SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ કoo ૧૨૯૪ પ્ર. સમ્યફદષ્ટિ જીવને ગુણે કહો. ઉ. સમ્યફદષ્ટિ જીવ ત્રણ મૂઢતા રહિત, પાંચ પ્રકારના વિનય સહિત, છે અનાયતન રહિત, સાત ભય રહિત, અને આઠ મદ રહિત હોય છે. ૧૨૯૫ પ્ર. ત્રણ મૂઢતા વર્ણવે. ઉ. ૧. લેકમૂઢતા અથવા અંધશ્રદ્ધા, ૨. દેવમૂઢતા, અને (૩) ગુરુમૂઢતા. ૧. મડદાનાં હાડકાં આદિ ગંગાજીએ પહોંચાડવાથી સગતિ થઈ માનવી, ગંગાજળને ઉત્તમ માનવું, ગંગાનદી અથવા અન્ય નદીના સ્નાનમાં કે ગંગાજળ આદિ પાણી મુખમાં મૂકવામાં ધર્મ માન, મરી ગયેલાઓને પિતૃઓ માની પૂજવા, ગ્રહોને (પથ્થર આદિ) ગળામાં કે આંગળીએ પહેરવા, ગ્રહ નડે નહીં તેથી પૂજા કરવી કે દાન દેવું, દેવની બાધા રાખવી, જટા કે એટલી રાખવી, માનતા માની છત્ર દેવને ચઢાવવું અથવા પૈસા ભેટ ધરવા, જાગરણ કરવું, શીતળા પૂજવી, લક્ષ્મીપૂજન કરવું, પશુની પૂજા કરવી, અગ્નિને દેવ માની પૂજો એ મૂઢતા છે. દ્રૌપદીના પાંચ પતિ માનવા તે લેકમૂઢતા છે. મહાસતી દ્રૌપદીને એક અર્જુને જ પતિ હતો, પાંચ નહીં. લેક લોકવાયકાથી એમ કહે છે કે દ્રૌપદીને પાંચ પતિ હતા. કઇ વિચાર નથી કરતું (કે સતીને પાંચ પતિ ન હોય). ૨. જે કાંઈ થાય છે તે ઈશ્વર કરે છે. જોકે પાસે ભલું–બૂરું ઈશ્વર કરાવે છે, ઈશ્વરના કર્યા વગર કશું થતું નથી. સર્વ ઇશ્વરની ઈચ્છા આધીન છે, ઈત્યાદિ પરિણામ મિથ્યાદર્શનના ઉદયથી થાય છે તે દેવમૂઢતા છે. આ દેવ સાચા છે અને પેલા દેવ પણ સાચી છે એવી માનતા દેવમૂઢતા છે. ૩. પાખંડી, મહાસક્ત, હલકા આચરણવાળા, વિષયેના લેલુપી તેમને ચમત્કારવાળા માનવા, સિદ્ધિવાળા માનવા, પ્રસન્ન થાય રાગ અને દ્વેષનું નામ પ્રવૃત્તિ તથા એ બન્નેના અભાવનું નામ નિવૃત્તિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy