SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૫ ૧૭૫૭ પ્ર. તે પછી ક્રમબદ્ધ પર્યાયને નિર્ણય કરવો કે નહીં ? 9. નિર્ણય તે કરો, આશ્રય ન કરો. આશ્રય કરવાનો નિષેધ કરતાં, નિર્ણય કરવાને નિષેધ ન સમજી લે. સાયકસ્વભાવના આશ્રયે ક્રમબદ્ધને નિર્ણય થશે. તેથી ક્રમબદ્ધ પર્યાયને નિર્ણય કરવા માટે જ્ઞાયસ્વભાવને આશ્રય કરે, ક્રમબદ્ધને નિર્ણય તે મહાપુરુષાર્થનું કાર્ય છે. તેનાથી આખી. દષ્ટિ જ પલટાઈ જાય છે. એ કઈ સામાન્ય વાત નથી, એ તે જૈનદર્શનને મમ છે. ૧૭૫૮ પ્ર. તે એને અર્થ એ થે કે પહેલાં આગમ અને યુક્તિના આધારે વિકલ્પાત્મક જ્ઞાનમાં ક્રમબદ્ધ પર્યાયને નિર્ણય કરે, પછી જ્યારે દષ્ટિ પર્યાય ઉપરથી હઠીને જ્ઞાયકસ્વભાવ ઉપર જશે, સ્થિર થશે. ત્યારે ક્રમબદ્ધ પર્યાયની સાચી શ્રદ્ધા થશે? ઉ. હા વાત તે એમ જ છે. ૧૭૫૯ પ્ર. જે બધું ય ક્રમબદ્ધ જ છે તો પછી જ્યારે અમારી કમબદ્ધ પર્યાયમાં ક્રમબદ્ધને નિર્ણય થવાને હશે ત્યારે થઈ જશે. માની લો કે ક્રમબદ્ધને નિર્ણય અથવા મોક્ષ માર્ગને આશ્રય અથવા ધર્મને નિશ્ચયથી સ્વીકાર કરવામાં અનંત ભવ બાકી છે. તે અત્યારે કેવી રીતે પરિણમી શકે ? ઉ. આ વાત કેના આશ્રયે કહો છો ? શું તમને ક્રમબદ્ધને નિર્ણય. થઈ ગયું છે? ના, તે પછી તે કહેવાને તમને અધિકાર નથી. જેને કમબદ્ધને નિર્ણય થઈ જાય છે, તેને એ પ્રશ્ન જ ઊઠતા નથી. ક્રમબદ્ધની શ્રદ્ધાવાળાને અનંત ભવ જ નથી હોતા. ક્રમબદ્ધની શ્રદ્ધા તે ભાવને અભાવ કરનારી છે. જેના અનંત ભવ બાકી હોય તેની સમજણમાં ક્રમબદ્ધ આવી જ શકતી નથી, કેમકે તેની દષ્ટિ જ્ઞાયક સમુખ હોતી નથી અને જ્ઞાયક સન્મુખ દષ્ટિ થયા. વિના ક્રમબદ્ધ પર્યાય સમજવામાં આવતી નથી. એકમેક સૌ મનુષ્યને જાણે ગરજ જરૂર; મહાસાગરની મેઘને, મેઘ વિશ્વનું નૂર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy