SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ છતાં પણ, છને ગતિમાં કર્મ–કર્મરૂપ પુદ્ગલ સહકારી કારણ થાય છે, અને અણુ તથા સ્કંધ-એ પુદ્ગલેને ગમનમાં (ધર્મ દ્રવ્ય ઉપરાંત) કાળ દ્રવ્ય સહકારી કારણ થાય છે. ૪૨૮ પ્ર. જીવ પગલાદિ દ્રવ્યના પરિણમનમાં સહકારી કારણ કાળદ્રવ્ય છે પણ કાળદ્રવ્યના પરિણમનમાં સહકારી કારણ કોણ છે ? ઉ. જેમ આકાશદવ્ય બધા દ્રવ્યોને અવગાહન આપવામાં નિમિત્ત થાય છે અને પોતાની અવગાહનાને આધાર સ્વયં પોતે જ છે, તેમ કાળદ્રવ્ય બાકીના બીજા બધા દ્રવ્યના પરિણમનમાં નિમિત્ત થવા ઉપરાંત પોતાના પરિણમનમાં પિતે સ્વયં નિમિત્ત છે. ૪૨૯ પ્ર. શું ઉપરના ધર્મઅધર્મ, આકાશ અને પુદ્ગલ એ ચારે અજીવતો બીજાં દર્શને પણ માન્ય છે ? ઉ. નહિ, આકાશ અને પુદ્ગલ એ બને તો તો વૈશેષિક, ન્યાય, સાંખ્ય આદિ દર્શનેને પણ માન્ય છે; પરંતુ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ બને ત જૈનદર્શન સિવાય બીજું કોઈ પણ દર્શન માનતું નથી. પગલાસ્તિકાય એ સંજ્ઞા પણ ફક્ત જૈનશાસ્ત્રમાં જ પ્રસિદ્ધ છે. બીજાં દર્શનેમાં એ તત્વને સ્થાને પ્રકૃતિ, પરમાણુ આદિ શબ્દોને ઉપયોગ થાય છે. ૪૩૦ પ્ર. પર્યાય એટલે શું ? ઉ. જુદાં જુદાં નિમિત્તને લઈને દ્રવ્યની જુદી જુદી અવસ્થા થતી રહે છે તેને પર્યાય કહે છે. જેમકે : જીવ એ દ્રવ્ય અને મનુષ્ય, તિર્યંચ વગેરે પર્યાય. જીવના શુદ્ધ સ્વભાવની રાગ દ્વેષમાં પરિણતી તે વિભાવ પર્યાય. માટી એ દ્રવ્ય અને ઘડો તેની પર્યાય. ૪૩૧ પ્ર. છ દ્રવ્યમાં જીવ કેટલા અને અજીવ કેટલા ? ઉ. છવ સિવાયનાં પાંચે દ્રવ્યો અજીવ છે. ૪૩ર પ્ર. પુદ્ગલ અજીવ દ્રવ્ય હોવા છતાં તે સ્વયં ગતિમાન દ્રવ્ય કહેવાય છે? ઉ. હા. પુદ્ગલમાં ક્રિયાવતી શક્તિને ગુણ છે તેથી પોતાની ગ્યતા નુસાર ગતિ-ક્ષેત્રા-તરરૂપ પર્યાય થાય છે. આભ પરિણામની વસ્થતાને શ્રી તીર્થકર સમાધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy