SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ સ્વભાવને માને છે. પ્રત્યેક પર્યાય સ્વતંત્ર છે, તે પોતે પોતાની મેળે. થઈ રહી છે. તેવી જ રીતે દર્પણમાં પડતું શરીરનું પ્રતિબિંબ, શરીર અને પ્રતિબિંબ ભિન્ન ભિન્ન છે. શરીરના લીધે પ્રતિબિંબ નથી. ૪૦૩ પ્ર. ઉદ્યોત કેને કહે છે ? ઉ. ચંદ્રમાના પ્રકાશ તથા આગિયા વિગેરે તિય જીવોના શરીરના પ્રકાશને ઉદ્યોત કહે છે. તે ઉદ્યોત પુદ્ગલ દ્રવ્યની વિભાવ વ્યંજન પર્યાય છે. બિલાડી કે સિંહની આંખમાંથી પ્રકાશ દેખાય છે તે જીવના કારણે નથી, પણ તે ઉદ્યોત પુદ્ગલ દ્રવ્યની વિભાવ વ્યંજને પર્યાય છે.. ૪૦૪ પ્ર. આપ કોને કહે છે ? ઉ. સૂર્યના પ્રકાશને તથા સૂર્યકાંત મણિના પ્રકાશને આતપ કહે છે. તેમાં એકેન્દ્રિય જીવ છે એટલે પ્રકાશ છે એમ નથી. આતપ પુદ્ગલની વિભાવ વ્યંજન પર્યાય છે. ૪૦૫ પ્ર. ઉપર મુજબ પુદગલ કંધના દશ ભેદ શા કારણે થાય છે ? ઉ. ગુગલમાં સ્નિગ્ધ તથા રુક્ષના કારણે બંધ થાય છે. શબ્દ બોલાય 'છે તે આત્માથી નથી બલાતે તેમ હોઠથી પણ નથી બેલા. હોઠ. આહારવર્ગણાથી બન્યા છે. શબ્દ ભાષાવર્ગણના રુક્ષ અને સ્નિગ્ધ ગુણના કારણે બન્યા છે. શરીરનું જાડું પાતાળું થવું તે પુદ્ગલની. અવસ્થા છે. શરીરમાં શ્વાસ ચાલ, પગ અકડી જો તે બધું પુદ્ગલની પર્યાય છે. તેમાં જીવને કોઈ અધિકાર નથી. દૂધમાંથી દહીં થવું, તલમાંથી તેલ નીકળવું, મોસંબીમાંથી રસ નીકળવો, વીજળી થવી, ધનુષ્યમાંથી બાણની ગતિરૂપ અવસ્થા થવી, એ બધી પુદ્ગલની અવસ્થા છે. બરફને ચૂર થવો અને પાછો મળી જ તે બીજા કેઈ કારણે નહિ પણ રૂક્ષ-સ્નિગ્ધ ગુણના કારણે થાય છે. જેમ આત્મા ત્રિકાળી વસ્તુ છે, જેના જ્ઞાનાદિ ગુણ ત્રિકાળી અને તેની જ્ઞાનાદિ પર્યાય પ્રત્યેક સમય બદલાતી રહે છે, તેમ પુદ્ગલ દ્રવ્યને સ્પર્શાદિ ગુણ ત્રિકાળી છે અને તેની પર્યાય પ્રતિ સમય પલટતી રહે છે કે જેના દશ ભેદ ઉપર પ્રમાણે બતાવ્યા છે. સહજાન્મ સ્વરૂપ પરમગુરુ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy