SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ તે સિદ્ધશિલા ૪૫ લાખ જનની લાંબી અને પહોળી છે. તેને આખો ઘેરાવો તેનાથી ત્રણ ગણું કરતાં વધારે જાણ. તે સિદ્ધશિલા મધ્ય ભાગે આઠ જનની જાડી અને પછી થોડું થોડું ઘટતાં એકદમ છેડે માખીની પાંખ કરતાં પણ પાતળી છે. તે સિદ્ધશિલા નિર્મળ અને સુંદર છે. સિદ્ધશિલાથી એક જના ઊંચે લેકને છેડે આવી રહે છે તે જનને છેલ્લે જે એક કેશ છે તેને છઠ્ઠો ભાગ એટલે ૩૩૩ ધનુષ્ય અને ૩૨ આંગળની ઊંચાઈમાં સિદ્ધપ્રભુ રહ્યા છે. ૯ પ્ર. નરકે સાત પ્રકારના કેમ કહેવાય છે? તેનાં નામો આપે. ઉ. રત્નપ્રભા આદિ સાત પૃથ્વીમાં રહેવાથી નરકે સાત પ્રકારનાં કહેવાય છે : (તે પૃથ્વીનાં નામ આ પ્રમાણે છે:) ૧ રત્નપ્રભા ૨ શકરા પ્રભા, ૩ વાળુ પ્રભા, ૪ પંકપ્રભા, ૫ ધૂમપ્રભા, ૬ તમઃ પ્રભા અને ૭ તમઃ તમસુપ્રભા. એ પ્રમાણે ત્યાં રહેનારા નરકના જીવો સાત પ્રકારના કહેવાય છે. આ સાત ભૂમિકાઓ એકબીજાથી નીચે છે; પરંતુ એકબીજાને અડીને રહેતી નથી. અર્થાત્ એકબીજાની વચમાં બહુ જ મોટું અંતર છે. આ અંતરમાં ધનેદધિ, ઘનવાત, તનુવાત અને આકાશ. ક્રમથી નીચે નીચે છે. અર્થાત્ પહેલી નરકભૂમિની નીચે ઘનોદધિ છે, ઘને દધિની નીચે ઘનવાત છે, ધનવાતની નીચે તનુવાત અને તનુવાતની નીચે આકાશ છે. આકાશની પછી બીજી નરકભૂમિ છે. આ ભૂમિ અને ત્રીજી ભૂમિની વચમાં પણ ઘનોદધિ આદિને એ જ ક્રમ છે. ૧૦ પ્ર. દેવ કેટલા પ્રકારના કહ્યા છે ? ઉ. દેવ ચાર પ્રકારના કહ્યા છે ૧ ભવનવાસી (ભવનપતિ), ૨ વ્યંતર. ૩ તિષ, ૪ વૈમાનિક, જે સંસારને વિષે સાક્ષી કર્તા તરીકે મનાય છે, તે સંસારમાં તે સાક્ષીએ સાક્ષીરૂપ રહેવું, અને કર્તા તરીકે ભાસ્યમાન થવું તે બેધારી તરવાર ઉપર ચાલવા બરાબર છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy