SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૭ ૪૫૮ પ્ર. પુદ્ગલ પરાવર્ત એટલે શું ? ઉ. પુદ્ગલ=ઝીણામાં ઝીણાં રજકણથી માંડીને સ્કૂલમાં સ્કૂલ જે પુદ્ગલ તે સર્વમાં અગર તે સર્વથી જીવે પરાવર્ત = સમગ્ર પ્રકારે ફરવું કર્યું, સર્વમાં ભ્રમણ કર્યું, તે સર્વને લઈ લઈને મૂક્યા છે; મૂકી મૂકીને ફરી ફરીને લીધા છે. તે પણ સર્મપણે અને બાદરપણે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, એમ (એક પુદ્ગલ પરાવર્તનમાં) લીધા છે અને મૂક્યા છે. (એક પુદ્ગલ પરાવર્તનમાં) અનંત કાળચક્ર વહી જાય છે. અનંતા કાળચક્રે એક પુગલ પરાવર્તન થાય. ૪૫૯ પ્ર. આપણું જીવે સંસારમાં ભટક્તાં કેટલાં પુદ્ગલ પરાવર્તન કીધાં ? ઉ. અનંતાં. ૪૬૦ પ્ર. અવસર્પિણી એટલે ઉતરતા કાળના પાંચમા આરામાં, અત્યારે ચાલતા આરામાં કેવું વર્તન આ ભરતક્ષેત્રમાં હશે તે બાબત સપુરુષોએ શું કહ્યું છે ? ઉ. નિગ્રંથ પ્રવચન પરથી મનુષ્યોની શ્રદ્ધા ક્ષીણ થતી જશે. ધર્મનાં મૂળ તત્તમાં મતમતાંતર વધશે. પાખંડી અને પ્રપંચી માતાનું મંડન થશે, જનસમૂહની રુચિ અધમ ભણી વધશે. સત્ય, દયા હળવે હળવે પરાભવ પામશે. મેહાદિક દષની વૃદ્ધિ થતી જશે. દંભી અને પાપિષ્ટ ગુરુઓ પૂજ્ય થશે. દુષ્ટ વૃત્તિના મનુષ્ય પિતાના ફંદમાં ફાવી જશે. મીઠા પણ ધૂર્ત વકતા પવિત્ર મનાશે. શુદ્ધ બ્રહ્મચર્યાદિક શીલયુક્ત પુરુ મલિન કહેવાશે. આત્મિક જ્ઞાનના ભેદે હણતા જશે. હેતુ વગરની ક્રિયા વધતી જશે. અજ્ઞાન ક્રિયા બહુધા સેવાશે. વ્યાકુળ વિષયનાં સાધન વધતાં જશે. એકાંતિક પક્ષે સત્તાધિશ થશે. શૃંગારથી ધર્મ મનાશે. ૪૬૧ પ્ર. રાજ અને પ્રજાનું કેવું વર્તન હશે ? ઉ. ખરા ક્ષત્રિઓ વિના ભૂમિ શેકાગ્રસ્ત થશે, નિર્માલ્ય રાજવંશીઓ આત્મા કર્મકૃત (રાગાદિ અને શરીરાદિ) ભાથી અસંયુકત હોવા છતાં પણ અજ્ઞાનીઓને સંયુક્ત જે પ્રતિભાસે છે; તે પ્રતિભાસ ખરેખર સંસારનું બીજ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy