SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન, જાતિસ્મરણ, લબ્ધિ, પુનઃ જન્મ ૭૪ પ્ર. જ્ઞાનના પ્રકાર કહો ? ઉ. આઠ; મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય, કેવળ અને કુમતિ, કુશ્રુતિ, કુઅવધિ. જો કે જ્ઞાન એક જ છે પણ જ્ઞાનાવરણ કર્મના ક્ષપશમ કે ક્ષય અનુસાર જ્ઞાનના મુખ્ય પાંચ ભેદ થઈ ગયા છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપર્યયજ્ઞાન તથા કેવળજ્ઞાન. મતિ, શ્રત, અવધિ એત્રણ જ્ઞાન જ્યારે મિથ્યાદષ્ટિને હોય છે ત્યારે કુમતિ, કુશ્રુત, અવધિ અથવા વિભંગ કહેવાય છે. આવી રીતે ત્રણ કુત્તાન સાથે જ્ઞાનના આઠ ભેદ થાય છે. * ૫ પ્ર. મતિજ્ઞાન એટલે શું ? ઉ. પાંચ ઈન્દ્રિય તથા છ મન એ છ વડે કરીને જે જાણવું થાય તેને મતિજ્ઞાન કહીએ. એટલે મતિજ્ઞાનાવરણને પશમ થાય છે તેટલી જ વિશેષ મતિજ્ઞાનની શક્તિ પ્રગટ થાય છે. એટલા માટે સર્વ પ્રાણીઓનું મતિજ્ઞાન એકસરખું હોતું નથી. મતિજ્ઞાન કેવળ જ્ઞાનનો અંશ છે. ૭૬ પ્ર. શ્રુતજ્ઞાન એટલે શું ? ઉ. જિન ભગવંતને વચને રૂપી શાસ્ત્ર ભણવાથી કે સાંભળવાથી જે જ્ઞાન થાય તે શ્રુતજ્ઞાન કહેવાય. મતિજ્ઞાન ઉપર વિશેષ વિચાર તે શ્રુતજ્ઞાન છે. મતિજ્ઞાનથી જાણેલા પદાર્થ દ્વારા બીજા પદાર્થને કે વિષયને જાણે તે શ્રુતજ્ઞાન છે. જેમ કાનથી આત્મા શબ્દ સાંભળ્યું એ મતિજ્ઞાન છે. આત્મા શબ્દથી આત્માના ગુણુપર્યાય આદિને બંધ થવે તે કૃતજ્ઞાન છે. એટલા માટે શાસ્ત્રજ્ઞાનને શ્રુતજ્ઞાન કહે છે. આ શ્રુતજ્ઞાન મન દ્વારા જ થાય છે. શ્રુતજ્ઞાનના બે ભેદ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy