SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ ઉ. જ્યારે એક પરમાણુ એક પ્રદેશથી ખીન્ન પ્રદેશમાં જાય છે ત્યારે એક સમય લાગે છે—તે કથન મંદ ગતિની અપેક્ષાએ કહ્યુ છે અને એક સમયમાં ચૌદ રાજુ ગમન કરે છે—તે તીવ્ર ગતિની અપેક્ષાએ છે. દાખલા તરીકે, દેવદત્ત ધીમી ચાલથી એક દિવસમાં એક યેાજનના હિસાબથી સે। દિવસમાં સે। યેાજન જાય છે, પણ વિદ્યાના પ્રભાવથી તે જ ચાલવી ચાલે તા સેા યેાજન એક દિવસમાં જાય છે, હવાઈ જહાજથી જે અંતર દાઢ ક્લાકમાં કપાય તે જ અંતર કાપવા માટે રેલગાડીમાં નીસ ક્લાક લાગે છે. એવી રીતે પરમાણુ પણ તે જ ચાલથી એક સમયમાં ચૌદ રાજુ ગમન કરે છે અને મંદ ગતિથી એક સમયમાં એક પ્રદેશથી ખીજા પ્રદેશ સુધી ગમન કરે છે. ૪૮૪ પ્ર. અમુક પદાર્થના જવા આવવાદિના પ્રસંગમાં ધર્માસ્તિકાયાદિના અમુક પ્રદેશ ક્રિયા થાય છે, અને જો એ પ્રમાણે થાય તા વિભાગપણું થાય, જેથી તે પણ કાળના સમયની પેઠે અસ્તિકાય ન કહી શકાય, એનું સમાધાન કહો. . જેમ ધર્માસ્તિકાયાદિના સર્વ પ્રદેશ એક સમયે વમાન છે, અર્થાત્ વિદ્યમાન છે, તેમ કાળના સર્વ સમય કંઇ એક સમયે વર્તમાન હોતા નથી. અમુક પ્રદેશે ધર્માસ્તિકાયાદિને વિષે ક્રિયા થાય અને અમુક પ્રદેશે ન થાય તેથી કંઇ તેના અસ્તિકાયપણાના ભંગ થતા નથી, માત્ર એક પ્રદેશાત્મક તે દ્રવ્ય હોય, અને સમૂહાત્મક થવાની તેમાં યેાગ્યતા ન હોય તા તેના અસ્તિકાયપણાના ભંગ થાય. વળી એક પરમાણુમાં પણ અનંત પર્યાયાત્મકપણુ' છે અને કાળના એક સમયમાં કંઈ અનંત પર્યાયાત્મકપણું નથી, કેમ કે તે પોતે જ વમાન એકપર્યાયરૂપ છે, એકપર્યાયરૂપ હોવાથી તે દ્રવ્યરૂપ કરતું નથી, તા પછી અસ્તિકાયરૂપ ગણવાના વિકલ્પ પણ સંભવતા નથી. ૪૮૫ પ્ર. સિદ્ધ ભગવાનનું ઊર્ધ્વગમન અને લેાકાંતે સિદ્ધ શિલાએ સ્થિતિનુ કારણ આકાશ છે ? ઝાઝાના મેળાપ અને થાડા સાથે અતિસમાગમ એ અને સમાન દુ:ખદાયક છે. Jain Education International s For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy