SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ વર્તી સર્વ પદાર્થોને (સર્વ દ્રવ્ય-ગુણ- પર્યાયે સહિત) ભિન્ન ભિન્ન પ્રત્યેક સમયમાં યથાસ્થિત પરિપૂર્ણરૂપે સ્પષ્ટ અને એક સાથે એક કાળમાં દેખે અને જાણે તેને કેવળજ્ઞાન કહે છે-કેવળજ્ઞાનમાં કાંઈ પણ જણ્યા વિના રહેતું નથી. સર્વ જ્ઞાનાવરણ કર્મને ક્ષય થવાથી અનંત જ્ઞાનને પ્રકાશ છે તે કેવળજ્ઞાન છે. શુકલ ધ્યાનના પ્રભાવથી સર્વ જ્ઞાનાવરણ કર્મને જ્યારે ક્ષય થઈ જાય છે ત્યારે આ જ્ઞાન તેરમાં ગુણસ્થાનકે સગી કેવળી જિનને પ્રગટ થાય છે, એક વખત પ્રકાશ થયા પછી ફરી મલિન થતું નથી. પાંચ જ્ઞાનેમાં મતિ, શ્રુત પરાક્ષ છે; કારણ કે ઈન્દ્રિય અને મનથી થાય છે પરંતુ ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ છે કારણ કે આત્માથી થાય છે. ભૂત ભવિષ્યને જાણે તે કેવળજ્ઞાનની વ્યાખ્યા નથી, એ તે જેવી પણ જાણી શકે. કાલકને જાણે તે કેવળજ્ઞાન નિશ્ચયથી નથી, પણ સ્વરૂપમાં નિરંતર રહેવાય એ કેવળજ્ઞાન નિશ્ચયથી છે. લેકાલકને જાણે તે કેવળજ્ઞાન વ્યવહારથી કહેવાય છે. કેવળજ્ઞાન એટલે નિરાવરણ જ્ઞાન. કેવળજ્ઞાન થયા પછી ઉપયોગ ચંચળ ન રહે. આત્મામાં સ્થિર રહે. કેવળજ્ઞાન કે આત્મસમાધિ લોકોને સરખું લાગે તેથી ભેદ પાડવા કાલોકને જાણનાર કહ્યું. કેવળ જ્ઞાન એટલે આત્મા અત્યંત શુદ્ધ અસ્થાને ભજે તે. ૮૦ પ્ર. કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે કયું જ્ઞાન હોવું જરૂરી ? અને કયા જ્ઞાનની પ્રધાનતા છે ? ઉ. એ ચાર જ્ઞાનેમાં શ્રુતજ્ઞાન જ એવું જ્ઞાન છે કે જેનાથી શાસ્ત્રજ્ઞાન. થાય છે અને આત્માનું ભેદ વિજ્ઞાન થાય છે કે આ આત્મા રાગાદિ ભાવકર્મ, જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ અને શરીરાદિ કર્મથી ભિન્ન છે, સિદ્ધસમ શુદ્ધ છે. જેને આત્માનુભાવ થાય છે તે જ ભાવશ્રુતજ્ઞાન પામી જાય છે. અવિધ મન:પર્યવજ્ઞાનને વિષય કંઈ શુદ્ધાત્મા નથી, એ તે રૂપી પદાર્થો ને જ જાણે છે જ્યારે શ્રુતજ્ઞાન અરૂપી પદાર્થોને પણ જાણી શકે છે એટલા માટે શ્રુતજ્ઞાન પ્રધાન છે. ૮૧ પ્ર. કેવળજ્ઞાન ક્યારે ઉત્પન્ન થાય ? નાના નાના, મન + A - અમન જ * રાગ વિના સંસાર નથી અને સંસાર વિના રાગ નથી. . . . . . 1 ન r e # # # # # # # # # # કમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy