SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬૬ કર. અળગે થઈ નિશ્ચયાત્મક બન કે તું સચ્ચિદાનંદ છે. એટલા માટે હવે નિજ સ્વભાવમાં રમણ કરવું તે જ મને શ્રેયસ્કર છે. છે જે જીવે છે તે મરતો નથી અને જે મરે છે તે સદા જીવિત રહેતું નથી, અર્થાત આત્મા અવિનાશી છે અને શરીર વિનાશી છે. તેથી મૃત્યુ માત્ર શરીરને ગ્રાસ કરી શકે છે, નહિ કે આત્માને. જ્યારથી શરીર ઉત્પન્ન થયું છે ત્યારથી ક્ષણે ક્ષણે તે ક્ષીણ થઈ રહ્યું છે. પરંતુ હું તે જે હતો તે જ છું અને હોઈશ.. મૃત્યુ મને પ્રાપ્ત થયું નથી, થતું નથી, થશે નહિ; આવો નિશ્ચય જે મને સમ્યજ્ઞાન દ્વારા થઈ ચૂક્યું છે તેને મૃત્યુને ભય કદાપિ. હોતે જ નથી. ૦ ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં જેઓએ ઉત્તમ એવાં સ્વર્ગ અને મોક્ષનાં સુખ પ્રાપ્ત કર્યા છે, કરે છે અને કરશે તે બધે સમાધિ. મરણને જ પ્રતાપ છે એમ જાણવું જોઈએ. કેમકે સમાધિમરણ સિવાય સ્વર્ગ મોક્ષનાં સુખ પ્રાપ્ત થતાં નથી. માટે હે સુખાથી આત્મન ! તારે પણ સમાધિમરણ કરવું ઉચિત છે. ૦ રે જીવ ! જે આ રોગના ઉદયથી તું ગભરાતો હોય, તે તું હવે બાહ્યોપચારનો પ્રતિત્યાગ કરી દે. કેમકે આ રોગ કર્માધીન છે, પરં તુ સર્વ રોગોના અને તેની અચૂક ચિકિત્સાના જ્ઞાતા શ્રી. જિનેન્દ્ર ભગવાનરૂપ પરમવૈદ્યની બતાવેલી પરમૌષધિ સમાધિ મૃત્યુરૂપી છે. તેનું સાચા દિલથી સેવન કર કે જેથી આધિ, વ્યાધિ. ઉપાધિરૂપ સર્વ દુઃખે સમૂળ નાશ પામી અનંત, અક્ષય, અજરામર, અવ્યાબાધ મોલનાં સુખ પ્રાપ્ત થઈ શકે છે. • જેવી રીતે ગજસુકુમારજીના મસ્તક ઉપર સોમિલ બ્રાહ્મણે અંગારા ભર્યા તેની મહાવેદના સહી. સ્કંદજીને શરીરની સવ ચામડી તેમના. બનેવીના અનુચરોએ ઉતારી લીધી તેની મહાદના તેઓ એ સમભાવે વેઠી. (આ સ્કંદજી મહાવીર સ્વામીના સમયમાં થયા) સ્કંદજીના ૫૦૦ શિષ્યોને પાલક પ્રધાને ઘાણીમાં પીલ્યા તેની મહાવેના સહી.. (આ સ્કંદજી શ્રી મુનિસુવ્રત સ્વામીના વખતમાં થયા) ઈત્યાદિ મહાપુરુષોએ તીવ્ર વેદનાના ઉદય સમયે સમભાવ રાખે તે તેમણે તત્કાલ મુક્તિ પ્રાપ્ત કરી લીધી. તેવી જ રીતે તું પણ સમભાવ રાખીશ તે તારું પણ શીધ્ર આત્મકલ્યાણ થઈ જશે તેમાં સંશય નથી.. 0 કમને બદલે દેવાને સમયે તું સમર્થ થઈને મોટું શા માટે છુપાવે. છે ? વ્યાજ શા માટે વધારે છે ? સધળાં દેવાંને શીધ્ર ચૂકાદે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy