SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ પપ૦ પણ જેને ઉપગ આગલા ભવમાં થશે, તેને બધ્યમાન આયુષ્ય કહે છે. બયમાન આયુષ્યની સ્થિતિમાં તે બધાનું અપકર્ષણ થઈ શકે છે, પરંતુ ભજ્યમાન આયુષ્યનું અપકર્ષણ દેવ, નારકી, ચરમ શરીરી (એ જ ભવે મોક્ષે જવાવાળા) અને અસંખ્ય વર્ષના આયુષ્યવાળા ભેગભૂમિના જીવોનું થતું નથી, એમ બતાવવાને તે સૂત્રને ઉદ્દેશ્ય છે. રાજા શ્રેણિકે નરકના આયુષ્યની તેત્રીસ સાગરની સ્થિતિ બાંધી હતી. અને તેનું અપકર્ષણ થઈને ચોરાશી હજાર વર્ષની સ્થિતિ રહી ગઈ, પણ એ પૂર્વભવમાં જ થયું. નરકના આયુષ્યને ઉપભેગ શરૂ થયા. પછી તેનું અપકર્ષણ શક્ય નહોતું. આ આખીય ચર્ચા આયુષ્યને અપક્વણની છે, તેનાથી ક્રમબદ્ધ પર્યાયની નિશ્ચિતતામાં કઈ ફેર પડતો નથી. વાસ્તવમાં આ કથન અકાળમૃત્યુનું ન હોઈ આયુષ્યના અપકર્ષણનું છે. અકાળ મૃત્યુને અર્થ આયુષ્યકર્મની ઉદીરણા સિવાય બીજો કોઈ નથી, અકાળ તે ફક્ત એટલા માટે કહેવામાં આવે છે કે જેટલું આયુષ્ય બાંધ્યું એટલી સ્થિતિ પૂરી ન કરી. વાસ્તવમાં કોઈ પણ કર્મ એવું નથી જેની સ્થિતિ બંધ અનુસાર જ ઉદયમાં આવતી હોય. ૧૭૫૦ પ્ર. જે કેવળીને જ્ઞાનાનુસાર પ્રત્યેક મૃત્યુ સ્વકાળે જ થાય છે તો બીજી કેઈ અપેક્ષાએ અકાળ મૃત્યુ પણ થતું હશે? ઉ. જેમ કે એક ઘડામાં દશ લીટર પાણી છે અને તેમાં એક છિદ્ર પણ છે, જેમાંથી તે પાણી એક કલાકે એક લિટરની ગતિએ નીકળી રહ્યું છે. જે ગણિતશાસ્ત્રીને પૂછવામાં આવે કે તે ઘડે કેટલા સમયમાં ખાલી થઈ જશે તો તે પિતાના ગણિતાનુસાર દશ કલાક જ બતાવશે કે જે સાચું છે, પણ જે કોઈ ભવિષ્યજ્ઞાનીને પૂછવામાં આવે કે તે ઘડો ક્યારે ખાલી થશે તે તે એમ પણ કહી શકે કે, પાંચ કલાકમાં. કારણ કે તેને ખબર છે કે પાંચ કલાક પછી એક માન માટે કંઈ ક્રેડ રૂપિયા ખર્ચ ઉધારે; પરમારથમાં પાંચ ખરચતાં ફાંફા મારે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy