SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ રા દ્વીપ ફક્ત ૪૫ લાખ જોજનમાં છે. કર્મભૂમિ એટલે અસિ, મસિ (વ્યાપાર) અને કૃષિ જ્યાં થતી હોય તે. અકર્મભૂમિના ત્રીસ ભેદે છે. પાંચ હેમવય, પાંચ અરણ્યવય, પાંચ હરિવાસ, પાંચ રમ્યવાસ, પાંચ દેવમુરૂ અને પાંચ ઉત્તરકુરૂ. ૬ પ્ર. જબુદીપમાં જેમ નદી, ક્ષેત્ર, પર્વત આદિ છે તેમ ઘાતકીખંડ અને પુકરાળંદ્વીપમાં પણ છે ? ઉ. નદી, ક્ષેત્ર, પર્વત આદિ જે કાંઈ જંબુદ્વીપમાં છે, તે ઘાતકીખંડમાં બમણું છે. મેરુ, વર્ષ અને વર્ષધરોની સંખ્યા ઘાતકીખંડમાં છે, તે જ પુષ્કરાદ્ધદ્વીપમાં છે. એટલે કે એમાં પણ બે મેરુ, ચૌદ વર્ષ તથા બાર વર્ષધર છે. આ રીતે સરવાળે કરતાં અઢી દ્વીપમાં કુલ પાંચ મેરુ, ત્રીશ વર્ષધર અને પાંત્રીસ ક્ષેત્રો થાય, અંતરીપ ફક્ત લવણ સમુદ્રમાં હેવાથી છા૫ન છે. પુષ્કરદ્વીપમાં એક “માનુષોત્તર” નામને પર્વત છે. જંબુદ્વીપ, ઘાતકીખંડ અને અર્ધ પુષ્કરદ્વીપ એ અઢી દ્વીપ તથા લવણ અને કાલેદધિ એ બે સમુદ્ર એટલે જ ભાગ “મનુષ્યલોક' કહેવાય છે. ઉક્ત ભાગનું મનુષ્યલોક અને ઉક્ત પર્વતનું નામ માનુષોત્તર એટલા માટે પડયું છે કે, એની બહાર કોઈ મનુષ્ય જન્મ લેતા નથી અને કોઈ મરતો નથી. ફક્ત વિદ્યાસંપન્ન મુનિ અથવા વૈશ્યિલબ્ધિધારી કોઈ મનુષ્ય અઢી દ્વીપની બહાર જઈ શકે છે, પરંતુ એનાં પણ જન્મ, મરણ માનુષેત્તરની અંદર જ થાય છે. ૧૭ પ્ર. આપણે અત્યારે કયા દ્વીપના ક્યા ક્ષેત્રે રહીએ છીએ ? ઉ. (જંબુદીપના ભરત ક્ષેત્રમાં આપણે રહીએ છીએ.) ૮ પ્ર. સિદ્ધસ્થાન અથવા સિદ્ધશિલા ક્યાં હોય છે, તેનું વર્ણન આપે ? ઉ. સર્વાર્થસિદ્ધ નામના વિમાનથી બાર યોજન ઉપર છત્રને આકારે ઈસીપભારા (ઈષતપ્રાગભાર) નામની એક મુક્તિ શિલાપૃથ્વી છે. હે જીવ! કયા ઈછત હોવે ? હૈ ઇરછા દુઃખ ભૂલ ? . જબ ઈચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy