SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ પ્ર. જીવે ચાર ગતિમાંથી સૌથી વધારે કઈ ગતિમાં ભવ કર્યા છે ? ઉ. આત્માના અજ્ઞાનથી ચાર ગતિમાં ભમતા જીવે સૌથી વધુ ભવા તે તિર્યંચ ગતિમાં કર્યા છે, તે ઉપરાંત સ્વર્ગ-નરક-મનુષ્યને પણ અનંત અવતાર ક્ય છે; તેમાંય મનુષ્ય કરતાં નરકના અવતાર અસંખ્ય ગણા કર્યા છે, ને નરક કરતાંય સ્વર્ગના અવતાર અસંખ્ય ગણું કર્યા છે. સરેરાશ અસંખ્ય અવતાર સ્વર્ગના કે નરકના કરે ત્યારે મનુષ્યને એક અવતાર મળે. ૨૭૯ પ્ર. આ લેક ત્રિવિધ તાપથી બળે છે એમ ઘણીવાર કહેવામાં આવે છે તે તે ત્રિવિધ તાપ કોને કહે છે ? આધિ-મનમાં ચિંતા ફકર થાય તે, અંદરમાં પુણ્ય-પાપનાં અનેક પ્રકારના ઉત્પન્ન થતા વિકલ્પોને આધિ કહે છે. વ્યાધિ-શરીર સંબંધી રોગ, શરીરમાં રોગ થવાથી તે તરફ લક્ષા થનારા ભાવને વ્યાધિ કહે છે. ઉપાધિ-બહારથી વ્યાપાર વગેરેની પ્રવૃત્તિ. સ્ત્રી, પુત્ર, મકાન, લક્ષ્મી વિગેરે બાહ્ય પદાર્થના લક્ષે થવાવાળા ભાવને ઉપાધિ કહે છે. એ ત્રિવિધ તાપ છે. અથવા જન્મ, જરા, મરણ એ પણ ત્રિવિધ તાપ કહેવાય છે. ૨૮૦ પ્ર. સંસારમાં જ્યારે હજાર પ્રકારની પ્રતિકૂળતા એકી સાથે આવી પડે, ક્યાંય માર્ગ ન સૂઝે, ત્યારે શું ઉપાય છે ? ઉ. ત્યારે એક જ ઉપાય છે વૈર્યપૂર્વક જ્ઞાનભાવના, આત્મભાવના, આત્મવિચારમાં મન પરોવવું. જ્ઞાનભાવના, આત્મભાવના, આત્મ વિચાર ક્ષણમાત્રમાં બધા પ્રકારની ઉદાસીનતાને નષ્ટ કરી હિતને માર્ગ સુઝાડે છે, શાંતિ આપે છે, કોઈ અલૌકિક વૈર્ય અને અચિંત્ય શક્તિ આપે છે, મેટામાં મેટા સંકટમાંથી બચવાને માર્ગ ફક્ત એક આ જ છે. (આ વાત અનુભવસિદ્ધ છે. જે તેને છેડે વખત પ્રયત્ન, અખતર અને અનુભવ કરશે તેને સહજમાં સમજાયા વગર રહેશે નહિ. આ વાત અત્યંત સત્ય છે, દીર્ઘ દર બે ખેંચતા, ભમે દંડ બહુવાર, રાગઢષ અજ્ઞાનથી, જીવ ભમે સંસાર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy