SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૬ વસ્તુના મૂળ ભેદ બે છે–દ્રવ્ય અને પર્યાય, એટલે તેમને ગ્રહણ કરવાવાળા મૂળનય પણ બે છે-કવ્યાર્થિક અને પર્યાયાર્થિક, પણ એક ખાસ ધ્યાન રાખવાની વાત એ છે કે એક નયની અપેક્ષાએ વાત કહેવાતી હોય ત્યારે બીજા નયને ગૌણ કરે છે પણ તેને અભાવ નહીં. ૧૬૨૮ પ્ર. નિશ્ચય અને વ્યવહાર એમ બે મોક્ષ માર્ગ છે ? ઉ. ના, મોક્ષ માર્ગ તે બે નથી, પણ મેક્ષ માર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે. જ્યાં સાચા મોક્ષ માર્ગને મોક્ષ માર્ગ કહેવામાં આવે તે નિશ્ચય મેક્ષ માર્ગ છે તથા જે મોક્ષમાર્ગ તે નથી, પણ મોક્ષમાર્ગમાં નિમિત્ત અથવા સહચારી છે, તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહેવામાં આવે છે તે વ્યવહાર મોક્ષમાર્ગ છે. એક નિશ્ચય મેક્ષ, માર્ગ અને એક વ્યવહાર મેક્ષમાર્ગ એમ બે પ્રકારના મેક્ષમાર્ગ માનવા તે મિથ્યા છે. એક નિશ્ચય મોક્ષમાર્ગ જ મોક્ષનું કારણ છે. ૧૬૨૯ પ્ર. નિશ્ચય અને વ્યવહાર એટલે શું ? ઉ. શુદ્ધ આત્માના અનુભવને નિશ્ચય કહ્યો છે તથા વ્રત, તપ, સંયમ દિકને વ્યવહાર કહ્યો છે. ૧૬૩૦ પ્ર. વ્યવહારનય અને નિશ્ચયનયને ભેદ સમજાવો. . જે નય એક જ વસ્તુનું તેનાથી પરની અપેક્ષા વગર વર્ણન કરે તે નિશ્ચયનય છે. જે કોઈ વસ્તુને પરની અપેક્ષાએ એકને બદલે બીજુ કહે તે વ્યવહારનય છે. નિશ્ચયનયને ભૂતાર્થ, સત્યાર્થ, યથાર્થવાસ્તવિક, અસલ, મૂળ કહે છે. વ્યવહાર નયને અસત્યાર્થ, અભૂતાર્થ, અયથાર્થ, અવાસ્તવિક કહે છે. ૧૬૩૧ પ્ર. શું દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નથી દ્રવ્યનય અને પર્યાયય ભિન્ન છે : ઉ. હા, દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નમાં સંપૂર્ણ વસ્તુને દ્રવ્ય અને પર્યાય, એમ બે અંશમાં વિભાજીત કરીને વાત કરવામાં આવી છે, વસ્તુના કવ્યઅંશને ગ્રહણ કરવાવાળા નયને દ્રવ્યાર્થિકનય અને અભિનિવેશ જેવું એક પાખંડ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy