SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ પર રવિવાર આદિ સાત વારેને એક ક્રમ નિશ્ચિત છે. કેટલાક માણસોને તેમના ક્રમનું જ્ઞાન છે, પરંતુ કેટલાક માણસને આ વાતનું જ્ઞાન નથી. તો શું જે માણસને જ્ઞાન છે, તેમના જ્ઞાનાનુસાર વાર ક્રમબદ્ધ હશે અને જેમને જ્ઞાન નથી અથવા ખોટું જ્ઞાન છે તેમને જ્ઞાનાનુસાર તે અક્રમબદ્ધ અથવા અનિશ્ચિત થઈ જશે ? તેથી એમ કહેવું છે કેવળીના જ્ઞાન અનુસાર પર્યાયે ક્રમબદ્ધ થાય છે અને આપણું જ્ઞાન અનુસાર અક્રમબદ્ધ, તે ક્રમબદ્ધપર્યાયનું સાચું સ્વરૂપ સમજયા વિના જ “હું પણ સાચું અને તું પણ સાચે' જેવી ઉભયાભાસી બાળચેષ્ટા છે. ૧૭૫ર પ્ર. કેવળીના જ્ઞાન અનુસાર તો મરણ આદિ કાર્ય સ્વકાળે જ થાય છે પણ ઉપર જે ઘડાનું ઉદાહરણ આપ્યું તે પ્રમાણે દરેક દરેકને જ્ઞાન મુજબ જે કાંઈ મરણ આદિ સંબંધી ભવિષ્ય બતાવવામાં આવે છે તેમાં આયુષ્યના અપકર્ષણ દ્વારા ફેરફાર થાય છે. આથી તે એમ લાગે છે કે કેવળીને જ્ઞાન અનુસાર પર્યાયે ક્રમબદ્ધ અને આપણું જ્ઞાનાનુસાર અક્રમબદ્ધ થાય છે તે બરાબર છે ? ઉ. અકાળમરણને આશય સ્વકાળ વિના થનાર મરણ એવો નથી, પરંતુ આયુષ્યકર્મના અપકર્ષણાદિથી થનાર મરણને છે. આયુષ્યના - અપકર્ષણાદિના કારણે અકાળ મરણ તેની સંજ્ઞામાત્ર છે. વાસ્તવમાં તે પ્રત્યેક કાર્ય સ્વકાળે જ થાય છે. કોઈપણ ઘટના નવીન ઘટતી નથી, પરંતુ તે પહેલેથી જ સ્થિત છે, નિશ્ચિત છે, તે તો માત્ર સ્વકાળે પ્રગટ થાય છે. ઘટનાઓ બનતી નથી, તે પહેલેથી જ વિદ્યમાન છે, તથા કાળચક્ર ઉપર દેખાય છે. ૧૭૫૩ પ્ર. શાસ્ત્રોમાં એક અકાળનય પણ આવે છે ને ? કાળનયે કાર્ય સ્વ કાળમાં થાય છે અને અકાળીયે અકાળમાં પણ થઈ જાય છે. એમ માનીએ તે શી આપત્તિ છે ? ઉ. અકાળનયને અર્થ એ નથી કે કાર્ય સ્વસમયમાં ન થતાં અસમયમાં વચનામૃત વીતરાગનાં; પરમ શાંતરસ મૂળ ઔષધ જે ભવેગનાં, કાયરને પ્રતિકૂળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy