SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૨ છે. જે જીવ યથાર્થ પુરુષાર્થ કરે તે આત્માનું જ્ઞાન અવશ્ય થાય અને અનુભવવામાં આવે તે જ્ઞાન અને અનુભવને સમ્યક્દર્શન થયું કહેવાય. આત્મા અરૂપી છે, એટલે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ રહિત વસ્તુ છે, અવસ્તુ નથી. ૧૭૬૦ પ્ર. આત્મા પ્રાપ્ત કરવા માટે આ દિવસ શું કરવું જોઈએ ? ઉ. આ દિવસ શાસ્ત્રને અભ્યાસ કરવો, વિચાર, મનન કરીને તત્ત્વને નિર્ણય કર તથા શરીરાદિથી તથા રાગથી ભેદજ્ઞાન કરવાને અભ્યાસ કરવો. રાગાદિથી ભિન્નતાનો અભ્યાસ કરતાં કરતાં આત્માને અનુભવ થાય છે. ૧૩૬૧ પ્ર. દીર્ધકાળ સુધી તત્ત્વઅભ્યાસ કરવા છતાં પણ આત્મા પ્રાપ્ત કેમ ન થયે ? ઉ, આત્માના અતિન્દ્રિય આનંદની લગની લાગે, આત્મા સિવાય કોઈ અન્ય ઠેકાણે મીઠાશ લાગે નહિ, રસ પડે નહિ, જગતના પદાર્થોને રસ ફીક લાગવા માંડે એટલે કે સંસારના રાગને રસ ઊડી જાય. આત્મા અનતાને ગુણોને પૂજતે કોણ છે એવું આશ્ચર્ય ઉત્પન્ન થાય, ધૂન ચઢે, ત્યારે સમજવું કે હવે આત્મા પ્રાપ્ત થશે જ; ન પ્રાપ્ત થાય તેવું બની શકે નહિ. જેવું કારણ હોય તેવું કાર્ય થાય જ. આત્માના આનંદસ્વરૂપની અંદરથી સાચી લગની લાગે, તેના વિના બેચેની રહે, સ્વપ્નમાં પણ તેને અભાવ ન થાય, ત્યારે સમજવું કે હવે આત્માનુભૂતિ અવશ્ય થશે. ૧૩૬૨ પ્ર. આત્મા પ્રત્યક્ષ જણાય કે પરોક્ષ અનુમાનથી જણાય ? ઉ. એકલો અનુમાનથી આત્મા જાણી શકાય એવો આત્મા નથી. એને તે જ્ઞાનની વર્તમાન પર્યાય અંદર લીન કરે એટલે પ્રત્યક્ષ થાય ત્યારે તે જાણી શકાય એવો છે. જેને સમ્યકદર્શન થાય છે તે આત્માને અંદર પ્રત્યક્ષ જણે છે. આનંદની અપેક્ષાએ પ્રત્યક્ષ કહેવાય છે. જ્ઞાનની અપેક્ષાએ તને પણ કહેવાય છે, કારણ કે મતિ-શ્રત પરોક્ષ છે. પ્રત્યક્ષ થયેલે બીજાને અનુમાનથી જાણે પણ કેવળ અનુમાનથી મુખ ઓમકાર દવનિ મુનિ અથ ગણધર વિચારે, રચી આગમ ઉપદેશ ભવિક જીવ સંશય નિવારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy