SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૪ પરિણમનમાં હું કાંઈ પણ ફેરફાર નથી કરી શકો ત્યારે તેને ઉપયોગ સહેજે જગતથી ખસીને આત્મસન્મુખ થાય છે. અને જ્યારે એ શ્રદ્ધા બને છે કે હું મારી ક્રમનિયમિત પર્યામાં પણ કેઈ ફેરફાર નથી કરી શકતા ત્યારે પર્યાય ઉપરથી પણ દૃષ્ટિ ખસી જાય છે અને સ્વ-સ્વભાવ તરફ ઢળે છે. મિથ્યાદષ્ટિ જીવ પરનું કર્તવ માને છે અને કર્તત્વની માન્યતાવાળે જીવ જ્ઞાતૃત્વની યથાર્થ ભાવના નથી કરી શકતો. કેમ કે કર્તવ અને જ્ઞાતૃત્વને પરસ્પર વિરોધ છે. ઊંડાણથી વિચાર કરવામાં આવે તે ક્રમબદ્ધ પર્યાયના નિર્ણયમાં જ અનંત પુરુષાર્થ આવી જાય છે. ક્રમબદ્ધ પર્યાયને નિર્ણય સ્વયં અનંત પુરુષાર્થનું કાર્ય છે. પરફ્તત્વના અહંકારની વાત કે જેને આ અજ્ઞાની જગત પુરુષાર્થ માની બેઠું છે, તે પુરુષાર્થ તે તૂટ જ જોઈએ કેમ કે એ સાચે પુરુષાર્થ જ નથી, તે તે નપુસંકતા છે. “ક્રમબદ્ધપર્યાયની સાચી શ્રદ્ધાનું ફળ તો કર્તાવને અહંકાર તૂટીને અંતર સન્મુખ સમ્યફ પુરુષાર્થનું જાગૃત થવું તે જ છે. ૧૭૪. પ્ર. સર્વજ્ઞ ભગવાને પોતાના કેવળજ્ઞાનમાં જેવું જોયું છે, તે જ થાય છે. જે આપણે તેમાં કાંઈ પરિવર્તન કરી શકતા નથી, તો પછી તેમાં પુરુષાર્થ ક્યાં રહેશે ? ઉ. સર્વજ્ઞ ભગવાને જેમ દીઠું છે તેમ જડ ને ચેતનમાં પરિણમે. થાય છે, છતાં તેમણે દીઠું છે તેથી યે દ્રવ્યમાં તેવાં પરિણામ થાય છે એમ નથી. દરેક પદાર્થ પોતાના કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, આપાદાન અને અધિકરણ એવી છે કારકપણે પરિણમે છે, એને પર્યાયક્રમ જ એવો છે. સર્વજ્ઞ ભગવાને પિતાના કેવળજ્ઞાનમાં જેવું જોયું હોય તેમ થાય છે તે તે માત્ર વાત કરવાને માટે કહ્યું, સર્વજ્ઞના કેવળજ્ઞાનને નિર્ણય નથી. સર્વજ્ઞ ભગવાનના કેવળજ્ઞાનના નિર્ણય કરનાર જ્ઞાનમાં ઉદ્યમ, બન, બુદ્ધિ ને, પ્રવાસ, દરિયો ભૂપ; પ્રૌઢ પૈસે પામે, એ ખટ સાધન રૂપ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy