SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ તેથી ઉપચારથી તપને પણ નિર્જરાનું કારણ કહ્યું છે. જે બાહ્ય દુઃખ સહન કરવું એ જ નિર્ધારાનું કારણ હોય તે પશુ વગેરે પણ ભૂખ-તૃષાદિ સહન કરે છે. ૧૦૨૫ પ્ર. એ તો પરાધીનપણે સહન કરે છે, પણ સ્વાધીનપણે ધર્મબુદ્ધિથી ઉપવાસ આદિ તપ કરે તેને તે નિર્જરા થાય છે ને ? ઉ. ઉપવાસના પ્રમાણમાં જે નિર્જર થાય તે નિર્જરનું મુખ્ય કારણ. ઉપવાસાદિક જ ઠરે, પણ એમ તો બને નહિ, કારણ કે–પરિણામ દુષ્ટ થતાં ઉપવાસ આદિ કરતાં પણ નિર્જરા થવી કેમ સંભવે ? અહીં જે એમ કહેશે કે અશુભ-શુભ-શુદ્ધરૂપ ઉપયોગ પરિણમે તે અનુસાર બંધ નિર્જરા છે, તે ઉપવાસ આદિ તપ નિર્જરાનું મુખ્ય કારણ ક્યાં રહ્યું છે ત્યાં તે અશુભ-શુભ પરિણામ બંધના કારણુ ઠર્યા, તથા શુદ્ધ પરિણામ નિર્જરાનું કારણ કર્યું. (જુઓ, પ્રશ્ન-૧૧૧૩). ૧૨૬ પ્ર. તત્ત્વાર્થસૂત્રમાં “તપસા નિર્જરા ચ” એમ શા માટે કહ્યું છે ? ઉ. શાસ્ત્રમાં “ઈચ્છા નિરાધતપ:” એમ કહ્યું છે. ઈચ્છાને રોકવી. તેનું નામ તપ છે. શુભ અશુભ ઈચ્છા, ભાવો મટતાં ઉપયોગ શુદ્ધ થાય છે ત્યાં નિર્જરા થાય છે તેથી તપ વડે નિજર કહી છે. જ્યાં કષાય, વિષય અને આહારને ત્યાગ કરવામાં આવે છે તેને ઉપવાસ જાણો, બાકીનાને શ્રી ગુરુ લાંઘણ કહે છે. તપ તે જગતમાં ઘણું કરે છે, પણ સમ્યફદષ્ટિને જ સકામ નિર્જરા થાય. છે. તપથી નિર્જરા થાય એમ કહ્યું તે સમ્યકજ્ઞાન સહિત તપથી. સમ્યફપૂર્વકના તપ દ્વારા કર્મની નિર્જરા થાય છે તેને શુદ્ધ ઉપગ પણ કહેવાય છે. શુદ્ધ ઉપયોગમાં જીવની રમણતા થતાં, ઈચ્છાને નિરોધ થાય છે તે સંવર છે. જે સમયે ઈચ્છાને નિષેધ થાય છે તે જ સમયે સંવર' પ્રગટે છે. સંવર પ્રધાન કારણ છે. અને નિર્જરા ગૌણુ કારણ છે. સંવર વિના નિર્જરા થાય નહીં. જે સર્વ સંગ માત્રથી મુક્ત થઈ અનન્યમયપણે આત્મસ્વભાવમાં સ્થિત છે, નિર્મલ જ્ઞાતા-દષ્ટા છે તે ‘‘સ્વ–ચારિત્ર આચરનાર જીવ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy