SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ ૮૦૪ . કેટલાક રોગાદિ પર ઔષધાદિ અસર કરે છે અને કેટલાક ઉપર નહીં તેનું શું કારણ છે? ઉ. કેટલાક રોગાદિ પર ઔષધાદિ સંપ્રાપ્ત થયે અસર કરે છે, કેમકે તે રોગાદિના હેતુને કર્મબંધ કંઈ પણ તેવા પ્રકારનું હોય છે. ઔષધાદિ નિમિત્તથી તે પુદગલ વિસ્તારમાં પ્રસરી જઈને અથવા ખસી જઈને વેદનીયના ઉદયનું નિમિત્તપણું છોડી દે છે. તેવી રીતે નિવૃત્ત થવા યોગ્ય તે રોગાદિ સંબંધી કર્મબંધ ન હોય તે તેના પર ઔષધાદિની અસર થતી નથી, અથવા ઔષધાદિ પ્રાપ્ત થતાં નથી, કે સમ્યફ ઔષધાદિ પ્રાપ્ત થતાં નથી. ૮૦૫ પ્ર. અમુક ઔષધાદિ તે પાપક્રિયાથી થયાં હોય છે તે તેવાં ઔષધાદિની અસર કેવી રીતે થાય ? ઉ. તે ઔષધાદિ કંઈ પણ પાપક્રિયાથી થયાં હોય, તો પણ તેથી પોતાના ઔષધાદિપણને ગુણ દેખાડ્યા વિના ન રહે, અને તેમાં થયેલી પાપક્રિયા પણ પિતાને ગુણ દેખાડયા વિના ન રહે, અને તેમાં કર્મબંધ થઈ યથા અવસર તે પાપક્રિયાનું ફળ ઉદયમાં આવે તે પાપક્રિયાવાળા ઔષધાદિ કરવામાં, કરાવવામાં તથા અનમેદન કરવામાં ગ્રહણ કરનાર જીવની જેવી જેવી દેહાદિ પ્રત્યે મૂછ છે, મનનું આકુળવ્યાકુળપાણું છે, આર્તધ્યાન છે, તથા તે ઓષધાદિની પાપક્રિયા છે, તે સર્વ પિતપોતાના સ્વભાવે પરિણમીને યથાવસરે ફળ આપે છે. ૮૦૬ પ્ર. ધર્મી જીવ ત્રસ હિંસાવાળી દવા લે ? ઉ. ના, (એવી વિદ્યા પણ તે ભણે નહિ.) ભયંકર રોગ થયો હોય, માંસની એક કટકી કે ઈંડું ખાવાથી તે મટી જાય તેમ હોય-તય ધમી જીવ (અરે જિજ્ઞાસુ જીવ પણુ) પ્રાણ જાય તે પણ ખાય નહિ. મધ પણ સર્વથા અભક્ષ્ય છે. ૮૦૭ ક. શું ધર્મ કરવાથી શરીરના રોગ ન મટે ? ઉ. શરીરના રોગ મટાડવા ધર્મનું કાર્ય નથી, પૂર્વનું પુણ્ય હોય તે શરીર નીરોગી રહે છે. સનતકુમાર ચક્રવતીને દીક્ષા લીધા પછી મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજા કામ કરેત, તેમ શ્રતધર્મ રે મન દૃઢ ઘરે, જ્ઞાનક્ષેપકવંત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy