SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૩ છે, ચારિત્રમાં સમતાભાવ શ્રેષ્ઠ છે, આપ્ત-સમ્યકત્વીમાં તીર્થકર મહાન છે, ગાયોમાં સુરધેનું ઉત્તમ છે, મનુષ્યમાં ચક્રવર્તી પ્રધાન છે, તથા દેવામાં ઈન્દ્ર મહાન છે તેમ સર્વે ધ્યાનમાં શુદ્ધચિદ્રપ આત્માનું ધ્યાન સર્વોત્કૃષ્ટ શ્રેષ્ઠ છે. ૧૫ર૭ પ્ર. આત્મધ્યાન થયું કે નહિ તે કેવી રીતે જણાય ? ઉ. આત્મધ્યાનથી સહજ સુખને સ્વાદ આવે. આત્મવીર્ય અને વૈર્ય (સ્થિરતા) વધે, ગમે તેવી આપત્તિમાં આકુલિત ન થાય, આત્માનું કાંઈ જ બગડતું નથી એમ સમજે. સાકરની કણી એક ક્ષણવાર પણ જીભ ઉપર રહે તે મીઠાશને સ્વાદ આપે, તેમ આત્માનું ધ્યાન બહુ જ અલ્પ સમય પણ રહે તો પણ તે સહજ સુખને સ્વાદ આપે. ૧૫૨૮ પ્ર. આત્મધ્યાન કેટલે વખત રાખી શકાય ? ઉ. મોટા મોટા શક્તિશાળી અને મોટા મોટા વીર વૈરાગ્યવાન પુરુષે પણ આત્માનું ધ્યાન સતત બે ઘડી (૪૮ મિનિટ)ની અંદરના સમય સુધી જ કરી શકે છે. ૧૫૨૯ પ્ર. આત્મધ્યાન કેવી રીતે ઉત્પન્ન થાય? ઉ. ભાવના કરતાં કરતાં એકાએક ધ્યાન ઉત્પન્ન થાય છે. “આતમ ભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે.” શ્રુતજ્ઞાનથી આત્મસ્વભાવને યથાર્થ જાણી તેમાં જ ઉપયોગને જડ તેગ (ધ્યાન) છે. આત્માના યથાર્થ જ્ઞાન વિના તેમાં ઉપગ લાગતા નથી, અર્થાત એકાગ્ર થઈ શકતો નથી અને એકાગ્રતા વિના ધ્યાન હેતું નથી, કારણ કે જાણ્યા વગર ધ્યાન કેનું કરે ? ૧૫૩૦ પ્ર. આત્મધ્યાન કરતાં શું ચિંતવન હોય ? ઉ. ધ્યાન અવસરે મન, વચન અને કાયા એ ત્રણેને વ્યાપાર બંધ થઈ જાય છે, ચિંતવન હેતું નથી. ઉપયોગ એકાગ્ર થઈ જાય છે. (ત સમયે ધ્યાતાને એ વિચાર પણ નથી હોતો કે “હું ધ્યાન કરું છું, કે આત્માને ધ્યાવું છું.'). શું કરવાથી પિતે સુખી? શું કરવાથી પિતે દુ:ખી? - પિતે શું ? કયાંથી છે આપ? એને માગે શીઘ જવાબ. * I Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy