SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૯ ઉ. જેમાં અતીન્દ્રિય, ઈન્દ્રિયેથી અતિક્રાંત, વિષથી અતીત,ઉપમારહિત અને સ્વભાવિક, વિચછેદરહિત પરમાર્થિક સુખ હોય તેને મેક્ષ કહ્યો જાય છે. જેમાં આ આત્મા નિર્મળ, શરીર રહિત, ક્ષોભ રહિત, શાંત સ્વરૂપ, નિષ્પન્ન (સિદ્ધરૂ૫), અત્યંત અવિનાશી, સુખરૂપ કૃતકૃત્ય તથા સમીચીન સમ્યફજ્ઞાન સ્વરૂપ થઈ જાય છે તે પદને મોક્ષ કહીએ છીએ. સિદ્ધાંતથી મોક્ષ તે જીવ દ્રવ્યના બધા ગુણને સ્વભાવ અર્થપર્યાયા અને પ્રદેશત્વગુણને સ્વભાવ વ્યંજન પર્યાય છે. ૫૮૧ પ્ર. મોક્ષને ઉપાય અથવા ક્રમ બતાવો. ઉ. નિર્વાણ-મોક્ષની પ્રાપ્તિ કર્મને ક્ષય કરવાથી થાય છે, અને કર્મ ક્ષય શુદ્ધાત્માને ધ્યાનથી થાય છે. મોક્ષને અન્ય કોઈ ઉપાય નથી. મોક્ષ દુર્લભ નથી, દાતા દુર્લભ છે. જીવ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે શાંતપણામાં વિચરે તે અંતર્મુહૂર્તમાં મુક્ત થાય છે. મોક્ષ માર્ગ એ અગમ્ય તેમજ સરળ છે. મતભેદની કડાકૂટ જવા દઈ, આત્મા અને પુગલ વચ્ચે વહેંચણી કરી શાંત પણે આત્મા અનુભવવામાં આવે તે મોક્ષમાર્ગ સરળ છે અને દૂર નથી. પહેલાં તે આત્માને જાણે કે આ જાણનારે અનુભવમાં આવે છે (આવી શકે એ છે) તે હું છું. (ત જ્ઞાન). ત્યારબાદ તેની પ્રતીતિરૂપ શ્રદ્ધાન થાય (અનુભવમાં આવે; તે દર્શન.) વિના જાણ્યું નહિતર શ્રદ્ધાન કેનું ? પછી સમસ્ત અન્યભાવથી ભેદ કરીને પિતામાં સ્થિર થાય. (તે ચારિત્ર). દર્શન અર્થાત શુદ્ધ સ્વભાવનું અવલોકન (સમ્યક્ શ્રદ્ધા), જ્ઞાન અર્થાત શુદ્ધ સ્વભાવનું પ્રત્યક્ષ જાણપણું અને ચારિત્ર અર્થાત શુદ્ધ સ્વભાવમાં સ્થિરતા. તેમનાથી જ સાધ્યની સિદ્ધિ થાય છે. આ જ મોક્ષમાર્ગ છે, તે સિવાય બીજો કોઈ મોક્ષમાર્ગ નથી. જે પુરુષ, પહેલાં સમસ્ત પરવ્યને (ધર, પૈસા, સ્ત્રીપુત્રાદિ શરીર અને રાગાદિ ભાવ તે સર્વ પર દ્રવ્યને) ત્યાગ કરી નિજ દ્રવ્યમાં મૌનપણું એટલે સંકલ્પ-વિકલ્પ ન કરવા તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy