SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૫ ધન્ય છે ભાવલિંગી સાધુની દશાને કે જેને “નમો લોએ સવ્વ. સાહણ” બોલતાં સમયે ગણધરદેવના પણ નમસ્કાર પહોંચે છે. જો કે નમસ્કારને વિકલ્પ ઉત્પન્ન થયે તેના ગણધરદેવ સ્વામી નથી. ગણધર મહારાજ બહારથી વંદન ન કરે, તે બાહ્ય વ્યવહાર છે; અંદર ભાવમાં પંચપદને નમસ્કાર કરતી વખતે સાધુને નમસ્કાર આવી જ જાય છે. કોઈ સાધુ બે ઘડી પહેલાં નવા ભાવલિંગી. સાધુ થયા હોય, ત્રણ કષાયને નાશ કરીને આત્મરમણતા પ્રગટ કરી હોય, તે સાધુને ગણધરદેવ, જેને કે લાખો વર્ષ પહેલાં મુનિ. દશા પ્રગટ કરી છે, તે પણ ભાવથી નમસ્કાર કરે છે. ગણધરના નમસ્કાર જેને પહોચે, તે સાધુની ગણના (પંચ) પરમેષ્ઠીમાં હોય છે. મિથ્યાદષ્ટિ દ્રવ્યલિંગી (સાધુ) ને ગણધરના નમસ્કાર નથી. પહોંચતા, તેથી તે (પંચ) પરમેષ્ઠીમાં નથી ગણાતા. “સાધુ, બનવું સરળ છે, પણ સાધુ થવું મુશ્કેલ છે.” કપડાં ઉતારી, ક્રિયાકાંડ અને વ્રત લઈ લીધાં એટલે બહારથી સાધુ બની ગયા, પણ ખરેખર સાધુ “થવું", સાધુ ભાવથી પરિણમવું મુશ્કેલ છે.. આ કાળમાં જ્યાં સમ્યદર્શન જ દુર્લભ થઈ ગયું છે ત્યાં સાધુ-- પણું તે કોઈ અલૌકિક વસ્તુ છે. ૧૨૦૩ પ્ર. ઋષિ કોને કહે છે ? ઉ. ઋષિ =બહુ ઋદ્ધિ ધારી હોય તે. ઋષિના ચાર ભેદઃ (૧) રાજ, (૨) બ્રહ્મ, (૩) દેવ, (૪) પરમ. રાજર્ષિ=ઋદ્ધિવાળા, બ્રહ્મર્ષોિ=અક્ષીણ મતની ઋદ્ધિવાળા. દેવર્ષિ આકાશગામી મુનિદેવ. પરમર્ષિ=કેવળજ્ઞાની. ૧૨૦૪ પ્ર. મુનિ કોને કહેવાય ? ઉ. જેને અવધિ, મન ૫ર્યજ્ઞાન હોય તથા કેવળજ્ઞાન હોય તે ઘણું કરીને પ્રજન વિના બોલે જ નહીં, તેનું નામ “મુનિપણું.” મુનિદશા અર્થાત કેવળજ્ઞાનની તળેટી. નગ્ન એ “આત્મમગ્ન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy