SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ શક્તિ અંતર્મુહૂર્તમાં (૪૮ મિનિટની અંદર) થઈ જાય છે તેને પર્યાપ્ત કહે છે; આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મન એ છે પર્યાપ્ત છે, તેમાંથી પહેલી ત્રણ પર્યાતિ બધા જીવ બાંધે છે. બાકીની પર્યાતિમાંથી જે ગતિમાં શરીર બનાવવા માટે જેટલી બાંધવાની હોય તેટલી પૂરેપૂરી બંધાઈ રહે ત્યાં સુધી અપર્યાપ્ત કહેવાય અને જેટલી બાંધવાની છે એટલી બધી લે ત્યારે. પર્યાપ્ત કહેવાય. પણ જ્યાં સુધી શરીર બનવાની શક્તિ પૂર્ણ નથી થઈ શક્તી. ત્યાં સુધી તેને નિવૃત્યપર્યાપ્ત કહે છે અને જે છ માંથી કઈ પર્યાપ્તિ પૂર્ણ કરી શકતા નથી અને તરત જ મરી જાય છે, તેને લબ્ધપર્યાપ્ત કહે છે. ૨૭૫ પ્ર. સમરિષ્ઠમ મનુષ્ય કોને કહે છે ? ઉ. ૧૦૧ પ્રકારના ગર્ભજ મનુષ્યમાંથી નીકળતા મળમૂત્ર, લીંટ, બળખા, ઉલટી, પિત્ત, પરૂ, લેહી, વિર્ય, મુએલા મનુષ્યના કલેવર વગેરે ચૌદ પ્રકારની વસ્તુઓમાં જે જીવ ઉપજે છે તેને સમર્ણિમ મનુષ્ય કહે છે, તે અપર્યાપ્તા જ મરે છે. સમૂર્ણિમ મનુષ્યના ૧૦૧ ભેદ થાય છે. ૨૭૬ પ્ર. મેક્ષમાર્ગમાં જરૂરી એવી અનુકૂળતાએ કેટલા પ્રકારે છે, કે જે “સુગ” ફક્ત મનુષ્યભવમાં આપણને મળ્યો છે ? ઉ. (૧) મનુષ્યભવ, (૨) આર્યક્ષેત્ર, (૩) ઉત્તમ કુળ (૪) દીર્ધ આયુષ્ય, (૫) પૂર્ણ ઈન્દ્રિ, (૬) નીરોગી શરીર, (૭) સગુરુ સંગ, (૮) શાસ્ત્રશ્રવણ; વીતરાગવાણીનું શ્રવણ, (૯) શુદ્ધ શ્રદ્ધા, (૧૦) શુદ્ધ ફરસના, અશુભનો ત્યાગ કરી શુભ વસ્તુ આદરે. ૨૭૭ ક. નરક,તિર્યંચ, દેવતા અને મનુષ્યમાં કઈ ઈચછી સૌથી વધુ તીવ્ર હોય છે? ઉ. નરકમાં ભયસંજ્ઞા અધિક, તિર્યંચમાં આહારસંજ્ઞા અધિક, દેવતામાં પરિગ્રહસંજ્ઞા અધિક અને મનુષ્યમાં મિથુનસંજ્ઞા અધિક હોય છે. ધર્મનું મૂળ વૈરાગ્ય છે. “ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy