SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૩ ૪૩૩ પ્ર. છ દ્રવ્યમાં રૂપી કેટલા ? અરૂપી કેટલાં ? ઉ. પુદ્ગલ સિવાયનાં પચે દ્રવ્ય અરૂપી છે. ૪૩૪ પ્ર. છ દ્રવ્યમાં અસ્તિકાય કેટલાં ? ઉ. એક કાળ દ્રવ્ય સિવાયનાં પાંચે અસ્તિકાય કહેવાય છે.(જુઓ પ્ર. ૪૭૦) ૪૩૫ પ્ર. અસ્તિકાય એટલે શું ? ઉ. પ્રદેશોના સમૂહને અસ્તિકાય કહે છે. (જુઓ પ્રશ્ન-પ૬૭થી પ૬૯) ૪૩૬ પ્ર. ધર્મદ્રવ્ય અને ધર્મ (સંવર, નિર્જરાની કરણ) એ બને એક કે જુદાં ? ઉ. તદ્દન જુદાં ધર્મ દ્રવ્ય જડ છે, અજીવ છે. સંવર, નિર્જરારૂપ ધર્મ એ તે જીવને પુરુષાર્થ છે માટે બને જુદાં છે. ૪૩૭ પ્ર, પ્રદેશ એટલે શું ? ઉ. ધર્માસ્તિકાય વગેરે પાંચે અસ્તિકાયના નાનામાં નાના હિસ્સાને પ્રદેશ કહે છે. (કાળ દ્રવ્યને પ્રદેશ હોતા નથી.) ૪૩૮ પ્ર. દુષમકાળ એટલે શું ? ઉ. દુષમ શબ્દનો અર્થ દુઃખે કરીને પ્રાપ્ત થવા ગ્ય એ થાય છે અથવા આ કાળમાં પરમાર્થમાર્ગનું વિશેષ કરીને દૂર્લભપાણું છે. આ ક્ષેત્રે વર્તમાનકાળમાં પૂર્વે જેણે પરમાર્થ માર્ગ આરાધે છે, તે દેહ ધારણ ન કરે, અને તે સત્ય છે, કેમ કે જે તેવા જીવોને સમૂહ દેહધારીપણે આ ક્ષેત્રે વર્તતો હોત તે તેમને તથા તેમના સમાગમમાં આવનારા એવા ઘણું જીવન પરમાર્થ માર્ગની પ્રાપ્તિ સુખે કરીને થઈ શકતી હત; અને તેથી આ કાળને “દુષમ” કહેવાનું કારણ રહેત નહીં. મુમુક્ષપણું, સરળપણું, નિવૃત્તિ, સત્સંગ આદિ સાધને પરમ દુર્લભ જાણું આ દુષમકાળને હુંડા અવસર્પિણી કાળ કહ્યો છે. ૪૩૮ પ્ર. પરમાર્થનું ક્ષીણુપણું છે માટે વર્તમાનકાળને દુષમકાળ કહ્યો છે કે દુષમકાળ છે માટે પરમાર્થનું ક્ષીણપણું છે ? ઉ. પરમાર્થ માર્ગને એગ્ય પુણ્યવાળા બહુ ઓછા જીવ હોવાથી આ કાળને દુષમ કહ્યો છે. જેનાં કર્મને લઈને કાળને પણ લંક શ્રદ્ધા તે સાધન અને અનુભવ તે સાધ્ય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy