SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ ૬૦૮ પ્ર. દ્રવ્યકર્મ–ભાવકર્મની પરંપરા કેમ તૂટે અને મોક્ષમાર્ગ કેવી રીતે સધાય ? ઉ. કર્મને બંધ સદાકાળ સમાન રહ્યા ન કરે, તેથી તેને ઉદય પણ મંદ-તીવ્ર થાય છે. વળી જ્યારે કર્મને ઉદય તીવ્ર હોય ત્યારે પુરુષાર્થ થઈ શક નથી. ઉપરના ગુણસ્થાનેથી પડી જાય છે, પરંતુ જ્યાં મંદ ઉદય હોય તે પુરુષાર્થ કરે તો કર્મને નાશ થાય છે. ૬૦૯ પ્ર. પૂર્વ કર્મ કેટલા પ્રકારનાં છે ? ઉ. પૂર્વ કર્મ બે પ્રકારનાં છે, અથવા જીવથી જે જે કર્મ કરાય છે તે બે પ્રકારથી કરાય છે. એક પ્રકારનાં કર્મ એવાં છે, કે જે પ્રકારે કાળાદિ તેની સ્થિતિ છે, તે જ પ્રકારે તે ભેગવી શકાય. બીજો પ્રકાર એ છે, કે જ્ઞાનથી, વિચારથી કેટલાંક કર્મ નિવૃત્ત થાય. જ્ઞાન થવા છતાં પણ જે પ્રકારનાં કર્મ અવશ્ય જોગવવા યોગ્ય છે તે પ્રથમ પ્રકારનાં કર્મ કહ્યાં છે; અને જે જ્ઞાનથી ટળી શકે છે તે બીજા પ્રકારનાં કર્મ કહ્યાં છે. ૬૧૦ પ્ર. પૂર્વ કર્મનું નિબંધન શી રીતે જણાય ? ઉ. ન ગમતું એવું ક્ષણવાર કરવાને કઈ ઈચ્છતું નથી, તથાપિ તે કરવું પડે છે એ એમ સૂચવે છે કે, પૂર્વકર્મનું નિબંધન અવશ્ય છે. ૬૧૧ પ્ર. શું કેવળજ્ઞાનીને પણ કર્મ ભોગવવાં જ પડે? ઉ. જ્ઞાનાદિ પુરુષાર્થ ધર્મે નિવૃત્ત થાય એવા કર્મની નિવૃત્તિ જ્ઞાની પુરુષ કરે છે, પણ ભેગવવા ગ્ય કર્મને જ્ઞાની પુરુષ સિદ્ધિ આદિ પ્રયત્ન કરી નિવૃત્તિ કરવાની ઇચ્છા કરે નહીં. દેહનું રહેવું એ કેવળજ્ઞાનીની ઈચ્છાથી નથી, પણ પ્રારબ્ધથી છે, એટલું સંપૂર્ણ જ્ઞાનબળ છતાં પણ તે દેહસ્થિતિ વેદ્યા સિવાય કેવળજ્ઞાનીથી પણ છૂટી શકાય નહીં, જોકે તેવા પ્રકારથી છૂટવા વિષે કઈ જ્ઞાની પુરુષ ઈચ્છા કરે નહીં. ૬૧૨ પ્ર. આઠ કર્મોના સ્વભાવ, દાખલા આપી સમજાવો. કર્મથી ભ્રાંતિથી અથવા માયાથી છૂટવું તે મોક્ષ છે. એ મોક્ષની પદવ્યાખ્યા છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy