SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૨ લેકા પ્રાણાયમાદિ જડની ક્રિયાને સમાધિ માને છે, પરંતુ તે તા જડ થઈ જવાના માર્ગ છે; તે આત્માની સાચી સમાધિ નથી, તેમાં આત્માની શાંતિ રજમાત્ર પણ પ્રગટ થતી નથી. ખરેખર તા આધિ, વ્યાધિ, ઉપાધિથી રહિત, જ્ઞાન, આનંદ, શાંત સ્વભાવી હું છું—એવું આત્માનું યશા ભાન કરીને તેમાં એકાગ્રતા કરવી તે જ પરમ સમાધિ છે. આત્માનું ધ્યાન કરવા માટે પહેલાં આત્માનું યથા જ્ઞાન કરવુ જોઇએ, કારણ કે આત્મા જેવા છે તેવા લક્ષમાં લીધા વગર ધ્યાન કેાનું કરશે ? ધણા લેાકા કહે છે કે અમારે ધ્યાન કરવુ છે. પરંતુ ભાઈ! કાનુ ધ્યાન કરવું છે? ધ્યાનમાં ગ્રહણ કરવા ચેગ્ય આત્માના સ્વભાવ શું છે ? તેને જાણ્યા વગર તેનુ ધ્યાન ક્યા પ્રકારથી કરશે ? વસ્તુને યથાર્થ જાણ્યા પછી તે વસ્તુમાં જ્ઞાનની એકાગ્રતા થવાનું નામ ધ્યાન છે. જેને વસ્તુનુ સાચું' જ્ઞાન જ નથી તેને જ્ઞાનની એકાગ્રતારૂપ 'ધ્યાન થતું નથી. ઉપયાગની નિશ્ચલતા તે ધ્યાન છે. રાગદ્વેષના ઉદ્વેગના કારણે ઉપયાગ પરિભ્રમણ કર્યા કરે છે. આવી ચલવિચ સ્થિતિમાં ધ્યાન કેવી રીતે સભવે ? વિષયવિરક્તતા થવાથી મનને આત્મદ્રવ્ય સિવાય કાઈ પણ અન્ય દ્રવ્યના આધાર રહેતા નથી, લક્ષમાં આવતું નથી. આત્મા સિવાય બીજા કેાઈનું શરણુ ન હેાવાથી મનને નિરાધ થાય છે. ચંચળતા વિલય થવાથી આત્મામાં સમવસ્થાન (સ્થિરતા) હાય છે અને તે આત્મરમણુતા અનાકૂળ, એકાગ્ર, સંચેતન હાવાથી તેને ધ્યાન કહેવામાં આવે છે. ૧૫૨ઃ પ્ર. સર્વે ધ્યાનામાં સર્વત્કૃિષ્ઠ શ્રેષ્ડ ધ્યાન કયું ગણાય ? . જેમ પ ામાં મેરુ શ્રેષ્ઠ છે, વૃક્ષામાં કલ્પવૃક્ષ ઉત્તમ છે, ધાતુઓમાં જેમ સુવણુ કિંમતી છે, પીવા યેાગ્ય પદાર્થામાં અમૃત ઉત્તમ છે, મણિએમાં ચિંતામણિ રત્ન ઉત્તમ છે, જ્ઞાનમાં કેવળજ્ઞાન ઉત્કૃષ્ટ રૂપે કુદાં, મૃગ શબ્દથી, સ્પર્શ, ગજ મરી જાય; મત્સ્ય રસે, ભ્રમર ગંધથી, તે પંચ વિષયે ક્યમ થાય ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy