SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ પપ૧ બાળકની ઠોકરથી તે ઘડો ઢબકી જશે અને તેમાંથી બધું પાણી નીકળી જશે. હવે ગણિતની અપેક્ષાએ તેને અસમયમાં ખાલી થયે તેમ કહેવાશે અને ભવિષ્યજ્ઞાની અથવા વસ્તુસ્થિતિની અપેક્ષાએ એમ કહેવાશે કે તેની સ્થિતિ જ એમ હતી, એટલે સ્વસમયમાં પિતાની હોનહાર (ભાવિ) અનુસાર યોગ્ય નિમિત્તપૂર્વક જ બધું વ્યવસ્થિત બન્યું છે. સ્વાશ્ય આદિ જોઈને આપણે અપેક્ષા રાખીએ કે આ માણસ એંસી વર્ષ જીવશે, પણ વિષાદિ ભક્ષણથી અથવા અકસ્માતથી જ્યારે તે ચાળીસ વર્ષની ઉંમરે જ મરી જાય છે ત્યારે કહી દઈએ છીએ કે અસમયમાં મરણ થઈ ગયું. આપણું આ જ્ઞાનને કયો આધાર છે કે તેને ચાળીસ વર્ષથી વધારે જીવવાનું હતું ? એ જ્ઞાન વિના તેને અકાળ કહેવું એ કથનમાત્ર સિવાય બીજું શું હોઈ શકે ? ઉપરના કથનથી એ સ્પષ્ટ થઈ જાય છે કે મરણ તે જ્યારે થવાનું હોય ત્યારે થાય છે તેમાં કોઈ ફેરફાર થયો નથી. જે કાંઈ ફરક આવ્યા તે ફક્ત કથનમાં આવ્યો છે. અહીં અકાળને અર્થ અસમય (અથવા કસમય) અથવા સમયથી પહેલાં એમ નથી પણ કાળલબ્ધિથી અતિરિક્ત અન્ય (ભિન) બીજા કોઈ કારણ જેવાં કે પુરુષાર્થ આદિ સમવાયોના (જુઓ પ્રશ્ન ૧૬૦૪ થી ૧૬ ૦૬) સમુદાયથી થવાવાળા મૃત્યુને સૂચવે છે. કાળને છોડી બાકીનાં ચાર સમવાયને એક નામથી કથન કરવું હેય તે અકાળ સિવાય બીજું શું કહી શકાય ? આ રીતે અકાળ મૃત્યુ અસમયનું સૂચક ન હોઈ, કાળ સિવાયના મુખ્યરૂપે બીજાં કારણેથી થનાર મૃત્યુનું સૂચક છે. ૧૭૫૧ અ. કેવળીના જ્ઞાનાનુસાર બધું જ ક્રમબદ્ધ છે અને આપણું જ્ઞાનાનુસાર અક્રમબદ્ધ છે તેમ કહેવું શું યોગ્ય છે ? ઉ. આપણું માનવાથી વસ્તુનું સ્વરૂપ બે પ્રકારનું થોડું જ થઈ જવાનું છે ! તે તે જેવું છે, તેવું જ છે. જન્મ, જશ ને મૃત્યુ, મુખ્ય દુ:ખના હેતુ કારણ તેનાં બે કહ્યાં, રાગદ્વેષ અણુહેતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy