SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ મનુષ્ય આદિ પર્યાય પ્રાપ્ત કરવામાં કારણભૂત થાય છે, તે પણ તે નિર્જરા મેક્ષમાર્ગરૂપ નથી. કષાયની મંદતા અનુસાર ચારિત્રની વિશુદ્ધતા હોય છે અને તે વિશુદ્ધતાથી જીવ નિગોદથી ઉપર ઉપર ચઢે છે પણ તે વિશુદ્ધિ જ્યારે ગ્રંથભેદ કરશે, ત્યારે જ મેક્ષ માર્ગની તરફ જશે. ૧૭૯ર પ્ર. જે બે છોને ૧૪૮ કર્મ પ્રકાર (જુઓ પ્રશ્ન-૬૧૪), સંબંધી સર્વ ભેદ-પ્રભેદની પ્રકૃતિ-પ્રદેશ–સ્થિતિ-અનુભાગ બંધ-બધા એક સમાન હોય તે તે બને છે ઉત્તરવત બીજી જ ક્ષણમાં સમાન ભાવ કરશે કે ભિન્ન ભિન્ન પ્રકારથી ? ઉ. ભિન્ન ભિન્ન પ્રકારથી. ૧ ૭૯૩ પ્ર. બને જીવોની શક્તિ તે પૂરી છે અને આવરણ પણ બિલકુલ એક સમાન છે, તો પછી ભાવ ભિન્ન ભિન્ન પ્રકારથી કેવી રીતે કરી શકે છે ? ઉ. જીવ “અકારણ પરિણામિક દ્રવ્ય છે”, અર્થાત જીવ જેનું કઈ કારણ નથી એવા ભાવથી સ્વતંત્ર રીતે પરિણમન કરવાવાળું દ્રવ્ય છે, એટલા માટે તેને પિતાના ભાવ સ્વાધીનતાથી કરવામાં વસ્તુતઃ કેણ રોકી શકે છે કેઈ નહીં. તે સ્વતંત્રતાથી પિતાનું બધું જ કરી શકે છે. ૧૭૯૪ પ્ર. જુદા જુદા જીવોને બંધ અને નિર્જરા ભિન્ન ભિન્ન પ્રકારે હોય પણ એક જ જીવને ભિન્ન પ્રકારે હોઈ શકે ? ઉ. એક જીવની અપેક્ષાએ વિચાર કરીએ તે મિથ્યાત્વ ગુણસ્થાનમાં બંધ અધિક નિર્જરા ઓછી થાય છે, અવિરત સમ્યફદષ્ટિ આદિ ગુણસ્થાનેમાં બંધ છે અને નિર્જરા અધિક, મિશ્ર ગુણસ્થાનમાં બંધ અને નિર્જરા બંને સમાનરૂપમાં હોય, તથા ક્ષીણ કષાયાદિ ગુણસ્થાનમાં બંધને–સ્થિતિ અને અનુભાગ બંધને–અભાવ થઈ કેવળ નિર્જરા જ થાય છે. ત્યાં જે બંધ થાય છે તે માત્ર એક સાતવેદનીય હોય છે, તે પણ કેવળ પ્રકૃતિ અને પ્રદેશરૂપે. ધન-કન-કંચન જસુખ સમ્બહિ સુલભ કર જાન દુર્લભ ભ સંસાર મેં એક યથારથ જ્ઞાન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy