SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ ૫૩૩ પ્ર. પુણ્ય-પાપ, બંધ તત્ત્વ સંબંધી ભૂલ શું છે ? ઉ. જેવી સેનાની બેડી તેવી જ લોઢાની બેડી-બનને બંધનકારક છે. તેવી રીતે પુણ્ય અને પાપ બને છવને બંધનકર્તા છે, પરંતુ મિશ્યા દષ્ટિ જીવ એવું નહિ માનતાં પુણ્યને સારું હિતકારી માને છે. તત્ત્વદષ્ટિએ પુણ્ય અને પાપ બંને બંધનાં કારણે છે. ૫૩૪ પ્ર. શુભ-અશુભ પરિણામમાં ભેદ માને તેને મિથ્યાદષ્ટિ કહ્યો છે તે અમે આત્માની વાત વાંચીએ કે સાંભળીએ કે દુકાને બેસીને વેપાર કરીએ એ બધું એક જ છે ને? ઉ. શુભઅશુભ પરિણામમાં વ્યવહારથી ભેદ છે. વેપારમાં તીવ્ર કષાય છે, સાંભળવામાં મંદ કષાય છે એથી વ્યવહારે ભેદ છે. પરંતુ એ શુભ-અશુભ બનેનું લક્ષ પર તરફ છે તેથી બંધનું કારણું છે. તેથી પરમાર્થે ભેદ નથી તેમ બતાવી શુભમાંથી હિતબુદ્ધિ છોડાવીને સ્વદ્રવ્યનું (આત્માનું) લક્ષ કરાવે છે. ૫૩૫ પ્ર. આસ્ત્રવ સંબંધી શું ભૂલ થાય છે ? ઉ. હિંસાદિરૂપ પાપાસાવ છે તેને તે હેય જાણે છે તથા અહિંસારૂપ પુણ્યાસ્ત્રવ છે, તેને ઉપાદેય માને છે; હવે બંને કર્મબંધનાં કારણ છે. હિંસામાં મારવાની બુદ્ધિ થાય પણ તેનું આયુ પૂર્ણ થયા વિના તે મરે નહિ અને પિતાની ઠેષ પરિણતિથી પિતે જ પાપ બાંધે છે; તથા અહિંસામાં રક્ષા કરવાની બુદ્ધિ થાય પણ તેના આયુઅવશેષ વિના તે જીવે નહિ, માત્ર પિતાના રાગભાવથી પુણ્ય બાંધે છે એ પ્રમાણે બંને હેય છે. વળી રાગદ્વેષ-મેહરૂપ જે આઢવભાવ છે તેને નાશ કર્યા વગર આસ્રવ મટતા નથી. ૫૩૬ પ્ર, પુણ્ય કેટલા પ્રકારે બંધાય છે ? ઉ. પુણ્ય નવ પ્રકારે બંધાય છે (૧) અન્નપુનેઃ અન્નદાન આપવાથી, (૨) પાણપુને પાણીનું દાન આપવાથી, (૩) લયણપુનેઃ પાત્રવાસણનું દાન દેવાથી, (૪) સયણપુને શય્યા-મકાન દેવાથી, જે એકને જાણે છે તે સર્વને જાણે છે અને જે સર્વને જાણે છે તે એકને જાણે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy