SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ માટે મર્મન જાણનાર ગુરુ કે પુરુષ સમીપે સૂત્રતત્ત્વનું વાંચન લઈએ તે. (૨) પૃચ્છના : શંકાશલ્ય નિવારણને માટે ગુર્નાદિકને પ્રશ્ન પૂછીએ તેને પૃચ્છના કહીએ. (૩) પરાવર્તન : પૂર્વે જિનભાષિત સૂત્રાર્થ જે ભણ્યા હોઈએ તે સ્મરણમાં રહેવા માટે, નિર્જરાને અર્થે, શુદ્ધ ઉપયોગ સહિત શુદ્ધ સૂત્રાથેની વારંવાર સજઝાય કરીએ તેનું નામ પરા વર્તાનાલંબને. (૪) ધર્મકથા ઃ વીતરાગ ભગવાને જે ભાવ જેવા પ્રણીત કર્યા છે, તે ભાવ તેવા લઈને, પોતાની નિર્જરાને અર્થે સભામધે, તે ભાવ તેવા પ્રણીત કરીએ તેને ધર્મકથાલંબન કહીએ. ૧૫૦૫ પ્ર. ધર્મધ્યાનની અનુપ્રેક્ષા કેટલી છે ? ઉ. ધર્મયાનની અનુપ્રેક્ષા પણ ચાર છે : (૧) એકવાનુપ્રેક્ષા, (૨) અનિત્યાનુપ્રેક્ષા, (૩) અશરણાનુપ્રેક્ષા, (૪) સંસારાનુપ્રેક્ષા. (વિશેષ માટે જુઓ “બાર ભાવના” પ્રશ્ન-૧૦૯૩). ૧૫૦૬ ક. ધર્મધ્યાનમાં ચાર ભાવનાઓ કઈ કહી છે? અથવા અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ ક્યાંય થતી નથી અને તે શું કરવાથી થાય ? ઉ. ધર્મધ્યાનમાં ચાર ભાવનાથી ભૂષિત થવું સંભવે છે : (૧) મૈત્રી : સર્વ જગતના જીવ ભણી નિરિબુદ્ધિ, સર્વ જીવ પ્રત્યે હિતચિંતવના. (૨) પ્રમોદ : અંશ માત્ર પણ કોઈને ગુણ નિરખીને રોમાંચિત ઉલ્લાસવાં. ગુણ જીવ પ્રત્યે ઉલ્લાસ પરિણમ. દેહધારી આત્મા પંથી છે અને દેહ એ ઝાડ છે, આ દેહરૂપી ઝાડમાં (નીચે) જીવરૂપી પંથી વટેમાર્ગ થાક લેવા બેઠો છે. તે પંથી ઝાડને જ પોતાનું કરી માને એ કેમ ચાલે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy