SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ 1 to નિશ્ચયનયથી કાળ માત્ર પદાર્થને રૂપાંતર આપે છે, પર્યાયાંતર કરે છે. નિશ્ચયનયથી કઈ પણ પદાર્થ કઈ પણ કાળમાં નાશ પામે જ નહિ અને જે પદાર્થ કેવળ નાશ પામતા હોય, તે આજ કંઈપણ હોત નહિ, માટે કાળ ખાતે નથી પણ રૂપાંતર કરે છે. ૪૬૬ પ્ર. આ લોક કયા મૂળભૂત પદાર્થોથી બનેલું છે ? ઉ. પાંચ અસ્તિકાયના એકમેકાત્મકપણુથી આ “ક”ની ઉત્પત્તિ છે, અર્થાત “લેક” એ પાંચ અસ્તિકાયય છે તેથી ઉપરાંત માત્ર આકાશરૂપ અલક છે. ૪૬૭ પ્ર. પાંચ અસ્તિકાય કોને કહે છે ? ઉ. જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશ એ પદાર્થો પિતાના અસ્તિત્વમાં નિયમથી રહ્યા છે; પોતાની સત્તાથી અભિન્ન છે અને અનેક પ્રદેશાત્મક છે. અનેક ગુણ અને પર્યાચસહિત જેને અસ્તિત્વ સ્વભાવ છે તે “અસ્તિકાય.” તેનાથી લોક્ય ઉત્પન્ન થાય છે. ૪૬૮ પ્ર. અસ્તિકાયને વિશેષ સમજાવે ? ઉ. અસ્તિકાય એટલે પ્રદેશસમૂહાત્મક વસ્તુ. એક પરમાણુ પ્રમાણે અમૂર્ત વસ્તુના ભાગને “પ્રદેશ” એવી સંજ્ઞા છે. અનેક પ્રદેશાત્મક જે વસ્તુ હોય તે “અસ્તિકાય” કહેવાય. ૪૬૯ પ્ર. પંચાસ્તિકાયનું સ્વરૂપ સંક્ષેપમાં કહે. ઉ, (૧) પ્રત્યેકે પ્રત્યેક જીવ અસંખ્યાત પ્રદેશ પ્રમાણ છે તે છો અનંત છે. (૨) એક પરમાણુ એવા અનંત પરમાણુએ છે. પુદ્ગલ પરમાણુ જે કે એક પ્રદેશાત્મક છે, પણ બે પરમાણુથી માંડીને અસંખ્યાત અનંત પરમાણુઓ એકત્ર થઈ શકે છે, અને અનેક પ્રદેશાત્મકપણું તે પામી શકે છે, જેથી તે પણ અસ્તિકાયા કહેવા યોગ્ય છે. તે પરમાણુ, સંખ્યાત પરમાણુ, અસંખ્યાત પરમાણુ તથા અનંત પરમાણુ મળેલા એવા અનંતા કંધ છે. (૩) “ધર્મદ્રવ્ય” એક છે તે અસંખ્યાત પ્રદેશ પ્રમાણુ લોકવ્યાપક છે. (૪) અધર્મદ્રવ્ય” એક છે. તે પણ અસંખ્યાત પ્રદેશ પ્રમાણ લોકવ્યાપક છે. વખત અમૂલ્ય છે, એ વાત વિચારી આજના દિવસની ૨,૧૬,ooo વિપળનો ઉપયોગ કરજે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy