SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ પદમાં આવતું નથી, તેથી શાસ્ત્રોમાં સ્ત્રીને લક્ષમાં લઈ મુખ્યપણે કથન થતું નથી. હા, ગૌણપણે તેની ભૂમિકાનુસાર સમજી લેવું જોઈએ.. ૧૦૬૦ પ્ર. નિશ્ચયનયથી બ્રહ્મચર્ય કોને કહે છે ? ઉ. જાવજીવ શરીરથી બ્રહ્મચર્ય પાળ્યું, પણ એ તે શુભરાગ છે. આત્મા પોતે જ બ્રહ્મસ્વરૂપ છે, ને તેની નિર્મળ પર્યાય દ્વારા તે બ્રહ્મસ્વરૂપ આત્માને જાણે ત્યારે તેનું નામ બ્રહ્મચર્ય કહેવાય છે. બ્રહ્મ એટલે આત્મા અને ચર્ય એટલે ચરવું. બ્રહ્મચર્ય એટલે આત્મામાં ચરવું.) ૧૦૬૧ પ્ર. પરિગ્રહપ્રમાણ વ્રતના પાંચ અતિચાર ક્યા છે ? ઉ. દશ પ્રકારના પરિગ્રહની પાંચ જોડી થાય છે. ક્ષેત્ર-મકાન, ચાંદી સેનું, ધનધાન્ય, દાસ-દાસી, કપડાં-વાસણ એમાંથી કોઈ એક જોડીમાં એકને ઘટાડી બીજાની મર્યાદા વધારી લેવી તેવા પાંચ દોષ છે. : ૧૦૬ર પ્ર. દિગ્વિરતિના પાંચ અતિચાર કહો. ઉ. (૧) ઊર્વ વ્યતિક્રમઃ ઊંચે જેટલું દૂર જવાનું પ્રમાણ કર્યું હોય તેને કેાઈ કષાયને વશ થઈ ઓળંગી આગળ ચાલ્યા જવું. (૨) અધ વ્યતિક્રમ : નીચેના પ્રમાણને ઓળંગી આગળ આગળ ચાલ્યા જવું. ? (૩) તિર્યફ વ્યતિક્રમ બાકીની આઠ દિશાઓના પ્રમાણને ઓળંગી આગળ ચાલ્યા જવું. (૪) ક્ષેત્રવૃદ્ધિ : ક્ષેત્રની મર્યાદા એક તરફ ઘટાડી બીજી તરફ વધારી દેવી. (૫) ઋત્યનરાધાન : મર્યાદાને ભૂલી જવી. ૧૦૬૩ પ્ર. દેશવિરતિના પાંચ અતિચાર સમજાવે. ઉ. (૧) આનયન : મર્યાદાની બહારથી વસ્તુ મંગાવવી. (૨) પ્રેષ્ઠ પ્રયોગ : મર્યાદાથી બહાર કાંઈ મકલવું. (૩) શબ્દાનુપાત ઃ મર્યાદાથી બહાર વાત કરી લેવી. સત્ સ્વરૂપી આત્મા, ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્ત, સમજે કેઈ વિરલા થઈ જાય તે ભવમુક્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy