SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ પપ૬ ક્રમબદ્ધ પર્યાયને નિર્ણય થતાં નિર્મળ પર્યાય મારું કર્મ અને હું તેને કર્તા-એ વાત નથી રહેતી. પર્યાય પોતાના સમયે થશે જ એવી શ્રદ્ધા હોવાથી તેને કરવાની કોઈ વ્યાકુળતા રહેતી નથીઆ પ્રકારની નિઃશંકતા પ્રગટ થઈ જાય છે. ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધામાં કર્તાપણાની બુદ્ધિ ઊડી જાય છે અને જ્ઞાતાપણાની બુદ્ધિ પ્રગટ થઈ જાય છે–એ તેનું ફળ છે. ૧૭૬૦ પ્ર. કમબદ્ધ પર્યાય સિદ્ધ કરવામાં સર્વજ્ઞતાનો આશ્રય શા માટે લે પડે છે. સીધી જ સમજાવો ને ? ઉ. સીધી સમજવામાં ન આવી શકે તે સર્વજ્ઞતાને આશ્રય લે જોઈએ, કેમ કે સર્વજ્ઞતાના આધારે સમજવામાં સરળતા રહે છે. ૧૭૬૧ પ્ર. સર્વજ્ઞતાના આધારે સમજવામાં સરળતા કેવી રીતે રહે છે ? ઉ. સર્વજ્ઞ ભગવાન ત્રણ લેકનાં સમસ્ત દ્રવ્યો અને તેમની ત્રિકાળવત સમસ્ત પર્યાયને એકી સાથે જાણે છે. ભૂતકાળ અને વર્તમાન પર્યાયોની સાથે સાથે તેઓ ભવિષ્યની પર્યાયે જે સમયે જેવી થવાની છે તેને સર્વજ્ઞ અત્યારે જ જાણે છે. (ભવિષ્યમાં જે બનવાનું છે તે જે પહેલેથી નિશ્ચિત ન હોય તે કેવળી તેને કેવી રીતે જાણી શકે ? તે નિશ્ચિત છે તેથી જ કેવળ ભવિષ્યની સ્થિતિ સંપૂર્ણ પણે નિશ્ચિયથી જાણે છે.) ગ્યાતારૂપ જાણે છે ૧૭૬૨ પ્ર. કેવળી ભગવાન ભૂતભવિષ્યની પર્યાને દ્રવ્યમાં કે તે પર્યાને વર્તમાનવત્ પ્રત્યક્ષ જાણે છે ? ઉ. પ્રત્યેક પદાર્થની ભૂત અને ભવિષ્યકાળની પર્યાયે વર્તમાનમાં અવિદ્યમાન અપ્રગટ હોવા છતાં પણ સર્વજ્ઞ ભગવાન તેમને વર્તમાનવત્ પ્રત્યક્ષ જાણે છે. અનંતકાળ પહેલાં થઈ ગયેલી ભૂતકાળની પર્યા અને અનંતકાળ પછી થનારી ભવિષ્યની પર્યાયે અવિદ્યમાન હોવા છતાં પણ કેવળજ્ઞાન વર્તમાનની જેમ પ્રત્યક્ષ જાણે છે. જીવ જ પિતાને કરે જન્મ તથા નિર્વાણ તેથી નિજ ગુરુ નિશ્ચયે જીવ જ, અન્ય ન જાણું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy