SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૩ (૩) કરુણું : જગતજીવનાં દુઃખ દેખીને અનુકંપિત થવું. કોઈ પણ જીવને જન્મ-મરણથી મુક્ત થવાનું કરવું. (૪) મધ્યસ્થતા : શુદ્ધ સમદષ્ટિના બળવીર્યને એગ્ય થવું. નિર્ગુણી જીવ પ્રત્યે મધ્યસ્થતા. ૧૫૦૭ પ્ર. ધર્મધ્યાનના બળથી સાત પ્રકૃતિઓ નષ્ટ થાય છે તેમ કહ્યું છે તે સાત પ્રકૃતિઓ કઈ ગણાવી છે ? ઉ, સાત પ્રકૃતિ : અનંતાનુબંધી, જેના કારણથી અનંત સંસારને બંધ થાય તે, (૧) કેધ, (૨) માન, (૩) માયા, (૪) લેભ, (૫) મિથ્યાત્વ મેહનીય (વિપરીત તત્ત્વશ્રદ્ધા), (૬) મિશ્ર મેહનીય, (૭) સમકિત મોહનીય. ધર્મધ્યાન, સમ્યગ્દષ્ટિ વિના મિથ્યાદષ્ટિને હેતું નથી એ નિયમ છે. ચોથા ગુણસ્થાનથી સાતમા ગુણસ્થાન પર્યત ધર્મધ્યાન હોય છે. પ્ર. “પરમાત્મ પ્રકાશમાં પરમાત્માના ધ્યાન કરવાને ધર્મધ્યાન કહ્યું છે, તે કેવી રીતે કહ્યું છે ? ઉ. પરમાત્માના ધ્યાન કરવાનું કહીને પોતાના જ આત્માનું ધ્યાન કરવાનું કહ્યું છે, પિતાનાથી ભિન્ન પરમાત્માનું નહીં. પરમાત્માના જેવો જ પિતાને સ્વભાવ પરિપૂર્ણ રાગાદિ રહિત છે, તેને ઓળખી તેનું જ ધ્યાન કરવું, એ જ પરમાર્થથી પરમાત્માનું ધ્યાન છે. આ સિવાય અરિહંત અથવા સિદ્ધનું લક્ષ કરવું સાચું ધર્મધ્યાન નથી, પરંતુ રાગ છે અને પરમાર્થથી રાગ તે આર્તધ્યાન છે, તેથી તેનાથી કદી પણ ધર્મધ્યાન થઈ શકતું નથી. ૧૫૦૯ પ્ર. શુકલધ્યાનને રંગ શું સફેદ છે ? ઉ. શુકલધ્યાન તે ચૈતન્યના આનંદનો અનુભવમાં લીનતાની ધારા છે, તે તે કેવળજ્ઞાન પ્રાપ્તિની શ્રેણી છે. તેને રંગ નથી હોતો. સફેદ રંગ તે રૂપી પુદ્ગલની પર્યાય છે. અહીં શુકલધ્યાનમાં “શુકલ”ને અર્થ સફેદ રંગ નથી, પણ રાગની મલિનતા રહિત, જીવે પૂર્વ ભવમાં જે પુણ્ય કે પાપકમને સંચય કર્યો છે તેને દૈવ (નસીબ) કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy