SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ પ્રકાશ નીકળે અને તેના અસ્તિત્વને ખ્યાલ આવે તેમ આ કર્મો આત્માને ઢાંકી દે છતાં આત્મામાંથી ડાં પ્રકારનાં કિરણો મળી રહે. આત્માના આઠ રૂશ્યક પ્રદેશો તે ગમે તે સ્થિતિમાં અણુ અવરાયેલા જ હોય છે. તેથી આ કર્મોને ઘનઘાતી કહેલ છે. ૬૨૨ પ્ર. ઘાતિકર્મને એકવાર નાશ થયા પછી બંધાય નહિ ? ઉ, ઘાતિકર્મ બે પ્રકારના છે -દ્રવ્યઘાતિ કર્મ અને ભાવઘાતિ કમ. તેમાં શુકલ ધ્યાન વડે શુદ્ધ અવસ્થા પ્રગટ થતાં, ભાવઘાતિ કર્મ રૂ૫ અશુદ્ધ પર્યાય ઉત્પન્ન થતા નથી, તે ભાવઘાતિ કર્મને નાશ છે અને તેજ સમયે દ્રવ્યઘાતિ કર્મને સ્વયં અભાવ થાય છે તે દ્રવ્યઘાતિ કર્મને નાશ છે. (પછી કદી પણ અશુદ્ધ પર્યાય થતી નથી. અને કર્મ બંધાતાં નથી.) ૬૨૩ પ્ર. આપણા આત્મામાં અને સિદ્ધ ભગવંતના આત્મામાં તફાવત શું છે? ઉ. આપણે આત્મા આઠ કર્મથી આવરાયેલ છે, બંદીખાને પડેલ છે અને સિદ્ધ ભગવંત કર્મના બંધનથી મુક્ત થયેલા છે. ૬૨૪ પ્ર. સિદ્ધ ભગવંતને અનંત જ્ઞાન છે તે ત્રણ લેકેને જાણે છે અને આપણને નથી તેનું શું કારણ? ઉ. સિદ્ધ ભગવંતે જ્ઞાનાવરણીય કર્મ ખપાવ્યું છે અને આપણે તે ખપાવ્યું નથી. આંખમાં જેમ જેવાને ગુણ છે તેમ સર્વ આત્મામાં અનંત જ્ઞાનગુણ રહેલું છે, પરંતુ જેમ આંખે પાટા બાંધેલો હેય. તે કંઈ દેખાતું નથી તેમ આત્માને જ્ઞાનવરણીય કર્મના ઉદયથી, જ્ઞાન પ્રગટ થતું નથી. (જેટલે અંશે જ્ઞાનાવરણીય કર્મને ક્ષયપશમાં થાય તેટલે અંશે જ્ઞાન થાય છે). ક૨૫ પ્ર. સિદ્ધ ભગવંતને અનંત દર્શન-દેખવાને ગુણ છે તેથી ત્રણ લોકને જુએ છે અને આપણને તે ગુણ નથી તેનું શું કારણ છે ? ઉ. આપણને દર્શનાવરણીય કર્મ નડે છે અને સિદ્ધ ભગવાને તેને ક્ષય. કર્યો છે. આશ્ચર્યકારક તો એ છે કે, કળિકાળે થાડા વખતમાં પરમાર્થને ઘેરી લઈ અનર્થને પરમાર્થ બનાવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy