SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ જીવ–આત્મા ૧૩૩૩ પ્ર. આત્મા શું છે ? ઉ. આત્મા એક સ્વરૂપે ત્રિકાળ સ્થિતિ કરી શકે એ નિત્ય પદાર્થ છે. તે કોઈ પણ સંયોગોથી બની શકે નહિ. જેને જ્ઞાની પુરુષો મુખ્ય જ્ઞાનસ્વરૂપ લક્ષણવાળે કહે છે, તે ચેતન પદાર્થ છે. તે દેહથી ભિન્ન છે. સહજ પરમાત્મતત્ત્વ અનધ છે. અધ = પાપ; અને પાપથી રહિત તે અનઇ. ૧૩૩૪ છે. આત્મા કાંઈ કરે છે ? ઉ. આત્મા જ્ઞાતા, દષ્ટા છે, તે જુએ છે અને જાણે છે. પરમાર્થથી સ્વભાવપરિણતિએ નિજ સ્વરૂપને કર્તા છે. અનુપચારિત (અનુભવમાં આવવા યોગ્ય વિશેષ સંબંધસહિત) વ્યવહારથી તે આત્મા કવ્યકર્મને કર્તા છે. ઉપચારથી ઘર, નગર આદિને કર્તા છે, અજ્ઞાનદશામાં કોધ, માન, માયા, લેભ એ આદિ પ્રકૃતિને કર્તા છે, અને તે ઉદયકર્મોને ભક્તા પણ છે. ૧૩૩૫ પ્ર. આત્માને ચૈતન્ય ગુણ એટલે શું અને તે કશું કરે ? ઉ. ચૈતન્યને ગુણ એટલે દર્શન અને જ્ઞાન ગુણ, તેથી આત્મા ઇન્દ્રિ વિના બધું જુએ અને જાણે ૧૩૩૬ ક. આત્મા માત્ર જાણનાર જ છે તે આમાં કાંઈ કરવાનું જ નથી ? ઉ, આમાં તે પાર વિનાનું કરવાનું છે. દેહ આદિ પરદ તરફ જે લક્ષ જાય છે તે લક્ષને જાણનાર એવા આત્માને જાણવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy