SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ દુખી છું, એવું જે સ્પષ્ટ જ્ઞાન, વેદનજ્ઞાન, અનુભવજ્ઞાન, અનુભવપણું તે જે કાઈમાં પણ હોય છે તે આ જીવ પદને વિષે છે. વેદકતા એટલે અનુભવવું. જ્ઞાયકતામાં જાણવાનું છે, અને વેદક્તામાં અનુભવવાનું છે. જાણવા કરતાં વેદતા એક જુદે સ્વભાવ છે. ૭. દીપક, મણિ, ચંદ્ર, સૂર્યાદિના પ્રકાશને વિષે ચૈતન્યપણાથી તે પદાર્થો જાણ્યા જાય છે, તે પદાર્થો પ્રકાશ પામે છે, સ્પષ્ટ ભાસે છે, તે પદાર્થ જે કાઈ છે તે જીવ છે. સ્વપરપ્રકાશક એવી ચૈતન્ય સત્તાને પ્રત્યક્ષ ગુણ જેને વિષે છે એવો આત્મા છે. ૧૩૫૮ પ્ર. આત્મા હોય તે દૃષ્ટિમાં કેમ આવતું નથી ? ઉ. જ્ઞાનીઓ અનુભવથી કહે છે કે આત્મા છે. આત્મા તેમના અનુ ભવમાં આવ્યું છે. સાકરના સ્વાદનું વર્ણન ન થઈ શકે. તે તો અનુભવગોચર છે તેમજ આત્માનું વર્ણન ન થઈ શકે. પણ તે છે જ. સર્વ જે શુદ્ધ આત્માને જાણે અને અનુભવ્યું તેનું તેઓશ્રી વર્ણન ન કરી શક્યા તે પછી અન્ય કોઈ તેનું વર્ણન ક્યાંથી કરી શકે અર્થાત્ ન જ કરી શકે. તીખા મરીની તીખાશ અને મરચાની તીખાશ એ બન્નેના રસમાં ફેર છે, તે જ્ઞાનથી ખ્યાલમાં આવે છે, પણ વાણીથી તે પૂરું સમજાવી શકાતું નથી. આત્માને ચૈતન્ય રસને સ્વાદ અનુભવમાં આવે પણ વાણી દ્વારા તેને શાંત આન દરસનું વર્ણન થઈ શકતું નથી. જેમ મીઠાશથી સાકરની ઓળખાણ કરાવાય છે, તે પ્રમાણે જ્ઞાન – લક્ષણથી આત્માની ઓળખાણ કરાવાય છે. ભગવાને આત્મા જ્ઞાન સ્વભાવના કારણથી અન્ય દ્રવ્યોથી અધિક છે, ભિન્ન છે. ૧૩૫૯ પ્ર. આત્મા અરૂપી છે તે આત્માનું જ્ઞાન કેમ થઈ શકે ? ઉ, એમ હોવા છતાં આત્માનું જ્ઞાન બરાબર થઈ શકે, કેમકે આત્મામાં પ્રમેયત્વ ગુણ રહેલું છે, માટે તે જાણી અને અનુભવી શકાય તેવો જ્યમ લેહનું ત્યમ કનકનું જજીર જકડે પુરુષને, એવી રીતે શુભ કે અશુભ કૃત કમ બાંધે જીવને, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy