઠીક છે, પરંતુ વસ્ત્ર ગ્રહણ કરવાની જે બુદ્ધિ છે તે
નહિ બનવાનું નહીં બને, બનવું વ્યર્થ ન થાય; કાં એ ઔષધ ન પીજિયે, જેથી ચિતા જાય ?
૨૪
Page #392
--------------------------------------------------------------------------
________________
૩eo
રાગમય બુદ્ધિ જ મુનિદશાને રોકવાવાળી છે. મુનિની આંતરિક દશા એવી ઉદાસીન હોય છે કે વસ્ત્રને ગ્રહણ કરવાને વિક૯પ જ ઊઠતા નથી. વસ્ત્ર રાખવાને વિક૯૫ તે ત્રણ કષાયના અભાવરૂપ મુનિદશાની શુદ્ધિની સાથે રહી શકતો નથી, સુસંગત નથી. (જૈન ધર્મના કોઈ પણ સંપ્રદાય, ગ૭ અથવા આમનાયમાં ભગવાન મહાવીરને વસ્ત્ર સહિત માનવામાં આવતા નથી. તેઓ
વસ્ત્ર રહિત જ હતા તેમ સર્વમાન્ય છે.) ૧૨૧૬ પ્ર. દિગંબર મત પ્રમાણે સ્ત્રી દીક્ષા લઈ મુનિ પણું સ્વીકારી શકે ?
ઉ. સ્ત્રીની નિમાં, સ્તનમાં, નાભિમાં અને બગલમાં, દષ્ટિને અગોચર
સૂક્ષ્મકાય જીવોની ઉત્પત્તિ કહી છે. તેથી સ્ત્રીઓને પ્રવૃજ્યા (દીક્ષા)
કેવી રીતે હોય ? અર્થાતું ન હોય. ૧૨૧૭ પ્ર. પાંચ મહાવત સાધુને હોય છે તેમાં કાંઈ અપવાદ કહ્યો છે ?
ઉ. પ્રાણાતિપાતનું કારણ છે એવા નદીના ઊતરવી વગેરે ક્રિયાની
આજ્ઞા પણ જિને કહી છે. તે એવા અર્થે કે નદી ઊતરવાથી જે બંધ છવને થશે તે કરતાં એક ક્ષેત્રે નિવાસથી બળવાન બંધ થશે, અને પરંપરાએ પંચમહાવ્રતની હાનિને પ્રસંગ આવશે, એવું દેખી તે દ્રવ્ય પ્રાણાતિપાત જેમાં છે એવી નદી ઊતરવાની આજ્ઞા શ્રી જિને કહી છે. તેમજ બૃહત્કલ્પસૂત્રમાં સાધુએ વિચારવાની ભૂમિકાનું પ્રમાણ કહ્યું છે, ત્યાં ચારે દિશામાં અમુક નગર સુધીની મર્યાદા કહી છે. તથાપિ તે ઉપરાંત જે અનાર્યક્ષેત્ર છે, તેમાં પણ જ્ઞાન, દર્શન, સંયમની વૃદ્ધિને અર્થે વિચારવાને અપવાદ કહ્યો છે. તેમ જ વસ્ત્ર, પુસ્તક રાખવાથી સર્વપરિગ્રહ વિરમણવત રહી શકે નહિ; તથાપિ દેહના શાતાર્થને ત્યાગ કરાવી આત્માર્થ સાધવા દેહ સાધનરૂપ ગણી તેમાંથી પૂરી મૂછ ટાળતાં સુધી વસ્ત્રને નિઃસ્પૃહ સંબંધ અને વિચારબળ વધતાં સુધી પુસ્તકને સંબંધ જિને ઉપદેશ્ય છે. મૈથુન ત્યાગવત છતાં તેમાં અપવાદ કહ્યો નથી કારણ કે મૈથુનનું આરાધવું રાગદ્વેષ વિના થઈ શકે નહીં, એવો જિનને
પ્રભુ પદ દઢ મને રાખીને, કર વિરતિ વિવેક વધારીને, તરે
સૌ વેવારઃ આ સંસાર,
Page #393
--------------------------------------------------------------------------
________________
૩૭૧
અભિમત છે. એટલે રાગદ્વેષ પરમાર્થરૂપ જાણી મૈથુનત્યાગ અનપવાદે આરાધવુ કહ્યુ છે.
૧૨૧૮ પ્ર. સાધુ પત્ર–સમાચારાદિના પ્રસંગ રાખી શકે?
ઉ. પત્ર-સમાચારાદિના જો સાધુ પ્રસંગ રાખે તો પ્રતિબંધ વધે એમ હોવાથી ભગવાને ના કહી છે. સમાગમ વધે, પ્રીતિ-અપ્રીતિનાં કારા વધે, સ્ત્રીઆદિના પરિચયમાં આવવાના હેતુ થાય, સંયમ ઢીલેા થાય, તે તે પ્રકારના પરિગ્રહ વિના કારણે અંગીકૃત થાય, એવાં સાન્નિપાતિક અનત કારા દેખી પત્રાદિના નિષેધ કર્યાં છે, તથાપિ ત પણ અપવાદ સહિત છે. પત્રસમાચાર લખવાથી આત્મહિત નાશ પામતુ હોય ત્યાં જ તેના સમજાવી છે, જ્યાં આત્મહિત પત્રસમાચાર નહી હોવાથી નાશ પામતુ` હોય, ત્યાં પત્રસમાચારના નિષેધ નથી. જ્ઞાન, દ્દન, સંયમના સંરક્ષણાર્થે પત્રસમાચારાદિ વ્યવહાર પણ સ્વીકારવાના સમાવેશ થાય છે. નિત્યપ્રતિ અને સાધારણ પ્રસંગમાં પત્રસમાચારાદિ વ્યવહાર ઘટે નહી'. કરવા ાગ્ય લાગતા હોય તા તે પમ કાઈ સત્સંગીને વંચાવીને મેકલવા, કે જેથી જ્ઞાનચર્યા સિવાય એમાં કાઈ બીજી વાર્તા નથી એવુ તેમનું સાક્ષીપણું આત્માને બીજા પ્રકારને પત્રવ્યવહાર કરતાં અટકાવવાને સવિત થાય,
સ્નાનને નિષેધ કેમ છે ? સ્નાનથી હાનિ શી છે ?
ઉ. નાહવાથી અસંખ્યાતા જંતુના વિનાશ, કામાગ્નિની પ્રદીપ્તતા, વ્રતના ભગ, પરિણામનું બદલવું, એ સધળી અશુચિ ઉત્પન્ન થાય છે અને એથી આત્મા મહામલિન થાય છે. આત્માની મલિનતા એ જ અશુચિ છે.
૧૨૧૯ પ્ર.
૧૨૨૦ પ્ર. સ્નાન ન કરવાથી દર્દી ઉત્પન્ન થાય તેનું કેમ ?
ઉ. એ તા સ્થૂલપ્રુદ્ધિના પ્રશ્ન થયા. દર્દનુ ઉત્પન્ન થવુ' તે કમેઉદયને આધીન છે. જો એમ ન હોય તા સ્નાન કરનારને દર્દી ઉત્પન્ન ન થવાં જોઇએ અને સ્નાન ન કરનારને દર્દના ઉપદ્રવ હોવા જોઈએ પણ એમ તા થતું નથી.
સુખને ઇચ્છતા ન હોય તે નાસ્તિક, કાં સિદ્ધ કર્યાં જડ,
Page #394
--------------------------------------------------------------------------
________________
૩૭૨
૧૨૨૧ પ્ર. લેચ કરવો શા માટે કહ્યું છે?
ઉ. શરીરની મમતાની તે પરીક્ષા છે માટે. (માથે વાળ) તે મેહ વધવાનું
કારણ છે. નાહવાનું મન થાય; અરીસો લેવાનું મન થાય, તેમાં મેટું જોવાનું મન થાય અને ઉપરાંત તેનાં સાધને માટે ઉપાધિ
કરવી પડે. આ કારણથી જ્ઞાનીઓએ લેચ કરવાનું કહ્યું છે. ૧૨૨૨ પ્ર. વ્યાખ્યાન કરતી વખતે મુનિએ કેવા ભાવ રાખવા જોઈએ ?
ઉ. મુનિને વ્યાખ્યાન કરવું પડતું હોય તો પોતે સ્વાધ્યાય કરે છે એ
ભાવ રાખી વ્યાખ્યાન કરવું. મુનિને સવારે સ્વાધ્યાયની આજ્ઞા છે, તે મનમાં કરવામાં આવે છે, તેના બદલે વ્યાખ્યાનરૂપ સ્વાધ્યાય ઊંચા સ્વરે માન, પૂજા, સત્કાર, આહારાદિની અપેક્ષા વિના કેવળ
નિષ્કામ બુદ્ધિથી આત્માથે કરે. ૧૨૨૩ પ્ર. મુનિ ગૃહસ્થને ત્યાંથી એક સોય લાવ્યો હોય, અને તે ખોવાઈ
જવાના કારણથી પણ પાછી ન આપે તે તેણે ત્રણ ઉપવાસ
કરવાની સખત આજ્ઞા કેમ કરી હશે ? ઉ. તેનું કારણ એ છે કે તે ઉપયોગશન્ય રહ્યો. જે એટલે બધે બજે
ન મૂક્યો હોત, તે બીજી વસ્તુઓ લાવવાનું મન થાત; અને કાળે કરી પરિગ્રહ વધારી, મુનિપણું ઈ બેસત. જ્ઞાનીએ આ આકરો માગ પ્રરૂપ્યો છે તેનું કારણ એ છે કે તે જાણે છે કે,
આ જીવ વિશ્વાસ કરવા યોગ્ય નથી; કારણ કે તે બ્રાન્તિવાળે છે. ૧૨૨૪ પ્ર. કૂ દાવ, દાનશાળા ખોલવી, અન્નદાન, જળદાન આપવું
ઇત્યાદિ કાર્યોમાં ગૃહસ્થ સાધુને પૂછે કે તેમ કરવામાં પુણ્ય છે કે,
નહિ તે સાધુ શું ઉત્તર આપે ? ઉ. અન્નદાન કે જળદાન (ઇત્યાદિ દાન) આપવામાં ત્રસ અને સ્થાવર
જીવોની હિંસા થાય છે, તેમની રક્ષા માટે સાધુ “પુણ્ય થાય છે” એવું ન કહે. જે પ્રાણીઓને દાન આપવા માટે અન્ન અને પાણી તયાર કરવામાં આવે છે તે પ્રાણીઓના લાભમાં અંતરાય પડે છે માટે “પુણ્ય નથી” એમ પણ સાધુ ન કહે.
જિન સે હી હે આત્મા, અન્ય હાઈસ કમ, કમ કરે છે જિન વચન, તત્વજ્ઞાન કે મમ..
Page #395
--------------------------------------------------------------------------
________________
૩૭૩
૧૨૨૫ છે. ગ્રામાનુગ્રામ જતાં મુનિને કોઈ વટેમાર્ગ એમ પૂછે કે “અહીંથી
હવે કયું ગામ કે શહેર આવશે” અથવા “અહીંથી ગામ, શહેર કે રાજધાનીને કો રસ્તા જાય છે તે જણાવો” તે મુનિને તે
વિષયની માહિતી હોવા છતાં દર્શાવે કે નહિ ?”
ઉ. ના, મુનિ જાણતાં છતાં પણ, જાણું છું એમ ન બેલે. ૧૨૨૬ પ્ર. માર્ગે ચાલતાં મુનિને લૂંટારુઓ ધમકાવે, હેરાન કરે કે વસ્ત્રાદિ
ઉપકરણ લૂંટી લે તો તે વાત મુનિ ગૃહસ્થ, પિલીસ વગેરેને
તે ત્રાસ મટાડવા કરે કે નહિ ? ઉ. તે વાત મુનિએ ગામમાં કે દરબારમાં પ્રસરાવવી નહિ. તેમજ
કાઈ ગૃહસ્થને પણ ન કહે મુનિ કાઈના ઘરમાં ઊતર્યા હોય અને ત્યાં ચોર ચોરી કરતા હોય તે પણ મુનિ ન બેસે. મુનિ તે .
આત્માનું હિત થાય તેવું બેલે. ૧૨૨૭ પ્ર. મુનિને કપડાં અને પાત્ર લેવા માટે કેટલે દૂર જવાની આજ્ઞા
શાસ્ત્રમાં આપી છે ?
ઉ. મુનિએ કપડાં અને પાત્ર માંગવા બે ગાઉની હદની બહાર ન જવું: ૧૨૨૮ પ્ર. સાધુજી વસ્ત્ર, પાત્ર ઇત્યાદિ રાખે છે તે સંગ્રહ કે પરિગ્રહ નથી ?
ઉ. વસ્ત્ર, પાત્ર, કંબલ, પદપું છન, રજોહરણ ઈત્યાદિ સંયમનાં ઉપકરણેને
સંયમના નિર્વાહ માટે ધારણ કરે તેને પરિગ્રહ કહ્યો નથી પરંતુ તે વસ્ત્રાદિ દેઈ પણ વસ્તુ પર જે મૂચ્છ (આસક્તિ) હોય તે
જ તે પરિગ્રહ છે. ૧૨૨૯ પ્ર. સાધુ કોઈ ઉમેદવારની ચૂંટણી ઇત્યાદિ કાર્યોમાં જીત થાય વગેરે
માટે આશીર્વાદ બોલે ? છે. અમુક પક્ષને (ઉમેદવારને) જય થાઓ કિંવા થી જોઈએ તેમજ
અમુક પક્ષની જીત ન થાઓ અથવા અમુક પક્ષ હાર જાઈએ એમ ભિક્ષુ ન બોલે. ઉપરાંત આ પ્રમાણે બોલવાથી તેમાંના એક પક્ષના હૃદયમાં આઘાત પહોંચવાનો સંભવ છે. સાધુ આવશ્યકતા વિના ન બેલે. બોલવું પડે ત્યારે ગળીને બેલે. અસત્ય
વ્યવહારસેં દેવ જિન, નિહચર્સે હૈ આપ, એહિ બચનમેં સમજ લે, જિન પ્રવચનકી છાપ,
Page #396
--------------------------------------------------------------------------
________________
- ન બોલે. સત્ય બેલે પણ તે સત્ય કઠોર અને બીજાની લાગણી ન .
દુભાય તેવું હોય. . ૧૨૩૦ પ્ર. અગ્નિથી ગરમ કરેલું ન હોય તે તેવું પાણી સાધુ પી શકે?
ઉ. સંયમી ભિક્ષુ ઠંડું પાણી, કરાનું પાણી કે સચિત્ત બરફનું પાણું ન
સેવે (અર્થાત ન પીએ પાણીમાં બીજું કઈ પણ શસ્ત્ર પડે તે તે નિર્જીવ થાય. આથી ગોળ, આટે કે તેવી બીજી કોઈ વસ્તુ પડી હોય તો તે ઠંડુ પાણી પણ (અમૂક કાળ વીત્યા પછી) અચેત, (નિર્જીવ) બને છે. અને તેનું પાણી જે નિર્જીવ રહે તેમજ શરીર, સ્વાશ્યને અનુકૂળ હોય તો ભલે અગ્નિતતું ન હોય છતાં ભિક્ષુ
તેને ગ્રહણ કરી શકે છે. ૧૨૩૧ પ્ર. મુનિ બળતી વસ્તુને બુઝાવે કે નહિ?
ઉ. મુનિ બળતા અંગાસ, અગ્નિ, અગ્નિના કણ કે બળતા કાષ્ઠને
સળગાવે નહિ, હલાવે નહિ તેમ ઠારે પણ નહિ. ૧૨૩૨ પ્ર. દાન કે પરોપકાર કરતાં સંયમનું સ્થાન ઊંચું કે નીચું કહેવાય? - ઉ. જૈનદર્શનમાં દાન કે પરોપકાર કરતાં સંયમનું ઉચ્ચ કોટિનું સ્થાન
છે, કારણ કે દાતાર પોતાના ઉપભેગની સામગ્રી બરાબર લઈને પછી વધુ હોય તે જ દાન કરે છે. પરોપકારમાં પણ ઊંડી ઊંડી પ્રત્યુપકારની વાસના છે, જ્યારે સંયમમાં તે સ્વાર્થ બિલકુલ ન હોવા છતાં સંયમી વિશ્વમાં પ્રાપ્ત થયેલાં પોતાનાં સાધને સ્વયં
૧૨૩૩ ,, મુનિને એકાકી વિચરવાની આજ્ઞા છે ?
ઉ. ભિક્ષુ પિતાથી અધિક ગુણવાન કે સમાન ગુણવાળ ન મેળવી શકે
તે કામમાં અનાસક્ત રહી તથા પાપને ત્યાગ કરી સાવધાનતાપૂર્વક એકકી વિચરે (પરંતુ ચારિત્રહીનના સંગમાં ન
રહે.) એકચર્યા આત્મસાધનાથે ઉત્પન્ન થઈ હોય તે તે પ્રશંસનીય છે. ૧૨૩૪ પ્ર. જૈન ભિક્ષને એક સ્થાને વધારેમાં વધારે કેટલે સમય રહેવાની
આજ્ઞા છે ?
ઇચ્છાઓનો ત્યાગ તે વૈરાગ્ય,
Page #397
--------------------------------------------------------------------------
________________
૩૭૫
|
ઉ (ચાતુર્માસમાં) જૈન ભિક્ષને એક સ્થાને વધારેમાં વધારે ચાર માસ
સુધી અને અન્ય ઋતુઓમાં એક માસ સુધી રહેવાની આજ્ઞા છે. અને જે સ્થળે ચોમાસું કરેલું હોય ત્યાં બીજાં બે વર્ષો છોડી અને ત્રીજે વર્ષે રહી શકાય અને તે જ પ્રમાણે એક માસ જે સ્થળે રહ્યા હોય તેનાથી બમણો વખત બીજા ક્ષેત્રમાં ગાળી પછી ત્યાં માસભર રહેવું હોય તે રહી શકાય. શારીરિક વ્યાધિ કે બીજા કઈ તેવા અનિવાર્ય અને મહાન કારણે કદાચ તે પ્રમાણમાં અપવાદ હોઈ શકે છે. એક સ્થળે વધુ રહેવાથી આસક્તિ કિંવા રાગ બંધન થાય અને આસક્તિ કે રાગ બંધન એ સંયમના ઘાતક છે. દિગંબર મત પ્રમાણે અનેક દેશના વ્યવહારને જાણનાર સાધુ ગામમાં એક રાત અને નગરમાં પાંચ રાત સુધી રહી શકે છે. તેઓ રહીને પણ વાયુની માફક નિસંગ રહે છે, તથા ભયંકર જ ગલના સિંહની માફક નિર્ભય હોય છે અને બીજાની સહાયની અપેક્ષા રાખતા નથી. કાંકરા અને પથ્થરવાળી ગરમ અથવા ઠંડી ગમે તેવી ભૂમિ ઉપર એક મુહૂર્ત સુધી એક પડખે હૂંડિયું વાળીને સૂઈ રહે છે ત્યારે તેઓ સંયમ રક્ષા માટે હલનચલને આદિથી રહિત થઈને નિશ્ચલ રહે છે. વ્યન્તર આદિને ત્રાસ હોય તો પણ ભાગી જવાની અથવા પ્રતિકાર કરવાની ઈચ્છા કરતા નથી. તેઓ મરણને ભય હોય તે પણ નિઃશંક રહીને મૃતદેહની માફક અથવા લાકડીની માફક નિશ્ચલ પડી રહે છે. પ્રાણ જવાને સમય આવે તે પણ કદી તેઓ આહાર, ઔષધ આદિની યાચના કરતા નથી. આશીર્વાદ આપવા માટે જ તેમને હાથ લંબાય કે ઊંચો થાય છે, યાચના કરવા માટે નહીં. વેદના, રોગ આવે તે શરીરને જીર્ણ વસ્ત્રની માફક અવશ્ય ત્યાગ કરવા યોગ્ય છે એમ પિતાના શરીર ઉપર પરશરીરની જેમ ઉપેક્ષાભાવ ધારણ કરી કોઈ પણ પ્રકારની ચિકિત્સા
ભાવે જિનવર પૂજિયે, ભાવે દીજે દાન; ભાવે ભાવના ભાવિયે, ભાવે કેવળજ્ઞાન.”
Page #398
--------------------------------------------------------------------------
________________
૩૭૬
કરવાને ભાવ મનમાં ન લાવતાં અને પિતાની પાસે ઔષધ ઋદ્ધિ ન હોવા છતાં શરીર પ્રત્યે નિસ્પૃહ રહીને “પૂર્વના કરેલાં પાપનું
આ ફળ છે” એને ભેગવીને ઋણ મુક્ત થવા માટે રોગને પ્રતિકાર
ન કરતાં તેને સહન કરી લે છે. ૧૨૩૫ પ્ર. સંસારમાં માત્ર વૈરાગ્યને જ અભય કેમ કહ્યો છે?
ઉ. ભર્તુહરિ ઉપદેશ છે કે ભોગમાં રોગને ભય છે; કુળને પડવાને ભય
છે; લક્ષ્મીમાં રાજને ભય છે; માનમાં દીનતાને ભય છે, બળમાં શત્રુને ભય છે; રૂપથી સ્ત્રીને ભય છે; શાસ્ત્રમાં વાદને ભય છે; ગુણમાં ખળને ભય છે; અને કાયા પર કાળને ભય છે; એમ
સર્વ વસ્તુ ભયવાળી છે, માત્ર એક વૈરાગ્ય જ અભય છે. ૧૨૩૬ પ્ર. જે જીવને સંસારને છેડો આવી લાગ્યું હોય તેવા જીવનાં લક્ષણે
કેવો હોય ? - ઉ. ઈન્દ્રિય વિષયોથી વિરતિ, પરિગ્રહને ત્યાગ, કષાયોનું દમન, રાગ
દેષની શાંતિ, યમ-નિયમ, ઇન્દ્રિયદમન, સાત તને વિચાર, તપશ્ચરણમાં ઉદ્યમ, મનની પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ, જિન ભગવાનમાં ભક્તિ અને પ્રાણીઓ ઉપર દયાભાવ આ સર્વે ગુણે જે જીવને સંસારરૂપ સમુદ્ર કિનારે સમીપમાં આવી ગયું છે તેવા
પુણ્યાત્માને પ્રાપ્ત થાય છે. ૧૨૩૭ ક. સંસાર કેને કહેવો ? પત્ની-પુત્ર-પરિવાર તે જ સંસાર છે ને?
ઉ. પત્ની-પુત્ર-પરિવાર તે સંસાર નથી. સંસાર તે પોતાની પર્યાયમાં
જે મેહ–રાગ-દ્વેષરૂપ વિભાવભાવ છે તે છે. જે પત્ની-પુત્ર-આદિ સંસાર હોય તે પરલોકગમનના સમયે દેહ-પત્ની-પુત્ર-આદિ બધું અહીં જ પડી રહે છે તે શું તેને સંસાર મટી જશે અને મેક્ષ થઈ જશે ? પત્ની-પુત્ર આદિ સંસાર છે જ નહીં. પિતાના આત્માની મહિમા ભૂલીને બીજાના કર્તુત્વને ભાવ તથા મિથ્યાત્વ સહિત અથવા અસ્થિરતા સહિત રાગદેષરૂપ ભાવ છે તે જ સંસાર છે.
વીતી તાહી વિસાર દે, આગલકી શુધ લે, જે બની આવે સહજમેં તાહીમેં ચિત્ત દે,
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૭૭
૧૨૩૮ પ્ર. નિથ ગુરુ એટલે શું પૈસારહિત ગુરુ ?
ઉ. નિગ્ર થ ગુરૂ એટલે પૈસારહિત ગુરૂ નહિ, પણ જેની ગ્ર ંથિ છેદાઈ છે એવા ગુરૂ. મિથ્યાત્વની ગ્રંથિ છે.
૧૨ ૩૯ પ્ર. નિગ્રંથના કેટલા પ્રકાર છે ?
. પાંચ પ્રકારના નિત્ર થ છે; પ્રથમના ત્રણ વ્યવહારિક અને પછીના એ તાત્ત્વિક છે.
ี
(૧) પુલાક :–મૂળ ગુણ અને ઉત્તર ગુણમાં પરિપૂર્ણતા પ્રાપ્ત ન કર્યા છતાં વીતરાગપ્રણીત આગમથી કદી પણ ચલિત ન થાય. (૨) બકુશ :- જેએ શરીર અને ઉપકરણના સત્કારાને અનુસરતા હાય, ઋદ્ધિ અને કીર્તિ ચાહતા હોય, સુખશીલ હાય, અવિવિક્ત...સસ ંગપરિવારવાળા હોય અને છેદ (ચારિત્રપર્યાયની હાનિથી) તથા શાલ (અતિચાર) દાષાથી યુક્ત. (૩) (અ) પ્રતિસેવનાકુશીલ :-ઇન્દ્રિયોને વશવી હોવાથી કાઈ પ્રકારના ઉત્તમ ગુણાની વિરાધના કરવા પૂર્વક પ્રવર્તે
(બ) કાયકુશીલ :-જેએ તીવ્ર કષાયને કદી વશ ન થતાં માત્ર મદ કષાયને કન્યારેક વશ થાય.
(૪) નિય ́થ :-જેમાં સર્વજ્ઞપણું ન હોવા છતાં રાગદ્વેષના અત્યંત અભાવ હોય અને અતર્યંત જેટલા વખત પછી જ જેમાં સર્વજ્ઞત્વ પ્રગટ થવાનું હાય.
(૫) સ્નાતક :જેમાં સનપક્ષુ' પ્રગટયું હોય તે.
૧૨૪૦ પ્ર, નિગ્રંથ મુનિની અંતિમ ઇચ્છા તેા મેાક્ષ પામવાની જ હોય ને? ઉ. મેાક્ષ પ્રાપ્તિનેા ભાવ પણ આસ્રવ ભાવ છે અને તે `બંધનુ કારણ છે. મેાક્ષ પ્રત્યે પર દ્રવ્યની પેઠે દૃષ્ટબુદ્ધિથી રાગભાવ કરે તા તે મુનિ અજ્ઞાની છે. એવા ભાવ પણ આત્મસ્વભાવથી વિપરીત છે. ભાવલિંગી મુનિઓને છઠ્ઠા ગુણુસ્થાને શુભરાગ આવે છે તે પ્રમાદ છે. સ્વરૂપમાં ઠરી જવું એ જ મુનિદશા છે.
“જાણ આગળ અજાણ થઈ એ, તત્ત્વ લઈ એ તાણી; આગલા થાય આગ, તે આપણું થઈએ પાણી.”
Page #400
--------------------------------------------------------------------------
________________
સત્ પુરુષ; સ
; સત્સંગ.
૧૨૪૧ પ્ર. આ કાળમાં સહુરુષનું ઓળખાણું કેમ થતું નથી ?
ઉ. આ કાળમાં પુરુષનું દુર્લભપણું હેવાથી, ઘણું કાળ થયાં
સપુરુષને માર્ગ, મહામ્ય અને વિનય ઘસાઈ ગયાં જેવાં થઈ ગયાં હોવાથી અને પૂર્વના આરાધક છો ઓછા હોવાથી જીવને સપુરુષનું એાળખાણ તત્કાળ થતું નથી. ઘણું જીવો તે સત્પરુષનું સ્વરૂપ પણ સમજતા નથી, કાં તે છ કાયના રક્ષપાળ સાધુને, કાં તે શાસ્ત્રો ભણ્યા હોય તેને, કાં તે કઈ ત્યાગી હોય તેને. અને કાં તે ડાહ્યો હોય તેને પુરુષ માને છે, પણ તે યથાર્થ નથી. છેલ્લું પુદ્ગલ પરાવર્તન હોય ત્યારે જીવને સત્યરુષને યોગ
પ્રાપ્ત થાય છે. ૧૨૪ર છે. જ્ઞાનીની પરીક્ષા અજ્ઞાની જીવ કઈ વિધિથી કરે છે ? આવા
અજ્ઞાની કેટલા પ્રકારના છે ? તથા જ્ઞાનીની પરીક્ષા કરવાની સાચી. રીત શું છે ? ઉ. જ્ઞાનીની બેટી વિધિથી પરીક્ષા કરવાવાળા અજ્ઞાનીઓ ત્રણ પ્રકારના. છે, અને તેઓ ત્રણ પ્રકારથી પરીક્ષા કરે છે.
પ્રથમ નંબરના અજ્ઞાની તે છે કે જે ફક્ત બહારના વેશથી પરીક્ષા કરે છે, અર્થાત માત્ર વેશ દેખીને જ તેઓ જ્ઞાની હોવાની કલ્પના કરી લે છે. દ્વિતીય નંબરના અજ્ઞાની તે છે કે જે બહારની ક્રિયા જોઈને પરીક્ષા કરે છે અર્થાત બહારમાં ચાલવું, ફરવું. ઊઠવું, બેસવું, આહાર, શયન આદિમાં સાવધાની, શુદ્ધતા આદિ જોઈને જ જ્ઞાની માની લે છે. તૃતીય નંબરના અજ્ઞાની તે છે કે, જે કષાયની મંદતા જોઈ પરીક્ષા કરે છે અર્થાત પ્રતિકૂળ સંજોગો હોવા છતાં જેઓ ક્રોધાદિક કરતા નથી, પરિણામોની સરળતા.
Page #401
--------------------------------------------------------------------------
________________
૩૯૯
હોય છે, બાહ્ય પરિગ્રહને વિશેષ લેભ રાખતા નથી, શરીર તથા ભેજનાદિ પ્રત્યે વધુ આસક્તિ રાખતા નથી, તેમને જ્ઞાની હેવાનું
સ્વીકાર કરી લે છે પરંતુ આ જ્ઞાનીને ઓળખવાની સાચી. રીત નથી.
જે સાચે જિજ્ઞાસુ છે, તે તે અંતરની તત્વ દૃષ્ટિથી પરીક્ષા કરે છે, કે સામાવાળ જીવનાં શ્રદ્ધા જ્ઞાન કેવાં છે જે તેને ચિંતન્ય. ભગવાનની શ્રદ્ધા છે કે નહીં ? રાગથી ભિન્ન ચૈિતન્ય સ્વભાવની પ્રતીતિ છે કે નહીં ? શુભરાગ થાય છે, તેનાથી લાભ માને છે કે તેનાથી ભિન્ન રહે છે ? આ પ્રમાણે અંદરની શ્રદ્ધા અને
જ્ઞાનથી જ જ્ઞાનીની ઓળખાણું સુપાત્ર જીવ કરે છે. ૧૨૪૩ પ્ર. પુરુષ સાથે વાતચીત કરતાં ઓળખાણ સંભવે નહિ ?
ઉ. મધ્યમ પુરુષ હેય તે થોડા કાળે તેમનું એાળખાણ થવું સંભવે,
કારણ કે જીવની મરજી અનુકૂળ તે વર્તે, સહજ વાતચીત કરે અને આવકાર ભાવ રાખે તેથી જીવને પ્રીતિ થવાનું કારણ બને. પણ ઉત્કૃષ્ટ-સપુરુષને તે તેની ભાવના હોય નહીં અર્થાત નિસ્પૃહતા. હોવાથી તેઓ ભાવ રાખે નહીં, તેથી કાં તો જીવ અટકી જાય.
અથવા મૂંઝાય અથવા તેનું થવું હોય તે થાય, ૧૨૪૪ પ્ર. તપુરુષ કેમ ઓળખાય ?
ઉ. (૧) નયનથી, એટલે તેમનાં નેણુ (આંખ) બહુ શાંત હાય.
(૨) વચનથી, વચન અપૂર્વ અને પૂર્વાપર અવિરેાધ હોય.
(૩) શ્રેણીથી, એટલે વર્તન શુદ્ધ હોય. ૧૨૪૫ પ્ર. કયા લક્ષણે ઉપરથી ગુરુનું એાળખાણ પડે ? ઉ. “સ” નામ આત્મા અને તેને સમજાવવાવાળા ગુરુ તે સત ગુરુ.
આત્મજ્ઞાન સમર્શિતા વિચરે ઉદય પ્રયોગ; અપૂર્વ વાણુ પરમકૃત.. સદ્ગુરુ લક્ષણ યોગ્ય,” સદ્દગુરુના વિષે સમદર્શિતા અર્થાત્ ઈચ્છારહિતપણું સંપૂર્ણપણે વર્તે છે. સંપૂર્ણ પણે ઈછારહિત હેવાથી વિચરવા આદિની તેઓની દેહાદિક ગક્રિયા પૂર્વ પ્રારબ્ધય.
વ્રત નહીં પચખાણ નહિ, નહિ ત્યાગ વસ્તુ કેઈને, મહાપદ્મ તિર્થંકર થશે, શ્રેણિક કાણુગ જોઈ લે,
Page #402
--------------------------------------------------------------------------
________________
૩૫૦
વેદી લેત્રા પૂરતી જ છે. માટે વિચરે ઉદ્ય પ્રયાગ'' કહ્યું. વાણી ધર્મે વતું શ્રુત પણ તેઓને વિષે કાઈ પણ નય ન દુભાય એવું સાપેક્ષપણે વર્તે છે, તે તેમને પરમશ્રુત ગુણુ સૂચવ્યા. સત્પુરુષ એ જ કે નિશદિન જેને આત્માના ઉપયાગ (લક્ષ) છે.
૧૨૪૬ પ્ર. ધર્મ કોની પાસેથી સમજવા, જાણવા અને ગ્રહણ કરવા ?
ઉ. જીવે ધમ પેાતાની પુના વડે અથવા પુનાપ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જેંગ, મનન કરવા જોગ કે આરાધવા જોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની એવા સત્પુરુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા જોગ છે, યાવત્ આરાધવા જોગ છે. જેને આત્મસ્વરૂપ પ્રાપ્ત છે, પ્રગટ છે, તે પુરુષ વિના ખીજો કાઈ તે અત્મસ્વરૂપ યથાર્થ કહેવા યાગ્ય નથી; અને તે પુરુષથી આત્મા જાણ્યા વિના ખીજો કાઇ કલ્યાણુના ઉપાય નથી. મતને આગ્રહ મૂકી દેવા. આત્માના ધર્મ આત્મામાં છે. બાકીના માર્ગના મતમાં પડવુ નહીં.
૧૨૪૭ પ્ર. સંત અને જ્ઞાનીના બાહ્ય આચાર ન જોવાય અને તે ગમે તેમ વિચરે તેવુ થન કઈ અપેક્ષાએ છે ?
ઉ. સતા અને નાનીએ. આત્મજ્ઞાન પામ્યા હોય તેા તે નિઃસ ંશય છે. ગ્ર ંથિભેદ થયે। હોય અને નિર ંતર આત્મરમણુતા હોય. તેમને “તું હિ તુ હિં” વિના ખીજી રટના રહે નહિ; માયિક એક પણ ભયના, મેાહના, સંકલ્પના કે વિકલ્પના અંશ રહે નહિ; એ એક વાર જો યથાયાગ્ય આવી જાય તેા પછી ગમે તેમ પ્રવર્તાય, ગમે તેમ બાલાય, ગમે તેમ આહાર-વિહાર કરાય, તથાપિ તેને કાઈ જાતની બાધા નથી, પરમાત્મા પણ તેને પૂછી શકનાર નથી. તે જ પ્રમાણે ભક્તામરસ્તોત્રની ૧૪મી ગાયામાં કહ્યુ છે કે ઃ ચે. સંશ્રિતાસ્ત્રિ જગદીશ્વર નાથમેક, કસ્તાનિવારયતિ સંચરતા યથેષ્ટમ.’
અર્થાત્ જેને આત્માને આશ્રય લીધા છે તેને ઈચ્છા માફક વિચરતાં ક્રાણુ રોકી શકે ? કાઈ નહીં.
જે વસ્તુ સમયમાત્ર છે, તે સર્વ કાળ છે,
Page #403
--------------------------------------------------------------------------
________________
૩૮૧
૧૨૪૮ પ્ર. જ્ઞાની અને અજ્ઞાનીની ચેષ્ટા અને અવસ્થા એકસરખી દેખાય તો.
કેવી રીતે નિશ્ચય કરો ? ઉ. અનાદિકાળથી વિપર્યય બુદ્ધિ હવાથી, અને કેટલીક જ્ઞાની પુરુષની.
ચેષ્ટા અજ્ઞાની પુરુષના જેવી જ દેખાતી હોવાથી, જ્ઞાની પુરુષને. વિષે વિભ્રમ બુદ્ધિ થઈ આવે છે, અથવા જીવથી જ્ઞાની પુરુષ પ્રત્યે તે તે ચેષ્ટાને વિક૯પ આવ્યા કરે છે. જ્ઞાની પુરુષની ચેષ્ટાનું કઈ અગમ્યપણું જ એવું છે કે, અધૂરી અવસ્થાએ કે અધૂરા નિશ્ચયે જીવને વિશ્વમ તથા વિકલ્પનું કારણ થાય છે. આ જીવને. અધૂરો જ્ઞાની પુરુષ પ્રત્યેને નિશ્ચય છે, એ જ આ જીવને દેષ છે. દેહના ધર્મ તે જ્ઞાની અને અજ્ઞાની બનેને હોય છે; પણ, અંતરની ચર્યાથી જ જ્ઞાની ઓળખાય છે, બાકી બહારથી કશે ફેર ન હોય. શરીર સારું હોય ત્યારે તે કંઈ નહીં; પણ મરણ વખતની વ્યાધિ અને પીડા વખતે જ્ઞાની અને અજ્ઞાનીની પરીક્ષા
થાય છે. ૧૨૪૯ પ્ર. “મોટા કહે તેમ કરવું, કરે તેમ ન કરવું” આ વાક્યને મર્મ શું છે ?
ઉ. શ્રી કબીરનું અંતર સમજ્યા વિના ભોળાઈથી લેકે પજવવા
માંડવા. આ વિક્ષેપ ટાળવા કબીરજી વેશ્યાને ત્યાં જઈ બેઠા. લોક-- સમૂહ પાછો વળ્યો. કબીરજી ભષ્ટ થઈ ગયા એમ લકે કહેવા લાગ્યા. કબીરજીના વિક્ષેપ તે ટળ્યો પણ બીજાએ તેનું અનુકરણ ન કરવું. નરસિંહ મહેતા ગાઈ ગયા છે કે :
“મારું ગાયું ગાશે તે ઝાઝા ગોદા ખાશે”
સમજીને ગાશે તે વહેલે વકંઠ જાશે.” તાત્પર્ય કે સમજીને વિવેકપૂર્વક કરવાનું છે. પિતાની દશા વિના, વિના વિવેકે, સમજ્યા વિના જીવ અનુકરણ કરવા જાય તે માર. ખાઈ જ બેસે, માટે મોટા કહે તેમ કરવું, કરે તેમ ન કરવું.
આ વચન સાપેક્ષ છે. ૧ર પ૦ પ્ર. જ્ઞાનીની કરણી અને કથનીમાં શું અંતર હોય છે ?
ત્યાગનું ફળ મિક્ષ નથી, જ્ઞાનનું ફળ મેક્ષ છે,
Page #404
--------------------------------------------------------------------------
________________
૩૮૧
ઉ. (હા;) વસ્તુસ્વરૂપ એવું છે, તેમાં જ્ઞાની શું કરે ? જેવું શ્રધ્ધાન, જ્ઞાન અને વચન હેાય છે તેવુ' ચારિત્ર પણ હોવુ જોઈએ, તે ચેાથા ગુણસ્થાનવાળા નાનીને હાતુ નથી; પણ શ્રધ્ધામાં ફેર નથી હોતા. કરણી અને થનીનું આ અંતર તેા છે જ. પણ એ અંતર તાક્ષાયક સમ્યક્દષ્ટિ ભરતાદિ ચક્રવતિ એને પણ હતુ. ચોથા ગુણસ્થાનવાળા બધા જ્ઞાનીઓને હેાય છે—એમાં જ્ઞાની શું કરે ? એક બાજુ એમ સિદ્ધાન્ત બતાવ્યા કે ભગવાનની વાણીથી પણ લાભ થતાં નથી અને બીજી બાજુ આચાર્ય દેવ કહે કે અમે કહીએ છીએ તે સાંભળ. આ કથના સાંભળી કાઈ આરેાપ મૂકે છે કે તેમની થની અને કરણીમાં ફેર છે. અર્થાત્ થનીમાં તા એમ કહે છે કે કાર્યું ઉપાદાનથી જ થાય છે પણ કરણીમાં નિમિત્તોની પાછળ દેાડતા દેખવામાં આવે છે; લાખા રૂપિયા ખર્ચ કરી મંદિર બનાવરાવે છે, વીસ વીસ હજાર માણસાની સભામાં ઉપદેશ આપે છે અને વળી કહે છે કે કાય ઉપાદાનથી જ થાય છે, નિમિત્તથી નહીં. આ કેવી વાત છે ? પણ આ આરેાપ લગાડનારની સમજ ફેર છે. ઉપાદાન અને નિમિત્ત બન્ને સ્વત ંત્રરૂપે પાતપોતાનું કામ કરે છે. કાઈ કાઈને આધીન નથી, આ સિદ્ધાન્ત છે તે તે સત્ય જ છે. તા પણ ધી જીવને પોતાની ભૂમિકાનુસાર ઉપદેશ દેવાના રાગ આવે છે અને શિષ્યને સાંભળવાના વિકલ્પ હોય છે, પણુ. તેના અર્થ એ નથી કે એક દ્રવ્ય ખીજા દ્રવ્યનું કાંઈ કાર્ય કરી શકે. જ્યાં જે અપેક્ષા હોય તેને યથાર્થ સમજવું જોઇએ.
૧૨૫૧ પ્ર. આત્મજ્ઞાન સમર્દેશિતા, વિચરે ઉદ્ય પ્રયાગ;
અપૂર્વ વાણી પરમશ્રુત, સદ્ગુરૂ લક્ષણ યાગ્ય.’
ઉપરના પટ્ટમાં જે સદ્ગુરૂ ચેોગ્ય લક્ષણ ક્યાં છે તે મુખ્યપણે ક્યા ગુણસ્થાનકે સભવે છે ? અને સમદર્શિતા એટલે શુ? ઉ. ઉપદેશક ગુણસ્થાનક છઠ્ઠું અને તેરમું છે. વચલાં સાતમાથી ખારમા
ઇચ્છાના કાળે પદાર્થના ભગવટા હાતા નથી, ને ભાગવટાના કાળે ઇચ્છાના ભાવ હાતા નથી, આમ વેદ્ય વેકભાવની અવ્યવસ્થા છે, એવા નિશ્ કભાવને જ્ઞાની કેમ ઇચ્છે ?
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૮૩
સુધીના ગુણસ્થાન અલ્પકાળવર્તી છે, એટલે ઉપદેશપ્રવૃત્તિ તેમાં ન સંભવે.
સમદર્શિતા એટલે પદાર્થને વિષે ઈષ્ટઅનિષ્ટબુદ્ધિરહિતપણું ઈચ્છારહિતપણું, મમત્વરહિતપણું.સમદર્શિતા ચારિત્રદશા સૂચવે છે. રાગદ્વેષરહિત થવું તે ચારિત્રદશા છે. શાતા–અશાતા, જીવન-મૃત્યુ, સુગંધદુર્ગધ, સુસ્વર-દુસ્વર, રૂપ–કુરૂપ, શીત-ઉsણ આદિમાં હર્ષ-શોક,
રતિ-અરતિ, ઈદ-અનિષ્ટપણું, આર્તધ્યાન ન વર્તે તે સમદર્શિતા. ૧૨પર પ્ર. એવા જ્ઞાની પુરુષને સંગ જીવને ક્યારે થાય ?
ઉ. જ્ઞાની પુરૂષને તે તેવો સંગ જીવને અનંતકાળમાં ઘણીવાર થઈ
ગયે છે, તથાપિ આ પુરુષ જ્ઞાની છે, માટે હવે તેને આશ્રય ગ્રહણ કરવો એ જ કર્તવ્ય છે, એમ જીવને આવ્યું નથી, અને
તે જ કારણ છવને પરિભ્રમણનું થયું છે. ૧૨૫૩ પ્ર. શાસ્ત્રમાં ઠેર ઠેર સદ્ગુરુ અથવા જ્ઞાની પુરુષને આશ્રય ગ્રહણ
કરવાનું કેમ કહ્યું છે ? ઉ. “તુલ્યા ભવતિ ભવતિ નનું તેનકિંવા;
ભૂત્યાશ્રિતં ય ઈહ નાત્મસમ કરેાતિ.” આત્મ વિનયી થઈ, સરળ અને લઘુત્વભાવ પામી સદેવ પુરુષના ચરણકમળ પ્રતિ રહ્યો, તે જે મહાત્માઓને નમસ્કાર કર્યા છે તે મહાત્માઓની જે જાતિની રિદ્ધિ છે, તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ત કરી શકાય. શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, મર્મ કહ્યો નથી, મર્મ તે સત પુરુષના અંતરાત્મામાં રહ્યો છે. “પ્રત્યક્ષ સદ્ગુરુ વેગથી, સ્વછંદ તે રેકાય, અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણા થાય. “માનાદિક શત્રુ મહા, નિજદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય.”
ચિંતનની જેમ જેમ ઊંચાઈદેખાશે તેમ તેમ જડની ઊંચાઈ ઘટતી જશે,
Page #406
--------------------------------------------------------------------------
________________
૩૮૪
“બિન સરુ કેય ન ભેદ લહે; મુખ આગલ હૈ કહ બાત કહે,” “પલમેં પ્રગટે મુખ આગલ મેં, જબ સદ્ગુરુ અને સુપ્રેમ બસેં.” “તનસેં, મનસેં, ધનસું, સબસેં, ગુરુદેવકી આન સ્વ–આત્મ બસે; તબ કારજ સિદ્ધ બને અપને,
રસ અમૃત પાહિ પ્રેમ ઘને.” ભિન્ન પરાત્મા સેવીને તત્સમ પરમ થવાય; ભિન્ન દીપને સેવીને બત્તી દીપક થાય.” ચામડી ઊતારી તેનાં જેડાં બનાવીએ તે પણ જેને પ્રતિઉપકાર ન થઈ શકે તેવો ઉપકાર ગુરુને હોય છે. તેને ઉપકાર જે કંઈ
છૂપાવે છે તે અનંત સંસારી છે. ૧૨૫૪ . : જ્ઞાની પુરુષનું ઓળખાણ નહીં થવામાં જીવના ક્યા મુખ્ય દેષ છે?
ઉ. જ્ઞાની પુરુષનું એાળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના ત્રણ
મોટા દેષ છે. એક તે “હું જાણું છું”, “હું સમજું છું” એવા પ્રકારનું જે માન છવને રહ્યા કરે છે તે માન. બીજુ પરિગ્રહાદિકને વિષે જ્ઞાની પુરુષ પર રાગ કરતાં પણ વિશેષ રાગ. ત્રીજું લેકભયને લીધે, અપકીર્તિભયને લીધે, અને અપમાન ભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું. પિતાની કલ્પના પ્રમાણે જ્ઞાનીના વિચારનું, શાસ્ત્રનું તોલન કરવામાં આવે છે; થોડું પણ ગ્રંથ સંબંધી વાંચનાદિ જ્ઞાન, મળવાથી ઘણા પ્રકારે તે દર્શાવવાની જીવને ઈચ્છા રહ્યા કરે છે. આ કારણે જીવને જ્ઞાનીથી અજાણ્યા રાખે છે. આ દોષોનું ઉપાદાન કારણ એવો તે એક “સ્વચ્છંદ” નામને મહાદેષ છે,
અને તેનું નિમિત્કારણ અસત્સંગ છે. ૧૨૫૫ પ્ર. જ્ઞાની છૂપા રહે નહિ અને સંસારમાં સર્વત્ર પૂજય તેમ નિયમ છે?
લેપ, ચિત્ર, પ્રતિમાં વળી દેવાલયે ન દેવ; શિવ નિરંજન જ્ઞાન મય, સ્થિત સમ મને સદેવ,
Page #407
--------------------------------------------------------------------------
________________
૩૮૫
ઉ. દુનિયા તે સદાય તેવી જ છે કે જ્ઞાનીઓ જીવતા હોય ત્યારે કઈ
જાણે નહીં, તે એટલે સુધી કે જ્ઞાનીને માથે લાકડીઓના માર પડે
તે એ થોડા, અને જ્ઞાની મુઆ પછી તેના નામના પાણીને પણ પૂજે. ૧૨૫૬ પ્ર. સત્સંગ કેને કહ્યો છે?
ઉ. પોતાની સન્માર્ગને વિષે યોગ્યતા જેવી છે, તેવી ગ્યતા ધરાવનારા
પુરુષોને સંગ તે સત્સંગ કહ્યો છે. મોટા પુરુષના સંગમાં નિવાસ છે, તેને જ્ઞાની પરમ સત્સંગ કહે છે, કારણ એના જેવું કાઈ
હિતસ્વી સાધન આ જગતમાં જ્ઞાનીએ જોયું નથી, સાંભળ્યું નથી. ૧૨૫૭ છે. સત્સંગનું મહાયે કેટલું છે ?
ઉ. સત્સંગનો સામાન્ય અર્થ એટલે કે ઉત્તમને સહવાસ. આત્માને
સત્ય રંગ ચઢાવે તે સત્સંગ. મોક્ષને માર્ગ બતાવે તે મૈિત્રી. ઉત્તમ શાસ્ત્રમાં નિરંતર એકાગ્ર રહેવું તે પણ સત્સંગ છે, પુરુષોને સમાગમ એ પણ સત્સંગ છે. જીવને સત્સંગ એ જ મોક્ષનું પરમ
સાધન છે. ૧૨૫૮ પ્ર. ગુરુ કેટલા પ્રકારે હોય છે ?
ઉ. ગુરુ ત્રણ પ્રકારના કહેવાય છે? (૧) કાષ્ટસ્વરૂપ ગુરુ સર્વોત્તમ છે, કારણ સંસારરૂપી સમુદ્રને કાષ્ટ
સ્વરૂપી ગુરુ જ તરે છે અને તારી શકે છે. (૨) કાગળ સ્વરૂપ ગુરુ એ મધ્યમ છે. તે સંસારરૂપી સમુદ્રને
પિત કરી શકે નહિ, પરંતુ કંઈ પુણ્ય ઉપાર્જન કરી શકે.
એ બીજાને તારી શકે નહિ. (૩) પથર સ્વરૂપ તે પિતે બૂડે અને પરને પણ બુડાડે. કાષ્ઠ
સ્વરૂપ ગુરુ માત્ર જિનેશ્વર ભગવંતના શાસનમાં છે. ૧૨૫૦ પ્ર. શાસ્ત્રમાં ગુરુ કોને કહે છે ?
ઉ. ગુરુ સાધુને કહે છે. વીતરાગી ગુરુ શાંતિના પ્રતીક છે, પાંચ ઈન્દ્રિયોના
“જ્ઞાન વિના કિયા અવગાહે,
- ક્રિયા વિના મોક્ષપદ ચાહે; મેક્ષ વિના કહે અમ સુખિયા
સે જાને મુઢનમેં મુખિયા.”
૨૫
Page #408
--------------------------------------------------------------------------
________________
૩૮૬
વિજેતા છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આમ પાંચે મહાવ્રતોથી સુશોભિત છે; ઈર્ષા, ભાષા, એષણા, આદાનનિક્ષેપણ અને ઉત્સર્ગ આ પાંચ સમિતિ રૂપ કવયને ધારણ કરનાર છે; સમતા, વેદના, સ્તુતિ, પ્રતિક્રમણ, સ્વાધ્યાય અને કાર્યોત્સર્ગ એ છે આવશ્યક જેના રક્ષક છે. આવું જેનું અંતરંગ જીવન છે તથા નગ્નતા, કેશ, લોચન, અતધવન, સ્નાનરહિતતા, એકવાર ભજન, ઊભા ઊભા હાથમાં જમી લેવું, તથા જમીન ઉપર શયન એમ સાત બાહ્ય ગુણના ધારક છે. આમ ૨૮ મૂળ ગુણે સહિત જે ઉત્તમ ક્ષમા, માર્દવ, આવ, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, અકિંચન્ય અને બ્રહ્મચર્ય એ દશ ધર્મેના ધારણ કરવાવાળા છે. આ ઉપરાંત ત્રણ ગુપ્તિ (પ્રશ્ન-૧૧૭૩), બાવીસ પરિષહ (પ્રશ્ન-૧૧-૨), ચારિત્ર (પ્રશ્ન-૧૧૮૭), અને તપને (પ્રશ્ન-૧૦૧૫ અને ૧૦૧૬) પણ ઉલ્લેખ છે. ચારિત્રને અર્થ છે સમતા.
વળી જે મોટો હોય, તેને ગુરુ કહે છે. જીવોને અહિતથી બચાવીને હિતમાં પ્રવર્તન કરાવવામાં જે કારણરૂપ છે, તે મોટો કહેવાય છે અને તે જ ગુરુ છે. આવા ગુરુ બે પ્રકારના હોય છે. એક ધર્મગુરુ અને બીજા ઉપકારી ગુરુ. જે ૨૮ મૂળ ગુણ સહિત હેય, બાહ્ય અને અભ્યત્તર પરિગ્રહના ત્યાગી હોય, શુદ્ધ રત્નત્રયરૂપ જેમની પ્રવૃત્તિ હોય, બાહ્ય અભ્યન્તર બાર પ્રકારના તપમાં જે લીન હોય (છ સાતમે ગુણસ્થાને ઝૂલતા સમકિતિ મુનિ હોય) તેને ધર્મગુરુ માનવા. ઉપકારી ગુરુ બે પ્રકારના હોય છે, એક ધર્મઉપકારીગુરુ અને બીજા લૌકિક ઉપકારી ગુરુ, તેમાં પણ ધર્મઉપકારીગુરુના ત્રણ પ્રકાર છે. દીક્ષાગુરુ, શિક્ષાગુરુ અને વિદ્યાગુરુ, અણુવ્રત અને મહાવ્રતના આચરણ કરાવનાર એવા જે ચતુર્વિધ સંઘના મહાન મુનિરાજ તે દીક્ષાગુરુ છે. શ્રી જિનેન્દ્રપ્રણીત માર્ગના ઉપદેશ આપનાર શિક્ષાગુરુ છે અને શ્રી જિનેન્દ્રપ્રણીત શાસ્ત્રના
કાળ જેટલા મુનિ રહે, આત્મસ્વરૂપ લીન પણ તે સંવર નિજ, સકળ વિકલ્પ વિહીન,
Page #409
--------------------------------------------------------------------------
________________
૩૮૭
ભણાવનાર વિદ્યાગુરુ છે. આમના સિવાય લૌકિ ઉપકારી ગુરુ પાંચ પ્રકારના હોય છે. ૧. ફૂલગુરુ, ૨. રક્ષાગુરુ, ૩. વિદ્યાગુરુ, ૪. આજીવિકાગુરુ, પ. શિક્ષાગુરુ. આ પાંચનું લૌકિક પ્રયેાજન સમજીને વિનય સત્કાર કરવા તે મિથ્યાત્વ નથી. આવું કથન ભાવદીપિકા પૃષ્ઠ ૩૦ ઉપર આવે છે.
૧૨૬૦ પ્ર. શું બધા સાધુઓને ગુરુ કહેવા અને સમજવા
ઉ. ના, સાધુ તેા છઠ્ઠા અને સાતમા ગુણુસ્થાનકે ઝુલતા ભાવલિંગી વીતરાગ સંતને જ કહેવાય. (આ કાળમાં આવા સાધુ મહાભાગ્યશાળીને જવલ્લે જ મળે.)
૧૨૬૧ પ્ર. મતાથી જીવ પેાતાની માન્યતામાં ગુરુ સબંધી કઈ ભૂલ કરે છે? ઉ. જેને માત્ર બહારના ત્યાગ હોય પણ આત્માના સાચા સ્વરૂપનું કાંઈ જ્ઞાન ન હોય, મતાથી જીવ તેને પેાતાના ગુરુ માને છે, અથવા પોતાના વડીલા-વૃદ્ધો જેને ગુરુ માનીને પૂજતા હોય, તેને તેમના ગુણદોષની પરીક્ષા વગર જ ગુરુ માને છે. અથવા પેાતાના (કૂળ) ધર્મ દ્વારા સ્વીકૃત ક્રિયા અથવા વેષ જેને ધારણ કર્યા છે તેને ગુરુ માને છે. આ રીતે, અજ્ઞાની અને બાહ્ય ત્યાગીઓને ગુરુ માનીને પેાતાના મિથ્યાત્વની પુષ્ટિ કરતા અનંત સંસાર સાગરમાં દુ:ખ ભાગવે છે.
૧૨૬૨ પ્ર. તા પછી ધા સાધુઓને આપણે ગુરુ અથવા ગુરુદેવ કેમ કહીએ છીએ ?
. દેવ, ધર્મ, ગુરુવાળા ગુરુ તા પંચપરમેષ્ટીમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ જ છે. દ્રશ્યલિંગી સાધુએ પાસેથી અધ્યાત્મ, વ્યાખ્યાન ઇત્યાદિ શીખે, સાંભળે; એટલે ઉપચારથી ગુરુદેવ કહે છે. વિદ્યાગુરુના અર્થમાં કહે છે; દેવ-ગુરુના અર્થમાં નહિ. દ્રવ્યલિંગી સાધુ પેાતાને દેવ-ધર્મ -ગુરુવાળા ગુરુ માને-મનાવે, તા તે અજ્ઞાની છે. અભવ્ય જીવ પણ દ્રવ્યલિંગી મુનિ થાય છે.
પુણ્યે વૈભવ તેથી મદ, મદથી મતિભ્રમ જાગુ; મતિ ભ્રમથી વળી પાપ તા, પુણ્ય હો નનિદાન,
Page #410
--------------------------------------------------------------------------
________________
૩૮૮
૧૨૬૩ પ્ર. હાલમાં જૈનના જેટલા સાધુઓ ફરે છે તે સમકિતિ છે ? તેઓ
સાચા પુરુષ છે ? તેઓ જ્ઞાની છે ? ઉ. હાલમાં જૈનના જેટલા સાધુ ફરે છે તેટલા બધાય સમકિતિ
સમજવા નહીં. તેને દાન દેવામાં હાનિ નથી; પણ તેઓ આપણું કલ્યાણ કરી શકે નહિ. વૈશ કલ્યાણ કરતા નથી. જે સાધુ એકલી બાહકિયાએ કર્યા કરે છે તેમાં જ્ઞાન નથી.
જ્ઞાન તે છે કે જેનાથી બાહ્યવૃત્તિઓ રોકાય છે, સંસાર પરથી ખરેખરી પ્રીતિ ઘટે છે, સાચાને સાચું જાણે છે. જેનાથી આત્મામાં ગુણ પ્રગટે તે જ્ઞાન.
સાચા પુરુષ તો તે કે જેને દેહ પરથી મમત્વ ગયું છેજ્ઞાન, પ્રાપ્ત થયું છે. - બાર કુળની ગોચરી કહી છે તેવી કેટલાક મુનિઓ કરતા નથી. તમને લૂગડાં આદિ પરિગ્રહને મેહ મટે નથી. એક વાર આહાર લેવાનું કહ્યું છતાં બે વાર લે છે. જ્ઞાની ભગવાને કહ્યું છે કે સાધુઓએ અચેત અને નીસ આહાર લેવો. આ કહેવું તો કેટલાક સાધુએ ભૂલી ગયા છે. દૂધ આદિ સચત ભારે ભારે વિગય પદાર્થો લઈ જ્ઞાનીની આજ્ઞા પર પગ દઈ ચાલે તે કલ્યાણને રસ્તો નહીં. લેક કહે છે કે સાધુ છે; પણ આત્મદશા સાથે તે સાધુ. જીવને અજ્ઞાની ગુરુએ ભડકાવી માર્યા છે. અજ્ઞાની ગુરુ જ્ઞાનને બદલે તપ બતાવે; તપમાં જ્ઞાન બતાવે; આવી રીતે અવળું અવળું બતાવે તથી જીવને તરવું બહુ મુસીબતવાળું છે. અહંકારાદિરહિતપણે તપાદિ કરવાં. અશ્રુથી સત્ સમજાય નહીં, સમકિત
થશે નહીં,
૧૨૪૪ પ્ર. તીર્થકરને ગુરુ હોય ?
બિયૌવનની શી કરવી માયા !
જળ પર પેટા જેવી કાયા જવું પડશે નરક મરીને, *
આવી ધનની આશા કરીને.”
*
Page #411
--------------------------------------------------------------------------
________________
૩૯
ઉ. ના; તીર્થકરને ગુરુ ન હોય. દીક્ષા પૂર્વે તીર્થકરોને નિયમથી વિરાગ્યપ્રેરક જાતિસ્મરણ જ્ઞાન થાય છે. તીર્થકર “નમઃ સિદ્ધભ્યઃ
મંત્રોચ્ચાર દ્વારા સ્વયં દીક્ષિત થાય. ૧૨૬૫ પ્ર. આપ્ત પુરુષ કોને કહેવાય ? તે કેટલા પ્રકારના હોય છે ?
ઉ. આપ્ત એટલે વિશ્વાસ કરવા યોગ્ય પુરુષ. આપ્ત એટલે સર્વ
પદાર્થોને જાણ તેના સ્વરૂપને સત્યાર્થી પ્રગટ કરનાર. આપ્ત પુરુષ ક્ષુધા, તૃષાદિ ૧૮ દેષ રહિત હોય છે. ધર્મનું મૂળ આપ્ત ભગવાન છે. આપ્ત ભગવાન નિર્દોષ, સર્વજ્ઞ અને હિતોપદેશક છે. જીવનું પરમ હિત જે મોક્ષ છે તેને ઉપદેશ કરનારને આપ્ત કહે છે. તે આપ્ત બે પ્રકારના હોય છે. એક મૂળ આપ્ત હોય છે અને બીજા ઉત્તર આપ્ત કહેવાય છે. શ્રી અરિંહત ભગવાન બાર સભાની મધ્યમાં બિરાજી મોક્ષ માર્ગને ઉપદેશ કરે છે તે મૂળ આપ્ત છે. તેમના અનુસાર કથન કરવાવાળા ગણધર આદિક છે તે બધા ઉત્તર આપ્ત છે. તે જ પ્રમાણે કષાય રહિત વક્તા, જીન પ્રણિત શાસ્ત્રના જાણકાર, સમકિતિ શ્રાવકને પણ ઉત્તર આપ્ત કહેવાય છે. આ કથન પંડિત દીપચંદજીએ ભાવદીપિકા પૃષ્ઠ ૩૨ ઉપર કર્યું છે.
જm
શુદ્ધાત્મા કિઈથી નહિ બનાવાયેલી એવી અકૃત્રિમ અનાદિસિદ્ધ ટકેલ્કીર્ણ અમૂતિક મૂર્તિ છે,
Page #412
--------------------------------------------------------------------------
________________
૧૭
સમ્યક્દર્શન
૧૨૬૬ પ્ર. સમકિત અથવા સમ્યકત્વને અર્થ શું ?
ઉ. દર્શન, સમ્યક્ત્વ અથવા સમકિત એ એક જ અર્થ વાચક છે. સમ્યકત્વ
એટલે શ્રદ્ધા, વિશ્વાસ, આત્માની પ્રતીતિ, લક્ષ અને અનુભવ. ૧૨ ૬૭ પ્ર. સમ્યક્ત્વ કેને કહે છે?
ઉ, તેને કલમ લખી શકતી નથી, કથન કહી શકતું નથી, મન જેને
મનન કરી શતું નથી. સમ્યક્ત્વ એવી વસ્તુ છે કે એ આવે
ત્યારે છાનું ના રહે. સમ્યક્ત્વ આબે જીવની દષ્ટિ ફરી જાય. ૧૨ ૬૮ પ્ર. સમકિત એટલે શું ?
ઉ. સાચી માન્યતા. આત્માના શુદ્ધ સ્વભાવનું યથાર્થ શ્રદ્ધાન તે નિશ્ચય
સમ્યફદર્શન છે. આત્મજ્ઞાનને મુખ્ય હેતુ સમ્યક્રદર્શન જ છે. જે ગુણની નિર્મળદશા પ્રગટ થવાથી પોતાના શુદ્ધ આત્માને પ્રતિભાસ,
યથાર્થ પ્રતીત થાય. ૧૨ ૬૮ પ્ર. સમ્યક્દર્શન તો રાગ છોડે ત્યારે થાય ને ?
ઉ. પ્રથમ રાગ ન છૂટે, પણ રાગની રૂચિ છેડી સ્વભાવની રુચિ કરે
છે ત્યારે સમ્યફદર્શન થાય છે. સમ્યફદર્શનમાં રાગની ભિન્નતા થાય
છે. રાગ છૂટતો નથી પણ રંગને દુ:ખરૂપ જાણીને તેની રૂચિ છૂટે છે. ૧૨૭૦ પ્ર. સમકિતની બલિહારી શું છે ?
ઉ. સદર્શન થયા પછી ગમે તે વર્તન છે, પરંતુ તેને તીવ્ર બંધન
નથી, અનંત સંસાર " નથી; સેળ ભવ નથી, અત્યંતર દુખ શંકાનું નિમિત્ત નથી, અંતરે ગહિની નથી.
Page #413
--------------------------------------------------------------------------
________________
૩૯૧
૧૨૭૧ પ્ર. સમ્યગ્દર્શન થવાથી શું લાભ થાય ?
ઉ. એક વાર નિશ્ચય સમ્યક્દર્શન થયા પછી મેાક્ષ નક્કી છે. ૧૨૭૨ પ્ર. સમકિતના કેટલા પ્રકાર છે?
ઉ. સમ્યક્ત્વના ખે પ્રકાર છે: (૧) વ્યવહાર અને (૨) પરમાર્થ. સદ્ગુરુનાં વચનાનું સાંભળવું, તે વચનેના વિચાર કરવા, તેની. પ્રતીતિ કરવી તે વ્યવહાર સમ્યક્ત્વ.
આત્માની એળખાણ થાય તે પરમાર્થ સમ્યક્ત્વ.
“આત્મા” જે પદાર્થને તીર્થંકરે કહ્યો છે, તે જ પદાર્થની તે જ સ્વરૂપે પ્રતીતિ થાય તે જ પરિણામે આત્મા સાક્ષાત્ ભાસે ત્યારે તેને પરમાર્થ સમ્યક્ત્વ છે એવા શ્રી તીથ``કરના અભિપ્રાય છે. ૧૨૭૩ પ્ર. સમતિ પામ્યાથી જીવનેા મેાક્ષ ત્યારે થાય ?
ઉ. સમક્રિત પામ્યાથી જીવ ખરેખરુ વિચારે તા નવમે સમયે કેવળજ્ઞાન
થાય, વધારેમાં વધારે સાત ભવ દેવના અને આઠ ભવ મનુષ્યના એમ કુલ પર ભવે મેાક્ષ પામે. જન્ય તે ભવે પણ મેાક્ષ થાય અને જો તે સમકિત વમે તા વધારેમાં વધારે અને પુદ્ગલ પરાવર્તન કાળ સુધી સંસાર પરિભ્રમણ કરીને પણ મેાક્ષ પામે. સમતિ પામ્યા પછી વધારેમાં વધારે અ પુદ્ગલ પરાવર્તન સ ંસાર હોય. (જુએ પ્રશ્ન–૨૫૯) સમ્યક્દ ન ગમે તે ગતિમાં સાથે જાય, પણ ચારિત્ર સાથે ન જાય. ગમે તેટલુ સાધુપણું હોય, અગિયારમે ગયેા હાય તા ય દેહ છૂટતાં ચેથે આવી જાય. સર્વાર્થસિદ્ધિથી મનુષ્યમાં આવી તે જ ભવે નિયમથી મેાક્ષે જાય. સમ્યક્દષ્ટિ જીવની કઈ ગતિ હાય ?
૧૨૭૪ પ્ર.
. આયુષ્યના બંધ થયા પહેલાં સમ્યક્ત્વ ધારણ કરનાર જીવ મરણુ પામ્યા પછી બીજા ભવમાં નારકી, જ્યોતિષી, વ્યંતર, ભવનવાસી, નપુંસક, સ્ત્રી, સ્થાવર, વિલત્રય, પશુ, હીનાંગ, નીચ કુળવાળા, અપાયુ અને દરિદ્રી થતા નથી; મનુષ્ય અને તિયઞ સમ્યક્દષ્ટિ મરીને વૈમાનિક દેવ થાય છે, દેવ અને નારકી સમ્યક્દષ્ટ
જ્ઞાની તે અજ્ઞાની એ મુનિવરમાં બહુ ભે જ્ઞાની તન તે પણ તજે જાણી, સ્વપર પ્રભેદ
Page #414
--------------------------------------------------------------------------
________________
૩૯૨
મરીને કર્મભૂમિમાં ઉત્તમ ક્ષેત્રે મનુષ્ય જ થાય છે. જો સમ્યક્ ન થયા પહેલાં ૧. દેવ, ૨. મનુષ્ય, ૩. તિયંચ, કે ૪. નરકનું આયુષ્ય ખંધાઈ ગયું હોય, અથવા આયુબંધની પૂર્વે જ સમ્યક્ત્વ છૂટી જાય તા, તે મરીને, ૧. વૈમાનિક દેવ, ૨. ભાગભૂમિમાં મનુષ્ય, ૩. ભાગભૂમિના તિય ચ, કે ૪. પહેલી નારકીના નારી થાય છે. આથી અધિક નીચેના સ્થાનમાં જન્મતા નથી. મિથ્યાદષ્ટિને કદાચિત્ રાગ ધણા મદ થઈ જાય તા શાતાવેદનીય કમની ૧૫ ક્રેાડાક્રાડીસાગરાપમની સ્થિતિ બંધાઈ જાય છે. સમ્યક્દષ્ટને એટલી સ્થિતિ ન હોય. ધમી જીવને સ ંસારની સ્થિતિનું લાંબું ક હોઈ શકે નહિ; તેને શાતાવેદનીય કર્મની સ્થિતિ અંતઃ ક્રાડાક્રેાડી સાગરેાપમની જ બંધાય છે. ધર્મીને શાતાવેદનીય કર્મીની સ્થિતિ ઓછી પડે પણુ અનુભાગ વધુ પડે છે, જ્યારે અજ્ઞાનીને શાતાવેદનીય કમ ની સ્થિતિ લાંખી પડે છે પરંતુ અનુભાગ એછે। પડે છે. સની ઉત્કૃષ્ટ સ્થિતિ જ ખે હજાર સાગરની છે અને અજ્ઞાનીએ શાતાની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૫ ક્રાડાક્રેાડી સાગરની બાંધી હોય પણ તે સ્થિતિને ભાગવી શતા નથી. ત્રસના કાળ પૂરા થતાં તે ૧૫ ક્રાંડાદેાડીની સ્થિતિને તાડીને નિગેાદમાં ચાલ્યા જશે. આ રીતે મિથ્યાદષ્ટિને ભલે શાતાવેદનીયની ૧૫ ક્રેાડા ક્રોડી સાગરની સ્થિતિ પડે પણ તે ભોગવી શકતા નથી. આ પ્રમાણે નિશ્ચય સમ્યક્દનના મહિમા
અપાર છે.
૧૨૭પ . યુ. સમકિત વમે અને કયુ નવમે
ઉ. ક્ષયાપશમ સમકિત અથવા ઉપશમ સમકિત હોય, તા તે જીવ વમી શકે; પણ ક્ષાયિક સકિત હોય તે તે વાય નહિ; ક્ષાયિક સમકિત જીવ તે જ ભવે મેાક્ષ પામે, વધારે ભવ કરે તેા ત્રણ ભવ કરે, અને કાઈ એક જીવની અપેક્ષાએ કવચિત્ ચાર ભવ થાય. યુગલિયાનુ આયુષ બંધાયા પછી ક્ષાયિક સમકિત આવ્યું હોય તા ચાર ભવ થવાના સંભવ છે, ધણું કરીને કાઈક જીવને આમ અને છે. ક્ષાયિક સમ્યક્ત્વ કેવળી—શ્રુતકેવળની સમીપતા સિવાય (અથવા
જ્ઞાતા તે કર્તા નથી, કર્તા તે જ્ઞાતા નથી.
Page #415
--------------------------------------------------------------------------
________________
૩૯૩
હાજરી વગર) પ્રાપ્ત થતું નથી તેમ છતાં કેવળી-શ્રુતકેવળીની સમીપમાં ઘણા જીવા હેાય છે તે તે બધાને ક્ષાયિક સમ્યક્ત્વ થઈ જતું નથી. વળી તીર્થંકર આદિ બીજા જીવા વળી શ્રુતકેવળીની હાજરી વગર પણુ ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે. કારણ કે તેમનુ ઉપાદાન જ તે પ્રકારનું છે. ભરત ક્ષેત્રમાં જ્યારે કેવળજ્ઞાન-શ્રુતકેવળ જ્ઞાનના વિચ્છેદ ગયે, ત્યારે ક્ષાયિક સમ્યક્ત્વના પણ વિચ્છેદ ગયા.
૧૨૭૬ પ્ર. ઉપશમાદિ સમકિતની વ્યાખ્યા આપે.
. આત્માની નિરતર પ્રતીતિ વર્ત્યા કરે તેને ક્ષાયિક સમ્યક્ત્વ કહીએ છીએ.
કવચિત્ મંદ, કચિત્ તીવ્ર, કવચિત્ વિસર્જન, કવચિત્ સ્મરણરૂપ એમ પ્રતીતિ રહે તેને ક્ષયાપશમ સમ્યક્ત્વ કહીએ છીએ. તે પ્રતીતિને સત્તાગત આવરણુ ઉય આવ્યાં નથી, ત્યાં સુધી ઉપશમ સમ્યક્ત્વ કહીએ છીએ.
આત્માને આવરણુ ઉય આવે ત્યારે તે પ્રતીતિથી પડી જાય તેને સાસ્વાદન સમ્યક્ત્વ કહીએ છીએ.
૧૨૭૭ પ્રે. કેટલા પ્રકારનાં સમ્યક્ત્વ છે ?
ઉ. છ; ઉપશમ, ક્ષયાપશમ, ક્ષાયિક, મિથ્યાત્વ, સાસાદન, મિશ્ર. ૧૨૭૮ પ્ર. શ્રદ્ધા શેમાં રાખવી ?
ઉ. વ્યવહારનયથી વીતરાગનાં વચને અને સૂત્રા જે કહે છે તેમાં શ્રદ્ધા રાખવી તે સમ્યક્ત્વ છે અને તેમાં જેટલા અવિશ્વાસ, અભરેાસા તેટલી શ્રદ્ધા એછી અને એ જ મિથ્યાત્વ છે. સમ્યક્ત્વ, તેવી ક્રિયા ને તેવે ત્યાગ
૧૨૭૯ પ્ર. શાસ્ત્રમાં કહ્યું છે તેવુ
અત્યારે છે?
ઉ. શાસ્ત્રમાં જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભાવના ભેદ સાથે સમ્યક્ત્વ અને ચારિત્રની વાત કરી છે. શાસ્ત્ર સમજે ને વિયારે તા બધું છે તે
હે આત્મન્! તારે માટે આ વિશ્વમાં ખીજુ કશુ જ કરવાનું નથી. તારા સર્વ પુરુષાર્થ વડે કેવળ આશ્રવને આવતા રોકી દે, પછી જો, તને માક્ષ મળે છે કે નહીં ?
Page #416
--------------------------------------------------------------------------
________________
૯૪
સમજાય, પરંતુ જગત અથવા પ્રેક્ષકે, પિત મૂઢ છે તે અમૂઢ કે મૂઢની પરીક્ષા કરવા બેસે છે તો તે કેવી રીતે કરી શકે? આંખવાળે મનુષ્ય દેખતા ને અંધને જોઈ શકે છે પરંતુ અંધ મનુષ્ય બીજ
આંધળા કેટલા ને દેખતા કેટલા તે શું કહી શકશે ? ૧૨૮૦ પ્ર. સમ્યકત્વ અને ચારિત્ર એ બે છે, પણ છે કે નથી એ શી
રીતે સમજાય ? ઉ. તે વસ્તુ છે કે નથી તે તે બરાબર પિતાને આત્મા કે જ્ઞાની
પુરુષ–સર્વજ્ઞ વગેરે જાણી શકે. બીજાને ખબર ન પડે, પણ શાસ્ત્રમાં, સમજણ પાડી છે કે મેહનીય કર્મની સાત પ્રકૃતિને ક્ષયપશમ કે ઉપશમ હોય તે સમ્યક્ત્વ આવે છે અને ત્યારે જ ચતુર્થ જીવસ્થાન જીવને સ્પર્શે છે પણ અનંતાનુબંધી ચેકડી ને મિથ્યાત્વ.
મેહનીય ત્રણ પ્રકૃતિ, એ સાત ઢીલી પડે તે સમજાય. ૧૨૮૧ પ્ર. સમ્યફદર્શન સાથે મુનિદશા હોય-એ નિયમ છે ?
ઉ. ના, ભજનીય છે. હાય ન પણ હોય. મનુષ્ય, તિર્યંચ, દેવ અને.
નારકી એ ચારે ગતિમાં સમકિત થઈ શકે છે. ૧૨૮૨ . સભ્યદર્શન અને ચારિત્ર ન પ્રગટ થવામાં પુરુષાર્થની ખામી છે?
ઉ. શ્રદ્ધાનમાં વિપરીતતા હોવાથી સમ્યફ અટકે છે, થતું નથી અને
પુરુષાર્થની નબળાઇથી ચારિત્ર અટકે છે, પ્રગટતું નથી. છતાં સમ્યફ નહિ થવામાં શ્રદ્ધાનની વિપરીતતાને બદલે પુરુષાર્થની નબળાઈ માનવી, એ તે ડુંગર જેવડા મહાન દેશને રાઈ સમાન અ૫ જાણે છે, તે ડુંગર જેવડા મહાન દેષને છેદી શકે નહિ. દર્શન દોષ ગયા પછી (એટલે સમક્તિ થયા પછી) કરોડો-અબજો વર્ષ સુધી ચારિત્ર આવતું નથી. તીર્થકરના જીવને પણ ચારિત્ર ૮૩ લાખ પૂર્વ સુધી આવેલ ન હતું. છતાં દર્શન ભ્રમ નથી,
તેને ચારિત્ર આવશે જ અને મુક્તિ થશે જ. ૧૨૮૩ પ્ર. સમ્યફજ્ઞાન વગર ચારિત્ર હેતું નથી, ચારિત્રનું પરિણમન જ્ઞાન,
આધિન થયું ને ?
લાખે જીવને મારીને, જીવ, જે પાપ કરીશ; સી પુત્રાદિ કારણે, એકલા તે તું સહીશ,
Page #417
--------------------------------------------------------------------------
________________
૩૯૫
ઉ. જ્ઞાન ચારિત્રને આધિન નથી, ચારિત્ર જ્ઞાનને આધિન નથી. સમ્યફ "
જ્ઞાન વગર સમ્યફચારિત્ર હેતું નથી, એ વાત સો ટકા સાચી છે, પરંતુ ક ગુણ ક્યારે પરિણમન કરે છે તેનું ભાન કરાવવાની. વાત છે. બીજ પછી જ પૂનમ આવે છે તે શું બીજને આધિન પૂર્ણિમાને ઉદય થઈ ગયો ? ના; તેનું પરિણુમન તદન સ્વતંત્ર છે. કેઈ જીવને સમ્યદર્શન–જ્ઞાન પછી તરત જ ચારિત્રની. પર્યાય વિકસિત થઈ જાય છે અને કોઈને સમ્યદર્શન-જ્ઞાન થયા " પછી પણ ચારિત્રની પર્યાય વિકસિત થવામાં અસંખ્યાત વર્ષ લાગી જાય છે, તે પ્રમાણે ચારિત્રનું પરિણમન સ્વાધીન છે.. રવિવાર પછી સોમવાર આવે છે, એમ હોવા છતાં પણ શું સોમવાર રવિવારને આધિન થઈ ગયે ? ના, આ તો સાત. વારેને ક્રમ જાણવાની વાત થઈ. નિગોદને જીવ તેના ચારિત્ર ગુણની પિતાના ઉપાદાનથી મંદ ક્યાયરૂપ પરિણમન કરી, તેવી શુભગતિના કારણથી નિત્ય નિગોદરાશિમાંથી નીકળીને ઉપર આવ્યા છે. નિગોદને જીવન જ્ઞાનગુણુની સ્વચ્છતા નહિવત જ છે તેથી તેને જ્ઞાન ગુણનું બળ નથી. ત્યાં તત્ત્વ વિચાર તે નથી. તે વિશુદ્ધરૂપ ચારિત્રના બળથી જ જીવ નિગોદમાંથી નીકળી વ્યવહાર. રાશિમાં ચઢે છે. કષાયની મંદતાના બળ ઉપર નિર્ભર કરી,
ઉપર ચઢે છે. ૧૨૮૪ પ્ર. એ સમજણ ખરી પણ એની ખાતરી શું ?
ઉ. જે જીવને એ સાત પ્રકૃતિને ક્ષયે પશમ વગેરે થાય તે વીતરાગનું
કથન શું છે, કેવું હોય એ બાબત બરાબર સમજે પછી તેમાં પ્રેમ-રુચિ ઉત્પન્ન થાય અને ઊંડા ક્રોધ, માન, માયા, અને લેભ. ઢીલાં પડે–ઓછાં થાય. પોતાના દોષ સમજે, કબૂલ કરે, અન્યાયઅજ્ઞાનમાં પગલાં ન ભરે, ગુણવાન થવા ઈચ્છા કરે-ગુણમાં પગલાં ભરે.
જે સમ્યક્ત્વ (નિશ્ચય સમ્યકત્વ છે તે મુનિપણું છે
ને જે મુનિપણું છે તે સમ્યકત્વ છે,
Page #418
--------------------------------------------------------------------------
________________
૩૬
૧૨૮૫ પ્ર. લિંગ કે વેશ કે દેખાવ એ શું ચારિત્ર છે કે ચારિત્ર એ બીજી
ઉ. વસ્ત્ર, પાત્ર, રજોહરણ, મુહપત્તિ એ સાધુ હવાને દેખાવવશ છે
અને તે રાખવાથી સાધુતા-સાધુપણું સચવાય છે, પણ તે ચારિત્ર નથી ચારિત્ર તે જ્ઞાન, દર્શન અને પંચમહાવત (અહિંસા, સત્ય,
ચેરીને અભાવ, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ)નું પાલન તે ચારિત્ર છે. ૧૨૮૬ પ્ર. લેકે કહે છે કે આવાં મહાવતે જીવે ઘણું વખત પાળ્યાં પણ
ચારિત્ર આવ્યું જ નથી તેનું કેમ ? ઉ. જીવે મહાવતે, સમ્યક્ત્વ વગર પાળ્યાં છે અથવા ભાવ વિના
પાળ્યાં છે. જે ભાવ અને સમ્યક્ત્વ સાથે પાળ્યાં હોય તે જ ચારિત્ર આવ્યું કહેવાય. ચારિત્ર બીજી વસ્તુ નથી. પંચમહાવ્રત
અને ચારિત્ર એ બંને વસ્તુ એક જ છે. ૧૨૮૭ પ્ર. ત્યારે શું પંચમહાવ્રત ને ચારિત્ર એક જ છે ? ઉ. સામયિક ચારિત્ર અને છેદેપસ્થાનિક ચારિત્ર જ્યારે લેવામાં
આવે છે ત્યારે પંચમહાવ્રત ગ્રહણ કરવામાં આવે છે. ચારિત્ર અંશી કે અવયવી છે ત્યારે મહાવ્રત અંશ કે અવયવ છે, પણ
એ બે જુદા નથી. ૧૨૮૮ પ્ર. કહેવાય છે કે જીવે ઘણુ વખત સંયમ, ચારિત્ર અંગીકાર કરી મેરુ
જેવડા રજોહરણને પાત્રના ઢગલા કર્યા, વળી નવચેયકમાં જઈ
આવ્યો તેનું કેમ ? ઉ. એ વાત ખરી છે. જીવ ઘણે કાળ એવી જ રીતે વર્તે છે. જીવે ઢગ, પ્રપંચ અને વિતરાગની આજ્ઞા વિરુદ્ધ કરેલું જેથી એ રખડ
પટ્ટી ઊભી રહી.. ૧૨૮૯ પ્ર. ત્યારે આ બધા આમ શું કરવા કરતા હશે–વર્તતા હશે ?
ઉ. જગતમાં સત્ય, ત્યાગ અને ઢોંગવાળો ત્યાગ બને છે. એક પણ
બાબત બંધ થવાની નથી; આજે જગતને ખોટું જ ગમે છે. જૂઠમાં આનંદ માને છે. કેટલાક મુમુક્ષુ જી સત્યને જ શોધે છે, સત્યને જ પકડી રહે છે. ત્યારે કેટલાક મનુષ્ય સમજે છે છતાં પોતાની
ઈચ્છા આકાશ જેટલી અનંત છે,
Page #419
--------------------------------------------------------------------------
________________
૩૯૭
નિર્મળતા અથવા જ્યાં રહ્યા ત્યાંના પક્ષપાત અથવા મમત્વમે હ. વગેરે કારણેાને લઇને અસત્યને પકડે છે. ખરી રીતે તે વીતરાગે બતાવેલ માર્ગ જ ખરા છે.
૧૨૯૦ પ્ર. સમ્યગ્દર્શન થાય ત્યારે કેવા અનુભવ થાય છે ?
ઉ. જે સમયે સમ્યકૂદશ નના પ્રકાશ થાય છે ત્યારે જાણે સૂર્યનાં કિરણતા પ્રકાશ થાય છે. સમ્યક્ત્વના પ્રગટવાના સમયે સ્વાનુભવદા થાય છે, તે સમયે અપૂર્વ અતીન્દ્રિય આનંદના લાભ થાય છે તે સહજસુખને ખાધ થતાં જ સારી રીતે અનુભવ થતાં જ ઈદ્રયસુખ અને આખા સંસારનાં બધાં સુખા તુચ્છ લાગે છે. અને એવી પ્રતીતિ દૃઢ થાય છે અને આત્માના આનંદ માણવા લૂટવા અને રમણુતા કરવા નિત્ય દિન જીવની ઉત્કંઠા રહે છે. આત્માના સ્વાનુભવના આંનદના તે ચટાક બની જાય છે. તેને બીજે કયાંય ગેાતું નથી. સમ્યક્ત્લી સદા સુખી રહે છે. તેને સહજસુખ સ્વાધીન હોવાથી જ્યારે ચાહે ત્યારે મળી જાય છે. સાંસારિક સુખ કે દુઃખ તેના મનને સમ્યક્ત્ત્વથી પતિત કરતું નથી.
૧૨૯૧ બ્ર. સતિને નિર્વિકલ્પ અનુભવ સદા હેાય જ ?
. સમ્યકૂન પ્રગટવાના કાળે તા નિવિકલ્પ સ્વાનુભૂતિ હોય જ એ નિયમ છે. ત્યાર પછીના કાળે સક્તિને તે અનુભૂતિ કાઈ વાર હાય, કૈાઈ વાર ન પણ હોય, પણ શુદ્દાત્મપ્રતીત તા સદૈવ હેાય જ.
પહેલીવાર જ્યારે ચેાથું ગુણસ્થાન પ્રગટયું ત્યારે તે નિર્વિકલ્પ અનુભવ થયા જ હતા. પશુ પછી ફરીને એવા અનુભવ અમુક વિશેષકાળના અંતરે થાય છે; ને પછી ઉપર ઉપરના ગુણુસ્થાને તેવા અનુભવ વારંવાર થાય છે. પાંચમા ગુણસ્થાને ચેથા કરતાં અ૯પ--અપકાળને અંતરે અનુભવ થાય છે. (ચેાથા ગુણસ્થાનવાળા કાઈ જીવને કાઇક વાર તુરત જ એવેા અનુભવ થાય તે જુદી વાત છે.) અને છઠ્ઠા—સાતમા ગુણસ્થાનવી મુનિને વારંવાર અંત દૂત માં જ નિયમથી વિપ તૂટીને સ્વાનુભવ થયા કરે છે. સમ્યક્દષ્ટિને
વસ્તુના સ્વભાવ એ ધમ છે.
Page #420
--------------------------------------------------------------------------
________________
૩૯૮
ચેથા ગુણસ્થાને વધુમાં વધુ કેટલા અંતરે સ્વાનુભવ થાય-એ સંબંધી કોઈ ચક્કસ માપ જાણવામાં આવતું નથી. છઠ્ઠી–સાતમા ગુણસ્થાનવર્ધી મુનિને માટે તે નિયમ છે કે અંતર્મુહૂર્તમાં
નિર્વિકલ્પ ઉપયોગ થાય જ, ૧૨૯૨ પ્ર. સમ્યફવી જીવ વ્યવહારમાં કેવી રીતે વર્તે ?,
ઉ. સર્વ જીવો સાથે મૈત્રીભાવ રાખે, બીજાના દુઃખે દુઃખી થાય અને
યથાશક્તિ દુખોને દૂર કરવા પ્રયત્ન કરે. ગુણવાને દેખી પ્રસન્ન થાય અને તેમની ઉન્નતિ ચાહે. જેની સાથે પિતાને અભિપ્રાય મળતો ન આવે તેને ઉપર દ્વેષભાવ રાખે નહિ પણ મધ્યસ્થ ભાવ રાખે; લાભ કે હાનિમાં હર્ષશોક કરે નહીં. કવચિત ઉદયથી કષાય થઈ જાય તે પણ તે બહુ જ અ૫ હોય. સદા નિરાકુલ રહેવાનું ચાહે દેવું કરે નહિ. પુત્રાદિના વિવાહ વગેરેમાં આવકને દેખીને ખર્ચ કરે, અનાવશ્યક ખર્ચ કરે નહિ. ઘણું કરીને સમ્યફલ્હી જીવ આવકના ચાર ભાગ કરે છે. એક ભાગ નિત્ય ખર્ચમાં, એક ભાગ વિશેષ ખર્ચ માટે, એક ભાગ એકઠા કરવા માટે, એક ભાગ દાનને માટે અલગ રાખે છે. જે ચોથા ભાગ ન કાઢી શકે તો છઠ્ઠો કે આઠમે કાઢે. નહિતર છેવટે દશમો ભાગ અવશ્ય કાઢે, અને તેને આહાર, ઔષધિ, તથા અભય તથા શાસ્ત્રદાનમાં ખર્ચે છે. સમ્યક્ત્વી વિચારવાનું હોય છે, કેઈ પણ અન્યાય કે જુલમ કરતા નથી. કોઈ પણ વાતમાં આશ્ચર્ય અથવા ભય હોતો નથી. પરની આશા અને અનુકૂળ સંગોની ઈચ્છા હતી નથી.
પ્રતિકૂળતામાં પણ પોતાના જ્ઞાયક સ્વભાવને ભૂલતો નથી. ૧૨૯૩ પ્ર. સમ્યક્ત્રીને કેટલા અંગ હોય છે ?
ઉ. જેમ શરીરનાં આઠ અંગ હોય છે તેમ સમ્યફલ્હીને આઠ અંગ
હોય છે ? (૧) નિઃશંકિત અંગ : આલેકને ભય, પરલેકને ભય, વેદના
ભય, અરક્ષાભય, અગુપ્ત ભય, મરણું ભય અને અકસ્માત
જે ખાવાનું છે તે ખવાઈ ન જાય તેની ફિકરમાં જીવ ખોવાઈ ગયું છે,
Page #421
--------------------------------------------------------------------------
________________
(૩૯૯
ભય, આમ સાત પ્રકારના ભયથી તેમની શ્રદ્ધા વિચલિત થાય
નહીં પરંતુ પિતાના આત્મામાં નિર્ભય થઈને રહે છે. (૨) નિકાંક્ષિત અંગ : શુભક્રિયા કરી તેના ફળની ઈચ્છા કરતા
નથી. અતીન્દ્રિય આનંદમાં મગ્ન રહે છે. (૩) નિર્વિચિકિત્સા અંગ . અશુભ વસ્તુ દેખી ચિત્તમાં ગ્લાનિ
કરતા નથી. આત્મસ્વરૂપની મમ્રતામાં સામ્યભાવનું અવલંબન કરે છે. સનતકુમાર ચક્રવર્તીને મુનિ અવસ્થામાં ૭૦૦ વર્ષ સુધી કાઢ રહ્યો, તેને દેખી ધમાં જીવ ગ્લાનિ ઉપજાવત નથી કે ધર્મની નિંદા કરતા નથી. ઉદયન રાજાની પરીક્ષા કરવા એક દેવે મુનિ વેષધારી આહાર કરી રાજા ઉપર ઉલટી
કરી, તે પણ ઉદયન રાજાને જરા પણ ગ્લાનિ થઈ નહીં. (૪) અમૂઢદષ્ટિ અંગ: દરેક ધર્મક્રિયા વિચારપૂર્વક કરે છે, દેખા
દેખી કરતા નથી. આત્માના સ્વરૂપમાં મૂઢતા રહિત છે, યથાર્થ
આત્મબોધ સહિત છે. (૫) ઉપગૃહન અંગ : બીજાના ગુણોને દેખીને પોતાના ગુણો
વધારે છે અને સાધમ ના દેષ પ્રસિદ્ધ કરતા નથી. આત્મિક સ્વભાવની સ્થિરતામાં લીન છે, પરભાવને ગ્રહણ
કરતા નથી. (૬) સ્થિતિકરણ અંગ : પોતાના આત્માને સદા ધર્મમાં સ્થિર
કરતા રહે છે. આત્મામાં આત્મા દ્વારા સ્થિર છે. (૭) વાત્સલ્ય અંગ : ધર્મ, ધર્માત્માએ અને આત્મસ્વરૂપમાં પ્રેમ
ભાવ રાખે છે. આત્માનંદમાં ભ્રમરની માફક આસક્ત છે. (૮) પ્રભાવના અંગ : ધર્મની ઉન્નતિ કરવાને સદા પ્રયત્ન કરવો
એ સમ્યક્ત્રીનું મુખ્ય ક્તવ્ય હોય છે. સમ્યકત્રીમાં આ આઠ અંગનું પાલન સહેજે થાય છે. તેમને સ્વભાવ જ એવો થઈ જાય છે.
અન્ય પરિણામમાં જેટલી તાદામ્યવૃત્તિ છે, તેટલે જીવથી એક્ષ દૂર છે.
Page #422
--------------------------------------------------------------------------
________________
કoo
૧૨૯૪ પ્ર. સમ્યફદષ્ટિ જીવને ગુણે કહો.
ઉ. સમ્યફદષ્ટિ જીવ ત્રણ મૂઢતા રહિત, પાંચ પ્રકારના વિનય સહિત, છે
અનાયતન રહિત, સાત ભય રહિત, અને આઠ મદ રહિત હોય છે. ૧૨૯૫ પ્ર. ત્રણ મૂઢતા વર્ણવે.
ઉ. ૧. લેકમૂઢતા અથવા અંધશ્રદ્ધા, ૨. દેવમૂઢતા, અને (૩) ગુરુમૂઢતા. ૧. મડદાનાં હાડકાં આદિ ગંગાજીએ પહોંચાડવાથી સગતિ
થઈ માનવી, ગંગાજળને ઉત્તમ માનવું, ગંગાનદી અથવા અન્ય નદીના સ્નાનમાં કે ગંગાજળ આદિ પાણી મુખમાં મૂકવામાં ધર્મ માન, મરી ગયેલાઓને પિતૃઓ માની પૂજવા, ગ્રહોને (પથ્થર આદિ) ગળામાં કે આંગળીએ પહેરવા, ગ્રહ નડે નહીં તેથી પૂજા કરવી કે દાન દેવું, દેવની બાધા રાખવી, જટા કે એટલી રાખવી, માનતા માની છત્ર દેવને ચઢાવવું અથવા પૈસા ભેટ ધરવા, જાગરણ કરવું, શીતળા પૂજવી, લક્ષ્મીપૂજન કરવું, પશુની પૂજા કરવી, અગ્નિને દેવ માની પૂજો એ મૂઢતા છે. દ્રૌપદીના પાંચ પતિ માનવા તે લેકમૂઢતા છે. મહાસતી દ્રૌપદીને એક અર્જુને જ પતિ હતો, પાંચ નહીં. લેક લોકવાયકાથી એમ કહે છે કે દ્રૌપદીને પાંચ પતિ હતા. કઇ વિચાર નથી કરતું (કે સતીને
પાંચ પતિ ન હોય). ૨. જે કાંઈ થાય છે તે ઈશ્વર કરે છે. જોકે પાસે ભલું–બૂરું
ઈશ્વર કરાવે છે, ઈશ્વરના કર્યા વગર કશું થતું નથી. સર્વ ઇશ્વરની ઈચ્છા આધીન છે, ઈત્યાદિ પરિણામ મિથ્યાદર્શનના ઉદયથી થાય છે તે દેવમૂઢતા છે. આ દેવ સાચા છે અને
પેલા દેવ પણ સાચી છે એવી માનતા દેવમૂઢતા છે. ૩. પાખંડી, મહાસક્ત, હલકા આચરણવાળા, વિષયેના લેલુપી
તેમને ચમત્કારવાળા માનવા, સિદ્ધિવાળા માનવા, પ્રસન્ન થાય
રાગ અને દ્વેષનું નામ પ્રવૃત્તિ તથા એ બન્નેના અભાવનું નામ નિવૃત્તિ છે.
Page #423
--------------------------------------------------------------------------
________________
૪૧
તો અમારી ઈચ્છા પૂર્ણ થાય એમ માનવું, તપસ્વી, પૂન્ય, મહાપુરુષ, પુરાણપુરુષ માનવા, ઈત્યાદિ વિપરીત શ્રદ્ધા માન્યતા તે ગુરુમૂઢતા છે. જેને બધા ગુરુ કહેતા હોય, એવા બધા નામધારી ગુરુઓને લેકમાં ગુરુ તરીકે મનાતા હોય, તેમને
ગુરુ માનવા તે ગુરુમૂઢતા છે. ૧૨૯૬ પ્ર. પાંચ પ્રકારના વિનય કહો.
ઉ. ૧. દર્શન વિનય, ૨. જ્ઞાન વિના, ૩. ચારિત્ર વિનય, ૪.તપ વિનય,
૫, ઉપચાર વિનય. 1. સમ્યફદર્શન ધારણ કરનારા પ્રત્યે પ્રીતિ ધરવી. આત્મા અને
પરપદાર્થના ભેદ વિજ્ઞાનને અનુભવ કરવો તે દર્શન વિનય છે. ૨. સમ્યફજ્ઞાનની આરાધના માટે ઉદ્યમ કરે, જિન શાસ્ત્રના
શ્રવણ પઠનમાં બહુ ઉત્સાહ રાખો, તથા વંદન, સ્તવન બહુ આદરથી ભણવું તે જ્ઞાન વિનય છે. પુસ્તકને વેગ મળવો તે મહાલાભનું કારણ માનવું અને તેમને સત્કાર
આદર કરવાથી જ્ઞાન વિજય પ્રાપ્ત થાય છે. ૩. વિષય કષાયને ઘટાડવા તથા ચારિત્ર ધારણ કરનારાઓને
ગુણેને આદર કરવાથી ચારિત્ર વિનય થાય છે. ૪. ધ્યાન-સ્વાધ્યાયમાં ઉદ્યમવંત બની, ઈન્દ્રિયને વિષયમાં
પ્રવર્તતી રોકવા માટે ઉપવાસ આદિ તપમાં પુરુષાર્થ કર
તે તપ વિનય છે. ૫. પંચ પરમેષ્ટિનું સ્મરણ કરવું, તેમના નામે કરેલી સ્થાપનાને
વિનય, વંદન, સ્તવન કરવું તે તપ વિનય છે. એ આદિ ઉપચાર વિનયના ઘણા ભેદ છે. (ઘણું શાસ્ત્રમાં ચાર પ્રકારે પણ વિનય કહ્યો છે, તેમાં તપ વિનય અલગ બતાવ્યો નથી.) આ ઉપરાંત, દેવ વિનય –અરિહંત દેવનું ચિંતવન કરી ધ્યાન કરવું તે. ગુરુ વિનય-ગુરુના ગુણમાં અનુરાગ કરી
ભાવથી ભવને અભાવ થાય છે.
Page #424
--------------------------------------------------------------------------
________________
૪૦૨
આજ્ઞા પ્રમાણે વર્તન કરવું. દૂર રહ્યા છતાં ગુરુનું ધ્યાન, સ્તવન, નમસ્કાર આદિ કરવાં. ગુરુને આગળ કરી પાછળ ચાલવું. કપિ સાથે ચાલવુ પડે તે ગુરુની ડાખી બાજુએ ચાલવું. શાસ્ત્રવિનય:-બહુ આદરથી સત્શાસ્ત્ર ભણવું. શાસ્ત્રને ઊંચા આસન ઉપર મૂકી પાત નીચા બેસવુ'. નિશ્ચય વિનયઃ—આને પરમા વિનય પણ કહ્યો છે. રાગદ્વેષ વડે આત્માના ધાત જેમ ન થાય તેમ પ્રવર્તવુંતે આત્માને વિનય છે. વ્યવહાર વિનયઃ—કાઇ જીવનું મારાથી અપમાન ન થાઓ. સર્વ સાથે મીઠાં વચને ખેાલવું. કાઈ જીવને તિરસ્કાર ન કરવા તે વિનય છે.
૧૨૯૭ પ્ર. છ અનાયત કાને કહે છે ?
ઉ.દેવ, કુગુરુ અને કુશાસ્ત્ર અને તે દરેતુ સેવન કરનારા એ, ધર્માંનાં આયતન એટલે સ્થાન નથી તેથી, અનાયતન છે.
૧. કુદેવ છે તે અનાયતન છે
૨. લેાલુપી, પરિગ્રહમાં આસક્ત, વૈષધારી ગુરુ નથી. ધર્માં રહિત છે તેથી અનાયતન છે.
૩. રાગ દ્વેષાદિ વધારનાર, એકાંત પ્રરૂષણા કરનાર શાસ્ત્ર છે તે કુશાસ્ત્ર છે તથી અનાયતન છે.
૪. દેવ, દેવી, ક્ષેત્રપાળ આદિ દેવેને વંદન કરનારા અનાયતન છે. ૫. ગુરુને સેવનારા ધર્મોથી રહિત અનાયતન છે.
૬. મિથ્યા શાસ્ત્રને ભણનારા એકાંતી અનાયતન છે.
` ૧૨૯૮ પ્ર. અાયતન અને મૂઢતામાં શુ ભેદ છે ?
ઉ. અનાયતનમાં તા કુંદેવ વગેરેની પ્રશંસા કરવામાં આવે છે, પશુ મૂઢતામાં તે તેમની સેવા, પૂજા અને વિનય કરવામાં આવે છે. ૧૨૯૯ પ્ર. સાત પ્રકારના ભય ત્થા છે તે યા ?
. જુએ પ્રશ્ન-૮પર.
૧૩૦૦ પ્ર. આઠ પ્રકારના મદ વર્ણવા.
ચૈતન્યનું સ્મરણ સાચી સંપદા છે, તેનુ' વિસ્મરણ માટી વિપદા છે.
Page #425
--------------------------------------------------------------------------
________________
ઉ. ૧. જાતિમદ, ૨. ઐશ્વર્યમદ 3. કુળમદ, ૪. રૂપમદ, ૫.
શાસ્ત્રજ્ઞાનમદ, ક. તપમદ, ૭. બળમદ અને વિજ્ઞાનમદ. વિજ્ઞાન એટલે અનેક પ્રકારની કળાકુશળતા, હસ્તકળા, વચનકળા વગેરે તે કુત્તાન છે. જાતિ, કુળ, ધર્મ, અશ્વર્ય, રૂપ વિજ્ઞાન આદિ
કર્મને આધીન છે એમ જાણું, તેને ગર્વ છેડો. ૧૩૦૧. પ્ર. સમ્યફદષ્ટિ જીવમાં કયા દોષોને અભાવ હોય છે ?
ઉ. સમ્યક્દષ્ટિ જીવમાં પચ્ચીસ ને અભાવ હોય છે. તે પચ્ચીસ
દેશે આ રીતે, આઠ શંકા આદિ દેષ (જુઓ પ્રશ્ન-૧૨૯૩), ત્રણ મૂઢતા, છ અનાયતન અને આઠ મદ મળી (૮+૩ + ૬+૮
= ૨૫) દોષ રહિત હોય છે. ૧૩૦૨ પ્ર. સમ્યફીની અંદર બીજો આઠ લક્ષણે પ્રગટ થાય છે તે કયાં ?
ઉ. ૧. સંવેગ : તે ધર્મના પ્રેમમાં રંગાયેલા હોય છે. ૨. નિર્વેદ : સંસાર અસાર છે, શરીર અપવિત્ર છે, ભગ
અતૃપ્તિકારી અને વિનાશી છે એવી ભાવના જાગૃત હોય છે. ૩. નિન્દા : પિતાના દોષની નિન્દા. ૪. ગર્તા : સમ્યક્ત્રી પોતાના મુખથી પોતાની પ્રશંસા કરતા
નથી. પોતાના મનમાં પણ પોતાની નિન્દા કરતા રહે છે તથા બીજાઓની આગળ પોતાની નિન્દા કરે છે. જો કોઈ તેમના ધર્માચરણની પ્રશંસા કરે તે પિતાની ખામી સામી
આગળ કરે છે. ધર્મ કરવામાં અહંકાર કરતા નથી. ૫. ઉપશમ : આત્મામાં પરમશાંત ભાવે રહે છે, તે અંતરથી
શીતળ રહે છે. કેઈ પર દ્વેષ કરતા નથી. ૬. ભક્તિ : શાસ્ત્ર અભ્યાસ કરે છે. ધર્મગુરુ, ધર્માત્માઓને
યથાયોગ્ય વિનય કરે છે. . ૭. વાત્સલ્ય : ધર્માત્માઓને અથવા ધર્મમાર્ગમાં કોઈ આપત્તિ
આવે તો તેને દૂર કરવાને મન-વચન-કાયાથી અથવા ધનથી, અધિકારથી કે બળથી જેમ બને તેમ પ્રયત્ન કરે છે.
!:
1:'
!
કાગળ ઉપર ચીતરેલા દીવા અને બાળે નહી. તેમ એકલા શાસ્ત્રને શાને સંસાર બળે નહીં.
Page #426
--------------------------------------------------------------------------
________________
-
૪૦૪
૮. અનુકંપા : બીજાનું દુખ પિતાનું સમજી તેને દૂર કરવા યથાશક્તિ પ્રયત્ન કરે છે.
સમ્યફવી જીવ પિતાના વર્તનથી જગત આખાને પ્રિય બની જાય છે. સંતાકી રહે છે. અન્યાયથી ધન કમાવું પાપ સમજે છે. એવા કર્મો બાંધો નથી કે તે જીવનારકી અથવા
તિર્યંચ થઈ શકે. ૧૩૦૩. પ્ર. પં. બનારસીદાસજીએ સમ્યફદષ્ટિ કોને કહ્યો છે ?
ઉ. પં બનારસીદાસજીની ચારસે વર્ષ પૂર્વે રચિત પરમાર્થ વચનિકામાં
સમદષ્ટિ કર્યું છે તે કહે છે. સંશય, વિમેહ અને વિશ્રામ આ ત્રણ ભાવ જેનામાં નથી, તે સમ્યફદષ્ટિ છે. સંશય, વિમોહ, વિભ્રમ શું છે? તેનું સ્વરૂપ દષ્ટાંતથી બતાવે છે. કોઈ ચાર પુરુષો ઊભા હતા. ત્યાં કોઈએ આવીને તેમને છીપલાને ટ્રક બતા; અને પૂછયું કે આ છીપ છે કે ચાંદી ? સંશયવાન પુરુષે કહ્યું કે આ છીપ છે કે ચાંદી તેની મને સમજ પડતી નથી. વિમેહવાન પુરુષ બોલ્યો કે છીપ કાને અને ચાંદી કોને કહેવાય તેની મને ખબર નથી. વિભ્રમવાન પુરુષ બોલ્યો કે આ તે પ્રત્યક્ષ ચાંદી જ છે તેને છીપ કોણ કહેશે ? ચોથા પુરુષે કહ્યું કે આ તે ચક્કસ છીપ જ છે, તેમાં કોઈ પ્રશ્ન જ નથી. તેવી રીતે દેહ અને આત્મા વચ્ચે આ સંવાદ ઊતારતાં સંશયવાન પુરુષ કહે છે દેહ જ આત્મ હશે; અથવા દેહથી ભિન્ન આત્મા હશે? આત્મા દેહની ક્રિયાને કર્તા હશે કે અર્તા ? પુણ્યથી ધર્મ થતો હશે કે નહિ ? વિગેહવાન પુરુષ કહે છે કે સ્વભાવ શું ? પરભાવ શું ? બંધ માર્ગ શું ? મોક્ષમાર્ગ શું ? તે જાણતા જ નથી. વિભ્રમ બુદ્ધિવાળે દઢતાથી બોલશે કે શુભરાગાદિ જ મોક્ષમાર્ગ છે. જ્યારે ધર્મો (સમ્યગ્દષ્ટિ) જીવ નિઃશંક જાણે છે કે સ્વ-પર તથા સ્વભાવ-પરભાવ સ્પષ્ટ ભિન્ન છે.
શત્રિ ગુમાવી સુવતાં, દિવસ ગુમાવ્યું ખાય; હીરા જે મનુષ્ય ભવ, કડી બદલે જાય,
Page #427
--------------------------------------------------------------------------
________________
૪૫
૧૩૦૪ પ્ર. સમ્યગ્દષ્ટિને કર્મફળ ભેગવતાં નિર્જ થાય ?
ઉ, સમ્યગ્દષ્ટિ અંતરંગમાં એવા વૈરાગી હોય છે કે કર્મનું ફળ
ભેગવતાં છતાં પણ કર્મની નિર્જરા કરી દે છે, તથા કાં તે તેમને બંધ થતા નથી અને કષાયને અનુસાર કદાચિત બંધ થાય તે તે બગાડ કરવાવાળા, સંસારમાં ભ્રમણ કરાવવાવાળો થતો નથી.
સમ્યક્ત્વને અપૂર્વ મહિમા છે. ૧૩૦૫ પ્ર. શુભ–અશુભમાં ઉપગ વર્તતે હોય ત્યારે સમ્યક્ત્વનું અસ્તિત્વ
કઈ રીતે હોય ? ઉ. સમકિત એ કાંઈ ઉપયોગ નથી. સમકિત એ તે પ્રતીતિ છે.
શુભાશુભમાં ઉપયોગ વર્તતા હોય ત્યારે પણ શુદ્ધાત્માનું અંતરંગ શ્રદ્ધાન તે ધમને એવું ને એવું વર્તે છે. સ્વપરનું જે ભેદ વિજ્ઞાન થયું છે તે તો તે વખતે પણ વત જ રહ્યું છે. જેમ ગુમાસ્તા શેઠના કાર્યોમાં પ્રવર્તે છે, નફા-નુકસાન થતાં હર્ષ– વિષાદ પણ પામે છે, છતાં અંતરમાં ભાન છે કે નફા-નુક્સાનને સ્વામી હું નથી.
જીવનાં પરિણામ ત્રણ પ્રકારનાં છે : શુદ્ધ, શુભ અને અશુભ. તેમાં મિથ્યાષ્ટિને અશુભની મુખ્યતા ઘણી છે, કવચિત શુભ. પણ તેને હોય છે, શુદ્ધ પરિણતિ તેને હોતી નથી. શુદ્ધ પરિણામની શરૂઆત સમ્યગ્દર્શનપૂર્વક જ થાય છે. ચતુર્થાદિ ગુણસ્થાને શુભની મુખ્યતા કહી છે, ને સાથે અંશે શુદ્ધ પરિણતિ તે સદાય વર્તે છે. જોકે શુદ્ધ ઉપયોગ ક્યારેક ક્યારેક હોય છે, પણ શુદ્ધ પરિણતિ તે સંદેવ વર્તે છે. અને સાતમાં ગુણસ્થાનથી માંડીને ઉપરના બધા સ્થાને એકલો શુદ્ધ ઉપગ જ હોય છે. પરણુતિમાં જેટલી શુદ્ધતા છે એટલે જ ધર્મ છે, તેટલો જ મોક્ષ
માર્ગ છે. ૧૩૦૬ પ્ર. સમ્યજ્ઞાનીને પણ ક્રોધ, માન, માયા, લેભ તે હોય છે. આ
કષાયો હોવા છતાં તે સમયે તેમને વિવેક નાશ કેમ થતો નથી ?
વ્યવહાર ન માને તો તે નિશ્ચયભાસી છે અને જે વ્યવહારને ધમ માને તે વ્યવહારભાસી છે.
Page #428
--------------------------------------------------------------------------
________________
ઉ. જેમ કેઈ ભાષાને વિદ્વાન તોતડું (કાલું) બોલતા હોય તે તેને !
ભાષા સંબંધી જ્ઞાન બરાબર હોવા છતાં પણ તેનું તતડાપણું ચાલુ રહેવા છતાં તેને ભાષા કેવી રીતે બોલવી જોઈએ તેનું જ્ઞાન ક્યાંય ચાલી જતું નથી. તેવી રીતે જ્ઞાનીને ભેદ વિજ્ઞાન થયા પછી પુણ્ય-પાપ અને વિષય-કષાયના ભાવ હોવા છતાં
પણું અંદરનું ભેદ-જ્ઞાન નાશ થતું નથી. ૧૩૦૭ પ્ર. સમ્યગ્દર્શનને મહિમા કહે.
શુદ્ધ સમ્યકત્વ આત્માનુભૂતિ જ છે. ત્રણ લાકમાં અને ત્રણ કાળમાં સમ્યગ્દર્શન જેવું બીજું કોઈ પ્રાણીઓને માટે કલ્યાણકારી નથી તેવી રીતે મિશ્યાદર્શનના જેવું બીજું કોઈ અહિતકારી નથી. એક તરફ સમ્યગ્દર્શનનો લાભ થતું હોય અને બીજી બાજુ ત્રણ લેકનું રાજ્ય મળતું હોય તો પણ ત્રણ લોકના લાભ કરતાં સમ્યગ્દર્શનને લાભ શ્રેષ્ઠ છે. આ સમ્યગ્દર્શન મહારત્ન છે. સર્વ લેકમાં અત્યંત
શોભાયમાન છે. એને જ મેક્ષ પર્યત સુખ દેવામાં સમર્થ કહ્યું છે. ૧૩૦૮ પ્ર. સમ્યક્ત્વ જીવને શું કહે છે ?
ઉ. સમ્યક્ત્વ છવને કહે છે કે મને ગ્રહણ કરવાથી ગ્રહણ કરનારની
ઈછા ન થાય તો પણ મારે તેને પરાણે મોક્ષે લઈ જવા પડે છે; માટે પ્રહણ કરવા પહેલાં એ વિચાર કરવો કે મેક્ષે જવાની ઇચ્છા ફેરવવી હશે તે પણ કામ આવવાની નથી. મારે તેને મેશે પહોંચાડવા
એ મારી પ્રતિજ્ઞા છે. ૧૩૦૯ પ્ર. તત્ત્વાર્થ શ્રદ્ધાન, સ્વ-પરનું શ્રદ્ધાન, આતનશ્રદ્ધાન અને દેવ-ગુરુ
ધર્મનું શ્રદ્ધાન એમ ચાર સમ્યકત્વનાં લક્ષણે કહ્યાં છે તેમાં જીવા
કયા લક્ષણને અંગીકાર કરે ? ઉ. પ્રથમ દેવાદિકનું શ્રદ્ધાન કરવું. (સતદેવ એટલે તીર્થંકર; જેમ કે,
સીમંધરસ્વામી, સત ગુરુ એટલે છઠ્ઠા સાતમા ગુણસ્થાને ઝુલતા પ્રત્યક્ષ. મુનિ. જે આવા ગુરુ ન મળે તે તેના બદલે બીજા કોઈને ગુરુ, માની ન બેસાય, નહિતર તે કુગુરુની માન્યતા થઈ એટલે મિથ્યાત્વ થયું. (જુઓ પ્રશ્ન-૧ર ૫૯ થી ૧ર ૬૨), અને સત ધર્મ એટલે જૈન
આત્મામાં એકાકાર થવું, વીંટાઈ જવું એનું નામ વ્રત છે.
Page #429
--------------------------------------------------------------------------
________________
૪૦૭
ધર્મ, અને તે પણ શાઍક્ત હોય તે જ ધર્મ, સંપ્રદાયના આગ્રહ પ્રમાણે નહીં. પછી જિનમતમાં કહેલાં જીવાદિતોને વિચાર કર. પછી સ્વ-પરનું ભિનપણું જેથી ભાસે તેવા વિચારો કર્યા કરવા. કારણ કે-એ અભ્યાસથી ભેદવિજ્ઞાન થાય છે, ત્યાર પછી એક સ્વમાં સ્વપણું માનવા અર્થે સ્વરૂપને વિચાર કર્યા કરો કારણ કે
એ અભ્યાસથી આત્માનુભવની પ્રાપ્તિ થાય છે. ૧૩૧. પ્ર. ઉપરના ચાર લક્ષણેમાંથી સમ્યફ ત્વનું મુખ્ય લક્ષણ કયું છે ?
તત્ત્વશ્રદ્ધાનું લક્ષણ મુખ્ય છે. તત્ત્વશ્રદ્ધાના લક્ષણમાં અન્ય લક્ષણે ગર્ભિત છે, અને તે તુરછ બુદ્ધિમાનને પણ ભાસે છે. પણ અન્ય લક્ષણોમાં તત્વાર્થ શ્રદ્ધાનનું ગર્ભિતપણું છે તે વિશેષ બુદ્ધિવાન
હોય તેને જ ભાસે છે. ૧૩૧૨ પ્ર. જે જીવ વસ્તુસ્વરૂપને યથાર્થ નિર્ણય કરતા નથી તે તેની
સ્થિતિ કેવી થાય છે ? ઉ. પરવ્યના સ્વં ત્વની ઈરછાથી તેનું ચિત્ત સદા આકુલિત બની રહે
છે તથા પરદ્રવ્યમાં ઇષ્ટ-અનિષ્ટ બુદ્ધિથી તેમાં રાગ-દ્વેષના કારણથી તેનું ચિત્ત સદા કલુષિત બની રહે છે. જેનું ચિત્ત ડામાડોળ તથા કલુષિત થઈ પરદ્રવ્યમાં જ ભટક્યા કરતું હોય, તેને સ્વદ્રવ્ય (પોતાના આત્મા)માં સ્થિરતા રૂપ ચારિત્ર ક્યાંથી થઈ શકે ?
ન જ થઈ શકે. ૧૩૧૨ ક. કેટલેક અભ્યાસ કરવો કે જેથી સમ્યગ્દર્શન પ્રાપ્ત થઈ શકે ? ' ઉ. અગિયાર અંગેનું જ્ઞાન થઈ જાય એટલી રાગની મંદતા અભવ્ય
જીવને પણ હોઈ શકે છે. અગિયાર અંગેના જ્ઞાનને ક્ષયોપશમ વગર અભ્યાસે જ થઈ જાય, વિભંગ જ્ઞાન પણ થાય, અને સાત દ્વીપ સમુદોને પ્રત્યક્ષ જુએ, તે પણ આ બધું જ્ઞાન સમ્યગ્દર્શનનું
કારણ નથી. ૧૩૧૩ પ્ર. જો અગિયાર અંગવાળાને પણ સમ્યફદર્શન નથી થતું તે આત્માની
રુચિ વગર આટલું બધું જ્ઞાન કેવી રીતે થાય છે?
સાધુ બનવું સરળ છે, પણ સાધુ થવું મુશ્કેલ છે.
Page #430
--------------------------------------------------------------------------
________________
૪૦૮
. જ્ઞાનના ક્ષયે।પશમ થવા તે મંદ કષાયનું કાય છે. આત્માની રુચિનું કાર્ય નથી. જેને આત્માની યથાર્થ રૂચિ હોય છે તેને અપ જ્ઞાન હોય તા પણ રુચિના બળ ઉપર સમ્યગ્દર્શન થાય છે. સમ્યક્દર્શોનના માટે જ્ઞાનના ક્ષયે પશમની આવશ્યકતા નથી. પણ આત્મ રુચિની આવશ્યકતા છે. શિવભૂતિ મુનિ થઈ ગયા જેને મા રૂષ, મા તુષ” એમ બે શબ્દો પણ યાદ ન રહ્યા. ગુરુએ તેમને કહ્યું કે મા રૂષ મા તુષ–કાઇથી દ્વેષ કરીશ નહિ, કાઈથી રાગ કરીશ નહિ પણ તે યાદ ન રહ્યા. એક ખાઇ અડદની દાળને ફોતરાથી છૂટી પાડતી હતી, તેને ખીજી ખાઈએ પૂછ્યુ કે મેન, શુ કરી છે ? ત્યારે તેણીએ કહ્યું કે તુષ માષ ભિન્ન કરું છું, આવુ જ્યાં મુનિરાજે સાંભળ્યું ત્યાં રાગના વિકલ્પ એ ફોતરાં છે તેનાથી મારા નાથ અડદની સફેદ દાળ જેવા ઊજળા, ચાખ્ખા શુદ્ધ પડયા છે. એમાં ધ્યાન લાગ્યું ને મુનિરાજને અત ્તમાં કેવળજ્ઞાન થઈ ગયું. જેને “મા રૂષ મા તુ” એવા બે શબ્દો પણ યાદ ન રહ્યા તેણે કેવળજ્ઞાન પ્રગટાળ્યું. માટે શબ્દો યાદ રહે તે જ્ઞાની છે—એમ નથી. એની પર્યાય જ્યાં સ્વાભાવિક અંદરમાં જાય છે ત્યારે તેને આત્માનું જ્ઞાન થાય છે. આત્માને ગ્રહણ કરે ત્યારે જ્ઞાન થાય. ૧૩૧૪ પ્ર. શરીરથી આત્મા જુદા છે તે તા જાણીએ છીએ, પણ સમ્યગ્દર્શન થતું નથી તેનું કારણ શું ? ઉ.. પાપટ માલે પણુ એને જ્ઞાન નથી. શરીરથી આત્મા જુદા છે એવુ સાંભળવા છતાં અને ખેાલવા છતાં પણ જ્યાં સુધી તે બંનેના ભિન્નત્વના અભ્યાસ દૃઢ થતા નથી ત્યાં સુધી દેહથી મમતા મુકાતી નથી; મુક્તિ થતી નથી. શરીરથી આત્મા ભિન્ન છે” તે વાક્યમાં શરીરના અર્થમાં સંસારના સર્વ પદાર્થા અને તેના પર્યાય સમાઈ જાય છે અને તે વાકયના સંપૂર્ણ સમજણુની પ્રતીતિ લક્ષ અને અનુભવ હાલતાં, ઊઠતાં, અેસતાં, ખાતાં, પીતાં, જાગતાં, ઊંઘતાં, ભાન-અભાનમાં, પ્રવૃત્તિ-નિવૃત્તિમાં, દરેકે દરેક સ્થિતિમાં,
આ સ્વરૂપ આત્માના ભાન વિના વ્રત, જપ તે તપ એ મૃત્યુ “વર વિનાની જાન” જેવું છે.
Page #431
--------------------------------------------------------------------------
________________
૪૦
સમયે સમયે હાય તા તે સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્ર કહેવાય. ૧૩૧૫ પ્ર. સમ્યક્દષ્ટિ સ્વર્ગથી આવી માતાના પેટમાં નવ મહિના રહે તે દરમિયાન તેને નિર્વિકલ્પ ઉપયેાગ અથવા આત્માના અનુભવ થાય કે નહિ ?
.
આ વાત ધ્યાનમાં આવે છે પણ તે માટે શાસ્ત્રને કાઈ આધાર મળતા નથી.
૧૩૧૬ પ્ર. સમતિ થયું છે કે નહીં તેની જાણ થાય નહીં, તે શું સત્ય છે ? ઉ. લેાક કહે છે કે સમકિત છે કે નહિ તે કેવળજ્ઞાની જાણે; પણુ તે આત્મા છે તે કેમ ન જાણે ? કાંઈ આત્મા ગામ ગયા નથી; અર્થાત્ સમક્તિ થયું છે તે આત્મા પાત જાણે. આત્મામાંથી, માંહીથી કર્મ જ જ થયાં હાય તેની પેાતાને ખબર કેમ ન પડે? અર્થાત્ ખબર પડે જ. સક્તિની દશા છાની રહે નહિ. કલ્પિત સમક્તિ માને તે પિત્તળની હીરાકડીને સેનાની હીરા ડી માને તેની પેઠે.
સમક્તિ થયુ... હાય તો દેહાત્મબુદ્ધિ મટે; દેહને વિષે રેગ આવ્યે જેનામાં આકુળ-વ્યાકુળતા માલૂમ પડે તે મિથ્યાદષ્ટિ જાણવા.
સમ્યકત્વ સર્વને જાય એમ પણ નહિ, તેમ કાઈને પણુ ન જણાય એમ પણ નહિ, વિચારવાનને તે જણાય છે.
શમ, સ ંવેગ, નિવેદ, અનુકંપા અને આસ્થા સમ્યકત્વનાં લક્ષણેા છે. ૧૩૧૭ પ્ર. સમકિત થયુ છે કે નહિ તે કેમ કરી જાણી શકાય ?
ઉ. સમ્યકત્વના પ્રગટવાના સમયે સ્વભાવદશા થાય છે. તે સમયે અપૂર્વ અતિન્દ્રિય આનંદના લાભ થાય છે. સમ્યકદર્શનના અપૂર્વ મહિમા છે. સમ્યકદષ્ટિની અંદર નિયમથી આત્મજ્ઞાન તથા વૈરાગ્યની શક્તિ ઉત્પન્ન થાય છે. જેમ કાઈ પદાર્થ ખાવાથી તેનુ ફળ આપે છે, તેમ જ સમકિત આળ્યે, શ્રાંત માયે તેનુ ફળ પાતે જાણે. સમકિતની દશા છાની રહે નહિ.
ચાહુંક દેણુ, નાના ઘાવ, જરા જેટલી આગ, અને નહિ જેવા કષાય આ ચારેયના તમારે વિશ્વાસ ન કરવા જોઇ એ.
Page #432
--------------------------------------------------------------------------
________________
૪૧૦
કરવા.
૧૩૧૮ પ્ર. સમ્યક્દર્શન થતાં પહેલાં ક્યા પ્રકારના વિચારો હોય છે કે જેને
અભાવ કરીને સમ્યક્દર્શન થાય છે ? ઉ. કયા પ્રકારના વિચાર ચાલતા હોય છે તેને કોઈ નિયમ નથી.
તત્વને કોઈ પણ પ્રકારને વિચાર હોઈ શકે છે જેને અભાવ કરીને
સમ્યફદર્શન ઉત્પન્ન થાય છે. ૧૩૧૯ પ્ર. સમકિત વિનાના ચારિત્રની કઈ કિંમત નથી તેમ કેમ કહે છે ?
ઉ. સમકિત વિનાના ચારિત્રથી સકામ નિર્જરા થતી નથી. તેથી,
સમકિત વિનાની કરણી એકડા વિનાનાં મીડાં જેવી નિરર્થક કહી છે. ૧૩૨૦ પ્ર. સમ્યગ્દર્શન જ્ઞાન બંને સાથે થવા છતાં જ્ઞાનની જુદી આરાધના
કરવાનું કેમ કહ્યું છે ? ઉ. કેમ કે હજી કેવળજ્ઞાન સાધવાનું બાકી છે તેથી. (જુઓ પ્રશ્ન
૧૫૮૯ થી ૧૫૯૧) ૧૩૨૧ પ્ર. દર્શનની આરાધના ક્યારે પૂરી થાય ?
ઉ. ક્ષાયિક સમ્યક્ત્વ થાય ત્યારે. ૧૩૨૨ પ્ર. જ્ઞાનની આરાધના ક્યારે પૂરી થાય ?
ઉ. કેવળજ્ઞાન થાય ત્યારે. ૧૩૨૩ પ્ર. ચોથા ગુણસ્થાને ક્ષાયિક સમ્યત્વ થયા પછી ઉપરના ગુણસ્થાને
તેની શુદ્ધતા વધે ?
ઉ. ના; ક્ષાયિકભાવમાં વૃદ્ધિ કે હાનિ હોતી નથી. ૧૨૪ પ્ર. ચોથા ગુણસ્થાનવાળા ક્ષાયિક સમ્યગ્દષ્ટિની, પ્રતીત તે સિદ્ધ ભગવાન
જેવી હોય, પણ ઉપશમ સમ્યગ્દષ્ટિની પ્રતીત પણ શું સિદ્ધ
ભગવાન જેવી છે ? ઉ. હા; ઉપશમ સમકિતની પ્રતીતમાં જે શુદ્ધાત્મા આવ્યું છે તે પણ
જેવો સિદ્ધાત્માની પ્રતીતમાં આવ્યું છે તેવો જ છે. શુદ્ધાત્માની. પ્રતીત તે ત્રણે સમકિતીની સરખી જ છે. એમાં કોઈ ફેર નથી. અમૃતાચાર્યે તત્વાર્થસારમાં સમ્યક દષ્ટિને “ઈષતસિદ્ધ” કહ્યા છે. દષ્ટિમાં સિદ્ધ જેવો સંપૂર્ણ આત્મા ખ્યાલમાં આવી ગયો હોવાથી સિદ્ધ.
કેધ પ્રીતિને, માન વિનયન, માયા મૈત્રીને અને લાભ તમામને નાશ કરે છે,
Page #433
--------------------------------------------------------------------------
________________
૪૧૧
કહ્યા છે તથા ચારિત્રની અપૂર્ણતા હોવાથી ઈષત્” અર્થાત્ કથંચિત સિદ્ધ કહ્યા છે, એટલે કે સિદ્ધ ભગવાનથી થાડા જ ન્યૂન છે. સમ્યગ્દષ્ટિ ચાંડાળને પણ દેવ સમાન ગણ્યા છે. ૧૩૨૫ . ચારે મતિમાં સમ્યક્દષ્ટિને આત્મપ્રતીતિ સરખી હોય ?
જીવ ચારે ગતિમાં સમ્યકદર્શન પામી શકે છે. ચારમાંથી કાઈ પણ ગતિમાં સમ્યગ્દષ્ટિ હેા, તે બધા સમ્યગ્દષ્ટિની આત્મપ્રતીતિ તા સમાન જ છે. સમ્યકત્વના અતીન્દ્રિય આનંદ પણ સરખા છે. ૧૩૨૬ પ્ર. તિય અને જ્ઞાન અલ્પ હોવા છતાં આત્મા પકડમાં આવી જાય છે અને અમે આટલી મહેનત કરવા છતાં આત્મા પકડમાં કેમ આવતા નથી ?
ઉ. જ્ઞાનમાં આત્માનું જેટલું વજન આવવુ જોઇએ તેટલું' આવતું નથી, સ્વરૂપપ્રાપ્તિનું જેટલું જોર આવવુ જોઇએ તેટલુ આવતું નથી, જેટલે જે પ્રકારે રાગ છૂટવા જોઇએ તે છૂટતા નથી, તેથી કાર્ય થતું નથી એટલે કે આત્મા પકડમાં આવતા નથી.
૧૩૨૭ પ્ર. સમ્યગ્દષ્ટિ શ્રાવક શું વંદનીય છે ?
ઉ. શ્રી પદ્મનન્દીસ્વામી કહે છે કે સમ્યગ્દષ્ટિ શ્રાવક (પાંચમા ગુણસ્થાનવી) પણ પૂજ્ય છે, ભક્તિ કરવાને લાયક છે, પ્રશ ંસાને યાગ્ય છે. વૈયાવૃત્યના દશ સ્થાનક છે તેમાં સમકિતની પણ ગણુના થાય છે. પુરાણામાં તા એવા પ્રસંગ આવે છે કે પેાતાને જેના થકી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઇ હાય તેવા શ્રાવક અને અન્ય મુનિ બન્ને બાજુ બાજુમાં બેઠા હોય, તા સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીને દેવલાકમાં ઉત્પન્ન થયેલા જીવ, ત્યાં આવીને પ્રથમ પેલા શ્રાવક્રને વંદન કરીને તેના ઉપકાર માને છે. આવી રીતે સમ્યુ દનની મહિમા સર્વ જિનશાસ્ત્રોમાં ગાઈ છે.
૧૩૨૮ પ્ર. સમ્યગ્દર્શન થતાં શું થયું ?
ઉ. ચૈતન્યના અન તગુણુના ભંડાર ખૂલ્યા; મેાક્ષનાં કિરણ પ્રગટત્યાં, અતીન્દ્રિય સુખના સાગર ઊછળ્યુ. અહીં, આત્માના સ્વસ વેદન
જેણે મિથ્યાત્વ છેડયુ. નથી એણે કાંઈ છેડયું નથી, જેણે મિથ્યાત્વ છેડયુ‘એણે બધુ... છેડયુ'; આખી દુનિયા છેડી
Page #434
--------------------------------------------------------------------------
________________
૪૧૨
પ્રત્યક્ષનું કેઈ અપાર સામર્થ્ય છે; સ્વસંવેદનથી અંતરમાં ચૈતન્યરસ યાખ્યા પછી ચિત્ત બીજે કયાંય લાગે નહીં, ચૈતન્યરસ પાસે આખું જગત નીરસ લાગે છે.
બ્રહ્મસ્વરૂપ આત્માને અનુભવનારે સમ્યગ્દષ્ટિ ચક્રવર્તી છે ખંડના રાજ્યમાં પડયો હોય, તેને માટે ભોજનના બત્રીસ કવળ (કાળિયા) થાય, જેને એક કવળ ૯૬ કરોડ પાયદળ પાચન ન કરી શકે એવી ઊંચી ઊંચી કરોડો રૂપિયાની રતનની ભસ્મ નાખીને ભેજન બનાવવામાં આવે તેવા બત્રીસ કવળ ચક્રવત લે છતાં કહે કે (ત જમતા નથી, તેને તેમાં રસ આનંદ આવતા નથી પણ), સમકિત આત્માના આનંદના ભજન કરે છે, તેમાં તેને વધુ રસ-આનંદ આવે છે), આનંદામૃત નિત્ય છે તેને કહેવાય છે. આવા બ્રહ્મસ્વરૂપ
આનંદામૃત આત્માનું અજ્ઞાનીને મહાસ્ય આવતું નથી. -૧૩૨૯ પ્ર. ચેથા ગુણસ્થાને અને કેવળીને કયું સમકિત હોય ?
ઉ. તીર્થકરાદિને ગૃહસ્થાશ્રમમાં વર્તતા છતાં “ગાઢ” અને “અવગાઢ
સમ્યકત્વ હોય છે. “ગાઢ” અથવા “અવગાઢ” એક જ કહેવાય. ચોથે ગુણસ્થાનકે “ગાઢ” અથવા “અવગાઢ” સમ્યકત્વ હોય છે. ક્ષાયિક સમ્યકત્વ અથવા ગાઢ-અવગાઢ સમ્યકત્વ એકસરખું છે.
કેવળીને “પરમાવગાઢ” સમ્યક્ત્વ હોય છે. ૧૩૩૦ પ્ર. “સાસ્વાદન સમકિત” એટલે શું ?
ઉ. “સાસ્વાદન સમકિત” એટલે વસી ગયેલું સમકિત, અર્થાત્ જે પરીક્ષા
થયેલી તેને આવરણ આવી જાય તે પણ મિથ્યાત્વ અને સમક્તિની
કિંમત તેને જુદી ને જુદી લાગે. ૧૩૩૧ પ્ર. વેદક સમ્યક્ત્વ કોને કહે છે ?
9. ક્ષયોપશમ સમ્યક્ત્વને વેદક સમ્યફત્વ પણ કહેવામાં આવે છે. પરંતુ
જેને માથે જન્મ-મરણની ડગે તળાઈ રહી છે અને તે સંગેમાં રાજી માની રહ્યો છે તે પાગલ છે,
-
-
Page #435
--------------------------------------------------------------------------
________________
૪૧૩
ક્ષપશમમાંથી ક્ષાયિક થવાના સંધિના વખતનું જે સમ્યફ તે
વાસ્તવિક રીતે વેદક સમ્યકત્વ છે. ૧૩૩૨ પ્ર. નિસર્ગજ અને અધિગમજ સમ્યક્ત્વ ક્યા પ્રકારથી કહેવામાં આવે છે ?
ઉ. બાહ્ય ઉપદેશ આદિ કારણે સાક્ષાત ન મળે છતાં પહેલાંનાં સંસ્કારની
મુખ્યતાથી જે પ્રગટે છે તે નિસર્ગજ સમ્યગ્દર્શન છે અને સદ્ગુરુના સાક્ષાત ઉપદેશ, કેવળીના દર્શન આદિ બાહ્ય કારણ પામીને જે ઉત્પન્ન થાય છે તે અધિગમજ સમ્યગ્દર્શન કહેવાય છે.
જાક છે
જહાં રામ તહાં કામ નહિ, કામ નહિ તહાં રામ; તુલસી દોને ના રહે, રવિ રજની એકઠામ,
Page #436
--------------------------------------------------------------------------
________________
૧૮
જીવ–આત્મા
૧૩૩૩ પ્ર. આત્મા શું છે ?
ઉ. આત્મા એક સ્વરૂપે ત્રિકાળ સ્થિતિ કરી શકે એ નિત્ય પદાર્થ
છે. તે કોઈ પણ સંયોગોથી બની શકે નહિ. જેને જ્ઞાની પુરુષો મુખ્ય જ્ઞાનસ્વરૂપ લક્ષણવાળે કહે છે, તે ચેતન પદાર્થ છે. તે દેહથી ભિન્ન છે. સહજ પરમાત્મતત્ત્વ અનધ છે. અધ = પાપ;
અને પાપથી રહિત તે અનઇ. ૧૩૩૪ છે. આત્મા કાંઈ કરે છે ? ઉ. આત્મા જ્ઞાતા, દષ્ટા છે, તે જુએ છે અને જાણે છે. પરમાર્થથી
સ્વભાવપરિણતિએ નિજ સ્વરૂપને કર્તા છે. અનુપચારિત (અનુભવમાં આવવા યોગ્ય વિશેષ સંબંધસહિત) વ્યવહારથી તે આત્મા કવ્યકર્મને કર્તા છે. ઉપચારથી ઘર, નગર આદિને કર્તા છે, અજ્ઞાનદશામાં કોધ, માન, માયા, લેભ એ આદિ
પ્રકૃતિને કર્તા છે, અને તે ઉદયકર્મોને ભક્તા પણ છે. ૧૩૩૫ પ્ર. આત્માને ચૈતન્ય ગુણ એટલે શું અને તે કશું કરે ?
ઉ. ચૈતન્યને ગુણ એટલે દર્શન અને જ્ઞાન ગુણ, તેથી આત્મા ઇન્દ્રિ
વિના બધું જુએ અને જાણે ૧૩૩૬ ક. આત્મા માત્ર જાણનાર જ છે તે આમાં કાંઈ કરવાનું જ નથી ?
ઉ, આમાં તે પાર વિનાનું કરવાનું છે. દેહ આદિ પરદ તરફ જે
લક્ષ જાય છે તે લક્ષને જાણનાર એવા આત્માને જાણવામાં
Page #437
--------------------------------------------------------------------------
________________
૪૧૫
વાળવાનું છે. આત્માને જાણવામાં તા અનંત પુરુષાર્થ આવે છે, તું વિશ્વાસ લાવ–કે મારા સ્વભાવના આનંદ આગળ ખંધી પ્રતિકૂળતા અને આખી દુનિયા ભૂલાઈ જાય એવી અદ્ભૂત પર્યાયમાં પરમાત્મા પ્રગટ થઈ જશે. (આ કરવાનું કાંઈ ઓછું છે?) (જુએ પ્રશ્ન-૧૫૨૩).
૧૩૩૭ પ્ર. શરીરાદિની ક્રિયા આત્માના ચેતન ગુણાથિી થાય છે ?
ઉ. ના, હું શરીરને ચલાવી શકું, કાય કરી શકું, તે ઘેર અજ્ઞાન છે. આત્મા એક તણખલાના બે ટુકડા કરવા પણ અશક્તિમાન છે. આત્મા જ્ઞાયિક સ્વભાવરૂપ છે. (જુએ પ્રશ્ન-૧૪૮૫).
૧૩૩૮ પ્ર. પરંતુ આત્માની ઇચ્છાનુસાર જ શરીરમાં હલનચલનાદિ ક્રિયા
થાય છે ને?
ઉ. ના. શરીરના રજકણેાની અવસ્થા શરીરના કારણે જ થાય છે. શ્વાસ ચઢવા, કફ નીકળવા, પરસેવા નીકળવા, આંખની પાંપણેનું હલનચલન વગેરે ક્રિયાઓના કર્તા શરીર જ છે. બાળપણ, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા વગેરે શરીરની અવસ્યાએ છે. દાંતાનું પડવુ, આંખામાં ઝાંખપ, બહેરાપરૢ વગેરે પરિવર્તન આત્માની ઇચ્છા વિના જ શરીરની યાગ્યતાથી સ્વયં થાય છે. જો આત્માની ઇચ્છાથી જ શરીરનું પરિણમન થતું હોત તા કાઈને પણ વૃદ્ધાવસ્થા ન આવવી જોઇએ, પરંતુ વૃદ્ધાવસ્થા ન ઇચ્છવા છતાં પણ આવ્યા વિના રહેતી નથી
૧૩૩૯ પ્ર. તા પછી પદાર્થોની ગતિ શાના આધારે થાય છે?
ઉ. જીવ અને પુદૂગલમાં ક્રિયાવતી રાક્તિ નામે વિશેષ ગુણ છે. તેના કારણે જીવ અને પુદ્ગલને પાતપાતાની ચેાગ્યતાનુસાર કદી ગતિરૂપ અને કદી સ્થિરતારૂપ અવસ્થા પ્રાપ્ત થાય છે.
૧૩૪૦ પ્ર. મેટર પેટ્રોલથી ચાલે છે કે ડ્રાઈવર તેને ચલાવે છે ? ઉ. મેટર પેટ્રોલ કે ડ્રાઈવરથી ચાલતી નથી, પણ મેાટરના દરેક
અમદ્રસૃષ્ટ, અનન્ય જે અવિશેષ દેખે આત્મને તે દ્રવ્ય તેમજ ભાવ જિનશાસન સકલ દેખે ખરે
Page #438
--------------------------------------------------------------------------
________________
પરમાણુમાં ક્રિયાવર્તી શક્તિ છે. તેના ક્ષણિક ઉપાદાનની યોગ્યતાથી
જ તે ચાલે છે. અન્ય તે નિમિત્ત માત્ર છે. ૧૩૪૧ પ્ર. જે જીવ શરીરને ચલાવી દેતા નથી તે પછી મડદું કેમ ચાલતું
ઉ. મડદુ એ પુદ્ગલ દ્રવ્યના અનેક સ્કંધને પિંડ છે. તેને દરેક
પરમાણુમાં ક્રિયાવર્તી શક્તિ છે, તેથી તેની રેગ્યતાનુસાર ગતિ. અથત ક્ષેત્રાન્તર પર્યાય થાય છે, અને સ્થિર રહેવારૂપ પર્યાય થાય છે, માટે મડદાના પરમાણુઓની તે વખતની પિતાની યેગ્યતાના કારણે સ્થિરતારૂપ પર્યાય થાય છે, તેથી મડદુ ચાલતું નથી. જ્યારે મડદાને ઘર બહાર જતું જોવામાં આવે. છે ત્યારે તેનું જવું તેની ક્રિયાવર્તી શક્તિના કારણે છે; માણસે તે નિમિત્ત માત્ર છે. અને જીવ હોય ત્યારે પણ હાથ-પગ ચાલે.
છે તે શરીરના કારણે જ ચાલે છે. ૧૩૪ર પ્ર. ધરતીકંપ, સમુદ્રમાં થતાં ભરતી-ઓટ, જ્વાલામુખી પર્વતનું
ફાટવું, લાવારસનું વહેવું, તેનું ખરું કારણ શું ? ઉ, તે બધાં પુદ્ગલ દ્રવ્યને સકંધરૂપ પર્યાય છે, અને તે તે દ્રવ્યના.
દ્રવ્યત્વ ગુણ અને ક્રિયાવતી શક્તિને કારણે તે અવસ્થાઓ થાય છે. ૧૩૪૩ પ્ર. રેલગાડી વરાળથી ચાલે છે તે બરાબર છે ?
ઉ. ના; તેને ચાલવામાં તેની ક્રિયાવતી શક્તિનું ક્ષેત્રાન્તરરૂપ પરિણમન.
છે તે ખરું કારણ છે. વરાળ વગેરે તે નિમિત્ત માત્ર છે. ૧૩૪૪ પ્ર. ઝાડનું ફળ નીચે પડવું, તેમાં પૃથ્વીનું આકર્ષણ કારણ છે-એ
- સિદ્ધાંત બરોબર છે ? ૧૩૪૫ પ્ર. ના, તેના પરમાણુઓની ક્રિયાવત શક્તિનું ગમનરૂપ પરિણમનના
કારણે તે પડે છે. ફળના ડીંટાનું સડી જવું, પવનનું વાવું વગેરે નિમિત્ત માત્ર છે.
નોકમ-કમે “હું” હુંમાં વળી કમ ને નેમ છે, -એ બુદ્ધિ જ્યાં લગી જીવની, અજ્ઞાની ત્યાં લગી તે રહે,
Page #439
--------------------------------------------------------------------------
________________
૪૧૭
૧૩૪૬ ક. આત્માની ક્રિયા અથવા પ્રવર્તવું કોના થકી થાય ?
ઉ. જેમ આત્મામાં જ્ઞાન ગુણ અથવા સ્વભાવ છે તેથી તે જાણે છે.
દર્શન ગુણથી દેખે છે તેમ વીર્યનું કામ પ્રવર્તવાનું થાય છે. ૧૩૪૭ પ્ર. “રુચિ અનુયાયી વીર્ય” એટલે શું ?
ઉ. જેને અંદરથી લગની લાગી હોય તેનું વીર્ય સ્વરૂપ (આત્મા)
તરફ ઝૂક્યા વગર રહે નહીં. રુચિ જે જ્ઞાયકતત્વ (આત્મા)ની હોય તે વીર્ય ત્યાં ખૂક્યા વગર રહે નહીં. જીવને જેની આવશ્યકતા
લાગે તેના માટે તે પુરુષાર્થ કર્યા વગર રહેતો નથી. ૧૩૪૮ પ્ર. આત્માને વીર્ય ગુણ કેટલા પ્રકારે પ્રવર્તી શકે છે ? ઉ. વીર્ય બે પ્રકારે પ્રવર્તી શકે છે: (૧) અભિસંધિ (૨) અનભિસંધિ.
અભિસંધિ એટલે આત્માની પ્રેરણાથી વીર્યનું પ્રવર્તવું થાય તે. અનઅભિસંધિ એટલે કષાયથી વીર્યનું પ્રવર્તવું થાય છે. દર્શનમોહને લીધે ભૂલ થવાથી એટલે ઔરનું તૌર જણાવાથી વીર્યની પ્રવૃત્તિ
વિપરીતપણે થાય છે. જે સમ્યફપણે થાય તે સિદ્ધપર્યાય પામે. ૧૩૪૯ પ્ર. આત્માને વીર્ય ગુણ કહ્યો તે સાંસારિક ચલણમાં વીર્ય શબ્દ
વાપરીએ છીએ તે જ અર્થ કે બીજો ? ઉ સાંસારિક ચલણમાં વીર્યને અર્થ નપુંસકથી વિરુદ્ધાભાસ બતાવવા,
અથવા પુત્રાદિની ઉત્પત્તિના નિમિત્ત માટે વપરાય છે. આત્માના. વીર્ય ગુણને અર્થ એ થતા નથી. તે આત્માને ગુણ હોઈ
વિશેષણ છે. ૧૩૫. પ્ર. આત્મા પોતાની વીર્ય શક્તિથી જે ક્રિયા કરે છે તે જોવામાં આવે છે ?
ઉ. આત્મા કોઈ પણ વખતે ક્રિયા વગરનો હોઈ શકતો નથી, જ્યાં
સુધી યોગો છે ત્યાં સુધી ક્રિયા કરે છે. તે પિતાની વીર્ય શક્તિથી કરે છે. તે ક્રિયા જોવામાં આવતી નથી, પણ પરિણામ ઉપરથી જાણવામાં આવે છે. ખાધેલો ખોરાક નિંદ્રામાં પચી જાય છે એમ સવારે ઊઠતાં જણાય છે. નિંદ્રા સારી આવી હતી, ઈત્યાદિ બોલીએ છીએ તે થયેલી ક્રિયા સમજાયાથી બોલવામાં આવે છે.
વર્ણન કર્યું નગરી તણું નહિ થાય વન ભૂપનું, કીધે શરીરગુણની સ્તુતિ નાહ સ્તવન કેવળી ગુણનું.
૨૭
Page #440
--------------------------------------------------------------------------
________________
૧૩૫૧ અ. જીવ કેવો છે ?
ઉ. જીવ રસરહિત, રૂપરહિત, ગંધરહિત, અવ્યક્ત અર્થાત ઈન્દ્રિયને
ગોચર નથી એ ચેતના જેને ગુણ છે એ શબ્દરહિત, કોઈ ચિહ્નથી જેનું ગ્રહણ નથી એ અને જેને કોઈ આકાર કહેવાતો
નથી એવો જાણ. ૧૩પર પ્ર. આત્મા જ્ઞાન સ્વરૂપ હોવા ઉપરાંત તેમાં બીજી શક્તિઓ છે ?
૨. આત્માને એક જ્ઞાનમાત્ર ભાવની અંદર અનંત શક્તિઓ રહેલી
છે, તેમાંની ૪૭ શક્તિઓ “સમયસાર” ગ્રંથમાં વર્ણવી છે. ૧૩૫૩ પ્ર. આત્મા અનંત ગુણોની ખાણ અને અતિન્દ્રિય સુખને સાગર છે,
એવો વિશ્વાસ કેવી રીતે આવે ? ઉ. જેની સાથે લગ્ન કર્યા છે, તે કન્યાથી તદ્દન અજાણ હોવા છતાં પણ એવી શંકા થતી નથી કે તે અહિત કરશે, મારી નાખશે. ત્યાં વિષય ભોગમાં રુચિ હોવાથી એવી આશંકા થતી નથી અને તેના ઉપર પાકે વિશ્વાસ થઈ જાય છે કે સ્ત્રી કદી પણ અહિત કરી શક્તી નથી. તેવી રીતે જેને આત્માની રુચિ થઈ ગઈ છે તેને આત્માને એવો વિશ્વાસ આવી જાય છે કે પછી કદી પણ તે વિશ્વાસ તૂટતો નથી. જે પૂર્ણાનંદના નાથને અંતર્મુખ થઈને જોયું અને તેની ભેટ થઈ કે તે જ ક્ષણે તેને પાકે વિશ્વાસ થઈ જાય છે અને અતિન્દ્રિય આનંદને રસાસ્વાદ
આવી જાય છે. ૧૩૫૪ પ્ર. આત્માને સુખગુણ કોને કહે છે ?
ઉ, સુખ અથવા આનંદ નામને આત્મામાં અનાદિ અનંત એક ગુણ
છે. તેનું સમ્યફ, પરિણમન ચાલુ થતાં મન ઈન્દ્રિયો અને તેના વિષયથી નિરપેક્ષ પિતાને આત્માશ્રિત નિરાકુળતા લક્ષણવાળું સુખ ઉત્પન્ન થાય છે. તેના કારણરૂપ શક્તિ તે સુખ ગુણ છે. સમયસારમાં આત્માની ૪૭ શક્તિઓ વર્ણવી છે તે પૈકી સુખ ગુણ પણ એક છે. (જુઓ પ્રશ્ન :- ૨૨૫ અને ૨૨૯).
જ્ઞાન એ આત્માને દેહ છે.
Page #441
--------------------------------------------------------------------------
________________
૪૧૯
૧૩૫૫ પ્ર. શાસ્ત્રમાં “સમય” શબ્દના કેટલા પ્રકારના અર્થ થાય છે ?
ઉ. આત્માનું નામ સમય છે. સર્વ પદાર્થોનું નામ સમય છે, કાળનું
નામ સમય છે, સમયમાત્ર કાળનું નામ સમય છે, શાસ્ત્રનું નામ સમય છે તથા મતનું નામ પણ સમય છે અનેક અથોમાં જ્યાં
જેવો સંભવે ત્યાં તે અર્થ સમજ. (જુઓ પ્રશ્ન ૧૩૮૯) ૧૩૫૬ પ્ર. આત્મા અનંત શક્તિવંત છે પણ મૂછ યોગે જીવને ભાન નથી
તે કેમ ? એક પાઈની ચાર બીડી આવે. હજાર રૂપિયા કમાતા બેરિસ્ટરને બીડીનું વ્યસન હોય અને તેની તલપ થતાં, બાડી ના હોય તે એક-ચતુર્ભાસ પાઈની કિંમતની નજીવી વસ્તુ માટે વલખાં મારે. હજાર રૂપિયા રોજ કમાનાર, અનંત શક્તિવંત આત્મા છે જેને એ બેરિસ્ટર મૂછાગે નજીવી ચીજ માટે વલખાં મારે ! જીવને, આત્માની અને એની શક્તિની વિભાવ આડે ખબર નથી. આવા જીવને જ્ઞાની કહે છે કે તું વિચાર તો ખરા કે તુચ્છ પદાર્થની કિંમત કરતાં તારી કિંમત તુચ્છ છે ! એક પાઈના ચાર
આત્મા થયા. ૧૩૫૭ પ્ર. તીર્થકરાદિ જ્ઞાની પુરુષોએ જીવ નામના પદાર્થને કેવા પ્રકારે
જાણે છે, જે છે અને અનુભવ્યો છે? “સમતા, રમતા, ઉરધતા, જ્ઞાયકતા, સુખભાસ, વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ.” * ૧. આત્મા, “સમતા” નામના લક્ષણે યુક્ત છે. કોઈ પણ કાળે
તેનું અસંખ્યાત પ્રદેશાત્મકપણું, ચૈતન્યપણું, અરૂપીપણું, એ આદિ સમસ્ત સ્વભાવ તે છૂટતા ઘટતા નથી; એવું જે સમપણું, સમતા તે જેનામાં લક્ષણ છે, તે જીવ છે. આત્માના અસંખ્યાત પ્રદેશ છે, તે ત્રણે કાળ રહેવાના છે. અસંખ્યાત પ્રદેશમાં એક પ્રદેશ પણ વધે ઘટે નહિ, તે સમતા નામને ગુણ છે.
આગમ એ મુનિઓને અક્ષરદેહ છે.
Page #442
--------------------------------------------------------------------------
________________
૪૨૦
૨. પશુ, પક્ષી, મનુષ્યાદિ દેહને વિષે વૃક્ષાદિને વિષે જે કંઈ રમણીયપણું જણાય છે, અથવા જેના વડે તે સર્વ પ્રગટ
તિવાળા જણાય છે, પ્રગટ સુંદરપણું સમેત લાગે છે તે “રમતા” રમણીયપણું છે લક્ષણ જેનું તે જીવ નામને પદાર્થ છે. આત્માને સ્વભાવ રમણીય છે. એ આત્મા ન હોય તે, શરીર ગંધાય.
૩. સર્વથી પ્રથમ રહેનારે જે પદાર્થ તે જીવ છે. તેને ગૌણ
કરીને એટલે તેના વિને કાઈ કંઈ પણ જાણવા ઇચ્છે તે તે બનવા યોગ્ય નથી, માત્ર તે જ મુખ્ય હોય તે જ બીજુ કંઈ જાણી શકાય એ એ પ્રગટ “ઊર્ધ્વતા ધર્મ” તે જેને વિષે છે, તે પદાર્થને શ્રી તીર્થકર જીવ કહે છે. આત્માની
મદદ વિના કાંઈ થાય નહિ. પહેલો આત્મા હોય તે જણાય. ૪, પ્રગટ એવા જડ પદાર્થો અને જીવ, તે જે કારણે કરી ભિન્ન
પડે છે, તે લક્ષણ જીવને જ્ઞાયકપણુ નામને ગુણ છે. કોઈ પણ સમયે જ્ઞાયકરહિતપણે આ જીવ પદાર્થને કોઈ પણ અનુભવી શકે નહીં. જે અત્યંત અનુભવનું કારણ “જ્ઞાયકતા” તે લક્ષણ જેમાં છે તે પદાર્થ, તીર્થંકરે જીવ કહ્યો છે.
જાણે તે જીવ અને ન જાણે તે જડ. ૫. શબ્દાદિ પાંચ વિષય સંબંધી અથવા સમાધિ આદિ જોગ
સંબંધી જે સ્થિતિમાં સુખ સંભવે છે તે ભિન્ન ભિન્ન કરી જોતાં માત્ર છેવટે તે સર્વને વિષે સુખનું કારણ એક જ એ જીવ પદાર્થ સંભવે છે, તે “સુખભાસ” નામનું લક્ષણ તીર્ય કરે છવનું કહ્યું છે. આત્મામાં સુખ છે. જડમાં એ
ગુણ નથી. ૬. આ મેળું , આ ખાટું છે, ટાઢે ઠરું છું, તાપ પડે છે,
હું એક શુદ્ધ, સદા અરૂપી, જ્ઞાનદશનમય ખરે; કઈ અને તે મારું જરી પરમાણુમાત્ર નથી અરે!
Page #443
--------------------------------------------------------------------------
________________
દુખી છું, એવું જે સ્પષ્ટ જ્ઞાન, વેદનજ્ઞાન, અનુભવજ્ઞાન,
અનુભવપણું તે જે કાઈમાં પણ હોય છે તે આ જીવ પદને વિષે છે. વેદકતા એટલે અનુભવવું. જ્ઞાયકતામાં જાણવાનું છે, અને વેદક્તામાં અનુભવવાનું છે. જાણવા કરતાં વેદતા
એક જુદે સ્વભાવ છે. ૭. દીપક, મણિ, ચંદ્ર, સૂર્યાદિના પ્રકાશને વિષે ચૈતન્યપણાથી
તે પદાર્થો જાણ્યા જાય છે, તે પદાર્થો પ્રકાશ પામે છે, સ્પષ્ટ ભાસે છે, તે પદાર્થ જે કાઈ છે તે જીવ છે. સ્વપરપ્રકાશક એવી ચૈતન્ય સત્તાને પ્રત્યક્ષ ગુણ જેને વિષે
છે એવો આત્મા છે. ૧૩૫૮ પ્ર. આત્મા હોય તે દૃષ્ટિમાં કેમ આવતું નથી ?
ઉ. જ્ઞાનીઓ અનુભવથી કહે છે કે આત્મા છે. આત્મા તેમના અનુ
ભવમાં આવ્યું છે. સાકરના સ્વાદનું વર્ણન ન થઈ શકે. તે તો અનુભવગોચર છે તેમજ આત્માનું વર્ણન ન થઈ શકે. પણ તે છે જ. સર્વ જે શુદ્ધ આત્માને જાણે અને અનુભવ્યું તેનું તેઓશ્રી વર્ણન ન કરી શક્યા તે પછી અન્ય કોઈ તેનું વર્ણન ક્યાંથી કરી શકે અર્થાત્ ન જ કરી શકે. તીખા મરીની તીખાશ અને મરચાની તીખાશ એ બન્નેના રસમાં ફેર છે, તે જ્ઞાનથી ખ્યાલમાં આવે છે, પણ વાણીથી તે પૂરું સમજાવી શકાતું નથી. આત્માને ચૈતન્ય રસને સ્વાદ અનુભવમાં આવે પણ વાણી દ્વારા તેને શાંત આન દરસનું વર્ણન થઈ શકતું નથી. જેમ મીઠાશથી સાકરની ઓળખાણ કરાવાય છે, તે પ્રમાણે જ્ઞાન – લક્ષણથી આત્માની ઓળખાણ કરાવાય છે. ભગવાને આત્મા
જ્ઞાન સ્વભાવના કારણથી અન્ય દ્રવ્યોથી અધિક છે, ભિન્ન છે. ૧૩૫૯ પ્ર. આત્મા અરૂપી છે તે આત્માનું જ્ઞાન કેમ થઈ શકે ?
ઉ, એમ હોવા છતાં આત્માનું જ્ઞાન બરાબર થઈ શકે, કેમકે આત્મામાં
પ્રમેયત્વ ગુણ રહેલું છે, માટે તે જાણી અને અનુભવી શકાય તેવો
જ્યમ લેહનું ત્યમ કનકનું જજીર જકડે પુરુષને, એવી રીતે શુભ કે અશુભ કૃત કમ બાંધે જીવને,
Page #444
--------------------------------------------------------------------------
________________
૪૨૨
છે. જે જીવ યથાર્થ પુરુષાર્થ કરે તે આત્માનું જ્ઞાન અવશ્ય થાય અને અનુભવવામાં આવે તે જ્ઞાન અને અનુભવને સમ્યક્દર્શન થયું કહેવાય. આત્મા અરૂપી છે, એટલે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ
રહિત વસ્તુ છે, અવસ્તુ નથી. ૧૭૬૦ પ્ર. આત્મા પ્રાપ્ત કરવા માટે આ દિવસ શું કરવું જોઈએ ?
ઉ. આ દિવસ શાસ્ત્રને અભ્યાસ કરવો, વિચાર, મનન કરીને
તત્ત્વને નિર્ણય કર તથા શરીરાદિથી તથા રાગથી ભેદજ્ઞાન કરવાને અભ્યાસ કરવો. રાગાદિથી ભિન્નતાનો અભ્યાસ કરતાં
કરતાં આત્માને અનુભવ થાય છે. ૧૩૬૧ પ્ર. દીર્ધકાળ સુધી તત્ત્વઅભ્યાસ કરવા છતાં પણ આત્મા પ્રાપ્ત
કેમ ન થયે ? ઉ, આત્માના અતિન્દ્રિય આનંદની લગની લાગે, આત્મા સિવાય કોઈ
અન્ય ઠેકાણે મીઠાશ લાગે નહિ, રસ પડે નહિ, જગતના પદાર્થોને રસ ફીક લાગવા માંડે એટલે કે સંસારના રાગને રસ ઊડી જાય. આત્મા અનતાને ગુણોને પૂજતે કોણ છે એવું આશ્ચર્ય ઉત્પન્ન થાય, ધૂન ચઢે, ત્યારે સમજવું કે હવે આત્મા પ્રાપ્ત થશે જ; ન પ્રાપ્ત થાય તેવું બની શકે નહિ. જેવું કારણ હોય તેવું કાર્ય થાય જ. આત્માના આનંદસ્વરૂપની અંદરથી સાચી લગની લાગે, તેના વિના બેચેની રહે, સ્વપ્નમાં પણ તેને અભાવ ન થાય,
ત્યારે સમજવું કે હવે આત્માનુભૂતિ અવશ્ય થશે. ૧૩૬૨ પ્ર. આત્મા પ્રત્યક્ષ જણાય કે પરોક્ષ અનુમાનથી જણાય ?
ઉ. એકલો અનુમાનથી આત્મા જાણી શકાય એવો આત્મા નથી. એને
તે જ્ઞાનની વર્તમાન પર્યાય અંદર લીન કરે એટલે પ્રત્યક્ષ થાય ત્યારે તે જાણી શકાય એવો છે. જેને સમ્યકદર્શન થાય છે તે આત્માને અંદર પ્રત્યક્ષ જણે છે. આનંદની અપેક્ષાએ પ્રત્યક્ષ કહેવાય છે. જ્ઞાનની અપેક્ષાએ તને પણ કહેવાય છે, કારણ કે મતિ-શ્રત પરોક્ષ છે. પ્રત્યક્ષ થયેલે બીજાને અનુમાનથી જાણે પણ કેવળ અનુમાનથી
મુખ ઓમકાર દવનિ મુનિ અથ ગણધર વિચારે, રચી આગમ ઉપદેશ ભવિક જીવ સંશય નિવારે
Page #445
--------------------------------------------------------------------------
________________
૪૨૩
જ બીજા વડે જણાય એવો આત્મા નથી. અનુભવ પ્રત્યક્ષ છે તે
આનંદની અપેક્ષાએ કહ્યું છે. ૧૩૬૩ ક. આત્મા શું અલખ-અગોચર અને નિરાકાર છે?
ઉ. જડ ઈન્દ્રિયોથી આત્મા જણાય તેવું નથી, તેથી અલખઅગોચર કહે
છે, પણ આત્મામાં જ્ઞાન ગુણ તેમજ પ્રમેયત્વગુણ હોવાથી સ્વસંવેદન જ્ઞાનથી આત્મા અવશ્ય જણાય, અનુભવાય તેવો છે. પણ દરેક આત્માને અરૂપી આકાર છે જ, તેથી ઇન્દ્રિગમ્ય નથી અને તે અપેક્ષાએ નિરાકાર છે. અમૂર્ત પણું છે કે સર્વ જીવમાં વ્યાપે છે તે પણ તેને જીવનું લક્ષણ માનતાં અતિવ્યાપ્તિ નામને દોષ આવે છે, કારણકે પાંચ અજીવ દ્રવ્યોમાંના એક પુદ્ગલ દ્રવ્ય સિવાય ધર્મ, અધર્મ, આકાશ અને કાળ-એ ચાર દ્રવ્ય અમૂર્ત હોવાથી અમૂર્તપણું જીવમાં વ્યાપે છે, તેમ જ ચાર અજીવ દ્રવ્યમાં પણ વ્યાપે છે, એ રીતે અતિવ્યાપ્તિ
દેષ આવે છે. ૧૩૬૪ પ્ર. ચક્ષુઓ વડે મને જ્ઞાન થાય છે એમ માનવું તે બરાબર છે?
ઉ. ના, આત્માના અગુરુલઘુત્વ ગુણના કારણે એમ થતું નથી, કારણ કે (૧) પરથી આત્માનું અને આત્માથી પરનું કાર્ય થાય તો દ્રવ્ય
પલટીને નાશ પામે, પણ એમ બનતું નથી. (૧) આત્મા નિશ્ચયથી વપરપ્રકાશક પિતાના આત્માને જાણે અને
શુદ્ધ આત્મા સર્વને જાણે. ૧૩૬પ પ્ર. સંસારી જીવને જ્ઞાન થતું નથી ?
ઉ. જ્ઞાનનું ન્યૂનપણું સંસારી જીમાં જણાય છે તે જ્ઞાનને આવરણ
કરનાર કર્મના સંયોગથી છે. ૧૩૬૬ પ્ર. તિર્યંચને જ્ઞાન વિશેષ ન હોવા છતાં તેને આત્મા અનુભવમાં આવી
જાય છે ને અમે ઘણી મહેનત કરીએ છીએ છતાં આત્મા
અનુભવમાં કેમ આવતા નથી ? ઉ. એ જાતનું અંદરમાં જેર આવવું જોઈએ તે આવતું નથી. જ્ઞાનમાં
વ્રત નિયમને ધારે ભલે, તપશીલને પણ આચરે, - પરમાથથી જે બાહ્ય તે નિર્વાણપ્રાપ્તિ નહીં કરે.
Page #446
--------------------------------------------------------------------------
________________
૪૨૪
જેટલું એનું વજન આવવું જોઈએ તે આવતું નથી. જ્ઞાનમાં જેટલું મહાત્મય આવવું જોઈએ તે આવતું નથી. તેથી અનુભવ
થતો નથી. ૧૩૬૭ પ્ર. જીવ એક છે કે અનેક ?
ઉ. છો અનેક છે. સર્વ ભિન્ન ભિન્ન છે અને સર્વની પ્રત્યક્ષ
ભિન્ન ભિન્ન ક્રિયાઓ છે. પ્રત્યેક જીવ એકલ, ભિન્ન, પ્રગટ, સત્તાવંત, સ્વતંત્ર, સ્વાધીન, શુદ્ધ, જ્ઞાતા, દ્રષ્ટા, વીતરાગ, આનંદમય, સિદ્ધ સમાન છે. સ્વરૂપથી સમાન હોવા છતાં સત્તાથી સમાન–એક નથી. જે એક હોત તે એકની મુક્તિએ સર્વની મુક્તિ થવી જ જોઈએ, પણ એમ થતું નથી માટે આત્મા પ્રત્યેક
(અનેક) છે. (જુઓ પ્રશ્ન ક્રમાંક ૨૩૪) ૧૩૬૮ પ્ર. ઘણા લોકેનું કહેવું છે કે મનુષ્યના મરી ગયા પછી તેને આત્મા
અનંતમાં ભળી જાય છે, આત્મા અને શરીર છૂટા પડતાં, શરીર
પડી રહે છે અને આત્મા પંચભૂતમાં ભળી જાય છે તે શું બરાબર છે? ઉ. ના; એમનું કહેવું બરાબર નથી, કારણ કે આત્મા ચેતન છે અને
પંચમહાભૂત (પદાર્થો) તે જડ છે. જડ અને ચેતન કદી પણ એક બીજામાં ભળતા (એકરૂપ થતા) નથી. આત્મા જડ પદાર્થોમાં તે ભળતો ( એકરૂપ) થતું નથી પણ અન્ય આત્માઓમાં પણ
ભળતા નથી. ૧૩૬૯ ક. આત્મામાં નિત્ય સ્વભાવ અને અનિત્ય સ્વભાવ બંને એક સાથે છે,
તેમાંથી અનિત્ય સ્વભાવને અર્થ શું છે ? શું વિકારીભાવ પણ
આત્માને અનિત્ય સ્વભાવ છે ? ઉ. આત્મામાં અનિત્ય સ્વભાવ તે કાયમ રહે છે પણ વિકારી પર્યાય સદા
રહેતી નથી, તેથી તે વાસ્તવમાં આત્માને અનિત્ય સ્વભાવ નથી. ક્ષણક્ષણમાં જે જાણવાની પર્યાય થયા કરે છે તે આત્માને અનિત્ય સ્વભાવ છે. નવી નવી જ્ઞાનની પર્યાય સદા થતી જ રહે છે. તેથી તે જ આત્માને અનિત્ય સ્વભાવ છે.
જ્યમ ઝેરના ઉપભેગથી પણ વૈદ્ય જન મરતું નથી, ત્યમ કમ ઉદય ભોગવે પણ જ્ઞાની બંધાતો નથી,
Page #447
--------------------------------------------------------------------------
________________
૪૨૫
૧૩૭૦ પ્ર. આત્માને કેમ ભાસે, અર્થાત, શાનાથી તે જાણે અને દેખે ?
ઉ. ભાસન શબ્દમાં જાણવા અને દેખવા બનેને સમાવેશ થાય છે,
જ્ઞાન બે પ્રકારે બતાવવામાં આવ્યું છે. આત્મા ઈદ્રિયોની સહાય વિના સ્વતંત્રપણે જાણે દેખે તે આત્મા પ્રત્યક્ષ. આત્મા ઇંદ્રિયોની સહાય વડે કરી એટલે આંખ, કાન, જીભાદિક વડે જાણે દેખે તે ઈન્દ્રિય પ્રત્યક્ષ છે વ્યાધાત અને આવરણના કારણને લઈને ઈન્દ્રિય પ્રત્યક્ષ ન હોય તેથી આત્મપ્રત્યક્ષને બાધ નથી. જ્યારે આત્મા પ્રત્યક્ષ થાય છે ત્યારે ઈદ્રિયપ્રત્યક્ષ સ્વયમેવ થાય છે. અર્થાત ઈન્દ્રિય પ્રત્યક્ષનું જે આવરણ હતું તે દૂર થયે જ આત્મપ્રત્યક્ષ છે. કેવળજ્ઞાન છે તે આત્મપ્રત્યક્ષ છે અથવા અતિન્દ્રિય છે. અંધપણું છે તે ઈન્દ્રિય વડે
દેખાવાને વ્યાધાત છે. તે વ્યાઘાત અતિન્દ્રિયને નડવા સંભવ નથી. ૧૩૭૧ પ્ર. ઘણા લોકો કહે છે કે તેમને ધ્યાનમાં ઉત્કૃષ્ટ શાંતિનું વદન થાય
છે અથવા પ્રકાશ પ્રકાશ દેખાય છે, આનંદ આનંદ વર્તે છે.
તે શું તેમને આત્માને અનુભવ થયો કહેવાય ? ઉ. જે લેકે શાતા વેદનીય રસના વેદનને આત્માની શાંતિ માને છે
તેઓ હજુ ભૂલમાં છે, અજ્ઞાની છે. જેમ ટયુબલાઈટ (અથવા સૂર્ય)ને પ્રકાશ હોય છે તેનાથી અનંતગણે પ્રકાશ આત્માને છે, એમ અજ્ઞાની માને છે, પરંતુ આ પ્રમાણે માનવું બિલકુલ ભૂલભરેલું છે. કારણ કે આત્માના જ્ઞાનપ્રકાશની જાતિ જ જડ પ્રકાશથી તદન ભિન્ન છે; તેથી એકબીજાની તુલના અશક્ય છે. તે પ્રમાણે જેવી રીતે વિષયભેગોને ભેગવવામાં આનંદ આવે છે, તેનાથી અનંતગણે આનંદ આત્માને છે–એમ અજ્ઞાની માને છે, પરંતુ આ પ્રમાણે માનવું પણ બરાબર નથી, કારણ કે આત્માના અતિન્દ્રિય આનંદની જાતિ પણ ઈન્દ્રિયજનિત આનંદથી ભિન્ન છે; તેથી ઈન્દ્રિય સુખથી અતીન્દ્રિય
સુખની સરખામણી કરી શકાય નહીં. (જુઓ ૧૫૩૧-૧૫૩૩) ૧૩૭૨ ક. “જીવ અમૂર્તિક પદાર્થ છે” તેને અર્થ સમજાવો.
ઉ. જેટલા અમૂર્તિક પદાર્થો છે તે ન તો કોઈ વખત પરસ્પર
છે આયુ-ઉદયે જીવન જીવવું એમ સર્વરે કહ્યું તું આયુ તો દેતો નથી, તેં જીવન ક્યમ તેનું કર્યું?
Page #448
--------------------------------------------------------------------------
________________
४२४
બંધાય છે કે ન તેમના વિભાગ કે ખંડ હોય છે. એક જીવ બીજા જીવની સાથે મળી કઈ વખત એક થઈ શકતો નથી. તેમ એક
જીવન વિભાગ થઈ બે જીવ કે અનેક જીવ બની શકતા નથી. ૧૩૭૩ પ્ર. પુનર્જનમ છે ?
ઉ. હા, પુનર્જન્મ છે. ૧૩૭૪ પ્ર. આત્મા મેક્ષ દશા પામતાં તેજમાં તેજ ભળી ગયું એમ માનવામાં
આવે તે શે દેષ આવે ? ઉ. એમ માનનારે અગુરુલઘુત્વગુણુ અને અસ્તિત્વગુણને સ્વીકાર્યા નહિ
વળી મેક્ષ જનાર છવ સ્વતંત્ર અને સુખી ન થયો પણ નાશ
પામે. ૧૩૭૫ પ્ર. સિદ્ધ ભગવાન થયા, તે હવે તેમને કાર્ય કરવું અટકી ગયું ?
ઉ. ના, તેમના જીવને વસ્તુત્વગુણના કારણે દરેક ગુણનું પ્રયોજનભૂત
કાર્ય (નિર્મળ સ્વભાવ પરિણમન) સમયે સમયે થઈ રહ્યું છે. ૧૩૭૬ પ્ર. જીવ સંસાર-દશામાં એકેન્દ્રિયપણાને પામે ત્યારે તેના ગુણો ઘટી
જાય અને પંચેન્દ્રિયપણને પામે ત્યારે તેને ગુણે વધી જાય એમ.
બને ? ઉ. ના, કારણ કે દ્રવ્યમાં અગુરુલઘુત્વ નામને ગુણ છે, તેથી તેના કોઈ
ગુણોની સંખ્યા કદી વધતીધટતી નથી. દ્રવ્ય તથા ગુણો તે સદાય. બંધી હાલતમાં પૂર્ણ શક્તિવાળાં જ રહે છે. ફક્ત વર્તમાન પર્યાયમાં
જ ફેરફાર (પરિણમન) થાય છે. ૧૩૭૭ પ્ર. પ્રત્યેક જીવ કેવડો મોટો છે ?
ઉ. પ્રત્યેક જીવ પ્રદેશની સંખ્યાની અપેક્ષાએ કાકાશની બરાબર
અસંખ્ય પ્રદેશવાળા છે પરંતુ સંકોચ વિસ્તારના કારણે પિતાના.
શરીર પ્રમાણે છે અને મુક્ત જીવ અંતના શરીર પ્રમાણ છે. ૧૩૭૮ પ્ર. આપણા શરીર ઉપર અગ્નિને તણખો પડે તે શું થાય?
ઉ. વેદના થાય.
જે પર થઈશ કર્તા, તો ખાઈશ અનેક ખતા, મેળવવા તારી મત્તા, બની જા માત્ર જ્ઞાતા,
Page #449
--------------------------------------------------------------------------
________________
૪ર૭
૧૩૭૯ પ્ર. માણસ મરી જાય પછી તેના શરીરને શું કરે છે ?
ઉ. અગ્નિમાં સળગાવી દે છે. ૧૩૮૦ પ્ર. તેને વેદના નહિ થતી હોય ?
ઉ. ના, તેને વેદના ન થાય. ૧૩૮૧ પ્ર. શા માટે ન થાય ?
ઉ. તેનામાં જીવ અને કાર્માણ શરીર નથી. ૧૨૮૨ પ્ર. કયાં સુધી આપણને સુખદુઃખ જાણવામાં આવે છે ?
ઉ. શરીરમાં જીવ અને કાર્માણ શરીર છે ત્યાં સુધી. ૧૩૮૩, પ્ર. શરીરમાં જીવ કઈ જગ્યાએ રહે હશે ?
ઉ. આખા શરીરમાં ( ગે) જીવ વ્યાપી રહ્યો છે. ૧૩૮૪ પ્ર, કોની પેઠે ?
ઉ. તલમાં તેલ, દૂધમાં ઘી અને સ્કૂલમાં સુગંધ રહે છે તેની પેઠે.. ૧૩૮૫ પ્ર. જીવ શરીરને છોડીને ક્યાં જાય ?
ઉ. પોતાના કર્માનુસાર બીજા શરીરમાં ઊપજે. ૧૩૮૬ પ્ર. બધા જીવને બીજા શરીરમાં ઊપજવું પડે ?
ઉ. સિદ્ધ થાય તેમને બીજા શરીરમાં ઊપજવું ન પડે. ૧૩૮૭ પ્ર. જીવ લેકમાં ઝાઝા કે અલેકમાં ?
ઉ. અલકમાં એકલું આકાશ છે, ત્યાં જીવ એક પણ નથી. લોકમાં
અનંતા જીવ ભર્યા છે. ૧૩૮૮ પ્ર. જીવનાં અન્ય નામો આપો ?
ઉ. આત્મા, સમય, જસુ વગેરે. ૧૩૮૯ પ્ર. જીવને સમય કેમ કહે છે ? ઉ. સમય શબ્દનો અર્થ આ પ્રમાણે છે. “સમ” એટલે એકપણું અને
અય ગતી’ ધાતુ છે, તેને અર્થ ગમન પણ છે અને જ્ઞાન પણ છે. તેથી પરિણમન અને જાણવું એવી બે ક્રિયાને એક સમયમાં એકત્વપણે કરે છે તે સમય છે. આત્માને સમય એટલા માટે કહ્યું
જે માન-મનથી દુખીસુખી હું કરું પર જીવને, તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે.
Page #450
--------------------------------------------------------------------------
________________
૪૨૮
કે તે એક સમયમાં પરિણમે અને જાણે એવી બે ક્રિયા કરે છે તેથી
આત્માને સમય કહ્યો છે. (જુઓ પ્રશ્ન ૧૩૫૫). ૧૩૯૦ પ્ર. જીવને શુદ્ધબુદ્ધ કેમ કહેવાય ?
ઉ. મિથ્યાત્વ-રાગાદિ સમસ્ત વિભાવ રહિત હોવાથી આત્મા શુદ્ધ
કહેવાય છે અને કેવળ જ્ઞાનાદિ અનંત ગુણોથી સહિત હોવાથી
આત્મા બુદ્ધ કહેવાય છે. ૧૩૯૧ પ્ર. જીવ અને આત્મામાં શું તફાવત છે?
ઉ. જીવ, ચેતન, આત્મા એક જ છે. વેદાંતમાં એમ કહે છે કે માયા
વાળે તે જીવ અને માયા રહિત તે આત્મા. જેનમાં એમ ભેદ નથી. ૧૩૯૨ પ્ર, જીવતવ અને છવદ્રવ્યમાં શું ફેર છે ?
ઉ. તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે છવદ્રવ્યમાં શુભ-અશુભ અને શુદ્ધ બધી
પર્યાયે સહિત જીવ લે, અને જીવતત્વમાં શુભ-અશુભ અને શુદ્ધ પર્યાથી રહિત એકલો શુદ્ધ ત્રિકાળી સામર્થ્યયુક્ત જીવ લે. (દ્રવ્ય, ગુણ, પર્યાયસહિત જીવને છવદ્રવ્ય કહે છે અને ફક્ત શુદ્ધ
દ્રવ્યને જીવતવ તરીકે વર્ણવ્યો છે.) ૧૩૯૩ પ્ર. જેનમતમાં શુદ્ધ આત્માને કયાં નામે અને વિશેષણેથી ઉલ્લેખ
આવે છે ? ઉ. સર્વજ્ઞ, પરમાત્મા, ઇષ્ટદેવ, પરમજ્યોતિ, પરમેશ્વર, પરબ્રહ્મ, શિવ,
નિરંજન, નિષ્કલંક, અક્ષય, અવ્યય, શુદ્ધ, બુદ્ધ, અવિનાશી, અનુપમ, અચ્છેદ્ય, અભેદ્ય, પરમપુરુષ, નિરાબાધ, સિદ્ધ, સત્યાત્મા, ચિદાનંદ, વીતરાગ, અહંત, જિન, આપ્ત, ભગવાન, સમયસાર, પુરુષાર્થને પિંડ, ગુણેનું ગોદામ, શક્તિઓને સંગ્રહાલય, સ્વભાવને સાગર, શાંતિનું સરોવર, આનંદની મતિ, ચૈતન્યસૂર્ય, જ્ઞાનનું નિધાન, ધ્રુવધામ, તેજના નૂરનું પૂર, અતીન્દ્રિય મહાપ્રભુ, જ્ઞાનની જ્યોતિ, વિજ્ઞાનઘન, ચૈતન્ય ચમત્કાર, અજર, અમર, અચળ, અરૂપી, અગોચર, અમૂર્તિક, અહેતુક અનામૂળ, અનાદિ અનંત, અચિંત્યરત્ન ચિંતામણી, શ્યલક્ય પ્રકાશક; સહજાત્મ સ્વરૂપ, સહજાનંદી, શુદ્ધ સ્વરૂપી, શાશ્વત, નિરંજન,
મરતો અને જે દુઃખી થત-સૌ કમના ઉદયે બને, તેથી “હ મેં, દુ:ખી કર્યો—તુજ મત શું નહિ મિથ્યા ખરે ?
Page #451
--------------------------------------------------------------------------
________________
૪૨૯
નિરાકાર, નિરાકૂળ, નિર્વિરૃપ, નિરાલંબ, નિરામય, વિવિક્ત, ઈત્યાદિ.
૧૩૯૪ પ્ર. ૭વના કેટલા ભેદ ?
ઉ. જીવના બે ભેદસિદ્ધ અને સંસારી.
સંસારી જીવામાં ભવ્ય અને અભવ્ય. ભેદષ્ટિએ આત્મા ૫૬૩ પ્રકારે છે, જેમ કે: ૩૦૩ ભેદ મનુષ્યના, ૧૯૮ ભેદ દેવતાના, ૪૮ ભેદ તિર્યંચના, અને ૧૪ ભેદ નારકીના. આ રીતે ભેદ દૃષ્ટિથી આત્મા ૫૬૩ પ્રકારે કહ્યો છે, પણુ અભેદ દષ્ટિથી આત્મામાં કાઈ ભેદ નથી, તે શુદ્ધ જ છે. ૧૩૯૫ પ્ર. ભવ્ય અને અભવ્ય જીવ કાને કહે છે ?
ઉ.ભવ્ય જીવતા આત્યંતિક મેક્ષ શક્તિ અથવા સત્તારૂપે છે પણ અભળ્યું જીવના મેાક્ષ નથી.
૧૩૯૬ પ્ર. ભવ્ય અને અભવ્ય જીવ એટલે શું ?
ઉ. બબ્બે એટલે સિદ્ધ થવાની યોગ્યતાવાળા અને અભવ્ય એટલે સિદ્ધ થવાને અયેાગ્ય, જેમ માટીના ઘડા બને પણ રેતીના ન બને, તેવી જ રીતે ભવ્ય, અભષ્યમાં સ્વભાવથી જ ભેદ છે.
૧૩૯૭ પ્ર. ભવ્ય જીવેામાં સિદ્ધ યવાની યોગ્યતા છે તો પછી કાઈ પણ કાળે સર્વ ભવ્ય જીવે સિદ્ધ થઇ જવા જોઇએ અને એમ થાય તા પછી એકલા અભવ્ય જીવેા રહી જાય કે નહિ ?
ઉ, ના, એમ કઢી
બનવાનું નહિ જ. (રાજા થવાની યોગ્યતાવાળા બધા
રાજા થવા જ જોઇએ એમ ન હાય.)
૧૩૯૮ પ્ર. શા માટે ન થાય ? દૃષ્ટાંત આપી સમજાવે,
ઉ. માટીમાંથી ધડા બની શકે છે, પરંતુ દુનિયાની તમામ માટીના ઘડા બની જતા નથી. જે માટીને કુંભાર ચાકડા આદિને જોગ મળે છે તે જ માટી ડારૂપ થઈ શકે છે. તેમજ જે ભવ્ય જીવને સુદેવ, સુગુરુ અને સુધર્મના યેાગ મળવા પામે છે તે જીવા સમ્યજ્ઞાન,
રહ્યા ન રાણા રાજ્યા, સુર નર મુનિ સમેત, તું તેા તરણા તુલ્ય છે, ચૈત ચૈત નર ચૈત,
Page #452
--------------------------------------------------------------------------
________________
૪૩૦
સમ્યગ્દર્શન, સમ્યક્ચારિત્ર વડે કર્મબંધનને તેાડી મુક્ત થઈ શકે છે પણ બધા નહિ.
૧૩૯૯ પ્ર. લેાકમાં ભવ્ય જીવા ઝાઝા
અભવ્ય ?
ઉ. અભવ્યથી ભવ્ય છવા અન ંતગુણા અધિક છે ? ૧૪૦ પ્ર. અભવ્ય જવા જૈન ધર્મ પામે ખરા ?
. અભવ્ય જીવે પણ શ્રાવકનાં અને સાધુનાં વ્રત અંગીકાર કરે છે, સૂત્ર સિદ્ધાંત ભણે છે, તથા બાહ્ય કરણી પણુ ઘણી કરે છે. છતાં તેએને સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્રની પ્રાપ્તિ થતી જ નથી અને તેથી તેએ જ્ઞાનીની દૃષ્ટિએ તા અજ્ઞાની અને મિથ્યાત્વી જ છે.
૧૪૦૧ પ્ર. તેએ બાહ્ય કરણી કરે તેનુ . હા, સારી કરણીનું સારું ફળ વગર રહેતું જ નથી. અભવ્ય ત્રૈવેયક સુધી જઈ શકે છે.
ફળ તેમને મળે ?
અને ખૂરી કરણીનુ બૂરું ફળ મળ્યા જીવે પણ સાધુના વ્રત પાળી નવમી
66
કાટિ ઉપાયે કર્મોનાં ફળ મિથ્યા નહિ થાય,
સમજી સરધી સત્ય આ, કૃત્ય કરી પછી ભાઈ.'
૧૪૦૨ પ્ર. જીવ છે તેટલા જ રહે ઃ તેમાં વધઘટ થાય ?
૯. જીવ અનાદિકાળથી જેટલા છે તેટલા જ અનંતકાળ પંત રહેવાના. તેમાં એક પણ વધે કે ઘટે નહિ.
-૧૪૦૩ પ્ર. હાથીના આત્મા માટે કે કીડીને ?
ઉ. બન્નેના આત્મા સરખા છે.
૧૪૦૪ . હાથી મરીને કીડી થાય તા તેના જીવ એવડા નાના શરીરમાં કેમ સમાઈ શકે ?
ઉ. એક દીવ। આખા એરડામાં અજવાળુ' આપે છે, પણ તે જ દીવા ઉપર એક વાસણ ઢાંકીએ તા તેટલા જ ભાગમાં તેનું અજવાળુ સમાઈ જાય છે. તેવી રીતે જીવ પણુ શરીર પ્રમાણે વ્યાપીને રહે છે. ૧૪૦૫ ×, સિદ્ધ દશામાં જીવન આકાર કેવડા અને કેવા હોય છે ?
પરમાથ દૃષ્ટિ શીખવે-હણતુ' ન કાઈ કાઈ ને, મમવું બધું પરમાથ અર્થે, કલેશ કારણ ખાઇને,
Page #453
--------------------------------------------------------------------------
________________
૪૩૧
. સિદ્ધના જીવના આકાર, જે મનુષ્ય દેહે સિદ્ધ પામ્યા તેના ત્રીજા ભાગ ણે તે પ્રદેશાધન છે. (જુએ પ્રશ્ન-૨૨૩).
૧૪૦૬ પ્ર. જીવ સિદ્ધ થયા પછી મીન સિદ્ધ જીવે! સાથે મળી એકમેક થઈ જાય છે ?
ઉ. ના. જુદા જુદા પ્રત્યેક દીવાને પ્રકાશ એક થઈ ગયા છતાં જેમ જુદા જુદા છે, એ ન્યાયે પ્રત્યેક સિદ્ધ આત્મા જુદા જુદા છે. (જુએ પ્રશ્ન ક્રમાંક ૨૩૪).
૧૪૦૭ પ્ર. લેાકાકાશ બરેાખર કયા જીવ થાય છે ?
ઉ. મેાક્ષ જતાં પહેલાં કેવળી સમુદ્ધાત કરનાર જીવ લેાકાકાશ જેવડા મેાટા થાય છે.
૧૪૦૮ પ્ર. સમુદ્ધાત કાને કહે છે ?
ઉ. પોતાનું મૂળ શરીર છેાડયા વિના (તેજસ અને કાણુ રૂપ) ઉત્તર દેહની સાથે સાથે જીવ પ્રદેશના શરીર બહાર નીકળવાને સમુદ્ધાત કહે છે.
૧૪૦૯ પ્ર. સમુદ્દાત કેટલા પ્રકારના છે?
૩. સમુદ્ધાંત સાત પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે
૧. વેદના, ૨. કષાય, ૩. વિક્રિયા, ૪. માણુાન્તિક, ૫. તેજસ, ૬. આહાર અને ૭, વળી.
૧૪૧૦ પ્ર. વેદના સમુદ્દાત એટલે ?
ઉ. તીવ્ર પીડાનો અનુભવ થવાથી, મૂળ શરીર છેડયા વિના, આત્મપ્રદેશોનુ બહાર નીકળવું તેને વેદના સમુદ્ધાત કહે છે.
૧૪૧૧ પ્ર. કષાય સમુદ્ધાત કાને કહે છે ?
ઉ. તીવ્ર કષાયના ઉદયથી, મૂળ શરીરને ખેાડવા વિના, બીજાના ધાત કરવા માટે આત્મપ્રદેશોનુ બહાર નીકળવું તેને ાય સમુદ્ધાત કહે છે.
૧૪૧૨ પ્ર. વિક્રિયા સમુદ્ધાત સમજાવે ?
-:
ઉ. મૂળ શરીર છેડયા વિના, કાઈ પણ પ્રકારની વિક્રિયા કરવા માટે
અથ જ સ અનથનું મૂળ છે.
Page #454
--------------------------------------------------------------------------
________________
૩૨
આમપ્રદેશનું બહાર નીકળવું તેને વિક્રિયા સમુદ્રઘાત કહે છે
(જેમ દેવ આદિ પિતાના વેશ, શરીર બદલે છે તેમ). ૧૪૧૩ પ્ર. મારણાન્તિક સમુદ્ધાત એટલે? ઉ. મૃત્યુ વખત, મૂળ શરીરને છેડ્યા વિના જ્યાં આ આત્માએ
ક્યાંકનું આગામી આયુષ્ય બાંધ્યું હોય તે પ્રદેશને સ્પર્શવા માટે
આત્મપ્રદેશોનું બહાર નીકળવું તેને મારણાન્તિક સમુદ્દઘાત કહે છે. ૧૪૧૪ પ્ર. તેજસ સમુદ્દઘાત કેને કહે છે તે સમજાવો ?
ઉ. પિતાના મનને અનિષ્ટ ઉત્પન્ન કરનાર કોઈ અન્ય કારણ જોઈને
જેમને ઝેધ ઉત્પન્ન થયેલ છે તેવા સંયમના નિધાનરૂપ મહામુનિના મૂળ શરીરને છોડ્યા વિના, સિંદુરના ઢગલા જેવા પ્રકાશવાળું બાર યોજન લાંબું, સૂયંગુલના સંખ્યામાં ભાગ જેટલું મૂળવિસ્તારવાળું અને નવ જનના અગ્રવિસ્તારવાળું, બિલાડાના આકારવાળું, એક પૂતળું ડાબા ખભામાંથી નીકળીને ડાબી તરફ પ્રદક્ષિણા દઈને હૃદયમાં રહેલ વિરુદ્ધ વસ્તુને ભસ્મીભૂત કરીને, તે જ સંયમી (મુનિ) સાથે પોતે પણ ભસ્મીભૂત થઈ જાય છે, દ્વૈપાયનમુનિની પેઠે; એ અશુભ તિજસ સમુદ્રઘાત છે. લેકને વ્યાધિ, દુષ્કાળ વગેરેથી પીડિત જોઈને જેને દયા ઉત્પન્ન થઈ છે એવા પરમ સંયમને નિધાન મહર્ષિના મૂળ શરીરને છેડડ્યા વિના પૂર્વે કહેલા દેહ પ્રમાણવાળું, શુભ આકૃતિવાળું પૂતળું, જમણી તરફ પ્રદક્ષિણા કરીને, વ્યાધે દુષ્કાળ વગેરે મટાડીને ફરીથી પોતાના
મૂળ સ્થાનમાં પ્રવેશ કરે છે એ શુભ તજસ સમુદ્યાત છે. ૧૪૧૫. પ્ર. આહારક સમુદ્રઘાત એટલે શું ?
ઉ. જુઓ પ્રશ્ન-૩૨૬. ૧૪૧૬ પ્ર. કેવળી સમુઘાત કોને કહે છે?
ઉ. કોઈ અરીહંત કેવળીનું આયુષ્ય અ૯પ હોય છે અને બીજાં (ત્રણ નામ,
ગોત્ર અને વેદનીય) કર્મોની સ્થિતિ અધિક હોય છે, ત્યારે આયુની બરોબર બધાં કર્મોની સ્થિતિ કરવા મૂળ શરીરને છેડડ્યા વિના
જેટલે વખત આયુષ્યને તેટલો વખત જીવ ઉપાધિને રાખે તે મનુષ્યત્વનું સફળ થવું કયારે સંભવે .
Page #455
--------------------------------------------------------------------------
________________
૪૩૩
આત્માના પ્રદેશોનું બહાર નીકળી લોકવ્યાપી થઈ જવું અને શેષ રહેલાં કર્મોને એક સાથે પ્રબળપણે ખેંચીને સંપૂર્ણપણે ભોગવી લેવાં, તેને સમુદ્રઘાત કહે છે અને તે પ્રદેશત્વ ગુણની પર્યાય (અવસ્થા) છે.
આ સમુદ્રઘાત આઠ સમય સુધી રહે છે. કેવળી સમુદ્રઘાત કર્યા પછી પાંચ લઘુ સ્વર, અ, ઈ, ઉ, , ને ભને ઉચ્ચાર કરીએ તેટલે સમય ચૌદમાં ગુણસ્થાને રહે અને એટલા સમયમાં
આત્માના મન, વચન અને કાયાના ભેગને સંપૂર્ણ નિરોધ હોય છે. ૧૪૧૭ પ્ર. જૈન દર્શનમાં મુખ્ય કઈ અપેક્ષાએ આત્માનું વર્ણન કહ્યું છે ? ઉ. બે અપેક્ષાએ. નિશ્ચયનય અથવા દિગંબરમત; અને બીજે
વ્યવહારનય અથવા હવેતાંબર મત. (જુઓ પ્રશ્ન ૧૬૩૯ અને
૧૬૪૦). ૧૪૧૮ પ્ર. સંસારમાં જીવ અને પુદ્ગલ શું કામ કરે છે ?
ઉ. સંસારમાં જીવ અને પુદ્ગલ પોતપોતાની શક્તિથી ચાર કામ કરે
છેઃ (૧) ચાલવું, (૨) સ્થિર રહેવું, (૩) અવકાશ પામવો અને (૪) બદલાવું. દરેક કાર્ય ઉપાદાન અને નિમિત્ત એ બે કારણથી થાય છે. જેમ સોનાની વીંટીનું ઉપાદાને કારણે સોનું છે પણ નિમિત્તકારણ સેની. તેવી રીતે ચાર કામોનું ઉત્પાદન કારણ જીવ
અને પુદ્ગલ છે. નિમિત્ત કારણુ બીજા ચાર દ્રવ્યો છે. ૧૪૧૯ પ્ર. શ્રી ઠાણાંગસૂત્રમાં વિવિધ આત્માઓનો ભેદ પાડી ચભંગ રચી
છે, તેને વિશેષ અર્થ કહો. ઉ. ૧. એક, આત્માને ભવાંત કરે, પણ પરને ન કરે. તે પ્રત્યેક
બુદ્ધ કે અશોચ્યા કેવળો (સિદ્ધ ભગવાને). કેમકે તેઓ ઉપદેશ
માર્ગ પ્રવર્તાવતા નથી. ૨. એક, આત્માને ભવાત ન કરી શકે, અને પરને ભવાંત કરે
તે અચરમશરીરી આચાર્ય, એટલે જેને અમુક ભવ બાકી છે, પણ તેનાથી ઉપદેશ સાંભળી, સાંભળનાર છવ તે ભવે ભવન અંત પણ કરી શકે.
છેવટે જેવી મતિ તેવી ગતિ.
Page #456
--------------------------------------------------------------------------
________________
૪૩૪
૩.
પાતે તરે અને બીજાને તારે તે શ્રી તીર્થંકર.
૪. પાતે તરે પણ નહીં અને બીજાને તારી પણ ન શકે તે “અભવ્ય” કે દુવ્ય જીવ
૧૪૨૦ પ્ર. દોષ કરે છે એવી સ્થિતિમાં આ જગતના જીવાને કેટલા પ્રકારે જ્ઞાની પુરુષે દીઠા છે ?
ઉ. ત્રણ પ્રકારે (૧) કાઇપણ પ્રકારે જીવ દોષ કે કલ્યાણુના વિચાર નથી કરી શકયા, અથવા કરવાની જે સ્થિતિ તેમાં ખેભાન છે, એવા જીવના એક પ્રકાર છે.
(૨) અજ્ઞાનપણાથી, અસત્સંગના અભ્યાસે ભાસ્યમાન થયેલા એાધથી દોષ કરે છે, તે ક્રિયાને ક્લ્યાણુસ્વરૂપ માનતા એવા જીવેાના બીજો પ્રકાર છે.
(૩) ઉદ્દયાધીનપણે માત્ર જેની સ્થિતિ છે, સ પરસ્વરૂપના સાક્ષી છે એવા ખાધસ્વરૂપજીવ, માત્ર ઉદાસીનપણું કર્તા દેખાય છે; એવા જીવના ત્રીજો પ્રકાર છે.
૧૪૨૧ પ્ર. દેહધારી આત્માએના કેટલા પ્રકાર કહ્યા છે ?
. દેહધારી આત્માએના ત્રણ પ્રકાર છે. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. હિરાત્માને ત્યજી અંતરાત્મા વડે પરમાત્માનું ધ્યાન કરવુ એ જ યાગ્ય છે.
એ પ્રમાણે આ ત્રિવિધ આત્માઓને વિષે, મિથ્યાદષ્ટિ ભવ્યજીવમાં બહિરાત્મા વ્યક્તરૂપે રહે છે, અંતરાત્મા અને પરમાત્માએ બે શક્તિરૂપે રહે છે. અભવ્યજીવમાં પણુ બહિરાત્મા વ્યક્તરૂપે તથા આંતરાત્મા અને પરમાત્મા એ બે શક્તિરૂપે જ રહે છે. ભાવિનંગમનયની અપેક્ષા એ ભવ્યજીવમાં અંતરાત્મા અને પરમાત્મા વ્યક્તિરૂપે રહે છે, જ્યારે અભવ્યજીવમાં ભાવિને ગમનય (ભવિષ્ય)ની અપેક્ષાએ પણ અંતરાત્મા અને પરમાત્મા વ્યક્તિરૂપે રહેતા નથી.
જ્યાં દીવે છે ત્યાં દીવેટ મળે તેા દીવા થાય.
Page #457
--------------------------------------------------------------------------
________________
૪૩૫
૧૪૨૨ પ્ર. જે અભવ્યજીવમાં પરમાત્મા શક્તિરૂપે પણ રહે તે અભવ્યત્વ કેવી
રીતે કહેવાય ? ઉ. અભવ્યજીવમાં પરમાત્મા શક્તિની વ્યક્તતા કેવળ જ્ઞાનાદિરૂપે નહિ
થાય તેથી તેનામાં અભવ્યત્વ છે, અને પરમાત્માશક્તિ તે શુદ્ધનયની અપેક્ષાએ અભવ્ય અને ભવ્ય બન્નેમાં સમાન છે. વળી જો અભવ્ય જીવમાં શક્તિરૂપે પણ કેવળજ્ઞાન ન હોય તે તેને કેવળજ્ઞાનાવરણ
કર્મ સિદ્ધ થતું નથી. ૧૪૨૩ પ્ર. બાહિરાત્મા કોને કહે છે ?
ઉ. બાહ્ય શરીર અને ઈન્દ્રિયો વડે ઓળખાતો અનુભવાતો આત્મા
બહિરાત્મા છે. શરીરને આત્મબુદ્ધિએ, પોતાના માનનાર તે અંધરૂપ એટલે પાપમુક્ત એવો બહિરાત્મા છે. બહિરાત્માને
મિથ્યાત્વ ગુણસ્થાન જ હોય છે. ૧૪૨૪ પ્ર. અંતરાત્માની ઓળખાણ શું છે?
ઉ. શરીરાદિક પરને પિતાથી ભિન્ન માનનાર, આત્મના અનુભવરસને
આસ્વાદ લેનાર આત્મજ્ઞાની પરભાવના સાક્ષી માત્ર રહે છે પણ કર્તા થતા નથી તે અંતરાત્મા છે. આત્મામાં ઉભવતા સંક૯પવિકલ્પોથી મન દ્વારા પ્રગટ થતા આત્મા અંતરાત્મા છે. અંતરાત્મા
ચોથા ગુણસ્થાનથી બારમાં ગુણસ્થાન સુધી હોય છે. ૧૪૨૫ પ્ર. પરમાત્માનું લક્ષણ શું છે?
ઉ. જે જ્ઞાન આનંદથી પૂર્ણ પવિત્ર છે, સર્વ કર્મની ઉપાધિથી મુક્ત
છે, અનંત જ્ઞાન, દર્શન, સુખ અને વીર્યાદિ અતીન્દ્રિય આત્મિક ગુણના સમૂહરૂપ રત્નોનું નિવાસસ્થાનરૂપ છે, તે પરમાત્મા છે. કર્મકલંકથી વિમુક્ત અને અનનતજ્ઞાનાદિ ગુણથી યુક્ત આત્મા
પરમાત્મા છે અને એને જ દેવ કહેવામાં આવેલ છે. ૧૪ર૬ પ્ર. પરમાત્મા કેટલા સ્વરૂપે હોય છે ?'
ઉ. પરમાત્મા સકલ અને વિકલ એમ બે સ્વરૂપે છે. અરિહંત દેવ છે
ર્યું બંદર મદિરા પિયા, વિંછુ ડંકીત ગતિ, ભૂત લ કૌતુક કરે, કયા ઉત્પાત.
Page #458
--------------------------------------------------------------------------
________________
૪૩૬
સકલ પરમાત્મા છે, સકલ એટલે દેહíહત. કલ એટલે શરીરને આત્યંતિક વિયેાગ થવાથી અ-શરીરી સિદ્ધ ભગવાન વિકલ પરમાત્મા છે. સકલ દેહ સહિત પરમાત્મા તેરમા ને ચૌદમા ગુણસ્થાને જાણવા. વિકલ–દેહ રહિત પરમાત્મા સિદ્ધ ભગવાન તે ગુણસ્થાન રહિત છે, કારણ કે ગુણસ્થાન તા મેહ અને ચાગની અપેક્ષાએ છે. ભગવાને સિદ્ધને મેાહક નથી અને મન, વચન, કાયાના ચેગ પણ નથી, તેથી ગુણસ્થાન રહિત છે. ૧૪૨૭ પ્ર. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી આત્મા કયા પ્રકારે છે? ઉ. દ્રવ્ય : હું એક છું, અસંગ છુ, સર્વ પરંભાવથી મુક્ત છું. ક્ષેત્ર : અસંખ્યાત પ્રદેશાત્મક નિજઅવગાહના પ્રમાણુ છું, કાળ : અજન્મ, અજર, અમર, શાશ્વત છું, સ્વપર્યાયપરિણામી સમયાત્મક છું.
ભાવ : શુદ્ધ ચૈતન્યસ્વરૂપ માત્ર નિર્વિકલ્પ દષ્ટા છું. ૧૪૨૮ પ્ર. જીવના અસાધારણ ભાવે કેટલા છે ? ઉ. પાંચ છે ઃ ૧. ઔપશમિક, ૨. જ્ઞાયિક, ૩. ક્ષાયેાપશમિક, ૪. ઔદાયિક, ૫. પરિણામિક. સમસ્ત મુક્ત વેશમાં ફક્ત બે ભાવ હાય છે. સંસારી જીવામાં કાઈ ત્રણ, કાઈ ચાર, કાઈ પાંચ ભાવવાળા હોય છે; પરંતુ એ ભાવવાળું કાઈ હાતુ નથી. ૧૪૨૯ પ્ર. ઔપમિક ભાવ કાને કહું ?
ઉ. મેર્કાના ઉપશમ સાથેના સબંધવાળા આત્માના જે ભાવ થાય છે તેને ઔપમિક ભાવ કહે છે. આત્માના પુરુષાર્થનું નિમિત્ત પામીને જડક'નુ પ્રગટરૂપ ફળ જડકÖમાં ન આવવું તે કમ ના ઉપશમ છે. પાણીમાં નીચે મેલ બેસી જાય અને ઉપરનું પાણી નિ ળ થઈ જાય, તેવી રીતે કમ સત્તામાં તા છે પણ ઉદ્દયમાં નથી–દબાયેલાં છે. આના નિમિત્તથી આત્માની અવસ્થામાં મલિનતા દબાઈ જવાથી ઉત્પન્ન થવાવાળા નિર્મળભાવ ઔપમિક ભાવ છે. સત્તામાં તા ક્રમ પડેલાં છે. ઉપશમ એટલે સત્તામાં આવરણનુંરહેવું. ગૃહ
દ્રવ્ય થકી જીવ એક હૈ, ક્ષેત્ર અસંખ્ય પ્રમાન; કાળ થકી રહે સદા, ભાવે દર્શન જ્ઞાન,
Page #459
--------------------------------------------------------------------------
________________
૪૩૭
કુટુંબાદિ ભાવને વિષે તેની પ્રાપ્તિ-અપ્રાપ્તિ નિમિત્તે ઉત્પન્ન થતા એ જે કષાય કલેશ તેનું મંદ થવું તે “ઉપશમ” છે, પણ તે
ભાવને વિષે અનાસક્ત બુદ્ધિ થવી તે “વૈરાગ્ય” છે. ૧૪૩૦ પ્ર. ક્ષાયિક ભાવ કોને કહે છે ?
ઉ. કર્મોના સર્વથા નાશ સાથેના સંબંધેવાળે આત્માને જે અત્યંત
શુદ્ધ ભાવ પ્રગટ થાય તેને ક્ષાયિક ભાવ કહે છે. આત્માના પુરુષાર્થ નિમિત્ત પામીને કર્મ–આવરણને નાશ થ તે કર્મને ક્ષય છે. ક્ષાયિકભાવ એટલે જડ પરિણતિને ત્યાગ. ક્ષાયિકભાવ
વર્તમાનમાં નથી. ૧૪૩૧ પ્ર. ક્ષાપશમિક ભાવ કોને કહે છે ?
આત્માના પુરુષાર્થનું નિમિત્ત પામીને કર્મને સ્વયં અંશે ક્ષય અને સ્વયં અંશે ઉપશમ તે કમને ક્ષયોપશમ છે. ક્ષપશમ એટલે ઉદયમાં આવેલી પ્રકૃતિને ક્ષય અને ઉદયમાં ન આવેલી પ્રકૃતિને
ઉપશમ. ૧૪૩૨ પ્ર, ક્ષયોપશમ ને ક્ષય એટલે શું ?
ઉ. ક્ષયે પશમ એટલે અપૂર્ણ પુરુષાર્થ અને ક્ષય એટલે સંપૂર્ણ
પુરુષાર્થ. ૧૪૩૩ પ્ર. જીવ શા માટે અપૂર્ણ પુરુષાર્થ (ક્ષયે પશમ) કરે છે ? સંપૂર્ણ
પુરુષાર્થ (ક્ષય) કેમ નથી કરતૈ ? ઉ. જીવને શરૂઆતમાં અપૂર્ણ પુરુષાર્થ હોય છે, જેમ જેમ વધારે
ઉદ્યમ કરે તેમ તેમ સંપૂર્ણ પુરુષાર્થ ભણી જાય છે. ૧૪૩૪ પ્ર. દયિક ભાવ કોને કહે છે ?
ઉ, કર્મોના ઉદય સાથે સંબંધ રાખતા આત્માને જે વિકાર ભાવ
થાય છે તેને ઔદયિક ભાવ કહે છે. ૧૪૩૫ પ્ર. સમયસાર અને નિયમસાર આદિ શાસ્ત્રોમાં કહ્યું છે કે ભગવાન
વિશેષ વિચારતાં તો મનુષ્યપણાનો એક સમય પણ ચિંતામણું રત્નથી પરમ માહમ્યવાન અને મૂલ્યવાન દેખાય છે, અને જે દેહાથમાં જ તે મનુષ્યપણું વ્યતીત થયું તો તે એક ફૂટી બદામની કિંમતનું નથી.
Page #460
--------------------------------------------------------------------------
________________
૪૩૮
શુદ્ધાત્મામાં કોઈ ઔદયિક ભાવ છે જ નહીં, જ્યારે તત્વાર્થસૂત્રમાં તેને (ઔદયિક ભાવને) આત્માનું સ્વર્વા કહ્યું છે, આ
બંને કથની અપેક્ષા સમજાવે. ઉ. સમયસારાદિમાં દ્રવ્યદષ્ટિનું વર્ણન છે, દષ્ટિના વિષયમાં પર્યાય ગૌણ
થઈ જાય છે. તત્ત્વાર્થ સૂત્રમાં પ્રમાણના વિષયનું વર્ણન છે.
ઔદાયિક ભાવરૂપથી પણ આત્મા સ્વયં પરિણમે છે, આત્માની
જ તે પર્યાય છે, તેથી તેને સ્વતત્વ કહ્યું છે. ૧૪૩૬ પ્ર. પરિણામિક ભાવ કોને કહે છે ?
ઉ. કર્મોને ઉપશમ, ક્ષય, ક્ષયોપશમ, અથવા ઉદયની અપેક્ષા રાખ્યા વિના જીવને જે સ્વભાવ માત્ર હોય તેને પરિણામિક ભાવ કહે છે. પથમિક, ક્ષાપશમિક, ક્ષાયિક અને ઔદયિક એ ચાર ભાવો પર્યાયરૂપ છે અને શુદ્ધ પરિણામિક (ભાવ) દ્રવ્યરૂપ છે. શુદ્ધ પરિમિકભાવ તે અવિનાશી છે. ઔપશમિક, ક્ષાયોપથમિક, અને ક્ષાયિક ભાવો મોક્ષનાં કારણ છે. પરંતુ શુદ્ધ પારિણામિક ભાવ મેક્ષનું કારણ નથી પણ તે શક્તિરૂપ મોક્ષ જ છે. શુદ્ધ
પારિમિક ભાવ દયેયરૂપ છે, ધ્યાનરૂપ નથી. ૧૪૩૭ પ્ર. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપર્યયજ્ઞાન–એ અવસ્થાએ
ક્યા ભાવની છે ? ઉ. એ અવસ્થાઓ ક્ષાયોપથમિક ભાવની છે. મતિજ્ઞાનાદિનાં આવરણ
કરનાર પ્રકૃતિ જે છે તેને ક્ષયોપશમ થાય તે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન
વિગેરે ચાર જ્ઞાન થાય છે. ૧૪૩૮ ક. કેવળજ્ઞાનની અવસ્થા કયા ભાવ થતાં પ્રગટ થાય છે ?
ઉ. કેવળજ્ઞાનની અવસ્થા ક્ષાયિક ભાવ છે. કેવળજ્ઞાન તે જ્ઞાનાવરણીય
કર્મને સર્વથા ક્ષય થાય તો જ થાય છે. ૧૪૩૯ પ્ર. ક્ષયપશમ અને ક્ષયમાં સ્કૂલ રીતે તફાવત શું ?
ઉ. ક્ષપશમથી જે પ્રાપ્ત થાય છે તે અપૂર્ણ હોય છે, વળી તે જતું
રહે છે, એટલે આવે છે ને જાય છે, પણ તે સ્થિર ભાવે સદા
રૂપ મને દેખાય છે, સમજે નહિ કંઈ વાત; સમજે તે દેખાય નહિ, બેલું તેની સાથ.
Page #461
--------------------------------------------------------------------------
________________
૪૩૯
રહેતું નથી. ત્યારે જે ક્ષય ભાવે પ્રાપ્ત થાય છે, તે જવાનું નહીં – નાશ પણ પામે નહિ અર્થાત્ મતિજ્ઞાનાદિ ચાર જ્ઞાન આવે તે જાય છે. કેવળજ્ઞાન આવેલું જવાનું નહિ. ૧૪૪૦ પ્ર. જીવના અસાધારણ પાંચ ભાવેશ શું બતાવે છે?
ઉ. જડ ની સાથે જીવને અનાદિના સબંધ છે અને જીવ તેને વશ થાય છે તેથી વિકાર થાય છે, પણ કર્મીના કારણે વિકારભાવ થતા નથી એમ ઔયિક ભાવ સાષિત કરે છે.
જો કે કમ સાથેના સંબંધ પ્રવાહથી અનાદિના છે તા પણ સમયે સમયે જૂનાં કર્મ જાય છે અને નવાં કર્મોના સંબંધ થતા રહે છે. તે અપેક્ષાએ તેમાં શરૂઆતપણું રહેતું હોવાથી (સાર્દિ હોવાથી) તે કર્મ સાથેના સંબંધ સર્વથા ટળી જાય છે—એમ ક્ષાયિકભાવ સાબિત કરે છે.
કાઈ નિમિત્ત વિકાર કરાવતું નથી પણ જીવ પેાતે નિમિત્તાધીન થઇને વિકાર કરે છે. જીવ જ્યારે પારિામિક ભાવરૂપ પેાતાના સ્વભાવ તરફનું લક્ષ કરી સ્વાધીનપણું પ્રગટ કરે છે ત્યારે નિમિત્તાધીનપણું ટળી શુદ્ધતા પ્રગટે છે એમ ઔપશમિકભાવ સાધકદશાના ક્ષયાપમિકભાવ અને ક્ષાયિકભાવ એ ત્રણે સાબિત કરે છે.
૧૪૪૧ પ્ર. ઔપમિક ભાવના કેટલા ભેદ છે ?
ઉ. તેના બે ભેદ છે : (૧) ઉપશમ સમ્યક્ત્વભાવ અને (૨) ઉપશમ ચારિત્રભાવ.
૧૪૪૨ પ્ર. ક્ષાયિકભાવના કેટલા ભેદ છે?
ઉ. તેના નવ ભેદ છે. (૧) ક્ષાયિક સમ્યક્ત્વ, (૨) ક્ષાયિક ચારિત્ર,(૩) ક્ષાયિક દર્શન, (૪) ક્ષાયિક જ્ઞાન, (પ) ક્ષાયિક દાન, (૬) ક્ષાયિક લાભ, (૭) ક્ષાયિક ભાગ, (૮) ક્ષાયિક ઉપભાગ, (૯) ક્ષાયિક વીય. ૧૪૪૩ પ્ર. ક્ષાયેાપશર્મિક ભાવના કેટલા પ્રકાર છે?
ઉ. તેના ૧૮ ભેદ છે. (1) સમ્યક્ત્વ, (૨) ચારિત્ર, (૩) ચક્ષુદન,
જે અવિનાશી આત્માને ફ્રેહથી ભિન્ન જાણતા નથી તે ધાર તપશ્ચરણ કરવા છતાં મેાક્ષ પ્રાપ્ત કરતા નથી.
Page #462
--------------------------------------------------------------------------
________________
૪૪૦
(૪) અચતુદર્શીન, (૫) અવધિદર્શન, (૬) દેશ સંયમ, (૭) મતિજ્ઞાન, (૮) શ્રુતજ્ઞાન, (૯) અવધિજ્ઞાન, (૧૦) મનપયયજ્ઞાન, (૧૧) કુમતિજ્ઞાન, (૧૨) કુશ્રુતજ્ઞાન, (૧૩) કુઅવધિજ્ઞાન, (૧૪) દાન, (૧૫) લાભ, (૧૬) ભાગ, (૧૭) ઉપભાગ, (૧૮) વીર્યાં. ૧૪૪૪ પ્ર. ઔદયકભાવના કેટલા પ્રકાર છે?
ઉ. તેના ૨૧ ભેદ છે. ગતિ ૪, ક્યાય ૪, લિોંગ ૩, મિથ્યાદર્શન ૧, અજ્ઞાન ૧, અસંયમ ૧, અસિદ્ધત્વ ૧, લેસ્યા ૬.
૧૪૪૫ પ્ર. પારિામિક ભાવના કેટલા ભેદ છે
ઉ. તેના ત્રણ ભેદ છે ઃ (૧) જીવત્વ, (૨) ભવ્યત્વ અને (૩) અભવ્યત્વ. ૧૪૪૬ પ્ર. સર્વ ઔયિકભાવા બધનુ કારણ છે ?
ઉ. ના, જો જીવ મેાહના ઉધ્યમાં જોડાય તા બંધ થાય, દ્રવ્યમેહના ઉય હાવા છતાં જો જીવ શુદ્ધાત્મભાવનાના બળ વડે ભાવમેાહરૂપે ન પરિણમે તા બંધ થતા નથી. જો જીવને કર્માંના ઉયને કારણે બંધ થતા હોય તેા સંસારીને સદા કર્મના ઉય વિદ્યમાન છે, તેથી તેને સદા બંધ થાય, કદી મેક્ષ થાય જ નહિ, માટે એમ સમજવું કે કર્માંના ઉદય ખંધનું કારણ નથી, પણ જીવનું ભાવમેહરૂપે પરિણમન તે બુધનું કારણ છે.
૧૪૪૭ પ્ર. નિશ્ચયથી રાગાદિભાવા જવનાં લક્ષણ છે કે નહિ?
ઉ. નિશ્ચયથી વર્ણાદિભાવા-વર્ણાદિભાવામાં રાગાદિભાવે આવી ગયાજીવમાં કદી વ્યાપતા નથી તેથી તેએ નિશ્ચયથી જીવનાં લક્ષણ છે જ નહિ; વ્યવહારથી તેમને જીવનાં લક્ષણ માનતાં પણ અવ્યાપ્તિ નામના દાષ આવે છે કારણ કે સિદ્ધ વેશમાં તે વ્યવહારથી પણ વ્યાપતા નથી.
૧૪૪૮ પ્ર. દરેક પ્રકારના સમ્યક્ત્વમાં આત્માની પરિણતિ કેવા પ્રકારે હાય છે? ઉ. નિજ સ્વભાવ જ્ઞાનમાં કેવળ ઉપયાગે, તન્મયાકાર, સહજ સ્વભાવે, નિવૃિ કપણે, આત્મા પરિણમે તે કેવળજ્ઞાન છે.
જીણુ વજ્રથી જે રીતે છઠ્ઠું ગણે ન શરીર, જીણુ દેહથી જ્ઞાનીજન જીણુ ન માને જીવ
Page #463
--------------------------------------------------------------------------
________________
૪૪૧
તથારૂપ પ્રતીતિપણે તે સમ્યક્ત્વ છે. નિરંતર તે પ્રતીતિ વર્ષાં કરે તે ક્ષાયિક સમ્યક્ત્વ કહીએ છીએ.
કવચિત્ મંદ કવચિત્ તીવ્ર, કવચિત્ વિસર્જન, કવચિત્ સ્મરણ રૂપ એમ પ્રતીતિ રહે તે ક્ષચેાપશમ સમ્યક્ત્વ કહીએ છીએ. તે પ્રતીતિને સત્તાગત આવરણુ ઉય આવ્યા નથી, ત્યાં સુધી ઉપશમ સમ્યક્ત્વ કહીએ છીએ. આત્માને આવરણ ઉદ્ભય આવે ત્યારે તે પ્રતીતિથી પડી જાય તેને સાસ્વાદન સમ્યક્ત્વ કહીએ છીએ, અત્યંત પ્રતીતિ થવાના ચાગમાં સત્તાગત અપ પુદ્ગલનું વેદવું જ્યાં રહ્યું છે તેને વેદક સમ્યક્ત્વ કહીએ છીએ.
ઉપયોગ તે જીવનુ મુખ્ય લક્ષણ છે તે યયા છે ?
. હા, નાયકપણાના ગુણ તે જીવનું લક્ષણ છે. કાઈ પણ સમયે નાયક રહિતપણે આ જીવ પદાર્થ કાંઈ પણ અનુભવી શકે નહીં. અને તે જીવ નામના પદાર્થ સિવાય ખીન્ત કાઈ પણ પદાર્થ વિષે નાયકપણું સંભવી શકે નહી. એવુ' જે અત્યંત અનુભવનું કારણુ જ્ઞાયકતા તે લક્ષણ જેમાં છે તે પદાર્થ તીર્થંકરે જીવ કહ્યો છે.
૧૪૪૯ પ્ર.
આ ખાટુ છે, આ ખારું છે, હું ટાઢે હરું છું, તાપ પડે છે, દુ:ખી છું, સુખી છું, એવું જે સ્પષ્ટ જ્ઞાન, વૈદન જ્ઞાન, અનુભવજ્ઞાન તે જો કાઈમાં પણ હોય તે તે આ જીવ પદને વિષે છે, અથવા તે જેનુ લક્ષણ હાય છે, તે પદાર્થ જીવ હાય છે, એ જ તીર્થંકર આદિના અનુભવ છે.
૧૪૫૦ પ્ર. ઉપયાગ કેટલા પ્રકારે કહ્યા છે?
ઉ. ઉપયાગ બૈ પ્રકારે કહ્યા છે: (૧) દ્રવ્યઉપયાગ, (૨) ભાવઉપયાગ. દ્રવ્યવ; ભાવજીવ. દ્રવ્યજીવ તે દ્રવ્યમૂળ પદાર્થ છે. ભાવજીવ તે આત્માના ઉપયાગભાવ છે.
૧૪૫૧ પ્ર. ભાવજીવ એટલે શુ ?
ઉ. ભાવજીવ એટલે આત્માના ઉપયાગ જે પદાર્થીમાં તાદાત્મ્યરૂપે પરિણમે તે રૂપ આત્મા કહીએ. જેમ નદીનું પાણી તે દ્રવ્ય આત્મા
સૂતા જે વ્યવહારમાં, તે જાગે નિજમાંય, જાગૃત જે વ્યવહારમાં, સુષુપ્ત આત્મામાંય.
Page #464
--------------------------------------------------------------------------
________________
૪૪૨
છે. તેમાં ક્ષાર, ગંધક નાંખીએ તે ગંધકનું પણ કહેવાય, લૂણ. નાંખીએ તે લૂણનું પાણી કહેવાય.
તેમ આત્માને જે સંજોગ મળે તેમાં તાદામ્યપણું થયું, તે જ આત્મા તે પદાર્થરૂપ થાય. તેને કર્મબંધનની અનંત વર્ગણ બંધાય છે, અને તે અનંત સંસાર રઝળે છે. પિતાના ઉપગમાં,
સ્વભાવમાં આત્મા રહે તો કર્મબંધ થતા નથી. ઈન્દ્રિયરૂપ આત્મા,
થાય તે કમબંધનને હેતુ છે. ૧૪પર પ્ર. સમ્યદૃષ્ટિ શુદ્ધ આત્માને વિચાર ઉપયોગમાં ચાલે તે જ શુદ્ધ
ઉપયોગ છે ને? ઉ. ના; શુદ્ધ આત્માને વિચાર ચાલે એ શુદ્ધોપગ નથી. એ તે
રાગમિશ્રિત વિચાર છે. શુદ્ધ આત્મામાં એકાગ્ર થઈ નિર્વિક૯પ. ઉપયોગરૂપ પરિણામ થાય તે શુદ્ધ ઉપયોગ છે. જેમાં 3ય-જ્ઞાનજ્ઞાતાના ભેદ છૂટીને એકલે અભેદરૂપ ચિત ગોળ અનુભવમાં
આવે છે તે શુદ્ધ ઉપગ છે. ૧૪૫૩ પ્ર. આત્મા છે ? આત્મા હોય તે તે જણાતા કેમ નથી ? તેનું શું
સ્વરૂપ છે ? ઉ. આત્મા અને દેહ ભિન્ન છે. ઈન્દ્રિયે દરેકને છે અને દરેક ઈન્દ્રિયને
તે વિષેનું જ ભાન છે પણ આત્માને બધી જ ઈન્દ્રિયોના વિષયનું ભાન છે. આત્માની સત્તાથી (શક્તિથી) ઈન્દ્રિય પ્રવર્તે છે. જે દેહ, જ આત્મા હોય તે સ્થૂળ દેહમાં પરમ બુદ્ધિ હોવી જોઈએ અને કૃષ દેહમાં બુદ્ધિ અપ હોય પણ એવું બનતું નથી. દેહ તે જડ છે અને આત્મા તે ચેતન છે. જડ અને ચેતન ત્રણે કાળમાં એકપણું પામે નહીં પણ ભિન્ન જ છે, જેમ ઘટપટઆદિ પદાર્થો છે, તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટઆદિ હોવાનું પ્રમાણ છે; તેમ સ્વપર પ્રકાશક એવી ચેતન્યસત્તાને પ્રત્યક્ષ ગુણ જેને વિષે છે એ આત્મા હોવાનું પ્રમાણ છે. જ્ઞાનસ્વરૂપપણું એ આત્માનું મુખ્ય લક્ષણ છે, અને તેના અભાવવાળું મુખ્ય. લક્ષણ જડનું છે.
અવતને પરિત્યાગીને વ્રતમાં રહે સુનિષ્ઠ વ્રતને પણ પછી પરિહર લહી પરમ પદ નિજ,
Page #465
--------------------------------------------------------------------------
________________
૪૪૩
મૃત્યુ થતાં શરીર એમનું એમ રહે છે અને આત્મા ચાલ્યા જાય છે. ત્યારે તે જાણી, દેખી અથવા સુખદુઃખ અનુભવી શકતું નથી. ' બુદ્ધિ, નિર્ણય કરવાની શક્તિ, યાદશક્તિ, વિવેક વગેરે ઈન્દ્રિયજ્ઞાનને વ્યવસ્થિત કરવાવાળી શરીરમાં રહેલી કેન્દ્રીય શક્તિને
ધરનાર આત્મા છે. ૧૪૫૪ પ્ર, આત્મા દેહગથી ઉત્પન્ન થાય છે અને દેહ વિયોગે નાશ પામે.
છે, તેમજ તેને પુનઃજન્મ નથી તેમ શંકા કરવી યોગ્ય છે ? આત્મા નિત્ય છે. આત્મા ત્રિકાળવતી છે. ઘટપટાદિસંયોગે કરી પદાર્થ છે, આમા સ્વભાવે કરીને પદાર્થ છે. કોઈપણ સંયેગી. દ્રવ્યથી ચેતનસત્તા પ્રગટ થવા યોગ્ય નથી માટે અનુત્પન છે. અસંયોગી હોવાથી અવિનાશી છે, કેમકે જેની દેઈ સંગથી ઉત્પત્તિ ન હોય, તેને કેઈને વિષે લય પણ હોય નહીં. ન તે ચેતનથી જડ ઉત્પન્ન થાય કે ન તે જડથી ચેતન ઉપજે. સર્પ વગેરેમાં ક્રોધાદિ જે મૂળથી જોવામાં આવે છે તે તે પ્રાણીઓના પૂર્વ સંસ્કારના લીધે છે અને તે જ જીવની નિત્યતા સાબિત.
૧૪પપ પ્ર. આત્મા શું કરે છે ? તે કઈ વસ્તુને કર્તા છે ?
ઉ. કંઈ ને કંઈ પરિણામ ક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં
આવે છે. આત્મા પણ ક્રિયા સંપન્ન છે, માટે કર્યા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિને વિવેચ્યું છે; પરમાર્થથી સ્વભાવ પરિણતિએ નિજસ્વરૂપને કર્તા છે, અનુપચરિત (અનુભવમાં આવવા ગ્ય. વિશેષ સંબંધ સહિત) વ્યવહારથી તે આત્મા કવ્યકર્મને કર્તા છે. ઉપચારથી ધર, નગર આદિને કર્તા છે. અર્થાત ઘટપટાદિ પદાર્થના મૂળ દ્રવ્યને તે કર્તા નથી, પણ તેને કઈ આકારમાં લાવવારૂપ ક્રિયાને કર્તા છે તેને જૈન કર્મ કહે છે; વેદાંત ભ્રાંતિ કહે છે. વાસ્તવ્ય વિચાર કર્યોથી આત્મા ઘટપટાદિને તથા ક્રોધાદિને કર્તા થઈ શકતો નથી, માત્ર નિજસ્વરૂપ એવા જ્ઞાનપરિણામને જ કર્તા છે. (જુઓ પ્રશ્નક્રમાંક-૧૪૬૧)
“જ્ઞાન, ગરીબી, ગુરુવચન, નરમ વચન નિર્દોષ ઈનકું કભી ન છાંડિયે, શ્રદ્ધા, શીલ, સંતેષ.”
Page #466
--------------------------------------------------------------------------
________________
૪૪૪
૧૪૫૬ પ્ર. આત્મા ફ્રેાધાદિ કર્મો કરે તેનાં ફળ હોય ? તે આત્માને ભાગવવાં પડે ? ઉ. આત્મા ભોકતા છે. જે જે કાંઈ ક્રિયા (ક) છે તે તે સ સફળ
છે. (તેનાં ફળ સંભવે છે.) જે કંઈ પણ કરવામાં આવે તેનુ ફળ ભાગવવામાં આવે એવા પ્રત્યક્ષ અનુભવ છે. તેમ કાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનુ ફળ પણુ થવા યાગ્ય જ છે. અને તે થાય છે. તે ક્રિયાના આત્મા કર્તા હાવાથી ભાક્તા છે. એક રાંક અને એક રાજા એ આદિભેદ છે તે કાંઈ (આકસ્મિક અથવા) કારણ વિનાના નથી. તે શુભ અશુભ કર્માનુ ફળ છે. તેમ આત્માને ક્રેાધાદિ ભાવના કર્તાપણાએ જન્મ, જરા, મરણાદિ વેદનારૂપ પરિણામ થાય છે.
૧૪૫૭ પ્ર. શુભ કર્મો કરે તા સારી દેવ ગતિ મળે અને અશુભ કર્મો કરે તા નરસી નર્ક ગતિ થાય પણ મેાક્ષ તે કેમ પણ ન થાય ? ઉ. જે ક્રોધાદિ અજ્ઞાનભાવમાં, દેહાર્દિમાં આત્માને પ્રતિબંધ છે તેથી સર્વથા નિવૃત્તિ થવી, મુક્તિ થવી તે મેાક્ષપદ જ્ઞાનીએએ કહ્યું છે— પ્રત્યક્ષ ષાયાદિ તીવ્રપણું હોય પણ તેના અન્અભ્યાસથો, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી, તેનું મંદપણું દેખાય છે. તે ક્ષીણ થવા યાગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે, તે તે બધભાવ ક્ષીણ થઈ રાકવા યોગ્ય હોવાથી તેથી રહિત એવા જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ મેાક્ષપદ છે.
૧૪૫૮ પ્ર. અનંતકાળનાં કમે[થી કેવી રીતે નિવ્રુત્તિ થાય ? ઘણા મત, ધર્મ અને દુન છે, અને દરેક જુદા જુદા ઉપાય કહે છે તેમાં સાચા મત અથવા ધર્મ યા. માનવે ? કઈ જાતિમાં મેક્ષ મળે ?
ઉ. ક`બંધથી વિપરીત સ્વભાવવાળાં એવાં જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્તિ આદિ સાધન પ્રત્યક્ષ છે; જે સાધનના બળે કર્મ બ ંધ શિથિલ થાય છે. ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. માટે જ્ઞાન, દર્શીન, સયમાદિ મે ક્ષપદના ઉપાય છે. જેમ કરેાડ વર્ષનું સ્વપ્ન પણ
કાળ જેટલા મુનિ રહે, આત્મસ્વરૂપે લીન; ગણુ તે સંવર નિર્જરા, સકળ વિકલ્પ વિહીન,
Page #467
--------------------------------------------------------------------------
________________
જાગૃત થતાં દૂર થાય છે, તેમ અનાદિને વિભાવ જ્ઞાન થતાં દૂરથાય છે. જો દેહાધ્યાસ છૂટે તે એ પુરુષાર્થ ધર્મ છે, અને તે ધર્મથી મોક્ષ છે. અજ્ઞાન અંધકાર સમાન છે અને તેમાં જ્ઞાનરૂપી. પ્રકાશ થતાં ક્ષણવારમાં અનાદિને અંધકાર (કર્મો) નાશ પામે છે..
“રાગ દ્વેષ અજ્ઞાન એક મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષને પંથ.”
જાતિ, વેષને ભેદ નહિ, કહ્યો માર્ગ જે હોય;
સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કેય.” ૧૪૫૯ પ્ર. શું ઉપર દર્શાવેલ છ પદોને દર્શન કહ્યાં છે ?
જ્ઞાની પુરુષોએ આ છ પદની દેશના શાના અર્થે પ્રકાશી છે ? ઉ. શ્રી જ્ઞાની પુરુષેએ સમ્યદર્શનના છ પદને મુખ્ય નિવાસભૂત કહ્યાં
છે. સમીપમુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણ થવા યોગ્ય છે, પરમ નિશ્ચયરૂપ જાણવા યોગ્ય છે. આ છ પદ અત્યંત સંદેહરહિત છે–અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલ એ. જીવને અહંભાવ મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છે
પદની જ્ઞાની પુરુષોએ દેશની પ્રકાશી છે. ૧૪૬૦ પ્ર. વિકાર જે દ્રવ્ય (આત્મા) અને ગુણમાં નથી, તે પછી વિકાર શું
કર્મને કારણે થાય છે ? ઉ. ના, વિકાર કર્મના કારણથી નથી થતો, પણ તે આત્માની પર્યાયમાં
જ થાય છે પરંતુ વિકાર તે હું નહીં, હું તે જ્ઞાતા-દષ્ટા, એમ સ્વીકાર થવા જોઈએ. “મેં આટલું દાન, તપ આદિ કર્યું અને પુણ્ય બાંધ્યું” અને ખુશી થાય છે, આ પ્રકારે અજ્ઞાનીની રુચિ. વિકાર, કર્મ અને સંગ ઉપર જાય છે તેથી તે સંસારમાં રખડે છે. પરંતુ આત્મા જ્ઞાયક છે, કેમ કે વિકારથી રહિત છે, એવી. સમજણ કરવી, અને સતત કાયમ રાખવી તે અપૂર્વ પુરુષાર્થ છે. આત્માના શુદ્ધસ્વભાવની અપેક્ષાએ વિકારભાવ ભિન્ન છે, અન્ય
વરસ દિનાકી ગાંઠકો, ઉત્સવ ગાય બજાય; મૂરખ નર સમજે નહીં, વરસ ગાંડકો જાય,
Page #468
--------------------------------------------------------------------------
________________
વસ્તુ છે તે વિકારભાવ શુદ્ધાત્માના આશયથી નથી થતા, જડના લક્ષે થાય છે. વિકારી પરિણામ ન તો પુગલમાં થાય છે અથવા ન તે તેને કર્મ કરાવે છે, તે આત્માની જ પર્યાયમાં થાય છે, પણ પર્યાયબુદ્ધિ છોડાવવા અને શુદ્ધદ્રવ્યની દૃષ્ટિ કરાવવા તે વિકારીભાવને આત્માથી અન્ય કહ્યા. તે “અન્ય છે” તેમ તે જ કહી શકે કે જેને શુદ્ધાત્માની દષ્ટિ થઈ હોય, કારણ કે અજ્ઞાનીને તો વિકાર અને આત્મસ્વભાવની ભિન્નતાનું ભાન જ નથી, તેથી તે બંનેને એકમેક સમજીને વિકારને ક્ત થાય છે, વિકાર તેના માટે આત્માથી અન્ય નથી રહેતા. (જુઓ પ્રશ્ન ૧૪૬૨-૧૪૬૭) પુદ્ગલ દ્રવ્યની વર્તમાન પર્યાય છે તેમાં જીવને અધિકાર નથી. આત્મા દેખવા અને જાણવાવાળે છે. આત્મા છે તેથી પુદ્ગલમાં અવસ્થા ઉત્પન્ન થાય છે તેમ નથી. આ પ્રમાણે નિર્ણય કરે તે પરથી ઉપેક્ષા થઈને પિતામાં (આત્મામાં) એકાગ્રતા થાય છે,
અને ધર્મ થાય છે. ૧૪૬૧ પ્ર. કેટલાકે કહે છે કે આ પ્રવૃત્તિ બધી પ્રકૃતિ કે કામ કરે છે. જીવ
કરતો નથી. જીવ તે સદા અલિપ્ત રહે છે, તે તેનું કેમ? ઉ. “આત્મા કર્તા છે.” સર્વ પદાર્થ અર્થ ક્રિયાપન છે, આત્મા
પણ ક્રિયાસંપન્ન છે માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિને વિવેચ્યું છે. (૧) પરમાર્થથા સ્વભાવપરિણતિએ નિજ સ્વરૂપને કર્તા છે. (૨) અનુપરિત (અનભવમાં આવવા યોગ્ય, વિશેષ સંબંધસહિત)
વ્યવહારથી તે આત્મા દ્રવ્યકર્મને કર્તા છે. (૩) ઉપચારથી ઘર, નગર આદિને કર્તા છે.
શુદ્ધ નિશ્ચયથી આ આત્મા કેવળ પોતાના શુદ્ધ ભાવને જ કર્યા છે, પરભાને નથી તે ઉપાદાન કે મૂળ કર્તા, નથી તે નિમિત્ત કર્તા.
ધન, કણ, કંચન, રાજસુખ, સર્બ સુલભ કર જાન, દુલભ હૈ સંસારમેં, એક યથારેથ જ્ઞાન
Page #469
--------------------------------------------------------------------------
________________
४४७
“કર્તા ભક્તા કર્મને વિભાવ વર્તે જ્યાંય; વૃત્તિ વહી નિજભાવમાં, થયો અર્તા ત્યાંય.” “ચેતન જે નિજભાનમાં કર્તા આપ સ્વભાવ;
વર્તે નહિ નિજભાનમાં, કર્તા કર્મ પ્રભાવ.” ૧૪૬ર પ્ર. રાગ-દ્વેષને જીવની પર્યાય કહી છે અને વળી તેને નિશ્ચયથી પુદ
ગલનાં પરિણામ કહ્યાં છે તો અમારે નક્કી શું કરવું ? ઉ. રાગ-દ્વેષ છે તે જીવનાં પરિણામ, પણ એ પુદ્ગલના લક્ષે થતાં
હોવાથી અને જીવને સ્વભાવ ન હોવાથી તથા સ્વભાવની દૃષ્ટિ કરાવવાના પ્રયજનથી, પુદગલનાં પરિણામ કહ્યાં છે, વળી પુદ્દ ગલના લક્ષે થતાં હોવાથી રાગ-દ્વેષને પુલને કહ્યાં છે. કેમ કે નિમિત્તને આધીન થઈને અથવા નિમિત્તને લઈને થવાવાળા ભાવને નિમિત્તના પુદ્ગલના ભાવ છે તેમ કહેવામાં આવે છે. (પુગલ નિમિત્ત છે અને તેને આધીન રહીને રાગ-દ્વેષ થતા હોવાથી રાગ-દ્વેષ યુગલનાં પરિણામ કહ્યાં છે.) જે અનુપાતમાં કર્મને ઉદય આવે છે તે જ અનુપાતમાં રાગ થાય એવો નિયમ નથી. ઉદયન કાળમાં રાગ-દ્વેષ થાય છે. જે રાગને ક્ત ન થઈ ફક્ત તેને જ્ઞાતા-દષ્ટા રહીને ફક્ત રાગને જાણનારો રહે છે તે ધમી અથવા જ્ઞાની છે. રાગ દ્વેષ તે સ્વતંત્રપણે પોતપોતાની (જીવની) યોગ્યતાનુસાર જ થાય છે, કર્મના ઉધ્યાનુસાર નહીં. જે કર્મોધ્યનુસાર રાગ-દ્વેષ થતા હોય તે કદી પણ મુક્તિને પ્રસંગ પ્રાપ્ત થઈ શકે નહીં.
તત્ત્વાર્થસૂત્રમાં વિકારને સ્વતત્વ કહ્યો છે, કારણ કે વિકાર પરના કારણે નહીં પણ જીવ પોતે કરે છે. આમ અહીં પર્યાયને સત્ય બતાવવી છે. જીવને વિકારી સ્વભાવનું અવલંબન છેડાવવા અને ત્રિકાળી ધ્રુવ, જ્ઞાન સ્વભાવનું અવલંબન કરાવવા કહ્યું કે રાગ-દ્વેષ અને વિકાર યુગલનાં પરિણામ છે. રાગ પિતાને છે નહીં, પણ એ કઈ અપેક્ષાએ કે દ્રવ્ય-ગુણમાં નથી એ
આત્મ ભ્રાતિ સમ રેગ નહિ, સદગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સમ પડ્યું નહિ, ઔષધ વિચાર ધ્યાન,
Page #470
--------------------------------------------------------------------------
________________
૪૪૮
અપેક્ષાએ રાગ પોતાનેા નથી. પર્યાયમાં રાગ છે તે સત્ છે, પોતાથી છે, કમને લઈને નથી એમ જાણે તે જ્ઞાન પ્રધાનપણે. માને ને કથનમાં પણ એમ આવે.
દ્રવ્ય-ગુણુમાં રાગ નથી. તેથી દ્રવ્ય--ગુણુની દૃષ્ટિની અપેક્ષાએ જીવને રાગના કર્તા માનવા ત મિથ્યાત્વ છે, પણ જ્ઞાન પ્રધાનતાથી. પર્યાયમાં રાગ પરિણામ આત્માનું જ કાર્ય છે.
વિકારના કર્તા કર્મ નથી, તેમ કહીને કર્મ તરફની પરાધીન દૃષ્ટિ છેડાવવી છે. વિકારના કર્તા જીવ નથી પણ કર્મ છે, ક વ્યાપક થઇને વિકાર કરે છે, તેમ કહીને એક સમયના ઉપાધિ ભાવથી ભેદજ્ઞાન કરાવીને દ્રવ્ય ઉપર દષ્ટિ કરાવવી છે. વિકાર તે સમયની યાગ્યતાથી થવાના હતા તે જ થયા છે, તેમ કહીને એક સમયના વિકારનું લક્ષ છેડાવી દષ્ટિને દ્રવ્ય તરફ દારી છે. વિકાર કે નિર્મળ પર્યાયના કર્તા ધ્રુવ દ્રવ્ય નથી પણ પય જ પર્યાયને કર્તા છે, અને તે ષટ્કારથી સ્વતંત્ર થાય છે. બુધ-મેાક્ષ પરિણામને ધ્રુવ દ્રવ્ય કરતું નથી, એમ બતાવીને પર્યાયની સન્મુખતા છેડાવી ધ્રુવની સન્મુખતા કરાવવી છે. (અનેકાંત સમજવા માટે કઈ અપેક્ષાએ કહેવાય છે તે સમજવુ અત્યંત જરૂરો છે અને તે જો સમજાય અને લક્ષમાં આવે તા ક્યાંય વિરોધાભાસ નહીં લાગે.) (જુએ પ્રશ્ન ૧૪૬૦, ૧૪૬૭).
૧૪૬૩ પ્ર. પ્રથમ ભૂમિકામાં જિજ્ઞાસુએ રાગદ્વેષના ભાવને પોતાના માનવા કે પુદ્ગલના ભાવ છે તેમ શ્રદ્ધા કરવી.
ઉ. જિજ્ઞાસુએ રાગાદિ ભાવેશ પોતામાં પોતાના અપરાધથી થાય છે તેમ જાણી, જ્ઞાન કરીને, તેને શ્રદ્ધામાંથી કાઢી નાખવા, કે રાગાદિનાં પરિણામ મારા સ્વભાવમાં નથી.
૧૪૬૪ પ્ર. શું કર્મના ઉદ્ય પ્રમાણે જીવ વિકાર કરે છે?
. જીવના વિકાર કરવામાં મેાહકમના વિપાક નિમિત્ત છે. કર્મોના
સર્વ પ્રાણીઓની જે નિશા, જાગે ચેાગીજન ત્યાંહિ; જ્યાં જગ મધુ જાગે, મુનિ ઊંધે નિશા ગણી ત્યાંહિ,
Page #471
--------------------------------------------------------------------------
________________
૪૪૯
વિપાક માં થાય, જીવમાં થાય નહિ. દ્રવ્યમેાહના ઉય હાવા છતાં જો જીવ શુદ્ધાત્મભાવનાના બળ વડે ભાવ મેાહરૂપે ન પરિમે તા બંધ થતા નથી.
૧૪૬૫ પ્ર. કાઈ વાર જીવની ઉપર જડ કનુ જોર વધી જાય છે અને કાઈ વાર જડ ફર્મ ઉપર જીવનું જોર વધી જાય છે એ બરાબર છે? ઉ. ના, એમ માન્યતા યથાર્થ નથી, કારણ કે જીવ અને જડ ક એ એ પદાર્થક્ ત્રિકાળ ભિન્ન ભિન્ન છે. તેમના પરસ્પર અત્યંત અભાવ છે; તેથી કાઈ કાઇના ઉપર જોર ચલાવતું નથી.
૧૪૬૬ પ્ર. પુદ્ગલ, જીવને વિકારરૂપે પરિમાવે છે—એ વાત સાચી છે ? ઉ. ના, એમ તેા ત્યારે પણ બનતું નથી, કેમ કે એક દ્રવ્ય ખીજા દ્રવ્યની પરિણતિના કર્તા હેતું નથી. શુદ્ધ યા અશુદ્ધ પરિણમન કરવામાં ચેતન સ્વયં સમર્થ છે. જે પુદ્ગલની જોરાવરીથી જીવને રાગદ્વેષનાં પરિમાણુ થાય તા શુદ્ધ ભાવ થવાના કદી અવસર આવી શકે નહિ. માટે કાઈ પણ સ્થળે (સત્ર) અંતરંગ કારણથી જ કાર્યની ઉત્પત્તિ થાય છે એવા નિશ્ચય કરવા જોઇએ. ૧૪૬૭ પ્ર. રાગદ્વેષ આદિ કર્મ જનિત છે કે જીવ જનિત છે ?
૩. સ્ત્રી અને પુરુષ એ બંનેના સચૈાગથી ઉત્પન્ન થતા પુત્રની જેમ, ચૂના અને હળદરના મિશ્રણથી ઉત્પન્ન થતા વર્ણ વિશેષની જેમ, રાગદ્વેષ આદિ જીવ અને ક અ બંનેના સ ંચાગ જનિત છે. શુદ્ધ નિશ્ચયનયનથી રાગદ્વેષ કર્મ નિત કહેવાય છે અને અશુદ્ધ નિશ્ચયનથી જીવ નિત કહેવાય છે. સાક્ષાત શુદ્ધ નિશ્ચયનયથી નૈના સંચાગ રહિત તેમની (રાગદ્વેષાદિની) ઉત્પત્તિ જ નથી. (જુએ પ્રશ્ન-૧૪૬૦, ૧૪૬૨).
૧૪૬૮ પ્ર. કાઈ કહે કે પચાસ ટકા ઉપાદાન (વા) અને પચાસ ટકા નિમિત્ત (કર્મ ના) અપરાધ માને ને?
ઉ. ના, તે ખરાખર નથી. સો એ સે ટકા આત્માને જ અપરાધ છે. શમાત્ર પણ બીજાના એટલે કે નિમિત્તના (કર્મોના) અપ
૨૯
પુણ્ય-પાપ એ બેઉને, ગણે ન સમજે કાઈ, સહતાં દુ:ખ ચિર ભવ ભમે, મેાહવો તે જીવ સૌ કાઈ,
Page #472
--------------------------------------------------------------------------
________________
૪૫o
રાધ નથી. જ્ઞાન સ્વયં ઊંધી પરિણતિથી હનપણે પરિણમે છે
અને આ કારણથી જ અલ્પજ્ઞતા છે; આમાં ઉપાદાનકારણ તે પિતાનું જ છે, જ્ઞાનાવરણીય કર્મનું તે નિમિત્ત માત્ર છે. શુદ્ધવસ્તુ (આત્મા) તે પરમપવિત્ર છે; પરંતુ પર્યાયમાં જે અશુદ્ધતા થાય છે તે પોતાના વિપરીત પુરુષાર્થથી થાય છે, કર્મના કારણે નથી થતી. રાગદ્વેષમાં અટક્યો છે તે કર્મના કારણે નથી અટક્યો પણ પોતાની ભૂલના કારણે અટકે છે. જેટલા પુરુષાર્થ એ છે તેટલું ઉપાદાન અજાગૃત રહે છે (જુઓ પ્રશ્ન ૧૬૧૮). ઉપાદાન બે પ્રકારના છે.--શાશ્વત ઉપાદાન અને ક્ષણિક ઉપાદાન. દ્રવ્યને જે ત્રિકાળી સ્વભાવ છે, તે શાશ્વત ઉપાદાન છે, અને તેની પ્રત્યેક સમયની પર્યાયની યોગ્યતા ક્ષણિક ઉપાદાન છે. ક્ષણિક ઉપાદાન પ્રત્યેક પર્યાયનું ભિન્ન ભિન્ન છે. અજ્ઞાનીને પ્રત્યેક સમયની પર્યાયના ઉપાદાનનું અર્થાત્ સ્વકાળનું ભાન નથી, તેથી તે એમ માને છે કે જેવું નિમિત્ત મળશે તેવી પર્યાય થશે, તે તેની મૂળમાં ભૂલ છે.
સ્વકાળ ક્ષણિક ઉપાદાન છે તથા સ્વભાવ ત્રિકાળી ઉપાદાન છે. ૧૪૬૯ પ્ર. ઉપાદાન અને નિમિત્તને અર્થ શું ?
ઉ. વસ્તુની સહજશક્તિ તે ઉપાદાન. સંગરૂપ કારણ તે નિમિત્ત,
જે પોતાથી ભિન્ન પર વસ્તુ છે. નિમિત્તને અર્થ એ છે કે એક દ્રવ્યના કાર્યકાળે બીજી ચીજ અનુકૂળપણે હાજર છે ખરી, પરંતુ
તે ચીજના લઈને કાર્ય થાય છે તેમ બિલકુલ નથી. ૧૪૭૦ પ્ર. સંગી કારણ નિમિત્ત કાર્યમાં કાંઈ કરે કે નહિ ?
ઉ. કાંઈ પણ કરે નહિ; તે પણ ઉપચારથી કારણ કહેવાય છે, પણ વાસ્તવિક કારણ નથી. જેમ કે મોક્ષમાર્ગને ઉપાદાન શુદ્ધાત્મા સ્વયં અને ઉપચારથી દેવ–શાસ્ત્ર–ગુરુ આદિ સંગ તે નિમિત્ત, આ પ્રમાણે ઉપાદાન અને નિમિત્ત ભિન્ન ભિન્ન છે અને ભિન્ન ભિન્ન વસ્તુઓ એકબીજાને પરિણાવી શકે નહિ તે મહા સિદ્ધાંત છે.
સત સ્વરૂપી આત્મા, ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્ત, સમજે કે વિરલા, થઈ જાય તે ભવમુકત,
Page #473
--------------------------------------------------------------------------
________________
૧૪૭૧ પ્ર. જો એકલા ઉપાદાનથી જ કાર્ય થાય છે તે પછી નિમિત્તની
આવશ્યકતા જ કયાં છે ? ઉ. કાર્યના સમયે તેનું અસ્તિત્વ છે, માત્ર એટલું બતાવવું છે.
તેની સહાયતાની આવશ્યકતા નથી તે પણ તેનું અસ્તિત્વ મટી ન જાય. કાર્યમાં તેમનું કર્તુત્વ બતાવવા માટે તેમને નિમિત્તકારણ નથી કહ્યું. ક્યા કાર્યના સમયે તે સંગ હોય છે, તે બતાવવા માટે સંગને પણ આરેપથી કારણ કહેવાય છે, વાસ્તવમાં તે કાર્યમાં કાંઈ પણ કરતું નથી. કાર્ય તે ઉપાદાનની પોતાની
શક્તિથી થાય છે. ૧૪૭૨ પ્ર. ધારો કે જીવ કર્મને કર્તા હોય પણ જીવ તેને ભક્તા ન હોય,
તે વાત સાચી છે ? ઉ. ના, “આત્મા ભોક્તા છે.” જે જે કાંઈ ક્રિયા છે તે તે સર્વ સફળ
છે. નિરર્થક નથી. કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા ગ્ય જ છે, અને તે થાય છે. તે ક્રિયાને આત્મા કર્તા હોવાથી ભક્તા છે.
“એક રાંક ને એક નૃપ, એ આદિ જે ભેદ,
કારણ વિના ન કાર્ય તે, એ જ શુભાશુભ ઘ.” ૧૪૭૩ પ્ર. કુંદકુંદાચાર્ય અથવા દિગંબર મત અને શ્વેતાંબર મતે જીવનું
કર્તાપણું ભિન્ન ભિન્ન છે ? ઉ. શુદ્ધ જૈન દર્શન તે સ્યાદવાદ છે. વીતરાગનાં વચને અનેકાંતવાદને
ઉપદેશ કરે છે. કોઈ પણ સિદ્ધાંત એકાંત સર્વથા સત્ય નથી. સિકકાને જેમ બે બાજુઓ છે તેમ જૈન દર્શનના મુખ્ય બે નય છે. (1) શુદ્ધ અથવા નિશ્ચયનય અને એ જ કુંદકુંદાચાર્યને ઉપદેશ
છે. અને (૨) પર્યાય અથવા વ્યવહારનય તે મુખે કરી શ્વેતાંબર મત છે.
નિશ્ચયનયના મતથી આત્મા ત્રિકાળ ધ્રુવ શુદ્ધ સ્વરૂપ છે તે
નિજ દશન સન્મુખ તે, લહતા સૌખ્ય અનંત; તે વિણ પુણ્ય કરે છતાં, સહતા દુ:ખ દુરંત
Page #474
--------------------------------------------------------------------------
________________
શુદ્ધ ભાવમાં શુદ્ધ સ્વરૂપ પરિણતીને કર્તા છે. અને પ્રકૃતિ કર્મને અકર્તા છે. શ્વેતાંબર મતથી સંસારી જીવ કમેના આવરણથી અશુદ્ધ છે અને તે અશુદ્ધ ભાવથી વર્તતા હોવાથી કર્મને કર્તા છે. બંને મતો સાચા છે. દિગંબર મત જીવનું શુદ્ધ સ્વરૂપ ઉપદેશે છે અને જીવના અંતિમ ધ્યેય તરફ નિર્દેશ કરે છે અને તે જ સાધ્ય છે. શ્વેતાંબર મત જીવની હાલની અશુદ્ધ દશા તરફ દષ્ટિગોચર કરાવી તે અશુદ્ધ, દશામાંથી છૂટી શુદ્ધ દશા તરફ જવા જીવને પુરુષાર્થ કરવા સજ્જ કરે છે. બંને મતની મેળવણી કરી જીવ સમજે તા. સમસ્ત જૈન દર્શન સમજાય. “નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ;
એકાંતે વ્યવહાર નહિ, બંને સાથે રહેલ.” ૧૪૭૪ પ્ર. કેટલાક લેકે એમ કહે છે કે વિકાર કર્મના કારણે થાય છે. જેમ
સિદ્ધ જીવોને કર્મ નથી તે તેમને વિકાર થતો નથી, તેથી એમ નક્કી થાય છે કે કર્મ ન હોય તે વિકાર થતો નથી અને કર્મ
હેય તો વિકાર થાય છે. શું તે બરાબર છે ? ઉ. વિકાર કર્મના કારણે નહીં પણ સ્વયં પોતાની ભૂલથી થાય છે.
જે કર્મના ઉદયથી જ રાગદ્વેષ થતો હોય તે સદેવ સંસાર જ રહે, કદી પણ કોઈને મેક્ષ થાય જ નહીં, કારણ કે સંસારી - જીવોને કર્મને ઉદય તે સદા કાળ થતા જ હોય છે. જ્યારે જીવ
સ્વયં વિકારી પરિણામ કરે છે તે કર્મને નિમિત્ત કહેવામાં આવે
છે, આમ વસ્તુનું સ્વરૂપ છે. ૧૪૭૫ પ્ર. જે વિકારને કર્મ જન્ય એટલે કર્મને કારણે થયો નહીં માને
તો તે વિકાર જીવને સ્વભાવ થયે ગણાય, તે શું યોગ્ય છે? ઉ. સમયસારની ૩૭૨મી ગાથામાં રાગને જીવને સ્વભાવ (પર્યાય ભાવ) કહ્યો છે. જીવને જે રાગદ્વેષ, મોહનાં પરિણામ થાય છે તે પોતાની સ્વયં ભૂલ અથવા અજ્ઞાનભાવથી પિતાને કારણે થાય છે. મિથ્યાત્વ,
પુણ્ય વિભવ તેથી મદ, મદથી મતિ ભ્રમ જાણ મતિભ્રમથી વળી પાપ તે, પુણ્ય હ ન નિદાન,
Page #475
--------------------------------------------------------------------------
________________
૪૫૩
શુભાશુભ ભાવ, પુણ્ય-પાપના ભાવ, એ બધાં અજ્ઞાનમય આત્મ પરિણામ છે. પરદ્રવ્યને તેની સાથે કોઈ સંબંધ નથી. પરદ્રવ્ય, પદ્રવ્યમાં છે અને આત્મા સ્વયં પોતાના વિકારી અથવા અવિકારી સ્વભાવમાં રમણ કરે છે. તેને પરની સાથે કઈ સંબંધ નથી. જેમ કર્મ રાગદ્વેષ કરાવવામાં અસમર્થ છે તેવી જ રીતે નેકમ પણ રાગદ્વેષ કરાવવામાં અકિંચિત્કર છે. સ્વયં
પિતાની ભૂલથી દુઃખ ઉત્પન્ન કર્યું છે. ૧૪૭૬ પ્ર. ઘણી જગ્યાએ જૂનાં કર્મોને આસવ કેમ કહ્યાં છે ? ઉ. જુનાં કર્મોને ઉદય નવીન કર્મોને આવવામાં (બાંધવામાં નિમિત્ત
છે તેથી તેને આસ્રવ કહ્યાં છે, જીવને સ્વભાવ નથી. અહીં આસવના બે ભેદ કર્યા છે. એક તો સંજ્ઞ (ચેતન) આસ્રવ અને બીજો અસંz (અચેતન) આસ્રવ. સંજ્ઞ એટલે ચેતનાભાસરૂપ જીવનાં પરિણામ અને અસંખ્ત એટલે જડ-પુગલનાં પરિણામ. રાગદ્વેષ-મોહ ચેતનનાં આભાસરૂપ પરિણામ છે તથા દર્શન મોહમિથ્યાત્વ, ચારિત્રમેહ-અવિરતિ, કષાય અને રોગને ઉદય અજીવ પુગલના પરિણામ છે. મિથ્યાત્વાદિ ગુગલનાં પરિણામ જીવના
રાગદ્વેષાદિના થવાથી નવીન આવરણ (કર્મબંધ)માં નિમિત્ત થાય છે. ૧૪૭૭ છે. એક બાજુ રાગદ્વેષ-મોહરૂપ આસ્ત્રને ચેતન્યનાં પરિણામ સિદ્ધ
કરી ચિદાભાસ (જીવના) કહ્યા અને બીજી બાજુ મિથ્યાત્વ કષાય આદિ જડનાં પરિણામ બતાવી આસવ કહ્યા તે હવે અમારે
શું સમજવું ? ઉ. જૂનાં (પૂર્વનાં) જડમેને ઉદય નવીન કર્મબંધમાં નિમિત્ત છે,
પરંતુ જ્યારે જીવસ્વયં રાગદ્વેષ-મેહનાં પરિણામ કરે છે, ત્યારે પૂર્વ કર્મના ઉદય નવીને કર્ણોરૂપી આસવના નિમિત્ત બને છે. જુના જડકર્મને ઉદય એટલા માટે આસ્રવ નામ પામ્યાં કારણ કે નવીન
દેવ, શાસ્ત્ર, મુનિવર તણી, ભક્તિથી પુણ્ય પમાય; નહીં કર્મક્ષય તેથી પણ, કહે આય મુનિરાય,
Page #476
--------------------------------------------------------------------------
________________
૪૫૪
પુદ્ગલ કર્મના બંધમાં જૂનાં પુદ્ગલ કર્મ નિમિત્ત થાય છે, જીવને સ્વભાવ નથી. જીવનાં આ પરિણામ જીવને કારણે જીવમાં જ થાય છે કર્મના કારણે નહીં. આ સંજ્ઞ (ચેતન) આત્રવ જ્યારે સ્વયં પ્રગટ થાય છે, તે વખતે જે પૂર્વકર્મને ઉદય હોય છે તેથી તે નિમિત્ત કહેવાય છે. આ નિમિત્તતાને કારણે તે પૂર્વમાં બાંધેલા મિથ્યાત્વ આદિ પુદ્ગલ પરિણામ આસવ કહેવાય છે. નિશ્ચયથી તે વિકારને કર્તા જીવ છે, તેમાં પર-કારકેની અપેક્ષા નથી. અહીં મુખ્યત્વે ત્રણ વાત કહી છેઃ (૧) જીવ રાગદ્વેષ-મેહનાં પરિણામ સ્વયં પિતાના કારણે ઉત્પન્ન
કરે છે, તે કોઈ કર્મને કારણે થતાં નથી. (૨) તે કાળમાં મિથ્યાત્વે આદિ અજીવ પુદ્ગલ કર્મ જે ઉદ્યરૂપે
પરિણમે છે, તે પણ તેની પોતાની યોગ્યતાથી પરિણમે છે,
અન્ય કોઈ કારણથી નહીં. (૩) તથા તે મિયાત્વ આદિ અજવ પુગલ નવીન કર્મોના
આવવામાં નિમિત્ત થાય છે તેથી નિમિત્તની અપેક્ષાથી તે
જડકર્મને પણ વ્યવહારથી આસવ કહેવામાં આવે છે. ૧૪૭૮ પ્ર. રાગ કેવી રીતે દૂર થઈ શકે તેનો શાસ્ત્રોમાં ક્યાંય કોઈ ઉલ્લેખ
નથી, તે શું કરવું ? ઉ, જે જીવ સ્વભાવને સ્પર્શ કરે તે રોગ ઉત્પન્ન જ ન થાય,
અને તેને રાગ દૂર કર્યો કહેવામાં આવે છે. “આ રાગ છે અને તેને ટાળું’ એ પ્રમાણે રાગના લક્ષથી રાગ કદી પણ દૂર થતા નથી, તેમ કરવાથી તે ઉલટાના રાગની ઉત્પત્તિ જ થાય છે. પોતાના શુદ્ધ ચેતન્ય શક્તિવાન આત્માના લક્ષથી અથવા આશ્રયથી રાગ ટળે. છે કારણ કે ખરેખર વાસ્તવમાં ત્યારે રાગ ઉત્પન્ન જ થત નથી. કર્મથી, રાગના અથવા પર્યાયના લક્ષથી રાગ દૂર થાય, એવું વસ્તુનું સ્વરૂપ જ નથી.
દેવ, શાસ્ત્ર, મુનિવર તણે દ્વેષ કરે જો કેય નિયમે પાપ ઉપાર્જતાં, ભવમાં ભમતા તે સૌકાય.
Page #477
--------------------------------------------------------------------------
________________
૪૫૫
૧૪૭૮ પ્ર. “આત્મવાદ પ્રાપ્ત” એ શબ્દનો અર્થ શું થાય ?
ઉ. શ્રી સૂત્રકૃતાંગસૂત્ર શ્રુતસ્કંધ ૧, અધ્યયન ૧૬, ગાથા ૫, ઉપર
ટીકાકાર શીલાંગાચાર્ય તે “આત્મવાદ પ્રાપ્ત” શબ્દને અર્થ એમ કહેતા હતા કે “ઉપયોગ છે લક્ષણ જેનું, અસંખ્ય પ્રદેશી, સંકોચવિકાસનું ભાજન, પિતાનાં કરેલાં કર્મોને ભક્તા, વ્યવસ્થાએ કરી દ્રવ્યપર્યાયરૂપ, નિત્યનિત્યાદિ અનંત ધર્માત્મક એવા આત્માને
જાણનાર.” ૧૪૮૦ પ્ર. જ્ઞાતા, જ્ઞાન અને રેય એક આત્મસત્તામાં જ છે કે બહાર છે?
ઉ. જેમાં વિદ્યા–અક્ષર અને અર્થ બંને ભિન્ન નથી, એ રીતે જ્ઞાતા
આત્માનું નામ છે, અને ચેતનાને પ્રકાર તે જ્ઞાન છે અને તે જ્ઞાન યરૂપ પરિણમન કરે છે તે અનંત શક્તિ આત્મામાં જ છે. તેથી વચનમાં ભેદથી ભલે તેને કોઈ ભેદ કહે પણ નિશ્ચયથી જ્ઞાતા,
જ્ઞાન અને સેય એક આત્મસત્તામાં જ છે. ૧૪૮૧ પ્ર. આત્મા સર્વ પ્રકાશક છે કે સર્વવ્યાપક છે ?
ઉ. જેને જેને સર્વ પ્રકાશકતા કહે છે, તેને વેદાંત સર્વવ્યાપકતા કહે છે. સિદ્ધ આત્મા કાલેક પ્રકાશક છે, પણ કાલેક વ્યાપક નથી, વ્યાપક તે સ્વઅવગાહના પ્રમાણ છે. જે મનુષ્યદેહે સિદ્ધિ પામ્યા તેના ત્રીજા ભાગ ઊણે તે પ્રદેશ ધન છે, એટલે આત્મદ્રવ્ય લોકાલોક વ્યાપક નથી, પણું લોકાલોક પ્રકાશક એટલે લોકાલકરાાયક છે.
કાલેક પ્રત્યે આત્મા જતો નથી, અને કલેક કંઈ આત્મામાં આવતાં નથી. સર્વે પોતપોતાની અવગાહનામાં, સ્વસત્તામાં રહ્યાં છે, પરંતુ જ્ઞાન જેમ સર્વવ્યાપક છે તેમ જ્ઞાની આત્મા પણ જ્ઞાનની
અપેક્ષાએ સર્વવ્યાપી છે. જ્ઞાન ગુણથી જ્ઞાની આત્માભિન્ન નથી. ૧૪૮૨ પ્ર. “આત્મસત્તા પિતાનાં સ્વચતુષ્ટયથી સદા અખંડિત છે.” તેને
અર્થ શું ? ઉ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ આ ચારે, વસ્તુમાં છે, તેથી સ્વચતુષ્ટય
મંત્ર તંત્ર ઔષધ નહી, જેથી પાપ પલાય; વીતરાગ વાણી વિના, અવર ન કોઈ ઉપાય
Page #478
--------------------------------------------------------------------------
________________
૪૫૬
એટલે કે સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવથી વસ્તુ અસ્તિત્વ રૂપ છે. જેમ ફળમાં વ, ગંધ, રસ અને સ્પર્શ એનાથી અભિન્ન છે. એમ આત્મસત્તા પેાતાનાં સ્વચતુષ્ટયથી સદા અખ`ડિત છે. ૧૪૮૩ પ્ર. ખીજમાં જીવ હાય અને ત્યાં સુધી હોય ?
૩. ખીજ જ્યાં સુધી વાવવાથી ઊગવાની ચેાગ્યતાવાળુ છે ત્યાં સુધી નિર્જીવ હેાય નહીં; સજીવ જ કહી શકાય. અમુક અવધિ પછી એટલે સામાન્યપણે બીજ (અન્નાદિનાં) ત્રણ વર્ષ સુધી સજીવ રહી શકે છે; તેની વચ્ચે તેમાંથી જીવ વી જાય ખરેા. સર્વે ખીજની અવધ ત્રણ વર્ષની સંભવતી નથી; કેટલાંક ખીજની સભવે છે. અવધ વીત્યા પછી તે નિર્જીવ એટલે નિખી જ થવા યેાગ્ય બ્લ્યુ છે. ૧૪૮૪ પ્ર. જીવ અથવા પરમાણુ નવા ઉત્પન્ન થાય છે ?
ઉ. ના; જીવ તથા પરમાણુ કદાપિ નાશ પામતા નથી. તેમજ કોઈપણ જીવ કે પરમાણુ - નવીન ઉત્પન્ન થતા નથી. અનાદિ કાળથી જેટલા પરમાણુએ છે તેટલા જ અનંતકાળ સુધી રહેશે.
૧૪૮૫ પ્ર. જ્ઞાનીએ કહ્યું છે, “તણખલાના બે કટકા કરવાની સત્તા પણ અમે ધરાવતા નથી, અધિક શુ' કહેવુ ?” આને અથ શું છે ?
ઉ. એના આશય એમ છે કે અમે તેા નાયક છીએ, એક પરમાણુ માત્રને પણ ફેરવવાનું કર્તૃત્વ અમે માનતા નથી. તણખલાના ખે કટકા થાય તેને કરવાની અમારી કે કેાઈ આત્માની તાકાત નથી પણ જાણવાની તાકાત છે, અને તે પણ એટલું જ જાણવાની તાકાત નથી, પણ પરિપૂર્ણ જાણવાની તાકાત છે.
૧૪૮૬ ત્ર, આત્મામાં અનત શક્તિઓ છે તેા તેમાંથી કાઈ એવી શક્તિ છે કે જે પરદ્રવ્યનું કામ પણ કરી શકે?
ઉ. પાતાનું કામ કરી શકે એવી અનંત શક્તિએ આત્મામાં છે પરંતુ પરદ્રવ્યનું કામ કરી શકે તેવી એક પણ શક્તિ નથી. (જુએ પ્રશ્ન ૧૭૪૫)
૧૪૮૭ પ્ર. આત્મામાં રુચપ્રદેશ એટલે શુ ? અને તે કેટલા ?
વિષયરૂપ અંકુરથી, ટળે જ્ઞાન ને ધ્યાન; લેશ મંદિરાપાનથી છાકે, જ્યમ અજ્ઞાન,
Page #479
--------------------------------------------------------------------------
________________
૪૫૭
ઉ, આત્માના રુચપ્રદેશે કરું વળગણા હોય નહીં, આત્માના રુચકપ્રદેશા નિધન છે. અસંખ્યાત પ્રદેશી આત્મામાં જ્યારે માત્ર આઠ જ પ્રદેશ ક રહિત છે. આત્માના આઠ રુચકપ્રદેશા પેાતાનું સ્થાન ન બદલે. સામાન્ય રીતે સ્થૂલ નયથી એ આઠ પ્રદેશ નાભિના કહેવાય; સૂક્ષ્મપણે ત્યાં અસ`ખ્યાતા પ્રદેશ કહેવાય. ૧૪૮૮ પ્ર. જીવ પહેલા કે
?
ઉ. બન્ને અનાદિ છે જ; જીવ પહેલે! હાય તા એ વિમળ વસ્તુને મળ વળગવાનું કંઈ નિમિત્ત જોઈએ. કર્મ પહેલાં કહે તા જીવ વિના ક" કર્યા. કાણે ? ન્યાયથી બન્ને અનાદિ છે જ.
૧૪૮૯ પ્ર. કર્મ તા જડ વસ્તુ છે તે આત્માને ક્રમ ઢીલેા પાડે છે? ઉ. નાથ' હાય છે તા જડ વસ્તુ, પણ બળદને વશ કરે છે તે ? બળદને તેા એક નાથ અને આ જીવને તા ૧૫૮ નાથ (કમ પ્રકૃતિ) છે. જીવે એક પ્રકૃતિ તાડી નથી.
૧૪૯૦ પ્ર. અરૂપી આત્મા સ્વાનુભવમાં આવે?
૩. હા; અરૂપી હાવા છતાં જ્ઞાનના અનુભવમાં આવે છે. જાણે જુએ જે સ–તે હું.
૧૪૯૧ પ્ર. આત્મહિતના કેટલા ઉપાય છે ?
ઉ. આત્માને આળખીને અનુભવ કરવા–તે એક જ ઉપાય. ૧૪૯૨ પ્ર. આત્માના સાક્ષાત્કાર કયારે થાય ?
. તેના અત્યંત રસ અને અત્યંત મહિમા આવે ત્યારે.
૧૪૯૩ પ્ર. જૈન તત્ત્વના અભ્યાસનું ફળ શું છે ? ઉ. આત્માને અનુભવ કરવા તે.
e
M
Mi
કામ ભાગ પ્યારા લાગે, ફ્લ પાર્ક સમાન; મીઠી ખાજ ખુજાવતાં, પીઅે દુ:ખકી માન.
Page #480
--------------------------------------------------------------------------
________________
૧૯
દયાન અને જીવનમાં બંધન
૧૪૯૪ પ્ર. ધ્યાન એટલે શું ? ઉ. ઉત્તમ સંહનનવાળાનું જે એક વિષયમાં અંતઃકરણની વૃત્તિનું
સ્થાપન તે ધ્યાન. તે અંતર્મત પર્યત રહે છે. ૧૪૯૫ પ્ર. દરાનના કેટલા પ્રકાર છે ?
ઉ. આd, રૌદ, ધર્મ અને શુકલ એ ચાર પ્રકાર ધ્યાનના છે. તેમાંથી
પછીનાં બે મોક્ષનાં કારણ છે. જે આ લોક સંબંધી ફળ ચાહે છે, તે સૌને આd કે રૌદ્ર ધ્યાન હોય છે. ધ્યાનના ઘણું ઘણું પ્રકાર. છે. એ સર્વમાં શ્રેષ્ઠ એવું તે આત્મા જેમાં મુખ્ય પણે વતે છે, તે ધ્યાન કહેવાય છે, અને એ જ આત્મધ્યાનની પ્રાપ્તિ, ઘણું કરીને
આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના થતી નથી. ૧૪૯૬ પ્ર. આર્તધ્યાન કેને કહે છે ?
ઉ. આ શબ્દમાં મૂળ ધાતુ “ઋત” છે. ઋત્તને અર્થ દુઃખ કે
પીડા થાય છે એ રોતે દુઃખના નિમિત્તથી કે દુઃખમાં જે સંકલેશ, ભાવ થાય છે કે આર્તધ્યાન છે. કોઈ પણ પરપદાર્થને વિષે ઈચ્છાની પ્રવૃત્તિ છે, અને કઈ પણ પરપદાર્થના વિયેગની ચિંતા છે, તેને શ્રી જિન આર્તધ્યાન કહે છે. વ્યાપાર આદિમાં હાનિ થાય, પુત્ર પરદેશમાં હોય ત્યારે ઘરના માણસને ચિંતાનાં પરિગુમ થાય, સુંદર સ્ત્રીને વિયેગથી ચિંતા થાય, ઘરમાં સ્ત્રી પ્રતિકૂળ વર્તન કરે, દુકાન સારી ન ચાલે, પુત્ર-પુત્રી આજ્ઞાપાલક ન હોય, એવા પ્રસંગે પિતાને કારણથી થવાવાળાં શોકનાં પરિણામ તે આર્તધ્યાન છે. આર્તધ્યાન કરતાં ધર્મધ્યાનમાં વૃત્તિ લાવવી એ જ શ્રેયસ્કર છે અને જેને માટે આર્તધ્યાન ધ્યાવવું
Page #481
--------------------------------------------------------------------------
________________
૪૫૯
પડતું હોય ત્યાંથી કાં તે મને ઉઠાવી લેવું અથવા તે તે કૃત્ય કરી લેવું એટલે તેથી વિરકત થવાશે. આ સ્થાન પ્રા.તિર્યંચગતિનું કારણ થાય છે. માટે તે ત્યાજ્ય છે. આર્તધ્યાન તારતમ્યતાથી (એછે વ) મિથ્યાદષ્ટિ ગુણસ્થાનેથી માંડીને છઠ્ઠા ગુણસ્થાન સુધીના જીવોને સંભવે છે. તે પણ જે જીવને સમ્યક્ત્વ પ્રાપ્ત થતાં પહેલાં તિર્યંચનું આયુષ્ય બંધાઈ ગયું હોય તે સિવાયના -
અન્ય સમ્યગ્દષ્ટિને તે આર્તધ્યાન તિર્યંચગતિનું કારણ થતું નથી. ૧૪૯૭ પ્ર. અપધ્યાન કેને કહે છે ?
ઉ. સ્વયં વિષયને અનુભવરહિત હોવા છતાં પણ આ જીવ બીજાના
જોયેલા, સાંભળેલા, અનુભવેલા વિષયેનું મનમાં સ્મરણ કરીને જે
વિષયેની અભિલાષા કરે છે તેને અપધ્યાન કહેવામાં આવે છે. ૧૪૯૮ પ્ર. આ ધ્યાનના કેટલા ભેદ છે ?
ઉ. તેના ચાર ભેદ છે ?
૧. ઈષ્ટ વિયેગ જન્ય, ૨. અનિષ્ટ સંગ જન્ય, ૩. વ્યાધિ પ્રતિકાર જન્ય, અને ૪. નિદાન જન્ય. (૧) મને શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શને સંગ ઇછે. ઈષ્ટ
વિયોગ જન્ય આર્તધ્યાન-પ્રિય પુત્ર, મિત્ર, કલત્ર, ધન આદિના
વિયેગથી થતા દુઃખમય ભાવોની એકાગ્રતા. (૨) અમને શબ્દાદિને વિયોગ ઇછે. અનિષ્ટ સંયોગ જન્ય
આર્તધ્યાન-અપ્રિય દુર્ગણ પુત્ર, કલત્ર, શત્રુ આદિના સંયોગમાં
એ સંબંધ ક્યારે છૂટે એવી ચિંતા. (૩) જવરાદિ રોગોને નાશ ઈ છે. પીડા અથવા વ્યાધિપ્રતિકાર ચિંતવન આર્તધ્યાન-રોગ, પીડા, ક્યારે માટે તેને માટે
ઉપાયગમાં ચિંતિત પરિણામ રહ્યા કરે છે. (૪) નિદાન જન્ય આર્તધ્યાન-પ્રાપ્ત કામ ભોગો અચલ રહે એમ
ઈચ્છે. ધર્મક્રિયાનાં ફળરૂપ આગામી કાળમાં ભેગ મળે તે. ભાવ રાખવા.
પાન ગરીબી, ગુરુવચન, નરમ વચન નિર્દોષ; ઈન કભી ન છાંડિયે, શ્રદ્ધા શીલ સંતોષ,
Page #482
--------------------------------------------------------------------------
________________
४६०
૧૪૯૯ પ્ર. આર્તધ્યાનીનાં કેટલાં લક્ષણ છે ?
ઉ. આર્તધ્યાનીનાં ચાર લક્ષણો છે ?
(૧) આઝંદ-રૂદન કરે, (૨) શેક-ચિંતા કરે, (૩) અથુપાત કરે,
(૪) વલેપાત કરે. ૧૫૦૦ પ્ર.. રૌદ્રધ્યાન કોને કહે છે ?
ઉ. દુષ્ટ પરઘાતક સ્વાર્થ સાધક હિંસક પરિણામોની એકાગ્રતા તે રૌદ્ર
ધ્યાન પ્રાયઃ નર્કગતિનું કારણ થાય છે. રૌદ્રધ્યાન તારતમ્યતાથી મિથ્યાદષ્ટિથી માંડીને પાંચમા ગુણસ્થાન સુધીના જીવોને સંભવે છે. તે પણ જે જીવે સમ્યફત્વ પ્રાપ્ત કર્યા પહેલાં નરકનું આયુષ્ય બાંધ્યું હોય તે સિવાયના અન્ય સમ્યગ્દષ્ટિ
એને તે નરક ગતિનું કારણ થતું નથી. ૧૫૦૧ પ્ર. રૌદ્રધ્યાનના કેટલા ભેદ છે ?
ઉ. તેના ચાર ભેદ છે : (૧) હિંસાનંદી-બીજા પ્રાણીઓની હિંસા કરવામાં, કરાવવામાં,
અનુમોદવામાં આનંદ માનનાર. (૨) મૃષાનંદી-અસત્ય બોલવામાં, બોલાવવામાં, બોલનારને સારું
કહેવામાં, જૂઠાને સાચું સાબિત કરી આનંદ માનનાર. (૩) ચૌર્યાનંદી–પરદવ્ય આદિની ચેરી કરવી, કરાવવી, કરનારને
ભલું માનવું ઇત્યાદિ. (૮) પરિગ્રહાનંદી-પરિગ્રહ એકઠે કરકરાવ, અનુમોદ
અને પરિગ્રહરક્ષામાં આનંદ માનવો. ૧૫૦૨ પ્ર. ધર્મધ્યાનના કેટલા ભેદ છે ?
ઉ. જ્ઞાનસ્વભાવી આત્માનાં શ્રદ્ધાન-જ્ઞાન કરી એકાગ્રતા કરવી ધર્મધ્યાન
છે. પોતાના આત્માના આશ્રયથી જે વીતરાગી ધ્યાન પ્રગટ થાય છે, તે ધર્મધ્યાન છે. ધર્મધ્યાનના ચાર ભેદ છે : (૧) આજ્ઞાવિયઃ આજ્ઞા એટલે સર્વજ્ઞ ભગવંતે ધર્મતત્ત્વ સંબંધી
જે જે કહ્યું છે તે તે સત્ય છે. એમાં શંકા કરવા જેવું નથી.
પ્રાણીમાત્રને રક્ષક, બંધવ અને હિતકારી એ કેઈ ઉપાય હોય તો તે વીતરાગ ધમ જ છે.
Page #483
--------------------------------------------------------------------------
________________
૪૬૧
(૨) અપાયવિચાય : રાગ, દ્વેષ, કામ, ક્રોધ. એથી જે દુખ ઉત્પન્ન
થાય છે તેનું જે ચિંતન કરવું. હું ક્યાં ક્યાં ભટકળ્યો છું ? એ બધું વિચારવું; અમારાં તથા અન્ય જીવોનાં કર્મોને નાશ ક્યારે
થશે એ પ્રકારનું ચિંતન, તે અપાયરિચય અપાય એટલે દુઃખ. (૩) વિપાકચિય : હું જે જે ક્ષણે દુઃખ સહન કરું છું તે.
સઘળું કર્મના ફળના ઉદય વડે કરીને છે. (૪) સંસ્થાનવિચય : ત્રણ લેનું સ્વરૂપ ચિંતવવું તે. એ ત્રણ
લેકનાં સર્વ સ્થાનક આ આત્માએ સમ્યકત્વ રહિત કરણીથી અનંત વાર જન્મ-મરણ કરી સ્પર્શ મૂક્યાં છે એમ.
ચિંતવન કરવું. ૧૫૦૩ પ્ર. ધર્મધ્યાનનાં કેટલાં લક્ષણ છે ?
ઉ. ધર્મધ્યાનનાં ચાર લક્ષણ છે : (૧) આજ્ઞારુચિ ? એટલે વીતરાગ ભગવાનની આજ્ઞા અંગીકાર
કરવાની રુચિ ઉપજે તે. (૨) નિસરુચિઃ આત્મા સ્વાભાવિકપણે જાતિસ્મરણાદિક જ્ઞાને
કરી શ્રુત સહિત ચારિત્રધર્મ ધરવાની રુચિ પામે તે નિસરુચિ. (૩) સૂત્રરુચિ: સૂત્ર શ્રવણ કરવા, મનન કરવા અને ભાવથી પઠન
કરવાની રુચિ ઉપજે તે સૂવરુચિ. (૪) ઉપદેશરુચિઃ અજ્ઞાને કરીને ઉપાર્જેલાં કર્મ જ્ઞાન કરી ખપાવીએ
તેમજ જ્ઞાન વડે કરીને નવાં કર્મ ન બાંધીએ; તે માટે અજ્ઞાનાદિક આસ્રવ માર્ગ છોડીને જ્ઞાનાદિક સંવર માર્ગ ગ્રહણ કરવા તીર્થકર ભગવંતને ઉપદેશ સાંભળવાની રુચિ
ઊપજે તે. ૧૫૦૪ પ્ર. ધર્મધ્યાનનાં ચાર આલંબન છે તે કહો.
ઉ. (૧) વાંચના : એટલે વિનય સહિત જિરા તથા જ્ઞાન પામવાને
અમૂલ્ય આત્મા છે. નિમૂલ્ય નહી કરે. સવ તુચ્છ છે, તું અમૂલ્ય છે, તારો એક આત્મા, તેને થઈ જા,
.
......
.
.
.
Page #484
--------------------------------------------------------------------------
________________
માટે મર્મન જાણનાર ગુરુ કે પુરુષ સમીપે સૂત્રતત્ત્વનું
વાંચન લઈએ તે. (૨) પૃચ્છના : શંકાશલ્ય નિવારણને માટે ગુર્નાદિકને પ્રશ્ન પૂછીએ
તેને પૃચ્છના કહીએ. (૩) પરાવર્તન : પૂર્વે જિનભાષિત સૂત્રાર્થ જે ભણ્યા હોઈએ તે
સ્મરણમાં રહેવા માટે, નિર્જરાને અર્થે, શુદ્ધ ઉપયોગ સહિત શુદ્ધ સૂત્રાથેની વારંવાર સજઝાય કરીએ તેનું નામ પરા
વર્તાનાલંબને. (૪) ધર્મકથા ઃ વીતરાગ ભગવાને જે ભાવ જેવા પ્રણીત કર્યા છે,
તે ભાવ તેવા લઈને, પોતાની નિર્જરાને અર્થે સભામધે, તે
ભાવ તેવા પ્રણીત કરીએ તેને ધર્મકથાલંબન કહીએ. ૧૫૦૫ પ્ર. ધર્મધ્યાનની અનુપ્રેક્ષા કેટલી છે ?
ઉ. ધર્મયાનની અનુપ્રેક્ષા પણ ચાર છે :
(૧) એકવાનુપ્રેક્ષા, (૨) અનિત્યાનુપ્રેક્ષા, (૩) અશરણાનુપ્રેક્ષા, (૪) સંસારાનુપ્રેક્ષા.
(વિશેષ માટે જુઓ “બાર ભાવના” પ્રશ્ન-૧૦૯૩). ૧૫૦૬ ક. ધર્મધ્યાનમાં ચાર ભાવનાઓ કઈ કહી છે? અથવા અનંતકાળથી
જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ ક્યાંય થતી નથી અને
તે શું કરવાથી થાય ? ઉ. ધર્મધ્યાનમાં ચાર ભાવનાથી ભૂષિત થવું સંભવે છે : (૧) મૈત્રી : સર્વ જગતના જીવ ભણી નિરિબુદ્ધિ, સર્વ જીવ
પ્રત્યે હિતચિંતવના. (૨) પ્રમોદ : અંશ માત્ર પણ કોઈને ગુણ નિરખીને રોમાંચિત
ઉલ્લાસવાં. ગુણ જીવ પ્રત્યે ઉલ્લાસ પરિણમ.
દેહધારી આત્મા પંથી છે અને દેહ એ ઝાડ છે, આ દેહરૂપી ઝાડમાં (નીચે) જીવરૂપી પંથી વટેમાર્ગ થાક લેવા બેઠો છે. તે પંથી ઝાડને જ પોતાનું કરી માને એ કેમ ચાલે ?
Page #485
--------------------------------------------------------------------------
________________
૪૬૩
(૩) કરુણું : જગતજીવનાં દુઃખ દેખીને અનુકંપિત થવું. કોઈ પણ
જીવને જન્મ-મરણથી મુક્ત થવાનું કરવું. (૪) મધ્યસ્થતા : શુદ્ધ સમદષ્ટિના બળવીર્યને એગ્ય થવું. નિર્ગુણી
જીવ પ્રત્યે મધ્યસ્થતા. ૧૫૦૭ પ્ર. ધર્મધ્યાનના બળથી સાત પ્રકૃતિઓ નષ્ટ થાય છે તેમ કહ્યું છે
તે સાત પ્રકૃતિઓ કઈ ગણાવી છે ? ઉ, સાત પ્રકૃતિ : અનંતાનુબંધી, જેના કારણથી અનંત સંસારને બંધ
થાય તે, (૧) કેધ, (૨) માન, (૩) માયા, (૪) લેભ, (૫) મિથ્યાત્વ મેહનીય (વિપરીત તત્ત્વશ્રદ્ધા), (૬) મિશ્ર મેહનીય, (૭) સમકિત મોહનીય. ધર્મધ્યાન, સમ્યગ્દષ્ટિ વિના મિથ્યાદષ્ટિને હેતું નથી એ નિયમ છે. ચોથા ગુણસ્થાનથી સાતમા ગુણસ્થાન
પર્યત ધર્મધ્યાન હોય છે. પ્ર. “પરમાત્મ પ્રકાશમાં પરમાત્માના ધ્યાન કરવાને ધર્મધ્યાન કહ્યું
છે, તે કેવી રીતે કહ્યું છે ? ઉ. પરમાત્માના ધ્યાન કરવાનું કહીને પોતાના જ આત્માનું ધ્યાન
કરવાનું કહ્યું છે, પિતાનાથી ભિન્ન પરમાત્માનું નહીં. પરમાત્માના જેવો જ પિતાને સ્વભાવ પરિપૂર્ણ રાગાદિ રહિત છે, તેને ઓળખી તેનું જ ધ્યાન કરવું, એ જ પરમાર્થથી પરમાત્માનું ધ્યાન છે. આ સિવાય અરિહંત અથવા સિદ્ધનું લક્ષ કરવું સાચું ધર્મધ્યાન નથી, પરંતુ રાગ છે અને પરમાર્થથી રાગ તે આર્તધ્યાન છે, તેથી તેનાથી કદી પણ ધર્મધ્યાન થઈ
શકતું નથી. ૧૫૦૯ પ્ર. શુકલધ્યાનને રંગ શું સફેદ છે ?
ઉ. શુકલધ્યાન તે ચૈતન્યના આનંદનો અનુભવમાં લીનતાની ધારા
છે, તે તે કેવળજ્ઞાન પ્રાપ્તિની શ્રેણી છે. તેને રંગ નથી હોતો. સફેદ રંગ તે રૂપી પુદ્ગલની પર્યાય છે. અહીં શુકલધ્યાનમાં “શુકલ”ને અર્થ સફેદ રંગ નથી, પણ રાગની મલિનતા રહિત,
જીવે પૂર્વ ભવમાં જે પુણ્ય કે પાપકમને સંચય કર્યો છે તેને દૈવ (નસીબ) કહેવાય છે.
Page #486
--------------------------------------------------------------------------
________________
ઉજ્જવલ, પવિત્ર છે. શુકલધ્યાન તે અરૂપી પર્યાય છે, આ
સ્વરૂપ-સાધન દ્વારા જ ભગવાને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. ૧૫૧૦ પ્ર. શુકલધ્યાન કેને કહે છે ?
ઉ. ધ્યાન અને ધ્યેયના વિકલ્પરહિત શુદ્ધ આત્મામાં વિશેષ ધ્યાન
કરવું શુકલ ધ્યાન છે. આ ધ્યાન ધર્મધ્યાનની અપેક્ષાએ વિશેષ એકાગ્રતાવાળું છે. “હું આત્મા ધ્યાન કરવાવાળો છું, અને પરિપૂર્ણ શુદ્ધ અવસ્થા મારું ધ્યેય છે”, એવા ધ્યાન અને ધ્યેયને વિકલ્પરહિત શુકલધ્યાન હોય છે. જે ધ્યાન છૂટે નહિ તે શુક્લધ્યાન કહેવાય છે, એટલે મોક્ષ આપે એવું ધ્યાન. શુકલધ્યાનના ચાર પ્રકાર છે ઃ ૧. પૃથકવિતર્ક વિચાર : દ્રવ્ય, ગુણ અને પર્યાયના ભિન્નપણાને “પૃથક્ત્વ' કહે છે. જો કે ધ્યાન કરનાર પુરુષ નિજ શુદ્ધાત્માનું સંવેદન છોડીને બાહ્ય પદાર્થોનું ચિંતન કરતા નથી તો પણ જેટલા અંશે તેને સ્વરૂપમાં સ્થિરતા નથી તેટલા અંશે ઇચ્છા વિના વિકલ્પો ઉત્પન્ન થાય છે તે કારણે આ ધ્યાનને પૃથફત્વવિતર્ક વિચાર’ કહેવાય છે. આ પ્રથમ શુકલધ્યાન આઠમે, નવમે, દશમે, અને અગિયારમે ગુણસ્થાને હોય છે. એકવિતર્ક વિચાર : આ ધ્યાન નિજશુદ્ધાત્મ દ્રવ્યમાં, અથવા આત્મસુખ અનુભવરૂપ પર્યાયમાં અથવા ઉપાધિરહિત સ્વસંવેદના ગુણમાં–આ ત્રણેમાંથી જે એમાં સ્થિર થઈને અવિચારરૂપ હોય. છે એટલે દ્રવ્ય, ગુણ કે પર્યાયમાં પરાવર્તન કરતું નથી, તે ક્ષીણ કષાય નામના બારમા ગુણસ્થાનમાં હોય છે. ૩. સૂક્ષ્મક્રિયા પ્રતિપાતિ : સૂક્સકાયની ક્રિયાના વ્યાપારરૂપ અને અપ્રતિપાતિ (ન પડે તેવું) એવું ત્રીજુ શુકલધ્યાન છે તે ઉપચારથી સગી કેવળીજિનને, તેમાં ગુણસ્થાનમાં હોય છે. વ્યુપરતક્રિયા નિવૃત્તિ : સુપરત ક્રિયા હેય (સર્વ ક્રિયાની નિવૃત્તિ થઈ હેય) અને અનિવૃત્તિ હોય અર્થાત મુક્તિ ન થઈ હોય તે વ્યુપરતક્રિયા નિવૃત્તિ' નામનું ચોથું શુકલધ્યાન છે. તે ઉપચારથી “અગી કેવળી જિન”
પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવે સદા, બ્રહ્મચય મતિમાન
Page #487
--------------------------------------------------------------------------
________________
૪૬૫
. ૧૪માં ગુણસ્થાનમાં હોય છે. ઉપરાંત અને ક્ષીણ મેહમાં પહેલાં
બે શુકલધ્યાન સંભવે છે, તે પૂર્વધરને હોય છે. પછીનાં બે કેવળીને હોય છે. આ કાળમાં શુકલધ્યાનની મુખ્યતાને અનુભવ ભારતમાં અસંભવિત છે. દ્રવ્યાનુગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે, નિગ્રંથ પ્રવચનનું રહસ્ય છે, શુકલધ્યાનનું અનન્ય કારણ છે. શુકલ ધ્યાનથી કેવળ જ્ઞાન સમુત્પન થાય છે. પણ પ્રથમ મેક્ષના માર્ગની અનુકૂળતા ધર્મધ્યાનથી થાય છે. આઠમા ગુણસ્થાને ક્ષપકશ્રેણી એટલે શુકલ ધ્યાનને પ્રથમ પા. જીવ ૧૨મા ક્ષીણ મેહ નામના ગુણસ્થાને આવે છે ત્યારે શુકલધ્યાનના બીજા વિભાગમાં પ્રવેશે છે. કેવળી ભગવાનનું આયુષ્ય પૂર્ણ થવાને અંતર્મુહૂતકાળ બાકી રહે છે ત્યારે તેઓ શુકલધ્યાનના ત્રીજા
પાયામાં પ્રવર્તે છે. ૧૫૧૧ પ્ર.
પ્ર. જીવને મોટાં બે બંધન કયાં કહ્યાં છે ? ઉ. એક સ્વછંદ અને બીજું પ્રતિબંધ. સ્વછંદ ટાળવાની ઈચ્છા
જેની છે, તેણે જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ, અને પ્રતિબંધ ટાળવાની ઈચ્છા જેની છે, જેણે સર્વે સંગથી ત્યાગી થવું જોઈએ. કલ્યાણ કરવામાં જે જે વિદને નડે, પરમાર્થ ન સાધવા દે, તે બધા પ્રતિબંધ છે. પ્રતિબંધથી જમવું થાય છે. વારંવાર એકનું એક સાંભરે અથવા ગાઢ સંસ્કાર થઈ જાય તે પ્રતિબંધ છે. મનમાં “મારું” (કોઈ પણ વસ્તુ સાથે તન્મયતા અથવા મારા પણું) એમ થઈ ગયું તો પછી બહાર નીકળવું મુશ્કેલ પડે.
રેકે જીવ સ્વછંદ તો, પામે અવશ્ય મોક્ષ. પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ.” વછંદનું નિમિત્ત કારણ અસત્સંગ છે. સ્વચ્છંદવળી નીચેના ત્રણ
હાલના વખતમાં મનુષ્યનું કેટલુંક આયુષ્ય બાળપણમાં જાય, કેટલુંક સી પાસે જાય, કેટલુંક નિદ્રામાં જાય, કેટલુંક ધંધામાં જાય, અને સહેજ રહે તે ગુરુ લૂંટી લે એટલે મનુષ્યભવ નિરર્થક ચાલ્યો જાય,
Page #488
--------------------------------------------------------------------------
________________
૪૬૬
દેષનુ ઉપાદાન કારણ છે. એક તે “હું જાણું છું”, “હું સમજુ ધ્રુ” એવા પ્રકારનું માન જીવને રહ્યા કરે છે તે માન. ખીજો દાષ પરિગ્રહ અને ત્રીજો લેાકભયને લીધે, અપકીર્તિ ભયને લીધે અને અપમાનભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવુ.
કાઈ ક્રિયા જડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કાઈ, માને મારગ મેક્ષના, કરૂણા ઉપજે જોઈ.
આ પદમાં સ્વચ્છંદ અને પ્રતિષધ બન્ને દાષા સમાઈ જાય છે. ક્રિયાજડતાને પ્રતિબંધ અને શુક્નાની તે સ્વચ્છ ંદી. આ બન્ને દાષાને યથાર્થ રીતે સમજી અને પુરુષાર્થ કરી ટાળવા. જે જીવ ખાવા, પીવા, કમાવા આદિ અનેક કાર્યોંમાં પુરુષા તા કરે છે પણ ધર્મની વાતમાં જે થવાનું હશે તે થશે તેમ હાનહાર બતાવી આત્મસન્મુખ થવાના પુરુષાર્થ કરતા નથી તે તા સ્વચ્છંદી છે.
૧૫૧૨ પ્ર. જેણે સ્વચ્છંદને મોંદ કર્યાં છે, એવા પુરુષને કેટલા પ્રકારે પ્રતિબંધ વર્તે છે ?
ઉ. (એવા પુરુષને પ્રતિબદ્ધતા ચાર પ્રકારે હોઈ શકે) (૧) લેાકસબધી બંધન, (૨) સ્વજન કુટુંબ બંધન, (૩)દેહાભિમાન રૂપ ખધન, (૪) સંકલ્પ વિકલ્પરૂપ ધન,
જેને પ્રતિબંધ ટાળવાની ઇચ્છા છે, તેણે સર્વસ'ગથી ત્યાગી થવું જોઈએ.
૧૫૧૩ પ્ર. કલ્યાણના માર્ગમાં પ્રતિબંધ કરનારાં કારણેા ક્યાં છે ? અને તેના ઉપાય શા છે?
ઉ. આરંભ, પરિષ્ઠહ, અસત્સંગ આદિ કલ્યાણુને પ્રતિબંધ કરનારાં કારણેામાં જેમ બને તેમ એછે। પરિચય થાય તેમાં ઉદાસીનતા થાય એમ વર્તવું, સરળપણું, ક્ષમા, પેાતાના દેષનું જોવું, અપાર’ભ,
જ્ઞાન એ દારા પરોવેલ સાય જેવુ' છે, દારો પરાવેલ સાય ખાવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સ`સારમાં ભૂલુ' પડાતુ નથી.
Page #489
--------------------------------------------------------------------------
________________
૪૬૭
અલ્પપરિગ્રહ, જ્ઞાની પુરુષનાં વચનેને યથાયાગ્ય વિચાર અને જ્ઞાની પુરુષની અત્યંત ભકિત એ આદિ સાધનેા આરાધવાં.
૧૫૧૪ પ્ર. જીવના કલ્યાણુ થવામાં કયાં કારણા રુકાવટ કરે છે ? ૧. અભિમાન : જાણતા નથી છતાં હુ જાણુ' છું એમ જીવ અભિમાન કરે છે. લેાકભય : : હું ધર્મી કરું છું પણ લાકે મને શું કહેશે ? એવા ભય રહે.
૩. મૂળધર્માંની ક્રિયા કરતા હોય તે કેમ ત્યાગી શકાય ? એમ માને ૪. જ્ઞાની પુરુષનું કહ્યું કરવાને બદલે નકલ કરે. જ્ઞાની પુરુષ જે પૂર્વ-કમને યોગે પંચવિષયાદિમાં પ્રવૃત્તિ કરતા હાય છે તે જોઈને પાત કરે.
૨.
૧૫૧૫ પ્ર.
પરમાર્થ માં કયા પ્રશ્નો જીવને ઉપયેાગી છે? ઉ. (૧) તરવા માટે જીવે પ્રથમ શું જાણવું ? (૨) જીવનું ભ્રમણુ થવામાં મુખ્ય કારણ શું ? (૩) તે કારણ કેમ ટળે ?
(૪) તે માટે સુગમમાં સુગમ એટલે થાડા કાળમાં ફળદાયક થાય
એવા કયા ઉપાય છે?
૧૫૧૬ પ્ર. જિનમુદ્રા કેટલા પ્રકારે છે?
ઉ. જિનમુદ્રા બે પ્રકારે છેઃ કાયાત્સગ અને પદ્માસન, પ્રમાદ ટાળવાને ખીન ઘણાં આસને કહ્યાં છે. પણ મુખ્યત્વે આ બે આસના છે.
જે પાપ કાચને છાડીને પુણ્ય કાર્યોને જ કરે છે તે પ્રશંસા ધાન્ય છે, પરંતુ જે પુણ્ય-પાપ અને છેાડીને શુદ્ધ ઉપયાગમાં સ્થિત થાય છે તે વંદનીય છે.
Page #490
--------------------------------------------------------------------------
________________
૨૦
આત્મધ્યાન
૧૫૧૭ પ્ર. આત્માને શુદ્ધ કરવાને સહજ ઉપાય શું છે? ઉ. એકમાત્ર ઉપાય આત્મધ્યાન છે.
૧૫૧૮ પ્ર. સાચા ધ્યાનનું સ્વરૂપ કહેા.
ઉ, એકાગ્ર ચિંતા નિરાધેધ્યાન” એટલે કે અનેક પદાન ચિંતાને દૂર કરી એક પદાર્થ ઉપર ચિંતાને રાકવી તેને ધ્યાન કહેવામાં આવે છે, અને એવું ધ્યાન ઉત્તમ સંધયણવાળાને અંતર. મુદ્ભુત કાળપ ત પ્રાપ્ત થઈ શકે છે. આ બાબત આચા અકલ કવે વધારે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે અમ”ના અ પદાર્થ” છે તથા પદાર્થ બાબતમાં અંતઃકરણના જે વ્યાપાર થાય છે તેનુ નામ ચિંતા કહી છે. એક દ્રવ્ય પરમાણુ અથવા ભાવ પરમાણુરૂપ પદાર્થ તેમાં જે ચિંતાને રાકવામાં અથવા નિયંત્રિત કરવામાં આવી તે ક્રિયાને ધ્યાન સમજવું. જેવી રીતે વાયુને અભાવ હોય ત્યારે બાધારહિત પ્રકાશિત થતાં દીપકની લો ચંચલતારહિત સ્થિર રહે છે એ પ્રમાણે આત્માની વીય વિશેષ શકિત વડે વિભિન્ન પદાર્થો પ્રત્યેથી રાકવામાં આવેલી ચિંતા તે ચ ચલતા રહિત થતાં કાઈ એકાગ્ર સ્વરૂપમાં સ્થિર થાય છે, ચ ંચલ ચિત્તને અન્યત્ર પરિણમતું રેકીને કાઈ એક પદાર્થને વિષે આશ્રિત કરી લેવુ એનું નામ નિરાધ છે. એક વસ્તુના આશ્રય કરી લેવાવાળુ ચિત્ત જે સ્થિર અધ્યવસાય છે તેને ધ્યાન કહે છે. આવા પ્રકારનુ ધ્યાન, છંદમસ્થાને જ થાય છે. કેવળીને નહીં. કેવળીએનું ધ્યાન, વચન અને કાય. યાગના નિરાધસ્વરૂપ છે કેમ કે તેને ચિત્તના તા અભાવ થઈ ચૂકયો છે.
Page #491
--------------------------------------------------------------------------
________________
૧૫૧૯ પ્ર. આત્મધ્યાનથી શુ થાય ?
.
આ મધ્યાનથી આત્મા દેહથી તદ્દન ભિન્ન ભાસે અને તે ભિન્નતા યથા અનુભવમાં નિરંતર રહ્યા કરે. અને જેમ જેમ આત્મધ્યાન કરવામાં આવે તેમ તેમ સાચુ જ્ઞાન અને સાચા વૈરાગ્ય શુદ્ધાત્માના સ્વભાવમાં એકરૂપ લીનતા પામે છે તેમ તેમ વીતરાગતાના અંશ વમાન થતા જાય છે. આ જ ધ્યાનની અગ્નિ કમ મળને બાળીને ભસ્મ કરે છે. આત્મધ્યાન તે મેક્ષમાર્ગ છે. ધ્યાન નિવિકલ્પ થવા માટે છે.
૪૬૯
૧૫૨૦ પ્ર. ધ્યાનના ઉત્તમ ઉપાય શું છે?
. લક્ષણથી, ગુણથી અને વેદનથી જેને આત્મસ્વરૂપ જણાયું છે, તેને ધ્યાનના એ એક ઉપાય છે, કે જેથી આત્મપ્રદેશની સ્થિરતા થાય છે, અને પરિણામ પણ સ્થિર થાય છે.
“ઔષધ વિચાર ધ્યાન.” આત્મા મને દેહથી ભિન્ન લાગે છે કે કેમ ? એમ વિચારવું, તે ધ્યાન છે. વિચારરૂપ ધ્યાન થયા પછી નિર્વિકપ ધ્યાન થાય છે. નહીં તેા ધ્યાન ન થાય, કલ્પના થાય.
૧૫૨૧ પ્ર, કઇ વસ્તુએ આત્મધ્યાનના કારણરૂપ છે?
. નીચેની પાંચ વસ્તુએ આત્મધ્યાનના કારણરૂપ છે. (૧) વૈરાગ્ય. વૈરાગ્ય એટલે ત્રણ વસ્તુએ ઉપર વૈરાગ્ય લાવવા. (૧) સ ંસાર (૨) શરીર (૩) ભાગ. (૨) તત્ત્વજ્ઞાનની નિર્મળતા.
(૩) મનનુ વશ થવું.
(૪) બાહ્યાભ્યતર પરિગ્રહના ત્યાગ. (પ) બાવીસ પરિષદ્ધને જીતવા.
૧૫૨૨ પ્ર. આત્મધ્યાન કેમ થાય ?
ઉ. સર્વ વિપના, તર્કના ત્યાગ કરીને, મનનેા, વચનને, કાયાા, ઇન્દ્રિયને, આહારનેા, નિદ્રાના જય કરીને, નિર્વિકલ્પપણે અંત
દાને ભાગ મળે ખચિત, તપથી ઈન્દ્ર થવાય; જન્મ મરણથી રહિતપદ,' જ્ઞાને કરી પમાય.
Page #492
--------------------------------------------------------------------------
________________
૪so
મુખવૃત્તિ કરી આત્મધ્યાન કરવું. માત્ર અનાબાધ અનુભવસ્વરૂપમાં લીનતા થવા દેવી, બીજી ચિંતવન ન કરવી, જે જે તર્કદિ ઊઠે તે નહીં લંબાવતાં ઉપશમાવી દેવા, અર્થાત્ ચિત્તને આડાઅવળા વિષયમાં ભટક્તાં રોકી પિતાને શાંત-સમતા-સ્વભાવમાં સ્થિર કરવું અને આત્મશકેિતને બાધક ચિંતાઓને અથવા ઈષ્ટનિષ્ટરૂપ ઇન્દ્રાત્મક વિકલ્પોને પૂર્ણ નિરોધ કર. આમ પૂર્ણતાથી કરવાનું સામર્થ્ય ફકત મુનિરાજમાં જ હોય છે પણ નિમ્ન ભૂમિકામાં પણ આનું ઘણું મહત્ત્વ છે, ખાસ કરીને અહીં તે પ્રક્રિયા ધ્યાનના બદલે સામાયિક તરીકે ઓળખાય છે. સામાયિક અને ધ્યાન વસ્તુતઃ એક જ છે, ફક્ત ફેર એટલો જ છે કે સામાયિકમાં ચિત્તની
સ્થિરતા ધ્યાનથી ઓછી હોય છે. ૧૫૨૩ પ્ર. આત્મભાવ કયારે ઉપજે ?
ઉ. જે સમયે આ આત્મા પરદન પય અને પરદ્રવ્યોથી વિલક્ષણ
છે એ નિશ્ચય કરે છે તે સમયે આત્મભાવ ઊપજે છે. મારા આત્માથી બાહ્ય અન્ય જે કઈ પદાર્થો છે તે મારા નથી કે હું ક્યારેય પણ તેમને નથી. આત્મામાં સદા લીન થા, તેથી મુક્તિની પ્રાપ્તિ થશે. આત્મા સંબંધી જ વિચારે ચાલ્યા કરે અને વળગ્યા જ રહે તે વિચારો ચાલતાં ચાલતાં એ રસ આવે કે બહારમાં આવવું ગોઠે નહિ. આખી સત્તાનું જ્ઞાનમાં ઘોલન ચાલે કે આ હું....આ હું...એમ ઘોલન ચાલતાં ચાલતાં વિકલ્પ પણ છૂટી જાય, પછી તે સહજ થઈ જાય, વિશ્વાસ આવવો જોઈએ. બીજી બીજી ચિંતા હોય તો આ ક્યાંથી ચાલે ? આને અભ્યાસ વારંવાર જોઈએ. તારી અંદરમાં પરમાત્મા બિરાજે છે એથી વિશેષ ધનાઢયપણું શું હોઈ શકે ? આવું પરમાત્માપણું સાંભળતાં એને અંદરથી ઉલાસ ઉછળવો જોઈએ. એની લગની લાગવી જોઈએ. એને માટે ગાંડા થવું જોઈએ. આવા પરમાત્મ
દુજન સંગે વિણસતા, ગુણે ભદ્ર જનનાય; લેહસંગથી અગ્નિ જે, ઘણથી જેમ (ટયાય,
Page #493
--------------------------------------------------------------------------
________________
૪૭૧
સ્વરૂપની ધૂન લાગવી જોઈએ. સાચી ધૂન લાગે તે જે સ્વરૂપ અંદરમાં છે તે પ્રગટ થયા વિના કેમ રહે ? જરૂર પ્રગટ થાય જ. જેને આત્માની ખરેખર રુચિ જાગે તેને ચોવીસે કલાક એનું એ ચિંતન, ઘેલન ને ખટક રહ્યા જ કરે. ઊંઘમાં પણ એનું એ રટણ ચાલ્યા કરે. જેમ કુતરાને કાનમાં કીડા પડે ને તેનું લક્ષ વારંવાર ત્યાં જ ગયા કરે તેમ જેને આત્મા પ્રાપ્ત કરી છે તેનું લક્ષ વારંવાર આત્મસન્મુખ ગયા કરે. આત્માની ધૂન ચાલ્યા કરે અને આમ છ માસ તે પ્રયત્ન કર ! વારંવાર અંતર્મુખને. પ્રયત્ન કરે તે જરૂર તને આત્માની પ્રાપ્તિ થશે. આત્મા સમજવા માટે કેટલીક તો એને રામની મંદતા હોવી જોઈએ. રાગની
તીવ્રતામાં તે આત્મા સમજવામાં આવતું નથી. ૧૫ર૪ પ્ર. ધ્યાનમાં ચિત્તને સ્થિર કરવા માટે કયા સ્થાને મનને એકાગ્ર કરવું ?
ઉ. ધ્યાન સમયે ચિત્તને સ્થિર કરવા માટે દશ સ્થાન કહ્યાં છેઃ (૧)
નેત્રયુગલ, (૨) કર્ણયુગલ, (૩) નાસિકાગ્રભાગ, (૪) કપાળ, (૫) મુખ, (૬) નાભિ, (૭) મસ્તક, (૮) હૃદય, (૯) તાલુ, (૧૦) બે ભ્રમર વચ્ચેને મધ્યભાગ, તેમાં ક્યાંય એક સ્થાને મનને
વિષય રહિત કરી સ્થિર કરવું ઉચિત છે. ૧૫ર ૫ પ્ર. ખરેખરું ધ્યાન ક્યારે અને કેને હોય છે ?
ઉ. જ્ઞાનસ્વરૂપ (શુદ્ધ) આત્માને અનુભવ થયા બાદ સંભવે છે. તેના
વિના ધ્યાનને સંભવ નથી. (તેના વિના ધ્યાનની પ્રવૃત્તિઓ અને વાત તરંગરૂપ છે.) સાચા ધ્યાનને વેગ મિથ્યાદષ્ટિ જીવને સંભવ નથી, તે તે માત્ર સમ્યગ્દષ્ટિ જીવને જ પ્રાપ્ત થાય છે. મિથ્યાદષ્ટિ જીવને સમાધિ દશા દેખાય પરંતુ તેને ખરેખર તે યથાર્થ ધ્યાનને સંભવ નથી કેમ કે મિથ્યાત્વથી પ્રહાયેલા છવને વિષે આ સ્વ અને આ પર એવો વિવેક જ બની શકતો નથી. સમાધિમાં સ્થિત થવા છતાં પણ જેને જ્ઞાનમય આત્માને પ્રતિભાસ થતો નથી, તો તેનું તે ધ્યાન ખરેખર ધ્યાન નથી, પરંતુ મોહરૂપ હોવાથી તે ધ્યાન આભાસ છે.
એક વાર જે સમાધિમરણ થયું તે સવ કાળનાં અસમાધિમરણ ટળશે.
Page #494
--------------------------------------------------------------------------
________________
૪૭૨
લેકા પ્રાણાયમાદિ જડની ક્રિયાને સમાધિ માને છે, પરંતુ તે તા જડ થઈ જવાના માર્ગ છે; તે આત્માની સાચી સમાધિ નથી, તેમાં આત્માની શાંતિ રજમાત્ર પણ પ્રગટ થતી નથી. ખરેખર તા આધિ, વ્યાધિ, ઉપાધિથી રહિત, જ્ઞાન, આનંદ, શાંત સ્વભાવી હું છું—એવું આત્માનું યશા ભાન કરીને તેમાં એકાગ્રતા કરવી તે જ પરમ સમાધિ છે.
આત્માનું ધ્યાન કરવા માટે પહેલાં આત્માનું યથા જ્ઞાન કરવુ જોઇએ, કારણ કે આત્મા જેવા છે તેવા લક્ષમાં લીધા વગર ધ્યાન કેાનું કરશે ? ધણા લેાકા કહે છે કે અમારે ધ્યાન કરવુ છે. પરંતુ ભાઈ! કાનુ ધ્યાન કરવું છે? ધ્યાનમાં ગ્રહણ કરવા ચેગ્ય આત્માના સ્વભાવ શું છે ? તેને જાણ્યા વગર તેનુ ધ્યાન ક્યા પ્રકારથી કરશે ? વસ્તુને યથાર્થ જાણ્યા પછી તે વસ્તુમાં જ્ઞાનની એકાગ્રતા થવાનું નામ ધ્યાન છે. જેને વસ્તુનુ સાચું' જ્ઞાન જ નથી તેને જ્ઞાનની એકાગ્રતારૂપ 'ધ્યાન થતું નથી. ઉપયાગની નિશ્ચલતા તે ધ્યાન છે. રાગદ્વેષના ઉદ્વેગના કારણે ઉપયાગ પરિભ્રમણ કર્યા કરે છે. આવી ચલવિચ સ્થિતિમાં ધ્યાન કેવી રીતે સભવે ? વિષયવિરક્તતા થવાથી મનને આત્મદ્રવ્ય સિવાય કાઈ પણ અન્ય દ્રવ્યના આધાર રહેતા નથી, લક્ષમાં આવતું નથી. આત્મા સિવાય બીજા કેાઈનું શરણુ ન હેાવાથી મનને નિરાધ થાય છે. ચંચળતા વિલય થવાથી આત્મામાં સમવસ્થાન (સ્થિરતા) હાય છે અને તે આત્મરમણુતા અનાકૂળ, એકાગ્ર, સંચેતન હાવાથી તેને ધ્યાન કહેવામાં આવે છે.
૧૫૨ઃ પ્ર. સર્વે ધ્યાનામાં સર્વત્કૃિષ્ઠ શ્રેષ્ડ ધ્યાન કયું ગણાય ?
. જેમ પ ામાં મેરુ શ્રેષ્ઠ છે, વૃક્ષામાં કલ્પવૃક્ષ ઉત્તમ છે, ધાતુઓમાં જેમ સુવણુ કિંમતી છે, પીવા યેાગ્ય પદાર્થામાં અમૃત ઉત્તમ છે, મણિએમાં ચિંતામણિ રત્ન ઉત્તમ છે, જ્ઞાનમાં કેવળજ્ઞાન ઉત્કૃષ્ટ
રૂપે કુદાં, મૃગ શબ્દથી, સ્પર્શ, ગજ મરી જાય; મત્સ્ય રસે, ભ્રમર ગંધથી, તે પંચ વિષયે ક્યમ થાય ?
Page #495
--------------------------------------------------------------------------
________________
૪૭૩
છે, ચારિત્રમાં સમતાભાવ શ્રેષ્ઠ છે, આપ્ત-સમ્યકત્વીમાં તીર્થકર મહાન છે, ગાયોમાં સુરધેનું ઉત્તમ છે, મનુષ્યમાં ચક્રવર્તી પ્રધાન છે, તથા દેવામાં ઈન્દ્ર મહાન છે તેમ સર્વે ધ્યાનમાં શુદ્ધચિદ્રપ
આત્માનું ધ્યાન સર્વોત્કૃષ્ટ શ્રેષ્ઠ છે. ૧૫ર૭ પ્ર. આત્મધ્યાન થયું કે નહિ તે કેવી રીતે જણાય ?
ઉ. આત્મધ્યાનથી સહજ સુખને સ્વાદ આવે. આત્મવીર્ય અને વૈર્ય
(સ્થિરતા) વધે, ગમે તેવી આપત્તિમાં આકુલિત ન થાય, આત્માનું કાંઈ જ બગડતું નથી એમ સમજે. સાકરની કણી એક ક્ષણવાર પણ જીભ ઉપર રહે તે મીઠાશને સ્વાદ આપે, તેમ આત્માનું ધ્યાન
બહુ જ અલ્પ સમય પણ રહે તો પણ તે સહજ સુખને સ્વાદ આપે. ૧૫૨૮ પ્ર. આત્મધ્યાન કેટલે વખત રાખી શકાય ?
ઉ. મોટા મોટા શક્તિશાળી અને મોટા મોટા વીર વૈરાગ્યવાન પુરુષે
પણ આત્માનું ધ્યાન સતત બે ઘડી (૪૮ મિનિટ)ની અંદરના
સમય સુધી જ કરી શકે છે. ૧૫૨૯ પ્ર. આત્મધ્યાન કેવી રીતે ઉત્પન્ન થાય?
ઉ. ભાવના કરતાં કરતાં એકાએક ધ્યાન ઉત્પન્ન થાય છે. “આતમ
ભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે.” શ્રુતજ્ઞાનથી આત્મસ્વભાવને યથાર્થ જાણી તેમાં જ ઉપયોગને જડ તેગ (ધ્યાન) છે. આત્માના યથાર્થ જ્ઞાન વિના તેમાં ઉપગ લાગતા નથી, અર્થાત એકાગ્ર થઈ શકતો નથી અને એકાગ્રતા વિના ધ્યાન
હેતું નથી, કારણ કે જાણ્યા વગર ધ્યાન કેનું કરે ? ૧૫૩૦ પ્ર. આત્મધ્યાન કરતાં શું ચિંતવન હોય ?
ઉ. ધ્યાન અવસરે મન, વચન અને કાયા એ ત્રણેને વ્યાપાર બંધ થઈ
જાય છે, ચિંતવન હેતું નથી. ઉપયોગ એકાગ્ર થઈ જાય છે. (ત સમયે ધ્યાતાને એ વિચાર પણ નથી હોતો કે “હું ધ્યાન કરું છું, કે આત્માને ધ્યાવું છું.').
શું કરવાથી પિતે સુખી? શું કરવાથી પિતે દુ:ખી? - પિતે શું ? કયાંથી છે આપ? એને માગે શીઘ જવાબ.
* I
Page #496
--------------------------------------------------------------------------
________________
४७४
૧૫૩૧ પ્ર. આત્મધ્યાન કરતાં શું અનુભવ થાય ?
ઉ. આત્મ સ્વરૂપમાં એવી રમણતા થઈ છે કે જેમ કેઈ સુંદર રૂપ
જેવામાં ઉપગ એકાગ્ર થઈ જાય છે. એ સમયની અવસ્થા, આનંદ સુખ દશા એવી હોય છે, તેનું વર્ણન પણ ન થઈ શકે. તે દશાને અદ્વૈત ભાવ કહે છે.
જે પદ શ્રી સર્વ દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે ભગવાન જે, તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ?
અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જે.” ૧૫૩૨ પ્ર. આત્મદશા કેમ આવે ?
ઉ. ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ મુમુક્ષુ જીવે હવે સહજ સ્વભાવ
રૂપ કરી મૂક્યા વિના આત્મદશા કેમ આવે? પણ શિથિલપાથી. પ્રમાદથી વાત વિસ્મૃત થઈ જાય છે. પદાર્થનું તુર૭પણું ભાસ્યમાન થયું હોય તે અંતવૃત્તિ રહે. જેમ અલ્પ કિંમતને એવો જે માટીને. ઘડો, તે ફૂટી ગયું અને પછી તેને ત્યાગ કરતાં આત્માની વૃત્તિ ક્ષેભ પામતી નથી; કારણ કે તેમાં તુચ્છપણું સમજાયું છે. જ્ઞાનીને
જગતના સર્વ પદાર્થ તુચ્છ ભાસ્યમાન છે. ૧૫૩૩ પ્ર. નિર્વિકલ્પ દશામાં કેવો અનુભવ થાય છે ?
ઉ. નિર્વિકલ્પ દશામાં જ્ઞાન (આત્મા) માત્ર આત્માને જ જાણવામાં.
પ્રવર્તે છે અને એમ પ્રવર્તતાં કોઈ વચનાતીત એ અપૂર્વ આનંદ થાય છે કે વિષયસેવનમાં તેની જાતિને અંશ પણ નથી.
તેથી એ આનંદને અતીન્દ્રિય કહે છે. ૧૫૩૪ પ્ર. એ અનુભવ કયા ગુણસ્થાનમાં હોય છે ?
ઉ. ચેથા ગુણસ્થાનથી જ થાય છે. પરંતુ ચેથામાં તે ઘણું કાળના
અંતરાલથી થાય છે અને ઉપરનાં ગુણસ્થાનેમાં શીધ્ર શીધ્ર થાય છે. ૧૫૩૫ પ્ર. આત્મજ્ઞાન માટે નિશ્ચયનય અને વ્યવહારનય બનેને જાણવાની
જરૂર છે ?
છે ગુણી ગુણમય, નાશ ગુણને, ત્યાં જ નાશ ગુણ તણે, તે અન્યમતી નિર્વાણુને કહે શુન્ય, કલ્પિત એ ગણે.
Page #497
--------------------------------------------------------------------------
________________
૪૭૫
ઉ. હ; “નય નિશ્ચય એકાંતથી આમાં નથી કહેલ,
એકાંતે વ્યવહાર નહિ, બન્ને સાથે રહેલ.” ધ્યાન કરનારને નિશ્ચયનય અને વ્યવહારનયથી આત્માની દઢ અને. પાકી શ્રદ્ધા હેવી જોઈશે તથા તેના મનમાં સાચું જ્ઞાન અને
સાચે વૈરાગ્ય હો જોઈશે. ૧૫૭૬ પ્ર. નિશ્ચયધ્યાન કેને કહે છે?
ઉ. ધ્યાનમાં એકાગ્રવૃત્તિ રાખીને સાધુ નિસ્પૃહવૃત્તિવાન અર્થાત્ સર્વ
પ્રકારની ઈચ્છાથી રહિત થાય તેને પરમ પુરૂષે નિશ્ચયધ્યાન કહે છે.. ૧૫૩૭ પ્ર. આત્મજ્ઞાનને મુખ્ય હેતુ શું છે ?
ઉ. ધ્યાન એ સર્વોત્તમ તપ છે, તેનું તત્કાળ ફળ ચિત્તપ્રસન્નતા,. - આત્મશાંતિ અને અનુભવરસને આસ્વાદ આવવો તે છે. સર્વ આત્મસાધનાનું ફળ સમાધિ છે. આત્મજ્ઞાન, આત્માના અનુભવને
સ્વાદ તે જ સમ્યફદર્શન અને તે જ મોક્ષને ભવ્ય દરવાજે. ૧૫૩૮ ક. આત્મધ્યાન માટે ત્યાગ, વૈરાગ્ય, યમ, નિયમ, સંયમની જરૂર નથી ?: ઉ. નક્કી જરૂર છે, તે આત્માને લક્ષે હેવાં જોઈએ.
વૈરાગ્યાદિસફળ તા, જે સહ આતમ જ્ઞાન, તેમજ આતમજ્ઞાનની, પ્રાપ્તિતણું નિદાન. ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં, તે ભૂલે નિજ ભાન.” જેની પાપમય તીવ્રકષાયથી પણ નિવૃત્તિ થઈ ન હોય, દેવગુરુ-શાસ્ત્રની ભક્તિ, બહુમાન, સાધમ ઉપર પ્રેમ, ઈત્યાદિરૂપ અત્યન્ત મંદકષાયરૂપની ભૂમિકામાં પણ જે આવ્યું ન હોય, તે અકષાયી ચૈતન્યનું નિર્વિકલ્પ ધ્યાન કેવી રીતે કરશે ? અલબત્ત
ન જ કરી શકે. ૧૫૩૯ પ્ર. ધ્યાનને કેટલા પ્રકાર છે?
ઉ. ધ્યાનના ધણું ઘણા પ્રકાર છે. વિવિધ મંત્ર, જાપ–આલંબન ધ્યાન,
બાહ્ય ધ્વનિ અથવા અંતર ધ્વનિ-આલંબન ધ્યાન, શ્વાસેચ્છવાસ -આલંબન ધ્યાન, ત્રાટક અથવા મૂર્તિ, ચિત્ર, બિંદુ, મંત્રાક્ષ
સત્ય સમસ્ત ગુણેનું આશ્રયસ્થાન છે.
Page #498
--------------------------------------------------------------------------
________________
૪૭૬
કે જ્યોત–આલંબન ધ્યાન, આત્મનિરીક્ષણ ધ્યાન વગેરે ધ્યાનના અન્ય પ્રકાર પોતાની શક્તિ, સંજોગ અને ગુરુ પાસેથી મળેલી કેળવણી પ્રમાણે અભ્યાસી શકાય છે. કયા પ્રકારનું ધ્યાન કરીએ છીએ તે અગત્યનું નથી પણ ધ્યાન કરતી વખતે ચિત્તની કેટલી શુદ્ધિ અને કેટલી એકાગ્રતા પ્રાપ્ત કરીએ છીએ તે વધારે અગત્યનું છે. એ સર્વમાં શ્રેષ્ઠ એવું તે આત્મા જેમાં મુખ્યપણે વર્તે છે, તે ધ્યાન કહેવાય છે; અને એ જ આત્મધ્યાનની પ્રાપ્તિ, ઘણું કરીને આત્મ
જ્ઞાનની પ્રાપ્તિ વિના થતી નથી. ૧૫૪૦ પ્ર. આત્મજ્ઞાનની પ્રાપ્તિ કેમ કરીને થાય ?
ઉ. આત્મજ્ઞાન તે યથાર્થ બેધની પ્રાપ્તિ સિવાય ઉત્પન્ન થતું નથી. એ
યથાર્થ બોધની પ્રાપ્તિ ઘણું કરીને ક્રમે કરીને ઘણું જીવોને થાય છે, અને તેને મુખ્ય માર્ગ તે બોધસ્વરૂપ એવા જ્ઞાની પુરુષને આશ્રય
કે સંગ અને તેને વિષે બહુ માન, પ્રેમ એ છે. ૧૫૪૧ પ્ર. આત્માના સુખને અથવા આનંદને સ્વાદ કેવી રીતે આવે ? - ઉ. જે સમયે ઉપયોગ પોતાના આત્માથી ભિન્ન સર્વે દ્રવ્ય અને
ભાવોથી હઠી પિતાના આત્માને જ ગુણેમાં રમણતા કરશે ત્યારે જ સહજ સુખને સ્વાદ આવશે. આત્મધ્યાન, આત્મ રમણતાથી
સર્વ સંતાપ મટી જાય છે. ૧૫૪૨ પ્ર. આત્માને અનુભવ કેવી રીતે થાય ?
ઉ. જેનું ધ્યાન કરવું છે તે પોતે જ છે, કોઈ અન્ય પદાર્થ નથી.
આત્મા સિવાયના જે જે અન્ય પદાર્થ છે, ભાવ છે, પર્યાય છે તે પ્રત્યેથી ઉપયોગ જ્યારે પાછા વળશે ત્યારે જ આત્માને અનુભવ
થઈ શકશે, થઈ જશે. આત્મધ્યાનથી સહજ સુખને સ્વાદ આવે છે. ૧૫૪૩ પ્ર. આત્માના ધ્યાન માટે શું કરવું જોઈએ ?
ઉ. જ્ઞાનપગ પાંચ ઈન્દ્રિયના વિષયમાં અને મનના વિચારોમાં
પ્રેરાઈ રહે છે. તેને ત્યાંથી હઠાવી જ્યારે આત્મસ્થ કરાય છે ત્યારે જ આત્માનું ધ્યાન થાય છે. કોઈ મનુષ્ય એવા ઘરમાં બેઠે છે
સમભાવ છે તે સ્વભાવ છે.
Page #499
--------------------------------------------------------------------------
________________
yos
કે જેને પાંચ ઈન્દ્રિ અને મન રૂપી છે બારણાં છે તે દ્વારા એ જીવ બહાર જ જોયા કરે છે. જે એક ક્ષણ માત્ર પણ તે ઈન્દ્રિયાદિથી. ઉપયોગ પાછો વાળી પોતાના અંતરમાં જુએ તે પોતાના આત્માના દર્શન થઈ શકે છે. આત્મધ્યાનને ઉત્પન્ન કરનાર માતા સમાન. આત્માના શુદ્ધ સ્વરૂપની ભાવના કરતાં કરતાં એકાએક ધ્યાન.
ઉત્પન થાય છે. ૧૫૪૪ પ્ર. આત્મધ્યાનનાં સાધને બતાવે.
ઉ, સત્યજ્ઞાન અને સત્ય વૈરાગ્ય જ આત્મયાનનાં સાધન છે. નિર્મળ.
મનરૂપી જલ જ્યારે સ્થિર હોય છે ત્યારે આત્માનું દર્શન તેમાં
થાય છે. ૧૫૪૫ પ્ર. આત્મધ્યાન વખતની અવસ્થા વર્ણવો.
ઉ. ચિત્ત અને ઇન્દ્રિયની સૌમ્યતા, આરોગ્ય, કરુણાશીલતા, શરીરનું
સુગંધિતપણું, મળમૂત્રની અલ્પતા, કાંતિવાળું શરીર, ચિત્ત પ્રસન્નતા. અને સૌમ્યવાણું-આ ધ્યાનારૂઢ પુરુષનાં લક્ષણ હોય છે.
આત્મભાવના ભાવતાં એકાએક તે આત્મધ્યાન ઉત્પન્ન થાય છે. ધ્યાન ઓછી કે વધારે સમય સુધી તદ્દન એકાગ્ર રહે છે. ધ્યાન, અવસરે મન, વચન અને કાયા એ ત્રણેને વ્યાપાર બંધ થઈ જાય છે, ચિંતવન હોતું નથી.
એ દશા એક એવી છે કે જેનું વર્ણન પણ થઈ ના શકે. એ. દશામાં સહજ સુખને અનુભવ થાય છે. તે દશાની લબ્ધિ તે જ સમ્યગ્દર્શન અને તે દિશામાં રમણતા કરવી તે સમ્યફચારિત્ર.. આત્માનુભવ નયાતીત વિકલ્પાતીત, અનિર્વચનીય, અચિંતનીય, એકપરમાનંદમય અમૃતને સમુદ્ર છે. આ સમુદ્રમાં સ્નાન કરતાં
મગ્ન-લીન થવું એ આત્મધ્યાન છે. ૧૫૪૬ પ્ર, આત્મધ્યાન માટે કયાં કયાં નિમિત્ત આવશ્યક છે ?
ઉ. ધ્યાન કરનારે સમય, સ્થાન, મનશુદ્ધિ, કાર્યશુદ્ધિ, બેસવાનું આસન.
અને યોગાસનને યોગ્ય ઉપાય કરવો જોઈએ તથા તે વિધિનું સેવન કરવું જોઈએ કે જેથી ધ્યાન થઈ શકે.
શ્રીરનીરવત જીવશરીર બનને એકમેક રહ્યાં છતાં. છે ભિન્ન, તે જે છેક જુદાં બાહા તેની શી કથા ?
Page #500
--------------------------------------------------------------------------
________________
૪૭૮
-૧૫૪૭ પ્ર. નિર'તર ધ્યાનની પ્રાપ્તિ માટે કઈ સામગ્રી શાસ્ત્રમાં બતાવી છે? ૩. ૧. તપ (છ બાહ્ય તપ અને છ અંતરંગ એમ કુલ મળી બાર તપ), ૨. શ્રુત (આચાર-આરાધના આદિ દ્રવ્ય શ્રુત અને તેના આધારે ઉત્પન્ન નિર્વિકાર સ્વસ ંવેદન જ્ઞાન રૂપ ભાવશ્રુત), અને ૩. વ્રત (હિંસા, જૂ, ચેારી, અબ્રહ્મ અને પરિગ્રહના દ્રવ્ય અને ભાવ રૂપે ત્યાગ), તે (તપ, શ્રુત અને ત્રત) જ ધ્યાનની સામગ્રી છે. ૧૫૪૮ પ્ર. ધ્યાનમાં શું કારણભૂત થાય ?
ઉ. વૈરાગ્ય, તત્ત્વનું જ્ઞાન, પરિગ્રહેાના ત્યાગ, સામ્યભાવ, અને પરિષહેાનું જીતવું; એ પાંચ ધ્યાનનાં કારણ છે.
૧૫૪૯ પ્ર. ધ્યાન કરવાના ઉત્તમ સમય કયા ?
ઉ. સર્વથી ઉત્તમ સમય પ્રાત:કાળના છે. તે તદ્દન શાંત હોય છે, વાતાવરણ શીતળ અને સુંદર હાવાથી અનુકૂળ હેાય છે. તે સિવાય જે સમયે મન ચાંટે તે સમયે પણ ધ્યાન કરી શકાય છે.
૧૫૫૦ પ્ર. ધ્યાન કરવા માટે ઉત્તમ સ્થળ કયુ હશે ?
ઉ. જેટલુ એકાંત હશે એટલું વધારે સારું ધ્યાન થઈ શકશે. ૧૫૫૧ પ્ર. ધ્યાનના સમયે મનની શુદ્ધિ જોઇએ ?
ઉ. હા. જેટલા સમય ધ્યાન કરવું હોય તેટલે સમય અન્ય સ કાર્યાથી નિશ્ચિ ંત થઈ જવું. નિશ્ચિ ંત થયા વગર ધ્યાનમાં મન ચાંટરો નહિ. ધ્યાતાના મનમાં આકુલતા હેાવી જોઇએ નહિ.
૧૫૫ર પ્ર. ધ્યાનના સમયે વચનશુદ્ધિ કેવી હાવી જોઇએ ?
ઉ. ધ્યાનમાં જેટલા સમય ગાળવા હોય તેટલેા સમય મૌન રહેવું અને ધ્યાનને સહકારી મ ંત્રા કે પાઠ વાંચવા–વિચારવા પર ંતુ કાઈ સાથે વાતચીત ના કરવી.
૧૫૫૩ પ્ર. ધ્યાનના સમયે કાયદ્ધિ પણ હોવી જોઇએ ?
ઉ. હા, અંતરથી ને બાહ્યથી શરીર નિરાકુલ રહે, શરીરના કારણથી મનમાં ડાઇ વિક્ષેપ કે વિઘ્ન ન આવે એમ શરીરને રાખવુ જોઇએ.
રે ! અન્ય નિજને, અન્યને નિજ, માની બ્રાન્ત ભમ્યા ભવે; હું અન્ય ના, હું' તે જ હું, છે અન્ય અન્ય નહું હવે,
Page #501
--------------------------------------------------------------------------
________________
૪૯
૧૫૫૪ પ્ર. ધ્યાન માટે આસન કેવું હોવું જોઈએ ? - ઉ, ધ્યાન માટે કાઈ ઘાસનું આસન કે ચટાઈ કે પાટ કે પથ્થર નક્કી
કરી લેવું. જો એવું કાંઈ ન મળી શકે તે સ્વચ્છ પવિત્ર ભૂમિ
ઉપર પણ ધ્યાન કરી શકાય છે. ૧૫૫૫ પ્ર. ધ્યાન માટે શરીરની સ્થિતિનું આસન (ગાસન) શા માટે અને
કેવું હોવું જરૂરી છે ? ઉ. આસન લગાવવાથી શરીર સ્થિર રહે છે. શરીરની સ્થિરતાથી શ્વાસો
રહૃવાસ સમપણે ચાલે છે, અને મન નિશ્ચળ રહી શકે છે. ધ્યાન કરવામાં પદ્માસન, અર્ધ પદ્માસન કે કાયોત્સર્ગ એ ત્રણ આસન સુગમ છે અને બહુ ઉપયોગી છે. જે આસનથી ધ્યાન સ્થિર થઈ શકે તે આસનથી બેસી શકાય છે. વાસન, વીરાસન, સુખાસન,
કમલાસન વગેરે યોગ્ય આસને કહ્યાં છે. ૧પપ૬ પ્ર. ધ્યાનની વિધિ બતાવો. ઉ. (૧) બહુ સરળ ને સીધી રીત એ છે કે પોતાના શરીરમાં વ્યાપેલ
આત્માને શુદ્ધ જળની સમાન નિર્મળતાથી પૂર્ણ વિચાર અને મનને તે જળ સમાન નિર્મળ આત્મામાં મગ્ન રાખવું. આત્માના સ્વભાવને પણ વિચાર કરવો કે આ આત્મા પરમ શુદ્ધ
જ્ઞાનાનંદમય છે. (૨) બીજી વિધિ એ છે કે પોતાના આત્માને શરીર પ્રમાણ
આકારવાળે સ્ફટિક મણિની મૂર્તિ સમાન નિર્મળ વિચારી તેના દર્શનમાં લય થઈ જવું. જ્યારે મન હડી જાય ત્યારે મંચ્ચાર કરે અને અવારનવાર-વખતોવખત આત્માને
સ્વભાવ વિચારતા રહેવું. (૩) ત્રીજી વિધિ એ છે કે પિંડસ્થ ધ્યાન ધરવું. એની પાંચ
ધારણાઓને ક્રમપૂર્વક અભ્યાસ કરી આત્માના યાન સુધી
પહોંચી જવું. નિજ આત્માનું ચિંતન તે પિંડસ્થ સ્થાન છે. ૧૫૫૭ પ્ર. પિંડસ્થ ધ્યાનની પાંચ ધારણ કહો.
મૃગ જેમ રાત્રિમાં ભયે વનથી નગર પ્રત્યે ધસે, હા કષ્ટ ! કળિમાં તેમ મુનિએ વન તજી ગામે વસે.'
Page #502
--------------------------------------------------------------------------
________________
૪૮૦
ઉ. પાર્થિવી ધારણા, આગ્નેયી ધારણા, મારુતી ધારણા, વારુણી ધારણા,
તત્વરૂપવતી ધારણા. ૧૫૫૮ પ્ર. આ ધારણાઓમાં મુખ્યત્વે કયો ભાવ હોય છે ?
9. “હું સર્વ કર્મ મળને કાઢી શુદ્ધ કરું છું” કઈ ધારણામાં તે
કર્મ રજને અગ્નિથી બાળી, કેઈમાં પવનથી ઉડાવી તે કઈમાં
પાણીથી ધોઈ નાંખે છે. ૧૫૫૯ પ્ર. ઉપર કહેલ યાનવિધિ સિવાયની ધ્યાનની બીજી વિધિઓ હોય
તો કહો. ઉ. (૪) પદની દ્વારાએ પદસ્થ ધ્યાન કરવું. એના અનેક ઉપાય છે.
જેમાં મુખ્યત્વે નાસાગ્ર ઉપર અને ભ્રમરોના મધ્યભાગે અથવા હૃદયકમળની મધ્યમાં “હ” અથવા “ઝ' પ્રણવ મંત્રને સ્થાપિત કરો. અથવા હૃદય સ્થાનમાં શ્વેત રંગનું આઠ પાંદડીનું કમળ. વિચારવું. મંત્ર વાક્યોમાં સ્થિત પદસ્થ ધ્યાન છે. (૫) રૂપસ્થ ધ્યાનની વિધિ : સમવસરણમાં બિરાજિત તીર્થકર ભગવાનને ધ્યાવવા. વીતરાગમુદ્રા જોઈને વૃત્તિ સ્થિર કરવી. સર્વ ચિદ્રુપનું ચિંતન તે રૂપસ્થ ધ્યાન છે. (૬) રૂપાતીત ધ્યાનની વિધિ : શરીરરહિત, પુરુષાકારે શુદ્ધ સ્વરૂપી સિદ્ધ ભગવાનને વિચારી, પોતે પિતાને તેના સ્વરૂપમાં લીન કરવો. નિરંજનનું ધ્યાન તે રૂપાતીત ધ્યાન છે.
નમસ્કાર (ણકાર) આદિ મંત્રનું જે ધ્યાન છે તે પદસ્થ ધ્યાન કહેવાય છે, શરીરમાં રહેલ પોતાના આત્માના ચિંતવનને પિંડસ્થ ધ્યાન કહે છે, સશરીરી પરમાત્મા અરિહંતદેવનું ધ્યાન
તે રૂપસ્થ અને નિરંજન (સિદ્ધભગવાન)નું ધ્યાન તે રૂપાતીત. ધ્યાન છે. ૧૫૬૦ પ્ર. ધ્યાનનું સ્વરૂપ ક્યા ગ્રંથમાંથી વિશેષ જાણવા મળશે ?
ઉ. ધ્યાનનું સ્વરૂપ શ્રી જ્ઞાનર્ણવ ગ્રંથના અધ્યાય ૩૭, ૩૮, ૩૯,
૪૦માં સપષ્ટ વર્ણવેલું છે. ૧૫૬૧ પ્ર. જ્યારે ધ્યાન કરવામાં મન ના ચેટે તે શું કરવું ?
ઉ. જ્યારે ધ્યાન કરવામાં મન ને ચટે અને ધ્યાનના સમય વિના
પણ આત્મમનન કરવું હોય તો નીચે લખેલાં કાર્યો કરી શકાય છેઃ
વર્તમાન ઉદય સમભાવે ભગવે તેને જ ભગવાને પુરુષાથ કહ્યો છે,
Page #503
--------------------------------------------------------------------------
________________
૪૮૧
(૧) આધ્યાત્મિક-વૈરાગ્ય ગ્રંથને એક ચિત્તથી વાંચવા-સાંભળવા. (૨) આધ્યાત્મિક પદેને ગાવાં. (૩) જિનેન્દ્ર ભગવાનની વૈરાગ્યમય સ્તુતિ બોલવી. સ્તોત્ર બલવા,
માળા ફેરવવી. (૪) જિનેન્દ્ર ધ્યાનમય પ્રતિમાની સન્મુખ ઊભા રહી તેમના
સ્વરૂપને વિચાર કરો અને આપણે આત્મા તેમના જેવા સ્વરૂપને પામે તેમ ધ્યાન કરવું. જેમ ઢોરને કંઈ ખાવાનું જોઈએ જ, તેમ મનનું પણ છે. બીજા વિકલ્પો બંધ કરવા હોય તે તેને સવિચારરૂપ ખોરાક આપ. “મન કહે તેથી
ઊલટું વર્તવું; તેને વશ થઈ તણાઈ જવું નહીં.” ૧૫૬૨ ક. આત્માએ પોતાના જ આત્માનું ધ્યાન ધ્યાવવું તે કેવી રીતે ?
ઉ. આત્મધ્યાની ધ્યાતા આત્મા પોતાના આત્માને પિતાના આત્મામાં
પિતાના આત્માને માટે પિતાના આત્માથી ધ્યાવે છે. જે શરીરાદિ પર પદાર્થોથી આ અવિનાશી આત્માને ભિન જાણતા નથી, અનુ
ભવતા નથી તે તીવ્ર તપ તપે છતાં નિર્વાણને પ્રાપ્ત કરી શકતા નથી. ૧૫૬ ૩ પ્ર, મેક્ષને માટે ધ્યાન કરવામાં આવે છે અને આ કાળે મોક્ષ તો
નથી; તે ધ્યાન કરવાનું શું પ્રયોજન છે ? ઉ. એમ નથી, કેમકે આ કાળે પણ પરંપરાએ મોક્ષ છે, ધ્યાન કરનાર
સ્વશુદ્ધાત્માની ભાવનાના બળથી સંસારની સ્થિતિ અ૯૫ કરીને સ્વર્ગમાં જાય છે, ત્યાંથી ચ્યવીને, મનુષ્યભવમાં રત્નત્રયની ભાવના પ્રાપ્ત કરીને શીધ્ર મોક્ષે જાય છે. જે ભરત, સગર, રામચંદ્રજી, પાંડ વગેરે મેક્ષે ગયા છે તેઓ પણ પૂર્વભવમાં ભેદભેદ રત્નત્રયની ભાવનાથી સંસારની સ્થિતિ ઘટાડીને પછી મોક્ષે ગયા છે. તે જ ભવે બધાને મેક્ષ થાય છે એ નિયમ નથી.
રે ! જન્મ તાડતરુથી પડતાં, પ્રાણીરૂપ ફળ જે બધાં; વચમાં ટકે તે કેટલું ? મૃત્યુ રસાતળ પહોંચતાં ?
૩૧
Page #504
--------------------------------------------------------------------------
________________
૨૧
સભ્યજ્ઞાન
૧૫૬૪ પ્ર. વિશ્વનાં બધાં દ્રવ્યમાં ન હોય અને ફક્ત આત્મામાં જ હોય તેવો
કોઈ વિશેષ ગુણ છે કે જેથી આત્માને તરત ઓળખી શકાય ? ઉ. હા, આત્મામાં એ વિશેષ ગુણ છે અને તે ગુણનું નામ જ્ઞાન.
ચૈતન્યસ્વરૂપ આત્મા સદા જ્ઞાનનું નિધાન છે, તે જ્ઞાન જ કરે છે, અન્ય કાંઈ કરતા નથી, તે જ્ઞાનમાં લોકાલોક ભાસે છે. જે સર્વ
ને જાણે તે જ્ઞાન છે. જ્ઞાન એક અદ્ભુત છે કે જે કંઈ કેાઈને આપી શકતો નથી કે કોઈ કોઈ પાસેથી લઈ શકતા નથી.
આત્મા જ્ઞાતા દષ્ટા છે જેનારે અને જાણનાર છે. ૧૫૬૫ પ્ર. ત્યારે આત્મજ્ઞાન એટલે શું ?
ઉ. આત્મજ્ઞાન એટલે દેહથી આત્મા જુદે છે; સ્વપર પ્રકાશક છે, નિત્ય
છે, કર્તા છે, ભક્તા છે, મોક્ષ છે અને મેક્ષને ઉપાય છે; આ પદને યથાર્થ નિર્ણય થાય તેને “મારું મારું” મટી શુદ્ધ આત્માને અનુભવ થાય, (ત આત્મજ્ઞાન છે.). “હું નિશ્ચયથી પરમ આત્મવત્ શુદ્ધ નિર્વિકાર જ્ઞાતા દષ્ટ છું” એવું જ્ઞાન તે આત્મજ્ઞાન કહેવાય છે. એ જ આત્મજ્ઞાન પરમ સુખ સાધન છે. એ આત્મજ્ઞાનને જ નિશ્ચય સમ્યજ્ઞાન કહે છે. એ આત્મજ્ઞાનમાં ઉપયોગની સ્થિરતાને
સ્વરૂપાચરણ ચારિત્ર કહે છે, સ્વાનુભવ કહે છે કે આત્મયાન કહે છે. ૧૫૬૬ ક. આત્મજ્ઞાન થાય તે પહેલાં કઈ લબ્ધિઓ જીવને પ્રગટે છે?
ઉ. આત્મજ્ઞાન થાય તે પહેલાં પાંચ લબ્ધિ જીવને થાય છે :
૧. ક્ષયપશમ લબ્ધિ : મનુષ્યભવ, પાંચ ઈન્દ્રિય વગેરે મળે તે. ૨. વિશુદ્ધિલબ્ધિ : ખોટાં કામથી ત્રાસ પામે ને સારા ભાવ
ભણી છવ વળે તેથી પુણ્ય બાંધે, તેથી સપુરુષને યોગ થાય.
Page #505
--------------------------------------------------------------------------
________________
૪૮૩
૩. દેશના લબ્ધિ : પુરુષને યોગ થાય, સપુરુષ કહે તે
સમજવાનું મહામ્ય લાગે. (જુઓ પ્ર–૯૧૧). ૪. પ્રાયોગ્યલબ્ધિ . દેશનાને વિચાર કરી તેમાં જ જીવન ગાળે
તેથી સિત્તેરે કોડાડીની કર્મ સ્થિતિ ઘટીને અંત:ક્રોડાક્રોડીની
થઈ જાય.
૫. કરણલબ્ધિ : તેમાં આગળ વધતાં ગ્રંથિભેદ થાય. ૧૫૬૭ પ્ર. આત્મજ્ઞાન શાના વિના ન થાય ?
ઉ. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહિ. આત્મજ્ઞાન અંતશુદ્ધિ વિના
દઢ અને સ્થિર થઈ શકતું નથી. ત્રણ દોષને ટાળે તો અંતશુદ્ધિ થાય છે : ૧. મળદેષ ૨. વિક્ષેપ દોષ ૩. અજ્ઞાનદોષ. મળ દોષઃ અધર્મયુક્ત ભાવના થવી એ પાપવૃત્તિ છે અને પછી અનુકૂળ સંયોગ પ્રાપ્ત થતાં પાપાચરણ થાય છે તે મળ દોષ
વિક્ષેપદેષ : અનુકૂળ સંગેના અભાવમાં કે તેની વિશેષ પ્રાપ્તિની દોડધામમાં તેમજ અનુકૂળ સંગ ચાલ્યા ને જાય તેની ચિંતામાં શક્તિનું ચંચળપણું થાય છે, તેને વિક્ષેપણ કહે છે. અજ્ઞાનદેષ ઃ નિજ રવરૂપના જ્ઞાનને અભાવ તેમજ પર પદાર્થને
પોતાના માનવા તેનું નામ અજ્ઞાન છે. ૧૫૬૮ પ્ર. શું કારણથી જીવનું વિચાળબળ પ્રવર્તતું નથી ?
ઉ. અસત્સંગ તથા અસત્સંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી;
એમાં કિંચિત્માત્ર સંશય નથી. ૧૫૬૯ પ્ર. અસત્સંગનું બળ શી રીતે ધટે ?
ઉ, આરંભ, પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત્સંગનું બળ ઘટે છે. • સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. ૧૫૭૦ પ્ર. આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે શરૂઆત કેવી રીતે કરવી જોઈએ ?
જે પુણ્યની ઇચ્છા કરે છે એ સંસારની જ ઈચ્છા કરે છે; પુણ્ય સદ્ગતિને હેતુ (જરૂરી છે, પરંતુ નિર્વાણ તે પુણ્યના ક્ષયથી જ થાય છે,
Page #506
--------------------------------------------------------------------------
________________
૪૮૪
ઉ. આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે દ્રવ્યશ્રત દ્વારા છ દ્રવ્ય, પાંચ અસ્તિ
કાય, સાત તત્ત્વ અને નવ પદાર્થનું જ્ઞાન આવશ્યક છે. તે પ્રાપ્ત કરવા પરમાગમને અભ્યાસ કરવો બહુ અગત્યનું છે. આ
શાસ્ત્રાભ્યાસને વ્યવહાર સમ્યજ્ઞાન કહે છે. ૧૫૭૧ પ્ર. વ્યવહાર સમ્યજ્ઞાન માટે ક્યાં શાસ્ત્રોને અભ્યાસ કહ્યો છે.
ઉ. જિનવાણીમાં અનેક શાસ્ત્રને સંગ્રહ છે. ચાર અનુયોગેમાં તે
વહેંચાયેલું છે, જેને ચાર વેદ પણ કહેવાય છે. (૧) પ્રથમાનુયોગ અથવા ધર્મકથાનુયોગ : ધર્મકથાનુયોગમાં જીવન
ચરિત્ર વાર્તારૂપે આવે છે. તે વૈરાગ્ય થવા માટે છે. તેમાં જે મહાનપુરૂષ અથવા સ્ત્રીઓએ ધર્મને ધારણ કરી આત્માની ઉન્નતિ સાધ્ય કરી છે તેમનાં જીવનચરિત્ર હોય છે. જેમાં એક પુરુષ સંબંધી કથા હોય તેને ચારિત્ર કહે છે અને જેમાં ત્રેસઠ શલાકા પુરુષ સંબંધી કથા હોય તેને પુરાણ કહે છે. ચારિત્ર અને પુરાણ બનેને પ્રથમાનુગ કહેવામાં આવે છે. આ પ્રથમાનુયોગ ઉપન્યાસની (નવલકથાની જેમ કપિત અર્થનું વર્ણન ન કરતાં સત્ય હકીકતનું વર્ણન કરે છે તેથી તેને સતકથા કહે છે. તેના વાંચવાવાળા અને સાંભળવાવાળા જીને પુણ્ય બંધ થાય છે તેથી તેને પુણ્ય કથા કહે છે. સરાગી જીવોનું મન કેવળ વૈરાગ્ય કથનમાં જોડાય નહિ તેથી જેમ બાળકને પતાસાના આશ્રયે ઔષધ આપીએ છીએ તેમ સરાગી ભેગાદિકથનના આશ્રયે ધર્મમાં રુચિ કરાવે છે. મન જે કષાયી થઈ ગયું હોય તે
ધર્મકથાનુયોગ” વિચાર યોગ્ય છે. પ્રથમાનુયેગન ગ્રંથ, જિનસેનાચાર્ય કૃત આદિ પુરાણ તથા ગુણભદ્રાચાર્યકૃત ઉત્તરપુરાણ ઈત્યાદિ પુરાણ, ચારિત્રના અનેક ગ્રંથ છે. ' કરણાનુગ અથવા ગણિતાનુયોગ: કરણાનુગમાં કર્મ સંબંધી વાત આવે છે. તે વૃત્તિ સ્થિર થવા માટે છે. એમાં ચાર ગતિનું સ્વરૂપ તથા લેકનું સ્વરૂપ બતાવ્યું છે. જીવોની
કિયા વિનાનું જ્ઞાન વ્યર્થ છે અને અજ્ઞાનીઓની ક્રિયા વ્યર્થ છે,
Page #507
--------------------------------------------------------------------------
________________
૪૮૫
અવસ્થાના ભેદ, ગુણસ્થાન અને માણાસ્થાનાનુ` કથન તથા કર્માના બંધ, ઉદય, સત્તા આદિનું નિરૂપણ છે. આત્માની અવસ્થાએ કર્મ ના ભિન્ન-ભિન્ન પ્રકારથી થાય છે તે સવ હિસામ તેમાં બતાવ્યા છે. એમાં સિદ્ધાંતના સમાવેશ થાય છે, મન તે જડ થઈ ગયું હોય તા ગણિતાનુયોગ” વિચારવા યેાગ્ય છે. કરણ એટલે ભાવ. જેવા ભાવ કરે તે પ્રમાણે ચેસ કöધાય. એ બધા કર્મના હિસાબ હોય છે. કરણાનુયાગના ગામટ્ટસાર, લબ્ધિસાર, ક્ષપણુસાર, ત્રિલેાકસાર આદિ અનેક પ્રથા છે.
(૩) ચરણાનુયાગ : ચરણાનુયાગમાં ચારિત્રની વાત આવે છે. તે કર્મ ક્ષય કરવા માટે છે. મન વચન કાયાને સ્થિર કરવા માટે, સ્વરૂપાચરણમય નિશ્ચયચારિત્ર પ્રાપ્ત કરવા માટે જે જે વ્યવહાર ચારિત્રની આવશ્યકતા છે તે સર્વ આ અનુયાગમાં બતાવ્યું છે. સર્વ વિરતિ મુનિને બ્રહ્મચર્ય વ્રતની આજ્ઞા આપે છે તે ચરણાનુયાગની અપેક્ષાએ પણ કરણાનુયાગની અપેક્ષાએ નહીં; કારણ કે કરણાનુયાગ પ્રમાણે વૈદ્યદયના ક્ષય નવમે ગુણસ્થાને થાય તે પહેલાં નહીં. મન જે પ્રમાદી થઈ ગયું હાય તા ચરણાનુયાગ’વિચારવા યોગ્ય છે. ચરણાનુયાગના મૂળાચાર, આચારસાર, રત્નકરડ શ્રાવકાચાર, ભગવતી આરાધના, સ્વામી કાતિ ધૈયાનુપ્રેક્ષા, આત્માનુશાસન પદ્મન દી પચ્ચીસી ઇત્યાદિ અનેક પ્રથા છે.
ચરણાનુયાગની બે ધારાએ છે,-એક અંતર ગમાં વૈરાગ્ય ઉત્પન્ન કરવાવાળી તથા ખીજી આ જીવનમાં બાહ્ય-ત્યાગરૂપ કાંઈ પ્રેરણા આપવાવાળી.
(૫) દ્રવ્યાનુયાગ : દ્રવ્યાનુયાગમાં છ દ્રવ્યમાં મુખ્યપણે બધી આત્માની વાતા આવે છે. તે પેાતાનું સ્વરૂપ જાણવા માટે છે. એમાં છ દ્રવ્ય, પાંચ અસ્તિકાય, સાત તત્ત્વ અને નવ પદાર્થનું વ્યવહાર
મેાક્ષની ઇચ્છાવાળા માટે શરીર પણ પરિગ્રહ છે.
Page #508
--------------------------------------------------------------------------
________________
૧પ૭ર પ્ર. એકલા દ્રવ્યાનુયોગના અભ્યાસથી નિશ્ચયાભાસી થઈ જાય ?
૪૮૬
નયથી પર્યાયરૂપ અને નિશ્ચયનયથી દ્રવ્યરૂપ થન છે. એમાં શુદ્ધાત્માનુભવની રીતિએ બતાવી છે. જીવનમુક્ત શાનાં સાધન બતાવ્યાં છે. એમાં નિંથ પ્રવચનનું રહસ્ય છે, શુકલ ધ્યાનનું અનન્ય કારણ છે. મહાભાગ્ય વડે દ્રવ્યાનુયાગની પ્રાપ્તિ થાય છે. દ્રવ્યાનુયાગનું ફળ સભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. સમાધિનું રહસ્ય એ જ છે. મન જો શ કાશીલ થઈ ગયુ. હાય તા દ્રવ્યાનુયોગ વિચારવા યાગ્ય છે. દ્રવ્યાનુયોગની દષ્ટિ વિના થાનુયાગ અને ચરણાનુયેાગમાં ફઈ અપેક્ષાએ કહ્યુ છે તે સમાશે નહિ. શ્રી કુન્દ કુન્દ સ્વામીના સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય, રયણુસાર, અષ્ટપહુડ; શ્રી ઉમાસ્વામીકૃત તત્ત્વાર્થ સૂત્ર, ખીન્ન ન્યાયના કેટલાય ગ્રંથા, પ્રમાણુ પરીક્ષા, પ્રમાણ નિય, પ્રમાણુ મિમાંસા, તથા ન્યાયદીપિકા ઇત્યાદિ ભરપૂર દ્રવ્યાનુયેાગના ગ્રંથા જયવંત વર્તે છે.
ઉ. ના, દ્રવ્યાનુયોગના અભ્યાસથી નિશ્ચયાભાસી ન થાય પણ વ્યવહાર
છે જ નહિ તેમ નિષેધ કરે તા નિશ્ચયાભાસી થઈ નય, એથી તા કહ્યું છે કે જેને નિશ્ચયના અતિરેક હાય તેણે વ્યવહાર ગ્રહણ કરવે અને જેને વ્યવહારના અતિરેક હોય તેણે નિશ્ચયને ગ્રહણ કરવા. આ બધામાંથી કયા શાસ્ત્રના સ્વાધ્યાય કરવા ? અને કયા ક્રમથી કરવા . જો કાઇની બુદ્ધિ એટલી મંદ હાય કે વસ્તુ સ્વરૂપને સમજી ન શકે તથા વૈરાગ્યની વાત જેના ગળે ઊતરી ન શકે તેા તેના માટે પ્રથમાનુયોગ તથા ચરણાનુયોગની બાહ્ય ત્યાગની ધારાને સ્વાધ્યાય જ થચિત યોગ્ય છે. જેની બુદ્ધિ કુશાગ્ર છે અને જેને દ્રવ્યાનુયોગ અને ચરણાનુયોગના બરાબર અભ્યાસ કરી લીધા છે, તેને નિજ કલ્યાણાર્થે પેાતાના સૂક્ષ્મ પરિણામેાને પારખવા કરણાનુયોગના
૧૫૭૩ પ્ર.
ખામિ સબ્વે જીવા, સબ્વે જીવા વિ ખમતું કે, મિત્તી એ સવ્વ ભૂએસ, વેર મજઇ ન કૃષ્ણઈ,
Page #509
--------------------------------------------------------------------------
________________
૪૮૯
સ્વાધ્યાય અત્યંત જરૂરી છે. જેની પાસે સમયની છૂટ છે તેને માટે પણ કરણનુગ મહાન ઉપકારી છે, કારણ કે તેની ઊંડી અને સૂક્ષ્મ વાતે સમજવા માટે બુદ્ધિ એટલી તીણુ અને એકાગ્ર કરવી પડે છે કે દિવસ ક્યાં પસાર થઈ જાય છે તેની ખબર પડતી નથી.
સૌ પ્રથમ દ્રવ્યાનુયોગને અભ્યાસ કરવો અને તેનું સ્વરૂપ સમજાયા પછી કેમ ચાલવું તે સંબંધીનું વર્ણન તે ચરણનુયોગ. ત્યારબાદ ગણતરી પ્રમાણવાળે ગણિતાનુયોગ (અથવા કરણનુયોગ) અને ધમકથાનુયોગને સ્વાધ્યાય રાખવા.
શાસ્ત્રાભ્યાસના અનેક અંગ છે. શબ્દ અથવા અર્થનું વાંચવું, શીખવું, શીખડાવવું, ઉપદેશ આપ, વિચારવું, સાંભળવું, પ્રશ્ન કરવા, સમાધાન સમજવું, વારંવાર ચર્ચા કરવી ઇત્યાદિ અનેક
અંગ છે, ત્યાં જેમ બને તેમ અભ્યાસ કરવો. ૧૫૭૪ પ્ર. શાસ્ત્રને અભ્યાસ કરવાને ઉપદેશ શા માટે કરવામાં આવ્યો છે ?
ઉ. ચાર અનુયેગનું તથા તેના સૂક્ષ્મભાવનું જે સ્વરૂપ, તે જીવે વારંવાર
વિચારવા યોગ્ય છે, જાણવા યોગ્ય છે. તે પરિણામે નિર્જરાને. હેતુ થાય છે, વા નિર્જરા થાય છે. ચિત્તની સ્થિરતા કરવા માટે સઘળું કહેવામાં આવ્યું છે, કારણ કે એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્વરૂપ જીવે જે કાંઈ જાણ્યું હોય તો તેને વાતે વારંવાર વિચાર કરવાનું બને છે, અને તેવા વિચારથી જીવની બાહ્યવૃત્તિ નહીં થતાં અંદરની અંદર વિચારતાં સુધી સમાયેલી રહે છે. અંતર વિચારનું સાધન ન હોય તે જીવની બાહ્યવસ્તુ ઉપર વૃત્તિ જઈ અનેક જાતના ઘાટ ઘડાય છે. જીવને અવલંબન જોઈએ છે. તેને નવરા બેસી રહેવાનું ઠીક પડતું નથી. તેના વારંવાર વિચારથી સ્વરૂપ સમજાય છે, અને તે પ્રમાણે સમજાયાથી તેથી સૂક્ષ્મ અરૂપી એવો જે આત્મા તે સંબંધી જાણવાનું કામ સહેલું થાય છે.
અદયાત્મ (શાસ્ત્રોમાં મૂછને જ પરિગ્રહ કહેવામાં આવ્યો છે, તેવી રીતે એમાં પ્રમાદને જ હિંસા કહેવામાં આવી છે,
Page #510
--------------------------------------------------------------------------
________________
૪૮૮
૧૫૭૫ પ્ર. શાસ્ત્રાભ્યાસની મહિમા કહે ?
ઉ. શાસ્ત્રાભ્યાસથી પરંપરા આત્માનુભવદશા પ્રાપ્ત થાય છે. આ તે
દૂરની વાત, પણ તાત્કાલિક આટલા ગુણે પ્રગટે છે, કેધાદિ કષાયોની મંદતા થાય છે, પંચેન્દ્રિયના વિષયમાં પ્રવૃત્તિ અટકે છે, અતિ ચંચલ મન પણ એકાગ્ર થાય છે. હિંસાદિ પાંચ પાપ થતાં નથી, હેય ઉપાદેયની ઓળખાણ થાય છે, આત્મજ્ઞાન સન્મુખ થાય છે, અધિક–અધિકજ્ઞાન થવાથી આનંદ ઉત્પન્ન થાય છે, તેથી શાસ્ત્રાભ્યાસ અવશ્ય કરવો. શાસ્ત્રાભ્યાસ કરવાના સમયની પ્રાપ્તિ મહાદુર્લભ છે. શાસ્ત્રાભ્યાસ કરે, અન્ય જીવોને કરાવે, જે છ શાસ્ત્રાભ્યાસ કરે છે તેમની અનુમોદના કરો. પુસ્તક લખાવવું તથા શીખવા તથા શીખડાવવાવાળાની સ્થિરતા કરવી, ઇત્યાદિ શાસ્ત્રાભ્યાસના બાહ્ય કારણોને સાધના કરવાં, કારણ કે તેમની મારફત પણ પરંપરા કાર્યસિદ્ધિ થાય છે અને મહત્ત પુણ્ય
ઉત્પન્ન થાય છે. ૧૫૭૬ પ્ર. શાસ્ત્રને અભ્યાસ કરીને શું કરવું જોઈએ ?
ઉ. આત્મામાં તેવા ભાવરૂપ પરિણમન કરવું જોઈએ. ૧૫૭૭ પ્ર. સમ્યજ્ઞાનને કેટલાં અંગ છે અને તે કયાં કયાં છે ?
ઉ. સમ્યજ્ઞાનના આઠ અંગ છે તે નીચે મુજબ છે :
(૧) ગ્રંથશુદ્ધિ : શાસ્ત્રનાં વાક્યોને શુદ્ધ ભણવાં. (૨) અર્થશુદ્ધિ : શાસ્ત્રના અર્થ બરાબર સમજવા. (૩) ઉભય શુદ્ધિ : ગ્રંથને શુદ્ધ ભણવા અને શુદ્ધ અર્થ સમજવા. (૪) કાલાધ્યયન : શાસ્ત્રોને એવા વખતે ભણવાં જોઈએ કે જ્યારે
પરિણામમાં નિરાકુળતા હોય. (૫) વિનય ઘણાં આદરપૂર્વક શાસ્ત્ર ભણવાં જોઈએ. (૬) ઉપધાન : યાદ રાખતાં જતાં ગ્રંથને ભણવા જોઈએ. (૭) બહુમાન : શાસ્ત્રને બહુમાન કે પ્રતિષ્ઠાપૂર્વક વિરાજમાન કરીને
ભણવું જોઈએ.
પરિણામને હટાવી શકાય નહીં, પરિણામમાંથી એકત્વ હઠાવી શકાય છે.
Page #511
--------------------------------------------------------------------------
________________
૪૮૯
(૮) અનિદ્ભવ : આપણને શાસ્ત્રજ્ઞાન હોય તે કેાઈ સમજવા ચાહે
તે સમજાવવું જોઈએ. જે ગુરુથી જ્ઞાન મળ્યું હોય તેમનું નામ
છુપાવવું ન જોઈએ. ૧૫૭૮ પ્ર. કયા દોષ સમ્યજ્ઞાન પ્રગટ કરવામાં રુકાવટ કરે છે ?
ઉ. સમ્યજ્ઞાન ન થવા દેવામાં ત્રણ દોષે છે : ૧. સંશય ઃ આ પ્રમાણે છે કે આ પ્રમાણે છે, એવું જે પરસ્પર
વિરુદ્ધતાપૂર્વક બે પ્રકારરૂપ જ્ઞાન, તે સંશય કહે છે. ૨. વિપર્યય : વસ્તુસ્વરૂપથી વિરુદ્ધતાપૂર્વક “આ આમ જ છે”
એવું એકરૂપ જ્ઞાન તેનું નામ વિપર્યય છે. ૩, અધ્યવસાય : “કાંઈક છે” એ નિર્ધારરહિત વિચાર તેનું
નામ અનધ્યવસાય છે. ૧૫૭૯ પ્ર. સમ્યકત્વ કેવળજ્ઞાનને શું કહે છે ?
ઉ. હું જીવને મોક્ષે પહોંચાડું એટલે સુધી કાર્ય કરી શકું છું; અને
તું પણ તે જ કાર્ય કરે છે; તું તેથી કાંઈ વિશેષ કાર્ય કરી શકતું નથી, તો પછી તારા કરતાં મારામાં ન્યૂનતા શાની ? એટલું જ નહિ
પરંતુ તને-પામવામાં મારી જરૂર રહે છે. ૧૫૮૦ પ્ર. સમક્તિ ક્યાં સુધી ન થાય ?
ઉ. જ્યાં સુધી દેહાત્મબુદ્ધિ ટળે નહિ ત્યાં સુધી સમ્યક્ત્વ થાય નહિ.
(૧) અવિનય. (૨) અહંકાર. (૩) અર્ધદગ્ધપણું. પોતાને જ્ઞાન નહિ છતાં પોતાને જ્ઞાની માની બેસવાપણું અને (૪) રસલુબ્ધપણું. એ ચારમાંથી એક પણ દેષ હોય તે જીવને સમક્તિ ન થાય. આમ શ્રી ઠાણાંગસૂત્રમાં કહ્યું છે.
અનંતાનુબંધી ચાર કષાય અને મિથ્યાત્વમેહિની, મિશ્રમાહિની અને સમ્યક્ત્વહિની એમ સાત પ્રકૃતિએ જ્યાં સુધી ક્ષયોપશમ, ઉપશમ કે ક્ષય થતી નથી ત્યાં સુધી સમ્યદૃષ્ટિ થવું સંભવતું નથી.
ઇન્દ્રિયના ઉપશમને જ ઉપવાસ કહેવામાં આવે છે, એટલા માટે જ, જિતેન્દ્રિય સાધુ ખાવા છતાં ઉપવાસી જ કહેવાય છે.
Page #512
--------------------------------------------------------------------------
________________
૦૯૦
૧૫૮૧ પ્ર. આત્મજ્ઞાન ક્યા ગુણે વગર ફલિત ન થાય ?
ઉ. સંસાર પ્રતિ અધિક ઉદાસીનતા, દેહની મૂછનું અલ્પત્વ,
ભેગમાં અનાસક્તિ અને માનાદિકનું (કષાયનું) મંદપણ. ૧૫૮૨ પ્ર. શુદ્ધ આત્મસ્થિતિ માટે મુખ્ય કયાં અવલંબન છે?
ઉ. પરમાર્થિક મૃત અને ઈન્દ્રિય જય એમ બે મુખ્ય અવલંબન છે. ૧૫૮૩ પ્ર. સમક્તિનાં લક્ષણે કયાં છે ?
ઉ. સમ્યફદશાનાં પાંચ લક્ષણે છેઃ
શમ, સંવિગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા. (૧) ક્રોધાદિક કષાયોનું સમાઈ જવું તે “શમ”. (૨) મુક્ત થવા સિવાય બીજા કોઈપણ પ્રકારની ઈચ્છા નહિ,
અભિલાષા નહિ તે “સંવેગ”. (૩) જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું,
ત્યારથી હવે ઘણુ થઈ, અરે જીવ! હવે ભએ “નિવેદ. (૪) મહાસ્ય જેનું પરમ છે એવા નિસ્પૃહી પુરુષનાં વચનમાં
જ તલ્લીનતા તે “શ્રદ્ધા”–“આસ્થા”. (૫) સઘળા જીવમાં સ્વાત્મતુલ્ય બુદ્ધિ તે અનુકંપા.
આ લક્ષણે અવશ્ય મનન કરવા ગ્ય છે, સ્મરવા યોગ્ય છે, ઈચ્છવા યોગ્ય છે, અનુભવવા એગ્ય છે. મુમુક્ષુ જીવમાં પણ આ
ગુણો અવશ્ય સંભવે છે. ૧૫૮૪ પ્ર. દર્શન કેટલાં ?
ઉ. જુઓ પ્રશ્નક્રમાંક-૬૩૪. ૧૫૮૫ પ્ર. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ રતન કહ્યાં છે, તે દર્શન કેમ
જુદું પાડવામાં આવ્યું ? ઉ. જુદું પાડવામાં નથી આવ્યું, એ ત્રણે સાથે છે, પણ સમજવા
માટે પહેલાં બે અને પછી એક એમ કહેવામાં આવે છે. ૧૫૮૬ પ્ર. જીવને ઓળખવા માટે જ્ઞાન અને દર્શન સાધન છે પણ જ્ઞાન
અને દર્શનમાં શું ફેર છે ?
નિર્ણય સંબંધી આત્માની ભૂલ તે સંસાર છે,
Page #513
--------------------------------------------------------------------------
________________
૪૯૧
ઉ. દૃન અને નાનમાં ફેર એ છે કે જ્ઞાન સાકાર છે. દર્શન નિરાકાર છે. દર્શનમાં પદાના ખાધ થતા નથી. ખાધ થવા માંડે છે ત્યારે તેને જ્ઞાન કહેવાય છે. જે સમયે આત્માના ઉપયોગ કાઈ પદાર્થ ને જાણવાની તૈયારી કરે છે ત્યારે દશ ન હેાય છે. તે પછી જે કાંઈ ગ્રહણ થાય છે તે જ્ઞાન છે. કાનમાં શબ્દ આવતાં ઉપયાગ ત્યાં ગયા અને શબ્દ જાણ્યા નથી ત્યાં સુધી દર્શન છે. જ્યારે જાણી લીધુ કે શબ્દ છે. ત્યારે જ્ઞાન કહેવાય છે. જ્ઞાન એટલે જાણવું અને દર્શન એટલે સહવુ માનવું. જગતમાં જે પદાર્થા છે તે બધા જ્ઞાનથી જાણી શકાય છે અને દર્શનથી જીવને વિશ્વાસ આવે છે.
૧૫૮૭ પ્ર. જ્ઞાન થયું અને દર્શન ન હેાય તા ન ચાલે ?
ઉ. જ્ઞાન હોય ત્યાં દર્શન હોય જ અને દૃન હેાય ત્યાં જ્ઞાન પણ હોય. એ એ બાબત એકખીજા સાથે જોડાયેલી જ રહે છે. જ્ઞાન નહીં, તા દર્શન નહિ અને દન નહીં. તા જ્ઞાન નહિ જ. ૧૫૮૮ પ્ર. આજે ઘણા લેા જૈન આગમા વાંચે છે, અભ્યાસ કરે છે તા
શું તેને જ્ઞાન ન કહેવાય ?
ઉ. જો તેના મનમાં એમ જ હાય કે, કાણુ જાણે છે કે, આ વાત. બરાબર છે? સ્વર્ગ આદિ તેમજ જીવ આદિ છે તેનું શું પ્રમાણુ અર્થાત્ એ માણસ ભણ્યા છે પરંતુ શ્રદ્ધા નથી. અગર તે। દર્શીન નથી એટલે દર્શન વિના જ્ઞાન તે જ્ઞાન નહિં, પરંતુ અજ્ઞાન વધારનાર તે બાબત થઈ પડે છે. પહેલું જ્ઞાન કે પહેલું દર્શીન ?
૧૫૮૯ પ્ર.
ઉ. બન્ને સાથે છે. એકખીજા વિના રહી શકે જ નહિ, જ્ઞાન દર્શનના કાંઈ કટકા થઈ જુદા પડી શકે એમ નથી. એ આત્માના ગુણા છે. રૂપિયાના એ અર્ધા તે જ રીતે આઠ આના દર્શન અને આઠ
જ્યાં પરમ-રૂપવિત યુવક મરણ બાદ પેાતાના એ મૃત (ત્યક્ત) : શરીરમાં જ કૃષિરૂપે ઉત્પન્ન થાય છે એવા આ સંસારને ફિટકાર હાય !
Page #514
--------------------------------------------------------------------------
________________
૨
આના જ્ઞાન છે. જ્ઞાન દર્શન બનેને ભેગું કહેવું હોય તે ચિતન્યપણું
કહેવાય. ચૈતન્યપણું એ ઉપયોગ છે. ૧૫૯૦ પ્ર. જ્ઞાન-શ્રદ્ધાને તે યુગપત (એકસાથે) હોય છે, તે પણ ઘણી
જગ્યાએ તેમાં કારણ-કાર્યપણું કેમ કહેવાયું છે ? ઉ. સમ્યક્દર્શન અને સમ્યકજ્ઞાન છે કે એક સાથે પ્રગટે છે તો પણ
તે બને જુદા જુદા ગુણના પર્યાયો છે. સમ્યફદર્શન શ્રદ્ધા ગુણને શુદ્ધ પર્યાય છે અને સમ્યજ્ઞાન જ્ઞાનગુણને શુદ્ધ પર્યાય છે.
જ્યાં સુધી સમ્યગ્દર્શન થતું નથી ત્યાં સુધીનું જ્ઞાન સમ્યજ્ઞાન કહેવાતું નથી. આમ હોવાથી સમ્યગ્દર્શન તે સમ્યફજ્ઞાનનું કારણ છે. “એ હોય તે એ હાય” એ અપેક્ષાએ કારણ-કાર્યપણું હોય છે. જેમ દીપક અને પ્રકાશ બંને યુગપત (એકી સાથે) હોય છે, તો પણ દીપક હોય તો પ્રકાશ હોય, તેથી દીપક કારણ છે, અને પ્રકાશ કાર્ય છે. એ જ પ્રમાણે જ્ઞાન-શ્રદ્ધાન પણ છે.
જ્યારે કોઈ કાંઈ અવકે છે, જુએ છે, ત્યારે જ્યાં સુધી તે વિકલ્પ ન કરે ત્યાં સુધી સત્તામાત્રના ગ્રહણરૂપ દર્શન કહેવાય છે, પછી શુકલ વગેરે વિકલ્પ (અર્થોના આકારનું અવભાસન તે વિકલ્પ) થતાં જ્ઞાન કહેવાય છે. વસ્તુના અનંત ગુણેમાંથી જે ગુણનું મુખ્યતાથી કથન કરવાનું હોય તેને ઉપાદાન અને અન્યને નિમિત્ત કહે છે. જેવી રીતે સમ્યજ્ઞાન અને સમ્યફદર્શન એ બન્નેની ઉત્પત્તિ તો એક જ કાળમાં જ છે, પરંતુ સમ્યદર્શનને મુખ્ય કરીને તેને તે કારણે કહ્યું અને સમ્યજ્ઞાનને કાર્ય કહ્યું.
આમ એક દ્રવ્યના અંદરનું કથન કરવાની શૈલી છે. =૧૫૯૧ પ્ર. એમ હોય તે, આગમમાં કોઈ જગ્યાએ જ્ઞાન પ્રથમ કહ્યું છે ત્યારે
- તત્ત્વાર્થસૂત્રમાં દર્શન પહેલું કહ્યું છે તો તેનું કેમ? ઉ. અજ્ઞાની જીવને પહેલાં જ્ઞાન થાય અને પછી પ્રતીતિ (દર્શન)
હોય પણ સમકિત જીવને જ્ઞાન અને દર્શન અને એકી સાથે જ હાય. શાસ્ત્રોમાં કેવળજ્ઞાન અને કેવળદર્શન સંબંધી ઘણી ચર્ચાઓ
કલ્પિત કલ્પતરુ દીએ, ચિંતિત ચિંતામણિ છતાંઉત્તમ અકસ્ય અચિંત્ય ફળ સંપ્રાપ્ત ધમ થકી થતાં.
Page #515
--------------------------------------------------------------------------
________________
૪૯૩
આવે છે. કેટલાક એમ માને છે કે (આત્મા) નિરાવરણ થતાં કેવળ-દર્શન અને કેવળજ્ઞાન સાથે જ થાય છે. કેટલાક એમ માને છે પહેલું કેવળદ ન થાય અને ખીજે સમયે કેવળજ્ઞાન થાય. કેવી ભગવંતને જ્ઞાનાવરણીય અને દશનાવરણીય કર્મોનો ક્ષય થયેલા હેાવાથી. બન્ને ઉપયાગ એક સાથે વર્તે છે. જો કે આગમમાં એક સમયે એ ઉપયાગનું વવું ન બને એમ વારંવાર કહેલું છે. ઉપરના બન્ને સિદ્ધાંતાને માટે બળવાન કારણા મળે છે, તેથી બન્ને માનવા. એ પ્રશ્નો ધણી ઊંચી દશાએ ચઢે ત્યારે સમજાય છે.
૧૫૯૨ પ્ર છાસ્થને દર્શન અને જ્ઞાને પયાગ એકી સાથે નથી થતા, તે જ પ્રમાણે તે બન્નેનુ પરિણમન પણ એકી સાથે હાય કે નહીં ? . છાસ્થને જ્ઞાનથી પહેલાં દ નાપયેાગ હોય છે, સર્વજ્ઞતે બન્ને
ઉપયાગ એક સાથે જ હેાય છે, પણ છાસ્થને બન્ને એકી સાથે હોતા નથી. હા, છાસ્યને પણ જ્ઞાન અને દશ ન ખન્નેનુ ં પરિણમન તા એકી સાથે જ છે. તેમના પરિણમનમાં ક્રમ નથી, એટલે કે દશ નશક્તિ પહેલાં પરિણમે અને જ્ઞાનશક્તિ પછી પરિણમે, એમ નથી. શક્તિએ તા બન્ને એકી સાથે જ પરિણમન કરે છે,. માત્ર તેમના ઉપયાગરૂપ વ્યાપારમાં ક્રમ પડે છે.
૧૫૯૩ ત્ર. બ્ર્હ્મસ્થ શબ્દના અર્થ શું છે ?
ઉ, બ્ર્હ્મ' શબ્દથી જ્ઞાનાવરણ અને દર્શનાવરણ-એ એ (કર્માંનાં આવરણ) કહેવામાં આવે છે; તે છહ્મમાં (આવરણમાં) જે રહે છે તે
હ્મસ્થ છે.
૧૫૯૪ પ્ર. જ્ઞાનનું લક્ષણ શું ? યથાર્થ જ્ઞાન થયું છે કે નહિ તે કેવી રીતે સમજાય ?
ઉ. જે નાતે કરીને પરભાવ પ્રત્યેના મેાહ, ઉપશમ અથવા ક્ષય ને થયેા, તે જ્ઞાન જ્ઞાન” કહેવા યાગ્ય છે. અર્થાત્ જ્ઞાનનુ લક્ષણ પરભાવ પ્રત્યે ઉદાસીન થવું તે છે.
૧૫૯૫ પ્ર. સમ્યગ્દાનનું ફળ કેવું હોય છે ?
ન્યાયયુક્ત ધનથી વધે ના સતની પણ સંપદા નિમળ જળે સપૂણ ના ભરપૂર સરતા જો કા,
Page #516
--------------------------------------------------------------------------
________________
૪૯૪
. નિશ્ચયનયથી આત્માને આત્મરૂપ જાણવા તે સમ્યજ્ઞાન છે. આત્મા નામનુ દ્રવ્ય ગમે તેા વૃક્ષમાં, કીડીમાં, શ્વાનમાં, માનવમાં, રાજામાં, રકમાં હોય તે પણ તે સર્વને આત્મા એકસમાન શુદ્ધ જ્ઞાન, દર્શીન, વી, સુખ આદિ ગુણ્ણાના ધારક, રાગાદિ ભાવ; નાના વરણાદિ દ્રવ્યકમ, શરીરાદિ નામ રહિત પરમાત્મા સમાન છે.
આ સમ્યગ્દાનના પ્રભાવથી રાગ, દ્વેષ, મેહ મટે છે, સમતા ભાવ જાગૃત થાય છે. આત્મામાં રમણ કરવાના ઉત્સાહ વધે છે, સહેજ સુખનું સાધન બને છે અને સ્વાનુભવ જાગૃત થઈ જાય છે કે જેના પ્રતાપથી આનંદ, શાંતિના અનુભવ થાય છે, આત્મબળ વધે છે, કના મેલ કપાય છે, જીવન પરમ સુંદર સુવણૅ મય થઈ જાય છે.
૧પ૯૬ પ્ર. સખત તપશ્ચર્યાદિ કરે પણ સમ્યગ્નાન પ્રાપ્ત ન હોય તા નિર્વાણ
થાય ?
ઉ. ઇચ્છા-નિરાધરૂપ તપરહિત જે જ્ઞાન છે અને સમ્યગ્દાન રહિત જે તપ છે તે બંને મેાક્ષ સાધનમાં કાર્ય કારી નથી, માટે જે સાધુ સમ્યગ્નાન સહિત તપ કરે છે તે જ નિર્વાણ પ્રાપ્ત કરી શકે છે. તેમજ જે કાઈ શાસ્ત્રોને જાણે છે પણ આત્માને જાણતા નથી તે જીવ કદી પણ નિર્વાણ પ્રાપ્ત કરી શકતા નથી.
૧૫૯૭ પ્ર. જો ઇચ્છા ઉત્પન થઇ જ ગઈ છે તેને કેવી રીતે રાકવી અને જે ઈચ્છા હજુ સુધી થઈ જ નથી તેને શુ રાન્ની ? ઉ. શુદ્ધ આત્મામાં સ્થિરતા કરવાથી ઇચ્છા ઉત્પન્ન થતી નથી. તેને જ ઇચ્છા રેકી” એમ કહેવાય છે. આત્માના શુદ્ધ જ્ઞાન આનંદને અનુસરણ કરીને આનંદની ઉત્પત્તિ થવાથી ઇચ્છા ઉત્પન્ન જ ન થઈ તેનુ નામ અભ્યતર તપ છે. સ્વભાવમાં લીનતા થવાથી ઈચ્છા તૂટી ગઈ અને કર્મ સ્વયં ખરી ગયાં, આને જ “આત્માએ કમ કાપ્યાં અથવા ખપાવ્યાં' એમ કહેવાય છે. આ સિવાય, હું ચિત્તને રાકુ, હું વિપને રાકુ”, તે પ્રમાણે નાસ્તિના
અવળા
ઉપયાગે ઘરો, વિદ્યા પણ દુ:ખકાર; ધૃત પણ ઝેર ખની જશે, ધાતાં બહુ બહુ વાર
Page #517
--------------------------------------------------------------------------
________________
કલ્પ
લક્ષથી વિકલ્પ તૂટતા નથી, પરંતુ વિકલ્પ ઉત્પન્ન થાય છે. “હું ચૈતન્યમાત્ર સ્વભાવ છું”—એવા અસ્તિત્વભાવની તરફ જ્ઞાનનું
જોર લગાડવાથી ચિત્તને નિરાધ સહજપણે થઈ જાય છે. ૧૫૯૮ પ્ર. નિશ્ચય સમ્યજ્ઞાન અને વ્યવહાર સમ્યજ્ઞાન એમ સમ્યજ્ઞાન બે
પ્રકારનું છે ? ઉ. ના, સમ્યજ્ઞાન કાંઈ બે પ્રકારનાં નથી પણ તેનું નિરૂપણ બે પ્રકારથી
છે. જ્યાં સાચા સમ્યજ્ઞાનને સમ્યજ્ઞાન કહ્યું છે તે નિશ્ચય સમ્યજ્ઞાન છે, પણ જે સમ્યજ્ઞાન તે નથી પણ સમ્યજ્ઞાનનું નિમિત્ત છે અથવા સહકારી છે તેને ઉપચારથી વ્યવહાર સમ્યજ્ઞાન કહેવામાં
આવે છે. ૧૫૯૯ પ્ર. જે જ્ઞાન કરી જીવ અને કાયા જુદાં જાણ્યાં છે, તે પછી વેદનાનું
- વેદવું અને માનવું શાથી થાય છે ? ઉ. સૂર્યથી તપેલા એવા પથ્થર તે સૂર્યના અસ્ત થયા પછી પણ
અમુક વખત સુધી તપ્ત રહે છે અને પછી સ્વરૂપને ભજે છે; તેમ પૂર્વના અજ્ઞાન સંસ્કારથી ઉપાર્જિત કરેલ એવા વેદનાદિ તાપ તેને આ જીવને સંબંધ છે. આત્મજ્ઞાન હોવાથી પૂર્વોપાર્જિત વેદનીય કર્મ નાશ જ પામે એ નિયમ નથી, તે તેની સ્થિતિએ નાશ પામે. વેદના વેદતાં જીવને કંઈ પણ વિષમભાવ થવો તે અજ્ઞાનનું લક્ષણ છે; પણ વેદના છે તે અજ્ઞાનનું લક્ષણ નથી, પૂર્વોપાર્જિત અજ્ઞાનનું ફળ છે. જ્ઞાની પુરુષને વેદના ઉદય તે પ્રારબ્ધ
વેદવારૂપ છે; નવાં કમને હેતુ નથી. ૧૬૦૦ . આત્માનું જ્ઞાન કહે છે તે આત્મા અને જ્ઞાન બંને ભિન્ન છે ?
ઉ. ના; આત્મા કહો કે જ્ઞાન બંને એક જ વાત છે કારણ કે જ્ઞાન
આત્માને ગુણ છે, આમાથી જ થાય છે. અન્ય કેઈ દ્રવ્યથી
થતું નથી. - ૧૬૦૧ પ્ર. આત્મસ્વરૂપને જાણવા વિવેક જરૂરી છે?
ભગવાનને તારા જે રાગી ન બનાવ, તું ભગવાન જેવો વિતરાગી બને,
Page #518
--------------------------------------------------------------------------
________________
૪૯૬
ઉ. યથાર્થ યથાતથ્ય જાણવું, સાચાને સાચું અને ખોટાને ખોટું
જાણવું તે વિવેક. સંસારનાં સુખો અનંતવાર આત્માએ ભગવ્યાં છતાં તેમાંથી હજુ પણુ મોહિની ટળી નહીં અને તેને અમૃત જેવો ગણ્ય એ અવિવેક છે. આત્મસ્વરૂપને વિવેક વિના ઓળખી શકાય નહીં એ સત્ય છે. જે વિવેકી નથી, તે અજ્ઞાની અને મંદ છે. અલિપ્ત ભાવમાં
રહેવું એ વિવેકીનું કર્તવ્ય છે. ૧૬૦૨ પ્ર. સાચે વિવેક કર્યો છે ?
ઉ. સ્વ-પરનું ભેદજ્ઞાન કરવું તે. ૧૬૦૩ પ્ર. આ કાળમાં જ્ઞાન દર્શન, ચારિત્રની પ્રાપ્તિ છે?
ઉ. જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણે આ કાળને વિષે છે. પ્રજનભૂત પદાર્થનું (આત્માનું) જાણપણું તે જ્ઞાન; તેને લઈને સુપ્રતીતિ તે દર્શન, અને તેથી થતી ક્રિયા તે ચારિત્ર છે. આ ચારિત્ર આ કાળને વિષે જૈન માર્ગમાં સમ્યકત્વ પછી સાતમા ગુણસ્થાનક સુધી પ્રાપ્ત કરી શકવાનું સ્વીકારવામાં આવ્યું છે. નવું આત્મજ્ઞાન મનુષ્યને આઠ વર્ષની ઉંમર પહેલાં પ્રગટતું નથી, પણ જે આગલા ભવથી જ આત્મજ્ઞાન સાથે લઈને આવે છે, તેમને તે બચપણથી જ આત્મજ્ઞાન સાથે હોય છે. આ કાળમાં કોઈ આરાધક (આત્મજ્ઞાની) જીવ આ ભરતક્ષેત્રમાં અવતાર લેતા નથી, પણ અહીં અવતાર લીધા પછી કોઈ પૂર્વસંસ્કાર આદિના કારણે કોઈ કોઈ વિરલા જીવ આત્મઅનુભવ પ્રગટ કરી આરાધક થઈ જાય છે. ઉત્તમ કાળમાં તો આ ભરતક્ષેત્રમાં પણ આત્મજ્ઞાન સહિત છ જન્મ લેતા હતા અને વિદેહક્ષેત્રમાં તે
અત્યારે પણ એવા આરાધક જીવો જન્મ લે છે. (જુઓ પ્ર. ૧૨૭૪). ૧૬૦૪ પ્ર. પાંચ સમવાય કોને કહે છે ? તેના પ્રકાર કહો ?
વાળના અગ્રભાગ જેટલી પણ આ લોકમાં એવી કઈ જગ્યા નથી જ્યાં જીવે અનેક વાર જન્મ, મરણનું કષ્ટ ન ભેગવ્યું હોય,
Page #519
--------------------------------------------------------------------------
________________
૪૯૭
ઉ. પાંચ સમવાયનાં નામ : (૧) કાળ, (૨) સ્વભાવ, (૩) નિયતિ (ભવિતવ્ય હાનહાર) (૪) કર્યાં અથવા પૂર્વ કૃત (૫) ઉદ્યમ અથવા પુરુષા.
૩ર
(૧) કાળવાદી : આ જગતમાંના સર્વ પદાથે! કાળના ખજામાં છે. કાળ સૌના કર્તા-ભ-હર્તા છે.
(૧) સ્વભાવવાદી : જે થાય છે તે સ્વભાવથી થાય છે. જીવનેા ઉપયાગ, પુદ્ગલનુ પરિવર્તન, ભવ્યજીવનુ મેાક્ષ ગમન, અભવ્યના અનંત સંસાર, શાત્ર સ્વભાવથી જ થાય છે. સ્વભાવ વગર ખીજું કંઈ છે જ નહિ.
(૩) નિયતિવાદી : જેમ બનનાર હોય તેમજ બધાં કામેા બન્યાં કરે છે. ગમે તેટલા યત્ન કરી પણ બનનાર વાત કાઈ રીતે મિથ્યા થતી નથી.
(૪) કવાદી : પેાતાનાં કરેલાં કર્માનાં ફળ પ્રમાણે જ બધુ થાય છે. ફ દૂર થાય ત્યારે જ મેક્ષ થાય. માટે કર્મ જ મહાબળવાન છે.
(૫) ઉદ્યમવાદી । ઉદ્યમથી જ તમામ બને છે અને કાળ, સ્વભાવ, નિયતિ અને કર્મથી કંઈ થતું નથી.
આ પાંચે સમવાયના વિવાદ અનાદિ કાળથી ચાલી રહ્યો છે.. એ પાંચે પેાતાતાની એક એક બાબતને ગ્રહણ કરી પેાતાના પક્ષ તાણે છે અને ખીજા પક્ષને ખાટા કહે છે. તેટલા માટે એ એકાંતવાદી માન્યતાને મિથ્યાત્વ કહે છે. એ પાંચે પેાતાના પક્ષ છેડી એકત્ર થઈ જાય તા ન્યાયપક્ષે આવે છે, અને સમદષ્ટિ થાય છે. પાંચ આંધળા અને હાથીના દૃષ્ટાંતરૂપ આ પાંચ પેાતાના મત સ્થાપનાર પક્ષગ્રાહીએ છે.
૧૬૦૫ પ્ર. મેક્ષમાર્ગમાં જરૂરી પાંચ એવા સમવાયના (મેળાપ, એકટાપણુ)
હાવું જરૂરી છે?
પંડિત પીડા પામશે, જ્યાં અંધેરી રાજ; જ્યમ પાવૈના પુરમાં, વેશ્યાને દુ:ખ દાઝ
Page #520
--------------------------------------------------------------------------
________________
ઉ. મોક્ષને ઉપાય થવામાં પાંચ બાબતો એકી સાથે હોય છે, એટલે
કે જીવ જ્યારે પિતાના (૧) જ્ઞાયકસ્વભાવ સન્મુખ થઈ, (૨) પુરુષાર્થ કરે ત્યારે, (૩) કાળલબ્ધિ, (૪) ભવિતવ્ય, અને (૫) કર્મની
ઉપશમાદિ અવસ્થા એકી સાથે હોય છે. ૧૬ ૦૬ પ્ર. કાળલબ્ધિ શું છે ?
ઉ. તે કઈ વસ્તુ નથી પણ જે કાળમાં કાર્ય બને તે જ કાળલબ્ધિ છે. ૧૬ ૦૭ પ્ર. જગતમાં બધું ભવિતવ્ય (નિયતિ) આધીન છે, તેથી કાળલબ્ધિ
પાકશે ત્યારે જ ધર્મ થશે એ માન્યતા બરાબર છે ? ઉ. એ માન્યતા મિથ્યા છે કેમ કે તેમ માનનાર જીવે પિતાને જ્ઞાયક
સ્વભાવ, પુરુષાર્થ આદિ પાંચ સમવાયને એકી સાથે માન્યા નહિ પરંતુ એક કાળને જ માન્યો. તેથી તે માન્યતાવાળાને એકાંત
કાળવાદી ગૃહીત મિથ્યાદષ્ટિ કહ્યો છે. ૧૬૦૮ . ત્યારે મેક્ષના ઉપાય માટે શું કરવું ?
ઉ. જિનેશ્વરના ઉપદેશ અનુસાર પુરુષાર્થપૂર્વક યથાર્થ ઉપાય કરો.
જે પુરુષાર્થ કરે છે તેને સર્વ કારણે મળે છે. જીવને કાળલબ્ધિ ભવિતવ્ય, કર્મને ઉપશમાદિક મેળવવાના હોતા નથી, પણ જ્યારે
જીવ સ્વભાવસમુખ પુરુષાર્થ કરે છે, ત્યારે તે કારણે આવી મળે છે. ૧૬૯ પ્ર. જે પુરુષાર્થથી જ ધર્મ થાય છે તે દ્રવ્યલિંગી મુનિઓ મોક્ષને
અર્થે ગૃહસ્થપણું છોડી ઘણે પુરુષાર્થ તો કર્યો, છતાં તેને કાર્યસિદ્ધિ કેમ ન થઈ ? ઉ. તેણે ઊંધો પુરુષાર્થ કર્યો છે.
તપશ્ચરણાદિ વ્યવહાર સાધનથી શાસ્ત્રમાં શુભબંધ કહ્યો છે. વ્યવહારસાધન કરતાં કરતાં નિશ્ચયધર્મ થાય એમ માનવું છે તે એક ભ્રમ છે. (જુઓ પ્ર. ૧૩૮)
આજે જો તું દુકૃતમાં દોરાતો હે તે મરણને સ્મર. રાજા હો કે રંક હો ગમે તે હો, પરંતુ આ વિચાર વિચારી સદાચાર ભણી આવજે કે આ કાયાના પુગલ થડા વખતને માટે માત્ર સાડાત્રણ હાથ . ભૂમિ માંગનાર છે.
Page #521
--------------------------------------------------------------------------
________________
૧૬ ૧૦ પ્ર. ધર્મ ન થવામાં જડ કર્મને દેષ છે ને ?
ઉ. ના, પિતાના ઊંધા પુરુષાર્થને જ દોષ છે. જે જીવ કર્મને દેષ
કાઢે છે તે પિતાના દોષ હોવા છતાં કર્મ ઉપર દેષ નાંખે છે. એ અનીતિ છે. જેને ધર્મ કર રુચતો નથી તે આવું જૂઠું બેલે છે. જીવનું કર્તવ્ય તે તત્વજ્ઞાનને અભ્યાસ જ છે, અને તેનાથી જ દર્શનમોહને ઉપશમ સ્વયં થાય છે. વળી ત્યાર પછી જેમ જેમ જીવ સ્વસમ્મુખતા વડે વીતરાગતા વધારે છે તેમ તેમ
તેને ચારિત્રમેહને અભાવ થાય છે. -૧૬૧૧ પ્ર, જીવને ધર્મ સમજવા માટે ક્રમ શું છે ? ઉ. (૧) પ્રથમ તે કુદેવ, કુરુ અને કુધર્મની માન્યતા છેડી,
અરિહંતદેવાદિકનું શ્રદ્ધાન કરવું. (૨) પછી જિનમતમાં કહેલાં જીવાદિ તને વિચાર કરવો. (૩) પછી સ્વપરનું ભિન્ન પણું જેથી ભાસે તેવા વિચાર કર્યા કરવા. (૪) ત્યાર પછી એક સ્વમાં સ્વપણું માનવા અર્થે સ્વરૂપને વિચાર
કર્યા કરવો, કારણ કે એ અભ્યાસથી આત્મ અનુભવની
પ્રાપ્તિ થાય છે. (જુઓ પ્રશ્ન-૧૩૦૯). ૧૬૧૨ પ્ર. સંસારમાં કેટલા પ્રકારના એકાંત મિથ્યાત્વ પોષનારા મતે અથવા
પાખંડવાદ છે ? અને તે ક્યા સંગથી ઉત્પન્ન થાય છે ? . ઉ. પાંચ સમવાયના સંગથી વિવિધ પ્રકારના પાખંડીઓના ૩૬૩ મત
થાય છે. પાખંડી મતના મૂળ ચાર પ્રકાર છે : (૧) રાગથી તથા ભક્તિથી કલ્યાણ થશે, દયા, દાનાદિના રાગથી
ધર્મ માને વગેરે, તે ક્રિયાવાદી. તેના ૧૮ ભેદ છે. (૨) આત્માને કુટસ્થ માનવાવાળા અક્રિયાવાદી. તેના ૮૪ ભેદ છે. (૩) અમે તે કાંઈ જાણતા નથી, આંધળાની ગાયને ભગવાન
રખેવાળ, એમ જે માને છે. પશુ હિંસામાં ધર્મ માને છે. આત્માની વાતે જચતી નથી. આ અજ્ઞાની છે તેના ૬૭
ભેદ
છે.
પવિત્રતાનું મૂળ સદાચાર છે,
Page #522
--------------------------------------------------------------------------
________________
૫૦૦
(૪) ગુરુની કૃપાથી કલ્યાણ થશે, મા બાપની ભક્તિ કરવી તે
ધર્મ છે, નમવાવાળે પરમેશ્વરને ગમે છે તેમ માની બધાને પગે પડે છે. તે વિનય મિથ્યાત્વી છે. તેના ૩૨ ભેદ છે.
આ પ્રમાણે એકાંતપક્ષી પાખંડીઓના કુલ મળીને ૩૬૩ ભેદ
થાય છે તેમાંથી કોઈ એકને માને તે લૌકિક ગુરુગત મિથ્યાત્વ ગણવું, ૧૬૧૩ પ્ર. મનથી બંધ કે મેક્ષ છે, તે ખરું છે?
ઉ. મન જ સર્વોપાધિની જન્મદાતા ભૂમિકા છે. મન જ બંધ અને મોક્ષનું
કારણ છે, મન જ સર્વ સંસારની માહિનીરૂપ છે. તે જે દુરિટછા કરે તેને ભૂલી જવી, તેમ કરવું નહીં, આપણે એથી દોરાવું નહીં, પણ આપણે તેને દરવું, અને દરવું તે પણ મોક્ષમાર્ગમાં જ. છે ઈન્દ્રિમાં મન અધિષ્ઠાતા છે, અને બાકીની પાંચ ઈન્દ્રિ તેની આજ્ઞા પ્રમાણે વર્તનાર છે, અને તેની સંકલન કરનાર પણ એક મન જ છે. આત્માને ઉપગ મનન કરે તે મન છે. વળગણું.
છે તેથી મન જુદું કહેવાય. ૧૬૧૪ પ્ર. સિદ્ધભગવતિના પંથમાં આવવું હોય તો શું કરવું ?
ઉ. ભેદજ્ઞાનને અભ્યાસ કરીને સ્વભાવ-સન્મુખ થવું. ૧૬૧૫ પ્ર. ભેદજ્ઞાન એટલે શું ? તે જ્ઞાનની કસોટી કેમ કરીને થાય ?
ઉ. દેહ અને આત્માને ભેદ પાડવો તે “ભેદજ્ઞાન”; જ્ઞાનીને તે જાપ
છે. તે જાપથી દેહ અને આત્મા જુદા પાડી શકાય છે. તે ભેદવિજ્ઞાન થવા માટે મહાત્માઓએ સકળ શાસ્ત્રો રહ્યાં છે. જેમ તેજાબથી સોનું અને કથીર જુદાં પડે છે, તેમ જ્ઞાનીના ભેદ વિજ્ઞાનના જાપરૂપ તેજાબથી સ્વભાવિક આત્મદ્રવ્ય અગુરુલઘુ સ્વભાવવાળું હોઈને પ્રયાગી દ્રવ્યથી જુદું પડી સ્વધર્મમાં આવે છે. જે ભેદજ્ઞાન સંપૂર્ણ પ્રગટ થયું ન હોય તે આત્મા દેહાકારે પરિણમે એટલે દેહ પિતાને માની લઈ વેદે છે. આવા પ્રસંગે જેમને ભેદજ્ઞાન સંપૂર્ણ થયું છે એવા જ્ઞાનીઓને અશાતાદની વેદતાં નિર્જરા થાય છે,
જીવને અટકવાના રસ્તા અનેક છે, છૂટવાને રસ્તો એક જ છે–વીતરાગભાવ,
Page #523
--------------------------------------------------------------------------
________________
૫૦૧
ને ત્યાં જ્ઞાનીની સેાટી થાય છે. એટલે ખીજાને વાળા ત્યાં તે પ્રમાણે ટકી શકતા નથી. જે પેાતાનું નથી તે પેાતાનું થવાનું નથી.
દેહ કરતાં ચૈતન્ય સાવ સ્પષ્ટ છે. દેહગુણધર્મ જેમ જોવામાં આવે છે તેમ આત્મગુણધર્મો જોવામાં આવે તા દેહ ઉપરના રાગ નષ્ટ થઈ જાય. સંક્ષેપમાં જ્ઞાનીનુ એમ કહેવુ છે કે પુદ્ગલથી ચૈતન્યના વિયાગ કરાવવેા છે; એટલે કે રાગદ્વેષથી આકષ ણુ મટાડવુ છે. દેહ છૂટે છે તે પર્યાય છૂટે છે; પણ આત્મા આત્માકારે અખંડ ઊભા રહે છે, પેાતાનું કાંઈ જતું નથી, જે જાય છે તે પેાતાનુ
નથી એમ પ્રત્યક્ષ જ્ઞાન થાય નહીં ત્યાં સુધી મૃત્યુના ભય લાગે છે. ૧૬૧૬ પ્ર. સર્પ કરડવા આવે ત્યારે તેને કરડવા દેવા કે મારી નાખવા ? તેને ખીજી રીતે દૂર કરવાની શક્તિ ન હોય એમ ધારીએ છીએ. ઉ, જો દેહ અનિત્ય છે” એમ જાણ્યું હોય તેા પછી અસારભૂત દેહના
રક્ષણાર્થે સર્પને મારવા કેમ યોગ્ય હોય ? જેને આત્મહિત ઇચ્છવું હાય તેને તા ત્યાં પેાતાના દેહને જતા કરવા એ જ યોગ્ય છે.
૧૬૧૭ પ્ર. દરેક પર્યાય ક્રમબદ્ધ છે. તેના ષટકારક અથવા તેની જન્મક્ષણ સ્વત ંત્ર છે તા પછી પુરુષાર્થ કરવા અમારા હાથની વાત છે કે ક્રમબદ્ધમાં હોય ત્યારે જ થાય ?
ઉપુરુષાર્થ કરવા તે પોતાના હાથની વાત છે પણ ક્રમબદ્ધના નિય પુરુષાર્થ આધીન છે. ક્રમબદ્ધના નિર્ણય સ્વસમ્મુખના પુરુષાર્થ પૂર્વક જ થાય છે.
ઉપાદાનનું કાર્ય નિમિત્ત પ્રમાણે પરિણમે છે કે નહિ ? ઉ. ઉપાદાન પેાતાની શક્તિથી જ પરિણમે છે, નિમિત્તથી પરિણમતુ નથી. નિમિત્ત હાજર માત્ર છે. પાણી અગ્નિથી ઉષ્ણુ થતું નથી, ધજા પવનથી ચાલતી નથી, ચેાખા પાણીથી ચઢતા નથી. દરેક દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર છે. નિમિત્ત ધર્માસ્તિકાયવત્ છે. નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થાય એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. સર્વાંગે જેમ જાણ્યું છે તેમ જ જગતનુ પરિણમન થાય છે, તેથી વસ્તુનુ
સ’સારરૂપી કુટુ અને ઘેર આપણા આત્મા પરાણા દાખલ છે.
૧૬ ૧૮ પ્ર.
Page #524
--------------------------------------------------------------------------
________________
૫૦૨
પરિણમન ક્રમબદ્ધ જ છે. પર્યાય માત્ર પર્યાયના સ્વિકાળે-જન્મ ક્ષણે. (પોતાના ષટકારસ્થી) થવાની હોય તે જ થાય છે.
અજ્ઞાની છવ એમ માને છે કે આ શરીરને હું ચલાવું છું, ભાષા હું બેલું છું, દેહ સંબંધી ક્રિયા હું કરી રહ્યો છું. ઈચ્છાનું થવું અને દેહ સંબંધી ક્રિયાઓનું થવું, બંને એક કાળમાં થતું જોઈને, અજ્ઞાનીને ભ્રમ થઈ રહ્યો છે. ખરેખર શરીર સંબંધી. ક્રિયાને પુદ્ગલના પરમાણુઓ પોતાની ક્રિયાવતી શક્તિના કારણે. પિતાથી જ કરી રહ્યા છે. અમૂર્તિ કે આત્મા મૂર્તિક શરીરની એક પણ ક્રિયા કરવાનું સામર્થ્ય ધરાવતા નથી.
સમ્યજ્ઞાનમાં જડ-ચેતન દ્રવ્ય સ્વયં પરિણમતાં ભાસે છે. કોઈ દિવ્ય કોઈ અન્ય દ્રવ્યને કર્તા-ભેતા નહિ ભાસવાથી પરવ્યમાંથી ઈષ્ટ-અનિષ્ઠ બુદ્ધિ છૂટી જાય છે અને આત્મા માત્ર તમાસાગર.
બનીને પિતાની સ્વાભાવિક શાંતિને અનુભવ કરે છે. ૧૬૧૯ પ્ર. ધજા ચાલે છે તે પવનથી નથી ચાલતી તેમ આપ કહે છે પણ
પવનનું જોર ધજાને તેડી નાખે છે ને ? ઉ. ધજાનું ચાલવું ને તૂટવું તે ધજાથી છે. પવન ધજાને અડત નથી,
ધાના તૂટવા કાળે પવન નિમિત્તરૂપ ભલે હો પણ ધજાનું તૂટવું પોતાના ઉપાદાનને સ્વકાળથી છે. નિમિત્તની હાજરી હોવા છતાં
ઉપાદાનના કાર્યમાં નિમિત્ત અકિંચિકર છે, ધર્માસ્તિકાયવત છે. ૧૬૨૦ પ્ર. દહીંને કર્તા કોણ? મેળવણ, દૂધ મેળવવાળો, કે દૂધ ?
ઉ. દહીંને કર્તા દૂધ છે, મેળવણ કે દૂધને મેળવનાર કર્તા નથી. દૂધ પિતા
કર્યા છે અને દહીંની અવસ્થા છે તે કર્મ છે. દૂધ પોતે જ દહીંની અવસ્થારૂપ થાય છે. દૂધમાં જ્યારે દહીં બનવાની યોગ્યતા હોય ત્યારે તેને મેળવણનું નિમિત્ત મળે છે, જે મેળવણુ, મેળવણ નાખનાર. દહીંને કર્તા હોય તે વસ્તુ પરાધીન થઈ જાય. પાણીમાં મેળવણુ નાંખવાથી પાણું પણ દહીં બનવું જોઈએ. પણ એમ તે થતું નથી.
-
નહિ દે તું ઉપદેશક, પ્રથમ લેહિ ઉપદેશ સબસે ન્યારા અગમ હૈ, જ્ઞાનીકા દેશ.”
=
Page #525
--------------------------------------------------------------------------
________________
૧૦૩
૧૬૨૧ પ્ર. આપે કહ્યુ` કે અકસ્માતે કાંઈ જ થતું નથી તેથી જ્ઞાની નિઃશક ને નિર્ભય છે પણ છાપાંમાં તા અકસ્માતના બનાવા ઘણા આવે છે, તેનું શું ? ?
ઉ. જગતમાં અકસ્માતે કાંઈ થતું જ નથી. જે દ્રવ્યની પર્યાય જે કાળે થવાની હોય તે જ થાય છે. દેહ છૂટવાના જે કાળ, જે ક્ષેત્ર અને જે નિમિત્તથી છૂટવાના હોય તે રીતે જ છૂટે છે. આડું-અવળુ કે અકસ્માતથી કાઈ પદાર્થનું પરિણમન થતું જ નથી. વ્યવસ્થિત જ થાય છે.
૧૬૨૨ પ્ર. ચેાખા વર્ષાં સુધી પડયા રહે પણ પાણીના નિમિત્ત વિના નહિ પાર્ક, પાણી આવશે ત્યારે જ પાકશે, તે ખરૂં કે નહિ ? ઉ. ચેાખા જ્યારે પાકશે ત્યારે તેના પેાતાનાથી જ પેાતાની યાગ્યતાથી જ પાકશે અને તે કાળે પાણી નિમિત્તરૂપ સહજ જ હશે. આવા વસ્તુસ્વભાવ છે. તે તે દ્રવ્યની તે તે કાળની પર્યાય યાગ્યતા અનુસાર જ થાય છે, તે તેના સ્વકાળ છે ત્યારે થાય છે. જો એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાયને કરે તેા ખીજું દ્રવ્ય કત્યાં રહ્યું ? અનંત દ્રવ્ય અસ્તિરૂપ છે તે દરેકને ભિન્ન ભિન્ન અસ્તિરૂપે મારે ત્યારે શ્રદ્ધાજ્ઞાન સાચાં થશે.
૧૬૨૩ પ્ર. લીંડી પીપરમાં ચેાસ પહેારી તીખાશ ભરી છે તે પથ્થર ઉપર તા નિમિત્ત વિના ચેાસ પહેારી
ઘસવાથી બહાર આવે છે. તીખાશ બહાર આવશે ?
ઉ. લીંડી પીપરમાં ચાસò પહેારી તીખાશ ભરી છે તે તેની ઉત્પત્તિ એટલે જન્મક્ષણુની ચાગ્યતાના કાળે જ બહાર આવે છે, અને તે વખતે તેને ચાગ્ય નિમિત્તની હાજરી હોય જ છે. તે બ્રેઈને અજ્ઞાનીને ભ્રમ પડે છે કે નિમિત્તથી કાયં પ્રગટ થયુ...! ખરેખર દ્રવ્ય પોતે જ ત્યાં તે સમયની યાગ્યતારૂપે પરિણમે છે. સિદ્ધાંત તા એમ કહે છે કે છએ દ્રવ્યની પર્યાયના જન્મ ક્ષણુ હાય છે, જે સમયે પર્યાય થવાનેા કાળ છે તે સમયે પર્યાય
અગ્નિ વધે ઈન્ધન મળ્યે, તે શાંત ધન પણ ઉભયથી વધતા અહે! આ માહે અગ્નિ
વિષ્ણુ થતા અધિક તા.
Page #526
--------------------------------------------------------------------------
________________
૧૪
થાય છે એ પર્યાય પરદ્રવ્યથી નથાય, નિમિત્તથી ન થાય, પોતાના દ્રવ્યથી પણ ન થાય પણ પર્યાયની ચેાગ્યતારૂપ જન્મક્ષણે સ્વકાળથી પર્યાય થાય છે.
૧૬૨૪ પ્ર. શુદ્ઘનયના પક્ષ થયા છે એટલે શું ?
૬. શુદ્ઘનયના પક્ષ એટલે એને શુદ્ધાત્માની રુચિ થઇ છે. અનુભવ હજુ થા નથી પણ રુચિ એવી થઈ છે કે તે અનુભવ કરે જ, પણ એ કાંઈ ધારીને સતાષ કરવાની વાત નથી. એ જીવને એવુ નાયકનું જોર વીર્યમાં વર્તે છે.
રાજા રાણાને પડિત શાણા હતા, ચાલી નીકળ્યા મૂકીને ઘરખાર જો; મૂરખ કે ડાહ્યો અમર દીઠા નહિ, માટે કરજે ઉર વિષે વિચારજો,
Page #527
--------------------------------------------------------------------------
________________
નય, પ્રમાણુ, નિક્ષેપ, લેખ્યા
૧૬૨૫ પ્ર. જનમતમાં કેટલા નય કહ્યા છે ?
ઉ. જિનમતમાં નિશ્ચય (દ્રવ્યાર્થિક અને વ્યવહાર (પર્યાયાર્થિક) બે
મૂળ અથવા મુખ્ય નય કહ્યા છે. ૧૬૨૬ છે. તે શું નિશ્ચય અને વ્યવહાર મૂળ નય છે કે દ્રવ્યાર્થિક અને
પર્યાયાર્થિક મૂળ નય છે ? ઉ. મૂળ નય તે નિશ્ચય-વ્યવહાર જ છે, પણ દ્રવ્યાર્થિક–પર્યાયાર્થિકને
નિશ્ચય-વ્યવહારના હેતુભૂત (કારણભૂત) હેવાથી મૂળ નય કહેવામાં
આવ્યા છે. ૧૬ર ૭ પ્ર. દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નયના વિષયમાં શું ભેદ છે ?
ઉ. દ્રવ્યાર્થિક નયને વિષય સામાન્ય, એક, નિત્ય, અને અભેદસ્વરૂપ
છે. પર્યાયાર્થિકનયને વિષય વિશેષ, અનેક, અનિત્ય અને ભેદ
સ્વરૂપ છે. જેમાં ઉપર કહેલ બને સમાય છે તે પ્રમાણને વિષય છે, એટલે કે સામાન્ય-વિશેષાત્મક,એક અનેકાત્મક, નિત્ય-અનિત્યાત્મક અને ભેદ-અભેદાત્મક, જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાથી વિચાર કરીએ તે પ્રમાણની વિષયભૂત વસ્તુ દ્રવ્યની અપેક્ષાએ સામાન્ય-વિશેષાત્મક છે, ક્ષેત્રની અપેક્ષાએ ભેદ–અભેદાત્મક છે, કાળની અપેક્ષાએ નિત્ય-અનિત્યાત્મક છે, અને ભાવની અપેક્ષાએ એક-અનેકાત્મક છે.
Page #528
--------------------------------------------------------------------------
________________
૫૦૬
વસ્તુના મૂળ ભેદ બે છે–દ્રવ્ય અને પર્યાય, એટલે તેમને ગ્રહણ કરવાવાળા મૂળનય પણ બે છે-કવ્યાર્થિક અને પર્યાયાર્થિક, પણ એક ખાસ ધ્યાન રાખવાની વાત એ છે કે એક નયની અપેક્ષાએ વાત કહેવાતી હોય ત્યારે બીજા નયને ગૌણ કરે છે પણ તેને
અભાવ નહીં. ૧૬૨૮ પ્ર. નિશ્ચય અને વ્યવહાર એમ બે મોક્ષ માર્ગ છે ? ઉ. ના, મોક્ષ માર્ગ તે બે નથી, પણ મેક્ષ માર્ગનું નિરૂપણ બે પ્રકારથી
છે. જ્યાં સાચા મોક્ષ માર્ગને મોક્ષ માર્ગ કહેવામાં આવે તે નિશ્ચય મેક્ષ માર્ગ છે તથા જે મોક્ષમાર્ગ તે નથી, પણ મોક્ષમાર્ગમાં નિમિત્ત અથવા સહચારી છે, તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહેવામાં આવે છે તે વ્યવહાર મોક્ષમાર્ગ છે. એક નિશ્ચય મેક્ષ, માર્ગ અને એક વ્યવહાર મેક્ષમાર્ગ એમ બે પ્રકારના મેક્ષમાર્ગ માનવા તે મિથ્યા છે. એક નિશ્ચય મોક્ષમાર્ગ જ મોક્ષનું
કારણ છે. ૧૬૨૯ પ્ર. નિશ્ચય અને વ્યવહાર એટલે શું ?
ઉ. શુદ્ધ આત્માના અનુભવને નિશ્ચય કહ્યો છે તથા વ્રત, તપ, સંયમ
દિકને વ્યવહાર કહ્યો છે. ૧૬૩૦ પ્ર. વ્યવહારનય અને નિશ્ચયનયને ભેદ સમજાવો.
. જે નય એક જ વસ્તુનું તેનાથી પરની અપેક્ષા વગર વર્ણન કરે તે નિશ્ચયનય છે. જે કોઈ વસ્તુને પરની અપેક્ષાએ એકને બદલે બીજુ કહે તે વ્યવહારનય છે. નિશ્ચયનયને ભૂતાર્થ, સત્યાર્થ, યથાર્થવાસ્તવિક, અસલ, મૂળ કહે છે. વ્યવહાર નયને અસત્યાર્થ, અભૂતાર્થ,
અયથાર્થ, અવાસ્તવિક કહે છે. ૧૬૩૧ પ્ર. શું દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નથી દ્રવ્યનય અને પર્યાયય ભિન્ન છે :
ઉ. હા, દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નમાં સંપૂર્ણ વસ્તુને દ્રવ્ય અને
પર્યાય, એમ બે અંશમાં વિભાજીત કરીને વાત કરવામાં આવી છે, વસ્તુના કવ્યઅંશને ગ્રહણ કરવાવાળા નયને દ્રવ્યાર્થિકનય અને
અભિનિવેશ જેવું એક પાખંડ નથી.
Page #529
--------------------------------------------------------------------------
________________
૫os
પર્યાયાંશને ગ્રહણ કરવાવાળા નયને પર્યાયાર્થિકનય કહેવામાં આવેલ. છે. પણ દ્રવ્યનય અને પર્યાયનયમાં તે વસ્તુના અનંતધર્મોમાંથી એક દ્રવ્ય નામક ધર્મને ગ્રહણ કરવાવાળા નયને દ્રવ્યનય અને પર્યાયનામક ધર્મને ગ્રહણ કરવાવાળા નયને પર્યાયનય કહેવામાં આવે છે. આધ્યાત્મિક નમાં નિશ્ચય અને વ્યવહાર અથવા દ્રવ્યાર્થિક અને
પર્યાયાર્થિક એમ બે જ ભાગ પડે છે. ૧૬૩૨ પ્ર. શું આવે બનને નયને અંગીકાર કરવો જોઈએ ?
ઉ. નિશ્ચયનય વડે જે નિરૂપણ કર્યું હોય તેને તે સત્યાર્થ માની તેનું
શ્રદ્ધાન અંગીકાર કરવું તથા વ્યવહારનય જીવને શુદ્ધોપયોગમાં
પરિણમવામાં મદદ કરે ત્યાં સુધી તેનું શ્રદ્ધાન રાખવું. ૧૬૩૩ પ્ર. સમયસારમાં વ્યવહારનયને અસત્યાર્થ કહ્યો છે તે જિનમાર્ગમાં
વ્યવહારને ઉપદેશ શા માટે આપ્યો ? એક નિશ્ચયનયનું જ નિરૂપણ કરવું હતું. જેમ અનાર્ય (સ્લેચ્છ) જનને અનાર્યભાષા વિના કાંઈ પણ વસ્તુનું સ્વરૂપ ગ્રહણ કરાવવા કાઈ સમર્થ નથી તેમ વ્યવહાર વિના પરમાર્થને ઉપદેશ કરવા કોઈ સમર્થ નથી. તેમ જ બ્રાહ્મણે ગ્લેચ્છ ન થવું, એ વચનથી તે વ્યવહારનય) અનુસરવા યોગ્ય નથી. નિશ્ચયનયને અંગીકાર કરાવવા માટે વ્યવહાર વડે ઉપદેશ આપ્યો છે પણ વ્યવહારનય છે તે અંગીકાર કરવા યે નથી, વ્યવહારનયને અભૂતાર્થ અને
અસત્યાર્થ કહ્યો છે અને શુદ્ધનય (નિશ્ચયનય)ને ભૂતાર્થ કહ્યો છે. ૧૬૩૪ પ્ર. વ્યવહાર વિના નિશ્ચયને ઉપદેશ કેમ ન હોઈ શકે ?
ઉ. નિશ્ચયથી વીતરાગ ભાવ મોક્ષમાર્ગ છે તેને જે ન ઓળખે, ત્યારે
તેને સમજાવવા વ્યવહારનયથી, તત્ત્વ શ્રદ્ધાન-જ્ઞાનપૂર્વક પારદ્રવ્યનાં નિમિત્ત મટવાની સાપેક્ષતા વડે, વ્રત, શીલ, સંયમાદિરૂપ વીતરાગભાવના વિશેષ બતાવવામાં આવ્યાં ત્યારે તેને વીતરાગભાવની ઓળખાણ થઈ; એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ વ્યવહાર વિના નિશ્ચય ઉપદેશ થતો નથી એમ સમજવું.
કર્મ કરે અજ્ઞાની સહુ, પડી ધંધા ધમાલમાં અનેક, મિક્ષ હેતુ નિજ આતમા, ન ચિંતવે ક્ષણ એક,
Page #530
--------------------------------------------------------------------------
________________
૫૦૮
૧૬૩૫ પ્ર. વ્યવહાર ક્યારે પ્રજનવાન છે ?
ઉ. જે છો અપરમભાવને અર્થાત શ્રદ્ધા તથા જ્ઞાન–ચારિત્રના પૂર્ણ
ભાવને નથી પહોંચી શક્યા, સાધક અવસ્થામાં જ સ્થિત છે તેઓ વ્યવહાર દ્વારા ઉપદેશ કરવા યોગ્ય છે. જેમને સ ચ સેનાની
પ્રાપ્તિ નથી થઈ તેમને ત્યાં સુધી નેવું ટચ સુધીનું પણ પ્રજનવાન છે. -૧૬૩૬ પ્ર. એકાંતે વ્યવહાર કે નિશ્ચય ધર્મ નથી પણ બંને સાથે રહેલ છે
તેમ કઈ અપેક્ષાએ કહ્યું છે ? ઉ. જ્યાં સુધી નિશ્ચય સમ્યફદર્શનની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી
તે જેમનાથી યથાર્થ ઉપદેશ મળે છે એવાં જિનવચને સાંભળવા તથા ધારણ કરવાં તથા જિનવચને કહેનાર શ્રી જિન–ગુરુની ભક્તિ ઇત્યાદિ વ્યવહારમાર્ગમાં પ્રવૃત્ત થવું પ્રયોજનવાન છે; અને જેમને શ્રદ્ધાન જ્ઞાન તો થયાં છે પણ સાક્ષાતપ્રાપ્તિ નથી તેમને પૂર્વકથિત કાય, પરદ્રવ્યનું આલંબન છેડવારૂપ અણુવ્રત–મહાવ્રતનું ગ્રહણ, સમિતિ, ગુપ્તિ, પંચ પરમેષ્ટિના ધ્યાનરૂપ પ્રવર્તન, શાસ્ત્રને અભ્યાસ ઈત્યાદિ વ્યવહારમાર્ગમાં પોતે પ્રવર્તવું અને બીજાને
પ્રવર્તાવવું એ વ્યવહારનયને ઉપદેશ અંગીકાર કરે પ્રજનવાન છે. ૧૬૩૭ પ્ર. નિશ્ચયનયને જ શુદ્ધનય અને ભૂતાર્થ જાણી ગ્રહણ કરે અને વ્યવહાર
નયને અભૂતાર્થ જાણી છોડી દે તે શું ગતિ થાય ? ઉ. વ્યવહારનયને કથંચિત અસત્યાર્થ કહેવામાં આવ્યા છે; પણ જે
કોઈ તેને સર્વ રીતે અસત્યાર્થ જાણી છોડી દેતો શુભપગરૂપ વ્યવહાર છેડે અને શુદ્ધોપયોગની સાક્ષાત્ પ્રાપ્તિ તે થઈ નથી, તેથી ઊલટો અશુભોપયોગમાં જ આવી, ભ્રષ્ટ થઈ, ગમે તેમ સ્વેચ્છારૂપ પ્રવર્તી તો નરકાદિ ગતિ તથા પરંપરા નિગોદને પ્રાપ્ત થઈ સંસારમાં જ ભ્રમણ કરે. માટે શુદ્ધનયને વિષય જે સાક્ષાત શુદ્ધ આત્મા તેની પ્રાપ્તિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી વ્યવહાર પણ પ્રજનવાન છે.
જે દેહ પૂર યુવાવસ્થામાં અને સંપૂર્ણ આરોગ્યતામાં દેખાતાં છતાં પણ ક્ષણભંગુર છે, તે દેહમાં પ્રીતિ કરીને શું કરીએ ?
Page #531
--------------------------------------------------------------------------
________________
૧૯
૧૬૩૮ પ્ર. વ્યવહારનય અને નિશ્ચયનયના કાઈ દાખલા આપી સમજાવે. . . જેમ એક તલવાર સાનાની મ્યાનમાં રાખી હેાય. કાઈને એ
તલવારની જરૂર હોય તા તે એટલું લાંબું વાકય નથી કહેતા કે સાનાની મ્યાનમાં રાખી છે તે તલવાર લાવા. પણ સાનાની તલવાર લાવે એવું ટૂંકું વાક્ય કહી દે છે તા વ્યવહારમાં એ વચન. અસત્ય નથી. પરંતુ નિશ્ચયથી અસત્ય છે. કારણ કે એવા ભ્રમ પેદા કરી શકે છે કે તલવાર સેનાની છે, જ્યારે તલવાર સેાનાની નથી. એવી રીતે નિશ્ચયનયથી આત્માને આત્મા જ કહેવાશે. વ્યવહારનયથી આત્માને મનુષ્ય, તિહુઁચ આદિ કહેવાના લાક વ્યવહાર છે કેમ કે મનુષ્ય, તિય ચ આદિ શરીરમાં તે વિદ્યમાન છે. આ વ્યવહારનયથી સત્ય છે તેા પણ નિશ્ચયનયથી તે અસત્ય છે, કારણ કે આત્મા મનુષ્ય નથી, તેનાં કર્મ મનુષ્ય છે, તેના દેહ મનુષ્ય છે.
૧૬૩૯ પ્ર. સ’સારી આત્માને સમજવા માટે ક્યા નયની જરૂર છે ? ઉ. સંસારી આત્માને સમજવા માટે તેમજ પરના સ યેાગ સહિત ફાઈ પણ વસ્તુને એળખવા માટે બને નયાની જરૂર પડે છે. કપડુ મલિન છે તેને શુદ્ધ કરવા બંને નયના જ્ઞાનની જરૂર છે. નિશ્ચયનયથી કપડુ ઉજ્જવળ છે, રૂનું બનેલું છે, વ્યવહારનયથી મેલુ કહેવાય છે કારણ કે મેલના સંચાગ છે. જો એક જ નય કે એક અપેક્ષાએ સમજે તેા કપડુ. કદી સ્વચ્છ થઈ શકે નહિ. જો એમ. માની લે કે કપડું સર્વથા શુદ્ધ જ છે તેા પછી તેને શુદ્ધ કરવામાં આવે નહિ. જો માની લે કે મેલું જ છે તા પણ્ તે શુદ્ધ કરાય નહિ. એવી રીતે નિશ્ચયનય કહે છે કે આત્મા શુદ્ધ છે. વ્યવહારનય કહે છે કે આત્મા અશુદ્ધ છે, કર્મોથી બધાયેલા છે, એ બને વાતા જાણ્યા પછી જ કર્મોને કાપવાને પુરુષાર્થ કરી શકાય છે. ૧૬૪૦ પ્ર. કાઈ ફક્ત વ્યવહારનયથી જ આત્માને જાણે તેા શું થાય ?
ઉ. જે કાઈ કપડું સ્વચ્છ કરવાની ઇચ્છાથી કપડાં ઉપર સાષુ ધસે
પંડિત વાત વખાણિયે, જેથી સુખ પમાય, ઔષધ ઉપદેશી ખરું, કટુ શુભ ગણાય.
Page #532
--------------------------------------------------------------------------
________________
પ૧૦
પણ ધ્યાન બીજે રાખે, બળપૂર્વક ઘસે નહીં તે ક્યારે પણ કપડાંને મેલ દૂર થાય નહિ. એવી રીતે કોઈ સાચા જ્ઞાન અને વૈરાગ્યયુક્ત હોવા છતાં વ્યવહાર ચારિત્રને સાબુ લઈને આત્મા શુદ્ધ કરવા ઈચ્છે, જપ, તપ કરે, સંયમ પાળે પરંતુ ઉપગ એકાગ્ર ન કરે, આત્મામાં ધ્યાન ન લગાડે, આત્માનુભવ ન કરે તે કદાપિ
આત્મા શુદ્ધ થશે નહિ. ૧૬૪૧ અ. નિશ્ચયનયના કેટલા ભેદ છે ?
ઉ. નિશ્ચયનયના બે ભેદ કહ્યા છે. એક શુદ્ધ નિશ્ચયન, બીજે અશુદ્ધ
નિશ્ચયનય. ૧૬૪૨ પ્ર. શુદ્ધ નિશ્ચયનય અને અશુદ્ધ નિશ્ચયનયને ભેદ સમજાવો.
ઉ. જેને લક્ષ કેવળ શુદ્ધ ગુણ, પર્યાય અને દ્રવ્ય ઉપર છે તે શુદ્ધ નિશ્ચયનય છે અને જેને લક્ષ તે એક દ્રવ્યના અશુદ્ધ દ્રવ્ય, ગુણ પર્યાય પર હોય તે અશુદ્ધ નિશ્ચયનય છે. જેમ જીવ સિદ્ધસમ શુદ્ધ છે. એ વાકય શુદ્ધ નિશ્ચયનયથી કહેવાય છે. આ જીવ રાગી દ્વેષી છે એ વાક્ય અશુદ્ધ નિશ્ચયનયથી કહેવાય છે. રાગદ્વેષ
અશુદ્ધ ભાને આત્માના ભાવ કહેવા તે અશુદ્ધ નિશ્ચયનયથી યથાર્થ છે પણ શુદ્ધ નિશ્ચયનયથી યથાર્થ નથી કારણ કે રાગદ્વેષ આત્માના ભાવ નથી પણ મેહનીય કમના ઉદયન સંગથી તે
ભાવ જીવમાં થાય છે. ૧૬૪૩ પ્ર. વ્યવહારનયના કેટલા ભેદ છે ?
ઉ. વ્યવહારનયના અનેક ભેદ છે. જેવા કે, અનુપચરિત અને ઉપચરિત
અસદ્ભુત વ્યવહારનય, સદ્ભુત વ્યવહારનય વગેરે. ૧૬૪૪ પ્ર. અનુપચરિત અસદ્દભૂત વ્યવહારનય એટલે શું ?
ઉ. એ નય, પરવસ્તુને કોઈને સંગ થતાં પરને તેની કહેવી તે છે. જેમ
આ ઘીને ઘડે છે. એમાં ઘીને સંગ છે માટે ઘડાને ઘીને કહે છે. આ જીવ પાપી છે, પુણ્યાત્મા છે, આ ગેર છે, આ કાળે
મનુષ્યનું આયુષ્ય ડાભની અણી પર પડેલા જળના બિંદુ જેવું છે.
Page #533
--------------------------------------------------------------------------
________________
૫૧૧
છે; એ વાક્યો આ નયથી યથાર્થ છે કેમ કે કામણ કે ઔદારિક શરીરને સંયોગ છે માટે અનુપચરિત છે પરંતુ આત્માના મૂળ સ્વભાવથી ભિન્ન છે માટે અસદ્દભૂત છે. બિલકુલ ભિન્ન વસ્તુને તેની પોતાની કહેવી તે ઉપચરિત અસદ્ભુત વ્યવહારનય છે, જેમ આ
દૂકાન રામલાલની છે, આ કપડું મારું છે, આ દેશ મારે છે. -૧૬૪૫ પ્ર. સદ્ભુત વ્યવહારનય કેને કહે છે ?
ઉ. નિશ્ચયનયને વિષય વસ્તુને અભેદરૂપે અખંડરૂપે ગ્રહણ કરવાને છે.
જ્યારે વસ્તુને ખંડરૂપે ગ્રહણ કરવી એ સભૂત વ્યવહારનયને વિષય છે. આત્માના ગુણ અને ગુણને ભેદ કરીને કહેવું એ સદ્ભુત
વ્યવહારનયને વિષય છે. ૧૬૪૬ પ્ર. દ્રવ્યાર્થિક પર્યાયાર્થિકનય કેને કહે છે તે સમજાવો ?
ઉ. જે નય કે અપેક્ષા કેવળદ્રવ્યને લક્ષમાં લઈને વસ્તુને કહે છે તે દ્રવ્યા
ર્થિક છે. જે દ્રવ્યના કેઈ પર્યાયને લક્ષમાં લઈને કહે તે પર્યાયાર્થિક નય છે. આ આત્મા નિત્ય છે એ દ્રવ્યાર્થિક નયનું વાક્ય છે. આ આત્મા સંસારી અનિત્ય છે એ પર્યાયાર્થિક નયનું વાક્ય છે. કેમ કે
દ્રવ્ય કદી નાશ પામતું નથી. પર્યાય ક્ષણમાં બદલાય છે. ૧૬૪૭ પ્ર. જેનાથી લેકમાં વ્યવહાર થાય છે તે બતાવવા જૈન સિદ્ધાંતમાં
કેટલા નો પ્રસિદ્ધ છે ? અને તે કયા કયા ? ઉ. જગતમાં અપેક્ષાવાદ વિના વ્યવહાર થઈ શકતો નથી. ભિન્ન ભિન્ન
અપેક્ષાથી વાક્ય સત્ય મનાય છે. જેનાથી લોમાં વ્યવહાર થાય છે તે અપેક્ષાઓ અથવા નયને બતાવવા માટે જેન સિદ્ધાંતમાં સાત નય પ્રસિદ્ધ છે. નિગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત, એ સાત નય છે એમાં પહેલા ત્રણ નય દ્રવ્યાર્થિક છે કેમ કે તેનો દષ્ટિ દ્રવ્ય ઉપર રહે છે. શેષ ચાર નય પર્યાયાર્થિકમાં સમાય, કારણ કે તેની દષ્ટિ પર્યાય ઉપર રહે છે. લેક વ્યવહારમાં આ સાત નોની ઘણી ઉપયોગિતા છે. સાતમાંથી પહેલા ચાર નય
એક સમયમાં અસંખ્યાતા યોજન ચાલનાર અશ્વ તે મન છે. એને થકાવવું બહુ દુલભ છે. એથી દોરાવું નહીં પણ આપણે એને દરવું.
Page #534
--------------------------------------------------------------------------
________________
૫૧૨
અર્થપ્રધાન છે અને છેલ્લા ત્રણ શબ્દપ્રધાન છે. સાત નોમાં નિગમનય અને જ્ઞાનપ્રધાન અર્થપ્રધાન પણ છે. આ પ્રમાણે સાત નોમાં નૈગમનય જ્ઞાનનય, વળી તૈગમ, સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર એ ચાર નય અર્થનય છે અને શબ્દ, સમભિરુદ્ધ અને એવંભૂત આ ત્રણ નય શબ્દનય છે. નાનું આ વિભાજન મુખ્યતા અને ગૌણતાની અપેક્ષાએ જ સમજવું જોઈએ. એમ તે સાતે નય જ્ઞાનનય પણ છે, અર્થનય પણ છે અને શબ્દનય પણ છે. જ્યારે કોઈ વ્યક્તિ પિતે સમજવાને માટે આ નયને મૌન રહીને વિચારાત્મક પ્રયોગ કરે છે ત્યારે આ નય શ્રુતજ્ઞાનને અંશ હોવાથી જ્ઞાનસ્વરૂપ જ છે, પણ જ્યારે તે આના માધ્યમથી વસ્તુનું સ્વરૂપ શબ્દો દ્વારા બીજાને સમજાવે છે ત્યારે તેને પ્રયોગ, વચનાત્મક હોય છે અને તેથી બધાને શબ્દનય કહેવાય છે. દ્રવ્ય ગુણ પર્યાયરૂપ વસ્તુનું પ્રતિપાદન થઈ શકવાથી તે અર્થનય તે છે જ. નયને દ્રવ્યનય અને ભાવનય એમ બે નયામાં પણ વિભાજન કરવામાં આવે છે. એક પ્રકારથી શબ્દ જ દ્રવ્યનય
છે અને જ્ઞાનનય ભાવનય છે. ૧૬૪૮ પ્ર. નિગમનય કેને કહે છે ?
ઉ. જેમાં સંકલ્પ કરવામાં આવે તે નિગમનાય છે. ભૂતકાળની વાતને
વર્તમાનમાં સંકલ્પ કરવો એ ભૂતનગમનાય છે. જેમ કે મહાવીર
સ્વામીને આજે જન્મ દિવસ છે. ભાવિનૈગમન ભવિષ્યની વાતને વર્તમાનમાં કહે છે જેમ કે અરિહંતને કેવળી સિદ્ધ કહેવા. વર્તમાન.
નેગમનય તે છે કે જે વર્તમાનની અધૂરી વાતને પૂરી કહે છે. ૧૬૪૯ પ્ર. શ્રીમદ્ રાજચંદ્ર એક બે ઠેકાણે કહ્યું છે કે તેઓ આ કાળના
બીજા મહાવીર છે તે તે કઈ અપેક્ષાએ કહ્યું હશે ? ઉ ભવિષ્યમાં સિદ્ધપર્યાય થવાની છે તે કાળભેદને દૂર કરી, “અહે,
હું સિદ્ધ થઈ ગ” કહેવું તે નગમનાય છે, પણ આ નય સ્વભાવના દૃષ્ટિવંતને જ હોય છે. જ્ઞાની પિતાના જ્ઞાનની ઉગ્રતાના બળ
ભમતે લખ ચોરાસીમાં, આત્મા દુઃખ સહંત; પુત્ર કલમે મહિય, જ્ઞાન વિના નહિ અંત,
Page #535
--------------------------------------------------------------------------
________________
૫૧૩
ઉપર વર્તમાનને ગૌણ કરી અને ભવિષ્યકાળની સિદ્ધ પર્યાયને મુખ્ય કરી પિતાને વર્તમાનમાં સિદ્ધપણાને લક્ષમાં લે છે. તીર્થકરને જન્મ થતાં જ ઈન્દ્ર ઈન્દ્રાણિ તે બાળકની ભક્તિ કરે છે, તેમને તીર્થકર પ્રકૃતિને ઉદય તે તેરમે ગુણસ્થાને આવે છે પણ
વર્તમાનમાં નૈગમનયે તેમને તીર્થંકરપણે દેખી ભક્તિ કરે છે. ૧૬૫૦ પ્ર. સંગ્રહનય એટલે શું ?
ઉ. જે એક જાતિનાં ઘણાં દ્રવ્યોને એક સાથે એકઠાં કહે તે સંગ્રહાય
છે, જેમકે સત એ દ્રવ્યનું લક્ષણ છે. જીવનું ઉપયોગ લક્ષણ છે. ૧૬૫૧ પ્ર. જુસૂત્રનયનને અર્થ સમજાવો ?
ઉ. સૂક્ષ્મ તથા સ્થૂલ પર્યાયમાત્ર જે વર્તમાનમાં છે તેને ગ્રહણ કરે
તે હજુસૂત્રનય છે જેમ કે ક્રોધ પર્યાય સહિતને ધી અને દયા
ભાવ સહિતને દયાવાન કહેવું. ૧૬૫ર પ્ર. શબ્દનય કયા વ્યવહારને માટે વપરાય છે ?
ઉ, લિંગ, વચન, કારક, કાલ, આદિ વિરોધરૂપ દેશે ઉપરથી જોતાં
જણાય તે પણ વ્યાકરણ કે સાહિત્યના નિયમેની અપેક્ષાએ શબ્દને વ્યવહાર કરવો તે શબ્દનાય છે. જેમાં સ્ત્રીને સંસ્કૃતમાં દાર, ભાર્યા, કત્ર કહે છે. અહીં દારા શબ્દ પુલિંગ છે અને કલત્ર નપુસંકલિંગ છે તે પણ બરાબર છે. કોઈ મોટા માણસ
માટે માનાર્થે બહુવચનને પ્રયોગ કરવો, વગેરે. ૧૬પ૩ પ્ર. સમભિરૂઢ નયને અર્થ સમજાવો ?
ઉ. એક શબ્દના અનેક અર્થ પ્રસિદ્ધ છે. તેમાંથી એક લઈ
કઈ પદાર્થને માટે તેને પ્રયોગ કરવો તે સમભિરૂઢનય છે. જેમકે ગ શબ્દને અર્થ પૃથવી, આકાશ, નક્ષત્ર, વીજળી, વાણું આદિ છે તે પણ ગાયને માટે વાપર. જેમ સ્ત્રીને સ્ત્રી, અબળા, નારી
આદિ કહેવું.. ૧૬૫૪ પ્ર. એવં ભૂતનય કોને કહે છે?
ઉ. જે શબ્દને જે વાસ્તવિક અર્થ હોય તેવી ક્રિયા કરનારને તે
નથી તે છે. જે તે નથી.
૩૩
Page #536
--------------------------------------------------------------------------
________________
૫૧૪ શબ્દથી વ્યવહાર કરવો તે એવભૂતનય છે. વૈદું કરતા હોય તેને
વૈદ, પૂજન કરતા હોય તેને પૂજારી કહે વગેરે. ૧૬૫૫ પ્ર. સ્યાદ્વાદનય કોને કહે છે તે સમજાવો.
ઉ. વસ્તુનું સ્વરૂપ અનેકાન્ત છે. તેથી જીવ પણ અનેકાન્ત સ્વરૂપ
છે. વસ્તુના અનેકાનત સ્વરૂપને સમજાવવાવાળી કથન પદ્ધતિને સ્વાદુવાદ કહે છે. જેમાં અનેક અન્ત (ધર્મ) હોય તેને અનેકાન્ત કહે છે. પદાર્થમાં અનેક સ્વભાવ રહે છે, જે સાધારણ રૂપથી વિચારતાં વિરેાધારૂપ ભાસે છે પરંતુ તે સર્વે ભિન્ન ભિન્ન અપેક્ષાએ પદાર્થમાં પદાર્થરૂપ જ હોય છે. તેને સમજાવવાને ઉપાય સ્યાદ્વાદ કે સપ્તભંગ છે. દરેક પદાર્થમાં અસ્તિ એટલે હેવાપણું અને નાસ્તિ એટલે અભાવપણું, નિત્યપણું તથા અનિત્યપણું, એકપણું તથા અનેકપણું, દ્રવ્યત્વ-પર્યાયત્વ; દત્ય-અભેદત્વ, અપેક્ષત્વ અનપેક્ષત્વ, અંતરંગ, બહિરંગ, મૂર્ત-અમૂર્ત, શુદ્ધ-અશુદ્ધ, સંસારી સિદ્ધ, એમ બે વિરોધી સ્વભાવ છે. સ્યાત્ એટલે કથંચિત
કેઈ અપેક્ષાએ, વાદ એટલે કહેવું તે સ્યાદાદ છે. ૧૬૫૬ પ્ર. જેન શસ્રમાં કેટલી રીતે અર્થે કરવામાં આવે છે ?
ઉ. જૈન શાસ્ત્રોમાં પાંચ પ્રકારે અર્થ કરવાની રીત બતાવી છે. (૧).
શબ્દાર્થ (૨) નયાર્થ (૩) આગમાર્થ (૪) મતાર્થ (૫) ભાવાર્થ. (૧) શબ્દનો અર્થ કરવો તે શબ્દાર્થ છે. (૨) એક કથન તે વ્યવહારનયનું છે કે નિશ્ચયનયનું છે તે જાણવું
તે નાર્થ છે. (૩) આ અમુક આગમનું કથન છે તે સમજવું તે અગમાથે છે. (૪) આ અન્યમતને નિષેધ કઈ વિધિથી કરે છે તે સમજવું
તે મતાર્થ છે. (૫) આ કથનનું શું તાત્પર્ય છે ? તે જાણવું તે ભાવાર્થ છે.
આ પ્રમાણે પાંચ પ્રકારે અર્થ કરો તે સૂતાત્પર્ય છે. તથા શાસ્ત્રતાત્પર્ય અર્થાત વીતરાગતા પણ છે. સૂત્રતાત્પર્ય
જેના પ્રત્યેક રમે પિણ બબ્બે વેગને નિવાસ છે; તેવા સાડા ત્રણ કરોડ રેગથી કાયા ભરેલી હોવાથી રેગને તે ભંડાર છે,
Page #537
--------------------------------------------------------------------------
________________
પ૧૫
સાધન છે અને શાસ્ત્રતાત્પર્ય સાધ્ય છે. કહેવાને અર્થ એ છે કે સૂત્રની જે ગાથા ચાલતી હોય તેને અર્થ કર્યા પછી તેમાંથી શાસ્ત્રતા પર્યના રૂપમાં વીતરાગતા જ નીકળવી જોઈએ. તેથી જ “સ્વ”ની અપેક્ષા અને “પર”ની ઉપેક્ષા જે કથનમાં હોય તે
શાસ્ત્રતાત્પર્ય સમજવું. ૧૬૫૭ પ્ર. સપ્તભંગ વાણી કેને કહે છે ? ઉ. જેમ એક પુરુષ પિતા છે, પુત્ર પણ છે, તે પિતા અને પુત્ર પણ
એક જ સમયે છે. પરંતુ શબ્દોમાં એ શક્તિ નથી કે બંને સ્વભાને એક સાથે કહી શકાય. તેથી ચોથા ભંગ અવક્તવ્ય કહે છે. કેઈ અપેક્ષાએ આ વસ્તુ અવક્તવ્ય છે. કથનગોચર નથી. જો કે એ પિતા અને પુત્ર બંને એક સમયે (સાથે) છે, પરંતુ કહી શકાતું નથી. સર્વથા અવક્તવ્ય નથી એ વાતને સિદ્ધ કરવા બાકીના ત્રણ ભંગ છે. કોઈ અપેક્ષાએ અવક્તવ્ય હોવા છતાં પણ પિતા છે, કેઈ અપેક્ષાએ અવક્તવ્ય હોવા છતાં પણ પુત્ર છે, કેઈ અપેક્ષાએ અવક્તવ્ય હોવા છતાં પણ પિતા અને પુત્ર બને છે. એવી રીતે બે વિરોધી સ્વભાવને સમજાવવા માટે સાત ભાગ કરવામાં આવ્યા છે. તેના સાત ભંગ જ થઈ શકે છે. છે કે આઠ થતા નથી. જેમ (૧) પિતા, (૨) પુત્ર, (૩) પિતાપુત્ર, (૪) અવક્તવ્ય, (૫) પિતા અવક્તવ્ય, (૬) પુત્રઅવક્તવ્ય, (૭) પિતાપુત્ર અવક્તવ્ય. જે કોઈને સફેદ, કાળે અને પીળા એ ત્રણ રંગ આપવામાં આવે તો તેમાંથી નીચેના સાત જ રંગ બની શકે ?
(૧) સફેદ, (૨) કાળે, (૩) સફેદ કાળ, (૪) પીળો (૫) સફેદ
પીળો; (૬) કાળે પીળે, (૭) સફેદ કાળો પી. ૧૬પ૮ પ્ર. આ સ્યાદ્વાદ અને સપ્તભંગ વાણીને સમજવાની શું જરૂર છે?
ઉ. આત્માને સ્વભાવને સમજવા માટે આ સ્યાદ્વાદની ઘણું જરૂર
છે. જેવી રીતે આત્મામાં અસ્તિ-નાસ્તિ: નિત્ય-અનિત્યપણું; એક-અનેકરૂપ; શુદ્ધ-અશુદ્ધતા બતાવી શકાય છે. આત્મામાં અસ્તિત્વ
નરક ગતિ જીવ મારતાં, અભયદાનથી દેવ; દર્શાવ્યા બે ભાગ આ, હવે રચે તે સેવ,
Page #538
--------------------------------------------------------------------------
________________
૫૧૬
અથવા ભાવપણું, પોતાનું અખંડ દ્રવ્ય, પિતાના અસંખ્યાત પ્રદેશરૂપ ક્ષેત્ર, પિતાને સ્વાભાવિક પર્યાયરૂપ કાળ, અને પિતાના શુદ્ધ જ્ઞાનાનંદમય ભાવની અપેક્ષાએ છે તે સમયે આ પિતાના આત્મામાં સંપૂર્ણ અન્ય આત્માઓના, સર્વ પુદ્ગલેના, ધર્મ, અધર્મ, આકાશ અને કાળના દ્રવ્ય, ક્ષેત્ર કાળ તથા ભાવનું નાસ્તિ. પણું કે અભાવપણું છે. અસ્તિત્વની સાથે નાસ્તિત્વ ન હોય તે. આ આત્મા છે, આ શ્રી મહાવીર સ્વામીને આત્મા છે, અન્ય નથી, એવો બોધ જ ન થાય. આત્મામાં આત્માપણું તે છે પરંતુ આત્મામાં રાગાદિ ભાવકર્મ, જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ, શરીરાદિનકર્મ એ તથા અન્ય સર્વ દ્રવ્યોનું નાસ્તિત્વ છે અથવા અભાવ છે. એવું જાણવાથી ભેદવિજ્ઞાન થાય છે, આત્માનુભવ થઈ શકે છે. વળી આ આત્મા પિતાના દ્રવ્ય અને સ્વભાવની અપેક્ષાએ ધ્રુવ છે. નિત્ય છે, તે જ સમયે તે પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે. એમ એક જ સમયે આત્મામાં નિત્યપણું તથા અનિત્યપણું બંને સ્વભાવ છે. એવી રીતે આત્મા અનંતગુણોને અભેદ પિંડ છે, એટલા માટે એકરૂપ છે. તે આત્મા તે સમયે જ્ઞાનગુણની અપેક્ષાએ જ્ઞાનરૂપ. છે, વીર્યગુણની અપેક્ષાએ વીર્યરૂપ છે. જેટલા ગુણ આત્મામાં છે તે સર્વ આત્મામાં વ્યાપક છે એટલા માટે તેની અપેક્ષાએ આત્મા અનેકરૂપ છે. તેમ જ આ સંસારી આત્મા સ્વભાવની અપેક્ષાએ શુદ્ધ છે, તે જ સમયે કર્મ સંયોગની અપેક્ષાએ અશુદ્ધ છે. સ્યાદ્વાદ વિના કોઈ પણ પદાર્થના અનેક સ્વભાવનું જ્ઞાન થાય નહિ. આત્માનું ભેદવિજ્ઞાન થવા માટે તો બહુ જ જરૂરી છે. સ્યાદ્વાદ દર્પણ સમાન છે અને વિરોધ મટાડવાને એક અટળ ન્યાયાધીશ
સમાન છે. ૧૬૫૯ પ્ર. પ્રમાણ તે શું ?
ઉ. જેનાથી અર્થ પદાર્થ જાણી શકાય તે પ્રમાણ. અથવા “જાણવું
તે પ્રમાણ વસ્તુ જેવી છે તેવી જ યથાવત જે જ્ઞાનમાં જણાય, તે
દેવે ધરે મસ્તક પરે, પુપ પ્રથમ પૂજાય છે, પછી ચરણ પણ સ્પશે નહીં શું ગુણ ક્ષયે ન થાય તો!
Page #539
--------------------------------------------------------------------------
________________
૫૧૭
જ્ઞાનને પ્રમાણ કહે છે. “પ્ર” એટલે વિશેષપણે “માણ” અર્થાત
માપ; પ્રમાણુ એટલે વસ્તુનું માપ કરવાવાળું જ્ઞાન. ૧૬૬૦ પ્ર. શાસ્ત્રમાં પ્રમાણ કેટલાં કહ્યાં છે ?
ઉ. પ્રમાણ ચારે છેઃ (૧) પ્રત્યક્ષ પ્રમાણુ, (૧) અનુમાન પ્રમાણ, (૩)
આગમ પ્રમાણ, (૪) ઉપમા પ્રમાણ. ૧૬૬૧ પ્ર. નય અને પ્રમાણમાં શું ભેદ છે?
ઉ. સમ્યફ એકાત નય છે અને સમ્યફ અનેકાન્ત પ્રમાણ છે. જેના વડે
વસ્તુની વસ્તુતા સિદ્ધ થાય તેને પ્રમાણુ કહે છે. નય અને પ્રમાણ ૧૧ને જ્ઞાન જ છે. વસ્તુના અનેક ધર્મોમાંથી (લક્ષણ અથવા સ્વભાવમાંથી) જ્યારે કોઈ એક ધમ દ્વારા (લક્ષણ અથવા સ્વભાવ દ્વારા) વસ્તુને નિર્ણય કરવામાં આવે ત્યારે તે નય કહેવાય અને અનેક ધર્મ દ્વારા વસ્તુને અનેક રૂપથી નિશ્ચય કરવામાં આવે ત્યારે તે પ્રમાણ કહેવાય. નય વસ્તુને એક દષ્ટિએ ગ્રહણ કરે છે અને
પ્રમાણ એને અનેક દૃષ્ટિએથી ગ્રહણ કરે છે. ૧૬૬૨ પ્ર. પ્રમાણ અને નયને ભેદ ઉદાહરણ આપી સમજાવો.
ઉ. જેમ કે ઈ માનવ વેપારી છે અને મેજિસ્ટ્રેટ પણ છે. પ્રમાણુજ્ઞાન
બંને વાતાને એક સાથે જાણે છે. નયની અપેક્ષાએ કઈ વખત તે વેપારી કહેવાય છે ત્યારે મેજિસ્ટ્રેટપણું ગૌણ રહે છે; અને કઈ વખત જ્યારે મેજિસ્ટ્રેટ કહેવાય છે ત્યારે વેપારીપણું ગણુ રહે છે. અધ્યાત્મ શાસ્ત્રોમાં નિશ્ચયનય તથા વ્યવહારનયને ઉપયોગ બહુ
જોવામાં આવે છે. ૧૬ ૬૩ પ્ર. પ્રમાણ, નય અને નિક્ષેપને અર્થ કહે ?
ઉ. જ્ઞાન પ્રમાણ છે. જ્ઞાતાના હૃદયગત અભિપ્રાયને નય કહેવામાં આવે
છે. જાણવાના ઉપાયોને નિક્ષેપ કહે છે. નય તે જ્ઞાતા એટલે કે જાણનાર છે, અને નિક્ષેપ, રેય અર્થાત જ્ઞાનમાં જાણવા ગ્ય છે. વસ્તુ પ્રમાણને વિષય છે અને વસ્તુને એક અંશ નયને વિષય
ઉણ ઉદક જે રે આ સંસાર છે, તેમાં એક તત્વ માટે રે સમજણુ સાર છે.”
Page #540
--------------------------------------------------------------------------
________________
૫૧૮
છે. તથા જે અના પ્રમાણ અને નયથી નિર્ણુય થાય છે તે નિક્ષેપના વિષય છે.
૧૬૬૪ પ્ર. નિક્ષેપના કેટલા પ્રકાર છે ?
ઉ. નિક્ષેપના ચાર પ્રકાર છે: નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. તે વસ્તુને આળખવાના કામમાં આવે છે.
૧૬૬૫ પ્ર.
૧. નામનિક્ષેપ :-નામથી વસ્તુ ઓળખાય છે. જેમ ઋષભદેવ” એમ કહેતાં, તે રાજા હતા, પછીથી તેમણે રાજ્યના ત્યાગ કર્યાં હતા તે તીર્થંકર હતા, તે બધું એક નામ કહેતાં સાંભરી આવે. ૨. સ્થાપના નિક્ષેપ :–જે વસ્તુ હાજર ન હેાય તે તેની સ્થાપનાથી જણાય. જેમકે, પ્રતિમા છે તે ભગવાનની સ્થાપના છે. અન્ય વસ્તુમાં અન્ય વસ્તુનું પ્રતિનિધિત્વ સ્થાપવુ.
૩. દ્રવ્ય નિક્ષેપ :- જે પૂર્વે થઈ ગયુ છે અથવા ભવિષ્યમાં થવાનું છે તેને વત માનમાં હોય એમ કહેવું. જેમકે કાઈ રાજા હોય, પછી ગાદીએથી ઉઠાડી મૂકયા હોય તા પણ લેકે તેને રાજા કહે. શેઠના છેાકરાને શેઠ કહે, કરાકે ભવિષ્યમાં શેઠ થવાના છે. દ્રવ્યથી પદાર્થ તેના તેરહે છે, ભાવ ફરે છે, અતીત અથવા અનાગત પર્યાયથી વસ્તુને વર્તમાન કહેવી.
૪. ભાવનિક્ષેપ :– વતમાનમાં જેવું હોય તેવુ' જ કહે. જેમકે કાઈ રસાયા હોય અને રસાઈ ન કરતા હોય તા તેને રસાયા ન. કહે, રસાઈ કરતા હેાય ત્યારે રસાયા કહે, વર્તમાન પર્યાયથી વસ્તુને વમાનમાં કહેવી.
આ ચાર નિક્ષેપોનું વર્ણન શ્રી અનુયાગદારસૂત્રમાં છે. લેસ્યા અને કહે છે.
ઉ. “લિશ” એટલે ચાટવું, લેસ્યા એટલે જે વડે કર્યું આત્મા સાથે ચાંટે તે. અર્થાત આત્માના એક પ્રકારના શુભ કે અશુભ પરિણામ. લેશ્યા એ અણુરૂપ છે, વૃત્તિરૂપ છે. લેસ્યાનાં અણુઓના કાયિક, વાચિક અને માનસિક અણુએમાં સમાવેશ થાય છે. જ્યાં સુધી
એમ સૂચવે કાંકરો, મનદૃગ ખાલી દેખ; મનખા કરાર મુજ સમા, વિના ધથી લેખ.
Page #541
--------------------------------------------------------------------------
________________
૧૬૬૬ પ્ર, લૈશ્યા કેટલી ?
૫૯
જીવમાં જરા પણ કાષાયિક વૃત્તિએ વિદ્યમાન હોય છે, ત્યાં સુધી તેને લેશ્યાનાં અણુએ ટૂંકા આપે છે. કષાયાના ઉદયથી અને મન વચન, કાયયેાગાના ચલનથી જે ભાવ શુભ કે અશુભ થાય છે તેને તાવવાવાળી છ લેસ્યાએ છે.
ઉ. છ, કૃષ્ણ, નીલ, કપાત, પીત, પદ્મ, શુકલ,
પહેલી ત્રણ અશુભ છે, શેષ શુભ છે. અશુભ લેશ્યા જેને હોય તે દેવલાકમાં ન જઈ શકે. કષાયના ઉદયથી અનુરજિત યાગેની પ્રવૃત્તિને ભાવ લેસ્યા કહે છે, અને શરીરના પીત, પદ્માદિ વર્ષાંત દ્રવ્ય લેફ્સા કહે છે.
૧૬૬૭ પ્ર.
કૃષ્ણે લેશ્યાનાં લક્ષણ શુ છે ?
. સ્વભાવની પ્રચંડતા, વેરની મજબૂત ગાંઠ, ઝઘડાખોર વૃત્તિ, ધર્મ અને યારહિતતા, સમજાવવા છતાં ન માનવું; આ બધાં કૃષ્ણ લેશ્યાનાં લક્ષણ છે.
૧૬૬૮ પ્ર. નીલ વૈશ્યાનાં લક્ષણ કહેા ?
ઉ. મંદતા, બુદ્ધિહીનતા, અજ્ઞાન અને વિષયલેાલુપતા.
૧૬૬૯ પ્ર. કાપાત લેફ્સાનાં લક્ષણ કેવાં હોય છે?
ઉ, જલદી રાષે ભરાવું, ખીજાની નિંદા કરવી, દેોષ દેવા, અતિ શાકાયુક્ત હેવુ અત્યંત ભયભીત બની જવું. ૧૬૭૦ પ્ર. પીત અથવા તેજો લેક્ષાનાં લક્ષણ શુ છે ?
ઉ.કા-અકાર્યનું જ્ઞાન. પ્રેય-અદ્રોયના વિવેક, બધા તરફ સમભાવ યાદાનમાં પ્રવૃત્તિ.
૧૬૭૧ પ્ર. પદ્યલેશ્યાનાં લક્ષણ કેવાં હોય છે ?
ઉ. ત્યાગશીલતા, પરિણામેાની ભદ્રતા, વ્યવહારમાં પ્રમાણિકતા, કાર્ય માં ઋજુતા, અપરાધીએ પ્રતિ ક્ષમાશીલતા, સાધુ-ગુરુજનાની પૂજા, સેવામાં તત્પરતા.
૧૬૭૨ પ્ર.
શુક્લલેશ્યાનાં લક્ષણા કહેા ?
ઉ. પક્ષપાત ન કરવા, ભાગાની આકાંક્ષા ન કરવી, બધાની સાથે સમદર્શી પણું, રાગ-દ્વેષ-સ્નેહથી દૂર રહેવું. આત્મ પરિણામામાં
એ ખેલાથી બાંધિયા, સશાસ્ત્રના સાર; પ્રભુ ભજો, નીતિ સર્જા, પરી પરીપકાર,
Page #542
--------------------------------------------------------------------------
________________
પરવ
વિશુદ્ધિ આવવાથી લેફ્યામાં વિશુદ્ધિ થાય છે, અને સ્પાયાની મંદતાથી પરિણામેા વિશુદ્ધ થાય છે.
૧૬૭૩ પ્ર. શુક્લલેશ્યા ને શુકલધ્યાનમાં શું ફેર
ઉ. શુકલલેશ્યા જુદી ચીજ છેને શુકલધ્યાન જુદી ચીજ છે. શુકલલેસ્યા તેા અજ્ઞાનીને પણ હોઈ શકે છે, એનાથી કાંઇ ભવના અંત નથી આવતા પશુ શુકલધ્યાન તા આત્માના સમ્યક્ શ્રદ્દા-જ્ઞાન ઉપરાંત ચારિત્ર દશામાં ઝૂલતા મુનિવરેાને જ હોય છે, તેના વડે ભવના અંત આવે છે. શુક્લલેસ્યા હેાય એવા જીવ નવમી ત્રૈવેયક સુધી જઈ શકે પણ તેના મેાક્ષ ન થાય.
૧૬૭૪ પ્ર. પરભવની લેશ્યા આ ભવમાં બંધાઈ જાય છે તેમ કહે છે તે
સત્ય છે
ઉ. લેસ્યા એટલે મને ત્તિ. કમલેશ્યા એટલા માટે કહે છે કે તે કર્મનો સ્થિતિ ઉત્પન્ન કરે છે. મરણ વખતે તદૂત આયુષ્ય બાકી રહે છે ત્યારે પછીના ભવની લેશ્મા પરિણમવા લાગે છે. આથી કરીને જીવના મરણ સમયે આગામી ભવની લેસ્યા અંત દૂત જેટલા સમય અવશ્ય હોય છે; તથા જીવના ઉત્પત્તિકાળે અતીતભવની લેફ્સા પણુ અંતર્મુત અવશ્ય હોય છે. લેસ્યાએની રચના એવી હાય છે કે તે જે ગતિમાં જવાનુ હાય તેવા આકારમાં મૃત્યુના એક સમય પહેલાં જ પરિણત થાય છે.
૧૬૭૫ મ. એકેન્દ્રિયની લેસ્યા તા અશુભ જ કહી છે, તા પછી તેનાં શુભ પરિણામ કેવી રીતે થાય ?
૩. અશુભ લેશ્યામાં પણ અનેક પ્રકારની તારતમ્યતા હોય છે. લેફ્સા અશુભ હોય પણ તેની સાથે શુભ પરિણામ પણ હોય છે. વળી કાઈને શુભલેસ્યા હાય તેા પણ તેની સાથે અશુભપરિણામ હોય છે. જેમ કે નરકમાં અશુભ લેશ્યા જ હાય છે, તા પણ ત્યાં કાઈ જીવ શુભપરિણામ પણ કરે છે તથા દેવમાં શુભલેશ્યા જ છે તા પણ ત્યાં કાઇ જીવ અશુભપરિણામ પણ કરે છે. આ પ્રમાણે જીવના પરિણામેમાં અનેક પ્રકારની વિચિત્રતા છે.
એ દિન સુખ વિષયના, પછી દુ:ખના નહિ પાર; ભ્રાન્ત જીવ, તું નિજ ખલે, ભલા કુહાડી ન માર.
Page #543
--------------------------------------------------------------------------
________________
૨૩
ગુણસ્થાન ૧૬૭૬ પ્ર. ગુણસ્થાન એટલે શું ?
ઉ. મેહ અને યોગના સભાવ કે અભાવથી આત્માના ગુણ (સમ્યફ
દર્શન-જ્ઞાન-ચારિત્ર)ની હીનાધિકતા અનુસાર થવાવાળી અવસ્થાએને ગુણસ્થાન કહેવાય છે. સંસારમાં મગ્ન થઈ રહેલાં પ્રાણી જે માર્ગ ઉપર ચાલતાં શુદ્ધ થઈ જાય છે તે માર્ગની ચૌદ સીડીઓ છે. એ ચૌદ વર્ગ કે
દરજજા છે. ભાવની અપેક્ષાએ એકબીજાથી ઊંચા ઊંચા છે. (૧૬૭૭ પ્ર. ગુણસ્થાન દરજ્જાઓ કેવી રીતે નક્કી કરવામાં આવ્યા છે ?
ઉ. મોહનીયકર્મ તથા મન, વચન, કાય, કેગના નિમિત્તથી આ ગુણ
સ્થાન બન્યાં છે. આત્મામાં નિશ્ચયનયથી તે નથી. અશુદ્ધ નિશ્ચયનય અથવા વ્યવહાર નથી એ ગુણસ્થાન આત્મામાં કહેવાય છે. મેહનીયકર્મના બે ભેદ છે. એક દર્શનમોહનીય, બીજે ચારિત્રમોહનીય. દર્શનમોહનીયના ત્રણ ભેદ અને ચારિત્રમોહનીયના ૨૫
ભેદ છે. (જુઓ પ્રશ્ન-૬૧૭) ૧૬૭૮ પ્ર. કયા ગુણસ્થાનકે સમ્યફદર્શન થાય છે અને પછી આત્યંતિક મોક્ષ
નક્કી જ મનાય છે ? ઉ. જીવ ચોથા ગુણસ્થાને પહોંચે ત્યારે તેને સમકિત થાય છે અને ત્યારબાદ ઊંચી શ્રેણીએ ચઢતાં ચઢતાં યોગ્યતા પ્રમાણે વધારે
છે ભાવે જરૂર મોક્ષ પામે છે. ૧૬૭૯ પ્ર. સિદ્ધને ફરીથી કર્મબંધ ન પડે ? અને ફરીથી સંસાર ન હોય ?
ઉ. ના. સિદ્ધ પરમાત્મા સર્વ કર્મ રહિત આઠ ગુણ સહિત શોભાયમાન
રહે છે. જેમ શેકેલા ચણ ફરી ઊગતા નથી, તેમ સિદ્ધ પણ ફરી સંસારી થતા નથી.
Page #544
--------------------------------------------------------------------------
________________
પરર
૧૬૮૦ × એક જીવને એક સમયે કેટલાં ગુણસ્થાન હોય ?
ચ, દેવ
ઉ. એક સમયમાં એક જ હાય. ૧૬૮૧ પ્ર. મનુષ્ય સિવાય તિય કરનાર જીવ હોય ? ઉ. હા, મનુષ્ય સિવાય તિય ચ દેવગતિમાં પણ પાંચ ગુણસ્થાનક સુધીના જીવ હેય છે. ટ્ટાથી ઉપરના બધા ગુણુસ્થાનક મનુષ્યને જ હાય છે.
વગેરે ગતિમાં સમ્યગ્દર્શન ધારણ
૧૬૮૨ પ્ર. જીવસ્થાનક એટલે શું? ઉ. જીવને રહેવાનાં સ્થાન ( ભૂમિકા ) તે જીવસ્થાનક કહેવાય છે. પર્યાપ્ત તેમજ અપર્યાપ્ત એવાં બાદર અને સૂક્ષ્મ એકેન્દ્રિય, ઈિન્દ્રિય, ત્રિઇન્દ્રિય, ચતુરિન્દ્રીય, અને સની તથા અસની પચેન્દ્રિય જેમનાં લક્ષણ છે તે જીવસ્થાને છે.
૧૬૮૩ પ્ર. કેટલાકોગુણસ્થાન કહે છે તેમાં ને જીવ સ્થાનકમાં શે। તાવત છે ઉ. બેય શબ્દતા ભાવાર્થ –અભિપ્રાય એક જ છે. અ જુદા નથી.. ૧૬૮૪ પ્ર. ત્યારે બે જુદા કેમ ખેલાય છે?
ઉ. સિદ્ધાંતમાં સિદ્ધાંતકારાએ જીવ શબ્દ વાપર્યો છે. ત્યારે ગ્રંથકારાપછીના આચાર્યાએ ગુણસ્થાનક શબ્દ વાય છે. પરંતુ પૂર્ણ વિચાર. કરતાં જીવસ્થાનક શબ્દ બરાબર છે. કારણ ગુણુ છવમાં હોય છે. ૧૬૮૫ પ્ર. જીવને સ્થાનક કહેવાની શી જરૂર ?
ઉ. વિતરાગેએ જીવતા ગુણાને લઈને તેમના સ્વભાવના ચડતા–ઉતરતા પર્યાયા, અવસ્થાએ, ભેદી જોયા, એટલે જીવસ્થાનકો કહ્યાં છે.
૧૬૮૬ પ્ર. ત્યારે જીવસ્થાના કેટલાં હશે ?
ઉ. સંસારમાં રહેલા વે ચૌદ સ્થાનકમાં વહેંચાઈ ગયા જણાય છે. અર્થાત્ નીચમાં નીય સ્વભાવના જીવે પ્રથમ જીવ સ્થાનકે છે અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્વભાવ-ગુણુના છવા ચૌદમા જીવસ્થાનકે છે. ૧૬૮૭ પ્ર. ચૌદ ગુણસ્થાનકાનાં નામ આપેા.
મેરા મેરા મત કરે, તેરા નહિ હું કાય; ચિદાનંદ પરિવારકા, મેલા હૈ દિન ઢાય,
Page #545
--------------------------------------------------------------------------
________________
પ૩
ઉ. (૧) મિથ્યાત્વ, (૨) સાસાદન, (૩) મિશ્ર, (૪) અવિરતસમ્યક્ત્વ, (૫) દેશવિરત, (૬) પ્રમત્તવિરત, (૭)અપ્રમત્તવિરત, (૮) અપૂર્ણાંકરણ, (૯) અનિવૃત્તિકરણ, (૧૦) સૂમસાંપરાય, (૧૧) ઉપશાંતમેાહ, (૧૨) ક્ષીણમેાહ, (૧૩) સયેાગ કેવલી જિન, (૧૪) અયોગ કેવલી જિ. ૧૬૮૮ પ્ર. નીચ કે ઉચ્ચ સ્વભાવ કે ગુણુ કાને કહેવા ?
ઉ. જીવ માત્ર જીવ જાતિમાં સરખા છે, પરંતુ કમ થી તેએકમાં ભિન્નતા અથવા ગુણથી ન્યૂનાધિકતા છે. જેમ મનુષ્યમાં જાતિથી ઉચ્ચ-નીચ ગણાય છે તેમ જીવ કમ –ગુણથી ઉચ્ચ-નીચ ગણાય છે. ૧૬૮૯ પ્ર. પ્રત્યેક ગુણસ્થાનક જેટલા જીવે હેાય તે દરેકની જ સરખી હોય ?
જ્ઞાનશક્તિ એક
પર ંતુ એક જ એકસરખુ હતું
૩. ગુણસ્થાન પ્રમાણે જ્ઞાનશક્તિ વધતી જાય છે, ગુણસ્થાનમાં ઘણાએ જીવા હાય, તેમનું જ્ઞાન નથી અને તેમની બધાની ક્રિયા પણ સમાન હેાતી નથી. એક ગુરુસ્થાનવતી અનેક જીવેાના જ્ઞાનાદિમાં તારતમ્યતા હોય છે, પણ તેની વિરુદ્ધ જાતિ હાતી નથી. ચોથા ગુણસ્થાને અસંખ્ય જીવા છે, તેમના ઉદયભાવ ભિન્ન છે, છતાં પણ બધા જ્ઞાનીઓના જ્ઞાનની જાતિ તા એક જ છે. એક જ ગુણસ્થાનમાં બધા જ્ઞાનીએના ઔયિક ભાવ તથા જ્ઞાનના ક્ષયાપશમિક ભાવ ભિન્ન. ભિન્ન પ્રકારના હેાય છે.
૧૬૯૦ પ્ર. કેવા કમ કે ગુણથી જવા ઊંચા છે અને કેવા કર્માંથી નીચા છે ? ઉ. સ`સારમાં રહેલાં જીવ માત્રને આડે કમાં છે પણ પહેલા જીવસ્થાનકે જે વા છે તે જીવાને ક ઘણાં અને તેથી જીવના સદ્ગુણા દબાય છે, એટલે જણાતા નથી તેથી તે જીવા ઘણા અધમ છે.
૧૬૯૧ પ્ર. જીવાને અધમ શા આધારે કલા છે ?
ઉ. સર્વ જ્ઞાએ વેાની કર્મ બાંધવાની રીતિ જોઇ અધમ કહ્યા છે એટલે જીવાને કર્મ બાંધવાના મુખ્યત્વે પાંચ કારણેા છેઃ (૧) મિથ્યાત્વ,
જ્યાં લગી ઉપાય બની શકે ત્યાં લગી તે કરવા ઘટે, પણ તેથી રાગ રામે નહી, તેા પ્રરામ ઔષધિ ત્યાં ઘટે,
Page #546
--------------------------------------------------------------------------
________________
પર૪
(૨) અવ્રત, (૩) પ્રમાદ, (૪) કષાય, (૫) વેગ. આ પાંચમાં
અનેક ભેદે સમાય છે. ૧૬૯૨ પ્ર. પહેલા જીવસ્થાનકે શું હોય છે?
ઉ. પહેલા જીવસ્થાનકે મિથ્યાત્વ હોય છે. ત્યાં સમ્યક્ત્વની પ્રાપ્તિ
થતી નથી. ત્યાં અનંત અનંત જીવે છે તે બધા મિથ્યાત્વવાળા છે. મનુષ્ય, તિર્યંચ, નારકી અને દેવતા એ બધામાં મેટે ભાગે
એ મિથ્યાજ્ઞાનની વ્યાપ્તિ છે. ૧૬૯૩ પ્ર. ચૌદ છવસ્થાનક કહો છે તે તેના નામ અને ગુણ શું છે? ઉ. (૧) મિથ્યાત્વ એટલે જીવ અને શરીરને એક જ સમજે. પાંચ
ઈન્દ્રિયના વિષય અને ચાર કષાય (ક્રોધ, માન, માયા અને લેભ)માં અનન્ય રસના અનુભવે. આવી પ્રત્યક્ષ વસ્તુથી બીજી કઈ ચીજને ખ્યાલ આવવા ન દે. મૃત્યુ પછી જીવનું શું થશે એ સંબંધી નિર્ણય કરવામાં પોતે નાખુશ; આવી વૃત્તિ
એ જ મિથ્યાત્વ. (૨) સાશ્વાદાન-આ બીજું સ્થાનક છે. આ સ્થાનકે જીવ ઉપરથી
આવે છે, પણ નીચેના પહેલા જીવસ્થાનકથી નથી આવતા. આ સ્થાનકમાં આવે તે જીવ પ્રાપ્ત થયેલ સમ્યકત્વથી ખસી જતાં છેક મિથ્યાત્વમાં જતાં પહેલાં અહીં આવે છે. મિષ્ટભોજન કરી જેમ કેઈ જીવ વમન કરતા હોય છે તેને ભેજનને મુખમાં સ્વાદ- કિંચિત લાગે છે, તેમ સમ્યફત્વ-તત્વને
છેડે આસ્વાદ રહે છે. (૩) ત્રીજા મિત્ર છવ સ્થાનકમાં જીવ આવે છે ત્યારે તેને વિચાર
પહેલા જીવ સ્થાનક મિયાત્વને રહેતા નથી તેમ ચેથા જીવ
સ્થાનક સમ્યક્ત્વને વિચાર પણ રહેતો નથી, અર્થાત બનેની વચમાં રહે છે. વિતરાગ ધર્મની રુચિ નહીં તેમ મિથ્યાત્વ ધર્મને વિચાર ફુરતા નથી. પ્રજનભૂત જ્ઞાનના મૂળમાં, પૂર્ણ પ્રતીતિમાં, તેવા જ આકારમાં મળતા આવતા અન્ય
તારે દોષ એટલે જ કે અન્યને પોતાનું માનવું, પતે પિતાને ભૂલી જવું,
Page #547
--------------------------------------------------------------------------
________________
૫૨૫
માર્ગની સરખામણના અંશે સરખામણીરૂપ પ્રતીત થવું તે મિશ્ર ગુણસ્થાનક છે. પરંતુ ફલાણું દર્શન સત્ય છે, અને ફલાણું દર્શન પણ સત્ય છે, એવી બને ઉપર સરખી પ્રતીતિ
તે મિશ્ર નહીં પણ મિથ્યાત્વ ગુણસ્થાનક છે. (૪) ચોથા જીવ સ્થાનકમાં આવવાને એ ગુણ હોય છે કે ઘુવડ.
જેમ સૂર્યને જતાં બધી વસ્તુ જોઈ શકે છે અને નવીનતા અનુભવે છે તેમ જીવ વીતરાગ ધર્મ પ્રાપ્ત થતાં સત્ય વસ્તુને જોઈ સમજી શકે છે, ન્યાય-અન્યાય, હિત-અહિત, સત્યઅસત્ય વગેરેમાં લાભ-ગેરલાભને વિચાર કરી શકે છે. સમ્યફત્વ આવતાં, અમૂઢદષ્ટિ, નિર્મળ બુદ્ધિ જીવ પામે છે. અંતરાત્માના દોષો બરાબર જોઈ શકે છે અને જેટલા પરિહાર્ય હોય તેટલા પરિહરે છે. ઊંડા કષાય ઘણું ભવથી. સંચય કરતા હોય તેને દબાવી લે છે. વૃક્ષના મૂળમાં પ્રહાર. થાય તે મૂળ જેમ ઢીલું પડે તેમ સમ્યકત્વ આવતાં જીવને
જે સંસાર વધવાને હોય તે સંસાર બેદ પડી જાય છે. સમ્યક્ત્વ એટલે ભવરોગ મટાડવાની સાચી ચિકિત્સા (પરીક્ષા). આ જીવ સ્થાનકે જીવ યથાતથ્ય સમજે છે. પરંતુ તેને અમલ કરી શકતું નથી કે એક પણ નાનું વ્રત લઈ શકતા નથી, અર્થાત સમજે ખરો પણ ત્યાગ કરી શકતો નથી. (૫) પાંચમા જીવસ્થાનકે જવ અવશ્ય સમ્યકત્વ સાથે ચેડાં વ્રત
અંગીકાર કરે, ને વધુ કરે તે શ્રાવકની સર્વ પડીમાં પણ
અંગીકાર કરે. (૬) છઠ્ઠા જીવસ્થાનકે જીવ સર્વે વ્રત આદરે. સમ્યક્ત્વ હોય અને
સર્વથા હિંસા, અસત્ય, ચેરી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહ એ
પાંચ અવતાને રે કે. જીવ પાંચ મહાવ્રતને પાળવા ઉદ્યમ કરે. (૭) સાતમા જીવસ્થાનકે જીવ આવે તે છઠ્ઠા કરતાં આગળ.
ઘણે વધે, અર્થાત છઠ્ઠામાં સાધુજને મહાવ્રત પાળે પણ
દયા ધમ કા મૂલ હૈ પાપમૂલ અભિમાન; તુલસી દયા ન છાડિયે, જબ લગ ઘટમેં પ્રાણ
Page #548
--------------------------------------------------------------------------
________________
પ૨૬
આપા ,
પ્રમાદ સેવતા હોય. ઈન્દ્રિયની લુપતા જોઈએ તેવી છોડી શકે નહીં. ત્યારે આ સ્થાનમાં સર્વ લુપતા છોડી શકે છે. ઘેડા પણુ પ્રમાદમાં જીવ રહેતા નથી. આ સ્થળે જીવને પૂર્ણ જાગ્રત દશાનાં ચિહ્નો સફરતાં હોય છે.
(જુઓ પ્રશ્ન-૬૧૭). ૧૬૯૪ પ્ર. આ સાત વસ્થાનની વાત તે વિસ્તારથી કરી પણ અત્યારે
આપણે ક્યા જીવસ્થાનક છીએ ? ઉ. આ ક્ષેત્રમાં અત્યારે આપણે સાત જીવસ્થાનકમાં ગમે તે સ્થાનકે હોઈ શકીએ. અત્યારે આ સાત સ્થાનકથી વધારે અહીં બીજા
સ્થાનકે નથી. (જુઓ પ્રશ્ન-૬૭૯). ૧૬૯૫ પ્ર. શ્રાવકોને કેવું જીવસ્થાનક હશે ? - ઉ. શ્રાવકેને એથું ને પાંચમું હોય પણ તેમાં તેઓ છે કે નહીં તે
તો તેમનાં આચરણ ઉપરથી જણાય. કારણ તેમનાં દિલમાં કે વિચાર, કે ભાવ, કેવી શ્રદ્ધા છે ને કેવો ત્યાગ છે, તે તે તેનું મન જાણું શકે. બીજાને તેની ખબર ન પડે. જ્ઞાની દરેકના ભાવ જાણી શકે. આત્માના અનુભવની પ્રાપ્તિ થતાં આત્મા પહેલા ગુણસ્થાનકથી સીધો જ ચેથા અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનની, કે કવચિત તેથીયે આગળ વધી યાવત સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકની
પર્શના કરે છે. ૧૬૯૬ પ્ર. કેટલાક લોક કહે છે કે શ્રાવકને ચોથું અને પાંચમું ગુણસ્થાનક
ક્યાંથી હોય, હજી તે પહેલું નથી ને ? : ઉ. ચહ્યું કે પાંચમું હોય કે નહીં તે તે તેને આત્મા જાણે પરંતુ
પહેલું તો હોય જ, કારણ તે વિના જીવ ક્યાં રહે છે સમ્યકત્વ મધું છે પણ મિથ્યાત્વ મેંવું નથી. જીવને સમ્યક્ત્વ ન હોય તે
મિથ્યાત્વ તો હોય જ. ૧૬૯૭ પ્ર. શ્રેણી કોને કહે છે ?
અ૫ શક્તિના યોગથી, મહદુ કાય નવ થાય; કેટ તૂટે ન ટાકિયે, કારણ હીન ઉપાય,
Page #549
--------------------------------------------------------------------------
________________
પર૭
- ઉ. જીવના જે શુદ્ધ ભાવના નિમિત્તે ચારિત્ર મેહનીય કર્મની બાકી
રહેલી ૨૧ પ્રકૃતિઓને ક્રમથી ઉપશમ તથા ક્ષય થાય તે શુદ્ધ
ભાવને શ્રેણી કહે છે. ૧૬૯૮ પ્ર. શ્રેણીના કેટલા ભેદ છે ?
ઉ. તેના બે ભેદ છેઃ (૧) ઉપશમ શ્રેણી અને (૨) ક્ષપકશ્રેણી. ૧૬૯૯ પ્ર. ઉપશમ શ્રેણી કેને કહે છે ? , ઉ. જે શ્રેણીમાં ચારિત્ર મોહનીય કર્મની ૨૧ પ્રકૃતિએને ઉપશમ થાય
તેને ઉપશમ શ્રેણી કહે છે, ૧૭૦૦ પ્ર. ક્ષેપક શ્રેણી કેને કહે છે ?
ઉ. જે શ્રેણીમાં ઉપરની ૨૧ પ્રકૃતિઓને ક્ષય થાય તેને ક્ષપકશ્રેણી કહે છે. ૧૭૦૧ પ્ર. ઉપશમ શ્રેણીને કયા કયા ગુણસ્થાન છે ?
ઉ. ઉપશમ શ્રેણીને ચાર ગુણસ્થાન છે : (૧) આઠમું અપૂર્વકરણ
(કરણ એટલે આત્માના પરિણામ). (૨) નવમું અનિવૃત્તિકરણ, (૩) દશમું સૂમસા૫રાય અને (૪) અગિયારમું ઉપશાંત મોહ
ગુણસ્થાન છે. ૧૭૦૨ પ્ર. ક્ષપકોણના કયા કયા ગુણસ્થાન છે ?
ઉ. તેને આખું અપૂર્વકરણ, નવમું અનિવૃત્તિકરણ, દશમું સૂક્ષ્મસાપરાય
અને બારમું ક્ષીણમેહ એ ચાર ગુણસ્થાન છે. આઠમા પછીના પ્રત્યેક ગુણસ્થાન જીવ ચિંતન દ્વારા જ ચડે છે. આઠથી બાર ગુણસ્થાનમાં આત્માની સ્થિતિ ઘણો અલ્પસમય રહે છે. પ્રત્યેક ગુણસ્થાને જઘન્ય રિથતિ એક સમય અને ઉત્કૃષ્ટ સ્થિતિ
અંતમુહૂર્તની હોય છે. ૧૭૦૩ પ્ર. અગિયારમે ગુણસ્થાનક સુધી જીવ પહોંચી ગયા પછી કેમ વમી
જ હશે ? ઉ. ઉપશમ અને ક્ષપક એ બે જાતની કોણી છે. ઉપશમમાં પ્રત્યક્ષ
દર્શનને સંભવ નથી, ક્ષેપકમાં છે. પ્રત્યક્ષ દર્શનના સંભવના અભાવે અગિયારમેથી જીવ પાછો વળે છે. ઉપશમ શ્રેણી બે પ્રકારે
આમ અવનિને કાયદો, ઘર ફૂટયે ઘર જાય, રાજ ગયું પૃથ્વીરાજનું, ફૂટ હાહુલીરાય,
Page #550
--------------------------------------------------------------------------
________________
૫૨૮
છે. એક આજ્ઞારૂપ; એક માર્ગ જાણ્યા વિના સ્વાભાવિક ઉપશમા થવારૂપ. આજ્ઞારૂપ પણ આજ્ઞા આરાધન સુધી પતિત થતું નથી. પાછળથી ઠેઠ ગયા પછી માર્ગના અજાણપણને લીધે પડે છે. આ નજરે જોયેલી, (જ્ઞાનીની) અનુભવેલી વાત છે. કોઈ શાસ્ત્રમાંથી. નીકળી આવશે. ન નીકળે તે કઈ બાધ નથી. તીર્થંકરના હૃદયમાં આ વાત હતી. અગિયારમે લથડેલ એાછામાં ઓછા ત્રણ અને ઘણામાં ઘણા પંદર ભવ કરે. અગિયારમું એવું છે કે ત્યાં પ્રકૃતિઓ ઉપશમ ભાવમાં હોવાથી મન, વચન, કાયાના યોગ પ્રબળ શુભ ભાવમાં વર્તે છે, એથી શાતાને બંધ થાય છે, અને
એ શાતા ઘણું કરીને પાંચ અનુત્તર વિમાનની જ હોય છે. ' ૧૭૦૪ પ્ર. શ્રી તીર્થકર ક્યાં ગુણસ્થાનકોને ન સ્પશે ?
ઉ. શ્રી તીર્થકર અગિયારમું ગુણસ્થાનક સ્પશે નહીં, તેમ જ ૧લું, ૨જુ તથા ૩જુ પણ ન સ્પશે. ક્ષાવિક્યારિત્ર છે ત્યાં મેહનીયને. અભાવ છે; અને જ્યાં મેહનીયને અભાવ છે ત્યાં પહેલું, બીજુ, ત્રીજુ અને અગિયારમું એ ચાર ગુણસ્થાનકના સ્પર્શ પણાને.
અભાવ છે. ૧૭૦૫ પ્ર. તીર્થકર સિવાય કોઈ જીવ સગી કેવળી તેરમે ગુણસ્થાનકે તે.
ન હોય ને ? ઉ. ૧૩ મે ગુણસ્થાને પ્રવર્તતા જીવના બે પ્રકાર છે. તીર્થકર અને
સામાન્ય. બન્નેની આત્મશક્તિ સરખી હોય છે, છતાં તેમના પૂર્વસંચિત કર્મમાં ભેદ હોવાને લીધે બે પ્રકાર પડી જાય છે. તીર્થકર કર્મપ્રકૃતિ બાંધી હોવાથી તીર્થંકર પતે તરે અને બીજાને તારે,
જ્યારે બીજા છ (ફક્ત) પોતાના આત્માનું કલ્યાણ કરે
(જુઓ પ્રશ્ન-૨૦૧). ૧૭૦૬ પ્ર. માર્ગણાસ્થાન એટલે શું ? તે કેટલાં છે ?
ઉ. જેની દ્વારા જીવોનું અન્વેષણ (શાધ) કરવામાં આવે એ તમામ
સૌ ભાવ જે પરકીય જાણે, શુદ્ધ જાણે આત્મને, તે કે જ્ઞાની “મારું આ એવું વચન બેલે રે ?
Page #551
--------------------------------------------------------------------------
________________
ધર્મો (લક્ષણો) ચૌદ છેઃ ગતિ, ઈન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય,
સંયમ, દર્શન, લેશ્યા, ભવ્યત્વ, સમ્યકત્વ, સંન્નિત્વ, આહારકત્વ. ૧૭૦૭ પ્ર. સંકલેશસ્થાન એટલે શું?
ઉ. કષાયના વિપાકનું અતિશયપણું જેમનું લક્ષણ છે તે સંકલેશસ્થાને છે. ૧૭૦૮ પ્ર. વિશુદ્ધિસ્થાને કેને કહે છે?
ઉ. કષાયના વિપાકનું મંદપણું જેમનું લક્ષણ છે તે વિશુદ્ધિસ્થાને છે. ૧૭૦૯ પ્ર. સંયમ લબ્ધિસ્થાને કયાં છે ?
ઉ. ચારિત્રમેહના વિપાકની ક્રમશ: નિવૃત્તિ જેમનું લક્ષણ છે તે સંયમ
લધિસ્થાને છે.
વશ કર નાયક પાંચને, તે પચે વશ થાય; તરુવરનું મૂળ છેદતાં, પાન અવશ્ય સુકાય,
૩૪
Page #552
--------------------------------------------------------------------------
________________
२४
ક્રમબદ્ધ પર્યાય
૧૭૧૦ પ્ર. ક્રમબદ્ પર્યાયના અર્થ શું છે?
ઉ. ક્રમબદ્ધ પર્યાય'નો આશય એ છે કે આ પરિણુમનશીલ જગતની પરિણમન વ્યવસ્થા ‘ક્રમનિયમિત’ છે. જગતમાં જે કાંઈ પરિણમત નિરંતર થઈ રહ્યું છે, તે સર્વ એક નિશ્ચિત ક્રમમાં વ્યવસ્થિત રૂપે થઈ રહ્યુ છે.
૧૭૧૧ પ્ર. ક્રમબદ્ધ પર્યાય' કાને કહે છે?
. જેમ નાટકમાં દૃશ્ય ક્રમશઃ આવે છે, એક સાથે નહીં; તેવી જ રીતે પ્રત્યેક દ્રવ્યમાં પર્યાયા ક્રમશઃ થાય છે, એક સાથે નહિ. નાટકમાં એ પણ નિશ્રિત હેાય છે કે ક્યા દૃશ્ય પછી કર્યુ. દૃશ્ય આવશે; તેવી જ રીતે પર્યાયામાં પણ એ નિશ્ચિત હોય છે કે કાના પછી કઇ પર્યાય આવશે, જેમ જેના પછી જે દૃશ્ય આવવાનું નિશ્ચિત હોય છે, તેના પછી તે જ દૃશ્ય આવે છે, અન્ય નહિ; તેવી જ રીતે જેના પછી જે પર્યાંય (કા) થવાની હોય છે, તે જ થાય છે, અન્ય નહિ. આનું જ નામ ક્રમબદ્ધ પર્યાય' છે.
૧૭૧૨ પ્ર. ક્રમબદ્ર પર્યાય' અને ‘ક્રનિયમિત' પર્યાય આ બન્ને શબ્દાના
અર્થ એક છે કે જુદા જુદા ?
ઉ. વ માનકાળે જે અને ક્રમબદ્ધ પર્યાય' શબ્દ દ્વારા વ્યક્ત કરવામાં આવે છે, તે જ અ` ક્રમનિયમિત પર્યાયના છે અને કુંદકુંદાચાના સમયસારમાં ક્રમનિયમિત પર્યાય' તે જ અ માં વપરાયે છે. પ્રત્યેક કાય પાતાના સ્વકાળે જ થાય છે, તેથી પ્રત્યેક દ્રવ્યની પર્યાયેા ક્રમનિયમિત છે. એક પછી એક પાત–પોતાના સ્વકાળે નિશ્ચિત ઉપાદાન અનુસાર થયા કરે છે. માત્ર એમ નથી કહેવામાં આવ્યું કે પર્યાય ક્રમે થાય છે પરતુ એમ પણ કહેવામાં આવ્યું
Page #553
--------------------------------------------------------------------------
________________
પ૩૧
છે કે તે નિયમિત ક્રમમાં થાય છે. જે દ્રવ્યની, જે પર્યાય, જે કાળે, જે નિમિત્ત અને જે પુરુષાર્થપૂર્વક, જેવી થવાની છે, તે દ્રવ્યની, તે પર્યાય, તે જ કાળે તે જ નિમિત્તે અને તે જ પુરુષાર્થપૂર્વક, તેવી જ થાય છે, અન્યથા નહિ–એ નિયમ છે. “જો જે દેખી વીતરાગને, સો સે હસી વીર રે;
બિન દેખે હસી નહિ કહી, કાહે હોત અધીરા રે.” ૧૭૧૩ પ્ર. સર્વજ્ઞતા અને ત્રિકાળજ્ઞતા કયા પ્રમાણોથી સિદ્ધ થાય છે ? ક્રમબદ્ધ
પર્યાયની વાત કયા શાસ્ત્રમાં છે ? ઉ. ચારેય અનુગનાં શાસ્ત્રોમાં આ વાત છે. તીર્થકર ભગવાનના પ્રભા
મંડળમાં ભવ્ય જીવને પોત પોતાના સાત-સાત ભવ દેખાય છે. તે સાત ભવમાં ત્રણ ભૂતકાળના, ત્રણ ભવિષ્યના અને એક વર્તમાન ભવ દેખાય છે. પ્રત્યેક ભવ્યના ઓછામાં ઓછા ભવિષ્યના ત્રણ ભવ રહે જ છે, નહિ તે તે દેખત કેવી રીતે ? ત્રણ ભવનું આયુષ્ય નિશ્ચિત
એક સાથે બંધાઈ શકતું નથી. તેથી એમ પણ નથી કહી શકાતું કે આયુષ્ય કર્મ બંધાઈ જવાથી ભવ નિશ્ચિત થઈ ગયા હતા. આથી એ જ નિષ્કર્ષ નીકળે છે કે તે પહેલેથી જ નિશ્ચિત રહે છે, થતા નથી.
ભગવાન નેમિનાથે દ્વારકા બળવાની ઘોષણા બાર વર્ષ પહેલાં કરી દીધી હતી. સાથોસાથ એ પણ સ્પષ્ટ કરી દીધું હતું કે જ્યા નિમિત્ત, કેવી રીતે અને ક્યારે, આ બધું બનશે. અનેક ઉપાય પછી પણ તે બધું તે જ રૂપે બન્યું.
આદિનાથ ભગવાને મારીચિના સંબંધમાં એક ક્રોડાકોડી સાગર સુધી ક્યારે શું બનવાનું છે-એ બધું બતાવી દીધું હતું, કે તેઓ ચોવીસમા તીર્થંકર થશે. ત્યારે તે તેમને તીર્થંકર પ્રકૃતિને બંધ પણ થયે નહોતે. કારણ કે તીર્થંકર પ્રકૃતિ બંધાઈ ગયા પછી અસંખ્ય ભવ નથી થઈ શકતા. તીર્થંકર પ્રકૃતિ બાંધનાર તો તે જ ભવે, અથવા ત્રીજા ભવે અવશ્ય મુક્તિ પ્રાપ્ત કરી લે છે.
પડતી વેળા પ્રથમથી, દરેક ફરશે દાવ; - મહારોગ ઉત્પન્ન થતાં, પ્રથમ પ્રગટશે તાવ,
Page #554
--------------------------------------------------------------------------
________________
૫૩૨
“કરણાનુયાગ’માં લખ્યું છે કે છ મહિના અને આઠ સમયમાં છસેા આઠ જીવ નિગેાદમાંથી નીકળશે અને એટલા જ સમયમાં એટલા જ જીવા મેાક્ષે પણ જશે. શુ એથી અધિક જીવ નિગાદમાંથી નીકળી શકે છે અથવા મેક્ષે જઇ શકે છે? શું એ નિશ્ચિત નથી ? છે.
કરણાનુયાગમાં ચાર ગતિના જવાની નિશ્ચિત સંખ્યા લખેલી છે અને ત કદી વત્તીઓછી થતી નથી. જે બધુ નિશ્ચિત ન હોય તા પછી જીવેાના પાપ–પુણ્યાનુસાર નારકીએ અને દેવાની સંખ્યા ન્યૂનાધિક થતી રહેવી જોઇએ. (તેમ બનતું નથી).
કરણાનુયાગમાં એ પણ લખ્યું છે કે જીવ નિત્યનિગેાદમાંથી એ હજાર સાગર માટે નીકળે છે-તેમાં પણ બે ઇન્દ્રિયના આટલા, ત્રણ ઇન્દ્રિયના આટલા, ચાર ઇન્દ્રિયના આટલા ભવ ધારણ કરે છે. મનુષ્યના ૪૮ ભવ મળે છે.
રી
આને। અર્થ એ કે ચારે ગતિએના વેાની સંખ્યા નિશ્ચિત છે અને પ્રત્યેક જીવના ભવ પણ નિશ્ચિત છે તથા તેમના ક્રમ પણ નિશ્ચિત છે, નહિ તે। બધી વ્યવસ્થા કેવી રીતે બને ?
એ જ રીતે ચરણાનુયાગ અને દ્રવ્યાનુયાગ શાસ્ત્રોમાં પણ સત્ર એના પ્રતિધ્વનિ જોઈ શકાય છે.
સમયસારની બીજી ગાથામાં જીવ સહવી અને ક્રમવતી પર્યાયના પિંડ છે એમ જણાવી ક્રમબદ્ધ પરિણામેાની વાત કરી છે. ત્યાર પછી અજીવ અધિકારની ગાથા ૬૨માં કહ્યું છે કે સ્પ, રસ, ગંધ, વ માં અનુક્રમે અવિર્ભાવ થાય છે એમ જણાવી ક્રમબદ્ધની વાત જીવ–અજીવ અધિકારમાં કરી છે. આ વાત સમયસારના સ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં પણ છે, ત્યાં આત્મખ્યાતિ ટીકામાં ક્રમનિયમિત' એવા મૂળ પાઠ છે. પ્રવચનસારમાં પણ ગાથા ૯૯, ૧૦૦,, ૧૦૧ અને ૧૦૨માં છે. વિસ્તારથી સ વાત કહી છે. ‘જન્મક્ષણ’ અને ‘સ્વઅવસર’ની વાત આવે છે. આકાશના પ્રદેશો (વિસ્તાર-ક્રમનું ઉદાહરણ આપીને કાળક્રમ (પ્રવાહમ) સમજાવ્યા છે. જેમ
પડતી સમયે પડને, ઊગે અવળી વાત; હરણ થયાં મૃગમેહથી, સતી સીતા સુખઘાત.
Page #555
--------------------------------------------------------------------------
________________
૫૩૩
કે-જે પ્રદેશ જ્યાં જ્યાં છે, તે ત્યાં ત્યાં જ રહે છે, તેમાં આગળ -પાછળ થવું સંભવિત નથી. આ વાતકાર્તિકેયાનુપ્રેક્ષાની ગાથા ૩૨૧થી ૩૨૩ સુધીમાં આવે છે. ચારેય અનુગનાં શાસ્ત્રોમાં કઈ ને કઈ રૂપે આ વાત આવે જ છે.
વળી સર્વજ્ઞતાની વાત તે બધાં શાસ્ત્રોમાં છે. જે સીધી સમજવામાં ન આવતી હોય તે સર્વજ્ઞતાના આધારે ક્રમબદ્ધ પર્યાય સમજવી જોઈએ, (જુઓ પ્રશ્ન-૧૭૬૦ અને ૧૭૬૧) કેવળજ્ઞાનીએ જેવું જોયું હશે તેવું જ થશે' ને એ જ અર્થ થાય છે કે
ભવિષ્યમાં જે સમયે જે પર્યાય થવાની છે, તે જ થશે. ૧૭૧૪ પ્ર. ઉપર કહેલ આત્મખ્યાતિ ટીકામાં ક્રમનિયમિત’ શબ્દને અર્થ
શું છે ? ઉ, “ક્રમનિયમિત” શબ્દમાં ક્રમ અર્થાત ક્રમસર (નંબરવાર) તથા નિયમિત
અર્થાત નિશ્ચિત. જે સમયે જે પર્યાય આવવાની છે તે જ આવશે,
તેમાં ફેરફાર થઈ શકતા નથી. ૧૭૧૫ પ્ર. કેવળી ભગવાન નિશ્ચયથી તે કેવળ પિતાના આત્માને જાણે છે,
પરને તે તેઓ વ્યવહારથી જાણે છે, એમ નિયમસારની ૧૫૦મી ગાથામાં કહ્યું છે અને સમયસરની ૧૧ મી ગાથામાં કહ્યું છે કે વ્યવહાર જૂઠે, અસત્યાર્થ છે. આ રીતે જ્યારે કેવળી ભગવાન પરને જાણતા જ નથી, તે પછી સમસ્ત દ્રવ્યની ભવિષ્યની
પર્યાયને જાણવાની વાત જ ક્યાં રહી જાય છે ? ઉ. વ્યવહાર છે જ નહિ–એવો તેનો અર્થ નથી સમયસારની ૧૨ મી
ગાથામાં કહ્યું છે કે વ્યવહાર જાણવાલાયક છે (આશ્રય કરવા લાયક નથી), સર્વથા જૂઠે નથી. વ્યવહારને ગૌણ કરીને અસત્ય કહ્યો છે, અભાવ કરીને અસત્ય નથી કહ્યું. જેમાં “સ્વ”ની જ અપેક્ષા હોય છે તે નિશ્ચયકથન છે અને જેમાં “પરની અપેક્ષા આવે, તે વ્યવહારકથન છે. તેથી કેવળી ભગવાન પિતાના આત્માને દેખે જાણે છે આ નિશ્ચયકથન થયું અને તેઓ પરને દેખું-જાણે
ભાષણ ભાખે ભલભલાં, તકે કરે નવ તેમ, પાથી કેરાં રીંગણાં, ગણે વિપ્રજી જેમ,
Page #556
--------------------------------------------------------------------------
________________
૫૩૪
છે આ વ્યવહારકથન થયું. તેઓ પરને વ્યવહારથી જાણે છે, એને અર્થ એ કદાપિ નથી કે તેઓ પરને જાણતા જ નથી.
બીજુ કેવળી ભગવાન પોતાને તન્મય થઈને જાણે છે, પરંતુ પરને જાણે તે છે, પણ તેમનામાં તેઓ તન્મય નથી થતા. આ
કારણે પણ તેમનું પરનું જાણપણું વ્યવહાર કહેવાય છે. ૧૭૧૬ પ્ર. આખા લોકની વ્યવસ્થા આમ સ્વયંસંચાલિત કેવી રીતે બની
રહે છે ? ઉ. જેમ જેટલા કાકાશના પ્રદેશ છે, તેટલા જ એક જીવના પણ
પ્રદેશ છે; તેવી જ રીતે ત્રણ કાળને જેટલા સમય છે, તેટલી જ પ્રત્યેક દ્રવ્યની પર્યા છે. એક-એક સમયની એક-એક પર્યાય. નિશ્ચિત છે. જેમ કાકાશને એક–એક પ્રદેશ ઉપર એક-એક કાળાણુ અંકિત છે, તેવી જ રીતે ત્રણે કાળના એક-એક સમયમાં પ્રત્યેક દ્રવ્યની એક-એક પર્યાય અંકિત છે. ગુણેની અપેક્ષાએ વિચાર કરીએ તો ત્રણે કાળના એક-એક સમયમાં પ્રત્યેક ગુણની એક–એક પર્યાય અંકિત છે-નિશ્ચિત છે, તે પછી તેમાં અદલાબદલીનું કયું કામ બાકી રહી જાય છે કે પ્રત્યેક પરિણામ પિતપિતાના અવસરે જ પ્રગટ થાય છે.
જેમ ચિત્રપટના રીલમાં જ્યાં જે ચિત્ર સ્થિત છે તે ત્યાં જ રહે છે. તેનું સ્થાનપરિવર્તન સંભવિત નથી, તેવી જ રીતે, ચાલતી રીલમાં કયું ચિત્ર ક્યા ક્રમમાં આવશે એ પણ નિશ્ચિત છે, તેમાં ફેરફાર સંભવિત નથી. આગળ ચિત્ર કવું આવશે તેનું જ્ઞાન ભલે આપણને ન હોય, પણ આવશે તો તે પોતાના નિયમિત
ક્રમમાં જ. ૧૭૧૭ પ્ર. જેનું જે પરિણામ જે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અનુસાર થવું જિનેન્દ્ર
જોયું છે તે જ પ્રમાણે થાય અને તેને આપણે ટાળી ન શક્તા. હોઈએ તો પછી આપણે તે ભગવાનના જ્ઞાનને આધીન થઈ ગયા. જેવું તેમણે જાણી લીધું તેવું જ આપણે કરવું પડશે ?
ડાહ્યો દુશમન ઠીક પણુ, મૂરખ મિત્ર નહિ ઠીક, દાને નિધન ઠીક પણું, કંજૂસ ધની અઠીક,
Page #557
--------------------------------------------------------------------------
________________
૫૩૫
ઉ. જિનેન્દ્રદેવે જોયું છે, તેને આપણે તે શું, ઈન્દ્ર, અરે સ્વયં
જિનેન્દ્ર પણ ટાળી શકતા નથી. પણ વસ્તુનું પરિણમન ભગવાનના જ્ઞાનને આધીન નથી. ભાગવાન તે પરિણામને જાણે છે તે તેને પરિણમાવતા નથી. જ્ઞાન તો પરને માત્ર જાણે છે, પરિણુમાવતું નથી. ભગવાન તે વીતરાગી અને સર્વજ્ઞ છે. વીતરાગી હોવાથી તેમને કાંઈ પણ કરવાની આકાંક્ષા નથી અને સર્વજ્ઞ હેવાથી જે કાંઈ જેમ થવાનું છે, તે બધું તેઓ જાણે છે, તેથી તેમને કાંઈ ફેરફાર કરવાનો વિકલ્પ ઊઠત નથી. સર્વ દેવ સર્વ દ્રવ્ય, ક્ષેત્ર કાળ અને ભાવની અવસ્થાઓને જાણે છે. પરંતુ તેમણે જાણું લીધી હેવાથી પ્રત્યેક પર્યાયનાં દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવ નિયત
નથી થયા, પરંતુ નિયત હોવાથી જ તેમણે તે રૂપ જાણ્યાં છે. ૧૭૧૮ ક. ક્રમબદ્ધ પર્યાયને ઉદેશ્ય શું છે ?
ક્રમબદ્ધ પર્યાયના કથનને ઉદ્દેશ્ય પર કર્તત્વને નિષેધ છે. એક દ્રવ્ય બીજ દ્રવ્યનું કર્તા-હર્તા-ધર્તા નથી. આ માન્યતા જ જૈનદર્શનને મૂળાધાર (મેરુદંડ) છે.
જૈનદર્શન અકર્તાવાદી દર્શન કહેવાય છે. અર્જાવાદને અર્થમાત્ર એટલો જ નથી કે આ જગતને કર્તા કેઈ ઈશ્વર નથી, પરંતુ વ્યાપક અર્થ એ પણ છે કે કેઈપણ દ્રવ્ય કેઈ અન્ય દ્રવ્યના પરિણમનને કર્તા-હર્તા-ધર્તા નથી. ત્યાં સુધી કે પિતાની પણ ક્રમનિશ્ચિત પર્યાયોમાં તે કોઈ પ્રકારનો ફેરફાર કરી શકતું નથી. જો કે દ્રવ્ય પોતાની પર્યાયોને કર્યા છે, તે પણ ફેરફાર કરનાર
નથી. જ્ઞાની આત્મા તે પોતાના વિકારો પણ કર્તા નથી થતા. ૧૭૧૯ પ્ર. શાસ્ત્રમાં કહ્યું છે કે સર્વ દ્રવ્યનાં પરિણામ ભિન્ન ભિન્ન છે.
બધાં દ્રવ્ય પિત-પોતાના પરિણામોના કર્તા છે; તેઓ તે પરિણામેના કર્તા છે, તે પરિણામે તેમનાં કર્મ છે. આ ઉપરથી એમ કેમ ન કહી શકાય કે ભલે પરના પરિણમનને કર્તા નહિ, પણ પિતાના પરિણમનને કર્તા-હર્તા તો હું છું જ ?
જબરા કેરા જંગમાં, નિબળ પામે નાશ, મહિષે મહિષ લઢે તહાં, વચ્ચે વૃક્ષ-વિનાશ,
Page #558
--------------------------------------------------------------------------
________________
૫૩૬
ઉ. અવશ્ય એમ જ છે કેમ કે પ્રત્યેક દ્રવ્ય પોતાના પરિણતિને કર્તા
ભકત તે છે જ, પણ એને આશય એ નથી કે સર્વજ્ઞના જ્ઞાનમાં આપનું જે ભાવિ પરિણમન ઝળકયું છે, તેમાં આપ કાંઈ ફેરફાર
કરી શકે છે. ૧૭૨૦ પ્ર. જે ફેરફાર નથી કરી શકતા તે પછી હું મારી પરિણતિને કર્તા
જ ક્યાં રહ્યો ? ઉ. શું ફેરફાર કર્યા વિના કઈ કરવાનું હોતું જ નથી ? શું જેવું ન
થવાનું હોય તેવું કરવું તે જ કરવું છે; જેવું થવાનું હોય તેવું કરવું તે શું કરવું નથી ? જૈનદર્શન અકર્તાવાદી દર્શન છે=એને ભાવ જ એ છે કે સહજકર્તાવાદી અથવા સ્વકર્તાવાદી છે, પરક્તવાદી અથવા ફેરફાર કર્તાવાદી નહિ. ભવિષ્યમાં આપણું જે થવાનું છે, તે જ થશે. અર્થાત આપણે પુરુષાર્થપૂર્વક તે જ કરીશું.
(જુઓ પ્રશ્ન-૧૭૪ર). ૧૭૨૧ પ્ર. પર્યાયે ક્રમબદ્ધ છે; આત્માની પર્યાયે પણ ક્રમબદ્ધ જે થવા
યોગ્ય છે તે જ થાય છે, તેથી આત્મા તેમને અકર્તા છે-(શું)આ
વાત યથાર્થ છે ? ઉ. ના, આત્મા પોતાની પર્યાયને અકર્તા છે એ વાત યથાર્થ નથી.
તેમને કર્તા તે પોતે જ છે, “ક્રમબદ્ધ પરિણામ”ને એ અર્થ નથી કે આત્મા પિત કર્તા થયા વિના જ તે પરિણામ થઈ જાય છે. જ્ઞાની પોતાના નિર્મળ જ્ઞાન-ભાવને કરતે થકે પિતે તેને
ફ્ત થાય છે અને અજ્ઞાની પોતાના અજ્ઞાનભાવને કરતે થકે તેને
કર્તા થાય છે. ૧૭૨૨ પ્ર. આ ઉપરથી કેટલાક લેકે કહે છે કે ભલે પરનું નહીં, પણ
પિતાનું કામ તે કરવું જ પડશે. જે આપણે આપણું જ કામ
નહિ કરીએ તે કેણ આપણું કામ કરી જશે ? ઉ. જરા વિચાર તે કર કે જ્યારે તું માતાના પેટમાં હતું, ત્યારે
સમજી-વિચારીને શું શું કરતે હતા ? એવી જ રીતે જ્યારે
દિન દિન વૃદ્ધિ પામશે, સવિદ્યા વપરાઈ જળ નિર્મળ વપરાય તે, નીકર જાય ગંધાઈ
Page #559
--------------------------------------------------------------------------
________________
પ૩૭
મહિના-બે મહિનાનો હતો, ત્યારે પણ સમજી-વિચારીને શું કરતો હતો ? છતાં પણ આટલો મેટ થઈ ગયો. પૂરેપૂરી રીતે સંભાળીને રાખવા છતાં પણ એક દિવસ એ જ થશે કે શરીર અહીં જ પડયું રહેશે અને તારે એને છોડીને જવું પડશે; છતાં, પણ આમાં કત્વનું અભિમાન તારાથી છૂટતું નથી. આ શરીર ઉપર તારું રંચમાત્રેય જોર ચાલતું નથી. આ તારા વાળ કાળામાંથી સફેદ તને પૂછીને થયા હશે ? ચહેરા ઉપર જે કરચલીઓ જોવામાં આવે છે, એ પણ તારી સંમતિથી જ પડી હશે ? જે ના, તે પછી એમ શા માટે સ્વીકારતા નથી કે હતા સ્વયં જગત પરિણામ, મેં જગકા કરતા ક્યા કામ” શરીર પણ પર છે, જેના
ઉપર તું તારું ક્તત્વ સ્થાપી રહ્યો છે. ૧૭૨૩ પ્ર. છતાં પણ શું જાણવું અને શું ન જાણવું—એને વિવેક તે રાખો
જ પડશે ને ? શું આપણે આપણાં જ્ઞાન-દર્શનને એમ જ છૂટાં મૂકી દઈશું- સાંઢની જેમ. ઓછામાં ઓછું તેને તે સ્વભાવ સન્મુખ કરવાં જ પડશે. કાંઈ કરવું નથી, કાંઈ કરવું નથી, એ બધું કેવી રીતે ચાલે ? જ્ઞાનને સ્વભાવ-સન્મુખ કરો તેટલે ર્તીત્વ ભાવ તો
રાખો જ પડશે ને ? ઉ. જ્ઞાનને સ્વભાવ-સન્મુખ કરવાના વિકટપથી જ્ઞાન સ્વભાવ-સન્મુખ
થતું નથી, પરંતુ આ વિકલ્પના પણ ભારથી રહિત થતાં જ્ઞાન
સ્વભાવ-સન્મુખ ઢળે છે. આ એક ધ્રુવ સત્ય છે કે મને અનુસારે જ્ઞાન થતું નથી, પરંતુ જ્ઞાન અનુસાર ય જાણી શકાય છે. નહિ તે એમ શા માટે થાય કે જે ય સામે હોય, તેનું તે જ્ઞાન નથી થતું અને જે ય સામે ન હોય, ક્ષેત્ર કાળથી દૂર હોય, તેનું જ્ઞાન થતું દેખાય છે. નવવિવાહિત અમલદારને સામે બેઠેલા કારકુન દેખાતા નથી, પરંતુ કચેરીથી દૂર ઘરમાં કે પિયરમાં બેઠેલી પત્ની દેખાય છે. આથી એ સિદ્ધ છે કે ય અનુસારે જ્ઞાન થતું નથી. પરંતુ જ્ઞાનને અનુસારે ય જણાય છે. એનું તાત્પર્ય એ છે કે ક્ષયપશમ
દેવા સમર્થ દેવ પણ, કૃપા ભક્ત પર કીધ; માયા માહે લગાડશે, એમ ગણી નવદીધ.
Page #560
--------------------------------------------------------------------------
________________
પ૩૮
જ્ઞાનમાં જે વખતે જે શેયને જાણવાની એગ્યતા હોય છે, તે
વખતે તે જ ય જ્ઞાન વિષય બને છે, અન્ય નહિ. ૧૭૨૪ પ્ર. આ બાબતમાં બૌદ્ધોનાં અને જૈનોનાં મંતવ્યમાં શું ફેર છે ?
ઉ. બૌદ્ધોનું એમ કહેવું છે કે-જ્ઞાન જ્ઞયથી ઉત્પન્ન થાય છે, યાકાર
હોય છે અને એને જાણનાર હોય છે. જેને ઉક્ત વાતને સ્વીકાર કરતા નથી. બૌદ્ધોના મતમાં તે જે જ્ઞાન જે શેયથી ઉત્પન્ન થાય છે તેને જ જાણે છે–એ વ્યવસ્થા છે. જેનું કહેવું છે કે રેય અનુસાર, જ્ઞાન થતું નથી. જેમ જ્ઞાનને આધીન વસ્તુ નથી, તેવી જ રીતે વસ્તુને આધીન જ્ઞાન પણ નથી. બનેનું સ્વતંત્ર પરિણમન.
પિોતપોતાના કારણે થાય છે. ૧૭૨૫ પ્ર. જે જ્ઞાન 3યથી ઉત્પન્ન થતું નથી તો, જૈન મત પ્રમાણે જ્ઞાન
અમુક યને જ કેમ જાણે છે, અન્યને શા માટે નહિ એને નિયામક કેણ હોય ? ઉ. યોગ્યતા જ એને નિયામક છે. સ્વાવરણક્ષયોપશમ છે લક્ષણ જેનું
એવી યોગ્યતા જ એ વ્યવસ્થા કરે છે કે જ્ઞાન કેને જાણે. અર્થાત જ્ઞાનની વિવિલિત પર્યાયમાં જાણવાની ક્ષમતાની સાથોસાથ એ પણ
નિશ્ચિત છે કે તે કયા યને જાણશે. ૧૭૨૬ પ્ર. આને અર્થ એમ થયું કે આપણું જ્ઞાનની પ્રત્યેક પર્યાયનું રેય પણ તે નિશ્ચિત છે? ઉ. હા, એ જ સિદ્ધ થાય છે કે જ્ઞાનની પ્રત્યેક પર્યાયનું ય પણ,
નિશ્ચિત છે અને તે તેની યેગ્યતામાં જ સમ્મિલિત છે. જ્યારે જ્ઞાનનું ઝેય પણ નિશ્ચિત છે તે પછી આ વાત ક્યાં રહી કે શું જાણવું અને શું ન જાણવું. આપણે આટલે પણ બે આપણું શિર રાખવાનું નથી. ત્યારે આપણે બજારહિત બનીશું. જિનકે માથે ભાર, વે બે મઝધારમેં, હમ તે ઉત્તરે પાર, ઝેક ભારકે ભાડમેં.
મિતી પરીક્ષા ઘણુ અને મુનિ પરીક્ષા નામ, શર પરીક્ષા યુદ્ધ ને, મિત્ર પરીક્ષા કામ,
Page #561
--------------------------------------------------------------------------
________________
પ૩૯
અને ત્યારે જ જ્ઞાનની પર્યાયનું ય આત્મસ્વભાવ બનશે અર્થાત
દષ્ટિને સ્વભાવ-સન્મુખ થવાને એક માત્ર ઉપાય આ જ છે. ૧૭ર૭ પ્ર. જો એમ વાત છે તો પછી ઉપદેશ શા માટે આપવામાં આવે ,
છે કે દષ્ટિને આત્મ-સન્મુખ કરે, આત્માને જાણે વગેરે ? ઉ. (દષ્ટિને આત્મ-સન્મુખ કરવાના ઉપદેશમાં ઉપરની વાત ગર્ભિત
છે કે કર્તુત્વ ભાવ છૂટી જાય અને ક્રમ નિશ્ચિત વ્યવસ્થાને સંપૂર્ણ અને દઢ નિર્ણય થઇ જાય અને એમ નિર્ણય થતાં દષ્ટિ આપઆપ સ્વંય આત્મા-સન્મુખ થઈ જાય છે. દષ્ટિને આત્મ-સન્મુખ
કરવા માટે આ સિવાય બીજું કાંઈ કરવાનું હોતું નથી.) ૧૭૨૮ પ્ર. આ ક્રમબદ્ધ પર્યાયની વાત ભગવાન મહાવીરને વિરોધી ગોશાળાના
નિયતિવાદ અથવા ગોમટસારમાં કહેલ નિયતિપાત જેવી લાગે,
છે તેનું કેમ ? ઉ. નિયતવાદ અને ક્રમબદ્ધ પર્યાયમાં ઘણું અંતર છે. એકાત નિયતવાદી.
તો પુરુષાર્થાદિ અન્ય સમવાની ઉપેક્ષા કરીને એકાન્ત નિયતવાદને આશ્રય લઈને સ્વછન્દતાનું પોષણ કરે છે, જ્યારે ક્રમબદ્ધ પર્યાય સિદ્ધાંત તે પુરુષાદિ અન્ય તથ્યોને સાથે લઈને ચાલે છે.
કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત (નિમિત્ત) અને પુરુષાર્થ...આ પાંચ કારણેમાંથી કોઈ એકથી કાર્યોત્પત્તિ માનવી તે એકાન્ત છે,. મિથ્યાત્વ છે અને આ પાંચ સમવાય ભેગાં મળે ત્યારે કાલ્પત્તિ માનવી તે અનેકાન્ત છે, સમ્યફર્વ છે. નિરુદ્યમી પુરુષ મિશ્યા. નિયતિના (કાળના) આશ્રયે પુરૂષાર્થને તિરસ્કાર કરે છે, પણ અનેકાન્તબુદ્ધિ આ સિદ્ધાંતને જાણીને સર્વ બાહ્ય વ્યાપારથી. વિરક્ત થઈ એક જ્ઞાતા-દષ્ટ ભાવમાં સ્થિતિ પામે છે. ગમ્મટસારમાં જે નિયતવાદ કહ્યો છે તે તે સ્વચ્છન્દીને છે. જે જીવ સર્વને માનતો નથી, વિપરીત ભાવોના ઉછાળા ઓછી પણ ક્ય નથી અને થવાનું તે થશે–એમ કહીને માત્ર સ્વછન્દી થાય છે
રેષીને રૂડું કહે, બમણે આણે રોષ; તાતા તેલે જળ પડે, ભડકે થાય સદોષ,
Page #562
--------------------------------------------------------------------------
________________
૫૪૦
અને મિથ્યાત્વનું પાષણ કરે છે—એવા જીવને ગામ્મટસારમાં ગૃહીમિથ્યાદષ્ટિ કઘા છે. નિયતવાદી જેવી સ્વચ્છન્દતાનું પાણ ક્રમબદ્ધ-પર્યાયમાં કદાપિ નથી.
૧૭૨૯ પ્ર. ક્રમબદ્ધ પર્યાયના સિદ્ધાંત લાગે છે તા કાંઈક એકાન્ત જેવા જ
તેનુ શું ?
. જો ઊંડાણથી વિચાર નહિ કરે, ઉપર ઉપરથી જ વિચારશે તા એકાન્ત જેવું લાગશે જ. ઊંડાણથી વિચાર કરવાથી સ્પષ્ટ પ્રતીત થાય છે કે એ મિથ્યા-એકાન્ત નથી.
૧૭૩૦ પ્ર. શું મિથ્યા-એકાન્ત નથી એટલે ?
ઉ. હા, હા, સમ્યક્-એકાન્ત તા તે છે જ. ( નિયતવાદ તે મિથ્યા એકાન્ત છે જ્યારે ક્રમબદ્ધ પર્યાય તે સમ્યક્ એકાન્ત છે.)
૧૭૩૧ પ્ર. શું એકાન્ત પણ બે પ્રકારનાં હોય છે ?
ઉ. હા, એકાન્ત જ શા માટે, અનેકાન્ત પણ બે પ્રકારનાં હોય છે. જેમ કે સમ્યક્-એકાન્ત અને મિથ્યા એકાન્ત, સમ્યક્ અનેકાન્ત અને મિથ્યા અનેકાન્ત. સમ્યક્–એકાન્ત નય છે અને સમ્યક્-અનેકાન્ત પ્રમાણુ,
પ્રત્યેક કાર્ય શ્રુત-પ્રમાણ (સમ્યક્–અનેકાન્ત)ની અપેક્ષાએ પાંચ સમવાયાથી જ થાય છે તેા પણ નયની અપેક્ષાએ જે સમવાયને મુખ્ય કરીને થન કરવામાં આવે છે તેનાથી કાર્યસિદ્ધિ થઈ તે કથન સમ્યક્ એકાન્ત હોય છે, મિથ્યા એકાન્ત નહિ; કારણ કે તેમાં અન્ય સમવાય ગૌણુ હોય છે, તેમને અભાવ હોતા નથી: પ્રત્યેક કાર્ય સ્વકાળે ( સ્વ-અવસરે ) જ થાય છે, એમ કહેવું સમ્યક્–એકાન્ત થશે, મિથ્યા-એકાન્ત નહિ, કેમકે આ કથનમાં પુરૂષાદિ અન્ય સમવાય ગૌણ થાય છે, તેમને અભાવ નથી ૧૭૩૨ પ્ર. પર્યાયા ક્રમબદ્ધ છે અને અક્રમે નહીં. તેમાં અનેકાન્ત સિદ્ધ કરી
આપે.
ઉ. પર્યાયા ક્રમબદ્ધ જ થાય છે, અમે નહિ, અને ગુણુ અક્રમે (યુગપત્ અથવા એકી સાથે) જ હેાય છે, ક્રમથી નહીં, આ સમ્યક્ અનેકાન્ત છે. એને જ વધારે સ્પષ્ટ કરીએ તા ગુણ્ણાની અપેક્ષાએ
ક' રાજ તે ધર્મનું ધૂળધાણી, વળી ફેરવ્યું કૌરવા શિરપાણી; તજી તુ' પ્રતાપે નળે નિજ રાણી, હવે જોઈ ચાપાટ તારી કમાણી.
Page #563
--------------------------------------------------------------------------
________________
૫૪૧
દ્રવ્ય અક્રમ છે અને પર્યાયાની અપેક્ષાએ ક્રમબદ્ધ છે. ગુણુપર્યાયાત્મક વસ્તુમાં ક્રમ-અક્રમ છે અને પર્યાયાની અપેક્ષાએ ક્રમબદ્ છે. આ પ્રમાણે ગુણુ-પર્યાયાત્મક વસ્તુમાં ક્રમ-અક્રમ સંબંધી અનેકાન્ત ઘટિત થાય છે.
જો પર્યાયામાં જ ક્રમ“અક્રમ ટિત કરવું હોય તે। . તે અપેક્ષા ખીજી હોય. (તે આ પ્રમાણે છે.) પ્રત્યેક દ્રવ્યમાં અનંત ગુણુ છે અને પ્રત્યેક ગુણુની પ્રતિ સમય એક પર્યાય થાય છે; આ અપેક્ષાએ પ્રત્યેક દ્રવ્યમાં એક સમયમાં જ અક્રમ અર્થાત એકી સાથે અનંત પર્યાય થઈ જાય છે. તથા એક ગુણની અનંત સમયેામાં અનંત પર્યાયેા થાય છે, તે ક્રમશઃ એક-એક સમયમાં એક-એક જ થાય. છે, આ રીતે પર્યાયને પણ ક્રમ-અક્રમ કહી શકાય છે. અવિરાધપણે એક સાથે રહેવાવાળી જીવની પર્યાય એક સાથે હોવાને કારણે ગતિ, ઇન્દ્રિય, કાય, યાગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ આદિ સડાવસ્થાયી (એકી સાથે ઉત્પન્ન થવાવાળી) પર્યાય છે, તથા ક્રોધાદિ, દેવાદિ અને ખળાદિ અવસ્થાલક્ષણ ક્રમવતી પર્યાય છે.
૧૭૩૩ પ્ર. ‘ક્રમ' અને અક્રમ’ શબ્દોના અર્થ કેટલા પ્રકારે કર્યા છે?
ઉ. મ' અને ‘અક્રમ' શબ્દના અર્થ એ પ્રકારે કરવામાં આવે છે..
પ્રથમ તા એ કે ક્રમ એટલે ક્રમશઃ અર્થાત્ એક પછી એક અને અક્રમ એટલે યુગપત્ અર્થાત્ એક સાથે. બીજો અર્થ, એ કે ક્રમ. એટલે એક પછી એક અને તે પણ નિશ્રિત, એકદમ વ્યવસ્થિત તથા એ રૂપે કે આના પછી એ જ, 'બીજું નહીં.’ અક્રમ એટલે અવ્યવસ્થિત, કાંઈ પણ નિશ્ચિત નહીં.
૧૭૩૪ પ્ર. ઉપરના બે અર્થાંમાંથી ‘કમબદ્ધ પર્યાય' ના સિદ્ધાંત કયા અર્થમાં
કરવામાં આવ્યો છે ?
ઉ. ક્રમબદ્ધ પર્યાયનુ અનુશીલન દ્વિતીય અર્થની અપેક્ષાએ કરવામાં આવ્યું છે, તે પ્રમાણે પર્યાયે એક નિશ્ચિત ક્રમાનુસાર જ થાય છે. અક્રમે નહીં આવું સમ્યક્ એકાન્ત ફલિત થાય છે.
ભેાજન, ધાતુ, ઔષધિ, દાસ્ત, દાસ, ઘર, નાર; વણ પરખ્યાં જે વાપરે, તે ખત્તા ખાનાર
Page #564
--------------------------------------------------------------------------
________________
પર
૧૭૩૫ પ્ર, પણ સમ્યક એકાન્તની સાથે સાથે સમ્યક અનેકાન્ત પણ બતાવવું
જોઈએ ને? સમ્યફ અનેકાન્ત દ્રવ્ય-પર્યાયાત્મક વસ્તુ ઉપર ઘટિત થાય છે અને સમ્યફ એકાત દ્રવ્યપર્યાયાત્મક વસ્તુના એક અંશ અર્થાત્ દ્રવ્ય કે (અથવા) પર્યાય ઉપર ઘટિત થાય છે.
ગુણ અને પર્યાય–બંને વસ્તુ (દ્રવ્ય) ના અંશ છે અને વસ્તુ અર્થાત્ દ્રવ્ય અંશી છે. નયરૂપ સમ્યફ એકાત અશગ્રાહી હોય છે અને પ્રમાણરૂપ સમ્યફ અનેકાન્ત અંશીગ્રાહી અર્થાત વસ્તુગ્રાહી હાય છે. ગુણ અને પર્યાય વસ્તુના અંશે છે, તેથી તે સમ્યફ એકાન્ત સ્વરૂપ છે અને ગુણ–પર્યાયાત્મક વસ્તુ અંશી હોવાથી અનેકાન્ત સ્વરૂપ છે.
પર્યાયે ક્રમબદ્ધ જ હોય છે અને ગુણ અક્રમબદ્ધ (યુગપત અથવા એકી સાથે જ હોય છે. અક્રમવતી ગુણ અને ક્રમવતી પર્યાય-આ રીતે ગુણપર્યાયાત્મક વસ્તુમાં અનેકાન્ત ઘટિત થાય છે. જેમ વસ્તુ દ્રવ્યદૃષ્ટિથી નિત્ય છે અને પર્યાય દૃષ્ટિથી અનિત્ય, જેમ ફક્ત એકલા દ્રવ્ય અથવા એકલી પર્યાયમાં નિત્યાનિત્યાત્મકતા ન ઘટી શકે તેમ એકલા દ્રવ્ય અથવા એકલી પર્યાયમાં ક્રમાક્રમ પણ ન ઘટી શકે. ક્રમા ક્રમનું અનેકાત પણ ગુણ-પર્યાયાત્મક વસ્તુમાં જ ઘટિત થઈ શકે.
જૈનદર્શન સમ્યફ એકાન્તવાદી અને સમ્યફ અનેકાન્તવાદી દર્શન છે. ૧૭૩૬ ક. કેટલાક લેકે પ્રત્યેક પર્યાયનાં દ્રવ્ય ક્ષેત્ર અને ભાવ તે નિયત માને
છે, પરંતુ કાળને નિયત નથી માનતા. તેઓ કહે છે કે કાળને
નિયત માનવાથી પુરુષાર્થ નિષ્ફળ થઈ જશે. આ વાત બરાબર છે? ઉ. તેમનું ઉક્ત કથન સિદ્ધાંત વિરુદ્ધ છે, કેમ કે દ્રવ્ય, ક્ષેત્ર અને
ભાવ નિયત હતાં કાળ અનિયત હોઈ શકતા નથી. જો કાળને અનિયત માનવામાં આવે તે કાળલબ્ધિ કઈ ચીજ જ ન રહે પુરુષાર્થ નિષ્ફળ જવાની આશંકા બાકી રહી, તે એનું કારણ છે અજ્ઞાનીનું ઉતાવળપણું. સમય પહેલાં કેઈ કામ પૂરું કરી લેવાથી
ગણ ગૃહવાસ ન શ્રેયરૂપ, કિંતુ પાપાવાસ, કાળે જાળ અચળ રચી, મનુજ ફસાવા ખાસ
Page #565
--------------------------------------------------------------------------
________________
૫૪૩
જ પુરુષાર્થની સાર્થક્તા નથી હોતી. પરંતુ સમયસર કામ થઈ
જવું તે જ પુરુષાર્થની સાર્થકતાનું સૂચક છે. ૧૭૩૭ પ્ર. જે ક્રમબદ્ધ પર્યાયને માનીએ તો પુરુષાર્થ જ ઊડી જાય ? ઉ. ક્રમબદ્ધ પર્યાયને નિર્ણય કરવાથી ક્નબુદ્ધિનું મિથ્યાભિમાન ઊડી
જાય છે અને નિરંતર જ્ઞાયકપણાને સાચે પુરુષાર્થ થાય છે દૃષ્ટિનું સ્વભાવ તરફ ઢળવું તે જ મોક્ષના માર્ગમાં અનંત પુરુષાર્થ છે, ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા કરનારને ઉક્ત શ્રદ્ધાના કાળમાં આત્મોન્મુખી અનંત પુરુષાર્થ થવાને અને સમ્યગ્દર્શન પ્રગટ થવાને ક્રમ પણ સહજ હોય છે.
કર્તા ત્વના અહંકારથી પકડાયેલ આ જગતને પરમાં કે પર્યાયમાં કાંઈ ફેરફાર કરવામાં જ પુરુષાર્થ દેખાય છે. પણ પર અને પર્યાય સંબંધી વિકલ્પથી વિરામ લઈને સ્વમાં સ્થિર થઈ જવામાં પુરુષાર્થ દેખાતો નથી. પોતે જ્ઞાનમાં સમાધાન રાખીને જાણનાર રહે ને રાગદ્વેષ ન થાય એ જ પુરુષાર્થ છે. જ્ઞાનમાં નિઃશંક થઈને જ્ઞાનપણે રહ્યો ને વિકાર પણ ન થયે તેનું નામ પુરુષાર્થ છે. સર્વજ્ઞ ભગવાન પરમાં અને પોતાની પર્યાયમાં પણ કાંઈ ફેરફાર
કરતા નથી, તે શું તેઓ પુરુષાર્થ હીન થઈ ગયા ? ૧૭૩૮ ક. મેક્ષ માર્ગમાં પુરુષાર્થની વ્યાખ્યા શું છે ?
ઉ. મોક્ષના માર્ગને સંબંધમાં પુરુષાર્થની વ્યાખ્યા, જગત જેને પુરુ
પાર્થ સમજે છે, તેનાથી કાંઈ ભિન્ન જ છે. ઉત્તમ ચેતના ગુણના
સ્વામી તેમાં જ પ્રવર્તન કરવાનું છે પ્રજન જેનું, તેને પુરુષાર્થ કહે છે. બીજા શબ્દમાં મોક્ષના માર્ગમાં આત્માનુભવની પ્રાપ્તિને
પ્રયાસ જ પુરુષાર્થ છે. ૧૭૩૯ પ્ર. જે બધું જ ક્રમબદ્ધ છે અને તેમાં જીવ કાંઈ પણ પરિવર્તન
નથી કરી શકતા તે પછી જીવમાં પુરુષાર્થ ક્યાં રહ્યો ? ઉ. બધું જ ક્રમબદ્ધ છે-આ નિર્ણયમાં જ જીવને અનંત પુરુષાર્થ
સમાયેલો છે. પ્રાણું જ્યારે એ અનુભવ કરે છે કે જગતના
સ્વભાવ જ્યાં સરખા નહિ, યાર ન ત્યાં ટકનાર; મળતાં દારૂ દેવતા, બને ન બે ઘડી વાર
Page #566
--------------------------------------------------------------------------
________________
૫૪૪
પરિણમનમાં હું કાંઈ પણ ફેરફાર નથી કરી શકો ત્યારે તેને ઉપયોગ સહેજે જગતથી ખસીને આત્મસન્મુખ થાય છે. અને
જ્યારે એ શ્રદ્ધા બને છે કે હું મારી ક્રમનિયમિત પર્યામાં પણ કેઈ ફેરફાર નથી કરી શકતા ત્યારે પર્યાય ઉપરથી પણ દૃષ્ટિ ખસી જાય છે અને સ્વ-સ્વભાવ તરફ ઢળે છે.
મિથ્યાદષ્ટિ જીવ પરનું કર્તવ માને છે અને કર્તત્વની માન્યતાવાળે જીવ જ્ઞાતૃત્વની યથાર્થ ભાવના નથી કરી શકતો. કેમ કે કર્તવ અને જ્ઞાતૃત્વને પરસ્પર વિરોધ છે.
ઊંડાણથી વિચાર કરવામાં આવે તે ક્રમબદ્ધ પર્યાયના નિર્ણયમાં જ અનંત પુરુષાર્થ આવી જાય છે. ક્રમબદ્ધ પર્યાયને નિર્ણય સ્વયં અનંત પુરુષાર્થનું કાર્ય છે.
પરફ્તત્વના અહંકારની વાત કે જેને આ અજ્ઞાની જગત પુરુષાર્થ માની બેઠું છે, તે પુરુષાર્થ તે તૂટ જ જોઈએ કેમ કે એ સાચે પુરુષાર્થ જ નથી, તે તે નપુસંકતા છે. “ક્રમબદ્ધપર્યાયની સાચી શ્રદ્ધાનું ફળ તો કર્તાવને અહંકાર તૂટીને અંતર સન્મુખ
સમ્યફ પુરુષાર્થનું જાગૃત થવું તે જ છે. ૧૭૪. પ્ર. સર્વજ્ઞ ભગવાને પોતાના કેવળજ્ઞાનમાં જેવું જોયું છે, તે જ થાય
છે. જે આપણે તેમાં કાંઈ પરિવર્તન કરી શકતા નથી, તો પછી
તેમાં પુરુષાર્થ ક્યાં રહેશે ? ઉ. સર્વજ્ઞ ભગવાને જેમ દીઠું છે તેમ જડ ને ચેતનમાં પરિણમે.
થાય છે, છતાં તેમણે દીઠું છે તેથી યે દ્રવ્યમાં તેવાં પરિણામ થાય છે એમ નથી. દરેક પદાર્થ પોતાના કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, આપાદાન અને અધિકરણ એવી છે કારકપણે પરિણમે છે, એને પર્યાયક્રમ જ એવો છે. સર્વજ્ઞ ભગવાને પિતાના કેવળજ્ઞાનમાં જેવું જોયું હોય તેમ થાય છે તે તે માત્ર વાત કરવાને માટે કહ્યું, સર્વજ્ઞના કેવળજ્ઞાનને નિર્ણય નથી. સર્વજ્ઞ ભગવાનના કેવળજ્ઞાનના નિર્ણય કરનાર જ્ઞાનમાં
ઉદ્યમ, બન, બુદ્ધિ ને, પ્રવાસ, દરિયો ભૂપ; પ્રૌઢ પૈસે પામે, એ ખટ સાધન રૂપ,
Page #567
--------------------------------------------------------------------------
________________
૫૫
અનંત પુરુષાર્થ આવી જાય છે. સર્વને નિર્ણય કરવામાં જ્ઞાનનું અનંત વીર્ય કામ કરે છે. જે જીવ અરહંત અર્થાત સર્વજ્ઞ ભગવાનને દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે જાણે છે, તે પિતાના (આત્માને) પણ જાણે છે અને તેને મોહ અવશ્ય નાશ પામે છે. આમ પ્રવચનસારની ગાથા ૮૦ માં કહ્યું છે આ પ્રકારે મિથ્યાત્વના નાશ માટે અરહંત ભગવાનને જાણવા એ પણ અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે. સર્વજ્ઞતાની શ્રદ્ધા વિના દેવ–શાસ્ત્ર–ગુરુની સાચી શ્રદ્ધા પણ સંભવતી નથી, કેમ કે સાચા દેવનું તે સ્વરૂપ જ સર્વજ્ઞતા અને વીતરાગતા છે. સર્વજ્ઞતાને સમજ્યા વિના, સ્વીકાર્યા વિના, ધર્મની ઉત્પત્તિ જ સંભવિત નથી. “સર્વજ્ઞતા”ની શ્રદ્ધા વિના ક્રમબદ્ધ પર્યાય”ની શ્રદ્ધા અને “ક્રમબદ્ધ પર્યાય”ની શ્રદ્ધા વિના “સર્વજ્ઞતા”ની શ્રદ્ધા સંભવતી નથી. સર્વ ધર્મનું મૂળ છે. ધર્મને આરંભ જ ક્રમબદ્ધના નિર્ણયથી થાય છે. આચાર્યોએ તે સમસ્ત જિન સિદ્ધાંતનું પ્રતિપાદન સર્વજ્ઞતાને આધારે જ કર્યું છે. મહને નાશ કરવા માટે પોતાના આત્માને જાણ જરૂરી છે. અને પિતાના આત્માને જાણવા માટે અરિહંત (સર્વજ્ઞ)ને જાણવા. જરૂરી છે.
સર્વજ્ઞતાના નિર્ણયથી, ક્રમબદ્ધ પર્યાયના નિર્ણયથી મતિ વ્યવસ્થિત થઈ જાય છે, જીંત્વને અહંકાર ગળી જાય છે, સહજ જ્ઞાતા-દષ્ટાપણાને પુરુષાર્થ જાગૃત થાય છે. પરમાં ફેરફાર કરવાની બુદ્ધિ સંતૃપ્ત થઈ જાય છે. એ કારણે તે સંબંધની આકુળતાવ્યાકુળતા પણ ચાલી જાય છે. અતીન્દ્રિય આનંદ પ્રગટ થવાની સાથે સાથે અનંત શાંતિનો અનુભવ થાય છે.
એક વાત તો એ પણ છે કે ક્તત્વના અહંકારથી ગ્રસ્ત પ્રાણીએની મતિ વ્યવસ્થિત હેઈ પણ નથી શકતી. કેમ કે વ્યવસ્થાપક
કલેશ, ગવી, ઉમાદ ને, આળસ ઊંઘ અગ્ય; લક્ષમી રળવાનાં ગણે માત્ર પાંચ અજોગ,
Page #568
--------------------------------------------------------------------------
________________
પ૪૬
બનવાની ધૂનમાં મસ્ત જગત એ કેવી રીતે સ્વીકારી શકે કે જગત સ્વયં વ્યવસ્થિત છે? એ જ કારણે જે નિયમિતક્રમ અર્થાત વ્યવસ્થિત વ્યવસ્થાને ભંગ કરીને સમય પહેલાં કામ કરી લેવાની ભાવના રાખે છે, તેમને વ્યવસ્થિત વ્યવસ્થા સહેજે સ્વીકાર્ય નથી હતી. આ મનુષ્યભવમાં કરવા યોગ્ય તો એક માત્ર એ જ કાર્ય
છે કે આપણે આપણી મતિને વ્યવસ્થિત કરીએ. ૧૭૪૧ પ્ર. જો કેઈ કેઇને પરિણાવતું નથી તે પછી આ પરિણમન થાય
છે કેવી રીતે ? એને કેણ કરે છે ? જે કદી આ પરિણમન અટકી જાય તે ? અથવા કદી ધીરે ધીરે થાય, અને કદી ઝડપથી–એને નિયામક કાણું હશે ? ઉ. પ્રત્યેક દ્રવ્ય સ્વયં પરિણમનશીલ છે. ધ્રુવતાની જેમ પરિણમન પણ
તેને સ્વભાવ છે. આ પરિણમન કદી અટકી જાય એ પ્રશ્ન જ ઉત્પન્ન થતો નથી, કેમ કે પરિણમન પણ એને નિત્યસ્વભાવ છે. જલદી અને મોડું થવાની પણ કોઈ સમસ્યા નથી, કેમ કે પ્રત્યેક પર્યાય એક સમયની જ હોય છે. હવે રહી વાત એ કે આ બધું કાણું કરે છે? પ્રત્યેક દ્રવ્યમાં અનંત શક્તિઓ પડી છે, નિરંતર ઉલ્લાસિત થઈ રહી છે, તેમના દ્વારા જ આ બધું સહજ થયા
૧૭૪૨ પ્ર. જે આપણે આપણી પર્યાયને પણ નથી બદલી શકતા તે પછી
આપણુ પરિણમનને કર્તા પણ આપણે ક્યાં રહ્યા ? ઉ. “આપણે આપણી પર્યાયને પણ નથી બદલી શક્તા જ્યારે એમ
કહેવામાં આવે છે ત્યારે તેને આશય એ હોય છે. આપણે તેના નિશ્ચિત ક્રમમાં કેઈ ફેરફાર નથી કરી શકતા, પરંતુ એ નથી થત કે તેના પરિણમનના કર્તા પણ આપણે નથી. પર્યાયને કર્તા તે દ્રવ્ય જ છે. દ્રવ્યની શક્તિઓને કારણે જ તેની પર્યાય સ્વસમયે થાય છે. (જુએ પ્રશ્ન-૧૭૨૦).
હિંમત, સાહસ, બુદ્ધિબળ, વિદ્યા, ખટપટ ભેદ, એ તેહના માનજે, લક્ષ વીરનાં વેદ,
Page #569
--------------------------------------------------------------------------
________________
પ૪૭
પરિણમનશીલતા દ્રવ્યને સહજ સ્વભાવ છે. જે એક સમય પણ પરિણમન અટકી જાય તે દ્રવ્યનું દ્રવ્યત્વ જ કાયમ ન રહે. જેવી રીતે શરીરમાં લેહી દેડવાનું બંધ થઈ જાય તો હૃદયની ગતિ અટકી જવાથી મનુષ્યને મરણને પ્રશ્ન ઉપસ્થિત થાય. તેવી જ રીતે જે કઈ દ્રવ્યનું એક સમય માટે પણ પરિણમન અટકી જાય તો તેના મૃત્યુ (અભાવ)ને પ્રસંગે ઉપસ્થિત થાય અને દ્રવ્યના અભાવની સાથે સાથે વિશ્વના અભાવને પણ પ્રસંગ આવે, કેમ કે છ દ્રવ્યોના સમૂહનું નામ જ વિશ્વ છે.
જેવી રીતે લેહી નિરંતર દોડતા છતાં થાતું નથી કારણ કે દેડવું એ જ તેનું જીવન છે, નિરંતર પરિણમન જ તેનું
જીવન છે. -૧૭૪૩ છે. પણ પ્રતિ સમય નવી નવી પર્યાયે ક્યાંથી લાવીશું ? ઉ. તેવી કોઈ સમસ્યા નથી. તે સ્વભાવમાંથી સહજ આવે છે, તેમને
ક્યાંયથી લાવવી નથી પડતી; તે ૫રમુખપેક્ષી નથી. જો તેમને અન્યની અપેક્ષા હોય તે દ્રવ્ય પરાધીન થઈ જાય અથવા પરિણમન તેને સ્વભાવ જ ન રહે, કેમ કે સ્વભાવને પરની અપેક્ષા નથી હોતી.
“હેતા સ્વયં જગત પરિણામ, મેં જગકા કરતા ક્યા કામ.” ૧૭૪૪ પ્ર. જિનશાસ્ત્રોમાં કઈ જગ્યાએ કહ્યુ છે કે દ્રવ્ય પર્યાયને કર્તા છે અને
વળી કોઈ જગ્યાએ એમ પણ કહ્યું છે કે પર્યાય જ પર્યાયની કર્તા
છે, આમ વિરોધાભાસ કેમ દેખાય છે ? ઉ. જિનવાણીમાં એક અપેક્ષા એ પણું આવે છે કે જેમાં પર્યાયની ર્તા
પર્યાયને કહેવામાં આવે છે, દ્રવ્યને નહિ. તે ક્ષણિક ઉપાદાનની અપેક્ષાએ કહેવાય છે. તે સમયની ગ્યતા જ કાર્યની નિયામક હોવાથી પર્યાયને જ પર્યાયને કર્તા કહેવામાં આવે છે. જ્યારે ત્રિકાળી ઉપાદાનની અપેક્ષાએ પર્યાયને કર્તા તે દ્રવ્ય અથવા ગુણ કહેવાય છે કે જેની તે પર્યાય છે પણ આ વિરોધાભાસ નથી. અપેક્ષિત કથન છે અને અપેક્ષા-અપેક્ષાની દૃષ્ટિએ કથન અલગ અલગ હોઈ શકે છે.
દાન, કાવ્ય, તપ, ચાતુરી, ગુરુભક્તિને જ્ઞાન વિવેક, નીતિ, લક્ષમી એ, સબળ કીતિનાં સ્થાન
Page #570
--------------------------------------------------------------------------
________________
૫૪૮
૧૭૪૫ પ્ર. જે આપણે પરનું કાંઈ જ કરી શકતા નથી તે પછી આપણી
સ્વતંત્રતા શી રહી ? ઉ. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ પણ નથી કરી શકતું ત્યારે તેને અર્થ
આપ માત્ર એટલે જ શા માટે કરે છે કે આપ બીજાનું કાંઈ નથી કરી શકતા, એમ કેમ નથી કરતા કે આપનું પણ કઈ કાંઈ નથી કરી શકતું ? જ્યારે આપ એ વિચાર કરશે ત્યારે આપને સ્વતંત્રતાને અનુભવ થશે કે જુઓ, મારું પણ કઈ કાંઈ બગાડી શકતું નથી. કેઈ રાજ્યમાં કે કોઈને લૂંટી શકતું નથી, મારી શકતું નથી, ત્યારે કેઈ એમ નથી કહેતું કે આ કેવું ખોટું (ખરાબ) રાજ્ય છે. ક્રમબદ્ધ પર્યાયની વાત તે અનંત સ્વતંત્રતાની સૂચક છે.
ક્રમબદ્ધ પર્યાયમાં વસ્તુની અનંત સ્વંત્રતાની ઘોષણા છે. ૧૭૪૬ પ્ર, જ્ઞાની પણ એમ કહેતા જોવામાં આવે છે કે મેં આમ કર્યું, તેમ.
ન કર્યું, આમ તેમની વાતમાં પણ ક્તત્વ બુદ્ધિ તે હોય છે તેનું શું? ઉ, એ વાત સાચી છે કે જ્ઞાનીના જીવનમાં પણ એવો વચન વ્યવહાર
જોવામાં આવે છે, પણ તેમની માન્યતા એવી હોતી નથી. સમ્યગ્દષ્ટિ જ્ઞાનીને પણ એમ કહેતા જોવામાં આવે છે કે આ મારી સ્ત્રી છે, આ મારા પુત્રો છે, આ મારું મકાન છે પણ તે એમ માને છે કે, આ કાંઈ મારું નથી. કથનમાત્રથી તેઓ મિયાદૃષ્ટિ થઈ જતા નથી કેમ કે મિથ્યાત્વ તે માન્યતા સંબંધી દેષ છે. જેમ કેઈ ગુમાસ્તા શેઠનું કાર્ય કરે છે, તે કાર્યને પોતાનું પણ કહે છે, હર્ષ વિષાદ પણ પામે છે, તે ફાર્યમાં પ્રવર્તતાં પોતાની અને શેઠની જુદાઈને વિચાર કરતો નથી, પરંતુ અંતરંગ શ્રદ્ધાન એવું છે કે આ મારું કાર્ય
નથી. આ સંપત્તિ મારી નથી. ૧૭૪૭ ક. એને અર્થ એ થયો કે જ્ઞાનીની માન્યતા અને કથનમાં અંતર.
હોય છે ? ઉ. હા, અવશ્ય હોય છે પરંતુ એનું કારણ જ્ઞાનીના હૃદયની અપવિત્રતા
નહિ, પણ વસ્તુની સ્થિતિ છે. કેમ કે જ્ઞાનીની માન્યતા તે વસ્તુ
ધન, જોબન, ત્રીજે અમલ, થયાં હોય અનુકળ; નહિ વિદ્યા અનુકૂળ તે, સઘળાં માને છૂળ,
Page #571
--------------------------------------------------------------------------
________________
૫૪૯
સ્વરૂપને અનુસારે હોય છે, અને વચનવ્યવહાર લેાક પ્રચલિત વ્યવહારને અનુસાર હેાય છે. જ્યાં સુધી વચન-વ્યવહાર છે, ત્યાં સુધી માન્યતા અને વાણીનું આ અંતર રહેશે જ. ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ભરતાદિ ચક્રવતી પણ છ ખંડની વિભૂતિને પેાતાની કહેતા હતા, પણ માનતા નહોતા. આ ચાથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકામાં પ્રાપ્ત થતુ પર્યાયંગત સત્ય છે.
૩૭૪૮ પ્ર. જ્ઞાનીની કરણી અને કથનીમાં પણ શુ' અંતર છે ?
. જેવું શ્રદાન, જ્ઞાન અને વચન તેવુ ં ચારિત્ર પણ હોવુ જાઈએ, તે ન હોય તા પણ શ્રાદ્દામાં ફેર નથી હોતા. કરણી અને કથનીનું આ અંતર હોય છે. પણ આ અંતર તા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ભરતાદિ ચક્રવતી એને પણ હતું. ચોથા ગુણસ્થાનવાળા બધા જ્ઞાનીઓને હોય છે. તી કર ઋષભદેવનેય ૮૩ લાખ પૂર્વ સુધી ચરિત્રદોષ રહ્યો હતા. એક ગુણુ ખીન્ન ગુણમાં દોષ ઉત્પન્ન નથી કરતા. આ મહાસિદ્ધાંત છે, નહિ ત। સમ્યક્દર્શન થઈ શકે નહિ. જ્ઞાનીના ચારિત્ર અને વીર્યંમાં દાષ હાય પણ સમ્યક્દર્શીનમાં દાષ ન હોય. (જુએ પ્રશ્નક્રમાંક-૧૨૫૦)
૧૭૪૯ પ્ર. જો સુખદુઃખ, જીવનમરણુ બધુ જ નિયત છે, સ્વકાળે જ થાય છે, તેા પછી અકાળમૃત્યુ નામની તા કાઇ ચીજ જ ન રહી, જ્યારે શાસ્ત્રોમાં અકાળમૃત્યુની ચર્ચા આવે છે તેનું શું ?
ઉ. વિષભક્ષણાદિ દ્વારા થનાર મૃત્યુને અકાળ મૃત્યુ કહેવામાં આવે છે. આ કથન આયુષ્યની ઉદીરણા કે અપ ણુની અપેક્ષાએ કરવામાં આવે છે, વસ્તુસ્થિતિની અપેક્ષાએ નહીં. કેમ કે કેવળી ભગવાનના જ્ઞાનમાં તા જે કાળે તેનું મરણ થવાનું જણાયું હતુ, તે જ કાળે થયું છે, તેથી તે પણ સ્વકાળ મરણ જ છે, અકાળ મરણ નથી. આયુષ્ય એ પ્રકારનાં હાય છે-(૧) ભુષ્યમાન આયુષ્ય અને (૨) મધ્યમાન આયુષ્ય. જે આયુષ્યને જીવ વમાનમાં ભાગવી રહ્યો છે, તેને ભુષ્યમાન આયુષ્ય કહે છે. અને જે આયુષ્ય ખરૂંધાઈ તા ગયુ' છે,
આળસ હાય હજૂર ત્યાં, વધે ન કદી સુખનૂર, ભય પામી એ સ્મૃતિથી, રહે પ્રભુ પણ દૂ
Page #572
--------------------------------------------------------------------------
________________
પપ૦
પણ જેને ઉપગ આગલા ભવમાં થશે, તેને બધ્યમાન આયુષ્ય કહે છે.
બયમાન આયુષ્યની સ્થિતિમાં તે બધાનું અપકર્ષણ થઈ શકે છે, પરંતુ ભજ્યમાન આયુષ્યનું અપકર્ષણ દેવ, નારકી, ચરમ શરીરી (એ જ ભવે મોક્ષે જવાવાળા) અને અસંખ્ય વર્ષના આયુષ્યવાળા ભેગભૂમિના જીવોનું થતું નથી, એમ બતાવવાને તે સૂત્રને ઉદ્દેશ્ય છે. રાજા શ્રેણિકે નરકના આયુષ્યની તેત્રીસ સાગરની સ્થિતિ બાંધી હતી. અને તેનું અપકર્ષણ થઈને ચોરાશી હજાર વર્ષની સ્થિતિ રહી ગઈ, પણ એ પૂર્વભવમાં જ થયું. નરકના આયુષ્યને ઉપભેગ શરૂ થયા. પછી તેનું અપકર્ષણ શક્ય નહોતું. આ આખીય ચર્ચા આયુષ્યને અપક્વણની છે, તેનાથી ક્રમબદ્ધ પર્યાયની નિશ્ચિતતામાં કઈ ફેર પડતો નથી. વાસ્તવમાં આ કથન અકાળમૃત્યુનું ન હોઈ આયુષ્યના અપકર્ષણનું છે. અકાળ મૃત્યુને અર્થ આયુષ્યકર્મની ઉદીરણા સિવાય બીજો કોઈ નથી, અકાળ તે ફક્ત એટલા માટે કહેવામાં આવે છે કે જેટલું આયુષ્ય બાંધ્યું એટલી સ્થિતિ પૂરી ન કરી. વાસ્તવમાં કોઈ પણ કર્મ એવું નથી જેની
સ્થિતિ બંધ અનુસાર જ ઉદયમાં આવતી હોય. ૧૭૫૦ પ્ર. જે કેવળીને જ્ઞાનાનુસાર પ્રત્યેક મૃત્યુ સ્વકાળે જ થાય છે તો બીજી
કેઈ અપેક્ષાએ અકાળ મૃત્યુ પણ થતું હશે? ઉ. જેમ કે એક ઘડામાં દશ લીટર પાણી છે અને તેમાં એક છિદ્ર
પણ છે, જેમાંથી તે પાણી એક કલાકે એક લિટરની ગતિએ નીકળી રહ્યું છે. જે ગણિતશાસ્ત્રીને પૂછવામાં આવે કે તે ઘડે કેટલા સમયમાં ખાલી થઈ જશે તો તે પિતાના ગણિતાનુસાર દશ કલાક જ બતાવશે કે જે સાચું છે, પણ જે કોઈ ભવિષ્યજ્ઞાનીને પૂછવામાં આવે કે તે ઘડો ક્યારે ખાલી થશે તે તે એમ પણ કહી શકે કે, પાંચ કલાકમાં. કારણ કે તેને ખબર છે કે પાંચ કલાક પછી એક
માન માટે કંઈ ક્રેડ રૂપિયા ખર્ચ ઉધારે; પરમારથમાં પાંચ ખરચતાં ફાંફા મારે.
Page #573
--------------------------------------------------------------------------
________________
પપ૧
બાળકની ઠોકરથી તે ઘડો ઢબકી જશે અને તેમાંથી બધું પાણી નીકળી જશે.
હવે ગણિતની અપેક્ષાએ તેને અસમયમાં ખાલી થયે તેમ કહેવાશે અને ભવિષ્યજ્ઞાની અથવા વસ્તુસ્થિતિની અપેક્ષાએ એમ કહેવાશે કે તેની સ્થિતિ જ એમ હતી, એટલે સ્વસમયમાં પિતાની હોનહાર (ભાવિ) અનુસાર યોગ્ય નિમિત્તપૂર્વક જ બધું વ્યવસ્થિત બન્યું છે.
સ્વાશ્ય આદિ જોઈને આપણે અપેક્ષા રાખીએ કે આ માણસ એંસી વર્ષ જીવશે, પણ વિષાદિ ભક્ષણથી અથવા અકસ્માતથી જ્યારે તે ચાળીસ વર્ષની ઉંમરે જ મરી જાય છે ત્યારે કહી દઈએ છીએ કે અસમયમાં મરણ થઈ ગયું. આપણું આ જ્ઞાનને કયો આધાર છે કે તેને ચાળીસ વર્ષથી વધારે જીવવાનું હતું ? એ જ્ઞાન વિના તેને અકાળ કહેવું એ કથનમાત્ર સિવાય બીજું શું હોઈ શકે ?
ઉપરના કથનથી એ સ્પષ્ટ થઈ જાય છે કે મરણ તે જ્યારે થવાનું હોય ત્યારે થાય છે તેમાં કોઈ ફેરફાર થયો નથી. જે કાંઈ ફરક આવ્યા તે ફક્ત કથનમાં આવ્યો છે.
અહીં અકાળને અર્થ અસમય (અથવા કસમય) અથવા સમયથી પહેલાં એમ નથી પણ કાળલબ્ધિથી અતિરિક્ત અન્ય (ભિન) બીજા કોઈ કારણ જેવાં કે પુરુષાર્થ આદિ સમવાયોના (જુઓ પ્રશ્ન ૧૬૦૪ થી ૧૬ ૦૬) સમુદાયથી થવાવાળા મૃત્યુને સૂચવે છે. કાળને છોડી બાકીનાં ચાર સમવાયને એક નામથી કથન કરવું હેય તે અકાળ સિવાય બીજું શું કહી શકાય ? આ રીતે અકાળ મૃત્યુ અસમયનું સૂચક ન હોઈ, કાળ સિવાયના મુખ્યરૂપે બીજાં
કારણેથી થનાર મૃત્યુનું સૂચક છે. ૧૭૫૧ અ. કેવળીના જ્ઞાનાનુસાર બધું જ ક્રમબદ્ધ છે અને આપણું જ્ઞાનાનુસાર
અક્રમબદ્ધ છે તેમ કહેવું શું યોગ્ય છે ? ઉ. આપણું માનવાથી વસ્તુનું સ્વરૂપ બે પ્રકારનું થોડું જ થઈ
જવાનું છે ! તે તે જેવું છે, તેવું જ છે.
જન્મ, જશ ને મૃત્યુ, મુખ્ય દુ:ખના હેતુ કારણ તેનાં બે કહ્યાં, રાગદ્વેષ અણુહેતુ
Page #574
--------------------------------------------------------------------------
________________
પર
રવિવાર આદિ સાત વારેને એક ક્રમ નિશ્ચિત છે. કેટલાક માણસોને તેમના ક્રમનું જ્ઞાન છે, પરંતુ કેટલાક માણસને આ વાતનું જ્ઞાન નથી. તો શું જે માણસને જ્ઞાન છે, તેમના જ્ઞાનાનુસાર વાર ક્રમબદ્ધ હશે અને જેમને જ્ઞાન નથી અથવા ખોટું જ્ઞાન છે તેમને જ્ઞાનાનુસાર તે અક્રમબદ્ધ અથવા અનિશ્ચિત થઈ જશે ?
તેથી એમ કહેવું છે કેવળીના જ્ઞાન અનુસાર પર્યાયે ક્રમબદ્ધ થાય છે અને આપણું જ્ઞાન અનુસાર અક્રમબદ્ધ, તે ક્રમબદ્ધપર્યાયનું સાચું સ્વરૂપ સમજયા વિના જ “હું પણ સાચું અને તું પણ
સાચે' જેવી ઉભયાભાસી બાળચેષ્ટા છે. ૧૭૫ર પ્ર. કેવળીના જ્ઞાન અનુસાર તો મરણ આદિ કાર્ય સ્વકાળે જ થાય
છે પણ ઉપર જે ઘડાનું ઉદાહરણ આપ્યું તે પ્રમાણે દરેક દરેકને જ્ઞાન મુજબ જે કાંઈ મરણ આદિ સંબંધી ભવિષ્ય બતાવવામાં આવે છે તેમાં આયુષ્યના અપકર્ષણ દ્વારા ફેરફાર થાય છે. આથી તે એમ લાગે છે કે કેવળીને જ્ઞાન અનુસાર પર્યાયે ક્રમબદ્ધ
અને આપણું જ્ઞાનાનુસાર અક્રમબદ્ધ થાય છે તે બરાબર છે ? ઉ. અકાળમરણને આશય સ્વકાળ વિના થનાર મરણ એવો નથી,
પરંતુ આયુષ્યકર્મના અપકર્ષણાદિથી થનાર મરણને છે. આયુષ્યના - અપકર્ષણાદિના કારણે અકાળ મરણ તેની સંજ્ઞામાત્ર છે. વાસ્તવમાં
તે પ્રત્યેક કાર્ય સ્વકાળે જ થાય છે. કોઈપણ ઘટના નવીન ઘટતી નથી, પરંતુ તે પહેલેથી જ સ્થિત છે, નિશ્ચિત છે, તે તો માત્ર
સ્વકાળે પ્રગટ થાય છે. ઘટનાઓ બનતી નથી, તે પહેલેથી જ
વિદ્યમાન છે, તથા કાળચક્ર ઉપર દેખાય છે. ૧૭૫૩ પ્ર. શાસ્ત્રોમાં એક અકાળનય પણ આવે છે ને ? કાળનયે કાર્ય સ્વ
કાળમાં થાય છે અને અકાળીયે અકાળમાં પણ થઈ જાય છે. એમ
માનીએ તે શી આપત્તિ છે ? ઉ. અકાળનયને અર્થ એ નથી કે કાર્ય સ્વસમયમાં ન થતાં અસમયમાં
વચનામૃત વીતરાગનાં; પરમ શાંતરસ મૂળ ઔષધ જે ભવેગનાં, કાયરને પ્રતિકૂળ
Page #575
--------------------------------------------------------------------------
________________
૫૫૩
થઈ જાય છે. કાયરતા પાંચે સમવાયા મળતાં જ થાય છે, પણ જ્યારે એક કારણુંને મુખ્ય કરીને થત થાય છે ત્યારે અન્ય કારણુ ગૌણ રહે છે, તેમનેા અભાવ નથી. તે જ પ્રમાણે જે કાર્ય ની ઉત્પત્તિમાં કાળ સિવાયના પુરુષાર્થાદિ અન્ય સમવાય મુખ્ય દેખાય છે, તેને અકાળનયના વિષય કહે છે તથા જેમાં કાળની પ્રમુખતા દેખાય છે, તેને કાળનયના વિષય કહેવામાં આવે છે. કાળનયે સ્વકાળમાં કાર્ય થાય છે અને અકાળનચે અકાળમાં. આ કથનનું તાત્પર્ય એ કદાપિ નથી કે ક્રાય" સમય પહેલાં થઈ ગયું. -૩૭૫૪ પ્ર. પ્રવચનસારમાં કેરીનુ ઉદાહરણ આપીને કાળનય અને અકાળનયનુ થન આવે છે ને ? તેમાં કહ્યું છે * કાળનયે આત્મદ્રવ્યની સિદ્ધિ સમય ઉપર આધાર રાખે છે, ગરમીના દિવસેામાં પાકનાર કેરીનો જેમ; અને અકાળનચે આત્મદ્રવ્યની સિદ્ધિ સમય ઉપર આધાર રાખતી નથી, કૃત્રિમ ગરમીથી પકાવેલ કેરીની જેમ. તેથી અકાળ કાર્ય થાય છે તે વાત સ્પષ્ટ કહેવામાં આવી છે તેનુ શું ? ઉ ડાળી ઉપર લાગેલી કેરીને પાકવામાં કાળનયને મુખ્ય કરોને કાળલબ્ધિ આવતાં સ્વયં તે પાકી એમ કહેવામાં આવ્યુ', તે પણ તેમાં ઋતુકૃત ગરમીનું નિમિત્ત પણ હતું જ. ધાસમાં પકવવામાં આવેલ કેરીમાં કૃત્રિમ ગરમી આપવરૂપ પુરુષના પ્રયત્ન જોવામાં આવ્યા, તેથી કાળને ગૌણુ કરીને તેને અકાળનયની અપેક્ષાએ અકાળ અર્થાત્ કાળથી ભિન્ન કારણેાથી તે પાકી એમ કહેવામાં આવ્યું.
અહીં અકાળના અથ અસમય અથવા સમય પહેલાં એમ નથી, પરંતુ કાળલબ્ધિ સિવાયના અન્ય પુરુષાર્થ આદિ સમવાયાને સમુદાય છે. કાળના અર્થ પણુ સમય માત્ર નથી, પરંતુ કાળધ નામના એક સમવાય છે. કાળ સિવાયના બાકીના ચાર સમવાયાને એક નામથી કહેવા હાય તા અકાળ સિવાય ખીજું શું કહી શકાય? જેમ જીવથી ભિન્ન પાંચ દ્રવ્યાને અજીવ કહેવામાં આવે છે, તેવી જ રીતે અહી કાળ (કાળલબ્ધિ)થી ભિન્ન ચાર સમવાયેને અકાળ કહેવામાં આવે છે. બધાં કાર્ય ક્રમનિયત હોવા
અવળાં પણ સવળાં થશે, ઠાકર વાગ્યે ઠીક; તા લાહને ટીપતાં સુધરી જશે અધિક
Page #576
--------------------------------------------------------------------------
________________
૫૫૪
છતાં પણ તે વિવિક્ષાભેથી કાળ અને અકાળ-આ બંને નયાના વિષય છે.
૧૭૫૫ ત્ર. બધુ જ નિશ્ચિંત છે, તેમાં કાંઇ ફેરફાર કરી શકાતા નથી, એમ. માનવાથી, આવેલી અથવા આવનાર વિપત્તિની ખબર પડતાં જ આખા જગતમાં-ભયનું વાતાવરણ ફેલાઇ જશે. ભલે આપણે કરેલા કાઈ પ્રયત્ન સફળ ન થાય તેા પણ સફળતાની સ ંભાવનાથી આશા તા રહ્યા કરે છે. બધું નિશ્ચિત માનવાથી નિરાશાનું વાતાવરણ ફેલાઈ જશે, પ્રયત્ના કરવા પ્રત્યે ઉત્સાહ નહિ રહે; મનેાખળ તૂટી જશે, અને એ માટે ક્રમબદ્ધ પર્યા”ના સિદ્ધાંત ન સ્વીકારવા વધુ કોયસ્કર નથી ?
૩. ભયનું વાતાવરણ તા અજ્ઞાન અને કષાયથી ખને છે. ભય સ્વયં એક કષાય છે. સાચી સ્થિતિ જાણી બુદ્ધિમાન નિર્ભય થઈ જાય છે. જ્ઞાની અને અજ્ઞાની સાથે બેઠા હોય અને સામે નરભક્ષી સિંહ આવી જાય તા ક્રમબદ્ધ પર્યાયના સિદ્ધાંતના આશ્રયે જ્ઞાની તેા થૈય ધારણ કરીને નિય રહેશે અને અન્નાની ભયાક્રાન્ત થઈ જશે. આશા ટકાવી રાખીને કાઈ સુખી થતું નથી. સુખી થવાને એક માત્ર ઉપાય આશાના અભાવ કરવા તે જ છે. જો આશાના અભાવમાં સંસારમાં રહેવુ મુશ્કેલ થઈ જશે, તેા જ્ઞાની તેા એ જ ઇચ્છે છે કે સંસારમાં રહેવાનું મુશ્કેલ થઈ જાય. સંસારનાં કાર્યામાં ઉત્સાહ નહિ રહે, તેા એ પણ સારું જ છે. મનેાખળ તૂટી જાય તા તૂટી જવા દે. આત્મબળ જાગશે. સાંસારિક કાર્યોંમાં લાગેલું મનેાખળ તૂટચા વિના આત્મબળ જાગૃત પણ થતુ' નથી.
૧૭૫૬ પ્ર. શાસ્ત્રમાં તા દ્રવ્ય ઉપર દૃષ્ટિ રાખવાના ઉપદેશ છે અને પ્રવચન સારની ૯૩મી ગાથામાં પર્યાય ઉપર દષ્ટિ રાખનારને પર્યાયમૂઢ ક્યો છે અને ‘ક્રમબદ્ધપર્યાય' પણ એક પર્યાય જ છે, તા પછી તેના નિર્ણય કરવા કેમ આવશ્યક છે ?
૩. પર્યાયના નિણૅય પર્યાયના આશ્રયે થતા નથી, પરંતુ દ્રવ્યના આશ્રયે થાય છે. સાયકસ્વભાવના આશ્રયે ક્રમબદ્ઘ પર્યાયના નિણૅય થાય છે.
લાખ ખાતકી ખાત ય હૈ, નિશ્ચય ઉર લાવે, તાડ સકલ જગદ ફૂંદ, નિજ આતમ ધ્યાવે.
Page #577
--------------------------------------------------------------------------
________________
૫૫૫
૧૭૫૭ પ્ર. તે પછી ક્રમબદ્ધ પર્યાયને નિર્ણય કરવો કે નહીં ?
9. નિર્ણય તે કરો, આશ્રય ન કરો. આશ્રય કરવાનો નિષેધ કરતાં,
નિર્ણય કરવાને નિષેધ ન સમજી લે. સાયકસ્વભાવના આશ્રયે ક્રમબદ્ધને નિર્ણય થશે. તેથી ક્રમબદ્ધ પર્યાયને નિર્ણય કરવા માટે જ્ઞાયસ્વભાવને આશ્રય કરે,
ક્રમબદ્ધને નિર્ણય તે મહાપુરુષાર્થનું કાર્ય છે. તેનાથી આખી. દષ્ટિ જ પલટાઈ જાય છે. એ કઈ સામાન્ય વાત નથી, એ તે
જૈનદર્શનને મમ છે. ૧૭૫૮ પ્ર. તે એને અર્થ એ થે કે પહેલાં આગમ અને યુક્તિના આધારે
વિકલ્પાત્મક જ્ઞાનમાં ક્રમબદ્ધ પર્યાયને નિર્ણય કરે, પછી જ્યારે દષ્ટિ પર્યાય ઉપરથી હઠીને જ્ઞાયકસ્વભાવ ઉપર જશે, સ્થિર થશે.
ત્યારે ક્રમબદ્ધ પર્યાયની સાચી શ્રદ્ધા થશે?
ઉ. હા વાત તે એમ જ છે. ૧૭૫૯ પ્ર. જે બધું ય ક્રમબદ્ધ જ છે તો પછી જ્યારે અમારી કમબદ્ધ પર્યાયમાં
ક્રમબદ્ધને નિર્ણય થવાને હશે ત્યારે થઈ જશે. માની લો કે ક્રમબદ્ધને નિર્ણય અથવા મોક્ષ માર્ગને આશ્રય અથવા ધર્મને નિશ્ચયથી સ્વીકાર કરવામાં અનંત ભવ બાકી છે. તે અત્યારે
કેવી રીતે પરિણમી શકે ? ઉ. આ વાત કેના આશ્રયે કહો છો ? શું તમને ક્રમબદ્ધને નિર્ણય.
થઈ ગયું છે? ના, તે પછી તે કહેવાને તમને અધિકાર નથી. જેને કમબદ્ધને નિર્ણય થઈ જાય છે, તેને એ પ્રશ્ન જ ઊઠતા નથી. ક્રમબદ્ધની શ્રદ્ધાવાળાને અનંત ભવ જ નથી હોતા. ક્રમબદ્ધની શ્રદ્ધા તે ભાવને અભાવ કરનારી છે. જેના અનંત ભવ બાકી હોય તેની સમજણમાં ક્રમબદ્ધ આવી જ શકતી નથી, કેમકે તેની દષ્ટિ જ્ઞાયક સમુખ હોતી નથી અને જ્ઞાયક સન્મુખ દષ્ટિ થયા. વિના ક્રમબદ્ધ પર્યાય સમજવામાં આવતી નથી.
એકમેક સૌ મનુષ્યને જાણે ગરજ જરૂર; મહાસાગરની મેઘને, મેઘ વિશ્વનું નૂર
Page #578
--------------------------------------------------------------------------
________________
પપ૬
ક્રમબદ્ધ પર્યાયને નિર્ણય થતાં નિર્મળ પર્યાય મારું કર્મ અને હું તેને કર્તા-એ વાત નથી રહેતી. પર્યાય પોતાના સમયે થશે જ એવી શ્રદ્ધા હોવાથી તેને કરવાની કોઈ વ્યાકુળતા રહેતી નથીઆ પ્રકારની નિઃશંકતા પ્રગટ થઈ જાય છે.
ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધામાં કર્તાપણાની બુદ્ધિ ઊડી જાય છે અને જ્ઞાતાપણાની બુદ્ધિ પ્રગટ થઈ જાય છે–એ તેનું ફળ છે.
૧૭૬૦ પ્ર. કમબદ્ધ પર્યાય સિદ્ધ કરવામાં સર્વજ્ઞતાનો આશ્રય શા માટે લે
પડે છે. સીધી જ સમજાવો ને ? ઉ. સીધી સમજવામાં ન આવી શકે તે સર્વજ્ઞતાને આશ્રય લે
જોઈએ, કેમ કે સર્વજ્ઞતાના આધારે સમજવામાં સરળતા રહે છે.
૧૭૬૧ પ્ર. સર્વજ્ઞતાના આધારે સમજવામાં સરળતા કેવી રીતે રહે છે ?
ઉ. સર્વજ્ઞ ભગવાન ત્રણ લેકનાં સમસ્ત દ્રવ્યો અને તેમની ત્રિકાળવત
સમસ્ત પર્યાયને એકી સાથે જાણે છે. ભૂતકાળ અને વર્તમાન પર્યાયોની સાથે સાથે તેઓ ભવિષ્યની પર્યાયે જે સમયે જેવી થવાની છે તેને સર્વજ્ઞ અત્યારે જ જાણે છે. (ભવિષ્યમાં જે બનવાનું છે તે જે પહેલેથી નિશ્ચિત ન હોય તે કેવળી તેને કેવી રીતે જાણી શકે ? તે નિશ્ચિત છે તેથી જ કેવળ ભવિષ્યની સ્થિતિ સંપૂર્ણ પણે નિશ્ચિયથી જાણે છે.)
ગ્યાતારૂપ જાણે છે
૧૭૬૨ પ્ર. કેવળી ભગવાન ભૂતભવિષ્યની પર્યાને દ્રવ્યમાં
કે તે પર્યાને વર્તમાનવત્ પ્રત્યક્ષ જાણે છે ?
ઉ. પ્રત્યેક પદાર્થની ભૂત અને ભવિષ્યકાળની પર્યાયે વર્તમાનમાં
અવિદ્યમાન અપ્રગટ હોવા છતાં પણ સર્વજ્ઞ ભગવાન તેમને વર્તમાનવત્ પ્રત્યક્ષ જાણે છે. અનંતકાળ પહેલાં થઈ ગયેલી ભૂતકાળની પર્યા અને અનંતકાળ પછી થનારી ભવિષ્યની પર્યાયે અવિદ્યમાન હોવા છતાં પણ કેવળજ્ઞાન વર્તમાનની જેમ પ્રત્યક્ષ જાણે છે.
જીવ જ પિતાને કરે જન્મ તથા નિર્વાણ તેથી નિજ ગુરુ નિશ્ચયે જીવ જ, અન્ય ન જાણું
Page #579
--------------------------------------------------------------------------
________________
પપ૭
૧૭૬૩ પ્ર. ક્રમબદ્ધ માનવાથી શું ઘણી ગરબડ ઊભી નહિ થાય ?
ઉ. ગરબડ તો ક્રમબદ્ધ ન માનવાથી થાય છે. ક્રમબદ્ધ માનવાથી તે.
બધી ગરબડ ઊડી જાય છે. વસ્તુમાં તે ક્યાંય ગરબડ છે જ નહીં, તે તે પૂર્ણ વ્યવસ્થિત છે.
૧૭૬૪ પ્ર. જો અમારા કરવાથી કાંઈ થતું જ નથી તે પછી કોઈ કાર્ય શા
માટે કરે ? જે કઈ બનાવશે જ નહિ તે ખેતી કોણ કરશે ?
કારખાનાં કેવી રીતે ચાલશે ? બધી વ્યવસ્થામાં જ ગરબડ થઈ જશે.. ઉ. કોણ ખેતી કરે છે, કોણ કારખાનાં ચલાવે છે? અજ્ઞાની ખેતી.
કરવાનું અને કારખાનાં ચલાવવાનું અભિમાન કરે છે. કોઈ કોઈને કરતું કે ચલાવતું નથી. જ્યાં એક દ્રવ્યને બોજા દ્રવ્યમાં અત્યંત અભાવ છે ત્યાં એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં શું કરી શકે ?
૧૭૬૫ પ્ર. જો કેઈના કરવાથી કાંઈ થતું જ નથી તે લકે પુરુષાર્થ નહિ કરે.
અને આળસુ થઈ જશે તેનું શું ? ઉ. ક્રમબદ્ધ પર્યાયના નિર્ણયમાં જ સાચો પુરુષાર્થ છે, કેમ કે
ક્રમબદ્ધને નિર્ણય કરવામાં જ્ઞાયકસ્વભાવ ઉપર દષ્ટિ જાય છે. પિતાની મતિમાં ક્રમબદ્ધની વ્યવસ્થાને વ્યવસ્થિત કરવી તે જ
સાચે પુરુષાર્થ છે. તે ૧૭૬૬ પ્ર. પર્યાય તો વ્યવસ્થિત જ થવાની છે અર્થાત પુરુષાર્થની પર્યાય તે
જ્યારે તેને પ્રગટ થવાને કાળ આવશે ત્યારે જ પ્રગટ થશે એવી સ્થિતિમાં હવે કરવાનું શું રહી ગયું ? ઉ. પર્યાયના ક્રમ ઉપર દષ્ટિ ન કરતાં, ક્રમસર પર્યાય જેમાંથી પ્રગટ
થાય છે એવા દ્રવ્ય સામાન્ય ઉપર જ દૃષ્ટિ કરવાની છે, કેમ કે તેના ઉપર દૃષ્ટિ કરવામાં અનંત પુરુષાર્થ આવી જાય છે. ક્રમબદ્ધના સિદ્ધાંતથી અકર્તાપણું સિદ્ધ થાય છે, ક્રમ સમક્ષ જોવાનું નથી.
જે જીવિતવ્યમાં ક્ષણિપણું છે. તે જીવિતવ્યમાં જ્ઞાનીએએ નિત્યપણું પ્રાપ્ત કર્યું છે, એ અચરજની વાત છે,
Page #580
--------------------------------------------------------------------------
________________
૫૫૮
૧૭૬ ૭ પ્ર. ક્રમબદ્ધમાં કરવાનું શું આવ્યું ?
ઉ. કરવાનું છે જ ક્યાં? (કાંઈપણું ન કરવું–તે કરવાનું છે.) કરવામાં
તે કર્તુત્વબુદ્ધિ આવે છે. કરવાની બુદ્ધિ છૂટી જાય એ ક્રમબદ્ધ છે. ક્રમબદ્ધમાં કર્તુત્વબુદ્ધિ છૂટી જાય છે. પરમાં તે કાંઈ કરી શકતો જ નથી. પિતાનામાં પણ જે થવાનું છે તે જ થાય છે અર્થાત્ પિતાનામાં પણ જે રોગ થવાને છે તે થાય છે, તેનું શું કરવું? રાગમાં પણ કફ્તત્વબુદ્ધિ છૂટી ગઈ, ભેદ અને પર્યાયથી પણ દષ્ટિ હઠી ગઈ, ત્યારે ક્રમબદ્ધની પ્રતીતિ થઈ. ક્રમબદ્ધની પ્રતીતિમાં તે જ્ઞાતાદષ્ટ થઈ ગયે, નિર્મળ પર્યાય કરું એવી બુદ્ધિ પણ છૂટી ગઈ, રાગ કરું એ વાત તે દૂર રહી ગઈ. અરે! જ્ઞાન કરું એ બુદ્ધિ પણ છૂટી જાય છે, કર્તૃત્વબુદ્ધિ પણ છૂટી જાય છે અને એકલું જ્ઞાન રહી જાય છે. રાગ કરો અને રાગ છેડો એ પણ આત્મામાં નથી. આત્મા તે એક જ્ઞાનસ્વરૂપ છે. અકર્તાપણું આવી જવું
તે જ મોક્ષ માર્ગને પુરુષાર્થ છે. ૧૭૬૮ પ્ર. ક્રમબદ્ધ પર્યાયની વાતથી શું સિદ્ધ થાય છે ?
ઉ. ક્રમબદ્ધના સિદ્ધાંતથી મૂળ તે અકર્તાપણું સિદ્ધ થાય છે. જૈનદર્શન
અકર્તાવાદી છે. આત્મા પરદ્રવ્યને તે કર્તા છે જ નહિ, રાગને પણ કર્તા નથી અને પર્યાયને પણ કર્તા નથી. પર્યાય પોતાની જ જન્મક્ષણમાં પોતાના જ છ કારકથી સ્વતંત્રપણે જ થવા યોગ્ય હોય તે જ થાય છે. ક્રમબદ્ધ પર્યાયને નિર્ણય કરવા જતાં શુદ્ધ ચૈિતન્ય જ્ઞાયકધાતુ સ્વભાવ સમ્મુખ દષ્ટિ જાય છે અને તેમાં અનન્ત પુરુષાર્થ સમાયેલું છે.
ક્રમબદ્ધના નિર્ણયનું તાત્પર્ય વીતરાગતા અને આ વીતરાગતા પર્યાયમાં ત્યારે જ પ્રગટ થાય છે કે જ્યારે વીતરાગ સ્વભાવ ઉપર દષ્ટિ જાય છે. સમયસાર ગાથા ૩૨૦માં કહ્યું છે કે જ્ઞાન બંધમોક્ષને કર્તા નથી, પરંતુ જાણે જ છે. મેક્ષને જાણે છે એમ કહ્યું
મૂખ તો તે કે જે પોતાના આત્માને છેતરીને એમ માને કે હું જગતને છેતરું છું,
Page #581
--------------------------------------------------------------------------
________________
પપ૯
મેક્ષને કરે છે એમ નથી કહ્યું. પોતાનામાં થનારી ક્રમબદ્ધ પર્યાયને
ર્તા છે એમ નહિ, પરંતુ જાણે છે–એમ કહ્યું. ક્રમબદ્ધ જૈન દર્શનનું મસ્તક છે, જૈનદર્શનની આંખ છે, વસ્તુ સ્વભાવની મર્યાદા છે. એ સમજવું અને નિસંદેહ થવું એ ઘણી અલૌકિક વાત છે.
૧૭૬૯ પ્ર. બધા ગુણનું કાર્ય વ્યવસ્થિત જ છે તે પછી પુરુષાર્થ કરવાનું
પણ રહેતું નથી ને ?
ઉ. જેને ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધામાં પુરુષાર્થ ભાસતા નથી, તેને વ્યવ
સ્થિતપણું બેઠું જ નથી.
૧૭૭૦ પ્ર. તેને વ્યવસ્થિતપણાનું શ્રદ્ધાન ન થયું તે તેનું પરિણમન પણ
વ્યવસ્થિત જ છે. તે વ્યવસ્થિતપણાને નિર્ણય ન કરી શકે એ વાત પણ વ્યવસ્થિત છે. એવી દશામાં નિર્ણય કરવાનું કથન
કરવું શું વ્યર્થ નથી. ઉ. તેનું પરિણમન વ્યવસ્થિત જ છે એવી તેને ખબર નથી. પરિણ
મન વ્યવસ્થિત છે એવું સર્વરે કહ્યું છે, પરંતુ તેને સર્વાને નિર્ણય જ ક્યાં છે? પ્રથમ તે સર્વને નિર્ણય તે કરે, પછી તેને વ્યવસ્થિતની ખબર પડે.
૧૭૭૧ પ્ર. વ્યવસ્થિત પરિણમનશીલ વસ્તુ છે, આ પ્રકારના ભગવાનના
કથનની શ્રદ્ધા તેને છે ?
ઉ. ના, સર્વજ્ઞ ભગવાનને સાચે નિર્ણય તેને ક્યાં છે ? પહેલાં
સર્વને નિશ્ચય થયા વિના વ્યવસ્થિતને નિર્ણય કયાંથી આવે ? માત્ર જ્ઞાનીની વાત સાંભળી સાંભળીને તેવું જ કહે તે એનાથી કામ ન ચાલે, પ્રથમ સર્વને નિર્ણય તે કરે. દ્રવ્યને નિર્ણય કર્યા વિના સર્વને નિર્ણય વાસ્તવમાં થઈ શકતો નથી.
જે જ્ઞાન ચારિત્રહીન, દીક્ષા ગ્રહણ દશન વિહીન જે; તપશ્ચરણ જે સંયમ રહિત, તે બધુંય નિરર્થક છે.
Page #582
--------------------------------------------------------------------------
________________
૨૫
મૃત્યુ
૧૭૭ર પ્ર. શાસ્ત્રમાં કેટલા પ્રકારનાં મૃત્યુ કહ્યાં છે ?
ઉ. પાંચ ઈન્દ્રિ, ત્રણ બળ (મબળ, વચનબળ, કાયાબળ શ્વાસોચ્છવાસ
અને આયુષ્ય આ દશ પ્રાણના નાશને મરણ કહે છે. અષ્ટપાહુડ ગ્રંથના પાંચમા ભાવ પાહુડમાં ગાથા ૩રમાં ૧૭ પ્રકારનાં મૃત્યુનું કથન છે. શ્રી ભગવતી સૂત્ર શ. ૧૩ ઉ. ૭ના અધિકારમાં અવિચિક મરણના ૨૦, અવધિમરણના ૨૦, આત્યંતિક મરણના ૨૦, બાલમરણના
૧૨, પંડિત ભરણના ૨ ભેદ એમ કુલ મળી ૭૪ ભેદ કહ્યા છે. ૧૭૭૩ પ્ર. “અવિચિય મૃત્યુ” એટલે શું ? ઉ. ઉત્પન્ન થયા પછી પ્રતિસમય આયુષ્ય કમતી થતું જાય છે તે.
અવિચિય મૃત્યુ.” ૧૭૭૪ પ્ર. “બાલમૃત્યુ” કોને કહેવાય ?
ઉ. બાળમરણના બાર ભેદ છે. જેવા કે, તરફડિયાં ખાતાં મરવું, પરાધીન
પૂર્વક રિબાઈને મરવું, ગીધ વગેરે શરીરને ફાડી ખાય એ રીતે મરવું, ફાંસો ખાઈને, ઝેરથી, શસ્ત્રથી, અગ્નિથી, પાણીથી, પહાડથી, ઝાડથી પડીને ઈત્યાદિ પ્રકારથી મરવું અથવા ઉપર પ્રમાણે આત્મઘાત. કરી મરે, તથા જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના રહિત અજ્ઞાનતાથી
મૃત્યુ પામે તે “બાલમૃત્યુ.” ૧૭૭૫ પ્ર. “પંડિતમૃત્યુ” ક્યારે કહેવાય ?
ઉ. સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યચ્ચારિત્ર સહિત સમાધિભાવથી આયુષ્ય
પૂર્ણ થાય તે “પંડિત મૃત્યુ.' પંડિત ભરણના બે પ્રકાર આ પ્રમાણે છે. પાદપિગમન ઝાડની પેઠે સ્થિર રહીને આહારત્યાગપૂર્વક મરવું, અને ભક્ત પ્રત્યાખ્યાન – હાલવા ચાલવાની છૂટ સાથે ખાનપાનના ત્યાગપૂર્વક મરવું.
Page #583
--------------------------------------------------------------------------
________________
પા
અખંડ આત્મ–ઉપયોગે મરણ ન થાય. જીવ જ્યારે સાતમે, આઠમે, નવમે, દશમે કે ખારમે ગુણસ્થાનકે સ્વરૂપમાં અખંડ ઉપયાગમાં સ્થિર થાય ત્યારે તેનું મરણ ન થાય. જ્યારે જીવ પાછે નીચેના ગુણસ્થાનકે (૭) આવતા હોય ત્યારે જ મરણ થાય છે. પ્ર. લડાઈમાં શહીદ થઈ મરણ પામે તેને કેવું મૃત્યુ કહેવાય ? ઉ. સંગ્રામમાં શૌય' ધારણ કરી મરણ પામે તે “ગૃપૃષ્ટ મૃત્યુ.” ૧૭૦૦ પ્ર. ઉપરાંત અજ્ઞાનીઓનાં મૃત્યુ કેવા પ્રકારનાં હોય છે ?
૧૭૭૬
૧૭૦૮
૧૭૦૯
૧૭૮૦
૧૭૮૧
૩૬
ઉ. માયા, નિયાણું અને મિથ્યાદર્શન શલ્ય એ ત્રણમાંથી કોઈપણ એક શલ્ય સહિત મૃત્યુ પામે તે “સરાધ્ય મૃત્યુ”. પ્રમાદને વશ થઈ તથા અત્યંત સ’૫–વિકલ્પ પરિણામેાથી પ્રાણુ મુક્ત થઈ જાય તે “પલાય મૃત્યુ”. ઈન્દ્રિયાને વશ પડી, ક્યાય, વેદના કે હાંસીને વરા પડીને મૃત્યુ પામે તે “વશાત મૃત્યુ.”
પ્ર. સચારા કર્યા પછી મૃત્યુ પામે તે મૃત્યુને શું કહેવું ? ઉ. યથાવિધિ ત્રણે આહારનાં યાવજ્જીવ પચ્ચક્ખાણ કરી મૃત્યુ પામે તે “ભક્ત પ્રત્યાખ્યાન મૃત્યુ ''
કરાવતાં થકા
સચારા કર્યાં બાદ અન્યની પાસે સેવાચાકરી નહી મૃત્યુ પામે તે ઈંગિત મૃત્યુ.” કેવળજ્ઞાન થયા બાદ દેહેલ્સગ થાય તે “કેવળી મૃત્યુ.” પ્ર, સમાધિ મરણુ અથવા સન્યાસ મરણ કોને કહે છે ? ઉ. સમાધિને અ* મન સમાધાન અર્થાત્ સમતા અને મરણ એટલે દેહના સહજ ત્યાગ. સમ્યગ્દર્શન આત્મજ્ઞાનાદિને મૃત્યુ સમયે ભવાંતરમાં સાથે લઈ જવાં તેને સમાધિમરણ કહે છે. જો કરોડ પૂર્વ પત તપ કરનારને તપના ફળરૂપ સંન્યાસ ભરણુ પ્રાપ્ત ન થયુ તે તે નિષ્ફળ છે. સમાધિમરણુથી રત્નત્રયને અન્ય ભવમાં પણ સાથે લઈ જવામાં આવે છે. તેથી સદ્ગતિ સહિત અલ્પકાળમાં મેાક્ષની પ્રાપ્તિ થાય છે. આવા મરણ માટે યોગ્ય પૂર્વતૈયારી જોઈએ. પ્ર. સમાધિમરણ કોને થાય ?
ઉ. સાચું સમાધિમરણ માત્ર જ્ઞાની પુરુષને જ થઈ શકે છે. પ્ર. ાઈ જ્ઞાની મરણુને સમયે એ શુદ્ધ થઈ જાય અથવા બકવાસ કરવા લાગે તો પણ તેને સમાધિમરણ થાય ?
વિધિએ વિજ્ગ્યા ઠાઠ આ, ભૂલી ભાન હરેક વિષધરને મણિ આપિયા, બુધને દિનતા છેક.
Page #584
--------------------------------------------------------------------------
________________
૫૬૨
ઉ. જ્ઞાનીને કદાચિત ઈન્દ્રિય-નિમિત્તિક જ્ઞાનમાં છેડો ફેરફાર થઈ જાય,
તેથી તેને છેડે ઉન્માદ, બેભાનપણું અથવા બકવાસ થાય, તે પણ અંતરમાં જ્ઞાનધારા સતત વતતી હોવાથી સમાધિ જ છે. સમાધિશતકમાં કહ્યું છે કે ભેદજ્ઞાનીનો અંતર આત્મા નિંદ્રાઅવસ્થામાં અથવા ઉન્મત્ત અવસ્થામાં પણ કર્મબંધથી મુક્ત હોય છે, અને વિશિષ્ટરૂપથી
કર્મોની નિર્જરા કરે છે. ૧૭૮૨ પ્ર. મુમુક્ષુને પ્રભુસ્મરણપૂર્વક જે મરણ થાય તે સમાધિમરણ છે કે નહિ ?
ઉ. તેવા મૃત્યુને સુગતિમરણ કહે છે. તે મુમુક્ષુ સાધનાના સંસ્કાર સાથે | લઈ જાય છે, પણ આત્મજ્ઞાનાદિ પ્રગટયાં નથી તો તેને અન્ય ભવમાં
કેવી રીતે સાથે લઈ જાય ? તેથી તેને સમાધિમરણ ન કહેવાય. ૧૭૮૩ પ્ર. સંક્ષિપ્તમાં મરણના મુખ્ય મુખ્ય કેટલા કેટલા પ્રકાર કહી શકાય ?
ઉ. સત્તર પ્રકારના ભરણે સંક્ષિપ્તમાં મુખ્ય પાંચ પ્રકારે ગણાવી શકાય.
૬. પંડિત–પંડિત ભરણ :- પરમાત્મા (અરિહંત)ને હોય છે. ૨. પંડિત મરણ :- આત્મજ્ઞાન સહિત સંયમ હોય તેને પ્રાપ્ત થાય. ૩. બાળપંડિત મરણ :- જ્ઞાની પણ સંયમી ન હોય તેવા સમ્ય.
દષ્ટિને પ્રાપ્ત થાય છે.
આ ત્રણ સમાધિમરણના પ્રકાર છે. ૪. બાળમરણ :- પુરુષની તથા તત્ત્વની વ્યવહારિક શ્રદ્ધા કરે પણ
પરમાર્થિક શ્રદ્ધા ન કરે અને તત્ત્વનું ભાવભાસન ન થયું હોય અને ઓધસંજ્ઞાએ કે લોકસંજ્ઞાએ આરાધના કર્યા કરે તેવા
પુરુષને આવું બાળમરણ થાય. ૫. બાળ બાળ મરણ :- પરમાર્થથી સર્વથા વિમુખ એવા જગતના
ધર્મ રહિત છને આવું મરણ હોય. ૧૭૮૪ પ્ર. સંથાર એટલે શું ?
ઉ. મૃત્યુના બિછાનામાં છેલ્લી વખતનું શયન કરવા સજજ બને. ૧૭૮૫ પ્ર. સગારી સંથારો કોને કહે છે ?
ઉ. મૃત્યુનો ભરોસો નથી. કેઈ વખતે અણચિંતવ્યું મૃત્યુ થતાં આત્મા
ખાલી હાથે પરભવમાં ચાલ્યો જાય એવો ડર લાવીને ધર્માત્મા સદૈવ સૂતી વખતે ઈવર (અલ્પ) કાળને માટે અર્થાત જાગ્રત થતાં સુધીમાં
જે કામ જેનું હશે, તેહ તેજ કરનાર, નખ ઉતારે નેણ, કતલ કરે તલવાર,
Page #585
--------------------------------------------------------------------------
________________
પ૬૩
અને કદાચ નિંદ્રામાં જ મૃત્યુ થઈ જાય તે ચાવજજીવનનાં પ્રત્યાખ્યાન કરી લે છે તેને સમારી સંથારે કહે છે. “આહાર શરીરને ઉપાધિ, પચ્ચક્ખું પાપ અઢાર,
ભરણુ હોય તે સિરે, જીવું તે અગાર.” ૭૮૬ પ્ર. સંલેખના કોને કહે છે ?
ઉ. સંલ્લેખના એટલે સતલેખના. અર્થાત સત, ધ્રુવ સ્વભાવે આત્માને
દેખ. પિતાને અંત સમય નિકટ જણે ત્યારે ચાર આરાધનાનું શરણ ગ્રહણ કરી સમસ્ત દેહ, કુટુંબ, ઘર આદિ ઉપરથી મમતા તજી, અનુક્રમે આહાર આદિનો ત્યાગ કરી પોતાના ધર્મના રક્ષણાથે જે શરીરાદિને ત્યાગ કરે છે તેને સંલેખના તપ કહ્યો છે. (૧) ક્રોધાદિ કષાયને ક્ષીણ કરવા તે અત્યંતર સંલેખણ, અને (૨) શરીરને પરિત્યાગ કરવો તે બાહ્ય સંલેખણું, એમ બે પ્રકારની
લેખણું હોય છે. . ધર્મ સધાતો (અથવા સાધી શકાય તેમ હોય છતાં આહારને ત્યાગ કરીને ભરણ કરે છે, તે ધર્મથી વિમુખ થાય છે. ત્યાગ, તપ, વ્રત, શીલ, સંયમ આદિ વડે મોક્ષનું સાધન જે મનુષ્ય ભવ તેથી કંટાળી, દીર્ઘ આયુષ્ય હોવા છતાં, ધર્મનું સેવન બનતું (અથવા બની શકે તેમ) હોવા છતાં, આહાર આદિને ત્યાગ કરે તે આત્મઘાતી થાય છે. પણ અવશ્ય ભરણનાં કારણે પ્રગટ દેખાય અથવા જ્યારે ધર્મ રહે એમ જણાતું ન હોય, ત્યારે મમત્વ તજીને, અવશ્ય જે નાશ પામનાર
છે, તેને તજતાં મમતા ધરવી નહિ. (જુઓ પ્રશ્ન ૧૦૫૦) ૧૭૮૭ પ્ર. સલ્લેખનાના પાંચ અતિચાર સમજા. ઉ. (1) જીવિત આશંસા : વધારે જીવતા રહેવાની ઈચ્છા કરવી.
લેખના કરીને જે જીવવાની ઈચ્છા કરે કે બે દિવસ જિવાય તો
ઠીક તે જીવિત–આશંસા અતિચાર છે. | (૨) મરણશંસા : જલદી ભરવાની ઇચ્છા કરવી.
મરવાની ઈચ્છા કરે કે હવે તે મરણ આવે તે ઠીક થાય તે
મરણ–આશંસા નામે બીજે અતિચાર છે. (૩) મિત્રાનુરાગ : લૌકિક મિત્રો સાથે સાંસારિક રાગ બતાવ.
ભય રાખ કે મરણ વખતે કેવુંય દુઃખ આવશે, કેવી રીતે સહન
થશે ? તે ભય નામનો ત્રીજો અતિચાર છે. નીતિ સાથે નમ્રતા, રાતે સાથે રામ; પ્રીતિ સાથે પુણ્ય તે, હરેક પૂરે હામ,
'
Page #586
--------------------------------------------------------------------------
________________
૫૬૪
(૪) સુખાનુબંધ : ભગવેલાં ઈન્દ્રિયસુખને યાદ કરવાં.
પોતાનાં સ્વજન પુત્ર-પુત્રી, મિત્ર આદિને યાદ કરવાં તે મિત્રા
સ્કૃતિને નામે ચે અતિચાર છે. (૫) નિદાન : ભવિષ્યમાં વિષયભેગ મળે એવી ઈચ્છા કરવી.
ભવિષ્યના ભવમાં વિષયગ, દેવલેક આદિની વાંછા કરવી તે.
નિદાન નામનો પાંચમે અતિચાર છે. ૧૭૮૮ પ્ર. ભાવમરણ કોને કહ્યું છે ?
ઉ. ઉપગની મલિનતા એ ભરણ. વૃત્તિ પરભાવમાં રાચે એ જ ભાવમરણ
આ મૂખ છવ સમયે સમયે પિતાને ઉપગ મલિન થાય તેવાં જ પરિણામ કરી રહ્યો છે. અને તેમ કરી ખુશી થાય છે. આવાં ભાવમરણને પિતાનું જીવન માને છે. આ ભયંકર ઘેલછા નહિ તે.
બીજુ શું ? ૧૭૮૯ પ્ર મૃત્યુ આદિ ખેદજનક પ્રસંગમાં વિચારવાન પુરુષો કયા પ્રકારે ખેદને
સમાવે છે ? ઉ. આ સંસારમાં મનુષ્ય પ્રાણીને જે ખેદના અકથ્ય પ્રસંગે પ્રાપ્ત થાય
છે તે અકથ્ય પ્રસંગેમને એક મૃત્યુ માટે ખેદકારક પ્રસંગ છે. તે પ્રસંગમાં યથાર્થ વિચારવાન પુરુષો સિવાય સર્વ પ્રાણી ખેદ વિશેષને પ્રાપ્ત થાય છે, અને યથાર્થ વિચારવાન પુરુષોને વૈરાગ્ય વિશેષ થાય છે. સંસારનું અશરણપણું અને અસારપણું વિશેષ દૃઢ થાય છે. વિચારવાન પુરુષોને તે ખેદકારક પ્રસંગને મૂછંભાવે ખેદ ફરો તે માત્ર કર્મબંધનો હેતુ ભાસે છે, અને વૈરાગ્યરૂપ ખેદથી કમસંગની
નિવૃત્તિ ભાસે છે, અને તે સત્ય છે. ૧૭૯૦ પ્ર. ભરણુવેળાએ કેવી ભાવના ભાવવી ?
ઉ. પરમયોગી એવા શ્રીષભદેવાદિ પુરુષ પણ જે દેહને રાખી શક્યા
નથી, તે દેહને સંબંધ વ ત્યાં સુધી જીવે અસંગપણું, નિર્મોહપણું કરી લઈ, આત્મા અબાધ્ય અનુભવસ્વરૂપ જાણી, બીજા સર્વ ભાવ પ્રત્યેથી વ્યાવ્રત્ત (ટા) થવું, કે જેથી ફરી જન્મમરણનો ફેરો ન રહે. તે દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગપણું, નિર્મોહપણું, યથાર્થ સમરસપણું રહે છે તેટલું મોક્ષપદ નજીક છે, એમ પરમજ્ઞાની પુરુષને
નિશ્ચય છે. ૧૭૯૧ પ્ર. મરણવેળાએ શ્રવણ યોગ્ય વચને કહો ? ઉ. ૦ હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈ પણ મારાં
નથી. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું. દેહને
Page #587
--------------------------------------------------------------------------
________________
૫૬૫
પ્રત્યે જેવો વસ્ત્રને સંબંધ છે, તે આત્મા પ્રત્યે દેહને સંબંધ છે. મ્યાન પ્રત્યે તલવારને જે સંબંધ છે તે દેહ
પ્રત્યે આત્માને સંબંધ છે. ૦ સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું. એક કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ,
પરમોત્કૃષ્ટ અચિંત્ય સુખ સ્વરૂપ, માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું. ત્યાં વિક્ષેપ છે ? વિકલ્પ છે ? ભય છે ? ખેદ છે ? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ શુદ્ધ, પ્રકૃષ્ણ શુદ્ધ પરમશાંત ચૈતન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ છું. હું નિજસ્વરૂપમાં ઉપયોગ કરું છું. તન્મય
થાઉં છું. શાંતિ : શાંતિ: શાંતિ : ૦ આતમભાવના ભાવતાં, જીવ લહે કેવળજ્ઞાન રે. ૧૦ હું એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું.
અસંખ્ય પ્રદેશાત્મક નિજ અવગાહના પ્રમાણુ છું. અજન્મ, અજર, અમર, શાશ્વત છું. સ્વપર્યાય પરિણામી સમયાત્મ છું. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ માત્ર નિર્વિકલ્પ દષ્ટા છું. છે હું સચ્ચિદાનંદ પરમાત્મા છું. 9 જેમ મેળામાં ભેળા થયેલા લેકે મેળા વીખરવાની ફિકર કરતા નથી
તેવી જ રીતે હું (ચૈતન્ય) પણ પ્રેક્ષક છું મને પણ આ શરીર
પર્યાય છૂટવાની ફિકર કરવી તે ઉચિત નથી. -૦ જગતને કર્તા હર્તા કોઈ નથી. સવ સંગ સ્વભાવથી જ મળે
છે અને સ્વભાવથી વીખરાય છે. તેવી જ રીતે આ શરીરનો સંગ પણ સ્વભાવથી જ મળે છે અને સ્વભાવથી જ વિખરાશે. મારો રાખે રહેશે નહિ, અને વિખેર્યો વિખરાશે નહિ, તે પછી તેના વિયોગની ફિકર મારે શા માટે કરવી જોઈએ ? થવાનું હશે
તે થયા કરશે. ૦ હું ચૈતન્ય જ્ઞાયક સ્વભાવને કર્તા, ભોક્તા, અનુભવી અને જ્ઞાનમય
છું. મારો જ્ઞાયક સ્વભાવ અવિનાશી છે અને આ શરીર નાશવંત છે. શારીરને નાશ થવા છતાં પણ મારા સ્વભાવનો નાશ થતો નથી. માટે મારા શરીરની ચિંતા કરવી અનુચિત છે. ૦ વિચાર કર કે આ શરીર કેનું કોનું છે ? તત્ત્વદષ્ટિથી જોતાં તે કેઈનું નથી. કારણ કે તેને રોકવા કોઈપણ સમર્થ નથી. માટે કુટુંબ સંબંધીઓના ભમ:વભાવને પરિત્યાગ
-
Page #588
--------------------------------------------------------------------------
________________
પ૬૬
કર. અળગે થઈ નિશ્ચયાત્મક બન કે તું સચ્ચિદાનંદ છે. એટલા
માટે હવે નિજ સ્વભાવમાં રમણ કરવું તે જ મને શ્રેયસ્કર છે. છે જે જીવે છે તે મરતો નથી અને જે મરે છે તે સદા જીવિત રહેતું નથી, અર્થાત આત્મા અવિનાશી છે અને શરીર વિનાશી છે. તેથી મૃત્યુ માત્ર શરીરને ગ્રાસ કરી શકે છે, નહિ કે આત્માને.
જ્યારથી શરીર ઉત્પન્ન થયું છે ત્યારથી ક્ષણે ક્ષણે તે ક્ષીણ થઈ રહ્યું છે. પરંતુ હું તે જે હતો તે જ છું અને હોઈશ.. મૃત્યુ મને પ્રાપ્ત થયું નથી, થતું નથી, થશે નહિ; આવો નિશ્ચય જે મને સમ્યજ્ઞાન દ્વારા થઈ ચૂક્યું છે તેને મૃત્યુને ભય કદાપિ. હોતે જ નથી. ૦ ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં જેઓએ ઉત્તમ એવાં સ્વર્ગ અને મોક્ષનાં સુખ પ્રાપ્ત કર્યા છે, કરે છે અને કરશે તે બધે સમાધિ. મરણને જ પ્રતાપ છે એમ જાણવું જોઈએ. કેમકે સમાધિમરણ સિવાય સ્વર્ગ મોક્ષનાં સુખ પ્રાપ્ત થતાં નથી. માટે હે સુખાથી
આત્મન ! તારે પણ સમાધિમરણ કરવું ઉચિત છે. ૦ રે જીવ ! જે આ રોગના ઉદયથી તું ગભરાતો હોય, તે તું હવે બાહ્યોપચારનો પ્રતિત્યાગ કરી દે. કેમકે આ રોગ કર્માધીન છે, પરં તુ સર્વ રોગોના અને તેની અચૂક ચિકિત્સાના જ્ઞાતા શ્રી. જિનેન્દ્ર ભગવાનરૂપ પરમવૈદ્યની બતાવેલી પરમૌષધિ સમાધિ મૃત્યુરૂપી છે. તેનું સાચા દિલથી સેવન કર કે જેથી આધિ, વ્યાધિ. ઉપાધિરૂપ સર્વ દુઃખે સમૂળ નાશ પામી અનંત, અક્ષય, અજરામર,
અવ્યાબાધ મોલનાં સુખ પ્રાપ્ત થઈ શકે છે. • જેવી રીતે ગજસુકુમારજીના મસ્તક ઉપર સોમિલ બ્રાહ્મણે અંગારા
ભર્યા તેની મહાવેદના સહી. સ્કંદજીને શરીરની સવ ચામડી તેમના. બનેવીના અનુચરોએ ઉતારી લીધી તેની મહાદના તેઓ એ સમભાવે વેઠી. (આ સ્કંદજી મહાવીર સ્વામીના સમયમાં થયા) સ્કંદજીના ૫૦૦ શિષ્યોને પાલક પ્રધાને ઘાણીમાં પીલ્યા તેની મહાવેના સહી.. (આ સ્કંદજી શ્રી મુનિસુવ્રત સ્વામીના વખતમાં થયા) ઈત્યાદિ મહાપુરુષોએ તીવ્ર વેદનાના ઉદય સમયે સમભાવ રાખે તે તેમણે તત્કાલ મુક્તિ પ્રાપ્ત કરી લીધી. તેવી જ રીતે તું પણ સમભાવ રાખીશ તે તારું પણ શીધ્ર આત્મકલ્યાણ થઈ જશે તેમાં સંશય નથી.. 0 કમને બદલે દેવાને સમયે તું સમર્થ થઈને મોટું શા માટે છુપાવે.
છે ? વ્યાજ શા માટે વધારે છે ? સધળાં દેવાંને શીધ્ર ચૂકાદે.
Page #589
--------------------------------------------------------------------------
________________
૫૬૭
કરી ફારગ થઈ જવું જ સારુ છે, કે જેથી આગળ કોઈ હરકત કરે નહિ, સીધા મેક્ષમાં ચાલ્યા જવાય.
O
દેહ હું નથી, હું તો દેહથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ આત્મા છું, હું જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા છું, રાગાદિ વિકાર તે ચૈતન્યથી ભિન્ન છે, શરીરાદિ જડ તદ્દન જુદાં છે.
• આત્મા પોતાના પરિણામમાં તે જ વખતે તેનાથી ભિન્ન આંતરલક્ષ કરી શકે છે કે હુ' તે! આનંદ છું, સિદ્ધ જેવા મારા સ્વભાવ છે, મારા ચૈતન્યવેદનમાં દુઃખના અભાવ છે.
d
ઉપયોગ જેનુ લક્ષણ છે તે જીવ છે—ઉપયોગ કહેા કે ચેતના કહા—ઉપયાગ વગરના જીવ કદી અનુભવમાં આવતા નથી. હું શાશ્વત જ્ઞાન—દન લક્ષણ આત્મા .... ઉપયાગના (ચેતનાના) અભાવમાં આમાના અભાવ હોય છે. તે આત્મા સદાય ઉપયાગ સ્વરૂપ હાય છે; આત્મા ઉપયોગ લક્ષણ વગરના કદી હોતા નથી. ઉપયાગ (ચેતના) તે જીવનુ સ`સ્વ છે. ઉપયોગ જીવનું જીવન છે. હું ધર્માં પામ્યા નથી, હુ' ધ` કેમ પામીશ ? એ આદિ ખેદ નહિ કરતાં વીતરાગ પુરુષોના ધર્માં જે દેહાદિથી હષ વિષાવૃત્તિ દૂર કરી આત્મા અસંગ–શુદ્ધ-ચૈતન્યસ્વરૂપ છે, એવી વૃત્તિને નિશ્ચય અને આશ્રય ગ્રહણ કરી તે જ વૃત્તિનું બળ રાખવુ, અને મદ વૃત્તિ થાય ત્યાં વીતરાગ પુરુષોની દશાનું સ્મરણ કરવું. તે અદ્ભુત ચારિત્ર પર દૃષ્ટિ પ્રેરીને વૃત્તિને અપ્રમત્ત કરવી, એ સુગમ અને સર્વોત્કૃષ્ટ ઉપકારક તથા કલ્યાણુસ્વરૂપ છે. નિવિકલ્પ.
૭
દેહ તે આત્મા નથી, આત્મા તે દેહ નથી, ઘડાને જોનાર જેમ ધડાદિથી ભિન્ન છે, તેમ દેહને જોનાર જાણનાર એવા આત્મા તે દેહથી ભિન્ન છે, અર્થાત્ દેહ નથી.
૦ દેહથી ભિન્ન સ્વપરપ્રકાશક પરમ જ્યોતિસ્વરૂપ એવા આ આત્મા, તેમાં નિમગ્ન થાઓ. હું આજના ! અ ંતર્મુખ થઈ, સ્થિર થઈ, તે આત્મામાં જ રહેા તા અનંત અપાર આનંદ્ર અનુભવશેા.
૭
૦ હું અકિંચન છું. મારા આત્મા સિવાય અન્ય કંઈ પણ મારું નથી. આત્મભાવનામાં તું નિરંતર નિમગ્ન રહે, કારણ કે એ જ ભાવનાના સતત ચિંતવનથી એ જ ૨ !!નુભવ અમૃત સરાવરમાં નિમગ્ન રહેવાથી—તું પરમ શાંત શીતળ સ્વાત્મસ્થ ત્રૈલોકયના સ્વામી પરમાત્મા થઈશ.
Page #590
--------------------------------------------------------------------------
________________
પ૬૮ ૦ અટળ અનુભવસ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જુદો ભાસ
ત્યાંથી મુક્તદશા વતે છે, તે પુરુષ મૌન થાય છે, તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે. તે પુરુષ અસંગ થાય છે, તે પુરુષ નિર્વિકલ્પ થાય છે અને તે પુરુષ મુક્ત થાય છે. ૦ જે દેહ પૂર યુવાવસ્થામાં અને સંપૂર્ણ આરોગ્યતામાં દેખાતાં છતાં
પણ ક્ષણભંગુર છે તે દેહમાં પ્રીતિ કરીને શું કરીએ ? ૦ જે પુરુષોએ વસ્ત્ર જેમ શરીરથી જુદું છે, એમ આત્માથી શરીર
જુદું છે એમ દીઠું છે, તે પુરુષો ધન્ય છે. ૦ હે આત્મા ! તું જાગીને જે ! માયાના ફંદામાં શા માટે ફસાણે છે ? તું ક્યાંથી આવ્યું છે અને ક્યાં ચાલ્યા જઈશ ! માયા તે અહીં જ પડી રહેવાની. વળી એ માયા-લક્ષ્મી સાથે તારે કાંઈ
જ સંબંધ નથી. ૦ હે જીવ ! કુટુંબીઓ વગેરેને તારી સાથે કોઈ સંબંધ નથી અને તારે એ બધાંથી કોઈ પ્રયોજન નથી. એ બધાં તે એના સ્વાર્થના કારણે પ્રેમ કરી રહ્યા છે. તેથી તું તારા આત્માભાવમાં મસ્ત
થઈ જા ! ૦ અહીંયાં દરેક જીવ પિતાનાં કર્મોનાં ફળને પિતે એકલે જ ભોગવે
છે. એવી સ્થિતિમાં અહીંયાં કોણ પોતીકું છે અને કોણ પરાયું છે? ૦ જ્ઞાન અને દર્શનથી યુક્ત મારો એકલે આત્મા જ શાશ્વત છે.
બાકી બીજું બધું એટલે કે શરીર તથા રાગાદિ ભાવ તે સંયોગ લક્ષણવાળાં છે. એટલે કે એ બધાંની સાથે ભારે સંબંધ સંયોગવશાત છે. એ મારાથી ભિન્ન છે. ૦ હે ભવ્ય ! તું તારા આત્માનું મોક્ષમાર્ગમાં સ્થાપન કર. એનું જ
ધ્યાન કર. એને જ અનુભવ કર તથા એનામાં જ વિહાર કર. બીજાં દ્રવ્યમાં વિહાર કરે છોડી દે.
Page #591
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧
ભેદ-સંગ્રહ
અનુપ્રેક્ષા : ૧૨. અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિ,
આસ્રવ, સંવર, નિર્જરા, લેક, બાધિદુર્લભ, ધર્મ. અનન્ત ચતુષ્ટય : ૪. અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંતસુખ, અનંતવીર્ય. અષ્ટગુણ : ૮. સમ્યકત્વ, કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંતવીર્ય, સૂક્ષ્મત્વ,
અવગાહનત્વ, અગુરુલઘુત્વ, અવ્યાબાધત્વ. ‘ઉપયોગ : ૨. જ્ઞાન, દર્શને. એકેન્દ્રિય : પ. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને વનસ્પતિકાયિક તેને સ્થાવર
કહેવાય છે. કમ : ૮. જ્ઞાનવરણુ, દર્શનાવરણ, વેદનીય, મેહનીય, આયુ, નામ, ગોત્ર, અંતરાય. ગુણસ્થાન : ૧૪. મિથ્યાત્વ, સાસાદન, મિશ્ર, અવિરત સમ્યક્ત્વ, દેશસંયત,
પ્રમત્ત, અપ્રમત્ત, અધકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, ઉપશાંત મેહ, ક્ષીણમોહ, સગી કેવલી, અગી કેવલી. ગુપ્તિ : ૩. મન, વચન, કાય. ચારિત્ર : ૫. સામાયિક, છેદે પસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મસંપાય,
યથાખ્યાત. ત્રસ જીવ : ૪. દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય. દ્રિવ્ય : ૬, જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ. ધમ : ૧૦. ઉત્તમક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ,
આકિંચ, બ્રહ્મચર્ય. પંચેન્દ્રિય : ૨. સંજ્ઞી, અસંસી. પર્યાપ્ત: ૬. આહાર, શરીર, ઈન્દ્રિય, ભાષા, શ્વાસોશ્વાસ, મન. પરીષહ : ૨૨. ભૂખ, તરસ, ઠંડ, ગરમી, દંશમશક, નગ્નતા, અરતિ, સ્ત્રી,
ર્યા, શય્યા, આસન, વધ, આક્રોશ, યાચના, અલાભ, રોગ, તૃણુપર્શ, મલ, સત્કારપુરસ્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન, અદર્શન. ‘પુગલગુણ : ૨૦. સ્પર્શ ૮, રસ ૫, રૂ૫ ૫, ગબ્ધ ૨. -પાપ કમ: ૮. અસાતવેદનીય, અશુભ આયુ, અશુભ નામકર્મો, નીચગોત્ર
અને ૪ ઘાતિયા કર્મ-જ્ઞાનાવરણદિ.
Page #592
--------------------------------------------------------------------------
________________
પ૭0
પુણ્ય કમ: ૪. સાતવેદનીય, શુભ આયુ, શુભ નામકર્મો, ઉચ્ચગેત્ર. પ્રાણ : ૧૦. ઈન્દ્રિય ૫, બલ ૩, આયુ, શ્વાસોશ્વાસ ભાવાસવ: ૩૨. મિથ્યાત્વ ૫, અવિરતિ પ, પ્રમાદ ૧૫, ગ ૩, કષાય ૪. મહાવત : પ. અહિંસા સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ. માગણું : ૧૪. ગતિ, ઈન્દ્રિય, કાય, ગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન,
લેશ્યા, ભવ્યત્વ, સમ્યકત્વ, સંજ્ઞીત્વ અને આહારત્વ. મિથ્યાત્વ: ૫. વિપરીત, એકાન્ત, વિનય, સંશય, અજ્ઞાન. મુનિચારિત્ર: ૧૩. વ્રત ૫, સમિતિ ૫, ગુપિત ૩. ગ: ૩. મન, વચન, કાયના અવલંબનથી આત્મપ્રદેશમાં ગગુણની અશુદ્ધ પર્યાય તેનું ચંચળતારૂપ કંપન અને કર્મગ્રહણમાં નિમિત્તરૂપ વિકારને યોગ કહે છે. સામાન્યપણે તે યોગ એક પ્રકારે છે પણ નિમિત્તના અવલંબન
અપેક્ષાથી-મન, વચન, કાયાના સંબંધથી ત્રણ અથવા ૧૫ ભેદ છે. વિકલત્રય : ૩. કીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય જીવ. સંવર: ૭. વ્રત, સમિતિ, ગુપ્તિ, ધર્મ, અપેક્ષા, પરિષહ, ચારિત્ર. સમુદ્યાત : ૭, વેદના, કષાય, વિક્રિયા, મારણાન્તિક, તિજ, આહાર, કેવલ. સમિતિ: પ. ઇય, ભાષા, એષણા, આદાનનિક્ષેપણ, વ્યુત્સર્ગ. જ્ઞાને પગ : ૮. મતિ, કૃત, અવધિ, મન:પર્યય, કેવલ અને કુમતિ, કુશ્રુત કુઅવધિ (વિર્ભાગ)
Page #593
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૨ "
અર્થ સંગ્રહ શબ્દકોષ અકમભૂમિ-ભોગભૂમિ. અસિ, મસિ, કૃષિ આદિ ષટકર્મ રહિત ભેગભૂમિ,
મેક્ષને અયોગ્ય ક્ષેત્ર. અગિયારમું ગુણસ્થાનક-ઉપશાંત મોહ. અજ્ઞાન-મિથ્યાત્વ સહિતનું જ્ઞાન તે અજ્ઞાન. અણુવ્રત-અપવ્રત; જે વ્રતને શ્રાવકે ધારણ કરે છે. અતિકમ-મર્યાદાનું ઉલ્લંઘન. અતિચાર-દેષ (લીધેલા વ્રતને મલિન કરે તેવો બતભંગના ઈરાદાપૂર્વક નહીં
આચરેલે દેલ.) અધ્યાત્મશાસ્ત્ર-જે શાસ્ત્રોમાં આત્માનું કથન છે તે. અનગાર-મુનિ; સાધુ; ઘર વિનાના. અનંતકાય જેમાં અનંત છ હેય તે; તેવાં શરીરવાળાં. કંદમૂલ આદિ. અનંતચારિત્ર-મોહનીય કર્મને અભાવથી જે આત્મસ્થિરતા થાય છે તે. અનુપ્રેક્ષા–ભાવના, વિચારણું, સ્વાધ્યાય વિશેષ અનુષ્ઠાન ધાર્મિક આચાર, ક્રિયા. અનેકાંત-અનંતધર્મવાળી વસ્તુને સ્વીકાર. અનેકાંતવાદ-સાપેક્ષપણે એક પદાર્થના અનેક ધર્મોમાંથી અમુકને કહેનાર વચન. અભક્ષ્ય-ન ખાવા યોગ્ય. અભવ્ય-જેને આત્મસ્વરૂપની પ્રાપ્તિ ન થઈ શકે તેવા જીવ. અરિહંત-કેવલી ભગવાન. અથ પર્યાય-પ્રદેશત્વ સિવાયના ગુણોની અવસ્થાઓ, અવગ્રહ-શરૂઆતનું મતિજ્ઞાન, અવધિન-જે જ્ઞાન દ્રવ્ય, ક્ષેત્ર, કાલને ભાવની મર્યાદા સહિત રૂપી પદાર્થને
જાણે તે. અવસર્પિણીકાલ-ઊતરતે કાલ, જે કાલમાં જીવોની શક્તિઓ ધીમે ધીમે ક્ષીણ
થતી જાય. ૧૦ ક્રોડાક્રોડી સાગરને આ કાલ હોય છે. અસ્તિકાય-ઘણા પ્રદેશોવાળું દ્રવ્ય. અંતરાત્મા-સમ્યગ્દષ્ટિ જ્ઞાન આત્મા.
Page #594
--------------------------------------------------------------------------
________________
પ૭૨
અંતમુહૂત-મુહૂર્તની અંદર કાળ (બે ઘડી, ૪૮ મિનિટ) મુહૂર્તથી ઓછે સમય.
આ
આકાશદ્રવ્ય-જીવઆદિ સમસ્ત દ્રવ્યને અવકાશ આપનાર દ્રવ્ય. આગમ-ધર્મશાસ્ત્ર, જ્ઞાની પુરુષોનાં વચન. આાગાર-ઘર; વ્રતોમાં છૂટછાટ. આઠ સમિતિ-ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિ. આત્મજ્ઞાનદર્શનમયી અવિનાશી પદાર્થ. આર-કાળ, ઉત્સર્પિણી–અવસર્પિણીને વિભાગ. આ ધ્યાન–કોઈ પણ પર પદાર્થને વિષે ઈચ્છાની પ્રવૃત્તિ છે, અને કોઈ પણ
પર પદાર્થને વિયેગની ચિંતા છે તેને આર્તધ્યાન કહે છે. આસ્ત્રવ-જ્ઞાનાવરણીય આદિ કર્મોનું આવવું. આસ્ત્રવ ભાવના–રાગદ્વેષ આદિ સર્વ આસવને રોકવા કે ટાળવા એગ્ય છે
એમ ચિંતવવું.
ઈદ્રિય-જ્ઞાનનું બાહ્ય સાધન.
ઈ પથિ કી ક્રિયા-કષાય રહિત પુરુષની ક્રિયા, ચાલવાની ક્રિયા. ઈર્ષા સમિતિ-અન્ય જીવની રક્ષાર્થે ચાર હાથ આગળ જમીન જોઈને જ્ઞાનીની
આજ્ઞાનુસાર ચાલવું.
ઉપણુકાળ-ચડતા છ આરા પૂરા થાય તેટલો કાળ, દશ કે.ડાકેડી સાગરોપમ
પ્રમાણને ચડતે કાળ. ઉદય-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવને લઈને કર્મ જે પોતાની શક્તિ દેખાડે છે
તેને કર્મને ઉદય કહે છે, કર્મફળનું પ્રગટવું. ઉદીરણુ-કાળ પાકયા પહેલાં કર્મનાં ફળ તપાદિ કારણે ઉદયમાં આવે તે
ઉદીરણા. ઉપશમભાવ-કર્મના શાંત થવાથી જે ભાવ થાય છે. ઉપશમશ્રેણી–જેમાં ચારિત્ર મેહનીય કર્મની ૨૧ પ્રકૃતિને ઉપશમ કરાય.
ઋષિ-બહુ ધારી હોય તે. ઋષિના ચાર ભેદ રાજર્ષિ, બ્રહ્મર્ષિ, દેવર્ષિ
અને પરમર્ષિ.
Page #595
--------------------------------------------------------------------------
________________
પ૭૩
એકત્વભાવના-આ મારો આત્મા એકલે છે, તે એકલો આવ્યો છે, એટલે જશે, પિતાનાં કરેલાં કર્મ એટલે ભગવશે, એમ અંત:કરણથી ચિંતવવું.
ઔ ઔદાયિકભાવ-કર્મના ઉદયથી થતા ભાવ, કર્મ બંધાય તેવો ભાવ. ઔદારિક શરીર-સ્થૂલ શરીર, મનુષ્ય અને તિર્યચેનું શરીર.
કષાય-સમ્યકત્વ, દેશચારિત્ર, સકલચારિત્ર તથા યથાખ્યાત ચારિત્રરૂપી પરિણામોને
ઘાત એટલે ન થવા દે તે કષાય. ચાર પ્રકારના છે. આત્માને કરે એટલે દુઃખ
દે, જે પરિણામોથી સંસારની વૃદ્ધિ થાય. કાસગ—શરીરની મમતા છોડીને આત્માની સન્મુખ થવું, આત્મધ્યાન કરવું,
છે આવશ્યકેમાંનું એક આવશ્યક કાર્માણ શરીર-જ્ઞાનાવરણ આદિ આઠ કર્મરૂપ શરીર. કામ વગણ-અનંત પરમાણુઓને સ્કંધ એટલે જે કામણ શરીરરૂપ
પરિણમે છે. કાલાણું-નિશ્ચય કાલદ્રવ્ય. ફૂટસ્થ અચળ, ન ખસી શકે એવો. કેવલજ્ઞાન-કેવળ સ્વભાવ પરિણમી જ્ઞાન તે. ક્ષપક-કર્મક્ષય કરનાર સાધુ, જૈન તપસ્વી. ક્ષપકશ્રેણી–જેમાં ચારિત્ર મેહનીયની ૨૧ પ્રકૃતિઓને ક્ષય કરાય તેવી ક્ષણે ક્ષણે.
ચઢતી જતી દશા. ક્ષાયિચારિત્ર-મેહનીય કર્મના ક્ષયથી જે ચારિત્ર ઉપજે તે. ક્ષાયિક ભાવ-કર્મના નાશથી જે ભાવ ઉપજે તે, જેમ કે કેવલજ્ઞાન. ક્ષાયિક સમ્યક્દર્શન-મોહનીય કર્મની સાત પ્રકૃતિના અભાવથી જે આત્મા
પ્રતીતિ ઉત્પન્ન થાય તે. ક્ષાયોપથમિક સમ્યક્ત્વ-જે દર્શન મોહનીય કર્મના ક્ષય તથા ઉપશમથી
થાય તે, આત્મશ્રદ્ધા. ક્ષીણ કષાય-બારમું ગુણસ્થાનક છે. મોહનીય કર્મને સર્વથા ક્ષય થયા પછી તરત જ બારમું ગુણસ્થાન આવે છે.
ગ ગચ્છ-સમુદાય, સંઘ, સાધુ સમુદાય.
-
Page #596
--------------------------------------------------------------------------
________________
૫૭૪
ગુણસ્થાન-મેહ અને યોગના નિમિત્તથી સમ્યક્દર્શીન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રરૂપ આત્માના ગુણાની તારતમ્યતારૂપ અવસ્થા વિશેષને ગુણસ્થાન કહે છે. ગુણાની પ્રગટતા તે. ગ્રંથિ-રાગદ્વેષની નિબિડ ગાંઠ, મિથ્યાત્વની ગાંઠ.
ઘન ઘાતિ કયાર છે, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, માહનીય તથા આંતરાય કર્મ. આત્માના મૂળગુણને આવરણ કરનાર હોવાથી એ, ચારે ધનાતિ કહેવાય છે.
ઘનવાત-ધને દધિ અથવા વિમાન આદિના આધારભૂત એક પ્રકારના કિઠનવાયુ.
ચ
ચક્ષુદાન-આંખે જણુાતી વસ્તુને પ્રથમ સામાન્ય એધ થાય તે. ચરણાનુયાગ જે શાસ્ત્રોમાં મુનિ તથા શ્રાવકના આચારનું કથન હોય. ચરમ શરીર-છેલ્લું શરીર, જે શરીરથી મેક્ષે જવાય. ચારિત્ર-અશુભ કાર્યનો ત્યાગ કરીને શુભમાં પ્રવર્તન તે વ્યવહાર ચારિત્ર છે. આત્મસ્વરૂપમાં રમણતા અને તેમાં સ્થિરતા તે નિશ્ચયથી ચારિત્ર છે. ચાર્વાક નાસ્તિક મત જે જીવ, પુણ્ય, મેાક્ષ નથી એમ માને છે. દેખાય તેટલુ
માનનાર.
ચૂર્ણિ–મહાત્માકૃત છૂટક પદની વ્યાખ્યા. ચૈતન્ય જ્ઞાનદર્શન મય જીવ. ચાવિહાર–રાત્રે ચાર પ્રકારના આહારને ત્યાગ-ખાદ્ય જેથી પેટ ભરાય જેમ રાટલી આદિ, સ્વાદ્ય-સ્વાદ લેવા યાગ્ય જેમ કે એલચી, લેઘ-ચાટવા યોગ્ય પદાર્થ જેમ કે રાખડી, પેય-પીવા યાગ્ય જેમ કે પાણી, દુધ, વિ.
39
૭ કાચ-પૃથ્વીકાય, જલકાય, અમિકાય, વનસ્પતિકાય, વાયુકાય અને ત્રસકાય એમ છ કાયના જીવેા છે.
જ
જઘન્ય કમ સ્થિતિ-કમ ની એછામાં ઓછી સ્થિતિ. જિન રાગદ્વેષને જીતનાર તે જિન.
જિનકલ્પ–ઉત્કૃષ્ટ આચાર પાળનાર સાધુનો-જિતકલ્પીના વ્યવહાર વિધિ. એકાકી વિચરનારા સાધુએને માટે પેલા નિયમ. જીવરાશિ–જીવ સમુદાય.
Page #597
--------------------------------------------------------------------------
________________
૫૭૫
જીવાસ્તિકાય-જ્ઞાનદર્શન સ્વરૂપ આત્મા, તે આત્મા અસંખ્યાત પ્રદેશ છે તેથી
તને અસ્તિકાય કહે છે. જ્ઞાન-જે વડે પદાર્થો જણાય તે, જ્ઞાન આત્માને ધર્મ છે. ય-જાણવા યોગ્ય પદાર્થો.
તવ-રહસ્ય, સાર, પરમાર્થ યથાસ્થિત વસ્તુ. -તપ-ઈદ્રિયદમન, તપસ્યા, ઈચ્છાને નિરોધ, ઉપવાસ આદિ બાર પ્રકારે છે. તમતમપ્રભા-સાતમી નરક. તાદાસ્પ-એકતા, લીન. તીથધર્મ, તારવાનું સ્થાન, શાસન, સાધુ, સાડવી, શ્રાવક, શ્રાવિકારૂપ સંઘ,
સમુદાય. તીર્થંકર-ધર્મને ઉપદેશનાર જેનાં ચાર ઘનઘાતિ કર્મ નાશ પામ્યા છે અને
જેને તીર્થકર નામ કર્મ પ્રકૃતિને ઉદય વર્તે છે. તીર્થને સ્થાપનાર. ત્રસ–બે ઈન્દ્રિય, ત્રણ ઈદ્રિય, એ ઈન્દ્રિય અને પંચેન્દ્રિયને ત્રસ કહે છે. ત્રિરાશિ-મુક્ત જીવ, ત્રસ તથા સ્થાવર જીવ, જીવ–અજીવ તથા બેના સંગરૂપ
અવસ્થા.
દશન-જગતના કોઈ પણ પદાર્થનું રસધ આદિ ભેદરહિત નિરાકાર પ્રતિબિંબિત થવું, તેનું અસ્તિત્વ જણાવું, નિર્વિક૯પપણે કાંઈ છે એમઆરસીના
ઝબકારાની પેડે સામા પદાર્થને ભાસ થે. વિકલ્પ થાય ત્યાં જ્ઞાન થાય. દર્શન મોહનીય-જેના ઉદયથી જીવને સ્વરૂપનું ભાન ન થાય, તત્વની રૂચિ
ન થાય. દૃષમ-(કલિયુગ)–પંચમકાળ- આ આરે પંચમકાળ છે. દૃષ્ટિરાગ-ધર્મને ધ્યેય ભૂલી વ્યક્તિગત રાગ કરવો તે. દ્વિવ્યકમ-જ્ઞાનાવરણાદિરૂપ કર્મ પરમાણુઓને દ્રવ્ય કર્મ કહે છે. દ્રવ્ય મોક્ષ-આઠ કર્મોથી સર્વથા છૂટી જવું. દ્રવ્ય લિંગ-સમ્યગ્દર્શન વિનાને બાહ્ય સાધુ વેશ. દ્રવ્યાથિક નય-જે વચન વસ્તુની મૂળસ્થિતિને કહે શુદ્ધ સ્વરૂપને કહેનાર, દ્રવ્ય
જેનું પ્રયોજન છે તે.
ધમ-જે પ્રાણીઓને સંસારના દુખથી છોડાવી ઉત્તમ આત્મસુખ આપે છે.
Page #598
--------------------------------------------------------------------------
________________
પ૭૬
નપુસકે વેદ-જે કષાયના ઉદયથી સ્ત્રી અને પુરુષ બંનેની ઈચ્છા કરે. નય-વસ્તુના એક અંશને ગ્રહણ કરનાર જ્ઞાનને નય કહે છે. જૈન શાસ્ત્રોમાં મુખ્ય
પણે બે નાનું વર્ણન છે. દ્રવ્યાર્થિક અને પપાયાર્થિક. આ નામ જ બધા, નોને સમાવેશ થાય છે. નવ નેકષાય-અલ્પ કષાયને નેકષાય કહે છે. હાસ્ય, રતિ, અરતિ, શાક, ભય,
જુગુપ્સા, સ્ત્રી વિદ, પુરુષ વેદ અને નપુંસક વૈદ. નિકાચિત કમ–જે કર્મમાં સંક્રમણ, ઉદીરણું, ઉત્કર્ષણ, અપકર્ષણ આદિ વડે
ફેરફાર ન થાય પણ સમય પર જ ઉદય આવે. નિગદ-એક શરીરમાં અનંતા જીવ હોય તે. નિરૂપકમ આયુષ-જે આયુષ તૂટે નહીં તેવું નિકાચિત આયુ. નિગ્રન્થ-સાધુ. જેની મેહની ગાંઠ છૂટી છે. નિજરા-અંશે અંશે કર્મોનું આત્માથી છૂટા પડવું. નિર્વિકલ્પ-નિરાકાર દર્શને પગ, ઉપગની સ્થિરતા, વિકલ્પોને અભાવ. નિશ્ચય નય-શુદ્ધ વસ્તુને પ્રતિપાદન કરનાર.
પરમાણુ-પુદ્ગલને નાનામાં નાને ભાગ. પરમાવગાઢ સમ્યક્ત્વ-કેવળીઓનું સમ્યકત્વ. પુણ્યાનુબંધી પુણ્ય-જે પુણ્યોદય આગળ આગળ પુણ્યનું કારણ થાય છે. પુદગલ-અચેતન વસ્તુઓ જેમાં સંપર્શ, રસ, ગંધ અને વર્ણ હોય. પ્રતિ બંધ-જે કર્મો બંધાય છે તેમાં જ્ઞાનાદિ ઘાતવાને સ્વભાવ પડે છે, તેને
પ્રકૃતિબંધ કહે છે. પ્રતિક્રમણ-થયેલા દેષોને પશ્ચાતાપ. પ્રત્યાખ્યાન-વસ્તુને ત્યાગ કરો. પ્રત્યેકબુદ્ધ-કઈ વસ્તુના નિમિત્તથી જેને બોધ થયે તે. પ્રદેશ- આકાશને તે અંશ જેને અવિભાગી એક પુગલ પરમાણું રોકે છે.
તેમાં અનેક પરમાણુઓને સ્થાન આપવાનું સામર્થ્ય હોય છે. પ્રદેશ બંધ-બંધાયેલા કર્મોની સંખ્યાને નિર્ણય એટલે કે કેટલા કર્માણ આત્માની
સાથે બંધાયેલા છે. પ્રમાણ-સાચું જ્ઞાન; વસ્તુને સર્વ અંશે ગ્રહણ કરનારું જ્ઞાન. પ્રમાદ-ધર્મની અનાદરતા, ઉન્માદ, આળસ.
Page #599
--------------------------------------------------------------------------
________________
૫૭૭
મ
ખાર અંગ બાચારગ, સૂત્રકૃતાંગ, સમવાયાંગ, ભગવતી, જ્ઞાતાધર્મ ક્યા, ઉપાસકદશાંગ, અનકૃતદશાંગ, અનુત્તરીપપાતિશાંગ, પ્રશ્ન વ્યાકરણ, વિપાકસૂત્ર અને દૃષ્ટિવાદ.
માલ જીવ અજ્ઞાની આત્મા.
ખાદ્યપરિગ્રહ– બહારના પદાર્થ† પર મમતા રાખવી. તે પરિગ્રહ દશ પ્રકારે છેઃ ક્ષેત્ર, ધર, ચાંદી, સાનુ, ગાય-ભેંસ, ધન, ધાન્ય, દાસી, દાસ અને વાસણુ, બ્રહ્મયય-આત્મામાં રમવુ, સ્ત્રી માત્રને ત્યાગ,
ભ
ભક્તિ–વીતરાગી પુરુષાના ગુણામાં લીનતા. ભવાસ્થતિ દેવ,આદિ યાનિમાં ઉત્પત્તિના કાળની મર્યાદા. ભવિતવ્યતા–પ્રારબ્ધ, નસીબ.
ભાવ-પરિણામ, ગુણુ, પદા.
ભાવ આસવ આત્માના જે ભાવાથી કર્મ આવે છે તે રાગદ્વેષ આદિભાવ. ભાવ નય- જે નય ભાવને ગ્રહણ કરે. ભેદજ્ઞાન- જડ ચેતનનુ જ્ઞાન.
મ
મતિજ્ઞાન ઈંદ્રિય તથા મનના નિમિત્તે જે જ્ઞાન થાય તે. મધ્યસ્થતા-ઉદાસીનતા, રાગદ્વેષ રહિતપણુ,
મહાવિદેહ-ક્ષેત્રવિશેષ, જ્યાંથી જીવા કાયમ મેાક્ષે જઈ શકે,
મહાવ્રત–સાધુએનાં વ્રતાને મહાવ્રત કહેવામાં આવે છે.
માર્ગાનુસારી-આત્મજ્ઞાની પુરુષની નિષ્કામ ભક્તિ અખાધાએ પ્રાપ્ત થાય એવા
ગુણા જે જીવમાં હોય તે જીવ.
મિથ્યાદષ્ટિ જેને આત્માનું ભાન નથી.
મિશ્ર ગુણસ્થાન જે ગુણુસ્થાનમાં આત્માની પરિણતિ ન તા સમ્યક્ હોય, ન મિથ્યાત્વરૂપ હાય.
મુમુક્ષુ મેાક્ષની ઈચ્છાવાળા.
મૃષા-ખાટુ, અસત્ય.
માક્ષ આત્માથી કર્માનું સર્વથા છૂટી જવું, મેાક્ષસુખ અલૌકિક સુખ, જે સુખ મુખેથી કહી શકાતું નથી. માહુ-સ્વ તથા પરનું ભાન ભૂલાવે, પર પદાર્થોમાં એકત્વમુદ્ધિ કરાવે.
Page #600
--------------------------------------------------------------------------
________________
પછી મેહનીય કમ-જે કર્મોને રાજા ગણાય અને જેથી જીવ સ્વરૂપને ભૂલે.
યતિ-ધ્યાનમાં સ્થિર થઈ કોણી માંડનાર. ચગ-આત્મ પ્રદેશનું હલનચલન થવું, મોક્ષ સાથે આત્માનું જોડાવવું, ધ્યાન.
રૂચકપ્રદેશ-મેરૂના મધ્યભાગમાં આવેલ આઠ પ્રદેશ કે જ્યાંથી દિશાઓની શરૂઆત
થાય છે. આત્માના પણ આઠ રૂચકપ્રદેશ છે જેને અબંધ કહેવામાં આવે છે. રૂપી જેમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ હોય તે પદાર્થ, રૌદ્રધ્યાન-દુષ્ટ આશયવાળું ધ્યાન જે નરક ગતિનું કારણ છે.
'
લધિ-વર્યાતરાય કર્મના ક્ષય કે ક્ષયોપશમથી પ્રાપ્ત થતી શક્તિ. લેશ્યા-કષાયથા રંગાયેલી બેગની પ્રવૃત્તિ. લેક-સર્વ દ્રવ્યને આધાર આપનાર.
વગણ-સમાન અવિભાગ પ્રતિચ્છેદેના ધારક કર્મ પરમાણુના સમૂહને વર્ગ કહે
છે. તેવા વર્ગોના સમૂહને વર્ગણ કહે છે. વિભગ પાન-મિથ્યાત્વ સાથેનું અવધિજ્ઞાન. વિભાવ-રાગદ્વેષ આદિ ભા. વેદ-નેકષાયના ઉદયથી ઉત્પન્ન થયેલ જીવને મૈથુન કરવાની અભિલાષાને ભાવ
વેદ કહે છે. અને નામ કર્મના ઉદયથી આવિભૂત દેહના ચિહ્ન વિશેષને દ્રવ્ય
વેદ કહે છે. વેદનીય કમ–જે કર્મના ઉદયથી જીવને સાતા, અસાતા વેદાય, સુખ દુઃખની
સામગ્રી પ્રાપ્ત થાય. વ્યવહાર સામાન્ય વર્તન. વ્યવહાર નય-અભેદ વસ્તુને જે ભેદ રૂપ કહે. યંજન પર્યાય-વસ્તુના પ્રદેશત્વ ગુણની અવસ્થાઓ. •
શાસ-વીતરાગી પુરુષોનાં વચન, ધર્મગ્રંથ. શિથિલકમ-જે કર્મ વિચાર આદિથી દૂર કરી શકાય. શુકલધ્યાન-જીવોનાં શુદ્ધ પરિણામેથી જે ધ્યાન કરાય. શોપયોગ-રાગદ્વેષ રહિત આત્માની પરિણતિ. શુભ ઉપગ-મંદ કષાય રૂ૫ ભાવ. શુષ્કણાની જેને ભેદજ્ઞાન ન હોય, માત્ર વાણીમાં જ અધ્યાત્મ હોય.
Page #601
--------------------------------------------------------------------------
________________
પ૭૯ શૈલેશીકરણ–પર્વતેમાં મેટે મેરૂ, તેના જેવું અચલ-અડગ. શ્રતજ્ઞાન–મતિજ્ઞાનથી જાણેલ પદાર્થથી સંબંધને લઈને થયેલ કાઈ બીજ પદાર્થના
જ્ઞાનને શ્રુતજ્ઞાન કહે છે. જેમકે-“ઘશબ્દ સાંભળવા પછી ઉત્પન્ન થયેલા કંબુગ્રીવાદિરૂપ ઘડાનું જ્ઞાન. શ્રેણી-ચારિત્રમોહની ૨૧ પ્રકૃતિને ઉપશમ અથવા ક્ષય થાય તેવી આત્માની
ચઢતી ચઢતી દશા, પદશન-ભૌદ્ધ, નિયાયિક, સાંખ્ય, જૈન, મીમાંસક અને ચાર્વાકની માન્યતાઓ સમિતિ-સમ્યગ્દર્શન. સમદશિતા-પદાર્થને વિષે ઇષ્ટ-અનિષ્ટ રહિતપણું. સમય-કાળને નાનામાં નાનો ભાગ. સમાધિ મરણ સમતાપૂર્વક દેહત્યાગ. સમિતિ-વત્નાપૂર્વક ગમન આદિ ક્રિયાઓમાં પ્રવર્તવું. સંઘયણ-શરીરની દઢતા, શરીરનાં હાડ વગેરેનું બંધારણ. સંજવલન કષાયથાખ્યાત ચારિત્રને રોકનાર વધારેમાં વધારે પંદર દિવસની.
સ્થિતિવાળા કષાયની ચોકડી. સંયમ-૧૭ પ્રકારનો સંયમ, આત્માની અભેદ ચિંતના. સંવર-કર્મ આવવાનાં દ્વારને બંધ કરવાં. સં વેગ-વૈરાગ્યભાવ, મેક્ષની અભિલાષા. સંસ્થાન-આકાર. સતાવેદનીય–જે કર્મને ઉદયથી છવને સુખની સામગ્રી મળે. સાધુ–આત્મદશાને સાધે છે, સામાન્ય પણે ગૃહવાસ ત્યાગી મૂળ ગુણના ધારક તે. સામયિક-બે ઘડી સુધી સમતા ભાવમાં રહેવું. સિદ્ધિ-ગથી મળતી આઠ શક્તિઓ. સોપકમ આયુષ્ય-શિથિલ, એકદમ ભેગવી લેવાય તેવું આયુષ્ય. સ્કંધ- બે કે તેથી અધિક પરમાણુઓના જથ્થાને અંધ કહે છે. સ્થવિરક૯પ-જે સાધુ વૃદ્ધ થયેલા છે, તેઓને શાસ્ત્ર મર્યાદાએ વર્તવાનો,
ચાલવાને જ્ઞાનીઓએ નક્કી કરેલો માર્ગ, નિયમ. સ્થિતિબંધ કર્મની કાળમર્યાદા. સ્યાદવાદ-દરેક વસ્તુને એકથી વધારે ધર્મો હોય છે. તે બધા ધર્મોને લક્ષમાં
રાખીને કેઈ અપેક્ષાએ બેસવું; અનેકાંતવાદ. હું ડાવસપિણું કાળ-અનેક ક પછી જે ભયંકર કાળ આવે છે તે, જેમાં
ધર્મનો વિશેષ હાનિ થઈ અનેક પ્રકારના મિશ્યા ધર્મો પ્રચાર પામે છે. હેય-તજવા ચગ્ય પદાર્થ,
Page #602
--------------------------------------------------------------------------
________________
અ
અકર્મ ભૂમિ-૪
અકસ્માત-૩૬૨૧
અકાળ મૃત્યુ-૧૭૪૯, ૧૯૫૦
અઢી દ્વીપ–૨, ૩, ૭, ૨૪
અણગાર-૧૧૯૭ અતિક્રમ-૧૧૧૦
અતિન્દ્રિય-૧૩૫૩
અધર્મ દ્રવ્ય, અધર્માસ્તિકાય-૪૧૪,
૪૭૪, ૪૮૦
અધિગમજ સમ્યક્ત્વ-૧૩૩૨
અનઅક્ષરાત્મક ભાષા-૩૮૮
અને ત–૨૬, ૪૨૧
અને તકાય-૮૩૩
પરિશિષ્ટ-૩
વિષયસૂચિ (પ્રશ્ન*માંક)
અનાચાર-૧૧૧૦
અનાગર-૧૧૯૭
અનાદિ અને ત-૫૦૭
અનાદિસાંત-૫૦૭
અનાયતન–૧૨૯૭
અનાસક્તિ ભાવ-૯૩૧, ૧૪૩૫
અનુક’પા−૧૦૮૮
અનુયાગ—૧૫૭૧
અનેકાંત-૮૯૨થી ૮૯૪
અપર્યાપ્તા જીવ-૨૭૪
અભવ્ય જીવ-૧૩૯૫થી ૧૪૦૧ અભક્ષ્ય ૩૨૨, ૮૩૨
અભાવ-૧૦૮, ૧૦૯
-પ્રાગભાવ-૫૧૦, ૫૧૨
-પ્રધ્વંસાભાવ-૫૧૧, ૫૧૨ -અન્યાન્યાભાવ–૫૧૩
-અત્ય’ત્યાભાવ–૫૧૪, ૫૧૫
-થી લાભ-૫૧૬
અભાષાત્મક શબ્દ-૩૮૯
અભ્યાસ અને અધ્યાસ-૧૩૩ અરિહંત
ના અતિશયા-૧૮૭
-થી ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ-૯૭૦,
૯૨૧
-ના કર્મ-૯૮૭
કેવળી સિદ્ધ, સંસારી જીવા
૬૧૯, ૯૯૬
—નુ વર્ણન−૧૮૬
અલાકાકાશ–૪૧૮, ૪૨૦, ૪૨૩,
૪૨૫
અવતારની માન્યતા ૩૭ અવધિજ્ઞાન-૭૭
અવસર્પિણી-૪૫૧, ૪૬૦, ૪૬૧ અવિરતિ-૬૯૦થી ૬૯૨ અવ્યવહાર રાશિ જીવ-૨૬૦
અસઝઝાય-૬૧
અસંખ્યાત-૨૬ અહારાત્રી-૪૪૦થી ૪૪ર
અજ્ઞાન–૪૧, ૧૦૮, ૧૧૨, ૫૨૨ અજ્ઞાનવાદી-૧૦૯
Page #603
--------------------------------------------------------------------------
________________
અજ્ઞાની-૧૩૧૧ અજ્ઞાનીના વ્રત-૯૫૧
આ આકાશદ્રવ્ય-૪૧૫, ૪૧૬, ૪૮૧ આગમ–૫૩,૫૬, ૫૮, ૮૭૯, ૧૫૮૮ આત્મદશા-૧૫૩૨ આત્મધ્યાન–૧૫૧૭, ૧૫૬૨
–ને અનુભવ-૧૫ર૭, ૧૫૩૧ –ની અવસ્થા–૧૫૪૫ –ની ઉત્પત્તિ–૧પ૦, ૧પર૨,
૧૫ર૯, ૧૫૪૨ આત્મધ્યાન–
-માં ચિંતવન–૧૫૩૦ -ની સાર્થકતા-૧૫૧૮, ૧૫૬૩ -નાં સાધને–૧૫ર૧, ૧૫૩૮, ૧૫૪૪, ૧૫૪૬ -માં સ્થિરતા-૧૫ર૮
-વળી જુઓ ધ્યાનઆત્મભાવ-૧૫ર ૩ આત્મવાદ-પ્રાપ્ત-૧૪૭૮ આત્મહિત–૧૪૯ આત્મજ્ઞાન–૩૬૫, ૩૭૭, ૧૫૬૫
-નું અવલંબન–૧૫૮૨ –માં નયનું જ્ઞાન–૧૫૩૫ -ની પ્રાપ્તિ-૧૩૬૦, ૧૩૬૧, ૧૫૪૦, ૧૫૮૧ –માં વિવેક–૧૬૦૧, ૧૬૨ -અને વૈરાગ્ય-૧૦૨૭ -ની શરૂઆત-૧૫૬ ૭, ૧૫૭૦ -ને હેતુ-૧૫૩૭
આત્મા–૧૩૩૩
-ને અનુભવ-૮૫૪, ૧૩૫૭, ૧૩૬૬, ૧૩૭૦, ૧૩૭૧, ૧૪૯૦, ૧૪૯૨, ૧૫૪ર. -ના અન્ય નામો–૧૩૯૩ -અલખ અગોચર–૧૩૫૮, ૧૩૫૯, ૧૩૬૩ –ના ગુણ-જુઓ જીવના ગુણે-અને જીવ–૧૩૯૧ –ની નિત્યતા-૧૩૬૮, ૧૪૫૪ –માં પરિણમન-૮૫૦ -ના પ્રકાર-૧૪૨૧થી ૧૪૨૫ -ના પ્રદેશ-૭૮૯, ૧૪૦૩, ૧૪૦૪ –ને ભેદ-૧૪૧૯, ૧૪ર૭
-ના રૂચિવાળા જીવને ભવ-૨૬૨ આત્મી
–ની શક્તિ-૩૬૬, ૧૩૫૬ -ના સુખને સ્વાદ-૬૦૨, ૧૫૪૧ -નું સ્વરૂ૫–૧૪૫૩ –માં જ્ઞાતા, જ્ઞાન, ય–૧૪૮૦
-નું જ્ઞાન–૧૩૬૨, ૧૪૯૨, ૧૬૦૦ આતાપ-૪૦૪ આર્તધ્યાન–૧૪૯૬થી ૧૪૯૯ આનંદઘનજી-૬૩, ૬૬ આપ્ત પુરૂષ-૧૨ ૬૫ આબાધાકાળ-૭૧૫ આયતન–૧૧૯૬ આર્યધર્મ–૨૯, ૪૨ આરંભ-સમારંભ-૧૧૫૪ આરંભી હિંસા-૧૧પ૨, ૧૧૫૩ આરા-૩૪૮, ૪પર, ૪પ૩, ૪૫૬
Page #604
--------------------------------------------------------------------------
________________
આલાચના-૧૧૧૦ આવલિકા-૪૪૪, ૪૪૫
આવશ્યક ૧૦૧૮
આસવ-૮૨૮
આહાર-૩૪૩થી ૩૪૭
ઈચ્છાનિરાધ-૧૫૯૭ ઇચ્છાની તીવ્રતા–૨૭૭
ઇન્દ્રિય વશ કરવાના ઉપાય-૩૪૦,
૧૧૩૨
ઈન્દ્રિય વિકાર-૩૩૬
ઇન્દ્રિયના નામ–૨૯૪
ઇન્દ્રો-૨૧
ઇસુખ્રિસ્તના ચમત્કાર-૩૩
ઈશ્વર ઇચ્છા-૭૯૭ ઈશ્વર-કૃષ્ણ, રામ–૧૭૦
-અને જગત-૧૬૬
-ફળદાતા−૬૮૩ –ની ભક્તિથી મેાક્ષ-૮૩૮
–અને વેદાંત-૧૬૫
ઈંડું -૩૨૧
ઉ
ઉદ્યોત-૪૦૩
ઉત્પાદ, વ્યય, ધ્રુવ-૩૯૬, ૩૯૭ ઉત્સર્પિણી-૪૫૧ ઉર્દૂ ન-૨૯૨
ઉપદેશ-૮૮
ઉપયેાગ-૧૪૪૯, ૧૪૫૦, ૧૫૯૨ ઉપવાસનું મહત્ત્વ-૯૧૩, ૧૧૧૩ --કાળિયા--૮ ૩૭
૫૨
ઉપશમ-૧૨૫
ઉપશમ સમ્યક્ત્વ-૧૨૭૬, ૧૩૨૪
૧૪૪૮
ઉપશમ શ્રેણી-૧૬૯૯
ઉપસર્ગ -૧૧૯૦ ઉપાદાન–નિમિત્ત-૩૯૨, ૧૪૬૮ થી
૧૪૭૧, ૧૬૧૮થી ૧૬૨૩
Ets
-૧૪૨થી ૧૪૪ ઋષિ–૧૨૦૩
એ
એકાંત-૧૭૩૧
આ
એમ-૯૯૪, ૯૯૫ એસવાલ-૬૮
ઔ
ઔયિક ભાવ-૧૪૩૪, ૧૪૪૪,૧૪૪ ઔપમિક ભાવ–૧૪૨૯, ૧૪૪૧ ઔષધ-૧૦૩૫, ૧૦૩૭થી ૧૦૪૨
અ
અંતરાત્મા-૧૪૨૪
અંતરાલ ગતિ–૨૮૪, ૨૮૭, ૭૨૦,
૭૨૧ અંધકાર-૩૯૮, ૩૯૯
દાગ્રહ -૪૦
૪-૬૦૩
–આસવ, સ ંવર, નિર્જરા-૫૬૭,
૭૧૩, ૭૨૪, ૭૨૫, ૭૩૫, ૭૩૬
-ધાતિકર –૬૨૦ થી ૨૨
Page #605
--------------------------------------------------------------------------
________________
પ૮૩
કર્મ–
-અને જીવ-૭૬૧, ૧૪૮, ૧૪૮૯, તે ૧૬૧૦ -કવ્ય કર્મ અને ભાવ કર્મ– ૬૦૫, ૬ ૦૭, ૬૦૦, ૮૪૦, ૮૪૧. -નિકાચિત કર્મ-૭૯૮ -કર્મ-૬૦૬ -પૂર્વકર્મ-૬૦૯, ૧૦ –ફળ-૭૧૨, ૧૩, ૭૯૬, ૮૧૦, ‘૧૧૩૯ –ના ભેદ-૬૧૨થી ૬૧૪ -જ્ઞાનાવરણીય-૬૩૨, ૬૪૦,
૭૬૪ થી ૭૬૭ -દર્શનાવરણીય-૬૩૩, ૬૪૦,
७६८ –વેદનીય-૬૩૬, ૬૩૭, ૭૧૧,
૭૬૯, ૮૦૦, ૮૦૯ –મોહનીય-૬૩૮ -દર્શનમોહનીય-૬૩૯, ૬પ૭, ૬૫૮, ૭૩૧, ૭૬૨, ૮૮૩ -મિથ્યાત્વમેહનીય-૬૫૮થી૬૬૧ -સમ્યફ મિથ્યાત્વ મેહનીય-૬૫૮ -સમ્યફ મેહનીય-૬૫૮ -ચારિત્ર મોહનીય-૬૪૧, ૬૬૨,
૬૬૫, ૭૬ ૩, ૮૧૫, ૮૮૪ -આયુકર્મ-૬૪કપૂર -ભેદ-૬૫૮ -સોપક્રમ-૬૫૯, ૭૫૩ -નિરૂપક્રમ-૬૬૦, ૭૫૪ -નું ઉત્કર્ષણ-૭૪૭ –નબંધ-૭૧૧, ૭૪૮થી ૭૫૧ |
-નક્ષય-૫૧૭, ૭૫૬, ૭૫૭, -નામ કર્મ-૬૪૫થી ૬૪૭, ૭૭૫ -ગોત્ર કર્મ-૬૪૮થી ૬૫૦, ૭૭૬ -અંતરાય-૬૩૧, ૬૫૧થી ૬૫૬,
૭૮૧ -પુદ્ગલ વિપાકી કર્મ-૮૦૮ -અને મંત્ર-૧૪૦ -વસ્તુતઃ કે માયા-૬૦૪ -અને વિકાર-૧૪૭૫થી ૧૪૭૭,
૧૪૭૯ -નું સ્વરૂપ–૭૬૧, ૧૪૮૮,
૧૪૮૯, ૧૬૧૦ કર્મબંધ–
-અને આત્માના પ્રદેશે -૭૯૦ -અને ઈશ્વર-૭૮૦ -કેવળીને-૬૧૧ –નાં કારણે-૬૮૪, ૭૮૧
અને ગુણસ્થાન–૬૧૭ –અને જીવની પ્રવૃત્તિ-૭૧૭, ૭૧૮ -ના પ્રકાર-૭૦૪, ૭૧૦ -પ્રકૃતિબંધ-૭૦૫ -પ્રદેશબંધ-૭૦૫, ૭૦૬ –સ્થિતિબંધ-૭૦૭, ૭૦૮ -અનુભાગ બંધ-૭૦૭, ૭૦૯ –માં ફેરફાર-૭ર૬થી ૭૨૯, ૭૩૮,
૭૩૯, ૭૪૬, ૯૪૧ –સંક્રમણ-૭૪૦ -ઉત્કર્ષણ-૭૪૧, ૭૮૪, ૭૪૫ –અપકર્ષણ-૭૪૨,૭૪૫
Page #606
--------------------------------------------------------------------------
________________
૫૮૪
કર્મબંધ–
ઉદીરણ-૭૪૩, ૭૪૫ -અને વીતરાગતા-૭૫૯, ૭૬૦ -ની સ્થિતિ–૭૨૨થી ૭૨૪,
૭૩૪, ૭૭૭ -નું સ્વરૂપ-૬૧૫થી ૬૧૮, ૭૧૯,
૭૫૮, ૭૯૪ કર્મફળ ચેતના-૪૭૭, ૭૯૬ કર્મભૂમિ-૫ કરણાનુયોગ-૧૫૭૧ ક૯૫–૧૦૪૦ કષાય-૬૬૩, ૬૭૪, ૬૯૮
-અને આત્મજ્ઞાન–૬૯૫ -ની ઉત્પત્તિ-૬૬૪ -અને કર્મ ઉપાર્જન-૬૯૯ -ને ત્યાગ અને ક્ષય-૬૯૬, ૬૯૭ -ને પ્રકાર-૬૭૩ -અનંતાનુબંધી-૬૭૫, ૬૯૪,૭૩૦
-ભેદ-૬૯૮ કંદમૂળ-૩૨૦ ક્રમ અને અક્રમ–૧૭૩૩, ૧૭૩૪ ક્રમબદ્ધ પર્યાય–૧૭૧૦, ૧૭૧૧
-અને અકાળનય–૧૭૫૩, ૧૭૫૪ -અને અકાળ મૃત્યુ-૧૭૪૯ -અને અવ્યવસ્થા–૧૭૧૬, ૧૭૬૩, ૧૭૭૦. -ને આધાર-૧૭૧૩ -અને એકાંત-૧૭૨૯, ૧૭૩૦, ૧૭૩૨, ૧૯૩૫ –ને ઉદેશ–૧૭૧૮
ક્રમબદ્ધ પર્યાય - -અને વ ૧૭૧૯થી ૧૭૨૩ ૧૭૪૨, ૧૭૪૬, ૧૭૪૭, ૧૭૬૭, ૧૬૮ –અને કાળ-૧૭૩૬ -કેવળજ્ઞાનમાં–૧૭૧૫, ૧૭૫૧, ૧૭૫૨, ૧૭૬ ૦, ૧૭૬૧, ૧૭૭૧ -અનક્રમનિયમિત-૧૭૧૨,૧૭૧૪ -અને જગત નિયામક-૧૭૪૧, ૧૭૬૪ -જૈન અને બૌદ્ધ મંતવ્ય૧૭૨૪થી ૧૭૨૭ –અને દ્રવ્યદૃષ્ટિ-૧૭૫૬ –નો નિર્ણય–૧૭૫૭થી ૧૭૫૯–અને નિયતિવાદ-૧૭૨૮
અને નિરાશા-૧૭૫૫ –અને પુરૂષાથ-૧૬૧૭, ૧૭૧૭, ૧૭૩૭,૧૭૩૯,૧૭૪૦,૧૭૬૫ ૧૭૬૬, ૧૭૬૯
-અને સ્વતંત્રતા–૧૪૮૬, ૧૭૪૫, કૃષ્ણાવતારની માન્યતા-૩૭. કાય સ્થિતિ-૨પ૭ કાળ-૮૬, ૪૪૦થી ૪૪૬, ૪૬૫,
૪૮૨, ૪૮૩, ૭૩૨, ૧૩૫૫ કાળચક્ર-૪૫, ૪૫૪થી ૪૫૬ કાળદ્રવ્ય-૪૨૬, ૪૨૦, ૪૬૨થી ૪૪ કાળલબ્ધિ-૧૬ ૦૬, ૧૬૦૭ કિયાના સ્થાન-૮૪૬ ક્રિયાકાંડ-૯૪૦ ક્રિયાવતી શક્તિ-૪૯૧, ૪૯૩,
૧૩૩૯થી ૧૩૪૫
Page #607
--------------------------------------------------------------------------
________________
થ/પ.
કૂળ શ્રાવક-૮૭૫ કેવળજ્ઞાન–૭૦, ૮૪, ૮૫
-અવધિ, મન:પર્યય વગર-૩૭ –ની ઉત્પત્તિ-૮૧ -સત્તા કે શક્તિ-૮૮, ૮૯ -માટે જ્ઞાનની પ્રધાનતા-૮૦ કેવળી–
-ના અઢાર દેશને ક્ષય-૨૧૦ –ને ઉપદેશ, આહાર-૨૧૧ -શ્રુત કેવળી-૮૨
–ના જ્ઞાનમાં દ્રવ્યોનું સ્વરૂપ-૧૦કર કડાડી-૭૩૨
ગુણ-વિશેષ ગુણ-૩૫૫, ૪૧૦
-અસ્તિત્વ-૩૫૭, ૩૫૮, ૩૭૧ -વસ્તુત્વ-૩૫૯, ૩૬૨ -દ્રવ્યત્વ-૩૬૦, ૩૬૧ -પ્રમેયત્વ-૩૬૩થી ૩૬૬
અગુરુલઘુત્વ-૩૬૭, ૩૬૮, ૩૭૧ –પ્રદેશ––૩૬૯ ગુણસ્થાન–૫૬૧, ૧૬૭૬, ૧૬૮૨થી
૧૬૮૭ -આત્માની જ્ઞાનશક્તિ–૧૬૮૯ -જીવની અવસ્થાઓમાં-૬૭૯, ૧૬૭૮, ૧૬૮૮, ૧૬૯૦, ૧૬૯૨, ૧૬૯૪થી ૧૬૯૬, ૧૭૦૧થી ૧૭૦૫ –નો નિર્ધાર-૧૬૭૭ -પ્રત્યેક સમયે-૧૬૮૦ -ના ભેદ–૧૬૮૭, ૧૬૯૩ -અને સિદ્ધિગ-૧૫ર
-અને ક્ષાવિકભાવ-૧૩૨૩ ગુપ્તિ–૧૧૭૨થી ૧૧૭૪ ગુરૂ–૧૨૫૮થી ૧૨૬૨
રૈવેયક–૧૯
ખ્રિસ્તી ધર્મ-૩૧, ૩૨ ખૂન કરીને અદાલતમાંથી કેમ છૂટે? ૮૧૩
_ગ ગ૭–૪૭ ગતિ-૨૪૮, ૨૪૯
-એકેન્દ્રિય જીવની-૨૫૩ -ના જીવોની સંખ્યા-૨૫૦ –માં પ્રવેશ-૨૪૭ –માં લિંગ, વેદના-૩૪૨
-સૌથી વધુ જન્મ–૨૭૮ ગતિક્રિયાના પ્રકાર–૨૮૬ ગતિશીલ પદાર્થની ગતિના નિયમ–
૨૮૫ ગર્વ–૮૪૩ ગુણ-૩૫૨, ૩૨૩, ૩૭૪, ૩૭૫ -સામાન્ય ગુણ-૩૫૪, ૩૫૬, ૩૭૨, ૩૭૩
ઘડી–૪૩૩ ઘનવાતાવલય–૨૫ ધદધિ–૨૫ ઘાતકી ખંડ–૬
ચ
ચક્રવર્તી–૧૭૭થી ૧૮૧ ચતુષ્ટય–૧૯૯
Page #608
--------------------------------------------------------------------------
________________
ચમત્કાર-૭૯૯
ચ્યવન–૨૯૨
ચરણાનુયાગ-૧પ૭૧ ચરમ શરીરી–૭૫૫
ચારિત્ર–૬૪૨, ૧૦૩૦
--અને પાંચ મહાવ્રત-૧૨૮૭ થી
૧૨૮૯ ચારિત્ર-ના પ્રકાર–૧૧૮૭
-થી લાભ–૧૦૯૨ -લિ’ગ, વેશ—૧૨૮૫ –છ્યવહાર અને નિશ્ચયથી ૧૧૮ ૫,
૧૧૮૬
–માં સમક્તિની કિંમત-૧૩૧૯
ચેતના–૪૮૭, ૪૮૮
ચૈત્ય-૧૧૯૬ ચાવિયાર–૧૧૧૫
૭ કાય-૩૧૪
છદ્મસ્થ−૮૭, ૧૫૯૩
છાયા-૪૦૦
જ
જગત—
—ના રક્ષક–૧૬૭થી ૧૬૯ ની શાશ્વતતા–૩૭૮ જાતિસ્મરણ જ્ઞાન–૧૫૮થી ૧૬૨
જાત્રા-૧૧૪૨
જિનમુદ્રા–૧૫૧ ૬
જીવ—
-અન્ય નામ-૪૮૭, ૧૩૮૮થી
૧૩૯૦
પ
જીવ-અમૂર્તિ ક પદાર્થ-૧૩૭ર -ના અવરાધ-૬૬૬ થી ૬૭૨,
૬૫૮, ૧૪૭૩, ૧૫૧૧થી ૧૫૧૪ –અને આત્મા-૧૩૯૧ –એક કે અનેક-૧૩૬૭ -ઉત્પત્તિ-૧૩૮૫, ૧૩૮૬, ૧૪૮૪ -ક, ભાક્તા–૧૪૬૧, ૧૪૭૨,
૧૪૭૩
-કના સંબંધ–૬૮૨, ૭૮૪, ૮૧૧, ૧૪૬૫, ૧૪૬૬
જીવ—
-કર્મ બધ-૬૯૩, ૭૬૧, ૭૭૮,
૯૮૦, ૧૪૬૪ –ગતિ–૨૫૫, ૨૮૯, ૪૫૬
૨૫૬, ૨૬૪,
-ગુણ-૩૭૦, ૪૭૮, ૧૩૪૨,
૧૩૫૧, ૧૩૫૨,૧૩૭૬, ૧૪૮૧, ૧૫૬૪
-ચૈતન્ય ગુણુ-૩૭૬, ૪૮૭, ૧૩૩૫ -શ્રદ્દા ગુણ-૪૮૯
-સુખ ગુણ-૪૯૦, ૮૩૪, ૧૩૫૪ --વીય ગુણ–૨૦૦,૪૯૨, ૧૩૪૮થી
૧૩૫૦
-દ્રવ્યુ અને તત્ત્વ-પર૧, ૧૩૯૨ -દ્રવ્ય, ગુણ, પર્યાય—-૩૭૯, ૧૦૩,
૧૦૪
–ના દોષ–૧૪૨૦
–અને નય−૧૬૩૨
-ના પ્રદેશ-૩૧૭, ૧૩૭૭, ૧૩૮૩, ૧૩૮૪, ૧૩૮૭
Page #609
--------------------------------------------------------------------------
________________
૫૮૭
- જીવ–ના ભાવ-૭૯૨, ૭૯૩, ૧૪૨૮,
૧૪૩૨, ૧૪૩૩, ૧૪૩૭ થી ૧૪૪૦, ૧૪૪૭ –ના ભેદ–એકેન્દ્રિય આદિ–૨૯૫થી
૩૦૩, ૩૧૫થી ૩૧૯ -ની મુકિત-૨૮૧, ૨૯૧, ૫૬૬,
૫૮૭, ૭૮૨, ૭૮૩, ૮૩૯ -સંસારી, સિદ્ધ-૨૧૩થી ૨૧૬, ૧૩૯૪, ૧૪૦૨ –વળી જુઓ આત્મા– જૈન ધર્મ–૪૩, ૮૯૦, ૮૯૯, ૯૦૭,
૯૧૫ -અને અન્ય ધર્મો-૨૭, ૨૮, ૩૮, ૧૭૨, ૪ર૯, ૯૦૧થી ૯૦૯ –પ્રાચીનતા અને ગ૭ભેદ-૪૬થી ૪૯, ૭૦, ૭૧, ૮૯૫થી ૮૯૮, ૧૪૧૭
દયાના ભેદ–૧૦૮૯ દશ લક્ષણ ધર્મ–૧૧૯૦, ૧૧૯૧ દર્શન
–ભેદ-૬૩૪, ૬૩૫, ૧૫૮૪
-જ્ઞાન–૧૫૮૫થી ૧૫૯૧ દાન-૧૦૯૦ દિગંબર આચાર્યો-૬૯ દિવ્યવનિ-૯૯૧, ૯૯૨ દીક્ષા–૧૧૮૧થી ૧૧૮૩ દુઃખ–૨૧, ૫૭૬, ૨૭૭ દુઃષમ કાળ-૧૧૯, ૧૩૯, ૪૩૮,
૪૩૯, ૯૧૬, ૯૧૭, ૧૬૦૩ દેવ
-નું આયુષ્ય-૩૦૭ –ને આહાર-૩૦૯ –ને પ્રકાર-૧થી ૨૨ –ની ભાષા-૩૧૦ – મેક્ષ–૨૬૧ -નું વિષય સુખ-૩૦૪ -નું વેદન–૩૧૧, ૩૧૩
–નું શરીર પ્રમાણ–૩૦૫થી ૩૦૮ દેવ દેવીની પૂજા–૮૩૫, ૮૩૬, ૮૮૧ દ્રષ-૧૧૩૬ દ્રવ્ય-૩૫૦, ૩૫૧
–ને સ્વભાવ-૪૭૫ –રૂપી, અરૂપી–૪૩૩ -જીવ, અજીવ-૪૩૧
–ની સ્વતંત્રતા–૧૬૨૦ દ્રવ્ય નિક્ષેપ–૧૬૭૪
ઢુંઢીઆ-૭૦
તનુવાતાવલય-૨૫ - તપ-૧૦૧૪, ૧૦૧૭
–બાહાત૫–૧૦૧૫ –અત્યંતર તપ-૧૦૧૬ -થી નિર્જરા–૧૦૨ ૪થી ૧૦૨૬
–થી શરીરને કષ્ટ-૯૫૩ તિથિ-૧૧૧૪ તિર્યંચ-૭૭૨ તીર્થકર-૬૨, ૧૮૯થી ૨૦૯, ૮૮૬,
૧૨૬૪ -ત્યાગ અને વૈરાગ્ય-૧૦૨૧
Page #610
--------------------------------------------------------------------------
________________
૫૮૮
દ્રવ્યાનુયોગ–૧૫૭૧
–થી નિશ્ચયાભાસી–૧૫૭૨
ધર્મ-૮૫૫
-ના અનુષ્ઠાન-૯૫૮ -અણગારી ધર્મ-૮૬૮, ૮૭૬ –ઉપદેશક૧૨૪૬ –નું પરિણમન–૮૫૭, ૮૫૯ –ને ભેદ-૮૬૯, ૯૧૨ -ને મર્મ–૮૫૮ -ના મુખ્ય અંગ-૯૧૧ –ના સાધને-૮૪૭, ૮૬૦, ૮૬૩,
૯૧૩, ૧૬૧૧ -નું સ્વરૂપ-૮૫૬, ૮૬૨ ધર્મદ્રવ્ય-ધર્માસ્તિકાય-૪૧૩, ૪૭૩,
૪૮૦ –અને ધર્મ–૪૩૬
–ને સ્વભાવ-૪૭૪ ધમ ધ્યાન–૧૫૦થી ૧૫૦૭
-અને પરમાત્માનું ધ્યાન–૧૫૦૮ ધ્યાન–૧૪૯૪, ૧૫૪૭થી ૧૫૬૩ –ના પ્રકાર-૧૪૯૫, ૧૫૨૪,૧૫૩૯
-અસદ્દભૂત વ્યવહારનય-૧૬૪૪ સદ્ભુત વ્યવહારનય-૧૬૪૫ નિશ્ચય નય-૧૬૪૧ –શુદ્ધ નિશ્ચયનય-૧૬૨૪, ૧૬૪૨. -અશુદ્ધ નિશ્ચયનય-૧૬૪૨ -વ્યાર્થિકનય-૧૬૪૬ -પર્યાયાર્થિકનય-૧૬૪૬ -નૈગમ નય-૧૬૪૮ -સંગ્રહનય–૧૬પ૦ -ઋજુત્રનય–૧૬૫૧ -શબ્દન-૧૬૫ર -સમભિરૂઢનય-૧૬૫૩ -એવંતભૂતનય-૧૬૫૪
સ્યાદવાદન–૧૬પપ નરક
-માં કોણ જાય–૨૫૧ –ગતિના કારણો–૭૭૧ –માં ધર્મ સમ્મુખતા-૨૭૨ -ના પ્રકાર–૨૬૭ -ની ભૂમિ–૨૩
–ની વેદના-૨૬૮, ૨૬૯ નવકાર મંત્ર-૯૮૨ થી ૯૯૦. નવતત્વ–પદાર્થ–પર, પર૩, પર૪
પર૬ થી ૫૨૮ – ય, હેય, ઉપાદેય-પર૯, ૫૩૦ –જીવ તત્ત્વની ભૂલ–૫૩૧ –અજીવ તત્ત્વની ભૂલ-પ૩ર -બે ધ–૩૯૦, ૫૫૯, ૫૬૨ –બંધ તત્ત્વની ભૂલ–૫૩૩ -પુણ્ય-પ૩૬, ૫૪૨, ૫૪૪ ૫૪૬, ૫૫૭
નય–૧૬૨૫, ૧૬૨૭, ૧૬૨૮, ૧૬૩૧
૧૬૩૨, ૧૬ ૬૩ -અને પ્રમાણ–૧૯૬૧, ૧૬૬૨ નિશ્ચય અને વ્યવહાર-૯૨૦ થી ૯૨૨, ૧૯૨૯થી ૧૬૩૮ -વ્યવહાર ન–૧૯૩૯, ૧૬૪૦, ૧૬૪૩, ૧૬૪૭
Page #611
--------------------------------------------------------------------------
________________
૫૮૯
નવતરવ–પાપ-૫૩૮થી ૫૪૦, ૫૪૩, | પર્યાય-વ્યંજન પર્યાય-૪૯૫થી ૪૯૮ ૫૪૫, ૫૫૮
૫૦૬ -પુણ્ય, પાપ-પપ૧, ૫પર, ૫૫૫
પર્યુષણ-૧૧૧૬ થી ૧૧૧૮
પરમાણુ-૮૬, ૩૮૨, ૫૧૯, ૭૮૮ --ની ભૂલ –૫૩૩
૧૭૮૪ - -ને ઉદય-પ૪૭ થી ૫૪૯,
પરમાત્મા–૧૪૨૫, ૧૪૨૬ ૫૫૩ થી ૫૫૬
પરમાર્થ-૫૮૩, ૯૨૩ -આસ્ત્રવ–૫૫૯, ૫૬૦, ૫૬ ૩
પરાવર્તન-૨૫૯ -આસ્રવની ભૂલ-પ૩૫
પરિગ્રહ-૧૧૬૮ -સંવર–પ૬૪, ૫૬૫
પરિણામિક ભાવ-૧૪૩૬, ૧૪૪૫ –-નિર્જરા–પ૬૮ થી ૫૦૪
પરિષહ૨૨, ૧૧૯૨ –મોક્ષ–૫૭૬ થી ૬૦૨
પરિષહ જય-૧૧૯૩, ૧૧૯૪ નસીબ-૭૯૭
પરોપકાર-૧૨૩૩ નામ નિક્ષેપ-૧૬૬૪
પાપમ–૪૪૮ નિગ્રંથ ગુરૂ-૧૨૩૮ થી ૧૨૪૦
પંચમહાવ્રત–૧૧૫૦ નિર્વસ પરિણામ-૧૧૦૯
-અહિંસા–૧૧૫૧ નિન્દવ-૮૫૩
– , વ્રતની ભાવના-૧૧૭૬ નિયાણું–૧૦૩૫
આરંભી હિંસા-૧૧૫ર, ૧૧૫૩ નિર્વિકલ્પ દશા-૮૪૨
સત્ય-૧૧૫૫ –માં અનુભવ–૧૫૩૩, ૧પ૩૪
- વતની ભાવના–૧૧૭૭ નિશ્ચય અને વ્યવહાર-૯૨૦ થી ૯૨૨,
-બ્રહ્મચર્ય-૧૧૬૬
-બ્રહ્મચર્યની ભાવના-૧૧૭૯ ૧૬૨૯ થી ૧૬૩૮ નિશ્ચય ધ્યાન–૧૫૩૬
-પરિગ્રહ-૧૧૬૭ થી ૧૧૬૯ નિસર્ગજ સમ્યક્ત્વ-૧૩૩૨
- , –વ્રતની ભાવના–૧૧૮૦ નિક્ષેપ-૯૭૭, ૧૬૬૪
-અચૌર્ય વ્રતની ભાવના–૧૧૭૮: નીતિ-પપ૦, ૧૧૨૮
–માં અપવાદ-૧૨૧૭ ને કર્મ-૬૦૬
પંચારિતકાય-૪૩૫, ૪૬૬ થી ૪૭ર
૪૮૪
પંચેન્દ્રિય-૩૦૨ પર્યાપ્ત જીવ-૨૭૪
પાખંડવાદ–૧૬૧૨ પર્યાય-૪૩૦, ૪૪૪
પિંડસ્થ ધ્યાન–૧૫૫૭, ૧૫૫૮ - –અર્થ પર્યાય-૪૯૯ થી ૫૦૨ | પુણ્યથી અભિમાન–૯૩૮
Page #612
--------------------------------------------------------------------------
________________
પ૦
પ્રવચન માતા–૮૭૯ પ્રવચનકાર-૮૧૪, ૮૧૮ પ્રાયશ્ચિત–૧૧૧૧, ૧૧૧૨ પ્રારબ્ધ–૭૯૭ પ્રાણ–૩૩૪ પ્રાણીના પ્રકાર–૨૯૩
–ની હત્યા–૧૦૦૯
પુણ્ય-થી ચમત્કાર–૯૩૫ પુણ્ય–પાપ–જ નવ તત્વ પુદગલ-૩૮ ૦
–ની ગતિ–૪૦૯, ૪૨ ૭ –પરમાણુ–૩૮૨ -પર્યાયના ભેદ-૩૮૪ થી ૩૦૧,
૩૯૬ થી ૪૦૦ –પ્રતિબિંબ–૪૧૧ -ના ભેદ-૩૮૧, ૪૭૯ -સ્કંધ–૩૮૩, ૪૦૧, ૪૦૫, ૪૦૬ પુદગલ પરાવર્ત–૪૫૮, ૪પ૯ પુનર્જન્મ-૧૬ ૩, ૧૬૪, ૧૩૭૩ પુરૂષાથ–૧૩૪ થી ૧૩૬ પુષ્કર દ્વીપ-૬ પૂર્વ અને પૂર્વાગ-૪૪૭ પ્રતિક્રમણ–૧૧૦૨, ૧૧૦૩ -પ્રત્યાખ્યાન, આલેચના-૧૧૦૫,
૧૧૧૦ પ્રતિકૂળતા-૨૮૦ પ્રતિમા–૧૧૯૬ પ્રતિજ્ઞા–૧૧૦૮ પ્રતિવાસુદેવ–૧૮૪, ૧૮૫ પ્રતિહાર્ય–૧૮૮ પ્રત્યાખ્યાન-૧૧૦૪ થી ૧૧૦૭ પ્રત્યેક બુદ્ધ-૧૮૦ પ્રથમાનુગ-૧૫૭૧ પ્રદેશ–૮૬, ૪૩૭ પ્રમાદ-૭૦૦, ૭૦૩ પ્રમાણ–૧૬૫૯, ૧૬૬૦ પ્રલય-૩૫
બહિરઆત્મા–૧૪૨૩ બળદેવ–૧૮૩ બાર ભાવના–૧૦૯૩ થી ૧૧૦૧ બાહ્યક્રિયા-૯૫૪ બાહ્યજ્ઞાન–૧૧૩, ૧૧૪ બાહ્ય પરિગ્રહ–૧૧૬૯ બીજમાં જીવ--૧૪૮૩ બુદ્ધને મેક્ષ–૩૪ બ્રહ્મચર્યા–૧૦૫૮, ૧૦૫૯, ૧૧ ૬૬
–ની નવ વાડ–૧૦૫૭
–મિથુનના પ્રકાર-૧૫૫ બ્રહ્મા-વિષ્ણુ-મહેશ-૧૭૧
ભય-૮૫ર, ૧૨૯૯ ભવ સ્થિતિ–૨પ૭ ભવ્ય જીવ–૧૩૯૫ થી ૧૩૯૯ ભક્તિ-૯૩૬, ૯૬૬, ૯૭૨, ૯૭૩
–ના ભેદ–૯૬૪ થી ૯૭ –થી મુક્તિ-૯૬૮, ૯૭૧, ૯૭૫ ભક્તિ માર્ગ–૯૫૯ થી ૯૬૩, ૯૭૪ ભાવજીવ-૧૪પ૧ ભાવનિક્ષેપ-૧૬ ૬૪
Page #613
--------------------------------------------------------------------------
________________
ભાવ મરણ–૧૭૮૮ ભેદ જ્ઞાન–૩૭૬, ૧૬૧૫ ભ્રાંતિ–૯૨૬
મતાર્થિની ભૂલ–૧૨૫૧ મતિજ્ઞાન-૭૫ મદ–૧૩૦૦ મન-૮૪૭ થી ૮૫૧, ૧૬૧૩ મનઃ પર્યય જ્ઞાન-૭૮ મનુષ્ય જિંદગીની વ્યર્થતા-૯૨૫,
૧૧૪૩ મનુષ્યને ભેદ–૨૭૩
–ગતિનાં કારણે-૭૭૩ -દેહમાં રોગોની સંખ્યા-૮૦૧
–ભવનું કર્તવ્ય-૨૮૨, ૨૮૩ મનેનિગ્રહ-૧૧૩૩, ૧૧૩૪ મહાત્મા અને ચમત્કાર-૧૪૯, ૧૫૦,
૧૫૩, ૧ર૧ર મહાવીર શાસનની જયંતી–૯૯૩ મંગલાચરણ-૯૯૭, ૧૦૦૩
-મંગલ–૯૯૮
–નવકાર-૯૯૯ થી ૧૦૦૬ મૃત્યુ–૮૧૨, ૧૭૪૯, ૧૭૫૦,૧૭૭૨થી
૧૭૭૭, ૧૭૮૩ –અને ખેદ–૧૭૮૯ –થતાં જીવનું ગમન-૨૮૮
-સમયની ભાવના–૧૭૯૦, ૧૭૮૧ માગણ સ્થાન–૧૭૦૬ માનવ સેવા–૯૨૮ થી ૯૩૩ માનથંભ-૧૦૦૭
માંસાહાર–૩૬
-સમ્યગ્દષ્ટિને-૧૦૩૯
–તીર્થકરને-૨૦૮ મિથ્યાત્વ–૮૧૭, ૮૨૦, ૮૨૯
–ના પ્રકાર-૮૨૩ થી ૮૨૮, ૮૪૩ –થી લાભ નુકસાન–૮૧૯, ૯૫૫
–ને ક્ષય-૮૨૧ મુનિ–૧૨૦૪
ના આચાર-૯૦૦, ૧૦૮૧, ૧૨૨૩, ૧૨૨૭, ૧૨૩૩,૧૨ ૩૪ -દ્રવ્યલિંગી–૧૩૮, ૧૬૦૯ -નું નમ્રપણું-૧૨૧૪, ૧૨૧૫ –ના ભેદ–૧૨૦૯ –ના મૂળગુણ–૧૧૮૯ –સ્થવિરક૯૫ અને જિનકલ્પ–૧૧૯૮. –ક્ષાન્ત અને દાન્ત–૧૨૦૫
–વળી જુઓ ગુરૂ, સાધુ, દીક્ષા મુમુક્ષુ-૧૧૨૨
–ને ઉપદેશ–૧૧૨૪ –નો નિશ્ચય–૧૧૨૭
–ને મત, ગ૭, નય ૩૯ મૂઢતા-૧૨૯૫, ૧૨૯૮ મૂર્તિપૂજા-૯૭૬ થી ૯૦૦ મૈત્રી ભાવ-૧૦૧૧ મેહ અને તૃણ-૮૪૪, ૮૪૫,
૧૧ ૩૭ મેક્ષ
–અન્ય માર્ગમાં-૪પ –આશીર્વાદથી–૧૪૧
Page #614
--------------------------------------------------------------------------
________________
પર
લબ્ધિ –૧૪૩થી ૧૪૭, ૧૫૫, ૧૫૬,
૧૫૬૬ લેશ્યા-૧૬૬૫થી ૧૬૭૪ લોક-અને અલક-૧, ૪૧૮, ૪૨૨,
૪૨૪ –ના બે-૪ર ૫ કાકાશ-૪૧૭
મેક્ષ–ને ઉપાય અને ક્રમ–૧૩૭,
૨૬૬, ૧૬૦૮, ૧૬૧૪ –ગમન–૨૯૦ –ગામી જીવોની સંખ્યા–૫૯૧ થી
પ૯૫ –માટે જાતિ અને મત-૧૪૫૮ –તેજનું તેજમાં ભળવું–૧૩૭૪ –ની શ્રેણી–૯૪૯
–માટે જ્ઞાન, તપ-૧૦૨૯,૧૫૯૬ મેક્ષ માર્ગ–
-નિશ્ચય અને વ્યવહાર–૧૬૨૮ –માં પુરૂષાર્થ–૧૭૩૮ –ના પ્રકાર-૪૪, ૪૫, ૯૬૨ –નાં સાધન–૨૪૧, ૨૭૬, ૯૧૮, ૯૧૯
ય યજ્ઞ-૩૦ યતિ–૧૨૦૬ ગિ–૬૮૫થી ૬૮૮ યોગી–૧૨૦૭
વજઋષભવનારાસંધયણ-૩૩૫ વચનના ભેદ-૧૧૫૬થી ૧૧૬૫ વંદન-સમ્યગ્દષ્ટિને-૧૩૨૭ વાતાવલય-૨૫ વાસુદેવ-૧૮૨ વિસ્થા-૭૦૧ વિદેહક્ષેત્ર-૧૯૩, ૨પર વિનય-૧૨૯૬ વિપર્યાસ-બુદ્ધિ-૮૩૦ વિરતિ-૬૯૦ વિશ્વ–૩૪૯ વીતરાગતા અને ઉદાસીનતા-૧૨૨ વીતરાગ માર્ગમાં અરૂચી-૨૭૦ વેદ-૬૮૯ વૈદક સમ્યકત્વ–૧૩૩૧ વૈરાગ્ય૧૨૫, ૧૦૨૦, ૧૦૨૭,
૧૧૬૪, ૧૨૩૫ વ્યતિક્રમ-૧૧૧૦ વ્યવહાર રાશિ જવ–૨૬૦ વ્યવહાર સમ્યફ ચારિત્ર-૧૧૪૭ થી ૧૧૪૯
રાગ-૭૭૯, ૯૩૭, ૧૧૩૫, ૧૧૩૮,
૧૪૭૮ રાગદેષ-કર્મ જનીત,વજનીત–૧૪૬૭
–જીવ કે પુદ્ગલનાં–૧૪૬૨
-પ્રાથમિંક ભૂમિકામાં ૧૪૬૩ રાત્રિભોજન ત્યાગ-૧૦૭૭ રૂચક પ્રદેશો-૧૪૮૭ રૂચિ અનુયાયી વીય–૧૩૪૭ રૌદ્ર ધ્યાન-૧૫૦૦, ૧૫૦૧
Page #615
--------------------------------------------------------------------------
________________
વ્યસન-૮૩૧
વ્રત-૯૨૭, ૯૩૯, ૯૪૨, ૯પર, ૧૦૪૦થી ૧૦૪૩
વ્રત-અણુવ્રત-૧૦૪૪
-અણુવ્રતના અતિયાર-૧૦૫૧ થી
૧૦૫૪, ૧૦૬૧
-ગુણવ્રત-૧૦૪૫, ૧૦૬૪ -ગુણવ્રતના અતિચાર-૧૦૪૬, ૧૦૬૨ થી ૧૦૬૫
-શિક્ષાવ્રત–૧૦૪૭, ૧૦૪૮ —શિક્ષાવ્રતના અતિયાર–૧૦૬૬
થી ૧૦૬૯ -સલ્લેખના/સંથારા--૧૦૫૦, ૧૭૭૮ થી ૧૭૮ ૬ --સલ્લેખનાના અતિચાર–૧૭૮૭
--સાગાર–૧૦૪૧
શ
શબ્દપર્યાયના ભેદ-૩૮૫ શરીર-૩૨૩, ૩૩૦ થી ૩૩૩ –ના પાંચ પ્રકાર–૩૧૮, ૩૨૪થી
૩૨૯
–માં પીડા–૩૩૭
—ના મળદ્વાર–૩૩૯
શલાકા પુરૂષ-૧૭૩ થી ૧૮૫
શલ્ય-૮૪૩
શાસ્ત્ર-૫૯, ૮૮૮
શાશ્ત્રાભ્યાસ-૬૦, ૬૧, ૧૫૭૨, ૧૫૭૪ થી ૧૫૭૬
–અર્થ કરવાની રીત–૧૩૫૬ શાંતિના અનુભવ–૬૮૦
૫૩
શાંતિ-એમ શાંતિને અર્થ-૯૯૪થી
૯૯૬
શિક્ષણ-૧૧૨૯, ૧૧૩૦ શુકલધ્યાન—૧૫૦૯, ૧૫૧૦, ૧૬૭૩ શુભકાર્યોં–૯૪૩
શુભ રાગ–૫૩૭ –એકેન્દ્રિયને–૧૬૭૫
-ધર્મના ક્રમ-૯૪૭, ૯૪૮
-ધર્મનું સાધન–૯૪૪, ૯૪૫,
૯૪૬, ૯૫૭
-પરિણામ-૫૩૪, ૯૩૪ -મેાક્ષનુ કારણુ–૯૩૭, ૧૦૨૮,
૧૪૫૭
શુષ્ક અધ્યાત્મી–૯૨૪ શેખર સુરિ–૬૭ શૈલેશી અવસ્થા-૮૧૬
પટ્ટ ન—૧૪૫૯
સ
સપુરૂષ-૧૨૪૧ થી ૧૨૪૪ સત્ય-૧૦૮૨ થી ૧૦૮૪ સત્સંગ-૧૨૫૬, ૧૨૫૭ સતગુરૂ-૧૨૪૫, ૧૨૫૧, ૧૨પર સદાચાર−૧૦૨૮, ૧૦૩૧ સર્પને કરડવા દેવા કે મારવા ?
૧૬૧૬ સપ્તભ’ગી–૧૬૫૭
સમકિત સમ્યક્ત્વ-સમ્યગ્દર્શન-૧૨ ૬૬ થી ૧૨૬૮, ૧૨૭૮, ૧૨૭૯
Page #616
--------------------------------------------------------------------------
________________
૫૪
સમકિત-અન્યગતિમાં–૧૬૮૧ –ને અનુભવ-૧૨૯૦, ૧૨૯૧, ૧૩૧૫ માટે અભ્યાસ–૧૩૦૫, ૧૩૧૨, ૧૩૧૩ -ના અંગ, લક્ષણ–૧૩૦૨, ૧૩૦૯ –અને ચારિત્ર–૧૩૧૯ –ની જાણ–૧૩૧૬, ૧૩૧૭ –જુદા જુદા ગુણસ્થાને-૧૩૨૭ -ના બે પ્રકાર-૧૨૭૨ –ને છ પ્રકાર-૧ર૭૬, ૧ર૭૭, ૧૩૩૦ થી ૧૩૩૨ -નું પ્રગટ ન થવું -૧૨૮૨, ૧૨૮૪ ૧૩૧૪ –ની પ્રાપ્તિ–પર૫, ૮૨૨, ૧ર ૬૯, ૧૫૮ ૦. - મહિમા–૧૨૭૦, ૧૩૦૭, ૧૫૭૯ -અને મુનિદશા–૧૨૮૧ -થી લાભ–૧૨૭૧, ૧૩૦૮, ૧૩૨૮ –વખતે વિચાર-૧૩૧૮, ૧૫૩૦ -નું વમવું-૧૨૭૫ સમકિતી–સમ્યકત્વી–સમ્યગ્દષ્ટિ –
–ના આઠ અંગ–૧૨૯૩ –ને કષાય-૬૭૦, ૧૩૦૬ -ની ગતિ-૧૨૭૪ –ના ગુણ–૧૨૯૪ -માં દોષને અભાવ-૧૩૦૧
| સમકિતિ–ને નિર્જરા–૫૭૫, ૧૩૦૪
–ની પ્રતીતિ–૧૩૨૪, ૧૩૨૫, ૧૪૪૮ –ને મેક્ષ-૧૨૭૩ -નું વર્તન–૧૨૯૨ –ને શુદ્ધોપયોગ–૧૪૫ર સમભાવ-૧૧૪૦, ૧૧૪૧ સમય-૮૬, ૪૪૬, ૧૩૫૫ સમારંભ-૧૧૫૪ સમવાય-૧૬૦૪, ૧૯૦૫ સમ્યફ ચારિત્ર-૧૦૩૧ થી ૧૦૩૪,
૧૨૮૦ સમ્યફ મોહનીય–૬૫૮ સમ્યજ્ઞાન–
–ની આરાધન–૧૩૨ ૦ -નું ગુણસ્થાનક-૮૨૨ –અને ચારિત્ર–૧૨૮૩ –માં નિશ્ચય વ્યવહાર–૧૫૯૮. –નું ફળ-૧૫૯૫
–માં રૂકાવટ-૧૫૭૮ સમાધિમરણ-૧૭૭૯ થી ૧૭૮૨ સમિતિ-૧૧૭૦, ૧૧૭૧
–અને ગુપ્તિ-૧૧૭૪ સમુદ્યાત–૧૪૦૮ થી ૧૪૧૬ સમુષ્ઠિમ મનુષ્ય–૨૭૫ સલ્લેખના/સંથારો-૧૦૫૦, ૧૭૭૮,
૧૭૮૪, ૧૭૮૬ -અને આત્મહત્યા-૧૧૪૫, ૧૧૪૬ સ્ત્રીને મુનિપણું–૧૨૧૬ –ને મેક્ષ–પ૯૯, ૬૦૦
Page #617
--------------------------------------------------------------------------
________________
૫૫
સિદ્ધ–
સ્થાપના નિક્ષેપ-૧૬૬૪
સાધુ–નો આદેશ, ઉપદેશ–૧૨૨૪. સ્થાનકવાસી–૫૫
૧૨૨૫ સ્યાદવાદ-૮૯૩, ૧૬૫૫ થી ૧૬૫૮
અને આશીર્વાદ–૧૨૨૯ - સ્વચતુષ્ટય–૧૪૮૨
–માં ઝાંખપ-૮૭૭ સ્વછંદ અને પ્રતિબંધ–૧૫૧૨
–નો પરિગ્રહ-૧૨૨૮ સ્વચ્છતા–૧૮૧
-વર્તમાનકાળના–૧૨૬૩ સ્વ–૨૪૪, ૨૪૫
-સાધુપણાને ત્યાગ-૮૮૨ સ્વસ્તિક-૧૦૦૭
-સ્નાનને નિષેધ-૧૨૧૯, ૧૨૨૦ સ્વાધ્યાય-૧૩૨
સામાયિક-૭૩, ૧૦૭૦ થી ૧૦૭૨ સંકલેશ સ્થાન–૧૭૦૭
સાસ્વાદન સમ્યકત્વ-૧૩૩૦ ધ–૩૮૩, ૪૦૧, ૪૦૫, ૪૦૬
સાંપરાયિકી ક્રિયા–૧૧૯૯, ૧ર ૦૨ સંખ્યાતા-૨૬ સંધ-૪૭, ૭૧ :. સંયમ–૯૦, ૬૪૩
–આકાર, અવગાહના–૨૨૩, ૨૩૭
થી ૨૪૦ –અને જ્ઞાન–૧૦૩, ૧૦૪
-ના આઠ ગુણ–૨૧૭ –ના પ્રકાર–૯૧ યમ, નિયમ–૧૦૧૯
–ને કર્મબધ–૧૬૭૯ સંયમલબ્ધિ સ્થાન–૧૭૦૯
–ને જન્મ જરાને અભાવ–૨૮
–જીમાં ભેદ-૨૧૮ સંસાર-૭૮૬, ૮૬૧, ૧૨૩૬, ૧૨૩૭ –ને આરંભ, અંત–૨૪૯
–નું પરિણમન–૧૩૭૫ સંસ્થાન ભેદ-૩૯૪, ૩૯૫
–ને ફરી અવતાર–૨૩૫ સંહસંબુદ્ધ–૧૮૦
–નું શરીર–૨૨૨, ૨૨૪ સંજ્ઞા–૨૯૭, ૩૩૮
–અને સંસારી આત્મા-૬૨૩ થી
૬૩૦ સંજ્ઞી જીવ–૨૫૪ સાગરેપમ–૨૨૭, ૪૪૯
–નું સુખ-૨૨૫ થી ૨૨૯ સાદિ અનંત–૫૦૭
સિદ્ધશીલા–૮, ૨૨, ૨૩૬, ૪૮૫, સાદિ સાંત–૫૦૭
૫૮૮ સાધુ–૧૨૦૨
સિદ્ધક્ષેત્ર-૨૧૯ થી ૨૨૧, ૨૩૦ થી –અન્યનામ-૧૨૦૮
૨૩૪, ૧૪૦૬ . –ના આચાર-૮૭૮, ૧૧૮૮,
સિદ્ધિના પ્રકાર-૧૪૫. . . . ૧૨૧૮, ૧૨૨૧, ૧૨૨૬, ૧૨૩૦ | સુકથા-૭૦૨ .
Page #618
--------------------------------------------------------------------------
________________
સૂત્રના નામ ૫૪ –અને સિદ્ધાંત–૫૭ સમત્વ–૩૯૧
શ્ર
શ્રાવક–૧૦૩૬, ૧૦૩૭ -ના ગુણ-૧૦૭૮, ૧૦૮૦
-છ આવશ્યક-૧૦૭૫ તિય ચ શ્રાવક–૧૦૩૮
–ના નિયમ-૧૦૭૪ -અને ધંધા-૮૬૪ થી ૮૬૬ –ની પ્રતિમા–૧૦૯૬
—ના ભેદ-૮૭૦ થી ૮૭૫
—ના લક્ષણ-૧૦૭૯
–ના વિચાર–૮૮૦
–માટેના વ્રત–જુએ વ્રત શ્રીમદ્ રાજચંદ્ર–૫૧, પર, ૧૬૪૯ શ્રુત દેવળી−૮૨
શ્રુત જ્ઞાન-છઠ્ઠું
શ્રેણી-૧૬૯૭ થી ૧૭૦૦
હ હિંસા-૧૦૧૨, ૧૦૧૩ -પરાપકારી–૧૦૦૮
હિંદુ ધર્માંના ચાર યુગ-૪૫૭ હેમચંદ્રાચાર્ય –૬૩ થી ૬૫ ક્ષ ક્ષેપક કોણી-૧૭૦૦ ક્ષમા-૧૧૯૧ ક્ષયેાપશમ-૮૮૫ થી ૮૮૭ -સમ્યક્ત્વ-૧૨૭૬
—–અને ક્ષય–૧૪૩૨, ૧૪૩૯ ક્ષાયેાપશમિક ભાવ—૧૪૩૧, ૧૪૪૩ ક્ષાયક–૬૭૬
ક્ષાયિક ભાવ–૧૪૩૦, ૧૪૪૨ ક્ષાયિક સમ્યક્ત્વ–૧૨૭૬
૫૬
શ
જ્ઞાન-૭૪ થી ૮૫
–ના અર્થ-૯૨ થી ૯૪, ૧૦૦થી ૧૦૨, ૧૧૨
-અને અનુભૂતિ-૧૨૬
—ઇન્દ્રિય જ્ઞાન-૧૧૮, ૧૩૬૪,૧૩૬૫ —ઉપદેશ અને સિદ્ધાંત જ્ઞાન–૧૨૧ થી ૧૨૪ -અને ચારિત્ર–૧૦૨૩
-તીય ઇંચ અને મનુષ્યતે–૧૩૨૬ -પરાક્ષ જ્ઞાન–૧૨૦ -- ફળ-૯૫ –ખીજભૂત, વૃક્ષભૂત-૧૧૭ –મેાક્ષના ઉપાય–૯૯
-નુ` લક્ષણ–૧૫૯૪
–અને લિંગ–૧૧૬ –અને વિદ્વતા-૧૧૫ વિભગ જ્ઞાન–૧૧૦, ૧૧૧
દાન
–અને વૈરાગ્ય, સંયમ-૯૦, ૯૮, ૧૦૩ થી ૧૦૭
થતાં સંસારના અભિગમ–૯૬,૯૭ -ક્ષાપશમ-૬૪૦
જ્ઞાન ક્રિયાભ્યામ્ મેાક્ષ-૯૫૬, ૮૮૯ નાની~~
~નું અતુ વપણુ−૧૪૮૫ અને અજ્ઞાની–૧૨૪૮ -ને આશ્રય–૧૨૫૩
–ની ઓળખાણુ–૧૨૪૨, ૧૨૫૪, ૧૨૫૫
—–ની કરણી અને કથની—૧૨૫૦,
૧૭૪૮
–ને ધનની ઇચ્છા−૧૪૮
–ના બાહુઆચાર–૧૨૪૭ --અને શાસ્ત્રાભ્યાસ-૧૨૧૦ –ને શુભ ભાવ–૯૪૪ –અને સિદ્ધિયાગ–૧૫૧
Page #619
--------------------------------------------------------------------------
________________
જિનેશ્વરને એવું કોઈ પણ કારણ નહોતું કે જે નિમિત્તે તેઓ મૃષા કે પક્ષપાતી ધે, તેમ તેઓ અજ્ઞાની ન હતા, કે એથી મૃષા બાધાઈ જવાય, જૈન પ્રવર્ત કોએ મને કઈ ભૂરથી દક્ષિણા આપી નથી. તેમ એ મારા કંઇ કુટુંબ પરિવારી પણ નથી કે એ માટે પક્ષપાતે હું ક ઈ પણ તમને કહું પ્રિય ભવ્યો, જૈન જેવું એક કે પૂર્ણ અને પવિત્ર દર્શન નથી, વીતરાગ જે એક કે દેવ નથી, તરીને અન'ત દુઃ ખથી પાર પામવું હોય તે એ સર્વજ્ઞ દર્શનરૂપ ક૯૫વૃક્ષને સેવે ?”
- શ્રીમદ્ રાજચંદ્ર
Page #620
--------------------------------------------------------------------------
________________ * | = પ્રશ્નો -- * આત્મા છે ? તે હોય તે દ્રષ્ટિમાં કેમ આવતો નથી ? * ધર્મ એટલે શું ? મોક્ષનો ઉપાય શું ? ઈશ્વર છે ? શું ઈશ્વરે જગત બનાવ્યું છે ? રોમ અને કૃષ્ણ ઈશ્વરના અવતાર હતા ? * મંત્રસિદ્ધ, જાપ વગેરેથી ચમત્કાર સંભવે છે ? = ધ્યાન, ધર્મધ્યાન અને આત્મધ્યાનમાં શું ફેર છે ? જે બધા જીવ મોક્ષે જાય તે સંસાર ઉચછેદ ન થઈ જાય ? BYદેવ, દેવીઓ, યક્ષ આદિની પૂજા કાર્યકારી છે ? તેઓ આપણને મદદ કરે ? જિનમાર્ગ સિવાય બીજા કોઈ માર્ગમાં મોક્ષમાર્ગ હોય છે ? જીવ અથવા પરમાણુ નવા ઉત્પન્ન થાય છે ? આત્મા એક છે કે અનેક ? પ્રતિકૂળતામાં કયાંય માર્ગ ન સૂઝે ત્યારે શું કરવું ? રાગદ્વેષ જીવપ્રેરિત છે કે કર્મજ નિત ? . શું ધર્મ અને પુણ્ય એક જ છે ? તે બનેમાં કાંઈ ફેર છે? દુનિયાની છેવટ શી સ્થિતિ થશે ? દુનિયાનો પ્રલય છે ? નકાર મંત્ર કોણે બનાવ્યે ? સ્વસ્તિક ચિહનો શું અર્થ છે ? માનસ્તંભ એટલે શું ? નરક એટલે માત્ર ભય બતાવવા પૂરતી જ વાત છે ને ? ખૂન કરીને પણ અદાલતમાં કેમ છૂટી જાય છે ? શાંતિ શાંતિ” શબ્દોના અર્થ શું છે ? નવકારવાળી (માળા) માં એકસો આઠ પારા કેમ છે ? આ પ્રશ્નો ઉપરાંત આવા બીજા કેટલાયે ઉપયોગી પ્રશ્નોના 4. જવાબે આ પુસ્તકમાં છે. > > > > <> > > <> >