SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ મહાન ધર્માત્મા થયા પછી પણ અનેક વર્ષો સુધી શરીરમાં રોગ રહ્યા અને શરીર ઉપર ધર્મની કોઈ અસર ન થઈ. ધર્મથી શરીર નીરોગી રહે એવું નથી. ધર્મની સાથે પુણ્ય અને શરીરાદિને સંબંધ જ નથી. મોક્ષમાર્ગમાં તે પુણ્યને પણ નિષેધ છે. શુભ ભાવ કરતાં કરતાં ધર્મ થશે, એ માન્યતા જ ભૂલભરેલી છે. ૮૦૮ ક. ઋતુના ફેરફારથી શરદી થાય છે તેનું શું કારણ છે ? ઉ. (પગલવિપાકી કર્મને લીધે થાય છે) “પુગલવિપાકી” એટલે જે કઈ બહારના પગલને સમાગમથી પુગલવિપાકપણે ઉદય આવે અને કેઈ બાહ્ય પુગલના સમાગમથી નિવૃત્ત પણ થાય; - જેમ ઋતુના ફેરફારના કારણથી શરદીની ઉત્પત્તિ થાય છે અને તુફેરથી તે નાશ થાય છે; અથવા કોઈ ગરમ ઓસડ વગેરેથી નિવૃત્ત થાય છે. ૮૦૯ પ્ર. વેદનીય કર્મના ઉદયમાં ભિન્ન ભિન્ન પ્રકારે કેમ વેદના થાય છે ? ઉ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવે બાહ્ય અને અત્યંતર પરિણમતાં પરમાણુ જે ક્ષેત્રે વેદનારૂપે ઉદયમાં આવે ત્યાં એકઠાં થઈ ત્યાં તે રૂપે, પરિણમે, અને ત્યાં જેવા પ્રકારને બંધ હોય તે ઉદયમાં આવે. પરમાણુઓ માથામાં એકઠા થાય તે ત્યાં માથાના દુઃખાવાને આકારે પરિણમે છે, આંખમાં આંખની વેદનાના આકારે પરિણમે છે. ૮૧. પ્ર. કેટલાક જીવે કર્મ પ્રમાણે વેદનાને અનુભવે છે. જ્યારે કેટલાક છો તેથી જુદી રીતે વેદના અનુભવે છે. એ કેવી રીતે ? ઉ. જે જીવના જે કર્મોન સ્થિતિઘાત, રસઘાત, આદિ થાય છે, તે જે પ્રકારે કર્મ બધેલ છે તેથી ભિન્ન પ્રકારે વેદને વેદે છે, અને જે જીવોના સ્થિતિઘાત, રસધાત આદિ થતા નથી તે જીવ જે પ્રકારે કર્મ બાંધે છે તે પ્રકારે વેદના વેદે છે. ૮૧૧ પ્ર. છેવો થોડું જીવવાના કારણભૂત કર્મ કેવી રીતે બાંધે છે ? “ધાર તલવારની સેહલી, દોહલી ચૌદમા જિનતણી ચરણસેવા; ધાર પર નાચતા દેખ બાજીગરા, સેવના ધાર પર, રહે ન દેવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy