SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૯૯ ભય, આમ સાત પ્રકારના ભયથી તેમની શ્રદ્ધા વિચલિત થાય નહીં પરંતુ પિતાના આત્મામાં નિર્ભય થઈને રહે છે. (૨) નિકાંક્ષિત અંગ : શુભક્રિયા કરી તેના ફળની ઈચ્છા કરતા નથી. અતીન્દ્રિય આનંદમાં મગ્ન રહે છે. (૩) નિર્વિચિકિત્સા અંગ . અશુભ વસ્તુ દેખી ચિત્તમાં ગ્લાનિ કરતા નથી. આત્મસ્વરૂપની મમ્રતામાં સામ્યભાવનું અવલંબન કરે છે. સનતકુમાર ચક્રવર્તીને મુનિ અવસ્થામાં ૭૦૦ વર્ષ સુધી કાઢ રહ્યો, તેને દેખી ધમાં જીવ ગ્લાનિ ઉપજાવત નથી કે ધર્મની નિંદા કરતા નથી. ઉદયન રાજાની પરીક્ષા કરવા એક દેવે મુનિ વેષધારી આહાર કરી રાજા ઉપર ઉલટી કરી, તે પણ ઉદયન રાજાને જરા પણ ગ્લાનિ થઈ નહીં. (૪) અમૂઢદષ્ટિ અંગ: દરેક ધર્મક્રિયા વિચારપૂર્વક કરે છે, દેખા દેખી કરતા નથી. આત્માના સ્વરૂપમાં મૂઢતા રહિત છે, યથાર્થ આત્મબોધ સહિત છે. (૫) ઉપગૃહન અંગ : બીજાના ગુણોને દેખીને પોતાના ગુણો વધારે છે અને સાધમ ના દેષ પ્રસિદ્ધ કરતા નથી. આત્મિક સ્વભાવની સ્થિરતામાં લીન છે, પરભાવને ગ્રહણ કરતા નથી. (૬) સ્થિતિકરણ અંગ : પોતાના આત્માને સદા ધર્મમાં સ્થિર કરતા રહે છે. આત્મામાં આત્મા દ્વારા સ્થિર છે. (૭) વાત્સલ્ય અંગ : ધર્મ, ધર્માત્માએ અને આત્મસ્વરૂપમાં પ્રેમ ભાવ રાખે છે. આત્માનંદમાં ભ્રમરની માફક આસક્ત છે. (૮) પ્રભાવના અંગ : ધર્મની ઉન્નતિ કરવાને સદા પ્રયત્ન કરવો એ સમ્યક્ત્રીનું મુખ્ય ક્તવ્ય હોય છે. સમ્યકત્રીમાં આ આઠ અંગનું પાલન સહેજે થાય છે. તેમને સ્વભાવ જ એવો થઈ જાય છે. અન્ય પરિણામમાં જેટલી તાદામ્યવૃત્તિ છે, તેટલે જીવથી એક્ષ દૂર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy