SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૭ જેટલો અન્ય પદાર્થને તાદામ્ય અધ્યાસ નિર્ત તેને શ્રી જિન ત્યાગ કહે છે. ૧૦૨૧ પ્ર. ત્યાગના કેટલા પ્રકાર છે ? ત્યાગ અને વૈરાગ્યને પૂર્વાપર સંબંધ છે ? ઉ. ત્યાગના બે પ્રકાર છે. એક બાહ્ય અને બીજો અત્યંતર. તેમને બાહ્ય ત્યાગ તે અત્યંતર ત્યાગને સહાયકારી છે. ત્યાગ સાથે વૈરાગ્ય જોડાય છે, કારણ કે વૈરાગ્ય થયે જ ત્યાગ થાય છે. ૧૦૨૨ પ્ર. ઉદાસીનતા અને વિતરાગતા એક જ છે કે ફેર છે ? ઉ. વીતરાગતા હોય ત્યાં રાગ ન હોય, રાગનાં કારણ દૂર કર્યા હોય. ઉદાસીનતામાં રાગ આદિનાં કારણ હોવા છતાં સત્પરુષના બધે કે પિતાની પ્રગટ થયેલી દશાએ રાગદ્વેષમાં તણાઈ ન જવાય તેવી દશા સમજવા યોગ્ય છે. (કઈ જ્ઞાનીઓએ ઉદાસીનતાને અર્થ વીતરાગતા પણું વર્ણવેલ છે.) ૧૦૨૩ પ્ર. જ્ઞાન પહેલાં પ્રાપ્ત કરવું કે વિષય ભેગ પહેલા ત્યાગવા ? જ્યાં સુધી જીવ વિષય ભેગને વશ હોય છે ત્યાં સુધી તે જ્ઞાનની પ્રાપ્તિ કરી શકતું નથી, અને જ્ઞાનને પ્રાપ્ત કર્યા વિના એકલી વિષય વિરક્તિથી ભૂતકાળનાં કર્મોને ક્ષય કરી શકાતો નથી. જ્ઞાન પ્રાપ્ત કરીને વિષય ભેગ તજ એ શ્રેષ્ઠ છે. તેમ જ ચારિત્ર વિનાનું જ્ઞાન નકામું છે. શાસ્ત્રને જ્ઞાતા હોય પણ જે વિષયમાં આસકત હોય તો તેનું શાસ્ત્રજ્ઞાન વૃથા છે. શીલ એ જ વિશુદ્ધ તપ છે. જ્ઞાન અને વૈરાગ્ય એકબીજાને પ્રોત્સાહન આપનારાં છે. જ્ઞાન વગરને વૈરાગ્ય તે ખરેખર વૈરાગ્ય નથી, પણ રુંધાયેલે કષાય છે. પરંતુ જ્ઞાન નહિ હોવાથી છવ કષાયને ઓળખી શકતા નથી. જ્ઞાન સહિતનું જીવન નિયમથી વૈરાગ્યમય જ હોય છે. ૧૦૨૪ પ્ર. અનશનાદિ તપથી નિર્જરા થાય ? ઉ. કેવળ બાહ્યતપથી તે નિર્જરા થાય નહિ. બાહ્યત: તે શુદ્ધોપયોગ વધારવા અર્થે કરવામાં આવે છે. શુદ્ધોપગ નિર્જરાનું કારણ છે જેના હૃદયને વિષે અણુમાત્ર પરદ્રવ્ય પ્રત્યે રાગ વર્તે છે, તે સર્વ આગમને જાણનાર હોય તો પણ “સ્વમય? નથી જાણતો એમ જાણવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy