SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૯ મૂળ છેદવાને સમર્થ એવું બ્રહ્મચર્ય પરમ સાધન છે. “એક વિષયને જીતતાં, છત્યે સૌ સંસાર; નૃપતિ જીતતાં છતિયે, દળ, પૂર ને અધિકાર.” પરમાર્થ હેતુ માટે નદી ઉતરવાને ટાઢા પાણીની મુનિને આજ્ઞા આપી, પણ અબ્રહ્મચર્યની આજ્ઞા આપી નથી; ને તેને માટે કહ્યું છે કે અ૫ આહાર કરજે, ઉપવાસ કરજે, એકાંતર કરજે, છેવટે ઝેર ખાઈને મરજે, પણ બ્રહ્મચર્ય ભાંગીશ નહિ. ૧૦૫૭ ક. બ્રહ્મચર્યની નવ વાડ કોને કહે છે ? ઉ. બ્રહ્મચર્યરૂપી સુંદર ઝાડની રક્ષા કરનારી જે નવ વિધિઓ તેને વાડનું રૂપ આપ્યું છે. નીચેની નવ વસ્તુઓને નિષેધ કર્યો છે : (૧) વસ્તી, (૨) કથા, (૩) આસન, (૪) ઈન્દ્રિય નિરીક્ષણ, (૫) કુડ્યાંતર, (૬) પૂર્વક્રીડા, (૭) પ્રણત, (૮) અતિમાત્રાહાર, (૯) વિભૂષણ, ૦૫૮ પ્ર. શાસ્ત્રોમાં બ્રહ્મચર્યની નવ વાડ કહી છે, પરંતુ આપણું ભાવ શુદ્ધ છે અને પારદ્રવ્ય કાંઈ હાનિ કરતું નથી, તે સ્ત્રીને પરિચય કરવામાં અને વાડ તેડવી પડે તે તોડવામાં શું વાંધે છે ? ઉ. પરદ્રવ્ય નુકસાન નથી કરતું એ વાત તે બરાબર છે; પરંતુ તે જાણવાનું પ્રયોજન, પરદ્રવ્યથી પરોગમુખ થઈ સ્વભાવમાં જવાનું છે નહીં કે પરદ્રવ્યનું સ્વછન્દપણે અનુસરણ કરવાનું. તત્વજ્ઞાની તે વીતરાગનું જ પિષણ કરે છે, જ્યારે સ્વચછન્દી જીવ તવજ્ઞાનની આડમાં પોતાના રાગને જ પિષે છે. સાચા બ્રહ્મચારીને તે સ્ત્રીને પરિચયને ભાવ આવતા જ નથી. ૧૦૫૯ પ્ર. શાસ્ત્રોમાં બ્રહ્મચર્યદશાનું કથન પુરુષની મુખ્યતાથી કેમ કરવામાં આવે છે ? ઉ. પૂર્ણ વીતરાગી બ્રહ્મચર્યદશા પુરુષની જ થઈ શકે છે. તેથી પુરુષની મુખ્યતાથી કથન છે. સ્ત્રીની પંચમગુણ સ્થાન સુધી જ દશા હોય છે, વિશેષ ઊંચી હોતી નથી, તેનું સ્થાન પંચ પરમેષ્ઠી ધર્મમાં લૌકિક મોટાઈ, માન, મહત્ત્વની ઇચ્છા એ ધર્મના દ્રોહ રૂપ છે. . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy