SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ ૧૨૮૫ પ્ર. લિંગ કે વેશ કે દેખાવ એ શું ચારિત્ર છે કે ચારિત્ર એ બીજી ઉ. વસ્ત્ર, પાત્ર, રજોહરણ, મુહપત્તિ એ સાધુ હવાને દેખાવવશ છે અને તે રાખવાથી સાધુતા-સાધુપણું સચવાય છે, પણ તે ચારિત્ર નથી ચારિત્ર તે જ્ઞાન, દર્શન અને પંચમહાવત (અહિંસા, સત્ય, ચેરીને અભાવ, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ)નું પાલન તે ચારિત્ર છે. ૧૨૮૬ પ્ર. લેકે કહે છે કે આવાં મહાવતે જીવે ઘણું વખત પાળ્યાં પણ ચારિત્ર આવ્યું જ નથી તેનું કેમ ? ઉ. જીવે મહાવતે, સમ્યક્ત્વ વગર પાળ્યાં છે અથવા ભાવ વિના પાળ્યાં છે. જે ભાવ અને સમ્યક્ત્વ સાથે પાળ્યાં હોય તે જ ચારિત્ર આવ્યું કહેવાય. ચારિત્ર બીજી વસ્તુ નથી. પંચમહાવ્રત અને ચારિત્ર એ બંને વસ્તુ એક જ છે. ૧૨૮૭ પ્ર. ત્યારે શું પંચમહાવ્રત ને ચારિત્ર એક જ છે ? ઉ. સામયિક ચારિત્ર અને છેદેપસ્થાનિક ચારિત્ર જ્યારે લેવામાં આવે છે ત્યારે પંચમહાવ્રત ગ્રહણ કરવામાં આવે છે. ચારિત્ર અંશી કે અવયવી છે ત્યારે મહાવ્રત અંશ કે અવયવ છે, પણ એ બે જુદા નથી. ૧૨૮૮ પ્ર. કહેવાય છે કે જીવે ઘણુ વખત સંયમ, ચારિત્ર અંગીકાર કરી મેરુ જેવડા રજોહરણને પાત્રના ઢગલા કર્યા, વળી નવચેયકમાં જઈ આવ્યો તેનું કેમ ? ઉ. એ વાત ખરી છે. જીવ ઘણે કાળ એવી જ રીતે વર્તે છે. જીવે ઢગ, પ્રપંચ અને વિતરાગની આજ્ઞા વિરુદ્ધ કરેલું જેથી એ રખડ પટ્ટી ઊભી રહી.. ૧૨૮૯ પ્ર. ત્યારે આ બધા આમ શું કરવા કરતા હશે–વર્તતા હશે ? ઉ. જગતમાં સત્ય, ત્યાગ અને ઢોંગવાળો ત્યાગ બને છે. એક પણ બાબત બંધ થવાની નથી; આજે જગતને ખોટું જ ગમે છે. જૂઠમાં આનંદ માને છે. કેટલાક મુમુક્ષુ જી સત્યને જ શોધે છે, સત્યને જ પકડી રહે છે. ત્યારે કેટલાક મનુષ્ય સમજે છે છતાં પોતાની ઈચ્છા આકાશ જેટલી અનંત છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy