SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ આત્માનું ધ્યાન ધરે છે એનું એ પ્રત્યાખ્યાન નામનું આવશ્યક છે. આ છે આવશ્યક પરમાગમમાં છ છ પ્રકારે કહ્યા છે. નામ, સ્થાપના, કવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. એ છ ભેદે દરેક આવશ્યક જાણવા યોગ્ય છે. ૧૦૧૯ પ્ર. યમ, નિયમ અને સંયમમાં શું ફેર છે ? ઉ. યમ : આખા જીવન માટે જે વ્રત લેવામાં આવે તે, જેમકે પાંચ અણુવ્રત કે મહાવ્રત. નિયમ : જે થોડા વખત માટે ખાસ નિયમ કરીએ તે-જેમકે મૌન, ઉપવાસ વગેરે-વ્રત કરતાં નિયમ વધુ પૂર્ણ રીતે પાળવાના હાય છે. સંયમ : પાંચ ઈદ્રિય ને છઠ્ઠા મનના નિગ્રહરૂપ એમ છ પ્રકારે અને છકાય જીવની રક્ષા મળી ૧૨ પ્રકારે પાળે-આત્માને રૂડી રીતે કાબૂમાં રાખવો એનું નામ સંયમ છે. (સંયમ એટલે દીક્ષા).. પાંચ વ્રત ધારણ કરવાં, પાંચ સમિતિ પાળવી, ચાર કષાયોને રોકવા, ત્રણ કે તેમને દંડ, વચન દંડ, કાય દંડ)ને ત્યાગ કરે અને પાંચ ઈન્દ્રિયોને ય કરવો; તેને વીતરાગ ભગવાને સંયમ કહ્યો છે. મન, વચન, કાયાની અશુભ પ્રવૃત્તિને દંડ કહેવાય છે. નરક, તિર્યંચ અને દેવગતિમાં તે સંયમ હોય નહીં; કઈ તિર્યંચને દેશવત પિતાના પર્યાય પ્રમાણે કદાચિત હોય છે. ૧૦૨૦ પ્ર. ત્યાગ અને વૈરાગ્યમાં શું ફેર ? ઉ. ત્યાગ એટલે કાઈ બાહ્ય વસ્તુ અથવા અંતરને વિભાવભાવને છોડવા તે. અને વૈરાગ્ય એટલે વિરાગ રાગ નહીં તે. એટલે આસક્તિ રહિત થવું. સંસાર, શરીર અને ભેગ એ ત્રણેથી ઉદાસીનતા, તે વૈરાગ્ય. વસ્તુ છેડે પણ આસકિત રહે એમ બને. જે આસકિત એટલે રાગને દૂર કરે તે જ તે વસ્તુને ત્યાગ ટકે. તેથી આસકિત છે ત્યાં સુધી ખરે ત્યાગ નથી. આત્મપરિણામથી ખાણ મૂત્ર મળની, રેગ જરાનું નિવાસનું ધામ, કાયા એવી ગણીને, માન ત્યજીને કર સાર્થક આમ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy