SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ અક્ષરાત્મક શ્રુતજ્ઞાન : જે અક્ષરે દ્વારે અર્થ વિચારવાથી થાય, જેમ કે શાસ્ત્ર દ્વારા જ્ઞાન. અક્ષરાત્મક શ્રુતજ્ઞાન: જે ઈન્દ્રિયોથી મતિજ્ઞાન દ્વારા પદાર્થોને જાણીને ફરી તે જ્ઞાન દ્વારા તે પદાર્થમાં હિતરૂપ કે અહિતરૂપ બુદ્ધિ થવી તે. કીડીને દૂરથી સુગધ આવવી તે મતિજ્ઞાન છે. પછી તે સુગંધિત પદાર્થની નજીક આવવાની બુદ્ધિ થવી તે શ્રુતજ્ઞાન છે. મતિ શ્રુતજ્ઞાન સર્વ પ્રાણીઓને સામાન્ય રીતે હોય છે, બે જ્ઞાનથી ઓછાં હોતાં નથી, પરંતુ એ જ્ઞાન પણ ક્રમથી કામ કરે છે. ૭૭ પ્ર. અવધિજ્ઞાન એટલે શું ? ઉ. મર્યાદાને વિષે રહેલ જે રૂપી દ્રવ્ય તેને ઈન્દ્રિની અપેક્ષા વિના જે જાણવું તે અવધિજ્ઞાન. અવધિ નામ મર્યાદાનું છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદામાં રહેલાં પુદ્ગલેનું અથવા પુદગલ સહિત અશુદ્ધ જીવોનું વર્ણન જાણવું તે આ જ્ઞાનનું કામ છે. આ જ્ઞાન થવામાં મન અને ઇન્દ્રિયની જરૂર નથી. આત્મા પોતે જ જાણે છે. અવધિજ્ઞાનના બે ભેદ ભવપ્રત્યય અને ગુણપ્રત્યય. દેવ તથા નારકીઓને જે જન્મથી જ હોય છે તે ભવપ્રત્યય. પશુઓને તથા માનવોને સમ્યકત્વ કે તપના પ્રભાવથી થાય છે તે ગુણપ્રત્યય. ૭૮ પ્ર. મન:પર્યયજ્ઞાન એટલે શું ? ઉ. અઢી કીપની અંદર રહેલ પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મને ગત ભાવને જાણનારું જ્ઞાન તે મન:પર્યયજ્ઞાન. બીજાઓના મનમાં પુગલ કે અશુદ્ધ છવ સંબંધી શું શું વિચારો ચાલી રહ્યા છે, અથવા કયા ક્યા વિચાર થઈ ચૂક્યા છે, અથવા કયા ક્યા વિચાર થશે, એ સર્વને જે કઈ આત્મા દ્વારા જાણી શકે તે મન – પર્યયજ્ઞાન છે. . ૭૮ પ્ર. કેવળજ્ઞાન એટલે શું ? ઉ. કોલકની અંદર રહેલાં રૂપી-અરૂપી સર્વ દ્રવ્યોને તથા તેના અતીત, અનાગત અને વર્તમાન કાળના સર્વ પર્યાને એક સાથે એક સમયે જાણે તેને કેવળજ્ઞ ન કહીએ, જે ત્રણ લેકના ત્રણ કાલ જગતમાં માન ન હેત તો અહીં જ મોક્ષ હેત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy