SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ (૪) હીનાધિકમાન્માન: એાછા તોલમાપથી આપવું, અને વધારે | તોલમાપથી લેવું. (૫) પ્રતિરૂપક વ્યવહાર : ખાટા સિક્કા ચલાવવા અથવા ખરી વસ્તુમાં ખોટી ભેળવી ખરી કહી વેચવું. ૧૦૫૪ પ્ર. બ્રહ્મચર્ય અણુવ્રતના અતિચાર કહે. ઉ. (૧) પરવિવાહરણઃ પિતાના પુત્ર પૌત્રાદિ સિવાય બીજાના સંબંધ જોડવા. (૨) પરિસહિતા ઇત્વરિકાગમનઃ વિવાહિત વ્યભિચારિણી સ્ત્રી પાસે જવું-આવવું. (૩) અપરિગ્રહિત ઈરિકાગમનઃ વિવાહિત નહિ એવી વેશ્યાદિકની પાસે જવું–આવવું.. (૪) અનંગક્રીડા : કામસેવનનાં અંગ સિવાય અન્ય અંગોથી કામ સેવન કરવું. . (૫) કામતીવાભિનિવેશ : કામસેવનની તીવ્ર લાલસા સ્વસ્ત્રીમાં પણ રાખવી. ૧૦૫૫ પ્ર. કેટલા પ્રકારના મિથુને કહ્યા છે ? ઉ. દશ પ્રકારના મૈથુન છે અને તે બધા તજવા ગ્ય છે. (૧) શરીરને શણગારવું, (૨) પુષ્ટ રસનું સેવન કરવું. (૩) ગાયન, નૃત્ય કે વાત્ર દેખવું, સાંભળવું, (૪) સ્ત્રીઓની સંગતિ, (૫) સ્ત્રીઓના વિષયના સંકલ્પ કરવા, (૬) સ્ત્રીઓને અંગોપાંગ દેખવાં, (૭) દેખેલા, સાંભળેલા પ્રસંગના સંસ્કાર મનમાં વારંવાર તાજા રાખવા, (૮) પૂર્વના ભાગનું મરણું કરવું, (૯) કામગ મેળવવાની ભવિષ્ય સંબંધી ચિંતા કરવી, (૧૦) વીર્યનું ખલિત થવું. ૧૦૫૬ પ્ર. બ્રહ્મચર્યવ્રતને ઉત્તમ ઘત તરીકે કેમ ગણાવ્યું છે ? ઉ. પાંચ ઈન્દ્રિમાંથી પશ ઈન્દ્રિયને અભ્યાસ જીવને ઘણે છે કારણ કે દરેક ભવમાં તે ઈન્દ્રિય હોય છે. તેને ક્યાથી સંસારવૃત્તિ મળી પડી જાય છે. સર્વ પ્રકારના આરંભ તથા પરિગ્રહના સંબંધનું શરીર પ્રકૃતિના અનુકૂળ પ્રતિકૂળપણને આધીન ઉપયોગ અકર્તવ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy