SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ ઉ. સર્વ પર દ્રવ્યમાં એક સમય પણ ઉપયોગ સંગ ન પામે એવી દશાને જીવ ભજે ત્યારે કેવળજ્ઞાન ઉત્પન થાય. શ્રુતકેવળી એટલે શું ? કેવળી અને શ્રુતકેવળીમાં શું તફાવત છે ? ૩. શ્રુતજ્ઞાન પૂરું જાણે તે શ્રુતકેવળી, ચૌદલબ્ધિપૂર્વનીધ જેને પ્રગટી હોય કે જેથી તેનાથી શાસ્ત્રમાં આવેલી કઈ પણ વસ્તુ અજાણી ન રહે તે શ્રુતકેવળી છે. ગેમકૃસારમાં આવે છે કે તીર્થકર અથવા શ્રુતકેવળીના પાકમળમાં ક્ષાયિક સમકિત થાય છે. શ્રુત એટલે સૂત્ર; અને સૂત્ર એટલે સર્વ સ્વયં જાણીને ઉપદેશેલું પૌદગલિક શબ્દબ્રહ્મ; એટલે સર્વજ્ઞનાં વચને કેવળ, (એટલે એકલે, નિર્ભેળ, શુદ્ધ, અખંડ), આત્માને જાણનાર–અનુભવનાર શ્રુતજ્ઞાની પણ “શ્રુતકેવળી” કહેવાય છે. કેવળી અને શ્રુતકેવળીમાં તફાવત એટલે છે કે કેવળી જેમાં ચૈતન્યના સમસ્ત વિશેષે એકી સાથે પરિણમે છે એવા કેવળજ્ઞાન વડે કેવળ આત્માને અનુભવે છે અને શ્રુતકેવળી જેમાં ચૈતન્યના કેટલાક વિશેષે ક્રમે પરિણમે છે એવા શ્રુતજ્ઞાન વડે કેવળ આત્માને અનુભવે છે; અર્થાત કેવળી સૂર્યસમાન કેવળજ્ઞાન વડે આત્માને દેખે–અનુભવે છે અને શ્રુતકેવળી દીવા સમાન શ્રુતજ્ઞાન વડે આત્માને દેખે-અનુભવે છે. આ રીતે કેવળીમાં ને શ્રત કેવળીમાં સ્વરૂપસ્થિરતાની તરતમ્યતારૂપ ભેદ જ મુખ્ય છે. ક્રમબદ્ધ (પદાર્થ) જાણવારૂપ ભેદ અત્યંત ગૌણ છે. ૮૩ પ્ર. અવધિ કે મન:પર્યયજ્ઞાન ન હોય તે પણ શું કેવળજ્ઞાન થઈ શકે છે ? ઉ. હા; કોઈ ગીને અવધિજ્ઞાન કે મન:પર્યયજ્ઞાન ને પણ હોય તે પણ શ્રુતજ્ઞાનના બળથી કેવળજ્ઞાન થઈ શકે છે. માટે આપણે એટલું કરવા યંગ્ય છે કે આપણે શાસ્ત્રજ્ઞાનને વિશેષ અભ્યાસ કરતા રહેવું કે જેથી આત્માનુભવ પ્રાપ્ત થાય. એ જ સહજ સુખનું સાધન છે, અથવા એ જ કેવળજ્ઞાનને પ્રકાશ કરનાર છે. કોઈ અનંતવા૨ દેહને અથે આત્મા ગા છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે છેલ્લે દેહ હશે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy