SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ તો અમારી ઈચ્છા પૂર્ણ થાય એમ માનવું, તપસ્વી, પૂન્ય, મહાપુરુષ, પુરાણપુરુષ માનવા, ઈત્યાદિ વિપરીત શ્રદ્ધા માન્યતા તે ગુરુમૂઢતા છે. જેને બધા ગુરુ કહેતા હોય, એવા બધા નામધારી ગુરુઓને લેકમાં ગુરુ તરીકે મનાતા હોય, તેમને ગુરુ માનવા તે ગુરુમૂઢતા છે. ૧૨૯૬ પ્ર. પાંચ પ્રકારના વિનય કહો. ઉ. ૧. દર્શન વિનય, ૨. જ્ઞાન વિના, ૩. ચારિત્ર વિનય, ૪.તપ વિનય, ૫, ઉપચાર વિનય. 1. સમ્યફદર્શન ધારણ કરનારા પ્રત્યે પ્રીતિ ધરવી. આત્મા અને પરપદાર્થના ભેદ વિજ્ઞાનને અનુભવ કરવો તે દર્શન વિનય છે. ૨. સમ્યફજ્ઞાનની આરાધના માટે ઉદ્યમ કરે, જિન શાસ્ત્રના શ્રવણ પઠનમાં બહુ ઉત્સાહ રાખો, તથા વંદન, સ્તવન બહુ આદરથી ભણવું તે જ્ઞાન વિનય છે. પુસ્તકને વેગ મળવો તે મહાલાભનું કારણ માનવું અને તેમને સત્કાર આદર કરવાથી જ્ઞાન વિજય પ્રાપ્ત થાય છે. ૩. વિષય કષાયને ઘટાડવા તથા ચારિત્ર ધારણ કરનારાઓને ગુણેને આદર કરવાથી ચારિત્ર વિનય થાય છે. ૪. ધ્યાન-સ્વાધ્યાયમાં ઉદ્યમવંત બની, ઈન્દ્રિયને વિષયમાં પ્રવર્તતી રોકવા માટે ઉપવાસ આદિ તપમાં પુરુષાર્થ કર તે તપ વિનય છે. ૫. પંચ પરમેષ્ટિનું સ્મરણ કરવું, તેમના નામે કરેલી સ્થાપનાને વિનય, વંદન, સ્તવન કરવું તે તપ વિનય છે. એ આદિ ઉપચાર વિનયના ઘણા ભેદ છે. (ઘણું શાસ્ત્રમાં ચાર પ્રકારે પણ વિનય કહ્યો છે, તેમાં તપ વિનય અલગ બતાવ્યો નથી.) આ ઉપરાંત, દેવ વિનય –અરિહંત દેવનું ચિંતવન કરી ધ્યાન કરવું તે. ગુરુ વિનય-ગુરુના ગુણમાં અનુરાગ કરી ભાવથી ભવને અભાવ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy